yogdrushti_samucchaya_034350_og
Page 1
Yogdrushti Samucchaya New Edition Part 01 and 02 - Jain QuantumBook Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02 Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta Publisher: Mahavir Jain Vidyalay Catalog link: https://jainqq.org/explore/034350/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY Page #1 -------------------------------------------------------------------------- ________________ ક મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત છે કે જે હક છે ? જી હા છે કે જે કોઈ છો ? શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય સવિવેચન યો: ન્યતઃ શ્રેષ્ઠ, યોશ્ચિતામળિ: પર: - શ્રી હરિભદ્રસૂરિ પછી આ છે ? છ વિક : વિવેચન કર્તા : ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા રી છે તો તે ભાગ - ૧ છે કી છ ક છે જો fwei 1975 ટી ઈ કરી છે ? રો રો હક : પ્રકાશક: શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. પી જી મૂલ્યઃ રૂપિયા ૨૫૦ ( Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગટેચા માનદ્ મંત્રીશ્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજયસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. Email: [email protected] પ્રાપ્તિ સ્થાનોઃ (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. ફોન નં. ૦૨૨-૨૬૭૧૮૬૪૧ Email: [email protected] શ્રી મહાવીર જૈન વિદ્યાલય હીલ ડ્રાઈવ, તળાજા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ફોન નં. ૦૨૭૮-૨૫૬૩૯૬૯, Email: [email protected] પહેલી આવૃત્તિ: ઈ.સં. ૧૯૫૦- વિ.સં. ૨૦૦૬ વીર નિર્વાણ સંવત : ૨૪૭૫ દ્વિતીય આવૃત્તિઃ ઈ.સં. ૧૯૭૮ – વિ.સં. ૨૦૩૪ વીર નિર્વાણ સંવત : ૨૫૦૩ તૃતીય આવૃત્તિ: ભાગ - ૧ ઈ.સં. ૨૦૧૮ – વિ.સં. ૨૦૭૪ વીર નિર્વાણ સંવત : ૨૫૪૩ કિંમત : ૨૫૦/નકલ : પOO મુદ્રક : વિનાયક પ્રિન્ટર્સ વિજ્ઞાપન ભવન, તાર ઑફિસ સામે, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. (મો.) ૯૯૭૯૨૦૬૦૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જિન શાસન અનુસાર જીવનું મુખ્ય લક્ષ્ય પરમાનંદસ્વરૂપ મોક્ષ પામવાનું છે. આ પદ પામવા મુમુક્ષુઓએ યોગ અને અધ્યાત્મની સાધનાના માર્ગે વિકાસ સાધવાનો છે. જ્ઞાન સંપાદનની સાધના વિરલ ગ્રંથોના અધ્યયન અને યોગથી જ થાય છે. આ માટે આચાર્ય પ્રવરોએ અનુગ્રહ કરી સ્વાધ્યાય માટે અનેક ગ્રંથો આપ્યા છે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી રચિત યોગદૃષ્ટિસમુચ્ચય એ સૌમાં શિરમોર સમાન છે. આત્માના ક્રમિક વિકાસની કેડી આ ગ્રંથ દ્વારા મુમુક્ષુઓના લાભાર્થે ચીંધવામાં આવી છે. સાધકવર્ગ આ ગ્રંથના મર્મને પામે એ માટે વર્ષો અગાઉ માનનીય સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ સુંદર વિવેચન કર્યું હતું. આને શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાએ સ્વ. શ્રીમતી લીલાવતીબહેનના સ્મરણાર્થે ગ્રંથ સ્વરૂપે વર્ષ ૧૯૫૦માં (પ્રથમ આવૃત્તિ) પ્રકાશિત કર્યું. વિવેચક સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાના પરિવારમાં હાલ કોઈ નથી. પ્રકાશક સ્વ. શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાના પરિવારમાં તેમના સુપુત્રી કોકિલાબહેન વિ. પારેખ તથા શ્રીમતી અરૂણાબહેને શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથની ધાર્મિક દૃષ્ટિએ મહત્તા જાણી, શ્રી મહાવીર જૈન એને ફરીથી પ્રકાશિત કરવાની ઉદાર ભાવના સાથે સંમતિ આપેલ છે. જેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી, શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. આ ઉમદા કાર્ય માટે શ્રી સંઘના અમે અત્યંત આભારી છીએ. શ્રી ગીતાર્થ ગંગાના અનેક ગ્રંથોના વિવેચનકર્તા પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર માતાજીનો આભાર માનીએ છીએ કે એમણે એમના પ્રકાશિત ગ્રંથમાંથી “ભેદ પ્રભેદ વૃક્ષ” કોષ્ટક આ પ્રકાશનમાં છાપવાની અનુમતિ આપી છે. પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહના અને પ્રુફ
Page 2
રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણીકભાઈ કીર્તિભાઈ શાહના ઋણિ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જિનશાસનની પ્રભાવનાના કાર્ય રૂપે જિનાગમો તેમજ જૈન તત્ત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકોનું પ્રકાશન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ્ઞાન પ્રસારનું કાર્ય કરે છે. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રકાશન કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોના જીવનમાં આ ગ્રંથ કલ્યાણનું કારણ બને, આધ્યાત્મિક મુમુક્ષુઓનો વિકાસ થાય અને આંતરપ્રકત્તિ વિકસાવી સૌ સમતા પ્રાપ્ત કરે એવી શ્રધ્ધા સહ.. લિ. ભવદીય હિતેશ ચીમનલાલ દોશી સ્થળ : મુંબઈ. મુકેશ ભાયચંદ મહેતા તા. ૦૨/૦૩/૨૦૧૮ હસમુખ ઉગરચંદ ગટેચા ધૂળેટી માનદ્ મંત્રીશ્રીઓ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬ થી ૧૫ પ૬ થી ૬૩ પાના નં. ن ૯ ی 0 ی ૪૯ بی بی بی بی ی ૮૯ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન (ત્રીજી આવૃત્તિ પ્રસંગે) પ્રકાશકનું નિવેદન (પહેલી આવૃત્તિ પ્રસંગે) - ઉપોદ્યાત યોગદષ્ટિસમુચ્ચય ભેદ – પ્રભેદ વૃક્ષ શ્લોક નં. વિષય મંગલાચરણ અને પ્રયોજનાદિ ૨ થી ૫ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગનું અલ્પ વર્ણન ૬ થી ૮ પ્રાતિભજ્ઞાનના આધારે કેવલજ્ઞાનની પ્રાપ્તિના ઉપાયો સામર્થ્યયોગના બે ભેદનું સ્વરૂપ દ્વિતીય અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગની પ્રાપ્તિ, અને આયોજયકરણથી ઉર્ધ્વમાં દ્વિતીય સામર્થ્યયોગની પ્રાપ્તિ સર્વ યોગોથી શ્રેષ્ઠ અયોગ યોગ. ઈચ્છાદિ ત્રણ યોગોનો આઠ દૃષ્ટિઓ સાથે સંબંધ આઠ દષ્ટિઓનાં નામો ઓઘ દૃષ્ટિનું સ્વરૂપ દૃષ્ટાન્તથી આઠ દૃષ્ટિઓમાં વર્તતા બોધનું સ્વરૂપ આઠ યોગાંગ. ખેદાદિ આઠ દોષોનો પરિહાર અને અદ્વેષ આદિ આઠ ગુણોના સંબંધથી આઠ દૃષ્ટિઓનો ભેદ દષ્ટિનું લક્ષણ ૧૮ સ્થૂલથી દષ્ટિના આઠ ભેદો અને વિશેષથી અનેક ભેદો પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત અને સાપાય પાછળની ચાર દૃષ્ટિઓ અપ્રતિપાતયુક્ત અને નિરપાય છેલ્લી ચાર દષ્ટિઓમાં દેવભવની પ્રાપ્તિથી યોગ માર્ગમાં પ્રયાણના ભંગનો અભાવ શ્લોક ૨૧ થી ૪૦ સુધી મિત્રાદષ્ટિનું નિરૂપણ મિત્રા દૃષ્ટિનું સ્વરૂપ મિત્રા દૃષ્ટિમાં યોગબીજોનું ગ્રહણ જિનકુશલચિત્તદિ યોગબીજોનું સ્વરૂપ ચરમપુદગલપરાવર્તમાં તથા ભવ્યત્વનાં પાકથી ચિત્તની સંશુદ્ધિ સંશુદ્ધ કુશલચિત્તનું સ્વરૂપ ૨૬ થી ૨૯ અન્ય સંશુદ્ધ યોગબીજોનું સ્વરૂપ યોગબીજોનું સ્વરૂપ ભાવમલના ક્ષયથી યોગબીજોનું ગ્રહણ ચરમપુદ્ગલપરાવર્તમાં ભાવમલનો ક્ષય ચરમપુદ્ગલપરાવર્તવર્તી જીવોનું સ્વરૂપ અવંચકના ઉદયથી શુભ નિમિતોનો સંયોગ અવંચકત્રયનું સ્વરૂપ અવંચકત્રયની પ્રાપ્તિના હેતુરૂપ ભાવમલની અલ્પતા ઘનભાવમલમાં અવંચકત્રયની અપ્રાપ્તિ જી રે = ૦ ૧૦૨ ૧૦૯ ૧૧૦ ૧૧૫ ૧૧૭ ૧૨૭ જ ર GU = GU ૦ U 0 ૧૪૫ ૧૪૮ ૧૪૮ ૧૪૫. ૧૫૮ ૧૬૪ ૧૬૬ GU U દ km Page #5 -------------------------------------------------------------------------- ________________ ო 0 ო 5 ૧૬૭ ૧૬૯ ૧૭૧ ૧૭૧ ო ე ૪૧ ૧૭૭ ૧૮૮ ૧૯૬ ૨૦) ૨૦૮ ૨૧૬ ૨૨૨ ૨૨૬ ૨૨૭ ૫૪ ૦ પ૬ છે ભાવમલની અલ્પતામાં યોગમાર્ગની પ્રાપ્તિની સમજ ચરમયથાપ્રવૃત્તકરણમાં યોગબીજાદિની પ્રાપ્તિ ચરમયથાપ્રવૃત્તિકરણનો અપૂર્વરૂપે સ્વીકાર યોગની દૃષ્ટિથી ગુણી એવું મિથ્યાષ્ટિ ગુણસ્થાનક શ્લોક ૪૧ થી ૪૮ સુધી તારાદેષ્ટિનું નિરૂપણ તારા દૃષ્ટિનું સ્વરૂપ ૪૨ થી ૪૫ અન્ય ગુણીનું સ્વરૂપ ૪૬ તારા દષ્ટિમાં પ્રગટ થતી જિજ્ઞાસાનું સ્વરૂપ અને સ્વક્રિયાની ક્ષતિમાં થતાં સંત્રાસનું સ્વરૂપ ૪૭ થી ૪૮ તત્ત્વવિષયક ઊહાપોહનું સ્વરૂપ શ્લોક ૪૯ થી ૫૬ સુધી બલાદેષ્ટિનું નિરૂપણ ४८ બલાદષ્ટિનું સ્વરૂપ ૫૦-૫૧ સુખાસનનું સ્વરૂપ પર-પ૩ શુશ્રુષા ગુણનું સ્વરૂપ શ્રવણની ક્રિયાના અભાવમાં પણ શુશ્રુષા ગુણથી કર્મક્ષયની પ્રાપ્તિ પપ અપગુણનું સ્વરૂપ અન્યગુણોનું સ્વરૂપ શ્લોક ૫૦ થી ૮૬ સુધી દીપ્રા દૃષ્ટિનું નિરૂપણ પ૭ દીપ્રા દૃષ્ટિનું સ્વરૂપ ભાવરેચકાદિ ત્રણનું સ્વરૂપ પ૯ થી ૬૦ દીપ્રા દૃષ્ટિમાં વર્તતા ધર્મરાગનું સ્વરૂપ ૬૧-૬૨ તત્ત્વશ્રવણ ગુણનું સ્વરૂપ ૬૩ તત્ત્વશ્રવણ ગુણનું ફળ તત્ત્વશ્રવણ ગુણનું વિશેષફળ ૬૫ વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ ૬૬-૬૭ ચાર દૃષ્ટિઓમાં સૂક્ષ્મ બોધના અભાવના કારણો
Page 3
૬૮ નરકાદિ અપાયશક્તિના કારણએ સૂક્ષ્મ બોધના અભાવ શાસ્ત્રથી પણ ચાર દૃષ્ટિ સુધી તાત્ત્વિક બોધના અભાવ ૭૦ વેદ્યસંવેદ્યપદની સપ્તલોહપદન્યાસતુલ્ય પાપપ્રવૃત્તિ વેદ્યસંવેદ્યપદમાં સંવેદના અતિશયને કારણે ચરમ પાપપ્રવૃત્તિ પરમાર્થથી અવેદ્યસંવેદ્યપદનો પદરૂપે અસ્વીકાર અને વેદ્યસંવેદ્યપદનો પદરૂપે સ્વીકાર ૭૩-૭૪ વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ ૭૬ ભવાભિનંદી જીવનું સ્વરૂપ ભવાભિનંદી જીવોના બોધની અસુંદરતા ૭૮-૮૨ ફલથી ભવાભિનંદી જીવોનું સ્વરૂપ ૮૩-૮૪ ભવાભિનંદી જીવની પ્રવૃત્તિ ૮૫ ચાર દૃષ્ટિ સુધી યોગીઓમાં રહેલ અદ્યસંવેદ્યપદને જીતવાનો ઉપાય ૫૮ ૨૩૪ ૨૩૮ ૨૪૦ ૨૪૫ ૨૫૩ ૨૫૪ ૨૬૧ ૨૬૩ ૨૬૮ ૨૭) ૨૭૨ ૨૭૬ ૨૮૧ ૭૫ ૨૮૨ ૨૯૧ ૨૯૫ ૨૯૮ ૩૦ ૩૧૪ ૩૨૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ 卐 * Page #7 -------------------------------------------------------------------------- ________________ 66 પ્રથમાવૃત્તિ પ્રસ્તાવના भवबीजाङ्कुरजनना रागादयः क्षयमुपागता यस्य । ત્રહ્મા વા વિષ્ણુવાદો બિનો વા નમસ્તમૈં । '...શ્રી હેમચ’દ્રાચાર્ય છે. : “ સઘળું પરવશ તે દુ:ખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે; એ દૃષ્ટ આતમ ગુણ પ્રગટે, કહે। સુખ તે કૃણ કહિયે ? '’---શ્રી યશાવિજયજી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ !—આજના આ મંગલ દિને આ પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું. શ્રીમદ્ યાગીશ્વરાની પુણ્યભૂમિ આ ભારતવષ આજે પૂર્ણ સ્વાતંત્ર્યના અપૂર્વ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ લૌકિક સ્ત્રાત'ત્ર્યની વાત પરથી અલૌકિક એવા આત્મસ્વાતંત્ર્યનુ` સહેજ સ્મરણ થાય છે અને વિચાર સ્ફુરે છે કે-આ આત્મા અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયા છે, પરભાવરૂપ કમની જજીરાથી જકડાઈ ગયા છે, અને તેથી પારતંત્ર્યનું મહાદુ:ખ અનુભવી રહ્યો છે. આ પરવશતા દુ:ખના મૂળરૂપ અવિદ્યા-મૈાહના પરશ સનને ફગાવી દઈ, સુખધામરૂપ નિજયશ સ્વશાસનના– આત્મરાજ્યના ‘અપૂર્વ અવસર ' જીવને કેમ પ્રાપ્ત થાય? કપરતંત્રતાની ભૃ'ખલામાંથી મુક્ત થઈ આ આત્મ-પુરુષ મુક્તત્વના અનન્ય ઉલ્લાસ કયારે અનુભવે ? પૂર્ણ આત્મસ્વાતત્ર્યના પરમ ધન્ય મહોત્સવ જીવને શી રીતે પ્રાપ્ત થાય ? આતમ ઘર આતમ રમે' ને નિજ ઘર મગલમાલ ' કયારે પ્રગટે ? · આનંદધન રસપૂર'થી આ જીવ-સરાવર છલકાઈ જઈ ‘વાજશે. મ’ગલ તૂર ' કયારે થાય ? : 66 તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મૉંગલ તુર; જીવ સાવર અતિશય વાધશે, આનંદઘન રસપૂર.... પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' કિમ ભાંજે ભગવંત ? ”—શ્રી આનદઘનજી. “આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે. ”—શ્રી દેવચ’દ્રજી. " આ સમસ્ત પ્રશ્નના ઉત્તર એક ચૈાગમાં જ રહ્યો છે. કમ`પારત‘ત્ર્યમાંથી મુક્ત કરી આત્મસ્વાત'ત્ર્યની અનુપમ સિદ્ધિ કરાવનાર, જીવને શિવ' બનાવનાર, આત્માને ઇચ્છે છે જે જોગીજન ' એવું મૂળ શુદ્ધ તે આત્મપદ ’-પરમાત્મપદ્મ પમાડનાર જો કોઇ હાય તે તે યાગ જ છે. અને આ આત્મસ્વભાવ-યુજનરૂપ યાગના સદુપાયને સકલ અવિલ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિધિ સાંગે પગપણે જે પ્રદશિત કરે તે યોગશાસ્ત્ર છે. અને તેમાં પણ અનેક યોગશાસ્ત્રના નવનીતરૂપ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રનું સ્થાન અનુપમ છે; અનેક નવીન અને મૌલિક વિચારધારાઓ રજૂ કરી અપૂર્વ “ગદિષ્ટ'રૂ૫ દિવ્ય નયનના ઉન્મીલનરૂપ નિમલ બંધ પ્રકાશ રેલાવનાર આ ગ્રંથરત્નનું સ્થાન અનન્ય છે. સાગરનું મંથન કરી વિબુધેએ (દેવેએ) અમૃત વાવ્યું હતુંતેમ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી મહાવિબુધ (પ્રાજ્ઞ) મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ ગામૃત વળ્યું છે,–જેનું યથાપાત્ર યથેચ્છ પાન કરી આત્માથી મુમુક્ષુ “જેગીજને ” અમૃતત્વને પામે છે. અને આ નિર્વાણરૂપ અમૃતત્વ પામવું અને પમાડવું એ જ આ યુગપથપ્રદર્શક ગ્રંથનું વક્તા-શ્રોતા ઉભય આશ્રયી પરંપર (Ultimate) પ્રયોજન છે, એમ આના મંગલાચરણમાં જ આ મહાન્ યુગાચાર્યોમાં સ્પષ્ટ પ્રકાર્યું છે. આ પરહિતકનિરત શાસ્ત્રકારે માન-પૂજા–કીત્તિ આદિ તુચ્છ કામનાથી રહિત એવા શુદ્ધ આશયથી કેવળ એક આત્માર્થે જ આ સત્વહિતાર્થ પરમાર્થ પ્રવૃત્તિ કરી છે,–જે પરંપરાએ નિર્વાણનું અવધ્ય બીજ છે, મેક્ષનું અમેઘ કારણ છે. અને “કામ એક આત્માર્થનું, બીજો નહિં
Page 4
મન રેગ—એ મહાસૂત્ર હૃદયમાં ધારણ કરી જે કઈ સાચો આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ શાસ્ત્રનું પરિશીલન કરશે, તે પણ યથોચિતપણે અત્રે યોગમાં જ પ્રવૃત્તિ કરશે,–જે તેને પણ નિર્વાણુના અવંધ્ય બીજરૂપ થઈ પડશે; કારણ કે આ ગદષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસનું માપ છે, આત્મદશા માપક “થર્મોમીટર (Thermometer) છે. એટલે એનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણી વિચક્ષણ શ્રોતા તે પરથી પોતાના આત્માની આધ્યાત્મિક પ્રગતિને, આત્મદશાને, આત્માના ગુણસ્થાનને કયાસ કાઢી શકશે. હું પોતે કયી દષ્ટિમાં વત્ત” છું? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા ગુણ-લક્ષણ છે કે નહિં? ન હોય તો તે પ્રાપ્ત કરવા હારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતમું ખનિરીક્ષણ (Introspection) કરી આત્મગુણવૃદ્ધિની પ્રેરણા પામવા માટે આ યોગદષ્ટિ આત્માથી શ્રોતાને પરમ ઉપયોગી–પરમ ઉપકારી થઈ પડશે, અને તથારૂપ યથાયોગ્ય આચરણરૂપ યુગપ્રવૃત્તિથી તેને પણ પરંપરાએ મોક્ષનું અચૂક કારણ થઈ પડશે. આમ આ સતુશાસ્ત્ર વક્તા-શ્રેતા ઉભયને આત્મકલ્યાણને અમેઘ હેતુ છે, આત્મસ્વાતંત્ર્યને અચૂક સદુપાય છે. “પક્ષપાત ન જે વીર, ૨ ઃ વિટાgિ સુવિમાનં , તા #ાર્ય પરિષદઃ ”—શ્રી હરિભદ્રસૂરિ વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે.”—એવા પ્રકારે નિષ્પક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્ત્વપરીક્ષાની વીરગર્જના કરનારા અને મત-દશનના આગ્રહથી પર એવા આ પરમ પ્રામાણિક આચાર્ય આ પ્રાચીન ભારતવર્ષના ભૂષણરૂપ સમર્થ તત્વજ્ઞાનીઓની Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઈ ગયા છે. હૂદશનનું પરમ પરમાર્થરહસ્ય સંવેદનારા આ સુપ્રસિદ્ધ “ષટૂદનવેત્તા” હરિભદ્રસૂરિએ, સર્વ મત-દર્શનને આગ્રહ છેડાવનારી અને “ષડૂ દરિશન જિન અંગ ભણજે’ એવી સર્વ દર્શનને સમન્વય કરનારી ગમાર્ગની નવી દિશા અત્ર દાખવી છે. પોતાના સાગરવરગંભીર” વિશાળ પટમાં સર્વને સુગમતાથી સમાવેશ કરતી પરમ ગંભીર ઉદાર આશયવાળી “દિવ્ય દષ્ટિ” અર્પણ કરી, આ તત્વદ્રષ્ટા ગાચાર્યે સર્વમાન્ય વિશાળ ગભૂમિકા પર સર્વદર્શનવાદીઓને સપ્રેમ આમંત્રણ કરી સમાનધમીં–સાધર્મિક બંધુત્વભાવે એકત્ર કર્યા છે; અને ધર્મને નામે કદાગ્રહથી ચાલતા મિથ્યા ઝઘડાઓને આત્યંતિક નિષેધ કરી, વિશ્વબંધુત્વની અનન્ય ભાવના પ્રભાવનારા ગિધર્મને-સનાતન આત્મધર્મને સબંધ કર્યો છે. સુજ્ઞ વાંચકને એ જેઈને સાનંદાશ્ચર્ય થશે કે સર્વદર્શનસમભાવની-રાગદ્વેષ રહિત સહિષ્ણુતાની ઉદાત્ત ભાવના આજથી બાર વર્ષ પૂર્વે આ દિવ્ય દ્રષ્ટા ગીશ્વરે તાત્વિક ભૂમિકા પર કેવી વિકસિત કરી છે ! અને એ જ આ ગ્રંથરત્નની અનેકવિધ વિશિષ્ટતાઓ મધ્યેની મુખ્ય વિશિષ્ટતા છે. ઈ. સ. ૧૯૪૩ના વર્ષની કેઈ સુભગ પળે આવો આ ઉત્તમ ગ્રંથ અવગાહવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું; અને તેને સ્વાધ્યાય કરતાં, આ સતશાસ્ત્ર પર વિશદ વિવેચન કરવાની મને સ્વયંભૂ સ્કુરણ થઈ. એટલે આ સશાસ્ત્રને આશય પરિક્રુટ કરી તેનું ગુણગૌરવ-બહુમાન વધારે એવું બહત ટીકારૂપ સવિસ્તર વિવેચન કરવાની આ હારી અંતર્ પ્રેરણાને મૂર્ત આકાર આપવા આ ઉપક્રમ–જના મેં નિયત કરી : (૧) મૂળ કને કાવ્યાનુવાદ-ગૂજરાતી દેહરામાં. (૨) લોકને શબ્દશઃ અર્થ. (૩) શ્રી હરિભદ્રસૂરિજીની પઝ વૃત્તિનો અક્ષરશ: અનુવાદ ફુટનટમાં. (૪) લેક અને વૃત્તિના આશયને પરિક્રુટ અને પરિપુષ્ટ કરતું સળંગ સવિસ્તર વિવેચન (“સુમનંદની’ બહટીકા નામક). (૫) પ્રત્યેક અધિકાર પ્રાંતે તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કલશકાની નવ રચના.-આમ પંચાંગી યોજના નિયત કરી ઉક્ત ઉપક્રમ પ્રમાણે આ સતપ્રવૃત્તિમાં હું પૂર્ણ ઉત્સાહથી પ્રવૃત્ત થયે, અને યથાવકાશ કવચિત્ તીવ્ર-કવચિત્ મંદ વેગે અખંડ પ્રયાણ કરતાં આ વિવેચનાદિ કાર્યની પૂર્ણાહુતિ મે ૧૯૪૫ ના અંતભાગમાં કરી. તેના ફલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વિવેકી તત્ત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં મૂકતાં મને આનંદ થાય છે. આત્માથે કરવામાં આવેલા આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજજનેને જો કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની સત્પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,જેના
Page 5
પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના મ આ પ્રયત્ન “પ્રાંશુલભ્ય’ ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યા હોત! આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મેં ઉપઘાતમાં કર્યો છે. તેને વૃક્ષરૂપ વિસ્તાર તે તે દષ્ટિના અધિકારમાં ચર્ચવામાં આવેલ છે,–જેના નિર્દેશ માટે અત્ર અવકાશ * જ્ઞાતે નિર્વાગતડાનો તરવાઃ | પ્રેક્ષાગતાં તદ્દી વિવા પાવતે ,દાસ, Page #10 -------------------------------------------------------------------------- ________________ નથી. (જુઓ વિષયાનુક્રમણિકા). પ્રત્યેક અધિકારના પ્રાંતે તેને સાર આપે છે તે પરથી, તેમ જ તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કળશની મેં કરેલી નવરચના પરથી પણ આ ગ્રંથની વસ્તુને સુજ્ઞ વાચકને વિશેષ ખ્યાલ આવી શકશે. અત્રે નિર્દિષ્ટ કરેલ પ્રત્યેક વિષયનો સવિસ્તર વિચાર મેં વિવેચનમાં-સુમનંદની બહાટીકા'માં દાખવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ઈછાયેગ, શાસ્ત્રાગ, સામર્થ્યવેગ, અહિંસાદિ યમ, નિમિત્ત અને ઉપાદાન, ગબીજ, અવંચકત્રયી, સમાપત્તિ, વેદ્યસંવેદ્યપદ, અદ્યસંવેદ્યપદ, વિષમ કુતક ગ્રહ, સર્વજ્ઞ તત્વ અભેદ, આક્ષેપક જ્ઞાન, અસંગ અનુષ્ઠાન, ધ્યાતા ધ્યાન અને ધ્યેય, સમાધિ, મુક્ત તત્વ, ઈચ્છાયમાદિ, કુલગી, પ્રવૃત્તચકગી એ આદિ અત્યંત રસમય ને મૌલિક નવીન વિષયે પરત્વે તે મેં અત્ર મહારી “સુમનંદની ટીકામાં વિશિષ્ટ મીમાંસા કરી છે, જે તત્ત્વપિપાસુ “સુમને ને રસપ્રદ થઈ પડશે. તે તે વિષયે મૂળ ગ્રંથમાં પ્રાયઃ સૂવરૂપ સંક્ષેપ નિર્દેશમાત્ર હેઈ, તેને પરમ પરમાર્થગંભીર આશય'નું સૂચન માત્ર કરતાં આટલું ગ્રંથગૌરવ વધી ગયું છે ! તથાપિ આ ગ્રંથગૌરવ પણું પ્રસ્તુત ગ્રંથરત્નના ગુણગૌરવ બહુમાનરૂપ હાઈ ક્ષમ્ય છે. અત્રે સ્વાધ્યાયમય યથાશક્તિ શ્રુતભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર” મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, આ ભક્તિરસ જાતીમાં નિમજજન કરી તત્વસુધારસપાનને રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્ત્વરસિક સજજનને સપ્રેમ આમંત્રણ કરું છું. “ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધે રે; દેવચંદ્ર કહે મહારા મનને, સક્લ મને રથ સીધે રે.”—શ્રી દેવચંદ્રજી. ૫, પાટી રોડ, ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ, ૭ એમ. બી. બી. એસ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ની ) AY EN ) ) ) SYAIVAASA AIA જ ( ૪) ઉ પે ૬ ઘા ત KIY AAAAAAAA ( ૪) 0 0 0 0 0 0 0 UNA " येनात्माऽबुध्यतात्मैव परत्वेनैव चापरम् । અક્ષયાનન્તવવાર, તબૈ સિદ્ધાત્મને નમઃ | ”—શ્રી પૂજ્યપાદસ્વામી આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષયનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે સામાન્ય પીઠિકારૂપે આત્માને દુઃખકારણરૂપ પાતંત્ર્ય શું ? અને શાથી? તથા સુખકારણરૂપ સ્વાતંત્ર્ય શું અને શાથી? તે વિચારવાનું પ્રાપ્ત થાય છે, કે જેથી યોગનું અને આ ગ્રંથના વિષયનું સ્વરૂપ સમજવું સુગમ થઈ પડે. અત્રે મુખ્ય ત્રણ વિભાગમાં વિચાર કરશું: (I) સામાન્ય પીઠિકા, (II) અભિધેય વિષય, (III) તાત્પર્ય બોધ. I. પીઠિકા ૧, આત્મસ્વાતંત્ર્ય સુખ અને કમપાતંત્ર્ય દુઃખ, સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે સર્વને પ્રયત્ન છે, છતાં તેને તે દુઃખ ટળતું નથી અને સુખ મળતું નથી તેનું શું કારણ? એ પરથી અનેક સમર્થ તત્ત્વજ્ઞાનીઓના વિચારની ઉત્પત્તિ થઈ છે. પુનઃ પુનઃ જન્મવું, પુનઃ પુન: મરવું, પુનઃ પુનઃ માતાના ઉદરમાં શયન કરવું, પુનરપિ જ્ઞાનં પુષિ મળે પુના જ્ઞાન , –આ અનંત દુઃખમય જન્મમરણપરંપરારૂપ ભવભ્રાંતિને અંત કેમ આવે? એનું પરમ ગંભીર તત્ત્વમંથન કરતાં ભગવાન મહાવીરાદિ પરમ સમર્થ તત્વદ્રષ્ટાઓને જે યથાર્થ બોધરૂપ સમાધાન પ્રાપ્ત થયું, તે નિષ્કારણ કરુણરસસાગર તે ભગવંતએ જગજજના કલ્યાણાર્થે બેઠું છે. તેઓએ સ્વાનુભવથી સમ્યફ તત્વ નિર્ણય કર્યો કે આ દેહાદિથી ભિન્ન એવી અજર અમર Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ “આત્મા” નામની વસ્તુ છે, અને તેને તેનાથી અન્ય (તદન્ય) એવી જડ વસ્તુના સાગથી જ આ ભવપરિભ્રમણ
Page 6
દુઃખ સાંપડયું છે. તે કર્મનામક અન્ય વસ્તુના સગને વિયેગ થાય તે જ આ આત્મા પરિભ્રમણ દુ:ખથી છૂટે; દુખધામ કર્મપારતંગ્યરૂપ બંધથી મુક્ત થઈ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. કનકો પલવત પડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય...પદ્મપ્રભ.” શ્રી આનંદઘનજી. અત્રે સહજ પ્રશ્ન થ સંભવે છે કે આત્મા ચેતન છે અને કર્મ જડ છે, ચેતનના પરિણામ ચેતન હોય અને જડના પરિણામ જડ હોય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તે પછી આ બેને સંયોગ–બંધ કેમ ઘટે? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકારે ? તેનું સમાધાન એ છે કે-કર્મસંબંધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ કર્મસંબંધચોગ્યતાથી જ તેવા પ્રકારે બંધ ઘટે છે, તેવા પ્રકારની યોગ્યતા સિવાય ઘટતો નથી. આત્માની આ કમસંબંધ ગ્યતાને “માલ”-ભાવમલ* કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન–વિષ્કભન કરે છે, મલિનપણું કરે છે, એટલા માટે જ આ “માલ” કહેવાય છે. “મઢનાર્ મ ર ” આ મલ આત્માને સ્વભાવભૂત હોઈ અનાદિ છે, એટલે તજજન્ય કર્મબંધ પણ અનાદિ છે,-અતીતકાલની ક્ષણ અપરા૫ર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુઓ ગબિન્દુ). અને આ પરથી બંધની તાવિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ - ભાવમલ આત્માના પરિણામરૂપ હોઈ ભાવકમ છે. એટલે આત્મા આ બંધની તાવિક ભાવકને પરિણામ-પરિણામી ભાવે કર્તા છે. આ ચેતનરૂપ ભાવકર્મના વ્યવસ્થા નિમિત્તે જડ એવું પુદ્ગલ દ્રવ્ય જીવવીયની કુરણું ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે “ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની કુરણા, ગ્રહણ કરે * (૧) આ આત્માને જન અને વેદાંતી “પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને “જ્ઞાન” કહે છે, અને સાંખ્ય “ક્ષેત્રવિદ્' કહે છે. (૨) તદન્ય-તે આમાથી અન્ય એવી વસ્તુને જૈન “કમ'' કહે છે, બૌદ્ધ અને વેદાંતી “અવિદ્યા' કહે છે, અને સાંખ્ય “પ્રકૃતિ' કહે છે. (૩) અને તેના સંગને જેને “બંધ” નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ “ભ્રાંતિ” નામ આપ્યું છે, અને સાંખે “પ્રવૃત્તિ” નામ આપ્યું છે. (૪) આ કર્મસંબંધ યોગ્યતારૂપ ભાવમલને સાંખ્યો “દિક્ષા’–પ્રકૃતિવિકરાને દેખવાની ઈચ્છા કહે છે, શો “ભવબીજ' કહે છે, વેદાંતીઓ ભ્રાંતિરૂપ “અવિદ્યા' કહે છે, સૌમતે અનાદિ ક્લેશરૂપ “વાસના કહે છે. આમ દર્શનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુ મેદ નથી. આ સર્વ દશનસંમત વસ્તુતત્વ છે. “ આત્મા તન્યથાસંeft તદ્રિયોra: I a gવ મુ ઘણી જ વસ્ત્રામાડ્યાચોરzથા . (જુઓ શ્રી હરિભદ્રસૂરિકૃત ગબિન્દુ) Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જડ ગ્રૂપ.' એટલે આત્મા આ દ્રવ્યક'ના નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનુ દૃષ્ટાંત ઘટે છે. સેાની કુડલાદિ ભાવના નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્યાં છે, અને પેાતાના સુખ-હર્ષ આદિ ભાવાને પરિણામ-પરિણામીભાવે કર્તા છે. આ દ્રવ્યકમ થી દેહાર્દિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમના ઉદય થાય છે. તે ઉય થયે જો આત્મા રાગ-દ્વેષ-માહરૂપ વિભાવ ભાવે પરિણમે તે તે ભાવમલરૂપ નવીન ભાવકના અધ કરે છે, અને આ ભાવકના નિમિત્તે પુન: દ્રવ્યકમ અંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હાય છે. જૈન પિરભાષામાં ભાવકને માટે · મલ' અને દ્રવ્યકને માટે ‘રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હાય તેા રજ ચાંટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકમ રૂપ રજ ચાંટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટીન્યાયે ભાવકમ-દ્રવ્યકમ ના અનુખ'ધ થયા કરે છે, ભાવકમાંથી દ્રવ્યકમ અને દ્રષ્ટકમ થી ભાવકમાં એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે, અને તેથી જન્મમરણુના આવત્ત રૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘૂમ્યા કરે છે. આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કમ બધનું
Page 7
મૂળ કારણ છે, અને કમ એ ભવભ્રમણનુ કારણ છે, એટલે સસારનુ મૂળ કારણ અવિદ્યારૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. દેહાદ પરવસ્તુમાં આત્મસ્રાંતિ એ જ આ જીવની મેટામાં મેટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના ચેાગક્ષેમાથે –વિષયસ રક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઇ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભ્રાંતિને લીધે મન-વચન-કાયાના ચેાગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઇ. ઉપયાગ ચૂકયેા એટલે યેાગ ચૂકયા. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુધ્ધિ'તિત થવા લાગ્યું, વચનથી પરભાવ–વિભાવ મ્હારા છે એવુ' મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુધ્યેષ્ટિત આચરાવા લાગ્યું. આમ ‘સુચિંતિત્ર હુમ્માસિમ સ્ટુિિદ' રૂપ મન-વચન-કાયાના ચેગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ ‘સુછ્યું ' દુષ્કૃત ઉભરાવા લાગ્યું. “ પરપરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે.”—શ્રી દેવચ`દ્રજી, આમ પરવસ્તુમાં મુ’ઝાવારૂપ માહ-દર્શનમેાહ ઉપજ્યેા, દન મિથ્યા થયુ, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યુ, અને સ` ચારિત્ર પણ કુચારિત્ર થઇ પડ્યું. દનમાહ ઉપજ્ગ્યા એટલે ચારિત્રમાહ ઉપજ્યું, અને અનતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ માહરૂપ ઘાતિ પ્રકૃતિના ખધ થયા, એટલે તેના અવ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઈલેને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી, તેમ જ વેદનીય, આયુ, નામ, ગેત્ર એ અઘાતિ પ્રકૃતિને પણ બંધ થવા લાગ્યા. અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અષ્ટવિધ કર્મની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસારચક્રમાં અનંત જન્મમરણપરંપરારૂપ પરિભ્રમણ દુઃખ પામી રહ્યો. આમ દર્શનમેહ-મિથ્યાદર્શન (મિથ્યાત્વ) સેનાનાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મ–સેનાએ આત્મા પર આક્રમણ (Invasion) કર્યું, આત્મપ્રદેશ પર જોરદાર હલે કર્યો અને તેના ક્ષેત્રને ખેદાનમેદાન કરી નાખ્યું ! રાજાધિરાજ મેહ-રાયે દબદબાભરી રીતે ચૈતન્ય-પુરમાં પ્રવેશ કર્યો, એટલે તેની જય પોકારતા સમસ્ત કર્મ પરિવારે પોતાના તે અન્નદાતાની પાછળ પાછળ અનુપ્રવેશ કરી આત્મપ્રદેશને ઘેરી લીધે! અને પિતાના પુદ્ગલ-ક્ષેત્રમાં અતિક્રમણ (Transgression, Trespass) કરવાના અપરાધ બદલ આત્માને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂ! ને “વેરની વસુલાત” કરી ! ક” અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શનચારિત્ર નામ; હણે બે વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી આત્મસિદ્ધિ. સ્વભાવરૂપ સ્વધર્મને છેડી આત્માએ પરભાવ પ્રત્યે ગમન કર્યું, તેથી વિભાવરૂપ અધર્મ તેને વળગે, અને તેથી કરીને કર્મ—રાહુએ આત્મ-ચંદ્રનું ગ્રહણ-સન કર્યું, તેને દારુણ વિપાક આત્માને પિતાને જ ભેગવ પડ્યો; પારકા ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવારૂપ પાપ–અપરાધને બદલે મળે, “હાથનાં કર્યા હૈયે વાગ્યાં!” “ઘરઘ મચાવ” થઈ પડ્યો! આ જીવની ઘણી મોટી ભૂલ-“એક તેલામાં મણની ભૂલ” જેવી ગંભીર ભૂલ થઈ ! પિતે પિતાને ભૂલી ગયે, આનાથી તે મોટું બીજુ અંધેર કયું? “આપ આપકું ભૂલ ગયા, ઈનસે ક્યા અધેર !” દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત ભૂલને લઈને બીજી આનુષંગિક ભૂલની પણ ભૂલભૂલામણીરૂપ જટિલ જાલ જામી ગઈ. “મૂલ ડે ને વ્યાજડે ઘણે” વધી પડ્યો ! એક જ ભૂલનું કેવું ભયંકર પરિણામ ! અથવા પ્રકારાંતરે વિચારીએ તે જગતની મેહ-માયાજાલમાં લપટાવનાર નામચીન મહનીય કર્મના બે ભેદ છે. દર્શન મેહ અને ચારિત્રમેહ. તેમાં (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિરૂપ દર્શનમેહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતે નથી ને અવિરતિ રહે છે. (૩) આમ પરભાવ પ્રત્યે ગમન–પરિણમન કરતે હેવાથી તે સ્વરૂપ-ભ્રષ્ટતારૂપ પ્રમાદને પામે છે. (૪) અને
Page 8
તે પરભાવની પ્રાપ્તિ-અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગદ્વેષાદિ વિભાવ ભાવને Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભજે છે. (૫) અને તેથી ક્ષેભ પામેલા તેના મન-વચન-કાયાના ચગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મબ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ આશ્રવદ્વાન કમઆગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે, અને કર્મની બેડીથી બંધાયેલે આ જીવ ભવભ્રમણદુઃખ પામે છે. આથી ઉલટું (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મબ્રાંતિ છે, તે છેડી દઈ જીવ જે આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે-ભાવવિરતિ થાય. (૩) એટલે તેને આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ દેષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદઅપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિં, રાગાદિ વિભાવથી રંગાય નહિં અને નિષ્કષાય-પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વર, અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય, આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમેહને હણ વાને અચૂક ઉપાય બોધ છે, ને ચારિત્રહને હણવાને અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણી દર્શનમોહ–ચારિત્રમેહ એમ ત્રિવિધ મોહનીય કર્મની, અને તેના ઉપભેદરૂપ આ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૌદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીધ્ર સમજાઈ જાય છે, કારણ કે આ ગુણસ્થાનકનું બંધારણ (Constitution) મુખ્યપણે આત્માના આ મેહઅપગમ પર રચાયેલું છે. મેહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિશ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માના ગુણવિકાસરૂપ સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે. આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કેઆત્મબ્રાંતિ એ જ આ ભવભ્રમણદુઃખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ કારણરૂપ આ આત્મબ્રાંતિ ટળે છે. કારણ કે આપણે જોયું તેમ ભાવમોક્ષની તાત્વિક કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ સંકલન થયા કરે વ્યવસ્થા છે અને બંધનું દુષ્ટ ચક (Vicious circle ) ચાલ્યા કરે છે, અને તેથી ચક્રભ્રમણન્યાયે ભવને ચકા પણ ચાલ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ (chain) કયારે શૂટે? આ દુષ્ટ ચક્રને અંત ક્યારે આવે? આત્મભ્રાંતિરૂપ ભાવકમ ડ્યૂટે તો આ સાંકળ તૂટે અને આ દુશ્ચક બંધ પડે. અર્થાત્ જીવ જે દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ ધરવાની ના પાડે, “પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તે ભાવકર્મ ન બંધાય, એટલે તેને નિમિત્ત અભાવે દ્રવ્યકમ પણ ન બંધાય, અને આ કર્મબંધની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાંકળ તુટે. આમ આ બંધસંકલન ત્રોડવાની લગામ આત્માના હાથમાં છે, એ વિભાવરૂપ ભાવકર્મ પરિણામે નહિં પરિણમવાની છૂઈક (Brake) દબાવવારૂપ પુરુષાર્થની રહસ્ય ચાવી (Master-key) પુરુષના (આત્માના) પોતાના ગજવામાં જ છે. તાત્પર્ય કે જીવ પરભાવ નિમિત્તે રાગ દ્વેષ-મેહ ન કરે, વિભાવભાવે ન પરિણમે તે મિક્ષ હથેળીમાં જ છે. આમ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થને માગ સદાય સાવ ખુલે પડયો છે. ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છેડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહને હુંકાર કર્ય-શુગાલને નસાડવા માટે બસ છે ! માત્ર આત્મા ઊઠ જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજીએ વીરગર્જના કરી છે તેમ “જબ જાએંગે આતમા, તબ લાગેગે રંગ.” ૩ત્તિ દોત્તિઝ સાકર ! મોહનિદ્રામાંથી જાગેલે આત્મા વિવેકખ્યાતિવડે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી, વિભાવરૂપ અધમને ત્યજી આત્મસ્વભાવરૂપ
Page 9
સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મેક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય.” “જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ. આદિ નામ લઈ, છેદે નહિં આત્માર્થ.” શ્રી આત્મસિદ્ધિ. આ બંધ-મેક્ષની વ્યવસ્થા પરથી ભગવાન મહાવીરે પ્રણીત કરેલા નવ તત્વની અદ્ભુત અવિકલ સંકલના પણ સ્પષ્ટ સમજાઈ જાય છે. આ જીવ અજીવ એવા કર્મથી બંધાયેલ છે, પુણ્ય-પાપ આ અજીવ કર્મના અંતર્ગત બે ભેદ છે; કર્મના આવવાનું કારણ મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, આશ્રવ થયે બંધ થાય છે, આશ્રવને-નવાં કર્મના આગમનને આશ્રદ્વાર સંવૃત કરવારૂપ સંવરથી રોકી શકાય છે, અને જુનાં કમેને ધ્યાનાદિ તપવડે નિર્જરાથી ખેરવી શકાય છે, અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ “અદ્વૈત” આત્મા જ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ બને છે. તે ત્રિશલાતોયે મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધા નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારૂં.” શ્રી મેક્ષમાળા. આ નવ તત્વને હેપાદેય વિવેક સમજવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવા જોઈએ; પ્રથમ તે રોગ (Disease) શું ? એ જાણવું જોઈએ; આ રોગ હેય-અત્યજવા યોગ્ય છે. બીજુ રોગને હેતુ ( Aetiology) શું? એ જાણવું જોઈએ; આ હેય હેતુ છે. ત્રીજુ આરોગ્ય (Normal healthy condition, cure ) ___* " हेयं दुःखमनागतम् । दृष्टश्ययोः संयोगो हेयहेतुः। तदभावात् संयोगाभावो हानं तद् દશે: ચૈત્રયમ્ ! વિવાહયાતિરવિજીવા દાનોપાય | પાતંજલ યંગસુત્ર, ૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શું? તેનું સ્વરૂપ જાણવું જોઈએ; આ હાન છે. અને ચોથું રેગનું ઔષધ (Therapeutic treatment ) શું ? એ જાણવું જોઈએ; આ હાન હેતુ છે. તેમ અત્રે (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રેગ છે, માટે હેય છે. (૨) હેય એવા આ કર્મરેગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હેય હેતુ છે. (૩) આ કમ સેગના હાન હેતુમટાડવાના ઉપાય સંવર અને નિર્જરા છે. (૪) અને કર્મ રોગનું હાન-મટી જવું તે મક્ષ અર્થાત્ આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવના આ મહાભવરેગની અમેઘ ચિકિત્સા ભવવ્યાધિના ભિષવરો ભગવાન વિતરાગએ બતાવી છે, અને આવા જગતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક'નું પ્રવર્તન કરીને પોતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે. કારણુજગે હો બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભ૦” શ્રી આનંદઘનજી. આમ સંસાર એ જ આત્માનો મેટામાં મોટો રોગ છે અને તેનું કારણ કર્મ છે, એટલે કમ પરતંત્ર્ય એ જ ભવરોગ દુઃખનું મૂળ છે. આ કર્મપારખંથી -કર્મબંધથી છૂટવું-મુક્ત થવું એ જ આત્મસ્વાતંત્ર્યરૂપ પરમ સુખમય આરોગ્ય છે, અર્થાત્ આત્માની શુદ્ધ સ્વભાવરૂપ “સ્વસ્થ ” આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે. ૨. યોગની મુખ્ય વ્યાખ્યા અને મોક્ષમાર્ગની એકતા ઇએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મ૫૬, સંગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈક લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.”-–શ્રીમદ્ રાજચંદ્ર, અને આત્માની આવી આ શુદ્ધ સ્વભાવમય “સ્વસ્થ” આરેગ્ય અવસ્થારૂપ મેક્ષને વેગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ “ગ”. યેાગ શબ્દ “યુજ' ધાતુ પરથી નિકળે છે. યુજ એટલે જવું-જોડવું (To unite). મોક્ષ સાથે જન-જોડાણ કરાવે છે તેટલા માટે તે “ગ” કહેવાય છે. “મોક્ષેણ રોગનાટુ ચોr:' એમ તેની મુખ્ય વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે કરીને આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરંતત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હોય કેઈ તેને શિવપદ કહે કે કઈ જિનપદ કહે, કેઈ બુદ્ધપદ કહે કે કઈ સિદ્ધપદ કહે, કોઈ અહંત કહે છે કે પરબ્રહ્મ
Page 10
કહે, કઈ પરમેષ્ટિપદ કહે છે કે પરમાત્મપદ કહે, કઈ તથાતા કહે કે કોઈ સિદ્ધાત્મા કહે –-પણ શબ્દભેદ છતાં પરમાર્થથી તેને સહજામસ્વરૂપમાંસહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતું નથી. એક જ ગંગા નદી છે, તેને કોઈ ભાગીરથી કહે, કે સુરનદી કહે, કઈ ત્રિપથગા કહે, કઈ મંદાકિની કહે, કોઈ જાહ્નવી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કહે, પણ તત્ત્વથી તે વસ્તુમાં કાંઈ ફેર પડેતેા નથી. તેમ અનંત ગુનિયાન આ નિર્વાણુસ ́જ્ઞિત પદને તેના ગમે તે ગુણવાચક ગુણનિષ્પન્ન નામથી ઓળખવામાં આવે તાપણુ તત્ત્વથી-પરમા થી તેમાં ભેદ પડતા નથી. “ શબ્દભેદ ઝઘડા કિસ્સેાજી ? જો પરમારથ એક; કહા ગંગા કહેા સુરનીજી, વસ્તુ ફ઼િ નહિ છેક. ’’—શ્રી યશોવિજયજી. તાત્પર્ય કે સંસારથી પર અને જેનાથી પર કેાઈ નથી એવા આ ‘પરંતત્ત્વ' સાથે ચેાજે-જોડે તે યાગ એમ તેની સદનસ'મત સમાન્ય અવિસ'વાદી વ્યાખ્યા છે. અને આને ફલિતા એ છે કે આત્માનુ નિજ શુદ્ધ સ્વભાવ સાથે—સહજાત્મસ્વરૂપ સાથે યુજન થવું તે જ ચેાગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. ઇચ્છે છે જે જોગીજન ’—જોગીજના જે ઝંખે છે, એવુ. આ અનંત સુખ સ્વરૂપ’મૂળ શુદ્ધ તે આત્મપદ પમાડવું એ જ આ યાગનુ એક માત્ર પ્રત્યેાજન છે. અને આવા શુદ્ધ આત્મસ્વરૂપ જિનપદની અને નિજપત્તની એકતા છે, એમાં કાંઈપણ ભેદભાવ નથી, એના લક્ષ થવાને જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રઓનુ પ્રત્યેાજન છે. . આમ મેાક્ષરૂપ પરમ શાંતિ પામવાને માર્ગ એ જ યાગ છે, અને મેક્ષ એ જ સર્વાં દનેાનું એક નિશ્ચિત સાધ્ય-ધ્યેય (Goal) છે, એટલે તેના સત્ સાધનરૂપ આ યાગમાગ પણ એક જ છે, અને તે તેા શમપરાયણ-શમનિષ્ઠ એવે મુમુક્ષુઓને એક શાંતિમા જ છે. આ શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, એક જ શમનિષ્ઠ રાગદ્વેષ રહિતપણું, સમભાવ. શ્રી કુંદકુંદાચાર્યજીએ વ્યાખ્યા કરી છે શાંતિમા તેમ માહ-Àાભ રહિત જે આત્માના પરિણામ તે સમ કહેવાય છે. ' અથવા શમ એટલે સામ્ય, અર્થાત્ જેમ છે તેમ યથાવત્ આત્મગુણુની સમાન થવું તે સામ્ય. જે સામ્ય છે તે ધર્મ છે, અને 'વહ્યુસદ્દાવો ધમ્મા' વસ્તુના સ્વભાવ તે ધમ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ‘સ્વરૂપે ચળ પાશ્ત્રિ' સ્વરૂપમાં ચરવું-આત્મસ્વરૂપમાં વત્તવુ તે ચારિત્ર છે. આમ ચારિત્ર=ધમ =સામ્ય=સમ=શમ એ શબ્દો સમાના વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત્ સહુજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું એ જ શમ છે, પરભાવ વભાવથી વિરામ પામી આત્મભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ શનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાગ છે. મહાગીતા ચેાગીશ્વર આનદઘનજીએ આ શાંતિમાનું અનુપમ સ્વરૂપ સ`ગીત કર્યુ છે. જેમકે— “ આપણા આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર સવિ સાથે સયેાગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિ જિન૰” તે પર તત્ત્વ પ્રત્યે જવા ઇચ્છનારા સર્વ મુમુક્ષુએ તે જ એક શાંતિમા પામવાને ઇચ્છે છે, એટલે તે સના મા સાગરના તીરમાગની પેઠે એક જ છે, પછી ભલે અવસ્થાભેદના Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભેદને લીધે કોઈ તે તીરની–મેક્ષની નિકટ હોય ને કઈ દૂર હોય. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગર સ્વરૂપ મેક્ષમાર્ગના ભક્તો-આરાધકે-ઉપાસકે છે, સાધમિક બંધુઓ છે. "एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । સવથમેમેસેડર ગઢવી તીમrian I” –શ્રી એગદષ્ટિસમુચ્ચય. આ પરમ શાંતિમય મોક્ષમાર્ગની રત્નત્રયીરૂપ પરમ સુંદર યેજના જિન ભગવાને દાખવી છે. “સગવાનજ્ઞાનરાત્રિાણિ મોક્ષમા ' સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ જિનને “મૂળ માર્ગ” છે. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.... મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ
Page 11
મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ....મૂળ૦ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગમૂળ૦ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તજ તે આત્મારૂપ....મૂળ૦ તેહ મારગ જિનનો પામિયે રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપમૂળ” –શ્રીમદ્ રાજચંદ્ર આમ ભવાતીત-સંસારથી પર એવા પરંતત્ત્વ-મક્ષ પ્રત્યે લઈ જનારો આ શમપરાયણ શાંતિમાગ, એગમાર્ગ, મોક્ષમાર્ગ, “જિનને મૂળમાગ' છે. આવા મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષ-ભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઇચ્છાવાળા હોય તે જ હોય. જેને કષાયની ઉપશાંતતા થઈ હોય, માત્ર મેક્ષ સિવાય બીજી અભિલાષા જેને ન હોય, સંસાર પ્રત્યે જેને ખેદ-કંટાળે ઉપ હોય, અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તાતી હોય, એવો આત્માથી જીવ જ આ યોગમાર્ગ પામવાને યોગ્ય છે. આવી “ગ” દશા જ્યાં લગી જીવ પામે નહિં, ત્યાં લગી તે મોક્ષમાર્ગને પામે નહિં ને તેને અંતર્ગ પણ મટે નહિં. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર્ રોગ.”—આત્મસિદ્ધિ આથી ઉલટું ભવાભિનંદી જી અત્ર અનધિકારી છે. “સંસાર ભલે છે, રૂડે છે” એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા (Hailing) એવા વિષયાસક્ત ભવા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભિનંદી જી આ મેક્ષમાગ પામવા ધારે તે પણ પામી શકે નહિ. વળી ગબિન્દુમાં કહ્યું છે તેમ ભવાભિનદી જીવ માનાર્થને-લોકેષણાને ભૂખ્યો હોઈ “લેકપંક્તિમાં * બેસનારે હોય છે, અર્થાત્ લેકારાધન હેતુઓલેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થંકર-દુરંત ફલદાયી થઈ પડે છે; કારણ કે જગતને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, કેવળ આત્માથે જ કરવા યોગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાથે ઉપયોગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જેવો હીન ઉપયોગ કરે છે અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘેર આશાતના કરે છે. આવી લેકેષણારૂપ લેકપંક્તિ અને કેત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાથે વિચારીએ તે લેકોત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણરૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પશુ નથી, છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલ્પિત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી” પોતાના નામને સાર્થક કરે છે ! એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને પૂજાદિની કામના બન્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત યોગની વાત કરે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમની પણ એ જ દશા છે! ગબિંદુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢ જનને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સગ રહિત વિદ્વાનોનX “શાઅસંસાર” છે ! આમ મૂઢ હોય કે વિદ્વાન હય, જેને અંતરમાં ભવદુ:ખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરૂમાં વસ્ય કરતી હોય, એ ભવાભિનંદી જીવ મેક્ષના આ મૂળ માર્ગના શ્રવણને પણ અધિકારી કેમ હોય? મૂળ મારગ સાંભળે જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ.મૂળ૦ નેય પૂજાદિની જે કામના રે, નો'ય વહાલું અંતર ભવદુઃખ...મૂળ૦ “જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લધુત્વભાવે સમયે છીં; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જેડે એહ;
Page 12
પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.”—શ્રી દેવચંદ્રજી. x" लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना, क्रियते सक्किया सात्र लोकपंक्तिरुदाहृता ।। भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि, महतो हीनदृष्टयोच्चैर्दुरन्तां तद्विदो विदुः ॥" *" पुत्रदारादिसंसारः पुसा संमूढचेतसाम्। विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम ॥" Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તાત્પર્ય કે–ભવબંધનથી છૂટવા માગતા હોય તે જ છૂટે, પણ બંધાવા માગતા હોય તે કેમ છૂટી શકે ? છૂટવા માગતો હોય તે મુમુક્ષુ જ છૂટવાના ઉપાયરૂપ આ મેક્ષમાર્ગને, યોગમાગને સેવે, અને તેને જ તે સમ્યફપણે પરિણમે. પરંતુ ખરેખર છૂટવા જ ન માગતો હોય અને લેગ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બંધાવા માગતું હોય એ વિદ્વાન કે અવિદ્વાન્ ભવાભિનંદી * જીવ તે યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તો પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીત પણે પરિણમે. કારણ કે તેની મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે તેને યોગ પણ “અયોગ થઈ પડે છે. આમ ભવાભિનંદીની યોગક્રિયા પણ નિષ્ફળ હોય છે, અને “વાસિત બોધ આધાર' રૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોવાથી તેને બંધ પણ અબોધરૂપ હોય છે. એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હોવાથી તેને આ ગ્રંથમાં “નિષ્ફલ આરંભી” કહેલ છે. વિષય વિકારસહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ.”– શ્રીમદ્ રાજચંદ્ર “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ” શ્રી દેવચંદ્રજી. આમ ગX એ મોક્ષને હેતુ છે અને તેના પાત્ર મુખ્યપણે મુમુક્ષુ છે એ સિદ્ધ થયું. આ બા. કઈ પણ દર્શનના યોગશાસ્ત્રમાં ભેદ નથી, પરંતુ શ્રી ગબિંદુમાં કહ્યું છે તેમ આ યોગનું ક્ષહેતુપણું સત્ એવા ગોચર, સ્વરૂપ ને ફલથી સાધ્ય સાધનાદિ સંશુદ્ધ છે કે કેમ તે આત્મહિતાથી એ અત્ર યત્નથી શોધવું જોઈએ. શુદ્ધિ અર્થાત્ (૧) પ્રથમ તે જેના સંબંધી આ બધે યોગસમારંભ છે, જે યોગને ગોચર-વિષય છે, એવા આત્માનું સત ”-જેમ છે તેમ યથાવત્ શુદ્ધ સ્વરૂપ શોધવું જોઈએ. એકાંતે અનિત્ય-પરિણામી કે એકાંતે નિત્ય-અપરિ ણામી આત્મા માનવામાં આવે છે તેમાં યોગમાર્ગને સંભવ નથી, પરિણામી નિત્ય આત્મા માનવામાં આવે તે જ યોગમાર્ગને સંભવ છે. આમ ગોચરશુદ્ધિ જેવી જોઈએ. (૨) આપણે જે યોગસાધન કરવા માગીએ છીએ તે સ્વરૂપથી “સ” છે કે કેમ? અર્થાત્ આ ગસાધન ખરેખર આત્મસાધક થાય છે કે કેમ? તે તપાસવું જોઈએ. * “ क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्या न्निष्फलारम्भसंगतः ॥ इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्संगा देव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥” x “ मोक्षहेतुर्यतो योगो भिद्यते न ततः क्वचित् । साध्याभेदात्तथाभावे तूक्तिभेदो न कारणम् ।।" मोक्षहेतुत्वमेवास्य किंतु यत्नेन धीधनैः । सद्गोचरादिसंशुद्धं मृग्यं स्वहितकांक्षिभिः ।। જોજન વર્ષ ૮ ચરિ ગુચા ગહ્ય થોકારતોડશું મુલ્યાણાર્થયોra: ” ગબિન્દુ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ (૩) આ ચેાગનુ ફૂલ શુદ્ધ છે કે કેમ ? અર્થાત્ મેક્ષરૂપ શુદ્ધ ફલનુ સત્ સ્વરૂપ શું છે? અને આ યાગ તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સલ સમપે એવા છે કે કેમ ? આ ચાકસી કરવી જોઇએ. આમ સાધ્યું, સાધન અને સિદ્ધિ એ ત્રણ પ્રકારની યેગશુદ્ધિ અત્ર અવશ્ય જોવી જોઇએ. કારણકે સત્ સાધ્ય લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સસિદ્ધિ થાય; શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષ્ય રાખી, શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત્ સત્ એવા આત્મસ્વરૂપના અવ’ચક ચેગ-ચેાગાવ'ચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત્ અવ'ચક યોગક્રિયા–ક્રિયાવ‘ચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત્ અવ'ચક ફુલ-ફેલાવ'ચકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમા ફલિત થાય છે કે ચેગસાધન કરવા ઇચ્છતા
Page 13
આત્માથી સાધકે એટલું અવશ્ય ગવેષવા ચેાગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મેાક્ષહેતુરૂપ થઇ પડે છે કે કેમ ? ઇષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિંદુ પ્રત્યે લઇ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિંદું ચૂકી જઈ, લક્ષ્ય વિનાના ખાણની પેઠે, આ મ્હારા ચેગ-ક્રિયા-કુલ વાંચક તા નથી થઇ પડતા ને ? અવ'ચક જ રહે છે ને ? આમ ગાચરશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને લશુદ્ધિથી યુક્ત એવે યાગ હાય ા તેનુ જ યથા માક્ષહેતુપણું ઘટે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તેા પછી અત્રે યાગમાગ'માં કઇ પણ દર્શનના ચેોગશાસ્ત્રના ભેદ રહેતા નથી. કારણ કે શુદ્ધ આત્મારૂપ સત્ સાધ્યને અભેદ છે, તેના સાધનરૂપ શમપરાયણુ માક્ષમાના અભેદ છે, અને સાધનાના સળરૂપ શુદ્ધ આત્મિસિદ્ધિના-મેક્ષના અભેદ છે, અને તેથી આત્મસિદ્ધિને સાધનારા શનિષ્ઠ સર્વ મુમુક્ષુઓના પણ અભેદ છે. નામાદિના ભેદ ભલે હા, પણ તેથી કાંઇ ચેાગના પરમામાં ભેદ પડતા નથી. અને આમ સત્ એવા સાધ્ય, સાધન અને સિદ્ધિની શુદ્ધિ જ્યાં વર્તે છે એવા યેગ જ સત્ચાગ-વાસ્તવિક ચાગ છે; અને તેમાં જ * મોક્ષેળ ચોલનાર્ યો: 'એવુ માક્ષહેતુપણારૂપ યાગનુ સદનસ`મત લક્ષણ સમ્યપણું ઘટે છે. આવી સમ્યક્ શુદ્ધિથી આ યથેાક્ત ચાગલક્ષણ જ્યાં ઘટે એ જ યાગની ખરેખરી કસેટી ( Touch-stone ) છે, અને ચેાગની બીજી વ્યાખ્યાએ પણ આ મુખ્ય વ્યાખ્યાની અગભૂત હાઇ તેની સેાટી પણ આ જ છે. આ સૃષ્ટિ લક્ષમાં રાખી હવે આ ખીજી વ્યાખ્યાઓની પણ કઇંક સમીક્ષા કરીએ. ૩. વિવિધ ચેાઞવ્યાખ્યાએની મીમાંસા અને સમન્વય. (૧) સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે ચોગ મેાક્ષ સાથે ચેાજનને લીધે પરિશુદ્ધ એવા સર્વ ધર્મ વ્યાપાર તે યાગ ’–એમ શ્રી ચાગવિ'શિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ યાગની વ્યાખ્યા કરી છે, તેને ફલિતાથ પણ 3 Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એ જ છે. ધર્મ એટલે વસ્તુસ્વભાવ, “વલ્લુરાવો ઘમો ” આ મહા તત્વગંભીર સૂત્ર પ્રમાણે આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મ +વ્યાપાર-પ્રવૃત્તિ–આચરણ તે યોગ. આત્મા પિતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે, અને તે જ યોગ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હોઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. વાસ્તવિક “સનાતન ધર્મ” એ જ છે. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું તત્તવાચક નામ જ “જિન” અર્થાત્ વીતરાગ પ્રભુ છે. અને એવા તે જિન–વીતરાગનો–શુદ્ધ આત્માનો ધર્મ તે જ જિન ધર્મ અથવા આત્મધર્મ છે. નિજ આત્મસ્વભાવમાં વર્તાવારૂપ આ સનાતન આત્મધર્મ એ જ આત્માને “સ્વધર્મ’–સ્વસમય છે, અને આત્માથી અન્ય એવા પરભાવ-વિભાવમાં વર્તવું એ જ “પરધર્મ”—પરસમય છે. આ આત્મસ્વભાવરૂપ “સ્વધર્મ'માં વત્તતાં નિધન-મૃત્યુ થાય તે શ્રેય છે, પણ પરભાવમાં વવારૂપ પરધર્મ' ખરેખર “ભયાવહ” છે ! “વધ નિધનં યઃ પરધર્મો મચાવ: ' ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મમ; ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કમ. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પર વડી છાંયડી જે પડે, તે પરસમય નિવાસ રે.” શ્રી આનંદઘનજી. આ ધર્મ તે પિતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભૂત-પ્રગટ કરવાને છે, અથવા આ આત્મા પોતે જ ધર્મ છે, એટલી સીધી સાદી વાત લેક સમજતા નથી, અને પારકે ઘેર ધર્મ દ્રઢતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે દેખતા નથી અને કસ્તુરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! આ ધર્મમૂત્તિ આત્મારૂપ “ પરમ નિધાન પ્રગટ મુખ આગળ’ ખુલ્લે પડયો છે, તેને ઉલ્લંઘી જઈને તેઓ
Page 14
તેની શોધમાં બહાર નીકળી પડયા છે! પર ઘરે જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન હો રે ધર્મ ! જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરી, મૃગમદ પરિમલ મર્મ.”—શ્રી યશોવિજયજી. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હો જાય ! જાતિ વિના જુએ! જગદીશની, અધે અંધ પલાય! ”—શ્રી આનંદઘનજી. જેમ નિર્મલતા એ સ્ફટિક રનનો સ્વભાવ હોઈ તેને ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિમલતા એ જ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માને ધર્મ છે. અર્થાત્ +"मुक्खण जोयणाओ जोगो सम्बो वि धम्मवावारो। પરિશુદ્ધો વિનેગો, કાળારૂનાગો વિશેળે II ” Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ વગેરે બાહ્ય ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગશ્રેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થયે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિર્મલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયં સ્થિત જ છે, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ એટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિપાધિપણું આવે, એટલે તેટલું અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે; અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. એટલે આમ પરિશુદ્ધ આત્મસ્વભાવને પ્રગટ કરતે સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ વેગ છે, એ વ્યાખ્યા સર્વથા યથાર્થ છે. જિમ નિર્મલતા રે રન ફટિકાણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ. શ્રી સીમંધર જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ; સમ્યગુદષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશ.”–શ્રી યશોવિજયજી. “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૯. (૪૩) મેક્ષની સાથે જે તે યુગ” એ મુખ્ય વ્યાખ્યા જ્યાં યથાર્થ પણે લાગુ પડે છે એવા આ પરિશુદ્ધ ધર્મવ્યાપારનું જવલંત ઉદાહરણ જૈનશાસ્ત્રોક્ત આ પંચવિધ યોગ છે અધ્યાએ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ આ પાંચ તબકકાવાળો ( tag" s) યોગ કહ્યો છે (જુએ બબિંદુ . ૩૫૮-૩૬ ૭) નિજ સ્વરૂપ જે કરિયા સાથે, તે અધ્યાતમ કહિયે રે, જે કિરિયા કરી ચઉતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે.... શ્રી શ્રેયાંસક નામ અધ્યાતમ ઠવણ હક ધ્યાનમ, દ્રવ્ય અધ્યાતમ છડે રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું દઢ રે’– શ્રી આનંદઘનજી. (૨) ચિત્તવૃત્તિનિરોધ તે યોગ જો અત્તનોધ:' ચિત્તવૃત્તિનો વિરોધ તે એગ, એવી મુનિ પંતજલિએ કરેલી ગવ્યાખ્યા પણ એ જ પ્રયેાજન દાખવે છે, કારણ કે ચિત્તનિરોધ થાય ત્યારે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વરૂપમાં અવસ્થાન દેષ્ટાન્નુ' ( પુરુષ-આત્માનું થાય. તારવું વેડવસ્થાનમ્ ।' (પા. ચે. ) આમ આ વ્યાખ્યા પણ પૂર્વોક્ત સર્વ અને પુષ્ટ કરે છે. આ વ્યાખ્યાથી સ'પ્રજ્ઞાત અને અસ'પ્રજ્ઞાત એ અને સમાધિને યાગની વ્યાખ્યામાં સમાવેશ કરવાને આશય છે. જૈનશાસ્ત્રોક્ત અધ્યાત્માદિ પાંચ ભેદવાળા યાગ ઉપરમાં કહ્યો, તેના પાંચમા વૃત્તિસ'ક્ષય ભેદમાં આ સંપ્રજ્ઞાત અને અસ'પ્રજ્ઞાત એ અન્ને સમાધિને અત્યંત સુગમતાથી અવતાર થાય છે. સ્થૂલ-સૂમ એવી આત્માની ચેષ્ટાએ તે વૃત્તિઓ છે; તેઓના મૂલ હેતુ કમ સચે ગયેાગ્યતા છે; આ આત્માની ક`સયેાગયેાગ્યતાને અકરણનિયમથી અપગમ થવા, સમૂળગુ' દૂર થવું તે વ્રુત્તિક્ષય. આવે વિશિષ્ટ
Page 15
વૃત્તિક્ષય જ્યાં થાય છે તે શુધ્યાનના પ્રથમ બે ભેદમાં સ'પ્રજ્ઞાત X સમાધિ અવતરે છે, કારણ કે ત્યાં વૃત્તિ અર્થાનુ' સમ્યક્ પ્રકરૂપથી જ્ઞાન હૈાય છે. ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે કેવલજ્ઞાન લાભ તે અસ'પ્રજ્ઞાત સમાધિ છે, કારણ કે ત્યાં ગ્રાહ-ગ્રહણાકારવાળી ભાવમનેાવૃત્તિએના અવગ્રહાદિક્રમે સમ્યક્ પિજ્ઞાનને અભાવ હોય છે. ઇત્યાદિ પ્રકારે આ પાતજલેાક્ત યાગ વ્યાખ્યાના જૈનશાસ્ત્રોક્ત વ્યાખ્યા સાથે સુમેળ મળે છે, એટલું જ નહિ. પણ કેટલાક પારિભાષિક શબ્દોનુ પણ આશ્ચય જનક સામ્ય દૃશ્ય થાય છે! સમહં યોગ ઉચ્યતે' એ ગીતામાં કહેલી વ્યાખ્યા પણ ઉક્ત પાંચ ભેદના ચેાથા સમતા ચેગ સાથે સમન્વય સાધે છે. 'B F આ યાગની પ્રક્રિયા આ પ્રકારે: ચિત્ત જ્યારે ક્ષીણવૃત્તિવાળું થઈ જાય, ત્યારે તેમાં પરમાત્મસ્વરૂપની સમાપત્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાનદ્વારા સ્પર્શન. જેનું ધ્યાન કરવામાં આવે છે, તેના સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શીન–અનુભશ્ર્વન થવું, તદ્રુપતાની સમ્યક્ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું' પામવુ' તે સમાપત્તિ, સ્ફટિક જેવુ... નિલ ચિત્તરત્ન જેનું ધ્યાન ધરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે. કારણ કે ચિત્ત જ્યારે નિલક્ષ્ણુ. વૃત્તિવાળું, સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ (Crystal clear ) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતુ નહિ હાવાથી સ્થિર થઈ એકાગ્રપશુ. સામે; અને રામ જ્યારે તે . * समाधिरेष एवान्यै संप्रज्ञातोऽ भधीयते । सम्यक् कर्षरूपेण वृत्त्यर्थज्ञ नवस्तथा ॥ असंप्रज्ञात एषोऽपि समाधिर्गीयते परैः । निरुद्धः शेषवृत्त्या दत्तत्स्वरूपानुवेधतः ॥ " વિશેષ માટે જુએ શ્રી હરિદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ, અને શ્રી યોવિજયજીએ કરેલી પાત જલ યે સુની પરમ સમ વિવેકવાળી વ્યાખ્યા, જેમાં એ મહાત્માઓએ મધ્યપ્રપણે કચિત્ પાતંજલ સૂત્રોક્ત વ્યાખ્યાની વિકમ્રતા દર્શાવી આપી, ગુણમાડી વિશાલ દષ્ટિથી જૈન શાસ્ત્રોક્ત યુગ સાથે તેને દ્ભુત સમન્વય સાધી બતાવી, પેાતાની કુશાત્રમુદ્દા અને મહાનુભાવ ઉદારતાના આપણુને પરિચય કરાવ્યે છે. * 'वितर्कविचारानन्दा स्मितारूपानुगमात्संभज्ञतः । ઇ (પા॰ સૂ॰) તેની સાથે સરખાવા શુકલધ્યાનના નામ–(૧) પૃથવિતર્ક સવિચાર, (૨) એકત્વવિતક અવિયાર. ત્યાદિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ' એકાગ્રપણુ પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે, તાત્પર્યં કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય, અને ત્યારે જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી, સ્થિર ભાવથી ‘ આત્મા તે પરમાત્મા ' એવુ' ભાવન કરે તે અવિકાર એવા નિલ ચિત્ત દર્પણમાં પરમાત્માનું અણુ થાય, પ્રતિબિંબ પડે, સમાપત્તિ થાય. આમ ચિત્તવૃત્તિનિરોધ-→ સમાપત્તિ અધ્યાત્મપ્રસાદ~~~~ ઋતભરા પ્રજ્ઞા-→ તત્ત્વસ'સ્કાર—> અસ`પ્રજ્ઞાત સમાધિ→→ કૈવલ્ય,-યેાગપ્રક્રિયાને આ ક્રમ છે, 66 41 અહિરાતમ તજ અતર આતમ,રૂપ થઇ થિરભાવ; પરમાતમનુ' હૈ। આતમ ભાવવું, આતમ અરપણ દાવ. સુમતિ ચરણકજ આતમઅરપણા, દરપણુ જિમ અવિકાર. ''શ્રી આનંદઘનજી. (૩) સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મ વ્યાપાર તે યોગ 6 મન, વચન, કાયાને માટે જૈનશાસ્ત્રમાં ૮ ચેાગ ' એવી સંજ્ઞા પ્રયેાજાય છે, તે પણુ સૂચક અને તે જ અર્થની વાચક છે. તેમજ ઉપયોગ ’ એ જૈન પરિભાષાના વિશિષ્ટ શબ્દ છે. દનેાપયેાગ અને જ્ઞાનેયાગ એમ બે પ્રકારે વિભક્ત થયેલે આ ઉપયેગ છત્રનું સ્વલક્ષણ છે. ‘૩૫યોગો મળ નૌવશ્ય ' ( ત. સૂ ). આ ચેગ-ઉપયોગને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. આત્મા શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયાગમાં સ્થિર થાય તે તેના મનાદિ ચેાગ સ્થિર હોય અને મનાદિ ચેગ સ્થિર હેાય તે ઉપયેાગની ચ'ચલતાનું કારણ અસ્થિર યાગ દૂર થવાથી ઉપયોગ પણ સ્થિર થાય. ઉપયેગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત્ એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે, છતાં તે દેતુથી આ આત્મા મ્યાનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરવા ? તે કે ઉપયેગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યક્ યેગધી. આ મન-વચન-કાયાના એવા સમ્યક્ ચેગ કરવા, એવુ ક કૌશલ દાખવવું,
Page 16
કે જેથી તે આત્માને સ્વરૂપસાધનમાં ખાધક ન થતાં સાધક થઈ પડે. ‘ચો: મનુ કૌશમ્ ' ( ગીતા ). અને તેને માટેની વિધિ આ છે કે મન-ન-કાયાના યાગની એવી સંક્ષિપ્તતા કરવી કે જેથી કરીને દેહપર્યંત આત્માની સ્વરૂપને વિષે મુખ્યપણે સ્થિરતા વત્ત; અને આ આત્મસ્થિરતા એવી હાય કે ગમે તેવા ઘેર પરીડ કે ઉપસČના ભયથી તેને અંત આવે નિસ્ડ'. આમ મનવચન-કાયાના યાગને સફાપ્ત કરવા, ટુ'કાવવા, તેને જ જૈત પરિભાષામાં અનેગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એવા ચા નામ આપ્યા છે. મન-વચન-કાયાના ચેગનુ *;ોર્ટે તેમનત ચૈત્ર महाह्मेषु तत्स्थतदञ्जनता समारतिः । ××× તા ત્ર સજ્ઞ: સમાધિઃ | વિચારધૈરઘેડબ્બામબઘાટુઃ । તમરા તંત્ર પ્રજ્ઞા ||૩ ઇ. પાત'જલ ચે. સુ. ૨. ૪૧-૫ા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ એવું કૌશલયુક્ત ગુપ્તપણુ–સંરક્ષણ કરવું, યતના-જાળવણી કરવી કે જેથી ઉપયાગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, ‘સ્વરૂપગુપ્ત ' થાય. હવે જ્યાં સુધી દેહુ છે ત્યાં સુધી તે મન-વચન-કાયાના ચેગની કઇ ને કઇ પ્રવૃત્તિ થવાની જ. ત્યારે તે કેમ કરવી કે જેથી કરીને આત્મસ્થિરતાને આધ ન આવે ? તે કે મન-વચન-કાયાના યાગની પ્રવૃત્તિ કરવી પડે તે એવી સભ્યફ કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સયમન રહે એવા એકાંત આત્મસંયમના હેતુથી જ મન-વચન-કાયાની સમ્યક્ પ્રવૃત્તિ કરવી, અને તે પણ નિજ સ્વરૂપને નિરંતર લક્ષ રાખીને તથા આપ્ત પુરુષની આજ્ઞાને આધીનપણે જ,-આત્મસ્વરૂપને લક્ષ ચૂકીને કે સ્વચ્છંદે નહિ જ. આવી જે સંયમહેતુક મન-વચન-કાયાની સમ્યક્ પ્રવૃત્તિ તેને ‘સમિતિ ' એવુ. યથાર્થ નામ આપ્યું છે. એટલે કે યતનાથી ચાલવું, યતનાથી ખેલ, પતનાથી ઇચ્છવું, ચૂતનાથી લેવું-મૂકવુ', ચતનાથી ઉત્સર્ગ કરવા, તે ઇયંસમિતિ આદિ પાંચ સમિતિ પ્રસિદ્ધ છે. અને આવી જે સમ્યક્પ્રવૃત્તિ તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાય અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે તે વર્તે દેહ પ ́ત જો; ઘેાર પરીષહુ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાનેા અત જો ...અપૂર્વ 64 સંયમના હેતુથી ચેાગ પ્રવર્ત્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. ....અપૂર્વ અવસર એવા કયારે આવશે ?”—શ્રીમદ્ રાજચદ્રજી, અને પરમાથી વિચારીએ તે આત્માનુ સ્વરૂપ વિષે સવરથી સ'વૃત થવુ' ગુપ્ત થવુ' તે જ ગુપ્તિ, આત્માનુ સ્વરૂપને વિષે વિચરવુ. તે ઇર્યાંસમિતિ, દેહાથિી મિન્ન એવા હું આત્મા છું એ નિરંતર દૃષ્ટિસન્મુખ રાખી સાપેક્ષ પરમાસત સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ, આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઇચ્છત્રી તે એષણાસમિતિ, સ્વભાવનું આદાન-ગ્રહણ કરવું અને વિસાત્ર-પરભાવને! ત્યાગ કરવા તે આદાનનિક્ષેપ સમિતિ, અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી શુદ્ધ સ્ત્રભાવસ્થિત આત્મવસ્તુને ઉત્સગ કરવેશ-આત્મસિદ્ધિ કરવી તે પારિષ્ઠાપનિકા અથવા ઉત્સ સમિતિ. આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ મળીને · અષ્ટ પ્રવચન માતા' કહેવાય છે, અને તે સમસ્ત ધર્મવ્યાપારમાં સાધારણ-વ્યાપક છે, એટલે શ્રી યશવિજયજીએ કરેલ વ્યાખ્યા પ્રમાણે ‘ સમે તેનું તણાવાળ ધર્મયાત્રે ચોળત્ત્વ' એ ચેગનું ઉક્ત લક્ષણ સમ્યક્ છે. આ ‘વાળવું ને વહેમૂદ: જોવધ્યામનામ વત્ । સામ્યમેદુહાનું ન થવા નિષ્કલ,હ્મનામ્ । --—સમાધિશતક, Page #28 -------------------------------------------------------------------------- ________________ (૪) મનઃસ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ અથવા સ્થિરપણું એ યોગ એમ પણ યોગની વ્યાખ્યા છે. કારણ કે યુજ ધાતુનો સમાધિ પામવી એ અર્થ પણ થાય છે. એટલે ચિત્તસમાધિ-મન સ્થિરતા તે યુગ. આ પણ યથાર્થ છે. ચિત્તવૃત્તિઓ જ્યાં સુધી જ્યાં ત્યાં દેડ્યા કરે ત્યાં સુધી ચિત્ત સ્થિર થાય નહિ, અને સ્થિર થાય નહિં ત્યાં સુધી સમાધિ-આત્મલીનતા પામે નહિં. ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે
Page 17
સમાધિ-આત્મલય પામે. આ યુગમાં મનને જય કરે, મનને સાધવું એ જ મુખ્ય વસ્તુ છે. આ મન ખરેખર ! “દુરારાધ્ય છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે. * ગીતામાં કહ્યું છે કે “આ ચંચલ મન મથન કરનારું ને અત્યંત બળવાન છે. વાયુની જેમ તેને નિગ્રહ કરવો ઘણું કઠિન છે.” આ મનમર્કટના તરકટ ભારી છે! આ “મનડુ” છે તે નપુંસકલિંગી, પણ એ બધાય મરદને ટેલે મારે છે-ઠેબે ચડાવે છે ! બીજી વાતે તે “પુરુષ” સમર્થ છે, પણ આ મનડાને કઈ જેર” કરી શકતું નથી ! મનડું કિમહી ન બાઝે હે કુંથુજિન ! મનડું કિમહી ન બાઝે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે. કુંથુજિન. ! મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને લે; બીજી વાત સમરથ છે નર, એહને કઈ ન જેલે હો. કુંથુ.”—શ્રી આનંદઘનજી. આ મનમર્કટને વશ કરવા માટે પ્રથમ તે એને કયાંય બાંધી રાખવું જોઈએ અથવા એના જોણું કાંઈ કામ સેંપી દેવું જોઈએ, એટલે એ વાંદરું બિચારું ભલે ચઢઉતર કર્યા કરે ! દા. ત. જેણે તે મનને જય કર્યો છે એવા પરમાત્મા વીતરાગ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી દેવું, એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકે નહિં. અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી દેવું, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય! ભલે વચનરૂપ પાંદડા ચૂંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકી લટકીને હીંચકા ખાય! ભલે વિશાલમતિરૂપ મૂલભાગમાં નાચ્યા કૂદ્યા કરે ! અથવા મનઃસમાધિને સુગમ ને શ્રેષ્ઠ વિધિ સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદસ્વામીજીએx પ્રદર્શિત કર્યા પ્રમાણે આ છે કે-આત્માને મનની સાથે જ વાક-કાયાથી વિજો , અને વાકાયાએ જે વ્યવહાર મનથી છોડી દે. ઈત્યાદિ પ્રકારે વૈરાગ્ય-અભ્યાસના બલથી *"चञ्चलं हि मनः कृष्ण, प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम् ॥" x“युञ्जीत मनसात्मानं, वाक्कायाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तु त्यजेत्वाक्काययोजितम् ॥" Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ દુરારાધ્ય મનને જે ‘ઠેકાણે' લાવે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે, અને મન સાધ્યું. તેણે સઘળું સાધ્યું. ' આમ બહુ સમ દેશમાં આવ્યે જેમ છાયા સમાઇ જાય છે, તેમ સમત્વ પામી આત્મા સ્વભાવમાં આવે, એટલે મનનુ સ્વરૂપ પણ જાય છે, અર્થાત્ ચિત્ત આત્મામાં લીનતારૂપ સમધિ પામે છે. 66 66 આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. ’—શ્રીમદ્ રાજચંદ્રજી. II આ ચેાગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય. ૧. યાગદષ્ટિનુ સામાન્ય દિગ્દર્શન ચરમાવત્ત હ। ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે ભટ્ટી રે, પ્રાપતિ પ્રવચન વાક. ”—શ્રી આન'દઘનજી. ', ' આમ અત્રે પીઠિકારૂપે સામાન્યપણે, યાગની વ્યાખ્યાની મીમાંસા કરી, હવે આપણે આ યાગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય પર આવીએઃ—આ ગ્રંથની આદિમાં જ ભૂમિકારૂપે યાગનુ ઉક્ત મેાક્ષહેતુપણું ચરિતાર્થ કરતા એવા ઇચ્છાયાગ, શાશ્ર્ચયાગ અને સામ યાગનું પરમ હૃદયંગમ રસપ્રદ એધપ્રદ સ્વરૂપ કહ્યુ છે. તેનું અત્ર પિષ્ટપેષણ નહિં કરતાં સુજ્ઞ જિજ્ઞાસુને તે આખું ભૂમિકા પ્રકરણ ( રૃ, ૧૨ ) અવલેાકવાની ભલામણ કરું છું. આ ઇચ્છાયાગાદિ ચગત્રયીનેા સીધેસીધા આશ્રય કર્યા વિના પણ વિશેષે કરીને તેમાંથી જ ઉદ્ભવ પામેલી આ આ ગદષ્ટિ અત્ર કહી છે: મિત્રા, તારા, અલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પણ. આ ચેાગષ્ટિના યથાર્થ નામ છે. જેમકે સકલ જગત્ પ્રત્યે મૈત્રી ભાવવાળી તે મિત્રા, ઇ॰ આ યેગના ભેદ કેમ પડે છે તે સમજવા
Page 18
માટે એઘદૃષ્ટિનુ' દૃષ્ટાંત રજૂ કર્યું" છે. હું સઘન અઘન દિન રયણિમાં, ખાલ વિકલ ને અનેરા રે; અથ જૂએ જેમ જૂજૂઆ, તેમ એઘ નજરના ફેરા રે. ”—યા. સજ્ઝાય, આમ એક જ લૌકિક દૃશ્યના દર્શનમાં પણ ચિત્ર ખાદ્ય ઉપાધિભેદથી ક્ષયાપશમ પ્રમાણે જેમ એઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પારલૌકિક પ્રમેયમાં પણુ ક્ષયે।પશમની વિચિત્રતાને કારણે જુદા જુદા પ્રતિપત્તિભેદ હાય છે, ષ્ટિભેદ-દનભેદ હાય છે. જેમ કેમેરાના પડદે (Diaphragm ) એછેવત્તો ખુલ્લે, તેમ દૃષ્ટિમર્યાદાનુ ક્ષેત્ર ((Field of vision) વધઘટ થાય છે; તે જ પ્રકારે જેવી ક્ષયેાપશમની વધઘટ-તરતમતા હાય, જેટલુ કમ` આવરણુ ખસ્યુ' હાય, કના પડો ખૂલ્યા હાય, તેટલુ એછુંવત્તુ દન ચેગષ્ટિવાળા પુરુષને થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લેકપ્રવાહમાં તણાતા અને સંસારને અભિનંદનારા ભવાભિનંદી પ્રાકૃત જનેનું જે લૌકિક પદાર્થ સંબંધી લૌકિક દૃષ્ટિએ ઓઘદર્શન-સામાન્ય દર્શન તે ઓઘદષ્ટિ (Vision of a layman) છે; અને ભવવિરક્ત મુમુક્ષુ સમ્યગદષ્ટિ ગીપુરુષનું જે અલૌકિક પદાર્થ સંબંધી અલૌકિક દિવ્ય દર્શન તે ગદષ્ટિ (Vision of Yogi) છે. ઘદૃષ્ટિની દનપદ્ધતિ લૌકિક રીતિની, વ્યાવહારિક, પ્રવાહપતિત, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ને ભવમાનુજારિણી હોય છે; ગદષ્ટિની દર્શનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક, મોક્ષમાર્ગનુસારિણી ને તવંગ્રહિણી હોય છે. ક્ષયે પશમની વિચિત્રતાને કારણે દર્શનભેદ થાય છે, તે બાબત એઘદષ્ટિ મિથ્યાષ્ટિ જને પરસ્પર વિવાદ કરે, પણ યોગદષ્ટિસંપન્ન સમ્યગદષ્ટિ ગીપુરુષ તે વિવાદ કરતા જ નથી, આ દર્શનભેદ તે મહાનુભાના મનમાં વસતા જ નથી, પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તે સમ્યગુષ્ટિ મહાજને તે એક યુગમાગને જ દેખે છે, યોગદર્શનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં આ સર્વ દર્શને વ્યાપ્ત છે, માત્ર “દૃષ્ટિ” જ ભેદ છે, એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ ષદર્શનને જિનદર્શનના અંગરૂપ અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દશનને આત્મબંધુરૂપ જાણું સમ્યગદષ્ટિથી આરાધે છે. કારણ કે તેઓને નાની–અપેક્ષાવિશેષની યથાર્થ મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે, એટલે આ પરમ ઉદાર અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત નિરાગ્રહી સમ્યગ્દષ્ટિ પુરુષને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરતાં તે તે દશને એક જિનદર્શન અથવા શુદ્ધ, આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ ભાસે છે. ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિને એવું; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ” જે ગાયો તે સઘળે એક, સકળ દશને એ જ વિવેક; સમજાવ્યાની રેલી કરી, યદુવાદ સમજણ પણ ખરી.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “ષડૂ દરિશણ જિન અગ લીજે, ન્યાસ વર્ડગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, પ દરિશન આરાધે રે.”—શ્રી આનંદઘનજી તેમજ શુદ્ધ બોધવંત, નિરાગ્રહી, મત્રી આદિ ભાવનાથી ભાવિતાત્મા અને પરમ ગભીર ઉદાર આશયવાળા આ સમ્યગદષ્ટિ સંતજનની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે, એટલે આ અવધૂત “નિષ્પક્ષ વિરલાઓ” સર્વ દશનને નય-સદંશ રહે છે, અને આપ સ્વભાવમાં સદા મગ્ન રહે છે, અને કેને કલ્યાણકારી એ “સંજીવનીચાર ન્યાય' ને ચારો ચરાવી સન્માર્ગે ઉતારવાનો નિર્મળ પુરુષાર્થ સેવે છે. પિતાને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જે આત્મા–પરમાર્થને લાભ થયે, તે અન્ય આત્માથી જીવને પણ થાય એવા શુદ્ધ પરમાર્થ પ્રેમથી આ સમદષ્ટિ યોગીપુરુષે પરમ ધન્ય કહિતકર પરમાર્થ પ્રવૃત્તિ કરે છે. “ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે છે.”—યો. સજઝાય. આ રાદુદ્દષ્ટિની દષ્ટિ અષ્ટ પ્રકારની છે, તેનું કવરૂપ બરાબર સમજાવવા માટે ઉદાહરણરૂપ આ ઉપમા આપી છે, જે ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજાઈ જાય છે. આ આઠ દષ્ટિઓને અનુક્રમે (૧) તૃણ અગ્નિકણની, (૨) છાણાના
Page 19
અગ્નિકની, (૩) કાષ્ઠ અગ્નિકની, (૪) દીપપ્રભાની (૫) રત્નપ્રભાની, (૬) તારાપ્રભાની, ( ૭) સૂર્ય પ્રજાની અને (૮) ચંદ્ર પ્રભાની,-એમ ઉપમા આપી છે. તૃણ અગ્નિકણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ મિત્રા દષ્ટિથી માંડીને પરા દૃષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધ-પ્રકાશની તરતમતા છે. આ ઉપમા પ્રત્યેક દષ્ટિમાં કેવી રીતે સોપાંગ સંપૂર્ણપણે ઘટે છે તે અત્ર પરમ સુંદર રેચક શૈલીથી ગ્રંથકર્તાએ બતાવી આપ્યું છે (જુઓ પૃ. ૬૩-૬૪ ઈ.). મહાસમર્થ તત્ત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગદષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણતાનુંગરમીનું માપ નીકળી શકે છે, તેમ આ ગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. ચૌદ ગુણસ્થાનકની પ્રસિદ્ધ જના જેમ આત્માના ગુણવિકાસનું માપ છે, અને તે ગુણવિકાસ પણ મેહઅપગમ પર નિર્ભર હોઈ જેમ જેમ મોહાંધકાર ઓછા થતા જાય તેમ તેમ આમાનું ગુણસ્થાન વધતું જાય છે તેમ આ ગદષ્ટિની યેજના પણ આધ્યાત્મિક ગુણવિકાસનું માપ છે, અને તે સમ્યમ્ જ્ઞાનદષ્ટિના ઉન્મીલન પર નિર્ભર હોઈ જેમ જેમ બેધપ્રકાશ વધતે જાય છે તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આ બંને ઉત્તમ ભેજના એક સીક્કાના બે પાસા જેવી છે. મેહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard-stick) અને બેધપ્રકાશ એ યોગદષ્ટિની ફૂટપટ્ટી છે. તે તે દૃષ્ટિના યક્ત લક્ષણ પરથી અંતર્મુખ નિરીક્ષણ (Introspection) કરતાં આત્માથી મુમુક્ષુ પિતાની આત્મદશાનું માપ કાઢી શકે છે, અને તેથી આત્મગુણવૃદ્ધિની પ્રેરણું (Inspiration ) પામી અપ્રાપ્ત ગુણના યોગ માટે તથા પ્રાપ્ત ગુણના ક્ષેમ માટે યથાયોગ્યપણે પ્રવર્તી શકે છે. આમ આ ગદષ્ટિ આત્માથીને પરમ અમૃત લાભ આપનારી થઈ પડે છે. આમાં પ્રથમ ચાર દષ્ટિ પર્યત મુખ્ય-નિરુપચરિત એવું પહેલું “ગુણસ્થાનક” હોય છે, અને તેને પ્રક-પરાકાષ્ઠા થી દીપ્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્રે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ‘ ગુણસ્થાન ' એટલે ખરેખર યથાક્ત ગુણુનુ સ્થાન એમ ભાવ સમજવા. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરાત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય છે ને તેથી ઉપજતા ગુણનુ પ્રમાણ વધતુ જાય છે. ત્યારપછી પાંચમી સ્થિરા દૃષ્ટિથી માંડીને મિથ્યાત્વને સથા અભાવ હોય છે, સમ્યગ્દશ્તન જ હેાય છે. પાંચમી દૃષ્ટિના સમ્યગ્દર્શનરૂપ મેધપ્રકાશ રત્નપ્રભા જેવા સ્થિર હોય છે, એટલા માટે જ એને ‘ સ્થિર' એવું યથાર્થ નામ આપ્યુ છે. આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીપક મનેમદિરમાં પ્રગટ્યો કે ખસ શત્રુઅલ ખલાસ ! માહઅંધકારના સર્વનાશ ! ને અનુભવતેજને ઝળહળાટ ! સમ્યગ્દર્શનરત્નના દીવા જાગ્યા તે જાગ્યા ! એલવાય જ નહુિ ! એટલું જ નહિ પણ તેનુ તેજ કાંતા, પ્રભા ને પરાષ્ટિમાં તારા, સૂર્ય ને ચંદ્રપ્રભાની જેમ ઉત્તરાત્તર સ્થિરતર ને મળવત્તર બની વધતું જ જાય છે ! “ સાહેલાં હૈ કુછુ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ પતા હૈા લાલ; સા॰ મુજ મન દરમાંહિ, આવે જો અબિલ જીપતા હૈ। લાલ, સા॰ મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હેા લાલ, સા॰ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણું નવ ચળે હૈ। લાલ.”—શ્રી યશોવિજયજી. આમ મિત્રા આદિ પ્રથમ ચાર દૃષ્ટિ પંત મિથ્યાત્વ છતાં તેને સદ્દષ્ટિ-સમ્યગ્ દૃષ્ટિમાં કેમ ગણી ? તેનું સમાધાન એમ છે કે મિત્રા આદિ ચાર દૃષ્ટિએ છે, તે સભ્યષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે. એટલા માટે કારણમાં કાર્યાંના ઉપચારથી તે મિત્રાદિની પણ સમ્યગ્દષ્ટિમાં ગણના કરી છે. આ સમજવા માટે ક્ષુમાંથી શુદ્ધ સાકરની બનાવટનું દૃષ્ટાંત છે: શુદ્ધ સાકરની (Refined crystallised sugar) અવસ્થાએ પહોંચવામાં શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે, ત્યારે જ ખડી સાકરની નિષ્પત્તિ થાય
Page 20
છે. તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા આદિ આત્માના ક્રમિક ગ્રુવિકાસની અવસ્થાએ પણ તેત્રા પ્રકારે ઉપયાગની છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિનું કારણ થાય છે. આ મિત્રા આફ્રિ અવસ્થાએ ખરેખર ! ઇતુ ાદિ જેવો છે, કારણ કે તેમાં પરમ અમૃત સમા સવેગરૂપ માધુની નિષ્પત્તિ થાય છે. આથી ઉડુ' અનવ્યે તેનલ જેવા-ખરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કોઈ કાળે સવેગમાય નહિ નીપજતું હોઇ તેએા મિત્રાદિ દૃષ્ટિ પામવા સર્વથા માગ્ય છે. અને બીજાએ!-ભજ્યે પણ જ્યાં લગી સ ંવેગમા પામતા નથી ત્યાં લગી મિત્રાદિ ષ્ટિ સ્પતા નથી; જ્યારે સવેગરગથી ર'ગાય છે, ત્યારે જ-ચાવમાં જ આ મિત્ર:ક્રિ દૃષ્ટિ સ્પર્શે છે. * આ હૃષ્ટિ સકલ ચેકિંગદનાને સ'મત છે, એક આદિના પરિહારથી ચમ માઢિ ચેગથી યુક્તને અનુક્રમે અદ્વેષાદ્રિ ગુણુનુ સ્થાન એવી આ સૃષ્ટિમુનિઓને (પતંજલિ અદિને) સુ'મત છે.' જે આ! અષ્ટ દૃષ્ટિ હી તેને! અહીં અનુક્રમે યમ, નિયમ, આસન, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ યોગx આદિ સાથે સમન્વય દર્શાવ્યા છે. એટલે કે (૧) માં યોગનું પ્રથમ અંગ યમ હોય ત્યાં પ્રથમ મિત્રા દષ્ટિ હોય; જ્યાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી તારા દષ્ટિ હેય, ઈ. (જુઓ કોષ્ટક પૃ. ૮૩) (૨) ખેદ, ઉદ્વેગ, શેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુન્ અને આસંગ એ આઠ ચિત્તદોષ છે. તેને ત્યાગ કરવામાં આવતાં અનુક્રમે યેગના આઠ અંગની અને આઠ યોગદષ્ટિની પ્રાપ્તિ હોય છે. (૩) આ આઠ દષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણનું સ્થાન છે. આ આઠ ગાંગ, આઠ ચિત્તદોષ, આઠ ગુણના સ્વરૂપ માટે જુઓ પૃ. ૮૩ થી ૮૮. આમ ગાંગના સેવનથી, ચિત્તદેવના પરિહારથી અને ગગુણના પ્રગટપણાથી આ “ગદષ્ટિ” અનુક્રમે વિકાસ પામતી જાય છે. આ દષ્ટિ એટલે દર્શન, સાક્ષાત્ દેખવું-સાક્ષાત્કાર છે,– પછી ભલે આ થેડી ઉઘડી હોય કે ઝાઝી. અત્રે આંખનું-ચર્મચક્ષુનું દષ્ટાંત ઘટે છે. આ આંતરુચક્ષુરૂપ દિવ્યચક્ષુ-યોગદષ્ટિ પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉમીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of yogic vision) વધતું જાય છે. વધારે ને વધારે વિશાળ “દર્શન” થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ “દૃષ્ટિ” ખૂલતાં અનંત “દર્શન થાય છે. આમ ગદષ્ટિ અથવા દર્શન એકરૂપ છે, છતાં આવરણ ટળવાના ભેદને લીધે તેના ઉન્મીલન અંશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના આ આઠ સ્થલ વિભાગ પાડ્યા છે; બાકી કર્મઆવરણના પશમાદિ અનુસાર સૂકમ ભેદ તે ઘણા ઘણા છે, કે જે કહેતાં પાર ન આવે. આ દૃષ્ટિ' શબ્દનો અર્થ ? સાસંગત બેધ તે દષ્ટિ કહેવાય છે, અને તે અસતુપ્રવૃત્તિના વ્યાઘાતથી સત્ પ્રવૃત્તિ પદાવહ એ હોય છે. અહીં “સતશ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે સ્વચ્છદ મતિક પનારૂપ અસત્ શ્રદ્ધાને અપવાદ-નિષેધ કરવા માટે છે. સત્શાસ્ત્રના આધારવાળી, સત્શાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી એવી સતુશ્રદ્ધા-સાચી તાત્વિક શ્રદ્ધા હોય તે જ તે બોધને “દૃષ્ટિ” નામ ઘટે છે. આથી ઉલટું સતુશ્રદ્ધા વિનાનો જે બેધ છે, અથવા સ્વચ્છેદ કલપનારૂપ અસત્ શ્રદ્ધાવાળે કે દષ્ટિરાગવાળે જે બોધ છે તે “દષ્ટિ” અથવા “દર્શન’ કહી શકાય નહિં. કારણ કે આંખ ઉઘડી ન હોય ત્યાંસુધી જેમ અંધ પણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, અથવા મિથ્યાદર્શન કે દષ્ટિરાગ જ છે, તેમ સતશાસ્ત્રશ્રદ્ધાથી જ્યાં લગી આંતરદષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાં સુધી દૃષ્ટિઅંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, અથવા મિથ્યાદર્શન કે દષ્ટિરાગ જ ( coloured vision) છે આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે, કારણ
Page 21
કે તેને દૃષ્ટિ અંધપણને-મિથ્યાષ્ટિપણાને ગાઢ રોગ લાગુ પડ્યો છે, તેને જે કોઈ તેવા * ચોપાનુષ્ઠાના શુદ્ધિક્ષ જ્ઞાનીતિવિવેવલ્યા ”-પાતંજલ છે. સૂ. ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દિવ્ય યાગદષ્ટિસ’પન્ન · ધૃષ્ટા' સદ્ગુરુરૂપ નિષ્ણાત ( Expert ) સર્વૈદ્યને જોગ મળે, ને તે તેના રંગનું બરાબર નિદાન કરી ચેાગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન-અંજન આંજે, તા ધીરે ધીરે તે દૃષ્ટિધની દૃષ્ટિ ખૂલતી ાય, · દિવ્ય નયન ' ઉઘડે ને તે નેત્રરોગ સાવ મટી જાય. પણ ભૂલેચૂકે જો તે આપડાને ટિટિવહેણ આંધળા અસદ્ગુરૂપ ઊંટવૈદ્યને (Quack) ભેટો થઇ જાય તે તે તે તેની આંખ જ ફાડી નાંખે ને ‘અધાઅધ પલાય' જેવી સ્થિતિ થાય ! આ સશ્રદ્ધાસ’ગત એધરૂપ જ્ઞાનપ્રકાશવતી ચેગષ્ટિના પ્રવૃત્તિ અટકી જાય છે, અને સત્તપ્રકૃત્તિપદ નિકટ આવે છે. વેદ્યસ વેદ્ય પદ ( આત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન ) અથવા યેગષ્ટિ તે સત્પ્રવૃત્તિપદાત્રહા છે. અહી' ‘ આવહુ ' એટલે લાવી આપનાર એ શબ્દ યાયા છે તે અત્ય'ત સૂચક છે. લેાચુ'બકની જેમ આકર્ષણુશક્તિવાળી આ ચોગદૃષ્ટિનું' આકષઁણુ જ એવું પ્રબળ છે કે તે ‘પદ્મ’( મેક્ષપદ ) એની મેળે ખે'ચાતું ખેંચાતુ' સમીપ પ્રાપ્ત થતું જાય છે. એક વખત આ ચેગર્દષ્ટિરૂપ ‘દિવ્ય નયન ને સ્પશ કર્યો કે એડા પાર ! આ દૃષ્ટિરૂપ પારસમણિના સ્પર્શથી છવરૂપ લેાહ શુદ્ધ સુવર્ણ અની જાય છે ! આવી. આ મહામહિમાવાન્ આડે ભેદવાળી આયેાગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-આવીને પાછી પડી જાય એવી હોય કે અપ્રતિપાતીન પડે એવી હાય, એમ ભજના છે; પણ સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ તે અપ્રતિ પાતી જ હાય, આ નિયમ છે. પહેલી ચાર દૃષ્ટિ કઢી તે જે પ્રતિપાત-ભ્રંશ પામે, આવીને પાછી ચાલી જાય, તા તે સાપાચ-નરકાદિ અપાયવાળી પણ હાય; જે પ્રતિપાત ન પામે, આવ્યા પછી પડે નિઠું, તે નર િદુઃખરૂપ અપાય-બાધા પણ ન હેાય. એટલે અપ્રતિપાતી નહિ· પડતી એવી સ્થિરા આદિ દૃષ્ટિ પ્રાપ્તિ થયે, મુક્તિમાર્ગ પ્રત્યેનું પ્રયાણ અખંડ-અભ`ગપણે ચાલ્યા જ કરે છે, ચાવત્ મુક્તિની પ્રાપ્તિ હોય છે. ફલરૂપે જીવની અસત્ આ સપ્રવૃત્તિપદ એટલે શૈલેશીપદ છે. આ 66 દૃષ્ટિ ચિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણુ ન ભાંજે રે, રયણી શયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છ.જે રે ”-શ્રી ચે. સઝાય. અત્રે રૂપઘટના કરીએ તે ચેરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આ આર્ડ ચેગષ્ટિરૂપ તેની આ પાંખડી-કમલદલ છે, અને તે પાંખડીનું મિલનસ્થેાન આત્મસ્વભાવયુ*જનરૂપ યેાગ-કર્ણિકા છે. તે આત્મત્રભાવરૂપ કર્ણિકામાં ભગવન્ આત્મા-ચૈતન્ય દેવ પરબ્રહ્મ બિરાજે છે. ચેગષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ચેગકમલ વિકાસ પામતુ' જાય છે. એકેક યાગરૂપ પાંખડી ખૂલતાં અનુક્રમે એકેકચિત્તદોષ નિવૃત્ત થતા જાય છે, એકેક ગુણ વિકાસ પામતા જાય છે, અને એકેક યે ગાંગ પ્રગટતુ જાય છે આમ સ’ચેષ્ટિ ઉન્સીલન પામતાં ચેગરૂપ અદલ કમલ સપૂ વિકાસને પામે છે. મિત્રા દૃષ્ટિમાં તૃત્યુ અગ્નિકણુ સમ! એધપ્રકાશથી શરૂ થયેલે યેગદૃષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતે જઇ, પા દૃષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સમા સાળે કળાએ ખીલી ઊઠે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છે; જ્ઞાન- નામાં વિશ્વને હવરાવનારા આ પૂર્ણ બેધ-ચંદ્રના સૌમ્ય દર્શને જાણે પ્રફુલ્લિત થયેલું આ યંગ-કમલ પૂર્ણ વિકસ્વરપણાને પ્રાપ્ત થયેલું દષ્ટ થાય છે ! (જુઓ મુખપૃષ્ઠ પરની આકૃતિ.) બીજના ચંદ્રમા જેવી, ગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે.”—ગદષ્ટિકલશ (સ્વરચિત) અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થળ (છાતી) છે, ધ્યાન ગ્રીવા (ડોક ) છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું સંપૂર્ણ પણું–અવિકલપણું થાય
Page 22
તે જ ગપુરુષની અવિકલ સંપૂર્ણતા છે,–જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી ગપુરુષની વિકલતા–અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા, ખેડખાંપણવાળા, પુરુષની હોય છે તેમ. પુરુષશરીરમાં પ્રત્યેક અંગનું જેમ યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ યોગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગી પણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ કિયા સાધે છે, તેમ ગપુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી–સહગથી એકપણે વત્તી (Organic unit) એક યોગ-પુરુષની સાધક એવી પ્રક્રિયા કરે છે. વાયુ એ જ શરીરને અને શરીર અને પ્રાણ છે, તેમ આત્મા એ જ આ ગ-પુરુષને અને તેને ગાંગેનો ભાવપ્રાણ છે. જેમ જેમ એગદષ્ટિને વિકાસ થતું જાય છે, અને એકેક ગાંગ પ્રગટતા પામી જેમ જેમ પુષ્ટ થતું જાય છે, તેમ તેમ આત્મા ઉત્તરોત્તર સ્વભાવને વિષે ઓર ને એર સ્થિતિ કરતો જાય છે. યાવત્ આઠમી પર દષ્ટિમાં અષ્ટાંગ યુગપુરુષને વિકાસ પરાકાષ્ટાને પ્રાપ્ત થયે આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ હોય છે. દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ “પર” તસ જાણું છે; આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બે વખાણું છે.”–શ્રી કે. દ. સક્ઝા. અને આમ જ્યારે ચંદ્ર સમી ગદષ્યિ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે, અને ગપુરુષ પૂર્ણ વિકાસને પામે છે ત્યારે ગચક્રની પૂર્ણતા થતાં આ ભવચક્રની પણ “પૂર્ણતા” થાય છે, અર્થાત્ આ ભવચકનો અંત આવે છે. અષ્ટ ગાંગ એ આ ચોગચક્રના આરા છે, તે આત્મસ્વભાવથું જનરૂપ એ ગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હોઈ તેની આસપાસ ફરે છે, અર્થાત્ તે આત્મસ્વભાવના જ સાધક થઈ પ્રવૃત્ત છે. આવું આ ગચક્ર ખરેખર ! ભવચકનો ઉછેરી કરનારું અમોઘ “સુદર્શન ચક” છે. ભવ-અરિને હણ નાંખનારું આ શુદ્ધ “ધર્મચક્ર' પ્રજનારા પરમ ચેમિનાથ “અરિહંત એવા યથાર્થ નામને પામે છે, અને આત્મસ્વરૂપની સિદ્ધિ કરીને “સિદ્ધ' નામને સાર્થક કરે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અત્રે મુખપૃષ્ઠ પર મેં જેલી આ ગ્રંથની સારભૂત મુખ્ય આકૃતિ પર દષ્ટિ ફેરવતાં સુજ્ઞ વાંચકને પ્રથમ દશને જ આ ગ્રંથની સંપૂર્ણ વસ્તુને ખ્યાલ આવી જશે. તેમજ જિજ્ઞાસુ અભ્યાસીની સુગમતાથે અત્રે અન્ય ૨૧ આકૃતિ અને ૧૬ કેષ્ટકની મેં યથાસ્થાને યેજના કરી છે, તે પણ તેને કંઈક ઉપયોગી થઈ પડશે. આમ સંક્ષેપમાં આ સુકલાત્મક સંકલનામય ગ્રંથની વસ્તુનું દિગદર્શન કર્યું, વિશેષ તે ગ્રંથ અવેલેકનથી સુજ્ઞ વાંચક સ્વયં જાણશે. ૨. ગબીજઃ ભક્તિયોગનું પ્રાધાન્ય. "जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । gTIમાઃિ ૫ સંગુઠું નવીનમનુત્તમ ” શ્રી હરિભદ્રાચાર્યજી. "जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवेहि य ।। સો નાઇનિર પ્રણા, મોરે ૩ વાર તરસ ત્રયં ” -શ્રી કુંદકુંદાચાર્યજી. અને આ ગમાર્ગ મુખ્યપણે ભક્તિપ્રધાન જ છે એ અત્રે શાસ્ત્રકર્તા મહર્ષિએ પ્રથમ મિત્રા દષ્ટિના પાયારૂપ કહેલા ગબીજના વિશિષ્ટ વર્ણન પરથી જ સૂચિત થાય છે. તેનો અત્રે પ્રસંગથી કંઈક વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ, સમૃતભક્તિ, સહજ ભવૈરાગ્ય આદિને અત્રે ઉત્તમ ગબીજ કહ્યા છે કે જે નિર્વાણુના અવય-અચૂક હેતુ થઈ પડે છે. મુમુક્ષુની ચિત્તભૂમિમાં પ્રક્ષિપ્ત થયેલા આ અમેઘ ગબીજ અંકુરિત થઈ અનુક્રમે મોક્ષરૂપ પરમ ઈષ્ટ અમૃત ફલ આપે જ છે. અને તે ગબીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ બીજ પ્રગટ પરમાત્મસ્વરૂપ શ્રી જિનેશ્વરની-વીતરાગ દેવની ભક્તિ છે. “શ્રી જિન ભગવાન પ્રત્યે કુશલ-શુભ ભાવસંપન્ન ચિત્ત રાખવું, નમસ્કાર અને સંશુદ્ધ પ્રામાદિ કરવા તે અનુત્તમ ગબીજ છે. ” એવા પરમ ગીશ્વર સાક્ષાત શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના
Page 23
કરવી તે પ્રધાન ગબીજ થઈ પડે એમાં જરાય આશ્ચર્ય નથી. ઘેટાના ટેળામાં ચિરકાલથી વસેલા સિંહશિશુનું દષ્ટાંત અત્ર ઘટે છે. પ્રભુના સ્વરૂપદર્શનથી ભક્તજનને નિજ સ્વરૂપનું ભાન થતાં, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રગટે તો કેવું સારું ? એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ એ અંતરાત્મા બની, આત્મપરિણતિ ભણી વળે છે, અને આદર્શ ( Ideal) પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદશને (Model) નિરંતર દષ્ટિસન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિષ્ઠદસ્થાનીય-આદર્શરૂપ શુદ્ધ ચૈતન્યમૂત્તિ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. પણ જિમ અવિકાર” પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રતિષ્ઠ‘દે પ્રતિષ્ઠ’દે જિનરાજના હેાજી, કરતાં સાધક ભાવ; દેવ'દ્ર દેવચંદ્રપદ અનુભવે હાજી, શુદ્ધાતમ પ્રાભાવ.”—શ્રી દેવચ'દ્રજી અત્રે ‘સ'શુ' ભક્તિને જ ચેગખીજ કહ્યું છે,-નહિ' કે અસ'શુદ્ધ ભક્તિને શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે તેના અલૌકિક રીતે આ અલૌકિક પ્રભુને સેવવાની વાત કહેવા માગીએ છીએ, આ લેાકેાત્તર પ્રભુની સેવાના 'તર્યંત ભેદ-રહસ્ય-મમ જાણીને સમજીને આધ્યાત્મિક ગુણપ્રકાશરૂપ સેવાની વાત કહેવા માગીએ છીએ. આ લેાકેાત્તર દેવને ઘણા જીવે તેમનુ' સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી સેવે છે, આ લેાક-પરલેાક સંબંધી લૌકિક ફૂલની આકાંક્ષાથી-આશાથી સેવે છે. અથવા ક્રોધ-માન-માયા-લેણ આદિ દશ સ`જ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લૌકિક લકામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી, અને તે ચૈગખીજ નથી. શુદ્ સેવા તા (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશસ'જ્ઞાના નિધ સહિતપણે. (૩) આ લેાક-પરલેાક-સ'ખ'ધી કામના રહિતપણે કરવામાં આવે તે જ થાય. એવી જે સ‘શુદ્ધ સેવા છે, તે જ અત્રે ચે!ગબીજરૂપ થઈ પડે છે. એટલે (૧) સૌથી પ્રથમ તે આ વીતરાગ પરમાત્મા આખા જગત્માં ખીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, આરાધવા-ઉપાસવા યૈગ્ય છે એવી પરમ ઉપાદેયબુદ્ધિ અંતમાં પ્રગટવી જોઇએ; આખા જગત્ કરતાં પણ જેનુ' ગુણગૌરવ અનંતગુણુ અધિક છે એવા તે પરમ જગદ્ગુરુ પરમેષ્ઠિ પરમ ઇષ્ટ લાગવા જોઇએ. ‘સભવદેવ તે ધુર સેવે! સવે રે.' અર્થાત્ જગના અન્ય કોઇ પણ પદાર્થ કરતાં અનંત અનંતગણુા મહિમાવ'ન એવા આ પરમ ઉપકારી કરુણાસિંધુ ‘અર્હત્’ પ્રભુને પરમ ધૃજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગુણી, તેની પૂજામાં, તેની આરાધનામાં તેની સેવનામાં બીજા ખધા કા કરતાં સૌથી પ્રથમ તત્પર થઇ જવુ જોઇએ. (ર) બીજુ−આહાર, ક્રોધિંદ દશ સ'જ્ઞાનુ વિષ્ણુભન-નિરાધ, ઉદય અભાવ હાવા એ સશુદ્ધ ભક્તિનુ બીજુ લક્ષણ છે. જ્યાં ખાવા પીવાનુ` પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામા થઈ પડે, મમતા મરી જાય, ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિ', લેાભના લાભ થાય નહિ, અધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હાય, અને લેાકની વાહવાહની બીલકુલ પરવા ન હેાય, એવી સશુદ્ધ ભક્તિ જ મુમુક્ષુ જોગીજને કરે. શ્રી યોવિજયજીએ કહ્યુ' છે તેમ શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભકતે ચાકખું ચિત્ત હા.’ (૩) ત્રીજું-આ લેાક પરલેાકસબંધી ફુલકામના રહિતપણુ –નિષ્કામપણુ' હેવુ જોઇએ. આ લેાકસબંધી ધન-કીર્ત્તિ-પૂજાસત્કાર આદિ કુલકામનાથી જે કરવામાં આવે, તે સચિત્તને મારી નાંખતુ હાવાથી અને મહત્ એવાં સત્ અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હેાવાથી, આત્માને વિષરૂપે પરિણમી વિષઅનુષ્ઠાન થઇ પડે છે; અને પરલેાકસ બધી લકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિણમી ગર્અનુષ્ઠાન થઇ પડે છે. માટે આ અન્ને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રકારના
Page 24
વિષઅનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણ દૂરથી ત્યજી દઈ, મુમુક્ષુએ કેવળ નિષ્કામ ભક્તિ તાત્વિક સમજણપૂર્વક કરતા રહી, આત્માને અમૃતરૂપે પરિણમતું એવું તતુ વા અમૃતાનુષ્ઠાન પાદરવું જોઈએ, અને એવું સંશુદ્ધ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. “જિન ગુણ અમૃત પાથી રે....મન અમૃત ક્રિયાને ઉપાય રે....ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે....મન આતમ અમૃત થાય રે.”—શ્રી દેવચંદ્રજી. “સંભવ દેવ રે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ. ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અપણા રે, આનંદઘન પદ રહ.”–શ્રી. આનંદઘનજી. બાકી મુગ્ધ-ભેળા જન તે એમ માને છે કે પ્રભુની સેવા સહેલી છે, સોહલી છે, સુગમ છે. “જે જે જે જે ક્ય કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભોગ ધય એટલે બસ પત્યું ! પ્રભુ પ્રસન્ન! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી ને એની સેવા પણ એવી રહેલી–સહલી નથી, પણ ઘણી જ દોહલી છે; કારણ કે જીવના “દિલનું કપટ” જાય નહિં ત્યાં લગી પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં; માટે મુમુક્ષુએ તે જેમ બને તેમ પર પરિણતિને પરિત્યાગ કરી તે અહંત-સિદ્ધ ભગવાનની ભક્તિના અવલંબને પણ શુદ્ધ સ્વરૂપચિંતન પર ચઢવાનું છે કે-જેવું આ ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ આ મહારા આત્માનું સ્વરૂપ છે. આમ શુદ્ધ નિશ્ચયથી તે સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ તે તે જે સમ્યફ પ્રકારે સમજે તે થાય. અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્ગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે. પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.” શ્રી આત્મસિદ્ધિ. કેટલાક લેકે સમજ્યા વિના ઉપાદાનની વાત કર્યા કરે છે, અને જાણે અજાણે નિમિત્તની એકાંતે ગૌણતા ગણી તેને અપલાપ-નિદ્ભવ કરે છે. તે તેમની અણસમજરૂપ મિથ્યા ભ્રાંતિને દોષ છે; કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરોધી નથી કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયોગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તે અવશ્ય કર્તવ્ય છે, અને શુદ્ધ નિશ્ચયના સેવનને ઉદ્દેશ-લક્ષ્ય પણ તે જ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અથે પણુ જિનભક્તિ આદિ પદ્મ ઉપકારી નિમિત્ત કારણના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવેા ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા પુષ્ટ લખનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તા પેાકારી પોકારીને કહ્યુ છે કે-સમતા અમૃતની ખાણુ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલખને જ ‘નિયમા’ સિદ્ધિ હૈાય છે. ભક્તશિરામણું મટ્ઠાત્મા દૈવચ’દ્રજી આદિએ ભાવથી ગાયુ છે કે— “ ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલખન દેવ....જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂજો ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલ ́ખન સિદ્ધિ, નિયમા એહુ વખાણી.'—શ્રી દેવચ’દ્રજી. 66 કારણુ જોગે હા કારજ નીપજે, એમાં કેઈ ને વાદ; પણ કારણુ વિષ્ણુ કહે કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ, ’’- શ્રી આનદ્દઘનજી. આવા પ્રખલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધુ. ( Drtctly ) સ્વરૂપશ્રેણીએ ચઢવુ અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહુજાત્મસ્વરૂપી અહં ત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે
Page 25
છે. કારણ કે શ્રીમદ્ રાજચદ્રજીએ કહ્યુ' છે તેમ ‘ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવુ તે પરમા દૃષ્ટિવાન પુરુષાને ગૌણતાથી સ્વરૂપનુ' જ ચિતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવુ' સર્વાં જીવાનુ આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવેએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જો મથા મૂળ દૃષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનુ’ પૂજન છે. ’ શ્રી દેવચ’દ્રસ્વામીએ કહ્યુ છે કે · જિનવર પૂજા રે તે નિજ પૂજના રે.’ કોઇ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ. પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણુ કે લખન વિનાનું તેવું અધ્યાત્મસ્વરૂપ ચિ'તન તે। અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીએ માટે છે; પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિ'તનની વાતે કરવામાં અનેક દોષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યામેાહ ઉપજે છે. પેાતાની તેવી શ્યાત્મદશા થઈ નહિં છતાં પેાતાની તેવી દશાની ‘કલ્પનારૂપ’ ભ્રાંતિ ઉપજે છે, 'અહં બ્રહ્માસ્મિ'ને બદલે ભ્રમાસ્મિ થઇ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, મધ-માક્ષ તેા કલ્પના છે એમ વાણીમાં પેાતે તા મહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી ખેલે છે, પણ સ્વચ્છ ંદાચાર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પણું હેાય છે, અથવા જ્ઞાનના અજીણુ રૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અત મેહ છૂટયો નથી, ‘સકલ જગત્ તે એઠવતુ અથવા સ્વપ્ન સમાન ં જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉન્મત્તની જેમ ‘વાચાજ્ઞાન ” દાખવે છે કે ‘હમ તેા જ્ઞાની હૈ, અધેલા જ નહિં તે મુક્ત કૈસે હાવે ?' તેમજ કૃત્રિમતા, દાંભિકત,દ્વિ દોષ પણ ઉપજે છે. ઇત્યાદિ પ્રકારે અનેક દોષની ઉપપત્તિ એકલા નિરાલખન અધ્યાત્મચિંતનમાં સંભવે છે. પણ ભગક્તિના આલખનથી તેવા કેઇ પણ દેષની સભાવના નથી હૈતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરેાહણ કરતા જાય છે. “ સ્વરૂપ આકાંક્ષી મહાત્માએએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિને હેતુ જાણ્યા છે. ક્ષીણમેહ ગુણુસ્થાનક પંત તે સ્વરૂપ ચિ'તના જીવને પ્રખળ અવલ'બન છે. × ×× વળી માત્ર એક્યુ. અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને જ્યામાહ ઉપજાવે છે; ઘણા જીવાને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલ'ખનથી ભક્તિપ્રધાન દૃષ્ટિ ચાય છે, અને અધ્યાત્મ દૃષ્ટિ ગૌણુ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારપણુ અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશાખળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણૅને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષા ઉત્પન્ન થતા નથી. અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અર્જુ‘તાદિના સ્વરૂપ-ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છૅ. '' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૨, (૭૫૩) મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસારમાં કહ્યું છે કે જે ભગવાન અહુ 'તનુ સ્વરૂપ, દ્રષ્ય, ગુણુ અને પર્યાયથી જાણે, તે પેાતાના આત્માનુ સ્વરૂપ જાણે અને તેને નિશ્ચયે કરીને મેહ નાશ પામે ' એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માગે ચઢતાં ઉક્ત દેષરૂપ પતનસ્થાને ( Pi:-fails ) નથી હાતા. ભક્તિપ્રધાનપણે વતાં ૦૧ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ ધ્યાત્મ ગુરુસ્થાના સ્પર્શતા જાય છે, વ્યક્ત ગુણીના ગુણુચાખથી ‘ સડુજ ' અધ્યાત્મ દશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મશુવિકાસને પામે છે. આમ · પુષ્ટ નિમિત્તે ' રૂપ પ્રભુનુ અાલખન-ધ્યાન આત્માને સ્વરૂપા હણ કરવાને સુગમ ને એબ્ડ ઉપાય છે, રાજમાગ છે. વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવે
Page 26
બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પેતે ઉપાસ્ય બને છે. તમે મુજ! મે મહા ગીતા નદઘનજીએ ગાયેલી પરન ધન્ય દશા પ્રાપ્ત થાય છે. પોતે આત્મનન કરી પરમાત્મા બને છે, જેમ ઝાડ પેાતાને મથીને મુજ !' એવી અથવા આત્મા પેતે અગ્નિ * ધ મિત્ર વાનનુંરામ્ય મા પો મલે છાંદરાઃ । ઘી ચોપાય ભિના અતિ લાદી ।”—શ્રી પૂજ્યપાદ સ્વામી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બને છે તેમ; પણ આ તે કોઈ સમર્થ યોગી વિશેષને યોગ્ય એવો એકપદીરૂપ માર્ગ છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તે પણ પ્રગટ પરમાત્મસ્વરૂપના અવલંબન વિના પિતાની મેળે પરમપદની પ્રાપ્તિ દુર્ઘટ છે; પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટ-સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તર અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગષ્પદ સમાન બની જાય છે! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભક્તશિરોમણિ મહાત્મા ગાઈ ગયા છે કે-જિનઆલંબની નિરાલંબતા પામી નિજ આલંબની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબળ અવલંબન ગ્રહી નિજ ગુણના શુદ્ધ નંદનવન માં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુક્ત આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિં થાય ત્યાંસુધી હું આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરીશ, થાવત્ બારમાં ક્ષીણમેહ ગુણસ્થાનના અંતપયત તેનું અવલંબન હું છોડીશ નહિં. અતિ દુસ્તર જે જલધિ સમે સંસાર જો, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે ; જિન અલબની નિરાલંબની થાયે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે. શુદ્ધ તત્વ નિજ સંપદા, જ્યાં લગી પૂર્ણ ન થાય રે; ત્યાં લગી જગગુરુ દેવના, એવું ચરણ સદાય રે.”—–શ્રી દેવચંદ્રજી. આમ ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણી છે. *ગીતામાં પણ કહ્યું છે કે-“સર્વ વેગીઓમાં પણ મને પામેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાન મને ભજે છે, તે મને યુક્તતમ મત છે.” ભક્તિ એ મુક્તિને રાજમાર્ગ છે. “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે, “જિન ભાવ વિના કબૂ' નહિં છૂટતા દુઃખદાવ” એમ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવવચન ભાખે છે. શાસ્ત્રસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો કે ભગવની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે, ”—એમ સર્વ શાસ્ત્ર પારંગત શ્રી યશવિજયજીનું સુભાષિત છે.* જેમ જિનભક્તિ ઉત્તમ ગબીજ છે, તેમ સદ્દગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે “ભાવગી એવા ભાવ આચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી આદિ પ્રત્યે પણ જે વિશુદ્ધ કુશલ ચિત્તાદિ લેવું તે ગબીજ છે,–નહિ કે દ્રવ્યાચાર્ય આદિ પ્રત્યે.” અહીં “ભાવ” શબ્દ પર શાસ્ત્રકારે ખાસ ભાર મૂકે છે ભાવથી–પરમાર્થની જેના આત્મામાં યોગ પરિણમે છે. જે સાચા ભાવગી છે, જે શુદ્ધ આત્મજ્ઞાની હોઈ સાચા ગુરુ છે, જેનામાં આચાર્ય આદિમાં હોવા યોગ્ય એવા શાસ્ત્રોક્ત યથાર્થ આદર્શ ભાવ-ગુણ વત્ત છે, એવા ખરેખરા ભાવાચાર્ય–ભાવસાધુ આદિ જ વંદન કરવા યોગ્ય ઉત્તમ પાત્ર છે,-નહિ કે દ્રવ્યાચાર્ય-દ્રવ્યસાધુ આદિ; માટે યોનિનામા જેવાં મદૂતે નામના | શ્રદ્ધાવાન માતે યો માં તમે તો મતઃ | » ગીતા “ તમયા ટદઉં શ્રતાપેarriદનાનો મતિમાવતો વીકે પરમાનંઉંઉલાઇ ” હા. હા. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભાવાચાર્ય આદિનું જ પરમ માન્યપણું–વંદ્યપણું શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે. એટલે જેને પંચ પરમેષ્ઠિમાં ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે એવા ભગવાન આચાર્યાદિની આત્મદશા-ગુણસ્થાનસ્થિતિ કેવી અદ્દભુત, કેવી વીતરાગ, કેવી પ્રશમપ્રધાન હોવી જોઈએ? એની વિવેક વિચારપૂર્વક સમ્યફ પરીક્ષા કરી વિચક્ષણ મુમુક્ષુ તે જેનામાં આત્મજ્ઞાનરૂપ ભાવ–ી પ્રગટયો છે, એવા જાગતી જત જેવા સાક્ષાત્ યેગીસ્વરૂપ ભાવઆચાર્યાદિ
Page 27
પ્રત્યે સંશુદ્ધ સેવાભક્તિ-વૈયાવચ્ચ કરે,આ ઉત્તમ ગબીજ છે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે.”—શ્રી આનંદઘનજી. તેમજ સતશ્રત ભક્તિ એ પણ ઉત્તમ ગબીજ છે. સસ્તુશાસ્ત્રનાં લેખન, પૂજન, દાન, શ્રવણ, પ્રકાશન, સ્વાધ્યાય આદિ એ યંગબીજ છે. જ્ઞાનીઓ આપણા માટે અમૂલ્ય જ્ઞાનવારસે મૂકી ગયા છે. જગત્નું મિથ્યાત્વ દારિઘ દૂર કરી તેને પરમાર્થસંપત્તિથી સમૃદ્ધ કરનાર પુરુષનું આ જગતું કેટલું બધું ઋણી છે? આપણે કેટલા બધા રાણી છીએ? આપણે આ પરમાર્થડણ કેમ ચૂકાવી શકીએ ? એ વિચાર કર્તવ્ય છે. “નં મોનો નારાહતો જાતક: વિત્તાય' તેમ જ્ઞાનરૂપ પારમાર્થિક ધનની પણ એ જ સ્થિતિ છે. કાં તે એનું દાન થાય, ભેગા થાય, નહિં તે નાશ થાય. જ્ઞાનનું દાન પણ પિતે જ્ઞાનનો અભ્યાસી હોય તે જ કરી શકે, તે જ જ્ઞાન પ્રવાહ વહેતે રહે. ભગ તે રસપૂર્વક તે જ્ઞાનના અધ્યાત્મરસને ઉપભેગ કરી યથેચ્છ આનંદ લૂંટવાથી થઈ શકે. તેમ ન થાય તે તેની ત્રીજી ગતિ જ શેષ રહે છે. માટે આપણે જે જ્ઞાનીને વારસો સાચવી રાખવો હોય, તે આપણે પરમ ગૌરવ-બહુમાનપૂર્વક તેને રસાસ્વાદ લેવા જોઇએ. વૈદિક ધર્મવાળા કહે છે તેમ આપણે જીવિત્રાણ-જ્ઞાની પુરુષ પ્રત્યેનું ઋણ માત્ર નિરંતર સ્વાધ્યાયથી ચૂકવી શકીએ એટલે તે ચૂકવવા માટે આપણે પરમ ઉપકારી જ્ઞાનીઓના અદ્ભુત જ્ઞાનનિધાનને પિતાના ઉપકારાર્થે આત્મહિતકારી સદુપયોગ કરી, જગતુમાં ઉદારપણે તે પરમ શ્રુતની પ્રભાવના કરવી જોઈએ. અર્થાત્ નિરંતર નિયમપૂર્વક સ્વાધ્યાયથી-અખંડ જ્ઞાનયજ્ઞથી તે વચનામૃતની પિતાના આત્મામાં પ્રભાવના-પ્રકૃષ્ટ ભાવના કરવી જોઈએ. અને આમ કર્યું હશે તે જ આવા ભાવિતાત્મા ધીમંત જ આ જ્ઞાનભંડાર પિતાની પ્રજ્ઞારૂપ ચાવીથી ખાલી તેમાંથી ગ્રંથરત્નો સંશે ધીરે જગતમાં તેને પ્રભાવના કરી શકશે. આવા પુય કાર્યમાં જ્યારે શ્રીમંત-ધીમંતનો ઉત્તમ સડકાર જામશે, જ્યારે ધીમાતાની જ્ઞાનગંગા શ્રીમતોની ધનયમુના સાથે ભળી સરસ્વતીનો સંગમ સાધશે, ત્યારે તે ત્રિવેણી સંગમમાં નિમજજન કરી જગત્ પાવન બનશે, ત્યારે જગતુમાં જ્ઞાનીની વાણીનો જયજયકાર થશે, અને આથી યે ગબીજને પરમ લાભ પામેલા પુણ્યવંત આત્માઓને પણ જયજયકાર થશે !-આ બોધ અત્રે ફલિત થાય છે. આમ ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકે છે. પ્રભુભક્તિ, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સદ્ગુરુભક્તિ અને શ્રુતભક્તિ એ ચેાગમાગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૃ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય સદૈવ આદશ`સ્થાને હાઇ, જીવને ઇષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે; સદ્ગુરુ, મેાક્ષમાગ રૂપ સન્માના પરમ સાધક સાધુચરિત સત્પુરુષ સાક્ષાત્ જીવંત મૂર્ત્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેાઇ, જીવને પરમ અવલ બનરૂપ થઈ પડી પ્રેરણાખલ આપે છે; અને તથારૂપ સદ્ગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સતુશાસ્ત્ર પણ પરમ આલેખનરૂપ બની આત્માથી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીત્રની નિČલ ચિત્તભૂમિમાં રાપાયેલા આ ચેાગમીજ સવેગ-વૈરાગ્યજલથી અભિસિ`ચિત થઇ, અનુક્રમે વિકાસ પામી અનુપમ મેાક્ષલ આપે છે. નહિ તે ‘મૂત્યું નાસ્તિ તો રાલા' મૂળ ન હોય તે શાખા કયાંથી હાય ? ખીજ વિના ઝાડ કેમ થાય ? કારણ કે કેઈ પણ મકાન પાયા વિના ચડ્ડાય નહિ', પ્રથમ ભૂમિકા અધાયા વિના ઉપક્ષી ભૂમિકા બંધાય નહિ', આ નિયમ છે. તેમ ચેાગરૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને આ મિત્રાદષ્ટિરૂપ પાયે યેાગખીજથી પૂરાયા વિના થાય નહિ, તેની આ ‘અભય અદ્વેષ અખેદ’વાળી ‘સેવન કાણુ પહેલી ભૂમિકા' વિના ઉપલી ભૂમિકા બધાય નહિ. જો આ યાગરૂપ ભવ્ય પ્રાસાદ બાંધવા હાય, તે સકલ જગત્ પ્રત્યે જ્યાં અનુપમ મૈત્રી વત્તે' છે એવી મિત્રાદષ્ટિરૂપ તેને મજબૂત પાયે નાંખવા જોઇએ, અને તેમાં આ સદ્ભક્તિમય યેાગબીજનું પૂરણુ કરી વાલેપ દૃઢ પીડિકાબ`ધ ખાંધવે જોઇએ; તે જ પછી તેનુ સાનુખ'ધ
Page 28
ચણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તે આકાશમાં અદ્ધર નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું' થાય ? માટે અહે ! ભવ્યજને ! મેક્ષના કામી એવા મુમુક્ષુએ ! તમે પ્રથમ આ યેગપ્રાસાદની ભક્તિરૂપ દૃઢ ભૂમિકા આંધા, કે જેથી કરીને અનુબંધથી તે ચેગરૂપ મહા દિવ્ય પ્રાસાદનુ સાંગે પાંગ નિર્માણુ સ ́પૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ ‘વાસ્તુ’ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરા!-એમ જાણે આ યાત્રબીજનું ઉદ્ધેધન કરતા આ શાસ્ત્રકત્તાઁ મહર્ષિના દિગ્ ધ્વનિ મુમુક્ષુએને સપ્રેમ આહ્વાન કરી રહ્યો છે ! આમ ભક્તિયેાગ એ સર્વ ચૈાગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. ભક્તિયોગ, કમ યાગ અને જ્ઞાનયેાગ એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ એક જ ચેગના ત્રણુ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હાઈ એક બીજાના પૂરક અને સમક છે; કારણ કે તાત્ત્વિક સમજણપૂર્વક પરતત્ત્વની ભક્તિ તે ભક્તિયેગ, પરતત્ત્વની ભક્તિપૂર્વક તાત્ત્વિક સમજણુધી મેાક્ષસાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અઘ્યાત્મ ક્રિયા તે કયેાગ, અને પરતને પરમતિધાન જેમ ભક્તિથી હૃશ્યમાં ધારણ કરી તથારૂપ અધ્યાત્મક્રિયા ચુક્તપણે જ્ઞાનની-અનુભવયેાગની અનન્ય ઉપાસના તે જ્ઞાનયુગ. જ્ઞાન અર્થાત્ તાત્ત્વિક સમજચુ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનુનષ્ઠાન Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ રૂપ હોઈ યથાથ” ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ્ યથા ફલદાય થતુ નથી. આમ આ ત્રણે યાગને સમન્વય છે. ૩. જ્ઞાનયેાગ અને કમચાગ અને આ ઉપરથી ‘ જ્ઞાન—ક્રિયાથી મેક્ષ છે, ' જ્ઞાશિયામ્યાં મોક્ષઃ 'એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પણ ચિરતા ખને છે. અર્થાત્ જ્ઞાન એટલે મુખ્યપણે ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવક્રિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ અનેને જ્યારે સમન્વય થાય ત્યારે જ મેક્ષની પ્રાપ્તિ થાય. X જ્ઞાન અને ક્રિયા એ બન્ને એક રથના એ ચક્ર જેવા છે; એમાંનુ એક પણ ચક્ર ન હેાય તે ધર્માંરથ ચાલે જ નહિ જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યા હોય ત્યાં દેખતાં છતાં પાંગળે! નષ્ટ થાય ને દોડતાં છતાં આંધળા નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળા જો તેના સૂચન મુજબ ચાલે, બન્ને સહકાર કરી સમન્વય સાધે તે। અને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી ખચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બન્નેને યથાયેાગ્ય સમન્વય સાધવા જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂકયુ તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂલઅનુસરતી તાત્ત્વિક સમજણવાળી હાવી જોઇએ, અને એટલા માટે જ ક્રિયાનું · અનુષ્ઠાન એવું નામ પ્રસિદ્ધ છે. પહેલુ જ્ઞાન અને પછી દયા · વઢમં નાળ તો ચા’એ મહાસૂત્રનું રહસ્ય પણ એ જ છે. ( દ્રવ્ય શ્રુતજ્ઞાન અને દ્રવ્યક્રિયાને પણ અત્રે એનું યથાયેાગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્ય શ્રુતજ્ઞાન અને દ્રવ્ય ક્રિયા ભાવની ઉત્પત્તિનુ કારણ થાય તે પણ પરંપરાએ મેાક્ષના કારણરૂપ થઇ પડે છે, પણ જે તથારૂપ ભાવનું કારણ ન થાય તે જ્ઞાન-ક્રિયા તે મેાક્ષ પ્રત્યયી ફળ પરત્વે નિષ્ફળ જ છે. શ્રી હરિભદ્રસૂરિએ પ'ચાશર્કશાસ્ત્રમાં ‘ દ્રવ્ય ’ શબ્દના એ અથ પ્રદશિત કર્યા છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે : ( ૧ ) એક તે દ્રવ્ય એટલે અપ્રધાન, તથારૂપ ભાવિહીન. જેમકે-આચાર્ય'માં હાવા ચાગ્ય શાસ્ત્રોક્ત ગુણુથી રહિત હાય તે દ્રવ્યાચાય કહેવાય, તેમજ ક્રિયાની ખાખતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ ક્રિયાજડપણું, અનુપયેાગપણે, કંઇ પણ ભાવરણારૂપ અતભેદ વિના કરવામાં આવે છે, તે પણુ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. ( ૨ ) દ્રવ્યના બીજો અર્થ ભાવજનન ચેાગ્યપણું છે; જે
Page 29
દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રશ્યને પ્રધાન એવા ખીજો પ્રકાર છે. ભાવને ઉત્પન્ન કરનારૂં એવુ. આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હોઇ અત્ર મેાક્ષમામાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્ય સ્તવના— X " फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते । ચોવિચ તદ્માવવામાંચૈત નાન્યથા II ”—શાવ્યવાર્તાસમુચ્ચય, Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ દ્રવ્ય આજ્ઞાનો અધિકાર-હળુકમી, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તત્ત્વપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન્ન અપુનબંધકાદિx દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે એમ શ્રી હરિભદ્રસૂરિએ ચકખે ચકખું કહ્યું છે, કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા જ કથારૂપ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરવાને ગ્ય એવી હોય છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સમૃદુ-બંધકાદિને તે અપ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપગપણેક્રિયાજડપણ કરે છે, એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મોક્ષમાર્ગની યોગ્યતા ધરાવતા નથી. અનુપયોગો દ્રશૈ” અનુપયોગ–ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્ય ક્રિયાને જ શાસ્ત્રકારે ગમાર્ગમાં સ્થાન આપ્યું છે,–નહિં કે અનુપયેગવંત કિયાજડ એવી અપ્રધાન દ્રવ્ય કિયાને. મિત્રાદષ્ટિ આદિ પહેલી ચાર દૃષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ છતાં તેને યેગમાર્ગમાં ગણી તેનું રહસ્ય પણ એ જ છે કે તેમાં ભાવજનન મેગ્યતાવાળી પ્રધાન દ્રવ્ય ક્રિયા હોય છે. આમ આવી દ્રવ્ય ક્રિયાને પણ અત્ર યથાયોગ્ય સ્થાન છે જ, કારણ કે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યું જ છૂટકે છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવ પરિણતિ. આખો જિનમાર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ એ જ એનું જીવન છે, તે ન હોય તે ખાલી ખોખું જ રહે છે. “મારિયાઃ પ્રતિદઢત્તિ માવશૂન્યા: ' દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી ગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગીઆ જેટલું અંતર છે. “શુદ્ધભાવ ને શૂની કિરિયા, બહુમાં અંતર કેતેજી? ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”—. દ. સઝાય. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધમ રુચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?ચંદ્રાનન.”—શ્રી દેવચંદ્રજી, અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાયે જિનઆણા, મારગ ભાષે જાણુ.”– શ્રી યશોવિજયજી. જેટલું આ દ્રવ્ય ક્રિયા માટે સત્ય છે તેટલું જ દ્રવ્યશ્રુતજ્ઞાન માટે પણ છે, કારણ કે શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, માટે એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી, પણ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત "एते अहिगारिणो इह ण सेसा दव्वओ वि जं एसा। રૂચી કોયાણ રેતાળ ૩ ઘાત્તિ | ” શ્રી પંચાશક, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આત્મામાં ભાવથતપણું પ્રગટે-આત્મજ્ઞાન ઉપજે, તે જ વારતવિક જ્ઞાન થયું કહેવાય છે; નહિ તે શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂદ્ધ જનોને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોને સંસાર છેવળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે. ગધેડો ચંદનને ભાર ઉપાડે છે, પણ તેનો ભંગ તે કઈ ભાગ્યશાળી જ પામે છે; તેમ શાસ્ત્રને ભાર તે અનેક વહે છે, પણ તેને અધ્યાત્મરસ તો કઈ વિરલા જ ચાખે છે. ફરક માત્ર એટલે જ છે કે–ગધેડે પિતાના શરીર પર બે ઊઠાવે છે, અને આ શાસ્ત્ર-ગર્દભ પોતાના મન પર બેજો ઊઠાવે
Page 30
છે! પણ બન્નેનું ભારવાહકપણું સરખું છે ! “વેરાન્યાહ્નવિ, દમણમાકવિતા માથમૃદ્ધોનાનાતિ, વસ્તિ નં : ”–શ્રી યશોવિજયજી. “તિમ થતપાઠી પંડિતકુ પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લહ્યા વિના ભાર કહ્યો શ્રત, ખર દૃષ્ટાંત પ્રમાણ”–શ્રી ચિદાનંદજી પુસ્તકપંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનીમાં આકાશ-પાતાલનું અંતર છે. બાકી બધુંય જાણતા હોય, પણ એક આત્માને ન જાણતું હોય, તે તે શાસ્ત્રવેત્તા વિદ્વાન પણ અજ્ઞાની છે. અને એક આત્માને જાણતા હોય ને બીજું કાંઈ ન પણ જાણતો હોય તે તે અવિદ્વાન પણ જ્ઞાની છે. આમ વિદ્વાન્ ને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે. અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાન અથવા પંડિતજન છે, બાકી બીજા કહેવાતા વિદ્વાનોની ગણના પણ અજ્ઞાની અથવા બાલ માં જ છે. નિરક્ષર પણ જ્ઞાની હોઈ શકે ને સાક્ષર પણ અજ્ઞાની હોઈ શકે એવી આ વિલક્ષણ વાત વિવેકી જનો જ સમજી શકે છે. આ ગ્રંથમાં પણ ઈચ્છાગના લક્ષણમાં શ્રુતજ્ઞાની શબ્દ મૂક્યા છતાં “જ્ઞાની” એવું ખાસ વિશેષણ ક્યું, તે પણ એમ સૂચવે છે કે શ્રુતજ્ઞાની-આગમધર” હોય છતાં કદાચ અજ્ઞાની પણ હોય. એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જો દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, પણ જે આત્માને ન જાર્યો હોય, તે તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું કૃત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાને શુષ્કજ્ઞાની બહુશ્રત પણ અજ્ઞાની કહ્યો છે, તે પછી અન્ય અપકૃત વાચાજ્ઞાનીઓની તે શી વાત કરવી ? સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે એક આત્મવસ્તુ હાથ ન આવી તે શૂન્યરૂપ જ છે, મોટા મીંડારૂપ જ છે. “ઘો –આત્મા હાથમાં ન આવ્યા તે તે બધા એકડા વિનાના મીંડા છે! “ને પf કાળરૂ છે સર્વ જ્ઞાળરૂ ” આમ ઉક્ત સ્વરૂપવાળા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. છતાં કોઈ જ પ્રાયઃ કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી “ક્રિયાજડ' થઈ રહ્યા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ છે, તેા કેાઈ કેવળ - શુષ્કજ્ઞાની ' થઈ પડયા છે, ને પાતે મેાક્ષમાર્ગ આરાધે છે એમ માને છે,જે દેખી પરમ કૃપાળુ સહૃદય સંતજનેને કરુણા ઉપજે છે. અત્રે જે ક્રિયાજડ લેક છે તે પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય નિશ્ચય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનુપયેાગપણે ક્રિયાજડપણે યંત્રવત્ બાહ્ય દ્રવ્ય ક્રિયા કર્યાં કરે છે, પણ નિજ સ્વરૂપની સાધક એવી અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવક્રિયાનેઅધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અતભેદ અનુભવતા નથી, વળી તેઓ જ્ઞાનમાગ ના નિષેધ કરે છે. અને જે શુષ્કજ્ઞાની જનેા છે, તે શુષ્કજ્ઞાનની સુક્કી લૂખી ‘વાતેા’ જ કરે છે, અધ-મેક્ષ આદિ કલ્પના છે એમ કહે છે, પણ પાતે તે મેહાવેશમાં ને સ્વચ્છ દે વત્ત છે; તેએ નિશ્ચયનય · માત્ર શબ્દની માંહ્ય’ ગ્રહે છે અને સર્વ્યવહારના લેાપ કરે છે; તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છેડી દ્યે છે; આવા ‘નામ અધ્યાત્મી ’શુષ્કજ્ઞાનીઓના જે સંગ પામે તે પણ મૂડી જાય. X 66 t જ્ઞાનદશા પામ્યા નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેના સ`ગ જે, તે બૂડ ભવમાંહિ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેાય. ''—શ્રી આત્મસિદ્ધિ આમ ક્રિયાજડ જીવા વ્યવહારના આગ્રહી હેાઈ નિશ્ચયનિરપેક્ષ હાય છે, તેથી માક્ષમાગના અધિકારી છે; અને શુષ્કજ્ઞાની જીવા નિશ્ચયના આગ્રહી હેાઇ વ્યવહાર-નિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મેાક્ષમાના અનધિકારી જ છે. આ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્નેય ‘મ્હારું તે સાચું' એમ માનનારા મતાથી જ છે, પણ ‘સાચું તે મ્હારું' એમ માનનારા આત્માથી નથી. પણ સાચા આત્માથી હોય તે તે પરમાર્થ
Page 31
રૂપ નિશ્ચય અને તેના સાધક સદ્વ્યવહારનેા સુમેળ જ સાધે; નિશ્ચયવાણી સાંભળી સત્ સાધન છેાડી દીએ નહિ, પણ નિશ્ચયને નિર ંતર લક્ષ્યમાં રાખી, તે જ સત્ સાધને સેવ્યાં કરે અને આમ જ્ઞાન ને ક્રિયા એ બન્ને નયની પરસ્પર તીવ્ર મૈત્રી કરવી, શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને-ચારિત્રનેા સમન્વય સાધે, તે અવશ્ય શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેાક્ષની સિદ્ધિ થાય. શ્રી યશાવિજયજીએ સુભાષિતમાં કહ્યુ છે તેમ ક્રયાગના સમ્યક્ અભ્યાસ કરી, જ્ઞાનયેાગને સમાશ્રિત થયેલા પુરુષ ધ્યાનયેાગ પર ચઢી માક્ષયેાગને પામે, ' × “ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાથે; વચનનિરપેક્ષ વ્યવહાર સ`સાર ફુલ, સાંભળી આદરી કાંઈ રાચે ’”—શ્રી આનંદઘનજી. कर्मयोगं समभ्यस्य, ज्ञानयोगं समाश्रितः । ध्यानयोगं समारुह्य, मोक्षयोगं प्रपद्यते ।। " —શ્રી અધ્યાત્મસાર. Page #48 -------------------------------------------------------------------------- ________________ ४७ III તાત્પર્ય એગદષ્ટિથી દિવ્ય વેગમાર્ગદર્શન. આમ ભક્તિયોગ, જ્ઞાનયોગ ને કમગની સમ્યક વ્યવસ્થારૂપ ગમાર્ગનું યથાર્થ દર્શન સમ્યક એવી યુગદષ્ટિથી જ થાય છે; આ દિવ્ય નયનથી જ જિનમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. આ પરમાર્થ દષ્ટિ વિના તે બધુંય અંધારૂં છે. “આંખ વિનાનું અંધારું રે એ લેક્તિ અહી પરમાર્થમાગમાં સાવ સાચી જણાય છે. દષ્ટિઅંધતા ટળી ન હોય ત્યાંસુધી આધ્યાત્મિક એવા મોક્ષમાર્ગનું અથવા જિનના મૂળમાર્ગનું દર્શન થાય નહિં; જિનને આ અધ્યાત્મપ્રધાન પરમાર્થમાગ દેખવા માટે તે આ દિવ્ય ગદષ્ટિનું ઉન્મીલન થવું જોઈએ, અને જીવની દૃષ્ટિઅંધતા ટળવી જોઈએ. આ અંતરંગ માર્ગનું દર્શન ગાડરીઆ પ્રવાહ જેવી બહિરંગ એવદષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવની એ ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી લૌકિક ઓઘદૃષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમાર્ગના યથાર્થ દર્શનાથે આધ્યાત્મિક દ્રષ્ટિ અપવા માટે જ, અને યોગબિન્દુના પ્રાંતે “ો: સ્તાવો ઢોવર ” લેક યોગદષ્ટિવાળે થાઓ !—એ પિતાના આશિર્વચનને જાણે ચરિતાર્થ કરવાને અર્થે જ આર્ષદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ “ગદષ્ટિસમુચ્ચય' ગ્રંથનું નિર્માણ કરેલું દશ્ય થાય છે. કારણ કે તેવી દષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક માગને પણ ગતાનુગતિક લેકો લૌકિક દૃષ્ટિએ–ઘદૃષ્ટિએ દેખે છે ! મહાત્મા આનંદઘનજી પિકાર કરી ગયા છે કે “ચરમ નયણુ કરી મારગ જેવતે રે, ભૂલ્યા સયલ સંસાર.” પણ જિનને–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમા તે કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, અંતરંગ ભાવમાગે છે. જાતિ-વેષના ભેદ વિના જે કંઈ પણ આ યક્ત મોક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધા ને આચરે એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લક્ષ્યમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીને સારરૂપ “શુદ્ધ નયદીપિકા' પ્રત્યે નિરંતર દૃષ્ટિ ઠેરવી, તેના સતસાધનરૂપ પરમાર્થ સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારને સમન્વય સાધે છે, તે જ મોક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસાર પરિભ્રમણ થયું છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રોજન આત્માને સ્વરૂપમાં આણી “નિજ ઘર” પધરાવવાનું છે. એટલે વ્યવહા૨ સમ્યગદર્શન–જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીની ઉત્તરોત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપ આપણરૂપ પ્રથમ ભૂમિકા નિજ પદ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતે સ્પર્શ મોક્ષમાર્ગે આગળ *"जह जिणमयं पवज्जह मा ववहारणिच्छए मुयए । Uા વિના ૪િ= તિર્થં અomળ ? ” – આર્ષવચન “सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं । વવાણિયા કુળ ને ટુ દિવા માગે છે – શ્રી સમયસાર, ગા. ૧૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ વધતું જાય છે, અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ટાને પ્રાપ્ત કરી તે પરમ યોગી શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. આ સમત યોગશાસ્ત્રનું નિરૂપણ એ જ વાત સિદ્ધ કરે છે. જેહ અહંકાર મમકારનું
Page 32
બંધન, શુદ્ધ નય તે દહે દહન જેમ ઇંધન; શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હોયડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તહીન વ્યવહાર ચિત્ત એડથી નવિ ગુણ.”–શ્રી યશોવિજયજી આમ પરમાર્થપ્રત્યયી ગમાર્ગનું યથાર્થ દર્શન આ ગષ્ટિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે. પરમ ભાવિતાત્મા આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.' આ દિવ્ય નયનની પ્રાપ્તિ કેમ થાય? જે પામેલ હોય તેની પાસેથી પમાય. દીવામાંથી દીવો થાય. કુવામાં હોય તે હવાડામાં આવે. દેખતે હોય તે જ માર્ગ દેખાડે. આંધળે કેમ દેખાડે? આંધળે તે પોતે ખાડમાં પડે ને બીજાને પાડે. એટલે આ દિરય નયનની પ્રાપ્તિ તે ગદષ્ટિરૂપ દિવ્ય ચક્ષુને પામેલા સાક્ષાત્ દૃષ્ટા એવા ભાવગી સદ્દગુરુથી જ થાય, નહિ કે દષ્ટિઅંધ એવા અસદૂગુરુથી. આંધળાની પાછળ આંધળા દોડયા જાય એવી અસદ્દગુરુરૂપ અંધ પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં “પુરુષપરંપર અનુભવ જેવતાં રે અોઅંધ પલાય. કારણ કે જ્યાં લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દર્શન દૂર થયા નથી અને સમ્યગદષ્ટિ ખૂલી નથી, ત્યાંલગી પરમાર્થથી દૃષ્ટિઅંધપણું જ કહેવા યોગ્ય છે આ મિથ્યાત્વરૂપ દષ્ટિઅંધપણું તે જન્માંધપણા કરતાં પણ ખરાબ છે; જન્માંધ છે અને દેખતો જ નથી, પણ મિથ્યાદષ્ટિ અંધ છે અને અનર્થ દેખે છે! એટલે આવા દૃષ્ટિઅંધ અસદ્દગુરુ તો પોતે ઉન્માર્ગે જતા હોઈ બીજાને ઉન્માર્ગે દોરી ખાડમાં પાડે, દુર્ગતિની ગર્તામાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તે સદ્ગુરુનું જ નયન-દોરવણી જોઈએ. વળી દષ્ટિ દૃષ્ટિરાગથી રંગાયેલી હેય, કમળાવાળી હોય, અથવા આડે રંગીન કાચ ધર્યો હોય તે દર્શન પણ તેવું જ રંગાયેલું (Coloured vision) થાય છે, યથાર્થ થતું નથી. તેમ છવની દૃષ્ટિ જો દષ્ટિરાગથી રંગાયેલી હોય, તે તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું-વિપર્યસ્ત હોય છે, સમ્યફ હેતું નથી. ઘણી વખત લેકે દષ્ટિરાગની પુષ્ટિને પણ સમ્યગ દષ્ટિપણું માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે પણ એ બને કેવળ જૂદી જ વસ્તુ છે, કારણ કે દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હોઈ અસમ્યફ હોય છે, અને સમ્યગદષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હાઈ સમ્યફ હોય છે. દાખલા તરીકે–પિતાના કુલધર્મના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હાવા યેાગ્ય એવા આત્મજ્ઞાન-વીતરાગતા આદિ લક્ષણથી રહિત હાય, છતાં પેાતાના મત-સ'પ્રદાયના આગ્રહથી અને પેાતાના માની લીધેલા કુલધર્માંના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે; અથવા જેના પ્રત્યે પેાતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખાટા છે ને તેમાં કાંઇ નથી તે પણ દૃષ્ટિરાગને પ્રકાર છે. આ દૃષ્ટિરાગ છેડવા ઘણું મુશ્કેલ છે. શ્રી હેમચદ્રાચાય જીએ તે વીતરાગ પાસે પેાકાર પાડયો છે કે-હે ભગવન્ ! સ્નેહરાગ છેાડવા હેલો છે, કામરાગ છેડવા સ્ટેલા છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ છેડવા સ’તેને પણ દાહિલે છે, દુસ્યજ છે. પણ સભ્યષ્ટિપણામાં તવા રાગ હાતા નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શન થાય છે. સદેવનુ, સદ્ગુરુનુ', સહુનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણુ હોય છે. તાપ કે દૃષ્ટિરાગમાં ‘ મત નું માન્યપણું છે, અને સમ્યગ્દષ્ટિમાં ‘સત્’નુ માન્યપણુ છે. દૃષ્ટિરાગી ‘મારું' તે સાચુ'' માને છે, અને સમ્યગ્દષ્ટિ ‘સાચું... તે મારું' માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં બ્રાંતિ પામે નહિ · દૃષ્ટિરાગના પાત્ર તેહ
Page 33
સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજપણું. ’—શ્રી દેવચ’દ્રજી : C માટે સમ્યગ્દષ્ટિ ઈચ્છનારા મુમુક્ષુએ તે દૃષ્ટિરાગ ને દૃષ્ટિઅધપશુારૂપ અધશ્રદ્ધાને છેડી દૃઈ, દૃષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદ્ગુરુને ત્યજી સમ્યગ્દષ્ટિસપન્ન જ્ઞાની વીતરાગ સદ્દગુરુનું જ આલખન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગેાચર એવી · બિના નયનકી બાત' · બિના નયન પાવે નહિ –દિવ્ય નયન વિના પામે નહુિ', પણ સેવે સદ્ગુરુ કે ચરન, સેા પાયે સાક્ષાત. ’-આગમ પણ ગુરુગમ વિના અગમ થઇ પડે છે. કારણ કે આગમ એ આત્માનુભવી જ્ઞાની પુરુષના વચન હેાઇ, સાક્ષાત અનુભવજ્ઞાનીઆત્માનુભવી એવા પારમાર્થિક સદ્ગુરુ જ તેના માઁને-હૃદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અજન લઇ સદ્ગુરુ આંજે, ‘જ્ઞાન-અ’જનશલાકા ' કરે, તેા જ જીવના આ દૃષ્ટિરાગ દૂર થાય, તે જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તે જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માની પ્રાપ્તિ થઇ મેરુ સમા મદ્ગાડિમાવાન પરમ શુશુનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત્ દ ન થાય, 66 પ્રવચન અંજન તે સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. 'શ્રી આનંદઘનજી, શાસ્ત્રમાં ગીતાને જ ગુરુપણાને અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે; કારણ કે ગીતા એટલે કેટલાક લેકે માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિ', પણ જેણે શાસ્ત્રના-સૂત્રને અ-પરમાર્થગીત કર્યાં છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યા છે, સંગીતની જેમ અવિસવાદીપણે આત્મામાં તન્મય-એકતાર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦. કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે તે “ગીતાર્થ; અર્થાત્ જેણે પરમ નિશ્ચયરૂપ પરમાર્થ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે તે ગીતાર્થ. એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને ગ્ય છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના અજ્ઞાની ગુરુએ તે કર્મભારથી “ગુરુ” (ભારે) બને છે. અજ્ઞાની નિજ છંદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારી છે. જિનજી! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરિયે; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિયે રે. જિનજી! સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહે તે વિણ કેમ રહિયે રે ?”—શ્રી યશોવિજયજી. આમ સાચા ગીતાર્થ, જ્ઞાની, આત્માનુભવી સદ્ગુરુ પાસેથી જ પારમાર્થિક ભાવગુરુગમ પ્રાપ્ત થાય છે. આ અંગે સુંદર અન્યોકિત છે કે-ગગનમંડલ-ચિદાકાશ તેની મધ્યે એક અમૃતને કુવે છે, એટલે અમૃતસ્વરૂપી શાંતસુધારસમય આત્માને ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃતકૂપમાંથી શાંતસુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે અર્થાત્ ભવતૃષ્ણ શાંત થાય છે, અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુને યેગ નથી મળ્યું, તે તે અમૃતપાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણ બૂઝાતી નથી અને તે મૃતપણને જ પામે છે, અર્થાત્ જન્મમરણપરંપરા કર્યા કરે છે, તેના જન્મમરણને છેડે આવતું નથી. “ગગન મંડળમેં અધબિચ કૂવા, ઉહા હે અમીકા વાસ; સગુરા હોએ સે ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા... અવધૂ ! સો જોગી ગુરુ મેરા, ઉસ પદકા કરે રે નીવેડા.” શ્રી આનંદઘનજી. “વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરંગુલ હે દમસે મિલ છે, રસદેવ નિરંજનકે પિવહી, ગહ જગ જુગાજુગ સે જિવહી” -શ્રીમદ્ રાજચંદ્રજી. શ્રી ગૌતમસ્વામીજીને ભગવાન મહાવીર દેવે સમ્યગ નેત્ર આપ્યાં ત્યારે વેદના અર્થ પણ સમ્યપણે સમજાયા. દષ્ટિ સમ્યફ હોય તે મિથ્યા શાસ્ત્ર પણ સમ્યફપણે પરિણમે છે અને દૃષ્ટિ મિથ્યા હોય તે સમ્યફશાસ્ત્ર પણ મિથ્યાપણે પરિણમે છે. વદર્શનનું રહસ્ય પણ દષ્ટિ સમ્યકુ હોય તે
Page 34
સમજાય છે. માટે દષ્ટિ સમ્યફ જોઈએ. અને તેની પ્રાપ્તિ તે ઉપર કહ્યું તેમ શ્રી સદ્ગુરુને આધીન છે. તેવા દષ્ટા પુરુષ જ દિવ્ય દષ્ટિ અપી વસ્તુનું યથાવત્ સ્વરૂપદર્શન કરાવવાને સમર્થ હોય છે. પણ આવા વસ્તુગતે વસ્તુ કહેનારા આપ્ત અનુભવજ્ઞાનીઓ તે વિરલ જ છે, જગત્ માં તેમને તે દુકાળ જ છે. આનંદઘનજીએ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કહ્યું છે તેમ “અભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.' બાકી તથારૂપ તાત્ત્વિક અનુભવ વિના વસ્તુની માત્ર ખાલી કલ્પિત વાત કરનારા જનના કાંઈ તે નથી. તેમને તે સર્વત્ર સુકાળ જ છે. ખેદ થાય છે કે નગદ માલરૂપે ( Materially) અધ્યાત્મનું સ્વરૂપ જાણ્યાસમજ્યા વિના હાલ અધ્યાત્મીઓને વ્યવહાર કટિમાં અધોગતિ પામતા આ દેશમાં, આ કોમમાં રાફડો ફાટયો છે, કેવળ ખ્યાલ-ભ્રમણ-ગતાનુગતિકત્વને ( Sentimentalism) અનુસરી શુદ્ધ વરતુગતે વસ્તુરૂપને જાણ્યા સમજ્યા વિના અધ્યાત્મનું પુંછડું પકડનારા આ છે, નથી આત્માને ઓળખવાના, પણ વ્યવહાર-પરમાર્થથી પતિત થઈ દેશને અને પિતાને પરિણામે ધક્કો જ પહોંચાડશે.”—શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતા. કારણ કે વસ્તુવિચારની બાબતમાં દિવ્ય નયનને વિરહ પડ્યો છે, “વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે, વિરહ પડયો નિરધાર,’ એટલે યથાર્થ વસ્તુવિચાર થતો નથી. જેમ સમ્યગદષ્ટિ (ચક્ષુ ) વિના બાહ્ય પદાર્થોનું યથાર્થ દર્શન થતું નથી, તેમ સમ્યગદષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યફ સ્વરૂપદર્શન થતું નથી. એ દિવ્ય નયન વિના આખા બ્રહ્માંડ સંબંધી ગમે તેટલા કલ્પનારૂપ સ્વચ્છેદ વિચાર કરે તો પણ પરમાર્થથી શૂન્ય જ છે, મોટું મીંડું જ છે. કારણ કે હું પોતે કોણ છું? મહારૂં સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુને જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લેકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતું નથી ! આ મુખ્ય પ્રજનભૂત આત્મવસ્તુના વિચારની સમ્યગૃષ્ટિ પણ મુખ્યપણે સાચા જ્ઞાની સદૂગુરુના અવલંબને પૂલે છે, અને તે આધ્યાત્મિક યોગદષ્ટિથી જ યેગમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. એટલે પછી જેવી “દષ્ટિ તેવી સૃષ્ટિ', જેવું દર્શન તેવું સર્જન એ ન્યાયે તે દષ્ટા જોગી જન’ તે દિવ્ય યોગમાર્ગે ગમન કરવા “ઈચ્છે છે” (ઈચ્છાયોગ). એટલે દષ્ટિપૂરં ચત્તારું એ સૂત્ર પ્રમાણે વેગમાર્ગે દૃષ્ટિપૂત પદન્યાસ કરતે કરતો તે “ દૃષ્ટા” પુરુષ અપૂર્વ આત્મપુરૂષાર્થથી, અદમ્ય ઉત્સાહથી ને અનન્ય સંવેગથી તે સન્માર્ગે ગમન કરે છે, પ્રવૃત્તિ આદરે છે (પ્રવૃત્તિ ). વચ્ચે નડતા વિદ્ગોને આ વીર પુરુષ અદ્દભુત શૌથી સામનો કરી જય કરે છે અને શાંત સ્થિરપણે માર્ગે ચાલ્યો જાય છે (સ્થિરગ). અને અંતે ઈષ્ટ દયેય સ્થાને આવી પહોંચી તે ગમાર્ગને પ્રવાસ પૂરો કરી અનુપમ સિદ્ધિ સાધે છે. (સિદ્ધિયોગ). તાત્પર્ય કે-એગમાર્ગે પ્રવર્તતે “જોગીજન' પરભાવ-વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવાનો નિરંતર જાગ્રત ઉપયોગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું પરિપાલન કરે છે; શૌચ, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમનું સેવન કરે છે; પરભાવની બેઠકરૂપ દેહાધ્યાસ છોડી દઈ, આત્મભાવમાં આસન જમાવે છે; બાહ્ય ભાવનું વિરેચન કરી અંતરાત્મભાવના પૂરણ-કુંભનરૂપ ભાવપ્રાણાયામ સાધે છે; વિષયવિકારમાંથી ઇંદ્રિયને પ્રત્યાહત કરી પરભવમાંથી આત્માને પાછું ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે; આત્મસ્વભાવમાં આત્માને ધારી રાખવારૂપ ધારણું ધરે છે; સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ આત્માનું એકાગ્ર ધ્યાન ધ્યાવે છે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ-સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિ અનુભવે છે. અને આમ જે અનંત સુખધામ પદને ઈચ્છતા સુસંતે-ગીન્દ્રો દિનરાત તેના ધ્યાનમાં રહે છે, અને જ્યાં અનંત એવી સુધામય પરમ શાંતિ પ્રવહે છે, એવા તે પરમ
Page 35
અમૃતવરૂપ શુદ્ધ પરમ પદને આ ગીરાજ સાક્ષાતુ પામે છે. “સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”– શ્રીમદ રાજચંદ્રજી. (૨) શાસ્ત્રક7 મહર્ષિ હરિભદ્રાચાર્યજી. આમ દિવ્ય યોગદષ્ટિથી પરમાર્થમય યોગમાર્ગનું યથાર્થ દર્શન કરાવનાર આ શાસ્ત્રકર્તા મહર્ષિના પવિત્ર ચરિત્ર સંબંધી બે શબ્દ કહી અંત્ય મંગલરૂપ ઉપસંહાર કરીએ :-આ ભારત ભૂમિમાં મત-દર્શનના આગ્રહથી પર એવા જે ગણ્યાગાંઠયા “નિર્પક્ષ વિરલા કેઈ’ સાચા સંત પુરુષ થયા છે, તેમાં શ્રી હરિભદ્રાચાર્ય કેઈ અનેરી ભાત પાડનારા વિલક્ષણ સંત તત્ત્વજ્ઞ થઈ ગયા; સર્વ દર્શનનો સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંત દષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક જ્યોતિધર આર્ષ દષ્ટા થઈ ગયા. વિક્રમના આઠમા નવમા સૈકામાં થઈ ગયેલા આ યાકિની મહત્તા સૂન' તરીકે સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિના જીવન સંબંધી જે અતિ અપ માહિતી શ્રી પ્રભાવચરિત્ર આદિ પરથી આપણને ઉપલબ્ધ થાય છે તે પ્રમાણે– તેઓશ્રી ચિત્રકૂટના ( ચિત્તોડના ) નિવાસી સર્વશાસ્ત્ર પારંગત મહાપંડિત બ્રાહ્મણ હતા; અને ત્યાંના રાજા જિતારિના સંમાનિત પુરેડિત હતા. તે ચતુર્દશ વિધાસ્થાનમાં પ્રકર્ષને પામેલા હતા, પણ તેમને પોતાની વિદ્યાને મદ ચડ્યો હતો. પિતાને કલિસકલગ્નપણે માનતા આ ઘમંડી વિષે દુતર પ્રતિજ્ઞા કરી હતી કે “અત્રે જેનું કહેવું હું ન સમજી શકે, તેને હું શિષ્ય થઈ જાઉં, ' આમ દ્વિજ શ્રેષ્ઠ હરિભદ્ર પુરહિત અભિમાની છતાં સરલતાની મૂર્તિ અને સત્યતત્ત્વગવેષક હતા. એક દિવસ તે મહાપંડિત કે ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા, ત્યાં એક “યાકિની” મહત્તરા નામના વૃદ્ધ સાધ્વીજીને નીચેની ગાથાનો મધુર સ્વરે પાઠ કરતાં તેણે સાંભળ્યા "चक्की दुगं हरिपणगं पणगं चक्कोण केसवा चक्क । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य ।।" Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આ ગાથાને અથ બેસાડવા હરિભદ્ર ઘણુ મથ્યા, પણ કાંઈ ઘડ બેઠી નહિ. એટલે તેમણે પાસે જઇને ઉપહાસમાં વૃદ્ધાને પૂછ્યું-અહા ! માજી ! આ તમે ચિક્ ચિક્ શુ કર્યુ ? ત્યારે ગિનીએ જવાખ આપ્યું-બેટા ! નવુ લિ'પેલુંચિક્ ચિત્ થાય. ‘નવહિત વિવિાયતે । ' ( અર્થાત્ બ્ય*ગમાં તું પણ નવા નિશાળીએ છે, શિખાઉ અણુઘડ છે, એટલે આ બધું તને ચિક્ ચિક્ લાગતું હશે, પણ તેમ નથી. ) આવા માર્મિક ઉત્તરથી ઉપહાસ કરવા ગયેલા હરિભદ્રના ઉપહાસ થઇ ગયા ને તે ચાટ પડી ગયા. એટલે ચમત્કાર પામેલા સત્યપ્રતિજ્ઞ સરલાઝ્મા હરિભદ્રં વિનમ્ર બની વિનયથી પૂછયુ-અહે। માતાજી ! તમે જે આ પાઠ કર્યા તેના અથ આપ સમજાવે, હું તે અ સમજતા નથી, હું આપને શિષ્ય છું. ત્યારે પવિત્ર સાધ્વીજીએ કહ્યું-હે ભદ્રે ! પુરુષને શિષ્ય કરવાને અમારે। આચાર નથી, પણ ત્હારી જિજ્ઞાસા હોય તે। તું અમારા ધર્માંચા પાસે જા. એટલે હરિભદ્ર પુરોહિત જિનભટાચાર્ય પાસે જઇ તેમને સમસ્ત નિવેદન કરી તેમની પાસે દીક્ષિત થયા. પછી તે। જિનદનરૂપ પારસમણુના સ્પર્શ થતાં, સત્યતત્ત્વપરીક્ષક હરિભદ્રને આત્મા તેના રંગથી હાડાહાડ ર'ગાઇ ગયા આમ જેના નિમિત્તથી પેાતાનેા આ જીવનપલટા થયા, અને પરમ ધબીજની પ્રાપ્તિરૂપ પરમ ઉપકાર થયા, એવા તે યેાગિની ‘યાકિની' મહત્તરાને પોતાને સદ્ધર્મ સંસ્કારરૂપ ધમ જન્મ આપનારા, સાચા પરમાર્થ ‘દ્વિજ' બનાવનારા પેાતાના ધર્મમાતા માની, કૃતજ્ઞશિરામણિ હરિભદ્ર પેાતાને યાકિની મહત્તાસૂ નુ * તરીકે ઓળખાવવા લાગ્યા, અને પેાતાની અમર કૃતિઓમાં પણ તે પુણ્ય સ્મૃતિ તેમણે જાળવી રાખેલી અદ્યાપિ દૃશ્ય થાય છે. કુશાગ્રબુદ્ધિના સ્વામી હરિભદ્ર અલ્પ સમયમાં સમસ્ત જિનાગમના પારગામી થયા ને તેને ચાગ્ય જાણી ગુરુએ સ્વપદે સ્થાપન કર્યાં. • તેમના એ ભાણેજ હંસ અને પરમહંસે તેમની સમીપે દીક્ષા લીધી. પ્રમાણુશાસ્ત્રમાં પારગત આ બે મહાબુદ્ધિમાન્
Page 36
શિષ્યા, ગુરુની અનુજ્ઞા નહિ છતાં, બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રાના અભ્યાસાથે ગુપ્ત વેષે બૌદ્ધ નગરે ગયા. ત્યાં પાછળથી ખબર પડી જતાં બૌદ્ધોએ હંસને હણી નાંખ્યા, પણ પરમહંસ નાસી છૂટી માંડ ગુરુ પાસે પહોંચ્યા, અને હકીકત નિવેદન કરતાં તે પણ વિભેદથી મરણ પામ્યા એટલે આવા એ ઉત્તમ શિષ્યરત્નાના વિરહથી શેકનિમગ્ન થયેલા હરિભદ્રસૂરિને ક્ષણિક આવેશરૂપ કાપ વ્યાપે છે; પણ તેમના ગુરુએ પાઠવેલી ઝુળસેળ શિલમ્મા' ઇ. ત્રણ ગાથાથી તેનું તત્ક્ષણુ શમન થાય છે, અને તેમને પેાતાના ક્ષણિક આવેશરૂપ કાપના પારાવાર પશ્ચાત્તાપ થાય છે અને પ્રાયશ્ચિત્ત યાચે છે. પછી શિષ્યસ'તતિને વિરહ જેને વેદાતા હતા અને આવા દુઃખમય સસારસ્વરૂપ પ્રત્યે તીત્ર વૈરાગ્યથી જે ‘ભવવરહ' ગવેષતા હતા, એવા આ ભાવિતાત્મા મહામુમુક્ષુ તીવ્ર સંવેગરગી શ્રી હરિભદ્રાચાય શાસ્ત્રસ'તતિ ’ના અતુલ પરમ આશ્ચય કારી પુરુષાર્થથી પ્રવૃત્ત થયા. ગુરુએ જે ત્રણ સર્જનાર્થે અનુપમ ખીજભૂત ગાથા ७ 4 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મેલી હતી તે પરથી તેમણે વિસ્તારથી સંગરંગતરંગિણ સમી સમરાઈશ્ચકહા” (સમરાદિત્ય કથા) રચી, અને તદુપરાંત માત્ર માનસિક કે પાશના પ્રાયશ્ચિત્ત અર્થે આ પરમ ભવભીરુ મુમુક્ષુ મહાત્માએ ૧૪૦૦ પ્રકરણ ગ્રંથનું અનન્ય સર્જન કર્યું ! પિતાને વેદાયેલો સશિષ્યવિરહ, અને પિતે ઝંખેલો ભવવિરહ તેમણે પિતાની ચિંરજીવ’ શાસ્ત્રસંતતિમાં “વિરાડ” અંકથી અમર કરેલે દશ્ય થાય છે. દા. ત. મવરવર દિ ને સેવ સારું' અથવા આ જ ગ્રંથમાં “ભારવિહેળો,' તેમણે સર્વથા જર્જરિત મહાનિશીથ શાસ્ત્રનો જીર્ણોદ્ધાર કર્યો. (હજુ સુધી તેમના લગભગ ૭૫ જેટલા ગ્રંથે જ ઉપલબ્ધ થયા છે.) આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશસ્કાયમાં જરામરણજન્ય ભય લાગતું નથી એવા સુકૃતી કવિઓ જયવંત છે,’ ‘નાત્તિ ચેષ : રામાનં મયં ' એ શ્રી ભતૃહરિની ઉક્તિ આ આષ દષ્ટા સંત કવિની અમૃતવાણી સંબંધમાં અક્ષરશ: સાચી પડે છે. ચૌદસ (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ “યાકિનીમહત્તરાસૂનુ” હરિભસૂરિ, સાડા ત્રણ ક્રોડ કલેકપ્રમાણુ સાહિત્યના સર્જક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary giant) થઈ ગયા, વિરાટ (Collosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ (Seer, great sage ) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં ગૂંજતો એમને દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃતમાધુરીથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસજલનિધિ એવો આ હરિભદ્રસૂરિને દિવ્ય નાદ અખૂટ રસવાળો અક્ષયનિધિ છે; આ દિવ્ય ધ્વનિ આ આર્ષ દષ્ટાના અંતરાત્માને નાદ છે, એમાં પદે પદે નિર્ઝરતી પર શ્રતભક્તિ એમના પરમ ભક્ત હૃદયનું પ્રતિબિંબ પાડનારૂં દર્પણ છે. સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક ગ્રંથ આ મહાનિગ્રંથ મુનીશ્વરનું અદ્ભુત ગ્રંથનિમણુકૌશલ્ય દાખવે છે. વળી એમને આશય તે એટલે બધે પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. કારણકે તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન ને અનન્ય તત્વચિંતન ઉપરાંત ઉત્તમ આત્માનુભવનું સમર્થ પીઠબળ રહ્યું છે. એટલે આવા ઉચ્ચ યોગદશાને પામેલા મહાત્માની કૃતિનો આશય યથાર્થપણે અવગાહી પ્રગટ કરે, તે તે તેમના જેવી ઉચ્ચ આત્મદશાને પામેલા મહાત્મા ગીશ્વરેનું કામ છે. તેઓ જ તેને યથાયોગ્ય ન્યાય આપી શકે, તેઓ જ તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકે, સાચા રત્નની પરીક્ષા નિપુણ રત્નપરીક્ષક જ કરી શકે; કારણ કે સાગરવરગંભીર આશયવાળા સૂત્રાત્મક સંક્ષેપથી ગ્રંથ ગૂંથવાની અનન્ય કલામાં સિદ્ધહસ્ત શ્રી હરિભદ્રાચાર્યજીએ, અન્ન અદ્ભુત સમાસશક્તિથી બિન્દુમાં પ્રવચનસિંધુ સમાચૅ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ “ એક ખુંદજળથી એ પ્રગટયા, શ્રુતસાગર વિસ્તારા; ધન્ય જીનાને ઉલટ ઉદધિકુ', એક બુંદમે ડારા ”—શ્રી ચિદાન‘દજી. ?? ૫૫ એટલે આવા આશયગભીર પ્રવચનસિધુમાંથી અંરત્ના ખેાળી
Page 37
કાઢવાનું કામ ઊ'ડી વિચાર હૂખકી મારનારા અવગાહક વિવેચકોનું છે. ‘ત્રીસ્યામવીર્યવિષાર્થ ? આમ મતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ યાગદષ્ટિસમુચ્ચય ગ્રંથરત્નાકરમાં ‘સુમનેાન’દની ટીકા ’રૂપ ડૂબકી મારી અરને ખાળવાના યતકિચિત પ્રયત્ન કર્યાં છે, તે સુમન સજ્જનાના મનને આન'દિત કરે ! ગુણા જે કૈ ‘હ્યાં તે સકલ ગણુજો સંતજનના, અને દોષો કે તે સકલ પણ હું પામર તણા; કરી દાષા દૂરે સુગુણુ ચરજો હંસ સુમતિ ! અમી દૃષ્ટિ ધારી સુણી જ ભગવાનદાસ વિનતિ ૫, ચોપાટી રોડ, મુંબઈ, ચૈત્ર વદી ૫'ચમી, વિ. સ'. ૨૦૦૬ } ડો. ભગવાનદાસ મનસુખભાઇ મહેતા. એમ. બી. બી. એસ. Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદટ્રી ૫૬ યોગદષ્ટિસમુચ્ચયા ભેદ-પ્રભેદ શ્લોક-૨ થી ૧૦: -: ઇચ્છાયોગ આદિ ત્રણ યોગ : ઇચ્છાયોગ ઇચ્છાયોગ શાસ્ત્રયોગ સામર્મયોગ ધર્મસંન્યાસ સામર્મયોગ યોગસંન્યાસ સામર્થ્યયોગ અતાત્ત્વિક ધર્મસંન્યાસ સામર્થ્યયોગ તાત્ત્વિક ધર્મસંન્યાસ સામર્થ્યયોગ - પ્રવજ્યાયોગ્યતા-૧૬ - શ્લોક-૧૦ : ૧. આર્યદેશોત્પન્ન ૨. વિશિષ્ટજાતિકુલાન્વિત ૩. ક્ષીણપ્રાય કર્મલ ૪. ક્ષીણપ્રાય કર્મમલથી જ વિમલબુદ્ધિ ૫. અવગતસંસારર્નર્ગુણ્યા ૬. સંસારવિરક્ત ૭. પ્રતનુકષાય : ૮. અલ્પહાસ્યઆદિ ૯. કૃતજ્ઞ ૧૦. વિનીત ૧૧. રાજા-અમાત્ય-પૌરજનબહુમત ૧૨. અદ્રોહકારી ૧૩. કલ્યાણાંગ ૧૪. શ્રાદ્ધ ૧૫. સ્થિર ૧૬. સમુપસંપન્ન શ્લોક-૧૪ : -: સ્થિરયોગી આદિ યોગીની પરાર્થપ્રવૃત્તિનું સ્વરૂપ-૫: શુદ્ધબોધયુક્ત આગ્રહશુન્યતા મૈયાદિ પારતંત્ર્ય ચારિસંજીવની ન્યાયથી ગંભીર ઉદાર આશયયુક્ત Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૭ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી -: મિત્રાદષ્ટિ આદિ આઠના બોધનું સ્વરૂપ : શ્લોક-૧પ : તૃણાગ્નિકણસદેશ | કાષ્ઠાગ્નિકણસદશ રત્નપ્રભાસદેશ | સૂર્યઆભાસદશ ગોમયાગ્નિકણસદશ દીપપ્રભાસદશ તારાઆભાસદેશ ચંદ્રિકાઆભાસંદશ શ્લોક-૧૫: -: મિત્રાદષ્ટિના બોધનું સ્વરૂપ : તત્ત્વથી તૃણાગ્નિકણસદશ | સમ્યપ્રયોગકાલઅનવસ્થાયી | પહુસ્મૃતિબીજસંસ્કાર- વિકલપ્રયોગયુક્ત અલ્પવર્ય આધાનઅક્ષમ વંદનાદિ અભીષ્ટકાર્યઅક્ષમ શ્લોક-૧૫ઃ - તારાદષ્ટિના બોધનું સ્વરૂપ : ગોમયઅગ્નિકણસદશ પ્રયોગકાલમાં સ્મૃતિની અપટુતા વિશિષ્ટ સ્થિતિવીર્યરહિત સ્મૃતિના અભાવે પ્રયોગનું વૈકલ્ય હોવાથી તથા પ્રકારના કાર્યનો અભાવ શ્લોક-૧૫ : -: બલાદષ્ટિના બોધનું સ્વરૂપ - કાષ્ઠાગ્નિકણસદશ મનાકુ સ્થિતિવીર્ય પમાયસ્મૃતિ યત્નશસદ્ભાવ અર્થપ્રયોગમાત્ર પ્રીતિ શ્લોક-૧૫ઃ -: દીપ્રાદષ્ટિના બોધનું સ્વરૂપ : દીપકભાસદા | દીપપ્રભાસદૃશ પદ્ધતિક્ત પટુસ્મૃતિયુક્ત પ્રથમ ગુજરથાનાયક પ્રથમ ગુણસ્થાનકપ્રકર્ષ ઉદગ્રસ્થિતિવીર્ય ભાવયુક્ત હોવા છતાં દ્રવ્યવંદનાદિ શ્લોક-૧૫: -: સ્થિરાદષ્ટિના બોધનું સ્વરૂપ : રત્નપ્રભાસદેશ પ્રવર્ધમાન ન અપરંપરિતાપકૃત્ પ્રણિધાનયોનિ તદુભાવઅપ્રતિપાતિ નિરપાય પરિતોષહેતુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૫: -: કાંતાદષ્ટિના બોધનું સ્વરૂપ : તારાના પ્રકાશ સમાન | નિરતિચાર અનુષ્ઠાનયુક્ત | વિશિષ્ટ અપ્રમાદયુક્ત વિનિયોગપ્રધાન ગંભીર-ઉદાર સ્વભાવથી સ્થિત શુદ્ધ ઉપયોગાનુસારી આશયયુક્ત શ્લોક-૧૫: -: પ્રભાદષ્ટિના બોધનું સ્વરૂપ : સૂર્યઆભા સમાન| | અન્ય શાસ્ત્રો અકિંચિત્કર | | પરોપકારિતા અવંધ્ય સર્વદા ધ્યાનહેતુ | સમાધિયુક્ત અનુષ્ઠાન શિષ્યપ્રતિ ઉચિત સન્ક્રિયાયુક્ત અનુશાસનકારી શ્રેષ્ઠ પ્રશમયુક્ત પ્રાયઃ વિકલ્પશૂન્ય સાંનિધ્યમાં વૈરાદિનાશ શ્લોક-૧૫?
- પરાષ્ટિના બોધનું સ્વરૂપ : ચંદ્રચંદ્રિકાઆભા સમાન બોધ નિર્વિકલ્પ મન | નિરાચાર પદ અવંધ્ય સ&િયાયુક્ત સદા સદ્ધયાનંરૂપ ઉત્તમ સુખપ્રાપ્તિ ભવ્યતાનુસારે પરોપકારિતા શ્લોક-૧૫ઃ - આઠ દષ્ટિઓમાં સંવેગમાધુર્યની માત્રા : મસ્ચન્ડી વર્ષોલક ઇશુ રસ શ્લોક-૧૬: ગુડ કક્કબ ખાંડ શર્કરા - યોગાંગ : ધમ યમ આસન આસન પ્રત્યાહાર પ્રત્યાહાર પાન ધ્યાન | નિયમ પ્રાણાયામ ધારણા સમાધિ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શ્લોક-૧૬ઃ યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદાયી - આઠ દષ્ટિઓમાં ચિત્તના આઠ દોષોનો વિચ્છેદ - ખેદ | ક્ષેપ ભ્રાંતિ ગ, ઉદ્વેગ ઉત્થાન અન્યમુદ્દે આસંગ શ્લોક-૨૧ : -: પાંચ યમ : અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ શ્લોક-૨૧-૨૨ : - મિત્રાદષ્ટિવાળા યોગીના ગુણો - ઇચ્છાદિ અવસ્થાવાળા દેવકાર્ય-ગુરુકાર્ય અદેવકાર્યાદિમાં યોગબીજ અહિંસાદિ યમો વગેરેમાં અખેદ અદ્વેષ ઉપાદાન શ્લોક-૨૩-૨૪: -: મિત્રાદિ દષ્ટિઓ દેવ-ગુરુ આદિ વિષયક ચિત્ત : કુશલચિત્ત અકુશલચિત્ત સંશુદ્ધકુશલચિત્ત અસંશુદ્ધકુશલચિત્ત શ્લોક-૨૩ થી ૨૯ : - મિત્રાદિ દષ્ટિઓમાં પડતાં યોગબીજ : ૧. જિનેષુ કુશલચિત્ત ૮. ભવઉદ્વેગ ૧૫. ગ્રંથઉગ્રહ ૨. જિનનમસ્કાર ૯. ઔષધદાનાદિ અભિગ્રહપાલન ૧૬. ગ્રંથપ્રકાશના ૩. જિનપ્રણામ ૧૦. ગ્રંથલેખના ૧૭. સ્વાધ્યાય ૪.
Page 38
આચાર્યાદિમાં કુશલચિત્ત |૧૧, ગ્રંથપૂજના ૮. ચિંતના પ. આચાર્યાદિને નમસ્કાર ૧૨. ગ્રંથદાન ૧૯. ભાવના ૬. આચાર્યાદિને પ્રણામ ૧૩, ગ્રંથશ્રવણ ૨૦. બીજ શ્રુતિમાં સંવેગ ૭. આચાર્યાદિનું વૈયાવૃજ્ય [૧૪. ગ્રંથવાચના ૨૧. બીજ શ્રુતિઉપાદેયભાવ Page #61 -------------------------------------------------------------------------- ________________ 60 યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૩૭: -: ધર્મયોનિ - શ્રદ્ધા સુખા વિજ્ઞપ્તિ વૃત્તિવૃતિ) શ્લોક-૬૩-૬૪: શ્રદ્ધા સુખા વિવિદિષા વિજ્ઞપ્તિ -: ગુરુભક્તિથી પ્રાપ્ત ફળ : સાનુબંધ ધર્મપ્રાપ્તિ સમાપત્તિ આદિ ભેદથી તીર્થકરનું દર્શન તીર્થંકર નામકર્મબંધ ભાવતીર્થંકરપદપ્રાપ્તિ તીર્થંકર નામકર્મ વિપાક શ્લોક-૭૧ : - પદ - વેદ્યસંવેદ્યપદ અવેદ્યસંવેદ્યપદ નૈશ્ચયિક વેદ્યસંવેદ્યપદ વ્યવહારિક વેદ્યસંવેદ્યપદ શ્લોક-૭૬: -: ભવાભિનંદીનાં આઠ લક્ષણો : શુદ્ર લોભરતિ દિન મત્સરી ભયવાન શઠ અજ્ઞ નિષ્કલારંભી શ્લોક-૭૮ થી 84: -: અવેધસંવેધપરવાળા જીવોનું સ્વરૂપ : વિપર્યાસપ્રધાન ભવાભિનંદી અસચ્ચેષ્ટાયુક્ત હિતાહિતવિવેકઅંધ કન્યાકવિવેકહીન ધર્મબીજ વપનપ્રયત્નશૂન્ય વર્તમાનને જોનારા દુઃખમાં સુખબુદ્ધિ તુચ્છ સુખમાં આસક્ત શ્લોક-૮૫ : -: અવેધસંવેધપદ જીતવાના ઉપાય : આગમજ્ઞસત્સંગ આગમબોધ Page #62 -------------------------------------------------------------------------- ________________ 61 યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદાઢી શ્લોક-૮૫-૮૬-: -: અવેધસંવેધપદનું સ્વરૂપ : મહામિથ્યાત્વનિબંધન પશુ–શબ્દવા અંધભાવરૂપ શ્લોક-૮૭ : દુર્ગતિપાતકારી -: કુતર્કનાં લક્ષણો : બોધરોગ - શમાપાય શ્રદ્ધાભંગ અભિમાનકૃત્ શ્લોક-૮૮-૮૯ : -: સઅભિનિવેશના વિષયો - સમાધિ પરાર્થકરણ શ્રુત શ્લોક-૯૦: શીલ(પરદ્રોહવિરતિ) -: કુતર્કમાં થતા વિકલ્પ : શબ્દવિકલ્પ અર્થવિકલ્પ શ્લોક-૧૦૦: - અતીન્દ્રિય અર્થજ્ઞનાં લક્ષણો - યોગતત્પર આગમપ્રધાન શ્લોક-૧૦૧ઃ સચ્છાદ્ધ(પ્રાજ્ઞ) શીલવાન (પરદ્રોહવિરતિમાન) -: ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિના ઉપાયો - આગમ આગમ અનુમાન યોગાભ્યાસરસ શ્લોક-૧૧૦ : : દેવતત્ત્વની ભક્તિ - ચિત્રાભક્તિ અચિત્રાભક્તિ શ્લોક-૧૨૦ : -: બોધ : બુદ્ધિપૂર્વક જ્ઞાનપૂર્વક અસંમોહપૂર્વક Page #63 -------------------------------------------------------------------------- ________________ 22 યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૨૩: : સનુષ્ઠાનનાં છ લક્ષણો : સંપદાગમ જિજ્ઞાસા તજજ્ઞસેવા આદર શ્લોક-૧૪૨ ? કરણમાં પ્રીતિ અવિપ્ન : સજનોની ભાષા - અસંદિગ્ધ શ્લોક-૧૫૦ થી ૧૫રઃ સારયુક્ત પરાર્થકરણશીલ : સર્વમાન્ય ધર્મના 8 પ્રકારો: | દેવપૂજા | | તપોધનપૂજા પાપી પ્રત્યે કરુણા પરપીડાપરિહાર સદા પરોપકારવૃત્તિ | બ્રાહ્મણપૂજા | માતા-પિતાદિની પૂજા યતિપૂજા શ્લોક-૧૦૦: ભોગ : પ્રમાદકારી ભોગ શુદ્ધધર્મથી આપ્યભોગ શ્લોક-૧૧૧ : યોગ પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન: અલૌલ્ય કાંતિ આરોગ્ય અનિષ્ફરત | શુભગંધ અલ્પમૂત્રપુરીષ : નિષ્પન્નયોગીનાં 13 ચિહ્નો : પ્રસાદ સ્વરસૌમ્યતા શ્લોક-૧૬૧: 1. મૈત્રીઆદિયુક્ત ચિત્ત 2. વિષયો પ્રતિ અચેત 3. પ્રભાવવંત 4. ધૈર્યવંત 5. દ્વન્દ્ર વડે અધૃષ્યત્વ 6. અભીષ્ટ લાભ 7. જનપ્રિયત્ન 8. દોષવ્યપાય 9. પરમ તૃપ્તિ 10. ઔચિત્ય યોગ 11. ગુવ સમતા 12. વૈરાદિનાશ | 13. ઋતંભરા બુદ્ધિ Page #64 -------------------------------------------------------------------------- ________________ 63 યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૭૫ : :અસંગઅનુષ્ઠાનનું સ્વરૂપ : મહાપથપ્રયાણ.
અનાગમિપદાવહ (નિત્યપદપ્રાપક) સ–વૃત્તિપદ શ્લોક-૧૭૬: : અસંગઅનુષ્ઠાનનાં અન્ય દર્શન પ્રસિદ્ધ નામો : પ્રશાંતવાહિતા (સાંખ્યો) વિસભાગપરિક્ષય (બૌદ્ધો) : યોગીના 4 પ્રકારો - શિવવત્મ (શૈવો) ધ્રુવાધ્વ (મહાવ્રતી) શ્લોક-૨૦૮ : ગોત્રયોગી કુલયોગી પ્રવૃત્તચયોગી નિષ્પન્નયોગી શ્લોક-૨૧૦ : * કુલયોગી : ભાવકુલયોગી દ્રવ્યકુલયોગી શ્લોક-૧૨-૨૧૩ પ્રવૃત્તચક્રયોગીનાં 8 લક્ષણો : ઇચ્છાયમયુક્ત પ્રવૃત્તિમયુક્ત સ્થિરયમઅર્થી સિદ્ધિયમઅર્થી યોગાવંચક પામેલા ક્રિયાવંચક પામનારા ફલાવંચક પામનારા Page #65 -------------------------------------------------------------------------- ________________ OLD List HOLDEO DOWNGod અને જો SEA, )(x) છે ચાર્યજી પ્રણી વર્ષ શ્રી હીરભદાણ યોગદૈષ્ટિ ચર્મરચર્ય વિવેચન | પરા અનાસંગ પ્રભા મિત્રા અરોગ | પ્રવૃત્તિ અખેદ અદ્દલ ન પ્રતિપત્તિ પ્ત સમાધિ | આત્મ 1 terephef Dif મીમાંસા યોગ નિયમ જિજ્ઞાસા તારા :1 અનુદેગ સ્વભાવ 721911 - આસનો eleft+મ?" શુક્રયા અક્ષેપ શ્રવણ 'અભ્રાંતિ -અનુયાના અલા થિરા 1K 1} વિંગૂંચક: Ë,ભગવાનદાસ મનઃ રમુખભાઈ મહેતા inder safety similar and the Grenadi nes : Page #66 -------------------------------------------------------------------------- _ Page #67 -------------------------------------------------------------------------- ________________ જ * * พระอาจต้องจองพระองค์จะต้องเองงงงงงง ક ક *** કજ 37 નમઃ જિનાય. શ્રી હરિભદ્રાચાર્યજી પ્રત શ્રી યોગદષ્ટિસમુચ્ચય. સ વિ વે ચ ન 44440 4444 મંગલાચરણ ગતંત્રને નિકટવતી એવા ચગદષ્ટિસમુચ્ચયની વ્યાખ્યા પ્રારંભવામાં આવે
Page 39
છે. અને અહી શરૂઆતમાં જ આચાર્ય, શિષ્ટ સંપ્રદાયના પાલન અર્થે, વિદ્ધ-અંતરાયની ઉપશાંતિ અર્થે, અને પ્રજન આદિના પ્રતિપાદન અર્થે, લેકસૂત્ર ઉપન્યસ્ત (રજૂ) કરે છે - नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् / वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः // 1 // દેહરા (કાવ્યાનુવાદ) ઇચ્છાગે વીર જિન નમી, ગિગમ્ય અગર ગદષ્ટિ ભેદ કરી, કહું સંક્ષેપ યોગ, અર્થ એગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઇચ્છાગથી નમી, હું યોગ તે યોગદષ્ટિના ભેદે કરીને, સંક્ષેપથી કહીશ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય વિવેચન ગ્રંથપ્રારંભે મંગલ, પ્રજન, અભિધેય વિષય, સંબંધ આદિ કહેવા જોઈએ, એવી શિષ્ટ પ્રણાલિકા છે. તેને અનુસરીને આ શિષ્ટ આચાર્યો આ પ્રથમ કસૂત્ર રજૂ કર્યું છે. એટલે કે (1) શિષ્ટ સંપ્રદાયના પાલન માટે, (2) વિદનની ઉપશાંતિ માટે, (3) વિચારવંતની પ્રવૃત્તિ માટે, (4) પ્રયજન-વિષય-સંબંધ એ ત્રણ બતાવવા માટે આ ક–સૂત્રને ઉદ્દેશ છે. (જુઓ નીચે વૃત્તિ). તેમાં– અગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી',-એ ઉપરથી ઈષ્ટદેવતા સ્તવ (મંગલ) કહ્યુંઅને “ગ તેના દૃષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ',-એ ઉપરથી પ્રજનાદિ ત્રણ કહ્યા. આમ આ કલેક સૂત્રનો સમુચ્ચયાર્થ છે. વિશેષાર્થ આ પ્રકારે: श्रीहरिभद्राचार्यजीकृत वृत्तिनो अनुवाद : તેમાં (આ બ્લેક સૂત્રના ઉદ્દેશ આ પ્રમાણે છે:-) 1. શિષ્ટ જોને આ સંપ્રદાય છે કે–શિષ્ટો ક્યાંય ઈષ્ટ વસ્તુમાં પ્રર્વતતાં, ઈષ્ટ દેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે. આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નથી (શિષ્ટ જ છે), એથી કરીને તે સંપ્રદાયના પ્રતિપાલન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે “शिष्टानामेव समयस्ते सर्वत्र शुभे किल / પ્રવર્તત્તે સૈવેદવતાસ્તવપૂર્વમ્ !" ઇત્યાદિ. 2. તથા શાં િવવિદનારિ” શ્રેય કાર્યો બહુ વિનવાળા હોય છે. કહ્યું છે કે ___ “श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि / अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः // મહાજનોને પણ શ્રેય કાર્યોમાં ઘણાં વિબે હેય છે; અને અશ્રેયમાં પ્રવૃત્ત થયેલા જનોના વિબેઅંતરાયો તે ક્યાંય ચાલ્યા જાય છે ! અને આ પ્રકરણ તે સમ્યજ્ઞાનના હેતુપણાએ કરીને શ્રેયભૂત-કલ્યાણરૂપ છે. એથી કરીને વિબ મ હે” એટલા માટે વિન–અંતરાયની ઉપશાંતિ અથે. 3. તથા પ્રેક્ષાવ તેની-જોઈવિચારી વર્તનારા વિવેકીઓની પ્રવૃત્તિને અથે. 4. અને પ્રયોજન આદિના પ્રતિપાદન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે “સર્વે શાસ્ત્રનું અથવા કોઈ પણ કમનું જયાં લગી પ્રયોજનન કહેવામાં આવ્યું હોય, ત્યાં લગી તે કાનાથી ગ્રહણ થઈ શકે વાસ? અને અહીં જે અવિષય હોય તેનું પ્રયોજન કહેવું શક્ય નથી, જે વિષય હોય જ નહિં તેનું Page #69 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ અહીં “નમી’ એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિ–નમન (પરિણમન) થાય, સર્વ આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે–સર્વથા નમી પડે, ને મન-વચનભાવ - કાયા તદ્રુપ બને, એ સાચું “નમન” છે. એવો એક પણ સાચે નમસ્કાર થાય તો કેલ્યાણ થઈ જાય છે. આ અંગે કહ્યું છે કે - *" इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स। સંસાનસાગરો તારૂ ન વ નારી વા ”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર *एक्कोवि नमोकारो सम्मकतो सम्मभावतो चेव / તારે વઢોસ્ટમ નિમેળ EUR યુડીશ્રીહરિભદ્રસૂરિકૃતશ્રી ધર્મસંગ્રહણી ગા, 888 એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ; સાધ્યદષ્ટિ સાધકપણે રે, વદે ધન્ય નર તેહ...શ્રી સંભવ.”—શ્રી દેવચંદ્રજી અને શાસ્ત્રકારે પણ અત્રે તેવા જ પરમ ભાવથી નમસકાર કર્યો છે,–એ “ઇચ્છા અર્થાત–જિનવરવૃષભ = વર્ધમાનને (મહાવીરને) એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છે. અર્થાતસમ્યફભાવથી જ સમ્યફપણે કરવામાં આવેલું આ એક પણ નમસ્કાર અપાધપુલપરાવર્ત મધ્યે (અર્ધપુદ્ગલપરાવર્તાની અંદર) તારે જ છે, તે પછી સ્તુતિનું તો પૂછવું જ શું? (આવો અદ્ભુત છે મહિમાતિશય આ ભગવદ્ભક્તિન). આ
Page 40
અંગે વિશેષ જિજ્ઞાસુએ ભગવદ્ અને ભગવદ્ભક્તિના આવા અસાધારણ મહિમાતિશયનું અપૂર્વ ભક્તિઉલ્લાસથી દિવ્ય ગાન ગાતા પરમ ભાવિતાત્મા શ્રી હરિભદ્રાચાર્યજીના “લલિત વિસ્તરગ્રંથનું અવલોકન કરવું,–જે આ સંપૂર્ણ ગ્રંથ પર વિવેચનાત્મક “ચિહેમવિધિની ટીકા લખવારૂપ સ્વલ્પ ભકિત કુસુમાંજલિ અર્પવાનું સદભાગ્ય આ લેખક વિવેચકને પ્રાપ્ત થયું છે,–તે આ શ્રી હરિભદ્રાચાર્યજીની અમરકીર્તિગાથા ગાતો “લલિતવિસ્તરા ભક્તિયેગને અપૂર્વ ગ્રંથ છે. પ્રયજન કેમ કહી શકાય? કારણ કે કાગડાના દાંતની પરીક્ષા વગેરેની જેમ, તેના પ્રયોગની સિદ્ધિ થઈ શકતી નથી,-અસંભવ છે માટે. [આ “કાકદંત પરીક્ષા ન્યાય' કહેવાય છે. જ્યાં ક્યાંય અશક્ય, અસંભવ, નિરર્થક વાત હેય ત્યાં આ લાગુ પડે છે. આદિ શબ્દથી ‘પૂરું નાતિ તો રાણા' ઇત્યાદિ]. આનું આ ફલ’ એમ જે બેગ તે સંબંધ કહેવાય છે. અને તે કથનમાં—અભિધેય વિષયમાં અન્તર્ગત છે–સમાઈ જાય છે; એટલા માટે કોઈ તે સંબંધને જે કહેતા નથી, ઈત્યાદિ.” તેમાં—“નવેછાળતોડો ચૉન્ચિ વિનોત્તમમ્ વીરં - અયોગી, ગિગમ્ય, જિનેત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી,-એ ઉપરથી ઈષ્ટ દેવતાનું સ્તવ કહ્યું. Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય ગ” શબ્બી સૂચવ્યું છે. પ્રભુ પ્રત્યેની નમનક્રિયામાં પ્રધાનપણે જે અંતરંગ ઈચ્છા, સાચે નિષ્કપટ ભક્તિભાવ, પરમ પ્રેમ જોઈએ, તે તે અમને અવશ્ય છે, એમ એમને અંતરાત્મા સાક્ષી પૂરે છે, તેથી “ઈચ્છાયેગથી” એ શબ્દ બેધડકપણે કહ્યો છે. કારણ કે પ્રભુના પરમ અદ્ભુત ગુણથી રીઝી તેના પ્રત્યે પરમ પ્રેમ કુરતાં, પ્રિયતમ એવા તે પ્રભુ પ્રત્યે સહજ આત્મભાવે નમસ્કાર કરવાની તેમને સહજ ઈચ્છા થઈ આવી છે. “હષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” શ્રી આનંદઘનજી આ ઇચ્છાગ’ શબ્દ અત્રે હેતુપૂર્વક છે. એથી કરીને શાસ્ત્રોગ ને સામર્થ્યચગ-એ બે વેગને અપવાદ કર્યો છે. આ ગ્રંથકાર જેવા મહાત્મા, મહાશાસ્ત્રજ્ઞ, મહાસમર્થ ઇચ્છાગ 5. વેગી પુરુષ પિતાના માટે માત્ર ઈરછાયેગ’ એ શબ્દ જે છે, તે તેમની પરમ લઘુતા " સાથે પરમ ગંભીર ઉદાર આશયવાળી મહાનુભાવતા પ્રગટ કરે છે. કારણ કે, તેઓશ્રી કહે છે કે-તેવા શાસ્ત્રગ-સામર્થયેગનું તે મહારું અનધિકારીપણું છે, એટલે ખાસ ‘ઈરછાયેગ વચ્ચે સમાન ચો તમેિવત:ોગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ –એ ઉપરથી પ્રયોજન વગેરે ત્રણ કહ્યા. આમ ગ્લૅક સૂત્રને સમુદાય અર્થ છે, અને અવયવ અર્થ (પદેપદને છૂટો અર્થ) તો આ પ્રમાણે :નત્ય-નમીને, પ્રણમીને, વી-વીરને, પ્રણમીને એમ સંબંધ છે. કેવા પ્રકારે પ્રણમીને ? તે કેછાયોનર:-ઈચછાયોગથી, એવું ક્રિયાવિશેષણ કહ્યું,-એટલે કે જેમ ઈરછાયોગ હોય તેમ. આ વિશેષણ શાસૂગ અને સામર્થ્ય ગન વ્યવહેદ અથે (અપવાદ કરવા માટે) છે, અને તે યુગને અનધિકારીપણુએ કરીને આ વ્યવસછેદ-અપવાદ ઈષ્ટ છે. પ્રકરણ પ્રારંભે મૃષાવાદના ત્યાગ વડે કરીને, સર્વત્ર ઔચિત્ય આરંભવાળી (ઉચિત-યથાયોગ્ય) પ્રવૃત્તિના પ્રદર્શનાથે આ વ્યવહેંદ–અપવાદ કહ્યો છે. અને આ ત્રણેય ગોનું (ઈચ્છાયેગ, શાસૂગ અને સામર્થ્યયોગ) સ્વરૂપ હવે પછી તરત જ કહેશે. કેવા વિશિષ્ટ વીરને પ્રણમીને? તે માટે કહ્યું-વિનોત્તમ જિનોત્તમને, એવું વસ્તુવિશેષણ છે. અહીં રાગાદિના જેતાપણાથી (જીતનારપણાથી) સર્વેય વિશિષ્ટ કૃતધર આદિ જિન કહેવાય છે. જેમ કે-ઋતજિને, અવધિજિને, મન:પર્યાયજ્ઞાન જિનો, અને કેવલિ જિને. તેમાં તે વીર કેવલિપણાને લીધે અને તીર્થંકરપણાને લીધે ઉત્તમ છે. આ “જિનેત્તમ” વિશેષણ ઉપરથી ભગવંતની તીર્થંકર નામકર્મના વિપાક ફલરૂપ એવી પરમ પરાર્થે સંપાદન કરનારી કર્મકાય અવસ્થા કહી. તથાભવ્યતવથી આક્ષિપ્ત (આકર્ષાયેલ) વર બધિલાભ જેની અંદર હોય છે, એવા અહંદવાસથથી ઉપાર્જન કરેલ અનુત્તર પુયસ્વરૂપ તે તીર્થંકરનામકમને વિપાક હોય છે. આને જ વિશેષણ આપે છે– અયોગ એવા વીરને. શાવવામન જર્મ ચો: મન-વચન-કાયાનું કમ તે યોગ છે. જેને યોગ વિદ્યમાન નથી, તે અગ,-એવા તે વીરને. અને આ ઉપરથી ભગવંતની-શૈલેશી અવસ્થાના ઉત્તરકાળે હોનારી, સમસ્ત
Page 41
કર્મના દૂર થવારૂપ, તથાભવ્યત્વના પરિક્ષયથી ઉદ્દભવેલ પરમ જ્ઞાનસુખરૂપ લક્ષણવાળી, અને કૃતકૃત્યતાથી નિષ્કિતાર્થ સ્વરૂપ એવી પરમ ફલરૂપ તવકાય અવસ્થા કહી. એટલા માટે જ કહ્યું - Page #71 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શબ્દથી જે તેને અપવાદ ન કરું અથવા તેનાથી હારું યુક્તપણું કહું, તે રખેને મૃષાવાદ-અસત્ય ભાષણ થઈ જાય; અને તે તે હારે કરવું યોગ્ય નથી, દુરથી પરિહરવું છે, નહિં તો વગર વિચાર્યું એક પણ અસત્ય વચન ઉચ્ચારું તે મહારું “મુનિમણું” કેમ રહે? એટલા માટે એ શબ્દપ્રયોગ કર્યો છે, તે ઉચિત જ છે, ઔચિત્ય પ્રવૃત્તિરૂપ જ છે; અને સર્વ સ્થળે આત્માથી મુમુક્ષુએ ઉચિતપણે જ પ્રવર્તવું ગ્ય છે એનું ઉદાહરણ બતાવવા માટે આ કહેલ છે. જ્યાં જ્યાં જે જે જેમ ઘટે, ઉચિત હોય, ત્યાં ત્યાં તે તે તેમ સમજવું અને આચરવું, તેનું નામ ઔચિત્ય અથવા ઉચિતપણું છે. કેવી અદ્ભુત નિર્માનિતા! કેવી ભવભીરુતા ! કેવી નિખાલસતા ! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આમ એક છાગ શબ્દ યોજીને ગ્રંથકાર મહર્ષિએ અત્યંત કુશળતાથી એકી સાથે અનેક હેતુ ગર્ભિતપણે સૂચવ્યા છે. (1) ઈચ્છાપ્રધાનપણથી પરમ પ્રીતિયુક્ત ભક્તિ બતાવી. (2) ઈચ્છાગના લક્ષણ પ્રમાણે પિતાનું સમ્યગદષ્ટિ સહિત શ્રુતજ્ઞાનીપણું સૂચવ્યું. (3) તે ઉપરથી યોગદષ્ટિશાસ્ત્ર ગુંથવાનું પોતાનું અધિકારીપણું ધ્વનિત કર્યું. (4) શાસ્ત્રગ ને સામર્થયેગનું પોતાનું અનધિકારીપણું નિખાલસપણે કહી, પિતાની પરમ લઘુતાનો, નિર્દભ સરળતાને ને પરમાર્થ સત્ સત્યવાદિતાને પરિચય કરાવ્યો. (5) સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને દાખલે બેસાડી બીજાને તેમ કરવાને બંધ કર્યો. સોન્ચેિ –ચોગિગમ્યુને. યેગીઓને ગમ્યુ તે ગિગમ્ય, એવા તે વીરને. યોગીઓ અત્રે ઋતજિન આદિ ગ્રહ્યા છે. આ ઉપરથી વળી અગી (એગી નહિ એવા) મિથ્યાદષ્ટિએને ભગવંતના ગમ્યપણને વ્યવછેદ કહ્યો (નિષેધ કચે). કારણ કે એની જિજ્ઞાસાનું પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં હોવાપણું છે, એટલે અન્ય સમયે તેની અનુપત્તિ છે (તે ઘટતું નથી). અને– વીરં–વીરને, આ અન્વથ સંજ્ઞા છે, (શબ્દના બરાબર અર્થ પ્રમાણે નામ છે). મહાવીર્યવડે વિરાજનથી, તપ વડે કર્મના વિદ્યારણથી, કષાય આદિ શત્રુઓના જયથી અને કેવલશ્રીના સ્વયંગ્રહણથી જે વિક્રાંત-પરાક્રમવંત તે વીર, એવા તેને. આમ આ ઉપરથી, અન્યને અસાધારણ એવા યથાભૂત-જેવા છે તેવા ગુણોનું ઉત્કીર્તન એ ભાવસ્તવનું સ્વરૂપ હોવાથી–-ઇષ્ટદેવતા સ્તવ કહ્યું. અને ગુણથી ઇષ્ટપણું ભગવંતના ગુણપ્રકર્ષરૂપપણુથી (અતિશયવંતપણાથી) છે, અને દેવતાપણું પરમ ગતિની પ્રાપ્તિથી છે. વચ્ચે સમાન ચોવં તદમેિવત :–ોગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ,-એ ઉપરથી પ્રોજન વગેરે ત્રણ કહ્યા. કેવા પ્રકારે ? તે કહેવામાં આવે છે : વ -કહીશ, ચો-મિત્રા આદિ લક્ષણવાળો યોગ, Page #72 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય આમ અત્રે નમસ્કાર કરી, શ્રી વીર ભગવાન કેવા છે? એનું યથાર્થ સ્વરૂપ દર્શાવતા વિશેષણ અહીં જ્યાં છે. આ વીર ભગવંતને (1) જિનોત્તમ, (2) અગ, (3) ગિગમ્ય એ ત્રણ વિશેષણ આપ્યા છે, તેનું યથાર્થ પણું આ પ્રમાણે - જિનેત્તમ–જિનમાં જે ઉત્તમ છે. રાગ-દ્વેષ-મહ આદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે તે જિન (અરિહંત-વીતરાગ) કહેવાય છે. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટપણા પ્રમાણે તે જિનના-કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાન જિન, કેવલી જિન-એમ ભેદ છે. અને તેમાં પણ વીર ભગવાન ઉત્તમ-ઉત્કૃષ્ટ–સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તે કેવલી છે, તેમ જ તીર્થંકર પણ છે. તે તીર્થકર પદપ્રાપ્તિનો ઉપક્રમ આ પ્રકારે છે :-જીવની તથારૂપ યોગ્યતાથી (તથાભવ્યતાથી) આકર્ષાઈને ઉત્તમ બધિબીજ તેમને પૂર્વજન્મમાં પ્રાપ્ત થયું અને ત્યારે અભક્તિ-પ્રવચન વાત્સલ્ય વગેરે ઉત્તમ સ્થાનકેની તેમણે ઉત્તમ સેવના કરી, ઉત્કૃષ્ટ આરાધના કરી. તથા “આ મેહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશવડે કરીને
Page 42
આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાયોગપણે પાર ઉતારું, હું આ સર્વ જીવને સદ્ધર્મશાસન-રસિક કરુ એવા પ્રકારે તે વ૨ બોધિ પામેલે “બોધિસત્વ” ભાવના ભાવે છે. અને પછી “કરુણું” વગેરે ગુણથી સમાન-સમાસથી, સંક્ષેપથી –વિસ્તારથી તે પૂર્વાચાર્યોથી જ ઉત્તરાધ્યયન-યોગનિર્ણય આદિમાં કહેવામાં આવ્યો છે. તમેિવત –તે યોગદષ્ટિના ભેદથી. તેમાં અત્રે સંક્ષેપથી યોગકથન તે કર્તાનું અનંતર પ્રયોજન છે, પરંપરા પ્રયોજન તો નિર્વાણ જ છે, કારણ કે શુદ્ધ આશયથી આ તેવા પ્રકારની સત્વહિત પ્રવૃત્તિ છે, અને આ સહિત પ્રવૃત્તિ નિર્વાણના અવંધ્ય-અચૂક બીજરૂપ છે. અભિધેય કહેવાનો વિષય ગ જ છે, સાધુ-સાધનરૂપ લક્ષણવાળે તે સંબંધ છે. એમ આ માર્ગ ક્ષણુ છે,-સારી પેઠે ખૂંદાયેલે–ખેડાયેલ-જાણીતું છે. અને શ્રોતાઓને અનંતર પ્રયોજન તે પ્રકરણના અર્થનું પરિજ્ઞાન છે; પરંપરા પ્રયજન તે એઓનું પણ નિર્વાણ જ છે, કારણ કે પ્રકરણને અર્થના પરિજ્ઞાનને લીધે ઔચિત્યથી–ઉચિતપણુથી અત્રે જ પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ પણ નિર્વાણના અવંધ્ય–અમોધ બીજરૂપ હોય છે. “मोहान्धकारगहने संसारे दुःखिता बत / सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि // अहमेतानतः कृच्छ्राद्यथायोगं कथंचन / अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः / / करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा / तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः / / तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्वमवाप्नोति परं सत्वार्थसाधनम् // " શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિન્દુ. Page #73 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ યુક્ત એ તે પરમ કૃપાળુ મહામતિ, સદા પરાર્થવ્યસની-પરોપકારનો બંધાણી બની, તેમ જ પ્રવૃત્તિ કરે છે. અને તેમ કરતાં તેને મહદય-પરમ પુણ્યરાશિ ને ગુણરાશિ વર્ધમાન થત જાય છે. આમ તે તે કલ્યાણગવડે પ્રાણીઓ પ્રત્યે પરોપકાર કરતાં તે તીર્થકરપણું પામે છે, કે જે તીર્થકર પણું જીવન પર પકારનું પરમ સાધન છે.” ભક્તશિરોમણિ મહાત્માઓ ગાઈ ગયા છે કે - “ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; રે ભવિકા! સિદ્ધચક્રપદ વદ.”—શ્રીયશવિજયજી-(શ્રી શ્રીપાળરાસ) “ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇંદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વીશની સેવના. અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવને એવી ભાવતા; સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉદ્ભસી.” શ્રીદેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા આવા તીર્થંકરનામકર્મને જ્યાં ઉદય છે, એવી કર્મકાય અવસ્થાનું એટલે કે કર્મ જન્ય સાકાર દેહધારી સગી અવસ્થાનું આ “જિનેત્તમ” વિશેષણથી ગ્રહણ કર્યું છે. અને આ દેહધારી અવસ્થા છતાં, ભગવાનની સહજાન્મસ્વરૂપ સ્થિતિવાળી પરમ જ્ઞાનદશા એવી તે અપૂર્વ હોય છે કે જાણે તેઓ દેહાતીત વર્તતા હોયની! દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અયોગ-મન-વચન-કાયાનું કર્મ તે યોગ છે. જેને તે યોગ નથી તે અયોગ છે. આ વિશેષણ ઉપરથી ભગવાનની તસ્વકાય અવસ્થાનું એટલે કે શુદ્ધ આત્મતત્વ માત્ર જ જેની કાયા છે એવી સિદ્ધ અવસ્થાનું ગ્રહણ કર્યું. આ શુદ્ધ આત્મતત્તવમય અગ અવસ્થા, શૈલેશીકરણ પછી તરત જ ઉપજે છે; અને ત્યારે તેમાં સમસ્ત કર્મ દૂર થઈ ગયા હોય છે, તથાભવ્યત્વના પરિક્ષયથી પરમ જ્ઞાનસુખ ઉપર્યું હોય છે. સમસ્ત કૃત્ય કરી લીધાં હોવાથી ત્યાં કૃતકૃત્યતા અનુભવાય છે, અને મેક્ષરૂપ પરમ ફલની પ્રાપ્તિથી તે નિષ્કિતાર્થરૂપ-સિદ્ધદશારૂપ હોય છે. આવી નિષ્કર્મ, નિરાકાર, નિષ્કલ શુદ્ધ આત્મતત્વમય દશા “અગ' વિશેષણથી સૂચવી ભગવાનના સિદ્ધપદની સ્તુતિ કરી. શૂરપણે આતમ ઉપયેગી, થાય તિણે અગી રે.”—શ્રી આનંદઘનજી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગદષિસસુચય ગિગમ્ય—અને એવા તે અાગી ભગવાન ગીઓને-સમ્યગજ્ઞાનદષ્ટિવાળા પુરુષને જ ગમ્ય છે, પામી-જાણી શકાય એવા છે જેગી એટલે જેને સમ્યમ્ જ્ઞાનદષ્ટિ ઉઘડી છે એવા શ્રતજિન વગેરે સમજવા. પણ જે હજુ યેગી નથી થયા એવા યોગિગય અગી મિથ્યાદષ્ટિને તો તે ગમ્ય છે જ નહિ; કારણ કે એના સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે,
Page 43
બીજા સમયે ઉપજતી નથી, તો પછી એ જિનેશ્વરના સ્વરૂપને ઓળખવા-જાણવાની વાત તે ક્યાંય દૂર રહી. આમ સમ્યગદષ્ટિ ભેગીઓને જ તે ગમ્ય હેઈ, ગિગમ્ય” વિશેષણ કહ્યું.+ એવા ભગવાન “વીર” છે. આ અન્વર્થ નામ છે, એટલે કે “વીર’ શબ્દની વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાચા કે વીર' છે, કારણ કે તે વીર ભગવંત પરમ આત્મવીર્યથી વિરાજમાન છે; તપ વડે તેમણે કર્મનું વિદારણ વીર કર્યું છે, કષાય વગેરે અંતરંગ વૈરીઓ ઉપર વિજય મેળવ્યું છે, અને એવા પરમ પરાકમવંતને ઉત્તમ ગુણથી રીઝીને કેવલલક્ષ્મી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંત-આત્મપરાકમવંતના સમસ્ત લક્ષણ હોવાથી, ભગવંતને “વીર નામ બરાબર છાજે છે. કારણ કે “વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે. કામ વીર્ય વશે જિમ ભોગી, તિમ થયે આતમભોગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, જીત નગારૂ વાણું રે.”—શ્રી આનંદઘનજી. શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહ રિપુ જીતી જય પડહ વાયો.”–શ્રી દેવચંદ્રજી. " नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे / ગતે યોનિનાથ મહાવીરાય તા િ.”—શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત શ્રીયોગશાસ્ત્ર, + વૃત્તિમાં પદે પદ વિવરીને તેનો યથાનક્રમે અવય સંબંધ બતાવવાની શ્રીમાન આ કથનશૈલી મનન કરવા જેવી છે, અને અભ્યાસી વિદ્યાથીને બહુ ઉપયોગી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ એકે એક અક્ષર તેલી તોલીને-માપી માપીને ચા છે, ઊંડા તત્વચિંતનપૂર્વક લખ્યો છે, તેને કાને માત્રા પણ સપ્રયોજન છે. એટલે આ કથનપદ્ધતિ લક્ષમાં રાખી ધીરજથી સ્વસ્થપણે–શાંતપણે જેમ જેમ આ સતશાસ્ત્રનો આશય “ચાવી ચાવીને વાંચવા-વિચારવામાં આવશે, તેમ તેમ અધિક આનંદ થશે, એવી સામાન્ય સૂચના છે. અને આ વૃત્તિને આશય પણ અત્રે પ્રત્યેક શ્લેકના વિવેચનના પ્રારંભે પ્રાયઃ પ્રથમ પારિગ્રાફમાં વણી દીધે છે અને પછી તે ઉપર સ્ફટ વિવેચન કર્યું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ ઈષ્ટદેવસ્તવ–આમ આવા વીરને નમસ્કાર કરી અત્રે શાસ્ત્ર પ્રારંભે મંગલરૂપ ઈષ્ટ દેવતાનું ભાવસ્તિવ કહ્યું, કારણ કે અન્યને સાધારણ નહિં એવા અસાધારણ-અનન્ય યથાભૂત ગુણોનું સંકીર્તન કરવું તે ભાવતવ કહેવાય છે; અને અત્રે પણ ભગવાનને ઈષ્ટદેવ સ્તવ જેવા છે તેવા ગુણવાચક વિશેષણ વડે ઈષ્ટ દેવનું ભાવસ્તવ કર્યું છે. આમાં ભગવાનનું ઈષ્ટપણું અતિશયવંત એવા પરમેત્તમ ગુણગણને લીધે છે, અને દેવતાપણું પરમ દિવ્ય ગતિની–મુક્તિની પ્રાપ્તિને લીધે છે. આમ ભગવાન ખરેખરા “ઈષ્ટ દેવ” છે. તેમજ મોક્ષસુખના કારણરૂપ આ યોગદષ્ટિ પણ આ વીર પ્રભુએ ઉપદેશી છે, તે ઉપકારની સ્મૃતિ અર્થે પણ અત્રે તે ભગવાનને નમસ્કાર કર્યો છે. “શિવસુખ કારણ ઉપદિશી, ગત અડ દિઠ્ઠી રે; તે ગુણ થણી જિન વીરન, કરશું ધર્મની પુઠ્ઠી રે........વીર જિનેસર દેશના.” –શ્રી યશોવિજયજીકૃત યોગદષ્ટિસઝાય -11 પ્રજનાદિ આમ મંગલાચરણ કરી અહીં પ્રજન, વિષય, સંબંધ એ ત્રણ કહ્યા છે. અહીં કહેવાને વિષય ગ જ છે. સાધ્ય-સાધનરૂપ તે સંબંધ છે. ગ્રંથકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રયજન સંક્ષેપમાં યોગનું કથન કરવું તે છે અને પરંપરા પ્રોજન (Remote, Ultimate) મેક્ષ છે, કારણકે શાસ્ત્રકાર શુદ્ધ આશયથી આ સત્ત્વહિતરૂપ પરોપકાર પ્રવૃત્તિ કરે છે, અને માન-પૂજા-કીતિ આદિ કામનાથી રહિતપણે કેવળ શુદ્ધ આત્માથે કરવામાં આવતી આવી શુદ્ધ પ્રવૃત્તિ મોક્ષના અવંધ્ય-અચૂક બીજરૂપ છે બીજ હોય તો કાળાંતરે ફાલીકૂલીને વૃક્ષ થાય, તેમ શુદ્ધ આશયથી કરવામાં આવેલી આ સન્શાસ્ત્રરૂપ પપકાર પ્રવૃત્તિના બીજમાંથી પરંપરાએ નિર્વાણ-મક્ષ ફળની અવશ્ય પ્રાપ્તિ એ શાસ્ત્રકારનું પરંપરા પ્રયજન છે. અને શ્રોતાઓનું અનંતર પ્રયોજન તો આ યોગ પ્રકરણના અર્થનું પરિજ્ઞાન થવુંસારી પેઠે સમજવું એ છે; એમનું પણ પરંપરાપ્રયેાજન તે મોક્ષ જ છે, કારણ કે પ્રકરણ અર્થના જ્ઞાનથી જેમ ઘટે તેમ ઉચિતપણે અત્રે જ યોગમાં પ્રવૃત્તિ હોય છે, અને આ ગપ્રવૃત્તિ
Page 44
પણ મોક્ષના અવંધ્ય-અચૂક બીજરૂપ છે, તેમાંથી પણ કાળાંતરે અવશ્ય મોક્ષરૂપ ફળ મળશે જ. “એહનું ફળ દેય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ ગતિ સુરમંદિર રે...... સુવિધિ જિનેસર” –શ્રી આનંદઘનજી Page #76 -------------------------------------------------------------------------- ________________ (10) ગદષ્ઠિસમુચ્ચય આમ ઈષ્ટ દેવતાનું સ્તવ કરી, અને પ્રજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવું પ્રાસંગિક કથવા કહે છે - इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते / योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः // 2 // ઇચ્છા આદિક યોગનું, કથાય આંહિ સ્વરૂપ; ઉપકારાર્થે યોગિના, પ્રસંગથી ફુટ રૂપ. 2, અર્થ –અહીં જ ઈચ્છા વગેરે યોગનું સ્વરૂપ, યોગીઓના ઉપકાર માટે, ગના પ્રસંગથી, વ્યક્તપણે સ્પષ્ટપણે કહેવામાં આવે છે. વિવેચન હવે અહીં ચાલુ વિષયમાં ઉપયોગી એવા યુગભૂમિકારૂપ-ગના હૃદયરૂપ ઇચ્છાગ શાસ્ત્રગ ને સામવેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે ગદષ્ટિઓને તેની સાથે નિકટને સંબંધ છે, તે દષ્ટિએ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસંગથી અને તેનું કથન આવશ્યક છે. એટલે તે કુલગી ને પ્રવૃત્તચક એ બે પ્રકારના યોગીઓના ઉપકારાર્થે કહ્યું છે, અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગોપ્યપણે, ખુલ્લેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્નસિદ્ધ યોગીઓને આથી ઉપકાર કે સંભવતો નથી. આ સ્વરૂપ જે કહ્યું છે તે યોગીજનોના ઉપકારને માટે છે, તેઓને યેગનું રહસ્ય-મર્મ કુલ યોગી આદિ જ અળસ જાણવારૂપ થાય તે માટે છે. અહી યેગીઓ એટલે કલગી ને પ્રવૃત્તચક એ બે કોટિના યેગીઓ સમજવા,-નહિં કે નિષ્પન્ન-સિદ્ધગીઓ; કારણ કે તેઓનું કાર્ય તે પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યું છે, તેઓ તે યુગનું હૃદય પામી વૃત્તિ –રૂદૈવ-અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂછાવાનાં-ઈચ્છા આદિ યોગનું-છાયેગ, શાસ્ત્રોગ, અને સામર્થ્યોગનું. એથી શું ? તે કે as wીમીયતે–સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તો કે– યોનિનામુવારા –ગીઓના ઉપકાર અર્થે. યોગીઓ અત્રે ઉલગીઓ અને પ્રવૃત્તચક્રગીઓ ગ્રહ્યા છે (જેનું લક્ષણ કહેવામાં આવશે), નહિં કે નિષ્પન્ન ગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારને અભાવ છે, એટલે તેમાંથી અન્ય એવા કલયોગી ને પ્રવૃત્તચકના ઉપકાર અથે. અને આ થકી ઉપકાર એટલે યોગના હૃદયને (રહને-મર્મને) બંધ તે છે. કેવી રીતે કહેવામાં આવે છે ? તે કે રચ-વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગોખપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું-યોગાસત્ત:-મિત્રા આદિ યુગના પ્રસંગથી. “પ્રસંગ” નામની તંત્રક્તિથી આક્ષિપ્ત-આકર્ષાઈને આ આવી પડેલું છે, એમ અર્થ છે. રોગોનું, ઇચ્છા Page #77 -------------------------------------------------------------------------- ________________ ઇરછાયાગાદિ (11) સિદ્ધહસ્ત યોગી બની ચૂક્યા છે, જેગ-ગિરિગ પર ગારૂઢ થઈ ગયા છે. એટલે તેવા તે મહાનુભાવોને આથી કાંઈ ઉપકાર થવાને અભાવ જ છે. પામેલાને પામવાનું શું ? ચઢેલાને ચઢવાનું શું ? જે કોઈને આથી ઉપકાર થવાને સંભવ હોય, તે સાધક દશાવાળા એવા કુલગીઓને અને પ્રવૃત્તચક યેગીઓને જ છે. “કુલગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે છે.” ગદષ્ટિ ગ્રંથ હિત હવે, તિણે કહી એ વાત છે.” આરોહે આરૂઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારી જી.” -શ્રી કે. દ. સક્ઝાય. આ ત્રણ પ્રકારના ગીઓનું સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ આગળ ઉપર વિસ્તારથી કહેવાના છે. પણ સંક્ષેપથી– “કુલગી એટલે જેઓ યેગીઓના કુલમાં જન્મ્યા છે, એટલે કે જન્મથી જ જે તે યેગીને ધમને પામેલા છે, જે જન્મથી જ ભેગી છે (Born Yogis) તે અને બીજાઓ પણ જે પ્રકૃતિથી ગી–ધર્મને અનુગત હોય છે, અનુસરનારા હોય છે, તે પણ કુલગી છે, બાકી બીજા નહિં. જ્ઞાનરૂપ અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મશાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહ્મરૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયં” ના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતોષરૂપ વનમાં કોકિલ સમાન મધુર ધ્વનિ કર્યા
Page 45
કરે છે અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે એવા ભેગીના * કુળમાં તે ગભ્રષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈત્યાદિ. સંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજકૃત જ્ઞાનેશ્વરી ગીતા. “ગીકુલે જાયે તસ ધર્મ, અનુગત તે કુલગી ; અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.” ઈત્યાદિ–શ્રી કે. દ. સઝાય. *" અથવા યોનિનામેવ સુજે માત ધનતામ્ | एतद्धि दुर्लभतरं लोके जन्म यदी दृशम् / / तत्र तं बुद्धिसंयोग लभते पौर्व देहिकम् / રાતે જ તતો મૂયઃ સંસિદ્ધ કુર્જર –ગીતા અ. 6. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ઇચ્છાગ શાસ્ત્રગ અને સામર્થ્યોગ ઈચ્છાગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે– कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः / विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते // 3 // ઇચ્છક કૃતજ્ઞ જ્ઞાનિને, પણ પ્રમાદ પસાય; વિકલ જે ધર્મરોગ તે, ઈચ્છાગ કથાય. 3. અર્થ –ધર્મ કરવાને ઇચ્છતા, અને આગમ-અર્થ જેણે શ્રવણ કર્યો છે એવા (કૃતાર્થ) જ્ઞાનીનો પણ, પ્રમાદને લીધે જે વિકલ–અસંપૂર્ણ ધર્મગ, તે ઈચ્છાગ કહેવાય છે. વિવેચન અહીં ઈચ્છાગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યું છે. જ્યાં ધર્મ કર્તવ્ય કરવાની સાચી અંતરંગ કૃત્તિ-સ્તુમિરો –કરવાના ઈચ્છુ-ઈચ્છક, તેવા પ્રકારના ક્ષપશમ ભાવથી નિર્ભાજપણે જનિર્દભપણે જ કરવાને ઇચ્છતા એવા કોઈને. આને જ વિશેષણ આપે છે. આ ચિક૬ધર્મ કરવાની ઈચ્છાવાળે કે વિશિષ્ટ હોય? તે કે તાર્થ –મૃતાર્થ, એટલે જેણે અર્થ-આગમ શ્રત કર્યું છે, શ્રવણ કર્યું છે એવો. કારણકે અર્થ શબ્દને અર્થ આગમ વચન છે, તે અને ત” આનાવડે કરીને તવ અર્થાય છે, શોધાય છે, એટલા માટે. આ મૃતાર્થ_શ્રુતજ્ઞાની પણ કદાચિત અજ્ઞાની જ હેય-ક્ષયોપશમના વિચિત્રપણાને લીધે. એટલા માટે કહ્યું - જ્ઞાનનોડજિ-જ્ઞાનીને પણ, અનુષ્ઠાન કરવા યોગ્ય–આચરવા યોગ્ય તત્ત્વાર્થપરમાર્થ જેણે જાણેલ છે, સમજેલ છે એવા જ્ઞાનીને પણ. એવા પ્રકારને હેતાં પણ શું? તો કે કમાવતઃ–પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, વિરા-વિકલ, કાળ વગેરે વિકલતાને આથી વિકલ–અસંપૂર્ણ, ધર્મચકા –ધર્મગ, ધર્મવ્યાપાર, -જે, વંદન આદિ વિષયી, રૂછાયોા ઉચત્તે તે “ઇચ્છાગ કહેવાય છે અને આનું ઈચ્છાપ્રધાનપણું તેવા પ્રકારે અકાલ આદિમાં પણ કરવા થકી છે. આ ઇચ્છાગ-શાસ્ત્રોગ-સામર્થ્યોગને વિષય એટલે બધે રસપ્રદ બધપ્રદ છે કે શ્રી હરિભદ્રાચાર્યજીએ પાસે આ અંગેના આ નવ શ્લેક પોતાની આ યોગદષ્ટિસમુરચય પછીની સંભવતી ઉત્તર કતિ-ભગવદ્ભક્તિનું અદભુત રહસ્ય પ્રકાશતી અમર કૃતિ “લલિત વિસ્તરામાં અવતાર્યા છે. જુઓ–આ લેખક વિવેચકે કરેલા ચિહેમવિધિની ટીકા નામક વિવેચન સમેત પ્રસિદ્ધ થયેલ આ શ્રી હરિભદ્રાચાર્યજીના અમર કીર્તિ કલશ સમો ભક્તિયોગનો અપૂર્વ ગ્રંથ લલિતવિસ્તા, Page #79 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાયોગ (13) ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે, તેનું નામ “ઈચ્છાગ” છે. તેવા ઈચ્છાયેગવાળો પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગજ્ઞાની હોય છે, પણ તેમ હોવા છતાં હજુ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખેડખાંપણવાળ-અસંપૂર્ણ છે. આમ ઈચ્છાગી પુરુષનાં મુખ્ય લક્ષણ આ છે -(1) ધર્મ કરવાની ઈચ્છા, (2) કૃતાર્થ-શ્રુતજ્ઞાનીપણું. (3) સમ્યજ્ઞાનીપણું, સમ્યગૃષ્ટિપણું. (4) છતાં પ્રમાદજન્ય વિકલપણું. 1. ધર્મ કરવાની ઇચ્છા–પ્રથમ તે તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી, ખરેખરી, નિર્દભ, નિષ્કપટ, નિર્વ્યાજ અંતરંગ ઇચ્છાવાળો ધર્મ કરવાની હોવો જોઈએ. કારણકે જેમ સંસાર-વ્યવહારમાં પ્રથમ કોઈ પણ કૃત્ય ઈચ્છા કરવાની ઈચ્છા થાય છે, ને તે પછી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેમ પરમાર્થમાં પણ પ્રથમ તે ધર્મકૃત્ય કરવાની સાચી અંતરંગ ઈચ્છા ઉપજવી જોઈએ, તે ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મ પ્રત્યેની એટલે કે મક્ષસાધન પ્રત્યેની તેવી અંતરંગ ઈચ્છા, પરમ રુચિ, પરમ પ્રીતિ, ભક્તિ ભાવ, પ્રશસ્ત રાગ, સાચે “રંગ” જ્યાં લગી ન હોય, ત્યાં લગી ધર્મક્રિયામાં સારો રસ ઉપજતું નથી, “છાર પર લિપણ” જેવી નીરસ શુષ્ક ક્રિયા યંત્રવત્ જડપણે થયા કરે
Page 46
છે, પણ તેમાં જોઈએ તેવી મજા આવતી નથી. અમૃતસરોવર ભર્યું હોય, પણ તેની ઓર મીઠાશ તે તૃષાતુરને જ આવે છે. ભેજનની ખરી મીઠાશ સાચી ભૂખ લાગી હોય તેને જ આવે છે, માટે ધર્મની સાચી ઈચ્છા, તમન્ના, લગની લાગવી જોઈએ, એ સૌથી પ્રથમ જરૂરનું છે. એટલે જે સાચા જોગીજન’ છે, તેમનામાં તે તેની સાચી ઈચ્છા હોવી જ જોઈએ, એ ગની પ્રથમ ભૂમિકા છે. અને તે જોગીજનને ઈચ્છા પણ શી છે? “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ધર્મની-મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી ઇચ્છા તે મુમુક્ષુ આત્માથી જોગીજનોને હોતી જ નથી. તેઓને તે એક આત્માર્થનું જ કામ હોય છે, બીજે મનરોગ હોતો નથી. ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનવરૂપ.” “કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ.” પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે તમે ગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો.” તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષાતર થવાની જિજ્ઞાસા પેદા કરજે.” ઈત્યાદિ. –શ્રીમદ્ રાજચંદ્રજી Page #80 -------------------------------------------------------------------------- ________________ (14) ગદકિટસમુદાય શ્રી પ્રતિકમણ વગેરે સૂત્રમાં ઘણુસૂત્રો “ચ્છામિ “રા' વગેરે ઈચ્છા પ્રદર્શક પદથી શરૂ થાય છે, એની પાછળ પણ એ જ રહસ્ય રહેલું છે, કે પ્રત્યેક ધર્મક્રિયામાં પ્રથમ ઈચ્છાગ હોવો જોઈએ. જેમકે “સુચ્છામિ વારમળો, સુઝાઝારેણ સંહિસદુ માવન 0] ઈત્યાદિ તેમજ આ ગ્રંથના મંગલાચરણમાં પણ તે ઈચ્છાગ જ કહ્યો છે, તે પણ ગર્ભિતપણે એમ સૂચવે છે કે ઈછાયોગ એ જ યોગનું મંગલાચરણ છે, યોગનું પ્રથમ પગથિયું છે, યેગનું પ્રવેશદ્વાર છે. અને આ ધર્મ- ઈચ્છામાં પણ બીલકુલ નિષ્કપટપણું, માયાચાર રહિતપણું હોવું જોઈએ; દાંભિક ડોળઘાલુપણું, ધર્મઢેગીપણું, બગલાભગતપણું ન જ હોવું જોઈએ, ધમીમાં ખપવા ખાતરનો દંભ ન જ હોવો જોઈએ; ને તે જ તે સાચી ધર્મઇચ્છા-મુમુક્ષતા કહી શકાય. કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.......”—શ્રી આનંદઘનજી. દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, જે છે માયા રંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજુ અંગ છે.” -શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન "आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् / / શુદ્વ યાદનુમૂતચેત્યાન પ્રતિપાદિતમ્ ”_શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર અર્થાત્ –એટલા માટે આત્માથીએ અનર્થના કારણરૂપ દંભ-ગીપણું છોડી દેવું જોઈએ. અજુની-સરળતાવંત પુરુષની શુદ્ધિ હોય છે, એમ આગમમાં કહ્યું છે. 2. શ્રુતજ્ઞાન–બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ. સદ્ગુરુમુખે કે સલ્તામ્રમુખે તેણે શ્રુતનું અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું જાણપણું શ્રતજ્ઞાન હોવું જોઈએ. અત્રે “શ્રવણ” એટલે માત્ર કણે દ્રિયદ્વારા શબ્દનું સાંભળવું એમ નહીં, પણ સાંભળવાની સાથે ભાવથી અર્થગ્રહણ પણ કરી લેવું તે જ સાચું શ્રવણ છે. કારણકે જેના દ્વારા તત્વ અર્થાય-ધાય તેનું નામ જ અર્થ અથવા આગમ-શ્રુત છે. એટલે આ અર્થ-આગમ-શ્રુત જે શ્રવણ કરે, તે તેના અર્થગ્રહણરૂપ શ્રવણ પણ કરે, એ સહેજે સમજાય એમ છે. x “कायोत्सर्गादिसत्राणां श्रद्धामेधादिभावतः / इच्छादियोगे साफल्यं देशसर्वव्रतस्पृशाम् // " - શ્રી અદયાત્મસાર "हिअस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा। एवं मोक्खत्थीणं छिज्जइ इच्छा ण कज्जं मि॥" શ્રી યશોવિજયજીકૃત યતિલક્ષણસમુચ્ચય Page #81 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાયાગ (15) 3. સમ્યગદષ્ટિ-જ્ઞાનીપણું–શાસ્ત્રજ્ઞાન હય, સર્વ આગમ જાણતે હોય; છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઇચ્છાગી “જ્ઞાની” હોવો જોઈએ સમ્યગદષ્ટિ- એવું ખાસ વિશેષણ મૂકયું. ઇચ્છાયેગી સમ્યગુદષ્ટિ પુરુષ હોય, સમ્ય જ્ઞાનીપણું ગુદનને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાની હેય. સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રને પાર પામીને વિદ્વાન-વિબુધ થયે હાય. પણ અનુષ્ઠાન કરવા યંગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તે તે અજ્ઞાની જ કહેવાય. વિબુધેએ (દેવ) મંદર પર્વતવડે સાગરમંથન કરી સારભૂત રત્નની
Page 47
ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી, એમ પુરાણક્તિ છે. તે રૂપકને અત્રે 4 અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ, તો વિબુધ (વિદ્વજને) અધ્યાત્મશાસ્ત્રરૂપ મંદરાચલવડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃતરૂપ આત્મતત્વને ન પામે, તો તે તેમનું વિબુધપણું અબુધપણારૂપ જ છે, અજ્ઞાનપણારૂપ જ છે. પાંચમા અંગમાં–શ્રી ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “નવ પૂર્વ સુધી ભણે હોય પણ જે જીવને ન જાણે છે તે અજ્ઞાની છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ-ચાતુરી, નહિં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.” જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાન્યો નિજ રૂપકે, સબ જા સ ફેક.”-શ્રીમદ રાજચંદ્રજી. એટલા માટે ઇચ્છાગી “જ્ઞાની” પુરુષમાં આત્મજ્ઞાન અવશ્ય હોય; ઈચ્છાગી પુરુષ સમ્યગદષ્ટિ, સમ્યગ્દર્શની, આત્મજ્ઞાની હોય. 4. પ્રમાદજન્ય વિકલતા-આમ આ ઈછાયેગી સમ્યગદૃષ્ટિ આત્મજ્ઞને દર્શન મેહ તે દૂર થયો છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે હજુ પ્રમાદથી તેને તેવી સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હોતી નથી, અખંડ આત્માનુચરણરૂપ વિકલતા ચારિત્ર હોતું નથી. કારણકે પ્રમાદને સદ્ભાવ હોવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત ચુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસંગથી તેના ચારિત્રભાવમાં * “અધ્યામશાસ્ત્રનામિથિવારા : મૂયાં કુળનારને પ્રાન્ત વિવુર્ધર્ન વિમ્ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મસાર, Page #82 -------------------------------------------------------------------------- ________________ (16) ગદષ્ટિસમુચ્ચય વિકલપણું-ખામી આવી જાય છે, અને તેથી જ તેને યોગ-ધર્મવ્યાપાર વિકલ-ખામીવાળો હેઈ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારેમાં અતિચાર -દોષથી તેની ખલન થાય છે. અત્રે પ્રમાદ એટલે આળસુપણું એવો માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે જે કંઈ વડે કરીને જીવ પિતાની આત્મસ્વરૂપ સ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ પ્રમાદના પ્રકાર થાય, વ્યુત થાય, તે વિશાળ અર્થ છે. અને જીવને સ્વરૂપભ્રષ્ટ કરનારા આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છેઃ (1) મદ, (2) વિષય, (3) કષાય, (4) નિદ્રા, (5) વિકથા. અથવા પ્રકારાંતરે તેને આઠ ભેદ છેઃ (1) અજ્ઞાન, (2) સંશય, (3) મિથ્યાજ્ઞાન, (4) રાગ, (5) દ્વેષ, (6) મતિભ્રંશ, (7) ધર્મમાં અનાદર, 8) મન-વચન-કાયાના ગનું દુપ્રણિધાન. અને આ પ્રમાદને લીધે જ્ઞાનાચાર વગેરે પંચ આચારના સભ્યપાલનમાં ક્ષતિ થવાનો સંભવ છે છતાં, ઈચ્છાયેગી મુમુક્ષુને ઈચ્છાપ્રધાનપણું તે અવશ્ય છે જ, એટલે તે ક્ષસાધક ધર્મકર્તવ્ય કરવાની સતત અંતરંગ ઈચ્છા ધરાવે જ છે, અને તે ઇચ્છા પ્રમાણે વેગ-ધર્મ વ્યાપારધર્મ પ્રવૃત્તિ પણ કરે છે, તેને ધર્મ પુરુષાર્થ તો ચાલુ જ હોય છે. કારણકે અન્ય સામાન્ય કોટિના છે જેમ પ્રમાદી-આળસુ હોય છે, તેવા અર્થમાં તે જ્ઞાની પુરુષ પ્રમાદી દેતો નથી, તે કાંઈ પાદપ્રસારિકા કરીને આળસુ બેસી રહેતું નથી. તેવા સામાન્ય-પ્રાકૃતજન કરતાં તે તે અનંતગણ આગળ વધી ગયો હોય છે, કારણ કે તેને કષાય પાતળા પડી ગયા હોય છે, વિષયરસ-વિષયાસક્તિ મંદ પડી ગયા હોય છે, રાગ દ્વેષ આદિ પ્રમાદદેષ મોળા પડી ગયા હોય છે, અને આત્મસ્વરૂપ જાણ્યા સમજ્યા પછી તે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને પ્રયત્ન, પુરુષાર્થ, ઈચ્છા પણ પ્રમાદ દૂર કરવા ભણી જ હોય છે. પરંતુ ઉપર કહેલા કારણોને લીધે ઉપજતે પ્રમાદન અંશ પણ જ્યાં લગી હોય, ત્યાં લગી તે “પ્રમાદી” જ-પ્રમત્ત જ કહેવાય છે. અને જેટલા જેટલા અંશે તેને પ્રમાદદોષ દૂર થત જાય છે, તેટલા તેટલા અંશે તેની આત્મસ્થિતિ- આત્મદશા વધતી જાય છે, તેને ઈચ્છાગ બળવત્તર
Page 48
બનતો જાય છે. આમ પ્રમાદની ઉત્તરેત્તર ન્યૂનતા (ઓછાશ) પ્રમાણે તે ઈચ્છાયોગી સમ્યગદષ્ટિ આત્મજ્ઞના ત્રણ વિભાગ પડે છેઃ (1) અવિરતિ સમ્યગૃષ્ટિ, (2) દેશવિરતિ સમ્યગુદષ્ટિ, (ભાવશ્રાવક), (3) સર્વવિરતિ સમ્યગૃષ્ટિ (ભાવસાધુ). “શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તે પણ, જે નવિ જાય પમાય રે વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જે નાયે રે... ગા ગા રે, ભલે વીર જગતગુરુ ગાયો.”—શ્રી યશોવિજયજી * “ર પ્રમારાનડ જ્ઞાનિને અવશ્વાસ: તો તતડદૂધીત વંધtતે વ્યથા II –શ્રી શ કરાચ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાગ (17) “पमायं कम्ममा हंसु अप्पमायं तहावरं / તદમાવાનો વારિ વારું ઉચિવ વા " –શ્રી સૂત્રકૃતાંગ, પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર. આમ ઈચ્છાગના ચાર લક્ષણ કહ્યા, તે લક્ષણોને પરસ્પર સંબંધ છે. (1) પ્રથમ તે ધર્મની ઈચ્છા ઉપજે, (2) એટલે પછી તેનું સ્વરૂપ જાણવા માટે શ્રી સદ્ગુરુ મુખે શ્રવણ થાય, (3) સમ્યફ અર્થ ગ્રહણરૂપ શ્રવણ થયા પછી જ્ઞાન થાય, (4) જ્ઞાન થયા છતાં પણ હજુ પ્રમાદને લીધે ચારિત્રમાં વિકલતા હોય. અને આમ આ ઈચ્છાયેગી પુરુષ-(૧) સાચે ધર્મ ઈચ્છક, ખરેખર મુમુક્ષુ, આત્માથી હોય, (2) શાસ્ત્રશ્રોતા-શ્રુતજ્ઞ હોય, (1) સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની હોય, (4) છતાં હજુ પ્રમાદવંત-પ્રમત્ત હોય. વળી અત્રે શબ્દની ખૂબીથી ગૂંથણી કરી શાસ્ત્રકાર મહર્ષિએ “ઇચ્છાગ'માં કર્મચંગ ભક્તિગ ને જ્ઞાનના અંશને અત્યંત કુશળતાથી સમાવેશ કરી દીધું છે. તે આ પ્રકારે-(૧) કતું કરવા માટે એ શબ્દથી કર્મવેગનું ગ્રહણ છે, (2) “ઈચ્છા” શબ્દથી ભક્તિયેગનું સૂચન છે, (3) અને “જ્ઞાની” શબ્દથી જ્ઞાનગનો નિર્દેશ છે. તે ઉપરાંત એ પણ સમજવાનું છે કે-બકાલવ્યાપી એવું માક્ષસાધન જેવું પ્રધાન કાર્ય માથે લીધું હોય, તેમાં પ્રમાદવંત છતાં, જો તે થોડું પણ કર્મસાગે પગપણે-અવિકલપણેપરિશુદ્ધપણે કરતો હોય, તો તેને પણ આ ઈચ્છાગમાં સમાવેશ થાય છે તેમજ અત્રે ઈચ્છાનું પ્રધાનપણું છે, એટલે એ ઉપરથી ઉપલક્ષણથી એ સમજવાનું છે કે-ડું પણ શુદ્ધ ધર્મકર્તવ્ય કરવાની જે સાચી નિર્દભ ઇચ્છા પણ હોય, તો તેને પણ વ્યવહારથી અત્રે ઈરછાયેગમાં ઉપચારથી અંતર્ભાવ થાય છે. x “साङ्गमप्येक कर्म प्रतिपन्ने प्रमादिनः / નāઝાયોજીત રૂતિ વાત્ર મતે 1 –શ્રી યશોવિજયજીકૃત કાત્રિશત દ્વાર્વિશિકા. * " तत्पञ्चमगुणस्थानादारभ्यैवैतदिच्छति / નિશ્ચય કયવહારતુ પૂર્વમgવવારત છે”—-શ્રી અધ્યાત્મસાર, ઈત્યાદિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ (18) યોગદષ્ટિસમુરચય શાસ્ત્રનું સ્વરૂપ થવાની ઈચ્છાથી કહે છે - शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः / શ્રાદ્ધક્ય તત્રવધેન વરસવિસ્તાર | 4 | બીજો શ્રાદ્ધ અપ્રમાદીને શક્તિ તણે અનુસાર, તીવ્રબંધ મૃત શ્રુતકી, વળી તે અવિકલ ધાર, 4, અર્થ :–અને શાસ્ત્રગ તે અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને શ્રદ્ધાવંતને જાણ; અને તે તીવ્ર બોધવાળા આગમ-વચન વડે કરીને તથા (કાલ આદિની અવિકલતા વડે કરીને) અવિકલ-અખંડ એ હોય છે. વિવેચન અહી ગશાસ્ત્રની પરિભાષામાં બીજા “શાસ્ત્રોગ”નું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાનગ તે શાસ્ત્રોગ. શાસ્ત્રનું જ્યાં પ્રધાનપણું છે તે શાસ્ત્રશાસ્ત્રોગ ચેગ કહેવાય છે. આ શાસ્ત્રગમાં આગમજ્ઞાનનું-મૃતબેધનું એટલું બધું તીવ્રપણું-તીર્ણપણું હોય છે, એટલું બધું પટુત્વ-નિપુણપણું-કુશલપણું હોય છે, કે તે શાસ્ત્રજ્ઞાનવડે કરીને એ અવિકલ-અખંડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણને લીધે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિચાર દેષનું પણ અહીં જાણપણું હોય છે, તથા સૂક્ષમ ઉપગપૂર્વકઆત્મજાગૃતિપૂર્વક તે તે દોષ દૂર કરવામાં આવે છે. એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, ને વીચાર એ પંચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારનું પણ યથાવત્ બરાબર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્ત્રગ અવિકલ-અખંડ હોય છે, ખોડખાંપણ વિનાને, નિરતિચાર હોય છે. કૃત્તિ:-રાજયોનg-શાસ્ત્રગ તે, શાસ્ત્રપ્રધાનયોગ તે શાસવેગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં) ધર્મવ્યાપાર જ,
Page 49
તે વળી–-- અહીં, ગતંત્રમાં, જોયઃ-જા . કાનો? કેવો છે તે માટે કહ્યું યથાશક્તિ-યથાશક્તિ, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે. કમાન –અપ્રમાદી, વિકથા વગેરે પ્રમાદથી રહિત, આનું જ વિશેષણ આપે છે - શ્રાદ્ધક્ય–શ્રાદ્ધને-શ્રદ્ધાળુને, તેવા પ્રકારને મોહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક-સમ્યક પ્રતીતિવાળી આદિ શ્રદ્ધા ધરાવનારને-શ્રદ્ધાતને. તત્રવોથેર–તીવ્રબોધવાળા, હેતુભૂત એવા પટુ-નિપુણ બોધવાળા. વરસા–વચનથી, આગમથી, અવિશ૮:-અવિકલ, અખંડ. તથા-તેમ જ કાલ આદિની વિકલતાની અબાધાએ કરીને પણ અવિકલ-અખંડ, કારણ કે અપટુ (અકુશળ) હેય તે અતિચાર દેષના જ્ઞાતા-જાણનાર હેય નહિ, અતિચાર દેષ જાણે નહિં. Page #85 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રગ (19) આ આ શાસ્ત્રગ કોને હોય છે? કેવા પાત્રને હોય છે? શ્રાદ્ધ-શ્રદ્ધાવંત એવા યથાશક્તિ અપ્રમાદીને તે હોય છે. આમ શાસ્ત્રી પુરુષ (1) તીવ્ર શાસ્ત્રબોધવાળો, (2) શ્રાદ્ધ-શ્રદ્ધાળુ, (3) યથાશક્તિ અપ્રમાદી હેય. તે આ પ્રકારે– તવ શાસ્ત્રબોધવાળે–આ શાઅોગીને સિદ્ધાંતને તીવ્ર બોધ-તીક્ષણ બોધ હોય છે. કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે શાસ્ત્રનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યભૂત ગૂઢ જ્ઞાન તેને તીવ્ર બોધ હોય છે, ઊંડામાં ઊંડા આશયવાળી તેની સમજણ હોય છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષનું-આત પ્રમાણભૂત પુરુષનું વચન. જીવને કાર્યકાર્ય વગેરે સંબંધી જે શાસન–આજ્ઞા કરે, અને તે નિર્દોષ શાસનવડે કરીને જે જીવનું ત્રાણ એટલે સંસારભયથી રક્ષણ કરે, તે “શાસ્ત્ર” છે, એમ તેને વ્યુત્પત્તિ અર્થ છે અને આવું શાસ્ત્ર તે નિર્દોષ એવા વીતરાગ સર્વજ્ઞનું જ વચન હોઈ શકે, બીજા કોઈનું નહિં. “શાણનાત્રાળરાજેશ : રાન્ન નિક્ર | वचनं वीतरागस्य तच्च नान्यस्य कस्यचित् // " –શ્રી યશોવિજયજીકણીત અધ્યાત્મપનિષદુઃ આ શાસ્ત્રસમુદ્રને પાર પામવો ઘણે દુષ્કર છે. મોટા મોટા મતિમ તે પણ તેમાં થાકી જાય, અથવા ગોથું ખાઈ જઈ દિમેહને પ્રાપ્ત થાય, એવી તે શાસ્ત્રસમુદ્ર “જિન પ્રવચનની દુર્ગસ્થતા” છે. શ્રી સદ્ગુરુના કૃપાપ્રસાદથી, અવલંબનથી, ગુરુગમથી જ તે દુર્ગમ આગમ પણ સુગમ થઈ પડે છે. જિન પ્રવચન દુગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સશુરુ, સુગમ અને સુખખાણ.”–શ્રીમદ્ રાજચંદ્રજી "महामतिभिनिःशेषसिद्धान्तपथपारगैः।। क्रियते यत्र दिग्मोहस्तत्र कोऽन्यः प्रसर्पति / / " -શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ. એવા દુર્ગમ આગમ-સાગરને પણ શ્રી સદ્ગુરુકૃપાપ્રસાદથી આ શાસ્ત્રની ઉલંઘી ગયેલ હોય છે, તેનું રહસ્યબૂત જ્ઞાન પામી ગયેલ હોય છે, અને સર્વ શ્રતનું રહસ્ય પણ કેવલ એક શુદ્ધ આત્માને જાણવો-ઓળખ-પામવા એ જ છે. " દ્વાદશાંગી૪ શ્રી જિનેશ્વરે કહી છે, તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય છે, અને બાકી બીજું બધુંય હેય-ત્યજવા ગ્ય છે.” એ જ પરમ સારભૂત મુખ્ય વાત કહી છે. આવું ભાવશ્રુતજ્ઞાન * “વત્તા નિનૈત્ક્રમેન, શ્રતં તોડાયનેમેન્ટ तस्मिन्नुपादेयतया चिदात्मा, शेषं तु हेयत्वधियाभ्यधायि // " પદિ પંચવિંશતિકા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રગીના હૃદયમાં નિરંતર રમી રહ્યું હોય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આમ દ્રવ્ય–ભાવ શ્રતના તીવ્ર બેધવાળે આ શાસ્ત્રાગી પુરુષ . આત્મજ્ઞાની સમ્યગુદષ્ટિ એવો શાસ્ત્રજ્ઞાતા હોય છે. "जो हि सुएणहिगच्छइ, अप्पाणमिणं तु केवलं सुद्धं / तं सुयकेवलिमिसिणो भणंति लोयप्पईवयरा // जो सुयणाण सव्वं जाणा, सुयकेवलि तमाहु जिणा। णाण अप्पा सव्वं जह्मा सुयकेवली तम्हा / " -શ્રી કુંદકુંદાચાર્યજીકણીત શ્રીસમયસાર. “નો ઘi નાડું, તો સવૅ જ્ઞાનરૂ, નો સવૅ નાળરૂ, તો ઘણાં ગાજરૂ –શ્રી આચારાંગસૂત્ર અર્થાતજે કૃતવડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે, તેને લેકપ્રદીપકર ઋષિઓ “શ્રુતકેવલી' કહે છે. અને જે સર્વ શ્રતજ્ઞાન જાણે છે તેને જિન ભગવાન “શ્રુતકેવલી” કહે છે, કારણ કે સર્વે જ્ઞાન તે આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે.” જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને (આત્માને) જાણે છે.” અને આમ શ્રતજ્ઞાનને તીવ્ર બેધ હોવાથી જ, આ
Page 50
શાસ્ત્રયેગી જ્ઞાની પુરુષ, જ્ઞાનાચાર વગેરેના પાલનમાં સૂક્ષમ આમેપગપૂર્વક–સતત આત્મજાગૃતિપૂર્વક અવિકલપણે પ્રવત્તી શકે છે, અને તેથી જ અત્રે આ શાસ્ત્રને અવિકલ-અખંડ કહ્યો છે. શ્રાદ્ધ-શ્રદ્ધાનંત–આ શાસ્ત્રોગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવંત હોય છે. જ્ઞાન હોય પણ શ્રદ્ધા ન હોય તો શું કામનું? પણ આ શાસ્ત્રમી પુરુષ તો તીવ્ર પ્રતીતિવાળી ઋતબેધવાળો હેઈ, તેને પરમાર્થની-તત્ત્વાર્થની, આતની, આપ્ત આગમની શ્રદ્ધા ને સદ્ગુરુ સત્પરુપની શ્રદ્ધા + અવશ્ય હોય છે. આમ તે સમ્યગદર્શની પુરુષ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. અને શાસ્ત્રોગીની તે શ્રદ્ધા સંપ્રત્યયાત્મક–સમ્યફ તત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારનીઆજ્ઞાપ્રધાન હોય છે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા એટલે તત્ત્વની સમ્યફ પ્રતીતિથી, ખરેખરી ખાત્રીથી ઉપજેલી શ્રદ્ધા. આવી શ્રદ્ધા તત્વની બરાબર ચકાસણ–પરીક્ષા કરવાથી (Searching investigation), સોનાની જેમ કસોટી કરવાથી ઉપજે છે. કષ-છેદ– + “શ્રદ્ધાનં વજૂથનામાતાજમતામૃતામ ! त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् // " –શ્રી સમંતભદ્રાચાર્યજીકૃત શ્રી રત્નકરંડ શ્રાવકાચાર. Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસ્રયાગ (21) તાપથી જેમ સોનાની ચોકસાઈ કરવામાં આવે છે, તેમ શાશ્વતસ્વરૂપ સુવણની ચેકકસ પરીક્ષા વિચક્ષણ પુરુષો કરે છે. અને આ શાસ્ત્રી તે તીવ્ર બેધવાળે પ્રબળ ક્ષોપશમીપ્રતિભાસંપન્ન પુરુષ હોઈ, આવી પરીક્ષા કરવાને અત્યંત યંગ્ય હોય છે. તે આ પ્રકારેકષછેદ-તાપ પરીક્ષા - સેનાને જેમ પ્રથમ તે ઉપર ઉપરથી કસોટી પત્થર પર કસી જુએ છે, તેમ કઈ એક શાસ્ત્રના વિધિનિષેધ એક અધિકારવાળા (એક મેક્ષિતત્ત્વને ગેચર) છે કે નહિં, તેની તે પરીક્ષા કરે છે, આ કષ પરીક્ષા છે. કદાચ સોનું ઉપર ઉપરથી તે બરાબર હોય, પણ અંદરમાં દગો કે ભેળસેળ હોય, ઉપરમાં સેનાનો ઢેળ હોય ને અંદર પીત્તળ હોય, તે શું ખબર પડે? એટલા માટે એને છેદ (cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પોલ હોય તે પકડાઈ જાય છે. તેમ આ પરીક્ષાપ્રધાની પુરુષ એકસાઈ કરે છે કે એમાં જે વિધિનિષેધ બતાવ્યા છે, તેને યેન-ક્ષેમ કરે એવી ક્રિયા એની અંદર કહી છે કે કેમ? આ છેદપરીક્ષા છે. કદાચ સેનું ઉપરની બને કસોટીમાંથી પાર ઉતરે, પણ તેની પરીક્ષા હજુ પૂર્ણ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સેનાની સાથે અણુએ અણુએ બીજી ધાતુ (Alloy) ભેળવી દે છે. આની પરીક્ષા તે સેનાને તપાવવાથી થાય; અગ્નિતાપથી સેનું ગાળવામાં આવે, તે તેની મેલાશની અશુદ્ધિની ખબર પડે. તેમ પરીક્ષક ચેકસી પણ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે કરીને, શાસ્ત્રની તાવણી કરે છે, શાસ્ત્રને તાવી જુએ છે અને તેમાં તાત્પર્યાની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિ તે તપાસે છે. આ તાપપરીક્ષા છે. આમ કષછેદ-તાપવડે શાસ્ત્રરૂપ સોનાની પરીક્ષા આ વિચક્ષણ પુરુષ કરે છે; અને તે પણ કઈ પણ મત-દશનના આગ્રહ વિના, અત્યંત મધ્યસ્થતાથી, કેવળ તત્ત્વગષકપણે જ કરે છે. પ્રામાણિક ન્યાયાધીશની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, તે કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના, સ્વચ્છ અંતઃકરણથી તે પરીક્ષા કરે છે. આવી પરીક્ષા કરતાં તેને તત્વનિર્ણય-તત્ત્વ * “ક્ષતિ વછેરતા: સા વથા જ્ઞનાઃ | શws વળવાશુદ્ધિ પલંત તથા વુધાઃ " ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) –શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મઉપનિષદ, ક “સાક્ષાત્ વત્તવિવારેy નિષત્રાવનિમઃ | विभजन्ति गुणान् दोषान् धन्याः स्वच्छेन चेतसा // " - શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ. “પક્ષપાત ન મે વીરે. ન દૃષ' પાgિ ત્તિમ વરનં , તા # guહા”–પરમન્યાયમૂર્તિ શ્રી હરિભદ્રસૂરિ. Page #88 -------------------------------------------------------------------------- ________________ (22) ગદષ્ટિસમુચ્ચય વિનિશ્ચય થાય છે, અને તેથી કરીને તેને સમ્યફ પ્રતીતિવાળી, ખરેખરી ખાત્રીવાળી (Real conviction) અંતરાત્મામાં હૃદયમાં ઠસી જાય એવી સચોટ અંતરંગ શ્રદ્ધા ઉપજે છે. આનું નામ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે. અથવા તો આ શ્રદ્ધાને બીજે આજ્ઞા પ્રધાન પ્રકાર
Page 51
પણ આ શાસ્ત્રોગીને હોય છે. અમુક પુરુષ આપ્ત છે, વિશ્વાસપાત્ર છે, વિશ્વાસ રાખવા ગ્ય છે, એવા આજ્ઞા પ્રધાન પુરુષપ્રામાણ્યથી-પુરુષપ્રતીતિથી આ શ્રદ્ધા ઉપજે છે. અને તે આપ્ત શ્રદ્ધા પુરુષ તો રાગ-દ્વેષ-મેહ આદિ દોષથી રહિત એવો નિર્દોષ નિર્વિકાર વીતરાગ પુરુષ જ હોઈ શકે, એટલે એવા આપ્ત પુરુષનું વચન પરમ પ્રમાણ છે, પરમ પ્રતીતિ યોગ્ય છે, “તહત્તિ' કરવા યોગ્ય છે, એવી તેને શ્રદ્ધા હોય છે. કારણ કે તે એમ ભાવે છે કે વીતરાગે કહેલું તત્ત્વસૂમ છે, હેતુઓથી તે હણી શકાતું નથી, અને તે આજ્ઞા ગ્રાહ્ય (આજ્ઞાથી ગ્રહણ કરવા યોગ્ય) છે, કારણ કે વીતરાગ અન્યથા કહે નહિ.” માટે હારે એ વીતરાગ વચનમાં સંશયનું બીજ પણ ઊગવા દેવું યોગ્ય નથી. કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા કઈ અન્ય કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી, પરંતુ અહંત ભગવંતે અંશમાત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કારણ એઓ નિરાગી, ત્યાગી અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહિં. તેમ એઓ સર્વજ્ઞ, સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહિ.” “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.” સંશય બીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારૂં, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું.” શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મોક્ષમાળા. તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો; પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે..અપૂર્વ અવસર”_શ્રીમદ્ રાજચંદ્રજી “આજ્ઞા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય?” “દાન તપ શીલ વ્રત, નાથ આશુ વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ.” “દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ રે” –શ્રી દેવચંદ્રજી *"सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभ व हन्यते / आज्ञाग्राह्य हि तद् ग्राह्यं नान्यथा हादिनी जिनाः // " - આલાપપદ્ધતિ, " तमेव सच्चं निःसंकं जं जिणेहिं पवेइ।" શ્રી આચારાંગસુત્ર, Page #89 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોગ (23) આમ પ્રભુની આજ્ઞાને જ પ્રધાન માની, તેને શિરસાવંઘ ગણી માથે ચઢાવવી, એ જ ગ્ય છે, એમ આ આજ્ઞાપ્રધાની પુરુષ માને છે. અને આ આજ્ઞાપ્રધાન શ્રદ્ધા પણ કાંઈ જેવી તેવી વસ્તુ નથી, તે “સર્વસંપકરી’–સર્વ અર્થને સિદ્ધ કરનારી છે. તેમાં સ્વછંદને નાશ થાય છે, પરમ પુરુષનું પ્રબલ અવલંબન પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ અનેક લાભ હોય છે. તેમજ તેમાં કાંઈ પરીક્ષાને અભાવ હોય છે એમ નથી, ગૌણપણે તે પણ યથાશક્તિ તેમાં હોય છે. જો કે પરીક્ષા પ્રધાનીની શ્રદ્ધા બળવત્તર હોય છે, પણ તેવી તથારૂપ પરીક્ષાનું સામર્થ્ય કાંઈ બધાયનું હેતું નથી. વિરલા સમર્થ ક્ષયે પશમવંત પુરુષે જ તે કરી શકે છે, અને તેઓ પણ આજ્ઞાનું અવલંબન છેડી દેતા નથી, ગૌણપણે તે માન્ય રાખી તે પ્રસિદ્ધ કરવા મથે છે એટલું જ. આ ગમે તે પ્રકારે પણ શાસ્ત્રીને સમ્યક તત્વપ્રતીતિવાળી (સંપ્રત્યયાત્મક) શ્રદ્ધા અવશ્ય હોય છે જ. અને આ હેવી પરમ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી તેવી શ્રદ્ધા ચૅટે નહિં, સાચી આસ્થા ઉપજે નહિં, આત્મામાં ન ભૂંસાય એવી “છાપ પડે નહિં, ત્યાં સુધી બધુંય જાણવું–કરવું “છાર પર લિપણ” જેવું થઈ પડે છે. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહ કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધા ન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણો તેહ જાણે. ધાર તલવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા.” –શ્રી આનંદઘનજી અને આ શ્રદ્ધા પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂરમાં કહ્યું છે કે“શ્રદ્ધા પરમ દુર્લભ છે. મનુષ્યપણું, કૃતિ, શ્રદ્ધા અને સંયમમાં વિર્ય—એ ચાર વાનાં પ્રાણીઓને ઉત્તરોત્તર પરમ
Page 52
દુર્લભ છે.” સદ્ધાં પરમહુર્જા !" " चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणे / માણુનત્ત ગુરૂ દ્ધા સંયમમિ વીરચં” –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આમાં શાસ્ત્રોગી પુરુષને ઐતિ અને શ્રદ્ધા તે પ્રાપ્ત થઈ ચૂક્યા છે, એ અત્રે “તીવ્ર મૃતબેધવાળ” અને “શ્રાદ્ધ” એ બે વિશેષણથી બતાવી દીધું. હવે સંયમમાં તેનું વીયઆત્મસામર્થ્ય કેવું ફુરે છે, તે બતાવવા માટે કહ્યું કે– યથાશક્તિ અપ્રમાદી–અને એ શ્રદ્ધાળુ હોવાથી જ આ શાસ્ત્રોગી અપ્રમાદી હોય છે. અસ્થિમજજાપર્યત હાડોહાડ વ્યાપી ગયેલી સાચી વજલેપ શ્રદ્ધા અપ્રમાદ હોય, તે પછી તે પ્રમાણે અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉમંગથી, અપ્રમાદથી એ તથારૂપ ક્રિયામાં પ્રવર્તે, એમાં શું નવાઈ ? કારણ કે– Page #90 -------------------------------------------------------------------------- ________________ (24) ગદષ્ટિસમુચ્ચય શ્રદ્ધા જ્ઞાને જે ગ્રહ્યો રે, તેહી જ કાર્ય કરાય રે....દયાલરાય ! કાર્ય રુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે...દયાલરાય ! આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય રે...દયાલ શ્રી યુગમંધર વિનવું રે” -શ્રી દેવચંદ્રજી અને ઉપરમાં વ્યાખ્યા કરી હતી તે પ્રમાણે, જેનાવડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય, તેનું નામ " પ્રમાદ” છે. તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તે અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આ અપ્રમત્ત પુરુષ મદ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદ પ્રકારોથી પર હોય છે. કારણ કે પ્રમાદ ન સ્પશી શકે એવા ઊંચા, નિલેંપ, ઉદાસીન, શુદ્ધ આત્મપદમાં તે બિરાજમાન હોય છે; અને એમાં જ તે નિત્ય રત, નિત્ય સંતુષ્ટ ને તૃપ્ત હોય છે, એમાં જ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આવા આત્મારામ પુરુષને પ્રસાદ કયાંથી હોય? સંયેલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહીયે નિષ્કામી રે.... શ્રી શ્રેયાંસઠ” શ્રી આનંદઘનજી આ આત્મારામ પુરુષ અત્યંત આત્માપયેગવંત હોઈ, સતત આત્મજાગૃતિમય હોઈ, પંચ મહાવ્રતના શુદ્ધ દ્રવ્ય-ભાવ પાલનમાં કંઈ પણ ખલના આવવા દેતો નથી, પંચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતું નથી, પંચ વિષયમાં રાગ-દ્વેષ રહિત વર્તે છે, પંચ સમિતિત્રિગુપ્તિ આદિ બરાબર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયને પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સર્વત્ર સમભાવ ભાવત રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિખો...ધાર તલવારની” –શ્રી આનંદઘનજી અને આ આદર્શ દ્રવ્ય-ભાવ નિર્ગથ અપ્રમત્ત યોગી, ચારિત્રમેહનો નાશ કરવામાં કેવા શૂરવીરપણે પ્રવર્તે છે, તેનું તાદશ પરમ સુંદર શબ્દચિત્ર રજૂ કરતું પૂર્વ કાવ્ય અત્રે ટાંકવાની લાલચ રોકી શકાતી નથી : “સવ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જય જ.... અપૂર્વ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? દર્શનમેહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે., અપૂર્વ Page #91 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રગ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ગની, મુખ્યપણે તે વ દેહ પર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જે...અપૂર્વ સંયમના હેતુથી યેગ પ્રવર્તાન, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે...અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જે...અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વત્તે કોઇ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન
Page 53
છે....અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોઇ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લેભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ નગ્નભાવ મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે ગાર નહી, દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે....અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદશિતા, માન-અમાને વર્તે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે...અપૂર્વ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડોલ આસન ને મનમાં નહીં ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે....અપૂર્વ ઘેર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક રવભાવ જે....અપૂર્વ એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણું ક્ષેપકતણું કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે....અપૂર્વ –શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ અપ્રમત્ત ભેગી ચારિત્રમેહને પરાજય કરવાને માટે યથાશક્તિ–પિતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષાર્થપૂર્વક પ્રમાદશત્રુનો સંહાર કરવાને કટિબદ્ધ થાય છે, “ભેઠ બાંધીને’, ‘રઢ લગાડીને મંડી પડે છે. અત્રે યથાશક્તિ” શબ્દ કહ્યો છે તે સહેતુક કહ્યો છે. યથાશક્તિ એટલે જેવી શક્તિ હોય તે પ્રમાણે, યૂનાધિક નહિં એમ શક્તિને અનુસરીને. આના બે અર્થ યથાશક્તિ છે: (1) એક તે પોતાની શક્તિનું ઉલ્લંઘન કરીને, શક્તિ ઉપરવટ થઈને, એટલે? પોતાના ગજા ઉપરાંત ન કરવું તે યથાશક્તિ છે. અશક્ય અનુષ્ઠાન ન કરવું, અને પિતાના મન-વચન-કાયાની શક્તિ લક્ષમાં રાખી શક્ય અનુષ્ઠાન કરવું, એ આ ઉપરથી સૂચવ્યું છે. (2) બીજો અર્થ એ છે કે-જેટલી પોતાની શક્તિ છે Page #92 -------------------------------------------------------------------------- ________________ (26) ગદષ્ટિસમુચ્ચય તેટલી સવ ખરચી નાંખીને, સર્વાત્માથી કરવું, કંઈ પણ શક્તિ ગોપવ્યા વિના“અનિશિવરવરિયો પિતાનું બલ-વીર્ય ગોપવ્યા વિના-કરવું તે યથાશક્તિ છે. આમ આ શાસ્ત્રોગી પુરુષ-(૧) તીવ્ર શ્રુતબોધવાળો, (2) શ્રદ્ધાવંત, (3) યથાશક્તિ અપ્રમાદી હોય છે. આમાં તીવ્ર ધુતબોધ” ઉપરથી સમ્યગ જ્ઞાન, શ્રદ્ધાવત’ઉપરથી સમ્યગદર્શન, ‘અપ્રમાદી” ઉપરથી સમ્મચારિત્ર સૂચિત થાય છે. આમ આ શાસ્ત્રી પુરુષ સમ્યગ્ગદર્શનજ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉત્તમ આરાધક-સાધક હોય છે. અને તેવા પુરુષનો આ શાસ્ત્રગ અવિકલ-અખંડ હોય છે. સામર્થ્યથેગનું લક્ષણ કહે છે : शास्त्रसंदर्शितोपायस्यतदतिक्रान्तगोचरः / शक्त्यु द्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः // 5 // શાસ્ત્રમાંહિ દર્શાવિયે, જે યોગને ઉપાય; ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ વેગ છે, સામર્થ્ય જેનું નામ, 5. અર્થ :-શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલો છે, અને તે શાસ્ત્ર કરતાં પણ વિશેષથી જેને વિષય-શક્તિના ઉદ્રેકને લીધે-પ્રબલપણને લીધે-પર છે, તે આ “સામર્થ્ય નામને ઉત્તમ ગ છે. વિવેચન હવે ત્રીજા સામગનું સ્વરૂપ અહીં ખેચાનું કહ્યું છે. સામગ એટલે સામર્થ્યપ્રધાન યુગ. આત્મસામર્થ્યનું–આત્માના સમર્થ પણાનું જેમાં પ્રધાનપણું–મુખ્યપણું કૃત્તિ --સાણંતિવાદ–સામાન્યથી શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે; કારણ કે શાસ્ત્રમાં તેનું કથન સામાન્યથી છે. તાતિwતો:–તે શાસ્ત્રથી જેને વિષય અતિક્રાંત છે–પર છે. (શાસ્ત્ર કરતાં પણ જેને વિષય આગળ વધી જાય છે. શા કારણથી ? તે માટે કહ્યું શરયુત્ત-શકિતના ઉકથા, શક્તિતા પ્રાબલ્યથી–પ્રખલપણાથી. વિરોળ-વિશેષથી,–નહિ કે સામાન્યથી તેને વિષય શાસ્ત્રથી પર છે. કારણ કે શાસ્ત્રનું સામાન્યથી લિપયવસાનપણું છે. સાનથોડશંઆ સામર્થ્યગ નામનો યોગ, ૩ત્તમદ-ઉત્તમ, સર્વપ્રધાન છે. કારણ કે તભાવના ગભાવના હોવાપણાને લીધે, તે અક્ષેપ કરીને-અવિલંબે જ-શીધ્રપણે પ્રધાનફલનું-મેક્ષનું કારણ હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ સાચધ્યોગ (27) છે, તેનું નામ સામર્થ્ય છે. આ યુગ સર્વ યુગમાં ઉત્તમ યોગ છે. આના બે લક્ષણ કહ્યા -(1) શાસ્ત્રમાં આનો ઉપાય સામાન્યપણે દર્શાવ્યો
Page 54
છે, (2) વિશેષપણે તે શાસ્ત્ર કરતાં પણ આ યોગને વિષય પર છે,-શક્તિના પ્રબલપણાને લીધે. તે આ પ્રકારે - શાસ્ત્રમાં આ સામગને ઉપાય બતાવે તે છે, પણ તે માત્ર સામાન્યપણે બતાવ્યો છે,-વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયોજન તે માર્ગદર્શન-દિશાદર્શન પૂરતું છે. જેમ શાસ્ત્રનું કઈ વટેમાર્ગુ કોઈ જાણકારને રસ્તો પૂછે, તે રસ્તો બતાવનાર તેને લાબેથી સામાન્ય આંગળી ચીંધીને તે બતાવે છે, પણ તે કાંઈ તેને ઠેઠ વળાવવા જેતે માર્ગદર્શન નથી તેમ શાસ પણ મુમુક્ષુ સામગ્રીને આ યોગમાર્ગમાં ગમન કરવાની સામાન્યથી દિશા સૂઝાડે છે કે-જુઓ ! આ આ ઉપાય કરશે તો આગળને માગ પામશે. પણ તેની સૂચના પ્રમાણે તે માર્ગે ચાલવાનું-ગમનને પુરુષાર્થ કરવાનું કામ તે તે નિર્મલ મતિવાળા મુમુક્ષુનું છે. અને તે તેમ કરે છે એટલે જ તે યોગમાર્ગમાં આગળ ને આગળ પ્રયાણ કરતો જાય છે, ઉત્તરેત્તર વધતી આત્મદશાને-ગુણસ્થાનને-પામતો જાય છે. અને એમ કરતાં કરતાં તે શાક્ત મર્યાદાને પણ વટાવી જાય છે, અને વિશેષથી શાસ્ત્રને અગોચર-શાસ્ત્રથી પર એવા વિષયને પામતો પામતે આગળ ધપતા જાય છે. કારણ કે શાસ્ત્ર તે અમુક હદ સુધી સામાન્યપણે માર્ગ બતાવે છે કે-“આ આત્મસામર્થ્યથી ફલાણ દિશાએ ચાલ્યા જાઓ.” પછી વિશેષપણે તે સામર્થયેગીએ પ્રગતિ પોતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણી આગળ વધવાનું રહે છે. અને એવા પ્રકારે આગળ વધવાનું સામર્થ્ય- સમર્થ પણું આ યોગીમાં આવી ગયું હોય છે, ગ-ગગનમાં મુક્તપણે વિહરનારા આ વિહંગમાં એટલું બધું આત્મબલ વૃદ્ધિ પામ્યું હોય છે, કે તે પોતાની મેળે જ યથેચ્છ ઊંચે ઊડવાને સમર્થ થાય છે. એટલે તે સડસડાટ વેગમાર્ગે ચાલ્યો જાય છે, અને તે જેમ જેમ વિશેષ કરીને આગળ જતે જાય છે, તેમ તેમ પોતાની મેળે જ તેને આગળનો ભાગ પ્રત્યક્ષ દેખાતે જાય છે, જે માર્ગ લાંબેથી બરાબર હેત દેખાતે તે નિકટ આવતાં સાવ સ્પષ્ટ દેખાવા માંડે છે, અને જે મારા પ્રત્યક્ષ આત્માનુભવગમ્યપણે ચેકખેચે દેખાતો હોય, તેમાં પછી આત્મસામર્થ્ય સિવાય બીજી શી સહાયની તેને અપેક્ષા રહે? આમ આવા સમર્થ ભેગીને પ્રત્યક્ષ સાચો માર્ગ મળી ગયો છે, ને સંદેહ છૂટી ગયું છે, એટલે તે નિર્ભયપણે-નિઃશંકપણે-દઢ નિશ્ચય પણે, પોતાના અંધાવેલથી જપિતાના આત્મબલથી જ, ગ-પર્વતની એક પછી એક ભૂમિકાઓ કૃદાવતો જાય છે, ને એમ ચઢતો * “વિફા વર્ણિતા શાશનમતિ: પથિ .. જ્ઞાનવો યુaોત ıશેષોપ૪રપ –શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ્દ Page #94 -------------------------------------------------------------------------- ________________ (28) ગદષ્ટિસમુચ્ચય ચઢતે છેવટે યોગ-ગિરિના શૃંગ પર પહોંચી જાય છે, અને તેના અંતરાત્મામાં અનુભવેગારરૂપ ધ્વનિ ઊઠે છે કે - મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.”–શ્રીમદ્ રાજચંદ્રજી આવા આ સામર્થ્યથેગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉક-પ્રબલપણું છે. તેનામાં એટલી બધી આત્મશક્તિ આવી ગઈ સંયમથી હોય છે કે તે ઉભરાઈ જાય છે, અને આ ઉભરાઈ જતી શક્તિનું મૂલ શકિતસંચય કારણ પણ તેની અત્યાર સુધીની આદર્શ શાક્ત રીતિ પ્રમાણેની યેગ- સાધના છે, આત્મસંયમના યોગે અત્યંત શક્તિસંચય કર્યો છે-શક્તિ જમા કરી છે તે છે. કારણ કે આ સામર્થ્યાગની ભૂમિકાએ પહોંચતાં પહેલાં પ્રથમ તે તે સાચે ઈચ્છાયેગી થયો હતો. ઈચ્છા-શ્રવણાદિ પ્રાપ્ત થયા, સમ્યગદર્શન થયું, આત્મજ્ઞાન ઉપર્યું, પણ તથારૂપ ચારિત્રમાં સંયમમાં હજુ તેને પ્રમાદ હતો, તે પ્રમત્ત યોગી હતા. પછી તે શાસ્ત્રયેગી બને. શાસ્ત્રના સંપૂર્ણ રહસ્યને જ્ઞાતા થયે, અત્યંત શ્રદ્ધાળુ ને અપ્રમાદી થયે, અપ્રમત્ત સંયત ગી થઈ ગયે. આમ તે ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિ કરતો ગયો. મન-વચન-કાયાના પ્રમત્ત યેગથી આત્માની વેડફાઈ જતી–ચારેકોર વેરણ છેરણ થતી શક્તિને તેણે અટકાવી;
Page 55
અને જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી–રોકી રાખી, તેણે આત્મવીર્યની અત્યંત જમાવટ ( Mobilisation) કરી. અને હમણાં પણ આ સામર્થ્યોગમાં લેગમાર્ગે પ્રયાણ કરતા તે તીર્ણ આત્મપયેગવંત રહી, સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતે જઈ આત્મવીર્યની ઉગ્ર જમાવટ કરી રહ્યો છે. આમ તેને શક્તિઉદ્રેક ઉપજે છે, અને અંગમાં નહિં સમાતી તે શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે. સંયમના યોગે વિર્ય તે, તમે કીધા પંડિત દક્ષ રે; સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રમે નિજ લક્ષ છે. મન મોહ્યું અમારું પ્રભુગુણે. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે; સ્થિર એક તત્ત્વતા વરતત, તે ક્ષાયિક શક્તિ સમાય રે....મન”—શ્રી દેવચંદ્રજી “અનુક્રમે સંયમ સ્પર્શતેજ, પામ્ય ક્ષાયિક ભાવ; સંયમશ્રેણી ફૂલજી, પૂજું પદ નિષ્પાવ.” –શ્રી યશોવિજ્યજી અને આવા આ સમર્થગીનો આ સામગ સર્વ યુગોમાં ઉત્તમ છે, પ્રધાન છે, Page #95 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યથાગ (ર૯) શ્રેષ્ઠ છે. કારણ કે મોક્ષની સાથે જે-જેડે તે ગ”, એમ યોગ શબ્દની વ્યાખ્યા છે. એ પ્રમાણે આ સામગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, મેક્ષરૂપ પ્રધાન ઉત્તમ ગ ફલ સાથે જે છે, શીધ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામગ પરમ યોગ છે, જેગશિરોમણિ છે, એગપર્વતનું શિખર છે. આના સમર્થન અથે જ કહે છે - सिद्धयाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः / शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः // 6 // સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી આંહિ; માત્ર શાસથી જ સર્વથા,ગમ્ય ગિને નહિ, 6. અર્થ - સિદ્ધિ' નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો અહીં તત્વથી, યોગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન ઉપર જે કહ્યું તેના સમર્થન માટે-પુષ્ટિ માટે અત્રે કહે છે કે-એક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે હેતુઓ છે, કારણવિશેષ છે, તેનું જ્ઞાન યોગીઓને સાચા સંત સાધુપુરુષને માત્ર શાસ્ત્રદ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. શાસ્ત્રની મર્યાદા હા, કેટલાક પ્રકારો શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિ. કારણ કે તે સમ્યગદર્શનાદિ હેતભેદોના ભેદ અનંત છે,–કે જે વાણીને અચર છે, “જો વારે નિવસે જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિપ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમજ વ્યર્થ પણ નથી. મેક્ષના હેતુરૂપ સમ્યગદર્શનાદિના કેટલાક પ્રકારે જ શાસ્ત્રથી જાણી શકાય છે, બધાય નહિ. આમ શાસ્ત્રનું વ્યર્થપણું પણ નથી, તેમજ સર્વથા સમર્થપણું પણ નથી, અમક મર્યાદા સુધી તેનું દિગદર્શન છે. તેથી આગળ તો અનુભવ મિત્ર આત્મસામર્થ્યરૂપ સામગથી વધવાનું છે. એ તાત્પર્ય છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામર્થ્યોગ શરૂ થાય છે. કારણ કૃત્તિ સિદ્ધયારા કારિતુમેરા –સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદો, મેક્ષ નામના પદની સંપ્રાપ્તિના કારણવિશેષ-સમ્યગુદર્શનાદિ. શું ? તે કે- તત્ત્વતઃ–નથી તવભાવથી, પરમાર્થ થી. રાત્રી દેસાવાક્યન્ત-શાસ્ત્રથકી જ જાણવામાં આવતા. અને એમ છતાં શાસ્ત્રનું વૈયચ્યું–વ્યર્થપણુંકાગટપણું નથી, એટલા માટે કહ્યું–સર્વવે ચોmમિ –સર્વથા જ અહીં યોગીઓને, એટલે સર્વેય પ્રકારથી અહીં-લેકમાં સાધુઓને જાણવામાં આવતા નથી; કારણ કે તે સમ્યગ્ગદર્શનાદિ ઉતભેદોના અનંત ભેદ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ (30) ગદષ્ટિસમુચ્ચય કે શાસ્ત્ર તે દિશાદર્શનથી આગળ ડગલુંય ચાલતું નથી,–“ભાઈ ! અમુક દિશાએ અમુક રીતે ચાલ્યા જાઓ.” એટલી જ દિશા સામાન્યપણે આ સમર્થ યેગીને સૂઝાડીને શાસ્ત્ર અટકી જાય છે, વચન અગોચર વાત તે કહી શકતું નથી. એટલે પછી તો આ સમર્થ ગીને સામર્થ્યવેગનું-આત્માનુભવરૂપ જ્ઞાનયોગનું જ અવલંબન રહે છે, અને તે યંગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહોંચાડે છે, તે અનુભવ મિત્ર તેને સહજ આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી બનાવે છે. " पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् / જ્ઞાનયોગો મુને, પાર્થમાદૈવ ન મુરતિ ! –શ્રી અધ્યાત્મપનિષદ્દ “અનુભવગેચર માત્ર રહ્યું તે
Page 56
જ્ઞાન જે....અપૂર્વ અવસર.”–શ્રીમદ્ રાજચંદ્રજી “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત કારજ સાધક બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત. વીર જિનેશ્વર પરમેશ્વર . અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીત પ્રતીત, અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્ર રીત....વીર. અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે આનંદઘન મહારાજવીર.” –ોગીરાજ આનંદઘનજી સર્વથા તેને પરિચ્છેદ (પરિજ્ઞાન) શાસથકી જ માનવામાં આવતાં, દોષ કહે છે - सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः / तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः // 7 // સર્વથા જ જો શાસથી, જ્ઞાન તેહનું હેય; તે સાક્ષાતકારિત્વને, જોગ તેહને સહાય, જૂત્તિ -સર્વથા - સર્વથા, અક્ષેપે–અવિલંબે ફસાધકપણ વગેરે સર્વ પ્રકારેથી, તરવરિષ્ઠતા - શાસ્ત્રથકી જ તે સિદ્ધિ નામના પદની પ્રાપ્તિના હેતુભેદોના પરિચ્છેદને લીધે–પરિજ્ઞાનને લીધે, શું ? તે કે –સાક્ષારિત્રયોનર -કેવલ તેથી જ સાક્ષાત્કારિણએ કરીને વેગથી-કારણથી, (પ્રત્યક્ષપણાના કારણે), તરાવસંવિલે-તે શ્રોતા યોગીના સત્તપણાની સિદ્ધિને લીધે-પ્રસ્તુત હેતુભેદોને આનાવડે કરીને સથા પરિદરૂપ ગ થશે એટલા માટે, અને તેથી કરીને તવા-ત્યારે જ, શ્રવણુ કાલે જ, રિદ્ધિાતિ :સિદ્ધિ પદની-મુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે, કારણ કે અગિ કેવલીપણાનો પણ શાથી જ સદભાવ જાણવાનો પ્રસંગ પ્રાપ્ત થશે એટલા માટે, અર્થાત અમેશ કેવલીપણું ૫ણ શાસ્ત્રથી જ જવાશે, એટલે સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જશે ! (આમ આ દોષ પ્રાપ્ત થાય છે). Page #97 -------------------------------------------------------------------------- ________________ સામગ (31) તેથી સર્વજ્ઞત્વની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પદ તણી, ત્યારે જ થઈ જાય ! 7, અર્થ –સર્વથા શાસ્ત્રદ્વારા જ તે સમ્યગદર્શનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિ પણાનો પ્રત્યક્ષપણાને યોગ થશે, અને તેમ થતાં તેને સર્વપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે ! (આમ દેષ આવે છે). વિવેચન હવે જે શાસથકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તે શે વિરોધ આવે છે? તેને અહીં ખુલાસો કર્યો છે -1) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (2) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (3) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે ! (1) જે શાસ્ત્રથી જ સમ્યગદર્શન વગેરેના સર્વ પ્રકારો જાણવામાં આવી જાય, તે પછી તે સર્વ ભાવોને સાક્ષાત્કાર થાય, તે સર્વ ભાવ પ્રત્યક્ષ દેખાય. (2) એટલે પછી શ્રવણ કરતાં જ સાંભળતાં વેંત જ તે શ્રોતા યોગીને સર્વજ્ઞાપણું સાંપડી જાય ! શાસ્ત્રથી જાણ્યું-સાંભળ્યું કે તરત કેવલજ્ઞાન ! બીજી બધી પંચાત ને માથાકૂટ મટી જાય ! (3) અને તેમ થાય તે ત્યારે જ-સાંભળતી વેળાએ જ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જાય ! સાક્ષાત્ મોક્ષ મળી જાય ! કારણ કે શાસ્ત્રથી જ અયોગિકેવલિપણાને પણ જાણવાનો પ્રસંગ બને છે. એટલે ઉક્ત ન્યાયે તેમ જાણતાં જ સિદ્ધિ થઈ જવી જોઈએ ! પણ તેમ બનતું દેખાતું નથી અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દષ્ટઈષ્ટ બાધિત છે. કારણ કે (1) શાસ્ત્ર દ્વારા તે સર્વભાવ સાક્ષાત્-પ્રત્યક્ષ એટલે આત્માનુભવગમ્યપણે દેખાતા નથી, પરેક્ષપણે જ દેખાય છે. શ્રુતજ્ઞાનનો વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (2) આમ શાસથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. (3) તેમ જ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી. માટે શાસ્ત્રદ્વારા જ સમ્યગદર્શનાદિ ક્ષહેતુઓ સર્વથા સર્વ પ્રકારે જાણી શકાય નહિ, એ સિદ્ધાન્ત દઢ થયે. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવડે છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા માટે અત્રે કહે છે— Page #98 --------------------------------------------------------------------------
Page 57
________________ (32) ગદષ્ટિસમુચ્ચય न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसंगतः / सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् // 8 // ને આ એમ નતે થકી, સહિત પ્રતિભા જ્ઞાન; સામર્થ્ય રોગ અવાગ્ય છે, સર્વતાદિ નિદાન, 8 અર્થ—અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રતિભ જ્ઞાનથી સંગત એવે સામગ અવાચ્ય ન કહી શકાય એવું છે, કે જે સર્વજ્ઞપણા વગેરેના સાધનરૂપ છે. વિવેચન કોઈ કહેશે કે “ભલા ! શાસ્ત્રથી જ સિદ્ધિ પદની પ્રાપ્તિ ભલેને થઈ જતી હોય ! એમાં આપણને શી હરકત છે ?" તેનો અહીં જવાબ આપે છે કે–ભાઈ ! એમ નથી. જે શાસ્ત્રથી જ સિદ્ધિ મળી જતી હોત, તે અમને શી હરકત હોય ? પ્રત્યક્ષ વિરોધ તે એના જેવું સહેલું બીજું શું? એને જેવું રૂડું શું ? પણ એમ તે થતું દેખાતું નથી, પ્રત્યક્ષ પ્રમાણને તેમાં વિરોધ આવે છે. કારણ કે અગીપણાનું પરોક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કેઈ તેથી કરીને સાક્ષાત્ અગીપણું વૃત્તિ - જૈતવં—અને આ-હમણાં જ જે ઉપર કહ્યું તે એમ નથી. કારણ કે શાસ્ત્રથકી અગિ કેવલપણાને બંધ થયે પણ, સિદ્ધિની અસિદ્ધિ છે, (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટેકારિમજ્ઞાનતંતઃ–પ્રતિભજ્ઞાનથી સંગત, માર્ગાનુસારી પ્રકૃષ્ટ “હ” નામના જ્ઞાનથી યુકત, શું ? તે કેસામર્થકોનઃ-સામર્થ્યપ્રધાન યોગ તે સામર્થ્યવેગ. એટલે પ્રક્રમથી–ચાલુ વિષયમાં ક્ષપકશ્રેણીગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ-વાળોત્તિ-અવાચ્ય છે, કહી શકાય એવો નથી, તેના યોગીને સંવેદનસિદ્ધ અર્થાત આત્માનુભવગમ્ય છે, સર્વેશવાસાધન-સવજ્ઞપણ આદિનું સાધન છે,-અક્ષેપ કરીને (વગર વિલંબે) આના થકી સર્વોત્તપર્ણની સિદ્ધિ હોય છે તેટલા માટે. કોઈ શંકા કરે_ આ પ્રતિભાન પણ શ્રતજ્ઞાન જ છે. નહિ તે ઝા જ્ઞાનનો પ્રસંગ આવી પડશે. અને આ કેવલ પણ નથી, કારણ કે એ સામયોગના કાર્યરૂપ છે. અને આમ સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદો તત્વથી શાસ્ત્રથકી જ જાણવામાં આવે છે. અત્રે સમાધાન કરવામાં આવે છેઃ આ નથી શ્રત, નથી કેવલ, કે નથી જ્ઞાનાંતર (બીજું કઈ જ્ઞાન),-રાત્રી, દિવસ ને અરૂણોદયની જેમ. કારણ કે અરુણોદય નથી રાત્રિ-દિવસથી જૂદો, તેમ જ નથી તે બેમાંથી એક પણ કહી શકાતે. એમ આ પ્રાતિજ્ઞાન પણ નથી તે બેથી જ, તેમ જ નથી; તે બેમાંથી એક પણ કહી શકાતું. કારણ કે તત્કાળે જ તેવા પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષયપશમવાળા ભાવને લીધે, મૃતપણે તત્વથી તેનું અસંવ્યવહાર્યપણું છે (શ્રતરૂપે તેને થી એ શ્રત નથી: અને ક્ષાયોપથમિકપણાને લીધે, અશેષ દ્રવ્ય-પર્યાયના અવિષયપણાએ કરીને (સર્વ દ્રવ્ય-પર્યાય નથી જણાતા) તે કેવલ પણ નથી, એટલા માટે. અને આ તારકજ્ઞાન-નિરીક્ષણ જ્ઞાન આદિ શબદથી વાચ્ય (ઓળખાતું) એવું પ્રાતિજ જ્ઞાન બીજાઓને (અન્યદર્શનીએાને) પણ ઈષ્ટ છે. એટલા માટે અદોષ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યોગ (23) દેહરહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠો કે સાંભળ્યું નથી. અને જે શાસ્ત્રદ્વારા અગીપણાનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોત, તે તે પ્રત્યક્ષપણે તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈતી હતી. પણ તેમ તે બનતું દેખાતું નથી. અને આમ છે એટલા માટે જ, સામર્થ્યોગ જે છે તે અવાચ્ય છે, કહો જાય એવો નથી, શાસ્ત્રવાણીને અગોચર છે. કારણ કે શાસ્ત્રને વિષય પરોક્ષ છે, અને સામર્થ્ય ગને વિષય પ્રત્યક્ષ એટલે કે આત્માનુભવગોચર છે, સાક્ષાત્કારરૂપ અવાચ્ય છે. એટલે જ આ સામર્થ્યોગ તેના મેગીને સ્વસંવેદનસિદ્ધ, આત્માનુ ભવગમ્ય કહ્યો છે. આ “ગ” એટલે ક્ષપકશ્રેણીગત ગીને ધર્મવ્યાપાર જ છે, અર્થાત્ ક્ષપકશ્રેણી જેણે આરંભેલી છે એવા સમર્થ યેગીને આત્મસ્વભાવરૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામગ છે. એમાં આત્માનુભવનું-સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થ્યગ કહેલ છે. “પ્રગટે અનુભવ રસ આસ્વાદ.” વાસી અનુભવ નંદનવનના, ભેગી આનંદઘનના.”
Page 58
–શ્રીદેવચંદ્રજી આ આ સામર્થ્યગ “પ્રાતિજજ્ઞાનથી સંગત–સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ-કારણરૂપ થાય છે. તે આ પ્રમાણે -- પ્રાતિજ્ઞાન એટલે પ્રતિભાથી ઉપજતું જ્ઞાન, પ્રતિભાસંપન્ન જ્ઞાન. પ્રતિભા એટલે અસાધારણ પ્રકાશ, ઝળક, ચમકારો. જેમાં અસાધારણ આત્માનુભવને પ્રકાશ ઝળકે છે ચમકે છે તે પ્રાતિજ જ્ઞાન. જેમાં ચૈતન્યશક્તિને અસાધારણ અતિશયવંત પ્રાતિજ જ્ઞાન ચમત્કાર, અપૂર્વ અનુભવ પ્રકાશ પ્રતિભાસે છે, પ્રગટ જણાય છે-અનુભવાય છે, તેનું નામ “પ્રાતિભ જ્ઞાન” છે. આવું પ્રાતિજ જ્ઞાન અત્રે સામર્થ્યયેગમાં હોય છે. એને માર્ગાનુસારી પ્રકૃણ “ઊહ” (અનન્ય તત્ત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે, કારણ કે માર્થાનુસારી એટલે સાક્ષાત્ મેક્ષમાર્ગે ચાલ્યા જતા “દષ્ટા” ગીનું અત્રે શુદ્ધ માર્ગને અનુસરતું અનન્ય તત્ત્વચિંતન હોય છે. જેમકે - જડ ને ચેતન બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાંય છે; એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #100 -------------------------------------------------------------------------- ________________ (3) ગદષ્ટિસમુચ્ચય - આ પ્રતિભજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-Light) પ્રકાશથી આગળ માગ સ્વયં પ્રકાશમાન દેખાય છે-ઝળહળી રહે છે, એટલે સામર્થ્યયેગી પ્રગટ માગ દેખતો દેખતે આગળ ધપે છે, કૃપશ્રેણી પર ચઢતા જાય છે, અને કર્મ પ્રકૃતિએને ક્ષય કરતો જાય છે. “એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે... અપૂર્વ અવસર. મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન છે, અતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે... અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી વળી આ સામવેગ, સર્વજ્ઞપણું-સિદ્ધપદ વગેરેનું સાધન છે, કારણ છે. કારણ કે એના વડે કરીને વગર વિલએ, સર્વજ્ઞાણા-કેવલજ્ઞાન વગેરેની સિદ્ધિ થાય છે. પ્રાતિભ જ્ઞાનથી યુક્ત એવા સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર ચઢતે ચઢતે આ યેગી, સર્વજ્ઞતાદિનું તે શ્રેણીના અંતે કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં સાધન તે સર્વજ્ઞ–સર્વદશી બને છે. અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે, તે અયોગી કેવલી-સિદ્ધ થાય છે, દૈહિક પાત્ર મટી જાય છે.” ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચછેદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે, સર્વભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે....અપૂર્વ વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર .અપૂર્વ” –શ્રીમદ્ રાજચંદ્રજી અને કદાચ એમ શંકા થાય કે-આ છઠું જ્ઞાન પ્રાતિજ જ્ઞાન ક્યાંથી કઈ? તે તે ઘટે નહિં, કારણ કે જ્ઞાન તે પાંચ પ્રકારના જ છે. અને આ પ્રાતિભ જ્ઞાન કેવળજ્ઞાન પણ નથી, કારણ કે કેવલજ્ઞાન તે સામગના કાર્ય સંધ્યા જેવું રૂપ-ફળ પરિણામરૂપ છે, કારણ કે કાર્ય બંને એક હાય નહિં. માટે આ પ્રાતિજ જ્ઞાન શ્રુતજ્ઞાન જ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યોગ (35) તેનું સમાધાન એમ છે કે-આ પ્રતિભ જ્ઞાન ગ્રુતજ્ઞાન નથી, કેવલજ્ઞાન નથી, તેમ જ બીજું કોઈ પણ જ્ઞાન નથી. જેમ અરુણોદય રાત-દિવસથી જૂદો નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી; તેમ આ પ્રતિભજ્ઞાન શ્રુત-કેવલની વચ્ચેની સંધિનું જ્ઞાન છે, તે તે બેથી જૂ પણ નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી. (1) તેને શ્રુતજ્ઞાન પણ ન કહી શકાય, કારણ કે તેમાં એવો કોઈ ઉત્કૃષ્ટ પ્રતિભાસંપન્ન લોપશમ હોય છે, કે તેને શ્રુતજ્ઞાનપણે વ્યવહાર થઈ શકે નહિં. (2) તેમ જ તે
Page 59
કેવલજ્ઞાન પણ ન કહેવાય, કારણ કે પ્રાતિજ જ્ઞાન લાપશમિક-ઉપશમ ભાવરૂપ છે, અને કેવલજ્ઞાન તે ક્ષાયિક ભાવરૂપ છે. તથા પ્રતિભા જ્ઞાનમાં સર્વ દ્રવ્ય-પર્યાય જાણી શકાતા નથી, ને કેવલમાં જાણી શકાય છે. આમ એ બનેને પ્રગટ ચેકો ભેદ છે. ચેનાઈઝનિતઃ સ તુ કાતિમëજ્ઞિત: લડ્યા વિનાત્રિખ્ય વઘુ થઇ છે " –શ્રીઅધ્યાત્મઉપનિષદ અને અન્ય દર્શનીઓને પણ આ “પ્રાતિજજ્ઞાન” સંમત છે. તેઓ તેને “તારક - નિરીક્ષણ આદિ નામથી ઓળખે છે. તારક એટલે ભવસમુદ્રથી તારનારું. નિરીક્ષણ એટલે દષ્ટા પુરુષનું સાક્ષાત્ દર્શન. આમ આ પ્રાતિજ જ્ઞાન માનવામાં કઈ પણ દોષ નથી, એટલે કે તે માનવું યથાર્થ છે, સમ્યફ છે. સામગના ભેદ કહી બતાવવા માટે કહે છે - द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः / क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु // 9 // એહ સામર્થના , પ્રકાર છે આ ખાસ પહેલે ધર્મસંન્યાસ ને, બીજે યોગસંન્યાસ, ક્ષાપશમિક હેય જે ધર્મો તેહ કહોય; કાય આદિનું કર્મ તે, યોગ અત્ર કથાય. 9 વૃત્તિ –દ્રિષા બે પ્રકારને વય-આ, સામયોગ છે. કેવા પ્રકારે? તે કે-ધર્મસંન્યાસયોગસંન્યાહજ્ઞિતા-ધર્મસંન્યાસ અને સંન્યાસ સંજ્ઞાથી (નામથી) યુક્ત આની ધર્મસંન્યાસ’ સંજ્ઞા ઉપજી છે, એટલા માટે ધમસન્યાસસંતિત. એમ “ગસંન્યાસ' સંજ્ઞા આની ઉપજી છે, એટલા માટે યોગસંન્યાસસંતિ. અને અહીં તેવા પ્રકારે તે સંજ્ઞાત થાય છે-બરાબર ઓળખાય છે, એટલા માટે તે તસ્વરૂપે જ પ્રહાય છે. આ ધર્મો કયા? તે માટે કહ્યું કે સાવામિ ધર્મા:–ક્ષાપશમિક તે ધર્મો. ક્ષયે પશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્મો છે. - થોડાઃ જાયાર્મિતુ-અને યોગે તે કાયઆદિના વ્યાપારે છે,-કાએ સર્મકરણ આદિ. .. - Page #102 -------------------------------------------------------------------------- ________________ (3) ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ સામગ-ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવી સંજ્ઞાઓ (નામે) કરીને બે પ્રકાર છે. ક્ષાપશમિક (ક્ષયોપશમ ભાવથી ઉપજતા) તે ધર્મો છે, અને કાય વગેરેનું કમ તે “ગ” છે. વિવેચન આ સામગના બે ભેદ છે-(૧) ધર્મસંન્યાસ એવી સંજ્ઞાવાળ, (2) ગસભ્યાસ” એવી સંજ્ઞાવાળો. અત્રે ધર્મો એટલે ક્ષાયોપથમિક ભાવો, અને ગો એટલે મનવચન-કાયાનું કર્મ-વ્યાપાર, કાયોત્સર્ગ કરણ આદિ. અત્રે “સંજ્ઞા” શબ્દ હેતુપૂર્વક કહ્યો છે, કારણ કે જેના વડે કરીને અમુક વસ્તુ તેના સ્વરૂપે સંજ્ઞાત થાય-સમ્યક્ પ્રકારે જાણવામાં આવે, બરાબર ઓળખાય તે સંજ્ઞા. ધર્મસંન્યાસયોગ'—જેમાં ધર્મોને સંન્યાસ એટલે ત્યાગ હોય છે તે ધર્મસંન્યાસ. અહીં “ધર્મો એટલે સર્વ પ્રકારના શાપથમિક ભાવ-ક્ષપશમથી ઉપજતા ભાવો સમજવા. ક્ષયે પશમ ભાવથી ક્ષમા વગેરે જે જે ભાવ ઉપજે છે, તે તે ધર્મો છે. આ ક્ષયોપશમરૂપ ધર્મોને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, કારણ કે આ મહાત્મા સામર્થ્યયોગી ક્ષપણી પર આરૂઢ થઈ, કર્મોને ખપાવતે ખપાવતે-ખતમ કરતે કરતે આગળ વધે છે, એટલે તેને કર્મક્ષયથી ઉત્પન્ન થતા ક્ષાવિકભાવ ઉપજે છે, ક્ષાયિક સમ્યકત્વ-દર્શન-જ્ઞાનચારિત્ર આદિ ગુણે પ્રગટે છે. આમ ક્ષાયિક ભાવ ઉપજતાં ક્ષયે પશમ ભાવો ત્યજાતા જાય છે. “ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે; આદિક બહુ ગુણ સસ્ય, આતમઘર નીપજ્યા રે....શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનમ્યો છે.” –શ્રી દેવચંદ્રજી ગસંન્યાસ યોગ–ગસંન્યાસ એટલે જેમાં યોગોનો એટલે કે મન-વચન-કાયાના કર્મોને સંન્યાસ–ત્યાગ હોય છે તે. મન-વચન-કાયાના યુગને જ્યાં અભાવ છે, એવી અગી અવસ્થા જ્યાં હોય છે, તે યંગસંન્યાસ છે. “મન વચન કાયા ને કમની વગણ, છુટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું “અગી” ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે...અપૂર્વ.” -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બન્ને નામ આપ્યા છે તે યથાર્થ છે. છે. તેમાં જે જ્યારે હોય છે, તે ત્યારે કહી એમ આ સામર્થ્યોગ બે પ્રકાર બતાવવા માટે કહે છે : Page #103 -------------------------------------------------------------------------- ________________ ધમ સન્યાસયેગ (37). द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् / आयोज्यकरणादूर्ध्व, द्वितीय इति तद्विदः // 10
Page 60
// બીજા કરણ અપૂર્વમાં, પહેલે તાત્ત્વિક હેય; આજ્યકરણની પછી, તજ બીજો જય, 10 અર્થ –બીજા અપૂર્વકરણમાં તાત્વિક એવો પ્રથમ ગ-ધર્મસંન્યાસગ હોય; અને આ જ્યકરણથી આગળમાં બીજે ગગસંન્યાસ યોગ હોય, એમ તેના જ્ઞાતા-જાણકારો વૃત્તિ-દ્વિતીયાપૂર્વાઓ–બીજા અપૂર્વકરણમાં, ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વકરણના વ્યવછંદ–અપવાદ અથે બીજાનું ગ્રહણ કર્યું; કારણ કે પહેલા અપૂર્વકરણમાં પ્રસ્તુત સામર્થ્યાગની અસિદ્ધિ હોય છે. “અપૂર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે - કે જે અનાદિ સંસારમાં પણ તે તે ધર્મસ્થાનોમાં વર્ણ ના જીવને તેવા પ્રકારે પૂર્વ ઉપ હોતો નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે. તેમાં આ પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથભેદ તે લ છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રથમ આદિ લિંગ-ચિન્હવાળે આત્મપરિણામ છે. કહ્યું છે કે –“બરામાંજનિકાનપુસ્તિયામિ વ્ય૪િળ તરવાયૅશ્રદ્ધાનં સભ્યપૂનમ !" -પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયની અભિવ્યક્તિ (પ્રગટપણું) એ જેનું લક્ષ છે, એવું તત્ત્વાર્ધશ્રદ્ધાન તે સમ્યગ્ગદર્શન છે. યથાપ્રાધાન્ય–પ્રધાનપણા પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણી) છે, અને તે શ્રાનુપૂર્વથી-ઊલટા ક્રમે સુંદર છે, એમ સમયવિદે-શાસ્ત્રો કહે છે. અને આ બીજું અપૂર્વકરણ, કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંખ્યય સાગરોપમ વ્યતીત થયે હોય છે,–તે બીજા અપૂર્વકરણમાં શું ? તે કે કથમસત્તારિત્રો મત' પ્રથમ તાવિક હોય છે. પ્રથમ એટલે ધર્મ સંન્યાસ નામથી ઓળખાતે મેગ તાવિક–પારમાર્થિક એવો હોય છે. અને એ ક્ષપકશ્રેણીવાળા યોગીને હોય છે, કારણ કે ક્ષાપશમિક એવા ક્ષમા વગેરે ધર્મોની એને નિવૃત્તિ હોય છે. (ક્ષમા વગેરે ક્ષયે પશભરૂ૫ ભાવે –ધર્મો દૂર થઈ ગયા હોય છે.) એટલા માટે આ આમ ઉપન્યાસ-રજૂઆત છે. અતાવિક એવો ધર્મસંન્યાસયેગ તે પ્રત્રજ્યાકાળે પણ હેય છે, કારણ કે પ્રવૃત્તિલક્ષણ ધર્મોને ત્યાં સંન્યાસ-યાગ છે, એવી પ્રવ્રયા-દીક્ષા જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ-અંગીકારરૂપ છે. એટલા માટે જ આ પ્રવ્રયાને ભવવિરક્તને જ અધિકારી કહ્યો છે. કહ્યું છે કે : " अथ प्रव्रज्याई आर्यदेशोत्पन्न :, विशिष्टजातिकुलान्वितः, क्षीणप्रायकर्ममलः, अत एव विमलबुद्धिः; Page #104 -------------------------------------------------------------------------- ________________ (38) યોગદક્ટિસમુચ્ચય વિવેચન સામર્થ્યગના ધર્મસંન્યાસ ને સંન્યાસ એમ બે વિભાગ પાડ્યા, તે પ્રત્યેક ક્યારે હોય છે, તે અહીં બતાવ્યું છે :-(1) પ્રથમ પ્રકારનો સામગ-તાવિક એવો ધર્મસન્યાસ ગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (2) બીજા પ્રકારનો સામગ-ચાગસંન્યાસ ગ આયેાજ્યકરણથી આગળમાં હોય છે. 'दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः,' इत्यवगतसंसारनैर्गुण्यः, तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, વિનીત, કારિ જ્ઞાનયજ્ઞનવદુત, ગોવા, વાળા, શ્રદ્ધા, સમુપના " ( અર્થ માટે જુઓ ઉપર વિવેચન.) કારણ કે આવો ન હોય તે જ્ઞાનયોગ આરાધે નહિં, અને આવો હોય તે ન આરાધે એમ હોય નહિં(આરાધે જ), એમ સર્વજ્ઞવચન-આગમ ભાવવા એગ્ય છે. તેથી આ અનિરૂપિત અર્થ નથી. જયાતૂર્થે–આયોજ્યકરણથી આગળમાં કેવલાભેગથી અચિત્યવીર્યપણાએ કરીને આયોજીને, તેવા તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભપગ્રાહી કર્મની તથા પ્રકારના અવસ્થાના ભાવમાં કૃતિ, તે આયોજ્યકરણ છે. (કેવલાભેગથી આયોજીને ભોપગ્રાહી કમની સ્થિતિ તરત ખપાવી દેવાય એવી કરી દેવી તે આ યકરણ છે). આનું ફલ શશી અવસ્થા છે. એટલા માટે જ કહ્યું દિતી રૂત્તિ તબૂિ-બીજો “ગસંન્યાસ' નામને સામગ હેય છે, એમ તેના જ્ઞાતાઓજાણકારો કહે છે, કારણ કે શિલેશી અવસ્થામાં અને ભાવ-હેવાપણું છે. આ સર્વ આગમિક વસ્તુ છે. અને તેવા પ્રકારે એને સંવાદી (મળત) અર્થ-આગમવચન છે - “વાં કાવત્ત રામળિચટ્ટિમેવ મવાળા इयरेसिं पढम चिय भगइ करणं ति परिणाम / जा गण्ठी ता पढमं गण्ठिं समच्छ ओ भवे बीयं / अणियट्टीकरणं पुण सम्मत्तपुरकडे जीवे / गण्ठित्ति सुदुन्भेओ कक्खडघणरूढगूढगण्ठित्र / जीवस्स कम्म जणिओ घणरागदेसिपरिणाम / / एत्तो विवजी खलु भिण्णे एयम्मि समणाणं तु /
Page 61
थोवं पि सुपरिसुद्धं सञ्चासम्मोहहे रत्ति // सम्मत्तंमि उ लद्धे पलियपुहत्तेण सावओ हाइ / चरणोवसमखयाणं सागरसंखन्तरा होन्ति // " ઈત્યાદિ લેશથી આ પરિભાવિત અર્થવાળું છે. (અર્થ માટે જુઓ ઉપર વિવેચન.) Page #105 -------------------------------------------------------------------------- ________________ ધમસન્યાસયોગ (૩૯) – તાવિક ધર્મસંન્યાસ યોગ - તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પરમાર્થિક કોટિને ધર્મસંન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં બીજા અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે જે ગ્રંથિભેદનું કારણ છે, બીજા અપૂર્વ– તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિં એટલા માટે બીજામાં કરણમાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આ અપૂર્વકરણ બે છેઃ-(૧) ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. આ અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ” એટલે અનાદિ કાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વે પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુર્ભેદ-ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ કર્મની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. “અને આ દુદ - કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીણ ભાવ–વાથી ગ્રંથિભેદ ભૂદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે–જેવો રેગીને ઉત્તમ ઔષધથી રેગ કાબૂમાં આવતાં ઉપજે છે તેવો. અને આ ગ્રંથિને ભેદ પણ એવો હોય છે કે તેનું પુનઃ તેવા પ્રકારે હોવાપણું હોતું નથી. તે એક વાર તૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે, કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હોતું નથી. “આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણનો હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદ્દર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદર્શન–સમ્યગદર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે.” * " तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेग बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । सद्वथाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥ भेदोऽपि चास्य विज्ञेयो न भूयो भवनं तथा । तीव्रसंक्लेशविगमात्सदा निःश्रेयसावहः ॥ जात्यन्धस्य यथा पुसश्चक्षुर्लाभे शुभोदये । सद्दर्शनं तथैवास्य ग्रन्थिभेदेऽपरे जगुः " – મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત ગબિંદુ Page #106 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ગદષ્ટિસમુચ્ચય સમ્યગદર્શન-આમ ગ્રંથિભેદના ફળ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તાર્થનું શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ તત્ત્વ છે, તેના ભૂતાઈનું-પરમાર્થનું શ્રદ્ધાન થવું, શ્રદ્ધા સમ્યગદર્શન ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે. “આ નવ તત્ત્વરૂપ અનેક વણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્રસોનાને દોરે પરોવાયેલું છે, ચિરકાળથી છુપાઈને રહેલો છે. તેને ખોળી કાઢી સમ્યગૃષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાયેલ છે, તેનું કારણ પુણ્યપાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આશ્રવ છે; આશ્રવ થયે બંધ થાય છે; આશ્રવનેનવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે જૂના કર્મોને નિર્જરાથી ખેરવી શકાય છે; અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મવિભાવરૂપ મોક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મોક્ષરૂપ બને છે;–આવી તાત્વિક પ્રતીતિ તે સમ્યગદષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, “આત્મખ્યાતિ” થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજુ નામ સમકિત છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળો જિનને
Page 62
રે. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતમૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત..મૂળ –શ્રીમદ્ રાજચંદ્રજી "न सम्यकत्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि । થોડા મિથ્યાવરમ નાચત્ત–મૃતામ્ શ્રી સમંતભદ્રાચાર્યજી અર્થાત્ –ત્રણે કાળમાં, ત્રણેય લેકમાં, સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી, અને મિથ્યાત્વ સમું કઈ અશ્રેય નથી.” x “રિમિતિ નવતરવ8ન્નમુન્નીયમાનમ્, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपम् , બરિપબિમામલેરિતમાનનુ છે ? –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંન્યાસયોગ (૪૧) અને આમ ગ્રંથિભેદ થઈ, આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિથી જેને પરમ આનંદવલાસ ઉપ છે, એવા સમ્યગદષ્ટિ યોગી પુરુષના આવા સહજ અનુભવ ઉદ્ગાર નીકળી પડે છે – આત્મા જ્ઞાન પામે એ તે નિ:સંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.” -શ્રીમદ્ રાજચંદ્રજી આવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન અપૂર્વકરણ વડે ગ્રંથિભેદ થયા પછી પ્રાપ્ત થાય છે. અને આ સમ્યગદર્શનને પાંચ લિંગ એટલે પ્રગટ ચિહ્ન છે :-(૧) પ્રશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિક્ય. પ્રધાનપણું પ્રમાણે આ સમ્યકત્વના લક્ષણોને આમ પૂર્વનુપૂર્વ અનુક્રમ છે, પણ પશ્ચાનુપૂર્વથી એટલે ઊલટા ચિન્હ અનુક્રમે એ સુંદર-રૂડા છે, એમ શાસ્ત્રનું રહસ્ય જાણનારા કહે છે. કારણ કે આસ્તિક્ય ન હોય તે પ્રશમ આદિ સુંદર-સારા ન લાગે, શોભે નહિ, ઈત્યાદિ ઊલટા ક્રમે સમજવું. અને સુલટા ક્રમે પ્રથમનું લક્ષણ હોય તે પછીનું લક્ષણ આવે એમ સમજવું. તે આ પ્રકારે – પ્રથમ તે પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારને અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મેક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે, અને સ્વદયા-પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે ત્યારે પાંચ આસ્તિકય ગુણ પામવાની યોગ્યતા-પાત્રતા તેનામાં પ્રગટે. ( આમ સુલટા ક્રમે છે. ) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જોગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ.” – શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ અથવા ઊલટા ક્રમે આસ્તિક એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વની-હેવાપણાની આસ્થા–અંતર્ પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકંપા ઉપજે આ જીવાદિ જાણી તેને અનુસરતો કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા–પિતાના આત્માની અનુકંપ ઉપજે કે–અરે ! Page #108 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ગદષ્ટિસમુચ્ચય હું અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરવસ્તુમાં રમ્યો ! તે રમવા ગ્ય નહોતું. એવો ક્ષોભ-કંપ આત્મામાં થાય તે અનુકંપા. જેમકે – હું છોડી નિજરૂપ રમ્ય પર પુલે, ઝી ઊલટ આણી વિષય તૃષ્ણ જલે વિહરમાન” -શ્રીદેવચંદ્રજી એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિવેદ-સંસારથી અત્યંત કંટાળો આવી જાય. આ કાજળની કેટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી, એમ સંસારથી તે ઉભગે. અને એ નિર્વેદ-કંટાળે ઉપજતાં, સંવેગ એટલે મોક્ષનો તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસાર બંધનથી હું ક્યારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતો તે દઢ મુમુક્ષુ બને, અને તેના પરિણામે પ્રશમ પ્રગટે, વિષય-કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે અને તેને આત્મા સ્વસ્વરૂપમાં સમાઈ જાય. આવા પાંચ લક્ષણવાળું સમ્યગદર્શન જીવને પહેલા અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયે સાંપડે છે. અને પછી કમ સ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે, આ બીજુ અપૂર્વકરણ-અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાત્વિક તાત્વિક ધર્મ. ધર્મસંન્યાસગ ક્ષપકશ્રેણીમાં ચઢતા સામર્થ્યાગીને હોય છે, સંન્યાસ
Page 63
કારણ કે તે ક્ષેપક થેગી ક્ષમા વગેરે ક્ષે પશમરૂપ ધર્મોથી નિવર્યો છે, અને કોધાદિ કષાયરૂપ સર્વ કર્મ પ્રકૃતિને જડમૂળથી ખપાવવારૂપ ક્ષાયિકભાવ ભણી પ્રવર્તે છે. અને આવો જે “ધર્મ સંન્યાસ” નામને સામગ છે, તે જ ખરેખર તાત્વિક, પારમાર્થિક “ધર્મસંન્યાસ’ ગ છે. અતાવિક ધર્મસંન્યાસ” તે પ્રધ્વજ્યા-દીક્ષા અવસરે પણ હોય છે, કારણ કે જેમાં પ્રવૃત્તિરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, તે નિવૃત્તિરૂપ પ્રવજ્યા-દીક્ષા કહેવાય છે. પાપ માંથી પ્રકર્ષે કરીને શુદ્ધ ચરણગમાં વ્રજન-ગમન તે “પ્રવજ્યા” છે. અતાવિક વિષયકષાયાદિ દુષ્ટ ભાવોનું મુંડન-છેલણક્રિયા તેનું નામ “દીક્ષા છે. ધર્મ સં. આ પ્રયા (દીક્ષા-સંન્યાસ) જ્ઞાનયોગના અંગીકારરૂપ છે એટલા માટે જ સંસારથી જે અંતરંગ પરિણામથી ખરેખર વિરક્ત થયે હય, ચિત્તમાં અત્યંત વૈરાગ્યવંત થયું હોય, તે જ તેવી જ્ઞાનગની પ્રતિપત્તિરૂપ દીક્ષાનો અધિકારી પાત્ર કહ્યો છે. દીક્ષાને ગ્ય, મુનિધર્મ ગ્રહણ કરવાને ગ્ય પાત્ર જીવ કેવા વિશિષ્ટ ખાસ લક્ષણવાળે હેવો જોઈએ, તે અહીં કહ્યા છે – (૧) જે આર્ય દેશમાં ઉત્પન્ન થયો હોય, (૨) વિશિષ્ટ જાતિ–કુલવાળે હોય, (૩) જેને કમલ ક્ષીપ્રાય–લગભગ ક્ષીણ થવા આવ્યું હોય, (૪) એથી કરીને જ જે વિમલ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૪૩) બુદ્ધિવાળા હેાય, (૫) · મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણુ છે, સંપદીક્ષાના દાએ ચપલ છે, વિષયેા દુઃખના હેતુ છે, સંચાગમાં વિયેાગ છે, પ્રતિક્ષણે અધિકારી મરણુ છે, કર્મના વિપાક દારુણ છે’-એમ જેણે સંસારનુ નિશુંપણું–નગુણાપણું, નિઃસારપણું, તુચ્છપણું જાણ્યું હાય, (૬) તેથી કરીને જ તે સ’સારથી જે વિરક્ત થયેા હાય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દુબળા પડી ગયા હાય-જે મદકષાયી હાય, (૮) જેનામાં હાસ્ય રતિ-અરતિ વગેરે અલ્પ હાય, (૯) જે કૃતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળા કદરદાન હેાય, (૧૦) વિનીત–વિનયગુણુસ’પન્ન હેાય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજને ને બહુમત-માનીતા હાય, જેનું સમાજમાં પણ વજન પડતુ હોય એવા પ્રતિષ્ઠિત-માનનીય હાય, (૧૨) અદ્રોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેના જે દ્રોહ કરનાર ન હેાય, (૧૩) જે કલ્યાણ અંગવાળા-ભદ્રમૂત્તિ હાય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભદ્ર-ભલા-રૂડા જીવ છે, એવા હાય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક્ શ્રદ્ધાવત, શ્રદ્ધાળુ હાય, (૧૫) સ્થિર હાય, ચળવિચળ પરિણામી ન હેાય, (૧૬) સમુપપન્ન હાય, એટલે સમ્યક્ પ્રકારે સદ્ગુરુને શરણે આવેલે આત્મસમર્પણ કરનારા હાય. જેમકે— ધમ સન્યાસયેાગ “શું પ્રભુ ચરણુ કને ધરૂ', આત્માથી સહુ હીન; તે તા. પ્રભુએ આપિએ, વતુ” ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતા પ્રભુ આધીન; દાસ દાસ હુ' દાસ છું', આપ પ્રભુના દીન. ’’ —શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ આવા લક્ષણવાળા ન હોય તે જ્ઞાનયેગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળા હાય તે આરાધ્યા વિના રહે નહિ, એમ શ્રી સર્વજ્ઞદેવનુ વચન છે. તેથી આ ઉપર જે કહ્યુ. તે બધુય યથાર્થ છે. આમ પ્રવ્રજ્યા સમયે અતાત્ત્વિક ધર્મસ'ન્યાસ, અને ક્ષેપકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મસંન્યાસ હાય છે, એમ સ્પષ્ટ કર્યું. અને આમ ક્ષપકશ્રેણીગત ચેાગીને બીજા અપૂર્વ કરણમાં' આ તાત્ત્વિક ધમ સન્યાસ નામના સામર્થ્ય યોગ હોય છે. આને અપૂર્વકરણ એટલા માટે ખીજુ કહેવામાં આવે છે કે–તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુએનું કરણ-નિન અપૂર્ણાંકરણ કરવાપણું) હાય છેઃ-(૧) સ્થિતિઘાત (ર) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસક્રમ, (૫) સ્થિતિબધ. તે આ પ્રકારે (૧-૨) મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણીય વગેરે કમની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનઘાત કરવામાં આવે છે,-છેદ ઉડાવવામાં આવે છે; તથા કર્માંના પ્રચુર રસનું અપૂર્વ ખંડન Page #110 -------------------------------------------------------------------------- ________________ (૪૪) યોગદષ્ટિસમુચ્ચય ઘાત કરી અત્યંત અ૯૫૫ણું કરી દેવામાં આવે છે. આમ વિશુદ્ધિના પ્રકૃષ્ટપણથી આ સ્થિતિઘાત-રસઘાત એ બન્ને આગલા ગુણસ્થાનકની અપેક્ષાએ અપર્વ હોય છે. (૩) તેમજ અત્રે અત્યંત વિશુદ્ધિના સામર્થ્યથી
Page 64
ગુણશ્રેણીની વિરચના એવી અપૂર્વ કરે છે, કે કમના દળીઆ ઝપાટાબંધ ટપોટપ ઉડાવી દેવા માટે ગોઠવાઈ ગયા હોય છે. (૪) તથા બંધાતી શુભ પ્રકૃતિએમાં અશુભ દળીઆનું પ્રતિક્ષણે અસંખ્ય ગુણવૃદ્ધિથી લઈ જવું–સંક્રમણ કરવું, તે ગુણસંક્રમ પણ અહીં અપૂર્વ હોય છે. (૫) અને કર્મોની સ્થિતિ પૂર્વે અશુદ્ધપણાને લીધે ઘણી લાંબી બાંધતો હતો, તે અહીં અપૂર્વકરણમાં અત્યંત વિશુદ્ધ પણાને લીધે ઘણી ટૂંકી બાંધે છે. આમ આ પાંચ વાનાં અત્રે અપૂર્વ હોય છે, એટલા માટે “અપૂર્વકરણ” નામ સાર્થક છે. આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને જે યોગી પુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્તિવક ધર્મસંન્યાસયોગ હોય છે, કારણ કે તે ક્ષપશમરૂપ ધર્મોનું ક્ષપણ કરતે કરતે આગળ વધે છે, કર્મ પ્રકૃતિએને સર્વથા ખપાવતે ખપાવત, ક્ષપકશ્રણ ખતમ કરતે કરતે, ઊડાવતે ઊડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુને ક્ષય કરતા કરતા, આ પરમ સમર્થ વીર પુરુષ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. – બસંન્યાસ યોગ – અને બીજે જે બગસંન્યાસ” નામનો સામર્થ્યોગ છે, તે આજ્યકરણની પછી હોય છે. તે આ પ્રકારે – અચિંત્ય વીર્યપણુએ કરીને, અસાધારણ આત્મસામર્થ્યથી કેવલી ભગવાન સમુદઘાત કરે છે, તે પહેલાં આયેાજ્યકરણ કરે છે. આયકરણ એટલે શું? આજીને કરવામાં આવતે ગવ્યાપાર તે આયેાજ્યકરણ આ મર્યાદા -કેવલીએ દીઠેલ મર્યાદા આયોજ્યકરણ પ્રમાણે જન=જવું તે, શુભ યોગનું વ્યાપારણ-પ્રવર્તન; કરણ=પરિણામ વિશેષ, સામર્થ્યવિશેષ. કેવલી ભગવાને દીઠેલી મર્યાદા પ્રમાણે, ઉદીરણાઆવલિમાં ભવોપગ્રાહી કમેને પ્રક્ષેપ કરવો તે આયોજ્યકરણ છે. એટલે કે આ છેલા ભવમાં ભોગવવાના જે બાકી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જે વેદનીય વગેરેની સ્થિતિ આયુષ્ય કરતાં વધારે હોય, તે તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણ કરે છે, જ્યકરણ કરે છે, કે જેથી કરીને સમુદ્રઘાત વડે તે તે કર્મોને જલ્દી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય. Page #111 -------------------------------------------------------------------------- ________________ બસંન્યાસયેગ (૪૫) આવું આયેાજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદઘાત કરે છે. સર્વ કેવલી ભગવાન સમુદ્દઘાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી- કરતાં વધારે હોય છે, તેઓ જ તે કર્મોના સમીકરણ માટે સમુદ્દઘાત સમુદ્રઘાત કરે છે, કે જેથી કરીને તે કર્મોને શીધ્ર ભેળવી લઈ તેને તત્કાલ નિકાલ કરી દેવાય. મૂળ શરીરને છોડ્યા વિના, ઉત્તર દેહરૂપ જીવપિંડનું-આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવું તેનું નામ સમુદ્યાત છે. સમુદ્રઘાત એટલે સમ્ - ઉઘાત, સમ સમ્યફપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હોય એ રીતે, ઉત્ = પ્રાબલ્યથી, પ્રબલપણથી ઘાત કર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રબલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મને પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્રઘાત છે. આ કેવલિસમુદ્દઘાતમાં આત્મપ્રદેશનો વિસ્તાર કરી–વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખો લેક દંડ-કપાટપ્રતર આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મ પ્રદેશને સ્પર્શ, શીધ્ર ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મપ્રદેશને ઊલટા ક્રમે ઉપસંહાર કરાય છે. આ બધે વિધિ માત્ર આઠ સમયમાં પૂરો થાય છે ! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમથયેગી અત્ર વ્યક્ત કરે છે !! અને આ આયોજ્યકરણ ને સમુદ્રઘાતનું ફળ-પરિણામ શિલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના વેગને સર્વથા નિરોધ કરી, આ પરમ સમર્થ યેગી ચોથું શુકલધ્યાન ધ્યાવત સત, શિલેશ-મેરુપર્વત શેલેશીકરણ જેવી નિષ્પકંપ અડોલ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અથવા સર્વ સંવરરૂપ સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્ત પરમ યેગીની શેલેશ-મેરુ જેવી નિષ્કપ મેગનિરોધરૂપ અવસ્થા તે
Page 65
શેલેશીકરણ; અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ યેગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ આ શલેષી અવસ્થા, પાંચ હૃસ્વ અક્ષર (અ, ઈ, ઉ, , લ) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ આયેગી થેગી ઊર્ધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે. ઉત્કૃષ્ટ વિરજ નિવેશ, ગક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતા શિલેશે, આતમશક્તિ ન બેસે રે....વીરજીને ચરણે લાગું.” –શ્રી આનંદઘનજી * " मूलसरीरमच्छंडिय उत्तर देहस्स जीवपिंडस्स। નિગામ રેહા હૃાર સમુદ્વાર ગામ ” –શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવર્જી કૃત ગમઢસાર Page #112 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ગદષ્ટિસમુચ્ચય વીય ક્ષાયિક બલે ચપળતા ગની, ધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શેલેશીમે પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કમશેષી.” શ્રી દેવચંદ્રજી “મન-વચન-કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે અપૂર્વ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ રવરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જો....અપૂર્વ -શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બગસંન્યાસ લેગ શિલેશી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. – યથાપ્રવૃત્તકરણ આદિ – ભવ્યને યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણેય કરણ પ્રાપ્ત થાય છે, અને બીજાઓને એટલે કે અભવ્યોને પહેલું યથાપ્રવૃત્તકરણું જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે પરિણામ. (ગાથા ૧). જેમ ગિરિ-નદીનો પત્થર ઘસાતાં, પીસાતાં, કૂટાતાં, પીટાતાં, ઘર્ષણ–ચૂર્ણન ન્યાયે ગોળ લીસે થાય છે, તેમ અનાદિ સંસારમાં રખડતા આથડતા જીવને કવચિત્ કવચિત્ કેમે કરીને ભાવમલની ક્ષીણતા થતાં તથાભવ્યતાને પરિપાક થયે, એ કોઈ વિશિષ્ટ યથાપ્રવૃત્તકરણ આત્મપરિણામ થઈ આવે છે, એવી કોઈ કર્મ સ્થિતિ રસની મંદતા ઉપજે છે, કે તે ગ્રંથિની નિકટ આવી પડે છે. “આગુસે ચલી આતી હે એ રીતે અનાદિ કાળપ્રવાહમાં પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત્ કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્ય પણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વકણ તે યથાપ્રવૃત્તકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અને તવાર કરે છે, ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે. પણ તે માત્ર સામાન્ય-સાધારણ પ્રયત્નરૂપ હોઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. આ કરણ ભવ્ય -અભવ્ય બનેને પ્રાપ્ત થાય છે, પણ બીજા બે કરણ એકલા ભવ્યને જ પ્રાપ્ત થાય છે, અભને નહિ, એટલે જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતો નથી. અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) આત્મા પરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી, અનન્ય પ્રયત્નથી અસાધારણ (Extraordinary effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) શૂરવીરપણે અપૂર્વ પુરુષાર્થ “યાહોમ કરીને', ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને ભેદ કરવા સર્વાત્માથી પ્રવર્તતે નથી, ત્યાંલગી તે પણ તે કાર્યમાં સફળ થતું નથી. કારણ કે ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે, અસામાન્ય-અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં પૂર્વાનુપૂર્વ યથાપ્રવૃત્ત જેવો Page #113 -------------------------------------------------------------------------- ________________ યથાપ્રવૃત્તકરણ આદિ (૪૭) તે પ્રયત્ન કામ આવે નહિં. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લો સર કરવા માટે બળવાન શસ્ત્રથી ભારી હલે ( Mass attack ) કરવો પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવ-વજને જોરદાર હલ્લો લઈ જવો જ જોઈએ. નહિ તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાત્ ગ્રંથિ આગળથી “પીછેહઠ ( Retreat) કરવી પડે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી છે. પહોંચ્યા નથી. કેઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે. ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે
Page 66
ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છેઅને એ પ્રમાણે મેળ થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અને તીવાર આવી જીવ પાછો ફર્યો છે. કેઈ જીવ પ્રબલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેગ પામી કડી કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યું કે ચેથામાં આવે છે, અને ચેથામાં આવ્યો કે વહેલે મોડો મેક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પણ જીવ જ્યારે છેલ્લા પુદગલાવમાં વર્તતો હોય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વ આત્મઅપૂર્વકરણ ભાવને ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી અપૂર્વકરણને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે અપૂર્વકરણ. એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયેલ નથી એ અપૂર્વ આત્મપરિણામ અને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સે નહિં, તે અનિવૃત્તિકરણ, અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યક્ત્વ થાય છે. તેમાં જ્યાં સુધી ગ્રંથિ છે, યંસુધી યથાપ્રવૃત્તકરણ છે, ગ્રંથિ છેદતાં-ઉલ્લંઘતાં અપૂર્વકરણ છે, અને ગ્રંથિભેદ કરીને જીવ સમ્યકૂવને સન્મુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ છે. (ગાથા-૨). આ ગ્રંથિ એટલે અત્યંત દુર્ભેદ્ય-ભેદની ઘણી કઠણ એવી ગાંઠ. કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ જેવી ઘણી દુષ્કર છે. (ગાથા-૩). એટલા માટે જ તેને ભેદવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થ કરવો આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ ઉપરથી સમજાશે– આકૃતિ–૧ અપૂર્વકરણ ! યથાપ્રવૃત્તકરણ -> અનિવૃત્તિકરણ > સમ્યકત્વ ગ્રંથિભેદ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૪૮) યોગદષ્ટિસમુચ્ચય અને આમ આ ગાંઠ ભેદાઈ ગયા પછી, આ જીવ ગાઢ રાગ-દ્વેષ પરિણામ છોડી દે છે, તેના રાગાદિ મંદ પડી જાય છે, દુષ્ટ અનંતાનુબંધી કષાય ચોકડી સમયફલ્વાદિ નષ્ટ થાય છે, દશનામહ ર થાય છે અને સમ્યગદર્શન પ્રગટે છે. કારણ કે થોડું પણ સુપરિશુદ્ધ એવું સમ્યગ્રજ્ઞાન સાચા અસંમોહને હેતુ હોય છે. (ગાથા-૪). સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પપપૃથફવમાં એટલે કે ચારિત્રમેહનીય કર્મમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ક્ષય થયે, દેશવિરતિપણું સાચું ભાવશ્રાવકપણું પ્રાપ્ત થાય છે; અને તે ચારિત્રમેહમાંથી સંખ્યાતા સાગરોપમ સ્થિતિ ક્ષય થયે, સર્વવિરતિપણુંસાચું ભાવસાધુપણું તથા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી અનુક્રમે પ્રાપ્ત થાય છે. (ગાથા-૫). ઇત્યાદિ અત્રે સંક્ષેપથી કહ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ કર્મગ્રંથ આદિ સ્થળ જેવા. આકૃતિ-૨ ગ્રંથિભેદ પ્રથમ અપૂર્વકરણ -- સમ્યકત્વ. -> બીજું અપૂર્વકરણ આજ્યકરણ ક્ષપકશ્રેણી ૮ ૯ ૧૦ ૧૨ ગુણ સ્થા ન| સમુદ્રઘાત કેવલજ્ઞાન, શૈલેશીકરણ - મોક્ષ – અત્રે એટલું લક્ષમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે તીવ્રસવેગથી અપર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે ઉપરોક્ત પલ્યોપમ–સાગરોપમાદિ જેટલી કમ સ્થિતિ પણ શીઘ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત્ તે જ ભવે પણ મેક્ષ પામે. જે જીવને પુરુષાર્થમાં મંદતા હોય તો તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે. જલદી પુરુષાર્થ રાવે તે જલદી મેક્ષ પામે, માટે ભવસ્થિતિ આદિ ખોટા ન્હાના છેડી દઈ જીવે નિરંતર સત્ય પુરુષાર્થશીલ રહેવું જોઈએ એમ જ્ઞાની પુરુષોના ઉપદેશને આશય સમજાય છે. કારણ કે અન્યકરણથી ઊર્વ–આગળમાં બીજે (ગસંન્યાસ) યોગ હોય છે, એટલા માટે Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગસન્યાસયોગ (૪૯) अतस्त्वयोगा योगानां योगः पर उदाहृतः। मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥ ११ ॥ એથી અયોગ એગમાં, યોગ કહ્યો પરરૂપ, મેક્ષ સાથ યોજનથકી, સર્વસંન્યાસ સ્વરૂપ, ૧૧. અથ
Page 67
:–એટલા માટે તે જે અગ” છે, તેને ગોમાં પરમ પેગ કહ્યો છે. (કારણ કે) મોક્ષ સાથે તે જન-જોડાણ કરે છે અને તે સર્વસંન્યાસ લક્ષણવાળો છે. - વિવેચન આમ ગસંન્યાસ નામને સામર્થ્યગ શૈલેશી અવસ્થામાં હોય છે એમ ઉપરમાં કહ્યું. તેમાં મન-વચન-કાયાના વેગને અભાવ હોય છે, નિરોધ કરઅયોગ વામાં આવે છે, એટલે તે “અગ” કહેવાય છે. અને આ “અયોગ” પરમ યોગ ચગ સર્વ યુગમાં પરમ છે, પ્રધાન છે, કારણ કે તે “મોક્ષે બનાવ્યો મોક્ષ સાથે સાક્ષાત્ જન કરાવનાર એવો ખરેખરા અર્થમાં “ગ” છે, અને તે સર્વસંન્યાસરૂપ લક્ષણવાળે છે, તેમાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે. આને “પરમ” એગ કહ્યો તે યથાર્થ છે, કારણ કે સવ ગોનું જે એક માત્ર અંતિમ સાધ્ય–દયેય મિક્ષ છે, તેની સાથે આ અયોગ ગ જ સાક્ષાત્ યોજન–જોડાણ કરાવે છે. મેક્ષ સાથે જે-જેડે તે વેગ કહેવાય, એમ વ્યુત્પત્તિથી આ બરાબર ઘટે છે. તેમ જ અત્રે સર્વસંન્યાસ હોય છે, અધર્મસંન્યાસ કે ધર્મસંન્યાસ કરતાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે, અને હવે કંઈ પણ ત્યજવાપણું બાકી રહેતું નથી એટલે આ અાગ પરમ શ્રેષ્ઠ ગ છે. અત્રે એક પરમાણુ માત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી. સંપૂર્ણ નિષ્કલંક એવું અડેલ આત્મસ્વરૂપ પ્રગટે છે. અનન્ય એવી શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ વ્યક્ત થાય છે. અગુરુલઘુ એવું અમૂર્ત સહજાન્મસ્વરૂપ પદ સિદ્ધ થાય છે. આ સહજાન્મસ્વરૂપ પદને વૃત્તિ-બત પવ–એટલા માટે જ, શિલેથી અવસ્થામાં વેગસંન્યાસરૂપ કારણને લીધે, -અયોગ, યોગને અભાવ (મન-વચન-કાયાના યોગને અભાવ). ચેનાં–મિત્રા આદિ યોગની મધ્યે, શું? તે કે-જેજ: પાઃ-પરમગ, પ્રધાનમ, રદત્ત – કહ્યો છે. કેવી રીતે ? તે માટે કહ્યું – મે કન પાર–મેક્ષ સાથે જન-ભાવરૂપ હેતુથી, જોડાણ કરવારૂપ ભાવથી. નનાદુ છેઃ —જનને લીધે યોગ, એમ સમજીને. આનું સ્વરૂપ કહે છે:સર્વસંચારક્ષા –સર્વ સંન્યાસરૂપ લક્ષણવાળે, કારણ કે અધર્મસંન્યાસ ને ધર્મસંન્યાસ કરતાં પણ અને પરિશુદ્ધિનો ભાવ છે, એટલા માટે. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૨૦) યોગદષ્ટિસમુચ્ચય શ્રીસર્વજ્ઞ દેવે જ્ઞાનમાં દીઠું છે, પણ તે શ્રી ભગવાન પણ તેનું સ્વરૂપ વર્ણવી શકતા નથી, તે સ્વરૂપનું વર્ણન અન્ય વાણી તે કેમ કરી શકે? તે જ્ઞાન તે માત્ર જ્ઞાનીને અનુભવગમ્ય છે. “જે પદ દીઠું શ્રી સર્વ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે......અપૂર્વ.” –શ્રીમદ્ રાજચંદ્રજી આમ ઈછાયેગીએ શરૂ કરેલી મોક્ષરૂપ ઈષ્ટ સ્થાન ભણીની મુસાફરી અહીં પૂરી થાય છે. એગમાગે અખંડ પ્રયાણ કરતાં, કવચિત મંદ-કવચિત તીવ્ર વેગે ચાલતાં ચાલતા ચગી, શુભેચ્છાથી માંડી શેલેશીકરણ પય તની સમસ્ત ગભૂમિકાઓ વટાવી જઈને, અગ એવા શિશીકરણરૂપ મેક્ષનગરના ભવ્ય દરવાજે આવી ઊભે છે, અને પછી તક્ષણ રે નગરમાં પ્રવેશ કરે છે. આકૃતિ–૩ ઇરછાયોગ શાસગ ધર્મસંન્યાસ સામર્થ્ય વેગ યોગસંન્યાસયોગ તીવ્ર ઇચ્છાદિ | તીવ્ર શાસબેધ-શ્રદ્ધા પ્રતિભાન કેવલજ્ઞાન શ્રેણી મન-વચન-કાયત્યાગ મેક્ષ લેશીકરણ ગુણસ્થાન સપ્રમાદ અપ્રસાદ અપ્રમાદ દ્વિઅપૂર્વ કરણ व ४ ५ ६ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ઇચ્છાયાગાદિનું કેષ્ટક-૧ યોગનું નામ કેનું મુખ્યપણું મુખ્ય લક્ષણ પાત્ર ગી ગુણસ્થાન સાચી ધર્મ ઈચ્છી, શાસ્ત્ર | સાચો ધર્મ ઈચછક, ૪–૫-૬ શ્રવણ-મૃતધ-સમ્યઈચ્છાગ ઈચ્છાપ્રધાન આગમ શ્રેતા, સમ્ય (ઉપલક્ષણથી દષ્ટિ, છતાં પ્રમાદજન્ય વિકલતા | જ્ઞાની, પણ પ્રમાદયુક્ત વ્યવહારથી૧) શાસ્ત્રોગ શાત્રપ્રધાન શાસ્ત્રપટુતા. શ્રદ્ધા, અપ્રમાદ શાસ્ત્રપટુ, શ્રદ્ધાળુ અપ્રમાદી ધર્મસંન્યાસ સામર્થ્યપ્રધાન ! શાસ્ત્રથી પર વિષય, પ્રાતિ-સ્વસ વેદન- * અનુભવજ્ઞાન. ક્ષયોપશમ ધમેને ત્યાગ. ક્ષપકશ્રેણીગત યોગી અને સગી કેવલી ૮–૯–૧૮૧૨-૧૩ સામગ્ધ ચાગ યોગસંન્યાસ સામર્થ્યપ્રધાન | મન-વચન-કાયાના યોગનો ત્યાગ–અયોગ. પરમ યોગ અગી કેવલી ૧૪ શૈલેશી અવસ્થામાં Page #117 -------------------------------------------------------------------------- ________________ સારસમુચ્ચય 2112HY2214-( Summary) આમ
Page 68
અત્રે ઇચ્છાયેગ, શાસ્ત્રોગ, ને સામર્થયેગ એ ત્રણ યોગનું સ્વરૂપ કહ્યું, એને સારસમુચ્ચય સમજવા માટે સ્કૂલ રૂપક-ઘટના કરીએ: કેઈ ભયંકર અટવીમાં કોઈ મુસાફર ભૂલે પડી ગયે હોય, ને ચારે કેરથી મુંઝાઈ ગ હોય, તેને તેમાંથી છૂટવાને કઈ રસ્તો બતાવે એવી તેની કેવી તીવ્ર ઈચ્છા હોય? કોઈ રોગી મહારોગના પંજામાં સપડાયો હોય, તે કઈ કુશળ વૈદ્ય મળી જાય ને આરોગ્ય પ્રાપ્તિ થાય, એમ કેવું છે? ઉજજડ મભૂમિમાં ભર ઉન્હાળામાં કોઈ તર થયે હોય, તે પાણી માટે કેટલું છે ? તેમ આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલો પડેલો જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઈચ્છે છે, મોક્ષરૂપ ઈષ્ટ સ્થાને જવા ચાહે છે. એટલે પછી સૂંઢ ઢંઢતો તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે. તેની પાસેથી ઈચ્છાગી તે માગેની માહિતી મેળવી-સાંભળી, અમુક દિશામાં આ માર્ગ છે, એમ તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે. પછી તે શ્રદ્ધાપૂર્વક તે ઉદ્દિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે. પણ માર્ગની કઠિનતાથી તથા પિતાને અનુભવ હજુ કાર્યો હોવાથી તેને કવચિત્ પ્રમાદ થઈ આવે છે. એટલે મુસાફરી કવચિત્ અટકી જાય છે કે ધીરી પડે છે, કવચિત્ વેગવંતી બને છે. આમ આ ઈછાયોગી આગળ વધતો જાય છે. આ મુસાફરી દરમ્યાન શાસ્ત્રરૂપ ભેમીઓ (Guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માર્ગ દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક આગળ ધપે છે. પોતાની શક્તિ પ્રમાણે, શાસ્ત્રની પિતાના પગમાં જોર હોય તેટલા વેગથી, તે અપ્રમાદી પણ આગળ પ્રગતિ કરતે જાય છે. આમ આગળ ને આગળ પ્રયાણ કરે તે ભયાનક અટવી વટાવી જઈને, સુંદર રાજમાર્ગ પર–ધોરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળને મોક્ષસ્થાન ભણીને રસ્તે ચોકખેચેખો દેખાય છે. ત્યાં શાસ્ત્રરૂપ ભેમીઓ તેને કહી દે છે કે-હે મહાનુભાવ શાસ્ત્રગી! જુઓ, આ માર્ગ સીધે સડસડાટ મોક્ષસ્થાન પ્રત્યે જાય છે. તે તરફ સીધા ચાલ્યા જાઓ! તેમાં આ આ સામાન્ય સૂચના આપું છું, તે પ્રમાણે તમે ચાલ્યા જજો. વધારે વિગતની તમે જેમ જેમ આગળ જશે, તેમ તેમ તમને તમારી મેળે ખબર પડતી જશે. એટલે હવે હારે તમને આગળ વળાવવા આવવાની જરૂર નથી. તમે પોતે “સમર્થ છે. માટે વિતે કથા | Page #118 -------------------------------------------------------------------------- ________________ (પ) ગદષ્ટિસમુચ્ચય એટલે તે યોગી વળતું કહે છે-હે પરમ ઉપકારી સશાસ્ત્ર! આપને હું ક્યા શબ્દોમાં આભાર માનું? આપે હારા પર અચિંત્ય ઉપકાર કર્યો છે. આટલી ભૂમિકાએ હું પહોંચ્યા છું, તે બધું આપને પ્રતાપ છે, ને આગળ માટેની જે આપે કિંમતી સૂચના બતાવી તે માટે પણ હું આપને ત્રાણી છું, હું આપની તે આજ્ઞાને અનુસરવા સદા તત્પર રહીશ, અને મને ખાત્રી છે કે આપની કૃપાથી હું હારા ઈષ્ટ સ્થાને-મેક્ષનગરે હવે થોડા વખતમાં જલ્દી પહોંચીશ. આપે હારા માટે ઘણે શ્રમ લીધો છે, ને મેં પણ આપની આજ્ઞા ઉઠાવવાનો યથાશક્તિ પરિશ્રમ કર્યો છે, છતાં આજ્ઞાભંગ થયો હોય તે ક્ષમા! વારુ, નમસ્કાર! પછી તે સમર્થ યોગી આત્મસામર્થ્યથી વેગમાર્ગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દેડડ્યો જાય છે. પ્રાતિલ જ્ઞાન–અનુભવજ્ઞાન દષ્ટિથી તેને આગળ માર્ગ ચોકખે દીવા જેવો દેખાતે જાય છે, અને જેમ જેમ તે ઈષ્ટ ધ્યેય પ્રતિ આગળ ધપતિ સામર્થ્યથેગી જાય છે, તેમ તેમ તેને ઉત્સાહ અત્યંત વધતો જાય છે. ક્ષાપશમિક મેને-ક્ષપશમ ભાવોને ફગાવી દઈ તે પોતાને ભાર ઓછો કરતો જાય છે, એટલે તે એર ને એર વેગથી આગળ પ્રગતિ કરે
Page 69
છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપકશ્રેણી પર ચઢી, ધર્મસંન્યાસ કરતે કરતે, તે ૮-૯-૧૦-૧૨ ગુણઠાણ ઝપાટાબંધ વટાવી દે છે, ને ૧૩ મા ગુણઠાણે પહોંચે છે, કેવલજ્ઞાન પામી સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચે છે. ત્યાં પછી તે શેડો વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે, તે પિતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના પેગેને નિરોધ કરે છે–ત્યાગ કરે છે, ને આમ યોગસંન્યાસ કરી, મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી તે મોક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંત કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. “પૂર્વ પ્રાગાદિ કારણના વેગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે....અપૂર્વ ” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #119 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિ કળશકાવ્ય (૫૩) યોગદષ્ટિ કળશ કાવ્ય* મંદાક્રાન્તા ઈચ્છા પૃચ્છા મૃતશ્રવણથી દર્શન જ્ઞાન પામે, શ્રદ્ધા સાથે ગમન કરતાં નિષ્પમાદ– જામે; ને સામર્થ્ય પરમ પ્રતિભા ધર્મ સંન્યાસ ધામે, છોડી યે મન વચ તનુ પહોંચતા પૂર્ણ ઠામે. ૧. ઈચ્છાગે કૃતયુત અને જ્ઞાની તે પ્રમાદી, શાસ્ત્ર હાયે કૃતપટુ અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી, સામગ્યે તે અનુભવ બલે ધર્મ સંન્યાસ સાધે, શિલેશીમાં પરમ પ્રભુને ભેગસંન્યાસ લાધે. ૨. અનુટુપ ઈચ્છતા પ્રીચ્છતા જેગી, જને સાધક સીઝતા મનંદન શુદ્ધાત્મ, પદને પામી રીઝતા ૩. ઈચ્છારંગી શ્રતાસંગી, સામગ શૃંગને; પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મેક્ષ અસંગને. ૪. શુદ્ધ ચૈતન્યના સ્વામી, સહજાન્મ સ્વરૂપ તે; સુયશા ભગવાન્ પામે, બ્રહ્માનંદ અનૂપ તે. ૫. ॥ इति महर्षि हरिभद्र'चार्य रचिते रित् वन्द्र मनुमन सुग्वनंदनेन भगवानदासेन + सुमनोनंदन बृहत्टी हानामविवेचनेन सप्राञ्च विवेचते ा योगदृष्टसच्चय शास्त्रे इच्छ. योगशास्त्रयोगसामर्थ्ययोगरूपत्रिभूमिकयोगस्वरूप.नरूपणाधिकार ।। છે અને પ્રત્યેક અધિકારના પ્રાંત ઉક્ત વિષયના સારસંદેહ તેમજ પુષ્ટિરૂપે આ યોગદષ્ટિ કલશકાવ્યની નવરચના કરવાને મંદ પ્રયત્ન આ લેખક વિવેચનકાર કર્યો છે. - આ લેખક વિવેચનકારે કરેલા આ વિવેચનનું નામ સુમનનંદની અહત ટીકા? રાખ્યું છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (ા . ૧૨-૨૦) [ આઠ યોગદષ્ટિના નામ—ઘદૃષ્ટિ ને યોગદષ્ટિ–ઉપમા. આઠ યોગાંગ, આઠ આશયદેષ, આઠ ગુણ. દષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ.-પ્રતિપાતી કે અપ્રતિ પાતી ? પ્રતિપાવી તે સાપાય, અપ્રતિપાતી તે નિરપાય.—મુક્તિ અતિ અખંડ પ્રયાણ.] એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયોગી કહે છે – एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજન્ય; યોગદષ્ટિ કહું આઠ તે, સામાન્યથકી મન્ય. ૧૨, અર્થ –એ ત્રણ રોગને આશ્ચય કર્યા વિના, વિશેષ કરીને એમાંથી જ ઉદ્દભવ પામેલી (નીકળેલી) એવી ગદષ્ટિઓ કહેવામાં આવે છે. અને તે દ્રષ્ટિએ સામાન્યથી આઠ છે. વિવેચન ઉપરમાં જે ઇચ્છાગ વગેરે ત્રણ યોગનું સ્પષ્ટ વર્ણન કર્યું, તેને સીધેસીધે આશ્રય કર્યા વિના, પણ વિશેષ કરીને એ ત્રણ યોગમાંથી જ નિષ્પન્ન થતી–નીકળતી, એવી ચોગદષ્ટિએનું અહીં કથન કરવામાં આવે છે, અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યોગદષ્ટિએ એ ત્રણ પેગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ગદષ્ટિરૂપ નદીઓ તે યોગ-પર્વતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એને ગાઢ સંબંધ છે, અને એટલા માટે જ આ યોગદષ્ટિની વૃત્તિ-તત્રયમ–એ ત્રણને, એટલે ઈચ્છાયેગ, શાસ્ત્રગ અને સામર્થ્યોગને, અરાશ્રિત્ય-આશ્રય કર્યા વિના, અંગીકાર કર્યા વિના, વિશા -વિશેષથી, “આમાંથી આ’ એવા લક્ષણવાળા વિશેષ કરીને. શું ? તે કે પતદુદ્વા -એમાંથી ઉદ્દભવ પામેલી, એ ત્રણ વેગમાંથી જ ઉપજેલી, નદષ્ટ ૩યન્ત-યોગદષ્ટિએ-મિત્રા આદિ કહેવામાં આવે છે. શબ્દો સામાન્યરતુ તા –અને
Page 70
સામાન્યથી તે દષ્ટિઓ આઠ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ શાકે યોગદષ્ટિનું સામાન્ય કથન (૫૫) આધારરૂપ ભૂમિકા–પીડિક બરાબર સમજવા માટે પ્રથમ એ ઉક્ત ઈચ્છાગાદિ યોગોનું વર્ણન અત્યંત ઉપયોગી અને આવશ્યક હતું, એમ આ ઉપરથી ફલિત થયું. અને તે આ છે – मित्रा तारा बला दीपा स्थिग कांता प्रभा परा। नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥ १३ ॥ મિત્રા તાર ને બેલા, દીપ્રા સ્થિર તેમ; કાંતા પ્રભા અને પરા, દૃષ્ટિ આઠ છે એમ, ગદષ્ટિના નામ એ, અર્થતણે અનુસાર લક્ષણ તેનું સાંભળે, હવે અહીં ક્રમવાર. ૧૩. અર્થ:-મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા–એમ આ યોગદષ્ટિઓના નામ છે. અને એઓનું લક્ષણ સાંભળો ! તે એઘદષ્ટિ બતાવવા માટે કહે છે – समेघामेघराज्यादौ सग्रहाद्यर्भकादिवत् । ओधष्टिरिह ज्ञेया, मिथ्यादृष्टीतराश्रया ॥ १४ ॥ વૃત્તિ –તેમાં મિત્રા જેવી તે મિત્રા, તારા જેવી તે તારા; ઈત્યાદિ યથાર્થ જ નાનાનિ-નામ, ગબ્દીનાચગદષ્ટિઓના છે. અને એનું ઢક્ષઊં-લક્ષણ જે કહેવામાં આવે છે તે, નિત-શ્રવણ કરો. સાંભળે! એમ અર્થ છે. અહીં એધદષ્ટિનો વ્યવચછેદ (અપવાદ) કરવા માટે યોગદષ્ટિ ? એમ ગ્રહણ કર્યું છે. વૃત્તિઃ––અહીં એધદષ્ટિ, જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષપશમની વિચિત્રતાને લીધે ચિત્ર–નાના પ્રકારની હોય છે. સમેઘાઘરાવ્યાવીસમેઘ-અમેધ, મેધવાળા કે મેઘ વિનાના, રાત્રી આદિમાં. આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે, એટલે મેધવાળા કે મેઘ વગરના રાત કે દિવસમાં. સાર્માલિવ-સંગ્રહ આદિ અને અર્ભક આદિની જેમ. પહેલા આદિ શબ્દથી અસહન ગ્રહણ છે, બીજા આદિ શબ્દથી અનભંકનું ગ્રહણ છે. એટલે ગ્રહસહિત કે ગ્રહરહિત, એવા બાલ કે અબાલની જેમ. (ગ્રહ=ભૂત, ઝોડ વગેરે). જોબદિર – દષ્ટિ, સામાન્ય દર્શન. તે ભાવાભિનંદી જીવવિષયી છે. એટલે કે ભભિનંદી-સંસારથી રાચનારા જીવને આ હેાય છે. શિવાદીતાશા-મિથ્યાદૃષ્ટિ આશ્રયી કે અમિથ્યાદષ્ટિ આશ્રયી. કાચ (મોતી-પડલ) વગેરેથી જેની દષ્ટિ ઉપહત-બાધિત છે તે મિથ્યાદિ. તેનાથી ઉપઘાત નથી પામેલ તે અમિથ્યાદૃષ્ટિ, આભ અક્ષરગમનિકા (શબ્દાર્થની સમજૂતી) થઈ. અને ભાવાર્થ તે આ છે: - Page #122 -------------------------------------------------------------------------- ________________ (૫૬) યોગદકિટસમુચ્ચય મેઘસહિત મે રહિત, રાત્રિ દિવસમાં તેમ; ગ્રહ સહિત ગ્રહ રહિત ને, બાલ આદિની જેમ અહ: જાણવા યોગ્ય છે, ઓઘદષ્ટિ તે તેમ; મિથ્યાષ્ટિ આશ્રયી, ઈતર આશ્રયી એમ, ૧૪, અર્થ:–મેઘવાળા કે મેઘ વિનાના રાત કે દિવસમાં, રહસહિત કે પ્રહરહિત, એવા બાલક કે અબાલકના જેવી અહીં ઓઘદષ્ટિ જાણવી; અને તે વળી મિથ્યાદષ્ટિ આશ્રયી કે અમિથ્યાદષ્ટિ આશ્રયી પણ હોય. વિવેચન “સઘન અઘન દિન રયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અરથ જુએ જેમ જૂજૂઆ, તિમ ઓઘ નજરના ફેરા રે.વીર.” શ્રી યશોવિજયજીકૃત શ્રી કે. દ. સઝાય ૧-૨ એક તો સમેઘ-મેઘવાળી મેઘલી રાત્રીમાં દષ્ટિ, તે કંઈક માત્ર ગ્રહણ કરનારી હોય છે; બીજી તો અમેઘધ વિનાની રાત્રિમાં જરા વધારે અધિક ગ્રહણ કરનારી હોય છે; આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે. એટલે એક સમેઘ-મેલા દિવસમાં, તથા બીજી અમેઘ-મેઘ વગરના દિવસમાં. અને આ બેમાં વિશેષ છે-તફાવત છે. આ દૃષ્ટિ વળી સગ્રહ-રહગ્રસ્ત (ભૂત વગેરે ભરાયેલા) દષ્ટાની હેય, અને આદિ શબ્દથી અગ્રહની એટલે ગ્રહગ્રસ્ત નથી એવા દૃષ્ટાની હેય. આ બેને પણ તફાવત હોય છે-ચિત્ર વિભ્રમ આદિના ભેદને લીધે. - આ વળી બાલક દૃષ્ટાની હોય, અને આદિ શબ્દથી અબાલકની પણ હોય. આ બન્નેને પણ વિવેકવિક્લતા આદિ ભેદને લીધે ભેદ હોય છે. આ વળી મિથ્યાદષ્ટિની એટલે કાચ (પાલ-મોતી-નેત્રરોગ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહતઅવરાયેલી-ઢંકાયેલી છે એવાની હેય; અને તેનાથી-કાચ વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત-અવરાયેલી નથી એવા અમિથ્યાદૃષ્ટિની હોય. જેમ આ દૃષ્ટિભેદ-એક જ દશ્યમાં પણ,-ચિત્ર (જુદા જુદા પ્રકારના) ઉપાધિભેદને લીધે હોય છે, તેમ પારલૌકિક પ્રમેયમાં–પરલેક સંબંધી જ્ઞાનવિષયમાં પણ ક્ષયોપશમની વિચિત્રતાને લીધે, ચિત્ર એટલે
Page 71
જુદા જુદા પ્રકારનું પ્રતિપત્તિભેદ હોય છે. (માન્યતાભેદ–ગ્રહણભેદ હોય છે.) આ કારણે આ દર્શનભેદ એટલે જુદા ના દર્શનેને ભેદ છે, એમ ગાચા કહે છે. ખરેખરઆ દર્શનભેદ તે સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ યોગીઓને હેત જ નથી, કારણ કે તેઓને યથાવિષય-પિતપતાના વિષય પ્રમાણે નયના ભેદોને અવધ–સાચી સમજણ હોય છે. એની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે,–તેમને શુદ્ધ બોધનું હેવાપણું છે તેથી કરીને, તેઓને આગ્રહ વિનિવૃત્ત-અત્યંત દૂર થઈ ગયો હોય છે તેથી કરીને, તેઓનું મિત્રી આદિને પરતંત્રપણું હેય છે તેથી કરીને, અને ચારિચરિક સંજીવની ચરકચારણ નીતિથી (ચાર સંજીવની ચાર ન્યાય પ્રમાણે) તેમના આશયનું ગંભીર ઉદારપણું હોય છે તેથી કરીને. ઘરું પ્રોન, Page #123 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનુ" સામાન્ય થન (૫૭) • આઘદષ્ટિ ? એટલે સામાન્ય દૃષ્ટિ, સામાન્ય દÖન. એઘ એટલે પ્રવાહ. પ્રવાહપતિત દૃષ્ટિ તે એઘદષ્ટિ. આમ અનાદિ સંસારપ્રવાહમાં તણાઇ રહેલા અને તેમાં જ રાચનારા એવા ભવાબિનદી સામાન્ય કાટિના જીવોની સૃષ્ટિ તે એષ્ટિ છે. લેાકપ્રવાહને આઘદષ્ટિ અનુસરતા પ્રાકૃત જનાનું જે લૌકિક પદાર્થ સંબધી સામાન્ય દન, તે એટલે ? એઘદૃષ્ટિ છે, (Vision of a layman). અને આ એઘષ્ટિ પણ જ્ઞાનાવરણીય, દશ નાવરણીય વગેરે કના ભિન્ન ભિન્ન ક્ષયેાપશમને લીધે–(ન્યૂનાધિકતાને લીધે) જૂદા જૂદા પ્રકારની, વિચિત્ર પ્રકારની હેાય છે. દાખલા તરીકે કેઈ એક દૃશ્ય હોય તે (૧) મેઘલી રાત્રે ઘણું ઘણું ઝાંખુ· ક’ઇક દેખાય, (૨) તેના કરતાં કંઇક વધારે મેઘ વિનાની રાત્રે દેખાય, (૩) તેના કરતાં પણ ઘણું વધારે મેઘલા દિવસે દેખાય, (૪) અને તેના કરતાં પણ ઘણું ઘણું વધારે મેઘ વગરના દિવસે દેખાય. અને તેમાં પણુ, (૫) દૃષ્ટા-જોનારા જો ભૂત વગેરે ગ્રહથી અથવા ચિત્ત વિભ્રમ વગેરે ગ્રહથી ગ્રહાયેલા હાય તેા તેના દેખવામાં, (૬) અને તેવા ગ્રહ રહિત જોનારના દેખવામાં પણ ચાખા લે-ફેર પડે; (૭) અથવા દેખનારા ખાલક હાય તેા તેના દેખવામાં, (૮) અને પુખ્ત ઉંમરના હાય તે તેના દેખવામાં પણ વિવેકના ઓછાવત્તા પ્રમાણને લીધે, તફાવત હાય. અથવા (૯) કાચ (પડલ-માતીએ) વગેરે આ હાવાથી દેખનારની દૃષ્ટિ જો અવરાઇ–ઢકાઇ હેાય તેા તેના દેખવામાં, (૧૦) અને કાચ (પડેલ) આડા ન હેાય, તેા તેના દેખવામાં પણ જરૂર ફેર પડે. આમ એક જ દૃશ્યમાં–જોવાની વસ્તુમાં પણ વિચિત્ર ઉપાધિભેદને લીધે જૂદા જૂદા દૃષ્ટિભેદ થાય છે. આ દૃષ્ટાંત પ્રમાણે, લૌકિક પદાર્થને, લૌકિક દૃષ્ટિએ દેખવાના જે જે ભેદ છે, તે તે આઘદૃષ્ટિના પ્રકાર છે. ચેાગદષ્ટિ— —આમ એક જ લૌકિક દશ્ય દેખવામાં પણ, જૂદી જૂદી જાતની બાહ્ય ઉષાધિને લીધે, જેમ એઘદૃષ્ટિના ભેદ પડે છે, તેમ પરલેાક સબધી જ્ઞેયમાં—આત્મતત્ત્વ આદિના જ્ઞાનવિષયમાં પણુ, ક્ષયાપશમની વિચિત્રતાને કારણે જુદા જુદા પ્રકારના ચેાગદષ્ટિમાન્યતાભેદ–દૃષ્ટિભેદ હાય છે, દનભેદ હેાય છે. જેમ કૅમેરાના પડદા (Diaphragm) ઓછેવત્તો ખુલ્લે, તેમ દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે. તે જ પ્રકારે જેવી ક્ષયેાપશમની વધઘટ-તરતમતા હેાય, જેટલું કમ'નું આવરણ ખસ્યુ' હાય–કના પડદા ખૂલ્યા હોય, તેટલું ઓછુ ંવત્તુ' દન ચાગષ્ટિવાળા સમકિતી પુરુષને થાય છે. મામ ચાગદષ્ટિ’ એટલે યાગ સંબધી દષ્ટિ, યાગમાને અનુસરતી એવી દૃષ્ટા યાગી—સમ્યગ્દષ્ટિ પુરુષની દષ્ટિ (Vision of Yogi); એઘદૃષ્ટિ ને ચાંગદૃષ્ટિના આમ પ્રગટ ભેદ છે;— Page #124 -------------------------------------------------------------------------- ________________ યુગદષ્ટિસમુચ્ચય દર્શન જે થયા જૂજૂઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ થિરાદિક ચારમાં, સમકિત દષ્ટિને હેરે રે....વીર.” શ્રી યો, દ, સઝાય ૧-૩ ઘદષ્ટિ અને યોગદષ્ટિની તુલના કેષ્ટક-૨ 1 એષ્ટિ | યોગદષ્ટિ દષા પાત્ર સામાન્ય ભવાભિનંદી જીવ યોગી સમ્યગદષ્ટિ મુમુક્ષુ પુરુષ દશ્ય વિષય લૌકિક પારલૌકિક, આત્મતત્વઆદિ પર્શનપદ્ધતિ લૌકિક-વ્યાવહારિક, પ્રવાડપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી અલૌકિક, પારમાર્થિક, યોગમાર્ગનું સારિણી, તત્ત્વગ્રાહિણી ભેદ કારણ છે
Page 72
ક્ષયપશમની વિચિત્ર તરતમતા ક્ષયોપશમની વિચિત્ર તરતમતા વિશેષતા દર્શનભેદ બાબત વિવાદનો સંભવ દર્શનભેદ બાબત વિવાદને અસંભવ અને આમ ક્ષપશમની વિચિત્ર તરતમતાને લીધે દર્શનભેદ થાય છે, તેથી કરીને જ આ જૂદા જૂદા (વેદાંત-જૈન વગેરે) દશનેને ભેદ પડ્યો છે, એમ યોગાચાર્યનું કથન છે. પણ સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સમ્યગદષ્ટિ ગીઓને તે આ દર્શનભેદ મનમાં વસતે જ નથી. તેઓ આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા માત્ર દષ્ટિને નથી. તેઓ તે એક ગમાર્ગને જ દેખે છે, એગદર્શનને જ–આત્મદર્શનને ભેદ જ દેખે છે. એક જ આત્મતત્વના મૂળમાં એ સર્વ દર્શને વ્યાપ્ત છે, માત્ર “દષ્ટિને જ ભેદ છે,-એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ તે ષડ્રદર્શનને નિદશનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દર્શનને સમ્યગદષ્ટિથી આરાધે છે. કારણ કે “જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શિલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછો મને, તે સેંપી દઉં કેગી કને.” Page #125 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ.” છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” -શ્રીમદ્ રાજચંદ્રજી “ષર્ દરશન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દરશન આરાધે રે.” -શ્રી આનંદઘનજી આમ તે મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વતે છે, તેનું કારણ એ છે કે તેઓને નની બરાબર મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે. તે આ પ્રકારે – નય એટલે અપેક્ષાભેદ, તે અનંત છે. અમુક વસ્તુને અમુક અપેક્ષાએ-દષ્ટિબિન્દુથી યથાથ (Angle of vision) જેવી તેનું નામ “નય” છે. આમ સર્વ નયનું નયવિભાગ પોતપોતાના વિષય પ્રમાણેનું-મર્યાદાક્ષેત્ર પ્રમાણેનું સ્વરૂપ તેઓ બરાબર સમજ્યા હોય છે. એટલે તેઓ એમ સમાધાન કરે છે કે આ જે જુદા જુદા દર્શનકારેએ જુદા જુદા દર્શન કર્યા છે, તે તે જુદા જુદા નયની અપેક્ષાએ, જુદા જુદા દષ્ટિબિન્દુથી કર્યા છે. તે તે નયની અપેક્ષાએ તે બરાબર છે, માટે એમાં ઝઘડે છે? વિવાદ શ? નાના સાગોથી (Permutations & combinations ) ઉપજતે વિસ્તાર તે અનંત છે, “શબ્દાલંકારરૂપ છે, માત્ર વાજાલરૂપ છે. જેટલી વચનની સંખ્યા તેટલા નય છે, માટે આપણે તે બધેય નયપક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મેહ રહિતપણે, એક શુદ્ધ આત્મતત્ત્વના સંશોધનમાં “રઢ લગાડીને મંડી પડવું,” એટલું જ આપણું કામ છે. એમ કરશું એટલે એની મેળે બધી ખબર પડી જશે, માટે આ બધી વાણૂજાલ શી? એમ તે મહાનુભાવે ભાવે છે. વળતું જગગુરુ ઈણ પરે ભાખે, પક્ષપાત સબ ડી; રાગદ્વેષ દેહ પણ વર્જિત, આતમ શું રઢ મંડી...મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કેઉ, સે ફિર ઈમે નાવે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત લાવે....મુનિસુવત” –શ્રી આનંદઘનજી વળી કઈ એક નયને જ એકાંત પક્ષ-આગ્રહ ધરવામાં આવે, તે તે નય નથી, પણ નયાભાસ છે, મિથ્યાત્વ છે, એમ તે અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત સમ્યગ્રદષ્ટિ પુરુષે Page #126 -------------------------------------------------------------------------- ________________ (૬૦) યોગદષ્ટિસમુચ્ચય સારી પેઠે સમજે છે, અને એટલે જ તેઓ “સ્યા ” પદને ન્યાસ નિરાગ્રહ કરીને આગળ મૂકીને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરે છે. અને એમ મધ્યસ્થતા મધ્યસ્થ પરીક્ષા કરતાં તે સ્યાદવાદી મહાજનને ચક્કસ ભાસે છે કે-આ બધા દશને એક દર્શનરૂપ જ છે, જિનદર્શન અથવા શુદ્ધ આત્મદર્શનારૂપ પુરુષને અંગરૂપ જ છે. તે
Page 73
આ પ્રકારે કલ્પવૃક્ષ સમા તે જિનદર્શનના બે પગને સ્થાને સાંખ્યદર્શન ને ચગદર્શન છે; બૌદ્ધ અને મીમાંસક એ બે તેને બળવાન હાથ છે; કાયતિક મત તેની વડ દરિસણુ કુક્ષિને સ્થાને છે, જેના દર્શન બાહ્યાભ્યતર પ્રકારે તેના મસ્તકને સ્થાનેજિનઅંગ ઉત્તમાંગરૂપે શોભે છે. આમ “ધુરિ’–પ્રથમ સ્થા” પદરૂપ ન્યાસ અક્ષર ભણુજે' મૂકીને, ષદર્શનની આરાધના જિન દર્શનના આરાધક પુરુષો કરે છે. તેથી જ તેઓ અત્યંત મધ્યસ્થ હોય છે. તેઓ પિતાના અંગનું ખંડન કેમ કરી શકે? “જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુખ અંગ અખેદ રે...ષડ. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દોય ભારી રે, કલેક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે..ષડ લેકાયતિક કુખ જિનવરની અંશ વિચાર જે કીજે રે; તત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?...ષડ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર ન્યાસ પુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...ષડo -શ્રી આનંદઘનજી ઇત્યાદિ પ્રકારે જેની “તત્વવિચાર સુધારસધારા' અખંડપણે ચાલ્યા કરે છે, એવા આ મહાત્મા સમ્યગૃષ્ટિ “જોગીજને ”ને જૂદા જૂદા મત-દર્શનને આગ્રહ કેમ હોઈ શકે? તેમ જ આ મહાજનની પ્રવૃત્તિ પણ પરાર્થે–પરમાથે હોય છે. “પાર પર વિમૂર: આ સંતપુરુષોની વિભૂતિઓ પરે૫કારને અર્થે હોય છે. જનકલ્યાણના યજ્ઞની વેદી પર તેઓ પિતાને સર્વ અંગ હેમી દે છે, મન-વચન-કાયાની સમસ્ત પરાર્થપ્રવૃત્તિ શક્તિ ખચી નાખે છે. પિતાને જે આત્મા-પરમાર્થને લાભ થયે, તે અન્ય જીવેને પણ થાય એવા નિર્મલ પરમાર્થ પ્રેમથી, આ સમ્યગૃષ્ટિ સપુરુષ પરમાર્થ પ્રવૃત્તિ કરે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૬૧) જન પશુ લેક કલ્યાણ યશ પર, હેમું અંગ સહુ મહારા.” –સરસ્વતીચંદ્ર અને તેઓની આવી પરમાર્થ પ્રવૃત્તિ હેય છે, તેના કારણે આ પ્રમાણે છે: ૧. શુદ્ધ બોધનું હોવાપણું–તે સમ્યગ્દષ્ટિ પુરુષને બેધ શુદ્ધ હોય છે, રાગ-દ્વેષમેહની અશુદ્ધિથી રહિત હોય છે, પરભાવના સ્પર્શ વિનાનો નિર્મલ હોય છે. ૨. આગ્રહરહિતપણું–તેઓના સર્વ પ્રકારના મતાથી, દર્શનાહ, અભિનિવેશે. સર્વથા દૂર થઈ ગયા હોય છે, તેઓ અત્યંત મધ્યસ્થ અને નિષ્પક્ષપાત હોય છે. ૩. મેરી આદિને પરતંત્રપણું–તેઓ મિત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્ય-એ ચાર ભાવનાઓથી અત્યંત ભાવિતાત્મા હોય છે. તેઓ સમસ્ત જગત્ સાથે મૈત્રી ધરાવે છે. જ્યાં ક્યાંય ગુણ દેખે ત્યાં તેઓ પ્રમોદ પામે છે. “પર ગુણના પરમાણુને પણ પર્વત જેવો કરી તે વિરલા સંતપુરુષો પોતાના હૃદયમાં અત્યંત વિકસિત થાય છે. ” સંસાર દુઃખથી દુઃખી ને જોઈને તેના પર તેમને કરુણાભાવ ઉપજે છે. આ જગતજી બિચારા સન્માર્ગને છોડી ઉન્માગે ગમન કરી દુઃખી થઈ રહ્યા છે, તેઓને હું સન્માર્ગને બંધ કરી તે દુ:ખમાંથી છોડાવું, એવી કરણું તે પરમ કૃપાળુને વછૂટે છે. અને કોઈ વિપરીત વૃત્તિવાળે હેઈ, સમજાવ્ય સમજે એમ ન હોય, તે ત્યાં તેઓ ઉપેક્ષા કરે છે, મધ્યસ્થ ભાવ ધારણ કરે છે. ૪. ગંભીર ઉદાર આશય–તેઓનો આશય-ચિત્તપરિણામ એટલે બધે ગંભીર હોય છે, એટલે બધે ઊંડે–અગાધ હોય છે, કે તે કળી શકાતું નથી, તેને તાગ પમાડે નથી, સાગરની જેમ તેના ઊંડાણની ખબર પડતી નથી તેમ જ તે આશય એટલે બધા ઉદાર હોય છે, એટલી બધી ઉદારતાવાળે વિશાળ હોય છે કે તે સમુદ્ર જેમ સર્વ કોઈને પિતાના વિશાળ પટમાં સમાવી દે છે, તે સમ્યગદષ્ટિ યેગીઓ આવા “સાગરપેટા” “સારવાળમીર” હોય છે. ૫. ચારિસંજીવની ન્યાયનું અનુસરણું–તેવા ગંભીર -ઉદાર આશયવાળા તે સમ્યગદષ્ટિએ “ચારિસંજીવની ન્યાયને અનુસરે છે. તે આ પ્રમાણે – – ચારિસંજીવની ચાર ન્યાય – "चारिस जीवनीचारन्याय एष सतां मतः । નાયાસ્તૃદ્ધિ થશે વેળાદિનાન્ ! ” શ્રી યોગબિન્દુ, ૧૧૯ આ
Page 74
ચારિસંજીવની ચાર ન્યાય સન્દુરુષને સંમત છે, નહિ તે વિશેષ કરીને ધર્મકાર્યની શરૂઆત કરનારાઓને ઈષ્ટ સિદ્ધિ થાય નહિં. Page #128 -------------------------------------------------------------------------- ________________ (૬૨) ગદષ્ટિસમુચ્ચય અત્રે ચારિત્રચરે, સંજીવની=સંજીવન કરે એવો ઔષધિવિશેષ, ચારકચરવું તે. ચરામાં સંજીવની માટે ચરવું તે ચારિસંજીવની ચાર ન્યાય-દષ્ટાંત. આને ભાવાર્થ આ કથા ઉપરથી સમજી શકાય છે :-- સ્વસ્તિમતી' નામની નગરજનોથી ભરેલી એવી નગરી હતી. તેમાં બ્રાહ્મણની કઈ પુત્રી હતી, તથા તેની એક સખી હતી, અને તે જ તેના નિરવધિ પ્રેમનું પરમ પાત્ર હતી. પછી તે બંનેને વિવાહ થયે, એટલે બંને જુદા જુદા સ્થાને રહેવા લાગી. પછી એક દિવસ દ્વિજપુત્રીને “સખી કેમ હશે ? ” એમ ચિંતા ઉપજી. એટલે તે પણ દાખલ તેને ત્યાં ગઈ, ને જોયું તે તેને વિષાદમાં-શેકમાં ડૂબી ગયેલી દીઠી. એથી તેને પૂછ્યું“સખી ? હારૂં મુખ આટલું બધું કેમ લેવાઈ ગયું છે?” તેણે કહ્યું-“હું પાપણુ પતિની બાબતમાં દુર્ભાગી–કમનશીબ છું.” સખી દ્વિજપુત્રીએ કહ્યું-તું વિષાદ મ કર ! આ વિષાદમાં ને વિષમાં કોઈ ફેર નથી, વિષાદ (શેક) વિષ જેવો છે. હું હારા પતિને મૂળિયાના પ્રભાવથી વૃષભ (બળદિયે) બનાવી દઈશ.” એમ કહી તેને મૂળિયું આપી તે પિતાના નિવાસસ્થાને ગઈ. પછી તે નાખુશ મનવાળી બ્રાહ્મણપુત્રીએ તે મૂળિયું પિતાના પતિને આપ્યું, કે તરત જ તે ભરાવદાર ખાંધવાળે બળદ બની ગયો. એટલે પછી પશ્ચાત્તાપથી તે હૃદયમાં દિલગીર થઈ કે-હવે આ પુન: સર્વ કાર્યોમાં સમર્થ એવો પુરુષ કેમ થાય? પછી તે તેને બળદોના જૂથની સાથે રોજ બહાર ચારે ચરાવવા લાગી. પછી એક દિવસ તે વૃષભ વડના ઝાડ નીચે વિશ્રામ લેતે હતું. ત્યાં તેની શાખામાં વિશ્રાંતિ લઈ રહેલા વિદ્યાધર યુગલને પરસ્પર વાર્તાલાપ ચાલવા લાગ્યો. તેમાં વિદ્યાધર બે -“અત્રે આ વૃષભ છે તે સ્વભાવથી નથી, પણ વિપરીત ગુણથી ઉપજે છે. તેની પત્નીએ કહ્યું –“તે પુનઃ પુરુષ કેમ થાય ?” તેણે કહ્યું – બીજા મૂળિયાના ઉપયોગથી.' વિદ્યાધરીએ પૂછ્યું તે ક્યાં છે?” તેણે કહ્યું-“તે આ ઝાડની નીચે છે.” આ સાંભળીને –જેને મનમાં પશ્ચાત્તાપ ઉપ હતો, એવી તે પશુ-પત્નીએ (બ્રાહ્મણીએ) ભેદને નહિં જાણુતા એવા તે વૃષભને તે બધો ચારે ચરાવવા માંડ્યો, તે ચરવા માટે છૂટ મૂકી દીધે, એટલે ચરતાં ચરતાં તે મૂળિયું ખાવામાં આવતાં, તે વૃષભ તરત જ પુરુષ થઈ ગયે. આમ પરમ નિષ્પક્ષપાતપણું સૂચવતું આ દૃષ્ટાંત છે, આમાં કોઈ પણ દર્શનને-મતનો આગ્રહ નથી. પણ ચારેકોર ચરી-ફરી સાચા તત્વજિજ્ઞાસુને મધ્યસ્થતાથી “સંજીવની” તત્ત્વ જોધી કાઢવાને નિમલ બોધ છે “આદિ કર્મ તેને એટલે ધર્મમાર્ગની શરૂઆત કરનારાને માગે અવતારવા માટે આ નીતિ અતિ ઉત્તમ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (૬૩) આવા “ચારિસંજીવની ન્યાય'ના ઉપનય–પરમાર્થ પ્રમાણે આ સમ્યદૃષ્ટિ સન્દુરુષે તત્વનું પ્રતિપાદન કરનારી ઉત્તમ નિષ્પક્ષ નીતિને અનુસરે છે આવા તે “નિર્પક્ષ વિરલાઓ”, સર્વ દર્શનના નય-સદંશ ગ્રહે છે તે સંત અવધૂતે “આપ સ્વભાવમાં નિપક્ષ વિરલા સદા મગ્ન રહે છે, અને લોકેને હિતકારી-કલ્યાણકારી એ “સંજીવની ન્યાયને ચારે ચરાવી, સન્માગે ઉતારવાના નિર્મળ પુરુષાર્થ સેવે છે. આવી પરમ ધન્ય પ્રવૃત્તિ તે સમ્યગદષ્ટિ મહાત્મા ગીઓ કરે છે. “દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે...વીર.” શ્રી યે, દ, સક્ઝાય, ૧-૪ પ્રકૃત–પ્રસ્તુત વિષય કહીએ છીએ, અને પ્રકૃતિ તે મિત્રા આદિ ભેદથી ભિન્ન એવી ચોગદષ્ટિ છે; અને આ આમ આઠ પ્રકારની છે, એમ ઉદાહરણ માત્ર અંગીકાર કરીને કહે છે : तृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभाः सददृष्टिदृष्टिरष्टया ॥१५॥ વૃત્તિ –અહીં અધિકૃત–પ્રસ્તુત દૃષ્ટિને બંધ સ્પષ્ટપણે તેના અર્થ ઉપરથી જ કહી દેવાય, એ રીતે
Page 75
તૃણના અગ્નિકણ આદિ ઉદાહરણના સાધમ્યથી નિરૂપવામાં આવે છે:- સામાન્યથી સદ્દષ્ટિવાળા ગીની ધલક્ષણ દૃષ્ટિ આઠ પ્રકારની હોય છે: તૃણ અગ્નિકણની ઉપમાવાળી મિત્રામાં, ગામય અનિકણની ઉપમાવાળી તારામાં, કાષ્ટ અગ્નિકણની ઉપમાવાળી મલામાં, દીપપ્રભાની ઉપમાવાળી દીપામાં, રત્નની પ્રભા જેવી સ્થિરમાં, તારાની પ્રભા જેવી કાંતામાં, સૂર્યની પ્રભા જેવી પ્રભામાં, ચંદ્રની પ્રભા જેવી પરામાં. કૂળ મારિનગરીમાપમાં રત્નતારાન્નામ:-એવી ઉપમાવાળી આ આઠ દૃષ્ટિ છે. તેવા પ્રકારના પ્રકાશ માત્ર વગેરેથી અહીં સાધમ્ય—સમાન ધર્મપણું છે.–જે કહે છે ૧. મિત્રામાં બધ તૃણ અગ્નિકણ સદશ-સરખે હોય છે, તત્વથી ઈષ્ટ કાર્યક્ષમ નથી હોતો-ઈષ્ટ કાર્ય કરવા સમર્થ નથી હોતું. કારણ કે-(૧) સમ્યફ પ્રયોગકાલ સુધી તેની સ્થિતિ નહિં હોવાને લીધે, અને તેના અલ્પવીયપણાને લીધે, ૫ટુ-દઢ સ્મૃતિ બીજના સંસ્કારાધાનની ઉપપત્તિ-ઘટના થતી નથી, નિપુણકશલ સ્મૃતિસંસ્કાર પાસે નથી, તેથી; (૨) અને વિકલ પ્રયોગના હોવાપણાને લીધે, ભાવથી વંદનાદિ ક્રિયાને અલગ હોય છે, તેથી. ૨. તારામાં તે બંધ ગેમ એટલે છાણના અગ્નિકણ સરખા હોય છે. આ પણ લગભગ એવો જ હોય છે.-તવથી વિશિષ્ટ સ્થિતિ-વીયના વિકલપણાને લીધે, એથી કરીને વળી પ્રયાગકાળે સ્મૃતિપટવની અસિદ્ધિને લીધે. તેના અભાવે પ્રયોગની વિકલતાને લીધે, અને તેથી કરીને તથા પ્રકારે તેના કાર્યના અભાવને લીધે. ૩. બલામાં પણ આ બધ કાષ્ઠ અગ્નિકણ જેવો, ને ઉક્ત બે બેધ કરતાં કંઈક વિશિષ્ટ હોય છે. તેથી અત્રે જરાક રિથતિ–વીય હોય છે; એટલે અહીં પ્રયોગ સમયે પ-નિપુણ જેવી સ્મૃતિ હોય છે: અને તે હતાં, અર્થપ્રાગ માત્રની પ્રીતિથી યુનલેશને ભાવ હોય છે. ૪. દીપામાં તે આ બોધ દીપપ્રભા તુલ્ય, ને ઉક્ત ત્રણ બેધ કરતાં ઘણું વધારે વિશિષ્ટ હોય છે, એથી કરીને અને ઉદય (ઉગ્ર, આકર) સ્થિતિ–વીર્ય હોય છે, તેથી પ્રયોગસમયે સ્મૃતિ પણ પ-કુશલ હોય છે. એમ ભાવથી હોવા છતાં અન્ને વંદનાદિમાં દ્રવ્ય પ્રવેગ હોય છે, તથા પ્રકારની ભક્તિને લીધે અને ભેદપ્રવૃત્તિ હોય છે તેથી કરીને, Page #130 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય તૃણા ગેમય ને કાષ્ઠના, અગ્નિકણુ સમ માન; દીપપ્રભાનું પણ વળી, જિહાં હેય ઉપમાન; રત્ન તેમ તારા અને રવિ ને શશિ સમાન; દૃષ્ટિ એમ સદ્દષ્ટિની, અષ્ટ પ્રકારે જાણ. ૧૫, આટલે પ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ છે–પરાકાષ્ઠા, છેલ્લી હદ છે, એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે. ૫. સ્થિર તે ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગદષ્ટિને જ-ભેદજ્ઞાનને જ હોય છે. તેને બંધ રત્નપ્રભા સમાન હોય છે. તેને ભાવ-(૧) અપ્રતિપાતી–પા પડે નહિં એવો, (૨) પ્રવર્ધમાનવૃદ્ધિ પામતા જત, (૩) નિરપાય–અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને પરિતાપ નહિં પમાડનારે, (૫) પરિતેષને હેતુ અને (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન છે. ૬. કાંતામાં–આ બોધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી-સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન-(૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપગ અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. ૭, પ્રભામાં સૂર્યની પ્રભા સમાન બેધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાનહેતુ જ હોય છે, (૨) અહીં પ્રાયે વિકલ્પને અવસર હોતો નથી, અને (૩) અહીં પ્રશમસાર (પ્રશમ જેને સાર છે એવું') સુખ હોય છે. અત્રે- (૪) અન્ય શાસ્ત્રો અકિંચિતકર હોય છે -કંઈ નહિં કરી શકે એવા નકામા થઈ પડે છે, (૫) સમાધિનિષ્ઠ અનુષ્ઠાન હોય છે, (૬) તેની સંનિધિમાં વૈર આદિને નાશ હોય છે, “તરનિધૌ વૈરાદિનારા' (૭) પરાનુગ્રહ કર્તાપણું હોય છે, (૮) વિને-શિષ્ય પ્રત્યે ઔચિત્યાગ હોય છે, (૯) તથા અવંધ્ય એવી સતક્રિયા હોય છે. ૮. પરામાં તે ચંદ્રની ચંદ્રિકાની પ્રભા સમાન બંધ હોય છે. સર્વદા સયાનરૂપ જ એ તે વિકલ્પરહિત માનવામાં આવ્યું છે. (૧) તે વિક૯૫ના અભાવથી ઉત્તમ
Page 76
સુખ હોય છે, (૨) આરૂઢના આરેહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હોતું–ચઢેલાને ચઢવાનું શું ? તેની પેઠે. (૩) પરોપકારીપણું– યથાભવ્યત્વ પ્રમાણે, (૪) તથા પૂર્વવત અવંદય સતક્રિયા હોય છે. એમ સામાન્યથી સંદેfggધા-સદ્દષ્ટ્રિની-ચોગીની દૃષ્ટિ અષ્ટ પ્રકારની છે. અત્રે શકા–ગ્રંથિભેદ થયે સદ્દષ્ટિપણું હોય. અને તે ગ્રંથિભેદ તે દીર્ઘ ઉત્તરકાળે આગળ ઉપર ઘણું લાંબા વખતે હોય છે, તે પછી સદ્દષ્ટિની દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે? સમાધાન–સદ્દષ્ટિના અવય–અચૂક હેતુપણુએ કરીને મિત્રા આદિ દૃષ્ટિઓનું પણ સતીત્વ–સતપણું છે એટલા માટે. શુદ્ધ ખડી સાકરની નિષ્પત્તિમાં-બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગોળ જેવી આ મિત્રા આદિ છે; અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઠ્ઠા, ને શુદ્ધ સાકરના ચોસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ધક્ષ (શેરડી) વગેરેનું જ તથાભવન–તેવા પ્રકારે પરિણમન થાય છે. આ મિત્રા આદિ રુચિ આદિ ગોચર જ છે.-આ મિત્રા વગેરેમાં રુચિ આદિ હોય જ છે, કારણ કે એને જ સ વિગ-માધુર્યની ઉ૫પત્તિ હોય છે –એમના ઈક્ષ સમાનપણને લીધે. અને નલ વગેરે જેવા તથા પ્રકારના અભવ્ય છે,-સંગરૂપ માધુર્યના શૂન્યપણને લીધે. - આ ઉપરથી સર્વથા અપરિણામી અથવા ક્ષણિક આત્મવાદમાં દષ્ટિભેદનો અભાવ કહ્યો. કારણ કે તેના તથાભવનની–તેવા પ્રકારે પરિણમનની અનુપત્તિ છે, અઘટનમાપણું છે, તેવા પ્રકારે પરિણુમન ઘટતું નથી, તેથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ આઠ એગદષ્ટિનું સામાન્ય કથન (૬૫) અર્થ :–તૃણને અગ્નિકણ, ગોમય-છાણાને અગ્નિકણ, કાષ્ઠને અગ્નિકણ, દીપકની પ્રભા, રત્નની પ્રભા, તારાની પ્રભા, સૂર્યની પ્રભા અને ચંદ્રની પ્રજાની ઉપમા જ્યાં (અનુક્રમે) ઘટે છે,-એવી સદ્દષ્ટિવંતની દષ્ટિ આઠ પ્રકારની છે, જેમકે-મિત્રામાં તૃણ અગ્નિકણ જેવી, તારામાં છાણાના અગ્નિકણ જેવી, ઈત્યાદિ. વિવેચન હવે અહીં આ શાસ્ત્રના મૂળ વિષય પર આવે છે. આને મૂળ વિષચ ગદષ્ટિનું કથન છે. તે “ગદષ્ટિ” આઠ પ્રકારની કહી, તેની બરાબર સમજણ પડવા માટે અહીં ઉદાહરણુરૂપે ઉપમા આપેલ છે; અને તે ઉપમા ગ્રંથકાર મહર્ષિએ એટલી બધી ખૂબીથી કુશળતાથી જ છે, કે તે ઉપમા ઉપરથી જ તે તે દૃષ્ટિનો ઘણોખરો અર્થ સહેજે સમજી જવાય, બરાબર ખ્યાલમાં આવી જાય. આ આઠ દૃષ્ટિઓને અનુક્રમે (૧) તૃણઅગ્નિકણની, (૨) છાણના અગ્નિકણની, (૩) કાષ્ઠ-લાકડાના અગ્નિકણુની, (૪) દીપકની પ્રજાની, (૫) રત્નપ્રભાની, (૬) લાશ પ્રભાની, (૭) સૂર્યપ્રભાની, (૮) અને ચંદ્રપ્રભાની,-એમ ઉપમા આપી છે. યોગદષ્ટિને તૃણથી માંડીને ચંદ્રપ્રભા સુધી ઉત્તરોત્તર પ્રકાશની તરતમતા છે, તેમ ઉપમા મિત્રા દૃષ્ટિથી માંડીને પરા દષ્ટિ સુધી ઉત્તરોત્તર બેધરૂપ પ્રકાશની તરતમતા છે. એટલે આ ઉપમા સાંગોપાંગ સંપૂર્ણ છે. મહા સમર્થ તવદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગઢષ્ટિને થર્મોમીટરની (Thermometer)-ઉષ્ણતામાપક યંત્રની ઉપમા આપી છે, તે પણ યથાયોગ્યપણે અત્યંત બંધબેસતી છે. જેમ થર્મોમીટરથી શરીરની ઉષ્ણુતાનું-ગરમીનું માપ થઈ શકે છે, તેમ આ ચગદષ્ટિ ઉપરથી આત્માની આધ્યાત્મિક પ્રગતિનું, આત્મદશાનું, આત્મદશાનું આત્માના ગુણસ્થાનનું માપ નીકળી શકે છે. હું પોતે કયી દષ્ટિમાં માપક વર્તુ ? મહારામાં તે તે દૃષ્ટિના કહ્યા છે તેવા લક્ષણ છે કે નહિં? ન થર્મોમીટર હોય તે તે પ્રાપ્ત કરવા મહારે કેમ પ્રવર્તાવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખ નિરીક્ષણ કરી, આત્મગુણવૃદ્ધિની પ્રેરણું પામવા માટે આ “ગદષ્ટિ” આત્માથી મુમુક્ષુને પરમ ઉપગી છે, પરમ ઉપકારી છે. આમ તેનું સ્વરૂપ સમજવા માટે સ્કૂલ દષ્ટાંત કહેલ છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ૧. મિત્રા દૃષ્ટિ “જિહાં મિત્રા તિહાં બંધ , તૃણ અગનિસે લહીયે રે.”—શ્રી . દ. સક્ઝાય. મિત્રા દષ્ટિમાં બોધ તૃણના અગ્નિકણ સર હોય છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૬૬) યોગદૃષ્ટિસમુચ્ચય ઇષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતા નથી, તેમ આ દૃષ્ટિને બેધ તત્ત્વથી-પરમાથ થી ઇષ્ટ પદાર્થોનું દર્શન કરાવી શકતા નથી.
Page 77
કારણ કે-(૧) જેમ તૃણુઅગ્નિને પ્રકાશ પદાર્થની કંઇક બરાબર સૂઝ પડે તેટલેા લાંબે વખત ટકતા નથી, તેમ આ દૃષ્ટિને એધ પણ તેને સમ્યકૃપણે પ્રયાગ કરી શકાય એટલેા વખત સ્થિતિ કરતા નથી–ટકતા નથી. ( ૨ ) જેમ તૃણુઅગ્નિના પ્રકાશ અલ્પ-મદ વીવાળા અત્યત ઝાંખા હેાય છે, તેમ આ દૃષ્ટિના મેધ મદ વીય વાળે-અલ્પ સામર્થ્યવાળા ઢાય છે. (૩) જેમ તૃણુઅગ્નિના પ્રકાશ ક્ષણવારમાં હતા-ન હતા થઇ જાય છે, અને તેથી તેની દઢ–પટુ સ્મૃતિના સંસ્કાર રહેતા નથી, તરત જ ભૂલાઇ જાય છે; તેમ અત્રે પણ એધ એવે અલ્પજીવી ને અલ્પવીય હાય છે કે–તેના દૃઢ સ્મૃતિષીજરૂપ સંસ્કારનું રાપણ થવું ઘટતુ` નથી, તેની યાદરૂપ દૃઢ સસ્કાર નીપજતા નથી. (૪) અને આમ સ્થિતિ ને વીની મંદતાથી તથાપ્રકારે સ્મૃતિસ'સ્કારના અભાવને લીધે, જેમ સર્વથા તૃણુઅગ્નિ પ્રકાશને પ્રયાગ વિકલ–પાંગળા હાઇ તેનાથી કરીને કંઇ ખરૂં કાર્ય અનવું સભવતું નથી; તેમ આ દૃષ્ટિમાં એધનુ એવુ. વિકલપણું-અપૂર્ણ પણું, પાંગળાપણું હાય છે કે, તેથી અત્રે ભાવથી વંદન આદિ કાના યાગ બનતા નથી, દ્રવ્યવદનાદિ હાય છે. તૃણુ અગ્નિ સમ મિત્રા ૨. તારા દૃષ્ટિ .... - દન તારા દૃષ્ટિમાં....મનમાહન મેરે, ગામય અગ્નિ સમાન....મન.”—શ્રી ચા. દ. સજ્ઝાય. તારા નામની બીજી દૃષ્ટિમાં જે બેધ હાય છે, તેને છાણાના અગ્નિકણુ સાથે સરખાવી શકાય છે, કારણ કે તૃણુના અગ્નિ કરતાં છાણાના અગ્નિને પ્રકાશ કઇક વધારે હાય છે, તેમ મિત્રા કરતાં તારા દૃષ્ટિને એધ કઇક વધારે હાય છે, પણ તેના ગામય અગ્નિ સ્વરૂપમાં ભેદ ન હેાવાથી તે લગભગ તેના જેવા જ હાય છે. કારણ સસ તારા કે–( ૧ ) જેમ છાણાનેા અગ્નિપ્રકાશ ઝાઝો વખત ટકતા નથી અને મદ ખળવાળા હોય છે, તેમ મિત્રા દૃષ્ટિની પેઠે અત્રે પણ બેધ તત્ત્વથી ઝાઝી સ્થિતિવાળા હાતા નથી–લાંબે વખત ટકતા નથી, અને તેનુ મળ−વી પણ મંદ હાય છે. (૨) અને તેથી કરીને જીવનમાં તે મેધના આચરણરૂપ પ્રયાગ વેળાએ સ્મૃતિનું પટ્ટુપણુંનિપુણપણું હેતુ નથી, દૃઢ સ્મરણ રહેતુ નથી. (૩) અને તેવી સ્મૃતિ ન હેાય તે પ્રયાગ પણ વિકલ–પાંગળા—ખાડખાંપણવાળા હોય છે. (૪) અને તેથી કરીને તેવા પ્રકારે ભાવથી વંદન આદિ કર્ત્તવ્યની સિદ્ધિ થતી નથી, દ્રવ્ય વંદનાદિ હાય છે. આમ અત્રે અ'શભેદ સિવાય બધુય મિત્રા દૃષ્ટિને મળતુ આવે છે. ૩. ખલા દૃષ્ટિ “ ત્રીજી દૃષ્ટિ ખલા કહી જી, કાષ્ઠ અગ્નિ સમ છે.”—શ્રી ચેગ॰ સજ્ઝાય Page #133 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય થન (૬૭) બલા નામની ત્રીજી દષ્ટિમાં જે બેધ છે, તેને કાષ્ઠના-લાકડાના અગ્નિકણની ઉપમા ઘટે છે, કારણ કે મિત્રા ને તારા એ બે દષ્ટિ કરતાં અત્રે બોધ જરા વિશિષ્ટ-વધારે બળવાળે હોય છે, તેથી (૧) જેમ કાષ્ઠના અગ્નિકણનો પ્રકાશ જરા વધારે વાર ટકે છે, કાષ્ઠ અગ્નિ અને જરા વધારે બળવીર્યવાળો હોય છે, તેમ આ દષ્ટિને બોધ કંઈક સમ બલા વધારે સ્થિતિવાળો હોઈ વધારે વાર ટકે છે, અને કંઈક વધારે બળ–સામર્થ્ય વાળો હોય છે. (૨) એટલે અહીં પ્રગસમયે ટુ-નિપુણ જેવી સ્મૃતિ હોય છે, લગભગ દઢ યાદગીરી હોય છે, (૩) અને તેથી અર્થ પ્રયોગ-પ્રજનભૂત પ્રયાગની પ્રીતિથી સક્રિયાને કંઈક યત્ન હોય છે ૪. દીપ્રા દૃષ્ટિ ગદષ્ટિ થી કહીછ, દીપ પ્રભા સમ જ્ઞાન.”—શ્રી ગo સક્ઝાય ચોથી દીપ્રા નામની દૃષ્ટિમાં જે બોધ હોય છે, તેને દીપપ્રભાની ઉપમા ઘટે છે. જેમ દીપકને પ્રકાશ તૃણ, ગોમય (છાણા), ને કાષ્ઠના અગ્નિ કરતાં ઘણું વધારે હોય છે, તેમ આ દષ્ટિને બંધ પણ ઉપર કહી તે મિત્રા, તારા ને બલા એ ત્રણ દષ્ટિ કરતાં વધારે દીપ પ્રભા વિશેષતાવાળો હોય છે. એટલે (૧) આ
Page 78
બોધ વધારે લાંબી સ્થિતિવાળે હોય જેવી દીપ્રા છે, લાંબા વખત ટકે છે અને વધારે બળવાન વીર્યવાળો–સામર્થ્યવાળો હોય છે. (૨) અને તેથી કરીને તથા પ્રકારના આચરણરૂપ પ્રાગ વખતે પટુ-નિપુણ મૃતિ રહે છે. (૩) એમ છતાં હજુ અહીં વંદન વગેરે ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિં, કારણ કે તેવા પ્રકારના વિભાગથી દ્રવ્ય-ભાવને પ્રગટ ભેદ છે: “વ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામોજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામેજી.”–શ્રી દેવચંદ્રજી વળી દીપકનો પ્રકાશ જેમ બાહ્ય કારણ પર અવલંબે છે, તેમાં તેલ હોય ત્યાં સુધી તે પ્રકાશે છે, તેલ ખૂટી જતાં ઓલવાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બંધ પણ બાહ્ય પ્રેરક કારણોને અવલંબતો હોવાથી, તે દૂર થતાં, તેને અપાય થવાનો સંભવ છે. દીપકને પ્રકાશ અસ્થિર હોય છે, એક સરખો પ્રકાશ નથી, તેમ આ દૃષ્ટિને બોધ પણ અસ્થિર હોય છે, ક્ષયેશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. દીપકનો પ્રકાશ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને સંભવ છે, તેમ અત્રે પણ વિષમ બાહ્ય કારણોના ગથી બોધ ચાલ્યા જવાને સંભવ છે. આમ અનેક પ્રકારે દીપપ્રભાની સાથે દીપ્રા દષ્ટિનું સાધર્યું છે. આમ આ ચાર દષ્ટિ સુધી જ “પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. તેમાં પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ (૬૮) યુગદષ્ટિસમુચ્ચય તે પ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ પરાકાષ્ઠા-છેલ્લામાં છેલ્લી હદ આ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એટલે મિત્રા વગેરે ચાર દૃષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતું જાય મિથ્યાત્વ છે, ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. આમ ચોથી દષ્ટિમાં ગુણસ્થાનક મિથ્યાત્વની માત્રા ઓછામાં ઓછી ને તજજન્ય ગુણની માત્રા વધારેમાં વધારે હોય છે. એટલે દીપ્રા દષ્ટિમાં ઓછામાં ઓછા મિથ્યાત્વવાળું ઊંચામાં ઊંચું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. ત્યાર પછી પાંચમી સ્થિર દૃષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે. ૫. સ્થિરા દષ્ટિ “દષ્ટિ સ્થિરામાંહિ દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે.”—શ્રી, ગo સઝાય પાંચમી સ્થિર દૃષ્ટિ તે જેને ગ્રંથિભેદ થયે છે, એટલે કે જેની રાગ-દ્વેષ પરિણામની ગાઢ કર્મની ગાંઠ છેદાઈ ગઈ છે, એવા સમ્યગ્ગદષ્ટિવંત પુરુષને જ-ભેદજ્ઞાનીને જ હોય છે, આત્મજ્ઞાનીને જ હોય છે. દેહાદિ સર્વ પરવસ્તુથી સર્વથા ભિન્ન એવા શુદ્ધ રત્નમભા આત્માના અનુભવરૂપ ભેદજ્ઞાન-આત્મજ્ઞાન આ પુરુષને હોય છે. “હું એક સમ સ્થિરા શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એ આત્મા છું. અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં નથી’ એ અખંડ સ્થિર નિશ્ચય આ ભેદજ્ઞાની આત્મદ્રષ્ટા પુરુષને હોય છે. "अहमिक्को खलु सुद्धो दसणणामइओ सदारूवी। णवि अस्थि मज्ज्ञ किंचिवि अण्ण परमाणमित्तपि॥" શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર અને એટલા માટે જ આ દષ્ટિને સ્થિર કહી છે. તેમાં ઉત્પન્ન થતા બોધને રત્નની પ્રભા સમાન કહ્યો છે, તે પણ યથાયેગ્ય છે, કારણ કે રત્નને પ્રકાશ પણ સ્થિર હોય છે, ડગમગ થતું નથી, તેમ સમ્યગૂદષ્ટિ પુરુષને બેધ પણ સ્થિર રહે છે, ડગમગતું નથી, ચળતું નથી. જ્યારે વજપાત* થતું હોય ને આખું શૈલેષે ભયથી ધ્રુજતું હોય ત્યારે પણ નિસર્ગ નિર્ભયપણે સર્વ શંકા છોડીને, પોતાને ન હણાય એવા અવધ્યા * " सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमते परं, ___ यदळेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्तावनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयम्, जानंतः स्यमवध्यबोधवषं बोधाच्च्यवंते न हि॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીમણુત સમયસારકલશ Page #135 -------------------------------------------------------------------------- ________________ આઠ પગદષ્ટિનું સામાન્ય કથન (૯) બેધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગૃષ્ટિ પુરુષે જ બેધથી ચુત થતા નથી! આવું પરમ સાહસ તે સમ્યગૃષ્ટિએ જ કરી શકે !” રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પશી શકતું નથી કે એલવી શકતો નથી, તેમ સમ્યગ્ગદષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર ધરત્નને ઉપસર્ગરૂપ વાયુ સ્પશી શકતું નથી
Page 79
કે ઓલવી શકતું નથી. અને એટલા માટે જ આ દષ્ટિને બધ ૧. અપ્રતિપાતી–જેમ રનને પ્રકાશ અપ્રતિપાતી હોય છે-કદી ચાલ્યું જ નથી, તેમ આ દષ્ટિને બોધ પણ અપ્રતિપાતી હોય છે, એક વાર આવ્યા પછી પાછો પડી સ્તો નથી. જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હે લાલ; જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ.”– શ્રી યશોવિજયજી ૨. પ્રવર્તમાન-પ્રયોગ વગેરેની કસોટીથી જેમ રત્નની કાંતિ ઓર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યગૃષ્ટિના બેધને આત્માનુભવરૂપ કસેટીએ ચઢાવી પ્રસિદ્ધ કરતાં તે ઉત્તરોત્તર બળવત્તર બનતું જાય છે, વૃદ્ધિ પામતું જાય છે. પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિયે હે લાલ, સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હે લાલ.”—શ્રી યશવિજ્યજી ૩. નિરપાય–તેલ ખૂટી જવાથી દવે ઓલવાઈ જાય છે, પણ તે તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ ) રત્નને નડતું નથી, તેથી તેને પ્રકાશ નિરપાય-નિબંધ હોય છે, કદી ઓલવાત નથી; તેમ અત્રે બે પરાવલંબની નહિં હોવાથી નિરપાય હોય છે, તેને કઈ પણ હાનિ–બધા પહોંચતી નથી, તે કદી ઓલવાત નથી-બૂઝાતે નથી; કારણ કે તેને કોઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહોંચે, તે તે સ્વાવલંબની–આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા બાધા રહિત છે. આ રત્નદીપક મનમંદિરમાં પ્રગટ કે બસ શત્રુબલ ખલાસ! મેહ અંધકારને સર્વનાશ! ને અનુભવ તેજને ઝળહળાટ ! તે દીવે જાગે તે જા ! ઓલવાય જ નહિ. સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હો લાલ, સાવ મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ જીપતે હે લાલ સાવ મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હે લાલ સારા પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હે લાલ સા. શ્રી નવિજય સુશિષ્ય, વાચક યશ ઈહી પરે કહે હો લાલ.” –શ્રી યશેવિયજી. Page #136 -------------------------------------------------------------------------- ________________ (૭૦) ગષ્ઠિસમુચ્ચય ૪. બીજાને પરિતાપ ન પમાડનાર–રત્નનો પ્રકાશ જેમ ઠંડો ને નિર્મલ હોઈ, બીજાને પરિતાપ ઉપજાવતા નથી, તેમ આ દષ્ટિને બોધ પણ કષાય-વિષય આદિની ઉપશાંતતાના કારણે શીતલ ને નિર્મલ હોઈ, બીજાને પરિતાપ-કલેશ પમાડતું નથી. એટલું જ નહિં પણ અન્ય જીવોને પણ અહિંસા આદિવડે કરીને પરમ શાંતિનું કારણ થાય છે. ૫. પરિતોષહેતુ- રત્નના પ્રકાશથી પરિતેષ ઉપજે છે, તેની કાંતિ દેખીને આંખ ઠરે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, કાચ જેવી તુચ્છ વસ્તુ વગેરે દેખવાનું મન થતું નથી, તેમ આ દષ્ટિના બોધથી આત્મા પરિતોષ પામે છે, ચિત્તપ્રસન્નતા ઉપજે છે, જે દષ્ટવ્ય હતું–જે દેખવા યોગ્ય એવું પરમ આત્મદર્શન હતું તે દેખી લીધું, એટલે તુચ્છ બાહ્ય વસ્તુ દેખવાનું* કુતૂહલ વ્યાવૃત્ત થઈ જાય છે-મટી જાય છે, ને આત્મા આત્મામાં જ નિત્ય રત રહી, તૃપ્ત થઈ જાય છે, સંતુષ્ટ થાય છે. ૬. પરિક્ષાનાદિનું જન્મસ્થાન-(૫) રત્નના પોતાના પ્રકાશથી તે રનની સર્વ બાજુ બરાબર દેખાય છે, તેમ જ બીજા પદાર્થોનું પણ પરિજ્ઞાન થાય છે. તેમ આ દૃષ્ટિના બેધરૂપ પ્રકાશથી બેધમૂર્તિ આત્માનું ને અન્ય વસ્તુનું બરાબર જ્ઞાન થાય છે. બે ધરત્નના પ્રકાશથી સમ્યગૃષ્ટિ આત્મજ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુ તે દેખે છે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે.”—શ્રી આનંદઘનજી , () રન દીઠે જેમ બીજા કાચ વગેરેનું મૂલ્યાંકન થઈ જાય છે, સાચે હીરે દીઠે કાચની કિંમત કેટલી છે તેની બરાબર ખબર પડી જાય છે, તેમ બોધિરત્ન દીઠે અન્ય તુચ્છ પદાર્થનું મૂલ્યાંકન થઈ જાય છે, અનન્ય ચિંતામણિરત્ન સમાન આત્માની આગળ પર વસ્તુની કાંઈ
Page 80
કિંમત લાગતી નથી.. (૪) ઉત્તમ જાતિવંત રત્નની પ્રાપ્તિ મંગલદાયી ગણાય છે, ઐશ્વર્ય–સુખ-સંપત્તિ આદિની વૃદ્ધિ કરે છે, અનિષ્ટને દૂર કરે છે તેમ આ ઉત્તમ બેધરત્નની પ્રાપ્તિ સર્વ મંગલનું . મંગલ ને સર્વ કલ્યાણનું કારણ થઈ પડે છે. સમસ્ત્રના સર્વાચાળઝાળું ! ” " अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेव यस्मात । સર્વાર્થસિદ્ધાત્મતા વિધરો, જ્ઞાની ચિય પરિળ છે ”—શ્રી સમયસારકલશ * “ સ્વાસ્મરતિદેવ થા રમતૃપ્ત માનવઃ | ગામન્યા સંતુEદરતર #ાર્થ ન વિદ્યતે ”—ગીતા “एदहि रदो णिच्चं संतुट्ठो हेाहि णिच्चमेदह्मि । રેખ હેફિ તિરો હે િતુ€ ૩ત્તમં વરવું ”—શ્રી સમયસાર Page #137 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનું. સામાન્ય થત ( ૧૧ ) આ સ્થિર દૃષ્ટિના મેધનું સમાનધર્મ પણુંવિવેચ્યું છે. તથાપિ કેળના પુત્રની અંદર પત્ર વાતની અંદર વાત હેાય છે, તેના વિસ્તાર કેમ કરી શકાય ? ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે યથામતિ સંક્ષેપમાં સરખાપણું છે, તે અત્રે હાય છે, તેમ જ્ઞાનીની 66 જૈસે કેલકે પાતમે, પાત પાતમે' પાત; તૈસે જ્ઞાનીકી માતમે, ખાત ખાતમે' ખાત. ૬. કાંતા દૃષ્ટિ ઃઃ છઠ્ઠી દીઠ્ઠી રે હવે કાંતા કહુ, તિહાં તારાભ પ્રકાશ.”—શ્રી યોગ૦ સજ્ઝાય છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં તારાની પ્રભા જેવા આધ હોય છે. આ કાંતા' દૃષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જેવે! પરમા ભાવ હાય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં ખીજા' સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ કાંતા જેવી પુરુષ ભલે બીજું કામ કરતા હાય તાપણ તેનુ ચિત્ત સદા શ્રુતધર્મમાં જ લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીના ચાકરની જેમ તેને પરાણે સ`સાર સ...બંધી કર્યાં કરવું પડે, તેપણ તેમાં તેની અનાસક્તિ જ હેાય છે. તેની પરમ આસક્તિ-ભક્તિ, પરમ પ્રેમ તેા કેવળ શ્રુતધર્મમાં જ એટલે ‘ જ્ઞાની સબંધી શ્રવણુરૂપ કાંતા જે ઉપદેશાદિ ધમ તેની પ્રત્યે' જ હોય છે. “ મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ ક૨ત રે; તેમ શ્રુતમે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવ'ત ......... ધન ધન શાસન શ્રી જિનવરતણુ, 'શ્રી યોગ॰ સજ્ઝાય આવી આ કાંતા દૃષ્ટિને તારાની પ્રભાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારાનેા પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિરા દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિના મેધ વધારે પ્રકાશમાન–વધારે ગાઢ હાય છે. તારાને પ્રકાશ ગગનમાં ચમકારા કરતા રહી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ હેાય છે, ધ્રુવ સમી કાંતા હોય છે, સદાય અખંડપણે મેાજૂદ જ હાય છે; તેમ આ દૃષ્ટિના મેધ પણ સદાય ચિદાકાશમાં ચમકતા રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હાય છે. તારા પ્રભા અને એટલા માટે જ અત્રે તથાપ્રકારનું ભાવ અનુષ્ઠાન-સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સક્રિયા તેનુ’નામ ‘અનુષ્ઠાન’ છે. એટલે આ સમ્યજ્ઞાનીને જે આત્મજ્ઞાન થયુ છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આત્માનુચરણરૂપ ભાવક્રિયા કરવાના– નિરતિચાર સચ્ચારિત્ર પાળવાનેા આ પુરુષ સતત પ્રયત્નપૂર્ણાંક પુરુષાથ સેવે છે. આ પુરુ સદનુષ્ટાન ષના વંદન-ભક્તિ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલેાચના આદિ ભાવથી હાય છે. તેને આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઇચ્છા રાખે છે ને પરભાવમાં નિષ્કામ Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) યોગષ્ટિસમુચ્ચય હાય છે.આમ તેને આત્મા જ ભક્તિભાવમય બની જાય છે. ભૂતકાળના સમસ્ત કમ દોષથી આત્માને પાછા વાળી–નિવર્તાવી, તેને આત્મા પેાતે પ્રતિકમણુરૂપ થાય છે. ભવિષ્યકાળના સમરત કદોષથી આત્માને નિવર્તાવી-પાછા વાળી તેને આત્મા પાતે પ્રત્યાખ્યાનસ્વરૂપ અને છે. વર્તમાનકાળના સમસ્ત દેષને દૃષ્ટાપણે દેખતે રહી—તેમાં આત્મભાવ છેડી આલેચતા રહી, તેને આત્મા સાક્ષાત્ આલાચનારૂપ બની જાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતા, નિત્ય પ્રતિક્રમણ કરતા, નિત્ય
Page 81
આલેાચના કરતા, તેને આત્મા પાતે ચારિત્રરૂપ બને છે.* આમ હાવાથી આ સત્પુરુષનું અનુષ્ઠાન આચરણ-ચારિત્ર આવું હાય છે:-- ૧. નિરતિચાર—સમસ્ત પર ભાવના સ્પર્શી વિનાનું હોવાથી, તેમાં કોઇ અતિચાર દોષ હોતા નથી; પર ભાવમાં ગમનરૂપ અતિચરણ ( Transgression ) થતું નથી. ર. શુદ્દોપયાગ અનુસારી—શુદ્ધ ઉપયેગને–આત્મસ્વરૂપને અનુસરનારૂ આ આત્મદશી પુરુષનું અનુષ્ઠાન હોય છે. હું જલમાં કમલપત્રની જેમ અબદુપૃષ્ટ × છુંનિલે પ છું, કાઇ પણ અન્ય ભાવને મ્હારામાં પ્રવેશ નહિ. હાવાથી હું અનન્ય છું, સમુદ્રની જેમ મ્હારા આત્મસ્વભાવ નિત્ય વ્યવસ્થિત હાવાથી હું નિયત છું, પર્યાયષ્ટિ છેડીને દેખતાં હું અવિશેષ છુ,-સુવર્ણીની જેમ એક અખડ દ્રવ્ય છું, મ્હારા એધમીજ સ્વભાવને અપેક્ષીને જોતાં હું કર્મજન્ય મેહાદથી અસયુકત છું. એમ શુદ્ધ આત્માની ભાવના તે પુરુષ ભાવ્યા કરે છે, ને શુદ્ધ નિર્જન એક ' આત્માનું ચિંતન કરતાં નિવિકલ્પ રસનું પાન કર્યા કરે છે. 4 પર્યાયષ્ટિ ન દ્રીજિયે, એક જ કનક અભંગ રે, "" “નિવિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરજન એક રે.”—શ્રી આનંદઘનજી આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.” (શ્રીમદ્ રાજચ'દ્ર) ૩. વિશિષ્ટ અપ્રમાદયુક્ત—આવી શુદ્ધ આત્મભાવનાથી ભાવિત હેાવાથી, આ સત્પુરુષને સ્વરૂપચ્યુતિરૂપ-સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ થતા નથી, અને વિષય-કષાય–રાગદ્વેષાદિની ક્ષીણતા વતે છે ૪. વિનિયેાગપ્રધાન—જે જ્ઞાન-દશને કરી જાણ્યું, પ્રતીત્યું, આચયુ", તેને આ પુરુષ સમ્યક્ વિનિયેાગ-યથાસ્થાને નિયેાજન કરી, (Practical application) ખીજા જીવાને ધર્મમાં જોડે છે, જેથી પેાતાની ધર્મપર'પરા તૂટતી નથી. * “णिच्चं पच्चक्खाणं कुव्वइ णिच्च य पडिक्कमदि जो । નિત્યં બાહોચેય તે દુ અખિં વરૂ થયા ।। ’”—શ્રી સમયસાર x " जो परसदि अप्पाणं अबद्धपुढं अणण्णयं णियदं । અનિલેસમઅંગુત્ત તેં મુદ્રળરું વિચાદિ | ”—શ્રી સમયસાર Page #139 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન (૭૩) ૫. ગંભીર ઉદાર આશયવાળું—આ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્માચરણ પરમ ગંભીર-ઉદાર આશયવાળું હોય છે. આ દ્રષ્ટિવાળા યેગી “સાગરવરગંભીરા હોય છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ...મૂળ મારગ સાંભળો જિનને રે; તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૭. પ્રભા દૃષ્ટિ અક પ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”—શ્રી ગઢ સક્ઝાય સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રજા સમે બેધ હોય છે. તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણ અધિક હોય છે, તેમ છઠ્ઠી દૃષ્ટિ કરતાં સાતમી દૃષ્ટિનો બાધ અનેક ગણે બળવાન હોય છે, પરમ અવગાઢ હોય છે. આને “પ્રભા’ નામ સૂર્ય પ્રભા આપ્યું છે તે પણ બરાબર છે, કારણ કે પ્ર+ભા =પ્રકૃષ્ટ પ્રકાશ જેને છે સમ પ્રભા તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હોય છે, તેમ આ દૃષ્ટિની બેધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હોય છે. સૂર્ય પ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથાર્થપણું છે. અને આ દષ્ટિને આ પ્રકૃષ્ટ બધપ્રકાશ હોય છે, એટલે જ અત્રે ૧. સર્વદા ધ્યાનહેતુ–આ બોધ નિરંતર ધ્યાનને હેતુ હોય છે. અહીં સ્થિતિ કરતો યોગી અખંડ આત્મધ્યાન ધ્યાવે છે. ૨. પ્રાયે નિર્વિકલ્પતા-તીર્ણ આત્મોપગવાળું આ આત્મધ્યાન હોવાથી, તેમાં પ્રાયે કઈ પણ વિકલ્પ ઊઠવાને અવસર હોતો નથી. ૩. પ્રશમસાર સુખ–અને આવું નિર્વિકલ્પ ધ્યાન હોવાથી જ અત્રે પ્રશમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હોય છે. પ્રથમથી, પરમ આત્મશાંતિથી, વીતરાગતાથી અત્રે યેગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી; અને કેવલ આત્માવલંબન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખને જ અવકાશ છે. સઘળું પરવશ તે
Page 82
દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દુષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ? ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ.”–શ્રી ગઢ સઝાય Page #140 -------------------------------------------------------------------------- ________________ (૭૪) યોગદષ્ટિસમુચ્ચય “એકાંતિક અત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન... હો જિનજી; નિરુપચતિ નિદ્રઢ સુખ, અન્ય અહેતુક પીન... હો જિન.—શ્રી દેવચંદ્રજી ૪. અન્ય શાસ્ત્રો અકિંચિકર—નકામા, અણખપના થઈ પડે છે, કારણ કે અહીં અનુભવજ્ઞાનનું–પ્રતિભ જ્ઞાનનું અત્યંત પ્રબળપણું-સમર્થ પણું હોય છે. શાસ્ત્ર ને માત્ર માગને લક્ષ કરાવી શકે છે, પણ અત્રે તો સાક્ષાત્ માર્ગની પ્રાપ્તિ છે, એટલે શાસ્ત્રનું પ્રયેાજન રહેતું નથી. ૫. સમાધિનિષ્ઠ અનુષ્ઠાન–અહીં સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે, સર્વ શુદ્ધ ભાવકિયા આત્મસમાધિમાં પરિણમે છે. દ. તેની સંનિધિમાં વેરના–આ દષ્ટિમાં વતતા ગિરાજની એવી યોગ સિદ્ધતા થાય છે, એ ગપ્રભાવ પ્રવર્તે છે, કે તેના સન્નિધાનમાં-હાજરીમાં ક્રૂર હિંસક પ્રાણીઓના પણ વૈર-વિરોધ વગેરે નાશ પામી જાય છે, જાતિવૈર પણ ભૂલાઈ જાય છે ! ૭, પરાનુગ્રહકર્તાપણું–આ દષ્ટિવાળે યેગી પરાનુગ્રહ–પોપકારપરાયણ હોય છે, બીજા છ પ્રત્યે તે કલ્યાણ માર્ગને ઉપદેશ કરી ઉપકાર કરે છે, અનુગ્રહ કરે છે. ૮. વિને (શિળે) પ્રત્યે ઔચિત્યાગ–ઉચિતતાવાળે પરમાર્થ સંબંધ હેાય છે, કે તેથી તે વિનયવાન શિષ્યનું અચૂક આત્મકલ્યાણ થાય. ૯, અવંધ્ય સક્રિયા–અત્રે ભાવરૂપ, પરમાર્થરૂપ જે શુદ્ધ આત્માનુચરણરૂપ સક્રિયા હોય છે, તે અવંધ્ય-અમેઘ હોય છે, કદી ખાલી જતી નથી, અચૂક મુક્તિફલ આપે છે. ૮. પરા દૃષ્ટિ ષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણું છે. આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણું છે.” શ્રી એગ સઝાય આઠમી પર દૃષ્ટિમાં બોધ ચંદ્રની પ્રભા સરખો હોય છે. સૂર્ય પ્રકાશ જો કે અધિક તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તો કેવલ સૌમ્ય ને શાંત હોઈ શીતલતા ઉપજાવે છે, પરમ આલાદ આપે છે. ચંદ્રપ્રભા સમ બંનેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે. એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન પર સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ આ દૃષ્ટિ સર્વોત્કૃષ્ટ છે, પરમ છે, ઊંચામાં ઊંચી છે, એનાથી પર કોઈ નથી, એટલે જ એને પરા” કહી છે. ચંદ્રની સ્ના (ચાંદની) જેમ વિશ્વમાં ફેલાઈ રહી તેને પ્રકાશમય કરી મૂકે છે, પ્રકાશમાં ન્હવરાવે છે, તેમ અત્રે પણ બધ-ચંદ્રની સોળે કળા ખીલી ઊઠતાં જ્ઞાન–વંતિકા Page #141 -------------------------------------------------------------------------- ________________ આ ચેગષ્ટિનુ સામાન્ય થન (૭૫) * આખા વિશ્વમાં રેલાઇ રહે છે. તપિ ચંદ્ર જેમ ગગનમાં જ રહી ભૂમિને પ્રકાશે છે, કાંઈ ભૂમિરૂપ તે થઇ જતા નથી; તેમ ચિદાકાશમાં સ્થિતિ કરતા આ એધ-ચંદ્ર પણ શેયરૂપ વિશ્વને પ્રકાશે છે, પણ વિશ્વરૂપ બની જતા નથી. કારણ કે શુદ્ધ દ્રષ્યનું સ્વરસભવન-પરિણમન થયું તે સ્વભાવનું શું બાકી રહ્યું ? કાંઇ જ નહિ, તે જ પૂર્ણ સ્વભાવ થયા. અને અન્ય દ્રવ્યરૂપ તે જો થઈ જાય, તે તે શું એને સ્વભાવ થયે। ? નહિં જ. કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવુ તે તે સ્વભાવ નહિં, પરભાવ જ છે. દૃષ્ટાંત-ચાંદની ભૂમિને ન્હેવરાવે છે, પણ ભૂમિ કાંઇ તેની થઈ જતી નથી. તેમ જ્ઞાન પણ જ્ઞેયને સદા જાણે છે, પણ જ્ઞેય વિશ્વ જ્ઞાનનું-આત્માનુ કદી ખની જતું નથી,−' આમ જ્ઞાની મહાત્માએએ કહ્યુ` છે. “ચદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઇ ચદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે કચારે પણ વિશ્વરૂપ થતા નથી, સદાસદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માન છે એ જ ભ્રાંતિ છે. ’ —સમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી (અંક (૮૩૩)-૭૬૦)
Page 83
આમ આ પરા ' દૃષ્ટિને ચંદ્રની ઉપમા ખરાખર ઘટે છે. કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સ્થિત રહી અત્રે વિશ્વપ્રકાશકતા હાય છે, વિશ્વવ્યાપકતા હેાતી નથી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ ઢાય છે, પરભાવને પ્રવેશ પણ થતા નથી; શુદ્ધ અદ્વૈત ’ અવસ્થા હેાય છે. અને આમ હેાવાથી આ પરા દૃષ્ટિના મેધ નિવિકલ્પ ધ્યાનસુખ સદા સાનરૂપ જ—હાય છે. અત્રે નિરંતરપણે પરમ આત્મસમાધિ જ તે છે. આ યાગીશ્વરની સહજાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનુ જે દ્વૈત હતું તે સર્વથા દૂર થયુ છે, એટલે પરમ શુદ્ધ અદ્વૈતભાવે કેવલ એક આત્મસ્વરૂપમાં જ સહજ નિઃપ્રયાસ રમણતા વત્ત છે. શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભાગી યદા, આત્મક્ષેત્રે નહિ' અન્ય રક્ષણુ તદા; એક અસહાય નિઃસંગ નિન્દ્વન્દ્વતા, શક્તિ ઉત્સ'ની હાય સહુ વ્યક્તતા....ધર્માં’શ્રી દેવચ‘દ્રશ્ નિવિકલ્પ—આ પરમ બેધ નિવિકલ્પ જ હાય છે. આમાં કયારેય પણ કોઇ પણ વિકલ્પ ઊઠવાના અસંભવ છે. આમ અત્રે નિવિકલ્પ આત્મસમાધિ હોય છે. ધ્યાતા, * ** शुद्धद्रव्यस्वरस भवनात्कि स्वभावस्य शेष मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्त्रभाव: । ज्योत्स्नारूप स्नपयति भुत्र नैत्र तस्यास्ति भूमि - જ્ઞાન હોય પતિ લરા જ્ઞેયનસ્વાતિ નૈત્ર।”—શ્રી અમૃતચદ્રાચાર્ય છત સમયસારકલશ Page #142 -------------------------------------------------------------------------- ________________ (૭૬) ગદષ્ટિસમુચ્ચય ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે; જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વતભાવ અસ્ત પામી જાય છે. “ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું.”—શ્રી યશોવિજયજી નિવિકલ્પ સુસમાધિમે હા, ભયે હે ત્રિગુણ અભેદ. લલના જિન સેવન પાઈયે હો, શુદ્ધાતમ મકરંદ લલના”—ભક્તરાજ દેવચંદ્રજી આ પરમ યેગી આવી નિવિકલ્પ દશા આવા અખંડ ધ્યાનથી પામે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છ૩, એક કેવલ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉ'. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ પરમ શાંત ચતી હું માત્ર નિર્વિકલ્પ છે. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છઉં, શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૮૩૩) ૭૬૦ અને આમ વિકલ્પને સર્વથા અભાવ હોય છે, એટલા માટે જ અત્રે ૧. પરમસુખ–હોય છે. આ સમાધિનિષ્ઠ-પરબ્રહ્મનિષ્ઠ યોગીશ્વર પરમ આત્મસુખને અનુભવ કરે છે, “આનંદઘન અવતાર' બને છે. ૨. આરૂઢના આરેહણની જેમ અનુષ્ઠાન અભાવ-આરૂઢના આરોહણની જેમ અહીં પ્રતિકમણાદિ અનુષ્ઠાન હોતું નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે? તેમ આ ગિરાજરાજેશ્વર ભેગ-ગિરિરાજના સર્વોચ્ચ શ્રેગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલંબનની શી જરૂર રહે? કારણ કે તે તે અનુષ્ઠાન તે આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનું આલંબન સાધન છે. હવે આ દશામાં તે તે આલંબન સાધન “વિષકુંભ' સમાન છે,* અપ્રતિકમણાદિ જ “અમૃતકુંભ” સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે “આલંબન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દર્શન–જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે.” x “पडिकमण पडिसरण परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहे। हाइ विसकुंभो ॥ अपडिकमणं अप्पडिसरणं अप्परिहाग अधारणा चेव । અગિયરી ૨ બળા નરહ્યા છે રામચમો છે – શ્રી સમયસાર ગાવે ૩૦૬-૩૦૭. “આક્ષોર્ટુને જે વર્ષ વાળમુતે.. ચોગાઢસ્ય વચૈવ રામ: #ારણમુને ”—ગીતા, –૩, Page #143 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનું` સામાન્ય ન “ આલખન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.........વીરજીને ચરણે લાગું ” (૭૭) —યોગિરાજ આનંદઘનજી ૩. પરોપકારિપણું યથાભવ્યત્વ પ્રમાણે—આ પરમ સત્પુરુષ,
Page 84
પરમ સદ્ગુરુ, પરમકૃપાળુ દેવ પછી પેાતાના કમ ઉદય પ્રમાણે, નિષ્કારણુ કરુણાથી જગજીવાને શુદ્ધ કલ્યાણમાના ઉપદેશ કરી, તેમના પર પરમ અનુગ્રહ-ઉપકાર કરે છે. આ પરમ ચેાગીશ્વરરૂપ મહામેઘ પરમા` એધામૃતની વૃષ્ટિ કરી, જગમાં પરમાનદરૂપ સુભિક્ષ સુકાળ પ્રવર્તાવે છે. “ કમાઁ ઉદય જિનરાજને, ભજિન ધર્મ સહાય રે....બાહુ જિષ્ણુદ દયામયી, 66 · પ્રભુ દરિસણુ મહામેહ, તણે પરવેશમે રે; પરમાનદ સુભિક્ષ, થયા મુજ દેશમે રે....શ્રી નમિ’—શ્રી દેવચંદ્રજી અત્રે યથાભવ્યત્વ પ્રમાણે એટલે જેવુ' જેવુ... પેાતાનું ભવ્યત્વ છે–હેાવા યેાગ્યપણુ છે, પૂર્વ પ્રારબ્ધજન્ય શેષ કનું ભેગવવાપણું વગેરે છે, તે યથાયેાગ્યપણે ભાગવીને ક્ષીણુ કરે છે. જેમકે-શ્રી તીર્થંકર ભગવાન, ગણધર દેવ, મુંડકેવલ્લી ભગવાન વગેરે, (( - અવધ્ય સક્રિયા-અત્રે પહેલાંની જેમ જ શુદ્ધ આત્માનુચરણુરૂપ - આત્મચારિત્રરૂપ અવધ્ય ક્રિયા હેાય છે, અમેાધ-અચૂક મેાક્ષલદાયી ક્રિયા હેાય છે. અને આમ આ યાગિરાજરાજેશ્વર ક્ષીદોષ સર્વજ્ઞ મહામુનિ સ` લબ્ધિ ફલ ભાગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ચૈાગ અયાગીજી; સ† શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી, સ અર્થ યેાગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી.”—શ્રી ચેાગ સજ્ઝાય આમ આ આઠ ષ્ટિને યથાયેાગ્ય ઉપમા આપી, શાસ્ત્રકાર મહર્ષિએ થાડા શબ્દોમાં ઘણુ' રહસ્ય ચમત્કારિક રીતે ખતાવી દીધું. અને તે થાડા શબ્દો પણ પરમ અગભીર હાવાથી, તેની સ્પષ્ટ સમજણુ પડવા માટે સક્ષેપથી આટલું વિવેચન કર્યું. આ ઉપરથી આ દૃષ્ટિએને સામાન્યપણે કંઇક ખ્યાલ આવી શકશે. વિશેષ વિસ્તારથી તેા પ્રત્યેક દૃષ્ટિનુ સ્વરૂપ આગળ ઉપર કહેશે ત્યારે બરાબર સમજવામાં આવી જશે. આમ સામાન્યથી આ આઠ દૃષ્ટિ સદ્દષ્ટિવાળા યાગીને હાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૭૮) ગદષ્ટિસમુચ્ચય શંકા-સમાધાન શંકા–સદ્દષ્ટિપણું-સમ્યગુષ્ટિપણું તે ગ્રંથિભેદ થયા પછી હોય છે, અને તે ગ્રંથિભેદ તે હજુ આગળ ઉપર ઘણા લાંબા વખત પછી થવાનો છે, કારણ કે તે તે પાંચમી દષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તે મિથ્યાદષ્ટિ છે, તે પછી “સદ્દષ્ટિની–સમ્યગદષ્ટિની આઠ દૃષ્ટિ એમ કહેવાનું શું કારણ? - સમાધાન–જે મિત્રા વગેરે ચાર દૃષ્ટિએ છે, તે સમ્યગદષ્ટિના અમેઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણમાં કાર્યના ઉપચારથી તે મિત્રો વગેરેનું પણ સમ્યગદષ્ટિપણું ઘટે છે, એટલે જ એને સમ્યગદષ્ટિની અંદર ગણે છે. આ સમજવા માટે આ દષ્ટાંત છે – શુદ્ધ સાકરના ચોસલાની–ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાએ પણ કામની છે. કારણ કે તે ખડી સાકર બને છે, તે કાંઈ એમ ને એમ બની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું શેરડીમાંથી પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે-(૧) પ્રથમ તે સાકર-દષ્ટાંત શેરડી હોય, (૨) પછી તેને રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને કાવે બનાવાય, (૪) તેમાંથી ગેળ બને, (૫) ત્યારપછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને, (૭) અશુદ્ધ સાકરના ગટ્ટા-પિંડા થાય, (૮) અને છેવટે શુદ્ધ સાકરના ચોસલા-ખડી સાકર (Refined crystallised sugar) બને. આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી (Various processes) પસાર થવું જ પડે છે. તેમાં શેરડીથી માંડીને ગેળ બનવા સુધીની ચાર અવરથાઓ બરાબર મિત્રા વગેરે પહેલી ચાર દષ્ટિએ છે; અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાએ બરાબર સ્થિર વગેરે છેલ્લી ચાર દૃષ્ટિ છે. એટલે જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની-કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા દૃષ્ટિ વગેરે અવસ્થાઓ પણ તેવા પ્રકારે ઉપગની છે; કારણ કે તે સમ્યગદષ્ટિનું કારણ થાય છે. આમ મિત્રા વગેરે દૃષ્ટિને અત્રે ગદષ્ટિમાં પિતા પોતાનું યથાયોગ્ય સ્થાન છે જ. આ મિત્રા વગેરે અવસ્થાઓ ખરેખર !
Page 85
ઈસુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હોય તે રસ ક્યાંથી નીકળે? રસ ન હોય તો ગોળ વગેરે કેમ બને ? મીઠી સાકર કેમ નીપજે ? પણ આ મિત્રા વગેરે તે શેરડી વગેરે જેવી હોઈ, તેમાંથી અવશ્ય પરમાર્થ પ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સંવેગની મધુરતાને અનુભવ થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનું સામાન્ય થત (૭૯) આથી ઉલટુ, અભવ્યા તેા નલ જેવા ખરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કોઇ કાળે સવેગરૂપ માય' નીપજતુ' નથી. ‘નલ’–ખરૂ તે સાવ નીરસ હેાય છે. એટલે એને ગમે તેટલે પીલે તેપણ તેમાંથી રસ નીકળતા નથી, તેા પછી તેમાંથી મીઠી સાકરની પ્રાપ્તિ તે કયાંય દૂર રહી! તેમ આ અભળ્યે પણ તેવા જ નીરસ, ‘કારાધાકાડ ’ હોય છે, તેમને ગમે તેટલા એધથી પણ પરમા પ્રેમરૂપ રસ ઉપજતેા નથી, તેા પછી સ’વેગરૂપ મીઠી સાકરની આશા કયાંથી હોય? આવા અભવ્યે ભલે પરમાથ પ્રેમ વિનાની નીરસ–સાવ સુક્કી એવી અનંત દ્રવ્ય ક્રિયા કર્યા કરે, અથવા તા ખૂબ શાસ્ત્રો ભણી મેાટા પડિત શ્રુતધર બને, પણ તેએ પાતાની પ્રકૃતિને કદી છેાડતા નથી, -ગેોળવાળુ દૂધ પીને સાપ નિષિ થાય નહિ' તેમ.’ કારણ કે તેઓના હૃદયમાં– અંતરાત્મામાં કદી પણ પરમા રસના અંકુર ફુટતા નથી. આમ હાવાથી તેએ મેાક્ષમાગ પામવાને સથા અયેાગ્ય છે, એટલા માટે જ તે ‘અભવ્ય કહેવાય છે. એટલે અર્થાંપત્તિન્યાયથી તેવા પુરુષા આ મિત્રા વગેરે દૃષ્ટિ પામવાને પણ યાગ્ય નથી હેાતા, કારણ કે જો તે પામે તેા તે અભવ્ય ' કયાંથી રહે? આ મિત્રા વગેરે દૃષ્ટિ પામે તે ભવ્ય જ હાય, અભવ્ય હેાય જ નહિ'. * અભવ્યા અપાત્ર -: પરિણામી આત્મામાં જ યાગદૃષ્ટિનું ઘટમાનપણું :— આમ જૂદી જૂદી ષ્ટિઓનુ તેવા તેવા પ્રકારે પરિણમન થતાં થતાં, અવસ્થાએ બદલાતાં બદલાતાં, શુદ્ધ આત્મારૂપ વસ્તુને આવિર્ભાવ થાય છે, પ્રગટપણું સિદ્ધ થાય છે. આ ઉપરથી વળી આ ફલિત થાય છે કે— (૧) જે સર્વથા અપરિણામી–પરિણામ નહિં પામતે એવો આત્મા માને છે, એવા અરિણામી આત્મવાદમાં આ કહ્યો તે દૃષ્ટિભેદ ઘટતા નથી. તેમ જ, (૨ ) જે સર્વથા ક્ષણિક એવા આત્મા માને છે, એવા ક્ષણિક આત્મવાદમાં પશુ ઉક્ત દૃષ્ટિભેદ ઘટતા નથી. કારણ કે તેમના જ અભિપ્રાય પ્રમાણે, તથાપ્રકારનુ ભવન-પરિણમન ઘટતું નથી. તે આ પ્રકારે : ૧. જો સર્વથા અપરિણામી એટલે એકાંત નિત્ય જ આત્મા માનવામાં આવે, તે ઉત્તરાત્તર દૃષ્ટિના લાભ કયાંથી થશે ? તે તે દૃષ્ટિએ તથારૂપ પરિણમન વિના સ ́ભવતી નથી, એટલે અપરિણામી સ્માત્મામાં તથારૂપ પરિણમન વિના તે તે દૃષ્ટિ કયાંથી આવે ? માટે કાં તા પિરામી આત્મા માનવા પડશે, ને કાં તે આ ચાગદૃષ્ટિ લાભ છેડી દેવે પડશે. અને આ લાભ જો જતા કર્યાં, તે પછી આ અરિણામવાદીનુ' યાગમાગ માં સ્થાન કયાં રહેશે ? તેએએ મુક્તિ અથે કલ્પેલા યાગમા પણ ‘કલ્પનામાત્ર ભદ્રક' થઇ પડશે ! કલ્પનામાત્ર ण मुयइ पर्याडमभच्वा सुहृषि अञ्झाइऊण सत्थाणि । શુતુદ્ધવિનિયંતા ન મળયા બિત્રિસા ધ્રુતિ —શ્રી કુંદકુંદાચાર્ય છકૃત સમયસાર્ એકાંત અપરિ ણામી વાદ અયુક્ત * Page #146 -------------------------------------------------------------------------- ________________ (80) યોગદષ્ટિ સમુચય રૂડો લાગશે! તેઓને આ યોગમાર્ગમાં ઉભવાનું સ્થાન જ નહિં રહે, કારણ કે આ અપરિણામી વાદમાં ભવ–મોક્ષનો મુખ્ય ભેટ પણ ઘટશે નહિં, કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. જો એક ભવ અવસ્થા જ રહે છે એમ માનશે, તો મોક્ષસાધક યુગમાર્ગનું પ્રોજન
Page 86
નિષ્ફળ થશે; ને જે એક મેક્ષ અવસ્થા જ રહે છે એમ માનશો તે પછી આ મક્ષસાધક ગમાર્ગની જરૂર જ ક્યાં રહી? આમ કૃતનાશ અને અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. એટલે આ એકાંત અપરિણામવાદ–એકાંત ફૂટસ્થ નિત્ય આત્મા માનો તે અયુક્ત છે. " एवं च योगमार्गोऽपि मुक्तये या प्रकल्प्यते / સોડવ નિર્વિવત્ત જપનામાત્રમઃ | "- જુઓ) યોગબિન્દુ, 0 478-489. એક કહે નિત્ય જ આતમતત્વ, આતમ દરિસણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહી.-શ્રી આનંદઘનજી 2. સર્વથા ક્ષણિકવાદ એટલે આત્માને જે એકાંત અનિત્ય જ માનવામાં આવે, તે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? ક્ષણ પછી તે આત્મા વિનાશ પામી જશે, એટલે વસ્તુ જ નહિં રહે, તો પછી તથારૂપ પરિણમન વિના આ યોગદષ્ટિ ક્ષણિકવાદ પણ કોને પ્રાપ્ત થશે? ક્ષણ પછી ક્ષણનું અનુસંધાન–અન્વય માનવામાં અયુક્ત આવે, તે ક્ષણિકવાદ છેડી દેવો પડશે. આમ કાં તે પરિણામી આત્માને એક નિત્ય અખંડ વસ્તુરૂપ માનવે પડશે, ને કાં તો એગદષ્ટિને લાભ જાતે કરવો પડશે. આ ગદષ્ટિનો લાભ જે જ કર્યો, તે ગમાર્ગમાં ક્ષણિકવાદને ઉભવાનું સ્થાન જ રહેશે નહિં; બંધ-મેક્ષ, સુખ-દુઃખ આદિ વ્યવસ્થા પણ ઘટશે નહિ. સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે.”–શ્રી આનંદઘનજી વળી જે ક્ષણિક છે એમ જાણીને જે કહે છે, તે કહેનારે પોતે ક્ષણિક નથી, એ અનુભવથી પણ આત્મા નિત્ય છે એમ નિશ્ચય થાય છે. ક્યારેય પણ કઈ પણ વસ્તુનો કેવળ સર્વથા નાશ થતું નથી, માત્ર અવસ્થાંતર થાય છે. અને ચેતનને જે અવસ્થાંતરરૂપ નાશ થતું હોય તે તે કેમાં ભળે? તે તપાસી જુઓ. x “ક્ષળિાડં તુ નૈવારા જાદૂર્વ વિના રાતઃ | બચશ્યામવાડરિવ્યથાડવંચમાવતઃ || ”—(જુઓ) ગબિન્દુ, શ્લ૦ 458-477. Page #147 -------------------------------------------------------------------------- ________________ આઠ યુગદષ્ટિનું સામાન્ય કથન (81) અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિં, કર અનુભવ નિર્ધાર. ક્યારે કઈ વસ્તુને, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ પરિણમીવાદ જ યુક્ત +આમ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે, તે તે પક્ષમાં આ ગદષ્ટિ લાભરૂપ યોગમાર્ગ ઘટતો નથી. એટલે અર્થપત્તિ ન્યાયથી “નાના પ્રકારના પર્યાયવાળા પરિણમી આત્મામાં * અવસ્થાભેદની સંગતિવડે કરીને ભેગમાર્ગને સંભવ છે.” આત્મા દ્રવ્યથી નિત્ય છે, ને પર્યાયથી–અવસ્થાંતરથી પલટાય છે, અનિત્ય છે, તેનું પ્રગટ દષ્ટાંત-બલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મ દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”—શ્રી આત્મસિદ્ધિ આમ પરિણામી આત્મતત્ત્વ માનવામાં આવે તે જ તેમાં આ તથારૂપ પરિણમનવાળી યોગદષ્ટિ ને ગમાર્ગની સમસ્ત ઘટના અવિકલપણે ઘટે છે, એમ આ ઉપરથી ફલિત થયું. અસ્તુ ! એ ગમે તેમ હો! આપણે હવે યોગદષ્ટિ”ના " ઉમીલન’ સાથે આગળ વધીએ, એટલે એ આત્મતત્ત્વ કેવું છે, તેની આપોઆપ ખબર પડશે. એમાં વાદવિવાદને અવકાશ નથી. અને આ “દષ્ટિ' સકલ ગિદશનેને સાધારણ છે, એટલા માટે જેવાઓને જેવા પ્રકારે હોય છે, તેવાઓને તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે - यमादियोगयुक्तानां खेदादिपरिहारतः / अद्वेषादिगुणस्थानं क्रमेणैषा सतां मता // 16 // વૃત્તિઃ-ચમારા યુવાન-યમ વગેરે વેગથી યુક્તને. અહીં “યમ” વગેરે, યોગના અંગપણને લીધે “ગ” કહેવાય છે. કહ્યું છે કે - “ચમનવમાસનપ્રાણાયામ ત્યાારધારા ધ્યાનમા ડબ્દાવકાનિા” (પાતંજલ યે. સૂ. 2, 29). " યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગ છે.” તે એમ યમ વગેરે, યોગના પ્રત્યનીક-વિરોધી એવા આશયોના
Page 87
પરિહાર (ભાગ) વડ કરીને હોય છે. અને આ આશય પણ આઠ જ છે. અને તેવા પ્રકારે કહ્યું છે કે - + " नासतो विद्यते भावो नाभावो विद्यते सत:। ઉમરા દાત્તત્વનચત્તરાશિમિ :”—ગીતા *"परिणामिन्यता नीत्या चित्रभावे तथात्मनि // અવસ્થામેલ ત્યા માલ્ય હંમર: »–શ્રગબિન્દ Page #148 -------------------------------------------------------------------------- ________________ (82) ગદક્ટિસમુચય યમાદિ ગયુતને થયે, બેદાદિ પરિહાર અદ્વેષાદિ ગુણસ્થાન આ, સંત સંમત ક્રમવાર, 16. અર્થ –ખેદ આદિના પરિહારથી–ત્યાગથી યમ આદિ વેગથી યુક્ત એવા જનને અનુક્રમે અદ્વેષાદિ ગુણનું સ્થાન, એવી આ દષ્ટિ તેને સંમત છે. વિવેચન જે આ આઠ દષ્ટિ કહી, તે અનુક્રમે યમ-નિયમ વગેરે એમના આઠ અંગથી યુક્ત યોગીઓને હોય છે. એટલે કે (1) જ્યાં વેગનું પ્રથમ અંગ યમ હોય, ત્યાં પ્રથમ મિત્રા દૃષ્ટિ હોય છે; જ્યાં યોગનું બીજું અંગ નિયમ હોય, ત્યાં બીજી 8 ગાંગ તારા દૃષ્ટિ હોય છે. એમ યાવત્ આઠેને પરસ્પર સંબંધ સમજ. તેમ 8 ચિત્તદેષ જ-(૨) ખેદ, ઉદ્વેગ, વગેરે આઠ પ્રકારના દુષ્ટ આશય-ચિત્તવૃત્તિ છે, 8 ગુણ તેને ત્યાગ કરવામાં આવતાં, અનુક્રમે યેગનાં આઠ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા બેદ દેષને ત્યાગ થતાં, યેગનું પહેલું અંગ યમ અને પહેલી મિત્રા દૃષ્ટિ હોય છે; બીજા ઉદ્વેગ દેષને ત્યાગ થતાં, યેગનું બીજું અંગ નિયમ અને બીજી તારા દષ્ટિ હોય છે, ઈત્યાદિ. અને (3) આ આઠ દષ્ટિ અનુક્રમે અદ્વેષ, જિજ્ઞાસા વગેરે ગુણનું સ્થાન છે. એટલે પહેલે અદ્વેષ ગુણ પ્રગટવાનું સ્થાન પહેલી મિત્રા હેષ્ટિ હોય છે, બીજે જિજ્ઞાસા ગુણ પ્રગટવાનું સ્થાન બીજી તારા દૃષ્ટિ હોય છે. અર્થાત્ પહેલી મિત્રા દષ્ટિમાં આમ પહેલે અદ્વેષ ગુણ પ્રગટે છે, બીજી તારા દષ્ટિમાં બીજે જિજ્ઞાસા ગુણ પ્રગટે છે. યાવત્ આઠેને સંબંધ જોડે. "खेदो द्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गै / युक्तानि हि चित्तानि प्रपञ्चता वर्जयेन्मतिमान् // " ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્દ, સગ ( રેગ)ને આસંગથી (આસકિત) યુક્ત ચિત્તને મતિમાન નિશ્ચય કરીને પ્રપંચથી વ છોડી દીએ. તેથી એમ, દાત :- તે ખેદ આદિના પરિહારથી-ત્યાગથી પણ ક્રમે કરીને આ દૃષ્ટિ આઠ પ્રકારની છે. આ દૃષ્ટિ વાઢિrળસ્થાન–અષાદિ ગુણનું સ્થાન છે એટલા માટે પણ એમ છે, કારણ કે આ પણ આઠ છે. કહ્યું છે કે : " વિજ્ઞાસા સુશ્રષા શ્રવનાથમાનતા : | परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टात्मिका तत्त्वे // " 1. અષ, 2. જિજ્ઞાસા, 3. શુશ્રષા, 4. શ્રવણ, 5. બેધ, 6. મીમાંસા, 7. પરિશુદ્ધ પ્રતિપત્તિ 8. પ્રવૃત્તિ-એમ તરવમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ છે. એમ મેળ-ક્રમે કરીને પુષ-આ સદ્દષ્ટિ સતાં-સંતને, મુનિઓને-ભગવત પતંજલિ, ભદંત ભાકરબંધુ, ભગવત અંતવ (?) આદિ યોગીઓને, મા-ઇષ્ટ-સંમત છે. અને એનું સાકય-સંપૂર્ણ વિસ્તાર પ્રત્યેક દૃષ્ટિમાં અમે દર્શાવશું. Page #149 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથનઃ યોગના આઠ અંગ આમ આ આઠ યોગદષ્ટિ, આઠ યંગ અંગ, આઠ દેષ ત્યાગ, ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દષ્ટિમાં પહેલું યોગઅંગ, પહેલા ચિત્ત દેષનો ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવત્ આનું સમજવું. આમ આ ભંગી ઘટે છે. અહીં યમઆદિ ભેગના અંગરૂપ છે તેથી તેને “ગ” કહ્યા છે. કેષ્ટક-૩ ગદષ્ટિ | મિત્રા ગઅંગ | દોષત્યાગ, ગુણસ્થાન છે બેધની ઉપમા | વિશેષતા યમ | ખેદ | અદ્વેષ | તૃણ અગ્નિકણ મિથ્યાત્વ નિયમ | ઉગ | જિજ્ઞાસા ગમય અનિકણું આસન | ક્ષેપ શુશ્રુષા ! કાષ્ઠ અગ્નિકણ તારા બલા પ્રાણાયામ ઉથાન શ્રવણ દીપ પ્રભા દીકા સ્થિરા | પ્રત્યાહાર | બ્રાંતિ | બોધ | રત્નપ્રભા | સમ્મફતવ કાંતા ધારણ અન્યમુદ્દ મીમાંસા તારા પ્રભા પ્રભા ધ્યાન ગૂ (રોગ) પ્રતિપત્તિ - સૂર્ય પ્રભા | પરા
Page 88
| સમાધિ | આસંગ | પ્રવૃત્તિ | ચંદ્ર પ્રમાણ - યોગના આઠ અંગનું સ્વરૂપ - 1. યમ–તેને વ્રત પણ કહે છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. તે પ્રત્યેકના પણ તરતમતાના કારણે ચાર પ્રકાર છે: ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ, 2. નિયમ–શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરધ્યાન-એ પાંચ નિયમ છે. 3. આસન-દ્રવ્યથી કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતારૂપ પદ્મ, વીર આદિ આસન. ભાવથી તે પરભાવનું આસન-અધ્યાસ–બેઠક છોડી, આત્મભાવમાં બેસવું-બેઠક કરવી તે આસન. 4. પ્રાણાયામ–સ્થૂલ શારીરિક પ્રાણાયામ નામની હગની ક્રિયા અત્ર ઈષ્ટ નથી. કારણ કે તેમાં વાયુને બહાર કાઢવામાં આવે છે (રેચન ), પૂરવામાં આવે છે (પૂરણ) અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે (કુંભન); આ આ પ્રક્રિયાઓ શરીર Page #150 -------------------------------------------------------------------------- ________________ (84) ગદષ્ટિસમુચ્ચય આયાસરૂપ અને મનને ચંચલતાકારણરૂપ હાઈ કલેશરૂપ થાય છે, માટે આ બાહ્ય પ્રાણાયામ અત્રે વિવક્ષિત નથી. અત્રે તે આધ્યાત્મિક-ભાવ પ્રાણાયામ જ પ્રસ્તુત છે-કે જેમાં બાહ્ય ભાવ-પરવસ્તુ ભણી જતા ભાવને રેચ દેવામાં આવે છે, જુલાબ દેવાય છે, હાર કઢાય છે તેવી રેચકક્રિયા હોય છે, જેમાં અંતભાવ પૂરાય છે-અંતરાત્મભાવ ભરાય છે, તે–રૂપ પૂરક ક્રિયા અને તે અંતરાત્મભાવની સ્થિરતારૂપ કુંભક ક્રિયા હોય છે. આ આત્મસ્વભાવરૂપ ભાવપ્રાણાયામ જ અત્રે અધ્યાત્મરૂપ યોગમાર્ગમાં ઈષ્ટ છે. “બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ... મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ” શ્રી ગઢ દ. સઝાય 5. પ્રત્યાહાર–વિષયવિકારોમાંથી ઇદ્રિને પાછી ખેંચવી તે પ્રત્યાહાર, પંચ વિષયના વિકારોમાં ઇન્દ્રિયોને ન જોડવી તે પ્રત્યાહાર. વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારેજી, ”-શ્રી યોગ સઝાય 6. ધારણા–“રેરાયશ્ચિત્ત ધાણા " (પા. ચે.) ચિત્તને દેશબંધ તે ધારણું. ચિત્તને અમુક તત્વચિંતનાદિ મર્યાદિત સ્થળે ધારી રાખવું–બાંધી રાખવું, રોકી રાખવું તે ધારણા. 7. ધ્યાન-તત્ર પ્રચૈજતાના ધ્યાન " તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન. એકાગ્ર ચિત્તવૃત્તિનો નિષેધ કરે તે ધ્યાન. તત્વસ્વરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે ધ્યાન. 8. સમાધિ-આત્મતત્વરૂપ જ થઈ જવું, તત્વને પામવું, તત્વમાં લીન થઈ જવું તે સમાધિ. જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયને ભેદ રહે નહિ, ત્રણેય એકરૂપ થઈ જાય, તે સમાધિ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે...”—શ્રી યશોવિજયજી - આઠ આશય દેષ :આઠ દષથી યુક્ત આશયને-ચિત્તને દુષ્ટ અધ્યવસાયને જ્યારે છોડી દીએ, ત્યારે અનુક્રમે તે તે દૃષ્ટિની પ્રાપ્તિ હેય છે. પહેલે દેષ છેડતાં, પહેલી મિત્રા દૃષ્ટિ હોય છે, ઈત્યાદિ. મતિમાન આત્માથી જીવે જેમ બને તેમ સર્વ પ્રયાસથી તે તે દોષ દૂર કરવા આવશ્યક છે, કારણ કે ગની સિદ્ધિમાં મનના જયની જરૂર છે, ને મજયમાં આ આઠ દોષ નડે છે. તે દેષ ટળે તે ગુણ પ્રગટે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણેઃ 1. ખેદ થાકી જવું તે શુભ સન્માર્ગે પ્રવર્તતાં થાકવું તે. તે દેષ દૂર થતાં મિત્રા દષ્ટિ હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથાઃ આઠ આશય દેષ (85) ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે.”—શ્રી આનંદઘનજી આવા ખેદથી ધર્મક્રિયામાં મનની દઢતા રહેતી નથી, કે જે દઢતા, ખેતીમાં પાણીની જેમ, ધમને મુખ્ય હેતુ છે. “કિરિયામાં બેદે કરી રે, દઢતા મનની નાંહિ રે; મુખ્ય હેતુ તે ધમને રે, જેમ પાણી કૃષિમહિરે..પ્રભુ તુજ વાણી મીઠડી રે.” –શ્રી યશોવિજયજીકૃત સા. ત્ર, ગ, સ્ત, 2. ઉગ–સન્માર્ગસાધક ક્રિયા પ્રત્યે માનસિક કંટાળે-અણગમ ઉપજો, સન્માગથી ઉદ્ભગ્ન થવું–ઉભગવું તે. એટલે બેઠા બેઠા પણ ક્રિયામાં ઉદ્વેગ-અણગમે ઉપજે છે. આમ યોગના ઠેષને લીધે, તે ક્રિયા કરે તે પણ રાજવેઠની જેમ ઝપાટાબંધ આટોપી લે છે–જેમ તેમ પતાવી દે
Page 89
છે! બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ, ગદ્વેષથી તે ક્રિયારે, રાજઠ સમ વેગ રેપ્રભુ તુજ.” 3. ક્ષેપ–ચિત્તને વિક્ષેપ, અસમાધાન ડામાડોળ વૃત્તિ. અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફેકાવું–ચાલ્યા જવું, ઝાંવા-ઉધામા તે ક્ષેપ. જેમ શાલિને ઊખણતાંવારંવાર ઊખેડી ઊખેડીને વાવે તો ફલ ન થાય, તેમ આવી ક્ષેપવાળી ક્રિયાનું નિર્મલ ફલ મળતું નથી. વિચે વિશે બીજા કાજમાં રે, જાયે મન તે ખેપ રે, ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહિં તિહાં નિર્લેપ રે.... પ્રભુ તુજ.” 4. ઉત્થાન-ઊઠી જવું તે ઉથાન. સન્માર્ગમાંથી એટલે કે મોક્ષસાધક યુગમાગ કિયામાંથી ચિત્તનું ઊઠી જવું તે ઉત્થાન. આમ થવાનું કારણ શાંતવાહિતાને એટલે કે ચિત્તના એક અખંડ શાંત પ્રવાહનો અભાવ છે. આવા ઠરેલપણાના અભાવે જ્યાંથી મન ઊઠી ગયું છે એવી તે ગક્રિયા છોડી દેવા ગ્ય છે; પણ કલજજાદિથી છેડી શકાતી નથી. આ ઉથાન દેષ છે. મમતથી તે પકડી રાખે, આ ઉથાન દેષ છે. શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે; ત્યાગગ છે તેહથી રે, અણછડાતું ધ્યાન રે.....પ્રભુ તુજ.” 5. ભ્રાંતિ–ભમવું તે, ભ્રમ ઉપજ છે. પ્રસ્તુત ગક્રિયાને છોડી ચિત્તનું ચારેકેર ભ્રમણ-ભ્રામક વૃત્તિ, તે ભ્રાંતિ. અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણ થવી, તત્વને અતવ માનવારૂપ વિપર્યાસ થવો તે ભ્રાંતિ અથવા અમુક ક્રિયા કરી કે ન કરી એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અર્થવિરોધી એવું અકાજ થાય, ઈષ્ટ ફલરૂપ પરમાર્થ કાર્ય ન થાય. આમ ભ્રાંતિનું સ્વરૂપ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ (86) ગદસિમુરિચય ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે....પ્રભુ તુજ.” 6. અન્યમુદ્દ–બીજે ઠેકાણે આનંદ-મોદ પામે છે. આત્મતત્વ કરતાં અન્ય સ્થળે આનંદિત થવું તે અન્યમુદ્, અથવા આમ માંડેલી ગક્રિયા અવગણને બીજે ઠામે હર્ષ ધરવો, તે પરમાર્થરૂપ ઈષ્ટ કાર્ય માં અંગારાના વરસાદ જેવો છે. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ, ઈષ્ટ અર્થમાં જાણીયે રે, અંગારાને વર્ષ રે....પ્રભુ તુજ.” 7. ગ—રોગ, રાગ-દ્વેષ-મેહ એ ત્રિદોષરૂપ મહારગ–ભાવરોગ અથવા સાચી સમજણ વિના ક્રિયા કરવામાં આવે, તે શુદ્ધ કિયાને ઉછેદ થાય, એટલે શુદ્ધ ક્રિયાને પીડારૂપ અથવા લંગરૂપ એવો “ગ” ઉપજે. આવી રેગિષ્ટ અશુદ્ધ ક્રિયાનું ફલ વાંઝિયું છે. રેગ હોયે સમજણ વિના રે, પીડા-ભંગ સુરૂપ રે; શુદ્ધ ક્રિયા ઉછેદથી રે, તેહ વધ્ય ફલરૂપ રે...પ્રભુ તુજ.” 8. આસંગ-આસક્તિ. પરદ્રવ્ય તથા પરભાવના સંગમાં આસક્તિ ઉપજવી તે અથવા અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગ છે. જે ક્રિયા કરતો હોય, તેમાં “ઈદમેવ સુંદર' આજ સુંદર છે–રૂડું એ જે રંગ લાગવે, તેમાં જ ગુંદરીઆ થઈને ચુંટયા રહેવું, તે આસંગ દોષ છે, કારણ કે એમ એક જ સ્થળે જીવ જે ચૂંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણઠાણે સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress) ન થાય. તેથી પરમાર્થરૂપ સુંદર ફળ (મોક્ષ) ન મળે. એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે; તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહીં ચંગ રે....પ્રભુ તુજ.” આમ સન્માર્ગરૂપ ગમાર્ગની સાધનામાં ચિત્તને પ્રથમ ખેદ ઉપજે, થાક લાગે, દઢતા ન રહે, એટલે તેમાં ઉદ્વેગ ઉપજે-અણગમે આવે, વેઠીઆની જેમ પરાણે કરે. એથી કરીને ચિત્તવિક્ષેપ થાય, ડામાડોળ વૃત્તિ ઉપજે, મન બીજે બીજે દોડ્યા કરે. આઠ દષની એટલે ચાલુ કામમાંથી મન ઊઠી જાય, ઉત્થાન થાય, ને ચારે કેર ભમ્યા સકલના કરે, બ્રાંતિ ઉપજે. એમ ભમતાં ભમતાં કે અન્ય સ્થળે તેને લીજજત આવે–અન્યમુદ્ર થાય. એટલે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય,
Page 90
પીડારૂપ–ભંગરૂપ રેગ લાગુ પડે, કિયા માંદી પડે, ને તે અમુક સ્થળે આસંગ-આસક્તિ ઉપજે, “અડ્રેડી દ્વારકા જ થઈ જાય! આમ આ આઠ આશયદષની પૂર્વાપર સંબંધરૂપ સંકલના ઘટાડી શકાય છે. તે દેષ જેમ જેમ છોડાય, તેમ તેમ અનુક્રમે આઠ દષ્ટિરૂપ આત્મગુણને આવિર્ભાવ થત જાય છે, પ્રગટપણું થતું જાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન: યુગના આઠ ગુણ. (87) અથવા બીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દેષ ઘટાવીએ તે-(૧) આત્મતત્ત્વની સાધનામાં જીવની દઢતા ન રહે-ખેદ ઉપજે, (2) તે સાધનામાં ઉદ્વેગ-અણગમા આવે, (3) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવસ્તુમાં–પરભાવમાં દોડ્યા કરે, ઉધામા નાખે, (4) અને આત્મભાવમાંથી ઉઠી જાય (ઉત્થાન), (5) એટલે પછી બ્રાંતિ–વિપર્યાસ પામી ચારે કોર પરભાવમાં ભમ્યા કરે, (6) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્દ), (7) એટલે રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ–સનિપાત (રોગ) લાગુ પડે, (8) અને પરવસ્તુમાં– પરભાવમાં આનંગ-આસક્તિ ઉપજે. ઈત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે . અને આ દેષ દૂર થવાને કમ પણ પરસ્પર સંકળાયેલ છે, તે આ પ્રમાણે : (1) ધર્મક્રિયામાં પ્રથમ તે મનની દઢતા રહે, ખેદ ન થાય, (2) તે ઉદ્વેગ-અણ ગમે ન ઉપજે, ઠરૂપ ન લાગે; (3) એટલે વિક્ષેપ ન ઉપજે, (4) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય; (5) એટલે ચારે કોર ભમે નહિં, (6) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ બને નહિં; (7) એટલે પછી ક્રિયાને રેગ લાગુ પડે નહિં, (8) અને અમુક સ્થળે આસક્તિ–આસંગે પણ ઉપજે નહિં. - આઠ ગુણનું સ્વરૂપ - 1. અદ્વેષ–ષ ન હોવે તે અષ. સત તત્ત્વ પ્રત્યે દ્વેષ-મત્સર અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગ શ્રેણીનું પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે. “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ.” “ષિ અરોચક ભાવ.”—અવધૂત શ્રી આનંદઘનજી આમ “સ” પ્રત્યે અરુચિભાવ-અણગમો તે શ્રેષ, અને તેવી અરુચિ-અણગમાને અભાવ તે અષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તે પછી 2. જિજ્ઞાસા-સત્ તત્વને જાણવાની અંતરંગ ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના ઉપજે એટલે પછી– 3. શુશ્રષા–તત્ત્વને સાંભળવાની ઉત્કટ ઇચ્છા પ્રગટે, એટલે પછી– 4. શ્રવણ-સતત્ત્વને સાંભળવાનું બને. એટલે પછી– 5. બધ-તત્ત્વને બેધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચેટ, પ્રતિબંધ પામે-બૂઝે. એટલે પછી– 6. મીમાંસા-થયેલા તત્વબોધનું મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊહાપોહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષ્મ વિવેક પ્રગટે. એટલે પછી— 7. પ્રતિપત્તિ-આદેય તત્વનું અવગાઢ ગ્રહણ–અંગીકરણ થાય, અંતરાત્માથી તત્વ વિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી Page #154 -------------------------------------------------------------------------- ________________ (88) યોગદષ્ટિસમુચ્ચય 8. પ્રવૃત્તિ—તત્ત્વરૂપ પ્રવૃત્તિ, તદ્રુપ પ્રવૃત્તિ, આચરણ, અનુષ્ઠાન, ચારિત્ર, રમણ થાય. આત્મા સ્વરૂપમાં રમણ કરે. “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ.”—શ્રી ગઢ સક્ઝાય “તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ મારગ.” –શ્રીમદ રાજચંદ્રજી આમ આ આઠ ગુણોને ઉત્તરોત્તર કમ છે, અને તે આઠ દૃષ્ટિમાં અનુક્રમે એકેકપણે પ્રગટે છે. સારાંશ-( Summary) --: દેહરા :- (8 યોગાંગ) –ોગ અંગ-ચમ નિયમ ને, આસન પ્રાણાયામ; પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સમાધિ—આમ. ( 8 દોષ) –ષ-ખેદ ઉદ્વેગ ને, ક્ષેપ તેમ ઉત્થાન; ભ્રાંતિ અન્યમુદ્ રેગ ને, આસંગે ઈમ જાણ; (8 ગુણ) –અદ્વેષ જિજ્ઞાસા અને, શુશ્રેષા શ્રવણ બેધ; મીમાંસા પ્રતિપત્તિ ને, પ્રવૃત્તિ ગુણ શોધ. (8 દૃષ્ટિ) –મિત્રા તારા ને બલા, દીકા સ્થિરા તેમ કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ. પ્રથમ દૃષ્ટિમાં વેગનું, અંગ પ્રથમ યમ હોય; પ્રથમ દષને ત્યાગ ને, ગુણ પ્રથમ પણ જોય. આઠ દૃષ્ટિમાં એ ક્રમે, અંગ જવા આઠ; દોષ આઠ પરિવર્જવા, ગુણ જોડવા આઠ. હવે “ષ્ટિ’ શબ્દનો અર્થ બતાવવા માટે કહે છે - सच्छ्रद्धासंगतो बोधो दृष्टिरित्यभिधीयते / असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः
Page 91
// 17 // વૃત્તિ:-સદૃદ્ધાવંત્તો ગોધ–સત શ્રદ્ધાસંયુક્ત બોધ. આ ઉપરથી અસત્ શ્રદ્ધાને વ્યવચ્છેદ-અપવાદ કહ્યો. અને અહીં અસત શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પિતાના અભિપ્રાયથી તથા પ્રકારના અસદુ ઊહરૂપવિકલ્પરૂપ શ્રદ્ધા ગ્રહવામાં આવી છે. એવી તે અસત શ્રદ્ધાના વિકલપણાથી–રહિતપણુથી “સત શ્રદ્ધાસંગત, એવા પ્રકારને જે બોધ-અવગમ (સમજણ) તે શું ? તે કે- દષ્ટિહિત્યમથીયરે- “દૃષ્ટિ” કહેવાય છે - દર્શન તે દૃષ્ટિ એમ જાણીને-નિષ્ઠયપાય પણએ કરીને, (તેમાં કઈ આલ અવલ આવતી નથી એથી કરીને). ફલથી આ જ કહે છે Page #155 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન: સતશ્રદ્ધાયુક્ત બેધ (89) સત્ શ્રદ્ધાયુત બેધ છે, તે “દૃષ્ટિ” કહેવાય; અસત્ પ્રવૃત્તિ બાધથી, સપ્રવૃત્તિ પદદાય. 17. અર્થ ––સતુશ્રદ્ધાથી સંગત એ જે બોધ તે “દુષ્ટિ” કહેવાય છે. અને તે અસત્ પ્રવૃત્તિને વ્યાઘાતથી (અટકવાથી) સતપ્રવૃત્તિપદાવહ એટલે સતપ્રવૃત્તિપદ પમાડનારે એ હોય છે. વિવેચન અહીં “દષ્ટિ' એટલે ? તેની સ્પષ્ટ વ્યાખ્યા કહી છે. સતશ્રદ્ધાથી યુક્ત એવે જે બેધ તેનું નામ “દષ્ટિ છે. અહીં “સત્ શ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે અસત્ શ્રદ્ધાનો અપવાદ-નિષેધ કરવા માટે છે. સતુશાસ્ત્રને આધાર છેડી પોતાના સત્ શ્રદ્ધાયુક્ત અભિપ્રાયે કરીને–પિતાના સ્વચ્છ કરીને, પિતાની મતિકલ્પના પ્રમાણે બોધ તે દષ્ટિ જ્યાં અસત્ બેટા તર્ક વિતર્ક-વિકલ્પ કરવામાં આવે છે, એવી શાસ્ત્રબાહ્ય જે શ્રદ્ધા તે અસતુશ્રદ્ધા છે. આવી અસત્ શ્રદ્ધા આ “દષ્ટિ”માં હોતી નથી. એમાં તે સતશાસ્ત્રના આધારવાળી, સશાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી, એવી સશ્રદ્ધા–સાચી શ્રદ્ધા જ હોય છે. આવી સત શ્રદ્ધા હોય તે જ તે બેધને દષ્ટિ નામ ઘટે છે. દષ્ટિ” એટલે દર્શન–દેખવું તે છે. આમાં નિપ્રત્યાયપણું હોય છે, કઈ પણ આડખીલી હોતી નથી, એટલા માટે તે “દર્શન” અથવા “દૃષ્ટિ' કહેવાય છે. પછી ભલે આ થોડી ઉઘડી હોય કે ઝાઝી ઉઘડી હોય, પણ તે ખૂલતાં જે કાંઈ દેખાય છે દષ્ટિ એટલે તે દેખાય છે, દીઠું એટલે બસ દીઠું, તેમાં કઈ પ્રત્યવાય નડતું નથી. દર્શન આમ “દષ્ટિ” એટલે “દર્શન” એમ કહ્યું તે યથાર્થ છે. આ બરાબર સમ જવા આંખને ચર્મચક્ષુને દાખલો લઈએ - આંખ બંધ હોય તે કાંઈ દેખાતું નથી, પછી આંખ જરાક ઉઘડે તે પાસેને પદાર્થ ઝાંખો ઝાંખો દેખાય છે, પછી વધારે ઉઘડે તે તેથી વધારે દેખાય છે, એમ જેમ જેમ આંખ ખૂલતી જાય છે, તેમ તેમ વધારે ને વધારે દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ આંખ ખૂલતાં -અસહ્મવૃત્તિ ચાધારાતઅસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકી જવાપણાથી). એટલે કે તેવા પ્રકારની શ્રાદ્ધતાથી-શ્રદ્ધાનંતપણાથી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિના વ્યાઘાતથી–અટકી જવાપણાને લીધે, શું? તે કે સત્રવૃત્તિપાવડ–સતપ્રવૃત્તિપદને આણનારે, લાવનારે. એટલે શાસ્ત્રથી અવિરુદ્ધ એવા પ્રવૃત્તિપને આણી આપનાર. અદ્યસંવેદ્યપદના પરિત્યાગવડે કરીને ઘસ વિદ્યપદ પમાડનારો એમ અર્થ છે. સ્થિર આદિ દષ્ટિનું વેદ્યપદરૂપપણું છતાં આના સામાન્ય લક્ષણપને લીધે એમ પણ અદેષ છે. અથવા સત પ્રવૃત્તિપદ એટલે પરમાર્થથી શેલેશીપદ છે. એટલે આ દૃષ્ટિના તતપદાવહપણામાં તે પદ પમાડવાપણામાં કોઈ દોષ નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિસમુચ્ચય અનંત આકાશ પણ તે નાની સરખી આંખથી દેખાય છે! તેમ આ આંતરચક્ષુરૂપ “ગદષ્ટિ” પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્મીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ “દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ દૃષ્ટિ” ખૂલતાં અનત “દર્શન થાય છે. પણ આ થેડું કે ઝાઝું જે કાંઈ દેખાય છે, તે બધું ય “દર્શન” અથવા “દષ્ટિ” કહેવાય છે; એમાં માત્ર માત્રાને–અંશને ભેદ (Difference of degree) છે, દર્શનભેદ નથી. આ દર્શનની જાતિ એક છે. એટલા માટે “રાત પ્રવચનં' એ સૂત્ર પ્રમાણે “દૃષ્ટિ”
Page 92
એમ એકવચની પ્રયોગ કર્યો છે. આમ ગદષ્ટિ અથવા દર્શન એક છે, છતાં તેના ઉન્મીલન અંશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના વિભાગ પાડ્યા છે. આવું દર્શન કે દષ્ટિ ક્યારે ઉઘડી કહેવાય? તેની અત્રે સ્પષ્ટ મર્યાદા બતાવી છે કે જ્યારે સતશાસ્ત્રની શ્રદ્ધાવાળે બેધ હોય ત્યારે.” આથી ઊલટું, સતુશ્રદ્ધા વિનાને જે બોધ છે, અથવા સ્વચ્છેદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળે જે બેધ છે, તે “દષ્ટિ” અથવા “દર્શન” કહી શકાય નહિં, કારણ કે આંખ ઉઘડી ન હોય ત્યાં સુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, તેમ દષ્ટિઅધપણું સતશાસ્ત્ર શ્રદ્ધાથી જ્યાં લગી આંતરદૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાંસુધી દષ્ટિઅંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી. આ જીવને નેત્રરેણીની ઉપમા ઘટે છે. નેત્રરંગી એટલે કે જેને આંખો રોગ છે, એવો પુરુષ આંખ ઉઘાડી શકતો નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતે નથી. તેની જે કોઈ નિષ્ણાત નેત્રવેદ્ય (Eye-specialist) બરાબર ચિકિત્સા કરી યથાયોગ્ય અંજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તે ધીરે ધીરે તેને નેત્રરેગીનું રેગ મટવાનો સંભવ છે. તે સદ્યને ને તેને આધીન ઔષધને જોગ દૃષ્ટાંત ન બને ત્યાં સુધી તેને રેગ કેમે કરીને મટે નહિં. તેમ આ જીવને દષ્ટિ અંધપણને-મિથ્યાદષ્ટિપણાને ગાઢ રોગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતો નથી! હવે તેને કોઈ મહાપુણ્યના જોગાનુજોગે કેઈ તેવા સદ્દગુરુરૂપ નિષ્ણાત સવૈદ્યને જેગ મળે, ને તે તેને રોગનું બરાબર નિદાન કરી, એગ્ય ચિકિત્સા કરે, જ્ઞાનરૂપ અંજન આજે, તે ધીરે ધીરે તે દષ્ટિઅંધની દષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરોગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે–સવૈદ્યરૂપ સદ્દગુરુને શોધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તે જ તે આત્મબ્રાંતિરૂપ મોટામાં મોટો રેગ જાય, તે આ પ્રમાણે Page #157 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથનઃ દિવ્ય નયન (91) આત્મબ્રાંતિ સમ રેગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ “अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया / नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः // " પ્રવચન અંજન જે સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી અeો સશાસ્ત્રની શ્રદ્ધા કહી છે, તેમાં તે શાસ્ત્રના મૂળ પ્રણેતા આસ પુરુષની, તેમજ તે શાસ્ત્રનો આશય સમજાવનારા સદ્દગુરુની શ્રદ્ધા પણ ગર્ભિતપણે સમાઈ જાય છે. કારણ કે જાગતી જોત જેવા સદ્ગુરુ વિના તે શાસ્ત્ર સમજાવશે કેણ? શાસ્ત્ર કાંઈ આપ્તની-સદ એની મેળે સમજાઈ જતું નથી ! તે તે જેને જ્ઞાનદષ્ટિ ઊઘડી છે એવા ગુરુની શ્રદ્ધા પ્રગટ ગીસ્વરૂપ જ્ઞાની સદ્ગુરુમુખેથી સમજવામાં આવે, તે જ સમજાય; તેવા ગુરુગમ વિના તે આગમ તે અગમ થઈ પડે છે! કારણ કે “બિના નયનકી બાત”, “બિના નયન’–સદ્ગુરુની દોરવણી વિના સમજાય નહિ; ને તે “દિવ્ય નયન” તે સદ્દગુરુના ચરણ સેવે તે સાક્ષાત્ ખૂલે. “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત; સેવે સરુકે ચરન, સો પાવે સાક્ષાત. બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝની રીત; પાવે નહિં ગુરુગમ બિના, યેહી અનાદિ સ્થિત.”–શ્રીમદ્ રાજચંદ્રજી ચરમ નયન કરી મારગ દેવ રે, ભૂલ્યો સયલ સંસાર જિણે નયણે કરી મારગ જઈએ રે, નયન તે દિવ્ય વિચાર. પંથડે નિહાળું રે.”—શ્રી આનંદઘનજી આમ અત્રે શાસ્ત્રકાર ભગવતે અર્થપત્તિન્યાયથી બંધ કર્યો કે–આ ગદષ્ટિમાં પ્રવેશ કરવાનું પ્રથમ દ્વાર સશાસ્ત્રની શ્રદ્ધા છે. શાસ્ત્ર એટલે આપ્તપુરુષનું વચન. તેની આજ્ઞાને શ્રદ્ધાથી અનુસરવું એ જ યેગમાર્ગનું પ્રથમ પગથિયું છે, તે જ “દૃષ્ટિ” ખૂલશે,
Page 93
નહિં તે અંધપણું જ છે, માટે જીવે સ્વછંદરૂપ અસતુશ્રદ્ધાને ત્યાગ કરી, પિતાની સ્વછંદ મતિકલ્પના છોડી દઈ, સત્શાસ્ત્રને–સપુરુષ સદ્ગુરુની આજ્ઞાને પ્રધાનપણે અનુસરી, સતશ્રદ્ધાથી આ યોગમાર્ગની આરાધના કરવી, એમ ઉપદેશને ધ્વનિ છે. રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.”– શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રીઆત્મસિદ્ધિ Page #158 -------------------------------------------------------------------------- ________________ (2) ગદષ્ટિસમુચ્ચય દાન તપ શીલ વ્રત નાથ આ| વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ.”–શ્રી દેવચંદ્રજી અને આવા સતશ્રદ્ધાવાળા બંધનું એટલે દૃષ્ટિનું ફલ શું છે? તે માટે કહ્યું કે– (1) અસત પ્રવૃત્તિને વ્યાઘાત, (2) અને તેથી કરીને સપ્રવૃત્તિ પદની પ્રાપ્તિ , તે આ પ્રકારે :- 1. અસત્ પ્રવૃત્તિ વ્યાઘાત-સશ્રદ્ધાવાળે બેધ જે ઉપજ્યો, તે પછી તથા પ્રકારે પ્રવૃત્તિ થવાને પ્રત્યેક સંભવ છે. એટલે સશાસ્ત્રના બેધથી પ્રતિકૂળ-વિરુદ્ધ આચરણાને - વ્યાઘાત થાય છે–અંત આવે છે, અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, થંભી અસતપ્રવૃત્તિ જાય છે. અસતપ્રવૃત્તિને એટલે બધે આઘાત લાગે છે કે તે બિચારી વ્યાઘાત તમ્મર ખાઈને પડી જાય છે! મૂચ્છવશ થાય છે. કારણ કે આ શ્રદ્ધા ધનવાળો* આસનભવ્ય (નિકટ મોક્ષગામી) મતિમાન પુરુષ પરલોકવિધિમાં શાસ્ત્ર કરતાં બીજાની પ્રાયે અપેક્ષા રાખતા નથી. તેને જ પ્રમાણુ ગણું અસત્ પ્રવૃત્તિ છેડી દીએ છે, કારણ કે “આ મેહાંધકારભર્યા લેકમાં શાસ્ત્ર પ્રકાશ જ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.” અને આમ અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, એટલા માટે જ આ બધ– 2. સપ્રવૃત્તિપદાવહ–હોય છે. સપ્રવૃત્તિપદને લાવી આપનાર–પમાડનારે હોય છે. જેમ જેમ અસત્ પ્રવૃત્તિ અટકતી જાય છે, તેમ તેમ સતુપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે, પાસે ને પાસે ખેંચાતું જાય છે. અહીં “આવહ” એટલે લાવી આપનાર એ સપ્રવૃત્તિપદ શબ્દ યે છે તે અત્યંત સૂચક છે. આ યોગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રાપ્તિ પ્રબળ છે કે તે “પદ એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થાય છે. જાણે નજરબંધીનું અજબ જાદૂ કર્યું હેયની ! એમ આ ગદષ્ટિ તે પદને ખેંચી લાવે છે! લેહચુંબકની જેમ અદ્દભુત આકર્ષણશક્તિથી આકર્ષે છે! એક વખત આ ગદષ્ટિરૂપ દિવ્ય નયનનો સ્પર્શ કર્યો કે બેડે પાર ! અત્રે સતુપ્રવૃત્તિપદ એટલે “વેદ્યસંવેદ્ય પદ (સમ્યક્ત્વ) સમજવું. આ દષ્ટિના * “परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते / आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः // तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते / ચોદે મોહાપરેડમિન્નાટો: પ્રવર્તે છે ? -મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શ્રીગબિંદુ Page #159 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સામવૃત્તિ પદ (93) પ્રતાપે “અસંવેદ્ય પદ' ( મિથ્યાત્વ) છૂટી જઈ, ઘસવેદ્ય પદ પ્રાપ્ત થાય છે. જે કે “વેદ્યસંવેદ્ય પદ' પાંચમી સ્થિર દૃષ્ટિથી શરૂ થાય છે, તો પણ અહીં દષ્ટિનું–બધનું સામાન્યથી કથન હેઈ, આ કહ્યું છે એમાં દોષ નથી. અથવા તે સપ્રવૃત્તિપદ એટલે શિલેશીપદ ગણીએ તોપણ વિરોધ નથી, કારણ કે પરમાર્થથી તે તેની પ્રાપ્તિ થવી એ જ પરમાર્થ કાર્યરૂપ સતપ્રવૃત્તિપદ છે. “પદ” એટલે કદી પણ ન ખસે એવું સ્થિર નિશ્ચલ સ્થાન. આમ અવશ્ય કરીને આ “દૃષ્ટિ”ના પ્રભાવે “વેદ્યસંવેદ્યપદ” કે શિલેશીપદરૂપ નિશ્ચલ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિરૂપ પારસમણિના જાદુઈ સ્પર્શથી આ જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે! “નિયમા કાંચનતા લહે રે....મન મોહના રે લાલ. લેહ ક્યું પારસ પામ રે....ભવિ બેહનારે લાલ.”—શ્રી દેવચંદ્રજી અને આ દષ્ટિ પરિસ્થૂલ ભેદથી આઠ પ્રકારની છે, નહિં તે બહુ ભેદવાળી છે, એમ બતાવવા માટે કહે છે - इयं चावरणापायभेदादष्टविघा स्मृता / सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः // 18 // આવરણ અપાય ભેદથી, છે આ આઠ પ્રકાર; સામાન્યથી-વિશેષ તે, સૂક્ષ્મ ભેદ બહુ ધાર, 18 અર્થ:–અને આ દૃષ્ટિ-આવરણ અપાયના એટલે કે અવિરણ ટળવાના ભેદને
Page 94
લીધે, -સામાન્યથી આઠ પ્રકારની કહી છે. અને વિશેષ ભેદે સૂમભેદથી ઘણા ઘણા છે. વિવેચન ઉપરમાં જે “દષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો તે દષ્ટિ, આવરણ ટળવાના ભેદને વૃત્તિ - -અને આ એટલે હમણું જ કહ્યા તે લક્ષણવાળી દૃષ્ટિ, માવાળાTચમેત :-આવરણ અપાયના ભેદથકી, આવરણ દૂર થવાના ભેદને લીધે-પરિસ્થલ નીતિથી, Zવિધા ઋતા-પૂર્વાચાર્યોએ આઠ પ્રકારની કહી છે. સામાન્ય સામાન્યથી –સૂક્મક્ષિકાને, સૂક્ષ્મદષ્ટિને અનાદર કરીને (બારીકીથી જોયા વિના). વિશેષાસુવિશેષ તે, સદ્દષ્ટિના વિશેષ ભેદો તે, મૂળાં-અતિ બહુ, ઘણું ઘણું છે, સૂક્ષ્મમેત - સૂમભેદને લીધે,દર્શન આદિના અનંતભેદપણને લીધે, કારણ કે પરસ્પર સ્થાન પતિતપણાએ કરીને તેઓનું કથન છે, Page #160 -------------------------------------------------------------------------- ________________ (94) ગદષ્ટિસમુચ્ચય લીધે, આઠ પ્રકારની સામાન્યથી કહી છે અને તે પણ અત્યંત સ્થૂલ ભેદની અપેક્ષાએ કહેલ છે. દાખલા તરીકે– આંખ આડેને પડદો જેમ જેમ દૂર થતો જાય, તેમ તેમ વધારે ને વધારે ચેકનું દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ પડદો ટળી જતાં પૂરેપૂરું દેખાય છે. આમ પડદો દૂર થવાની અપેક્ષાએ એક જ દૃષ્ટિના-દર્શનના જુદા જુદા ભેદ પડે છે. તે જ પ્રકારે આવરણ અપાય કર્મ પ્રકૃતિના ઉપશમ, ક્ષયપશમ, ક્ષય આદિ પ્રમાણે જેમ જેમ કર્મનું આવરણ ખસતું જાય છે, પડદો દૂર થતો જાય છે, તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ નિર્મલ દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ આવરણ–પડદો ટળી જતાં સંપૂર્ણ દર્શન થાય છે. આમ આવરણ ટળવાના ભેદથી, આ દષ્ટિના આઠ સ્થૂલ ભેદ સામાન્યથી પડયા છે. પણ સૂફમભેદની અપેક્ષાએ જો બારીકીથી જોઈએ, તે તેના વિશેષ ભેદ ઘણા ઘણા છે, અનંત છે, કે જેને કહેતાં પાર ન આવે. કારણ કે મિત્રાથી માંડી પરાદષ્ટિ સુધી, કર્મના પશમ આદિ પ્રમાણે, દર્શનના પ્રકાર અનંત છે. ષટ્રસ્થાનપતિત–ષગુણઅનંત ભેદ હાનિ-વૃદ્ધિને નિયમ અહીં લાગુ પડે છે. જેમકે-(૧) અનંતભાગવૃદ્ધિ, (2) અસંખ્યાતભાગવૃદ્ધિ, (3) સંખ્યાતભાગવૃદ્ધિ, (4) સંખ્યાતગુણવૃદ્ધિ, (5) અસંખ્યાતગુણવૃદ્ધિ, (6) અનંતગુણવૃદ્ધિ. તેમજ-અનંતભાગહાનિ આદિ છ પ્રકાર. આમ મિત્રાના કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું (Minimum) એક અંશ (Unit) દર્શન માનીએ, તે પછી તેમાં આ નિયમ પ્રમાણે હાનિ-વૃદ્ધિના અનંત સગો (Permutations & Combinations) થતાં, અનંત ભેદ થાય. આમ કેગના સ્થાન પણ અસંખ્ય છે. અલ્પવીય ક્ષે પશમ અછે, અવિભાગ વણારૂપ રે; વડગુણ એમ અસંખ્યથી, થાયે રસ્થાન સ્વરૂપ રે... મન મોહ્યું અમારું પ્રભુગુણે. સુહમ નિગદી જીવથી, જાવ સન્ની વર પજજત્ત રે; યોગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્તરે મન” –શ્રી દેવચંદ્રજી આકૃતિ–૪ 0I | | | ' ' આવરણ અપાય. અને અહીં દૃષ્ટિસમુચ્ચયમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન : પ્રતિપાતી-અપ્રતિપાતી દષ્ટિ प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्तत्प्रतिपातेन नेतराः ॥ १९ ।। પ્રથમ ચાર પ્રતિપાતિ છે, બીજી ચાર ન તેમ; અપાયયુત પ્રતિપાતથી, આ પણ-અન્ય ન એમ. ૧૯ અર્થ–પહેલી ચાર દષ્ટિએ પ્રતિપાતયુક્ત (પડી જાય એવી) છે, પાછલી ચાર દષ્ટિએ તેમ નથી અને તેના પ્રતિપાતે કરીને આ પહેલી ચાર દષ્ટિ અપાયવાળી પણ હોય છે,-બીજી તેમ નથી. વિવેચન આ જે આઠ દષ્ટિ કહી, તેમાંની મિત્રા આદિ પહેલી ચાર પ્રતિપાતી પણ હોય છે, આવીને પાછી પડી જાય એવી “પણ” હોય, એટલે કે પડી જાય જ પહેલી ચાર પ્રતિ- એમ નહિ, પણ પડે પણ ખરી, એવી હોય છે. અને સ્થિર પાતી પણ હોય વગેરે જે પાછલી ચાર દષ્ટિ છે, તે અપ્રતિપાતી જ છે, આવ્યા પછી પડે જ નહિં, ભ્રષ્ટ થાય જ નહિં, સ્થિર જ રહે એવી હોય છે. અને જે પહેલી ચાર કહી, તેમાં જે કદાચ પ્રતિપાત થાય-બ્રશ થાય, એટલે કે તે દષ્ટિ આવીને જે પાછી ચાલી
Page 95
જાય, તે અપાય એટલે નરકાદિ દુઃખરૂપ બાધા-હાનિ વૃત્તિઃ-પ્રતિપાતયુતા-પ્રતિપાત યુક્ત, ભ્રંશયુક્ત (પાછી પડી જાય એવી), બાવાશ્ચરો-આદ્ય ચાર, મિત્રા આદિ પહેલી ચાર દષ્ટિએ. આ પણ તથાપ્રકારના કર્મવૈચિમને લીધે, પ્રતિપાતયુક્ત પણ હોય છે; પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી. તેથી–તેના ઉત્તર ભાવથી-ન ઉત્તરારૂથા- ઉત્તર એટલે પાછળની ચાર દૃષ્ટિ તેમ નથી. એટલે સ્થિર આદિ ચાર તે પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). કારણ કે આમ છે, તેથી કરીને-સાપાવા અપાયયુક્ત પણ છે,-દુર્ગતિના હેતુપણુએ કરીને, પ્રતા –તે આ જ (પહેલી ચાર દષ્ટિ) છે. કેવી રીતે? તે કે-અતિપન-પ્રતિપાતથી ભ્રંશવડે કરીને; નેતાઃ -ઈતર તેમ નથી, એટલે સ્થિર આદિ બીજી દષ્ટિએ અપાયુક્ત નથી. શંકા–શ્રેણિક આદિને આને અપ્રતિપાત છતાં, અપાય કેમ થયા?. સમાધાન-આ દૃષ્ટિના અભાવમાં (પૂ) ઉપાજેલા કામના સામર્થ્યથી. એટલા માટે જ પ્રતિપાતવડ કરીને સંભવમાત્રને અધિકત કરીને-અપેક્ષીને “સાપાય પણ એમ કહ્યું. તથાપિ પ્રાયેવૃત્તિના વિષષપણાથીઘણું કરીને આમ હોય છે, એટલા માટે સૂત્રને એમ ઉપન્યાસ–ગોઠવણી છે. અથવા સદ્દષ્ટિને અઘાત હતાં અપાય પણ અનપાય જ છે, કારણ કે પાકવડે કરીને વજતંદુલની જેમ તેના આશયને કાયદુઃખના સર્ભાવમાં પણુ, ક્રિયાની ઉપપત્તિ હોત (રજઆત) છે. યોગાચાર્યે જ અત્ર પ્રમાણ છે. (પાકથી વતંદુલ ન પાકે, તેમ તેના ચિત્તને-આશયને દુ:ખ ઉપજતું નથી.) એટલે પ્રતિપાતવડ કરીને બીજી ચાર દૃષ્ટિ અપાયયુક્ત નથી એમ સ્થિત થયું. Page #162 -------------------------------------------------------------------------- ________________ (૯૬) ગદષ્ટિસમુચ્ચય પણ ઉપજે. જે પ્રતિપાત ન થાય, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ પ્રતિપાતી હેચ દુઃખરૂપ અપાય-આધા પણ ન હોય. આમ પહેલી ચાર દષ્ટિમાં બે તે જ સાપાય વિકલ્પ છે-કાં તે તે પ્રતિપાતી હોય, કાં તે અપ્રતિપાતી હેય; અને પ્રતિપાતી હોય, તે જ સાપાય-અપાયવાળી હોય; અપ્રતિપાતી તે નિરપાય જ–અપાય રહિત જ, નરકાદિ બાધા રહિત જ હોય. અત્રે કોઈ પ્રશ્ન કરે કે–શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વના ધણી છતાં, સ્થિરારૂપ અપ્રતિપાતી દષ્ટિમાં વર્તતાં છતાં, નરક વગેરે દુઃખરૂપ અપાય-બાધા કેમ પામ્યા? તે તેને ઉત્તર એ છે કે-પ્રસ્તુત દૃષ્ટિના અભાવમાં પૂર્વે તેમણે તેવા પ્રકારે શંકા-સમાધાન કર્મ ઉપાર્યા હતા, તેના વિપાક વશે તેવા તે સમ્યગદષ્ટિ મહાત્માને તેવી નરકાદિ દુઃખરૂપ અપાયની પ્રાપ્તિ થઈ. અને આમ સ્થિરાદિ દષ્ટિવાળાને કવચિત્ તે અપાય હોય, તો પણ તે કાંઈ પ્રતિપાતથી હોતો નથી, પણ અપ્રતિપાત છતાં પૂર્વે બાંધેલા કર્મને લીધે હોય છે. વળી અત્રે જે અપાય ન હોય એમ કહ્યું છે તે પ્રાયેઘણું કરીને અપાય ન હોય, એ દૃષ્ટિએ કહ્યું છે, એટલે કવચિત્ અપવાદવિશેષે તેમ હોય પણ ખરૂં. પણ કોઈ પણ સંજોગોમાં સ્થિરાદિ દષ્ટિને પ્રતિપાત તે ન જ હોય. અથવા તે બીજી રીતે જોઈએ તે તેવા શ્રેણિકાદિ જેવા મહાનુભાવોને આ અપાયબાધા તે અનપાય જ છે, અપાય જ નથી, બાધારૂપ જ નથી. કારણ કે વજન ચેખાને પકાવવાથી કાંઈ તેના પર પાકરૂપ અસર થાય નહિં, તે પાકે નહિં; અપ્રતિપાતી તેમ શરીરદુ:ખરૂપ પાક હોવા છતાં, તેવા મહાજનના ચિત્તનેનિરપાય જ આશયને કંઈ પણ દુ:ખરૂપ અસર પહોંચતી નથી. તે અવધૂતે તે “સદા મગનમાં” રહે છે ! એટલે પરમાર્થથી તેવા સમ્યગદૃષ્ટિ સમતાવંત જોગીજનોને તેવો કોઈ પણ અપાય સ્પર્શ નથી, જલમાં કમલની જેમ તેઓ નિલેપ જ રહે છે. કારણ કે તેઓ સર્વ અપાયથી–બાધાથી પર “ઉદાસીન એવી આત્મદશાની ઉચ્ચ કક્ષાએ બિરાજમાન હોય છે, કે તેવો અપાયરૂપ દુઃખભાવ તેમને પહોંચી શકતા નથી. સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા, –શ્રીમદ્ રાજચંદ્રજી * સુખ દુઃખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદો રે, –શ્રી આનંદઘનજી આમ જે દષ્ટિ પ્રતિપાતી નથી, આવ્યા પછી પડતી નથી, અપ્રતિપાતી જ રહે છે, તે તે અપાયરહિત, હાનિ-બાધારહિત,
Page 96
દુઃખરહિત જ હોય, એમાં કંઈ પ્રશ્ન જ રહેતું નથી, એમ સાબીત થયું. આ આકૃતિ ઉપરથી સમજાશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : મુક્તિ અતિ અભગ પ્રયાણ (૯૭) આકૃતિ–૫ મુક્તિ ૬ ૮ પ્રયાણ અપ્રતિપાતી જ નિરપાય જ અખંડ ની | ૨ | જ ત્વ ભવભ્રમણદુ:ખ પ્રતિ અપ્રતિપાતી નિરપાય મુક્તિ સાપાય પ્રતિપાતી મિથ્યા અહીં પણ – प्रयाण भङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવે નિદાન, ૨૦ વૃત્તિ-કથામામવેર–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુજ વગેરે પ્રત્યે ગમનમાં અનવરત–નિરંતર પ્રયાણુથી (અખંડ–અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિશિ-નિશામાં, રાત્રિને વિષે, વાપમ:-નિદ્રા, શયન સમાન. શું ? તે કે-વિધાતા-વિધાત, પ્રતિબંધ (રોકાણ, અટકાયત), વિશ્વમાવત -દિવ્યભાવ થકી-જન્મને લીધે, વાળ૨-ચરણને, ચારિત્રનો, ૩૬ના-ઉપજે છે,–તથા પ્રકારના દયિક ભાવના વેગથી, તે પુનઃ–ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકુબજે જનારની નિરંતર પ્રયાણમાં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઊડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ). Page #164 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય અથઃ—પ્રયાણભ ́ગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જેવા ચરણના વિધાત, દિવ્યભાવથી–દેવજન્મના કારણે, ઉપજે છે. (૯૮) વિવેચન અને અપ્રતિપાતી–નહિં પડતી એવી દૃષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમર્ગ પ્રત્યેનું પ્રયાણુગમન તે અખડપણે અભ’ગપણે ચાલ્યા જ કરે છે, યાવત્ મુક્તિની પ્રાપ્તિ હાય છે. પણ જો કર્મના ભેાગવટો કાંઇ બાકી હાય, તે તે ભાગવી લેવા માટે વચમાં અભ’ગ પ્રયાણુ વિસામારૂપ દેવ મનુષ્યના ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિધાત–વિષ્રરૂપ પ્રતિબંધ આવી પડે; પરંતુ તે તે ભવને તે તે કઉત્ક્રય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણ આગળ ધપે છે. જેમ કોઇ એક મનુષ્ય કનેાજ જવા નિકળ્યો હાય, તેને લાંબું છેટું હાઇ વચમાં એ, ચાર કે વધારે વિસામા કરવા પડે, રાત્રિવાસ કરવા પડે, અને તે રાતવાસાથી તેને માશ્રમ પણ દૂર થઈ જાય, પાછું સવારે પ્રયાણ ચાલુ થાય, અને રાતવાસા એમ અખડ-અભંગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કનાજ પહાંચે; તેમ જેવા ભવ અપ્રતિપાતી એવી આ સ્થિરા આદિ દૃષ્ટિમાં વર્તતા યાગી મુક્તિનગરે જવા નીકળ્યો છે; તેને કદાચ કમને ભેગ અવશેષ-ખાકી રહ્યો હાય, તેા દેવ-મનુષ્યના એ–ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવા પડે; પાછા કના ઉદય દૂર થતાં, મુક્તિમાર્ગે પ્રયાણ પુન: ચાલુ થાય, અને એમ અખંડ અભંગ ગમન કરતાં તે છેવટે મુક્તિપુરે પ્હોંચે, ‘સ્વરૂપ સ્વદેશ જાય જ.' “ જાશુ` સ્વરૂપ સ્વદેશ રે”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી “ એ સાચી સમજ ( સમ્યક્ત્વ ઉપજ્યા પછી, સ્થિરા દૃષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ શકે; તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઇ હાય, સમ્યગ્દૃષ્ટિ ન થઇ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભવ કરવાનાં કારણ થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનંત અનુષધ નાશ પામે; અને પૂર્વ ઉપાજેલાં કર્મ સભ્યપ્રકાર સાધ્યદૃષ્ટિએ, ભેાગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્માં પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેના દેણાથી માકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તા તે પડી ચૂકયે છે. સાચી સમજ આળ્યે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઇનકલીઅર (Line-clear) મળી જ ચૂકી છે.’ શ્રી મન:સુખભાઇ કીર કૃત શાંતસુધારસ વિવેચન Page #165 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિનુ' સામાન્ય કથન : સારસમુચ્ચય “ સૃષ્ટિ થિરાદિક ચારમાં,
Page 97
મુગતિ પ્રયાણ ન ભાંજે ૨; રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે....વી૨૦” 5 સારસમુચ્ચય-(Summary) (૯) –શ્રી યાગ૦ સજ્ઝાય. પ પ્રારભમાં જે ઇચ્છાયાગ આદિ ત્રણ યાગ કહ્યા, તેમાં અંતર્ભાવ-સમાવેશ પામતી સામાન્યથી આ આઠ દૃષ્ટિ છે; મિત્રા, તારા, ખલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પા. તેમાં ઉત્તરાત્તર વધતા જતા બેષ,-તૃણુઅગ્નિકણુ, ગામયઅગ્નિકણુ, કાષ્ઠઅગ્નિકણુ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે, અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠમાં પહેલી ચાર સુધી મિથ્યાત્વ હાય છે, પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યક્ત્વના પ્રારંભ થાય છે. મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હેવા છતાં તેને સદ્દષ્ટિમાં ગણી, તેનુ કારણ એ છે કે તે સમ્યક્ત્વના કારણરૂપ થાય છે, એટલે કારણમાં કાના ઉપચાર કરવામાં આવ્યેા છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી વગેરે અવસ્થાએ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાએ-આત્મદશાએ અવશ્ય ઉપયેાગી હેાય છે. મિત્રા આદિ દૃષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માની-મીઠાશની પ્રાપ્તિ થાય છે. આ આઠ દૃષ્ટિમાં, ચમ-નિયમ વગેરે ચેાગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હાય છે; ખે–ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના ચિત્ત-આશય દોષને! ત્યાગ થતાં, અનુક્રમે આ આઠે દૃષ્ટિ સાંપડે છે; અને અદ્વેષ-જિજ્ઞાસા વગેરે આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દૃષ્ટિમાં આવિર્ભાવ પામે છે-પ્રગટે છે. અત્રે ‘દૃષ્ટિ’ શબ્દને અર્થ સાશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવા એધ છે; અને તેના ફળરૂપે અસત્પ્રવૃત્તિ અટકે છે, ને સત્પ્રવૃત્તિપદ પ્રગટે છે. આ સૃષ્ટિ આઠ કહી, તે તેા કના આવરણ ટળવાની અપેક્ષાએ, સ્થૂલ દૃષ્ટિબિન્દુથી કહી છે. બાકી સૂક્ષ્મ રીતે જોઇએ તેા યાગના સ્થાન અનંત છે. આ આઠ દૃષ્ટિમાંથી મિત્રા આદિ જે પહેલી ચાર છે, તેના પ્રતિપાત-ભ્રશ થાય પણ ખરા; આવીને ચાલી પણ જાય, અને જો તેમ થાય તે નરકાદિ અપાય પણ ઉપજે. આમ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી–પાછી પડનારી કે અપ્રતિપાતી પાછી ન પડનારી હેાય. એમ વિકલ્પરૂપ ભજના છે. પણ છેલ્લી ચાર સ્થિર આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હાય-આવ્યા પછી પાછી પડે જ નહિં એવી હાય, અને તેથી તેમાં નરકાદિ અપાય પણ હાય નહિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) યોગદષ્ટિસમુચ્ચય અને આવી અપ્રતિપાતી-પાછી નહિ પડતી દૃષ્ટિ સાંપડયા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ-ગમન અખંડ અભંગાણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કમને ભોગ બાકી હોય તે ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસો કરવો પડે તો ભલે, પણ છેવટે તે મુક્તિપુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે” જાય જ. ૭ ગદષ્ટિ કળશકાવ્ય -- મંદાક્રાંતા – મિત્રામાંહિ ત્રિભુવનસખા વેગની મત્રી પાવે, ને તારા તે બલવતો કરી દીપતો સ્થિર થા કાંતા જેવી પર પ્રીતિ ધરી, ભાનુ શું તેજ ધારી, શેભે ગી શશિ શું શીતલે સૌમ્ય ને શાંતિકારી. પામી ઈસુ સમ સરસ સદ્દષ્ટિ મિત્રા અનૂપ, ભલે પામે રસ સુમધુરે મિષ્ટ સંવેગરૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે, ને આસ્વાદ અનુભવ સુધા નિત્ય આનંદ ભાવે. આત્મામાંહી યમ-નિયમ આસન તે સ્થિર સાથે, પ્રાણાયામે પરરૂપ ત્યજી આત્મને ભાવ વાધે; પ્રત્યાહારે વિષયથી હઠી ધારણું ધીર સાધી, આત્મધ્યાને અચલ ભગવાન પૂર્ણ પામે સમાધિ. ખેદ ત્યાગી મન દઢ ધરે, યોગ ઉદ્વેગ ત્યાગે, વિક્ષેપે ના ખળભળી ઉઠે, ભ્રાંતિ તે દૂર ભાગે; અન્ય સ્થાને મુદ નવ લહે, રોગને અંત આવે, ને આસંગા વિણ પ્રગતિથી મેક્ષ નિ:સંગ પાવે. અષી તે પ્રથમ સુણવા જાણવા તત્ત્વ છે, શ્રોતા સારો શ્રવણથી બુઝી ચિંતને તત્ત્વ પ્રીછે; સર્વાત્માથી શરણ ભજત તત્ત્વનું પૂર્ણ ભાવે, તેમાં નિત્યે પ્રવૃત્તિ કરતાં તત્ત્વ તસ્કૂપ થા. યોગદષ્ટિ નયન ખુલતાં યેગને માગ ભાળે, સશ્રદ્ધાથી ચુત થઈ અતિ બોધ સાચ
Page 98
નિહાળે; ૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) આઠ પગદષ્ટિનું સામાન્ય કથન : ગષ્ટિ કળકાવ્ય બેટી સર્વે પ્રવૃત્તિ અટકી સતપ્રવૃત્તિ જ થાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસ ને પાસ આવે. ૧૧ મુક્તિમાર્ગે ગમન કરવા ઈચ્છી યેગી પ્રવાસી, માંડે મિત્રામહિં મજલ તે શુદ્ધ ભાવે ઉલાસી; વચ્ચે વચ્ચે કવચિત કરતે દિવ્ય જન્મે વિસામા, પહોંચે છે તે પ્રગતિ કરતે સચ્ચિદાનંદ ધામા. ૧૨ અનુચ્છુ દષ્ટિ પામી ગુણે જામી, વામી સ્વદેષ ગ્રામને; આત્મારામી મુનિ પામે, મનંદન ધામને. ૧૩ બીજના ચંદ્રમા જેવી, ગદષ્ટિ ખુલ્ય ક્રમે; પૂર્ણ યોગકલા પામી, ભગવાન સ્વરૂપે રમે. ૧૪ | | કૃતિ મહર્ષિશોમિદ્રાચાર્યજીવતે વિરફૂનમન કુવનંનેન મયારારેન સુમને નૈનીबृहस्टोका नामकविवेचनेन सप्रप्रचं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टयोगदृष्टिसामान्य स्वरूपनिरूपणाधिकारः॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિનું વિશેષ થન ૧. મિત્રા કૅષ્ટિ : ‘મિત્રા’ હવે પ્રત્યેક દૃષ્ટિએ ચેાગ-ચેાજના ઉપદ્ધતિ કરતાં કહે છેઃ— मित्रायां दर्शन मन्दं यम इच्छादिकस्तथा अखेदेो देवकार्यादावद्वेषश्चापरत्र तु ॥ २१ ॥ દર્શન મદ મિત્રામહીં, યમ ઇચ્છાદિક અત્ર; અખેદ્ય દેવકાર્યાદિમાં તે અદ્વેષ અન્યત્ર ૨૧ અ:—મિત્રા દૃષ્ટિમાં (૧) મંદ દÖન, (૨) ઇચ્છા આદિક ચમ, (૩) દેવકા વગેરેમાં અખેદ, (૪) અને અન્યત્ર-અન્ય સ્થળે અદ્વેષ હાય છે. આ સૃષ્ટિનું મુખ્ય લક્ષણ સકલ નામ યથાર્થ પણે ઘટે છે. વિવેચન જગત્ પ્રત્યે મિત્રભાવ-નિવ્ર બુદ્ધિ હોવાથી, તેને ‘મિત્તિ ને સત્રમૂજી વેરું મળ્યું ન મેળફ' એવી વૃત્તિ:-મિત્રાયાં—મિત્રા દૃષ્ટિમાં, વર્શન મળ્યું-દર્શન મંદ, સ્વપ મેષ, તૃણુઅગ્નિકણ્ના ઉદ્યોત– પ્રકાશ સરખા હોય છે. ચમ:-યમ, અહિંસા આદિ લક્ષચુવાળા, ફ્ઝાન્તિથા-તથા ઇચ્છા આદિ ભેદવાળા હામ છે. કહ્યું છે કે– અદ્વિત્તાના તૈયત્રચર્યાશ્ત્રિા: ચનાઃ '—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ એ પાંચ મમ (ત્રત) છે. અને આ યમના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થ, સિદ્ધિ—એ ભેદ છે, તે આગળ ઉપર કહેશે. વેણ રેવાચો—દેવકાય' વગેરેમાં અખેદ, આદિ શબ્દથી ગુરુકાનું ગ્રહણ છે. તેવા તેવા પ્રકારે આવી પડજે, તથાપ્રકારના પરિતોષને લીધે અહીં ખેદ નથી હોતા, પણ પ્રવૃત્તિ જ હોય છે;–જેમ શિરેાગુરુત્વમાથું દુઃખવુ' વગેરે દોષના સદ્ભાવમાં પણ ભાભિનંદીની ભાગકા માં પ્રવૃત્તિ હોય છે તેમ. અદ્વેષÆ-અને અદ્વેષ, અનસર, ગપત્ર તુ–અન્યત્ર તા, અ—દેવકા વગેરે અન્ય સ્થળે અદ્રેષ હોય છે. કારણ કે તેવા પ્રકારે તત્ત્વના અજાણપણાએ કરીને માત્મય –વીય ખીજનું હોવાપણું છતાં, તે માત્સ`ભાવના અંકુરના અનુદયને લીધે (મસરના ઉદય થતા નથી તેથી), તત્ત્વાનુષ્ઠાનને આશ્રીતે ક`માં એના આશય હોય છે. એથી કરીને એને અન્યત્ર તે ચિ ંતા હોતી નથી, અને તે ચિંતાના હાવાપણામાં પણ કરુણા અંશના ખીજનુ' જ જરા સ્ફુરણુ હોય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : પહેલું યોગાંગ-યમ (૧૯૩) ખરેખરી વૃત્તિ અત્ર હોય છે. આ મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં જે મંદ દર્શન દર્શન-સતુશ્રદ્ધાવાળે બંધ હોય છે, તે મંદ-સ્વલ્પ શક્તિવાળો હેઈ, એને તૃણ અગ્નિકણની ઉપમા ઘટે છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી, તેમ આ દષ્ટિને બંધ તત્વથી પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતો નથી. કારણ કે જેમ તૃણ અગ્નિને પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલે વખત ટકતા નથી, જોતજોતામાં વિલય પામી જાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તેને સમ્યપણે પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતું નથી. જેમ તૃણ અગ્નિનો પ્રકાશ અલ્પ–મંદ-ઝાંખ હોય છે, તેમ આ દૃષ્ટિને બેધ મંદ વિયવાળો અલ્પ સામર્થ્યવાળ હોય છે. જેમ તૃણઅગ્નિપ્રકાશ ચમકીને ચાલ્યો જાય છે, દઢ સ્મૃતિસંસ્કાર રહેતા નથી, તેમ અત્રે પણ બાધ અલ્પજીવી ને અલ્પવીય હોવાથી તેને પટુ મૃતિસંસ્કાર રહેવા પામતો નથી. અને આમ તૃણઅગ્નિપ્રકાશ સર્વથા વિકલપાંગળો હાઈ તેનાથી કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દૃષ્ટિમાં બેધનું વિકલપણું–અપૂર્ણપણે હોઈ અત્રે ભાવથી
Page 99
વંદન આદિ કાર્ય બનતા નથી,-દ્રવ્ય વંદનાદિ હોય છે. “એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બેધ જે, તુણ અગનિસે લહીએ રે..વીર....” - શ્રી યોગo દ સજઝાય -૫ અને આ મિત્રા પ્રથમ દષ્ટિ છે, એટલે એમાં પૂર્વે કહેલા નિયમ પ્રમાણે (૧) ગનું પ્રથમ અંગ-યમ, (૨) ખેદ નામના પ્રથમ દોષને ત્યાગ-અખેદ, (૩) અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે :– ૧. પહેલું ગાંગ: યમ યમનું બીજું નામ વ્રત છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિ. ગ્રહ; અને તે પ્રત્યેકના વળી તરતમતાના કારણે–વધતા ઓછા દશાભેદને લીધે ચાર ચાર પ્રકાર છે : ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. (આનું સ્વરૂપ આગળ ઉપર ગ્રંથના છેડે મહાત્મા ગ્રંથકાર કહેવાના છે.) પ્રથમ દૃષ્ટિવાળે યેગી દેશથી કે સર્વથી આ અહિંસાદિ યમનું અવશ્ય પાલન કરનાર હોય, અણુવ્રતી કે મહાવતી હોય. તે ખરેખર અહિંસક, સત્યવાદી, અસ્તેયવંત, બ્રહ્મચર્યધારક અને નિષ્પરિગ્રહી હોય. આ અહિંસાદિ યમસંપન્ન ગીને અહિંસાદિ યમ કેવા હેય, તેનું સ્વરૂપ સમજવા માટે તેનું શાકીય લક્ષણ અવશ્ય જાણવું જોઈએ. એટલે અત્રે પ્રસંગથી પ્રથમ પાતંજલ યોગસૂત્ર અનુસાર તેની કંઈક વ્યાખ્યા કરવામાં આવે છે : Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) થાગદષ્ટિસમુચ્ચય પ્રાણુવિયેગના પ્રયજનરૂપ વ્યાપાર તે હિંસા, તેને અભાવ તે અહિંસા. મનવચનનું યથાર્થપણું તે સત્ય. પરધનનું અપહરણ તે તેય-ચેરી, તેને અભાવ તે અસ્તેય. ઉપસ્થને સંયમ તે બ્રહ્મચર્ય. ભેગસાધનોનો અસ્વીકાર-અગ્રહણ તે અપરિગ્રહ–અકિચનતા. આ પાંચ વ્રત દિશા, કાળ, જાતિ આદિથી અનવચ્છિન્ન-અમર્યાદિત (Undemarcated) ને સાર્વભૌમ (Universal & absolute) હોય તે તે મહાવત” કહેવાય છે. આ યમને યોગનું અંગ શી રીતે કહ્યું? તે કે–હિંસાદિ જે છે તે એગના વિરોધી છે, અને આ હિંસાદિ તેનાથી વિરુદ્ધ પ્રતિપક્ષી એવા અહિંસાદિના ભાવનથી * બાધા પામે છે, એટલે કે અહિંસાદિ હિંસાદિને ઊઠવા દેતા નથી અથવા ઊઠે યમનું ગાંગ- તે તેને ઉપઘાત કરે છે–નાશ કરે છે. આ પ્રકારે અહિંસાદિવડે કરીને પણું શી રીતે? હિંસાદિનું બાપન થાય છે, તેથી કરીને ગસામગ્રીની પ્રાપ્તિનું સુગમ પણું હોય છે, અર્થાત એવી ચિત્તશુદ્ધિરૂપ ગ્યતા ઉપજે છે કે જેથી યેગસામગ્રી પામવી સુલભ થાય છે. આમ આડકતરી રીતે (Indirectly) અહિંસાદિનું ગાંગપણું છે, પણ ધારણા આદિની જેમ સાક્ષાત્ ઉપકારકપણાથી તેનું સીધેસીધું (Directly) યેગાંગપણું નથી. આ હિંસાદી વિતર્કો ર૭ છે: કેપથી, લેભથી, મેહથી; કૃત, કારિત, અનુમોદિતપણથી; અને મૃદુ, મધ્યમ અને અધિમાત્રપણાથી,-એમ પરસ્પર સંયેગથી હિંસાદિના (૩×૩×૩=૨૭) પ્રકાર થાય છે. એવા આ હિંસાદિ વિતર્કોનું દુઃખ-અજ્ઞાનરૂપ અનંત ફલ છે એવું વિભાવન કરતાં, અહિંસાદિ યમો પ્રકર્ષ પામે છે, ઉત્કૃષ્ટ કેટિના બને છે. અને એવા પ્રકૃષ્ટ અહિંસાદિનું ફલ આ પ્રકારે કહ્યું છે. અહિંસાના અભ્યાસવંતની સનિધિમાં હાજરીમાં) વૈરને ત્યાગ હોય છે, સહજ વિરોધી-જન્મવેરી એવા સાપ-નળીઓ વગેરેના હિસપણને ત્યાગ હોય છે. કિતિદાય તત્તનિધી વૈચાr: (પાત. ૧૩૫ ઈત્યાદિ *). આમ પાતંજલ છે. સૂ. પ્રમાણે અહિંસાદિનો વિચાર કર્યો. x “ તુષાતિરેરાટિનમાનછિન્ના: સાર્વમૌન મહાવ્રત–પાતંજલ યુગ સૂ૦૨-૩ી. + “વિતવાને તિજમાવનમ્”—પાતં, યોગo ૨-૩૩, ઇત્યાદિ. “बाधनेन वितर्काणां प्रतिपक्षस्य भावनात् । સૌર્ચૉાડમgi religવમુદિતમ ”—શ્રી યશોવિજ્યજીકૃત દ્વા, ઢા, રર-૩, * " सत्यप्रतिष्ठायां क्रिया फलाश्रयत्वम् । अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्था नम् । ब्रह्मचर्यप्रतिष्ठायां વીર્ઘામા કાસ્થિ મજયંતાપ –પા, યે ૨-૩૬-૩૯. "वैरत्यागोऽन्तिके तस्य फलं चाकृतकर्मणः । નેપથાનસદ્દીર્ચર કનુ નુસ્મૃતિ દ્વા, દ્વા ૨-૨૫. Page #171 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : અહિંસાની મીમાંસા (૧૦૫) જૈન દર્શનમાં પણ આ અહિંસાદિનો ઘણે સૂક્ષમ તાવિક વિવેક કરવામાં આવ્યો છે, અને તેની આ વ્યાખ્યા કરી છે –(૧) પ્રમત્ત યેગથી પ્રાણનું વ્યપરોપણ (હરવું) તે હિંસા. (૨) અસત્ કથન તે
Page 100
અમૃત-અસત્ય, અસત્ એટલે સભાવજન દર્શનાનુ- પ્રતિષેધ, અર્થાન્તર અને ગ. ૪. સદ્દભાવપ્રતિષેધ એટલે સદ્ભૂતસાર વ્યાખ્યા નિવ, સત્ વસ્તુ છુપાવવી–ળવવી તે; અથવા અભૂતઉભાવન, અસભૂત વસ્તુનું ઉદ્ભાવન કરવું. અર્થાત્ સત્ ”ને અસત્ કહેવું અસત્ ને સત્ કહેવું તે સદ્ભાવ પ્રતિષેધ. વ. એકને બદલે બીજી વસ્તુ કહેવી તે અર્થાન્તર. ૪. ગહ એટલે હિંસા, પારુષ્ય (કઠોરતા), પશુન્ય આદિથી યુક્ત વચન ભલે સત્ય હોય છતાં ગહિંત-નિંદ્ય હોઈ અસત્ય જ છે. (૩) અદત્તાદાન તે સ્તેય, અર્થાત ચેરીની બુદ્ધિથી પારકી અણદીધેલી તૃણદિ વસ્તુનું પણ આદાન-ગ્રહણ કરવું તે તેય. (૪) મૈથુન તે અબ્રહ્મચર્ય. (૫) મૂચ્છ (મમત્વબુદ્ધિ) તે પરિગ્રહ, ચેતન કે અચેતન એવા બાહ્ય-અત્યંતર દ્રવ્યોમાં મૂચ્છ તે પરિગ્રહ. “મૂછ પરિપ્રદુઃ”. આવા આ હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ ને પરિગ્રહમાંથી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત. “દિક્ષાગૃતતૈયાત્રHપરિકો વિરત્તિચૈતન” (ત. સૂ.) આ વિરતિ ( વિમવું તે) દેશથી હોય કે સર્વથી હોય; દેશવિરતિ તે અણુવ્રત અને સર્વવિરતિ તે મહાવ્રત. આ એકેક વ્રતની સ્થિરતા અથે પાંચ પાંચ ભાવના કહી છે. આ અહિંસાદિ વ્રત ધરનારે પુરુષ મનથી, વચનથી કે કાયાથી હિંસાદિ કરે નહિં, કરાવે નહિં કે અનુમોદે નહિં; અને તે નિઃશલ્ય હોય. “નિરાલ્યો ગ્રતી” (ત. સૂ), અર્થાત્ માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્યથી રહિત હોય, નિર્દભી, નિષ્કામી અને સમકિતી હોય. (અને એટલા માટે જ આ વ્રતને સમ્યકત્વમૂલ કહ્યા છે, એના મૂલ આધારભૂત (Basis) સમ્યકત્વ હોય તે જ એનું ખરેખરું વ્રતપણું ઘટે છે.) આ એકેક વ્યાખ્યા કેવી પરમ અર્થગંભીર છે, તેના ઉદાહરણરૂપે અહિંસાની વ્યાખ્યાની મીમાંસા કરીએઃ “ઘમત્તયોના કાળચરોપm fહંસા ! –શ્રી તત્ત્વાર્થસૂત્ર પ્રમત્ત યોગથી પ્રાણનું વ્યપરોપણ-હરવું તે હિસા. એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. પ્રમત્ત=રાગ, દ્વેષ, કષાયાદિ પ્રમાદથી યુક્ત, ગ=મન, વચન, કાયાના વ્યાપાર, પ્રાણ દ્રવ્યપ્રાણ કે ભાવપ્રાણ,–પિતાના કે પરના. પાંચ ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, અહિંસાની મનબલ, વચનબલ, કાયબલ ને આયુ એ દશ દ્રવ્યપ્રાણ છે. જ્ઞાન, દર્શન મીમાંસા આદિ આત્મગુણ તે ભાવપ્રાણ છે. એટલે પ્રમાદ વશે કરીને મન-વચન કાયાના વેગથી, પિતાના કે પરના દ્રવ્યપ્રાણનું કે ભાવપ્રાણનું હરવું, તેનું નામ હિંસા છે. દ્રવ્યપ્રાણુનું હરવું તે દ્રવ્ય હિંસા ને ભાવપ્રાણુનું હરવું તે ભાવહિંસા છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ યેાગષ્ટિસમુચ્ચય (૧૦૬) આમાં મુખ્ય ચાવી આત્મપાિમના હાથમાં છે. એટલે આત્મપરિણામનું જો હંસન થતું હાય, ઘાત થતી હાય, તે આ સવ હિંસા છે. દ્રગૃહિસા, પણ જો ભાવહુ'સા થતી હાય તા જ Rsિ'સા છે, નહિ' તે નહિ. ભાવિર્હંસા હાય, તે દ્રવ્યહિસા હાય કે ન હાય, તેપણુ હિંસા જ છે; ભાવહિ'સા ન હેાય, તે દ્રવ્યહિ'સા હાય કે ન હેાય, તાપણુ અહિં‘સા જ છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં નહાવુ', સ્વસ્વરૂપથી ચુત થવુ−ભ્રષ્ટ થવુ', પ્રમત્ત થવુ, અથવા રાગ-દ્વેષ- માહ આદિ પ્રમાદથી વિકૃતભાવને પામવું તે આત્મસ્વરૂપની ઘાત અથવા ભાવહિ’સા છે. એટલે અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે પણ આત્માના વિકારભાવના કારણ છે, માટે તે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગભૂત છે. * એથી ઊલટુ આત્માનું સ્વસ્વભાવમાં વવું, સ્વસ્વરૂપથી ચ્યુત ન થવું, રાગાદિથી વિકૃત ભાવને ન પામવું તે અહિંસા છે, અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. ટૂંકામાં રાગાદિને અપ્રાદુર્ભાવ–ન ઉપજવુ તે અહિંસા છે, તેની ઉત્પત્તિ તે હિંસા છે. 66 સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઇ ને રહ્યા પ્રમાણુ; દયા નહિ. તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ "" હું આતમભાવ 'િસનથી હિ'સા, સઘળાયે પાપસ્થાન; તેહ થકી વિપરીત અદ્વિ'સા, તાસ વિરહનુ ધ્યાન....મન.”—સા, ત્ર. ગા॰ સ્ત. આમ સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણુ' હેાવાથી, એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસેાટી છે. અને આ ઉપરથી કેટલાક મુદ્દા નીકળે છેઃ—યુક્ત
Page 101
X આચરણવાળા યતનાવ'તને રાગાદિ ન હેાય, તેા પ્રાણના વ્યપરાપણ (હરવા) માત્રથી જ હિંસા લાગતી નથી; પણ રાગાદિને વશ એવી પ્રમાદ અવસ્થા હાય, તેા જીવ મરે કે ન મરે તાપણુ હિંસા ચાસ આગળ દોડે છે; કારણ કે સકષાય હેાઇ આત્મા પ્રથમ તે આત્માને ( પેાતાને ) આત્માથી હણે છે, પછી ભલે ખીજા પ્રાણીની હિં'સા થતી હાય વા ન થતી * —શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત માક્ષમાળા 66 'आत्मपरिणाम हिंसनहेतुत्वात्सर्वमेव हि सैतत् । अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ॥ यत् खलु कषाययेोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा || " xt --મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરુષાર્થ સિદ્ધિઉપાય 'युक्ताचरणस्य सतो रागाद्यावेशमंतरेणापि । न हि भवति हिंसा प्राणव्यपरे। पणादेव || व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम् । म्रियतां जीवा मा वा धावत्य ध्रुवं हिंसा || यस्मात्कषायः सन्हन्त्यात्मा प्रथममात्मनात्मानम् । પલ્લાખાચેત ન વા દ્વિત્તા પ્રાચૈતાળાં તુ। ''—શ્રી પુરુષાર્થ સિદ્ધિઉપાય Page #173 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ: અખેદ-અદ્વેષ (૧૦૭) હોય.” એટલે કે હિંસા કરનારો સૌથી પહેલી પોતાની જ હિંસા કરે છે, પછી બીજાની કરે કે ન કરે. આમ હિંસામાં અવિરમણ કે હિંસામાં પરિણમન તે હિંસા છે. તેથી પ્રમત્ત એગમાં પ્રાણવ્યપરોપણ સદા હોય છે. અને આવું હિંસા-અહિંસાનું તાત્વિક સ્વરૂપ સમજાવવા માટે તેના ત્રણ પ્રકાર કહ્યા છે-હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા. જીવ-યતના-જયણા કરવી, જીવ બચાવવાની કાળજી રાખવી તે અહિંસાને હેતુ છે, માટે તે હેતુ અહિંસાના અહિંસા છે. જીવને ઘાત ન કર, પ્રાણ ન હરવા તે સ્વરૂપ અહિંસા છે. ત્રણ પ્રકાર અનુબંધથી અહિંસા ફળરૂપે જે પરિણામે તે અનુબંધ અહિંસા છે. તેમાં હેતુ અહિંસા ને સ્વરૂપ અહિંસા અનુબંધ (પરંપરા) વિનાનું શુભ ફળ આપે છે, પણ દઢ અજ્ઞાનને લીધે હિંસાને અનુબંધ કરે છે. અને સ્વરૂપથી જે નિરવ હોય અથવા સાવદ્ય હોય, તે ક્રિયા જ્ઞાનશક્તિવડે કરીને અનુબંધે અહિંસા આપે છે, અર્થાત તેથી અહિંસાની પરંપરા ચાલ્યા કરે છે. એટલા માટે જ કહ્યું છે કે- ઘઢ ના તો સલા પહેલું જ્ઞાન ને પછી દયા. હેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ; ફલરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ... મનમોહન જિનજી! તુજ વયણે મુજ રંગ.” હેતુ–સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ દૃઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાને અનુબંધ..મન સ્વરૂપથી નિરવ તથા જે, છે કિરિયા સાવદ્ય; જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબંધે સઘ.મન”–સા. 2. ગા. સ્ત. ઈત્યાદિ પ્રકારે અહિંસા આદિની તલસ્પર્શી મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. તેમાં ભાવનું મુખ્યપણું છે, અને એના ઉપરથી હિંસા-અહિંસાદિ અંગે ઉપજતા અનેક કોયડાને સરલતાથી નિકાલ થાય છે. વિશેષ જિજ્ઞાસુએ શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશપદ વગેરે સ્થળો જેવા. ૨. અખેદ ખેદ નામને પ્રથમ આશયદોષ અત્રે ટળે છે, એટલે અખેદ હોય છે. પ્રવૃત્તિ કરતાં ન થાવું તેનું નામ અખેદ છે. અત્રે આ અખેદ દેવકાર્ય, ગુરુકાય, ધર્મકાર્ય આદિમાં ઘટે છે. સદેવ, સદ્ગુરુ, કે સદ્ધર્મ સંબંધી કંઈ પણ કર્તવ્ય આવી પડે ત્યારે આ દષ્ટિવાળો પુરુષ તે તે કર્તવ્યમાં અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉલ્લાસથી, અત્યંત ઉછરંગથી પ્રવર્તે છે, અને તેમાં પ્રવર્તતાં થાકત નથી, દઢપણે મંડયો જ રહે છે. જેમ સંસારમાં રાચનારો-રચ્યાપચ્ચે રહેનારો Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) એગદષ્ટિસમુચ્ચય ભવાભિનંદી જીવ, માથું ભારી હાય–દુ:ખતુ' હાય તાપણુ વિષયભાગ વગેરે સાંસારિક પ્રયેાજનમાં પ્રવત્ત જ છે; તેમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા ચેગી ધર્મના દૃઢ અવિહડ રગ લાગ્યા હેાવાથી, ધમ કાય માં રચ્યાપચ્યા જ રહે છે. “ સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ’ “ ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે, દ્વેષ
Page 102
અરોચક ભાવ.”—શ્રી આન‘દઘનજી “ સાચા રંગ તે ધને....સાહેલડીમાં, બીજો રંગ પતંગ રે. ગુણવેલડિઆં. “ ધર્મ રંગ જીરણ નહિ....સાહે॰ દેહ તે જીરણ થાય રે. ગુણ સાનું તે વિણસે નહિ....સાહે॰ ઘાટ ઘડામણ જાય રે. ગુણ”—શ્રી યશોવિજયજી “ જખ જાગેંગે આતમા, તખ લાગે...ગે રંગ.”—શ્રીમદ્ રાજચંદ્રજી ૩. અદ્વેષ દેવકા વગેરેમાં અખેદ છતાં, દેવકાય વગેરે ન હેાય તેમાં અહીં અદ્વેષ-અમત્સર હેાય છે. એટલે કે બીજો કેાઈ દેવ-ગુરુ-ધર્માંકામાં ન પ્રવર્ત્તા હાય તે તેવા જીવ પ્રત્યે અત્રે દ્વેષમત્સર હાતેા નથી, તિરસ્કાર હેાતા નથી, પણ મધ્યસ્થ એવી ઉપેક્ષા વૃત્તિ હાય છે. જો કે હજુ અહી તેવા પ્રકારનું તત્ત્વજાણુપણું નથી, એટલે માત્સર્યાં-દ્વેષનું બીજ નાશ પામ્યું નથી–સત્તામાં છે, તેાપણુ તે મત્સર–ખીજના અંકુર-ફણગા ફૂટતે નથી, ઉદય થતા નથી, તે દખાઈ રહે છે. કારણ કે અહીં જીવનું ચિત્ત તેા તત્ત્વઅનુષ્ઠાનના આશ્રય કરી સત્કમમાં લાગ્યુ રહે છે, તે તે પેાતાના કાર્ટીમાં સાવધાન-મશગૂલ રહે છે. ‘સખ સમકી સ’ભાળિએ, મૈ' મેરી ફોડતા હું” એમ સમજી તે પોતે પેાતાની સંભાળે છે, એટલે તેને પારકી પચાતને-ચિંતાને અવકાશ રહેતા નથી; અને જો રહેતા હાય તે તેને ખીન્ન પ્રત્યે દ્વેષ, મત્સર, અસહિષ્ણુતા કે તિરસ્કાર તે ઉપજતા જ નથી, પણ ઊલટા કંઇક કરુણાભાવ સ્ફુરે છે કે-અરે! આ બિચારા જીવે। સન્માને આદરતા નથી, તેથી અન"ત દુ:ખપર પરાને પામશે. એમ તેને પરદુઃખછેદન ઇચ્છારૂપે કરુણા' ઉપજે છે. અથવા દ્વેષ એટલે અરેચક ભાવ-અરુચિ-અણુગમા; સદ્દેવ, સદ્ધર્મ, સન્મા` આદિ પ્રત્યે તેવા દ્વેષ-અરાચક ભાવ-અણગમા ન હેાવા તે અદ્વેષ. આવે। આ નકારાત્મક (Negative) પ્રકારનેા પણ ‘ગુણુ ' છે. તે કાંઇ નાનીસૂની વાત નથી. આ અદ્વેષ ગુણ અહી' પ્રગટે છે. અને આમ— “ વ્રત પણ ચમ અહીં સ’પજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહિં વળી અવરશું, એહ ગુણુ અંગ વિરાજેરે....વીર ”—શ્રી ચાગ૦ સજ્ઝાય, ૧-૭ 節 આ સૃષ્ટિમાં વ્યવસ્થિત યાગી જે સાધે છે, તે બતાવવા માટે કહે છે:— Page #175 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દષ્ટિ : ગબીજ ગ્રહણ (૧૦૯) करोति योगबीजानामुपादानमिहस्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥ २२ ॥ એહ દષ્ટિમાં સ્થિર કરે, યોગ બીજ આદાન; મેક્ષહેતુ અવંધ્ય જે, જાણે યુગ સુજાણ, ૨૨ અર્થ:-અહીં સ્થિતિ કરનારો મેગી યેગના બીજનું ગ્રહણ કરે છે, કે જે મેક્ષના અવધ્ય-અચૂક હેતુ છે, એમ ગવેત્તાઓ જાણે છે. વિવેચન યુગના બીજ ઈહાં રહે”—શ્રી ગ૦ દસઝાય આ મિત્રા દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી, આ નીચે કહ્યા છે તે ગબીનું ગ્રહણ કરે છે. આ ગ–બીજે મેક્ષના અવંધ્ય-અમેઘ કારણ છે. જેમ બીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચેકસ ફળની પ્રાપ્તિ થાય, તેમ અહીં એવા ગબીજે ગ્રહણ કરાય છે, ચિત્તભૂમિમાં રોપાય છે, કે જે મેક્ષમાર્ગરૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલીલી, મેક્ષરૂપ ચક્કસ ફલ આપે જ છે. એક નાનું સરખું વડનું બીજ પણ યંગ્ય ભૂમિ–જલ વગેરેનો યેગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફલેકૂલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હોય, તે પણ વખત જતાં કેવડા મોટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે? તેમ અહીં પણ એવા ગબીજે ગ્રહાય છે, કે જે ગ્ય ભાવ-જલસિંચન વગેરેવડે આગળ જતાં મેક્ષતામાં પરિણમી પરમ અમૃત ફળ ચોક્કસ આપશે જ. આમ આ રોગબીજ “અવધ્ય છે-વાંઝિયા નથી, પણ અવશ્ય મોક્ષરૂપ સફળ આપનારા થઈ પડે છે. “બીજે વૃક્ષ અનંતતા રે લાલ૦ પસરે ભૂ-જલ યોગ રે; તિમ મુજ આતમસંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંગઠ” –શ્રી દેવચંદ્રજી “વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે.”—શ્રી યશોવિજયજી આવા આ યોગબીજના ઉપાદાનરૂપ-ગ્રહણરૂપ નિમિત્ત પામીને, આ ગીપુરુષનું ઉપાદાન”જ સુધરી જાય છે ! આત્મભાવ જ પલટી જાય છે !
Page 103
બાધકપણું મટીને સાધકપણું થાય છે. અત્યાર સુધી જે ભાવ બાધક થતા હતા, તે હવે આ ગબીજના પ્રતાપે વૃત્તિ:- રેતિ–કરે છે, તત્ત્વકરણવડે, રવીનાના-ગબીજોનું,–જેનું લક્ષણ કહેવામાં આવશે તે ચોગબીનું, વા-ગ્રહણ, સુસ્થિતો-અહીં મિત્રા દૃષ્ટિમાં સ્થિત, મત્ર યોગી, એમ અર્થ છે. કેવા વિશિષ્ટ ગબીજોનું? તે માટે કહ્યું કે-અપશ્ચાત્તાપુ-અવંય મેક્ષહેતુઓનું, મોક્ષના જે અમેઘ– અચૂક કારણ છે તેનું, કારણ કે ગ–બીજ યોગ-ફળવાળું નથી એમ નથી (અપિ તુ ગફળવાળું છે જ). અને જે યોગ છે તેનું ફળ મોક્ષ છે. કુતિ બા–એમ યોગવિદે, એગના જાણકાર એવા વિશિષ્ટ જ યેગાચાર્યો, વિટુ-જાણે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) ગદષ્ટિસમુચ્ચય સાધક થઈ જાય છે. કારણ કે આ ગીને “દષ્ટિ પ્રાપ્ત થઈ છે, અને તે છે કે મંદપણે ઉઘડી છે, તે પણ “દષ્ટિ”ના કહેલા લક્ષણ પ્રમાણે તેને “સત્ શ્રદ્ધાસંગત બોધ” હોય છે. એટલે તેને પુરુષની, સદ્ગુરુની, સ@ાસ્ત્રની શ્રદ્ધા અવશ્ય હોય છે, તેની આજ્ઞાને પ્રધાન ગણી તેને અનુકૂળ પ્રવૃત્તિ તે કરે છે, અસતુપ્રવૃત્તિ છેડી દીએ છે, કે જેથી સત્પ્રવૃત્તિપદ નિકટ ખેંચાતું જાય છે. “સબળ સાહિબ ઓળગે, આતમ સબળો થાય રે; બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે....જગતારક પ્રભુ વિનવું.” -શ્રી દેવચંદ્રજી આમ આ ગબીજના રેપણથી આ જીવને અવતાર જ જાણે ફરી જાય છે! અવળી પાઠ સવળી થાય છે ! ઊલટું ચક્ર સૂલટું થાય છે. આ બીજથી તે “દ્વિજ” બને છે! સંસ્કારરૂપ નો જન્મ ધારણ કરે છે. અને તારક એવા તીર્થરૂપ ગબીજના સેવનથી છેવટે આ “જોગીજન” તરી જાય છે, ને તીર્થનું સારભૂત તત્ત્વરૂપ ફળ પામે છે. “ચક્રી ધરમ તીરથ તણે, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.... ધરમ પરમ અરનાથન.”–શ્રી આનંદઘનજી હવે યોગબીજને ઉપન્યાસ-રજૂઆત કરતાં કહે છે – जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ॥ २३ ॥ જિન પ્રતિ ચિત્ત કુશલ અને, તેહને નમસ્કાર પ્રણામાદિ સંશુદ્ધ-એ, પરમ યોગબીજ સાર. ૨૩ અર્થ-જિને પ્રત્યે કુશલ-શુભભાવવાળું ચિત્ત, તેમના પ્રત્યે નમસ્કાર, અને સંશુદ્ધ એવા પ્રણામ આદિ-એ અનુત્તમ (પરમ) ગબીજ છે. વૃત્તિ:--જિનો પ્રત્યે, ભગવાન્ અર્હતે પ્રત્યે, વારું ચિત્ત-કુશલ ચિત્ત, ઠેષ આદિના અભાવથી પ્રીતિ આદિવાળું ચિત્ત. આ ઉપરથી મનેયેગની વૃત્તિ કહી. તન્નમસ્જર વ -અને તે જિને પ્રત્યે નમસ્કાર, તથા પ્રકારના માગથી પ્રેરિત એવો નમસ્કાર. આ ઉપરથી વચનયોગની વૃત્તિ કહી. કામારિ અને પ્રણામ આદિ. પંચાંગ પ્રણામ આદિ લક્ષણવાળા. આદિ શબ્દથી મંડલ-પ્રદક્ષિણા આદિનું ઝડપ્યું છે. સંચઠું-સંશુદ્ધ-આ અસંશુદ્ધના વ્યવચ્છેદ અથે કહેલ છે, કારણ કે તે અસંશદ્ધ તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હોઈતેના યોગબીજ૫ણની અનુપત્તિ-અઘટમાનપણું છે,–તેનું ગબીજપણું ઘટતું નથી. (અમું શુદ્ધ પ્રામાદિ બીજ નથી). આ સર્વજ સમસ્તપણે કે પ્રત્યેક ભાવ૫ણે-ચાવીનંગબીજ, મોક્ષજક અનુષ્ઠાનનું કારણ, અનુત્તમં–અનુત્તમ-સર્વ પ્રધાન છે –વિષયના પ્રાધાન્યને લીધે. (જેનાથી ઉત્તમ કઈ નથી તે અનુત્તમ, શ્રેષ.) Page #177 -------------------------------------------------------------------------- ________________ મિત્રા દૃષ્ટિ : સ’શુદ્ધ પ્રભુભક્તિ વિવેચન જિનવર શુદ્ધ પ્રણામા રે”—શ્રી ચેગ॰ સજ્ઝાય રાગ-દ્વેષ-માહ વગેરે અંતરંગ વૈરીએને જેણે સથા જય કર્યાં છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગત્ની પૂજાના પરમપાત્ર–પરમપૂજનીય અત' છે એવા જિન ભગવત પ્રત્યે કુશલ એટલે શુભભાવસ’પન્ન ચિત્ત રાખવું, લેશ પણ દ્વેષ-અરેાચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ–ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિઆરાધના— સેવના—ઉપાસના કરવી,-એ ઉત્તમ ચાગબીજ છે. જેમકે— (૧૧૧) “ ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત. ’’ “ પર પ્રેમ પ્રવાહ ખઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર ખસે. ”—શ્રીમદ્ રાજચ'દ્રજી “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહું' રે કત; રીઝયો સાહિમ સ`ગ ન પરિહર રે, ભાંગે સાદિ અનંત. ચિત્ત પ્રસન્ગે રે પૂજન
Page 104
ફૂલ કહ્યું ?, પૂજા અખડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રહ. ''—શ્રી આન દઘનજી “ અજિત જિંદ શું પ્રીતડી, મને ન ગમે હા બીજાને સંગ કે; માલતી ફૂલે મેાહિએ, કિમ એસે હા ખાવળ તરુ ભૃંગ કે. ” “ શ્રી શીતલ જિન લેટિએ, કરી ભક્તે ચાકખું ચિત હા; તેહશુ' કહેા છાનુ` કહ્યું, જેહને સાંપ્યા તન મન વિત્ત હા. ”—શ્રી યશાવિજયજી “ પ્રીતિ અનંતી પરથકી, જે તાડે તે જોડે એ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હૈ। દાખી ગુણગેહ.... ,, ઋષભ જિણું શુ' પ્રીતડી. ”—શ્રી દેવચંદ્રજી અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યાં મનની પ્રેરણાને લીધે, જિનાને નમસ્કાર હા, સત્પુરુષને નમસ્કાર ઢા, ‘નમો અરિહંતાળું' ‘નમો નિબાળ મિત્રાળ –એવા જે સહજ સ્વાભાવિક વચનાક્રૂગાર નીકળી પડે તે પણ યાગમીજ સૂચવે છે. અને કાયાએ કરીને પ‘ચાંગ મન વચન કાયા- પ્રણિપાત, સાષ્ટાંગ દ ́ડવત્, દ્વાદશાવતું વદન વગેરે જે ભક્તિભાવ સૂચથી સ'શુભક્તિ વનારા વનપ્રકાર છે, તે ચાગબીજ છે, કારણ કે તે અંતરંગ ભક્તિના ખાદ્ય આવિષ્કારા-સૂચના છે. આ પ્રણામ વગેરે ‘સ’શુદ્” હાય તા જ ચેાગમીજ છે. અસ’શુદ્ધને અહી' સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હાઇ, તેને યેાગખીજપણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સ’શુદ્ધ ચિત્ત, (ર) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે,એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ચાગબીજ છે. આને સવમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કેજેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ કરાય છે, તે જિન અદ્ભુત સર્વ જગતમાં પરમ પ્રધાન Page #178 -------------------------------------------------------------------------- ________________ (112) ગદષ્ટિસમુચય ઉત્કૃષ્ટ વ્યક્તિ છે, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિ છે. એટલે ઉત્તમ પુરુષની ભક્તિ ઉત્તમ ગબીજ થઈ પડે છે, કારણ કે તે મેક્ષ સાથે જનાર-જોડનાર અનુષ્ઠાનનું કારણ થાય છે. “ઉત્તમ ગુણ અનુરાગથી સાહે, લહીએ ઉત્તમ કામ રે...ગુણ ઉત્તમ નિજ મહિમા વધે સાહેલ, દીપે ઉત્તમ ધામ રે...ગુણવ”—શ્રી યશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનતેજી;” નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવને પારજી.”— “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી.”–શ્રી દેવચંદ્રજી આમ અત્રે યેગમાર્ગમાં-મોક્ષમાર્ગમાં ભગવાન શાસ્ત્રકારે પ્રભુભક્તિને પ્રથમ સ્થાન આપ્યું છે. જેણે પરમ આત્મસ્વરૂપને પ્રગટપણે પ્રાપ્ત કર્યું છે, જેને પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટયો છે, એવા ગુણનિધાન વીતરાગ પરમાત્માની યથાશક્તિ ભક્તિ કરવી, એ રોગ-પ્રાસાદનું પ્રથમ પગથિયું છે, મોક્ષવૃક્ષનું ઉત્તમ બીજ છે. જે શુદ્ધ ભાવે પ્રભુભક્તિ કરે છે, તે અવશ્ય મોક્ષફળ પામે જ છે. “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ, અનુપમ શિવસુખ કંદો રે.”—શ્રી દેવચંદ્રજી “ભક્તિ વિના નવિ મુક્તિ હવે કે ભક્તને, રૂપી વિના તે તે ન હવે કોઈ વ્યક્તને.”–શ્રી રૂપવિજયજી કારણ કે પ્રભુને ભજવાથી, પ્રભુનું નામ જપવાથી, પ્રભુના ગુણનું સ્મરણ કરવાથી, પ્રભુનું સ્તવન કરવાથી, પ્રભુના ચરિત્રનું સંકીર્તન કરવાથી, પ્રભુનું સ્વરૂપ ચિંતવવાથી, પ્રભુનું ધ્યાન ધરવાથી, ને પ્રભુ સાથે અભેદપણું ભાવવાથી, ભજનાર ભક્તજનને જિનપદ નિજ પોતાના આત્મસ્વરૂપનું ભાન થાય છે. ઘેટાના ટેળામાં રહેલે સિંહપદ એકતા” શિશુ પિતાનું સ્વરૂપ ભૂલી ગયા હોય છે, પણ જે તે સિંહને દેખે છે કે તરત તેને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. તેમ ભક્તજનને પ્રભુ સાથે તન્મયતા સાધતાં પોતાનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ સ્મૃતિમાં આવે છે. એટલે ખરી રીતે પરમાર્થથી પ્રભુની ભક્તિ-આરાધના તે પિતાના આત્મસ્વરૂપની ભક્તિ આરાધના છે. આ અંગે મહાત્માઓના સુભાષિત છે કે - વ્યવહારસે દેવ જિન, નિગૅસે હું આપ; ચેહી બનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કોઈ, લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.”—શ્રીમદ્ રાજચંદ્રજી Page #179 --------------------------------------------------------------------------
Page 105
________________ મિત્રા દષ્ટિ : સંશુદ્ધ પ્રભુભક્તિ-આજ્ઞાધન (૧૧૩) “જિનવર પૂજા રે તે નિજ પૂજના છે.” અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.” “દીઠો સુવિધિ નિણંદ સમાધિરસ ભર્યો રે, ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો છે.”—શ્રી દેવચંદ્રજી ' પ્રભુએ શુદ્ધ આત્મસ્વરૂપ વ્યક્તપણે પ્રગટ કર્યું છે, અને અન્ય જીવોને તે શક્તિરૂપે રહ્યું છે. એટલે પ્રગટ વ્યક્તિ સ્વરૂપી પરમાત્મા પ્રતિઈદ સ્થાને છે, આદર્શરૂપ છે, (Ideal). જેમ કુશલ શિલ્પી પ્રતિઈદ-આદર્શ (Model) દેખી, તે પ્રમાણે પિતાની કલાકૃતિ બનાવે છે, તેમ ભક્તિ-કલામાં કુશલ ભક્તજન પ્રતિદરૂપ પ્રભુને આદર્શ નિરંતર દૃષ્ટિ સમક્ષ રાખી, પોતાના શુદ્ધ આત્માની સાંગોપાંગ સકલ કલાપૂર્ણ નિષ્પત્તિ થાય એમ કરવા મથે છે. પ્રતિછ પ્રતિઈદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.” – શ્રી દેવચંદ્રજી ભક્તજન પ્રભુની ભક્તિ અનેક પ્રકારે કરે છે. પ્રભુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવન, અર્ચન, વંદન, દાસ્ય (દાસપણું), સખ્ય (સખા-મિત્રભાવ), અને આત્મનિવેદન– એમ નવધા ભક્તિ અન્ય શાસ્ત્રોમાં કહી છે. જૈનશાસ્ત્રમાં દ્રવ્ય ને ભાવ ભક્તિ પ્રકાર એમ બે મુખ્ય વિશાળ ભેદમાં તેને સમાવેશ કરવામાં આવ્યા છે. વંદન, નમન, અર્ચન, પૂજન, ગુણગ્રામ વગેરે દ્રવ્યભક્તિ છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, પરભાવમાં નિષ્કામપણું, પિતાના આત્મામાં તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવું-પ્રગટપણું થવું તે ભાવભક્તિ છે. દ્રવ્યભક્તિ ભાવભક્તિનું કારણે થાય છે, માટે અવશ્ય કર્તવ્ય છે. અત્રે મિત્રા દૃષ્ટિમાં મુખ્યપણે દ્રવ્યભક્તિ હોય છે. દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણ ગ્રામજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામેજી.-શ્રી ચંદ્રપ્રભ”-–શ્રી દેવચંદ્રજી - પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય છે તેની આજ્ઞાનું આરાધન કરવું એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા * પાળવી એ જ એની ઉત્તમ સેવા છે. * " यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः॥ अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता। ગુમાસ્ત જ્ઞાનં સપુcવાન જાતે” –શ્રી હરિભદ્રસૂતિ અષ્ટક Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ગદષ્ટિસમુચ્ચય કેઈ નોકર હોય તે શેઠની આજ્ઞા ન પાળે, ને કહે કે હું તેને સેવક આજ્ઞારાધન છું, એ કેમ બને ? આ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું” એના સેવા દેહલી જે ઘાટ થયે ! સાચો સેવક હોય, તે તે ખડે પગે શેઠની સેવામાં– ખીજમતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉત્થાપે નહિં. તેમ સાચે ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે; ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્પુથી પ્રભુની પૂજા કરે છે. “સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.”—શ્રી દેવચંદ્રજી બાકી મુગ્ધ ભેળા જન તે એમ માને છે કે પ્રભુની સેવા સહેલી છે, સેહલી છે, સુગમ છે. “જે જે, જે જે કર્યા કે ટીલા ટપકાં કે ચાંદલા કર્યા, કે નૈવેદ્ય ભોગ ધર્યા એટલે બસ પત્યું ! પ્રભુ પ્રસન્ન ! પણ પ્રભુ કાંઈ એવા ભેળા નથી, ને એની સેવા પણ એવી હેલી નથી, સેહલી નથી, ઘણું જ દેહલી છે. કારણ કે મુગધ સુગમ કરી સેવન આદરે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના, આનંદઘન રસરૂપ..સંભવ–શ્રી આનંદઘનજી “શિવગતિ જિનવર દેવ, સેવ આ દેહલી હો લાલ, પર પરિણતિ પરિત્યાગ કરે, તસુ સેહલી હો લાલ૦ આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે હો લાલ, જે જિન આણુ લીન, પીન સેવન કરે છે લાલ.૦–શ્રી દેવચંદ્રજી આવી આ ભગવંતની ભક્તિ-ઉપાસના એ સૌથી મોટી વસ્તુ છે, એટલા માટે ભક્તિને અપૂર્વ મહિમા સર્વ ધર્મોમાં ઘણો ગાવામાં આવ્યો છે.
Page 106
ગીતામાં કહ્યું છે કે-“સર્વ યેગીઓમાં પણ મને પામેલા-મહારામાં રહેલા અંતરાત્માથી જે શ્રદ્ધાવાનું મને ભજે છે, તે મહારે મન યુક્તતમ છે.” અને પરમ ધમ ધુરંધર ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજીએ તે એટલે સુધી કહ્યું છે કે:-“મેં શાસ્ત્રસમુદ્રનુંxx અવગાહન કર્યું, તેમાંથી મને આટલે જ સાર મળે છે કે–ભગવંતની ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે.” * “જિનામપિ તેવાં મદતેનાત્તરામના શ્રદ્ધાવાન માને છે માં ત ચુતમે મતઃ ”—ગીતા, xx “સામેતમા શ્રતા ઘેરવાનાત્તા માિવતી વ પરમાનં વાન્ - શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વારા Page #181 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ ચરમાવત્ત-તથાભવ્યત્વપાર્ક જ્યારે આ હાય છે, તેનેા સમય કથવા માટે કહે છેचरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । संशुद्धमेतनियमानान्यदापीति तद्विदः ॥ २४ ॥ ચરમાવ વિષે થયે, તથાભવ્યતા પાક; સંશુદ્ધ એહન અન્યદા, તજ્જ્ઞાની એ વાક, ૨૪ અર્થ :—તથાભવ્યત્વના પાક થકી, છેલ્લા પુદ્દગલાવત્તમાં, આ (કુશલ ચિત્તા)િ નિયમથી સ’શુદ્ધ હાય છે,—નહિ કે અન્ય વખતે પણુ, એમ તેના જાણકારો કહે છે, વિવેચન (૧૧૫) ઉપરમાં જે જિન પ્રત્યે સશુદ્ધ કુશલ ચિત્ત વગેરે ચાગબીજ કહ્યું, તે કયારે નીપજે છે, તેને સમય અહીં બતાવ્યા છે. એ સ'શુદ્ધ ચિત્ત આદિ ચરમ-છેલ્લા પુદ્ગલપરાવતમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે જ્યારે જીવથી ગ્રહણ-ત્યાગવડે, લેવા-મૂકવાવડે કરીને, લેાકમાં રહેલા સમસ્ત પુદ્ગલે એક વાર સ્પર્સાઇ ચૂકે છે, ભેગવાઇ જાય છે, ત્યારે એક પુદ્ગલપરાવત્ત થયું કહેવાય છે. પુદ્ગલપરાવત્ત એટલે પુદ્ગલને ફેરા-ચક્રાવા (Revolution of Pudgala cycle). આમ એક પુદ્ગલપરાવર્ત્તમાં અનંત દુઃખથી ભરેલા એવા અસંખ્ય જન્મમરણ થઈ ચૂકે છે; અને આ અનાદિ સ`સારમાં જૂદી જૂદી ગતિમાં પરિભ્રમણ કરતાં, ચક્રભ્રમણ ન્યાયે, આ જીવે એવા અનત પુદ્ગલપરાવત્તો વ્યતીત કર્યા છે. કહ્યું છે કેઃ— “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા સમજાવ્યુ' તે પદ નમું, શ્રી સદ્ગુરુ દુ:ખ અનંત; ભગવંત ’’ —શ્રીમદ્ રાજચ' પ્રણીત શ્રી આત્મસિદ્ધિ વૃત્તિ:-ધરમે પુરૂજાવત—ચરમ એટલે છેલ્લા પુદ્ગલાવત્ત'માં, તેવા પ્રકારે તેના તેના ગ્રહણુ-ત્યાગથી પુદ્દગલાવત્તો (પુદ્ગલના ફેરા) હોય છે. અને “તે ચાનાતો સંજ્ઞા તથામન્યત્યાશ્રિતાઃ વિવિયન્તે પિ” આ અનાદિ સંસારમાં તથાભવ્યવથી આક્ષિપ્ત થયેલા આ પુદ્ગલાવત્તો કેાઈને કેટલાક હોય છે,' એવા વચનના પ્રામાણ્યથી. ચર્મ પદમાં ચર્માવત્તનું નામ ધટે છે. અત્રે પણ કારણુ કહ્યું”-તથામન્યત્વના તઃતથાભવ્યત્વના પાકથી. એટલે તેમાંથી મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિથી (કડવાશ દૂર થતાં) જરાક માની સિદ્ધિ થાય છે તેથી કરીને, સંજીદ્ધનેત-સશુદ્ધ એવુ આ,-ગ્નિના પ્રત્યે કુશલ ચિત્ત આદિ, હેાય છે. નિયમા—નિયમથી,—તથાપ્રકારે કર્માંના તથાભવ્યત્વપાકના ભાવે કરીને;–અન્ય સમયે સશુદ્ધની જેમ, અત્રે અસશુદ્ધની અનુપત્તિને લીધે. (એટલે કે ખીજે વખતે જેમ સશુદ્ધ ન લડે, તેમ અહીં ચરમાવત્ત'માં અસશુદ્ધ ન ધરે; સશુદ્ધ જ ટે.) એટલા માટે જ કહ્યું-નાન્યાવિ–નહિ" કે અન્ય કાળે પણ, પૂર્વે કે પછી પશુ નહિં. કારણ કે પૂર્વે` કિલષ્ટ આશ્ચયને અને પછી વિશુદ્ધતર આશયને યાગ હોય છે. કૃત્તિ દ્વિ-એમ તેના જ્ઞાતાતા કહે છે, યાગવેત્તા કહે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય “તુજ દરિસણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે; સુહૂમ નિમેદ ભવે વચ્ચે, પુદ્ગલ પરિઅટ્ટ અનંત* રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે”—શ્રી દેવચંદ્રજી “એમ અનેક થલ જાણીએ....સખી! દેખણ દે ! ચતુર ન ચઢિયે હાથ રે. સખી.”–શ્રી આનંદઘનજી આમ પુદ્ગલાવત્ત કરતાં કરતાં તથાભવ્યત્વના પાકથી કંઈ જીવને ગણત્રીમાં આવે તેમ કેટલાક બાકી રહે છે, અને તે કેટલાકમાં પણ જે છેલ્લે પરાવર્તા–ફરે છે, તે ચરમ પુદગલાવ કહેવાય છે. અને આ છેલ્લા પરાવર્તનું કારણ પણ તથાભવ્યત્વને પરિપાક, તેવા તેવા પ્રકારની ભવ્યપરિણતિને પરિપાક છે, એટલે કે જ્યારે જીવમાં તથા પ્રકારની ભવ્યતા પાકે, તેવા પ્રકારની યેગ્યતા-પાત્રતા પરિપકવ થાય, ત્યારે મિથ્યાત્વરૂપ વિષની કડવાશ દૂર થાય અને કંઈક માધુર્યની મીઠાશની સિદ્ધિ સાંપડે. કહ્યું
Page 107
છે કે – " योग्यता चेह विज्ञेया बीजसिद्धयाद्यपेक्षया । અાત્મનઃ સજ્ઞા ત્રિા તથમવ્યમયતઃ !”—શ્રી ગબિન્દુ, ૨૭૮ અર્થ–બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની ગ્યતા, તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવન તેવા તેવા પ્રકારની ગ્યતા તેનું નામ તથાભવ્યત્વ. આમ તેવી યોગ્યતાના-તથાભવ્યતાના પાકથી જ્યારે છેલ્લો પુદ્ગલપરાવર્ત વત્ત તે હોય, ત્યારે જિન પ્રત્યે આ સંશુદ્ધ ચિત્ત આદિ પ્રાપ્ત થાય, એ નિયમ છે. તે સિવાયના બીજા સમયે, તેની પૂર્વે કે તેની પાછળ, આ સંશુદ્ધ ચિત્તાદિ ન હોય. કારણ કે તેની પૂર્વે ક્લિષ્ટ આશય હોય છે, અને તેની પાછળમાં વધારે વિશુદ્ધ આશય હોય છે, એમ કેગના જાણકારોનું કથન છે. યથાયોગ્ય યોગ્યતા–પાત્રતા વિના કેઈ કાર્ય બનવું સંભવતું નથી. એટલે જ્યાં લગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ યોગ્યતા-પાત્રતા ન આવી હોય, ત્યાંલગી જીવને ગુણની પ્રાપ્તિ થવી શક્ય નથી. પ્રભુભક્તિ વગેરે ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થવી, એ કાંઈ જેવી તેવી કે નાનીસૂની વાત નથી, પણ જીવના મોટા ભાગ્યની વાત છે. એ ભાગ્યદય તે જીવને જ્યારે છેલ્લો ભવ–ફેરે હોય, ત્યારે સાંપડે છે, કારણ કે ત્યારે જીવની તથા પ્રકારની ભવ્યતા-યેગ્યતા પરિપકવ થાય છે, એટલે મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે, અને પરિણામની કંઈક મીઠાશ નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ કુરે છે. * " अनादिरेष संसारो नानागतिसमाश्रयः। પુત્ાાનાં પરાવર્તા બત્રાનમ્નાસ્તથા જતાઃ |–શ્રી ગબિન્દુ, ૭૪. Page #183 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સશુદ્ધ લક્ષણ (૧૧૭) ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક, દેષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન, વાક.”—શ્રી આનંદઘનજી દેવચંદ્ર પ્રભુની હો કે, પુણ્ય ભક્તિ સંધે, આતમ અનુભવની હો કે, નિત નિત શક્તિ વધે.”– શ્રી દેવચંદ્રજી એમ આ સમસ્ત સમય કહી દેખાડી, આ કથવાની ઈચ્છાથી કહે છે – उपादेयघियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्ध ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સંજ્ઞા સ્થંભન સાથ; ફલ અભિસંધિ રહિત આ સંશુદ્ધ એવું યથાર્થ. ૨૫ વૃત્તિ –કપાયા –ઉપાદેય બુદ્ધિથી, ગ્રહણ કરવા યોગ્ય-આદરવા યોગ્ય એવી બુદ્ધિવડે કરીને, અત્યન્ત–અત્યંતપણે સર્વના અપેહથી–ત્યાગથી (બીજા બધાને એક કોર મૂકી દઈને, ગૌણ ગણીને) તથા પ્રકારના પરિપાક થકી, સમ્યજ્ઞાનના પૂર્વરૂપપણાએ કરીને, ' સંજ્ઞાવિમળાવિતં–સંજ્ઞાન વિષ્ઠભણથી યુક્ત, સંજ્ઞાના સ્થંભનથી-નિરોધથી યુક્ત, ક્ષયપશમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદય અભાવથી યુક્ત. સંજ્ઞા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આષ વચન છે– "काविहा णं भंते सन्ना पन्नत्ता। गोयमा दसविहा । आहारसन्ना, भय सन्ना, मेहणसन्ना, પરિdiદણના, હરતા, માખણના, માયાણના, મિસન્ના, રોહના, જેસના 2 “હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? “હે ગૌતમ! દશ પ્રકારનીઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયા સંસા, લેભસંસા, એધસંજ્ઞા, લોકસંજ્ઞા.” આ સંજ્ઞાથી સંયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યદય (પુણ્યોદય) અથે થાય, પણ નિઃશ્રેયર મોક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય-પરિશદ્ધિના અભાવને લીધે. આ નિઃશ્રેયસૂ-મોક્ષ તે ભવભાગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યોગીઓ કહે છે. શામિલંબિદિતં–ફલતી અભિસંધિથી રહિત,ભવાન્તર્ગત (સાંસારિક) ફલની અભિસંધિના–અભિપ્રામના અભાવે કરીન, ફલની કામના વિનાનું (નિષ્કામ ). પ્રશ્ન-સંસાનું વિષ્કભન-સ્થભન થયે પૂર્વોક્ત ફલની અભિસંધિ અસંભવિત જ છે. ઉત્તરતભવઅંતર્ગત એટલે કે તે ભવસંબંધી ફલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તે તેનાથી અન્ય ભવાન્તર્ગત (બીજા ભર સંબંધી) એવા સામાનિક દેવ આદિ લક્ષણવાળા ફળને પણ અપેક્ષીને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસંધિના–કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાર્જન થયેલા આ ફલનું પણ સ્વતઃઆપોઆપ પ્રતિબંધપ્રધાનપણું છે. અને એ અભિસંધિથી રહિત એવું આ સંશુદ્ધ કુશલચિત્ત આદિ અપવર્ગ–મોક્ષનું સાધન છે; પણ સ્વપ્રતિબંધસાર એવું તે તે તથાસ્વભાવપણુએ કરીને તે સ્થાનમાં જ રિથતિ કરાવનારું હોય છે,
Page 108
ગૌતમ સ્વામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;-એવું હોય તેનું જ એનિષ્પાદકપણું છે ગસાધક પણું છે તેટલા માટે. ખરેખર ! શાલિબીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ શાલિને અંકુર હાય નહિં. Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) યોગદષ્ટિસાસુચ્ચય અર્થ :–અત્યંતપણે ઉપાદેય બુદ્ધિવડે કરીને, સંજ્ઞાના વિષ્કલન-નિરોધ સહિત, અને ફલની અભિસંધિથી-કામનાથી રહિત,-એવું આ સંશુદ્ધ આવું હોય છે. વિવેચન ઉપરમાં જે સંશુદ્ધ ચિત્ત વગેરેની વાત કહી, તેમાં સંશુદ્ધ કેવું હોવું જોઈએ, તે અહીં સ્પષ્ટ કર્યું છે. સંશુદ્ધ હોવામાં આ ત્રણ મુખ્ય લક્ષણ છેઃ-(૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિધ, (૩) ફલાભિસંધિ રહિતપણું-નિષ્કામપણું. ૧. પરમ ઉપાદેય બુદ્ધિ પ્રથમ તે પ્રભુ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હેવી જોઈએ. એટલે કે શ્રી જિનેશ્વર દેવવીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા ગ્ય છે, આરાધવા-ઉપાસવા ગ્ય છે, –એવી પરમ ઉપાદેય બુદ્ધિ ઉપજવી જોઈએ; આખા જગત્ કરતાં પણ જેનું ગુણગૌરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ટિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ અને તેમના પ્રત્યે પરમ આદર પ્રગટ જોઈએ. આવી ઉપાદેય બુદ્ધિ-પરમ આદરભાવવાળી પ્રભુભક્તિ અહીં ચરમાવત્તમાં ઉપજે છે, કારણ કે તેવી ભવ્યતાયેગ્યતાના પાકને લીધે અહીં સમ્યગજ્ઞાનનું પૂર્વરૂપ-પૂર્વ અવસ્થા હોય છે. અને તેથી કરીને જ આ દષ્ટિવાળા ભક્ત જોગીજનને ભગવાન આવા પરમપ્રિય-પ્રિયતમ, પરમ વહાલા લાગે છે. અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કત” બીજે મન મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત.”—શ્રી આનંદઘનજી પરમ ઈષ્ટ વાહડા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ ”—શ્રી દેવચંદ્રજી “સુમતિનાથ ગુણે શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ યમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ.. સેભાગી જિન શું લાગે અવિહડ રંગ.”—શ્રી યશોવિજયજી પરંતુ આ અભિસંધિ રહિત કુશલચિત્તાદિ તો અભિનગ્રંથિને પણ ત્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી તથાપ્રકારના ક્ષપશમસારપણાને લીધે, એવું હોય છે; આ સરાગ એવા અપ્રમત્ત યતિના વીતરાગ ભાવ જેવું છે – જે પ્રકારે યોગાચાર્યોએ કહ્યું છે : "योगबीजचितं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभागः त सक्तयतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणी समुज्जासनागमे।पायनं च इतस्तदुचितचिन्तासमावेशकृद्ग्रन्थिपर्वतपरमवज्र नियमात्तद्भेदकारि भावचारकपलायनका लघण्टा तदपसारकारिणी ।" ઇત્યાદિ સંક્ષેપથી છે. (અર્થ માટે જુઓ વિવેચન) એકલા માટે સાષ્ટ્ર ધરતીદાન-આ જિન પ્રત્યે કુશલ ચિત્તાદિ સંશદ્ધ આવું હોય છે. અને આ તેવા પ્રકારના કાલ આદિ ભાવથી તે તે સ્વભાવપણુએ કરીને, ફલપાકના આરંભ સરખું છે. (ફલ પાકવાની શરૂઆત જેવું છે.) Page #185 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ દશ સંજ્ઞા નિરોધ (૧૧૯) બીજાં બધાં કામ એક કેરે મૂકી દઈ-પડતા મૂકી, પ્રભુભક્તિને પરમ આદરવા યોગ્ય માની, શુદ્ધ આશયથી પ્રભુભક્તિમાં લીન થવાની બુદ્ધિ રાખવી, તેનું નામ ઉપાદેય બુદ્ધિ છે. સાચા ભક્તના હૃદયમાં બીજાં બધાં કાર્ય કરતાં પ્રભુભક્તિનું સ્થાન ઊંચામાં ઊંચું હાઈ, આવી પરમ ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે. “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામ...શીતલ.”–શ્રી દેવચંદ્રજી ૨. સંજ્ઞા નિધિ સંશુદ્ધનું બીજુ લક્ષણ એ છે કે તેમાં દશ પ્રકારની સંજ્ઞાને નિરોધ-ઉદય અભાવ હો જોઈએ. દશ સંજ્ઞા આ છે–આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા,ક્રોધસંજ્ઞા,માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લેભસંજ્ઞા, ઘસંજ્ઞા અને લેકસંજ્ઞા. આમાંની કેઈ પણ સંજ્ઞાને ઉદય ભક્તિ આદિ કાર્યમાં ન જ થાય, તે જ તે ભક્તિ આદિ સંશુદ્ધ ગણાય છે. તે સંજ્ઞા ટાળવાની ભાવના આ પ્રકારે – આહારસંજ્ઞા–ભક્તિમાં એવી તલ્લીનતા, તન્મયતા થઈ જાય કે આહાર વગેરે પણ ભૂલાઈ જાય, ખાવા-પીવાનું પણ ભાન ન રહે, એવી પ્રભુભક્તિની ધૂન આ ભક્ત જોગીજનને લાગે છે. પિયુ પિયુ કરી તેમને જપું રે, હું ચાતક તુમ મેહ.”—-શ્રી યશોવિજયજી ભયસંજ્ઞા-ભક્તિમાં તે ભયને જ ભય લાગી તે ભાગી જાય ! દૂરથી જ પલાયન કરી
Page 109
જાય ! તે પછી પરમ સમર્થ પરમાત્મા જેવાનું જેણે પરમ નિર્ભય ચરણ-શરણ ગ્રહ્યું છે, એવા ભક્તરાજને ભય શાને ? કારણ કે— દુઃખ દેહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; “ધીગ ધણી માથે કિયો રે, કુણ ગજે નર એટ? વિમલજિન સાહિબ સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર, મનવિશરામી વાલહ રે, આતમ આધાર....વિમલજિન” “સત મહાભય ટાળતા રે, સપ્તમ જિનવર દેવ.”—શ્રી આનંદઘનજી જસુ ભગતે નિરભય પદ લહીએ, તેની સેવામાં થિર રહીએ–શ્રી દેવચંદ્રજી મીતામય નિરિતમઠ્ઠાપમ્ – શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર. “તસ્થાશુ નારામુપાતિ મર્ચ મા – શ્રી ભક્તામર સ્તોત્ર, મૈથુનસંજ્ઞા-તુચ્છ કામવિકારને તે વ્યક્તિ વેળાએ ઉદ્દભવ ઘટે જ નહિ. કારણ કે નિષ્કામ એવા પરમાત્માનું નામસ્મરણ પણ કામને નાશ કરનારું છે. એટલે એ ગી પુરુષ તે કામનું સ્મરણ પણ કરે નહિ. Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦) 66 પરમાતમ પદ કામના, કામનાશન એઠુ, (C જોતાં પણુ જગીજ તુને, ન વધે વિષયવિરામ. ”—શ્રી દેવા'દ્રજી જિહાં કામ ત્યાં રામ ના, રામ તિšાં નહિં કામ. "" "" યોગસિમુચ્ચય 55 પરિગ્રહસ’જ્ઞા—પરિગ્રહની મૂર્છા, પરવસ્તુને પેાતાની માનવારૂપ મમત્વબુદ્ધિ અત્રે દૂર થઈ જાય, કારણ કે પરવસ્તુ પ્રત્યેની-પુદ્ગલાદિ પ્રત્યેની પ્રીતિ છેડયા વિના, પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં. અને સાચા ભક્તજન તે પ્રભુને નિર'તર પ્રાથે છે કે હે પરમકૃપાળુ દેવ! આપ મને આ પરંપરિતરગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છેડાવા ! આવા પુરુષને ભક્તિકામાં પરિગ્રહ સાંભરે પણ શેને ? 66 ‘ એ પરપરણિત રંગથી રે, મુજને નાથ ઉગાર રે....દયાલરાય ! ” 66 પ્રીતિ અનતી પર થકી, જે તાડે તે જોડે એહ....ઋષભ. શ્રી દેવચ'દ્રજી ક્રોધસ'જ્ઞા—ક્રેાધનેા ઉદય અહી' હાય નહીં. કારણ કે ક્રેધ અને પરમ શાંતસુધારસમાં નિમજજનરૂપ ભક્તિને અને નહિં. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ ક્રેાધ શમી જાય, ને આત્મા શાંત અમૃતરસમાં ઝીલે. “ અમિયભરી મૂરતિ રચી રૈ, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત નૃપતિ ન હેાય....વિમલ૰”—શ્રી આનંદઘનજી ઉપશમરસભરી, સજનશ કરી, સ્મૃતિ જિનરાજની આજ ભેટી.”—શ્રી દેવચ’દ્રજી માનસ'જ્ઞા—લૌકિક માન-મેટાઈની કે કીત્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહી સશુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિ.... જો લેકમાં મનાવા-પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભક્તિ કરૂં છું એવું દુષ્ટ અભિમાન ધરવામાં આવે, તે તે ચિંતામણિરત્નને * કાણી કોડી જેવું કરી મૂકે છે! કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભક્તિવ્યને ગૌણ કરી તે પામર, તુચ્છ નિર્માલ્ય માનની પાછળ દોડે છે; એટલે કે પરમ મહત્ એવા ભક્તિ આદિ ધ કાનુ ખુલ્લુ' અપમાન કરી આશાતના કરે છે. પણ સાચા ભક્તજન તેા કેવલ એક આત્માથે જઆત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ આદિ કરે- છે. 66 ‘લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિ' પરમાને, લેવા લૌકિક માન.”—શ્રી આત્મસિદ્ધિ માયાસ'જ્ઞા—શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હેાય, ખગલા ભગત જેવી કુટિલતા-માયા ચાર ન હાય, દંભ ન હેાય, પેાતાના દોષના આચ્છાદનરૂપે-ઢાંકણુરૂપે ધમ ના ઢાળ-ઢાંગીપણું *" साम्यं विना यस्य तपः क्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । સ્વયે સુચિતામાંળનામનુંમાન્ રાયસો જાળવતી મૂલ્યાન્ ।।” —શ્રી અધ્યાત્મપનિષદ્ + '' મામિન્દિને હેપિત્તયા ધર્મનિયાપિ । મતે હીમાલયો વવુંરતાં તંદ્ન વિપુઃ ।।”......શ્રી યોગબિન્દુ, ૮૯, Page #187 -------------------------------------------------------------------------- ________________ મિત્રાપ્તિ : દશ સરજ્ઞા નિરાધ (૧૨૧) ન હાય, દાંભિક, છેતરપિંડીવાળી ઠંગમાજી ન હેાય, પેાતાને ને પરને વાંચવારૂપ આત્મવચના ન હાય, ‘હાથમાં માળા ને મનમાં લાળા ’ એવી વંચક વૃત્તિ ન હેાય, ટીલાં ટપકાં તાણી જગને છેતરવાની ચાલખાજી ન હેાય. સાચા ભક્ત જોગીજન તા ચાકખા ચિત્તે, નિખાલસ સરળ હૃદયે, શુદ્ધ અંતઃકરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માપણુ કરવાની ભાવના ભાવે; ને તેમ કરવા પ્રવર્તે, “ અવગુણુ ઢાંકણુ
Page 110
કાજ, કરૂ` જિનમત ક્રિયા ! છ ું ન અવગુણુ ચાલ, અનાદિની જે પ્રિયા !....વિહરમાન’— શ્રી દેવચંદ્રજી “ કપટ રહિત થઇ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ. શ્રી આનદઘનજી 77 • જ્યાંસુધી ચિત્તમાં બીજો ભાવ હાય ત્યાંસુધી તમારા સિવાય બીજામાં મારે કઈ પણુ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાંસુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અણુ કયાંથી થાય? જેથી સર્વાં જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હેાવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅણુતા કહેવાય. x x x જે પેાતે ખીજે સ્થળે લીન છે, તેના અપણુ થયેલા ખીજા જડ પદાથ ભગવાનમાં અર્પણુ કયાંથી થઇ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅણુતા છે. ”શ્રીમદ્ રાજચ`દ્ર પત્રાંક, ૬૯૨. (૭૫૩) 66 પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય ? ત્હારા દિલનું કપટ નવ જાય.”—શ્રી નરસિંહ મહેતા લાલસ‘જ્ઞા—મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ હા, એવી લેભવૃત્તિ-લાલચ સ'શુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિ.... કારણ કે જો એવા તુચ્છ ક્ષણિક નમાલા ફૂલની ઇચ્છા રાખે, તે તે અનંતગણું મોટુ ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરા ખરીદે છે ! તે તા ભક્તિ નઢુિં, પણ ભાડાયત જ છે! પણ સાચા ભક્તજન તે તેવી કાઇ પણ લાલચ રાખે નહિં, તે તે અનાસક્તપણે કાઈ પણ ફળની આશા વિના ભક્તિ આદિ કર્ત્તવ્ય કર્યાં કરે. ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાચે.” --શ્રી દેવચ'દ્રજી એઘસ'જ્ઞા—સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરી પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હાય, ગતાનુગતિકપણું ન હાય, આંધળાની પાછળ આંધળા દોડથો જાય એવુ અધશ્રદ્ધાળુપણું ન હેાય; પરંતુ સાચી તત્ત્વસમજણપૂર્વકની ભક્તિ હાય. 66 નિમળ તત્ત્વરુચિ થઇ રે, કરો જિનપતિ ભક્તિ” શ્રી દેવચ’દ્રજી લાકસ જ્ઞા——લાકને રીઝવવા માટે, લેાનાર્જન-આરાધન અર્થે ક્રિયા કરવી તે ર્મવ્યેવાધિષ્ઠાન્તે મા હેવુ રાવન | '”—શ્રી ભગવદ્ગીતા * ' Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) યોગદૃષ્ટિસમુચ્ચય * લેાકસંજ્ઞા છે. તેવી લેાકસ'જ્ઞા—àકેષણા આ શુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિ. કારણ કે લેાકેષણા રૂપ લોકપક્તિ * અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ એને કદી મળતી પાણ આવે નહિ. જો આત્મા જોઈતા હોય તેા માના છેાડવા જોઈ એ, ને માના જોઈ તા હોય તે આત્મા છેડવા જોઈ એ. એક મ્યાનમાં જેમ એ તલવાર સમાય નહિં, ભસવુ' ને લેટ ફાકવા? એ બન્ને ક્રિયા જેમ સાથે અને નહિ', તેમ આત્મા ને માનાના કદી મેળ ખાય નહિ. અને પરમા` વિચારીએ તે આત્મા પાસે લેાકેાનુ` મૂલ્ય એ બદામનું પણ નથી. તેમ જ લાક પણ દુરારાધ્ય છે–રીઝવવા મુશ્કેલ છે. જે એક વાર પ્રશસાના પુષ્પ વેરે છે, તે જ નિંદાના ચાબખા મારે છે! માટે પ્રભુને રીઝવવા હાય-શુદ્ધ ભક્તિ કરવી હાય તે લેાકને રીઝવવાના પ્રયાસ છોડી દેવા જોઈએ, લેાકેાત્તર દેવને લૌકિક ભાવથી ભજવાને ત્યાગ કરવા જોઈએ. આમ સમજીને આ ચેાગીપુરુષ લેાકસ'જ્ઞાના સ્પશ પણ કરતા નથી. 66 “ જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. શ્રી ચિદાન દજી " મલ્રિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી. “ લેાક લેાકેાત્તર વાત, રીઝ છે દોય જુઇરી, આદર્યું આચરણ લેાક ઉપચારથી, શાસ્રઅભ્યાસ પણ કાંઈ કીધા; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ, તેવા કાર્ય તણે કાન સીધા.”—શ્રીદેવચ’દ્રજી * લાકસ`જ્ઞાથી લેાકાણે જવાતું નથી.” 46 ,, તાત ચક્ર ર પૂજ્ય, ચિંતા એહ હુઇરી.”—શ્રી યશોવિજયજી “ જેહ લેાકેાત્તર દેવ, નમુ લૌકિકથી !” જગને રૂડુ દેખાડવા અને'તવાર પ્રયત્ન
Page 111
કર્યું'; તેથી રૂડું થયુ' નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુએ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનુ રૂડુ થાય તેમ વ્યતીત કરવામાં જશે, તેા અનત ભવ' સાટું વળી રહેશે; એમ હુ લઘુત્વભાવે સમજ્યા છઉં,”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ દશ પ્રકારની સંજ્ઞાને થભાવી દેવામાં આવે, તે જ સશુદ્ધ ભક્તિ આદિ ગણાય. નહિં તે તે અનુષ્ઠાન સુંદર છતાં ભલે પુણ્ય-અભ્યુદયરૂપ દેવાદિ ગતિ આપે, પણ મેાક્ષનુ કારણ તે ન જ થાય, કારણ કે પરિશુદ્ધિના અભાવ છે. મેાક્ષની પ્રાપ્તિ તે સાંસારિક ભાગેામાં નિઃસ્પૃહ એવા શુદ્ધ આશયમાંથી ઉપજે છે, એમ ચેાગીજના કહે છે. અને એટલા માટે જ, જ્યાં ખાવાપીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામા થઈ પડે, મમતા મરી જાય. ક્રોધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લેાભને લેાભ * '' જો ગાયનહેતોજે મહિનેનાન્તરામના । યિતે સજ્જિા સાત્ર જોપત્તિવાદતા ।।”—શ્રી યોગમિન્દ, ૮૮, Page #189 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ: નિષ્કામ ભક્તિ (૧૨૩) થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની કે લૌકિક રીતની બીલકુલ પરવા ન હોય,–એવી સંશુદ્ધ ભક્તિ જ આ ગદષ્ટિવાળા ખરેખરા વૈરાગી જોગીજને કરે છે. શ્રી શીતલ જિન ભેટયે, કરી ભકતે ચખું ચિત્ત હો.” -શ્રી યશોવિજયજી ૩. નિષ્કામપણું સંશુદ્ધનું ત્રીજુ લક્ષણ દ્ય અભિસંધિ રહિતપણું છે. સંશુદ્ધ અનુષ્ઠાન ફલની કામના વિનાનું હોય, ભક્તિ વગેરે નિદાન રહિત, નિષ્કામ હોય, તે જ સંશુદ્ધ લેખાય. ઉપરમાં સંજ્ઞાનિધ કો, તેમાં લેભસંજ્ઞાના અભાવે ફલકામનાને અભાવ છે, તે પછી આ જૂદું ફેલગ્રહણ કેમ કર્યું? તેને ઉત્તર એ છે કે–પહેલાં જે કહ્યું હતું, તે તે ભવસંબંધી ફલની અપેક્ષાએ કહ્યું હતું, અને આ જે કહ્યું તે પરભવ સંબંધી ફલની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે-પરભવમાં મને આ ભક્તિ વગેરેના પ્રભાવે, સામાનિક દેવ વગેરેની અદ્ધિ સાંપડો–ઈત્યાદિ પરભવ સંબંધી ફલની કામના, નિદાન-નિયાણું ન હોય, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ કહેવાય; ફલની કામના–દાનત હોય, તે સંશુદ્ધ ન કહેવાય. કારણ કે તેવી કામના સારી નથી, તેથી તેનાથી પ્રાપ્ત થતું ફલ પણ સારું નથી, અને તે એક્ષપ્રાપ્તિમાં આડા પ્રતિબંધરૂપ—અટકાયતરૂપ થઈ પડે છે. કોઈ પણ પ્રકારની કામના વિનાનુંફળની આશા વિનાનું, એવું જે નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન છે, તે જ મોક્ષનું સાધન છે. પણ તેમાં જે સ્વપ્રતિબંધ હોય, એટલે કે પ્રભુભક્તિના કુશલ ચિત્ત આદિમાં જ પ્રતિબંધ કરાય, ત્યાં જ આસંગે-આસક્તિ રખાય, તો તે કુશલચિત્તાદિ પણ તે જ સ્થાને સ્થિતિ કરાવનાર થઈ પડે, ત્યાં જ અટકાવી દે, જીવની આત્મદશા વધવા ન દે. અત્રે શ્રી ગૌતમસ્વામીજીનું પ્રસિદ્ધ દષ્ટાંત છે.* તેમને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત કુશલ ચિત્ત, બહુમાન, પ્રશસ્ત રાગ હતો. પણ તે રાગ જ ઊલટો તેમને મુક્તિ પ્રાપ્તિમાં અવ ધરૂપ–પ્રતિબંધરૂપ થઈ પડ્યો ! જ્યાં લગી તેમનો તે રાગ ગયે નહિં, ત્યાંલગી તેમને કેવળજ્ઞાન થયું નહિં. જે રાગ ગયે કે તરત કેવળજ્ઞાન થયું. આ ઉપરથી સાર એ સમજવાને છે કે–પ્રભુપ્રત્યે પણ પ્રશસ્ત રાગ માત્રથી અટકી જવાનું નથી, પણ નીરાગીને સેવી નીરાગિતા પ્રાપ્ત કરવાને સતત લક્ષ રાખી આગળ વધવાનું છે. વીતરાગ શું હતું જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવ ભય વારો. શ્રી દેવચંદ્રજી આમ આવું નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. કારણ કે જે શાલિનું બીજ ન હોય તેમાંથી કેઈ કાળે શાલિને અંકુરો ફૂટે નહિ; અને શાલિ - " प्रतिबन्ध कनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः । તસ્થારિતિવાચૈત્ર વીરે પૌતમકાવત્ત છે ”—શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વાન Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) યોગદષ્ઠિસમુચય બીજ હોય તેમાંથી શાલિને
Page 112
અંકુર ફૂટયા વિના રહે નહિ. તેમ ગબીજ ન હોય તેમાંથી રોગને અંકુર ફૂટે નહિ; અને ગબીજ હોય તેમાંથી એગ-અકુર ફૂટયા વિના રહે નહિ. ભક્તિપ્રધાન દશાએ વત્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એ પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે, તે તે ઘણા દેષથી નિવૃત્ત કરવાને ગ્ય એવી હોય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી આત્મજ્ઞાનવડે જે પૂર્ણ ભરાયેલે છે, અને જેને કમફળને સર્વથા કંટાળો આવી ગયેલે છે, તેને આ જગમાં ઘેર બેઠાં જ શાંતિ આવીને વરે છે, પરંતુ હે અર્જુન ! બીજે જે સંસારી હોય છે, તે કર્મબંધનવડે બંધાઈને અભિલાષાની ગાંઠથી ફળભેગના ખીલા સાથે જકડાઈ જાય છે. + x x તેઓ સ્વર્ગની ઈચ્છા મનમાં રાખે છે, યજ્ઞભક્તા જે ઈશ્વર તેને વિસરી જાય છે. જેમ કપૂરને ઢગલે કરી તેમાં અગ્નિ લાવી મૂક, અથવા મિષ્ટાનમાં કાળકૂટને સંચાર કરે, અથવા દૈવયોગે અમૃતકુંભ મળે અને તેને લાત મારી ઊધે વાળી નાંખ, તેમ ફળપ્રાપ્તિના હેતુથી પ્રાપ્ત થયેલી ધમને લેકે હાથે કરીને નષ્ટ કરી નાંખે છે.”—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા. આમ આ સંશુદ્ધ ભક્તિમાં-(૧) પરમાત્મા પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાઅનુદય, (૩) અને નિષ્કામપણું હોય છે અને આવું સંશુદ્ધ કુશલ ચિત્ત આદિ અહીં છેલ્લા પુલાવર્તામાં, ગ્રંથિભેદ હજુ નહિં થયા છતાં, હોય છે, કારણ સંશુદ્ધ ભક્તિ કે છેલ્લા યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી–પ્રભાવથી અહીં તેવા પ્રકારનો ક્ષપશમ હોય છે. જેમ સરાગ એવા અપ્રમત્ત સંયમીને વીતરાગભાવ ઘટે છે, તેમ અહીં ગ્રંથિભેદ વિના પણ સંશુદ્ધભાવ ઘટે છે, યોગબીજવાળું કુશલ ચિત્તાદિ - ઘટે છે, અને તેથી કરીને જ આ મિત્રા દૃષ્ટિમાં વત્તત ગીપુરુષ અનન્યભાવે, અતિશય ભક્તિ સહિત, શ્રી જિનેશ્વર ભગવાનની નિષ્કામ ઉપાસના કરે છે. ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.” –શ્રીમદ્ રાજચંદ્રજી ગબીજ ચિત્ત ગબીજવાળું જે ચિત્ત છે તે કેવું છે? તે અંગે ચોગાચાર્યોએ કહ્યું છે કે – (૧) તે સંસાર સમુદ્રમાં નિમગ્નને-ડૂબેલાને જરા ઉન્મજજન વિલાસ છે, જરા ઉપર સપાટીએ આવવારૂપ પ્રયાસ છે અને તે આ ઉન્મજજન સંસારની + “યુઃ કરું ચવા શરિમાનેતિ નૈછિક્કી થયુ માન છે તો નિવષ્ય "– ગીતા, અ. પ. Page #191 -------------------------------------------------------------------------- ________________ બિરાદષ્ટિ ગબીજ ચિત્ત (૧૨૫) અતિશય આસક્તિને શિથિલ-ઢીલી કરી નાખે એવું છે, માળી પાડી નાંખે એવું છે. જેમ કેઈ દરીઆમાં ડૂખ્યો હોય તે જરા ઉપર સપાટીએ આવે, તે તેને ડૂબેલી અવસ્થા ને ઉપરની અવસ્થા એ બન્નેનો સ્પષ્ટ તફાવત જણાય, રાહત અનુભવાય, એટલે ડૂબેલી અવસ્થાના તેના મેહની પકડ ઢીલી પડે, તેમ સંસાર-સાગરમાં ડૂબેલે જીવ જ્યારે ગબીજને પામે છે, ત્યારે તે ઉપર કંઈક ઉચ્ચદશાએ આવવારૂપ રાહત અનુભવે છે, અને તેની સંસાર સંબંધી આસક્તિ મંદ-શિથિલ–ઢીલી બની જાય છે. (૨) તે ગબીજ ચિત્ત પ્રકૃતિનું પ્રથમ વિપ્રિય દર્શન છે. જ્યારે ગબીજની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનું-માયાજાલનું-સંસારનું પ્રથમ અપ્રિય દર્શન થાય છે, જે સંસાર પહેલાં મીઠો લાગતું હતું, તે જ હવે કડ-ખાર–અકારો લાગવા માંડે છે. જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ડૂખ્યા હોય ત્યાંસુધી આસપાસનું કંઈ પણ ભાન હોય નહિ, પણ ઉન્મજજન થતાં જે ઉપર સપાટી પર આવે કે તરત તેને આસપાસની પ્રકૃતિનું કંઈક દર્શન થવા લાગે; તેમ અહીં પણ આ જીવ જ્યાંસુધી સંસાર સમુદ્રની અંદર ડૂબેલે હોય, ત્યાંસુધી તે તેને વસ્તુસ્થિતિનું કંઈ પણ ભાન નથી હોતું, પણ ગબીજની પ્રાપ્તિ થતાં જે તે સંસારસાગરની સપાટી પર જરા ઊંચે આવે કે તરત તેને પ્રકૃતિનું–વિષમ કર્મવિપાકરૂપ સંસારનું અકારું દર્શન થવા માંડે છે, અને તે દર્શન થતાં, તે તે
Page 113
સંબંધી ઊહાપોહમાં-વિચારમાં પડી જાય છે કે આ બધું ચિત્ર-વિચિત્ર સંસારસ્વરૂપ શું હશે? આમ તેની વિચારદશા જાગ્રત થાય છે. (૩) તે ગબીજ ચિત્ત પછી તે સંસારને સમુચછેદ જાણવા-પામવાના ઉપાયને આશ્રય કરે છે. જે સંસારસમુદ્રનું પાણી મીઠું જાણી તેણે અત્યાર સુધી હસે હોસે પીધું હતું, તે હવે ખારૂં ઝેર જેવું લાગતાં, તે સંસારને ઉછેર કેમ થાય? તેને ઉપાય જાણવા માટે તે પ્રવર્તે છે, અને તેને રેગ્ય એવા તત્વચિંતનમાં પડે છે. “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શન કરવા તે પ્રેરાય છે. જેમકે – “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મહારૂં ખરું? કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મેક્ષમાળા (૪) એટલે પછી તે ગબીજવાળું ચિત્ત રાગ-દ્વેષ–મોહની ગાઢ ગ્રંથિરૂપ પર્વત પ્રત્યે પરમ વજ જેવું બને છે, અને નિયમથી તે ગ્રંથિ પર્વતને ભેદે છે–ચૂરી નાંખે છે. આમ તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે— ક પાઠાંતર–શફયતિશય પાઠ હોય, ત્યાં સંસારના શક્તિઅતિશયની શિથિલતા કરે એમ અર્થ કરો. એટલે સંસારની શક્તિ મેળા પડી જાય, એનું ઝાઝું જોર ન ચાલે. Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ગદષ્ટિસમુચ્ચય મહાદિની વૃમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ, તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ.... દીઠે સુવિધિ જિણંદ સમાધિરસે ભયે હો લાલ.—મુનિવર્ય શ્રી દેવચંદ્રજી “દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર...વિમલ જિન”-ચોગીરાજ આનંદઘનજી આવું નિમલ આત્મદર્શન અત્રે થાય છે. (૫) અને પછી તે ગબીજવાળું ચિત્ત ભવરૂપ ભાવ કારાગૃહને પલાયનની ‘કાલઘંટા બને છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયું, એટલે પછી ભવરૂપ કારાગૃહને-બંદીખાનાને દૂર કરનારી નાશની કાલઘંટા વાગી એમ સમજવું, સંસારનું આવી બન્યું એમ જાણવું, કારણ કે – “તરસ ન આવે તે મરણ જીવન તણો, સીઝે જે દરિશન કાજ; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.” તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ સૂર; જીવ સરેવર અતિશય વધશે, આનંદઘન રસપૂર.”—શ્રી આનંદઘનજી આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે...દયાલરાય !” –શ્રી દેવચંદ્રજી આવા સંશુદ્ધ ગબીજ ચિત્તને અત્રે ચરમાવ7માં પ્રારંભ થાય છે. કારણ કે તેવા પ્રકારની કાળલબ્ધિ વગેરેને પરિપાક થયે હોય છે, તેથી તેના તે સ્વભાવપણાએ કરીને આ સંશુદ્ધ ચિત્ત આદિ ફળ પાકવાની શરૂઆત જેવાં છે. જેમ આમ્રફળ તેને કાળપરિપાક થતાં પાકવા માંડે છે, તેમ મોક્ષરૂપ ફળ અહીં છેલ્લા પુદ્ગલાવર્તામાં પાકવાની શરૂઆત થાય છે. કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિન! જાણો રે, આનંદઘન મત અંબ....પંથડે” –શ્રી આનંદઘનજી આવી કાળલબ્ધિને પાક અત્રે પ્રારંભાઈ ચૂકે છે, એટલે આનંદઘનમતરૂપ આંબાને હવે મોક્ષરૂપ ફલ પાકવાની ઝાઝી વાર નથી. એ કાળલબ્ધિનું ગમે તેમ છે, પણ ભક્તજન તે ભક્તિના આવેશમાં ગાય છે કે – Page #193 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ભાલાચાય આદિની જ ભકિત “કાળલબ્ધિ મુજ મત ગણા, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે.”—શ્રી યશેાવિજયજી ⭑ અને આ જ કેવલ ચાગબીજ નથી, માટે તેનાથી બીજું ખતાવવાને કહે છે— आचार्यादिष्वपि तद्विशुद्ध भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशय विशेषतः ।। २६ । ભાવયોગી આચાર્યજી, આદિ પ્રતિ ય આ શુદ્ધ; શુદ્ધ આશય વિશેષથી, વૈયાવ્રત્ય વિધિશુદ્ધ, ૨૬ (૧૨૭)
Page 114
અર્થ :—અને ભાવયેગી એવા આચાય આદિ પ્રત્યે પણ, વિશુદ્ધ એવું આ જ કુશલચિત્ત આદિ, તે ચેત્રખીજ છે. તેમ જ શુદ્ધ આશયવિશેષથી તેમના પ્રત્યે વિધિયુક્ત વૈયાવૃત્ત્વ ( વૈયાવચ્ચ—સેવા) તે ચાગબીજ છે. વિવેચન ભાવાચારજ સેવના ’”—શ્રી ચાગ॰ ૪૦ સજ્ઝાય. 6 ભાવયેાગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી વગેરે પ્રત્યે પણ જે શુભભાવસ’પન્ન ભક્તિભાવભયુ" વિશુદ્ધ કુશલ ચિત્ત વગેરે હાવુ, તે પણ ચેાગખીજ છે. અહીં ભાવ ' શબ્દ ઉપર ખાસ ભાર મૂકયા છે. ભાવથી—પરમાર્થથી જેના આત્મામાં ચાગ પરિણમ્યા છે, જે સાચા આત્મજ્ઞાની હાઈ સાચા ગુરુ છે, જેનામાં આચાય આદિમાં હાવા ચાગ્ય એવા શાસ્રાપ્ત યથાર્થ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાય, ભાવસાધુ વગેરે જ વંદનના અધિકારી છે,-નહિ કે દ્રવ્યલિંગ ધારણ વૃત્તિ:-આાષાવિ—આચાય આદિ પ્રત્યે પણ, આચાય’–ઉપાધ્યાય- તપસ્વી આદિ પ્રત્યે પશુ; તર્—આ જ, કુશચિત્ત આદિ, વિશુદ્ધ-સશુદ્ધ જે હાય, એમ અથ છે. તે આચાર્યાદિ કેવા વિશિષ્ટ ( ખાસ ગુણુવાળા ) હાય, તેના પ્રત્યે ? તેા કે–માત્રયોશિપુ-ભાવયેાગીએ એવા પ્રત્યે,—નહિ કે અધમ જન્મ લક્ષણવાળા દ્રવ્યઆચાય આદિ પ્રત્યે; કારણ કે ફૂટરૂપમાં અકૂટમુદ્ધિનું પણ ખચિત અસુંદરપણું છે, તેટલા માટે, (કૂડાને " માનવું તે રૂડું નથી તેટલા માટે). આ જ કેવલ યાગખીજ નથી, ત્યારે શુ ?-વૈયાવૃત્ત્વ ૬-અને વૈયાવૃત્ત્વ, વ્યાવ્રુત્ત ભાવ જેનું લક્ષણ છે એવુ' વૈયાવ્રુત્ત્ત (વૈયાવચ્ચ ),–આહાર આદિવડે કરીને, વિધિવત-વિધિ પ્રમાણે, સૂત્રોક્ત વિધિયુક્તપણે-પુરુષ આદિની અપેક્ષાએ, એમ અ છે. કહ્યુ છે કેઃ ભાવાચાય આદિ પ્રત્યે ભકિત "6 " पुरिसं तस्सुवयारं उवयारं चप्पणेो य णाऊणं । લુખ્ખા વેચાર્વાકય ગાળા નિાસંઘે ।”—ઇત્યાદિ. અર્થાત્—' પુરુષને, તેના ઉપકારને, અને પેાતાના આત્માના ઉપકારને જાણીને, આજ્ઞા પાળવા ખાતર, નિરાશંસ ( કાઈ પણ ફળની આશા રહિત) રહી વૈયાવૃત્ત્વ કરે.' એટલા માટે જ કહ્યું —શુદ્ધારાવિશેષતઃશુદ્ધ આશયવિશેષથી, શુદ્ધ ચિત્તપ્રભ ધવિશેષથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) યોગજિસસુચ્ચય કરનારા, વેષધારી-નામધારી એવા દ્રવ્યઆચાય, દ્રવ્યઉપાધ્યાય, દ્રવ્યસાધુ, દ્રવ્યતપસ્વી વગેરે. ભાવાચાય વગેરેની ભક્તિ કરવી એ જ ચેાગબીજ છે, નહિ કે દ્રવ્યાચાય વગેરેની. દ્રવ્યાચાય -દ્રવ્યસાધુ વગેરે તે ખાટા રૂપીઆ જેવા છે, તેને માનવા તે તે ફૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું' નથી. માટે ભાવાચા આદિનું જ માન્યપણું છે. બાહ્યદૃષ્ટિવાળા પ્રાકૃત જના તે બાહ્ય વેષાદિ દેખીને સાધુપણું ક૨ે છે, મુગ્ધ હેાઇ ઉપર ઉપરના દેખાવથી ભેાળવાઈ જાય છે, અને જ્ઞાનરહિત એવા દ્રવ્યલિગીઓને ગુરુ માની બેસી આરાધે છે! ખાટા રૂપીઆને વટાવતા જતાં કોડીની કિ`મત ઉપજતી નથી ! કારણ કે—ભાવ જ x પ્રથમ લિંગ છે, દ્રવ્યલિ’ગ પરમાર્થરૂપ નથી, ગુણ-દાનું કારણ ભાવ છે એમ જિન ભગવાન કહે છે. ભાવની વિશુદ્ધિ નિમિત્તે બાહ્ય ગ્રંથને ત્યાગ કરાય છે, પણ અભ્યંતર એવા રાગદ્વેષાદિ ગ્રંથચુક્તના માહ્ય ત્યાગ નિલ છે. ’ * પણ જે યાગષ્ટિવાળા જોગીજના છે તે તા ભાવિહીન દ્રવ્યલિંગને કંઇ પણ વજૂદ આપતા નથી, તેઓ તે ભાવ-આત્મપરિણામ પ્રત્યે જ દૃષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા ભાવલિ'ગીને જ મહત્ત્વ આપે છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિ ભાવિલ'ગનું' જ આત્મભાવના પ્રગટપણાના માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા નગદ પ્રધાનપણુ રૂપીઆને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખાટી અને છાપ ખાટી, અથવા ધાતુ ખેાટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઇના રૂપી જેવા અનાવટી (Counterfeit ) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તા સર્વથા અમાન્ય-અસ્વીકાય છે; અને ધાતુ સાચી પણ છાપ ખાટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપી જેવા સાચા મૂલ્યવાન્ ભાવવિ’ગી સાધુજનાના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમ જ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે
Page 115
સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટ્યો છે ? તે યાગમાગે કેટલે આગળ વધ્યા છે? તે કેવી યાગદશામાં વતે છે? તેનું ગુણસ્થાન કેવુ છે? તેની અંદરની મુંડ (કષાયમુંડનરૂપ) સુડાઈ છે કે નહિ? તેને આત્મા પરમાર્થ સાધુ ‘મુનિ' બન્યા છે કે નહિઁ ? ઇત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણુનું તેને ખરાખર ભાન છે તે જાણે છે x" भावो हि पढमलिंग ण दव्वलिंगं च जाण परमत्थं । મવેદ જારળમૂ મુળરેમાળ નળ સ્થિતિ ।।” ઇત્યાદિ --શ્રી કુંદકુંદાચાર્ય છકૃત ભાવપ્રાભૂત k तत्र बाला रतो लिंगे वृत्तान्वेषी तु मध्यमः । पंडितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते । गृहत्यागादिकं लिंग बाह्य शुद्धि विना वृथा । न भेषजं बिनारोग्यं वैद्यवेषेण रोगिणः ॥ " --શ્રી ચાવિયત હા દ્વા Page #195 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સદગુરુ ભક્તિનો મહિમા (૧૨૯) કે–જે આત્મજ્ઞાની સમદશી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈચ્છારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચારતા હોય, અને પરમશ્રત એવા જે પુરુષની વાણી કદી પૂવે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, તે જ સાચા સદ્દગુરુ છે. છત્તીત ગુણો ગુરુ મક્સ ” તે જાણે છે કે-જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા–આત્મારામી હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જ્ઞાની સપુરુષના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય, અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર કિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ* છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી બીજા તે “ દ્રવ્યલિંગી વેષધારીઓ છે. આમ તે જાણતા હોઈ, તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમના આદર-ભક્તિ કરે છે. તે નથી જેવા બેસતા કે આણે સફેદ કપડા પહેર્યા છે કે પીળા પીતાંબર છે કે તાંબર? લંગોટી છે કે દિગંબર છે? કારણ કે ધર્મ કાંઈ કપડામાં સંતાઈ ગયે નથી! એટલે તેમાં તે ખાળવા જતા નથી ! તેઓ તે ગમે ત્યાં સાચું ભાવ–સાધુપણું દેખે ત્યાં નમી પડે છે અને આવા ભાવગીને જ મુખ્યપણે આ માર્ગમાં સ્થાન છે. ભાવગીને જ “ભાવ” અહીં પૂછાય છે; દ્રવ્યાચાર્ય આદિનું કંઈ દ્રવ્ય” અહીં ઉપજતું નથી! કારણ કે – “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે....વાસુપૂજ્ય.” સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રેશ્રી શ્રેયાંસ” “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિજિન”—શ્રીઆનંદઘનજી આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યેગ્ય.” “આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું, તે સાચા ગુરુ હોય; બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિં જય.”—શ્રી આત્મસિદ્ધિ “ સંમંતિ પાસ, તેં નોતિ પાસ”—શ્રી આચારાંગ સૂત્ર “કારજ સિદ્ધ ભયે તિનકો જિર્ણ, અંતર મુંડ મુંડાય લિયા રે.”—શ્રી ચિદાનંદજી x“પરમઠ્ઠો વહુ સમજો યુદ્ધો ને ઍવી મુળ જાળી તદ્ધિ દર સાવે મુળ વંતિ નિ વાળું ''શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર * " पणविहसम्मचरणवयववहारायारसमिइसज्झाए। इगसंवेगा अ रओ, छत्तीसगुणा गुरू जयउ ।।" –શ્રી વજુવામીપ્રશિષ્યકૃત ગુરુગુણછત્તીસી, Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) યોગદષ્ટિસમુચ્ચય આમ જેનામાં ભાવ-દીવ પ્રગટયો છે, એવા જાગતી જોત જેવા સાક્ષાત્ ગીસ્વરૂપ ભાવ આચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલ ચિત્ત રાખવું, તેમને ભાવથી નમન વગેરે કરવું, એ ઉત્તમ ગબીજ છે. જેમ જિનભક્તિ ઉત્તમ ગબીજ છે, તેમ સદગુરુ-ભક્તિ સદ્દગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે, એમ મહાત્મા ગ્રંથકારને પરમ ચોબીજ આશય છે. આ સદગુભક્તિનો મહિમા
Page 116
શાસ્ત્રકારોએ અત્યંત અત્યંત ગાય છે, તે એટલે સુધી કે શ્રી સદ્ગુરુને જિન તુલ્ય કહ્યા છે* તિરથવાસનો સૂર સન્ન નો નિગમ મારૂ (શ્રી ગચ્છાચાર પન્ના), ને કેઈ અપેક્ષાએ જિનનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી સદ્ગુરુ છે, એટલે તેને ઉપકાર અધિક છે એમ સમજીને તેથી પણ અધિક કહ્યા છે. પંચપરમેષ્ઠિમાં અરિહંતપદ સિદ્ધ પહેલાં મૂકયું, તે પણ પ્રત્યક્ષ સદ્ગુરુને મહિમા સૂચવે છે, કારણ કે જીવને આત્મકલ્યાણને મુખ્ય ધોરી રાજમાર્ગ એ જ છે, જીવના સ્વચ્છેદ આદિ અનેક મહાદેષ સદ્ગુરુશરણમાં જતાં અલ્પ પ્રયાસે જાય છે, માન આદિ જે આત્માને પરમ વૈરી છે તે પણ તેથી સહેજે ટળે છે; સંતચરણના આશ્રય વિના, અનંત સાધન કરતાં છતાં, જે અનંત ભવભ્રમણ અટકતું નથી, તેને સંતચરણ આશ્રયથી અલ્પ સમયમાં અંત આવે છે. આ જ્ઞાની પુરુષને દઢ નિર્ધાર હોવાથી, તેઓએ સદ્ગુરુભક્તિને પરમ ગબીજ ગયું છે. કારણ કે સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ તે પામે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિં, પક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. સગુરુના ઉપદેશ વિણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ શ્વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વ સલ્લુસલક્ષ સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્દઘુરુ શરણમાં, અ૯પ પ્રયાસે જાય.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ અને આવા મહામહિમ વંત પરમ ઉપકારી ભાવાચાર્ય, ભાવમુનિ વગેરેનું વૈયાવૃજ્ય કરવું, વૈયાવચ્ચ–સેવાશુશ્રષા કરવી, તે પણ ઉત્તમ ગબીજ છે, એમ સહેજે સમજી Page #197 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : વિધિથી પુરુષની સેવા (૧૩૧) શકાય છે. એવી સેવાને સુઅવસર મળવો એ પરમ અહોભાગ્યની વાત છે. વૈિયાવચ્ચ પણ વ્યાવૃત્ત ભાવ એ વૈયાવૃજ્યનું લક્ષણ છે, વ્યાવૃત્તભાવ એટલે જેમાંથી અહત્વ ગબીજ મમત્વ આદિ ભાવે વ્યાવૃત્ત-નિવૃત્ત થયા છે, પાછા હઠી ગયા છે તે. વૈયા વચ્ચ-સેવાધર્મ એવો હોવો જોઈએ કે તેમાં અહંકાર, મમકાર, આશંસા (ફલ–આશા) વગેરે દુષ્ટ ભાવો દૂર થઈ ગયા હોય. અથવા તે “તેઓને વ્યાધિ વગેરે આવી પડેશે, તેને પોતાની શક્તિ પ્રમાણે સમ્યફ પ્રતીકાર કરવો, નિવારણ કરવું, તેનું નામ વયાવૃત્ય-વૈયાવચ્ચ છે. આવું વૈયાવચ્ચ સદ્ગુરુ-સસાધુ આદિ પ્રત્યે આહાર-ઔષધદાન વગેરે વડે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરવા ગ્ય છે. આ વિધિમાં ખાસ કરીને નીચેના મુદ્દા વિવેકપૂર્વક લક્ષમાં રાખવા ગ્ય છે – (૧) એક તે પુરુષ વિશેષ–જે પુરુષ પ્રત્યે વૈયાવચ્ચ કરવાનું છે, તેની વય, શરીરપ્રકૃતિ, અવસ્થા-દશા વગેરે ધ્યાનમાં રાખવા જોઈએ. (૨) બીજું તેને ઉપકાર કેવા પ્રકારે થઈ શકે? કેમ કર્યું હોય તો આ સત્પષ આત્મસાધનમાં નિરાબાધપણે પ્રવર્તી શકે ? ઇત્યાદિ અપેક્ષા પણ લક્ષમાં લેવી જોઈએ. (૩) તે પ્રકારે પરમ નિરપેક્ષ, વિધિ પ્રમાણે દેહાદિમાં પણ સર્વથા નિઃસ્પૃહ-નિરીહ મુનિ આદિ પ્રત્યે ઉપકાર કરતાં એટલે શું ? વાસ્તવિક રીતે હું આ મ્હારા પિતાના આત્માને જ ઉપકાર કરું છું, આ વડે કરીને હારા આત્માને જ આ સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરૂં છું; હું ધન્ય છું કે આજે મને આવા પરમ સુપાત્ર મહાત્મા સત્ પુરુષની સેવા કરવાને પરમ સુઅવસર સાંપડયે -ઈત્યાદિ પ્રકારે પિતાના જ આત્માને ઉપકાર ચિંતવો જોઈએ. (૪) આ જે વૈયાવચ્ચ-સેવા હું કરું છું, તે ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું, એમ ભાવવું જોઈએ. (૫) આ વૈયાવચ્ચ સર્વથા નિરાશંસપણે કોઈ પણ જાતની આ લેકપરલેકની કામના સિવાય, ફલની અભિસંધિ વિના, ફલ તાક્યા વગર, કરવું જોઈએ. હું સેવા કરીશ-તે આ મુનિ આદિ મને કંઈ લબ્ધિ-સિદ્ધિ બતાવી આપશે, મને કઈ તિષ મંત્ર-તંત્ર વગેરે
Page 117
ચમત્કાર દેખાડશે, મને એવો કોઈ રૂડા આશીર્વાદ આપશે કે “જા બચ્ચા! હારું કલ્યાણ થશે, કે જેથી કરીને હું ધન-પુત્ર આદિ એહિક સિદ્ધિ પામીશ, અથવા પરલોકમાં મને આથી કરીને આવું આવું ફલ પ્રાપ્ત થશે -ઈત્યાદિ પ્રકારે આ ભવ–પરભવ સંબંધી આશંસા, દુષ્ટ ખોટી આશા વૈયાવચ્ચમાં–સેવાધર્મમાં ન હોવી ઘટે. અને એટલા માટે જ અહીં કહ્યું કે આમાં ખાસ કરીને શુદ્ધ આશય હે જોઈ રખે, શુદ્ધ ચિત્તવૃત્તિ જ હોવી જોઈએ. આ સદ્ગુરુના સેવા-ભક્તિ અંગે સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે-“એ ગુરુસેવા તે સર્વ ભાગેની જન્મભૂમિ જ છે. કારણ કે શેકવડે ચૂસાયેલા જીવને એ બ્રહ્મસ્વરૂપ * “વાધ્યાપુન તેડપિ તેવાં વિધીય / स्वशक्त्या यत्प्रतीकारे वैयावृत्त्यं तदुच्यते ।।" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્ત્વાર્થસાર, Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ગદક્ટિસમુચ્ચય બનાવે છે. જેવી રીતે પિતાના સમગ્ર જળરાશિને લઈ ગંગા સમુદ્રમાં ગુરુસેવાની મળે છે, કિંવા શ્રુતિ બ્રહ્મપદમાં પ્રવિષ્ટ થાય છે, અથવા પતિવ્રતા સ્ત્રી પ્રશંસા પિતાનું જીવિત અને પોતાના ગુણાવગુણ સર્વ પોતાના પ્રિયતમ પતિને સમપી દે છે, તે જ પ્રમાણે પોતાનું અંતાકરણ આંતર્બાહ્ય, ગુરુકુળમાં અર્પણ કરી દીધું છે, અને પિતાના શરીરને ગુરુકુળના આગારરૂપ બનાવ્યું છે.—ગુરુકુળમાં જેની એવી અનન્ય પ્રીતિ રહેલી તારા જોવામાં આવે, તેની આગળ જ્ઞાન તેની સેવા કરતું ઉભેલું હોય છે. ગુરુકૃપા જ અમૃતની વૃષ્ટિ છે, અને આપણે ગુરુસેવા વૃત્તિરૂપ રેપા છીએ.” ઇત્યાદિ. “આવા પવિત્ર સત્પાત્રની આપણે શોધી શોધી અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-ઔષધ-આવાસ આદિવડે સંભાળ લેવી જોઈએ; તેઓની ભક્તિ-શુશ્રષા કરવી જોઈએ. એવા સુપાત્ર છે, જેઓ કેવળ પોતાના અને પારકા જીના હિતમાં જ પ્રવત્તી રહ્યા છે, અને જેઓ પોતાના દેહની પણ અપેક્ષા નથી રાખતા, તેવા મહાપુરુષોને દાન દઈ તેઓની ભક્તિ કરી, તેઓને યેગ મેળવી, મારી શક્તિઓને લાભ તેઓને આપી અહો ! હું ક્યારે કૃતાર્થ થઈશ? એવી સદ્ભાવના આપણે સદા ભાવવી ઘટે છે. * શ્રી મનસુખભાઈ કીરચંદ્રત દાનધર્મ-પંચાચાર, આમ આ શ્રીમદ્ ગુરુ ભગવાનને અનંત અપાર ઉપકાર જાણ, આ દૃષ્ટિવાળે ગીપુરુષ તેની અનન્યભાવે સેવા-ભક્તિ કરે છે. તે ચિંતવે છે કે આ પરમ કૃપાળુ કરુણસિંધુ સદ્દગુરુ ભગવાને આ હું પામર પર પરમ આશ્ચર્યકારક શું પ્રભુચરણ ઉપકાર કર્યો છે! હું તે ઉપકારને બદલે વાળવા સર્વથા અસમર્થ છું, કને ધરૂં? તે પછી હું આ પ્રભુને ચરણે શું ધરૂં? કારણ કે આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે અને તે આત્મા તે આ પ્રભુએ જ મને આ છે, માટે એમના ચરણાધીનપણે વસ્તુ એ જ એક ઉપાય છે. એમ ચિંતવી તે સદ્ગુરુચરણે આત્મા પણ કરે છે–આત્મનિવેદન કરે છે, આજ્ઞાધીન થઈ રહે છે, દાસાનુદાસ ચરણરેણુ બની જાય છે. “અહો ! અહા ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વત્તા પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુને દીન.”–શ્રી આત્મસિદ્ધિ Page #199 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ સહજ ભવ ઉદ્વેગ (૧૩૩) અને આ શુદ્ધ આશયવિશેષ તથા પ્રકારના કાલભાવથી હોય છે, એટલા માટે લગભગ કહેવાઈ ચૂકેલું બીજાન્તર કહે છે भवोद्वे गश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७ ॥ ભવઉદ્વેગ સહજ અને, દ્રવ્ય અભિગ્રહ તેમ; સિદ્ધાન્ત આશ્રી વિધિવડે, લેખનાદિ પણ એમ. ૨૭ અર્થ – અને સહજ એવો ભવઉદ્વેગ (સંસાર પ્રત્યે વૈરાગ્ય), દ્રવ્ય અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાંતને આશ્રીને વિધિથી લેખન આદિ પણ ગબીજ છે. વિવેચન ભવ ઉદ્વેગ સુઠારે.”—શ્રી ગ૦ દસઝાય ઉપરમાં જે પ્રભુભક્તિ ને સદૂગુરુભક્તિ એ ગબીજ બતાવ્યા, તે ઉપરાંત બીજા પણ
Page 118
ગબીજ છેઃ (૧) સહજ ભવઉદ્વેગ, (૨) દ્રવ્ય અભિગ્રહપાલન, (૩) વિધિથી સિદ્ધાંતના લેખનાદિ. ૧. સહજ ભવ ઉદ્વેગ સંસાર પ્રત્યે ઉદ્વેગ, અત્યંત કંટાળે, અંતરંગ વૈરાગ્ય ઉપજવો એ પણ ઉત્તમ ગબીજ છે. અને આ વૈરાગ્ય પણ સહજ એટલે કે સ્વાભાવિક હોવો જોઈએ, –નહિ કે ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખનાં કારણેથી ઉપજતો દુઃખગર્ભિત વૈરાગ્ય. તે તે એક પ્રકારને દ્વેષ છે. એવા દુઃખગર્ભિત “મસાણીઆ વૈરાગ્યને “વૈરાગ્ય” નામ જ ઘટતું નથી. કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તે આર્તધ્યાનનો પ્રકાર છે, માટે તેવા કંટાળારૂપ વૈરાગ્યને યોગબીજ પણું ઘટતું નથી. પણ જન્મ, જરા, મૃત્યુ, રેગ, શોક વૃત્તિઃ-માધ-સંસાર પ્રત્યે ઉદ્વેગ, કંટાળા, અણગમો-આના (સંસારના) જન્માદિરૂપપણુએ કરીને-હોય છે. સનેસહજ, નહિં કે ઈષ્ટવિયોગ આદિ નિમિત્તવાળે, કારણ કે તેનું તે આર્તધ્યાનરૂપપણું છે, (અષ્ટવિયોગ વગેરે કારણે ઉપજતો વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે ). કહ્યું છે કે-“પ્રત્યુત્પન્નાનુ સુવાન્નિ જોષ દશઃT = વૈરાય” ઈત્યાદિ, “પ્રત્યુત્પન્ન દુ:ખ થકી નિર્વેદ, કંટાળો તે તે ઠેષ છે, વૈરાગ્ય નથી.” સહજ ભઠેગ એ યોગબીજ છે, એમ સંબંધ ચાલ્યો આવે છે. તથા દ્રથામિકgiટનH-દ્રવ્ય અભિગહન પાલન,--ઔષધ વગેરેના સંપ્રદાનને આશ્રીને. વિશિષ્ટ ક્ષયપશમભાવરૂપ ભાવ અભિગ્રહનો અભિન્નગ્રંથિને અસંભવ છે, તેથી દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ છે. આ પણ ગબીજ છે. તથા નિત્તમારિયન્તથા સિદ્ધાન્તરૂપ અર્થને-વિષયને આશ્રીને, –નહિં કે કામ આદિ શાસ્ત્રોને, શું? તો કે-વિધિના-વિધિથી, ન્યાયપાજિત ધનના સતપ્રયોગ આદિ લક્ષણવાળા વિધિવડે કરીને; શું? તે કે-લુના ૨-લેખન આદિ પણ અનામ ગબીજ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) ગદષ્ટિસમુચ્ચય આદિ દુઃખમય સંસારનું સાચું યથાતથ્ય સ્વરૂપ વિચારતાં, જે સહજ-સ્વાભાવિક ભોકૅગ-સંસાર પ્રત્યે અણગમો ઉપજે, ખરે વૈરાગ્ય જજે, તેને જ ગબીજ કહેવા યોગ્ય છે અને તે જ અત્રે પ્રસ્તુત છે કારણ કે આ યોગદષ્ટિવાળા વિવેકીને મન સંસારનું આવું સ્વરૂપ સ્પષ્ટપણે સંવેદાય છે: “જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે કર્યા કમ સહુ અનુભવે એ, કઈ ન રાખણહાર તો.” –શ્રી વિનયવિજ્યજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન પુહીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ...માયાજાલ રે.”શ્રી પદ્યવિજયજી શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઇ ના શકાય; તે ભગવે એક સ્વ આત્મ પિત, એકત્વ એથી નય સુજ્ઞ શેતે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ?” –શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંસાર સ્વરૂપને વેદી રહે તે મહાનુભાવ પિતાના આત્માને સંબોધીને ભાવે છે કે-હે જીવ! તે અનંત જન્મોની અંદર જુદી જુદી જનનીઓનું એટલું ધાવણ પીધું છે કે તે ભેગું કરીએ તે સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! હારૂં વૈરાગ્ય ભાવના મરણ થતાં જુદી જુદી માતાઓની આંખમાંથી એટલું પાણી વછૂટયું છે કે તે એકઠું કરીએ તે સાગરજલ કરતાં પણ વધી જાય! આમ હે જીવ! હારા અનંત જન્મ-મરણ થયા છે. તેમાં તેને પુત્ર ને કેને પિતા? કોની કા ઝર " પતિ થMછીરું મuતનમંતરાષ્ટ્ર કથા अण्णाण्णाण महाजस ! सायरसलिला हु अहिययरं ॥ तुह मरणे दुक्खेण अण्णण्णाणं अणेयजणणीणं । Mાજ જયગીરું સારસસ્ટિઢા દુ અવિચાર શ્રી કુંદકુંદાચાર્યજીકૃત ભાવપ્રાત "कस्यापत्यं पिता कस्य कस्याम्बा कस्य गेहिनी । एक एव भवाम्भोधौ जीवा भ्रमति दुस्तरे ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તત્વાર્થ સાર “भवाब्धिप्रभवा सर्व संबंधा विपदास्पदम् । संभवंति मनुष्याणां तथाऽन्ते सुष्टु नीरसाः ॥ गगननगरकल्पं सङ्गमं वल्लभानाम, जलदपटलतल्यं यौवनं वा धनं वा । स्वजनसुतशरीरादीनि विद्युच्चलानि, क्षणिकमिति समस्त विद्धि संसारवृत्तम् ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજીરચિત શ્રી જ્ઞાનાર્ણવ, "जन्मतालद्रमाजन्तुफलानि प्रच्युतान्यधः। ગાય મૃત્યુમ્મા મન્તરે યુ ચિરંજામ્ | ”—શ્રી આત્માનુશાસન, Page #201 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : વૈરાગ્ય ભાવના, (૧૩૫) માતા
Page 119
ને કેની સ્ત્રી ? આ દુસ્તર સંસાર-સાગરમાં આ જીવ એકલે જ ભમે છે. આ સંસાર સમુદ્રમાં ઉપજતા સર્વ સંબંધે મનુષ્યોને વિપત્તિના સ્થાન થઈ પડે છે ને અંતે અત્યંત નીરસ નિવડે છે, એમ હે જીવ! તું હારા રેજના અનુભવ પરથી નજરે નથી જેતે? આ જગમાં જે પ્રીત-સગાઈ છે તે પણ કેટલી બધી જૂઠી, માયાવી, ને સ્વાર્થ પ્રપંચમય છે, એને કડે અનુભવ શું તને નથી થય? પ્રિયજનોને સંગમ ગગનનગર જેવો છે, યૌવન ને ધન વાદળા જેવા છે, સ્વજન-પુત્ર-શરીર વગેરે વિજળી જેવા ચંચલ છે, આમ આખું સંસારચરિત્ર ક્ષણિક છે, એમ હે જીવ! તું જાણે છે, છતાં આ ત્યારે તુચ્છ વૈભવ ને પરિવાર દેખીને તું મનમાં શાને મલકાય છે? ડાભની અણી પર રહેલા જલબિંદ જેવું આ લ્હારૂં જીવન ક્ષણિક છે. જન્મરૂપ તાડ-વૃક્ષમાંથી ભ્રષ્ટ થયેલાં આ લ્હારા જીવ–ફલને મૃત્યુભૂમિએ પહોંચતાં કેટલે વખત લાગશે? માટે હે મૂઢ જીવ! મેહ મ પામ ! મહ મ પામ! હવે તે આ અનંત ખેદમય સંસારથી વિરામ પામ! વિરામ પામ! " मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा, विभवमनुचिंत्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं, विनय जानीहि जीवितमसारम् ॥ मूढ ॥" શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ. ઈત્યાદિ પ્રકારે ભાવના ભાવતાં તેને સહજ વૈરાગ્યની કુરણ થાય છે, તે ભવથી ખેદ પામે છે–થાકી જાય છે, ને આ જન્મમરણ પરંપરાની જાળમાંથી છૂટવાની તીવ્ર ઇચછા કરે છે– મેક્ષની અભિલાષા કરે છે, ને સાચે મુમુક્ષુ” બને છે. એટલે પછી તે વૈરાગ્યથી મોક્ષને ઉપાય જાણવા માટે ઘણા પ્રયાસથી સાચા સદ્દગુરુની શોધ કરે છે; ચિત્તભૂમિની અને પરમ દુર્લભ એવા તેની પ્રાપ્તિ થયે, તેને પરમ ઉપકાર ગણી મન આદ્રતા વચન-કાયાની એકાગ્રતાથી તેના આજ્ઞાધીનપણે વર્તે છે. એટલે સદ્ગુરુનો બોધ તેવા વૈરાગ્યવાસિત જીવને લાગતાં, તેને સમ્યગુજ્ઞાન આદિ કલ્યાણપરંપરાની પ્રાપ્તિ થાય છે, કારણ કે વૈરાગ્ય-જલથી તેની ચિત્તભૂમિ પચી થઈ હોવાથી તેમાં બોધ ઊગી નીકળે છે. આમ સાચો અંતરંગ વૈરાગ્ય તેને ઉત્તમ ગબીજરૂપ થઈ પડે છે. અને તેવા અંતરંગ વૈરાગ્યનો રંગ જ્યાં લગી ચિત્તમાં ન લાગ્યું હોય, ત્યાં લગી જીવમાં જ્ઞાન પામવાની યેગ્યતા પણ આવતી નથી. જ્યાં લગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાં લગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્ય જલના સિંચનવડે તે ચિત્ત-ભૂમિ આદ્ર થઈ પોચી બને છે, ત્યારે જ તેમાં સમ્યગ્રજ્ઞાન-બીજને પ્રક્ષેપ થઈ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઈએ ( આ વિવેચકના પૂ. પિતાશ્રી) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ જ્યાંસુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિને મલિન વાસનારૂપ મળ સાફ થયો નથી, ત્યાંસુધી જીવને સિદ્ધાંત બોધરૂપ-રસાયણરૂપ પૌષ્ટિક ઔષધ ગુણ ન કરે, નિષ્ફળ જાય, Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) યોગદષ્ટિસમુચ્ચય અથવા ચિત્તચંચળતારૂપ વિકાર ઉપજાવે જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાંસુધી તત્ત્વજ્ઞાનરૂપ સિદ્ધાંત બોધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે છે તે કરે નહિં, વ્યર્થ જાય.” ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુત શ્રી આત્મસિદ્ધિ એટલા માટે આ સહજ ભવ ઉદ્વેગને-સાચા અંતરંગ વૈરાગ્યને પણ ઉત્તમ ગબીજ કહ્યું તે યથાર્થ છે. અને આમ અત્યાર સુધી જે બીજ કહ્યા તે આ પ્રમાણે– “ગના બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે....વીર”–શ્રી ગ૦ સજઝાય ૨-૮ ૨. દ્રવ્ય અભિગ્રહ પાલન તથા દ્રવ્ય અભિગ્રહનું પાલન–સેવન એ
Page 120
પણ ઉત્તમ યોગબીજ છે. નિર્દોષ આહાર, ઔષધ, શાસ્ત્ર, ઉપકરણ આદિનું મુનિ વગેરે સત્પાત્રને સંપ્રદાન કરવું, સમ્યફપ્રકારે વિધિ પ્રમાણે દાન કરવું, ઈત્યાદિ દ્રવ્ય અભિગ્રહ છે, શુભ સંકલ્પ છે. ભાવ સુપાત્ર-ક્ષેત્રે અભિગ્રહ તે ગ્રંથિભેદ થયા પછી વિશિષ્ટ ક્ષપશમવંતને હોય છે, અને આ દાન-બીજ દષ્ટિવાળાને હજુ ગ્રંથિભેદ થયે નથી, એટલે તેને ભાવ અભિગ્રહ સંભવતે નથી, તેથી અહીં દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ કર્યું છે. આત્મધ્યાનમાં નિમગ્ન, દેહમાં પણ કિચિંતુ મૂછ નહિ ધરાવનારા, અને સંયમના હેતુથી જ દેહયાત્રામાત્ર નિર્દોષ વૃત્તિ ધરાવનારા, એવા એકાંત આત્માર્થને જ સાધનારા સાચા સાધુ મુનિવરને, યથાશક્તિ વિધિપૂર્વક યોગ્ય દાન વગેરે દેવું, તેને અત્યંત મહિમા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યો છે. જેમ પૃથ્વીમાં પડેલું નાનું સરખું વડનું બીજ કાળે કરીને, છાયાથી શોભતું ને ઘણું ફળથી મીઠું એવું મોટું ઝાડ બની જાય છે, તેમ સુપાત્ર પુરુષને યેગ્યકાળે ભક્તિથી આપેલું અલ્પ દાનરૂપ બીજ પણ કાળે કરીને. મેટા વૈભવરૂપ છાયાથી શોભતા તથા ઘણુ ફળથી મીઠા એવા મહા મોક્ષમાર્ગરૂપ વૃક્ષમાં પરિણમી મક્ષ ફલ આપે છે. x “ क्षितिगतमिव बटबीजं पात्रगतं दानमल्पमपि काले । फलति च्छायाविभव बहुफलमिष्टं शरीरभृताम् ।।" –શ્રી સમંતભદ્રાચાર્યજીત રત્નકરંડશ્રાવકાચાર Page #203 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ: સાર્વજનિક દાનાદિ (૧૩૭) જેમ સારા ક્ષેત્રમાં વાવેલું એક બીજ ઊગી નીકળી અસંખ્ય ફળ આપી, અનંતા બીજ પેદા કરી, તે તે બીજેમાં પાછી અનંતા બીજ પેદા કરવાની, એમ પરંપરાએ અનંતાનંત ફળની યેગ્યતા આપે છે, તેમ સુપાત્રને આપેલું દાન અનંત કલ્યાણનું કારણ થાય છે. એક સુપાત્ર મહર્ષિને ખાનપાનનું ભક્તિપૂર્વક દાન દીધું હોય, તો તે સુપાત્રના દેહને યથેચ્છ નિર્વાહ થાય છે, અને તે સુપાત્ર પછી જીવોને કલ્યાણમય ઉપદેશ આપી બીજા અનેક સુપાત્રો બનાવે છે, જે પાછા પ્રત્યેક અનેક અનેક કરી, ઘણું અને સુપાત્ર થવાનાં કારણિક થાય છે. આમ એક સુપાત્રને દાન આપવાથી પરંપરાએ અનેક સુપાત્રો નીપજે છેજે જીવોનાં અમેઘ કલ્યાણનાં કારણરૂપ જ છે.” –શ્રી મનસુખભાઈ કીરતચંદ્ર મહેતાકૃત દાનધર્મ–પંચાચાર એક રીતે જોઈએ તે મોક્ષમાર્ગનું પ્રવર્તન દાનથી જ થાય છે. કારણ કે મોક્ષમાર્ગ સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ છે, તેને ધારણ કરનારા મહામુનીશ્વરે છે, અને દેહવડે કરીને તેઓ તે ધર્મમાર્ગને આરાધે છે. દેહ પણ આહાર હોય તે ટકે છે, માટે નિર્દોષ આહારપાન-ઔષધ-શાસ્ત્ર આદિનું દાન જે સત્પાત્ર મુનિ આદિને કરે છે, તે મોક્ષમાર્ગને ધારી રાખે છે—ટકાવે છે, એમ પદ્મનદિપંચવિંશતિકામાં દાન અધિકારે મહાનિર્ચથ મુનીશ્વર પદ્મનંદિજીએ કહ્યું છે. અને આવું સત્પાત્ર પ્રત્યે દેવામાં આવતું દાનાદિ આત્મામાં તેવા પ્રકારની યોગ્યતાનું રોપણ કરે છે, તેથી તેને યોગબીજ કહ્યું છે. સુપાત્ર દાનના પ્રભાવે ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે, એના પુષ્કળ દષ્ટાંતે શાસ્ત્રમાં મળી આવે છે. જેમ કે શ્રી શ્રેયાંસકુમાર, શ્રી શાલિભદ્રજી મહામુનિ આદિ. અથવા તે સાર્વજનિક ઉપગને માટે દાનાદિ કર્મ કરવું, તેને પણ અત્ર સમાવેશ થાય છે. દીન-દુઃખી જનતા માટે વિવેકપૂર્વક પિતાના દ્રવ્યને યથાશક્તિ વ્યય કરવો, દાન - દેવું, નિર્દોષ ઔષધ આદિને પ્રબંધ કરવો, દેશ-કાલને અનુસરી દવાખાના સાર્વજનિક -ઇસ્પિતાલ વગેરે કરાવવા, આહાર-પાણીની જોગવાઈ કરી આપવી, દાનદાનાદિ શાલા ઉઘાડવી; તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે અથવા કુદરતી કેપ થાય ત્યારે, સંકટ સમયે પિતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખચીને જનતાની–દરિદ્રનારાયણની જેટલી બને તેટલી સેવા કરવી; આ બધું ય પ્રશસ્ત હોઈ પરંપરાએ ગબીજનું કારણ થાય છે. કારણ કે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ કર્મને લીધે પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તેથી કરીને લોકોને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ ઘણા જીવોના ઉપકારથી અનુકંપાનું નિમિત્ત બને છે, તેથી અત્રે મુખ્ય એવો શુભાશયરૂપ હેતુ હોય છે. * અને આ દાનનું ધર્મગપણું
Page 121
ફુટ કરવાને ભગવાને પોતે પણ 'पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः॥ बहूनामुपकारेण नानुकंपानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्या हेतुः शुभाशयः ॥" શ્રી યશોવિજયજીકૃત દ્વાo દ્વા Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) યોગષ્ટિસમુચ્ચય પ્રવ્રજ્યા પૂર્વે સ'વત્સર દાન દીધું હતુ.. અરે! દીક્ષા લીધા પછી પણ તે પરમકૃપાળુ મહાવીર દેવે અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવ વસ્ત્ર આપી દીધુ હતુ! × ૩. વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ સિદ્ધાન્ત, સદાગમ, સત્શાસ્ત્રરૂપ વિષયને આશ્રીને લેખન આદિ કરવા, કરાવવા તે પણ ઉત્તમ ચાગબીજ છે; પણુ કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે અસત્શાસ્ત્રને આશ્રીને લખવું-લખાવવુ વગેરે તે યાગમીજ નથી, એટલા માટે સિદ્ધાન્તને આશ્રી’ એમ કહ્યું. ‘અસત્શાસ્ત્ર તા મનને વ્યામેાહ પમાડી એકદમ મેહસાગરમાં ફેકી દે છે, ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને સૂચ્છિત કરે છે; એવા અસશાસ્ત્રનું આત્માથીને શું પ્રયેાજન ? જગત્પ્ન્ય એવું સત્શાસ્ત્ર વિદ્યમાન સતે કર્યા સુબુદ્ધિ પુરુષ કુશાસ્ત્રાથી પેાતાના આત્માની વિડંબના કરે ?' એમ શુભચદ્રાચાય જીએ શ્રી જ્ઞાનાવમાં કહ્યું છે. એટલા માટે અત્રે તે અસત્શાસ્ત્રને નિષેધ કર્યાં. આત્માથી તેા સત્શાસ્ત્રના જ લેખનાવિડે તેના ભક્તિ–મહુમાન કરે. આ સિદ્ધાન્તના લેખનાદિ પણ વિધિથી હાવા જોઈ એ. વિધિથી એટલે ન્યાયેાપાર્જિત -ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનનેા જ આવા સત્કામાં સદુપયાગ થવો જોઇએ. લેાકેાને લૂટીને, ચૂસીને, છેતરીને, કાળા બજાર કરીને, અનેક પ્રકારના ફૂટવટાવ–અપ્રમાણિકતા આચરીને કમાયેલા ધનને આવા સત્કાર્યોંમાં સ્થાન જ નથી. કોઈ એમ જાણતા હાય કે હું અનેક પ્રકારે છળપ્રપ’ચ કરી હમણાં તા પૈસા ભેગા કરૂં, અને પછી આવા ધર્માંકામાં વાપરીશ, તે તે બ્રાંતિમાં જ રમે છે, મૂર્ખના સ્વર્ગમાં જ ( Fool's Paradise) વસે છે! કારણ કે ન્યાયેાપાર્જિત ધન એ તે સન્માર્ગને અનુસરનાર માર્ગાનુસારીનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયુ છે, પ્રથમ ભૂમિકા છે, કક્કાના પહેલા અક્ષર છે. એ જ અત્રે વિધિ કહ્યો છે. અને તે ધનના પણ વિવેકપૂર્વક સત્પ્રયાગ–ઉત્તમ સદુપયોગ થવા જોઇએ. જે જે પ્રકારે તે સિદ્ધાંત–શાસ્રનું બહુમાન, ભકિત, ગૌરવ, માહાત્મ્ય વધે, જે જે પ્રકારે આત્મામાં તેમજ જગમાં તેની પ્રભાવના થાય, તે તે પ્રકારે તે તે સથેાને અનુરૂપ-છાજે એવા બાહ્યઅભ્યંતર સર્વાંગસુંદર સાધના, લેખનાદિમાં યાજવાના વિવેક વાપરવા જોઈએ;-એ વિધિ છે. આ અંગે શ્રી મનસુખભાઇએ બહુ મનનીય શબ્દો કહ્યા છે:— વિધિથી એટલે * " धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव वतं ग्रहन् ददौ संवत्सरं वसु ॥ " શ્રી દ્વા દ્વા " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकंपा विशेषतः ॥ " શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક. Page #205 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદ્રષ્ટિ : વિધિથી સિદ્ધાંત લેખનાદિ (૧૩૯) આપણા પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકથાદિ જવાહીર સાચવવા આપણે શેાભીતા કબાટ, પેટી, પટારા કે તિજોરી વસાવીએ છીએ, તા ચિ'તામણિરત્ન સમાન શબ્દો જેમાં રહેલા છે, તે ગ્રંથ અને જાળવી રાખવા કેવા સુન્દર કાગળ, છાપ, પુંઠા, ખાઇડીંગ આદિ સાધન જોઈએ ? બહુ સુંદર, શેાભનીક, ટકાઉ, મનહર, ગ્રંથનુ ગૌરવ જાળવે-વધારે એવાં, જ્ઞાનના બહુમાન-ભક્તિભાવસૂચક-આવાં કાગળ, છાપ, પુંઠાં આદિ જોઇએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી એધ પામે તે પહેલાં આ મહારના દેખાવથી જ એધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથાની ખરામ કાગળ, ખરાબ શાહી– છાપ, નમાલાં પુંડાં એ વગેરેથી પિરણામે ઠેર ઠેર આશાતના થતી દેખાય છે. x x x સુવણુ અક્ષરે હજારા ખલ્કે લાખા રૂપિઆ ખચી' સૂત્રની એક પ્રત પૂર્વના કાઈ ભાગ્યશાળી પુરુષે (સંગ્રામ સેાનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાન–મહુમાન.” —શ્રી શાંતસુધારસ પ્રસ્તાવના. 66 આમ સિદ્ધાંત-શાસ્ત્રનું ગૌરવ-બહુમાન-ભક્તિ વધે, પ્રભાવના થાય, એવી સુંદર વિધિથી સિદ્ધાંત લખાવવા વગેરે
Page 122
પણ ઉત્તમ યેાગખીજ છે. ‘દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને ૨; આહર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦” શ્રી ચાગ॰ સજ્ઝાય, -૯ * આદિ' શબ્દના અર્થ કહે છે— लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥ २८ ॥ ॥ લેખન પૂજન દાન ને, શ્રુતિ વાંચન ઉદ્ગાહ; પ્રકાશના સ્વાધ્યાય ને, ચિંતન ભાવન ચાહ, ૨૮ અર્થ:—લેખના, પૂજના, દાન, શ્રવણ, વાંચન, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના અને ભાવના–એમ લેખનાદેિથી સમજવુ, વિવેચન સિદ્ધાન્તને આશ્રીને, પરમ શ્રુતજ્ઞાનના વિષયમાં, શું શું કર્યું... હાય ? તા યાગમીજ ગણાય, તે અહીં ફ્રુટ કર્યુ” છે :— વૃત્તિ :– ઢેલના-લેખના, સપુસ્તકામાં લખાવવું તે; ધૂનન-પુષ્પવસ્ત્રાદિથી પૂજન કરવું' તે પૂજના. વાર્ત્ત-દાન-પુસ્તક આદિનું. વળ–શ્રવણુ-વ્યાખ્યાનનું; વાચના વાચના, સ્વયમેવ વાંચવું તે; આના ઉદ્ધઃઉદ્ભહ, વિધિયો ગ્રહણ. આની જ પ્રહારાના-પ્રકાશના, ગ્રહણ કરેલા સિદ્ધાંતાનું ભવ્યે સમક્ષ પ્રકાશવું તે. અથ સ્વાધ્યાય-અને-સ્વાધ્યાય, વાચના આદિ, આની જ ચિન્તના-ચિંતના ગ્રંથના અથથી; આની જમાત્રને તે ૨-ભાવના, આ જ સિદ્ધાંત સંબંધી ભાવના, આ યોગમીજ છે, એમ સબંધ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ગદષ્ટિ સમુચિય લેખના–સત્ પુસ્તકોમાં, સુંદર ગ્રંથમાં તે સશા લખાવવા. તે તે સિદ્ધાંતને છાજે એવા અનુરૂપ કાગળ, શાહી, છાપ, પૂંઠાં વગેરે, શાસ્ત્રનું ગૌરવ દીપાવે એવા બાહ્ય આકર્ષણરૂપ ગુણેથી, તેમજ અક્ષર, વર્ણ, શબ્દ, અર્થ આદિની શુદ્ધિ-સુસંકલના વગેરે આત્યંત ગુણોથી યુક્ત, એવા સર્વાંગસુન્દર સદગ્રંથમાં સશાનું લખવું–લખાવવું તે લેખના. અને આ યોગદૃષ્ટિ પામેલો મુમુક્ષુજન તે સતશ્રુતનો પરમ ઉપકાર ગણી જેમ બને તેમ તેની પ્રભાવને કરવા ઇચ્છે છે, એટલે તે લેખનાદિમાં યથાશકિત પ્રવર્તે છે. કારણ કે તે સારી પેઠે સમજે છે કે–પાપ વ્યાધિનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્યનું નિબંધન શાસ્ત્ર છે, સર્વત્ર ગમન કરનારું ચક્ષુ શાસ્ત્ર છે, સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.” "पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबन्धनम् । ચક્ષુ સર્વત્ર શાä શાä સર્વાચસાધનમ્ | શ્રી યોગબિન્દુ, ૨૫૫ પૂજના–પુછપ, વસ્ત્ર, ધૂપ, દીપ આદિવડે સશાસ્ત્રની–પરમશ્રતની પૂજા કરવી તે પૂજના. આ બાહ્ય પૂજના અંતરંગ બહુમાન-ભક્તિની સૂચક છે, કારણ કે મુમુક્ષુ જોગી જનના મનમાં એવો ભાવ ઉપજે છે કે-આ સત્પુરુષના વચનામૃતને માટે હું મહારૂં સર્વસ્વ ઓવારી નાંખ્યું તે પણ ઓછું છે, આ સતુ પુરુષના વચનામૃત હારા હૃદયમાં અખંડ જ્ઞાનદીપક પ્રગટાવે ! આમ નિર્મલ અંતઃકરણથી સશાસ્ત્રના ગુણગ્રામ કરવા તે પણ પૂજાને પ્રકાર છે. જેમકે— અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મિક્ષચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર ! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રીમોક્ષમાળા. દાન–અન્ય આત્માથી મુમુક્ષુને અથવા સત્પાત્ર નિગ્રંથ મુનીશ્વર આદિને સશાસ્ત્ર આપવું તે દાન. સત્શાસ્ત્રને નિઃસ્વાર્થ પણે પ્રચાર કરે, પરમશ્રુતની એકાંત આત્મકલ્યાણાર્થે પ્રભાવના કરવી, તે આમાં સમાય છે. આમ જ્ઞાનનું તે દાન કરવાનું છે, તે પછી જ્ઞાન વેચીને દ્રવ્ય ઉપાર્જન કરવાની અધમ વૃત્તિની વાત તે ક્યાંય દૂર રહી ! વાંચના–સતુશાસ્ત્રનું પોતે વાંચન કરવું તે આ પણ આશાતના ટાળી, વિનયવિવેકપૂર્વક, દ્રવ્ય-ભાવ શુદ્ધિ જાળવી થવું જોઈએ. સદ્ગુરુના વિરહે સક્શાસ્ત્રને અભ્યાસ સુપાત્ર મુમુક્ષુ જીવને પરમ આલંબનભૂત થાય છે. કારણ કે તે પુરુષનાં વચને આગમસ્વરૂપ છે, તો પણ વારંવાર પિતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમને વેગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ Page #207 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ-સિદ્ધાન્ત લેખન-પૂજનાદિ (૧૪) તારશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી,
Page 123
અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગકૃત–વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫) ઉદૂગ્રહ-વિધિપૂર્વક શાસ્ત્રસિદ્ધાંતનું ઉદ્ગહણ. આમાં ઉપધાન ક્રિયાને સમાવેશ થાય છે. તે તે શાસ્ત્રના અધિકારી થવા માટે, આત્મશુદ્ધિ અથે કરવામાં આવતી તે જ્ઞાનપૂર્વકની શુદ્ધ કિયા છે. તેમાં સિદ્ધાન્તના બહુમાનપૂર્વક જ્ઞાનારાધનને પરમ ઉદાર હેતુ રહે છે. પણ જે માત્ર બાહ્ય આડંબર ને ક્રિયાજડપણામાં જ તેની પર્યાપ્તતા માનવામાં આવતી હોય, તે તેને મૂળ ઈષ્ટ ઉદ્દેશ વિસરાઈ જાય છે, ને “સાપ ગયા ને લીસોટા રહ્યા” તેના જેવું થાય છે! “ધામધૂમે ધમાધમ ચલી, મોક્ષમારગ રહ્યો દૂર રે” (શ્રી યશોવિજયજી)-તેના જેવી કરુણ સ્થિતિ થઈ પડે છે! પ્રકાશના પિતાને જે સિદ્ધાન્તને બોધ થયો હોય, તે બીજા સુપાત્ર જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથી જીવ પાસે પ્રકાશવો, કહી દેખાડવો–પ્રગટ કરવો તે. કેઈ જીવને ક્ષયપશમ પ્રબળ હોય, સમજણ સારી હોય, તે નિરભિમાનપણે ઊંચેથી સ્વાધ્યાય કરતો હોય એવી રીતે તે તેના અર્થનું વિવેચનાદિરૂપે પ્રકાશન કરે, તે વક્તા શ્રોતા બન્નેને લાભકર્તા થાય છે, સ્વ–પરને ઉપકારી થાય છે. * શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે થાય જ છે; આ ગ્રંથના અર્થનું પ્રકાશન એ જ એને પરમાર્થલાભનું કારણ છે. સ્વાધ્યાય—એટલે સઝાય તેના વાચના આદિ આ ચાર પ્રકાર છે – (૧) વાંચના–એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મન જાણનાર ગુરુ કે સપુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ, તેનું નામ વાંચના આલંબન. (૨) પૃચ્છના–અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતને માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારવા માટે, તેમ જ અન્યના તત્રની મધ્યસ્થ પરીક્ષા માટે, યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્તાનાપૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સમરણમાં રહેવા માટે, નિજેરાને અર્થ, શુદ્ધ ઉપગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સઝાય કરીએ, તેનું નામ પરાવર્તનાલંબન. (૪) ધર્મકથા-વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને, નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, પિતાની નિર્જરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ, કે જેથી સાંભળનાર, સહનાર બને ભગવંતની આજ્ઞાના આરાધક થાય, એ ધર્મકથાલંબન કહીએ.” –શ્રી મોક્ષમાળા, પાઠ ૭૫ * “મવત્તિ ધર્મ હોતુ: ચૈાત્તતા હિતશ્રવાર તૃત્રતાડનુઘવુદ્રયા વતુરાત્તતમવત્તિ ! ”—શ્રી ઉમાસ્વાતિ મહારાજ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) ગદષ્ટિ સમુચ્ચય ચિંતના–જે સિદ્ધાંત વાંચ્યા હોય, શ્રવણ કર્યા હોય, ગ્રહણ કર્યા હોય, તેનું તત્વચિંતન કરવું, સૂક્ષ્મ વિચારણા કરવી, ઊહાપોહ કર, હેપાદેય વિવેક વિચાર તે ચિંતના. ભાવના–તે ને તે સિદ્ધાંતનું પુનઃ પુનઃ ભાવન કરવું, રટણ કરવું, ફરી ફરી ફેરવવું, ધૂન લગાવવી, કે જેથી કરીને તેના સંસ્કારની દઢ છાપ આત્મામાં પડે, તેને દઢ ભાવઅવિહડ રંગ આત્મામાં લાગી જાય. ભાવના એટલે પુટ. જેમ સુવર્ણને સાવ ચેકબું કરવું હોય તે સંપુટમાં, કુલડીમાં મૂકી, ફરી ફરી તપાવવારૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સુંઠ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિંબુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવારૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે; xx x તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે, વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે.” શ્રી મનસુખભાઈ કીરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન, આમ ભાવના એ આત્મશુદ્ધિને ઉત્તમ પ્રયોગ છે. તે એટલે સુધી કે તેથી કે તેથી સંપૂર્ણ આત્મસિદ્ધિ સાંપડે છે, આત્મભાવના ભાવતાં જીવ કેવલજ્ઞાન પામે છે. તે માટે પરમ અદ્દભુત મંત્રરૂપ સૂત્રવચન છે – આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.” આમ સિદ્ધાંતના લેખન, વાંચનાદિ પણ ઉત્તમ ગબીજ છે. લેખન પૂજન આપવું, શ્રત
Page 124
વાચના ઉદગ્રાહે રે, ધ્યાન વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો... રે વીર” –શ્રી ગસક્ઝાય, ૧-૧૦ તથા— बीजश्रुतौ च संवेगात्प्रतिपत्तिः स्थिराशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ॥ २९ ॥ બીજ શ્રવણે સંવેગથી, સ્થિરઆશય શ્રદ્ધાન; ઉપાદેય તસ ભાવ જે, શુદ્ધ મહોદયવાન. ૨૯ વૃત્તિ –વીજ્ઞકૃતી અને બીજશ્રુતિ થતાં, યક્ત એગબીજ સંબંધી શ્રવણ થતાં, સંવેTસંવેગથકી, શ્રદ્ધાવિશેષને લીધે, પ્રતિપત્તિ :-“આ એમ છે” એવા રૂપે પ્રતિપત્તિ-માન્યતા, સ્થિરાણાવા-સ્થિર આયવાળી-તથા પ્રકારના ચિત્તપ્રબંધન વિસ્ત્રોતસિકાના (ઉલટા વહેણના) અભાવથી કરીને, તારેયમારઅને તેને ઉપાદેય ભાવ-એ બીજશ્રુતિને ઉપાદેયતા ભાવ, (આ બીજશ્રુતિ ગ્રહણ કરવા ચગ્ય–આદરવા યોગ્ય છે એવો ભાવ), mરિશુદ્ધ:-પરિશુદ્ધ-ફલ ઔસુકથના-ફલની ઉત્સુકતાના અભાવથી, માત્રા :-તે જ મહા ઉદયવાળા હોય છે; આનુષંગિક એવા અભ્યદયથકી-નિઃશ્રેયસૂના (મેક્ષના) સાધનને લીધે. Page #209 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : બીજથા પ્રીત-શુદ્ધ શ્રદ્ધા (૧૪૩) અર્થ અને ગબીજનું શ્રવણ થતાં, સંવેગથકી સ્થિર આશયવાળી પ્રતિપત્તિ માન્યતા; અને તેને પરિશુદ્ધ એવો મહોદયવાળ ઉપાદેયભાવ --(આ પણ ગબીજ છે.) વિવેચન “બીજકથા ભલી સાંભળી, રોમાંચિત હોય દેહ રે; એહ અવંચક યુગથી, લહિએ ધરમ સનેહ રે...વીર”–શ્રી દવ ૧૧ ઉપરમાં જે ગબીજ કહ્યા, તે ગબીજનું શ્રવણ થતાં, તે યોગ વિષયની કથા વાર્તા સાંભળતાં સંવેગથી–પરમ ભાલાસથી “આ એમ જ છે એવી જે માન્યતા થવી, પ્રતિપત્તિ થવી, તે પણ ગબીજ છે. તે કથા સાંભળતાં એવો સંગ-ભાવાવેશરૂપ બીજકથાને પ્રેમ શ્રદ્ધાવિશેષ ઉપજે, એ પ્રેમ ફુરે કે-“આ મેં જે શ્રવણ કર્યું તે શુદ્ધ શ્રદ્ધા એમ જ છે, તત્તિ છે,’ એવા સહજ ઉદ્દગાર નીકળી પડે. આવી પ્રતિપત્તિ, માન્યતા, સહણ, અંતરાત્માથી સ્વીકાર થે, તે પણ ગબીજ છે. અને આ પ્રતિપત્તિ-શ્રદ્ધા પણ સ્થિર આશયવાળી હોય. કારણ કે આ યોગદષ્ટિમાં વર્તનારા મુમુક્ષુના ચિત્તની સ્થિતિ એવી હોય છે કે તેમાં વિસ્રોતસિકાને એટલે કે ઉપર કહ્યું તેથી ઊલટા પ્રવાહને અભાવ-અસંભવ હોય છે, તેને ચિત્તનું વહેણ એકધારૂં પ્રસ્તુત માન્યતા ભણું સ્થિરપણે વહ્યા કરે છે; તેથી ઊલટું– ધું વહેણ થતું નથી. અને એટલા માટે જ આ મુમુક્ષુ જોગીજન,જ્યારે ક્યાંય પણ પ્રભુભક્તિની, ગુરુભક્તિની કે મૃતભક્તિની વાર્તા ચાલતી હોય, ત્યારે તે પ્રેમમય ભક્તિરસમાં નિમગ્ન થાય છે, પરમ ભાલ્લાસમાં આવી જાય છે, તેના શરીરમાં રોમાંચ ઉલ્લસે છે–રૂંવાડા ખડા થાય છે, અને સંવેગમાં–અત્યંત આવેશમાં આવી જઈને તે બોલી ઊઠે છે–આ જે કહેવામાં આવે છે તે બધું ય એમ જ છે. પ્રભુભક્તિ આદિને ખરેખર ! એ જ અતુલ અચિંત્ય પ્રભાવ છે. અને આમ તે સાચા અંત:કરણથી માને છે, શ્રદ્ધે છે. આવી અંતરંગ શ્રદ્ધાસહણું અત્યંત આવશ્યક છે. કારણ કે તેવી શ્રદ્ધા વિનાનું ગબીજનું સેવન શું ફળ આપે? શુદ્ધ શ્રદ્ધા વિનાની જે કંઈ ક્રિયા કરવામાં આવે છે તે તે “છાર પણ લિપણું” જેવું છે, “એકડા વિનાના મીડા” જેવું છે. ગીરાજ આનંદઘનજીએ ગર્જના કરી છે કે દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરે, છાર પર લિંપણે તે જાણધાર તરવારની.” ગ્રંથકાર મહર્ષિ તે હજુ એક ડગલું આગળ વધીને કહે છે કે બીજશ્રુતિમાં શ્રદ્ધાની વાત તે દૂર રહી, પણ તેના પ્રત્યે ઉપાદેય ભાવ --આ ગ્રહણ કરવા યોગ્ય છે એવો Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ગદષ્ટિસમુચ્ચય આદરભાવ ઉપજે, એ પણ ચગબીજ છે, એ પણ મોટી વાત છે. ઉપાદેય ભાવ એટલે કે યોગબીજનું શ્રવણ કરવા યોગ્ય છે, ગબીજની કથા-વાર્તા પણ યોગબીજ સાંભળવા ગ્ય છે, એવી પણ આદરબુદ્ધિ ઉપજવી તે પણ પ્રશસ્ત છે. જિનભક્તિની કથા કે સદગુરુ-સતુશાસ્ત્રને મહિમા સાંભળવા પ્રત્યે આદરભાવ પ્રગટે, તે પણ યોગબીજ છે, કારણ કે સંવેગરંગથી જ્યારે આવો ઉપાદેયભાવ ઉપજે છે, ત્યારે ભાવથી અત્રે
Page 125
સાચી ઇચ્છા ઉત્પન્ન થાય છે, એટલે પછી તે પિતાની શક્તિનો દઢ વિચાર કરીને તેના ગ્રહણમાં પ્રવર્તે છે.* આ ઉપાદેયભાવ પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ હવે જોઈએ. એટલે કે આ લેક-પરલેક સંબંધી કોઈ પણ પ્રકારના ફલની ઉત્સુકતા વિનાનો, ઉતાવળે ફળપ્રાપ્તિની આકાંક્ષા-ઇચ્છા વિનાનો, નિષ્કામ હોવો જોઈએ. કારણ કે સર્વ કાર્યમાં ધીરજની પ્રથમ જરૂર છે. “ઉતાવળે આંબા પાતા નથી.અને આવા નિરુત્સુક નિષ્કામ શુદ્ધ ઉપાદેયભાવનું ફલ પણ મહદયરૂપ અવશ્ય હોય છે, મોટા અભ્યદયનું કારણ હોય છે. કારણ કે તે મોક્ષના સાધનરૂપ છે, એટલે આનુષંગિકપણે-સાથે સાથે પુણ્યોપાર્જનના ફળરૂપે ઉત્તમ દેવાદિ ગતિરૂપ અભ્યદયની પ્રાપ્તિ પણ થાય, એ કાંઈ મોટી નવાઈની વાત નથી. જેમ જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ ઇંદ્રપણું-ચક્રવત્તિ પણું એ વગેરે પુ રા , મોક્ષસાધનના આનુષગિક ફળરૂપે સાંપડે છે. આમ આ ગબીજના શ્રવણ પ્રત્યેને ઉપાદેયભાવ પણ છેવટે પરમ કલ્યાણકારી થાય છે, તે પછી શ્રી સત્પુરુષની, સદ્ગુરુની ને તેમણે બેધેલા સન્માર્ગની ભકિત તે કેટલી બધી કલ્યાણકારી થાય? ગુણ અનંત હે પ્રભુ ! ગુણ અનંતને વંદ, નાથ હો પ્રભુ ! નાથ અનંતને આદરે છે; દેવચંદ્ર હો પ્રભુ ! દેવચંદ્રને આનંદ, પરમ હે પ્રભુ ! પરમ મહદય તે વરે છે.” “નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મનમેહના રે લાલ૦ કરજે જિનપતિ ભક્તિ રે ભવિબેહના રે લાલ. દેવચંદ્ર પદ પામશે રે....મન. પરમ મહોદય યુક્તિ રે ભવિ” શ્રી દેવચંદ્રજી આમ આ મિત્રાદષ્ટિમાં આટલા ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થાય છેઃ (૧) જિને પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, સંશુદ્ધ પ્રણમાદિ. (૨) ભાવગી એવા ભાવાચાર્ય-ભાવસાધુ આદિ પ્રત્યે કુશલચિત્તાદિ. (૩) ભાવાચાર્ય–ભાવસાધુ આદિની વૈયાવચ્ચ-સેવા. (૪) સહજ એવો ભવઉદ્વેગ-અંતરંગ વૈરાગ્ય, (૫) દ્રવ્ય અભિગ્રહ પાલન. () સિદ્ધાન્તના લેખનાદિલેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતન, ભાવના. () બીજકથાનું શ્રવણુપ્રતિ સ્થિર માન્યપણું. (૪) તેને શુદ્ધ ઉપાદેયભાવ. આમાનું એકેક ગબીજ પણ પરમ ઉત્તમ છે, તે પછી તે સમસ્ત સાથે મળ્યા * “વહેતાં જ્ઞાવા લંકાતે છેડત્ર આવતઃ | ૐ મિત્રો ને સંત્રવર્તતે ” –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત ધર્મબિન્દુ. Page #211 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : બહુ ભાવમલ ક્ષીણતા (૧૪૫) હાય તા પૂછ્યું જ શુ? અત્રે ભક્તિ ઉપર શાસ્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂકયો છે, કારણ કે પ્રાર'ભકને-શરૂઆત કરનારને મા સન્મુખ કરવાને એ જ શ્રેષ્ઠ ઉપાય છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ, ને શ્રુતભક્તિ એ ચેાગમાગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદેશ સ્થાને હાઈ, જીવને ઇષ્ટ લક્ષ્યનુ નિરંતર ભાન કરાવે છે. સદ્ગુરુ, સન્માના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂર્ત્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેાઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાખલ આપે છે. અને તેમના વિરહે અથવા તેમની આજ્ઞાએ સત્શાસ્ત્ર પણ પરમ આલંબનરૂપ બની પરમ ઉપકારી થાય છે. ભક્તિના મહિમા એમ આ ચેગમીજનું ઉપાદાન-ગ્રહણ જેવા પ્રકારે ઉપજે છે, તેવા પ્રકારે કહી ખતાવવા માટે કહે છે:— एतद्भावमले क्षीणे प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो महत्कार्यं न यत्क्वचित् । ३० ॥ ભાવમલ મહુ ક્ષીણ થયે, નરને આ ઉપજ'ત; કાર્યં મહત્ ન કરે કદી, અવ્યક્ત ચેતનવત, ૩૦ અઃ— —આ ચાગબીજ ગ્રહણ, ઘણેા ઘણા ભાવમલ ક્ષીણ થઈ ગયે, મનુષ્યને ઉપજે છે, કારણ કે અવ્યક્ત ચેતનવાળા હાય, તે કદી પણ મહત્ કા કરે નહિ. વિવેચન ક્ષીણતા ઉપરમાં જે ચાગબીજ-શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ વગેરે કહી દેખાડવા, તેનુ' ગ્રહણ કથારે થાય, તે અહી. અતાવ્યું છે:-જ્યારે આત્માને ભાવમલ, અંદરના મેલ ઘણા ઘણેા ક્ષીણ થયેા હાય, ધેાવાઇ ગયા હૈાય ત્યારે આ ચેાગખીજનું ગ્રહણુચિત્ત બહુ ભાવમલ ભૂમિમાં રાપણ થાય છે, નહિ કે થાડા ક્ષીણ થયેા હેાય ત્યારે. તે તે પુદ્ગલકમ વગેરે સાથે
Page 126
સંબધની યાગ્યતા તે સહજ એવા ‘ ભામલ‘ કહેવાય છે. જીવની આ કાઁસ બધ–ચેાગ્યતા અનાદિ ને સ્વાભાવિક જ છે, અને વૃત્તિ:-તર્—આ, હમણાં જ કહ્યું તે ચેાગબીજનું ગ્રહણ, માયમઢે-તે તે પુદ્ગલાદિના સંબંધની ચેાઞતારૂપ લક્ષણવાળા ભાવમલ, શ્રીને-ક્ષીણ થયે; તે થાડા નહિં પરંતુ, પ્રમૂર્ત-પુષ્કળ, ધણા પુદ્ગલપરાવત્ત'ના આક્ષેપક એવા. નાયતે-ઉપજે છે, પ્રાદુર્ભાવ-પ્રગટપણુ પામે છે, રૃળામ-નરેને, પુરુષાને, પ્રાયે એએ અધિકારી છે, એટલા માટે નરનું ગ્રહણ છે, નહિ તે। આ ચારે ગતિમાં હોય છે. ધણા ભાવમલ ક્ષીણ થયે, —નહિ કે અલ્પ, એટલા માટે કહ્યુ જાયવ્ય ચૈતન્ય:-ચૈતન્ય અવ્યક્ત છે એવા હિતાહિત વિવેકશૂન્ય ખાલ કરે, ન-નહિ, મત્ ારું-મહત્ કાય, અર્થાનુષ્ઠાન આદ્દિ માટુ' કામ, ચત્ વિત કારણ કે કવચિત્ ; પરંતુ વ્યક્ત ચૈતન્મવાળા જ કરે છે,-કે જ્યારે આના (ઘણા ભાવમલના ) ક્ષય અભિમત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) યોગદુષ્ટિ સમુચ્ચય તે આત્મસ્વભાવનું મલન–સ્થંભન કરે છે, એટલા માટે તે “માલ” કહેવાય છે. તેમાં પણ ઘણું પુદ્ગલપરાવત્ત કરાવે એટલે ભાવમલ દૂર થયો હોય ત્યારે જ આ ગબીજની પ્રાપ્તિ થાય છે. આ આ આત્મમલિનતારૂપ ભાવમલ જ્યારે ઘણે ઘણે ક્ષીણ થઈ ગયો હાય, ને ચિત્તભૂમિ ચોકખી થઈ હોય, ત્યારે જ પ્રાયે મનુષ્યોને આ ગબીજ સાંપડે છે. અહીં મનુષ્યને એમ કહ્યું, તેનું કારણ-ઘણું કરીને તેઓ જ આના મુખ્ય અધિકારી હોય છે, –એ છે. બાકી તે ચારે ગતિમાં આ ભાવમલની ક્ષીણતા સંભવે છે. એટલે ચારે ગતિમાં ગબીજનું ગ્રહણ હોઈ શકે છે. અને આમ આત્માનો અંદરને મેલ ઘણો ઘણે સાફ થઈ ગયે, ચિત્ત-ભૂમિમાં ગબીજનું વાવેતર થાય છે, એટલા માટે જ અહીં કહ્યું કે-“અવ્યક્ત ચૈતન્ય મહતું કાર્ય કરે નહિં; અર્થાત્ જેનું ચૈતન્ય હજુ અવ્યક્ત છે–પ્રગટ્યું નથી, એ બાલ જીવ ક્યારેય પણ આ ગબીજ ગ્રહણ કરવા જેવું મોટું કાર્ય કરવા સમર્થ થાય નહિં. કારણ કે જેનામાં હજુ ચૈતન્યની સ્પષ્ટ કુરણું–જાગ્રતિ થઈ નથી, જેનામાં હિત-અહિતના વિવેકનું ભાન આવ્યું નથી, જેને આત્મા હજુ ગાઢ મોહનિદ્રામાં પડ્યો છે, જેને આત્મા જાગ્યે નથી,-એ બાલ અજ્ઞાની જીવ ક્યારેય મેટું કામ કેમ કરી શકે ? આહાર-નિદ્રાજ્ય-મૈથુન આદિ સંજ્ઞાને પરવશ તે બિચારે પિતામાંથી જ પરવારતે ન હોય, તે બીજું શું કરી શકે ? તે આ પ્રકારે. નિગદમાં તેમ જ એકે દ્રિયમાં જીવ અત્યંત મૂચ્છિત અવસ્થામાં હોય છે. બેઈદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય એ વિલ અવસ્થામાં પણ ચૈતન્યની અવ્યક્ત દશા હોય છે. અસલી પંચંદ્રિયમાં પણ તે જ સંમૂરિષ્ઠમ જેવી સ્થિતિ હોય છે. સંજ્ઞી પંચેંજિનદર્શનાદિ ક્રિયમાં જલચર, સ્થલચર, ને ખેચર વગેરે તિર્યંચ પર્યાને વિષે પણ ગબીજની હિતાહિતનું ભાન પ્રાયે હોતું નથી, પામર ગમારપણું હોય છે. દેવમાં દુર્લભતા સુખવિલાસનિમગ્નતા-સુખમાં ગરકાવપણું હોય છે. અને નરકમાં દુઃખ નિવાસનિમગ્નતા-દુ:ખમાં ડૂબવાપણું હોય છે, એટલે એ આડે બીજું કાંઈ સૂઝતું નથી, તેમજ ધર્મ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તો પણ ત્યાં મળવા દુર્લભ છે. મનુષ્યમાં પણ અનાર્ય જાતિને વિષે તેની પ્રાપ્તિ અસંભવિત છે. આર્યજાતિમાં પણ ઊંચું ધર્મસંસ્કારસંપન્ન કુલ પામવું દુર્લભ છે. તે મળે તે પણ સત્ય ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. શ્રવણ થાય તે પણ તે પ્રત્યે શ્રદ્ધા ચુંટવી ઘણી ઘણી દુર્લભ છે. શ્રદ્ધા ચોંટે તે પણ તે પ્રમાણે સંયમમાં વીર્યની ફુરણ થવી પરમ દુર્લભ છે. આમ ઉત્તરોત્તર દુર્લભતા છે. તેમાં ઘણે ભાવમલ ક્ષીણ થયે હેય, પરમ પુણ્યદય પ્રગટ્યો હોય, ત્યારે જ આ ઉત્તમ યોગ सहजं तु मलं विद्यात्कर्मसंबन्धयोग्यताम् । आत्मनोऽनादिमत्त्वेऽपि नायमेनां विना यतः ॥ तस्मादवश्यमेष्टव्या स्वाभाविक्येव योग्यता । तस्यानादिमती सा च मलनानं मल उच्यते ॥" શ્રી ગબિન્દુ, બ્લેક ૧૬૪–૧૭૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદૃષ્ટિ : જિનદશનાદિ
Page 127
યાગમીજની દુર્લભતા (૧૪૭ ) ખીજની પ્રાપ્તિ સ’ભવે છે; ત્યારે જ પરમ દુર્લભ એવુ' જન ભગવાનનું દર્શન સાંપડે છે; ત્યારે જ સદ્ગુરુના યેગ વગેરે સામગ્રી મળે છે. આમ સત્ર જિનદન—જિનભક્તિ આદિ યાગખીજની પરમ દુ॰ભતા છે, એટલા માટે જ જાગતી જ્યાત જેવા શ્રીમાન્ આનદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન્ યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્રજી આદિ પરમ સંતા–પરમ ભક્ત યાગિરાજો પરમ ભક્તિ ઉલ્લાસથી ગાઈ ગયા છે કે “સુહુમ નિગેાદ ન દેખિયેા....સખી ! દેખણ દે! ખાદર અતિહિ વિશેષ...સખી૰ પુઢવી આ ન પેખિયા....સખી તે વા ન લેશ....સખી વનસપતિ અતિ ઘણુ હા....સખી॰ દીઠો નહિ. ય દીદાર....સખી બિતિ ચરૂરિદી જલ લિહા....સખી સુર તિરિ નિરય નિવાસમાં....સખી અપજતા પ્રતિભાસમાં....સખી॰ એમ અનેક થલ જાણિયે....સખી આગમથી મતિ આણિયે....સખી॰ ગતિ સન્નિ પણ ધાર....સખી મનુજ અનારજ સાથે....સખી૰ ચતુર ન ચઢિયા હાથ....સખી॰ દરિસણ વિષ્ણુ જિન દેવ....સખી૰ કીજે નિમલ સેવ....સખી.”—શ્રી આન'દઘનજી ....Y[ ૦ જગતારક પ્રભુ વિનવુ', વિનતડી અવધાર રે; તુજ દરસણ વિષ્ણુ હુ` ભમ્યા, કાળ અન`ત અપાર રે....જગ૦ આયર ભમ્યા પ્રભુ નવિ મલ્યા, મિથ્યા અવિરતિ જોડી પરપરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભાગે આસકત રે....જગ.”—શ્રી દેવચંદ્રજી જિનપે' ભાવ વિના કબૂ, છૂટત નહિં દુઃખભાવ’’ “જખ જાગેગે આતમા, તમ લાગેંગે રંગ.”—શ્રીમદ્ રાજચદ્રજી દીઠી હા પ્રભુ દીઠી જગદ્ગુરુ તુજ, મૂરતિ હે। પ્રભુ મૂરતિ મેાહનવેલડી જી; કલિયુગે હે પ્રભુ કલિયુગે દુલહો તુજ, દરશણુ હે પ્રભુ દરિશણ લહ્યું આશા લીજી. —શ્રી યશેાવિજયજી મનુષ્ય જન્મની મહત્વતા— આમ સત્ર જિનન-ભક્તિ આદિ ઉત્તમ ચાગબીજની છતાં, તેની પ્રાપ્તિનેા સભવ મુખ્ય કરીને મનુષ્ય ગતિમાં હોય છે. પુરુષાએ મનુષ્ય જન્મને સ શ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે— અત્યંત દુલ ભતા હાવા એટલા માટે જ જ્ઞાની એ માક્ષ બીજા કાઇ દેહથી મળતેા નથી. દેવ, તિય ચ, કે નરક એ એ ગતિથી મેક્ષ નથી, માત્ર માનવદેહુથી મોક્ષ છે. X X કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ" સર્વિવેકના ઉદય થતા નથી, અને મેાક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતા નથી, એથી આપણને Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) ગદરિસમુચ્ચય મળેલે આ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે એ અવશ્યનું છે. કેટલાક મૂર્ણો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં આ માનવદેહ વૃથા ગુમાવે છે; અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. આ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.” “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો, તેયે અરે ! ભવચક્રને આંટો નહિં એકકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહે ?” -શ્રીમદ રાજચંદ્રજી પ્રણત શ્રી મોક્ષમાળા અને આમ પરમ દુર્લભ ને પરમ અમૂલ્ય એવા મનુષ્ય જન્મમાં જ પ્રાયે ગબીજરૂપ સન્માર્ગની પ્રાપ્તિને સુઅવસર સાંપડે છે, એમ જાણી મુમુક્ષુ જીવે પ્રભુભક્તિ-સતગુરુસેવા આદિ સાધનોની પરમ ભક્તિથી ઉપાસના કરી, જેમ બને તેમ ઉતાવળે આ માનવદેહની સાર્થકતા કરી લેવી,-એવો ધ્વનિરૂપ આડકતરો સાર બોધ અત્રે મહાત્મા શાસ્ત્રકારે આપે છે. તે ઉપદર્શાવતાં કહે છે. चरमे पुद्गलावः क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥३१॥ ચરમ પુલાવર્ત માં, ક્ષય તો એને હેય; કારણ જીવોનું તિહાં, લક્ષણ આવું જોય-૩૧ અર્થ :–અને છેલ્લા પુદગલાવમાં આ ભાવમલને આ ક્ષય ઉપજે છે; કારણ કે તેમાં વર્તતા જીવોનું લક્ષણ આ (નીચે કહેવામાં આવતું ) કહ્યું છે – જે કહ્યું છે, તે બતાવવા માટે કહે છે दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ વૃત્તિઃ-૨ પુનરાવ–ચરમ પુદ્ગલાવમાં, યક્ત લક્ષણવાળા છેલ્લા પુદ્ગલાવત્તમાં, ક્ષયગ્રાહ્યોTTER-આ ભાવમલનો ક્ષય ઉપજે છે. વીવાનાં ક્ષણે તત્ર-ત્યાં છેલ્લા પુલાવર્તામાં જીવનું લક્ષણ, ચત પુતતુલાતમુ-કારણ
Page 128
કે આ (કહેવામાં આવે છે તે ) કહ્યું છે. વૃત્તિઃ-ફુલ્લિતેપુ—શરીરઆદિ દુ:ખથી દુઃખીઆઓ પ્રત્યે, યાચન્ત–અત્યંતપણે દયા, સાનુશયપણું, અનુકંપાભાવ; અષા–અષ, અમત્સર. કાના પ્રત્યે ? તે કે મુળવરનું જ-વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એવા ગુણવંતે પ્રત્યે. શૌનિત્યાન્સેવન વૈવ-તેમ જ ઔચિત્યથી સેવન, શાસ્ત્ર અનુસારે ઉચિતપણુએ કરીને સેવન; સત્ર-સર્વત્ર જ, દીન વગેરે પ્રત્યે, અવિશેષતઃ અવિશેષથી, સામાન્યથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : દુઃખી પ્રતિ દયા અતિ (૧૪૯) દુઃખિઆ પ્રતિ દયા અતિ, ગુણવત પ્રતિ અષ; ઉચિતપણે સેવન વળી, સર્વત્ર જ અવિશેષ ૩૨ અર્થ –દુખીઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવતે પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઔચિત્ય પ્રમાણે સેવન, આ છેલ્લા પગલાવર્તાનું લક્ષણ છે. વિવેચન છેલ્લા પુદ્ગલાવત્તમાં-યુગલફેરામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છેઃ-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન ને પ્રત્યે અદ્વેષ, (૩) અને સર્વત્ર ઔચિત્યથી સેવન. તે આ પ્રમાણે – ૧. દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા રોગ વગેરે શારીરિક દુઃખથી, તેમ જ દરિદ્રતા-દૌર્ભાગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુઃખથી આધિ-વ્યાધિ-ઉપાધિથી જે બિચારા દુઃખીઆ હોય, પરિતાપ પામી આકુલ–ગ્રાકુલ થતા હોય, તેઓ પ્રત્યે અત્યંત દયા-અનુકંપા કરવી, તે અત્રે પ્રથમ લક્ષણ છે. એટલે કે તે તે દુ:ખથી તે જીવને જે કંપ-આત્મપ્રદેશપરિસ્પદ થતું હોય, તે તેને અનુસરતે કંપ પોતાના આત્માને વિષે થાય, તેનું નામ “અનુકંપા છે. તે દુઃખ જાણે પિતાનું જ હોય એવી ભાવના ઉપજે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં બીજા ભાગમાં પણ અનુકંપ ઊઠે છે, તેમ બીજાના દુઃખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. અને પિતાનું દુઃખ દૂર કરવાને જેમ પોતે સદા તત્પર હોય, તેમ પરદુ:ખભંજન કરવાને સદા તત્પર હેવું તે જ ખરી અનુકંપા અથવા દયા છે. કારણ કે પરદુઃખ છેદવાની જે ઇચ્છા તેનું નામ જ કરુણ-દયા છે. “પર:દુખ છેદન ઈચ્છા કરુણું.” શ્રી આનંદઘનજી વૈષ્ણવ જન તે તેને કહીએ, પીડ પરાઈ જાણે રે.”– શ્રી નરસિંહ મહેતા આવી ઉત્તમ દયા જે પાળવા ઇચ્છતા હોય, તે પર જીવને દુઃખ કેમ આપી શકે ? પીડા કેમ ઉપજાવી શકે? સૂક્ષમમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઈ છે નહિં, તે નાનામોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે તો ક્યારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે. એટલું જ નહિં પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આ દયા ધર્મવૃક્ષનું મૂળ છે, સર્વ સિદ્ધાન્તનો સાર છે, સર્વ દર્શનને સંમત છે, સર્વ વ્રતમાં પ્રથમ છે, સર્વ સુખસંપદાની જનની છે, સર્વ પ્રાણીનું હિત કરનારી છે. એના જે બીજે એકે ધર્મ નથી. “અહિંસા પરમો ધર્મ”- અહિંસા પરમ ધર્મ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ગદષ્ટિસમુચ્ચય સત્ય, શીલ, દાન વગેરે પણ દયાની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે, દયા વિના એ બધા અપ્રમાણ છે. મહાત્મા સપુરુષે કહી ગયા છે કે – ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું નેહે તને, જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન, અભયદાન સાથે સંતેષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યા પ્રમાણ; દયા નહિં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિં દેખ.”—શ્રી મોક્ષમાળા “જિસકે હિરદે હય ભૂતદયા, વાને સાધન એર કિયે ન કિયે -મહાત્મા કબીરજી તુલસી દયા ન છડિએ, જબ લગ ઘટમેં પ્રાન.” શ્રી તુલસીદાસજી ૨. ગુણવંત પ્રત્યે અષ ગુણવાનું જન પ્રત્યે અષ-અમત્સર હોવો, ઈર્ષ્યા રહિતપણું હોવું, તે આ છેલ્લા પુદ્ગલાવનું બીજું લક્ષણ છે. ગુણને દ્વેષ તે
Page 129
મત્સર કહેવાય છે, તે અહીં ન હોય. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી જે કોઈ પણ પોતાના કરતાં અધિક-ચઢીયાત દેખાય, તે તેના પ્રત્યે અદેખાઈ ન કરે; પરંતુ તે તે ગુણ જોઈ ઊલટો મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમોદભાવ ધરે કે- ધન્ય છે આને ! આનામાં વિદ્યા-વિનય-વિવેકને કેવો વિકાસ છે! આ કેવો જ્ઞાનવાનું , કેવો ચારિત્રવાન છે!’ આમ પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પિતાના હૃદયમાં સદાય વિકાસ પામે, પ્રફુલ થાય, સાચો સગુણાનુરાગી બને, તો સમજવું કે આ છેલા પુદ્ગલાવર્ણનું ચિહ્ન છે. " परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं, નિગદ વિલંત: ખંતિ હતઃ ચિત્તઃ | ”—શ્રી ભતૃહરિ “ગુણ પ્રમાદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ.”—-શ્રીમદ્ રાજચંદ્રજી પરગુણ દેખી પ્રમોદ પામવો, ખુશી થવું, રાજી થવું એ જ સજજનનું લક્ષણ છે. સજજન તે પ્રમોદભાવથી કેવી ભાવના કરે છે, તેનું સુંદર શબ્દચિત્ર* અત્રે આપ્યું છે.– x"जिह्वे प्रवीभव त्वं सुकृतिसुचरिताच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकोतिनुतिरसिकतया मेऽद्य को सुकौ । वोक्ष्या न्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, સંસારિમઝારે શનિતિ મરતાં નમનો મુચવ I” –શ્રી શાંતસુધારસ, Page #217 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ગુણીને અદ્વેષ, ઔચિત્યથી સર્વની સેવા (૧૫૧) “હે છભ! તું પુણ્યશાળી જીવોનાં સુચરિત્રો ઉચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા! બીજાની કીર્તાિ સાંભળવાનો રસ પામી મારા બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ ! અહો ! બીજાની ઉત્તમ લક્ષમી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચને ઠરે, દ્રવો, એમાંથી હર્ષાશ્રુ આવો ! હે જીભ! હે કાન ! હે ચક્ષુ ! અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે.” -શ્રી મનસુખભાઈ કરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન. “ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ સેવી છે, જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવેગે છે નિજ સાધકપણે, સેવો ઈશ્વર દેવ.”–શ્રી દેવચંદ્રજી મૈત્રી ભૂતમાં, ગુણીમાં પ્રમોદ, દુઃખી જીવોમાં કરુણા પ્રયોગ, માધ્યચ્ય વૃત્તિ વિપરીત પ્રત્યે, હે દેવ ! ધારા મુજ આત્મ નિત્યે.” -શ્રી અમિતગતિ આચાર્ય કૃત * સામાયિક પાઠ (ડે. ભગવાનદાસ અનુવાદિત) ૩. ઔચિત્યથી સર્વત્ર અવિશેષપણે સેવન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઔચિત્યથી, ઉચિતપણાથી, જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. “ઉચિતપણાને અનુસરવાથી અસંતૃપ્રવૃત્તિ દૂર થાય છે, ને સપ્રવૃત્તિમાં પ્રવર્તન થાય છે, તેથી કરીને ચોક્કસ કર્મક્ષય થાય છે.”X માટે જ આત્માથી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે, તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે, તે તે સમજે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”—શ્રી આત્મસિદ્ધિ અને તેમાં પણ અવિશેષથી-કઈ પણ જાતના ભેદભાવ વિના, સામાન્યપણે દીન-દુઃખી વગેરે સર્વ કોઈની પણ યથારોગ્ય સેવા કરવી, એ ઉચિત સેવા છે. અત્રે ઉચિતપણું, યથાયેગ્યપણું આમ સમજવું: મુનિ–સાચા સાધુગુણથી યુક્ત એવા સત્ પાત્ર પુરુષ પ્રત્યે જે સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુઃખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપા ભાવનું પ્રધાનપણું ઉચિત છે. * આ દીન-દુઃખી (મૂળ શ્લેક) * “સરવેy મૈત્રી કુળિg ઘઉં, દિપુ નીવેષ કૃપાપાä माध्यस्थ्यवृत्ति विपरीतवृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥" x "अस्यौचित्यानुसारित्वात्प्रवृत्ति सती भवेत् । - સંતવૃત્તિ નિયમાત્રઃ ચતઃ ”—શ્રી યોગબિન્દુ, * " अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु सङ्गता । - અન્યથાથીરતુ રાણામતિવા સક્ષમ ”—શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨) યોગદૃષ્ટિસમુચ્ચય વગેરે ગમે તે હાય, ગમે તે મતસંપ્રદાયના હાય, ગમે તે જાતિના હાય, તે પણ અભેદભાવે સાચી અનુકંપાથી સેવા કરવા ચાગ્ય છે.
Page 130
આ અનુકપા દાનને જિનેશ્વર ભગવાને કદી પણ નિષેધ નથી કર્યા. દીન, દુ:ખી, રાગી આદિની સેવા-શુશ્રૂષાર્થે દાનશાલા, ઔષધાલય, ઇસ્પિતાલ વગેરેને પ્રમ'ધ કરવા, તે ઘણા જીવોને ઉપકારી થઈ પડી, અનુકંપાનેા હેતુ છે, શુભ આશયનું કારણ છે. પુષ્ટ આલમનને આશ્રી આવી દાનાદિ સેવાથી પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તે કલ્યાણનું કારણ થઈ પડે છે. આ દાનાદ્વિ કાર્ય માં પણ ઉચિતપણું જાળવવાની બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે ખરાખર જોઈ વિચારીને જેમ ઘટે તેમ કરવા ચગ્ય છે. દાન આપવુ તે પશુ-લે રાંકા ! લેતા જા !” એવા તુચ્છ ભાવથી, અથવા ‘ ઉપર હાથ રાખવા’ના ભાવથી દાનાદિમાં આપવું,—એ ઉચિત નથી, પણ અનુચિત છે. યથા ચેાગ્ય પાત્રને ચાગ્ય ઉચિતપણુ દાન ચાગ્ય રીતે આદરથી આપણુ, તે પાત્રને પોતાનુ દીન-લાચારપણું ન લાગે–ન વેઢાય, એશીઆળાપણુ' ન લાગે, એમ ‘જમણા હાથ આપે ને ડાબા હાથ ન જાણે’ એવી રીતે માપવુ, તે ઉચિતપણુ છે. ઇસ્પિતાલ-ઔષધાલય વગેરેમાં દીન-દુ:ખી દરદીએ પ્રત્યે અનાદર બતાવવામાં આવે, ‘આ તે મતી છે' એમ જાણી તેની ખરાખર કાળજી ન લેવામાં આવે, એ ઔચિત્ય નથી. પણ ગરીબ દરદીએ પ્રત્યે તે ખાસ હમદી બતાવી, તેની એર વિશેષ કાળજી લેવી, નિ:સ્વાર્થ સેવા બજાવવી, એ ખરૂં ચિતપણુ છે. આવું ઉચિતપણું જાળવવુ' એ દાતા સગૃહસ્થની ફરજ છે, અને તે જળવાશે તા જ સાચા સેવાધમ મજાવી શકાશે. તેમાં પણ ચેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં ચેાગ્યકાળે કરેલી થેાડી દાનાદિ સેવા પણુ, જેટલી લાભકારી થાય છે, જેટલી ઉગી નીકળે છે, તેટલી અકાળે કરેલી ઘણી સેવા પણ થતી નથી. વરસાદમાં એક દાણાની પણ અનેક ગણી વૃદ્ધિ થાય છે, વરસાદ વગર કરોડો દાણા નકામા જાય છે. X માટે સેવાધર્માંમાં પણ યેાગ્ય અવસર જાળવવો, એ ઉચિત છે. આ બધા સ્થૂળ દૃષ્ટાંત છે. આમ સત્ર યથાયેાગ્યપણે જેમ ઘટે તેમ સેવાધમ આદરવા, યથાશક્તિ જનતાની સેવા કરવી, એ પણ ચરમાવત્ત તુ' ચિહ્ન છે. - ટ્વીન કહ્યા વિણુ દાનથી, દાતાની વાધે મામ; “ જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હુવો તિણે શ્યામ....ચંદ્રપ્રભ.” શ્રી યશાવિજયજી આમ અત્રે ત્રણ મુખ્ય લક્ષણ કહ્યા,-દુઃખીઆની દયા, ગુણી પ્રત્યે અદ્વેષ, સવની અભેદ્યપણે ઉચિત સેવા. આ લક્ષણ જેનામાં વત્તે” છે, તે ચરમ આવત્તમાં વર્તે છે, તેને " कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्यपि । વૃૌ વૃદ્ધિ: જળસ્યાવિળયેટિવુંથાયથા ।। :”—શ્રી યશાવિજયકૃત દ્વા॰ દ્વા " धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । બચોવિયોગેન મયંચવાનું વ્યા ।। ′′—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક, Page #219 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ જ્ઞાનીને આશય, પુરુષાર્થ પ્રેરણા (૧૫૩) ભવચક્રનો છેલે આંટે છે, એમ જાણવું. આ બાહ્ય ચિહ્નો પરથી ભવસાર બોધ ચક્રને છેલ્લો ફેરે બાકી છે, એવું અનુમાન થઈ શકે છે. બાકી વિશેષ તે અતીંદ્રિય એવા યોગીજ્ઞાનને ગમ્ય છે. માટે ચરમાવર્તામાં આવવું હોય, ભવને છેલે ફેરે કરવો હોય, ને ગબીજની વાવણી કરવી હોય, તે આ લક્ષણોગુણ આત્મામાં પરિણમાવવા જોઈએ: દુઃખીની અત્યંત દયાથી હૃદયને કમળ-આ કરવું જોઈએ, ગુણ–અષથી ચિત્તભૂમિ ચેખી કરવી જોઈએ, ને સર્વ જીવની યાચિત સેવા કરી વિશ્વવત્સલ બનવું જોઈએ. એમ આ ઉપરથી મહાત્મા શાસ્ત્રકારે બોધ આપ્યો. અને આ ઉપરથી એટલું પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે કે-કાળસ્થિતિ પાકશે, ભવપરિણતિ પરિપાક થશે, ભવની મુદત પૂરી થશે, ત્યારે આપણે માર્ગ પામશું, માટે આપણે તે તેની રાહ જોયા કરશું,-એવું ખોટું આલંબન પકડી આળસુ–પ્રમાદી થવા લાગ્યા નથી. પાદપ્રસારિકા અવલંબવા યોગ્ય નથી, હાથ જોડી બેસી રહી પુરુષાર્થહીન થવા યોગ્ય નથી, જ્ઞાની પુરુષોએ કાળલબ્ધિપરિપાક વગેરે કહ્યા છે, તેને ઊલટો અનર્થકારી અર્થ કરવા ગ્ય નથી. જ્ઞાની પુરુષને ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા
Page 131
પ્રેરે જ નહિં; પુરુષાર્થની જાગ્રતિ જ પ્રેરે. માટે જ્ઞાનીને આશય સમજવો જોઈએ. આપણી પોતાની તથાભવ્યતા કેવી છે, તે આપણે જાણતા નથી. પણ તે ભવ્યતાને પરિપાક કરવાને પુરુષાર્થ તે આપણા હાથમાં છે. એટલે કે આપણી ભવ્યતા–ોગ્યતા - કેમ જલદી પકાવવી તેને પ્રયાસ આપણે કરી શકીએ એમ છીએ. પુરુષાર્થ પ્રેરણું આપણું પાત્રતા–ગ્યતા વધારીએ, એટલે એની મુદત એની મેળે પાકશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે–અગમાં પાકવાની યેગ્યતા છે, પણ તે ચૂલે ચડાવીએ તો પાકે, એની મેળે કોઈ કાળે પાકે નહિ. તેમ ભવ્ય એવા આત્મામાં પણ ભવ્યતા-વ્યગ્રતા આણવાનો પ્રયાસ ન કરીએ, તે એની મેળે રેગ્યતા આવે નહિં. એટલા માટે જે પરમાર્થની ઇચ્છા હોય, તે કાળસ્થિતિ જેમ પાકે, ભવપરિણતિ પરિપાક થાય, આત્મામાં યોગ્યતા-પાત્રતા જેમ આવે તેવા ઉપાય લેવાને સત્ય પુરુષાર્થ કરવો જોઈએ, અને તેવા ઉપાયમાં પ્રાથમિકમાં પ્રાથમિક જે ઉપાયદયા વગેરે અહીં સ્પષ્ટ બતાવ્યા છે, તેનો આશ્રય કરી આત્માર્થ સાધવો જોઈએ; શુદ્ધ નિમિત્તકારણના પ્રબળ અવલંબનથી ઉપાદાન પ્રગટાવવું જોઈએ કે જેથી કરીને ભવપરિણતિ છેલ્લા પુદ્ગલાવર્તામાં આવી ઉભી રહે, ભવને છેલ્લે ફેરે બાકી રહે, ને તેમાં પણ જેમ બને તેમ એાછા ભવ કરવા પડે. આમ અત્રે ધ્વનિ છે. આની સાથે સંવાદી એવા પરમ પુરુષાર્થ પ્રેરક વીરગર્જનારૂપ સત્ય વચને વર્તમાનયુગના પરમ સંત-ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે ઉચ્ચાર્યા છે – Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) “ જો ઇચ્છા પરમાર તેા કરેા સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ' આત્મા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” —શ્રી આત્મસિદ્ધિ L2 અને કારણ કે એમ છે, એથી કરીને— યોગદશિસમુચ્ચય एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ભદ્રભૂત્તિ મહાત્મ તે, એવા જીવને જોગ; અવંચક ઉદયે ઉપજે, શુભ્ર નિમિત્તસ`યોગ, ૩૩ અથઃ—એવા પ્રકારના ભદ્રભૂત્તિ મહાત્મા જીવને, અવંચકના ઉદય થકી, શુભ નિમિત્ત સંચાગ ઉપજે છે. વિવેચન “ ચાહે ચકાર તે ચંદને, મધુકર માલતી ભાગી રે; તિમ ભવિ સહજ ગુણે હેવે, ઉત્તમ નિમિત્ત સ'ચેાગી રે. વીર્૰”—શ્રી ચેા. સ૦ -૧૩ ઉપરમાં જે હમણાં દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવતા ચેગી પુરુષ કેવા હેાય ? તે ભદ્રસૂત્તિ-ભદ્રમૂત્તિવાળા હોય, કલ્યાણરૂપ ભલી આકૃતિવાળા હાય. તેને દેખતાં જ તે ભદ્ર, ભલેા, રૂડા જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શીન શુભ નિમિત્ત હાય, તેનું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવુ હાય, તેને દેખતાં જ તેના પ્રત્યે કુદરતી પ્રેમ સ્ફુરે એવો તે પ્રિયદશી દેવાનાં પ્રિય' હોય. અને તે ‘મહાત્મા' કહેવા ચેાગ્ય છે, કારણ કે સીય ના–ઉત્તમ આત્મવીને તેને યાગ બન્યા છે. આવા ભદ્રમૂર્ત્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સયેાગ ઉપજે છે, તેને સદ્યાગ વગેરેને જોગ માઝે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવુ તેવાને ખેંચે, Like attracts like? તે ન્યાયે ચગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાગૢભારથી ખે'ચાઈને તથારૂપ ચેાગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તો સયેાગ વૃત્તિ:-વૈવિધસ્યનીવચ—એવા પ્રકારના જીવતે, હમણાં જ કહેલા લક્ષણવાળા યાગીને, મમ્ર્ત્ત:ભદ્રભૂતિ, પ્રિયદર્શીન, જેવું દર્શીન પ્રિય–વ્હાલુ લાગે એવાને, માત્મનઃ-મહાત્માને-સદ્વીયના મેગે કરીને, શુ' ? તે કે-શુમ, પ્રશરત, શું? તે કે-નિમિત્તસંચો:-નિમિત્ત સંચેગ, સદ્યોગ આદિના સચેગ –કારણ કે સાગ અાદિનુ જ નિઃશ્રેયસાધનનું -મેક્ષસાધનનું નિમિત્તપણું છે, જ્ઞાયતે-ઉપજે છે, કર્યાંથી? તે માટે કહ્યુ –ાવ જોચાત્–અવંચકના હૃદયથકી. કહેવામાં આવતા સમાધિવિશેષના-યોગવિશેષના ઉત્તમને લીધે, એમ અથ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ‘કારણ જોગે હો કારજ નીપજે (૧૫૫) મેાક્ષના અમેઘ સાધનરૂપ થઇ પડે છે. જેમ ચકેર કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ
Page 132
ભમરા સ્વભાવથી જ માલતીને ભાગી બને છે, તેમ ભવ્ય-યેાગ્ય સુપાત્ર જીવ પણુ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તના સચેગ પામે છે. “ વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબધે; અણુસ'ખ'ધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રખધે....થાશુ”—શ્રી યશોવિજયજી “ ઉત્તમ સંગે રે. ઉત્તમતા વધે, સધે આનંદ અનાજી ”શ્રી દેવચ`દ્રજી અને આ ઉત્તમ નિમિત્તને ચેગ પણ શા કારણથી થાય છે? તે પણુ અહી સ્પષ્ટ કર્યું'' છે. ત્રણ અવ'ચકેતા ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને ચેાગવિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવચકરૂપ કારણને યાગ અને તે તેવા નિમિત્તને યાગ બને છે. નિમિત્ત અને ઉપાદાન 66 કારણ જોગે હા કારજ નીપજે, એમાં કોઇ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ, સભવ૦”શ્રી આનદઘનજી “ કારણથે કારજ સધે હા, એહ અનાદિકી ચાલ....લલના૰ દેવચંદ્ર પદ પાઇયે હા, કરત નિજ ભાવ સંભાલ....લલના.”—શ્રી દેવચ’દ્રજી કારણ વિના કાર્ય થાય જ નહિ, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્યં સાધવાની જે વાત કરે છે, તે તેા કેવળ પેાતાના મતનેા ઉન્માદ જ છે. છતાં કેટલાક લોકે। અસમજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાયેાગ્ય વિભાગ–સંબધની મર્યાદાનુ ભાન નહિ હેાવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધું વિપસ્ત સમજતા હેાવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાન ને નિમિત્ત જાણે એક બીજાના વિરાધી પ્રતિસ્પર્ધી હાય, એમ અર્થહીન શુષ્કજ્ઞાનરૂપ વાતાથી પરમ ઉપકારી નિમિત્તના અપલાપ કરતા રહીં, ‘ઉપાદાન ઉપાદાન ’એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનદઘનજીના શબ્દોમાં નિજ મત ઉન્માદ’ જ છે. કારણ કે એક્લા ઉપાદાનનેા કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવા તે કેવલ વિપર્યાસરૂપ–ભ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવા એકાંતિક પક્ષ ગ્રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિધ સહુકારરૂપ સબધ જાણુતા જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સૂત્ર પ્રરૂપણા કરી જ્ઞાનીના સનાતન માનેા લાપ કરે છેતીના ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂકી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઇ વળતુ નથી, તેમ નિમિત્તને છેડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી. . ܕ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) યોગદષ્ટિસમુચય શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે તે વાત ખરી, પણ તે કાંઈ નિમિત્તને નિષેધ કરવા માટે કે એનું ઓછું મૂલ્યાંકન કરવા માટે કહી નથી, પણ જીવને પુરુષાર્થ જાગૃતિ અર્થે સાપેક્ષપણે કહી છે, એટલે કે શુદ્ધ નિમિત્તના પ્રબળ અવલંબનપૂર્વક આત્મપુરુષાર્થ જાગ્રત રાખવા માટે કહી છે. તે એટલે સુધી કે શ્રુતજ્ઞાનનું-આજ્ઞાનું અથવા જિન ભગવાનનું અવલંબન બારમાં ગુણઠાણાના છેલ્લા સમય પર્વત કહ્યું છે, તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત ને ઉપકારી છે એ સૂચવે છે. માટે યુક્ત પક્ષ એ છે કે શુદ્ધ નિમિત્તને આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ પ્રગટ કરતા રહી જીવે આગળ વધવું જોઈએ, આત્મવિકાસ સાધવે જોઈએ. અને એ જ જિન ભગવાનને સનાતન રાજમાર્ગ છે. આ અંગે શ્રી વિશેષાવશ્યકમાં પ્રજ્ઞાનિધિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણજીએ તથા શ્રી અરનાથ–મલિનાથ-મુનિસુવ્રત જિન સ્તવમાં પરમ અધ્યાત્મરસપરિણત મહાત્મા દેવચંદ્રજી મહામુનિએ સૂમ મીમાંસા કરી સાંગોપાંગ નિર્ણય બતાવ્યો છે, તે મુમુક્ષુને અત્યંત મનનીય છે. અત્રે વિસ્તારભયથી તેનો પ્રાસંગિક નિર્દેશ માત્ર કર્યો છે :“કૌં કારણ યોગ કારજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનુપ કાર્યાથી તેહ શહેરી...પ્રણામે શ્રી અરનાથ”–શ્રી દેવચંદ્રજી કર્તા કારણના ગે કાર્યસિદ્ધિ પામે છે, માટે કાર્યને અર્થે હોય તે ચાર અનુપમ કારણે ગ્રહે છે. તેમાં મુખ્ય બે કારણ છે-ઉપાદાન અને નિમિત્ત. વસ્તુને નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. તે ઉપાદાન પિતે ઉપાદાનકારણપણે ન પ્રગટે ત્યાં સુધી કાર્યસિદ્ધિરૂપ વસ્તુસ્વરૂપે
Page 133
પ્રગટતું નથી, અને ઉપાદાનકારણ પણ નિમિત્તકારણ વિના પ્રગટતું નથી. અર્થાત કર્તાના પ્રાગે નિમિત્તકરણના અવલબન-ઉપકારથી ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે છે અને તેથી જ કાર્યસિદ્ધિ થાય છે. વળી ઉપાદાનકારણપણું ન થતું હોય તે નિમિત્તનું નિમિત્તકારણપણું પણ રહેતું નથી, અર્થાત્ નિમિત્ત નિમિત્તકારણ કહેવાતું નથી. જ્યારે તથારૂપ ઉપાદાનકારણ પ્રગટતું જતું હોય, ત્યારે જ તે ખરેખરૂ નિમિત્તકારણ કહેવાય છે, નહિ તે નહિ. આમ કરૂં પતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્તે–પુરુષાર્થ કરે અને શુદ્ધ પુષ્ટ નિમિત્ત કારણને વિધિપૂર્વક આશ્રય કરતે રહી, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવતે જાય તો કાર્યસિદ્ધિ થાય; નિમિત્ત અને ઉપાદાનના સહકાર-સહયોગથી જ કાર્ય નીપજે. “નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન ગણતરી.” ઉપાદાને ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિ રે, ગ્રાહક વિધિ આધીન...એલડી. મુનિસુવત” –શ્રી દેવચંદ્રજી દાખલા તરીકે —-ઘડે બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દંડથક વગેરે નિમિત્ત ન મળે તે તે એની મેળે ઉપાદાન કારરુપણે પરિણમે નહિં, અને માટીમાંથી ઘડે કદી Page #223 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત (૧૫૭) પણ મને નહિં તેમ જીવને નિજ સત્તાગત ધર્માં તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે-પ્રગટપણા માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે તે માટે તે નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવુ પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિ. તેમ જ ઉપાદાનનું દુક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેન્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિ. અન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે. ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલબન દેવ.....જિનવર પૂજો ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિન॰ શ્રી સ ́ભવ.” “ નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલઅન સિદ્ધિ, નિયમા એહ વખાણી...પ્રણમા”—શ્રી દેવચદ્રજી માટે તાપ કે ઉપાદાનનુ નામ લઇ, જે એ નિમિત્ત છેડી દીએ, તેએ સિદ્ધિ પામતા નથી, ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષાએ કહ્યો છે. સદ્ગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવ'ચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના–આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિ. આ અંગે પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટકાટ્લી વચનામૃત છે કેઃ— “ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ અર્થાત્ “ સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યુ' છે; તેથી ઉપાદાનનુ' નામ લઇ જે ફાઇ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂ સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષા રહિત ન થવું; એવા શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાના પરમાથ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર • અવ’ચક ઉદયથી’ એમ કહ્યુ એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે— Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) યોગદષ્ટિસમુરચય योगक्रियाफलाख्यं यच्छ्रयतेऽवञ्चकत्रयम् । साधुनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ॥३४॥ અવંચકત્રય પરમ જે, લેગ ક્રિયા ફલ નામ; સાધુ આશ્રી–તે બાણની, લક્ષ્ય ક્યિા સમ આમ, ૩૪ અર્થ–સાધુઓને-સપુરુષોને આશ્રીને, વેગ ક્રિયા ને ફલ નામનું પરમ અવંચકત્રય (ત્રિપુટી) સંભળાય છે તેને બાણની લક્રિયાની ઉપમા છે. વિવેચન નિર્મલ સાધુ ભગતિ લહી...સખી, યોગ અવંચક હોય... સખી. કિરિયાવંચક તિમ સહી સખી. ફલ અવંચક જોય રે સખી ચંદ્રપ્રભુ”-શ્રી આનંદઘનજી ગાવંચક,
Page 134
કિયાવંચક અને ફલાવંચક એ ત્રણ પ્રકારના અવંચકની ત્રિપુટી શાસ્ત્રમાં કહેલ છે. આ અવંચક એક પ્રકારને અવ્યક્ત સમાધિવિશેષ-ગવિશેષ છે, નાના પ્રકારના ક્ષપશમને લીધે ઉપજતે તેવા પ્રકારને આશયવિશેષ-ચિત્તત્રણ અવંચક પરિણામવિશેષ છે. “અવંચક” એટલે શું? અવંચક એટલે વંચે નહિ, છેતરે નહિ તે જે કદી ખાલી ન જાય, ચૂકે નહિ, આડોઅવળો વાંકો જાય નહિ, એ અમેઘ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. યોગ એવો કે કદી વંચે નહિં–ચૂકે નહિં-વાંકે જાય નહિ તે ચગાવચક, ક્રિયા એવી કે કદી વંચે નહિં– ફેગટ જાય નહિં–વાંકી જાય નહિ તે કિયાવંચક. ફલ એવું કે કદી વચે નહિં-ખાલી જાય નહિ –વાંકુ જાય નહિં, તે ફ્લાવંચક. આ પરમ-ઉત્તમ એવું અવંચકત્રય સાધુઓને એટલે કે સાચા સાધુગુણથી શોભતા સપુરુષને આશ્રીને છે, સાચા “મુનિ' એવા જ્ઞાની પુરુષોને અવલંબીને છે, એમ તેનો સંબંધ સમજવાનું છે. એટલે કે સાચા સાધુસ્વરૂપ સપુરુષને-સદ્દગુરુને યોગ, જોગ, તથારૂપ ઓળખાણ તે ગાવંચક છે; તે યુગ કદી વચે નહિ. અમેઘ હોય, અવશ્ય - વૃત્તિઃ-nયાસ્ટાર્થ મા છૂયતેડક્વત્રથમૂ-કારણ કે યોગ, ક્રિયા ને ફલ નામનું અવંચકવ્રય આગમમાં સંભળાય છે,–“ચાવશ્વ: જિયાયa%; સ્ટાવઢઃ ' એ વચન ઉપરથી. આ અવ્યક્ત સમાધિ જ છે,–તેના અધિકારમાં પાઠ છે તેથી. આ ચિત્ર (જુદા જુદા) ક્ષય પશમથકી તથા પ્રકારનો આશયવિશેષ છે. અને આ સાધુનાશ્રિય-સાધુઓને આશ્રીને, સાધુઓ એટલે મુનિઓ; vમા–પરમ એવું' અવ સ્વરૂપથી તે આ પુસ્ત્રáપિકમુ-બાજુની લક્ષ્યક્રિયાની ઉપમાવાળું છે. બાણુની લક્ષ્યક્રિયા, તેની પ્રધાનતાએ કરીને, તેનાથી અવિસંવાદિની જ હોય,નહિં તે લક્રિયાપણાને અલગ હોય તેટલા માટે. (બાણ બરાબર તાકે એ જ લયક્રિયા, નહિં તો લક્ષ્યક્રિયા બને નહિં.) એમ સાધુઓને આશ્રીને વેગવંચક છે. તેના વેગનો અવિસંવાદી હોય છે; એમ તેની વંદનાદિ ક્રિયા અને તેના ફલતે આશ્રીને, આ એમ જ, દ્રવ્યથી છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : યોગાચક, દિયાવંચક, ફલાવંચક (૧૫૯) અવિસંવાદી હોય અને પછી પુરુષને તેવા સપુરુષવરૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરવામાં આવે તે દિયાવંચક કહેવાય; તે ક્રિયા કદી વચે નહિં-ફોગટ જાય નહિ, અચૂકપણે અવશ્ય ધર્મલાભદાયી થાય જ. અને આમ સપુરુષ સદ્ગુરુને તથારૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વંચે નહિં, અમેઘ હોય, અચૂકપણે પ્રાપ્ત થાય, તે ફેલાવંચક જાણવું. આ ત્રણ અવંચક અહીં આ દષ્ટિમાં દ્રવ્યથી હોય છે. “સદ્ગુરુ વેગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જેહે રે; વેગ ક્રિયા ફલ ભેદથી, વિવિધ અવંચક એહ રે...વીર”—શ્રી એગ સક્ઝાય ૨-૧૨ આ અવંચક ત્રિપુટીને બાણુની લક્ષ્યકિયાની ઉપમા બરાબર ઘટે છે. જેમ લક્ષ્યને–નિશાનને બરાબર તાકીને છોડેલું બાણ લક્ષ્યને અવશ્ય વિધે, ચૂકે નહિ, ખાલી જાય નહિં–અફળ થાય નહિં, નિજ કાર્યની સિદ્ધિ કરે; તેમ શુદ્ધ બાણની લક્ષ્યને આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા ગ, ક્રિયા યિાની ઉપમા ને ફળ અવંચક હોય, અવશ્ય પોતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે, અમેઘ અચૂક હોય, અવિસંવાદીપણે સ્વકાર્યની ચોક્કસ સિદ્ધિ કરે. આમાં નિશાનને બરાબર તાકીને બાણને ધનુષ્ય સાથે ચેગ-જોડાણ થવું, અનુસંધાન થવું, તેની બરાબર યેગાવંચક છે. આમ બરાબર તાકેલા બાણની નિશાન પ્રત્યે ગમન કરવાની જે કિયા, તેની બરાબર કિયાવંચક છે. અને નિશાનને વિધવારૂપ જે કાર્યસિદ્ધિ થવી, તેની બરાબર ફલાવંચક છે. આ દષ્ટાંત ઘણું અર્થ રહસ્ય ભરેલું છે, ને તેના પરથી નીચેના મુદ્દા તારવી શકાય છે – (૧) બાણને વેગ-અનુસંધાને બરાબર નિશાન તાકીને ન હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી–વાંકીચૂકી હોય, ને નિશાન ચૂકી જવાય; તેમ આત્મસિદ્ધિનો લક્ષ્ય બરાબર તાક્યા વિના જે યોગ વંચક હેય, તે તેની સાધક ક્રિયા પણ વંચક હોય અને ફલ પણ વંચક હોય. (૨) બાણને
Page 135
વેગ-જોડાણ બરાબર નિશાનને તાકીને કરવામાં આવેલ હોય, તે જ નિશાન પ્રત્યેની તેની ગમનક્રિયા સીધી સડસડાટ હોય, ને નિશાન વિધાય, ચૂકે નહિ તેમ આત્મસિદ્ધિને લક્ષ્ય બરાબર તાકીને જે વેગ અવંચક કરવામાં આવે, તે પછી તેની સાધક ક્રિયા પણ અવંચક હોય, અને સિદ્ધિરૂપ ફળ પણ અવંચક જ હોય આમ આ ઉપરથી ભંગી ફલિત થાય છે:-(૧) વેગ અવંચક હોય, તે ક્રિયા-ફલ અવંચક હોય. (૨) વેગ અવંચક હોય, તે પછીના કિયા-ફલ વંચક ન હોય. (૩) યોગ વંચક હોય, તે ક્રિયા-ફલ પણ વંચક હોય. (૪) ગ વંચક હય, તે ક્રિયા-ફલ અવંચક ન હેય. આ સર્વને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવી શકશે – Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ગદષ્ટિસમુચ્ચય આકૃતિ– ૬ અલક્ષ્મ ૨ વંચક અનેક ક્રિયા પંચક યાગ. વેચક યોગ - ગ ક્યિા ક્રિયા કુલ નિશાનલક્ષ્મ ફી નિશાનલક્ષ્ય બાણ અવંચક અવંચક અવંચક એકજ ૧ ચક ધનુષ્ય ક્રિયા વચક વેચક કુલ અવલયા અનેક આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક પેગ જ જે બરાબર ન હોય તે બધી બાજી બગડી જાય છે. અને આ ચેગ સદ્દગુરુ પુરુષને આશ્રીને છે; એટલે સાચા સાધુ પુરુષને, સદ્દગુરુને જગ બરાબર ન બને, તે કિયા ને ફલને ઘાણ પણ બગડી જાય છે. તે આ રીતે-(૧) સદ્ગુરુ સપુરુષ મળ્યા હોય, પણ તે એાળખાય નહિં, તે તેને વેગ અગરૂપ થઈ પડે છે, નિષ્ફળ જાય છે. (૨) અથવા અસદ્દગુરુને સદ્ગુરુ માની લીધા હોય, તે પણ રોગ અગરૂપ થાય છે, ટેલીફેનમાં બેટો નંબર જોડાઈ ગયા જેવું થાય Page #227 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : બાણની લક્ષ્યક્રિયાની ઉપમા (૧૬૧) છે ! (૩) અથવા સદ્ગુરુ મળ્યા હોય, પણ પિતાનામાં તેવી યોગ્યતા ન હોય, તો પેગ ન મળ્યા બરાબર થાય છે. લગન વેળા ગઈ ઊંઘમાં તેના જેવું થાય છે! અને બીજું એ સમજવાનું છે કે બાણનું નિશાન-લક્ષ્ય એક જ હોય છે. તે નિશાનથી આડુંઅવળું-વાંકુંચૂકું, ઉપર નીચે બાણ જાય, તે નિશાન-વિધાતું નથી, ખાલી જાય છે, અફળ જાય છે, અથવા આડા-અવળા અલક્ષ્ય વિધવારૂપ અનેક ફળ લક્ષ્ય એક જ થાય છે, પણ એક ઈષ્ટ લક્ષ્ય પામવારૂપ ફળ મળતું નથી. તેમ પરમાર્થમાં પણ એક જ નિશાન છે, એક જ લક્ષ્ય છે. અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મોક્ષ એ જ એક લક્ષ્ય છે. એટલે જે યેગ, જે ક્રિયા તે એક મોક્ષ પ્રત્યે લઈ જાય, તે જ સફળ છે, બાકી બીજી બધી અફળ છે. અથવા તે એક મોક્ષરૂપ ફળને ચૂકી જઈ, ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ* આપનારી છે. આમ અવંચક એવા રોગ, ક્રિયા ને ફલની એકતા છે, અને વંચક એવા ગ, ક્રિયા ને ફલની અનેકતા છે. એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે...ધાર તરવારની” –શ્રી આનંદઘનજી આમ એક જ લક્ષ્યના અનુસંધાન–જેડાણરૂપ જે યોગ બને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા જે કરવામાં આવે, અને તેના જ સંધાનરૂપ એક મેક્ષફળ જે મળે, તે એ ત્રણે અવંચક છે. પણ એક જ લક્ષ્યના અનુસંધાનરૂપ ગ ન હોય, વિવિધલક્ષી અનેકાંત કિયા હોય, અને તેથી કરીને વિવિધ અનેકાંત ફળ-ચારે ગતિમાં રડવડવારૂપ ફળ મળે, તે એ ત્રણે વંચક છે. અને આ લક્ષ્યનું ભાન પણ સદ્ગુરુ સન્દુરુષના સમાગમ ભેગથી થાય છે, માટે સાચા સદૂગુરુને ચોગ તથારૂપ ઓળખાણ તે કારણનું પણ કારણ હોવાથી ગાવંચક છે, તે સત્પરુષ સદ્ગુરુના સેવા, ભક્તિ આદિ કરવા તે ક્રિયાવંચક છે, અને પરંપરાએ તેના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ થવી
Page 136
તે ફલાવંચક છે. “જીવને જ્ઞાની પુરુષનું એાળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ મળાં પડવાને પ્રકાર બનવા છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. પુરુષનું એાળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દેશ જેવા ભણી ચિત્ત વળી આવે છે. વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. x x x જીવને * "जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेर्सि परकतं सफलं हाइ सव्वा ।। जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणे । सुद्धं तेसिं परत तं अफलं हाइ सव्वसा" ।। શ્રી સૂયગડાંગ સૂત્ર (પરમાર્થ માટે-જુઓ-શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક, ૩૯૧. ઉપદેશનોંધ ૩૨) Page #228 -------------------------------------------------------------------------- ________________ (૧૬૨) ગિદષ્ટિસમુચ્ચય સન્દુરુષને યોગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં–લક્ષ વગરના બાણુની પેઠે હતા. પણ હવે પુરુષને અપૂર્વ યોગ થયે છે, તે મારાં સર્વ સાધન સફળ થવાને હેતુ છે.” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૩ (પર૨) “પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત..સંભવ”-શ્રી આનંદઘનજી સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખે નિજ લક્ષ છે.”—શ્રી દેવચંદ્રજી આમ વંચક–અવંચક શબ્દના પ્રયોગમાં ભગવાન શાસ્ત્રકારે ઘણે પરમાર્થ સમજાવ્યું છે. વંચક એટલે છેતરનાર, ઠગનાર, છળનાર; અવંચક એટલે નહિં છેતરનાર, નહિં ઠગનાર, નહિં છળનાર. ઠગ જેમ માણસને ભૂલાવામાં નાંખી દઈ, વંચક ગનું થાપ આપે છે, તેમ આ વંચક ગાદિ જીવને ભૂલાવામાં-ભ્રમણમાં ઠગપણું નાંખી દઈ, ઠગે છે, છેતરે છે, છળે છે! કારણ કે મૂળ લક્ષ્યનું ભાન ન હોવા છતાં, જીવ બિચારે બફમમાં ને બફમમાં એમ માને છે કે હું ગ સાધું છું, હું ક્રિયા કરું છું, મને ફળ મળશે. પણ તે બિચારો ઠગાય છે! ને અનંત યંગ સાધતાં છતાં, અનંત કિયા કરતાં છતાં, તે ઊધે રવાડે ચડી ગયા હોવાથી અનંત ફળ પામતે રહી, ચારે ગતિમાં રડવડે છે–રખડે છે! આવી ને આવી ભ્રમણામાં આ જીવે વંચક એવા અનંત યેગ-સાધન કરવામાં કાંઈ બાકી રાખી નથી, વંચક એવી અનંત ક્રિયા કરવામાં કાંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવવામાં કાંઈ પાછી પાની કરી નથી ! પણ તે બાપાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે, “છાર પર લિંપણ” જેવી નકામી થઈ છે, ને પરમાથે તેનું પરિણામ મેટું મીંડું આવ્યું છે !! કારણ કે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ-સંન્યાસી-બાવો બન્યા હશે ! મેરુપર્વત જેટલા ઘા–મુહપત્તિ વાપર્યા હશે ! યમ, નિયમ, સંયમ, ત્યાગ વૈરાગ્ય વગેરે અથાગ આદર્યા હશે; વનવાસ મોટું મીંડુ! લઈને, મૌન ધારણ કરી દઢ પવાસન લગાવીને બેસી ગયે હશે ! પ્રાણાયામ વગેરે હઠગના પ્રયોગ કરી સમાધિ ચઢાવી ગયો હશે ! સ્વરોદય વગરે જાણું અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનેને ભેળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યા હશે. સવ શાસ્ત્રને પારંગત બની આગમવર, મૃતધર, શાસ્ત્રજ્ઞમાં ખપે હશે સ્વમતના મંડનમાં ને પરમતના ખંડનમાં પાવરધો બની “દિગવિજય’ કરવા પણ નીકળી પડયો હશે ! અરે ! પિતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મેક્ષ સુધીના ઉપદેશરૂપ મેટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત વાચસ્પતિના જેવી વતાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવી ને સભાઓ ગજાવી હશે ! Page #229 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સંતચરણ આશ્રય વિના પંચક (૧૬૩) આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિ! તેના હાથે તે ખાલી ને ખાલી
Page 137
! મિક્ષ તે હતો એટણે જ દૂર પડયો છે ! કારણ કે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તદપિ ક હાથ તેને તેને વેગ ન બને; સાચા સદ્દગુરુને તેને વેગ ન મળ્યો, એટલી હજુ ન પર્યો” એક ખામી રહી ગઈ ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં, તેને તે બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા! હજાર કે લાખે વિજળીની બત્તી ગઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધને કરે, પણ સદ્ગુરુને વેગ ન હોય, તે જ્ઞાન–દી પ્રગટે નહિં, અંધારૂં જ રહે. આ અંગે—જાણે સાક્ષાત્ જગદ્ર ગર્જના કરતા હોય, એ પ્રગટ ભાસ આપતા પરમ વેધક વચને શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યા છે “યમ નિયમ સંયમ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિ. વનવાસ લિયે મુખ મૌન રિયે, દઢ આસન પા લગાય દિયે. મન–પન નિધિ સ્વર્બોધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભયે; જપભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેહિ ઉદાસિ લહી સબપે. સબ શાસ્ત્રના કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. અબ કયાં ન બિચારત હે મનસે, કછુ એર રહા ઉન સાધનસેં; બિન સદ્દગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે; તનસેં, મનસું, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘને.” –શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધનક્રિયાદિ પરમાથે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવયોગી એવા સાચા સતપુરુષને-ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તે જ સસ્વરૂપને લક્ષ થવાથી અવંચક ગ, સંતચરણ અવંચક ક્રિયા ને અવંચક ફલ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા આશ્રય વિના શાસ્ત્રકારે “સાધુને આશ્રીને’–સંતને આશ્રય કરીને, એ શબ્દો વંચક પર ખાસ ભાર મૂક્યો છે. કારણ કે આ અવાચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે યોગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંથક-છેતરનારા થયા છે; Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) ગદહિસમુચ્ચય મૂળ આત્મલક્ષ્યથી ચુકાવનારા હેઈ લક્ષ્ય વિનાના બાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સત્પુરુષ સદ્દગુરુનો સમાગમ વેગ થયો હશે, પણ તેને તે સ્વરૂપે નહિં એાળખવાથી, તે વંચક થયે છે, ફેગટ ગયે છે. તેમ જ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેક વાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણ વિના અને સાધ્યરૂપ સ્વરૂપલક્ષ્યને જાણ્યા વિના, એટલે તે પણ વંચક થઈ છે, ઈષ્ટ કાર્યસાધક થઈ નથી, ઉલટી બાધક થઈ છે! સાધન હતા તે ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે, અથવા દુષ્ટ અભિમાનને લીધે બંધન થઈ પડ્યા છે ! અને આમ ફલ પણ વંચક થયું છે. અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિં ગુરુ સંતને, મૂક્યું નહિં અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિય, ઊગે ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજે નહિં, ત્યાં બંધન શું જાય?”—શ્રીમદ્ રાજચંદ્રજી આવા વંચક લેગ ક્રિયા ને ફલ દૂર થઈ, અત્રે આ પ્રથમ મિત્રાદેષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને અવંચક યેગ-કિયા-ફળની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે અને તે પણ સંતચરણના શરણરૂપ આશ્રયને લઈને,
Page 138
એ મુદ્દો ખાસ લક્ષમાં રાખવા ગ્ય છે. આ અવંચકત્રય પણ જેના નિમિત્તે હોય છે, તે કથવા માટે કહે છે – एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथा भावमलाल्पता ॥ ३५ ॥ સ–ણામાદિ નિમિત્ત આ, સ્થિત સિદ્ધાંત અ૫; ને એને હેતુ પરમ, તથા ભાવમલ અ૫, ૩૫ અર્થ –અને આ અવંચકત્રિપુટી સપ્રણામ આદિન નિમિત્ત હોય છે, એમ સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે અને આ સત્પ્રણામાદિને પણ પરમ હેતુ તથા પ્રકારે ભાવમલની અલ્પતા એ છે. વૃત્તિ -ઇસ્તન્ન –અને આ અવંચકત્રિપુટી, સબળાનાવિનિમિત્ત-સત પ્રણામાદિ નિમિત્ત, સાધુઓ પ્રયે વન્દનાદિન નિમિત્ત હોય છે, એમ અર્થ છે. સમજે સ્થિd-સમયમાં સ્થિત છે. સિદ્ધાન્તમાં પ્રતિષિત છે. ૪-આનો, સત પ્રણામ આદિના, દેવશ્વ પરમઃ–પરમ હેતુ વળી, કયો? તે માટે કહ્યું –તથા માવ તથા પ્રકારે ભાવમલની અલ્પતા-એ છે. એટલે કર્મસંબંધની એગ્યતાની અલ્પતા–એ છે. રત્ન વગેરેને મલ દર થયે, સ્ના-પ્રકાશ વગેરેની પ્રવૃત્તિની જેમ,-એવું ગાચા કહે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાદઃ અર્વ ચકનું નિમિત્ત સતપુરુષની ભક્તિ (૧૫) વિવેચન ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ કયા નિમિત્તે કારણથી થાય? તે અહીં બતાવ્યું છે. સત્પુરુષ, સાચા સાધુગુણસંપન્ન સાચા સાધુપુરુષ પ્રત્યે વંદન, નમન, વૈયા વચ્ચ, સેવા-સુશ્રષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હોય છે. અવંચિકનું પ્રથમ તે સદ્દગુરુ સપુરુષને, સાચા સંતને જેગ થતાં, તેના પ્રત્યે નિમિત્ત સંત વંદનાદિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે પુરુષના ભક્તિ સ્વરૂપની ઓળખાણ થાય, એટલે ચગાવંચક નીપજે. પછી તેની તથારૂપ ઓળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન-નમસ્કાર–વૈયાવચ્ચ વગેરે કિયા કરાય, તે યિાવંચકરૂપ હોય. અને પુરુષ, સાચા ભાવસાધુ પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમેઘ-અચૂક હય, એટલે ફલાવંચક હોય. આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ સપુરુષની નિમળ ભક્તિ છે. આ પ્રકારે જ ઉત્તમ નિમિત્તના સાગથી ઉપર કહેલા અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં દઢપણે સ્થાપવામાં આવ્યું છે. એવો સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્ત્રમર્યાદા–સમય છે. એ સિદ્ધાંત અખંડ બિના નયન નિશ્ચયરૂપ હેઈ, કેઈ કાળે ફરે નહિં. સાક્ષાત્ સત્પરુષ સદ્દગુરુના યોગે પાવે નહિ? જ જીવને કલ્યાણમાર્ગમાં-મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમાર્થ પામવાને માગ એક જ છે. કારણ કે “વિના નયનની વાત' એટલે કે ચર્મચક્ષુને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે, તે “વિના નયન’–સદ્ગુરુની દેરવણ વિના પ્રાપ્ત થાય નહિં; અને જે સગુરુના ચરણ સેવે, તે સાક્ષાત્ પ્રાપ્ત થાય. જે તરસ છીપાવવાની ઈચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ છે, અને તે પણ ગુરુગમ વિના કદી પ્રાપ્ત થાય નહિં,-એમ અનાદિ સ્થિતિ છે. અને તેવા પ્રકારે પરમ જ્ઞાની પુરુષએ ભાખ્યું છે – “બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સે પાવે સાક્ષાત્, બુઝી ચહત જે પ્યાસકી, હૈ બુઝની રીત; પાવે નહિં ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”– શ્રીમદ્ રાજચંદ્રજી “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી અને એવા ઉત્તમ સાચા સાધુ પુરુષની-ભાવગીરૂપ સાચા સદ્દગુરુની સંગતિને લાભ પણ કયારે મળે? તેવો ઉત્તમ “ગ” કયારે બને? તેનું કારણ પણ અહીં કહ્યું કે જ્યારે Page #232 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) - યોગદષ્ટિસમુચય તેવા પ્રકારની ભાવમલની અલપતા થાય, ત્યારે તે “ગ” જીવને બાઝે, - ભાવમલ જ્યારે અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઈ જઈને એક થાય, ત્યારે અપતા તેવું નિમિત્ત મળી આવે. આવા “પુણ્ય પંડૂર જ્યારે પ્રકટે', ત્યારે સપુરુષનો સમાગમગ થાય. “એહવે સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે
Page 139
કીધાં પુણ્ય પંડૂર” (યશવિજ્યજી). રત્નને મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માન ભાવમલ-અંદરને મેલ જેમ જેમ છેવાડે જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ એર ને એર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને ઓર ઝળકતું જાય છે. “કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણે છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષનાં વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. ૪ ૪ ૪ સરળપણું, ક્ષમા, પિતાના દોષનું જેવું, અપારભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૬૮ (૪૪૯) આમ માંહેને મલ ધેવાતાં, જેમ જેમ આત્મા નિર્મલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લેહચુંબકથી આકર્ષાઈને તેને પુરુષના જગરૂપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે. તાત્પર્ય કે-આત્મમલિનતા દૂર કરતે રહી જીવ જે પિતાની યેગ્યતા-પાત્રતા વધારે, અને સદ્ગુરુ આદિ ઉત્તમ નિમિત્તનું સેવન-ઉપાસન કરતો રહે, તે માર્ગની પ્રાપ્તિ થાય. - “અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પર શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદઘન, કર્તા લેતા ઘરનો....શ્રી સીમંધર.”—શ્રી દેવચંદ્રજી પ્રકૃત વસ્તુના સમર્થન અર્થે વ્યતિરેકપ્રધાનપણે કહે છે – नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया। किं सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलेोचनः ॥३६॥ વૃત્તિ-નારિજન હેય, આ ભાવમલ, ઘરે-ઘન, પ્રબળ હતાં, અતઃ કારણ કે, સમુ-સાધુઓ પ્રત્યે, તwતીતિઃ-તેની પ્રતીતિ. ( આ ભાવભલ, ઘન–પ્રબલ હોય ત્યારે સાધુઓ પ્રત્યે તેની પ્રતીતિ ન હાય). તે પ્રતીતિ કેવી વિશિષ્ટ હોય? તે માટે કહ્યું-મરચા-મહાદયવાળી, અભ્યદય આદિના સાધકપણુએ કરીને મહાઉદયવાળી, પ્રતિવસ્તુપમાથી આજ અર્થ કહ્યો- સઘકામા-શુ સમ્યગૂરૂ૫ ગ્રહણ કરે ?-લક્ષણ, વ્યંજન વગેરેના સંપૂર્ણપણુએ કરીને. યાજિક વન-કદી પણ મંદ લેનવાળા-દષ્ટિવાળે,-ઈદ્રિયદષને લીધે, ન જ રહે એમ અર્થ છે. ' Page #233 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ ગાઢ ભાવમલ હોતાં સતીતિ ન હોય, (૧૬૭) આ ઘન હતાં સત પ્રતિ, પ્રતીત મહદય ને; સમ્યગુરૂપ શું ગ્રહે કદી, મંદલચને કેય ? ૩૬ અર્થ-કારણ કે આ ભાવમલ ઘન-ગાઢ હોય ત્યારે, પુરુષ પ્રત્યે તેની મહોદયવંતી એવી પ્રતીતિ હોય નહિં. શું મંદ લોચનવાળે કદી પણ બરાબર રૂપ ગ્રહણ કરે રે ? વિવેચન ઉપરમાં જે કહ્યું કે ભાવમલની અલ્પતા થયે તેવા ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થાય છે, તે જ વાતને વ્યતિરેકથી એટલે નિષેધાત્મક ઉક્તિથી (Negative Affirmation) અહી દઢ કરી છે–આ ભાવમલની જ્યારે ઘનતા હય, ગાઢપણું–પ્રબલપણું હોય ત્યારે પુરુષ પ્રત્યે તેવી મહોદયવાળી પ્રતીતિ હોય નહિં, શ્રદ્ધા-આસ્થા ઉપજે નહિં. આત્માને અંદરનો મેલ જ્યાં સુધી ગાઢ હોય, ત્યાંસુધી સંતની પ્રત્યે વિશ્વાસ બેસે નહિં. જ્યાં સુધી જીવ ગુરુકમી ભારેકમી હોય ત્યાં સુધી સત્પુરુષની તેવી પિછાન, ઓળખાણ થાય નહિ. તેવી પ્રતીતિ-અંતર આસ્થા ખરેખર ! જીવન મહા ઉદય કરનારી છે–ઉત્તરોત્તર ચઢતી કળા કરનારી છે. આ વાતનું તુલ્ય ઉપમા દ્વારા સમર્થન કરે છે કે જેની આંખનું તેજ ઓછું છે, મંદ છે, જે દષ્ટિદોષથી ઝાંખું ઝાંખું દેખે છે, એ પુરુષ શું બરાબર વસ્તુ સ્વરૂપ દેખી શકે ખરો ? ન જ દેખી શકે. તેમ ભાવમલ ઘણે હોવાથી જેના ભાવચક્ષુ ઉઘડ્યા નથી, તે પુરુષના સ્વરૂપને બરાબર ન ઓળખી શકે, ન પીછાની શકે; ને ઓળખે નહિ તે પ્રતીતિ પણ ક્યાંથી કરે? આમ “સત્પુરુષ પ્રત્યે સત્પણાની બુદ્ધિ તીવ્ર મત હોય ત્યાંસુધી ઉપજે નહિ કારણ કે ઘણા ઊંચા ઝાડની શાખાને પાંગળો
Page 140
કદી આંગળીથી સ્પશી શકે નહિ. * હવે અન્વયપ્રધાન પણે અધિકૃત વસ્તુના સમર્થન અર્થે જ કહે છે – अल्पव्याधिर्यथा लोके तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्धयर्थ वृत्त्यैवायं तथा हिते ॥ ३७ ॥ . વૃત્તિ -સંઘવ્યાધિ-અલ્પ વ્યાધિવાળા, જેને રોગ ક્ષીણપ્રાય–લગભગ ક્ષીણ જેવો થઈ ગયો છે એ કઈ કથા છે-જેમ લોકમાં, તw:તેના વિકારોથી, કં–ખજવાળ વગેરેથી, ન વાધ્યતેવ્યાધિના અપપણુએ કરીને બાધિત થતું નથી. તેમ જ શું ? તે કે–તે ર–અને ચેષ્ટા કરે છે, રાજસેવા આદિમાં પ્રવૃત્તિ કરે છે, દુનિદ્રશર્થ-ઈષ્ટ સિદ્ધિને અથે, કટુંબ વગેરેના પાલન અથે. આ દૃષ્ટાંત છે. આ એને અપનય છે એટલા માટે કહ્યું : " પૃચૈત્ર–વૃત્તિથી જ, ધર્મનિરૂપ વૃત્તિવડે કરીને જ. અને આ-વૃતિઃ શ્રદ્ધા સુવિવિદ્રિષા વિજ્ઞરિત ધર્મનાં :”—એ વચન ઉપરથી છે. એટલે ધતિ, શ્રદ્ધા, સુવિવિદિષા (જાણવાની ઉત્કટ ઇચછી --જિજ્ઞાસા), એને વિજ્ઞપ્તિ એ ધમનિઓ છે (ધર્મની જન્મભૂમિઓ છે, ધર્મના ઉદ્દભવસ્થાને છે). તેથી આ હેતુભૂત એવી વૃત્તિવડે કરીને જ ચં-આ યેગી, તેવા અલ્પલાધિવાળા પુરુષની જેમ, સ્થિર એવા અકાય વૃત્તિના નિરોધથી, તે હિતમાં, દાન આદિ હિત વિષયમાં ચેષ્ટા કરે છે, (પ્રવર્તે છે). * “સહુ સરવયં દ્રત મણે તીવ્ર સમેત જ ! - અયાન પ ાાવ સુમહંતતઃ પા–શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) સાજો રોગવિકારથી, બાધિત થાય ન જેમ; ઇષ્ટાર્થ પ્રવર્ત્ત-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭ યોગદૃષ્ટિસમુચ્ચય અર્થ :—અલ્પવ્યાધિવાળા પુરુષ જેમ લેાકમાં તેના વિકારાથી ખાધા પામતા નથી, અને ઇષ્ટ સિદ્ધિને અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (યાગી ) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે. વિવેચન ઉપરમાં જે ઘણા ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનુ' અહી અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદનપદ્ધતિથી ( Positive Affirmation ) સમન કર્યું; છે. તેમાં પ્રથમ આ દૃષ્ટાંત રજૂ કયુ” છે:-કાઈ એક મનુષ્ય છે. તે મેાટી બિમારીમાંથી ઊઠયો છે. તેને રાગ લગભગ નષ્ટ થયેા છે. તે લગભગ સાજો થઇ ગયા છે. માત્ર ખૂજલી વગેરે નાનાસના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારે ખાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારા તેને ઝાઝી માધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રાજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આવેા અલ્પ વ્યાધિવાળા, લગભગ સાજો થઇ ગયેલા પુરુષ પેાતાના કુટુંબના ભરણુપેાષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે. તે જ પ્રકારે આ મિત્રા દૃષ્ટિમાં વત્તતા યાગી વૃત્તિથકી જ ઇષ્ટ સિદ્ધિ અર્થે પ્રવૃત્ત છે. આ વૃત્તિ ધમચેાનિ-ધમના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનનીએ છે. અને તે વૃત્તિ ચાર છેઃ-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચારી આવી ચાર પ્રકારની વૃત્તિને આ મિત્રા દૃષ્ટિવાળા યાગીને સ'ભવ હાય છે. એટલે એને પ્રથમ તેા ધર્મકાર્યમાં ધૃતિ હોય છે, ધીરજ હાય છે. પ્રભુના " ચરણુ શરણે ' તે ‘મરણ સુધીની છેક' દૃઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઇ અધીરજ ધરતા નથી; કારણ કે તેને દૃઢ શ્રદ્ધા છે આ પ્રભુભક્તિ આદિ ધમ કૃત્યનું ફળ અવશ્યમેવ માક્ષ છે, માટે એની સાધનાને પુરુષાથ કર્યા કરવા એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળા હેાવાથી તે ધતું વિશેષ ને વિશેષ સત્સ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્ગુરુને વિજ્ઞપ્તિ-વિનતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ-વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરાત્તર શુભ વૃત્તિએ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્દભવે છે, આ શુભ વૃત્તિએને અહી સંભવ હૈાવાથી, અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ આ ચેગી કાય વૃત્તિઓને દૃઢ નિરોધ
Page 141
કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિને શકે છે, ને શિષ્ટ વૃત્તિઓના પ્રભાવે કરી સ્વરસથી જ હિતાય માં પ્રશ્નો છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દ્દીએ છે, સદાચાર આદિપ શીલ પાળે છે, અને ‘સવ' જગતનું કલ્યાણુ Page #235 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : છેલું યથાપ્રવૃત્તકરણ-ભાવમલ અ૯પતા (૧૬૯) થાઓ !* સર્વ પ્રાણીગણ પરહિત નિરત થાઓ ! સર્વ દોષ નાશ પામે! સર્વત્ર લોકે સુખી થાઓ !” ઈત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. કારણ કે આ જોગીજનને ભાવગરૂપ ભાવમલ ઘણોખરો ક્ષીણ થઈ ગયો છે, લગભગ ધોવાઈ જવા આવ્યો છે, તેથી કરીને માંદગીમાંથી ઊઠેલા, લગભગ સાજા થઈ ગયેલા પુરુષને જેમ રહી સહી ઝીણી ઝીણી ફરિયાદો હરકત કરતી નથી, તેના પેદા કામની આડે આવતી નથી, તેમ આ છેડા ભાવમલવાળા જોગીજનને રદ્યાસહ્ય વિકારો ઝાઝી બાધા ઉપજાવતા નથી; ને આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તતાં અટકાવતાં નથી, રેકતા નથી. એટલે તે અવશ્ય અહિત પ્રવૃત્તિમાંથી નિવર્તે છે, અને હિત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ અન્વય-વ્યતિરેકવડે, હકાર-નકારાત્મક દલીલથી, ભાવમલની અલ્પતા થયે, અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એ સિદ્ધાંતને અત્યંત દઢ કર્યો. આ જે હમણાં કહ્યું તે બધું ય જ્યારે ઉપજે છે, તે દર્શાવવા માટે કહે છે– यथाप्रवृत्तिकरणे चरमेऽल्पमलत्वतः आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥३८ । ચરમ યથાપ્રવૃત્તિમાં, અલ્પમલત્વ પ્રભાવ ગ્રંથિભેદની નિકટને, ઉપજે આ સહુ ભાવ, ૩૮ અર્થ:– છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં, અલ્પમલપણાને લીધે, જેનો ગ્રંથિભેદ નિકટમાં છે, એવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. વિવેચન “એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવજો રે; સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવે રેવર”—શ્રી ગઢ સક્ઝાય ૨-૧૪ ઉપરમાં જે આ બધું ય કહેવામાં આવ્યું તે ક્યારે ઉપજે છે ? છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં ઉપજે છે. કયા કારણથી ઉપજે છે? ભાવમલના અલ્પપણારૂપ કારણથી. કેને ઉપજે છે? ગ્રંથિભેદ નિકટ છે. પાસમાં છે, એવા સંત જેગીજનને, આમ છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં, આત્માને મેલ ઘણે ઘણે દેવાઈ ગયે હોય ત્યારે ગ્રંથિભેદ પાસે આવેલા જીવને, આ ઉપરમાં કહેલું બધું ય પ્રાપ્ત થાય છે. તેને માસિકમ આ પ્રકારે – વૃત્તિ-ગથાઇવૃત્તિ -પૂર્વે જેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા યથાપ્રવૃત્તિકરણમાં, જમે-ચરમ, છેલ્લા પચતવતી એવા, કામરરવતઃ–અલ્પમલપણરૂપ કારણને લીધે, માનવંથિમેઘ-જેને ગ્રંથિભેદ નિકટ છે એવા સંતને, સનત્તy-સમસ્ત હમણાં જ જે કહ્યું કે, કાચતે હ્ય – આ નિશ્ચય ઉપજે છે. ૪ “રિવારસર્વજ્ઞાતઃ પતિનારા મવંતુ ભૂતકાળrઃ | g: પ્રથા ના સર્વત્ર જુવિને મવંતુ છે: "-- શ્રી બૃહત શાંતિસ્તવ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) ગદષ્ઠિસમુચ્ચય (૧) ભાવમલની ક્ષીણતા થતાં થતાં, તથાભવ્યત્વને–આત્માની તેવા તેવા પ્રકારની ગ્યતાને પરિપાક થયે, જીવ છેલ્લા પુદ્ગલાવામાં આવે, ત્યારે ગબીજનું ગ્રહણ થાય છે. (૨) ચરમ છેલા પુદ્ગલાવત્તમાં વર્તતા જીવને, તે ગબીજ પ્રાપ્ત થવાના શુભ નિમિત્તરૂપ ત્રણ અવંચકની પ્રાપ્તિ થાય છે,–ગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક. (૩) તે અવંચકવ્રય પણ સપુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી પ્રાપ્ત થાય છે. (૪) તે પ્રામાદિને હેતુ પણ ભાવમલની ક્ષીણતા છે. (૫) તે ભાવમલની ક્ષીણતાથી છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. (૬) અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયે, જીવ ગ્રંથિભેદની પાસે આવે છે. આમ જીવને અંદરને મેલ-ભાવમલ ક્ષીણ થતાં થતાં, તથાભવ્યતા પાકે છે, એટલે તે છેલ્લા ભવ કેરામાં આવે છે. ત્યારે વળી તેનો અંદરનો મેલ ઓર ને આર વાત જાય છે, અને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પામી તે ગ્રંથિભેદની પાસે પહોંચે છે; અને આમ મલ દૂર થતાં, સાચા સંતપુરુષને જેગ મળે તે તેને પ્રત્યે પ્રણામાદિ કરે છે. એથી કરીને એને ગાવંચક, ક્રિયાવંચક, ને ફલાવંચકરૂપ શુભ નિમિત્તને વેગ બને છે. આમ મહેને મેલ દેવાતાં વાતાં
Page 142
તેની યેગ્યતા-પાત્રતા વધતી જાય છે, દોષ દૂર થાય છે, ને તેની ચિત્તભૂમિ ચેકખી થતી જઈ ગબીજના ગ્રહણ માટે-વાવેતર માટે તૈયાર થાય છે, એટલે તે ગબીજ રહે છે, ને તેની ભલી એવી “ દષ્ટિ” ખુલે છે, ઉઘડે છે. ચોગીરાજ આનંદઘનજીના અનુભવેગાર છે કે “ ચરમાવત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ.” આકૃતિ-૭ ગબીજ ભાવમલપતા *ગબીજગ્યતા તયાભવ્યત્વ છે પરિપાક આ અવંચકત્રય * સત્રામાદિ ચરમાવ7- છેલ્લું યથાપ્રવૃત્તિકરણ -ગ્રંથિભેદ ++ભાવમલઅલ્પતા અપૂર્વકરણ અથવા આ ચરમ (છેલ્લું) યથાપવૃત્ત “અપૂર્વ જ છે, એટલા માટે કહે છે – Page #237 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિઃ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ (૧૭૧) अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥ ३९ ॥ અપૂર્વના નિકટ ભાવથી, વળી વિના વ્યભિચાર; એહ અપૂર્વ જ તત્વથી, જાણે ગાતાર, ૩૯ અર્થ :–અપૂર્વકરણના નિકટભાવથી, તથા વ્યભિચારના અભાવને લીધે, તત્ત્વથી આ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ “અપૂર્વ” જ છે, એમ યોગવેત્તાઓ જાણે છે. વિવેચન અને આ જે છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહ્યું, તે અપૂર્વકરણની નિકટમાં–પાસમાં વતે છે તેથી કરીને, તે “અપૂર્વજ છે એમ યોગના જાણકાર પુરુષ કહે છે. કારણ કે તેમાં કદી વ્યભિચાર થતું નથી, આડી-અવળો ફેરફાર થતો નથી, એટલે કે તે છેલ્લા યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્વકરણ નિયમથી આવે જ છે, એટલા માટે પરમાર્થથી તે અપૂર્વ જ એટલે કે પૂર્વે કદી પ્રાપ્ત નહિ થયેલું એવું કહેવા ગ્ય છે. કારણમાં કાર્યને ઉપચાર કરવો એ ન્યાયની રીતિ છે. આવું “અપૂર્વ” યથાપ્રવૃત્તકરણ અનાદિ કાળથી આ જીવને પૂર્વે કદી પણ પ્રાપ્ત થયું નથી, આ અપૂર્વ આત્મવીલાસ પૂર્વે કદી આવ્યા નથી, આ “અપૂર્વ અવસર’ કદી પણ સાંપડ્યો નથી, પણ હમણાં આ દષ્ટિમાં આવતાં સાંપડ્યો છે માટે આ છેલા યથાપ્રવૃત્તકરણને “અપૂર્વ” નામ આપ્યું તે સાર્થક છે. અહીં જ ગુણસ્થાનનું જન કહે છે – प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्ययोगतः ॥ ४० ॥ સામાન્યથકી વર્ણવ્યું, જે પ્રથમ ગુણસ્થાન; અન્તર્થ યોગથી મુખ્ય તે, એહ અવસ્થા સ્થાન, ૪૦ વૃત્તિ-પૂર્વીસમાવેર–અપૂર્વકરણના નિકટભાવરૂપ હેતુવડે, તથા ચમિયાવિત – વ્યભિચારના વિયોગરૂપ કારણને લીધે, (વ્યભિચાર ન થતો હોવાથી), તરગતઃ-તત્વથી, પરમાર્થથી, પૂર્વઆ છેલું યથાપ્રવૃત્ત અપૂર્વે જ છે, હૃત્તિ ચાલવા વિટુ-એમ યોગવિદો જાણે છે, એ ભાવ છે. વૃત્તિઃ–પ્રથમ-પ્રથમ, આઘ, પહેલું, ચTીસ્થાનં–જે ગુણસ્થાન, મિશ્રાદષ્ટિ નામનું ગુણસ્થાન, સામાન્યને પળતY-સામાન્યથી આગમમાં વર્ણવવામાં આવ્યું છે. “નિદરિદી સાસાયારૂ –એ વચન ઉપરથી. લક્ષ્ય તુ તવસ્થા–તે આ અવસ્થામાં જ, મુત્યે-મુખ્ય, નિરુપચરિત એવું. કયા કારણથી ? તે કે–ગવર્થાતઃ–અન્વથે યોગથકી, અર્થને અનુસરતા શબ્દના યોગથી, (શબ્દના ખરેખરા અર્થમાં). એવા ગુણના ભાવથી–હેવાપણુએ કરીને ‘ગુણસ્થાનની ઉ૫પત્તિ છે એટલા માટે, (ગુણસ્થાન નામ ઘટે છે એટલા માટ). | જીત મિત્રાદઃિ II. Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨) ગદષ્ટિસમુચ્ચય અર્થ :–સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણવવામાં આવ્યું છે, તે આ અવસ્થામાં તે અન્વથ યેગથી-શબ્દના બરાબર અથે પ્રમાણે, “મુખ્ય” એવું હોય છે. વિવેચન આ મિત્રા નામની પહેલી દષ્ટિમાં કયું ગુણસ્થાનક હય, તેનું અહીં સૂચન કર્યું છે. શાસ્ત્રમાં જે “મિથ્યાષ્ટિ’ નામનું પ્રથમ “ગુણસ્થાન” કહ્યું છે, તે અહીં મુખ્યપણ ઘટે છે. એટલે આ મિત્રા દષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ “ગુણસ્થાન” તે શખના ખરેખરા અર્થમાં-નિરુપચરિતપણે ઘટે છે. કારણ કે ગુણોની ઉત્પત્તિનું પ્રાપ્તિનું સ્થાનક તે “ગુણસ્થાનક” કહેવાય. અને તેમાં પ્રાથમિક અવસ્થાના ગુણોનું જ્યાં કુરણ હોય તે પ્રથમ ગુણસ્થાન” યથાર્થ પણે કહેવાય. આવા તથારૂપ ગુણોની પ્રાપ્તિનું મંડાણપ્રારંભ પ્રથમ દષ્ટિમાં થાય છે, એગમાર્ગમાં પ્રવેશનું શુભ મુહૂર્ત આ પ્રથમ દષ્ટિ છે, સન્માર્ગ પ્રાપ્તિની યોગ્યતાનું આ મંગલાચરણ છે, મેક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન ગ-પ્રાસાદની આ પ્રથમ
Page 143
ભૂમિકા છે, ગ–પર્વત પર ચઢવાને આ પ્રથમ પ્રયાસ છે. આમ મુખ્યપણે અર્થાત્ નિરુપચરિતપણે આ દૃષ્ટિમાં પ્રથમ ગુણસ્થાનક વર્તે છે. આ દષ્ટિ પ્રાપ્ત થયા પૂર્વે પણ સર્વ મિથ્યાદષ્ટિ જેની ગણત્રી પ્રથમ ગુણસ્થાનકમાં કરાય છે, પણ તે ઉપચરિતપણે, ગૌણપણે-મુખ્યપણે નહિં. એઓનું એ ગુણસ્થાનક નામનું હોય છે, ખરેખરૂં નહિં. કારણ કે તેમાં ગુણનું પ્રગટપણું નથી, ગુણનું સ્થાનક નથી, એટલે શબ્દના ખરા અર્થ મુજબ તે ગુણસ્થાનક નથી, કહેવા પૂરતું નામ માત્ર ગુણસ્થાન છે. આમ એ બંને પ્રકારમાં પ્રગટ ઘણો ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે. જેમ કોઈ માણસ “રાજા” કહેવાતું હોય, ને કઈ ખરેખર રાજસત્તા ધરાવતે રાજા હોય, તે બેમાં જેટલું તફાવત છે, તેટલે આગલા ગુણ વગરના પ્રથમ ગુણસ્થાનમાં ને ગુણસંપન્ન એવા મિત્રાદષ્ટિવાળા પ્રથમ ગુણસ્થાનમાં છે. અને અત્રે મિત્રાદષ્ટિમાં જે કે હજુ મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્ભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, તે ઉપરમાં વિસ્તારથી વિવેચવામાં આવ્યું છે. કારણ કે આપણે જોયું કે આ જગજનની આત્મમલિનતા મિત્રામાં ઘણું ઘણું દૂર થઈ હોય છે. એને સશુરુને ભેગ મળતાં, અવંચક ગુણપ્રાપ્તિ વયની પ્રાપ્તિ થાય છે. એની ચિત્તભૂમિ ચેકખી બને છે, વૈરાગ્યેજલના સિંચનથી પિચી થાય છે, ને તેમાં ગબીજને નિક્ષેપ થાય છે. પરમાત્મા પ્રત્યે તેને શુદ્ધ ભક્તિ પ્રગટે છે, સગુરુની તે ઉત્તમ ઉપાસના કરે છે, ને સત્શાસ્ત્રની વિવિધ આરાધના કરે છે. દયા, અદ્રેષ, ગુણાનુરાગ, જનસેવા વગેરે મંગલ ગુણેનું તે ધામ બને છે. અને એટલું યથાપ્રવૃત્તિકરણ પામી, તે ગ્રથિભેદની નિકટ આવીને ઉભો છે. આમ અનેક ગુણના આવિર્ભાવથી–પ્રગટપણાથી આ જોગીજનને “સુયશ વિલાસનું ટાણું” મળ્યું છે ઉત્તમ યશ પ્રાપ્તિને “અપૂર્વ અવસર” સાંપડ્યો છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદષ્ટિ : સાર (૧૭૩) આ ગુણ્ણા ઉપર પુખ્ત વિચાર કરી, પેાતાના આત્મામાં તેવા તેવા ગુણા પ્રગટયા છે કે નહિં, તેનું જો આત્મનિરીક્ષણ કરવામાં આવે, તેા પેાતાનામાં તેવા ગુણ નહિ. પ્રગટથા છતાં, પોતાનું સમિતીપણું કે છઠ્ઠા ગુણુઠાણાપણું માની બેસનારા લોકોના આત્મનિરીક્ષણ કેટલાક ભૂલભરેલા મિથ્યા બ્રાંત ખાલા દૂર થવાના સંભવ છે. સમ્યગ્દષ્ટિની મજલ તા હજી ઘણી લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજુ થઈ છે કે નહિ, પાશેરામાં પહેલી પૂણી' પણ ક’તાઇ છે કે નહિ, પહેલા ગુણુઠાણાનું પણ ઠેકાણુ છે કે નહિં, તે આ મિત્રા દૃષ્ટિના ગુણે! ઉપરથી આત્માથી એ વિચારવાનું છે, અને તે તે ગુણની પ્રાપ્તિ કરી સુયશ વિલાસનુ ટાણુ·· જેમ જલ્દી મળે તેમ કરવાનુ છે! સાધ ፡፡ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણુઠાણું રે; મુખ્યપણે તે હા હાયે, સુયશ વિલાસનું ટાણું રે....વીર”—શ્રી યાગ॰ સજ્ઝાય ૧-૧૫ 節 મિત્રાદૃષ્ટિના સાર–( Summary ) સમસ્ત જગત્ પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, નિવૅર બુદ્ધિ અહી' પ્રગટે છે, એટલે આને ‘મિત્રા' નામ ઘટે છે. અત્રે દશન-ખાધ તૃણુ અગ્નિકણના પ્રકાશ જેવા મંદ હાય છે, ચેાગનુ પ્રથમ અગ–યમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ માશયદોષના ત્યાગ હાય છે, અને અદ્વેષ નામને પ્રથમ ગુણ પ્રગટે છે. અહી' સ્થિતિ કરતા યાગી પુરુષ ઉત્તમ યાગબીજોનુ ગ્રહણ કરે છે. મુખ્ય ચાગબીજ આ છેઃ (૧) વીતરાગ પ્રભુની મન-વચન-કાયાથી શુદ્ધ ભક્તિ, (૨) ભાવયેગી એવા ભાવાચારૂપ સદ્ગુરુ આદિની ઉપાસના, વૈયાવચ્ચ, (૩) સ`સાર પ્રત્યે સહજ એવા અંતરગ વૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિવડે સત્શાસ્ત્રની આરાધના, (૬) ચાગખીજકથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, અને તેના શુદ્ધ ઉપાદેય ભાવ. આ ઉત્તમ યેાગમીજોનું ગ્રહણ, આત્માને ઘણેા ભાવમલ દૂર થયે, પ્રાયે મનુષ્યેાને હાય છે. અને આવે। ભાવમલને ક્ષય છેલ્લા પુદ્ગલાવત્તમાં તથાભવ્યતાના પરિપાકથી ઉપજે છે. આ છેલ્લા પુદ્ગલાવત્તમાં વતા જીવના
Page 144
મુખ્ય લક્ષણ આ છે (૧) દુ:ખી પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન પ્રત્યે અદ્વેષ, (૩) સર્વાં કાઇની અભેદભાવે યથેાચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રભૂત્તિ મહાત્મા જીવને અવ'ચકત્રયના ઉયરૂપ શુભ-નિમિત્ત મળે છે; સદ્ગુરુ સત્પુરુષના યાગથી યાગાવચક, ક્રિયાવાચક, ને ફલાવચક પ્રાપ્ત થાય છે. આને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે. આ અવાચકની પ્રાપ્તિ પશુ સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે પ્રણામ આદિથી થાય છે. અને તે પ્રણામ આદિનું કારણ પણ ભાવમલની અલ્પતા છે.-આમ ભાવમલની અપતાથી સત્પુરુષ પ્રત્યે પ્રણામાદિની પ્રાપ્તિ, તે પ્રણામાદિથી Page #240 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) યોગષ્ટિસમુચ્ચય અવ‘ચકપ્રાપ્તિ, અવચક્રપ્રાપ્તિથી શુભ નિમિત્તને સર્યાગ, અને તેથી કરીને ચાગબીજ વગેરેની પ્રાપ્તિ-એમ અત્ર કારણપરપરા છે. * અને આ બધુય છેલ્લા પુદ્ગલાવત્તમાં, અપૂર્વ' એવા છેલ્લા યથાપ્રવૃત્ત કરણમાં ઉપજે છે,-કે જ્યારે ભાવમલની અલ્પતા હાય છે, અને જીવ ગ્રંથિભેદની નજીકમાં આવ્યા હાય છે. આ છેલ્લુ' યથાપ્રવૃત્તકર અપૂર્વ કચ્છુના લીધે ખરેખર ! પરમાંથી અપૂર્વ જ છે. આવી આ મિત્રા ષ્ટિમાં । શબ્દના ખરેખરા અથ પ્રમાણે, મુખ્ય એવું પહેલુ· ગુણસ્થાનક વર્તે છે. મિત્રાદષ્ટિનું કાષ્ટક-૪ નિકટપણાને ‘ગુણસ્થાન ’ દ્રુનયાગાંગ તૃણુઅગ્નિ યમ જેવું મ ઢાષ ગુણ ત્યાગ પ્રાપ્તિ અખેદ અદ્વેષ યોગખીજગ્રહણ પ્રાપ્તિક્રમ સમય | (૧) જિન ભક્તિ ભાવમલઅલ્પતા છેલ્લા (૨) સદ્ગુરુસેવા, ↓ સંતને પ્રણામાદિ ↓ અવહેંચક પ્રાપ્તિ (૩) ભવ ઉદ્વેગ (૪) દ્રવ્ય અભિ ગ્રહપાલન (૫) સિદ્ધાંતના લેખનાદિ,બીજ કથાનુ` માન્ય પશુ, ભાવ મુખ્ય પુ.૫૦માં એવું પહેલું છેલ્લા યથા પ્ર૦ ↓ ૩. માં શુભ નિમિત્ત ત્ર થિભેદ ' નિકટ ઉપાદેય ચાગખીજ આદિ હાય ત્યારે 品 યોગદૃષ્ટિ કળશ કાવ્ય —: સદાકાંતા : મિત્રામાંહી તૃણ અગનિશે। મેધ તા મદ્ય દીસે, આંખું ઝાંખુ' દરશન થતું. માત્ર ચાખ્ખા ન ભાસે; તાયે શ્રદ્ધા શ્રુત પ્રતિ ધરી ચેગિ આ ભક્તિભાવે, મુક્તિમાર્ગે ગમન કરવા તીવ્ર ઇચ્છા ધરાવે. ૧૫. મિત્રામાંહી પ્રથમ કરીને ચેાગ સન્મિત્ર મૈત્રી, નિવૈરી આ સકલ જીવની સાથ સાધે સુમૈત્રી; વિના ખેદે મન દઢ ધરે દેવગુર્વા કૃત્યે, ગુણસ્થાનક ને અદ્વેષી કદી પણ કરે દ્વેષ ના કાઈ પ્રત્યે ૧૬. ગુણસ્થાનક ( ખરેખરૂં યથાથ ગુણુઠાણું ) Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) મિત્રાદષ્ટિ યોગદષ્ટિ કળશકાવ્ય રાગાદિથી જીવ ન હણને આત્મહિસા કરે ના, સાચું બોલે પર નિજ કહી ખોટું તે ઉચ્ચરે ના; વસ્તુ ચેરે નહિં પર કદી, બ્રહ્મચર્ય ચરે છે, મૂચ્છભાવે પર પરિગ્રહ ના પ્રસક્તિ ધરે છે. ૧૭. મિત્રાયોગી ચિતભૂમિ મહીં ચગના બીજ વાવે, વૃદ્ધિ પામી ફલ અચૂક જે મેક્ષરૂપી જ લાવે, જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે, થાયે ભાવી ત્યમ શિવપ્રદ બીજે આવા સ્વભાવે. ૧૮. અત્રે યોગી પ્રભુ પ્રતિ પર પ્રીતિ ભક્તિ ધરાવે, પૂજે અચે ગુણગણ સ્તવે સ્તોત્ર સંગીત ગાવે; ચોખા ચિતે પ્રણમન કરે શુદ્ધ નિષ્કામ ભાવે, સંજ્ઞા સર્વે ભૂલી જઈ પ્રભુ ધ્યાન એકાગ્ર થા. ૧૯. આત્મારામ ગુણગણગુરૂ ભાવ આચાર્ય સાચા, ને સસાધુ અવધૂત મુનિ ભાવગી જ જાચા તે સૌ પ્રત્યે તન મન વચે શુદ્ધ ભક્તિ લહે છે, ને સેવામાં વિધિયુતપણે તત્પર થે રહે છે. ૨૦. જન્મ મૃત્યુ દુઃખ ત્યમ જરા રેગ ને શોક દ્વારા, આ સંસાર સ્વરૂપ સહજે ખૂબ લાગે અકારા; ને તે કારગૃહ થકી સદા છૂટવાને ચહે છે, ઉદ્દેજીને ભાવભય થકી મિક્ષ ઈચ્છા વહે છે. ૨૧ દાનાદિન અભિગ્રહ ધરી સાધુસેવા કરે છે, ને લોકાર્પે તન-મન-ધને શક્તિ સવે ધરે છે; રેગી દુઃખી દીન પ્રમુખને ઔષધાર્દિ દૌએ છે, સાચા ભાવે સુકૃત કરતાં પુણ્ય લ્હાવો લિએ છે. ૨૨. સતશાસ્ત્રોને લખી લખવીને ભક્તિ ભારી કહે છે, પૂજે અર્થે શ્રવણ ગ્રહણે અર્થ તેને રહે છે; ભવ્ય પાસે પ્રગટ કરતે તેહ
Page 145
સક્ઝાય દવે, ચિતે ભાવે પરમથુતને વિશ્વમાંહી પ્રભાવે. ૨૩, Page #242 -------------------------------------------------------------------------- ________________ '(૧૬) યોગદષ્ટિસમુચ્ચય જ્યારે તે તે બીજ તણી કથા એ આ સાંભળે છે, શ્રદ્ધાવેગે તરત સદહી માન્ય તેને કરે છે; ને તે પ્રત્યે પરમ ધરતે શુદ્ધ આદેય ભાવ, સાચે છે તે મહતઉદયી ભારી પુણ્ય પ્રભાવ. ૨૪. પાકી જ્યારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે, છેલ્લો જ્યારે પુદગલતણે અત્ર આવર્ત આવે; ત્યારે પ્રાયે મનુજગતિમાં ગબીજે ગ્રહે આ, બીજા આવું મહત કરવા વ્યક્તિ કયાંથી લહે આ? ૨૫ દુઃખી દેખી દિલ દ્રવ દયાભાવ ધારે દયાળુ, તે પિતાનું દુઃખ ગણું અનુકંપ પામે કૃપાળુ; રીઝે જોઈ ગુણ ઉચિત તે સેવ સૌની કરે છે, છેલ્લા ફેરા મહિ ભવતણા ભવ્ય આ ઠરે છે. ૨૬. ત્યારે તેને શુભ નિમિત્તને સાંપડે છે. સારે, જેથી આશ્રી સદગુરુ લહે પેગ નિવચનારે; તેના ક્રિયા ફલ પણ પછી પંચનારા ન થાવે, લય પ્રત્યે અચૂક શરનું જેમ સંધાન પાવે. ૨૭. અંતર મેલ ક્ષીણ બહુ થયે સંત સેવા કરતા, યેગ ક્રિયા ફલ પરમ એ વચકા ના હવંતા, પામે આવા સુગુણ ભગવાન વેગ અત્ર સ્વભાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસમાં જેમ આવે. ૨૮. અનુષ્કુ વાવી ગબીજો ચિ, ભાવી મોક્ષફલપ્રદા; લાવે સમ્યક્ત્વને પાસે, મને નંદન સર્વદા. ૨૯. " યોગ-બીજ કલા પામી, આ ગીરાજ ચંદ્ર શા, ભગવાન્ પૂર્ણતા પામે, હરિભદ્ર મહાયશા. ૩૦. ॥ इति महषि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे प्रथमा मित्रादृष्टिः ॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ તારાદેષ્ટિ હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અને કહે છે तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥ ४१ ॥ તારા મહિં દર્શન ટ કંઈ, નિયમ તેહવો ખાસ; અનુક્રેગ હિત કાર્યમાં તત્ત્વવિષય જિજ્ઞાસ, ૪૧, અર્થ તારા દૃષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા હેય છે. વિવેચન “દશન તારા દષ્ટિમાં....મન ગોમય અગ્નિ સમાન...મન”—. સ. -૧ આ બીજી તારા નામની દૃષ્ટિમાં દર્શન-બોધ પહેલી મિત્રા દષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ–ચેક હોય છે. એને ગોમયના એટલે છાણના અગ્નિકની ઉપમા ઘટે છે. વૃત્તિ-તારાય તુ-તારા દૃષ્ટિમાં તે, શું? તે કે-મના ૫છં-કંઇક સ્પષ્ટ એવું દર્શન હોય છે. નિચન તથવિધઃ-અને તથા પ્રકારનો નિયમ, શૌચ આદિ; ઈરછા આદિ રૂપ જ નિયમ પણ હોય છે. શૌચ, સંતોષ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ છે. ‘શૌનસંપતY:વાધ્યાયે ઘળિયાના ત્તિ: _એ વચન ઉપરથી. તેથી અત્રે દિતીય-બીજા યોગથકી પ્રતિપત્તિ પણ હોય છે, પણ મિત્રામાં તે આનો અભાવ જ છે,–તથા પ્રકારના ક્ષયોપશમના અભાવને લીધે. તથા બના હિતાર-પારલૌકિક હિત આરંભમાં અનુૉગ. પરલોક સંબંધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું. આ અખેદ સહિત હોય. એથી કરીને જ તેની સિદ્ધિ હોય છે. તથા નિજ્ઞાસા તરવાવરા-તરગેચર જિજ્ઞાસા. તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા,-અષથકી જ તેની પ્રતિપત્તિનું આનુગુણ છે. (અદ્વેષ ગુણ પહેલાં આવ્યો છે, એટલે તેના અનુગુણપણે--તેને પછીને જિજ્ઞાસા ગુણ આવે છે.) Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) યોગદષ્ટિસમુચ્ચય છાણને અગ્નિ તણખલાના અગ્નિ કરતાં કંઈક વધારે પ્રકાશવંત, વધારે સ્થિતિવાળે, વધારે સ્પષ્ટ હોય છે, તેમ આ દષ્ટિનો બોધ પણ પ્રથમ કરતાં કંઈક વધારે વિશદ-ચેક હોય છે. તોપણ તે લગભગ મિત્રા દૃષ્ટિ જેવો જ છે, માત્ર માત્રાને જ ફેર છે. એટલે જેમ છાણાના અગ્નિકણને પ્રકાશ ઇષ્ટ પદાર્થનું બરાબર દર્શન કરાવી શકતું નથી, તેમ આ દષ્ટિને બંધ તત્વથી–પરમાર્થથી ઇષ્ટ એવા આત્મતત્ત્વાદિનું દર્શન કરાવી શકતો નથી, ઝાંખે ખ્યાલ માત્ર આપે છે, કારણ કે છાણાને અગ્નિ લાંબે વખત ટકતો નથી, છેડીવારમાં બૂઝાઈ જાય
Page 146
છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તેને સમ્યક બરાબર પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતું નથી. છાણાના અગ્નિનો પ્રકાશ મંદ-ઝાંખો હોય છે, તેમ આ દૃષ્ટિને બોધપ્રકાશ પણ અલ્પ–મંદ વીર્યવાળો હોય છે. છાણનો અગ્નિ જોતજોતામાં ઓલવાઈ જાય છે, તેની દઢ સ્થિતિ રહેવા પામતી નથી, તેમ અત્રે પણ અલ્પ વીર્યસ્થિતિવાળા બોધને દઢ સ્મૃતિસંસ્કાર રહેતું નથી, એટલે જીવનમાં આચરણરૂપ પ્રગ વેળાએ પટુ-નિપુણ એવી સ્મૃતિ હોતી નથી. અને આમ છાણાના અગ્નિને પ્રકાશ સાવ પાંગળો હોવાથી, તેના વડે કરીને કંઈ ખરૂં પદાર્થ દર્શનરૂપ કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દૃષ્ટિમાં બેધનું વિકલપણું–હીનપણું હોવાથી, અત્રે ભાવથી વંદનાદિ કાર્ય બનતા નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. તેમ જ આ બીજી યોગદષ્ટિ છે, એટલે આગળ કહેલા નિયમ પ્રમાણે, તેમાં (૧) યોગનું બીજુ અંગ નિયમ, (૨) તથા બીજા દેષના ત્યાગરૂપ અનુગ, (૩) અને બીજા જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ થાય છે. ૧. યોગનું બીજું અંગ : નિયમ “શૌચ સંતેષ ને તપ ભલું....મનસઝાય ઈશ્વર ધ્યાન રે...મન નિયમ પંચ ઈંહાં સંપજે...મન”—ગ દસઝાય-૨,-૧ યમ નામનું યોગનું પ્રથમ અંગ પ્રાપ્ત થયા પછી, ક્રમ પ્રમાણે, તેનું બીજું અંગ નિયમ અહીં સાંપડે છે. અહિંસા વગેરે જે યમ છે, તે યાજજીવ-જીવે ત્યાં લગી ધારણ કરવાના હોય છે, અને જે નિયમ છે તે પરિમિત-મર્યાદિત કાલ પર્વતના, અમુક મુકરર નિયત વખત માટેના હોય છે. ‘નિયમ: પરિમિતાસો વાવઝીä ચમો પ્રિયતે |’ (રત્નકરંડ શ્રાવકાચાર). જેમકે-સ્વાધ્યાય, તપ વગેરે અમુક ચોકકસ અવધારિત સમય માટે હોય છે, ચાવજ જીવ હતા નથી, માટે તે નિયમ કહેવાય છે. તે નિયમ મુખ્ય એવા પાંચ છેઃ (૧) શૌચ. (૨) સંતેષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, (૫) ઈશ્વર પ્રણિધાન. અને તેના વળી તરતમતાના કારણે, કક્ષાદે કરીને, ઇચ્છા વગેરે ચાર પ્રકાર છે-ઈચ્છાનિયમ, પ્રવૃત્તિનિયમ, સ્થિરનિયમ, સિદ્ધિનિયમ. ૧. શૌચ–એટલે શુચિપણું, શુદ્ધિ, પવિત્રપણું; મનનો મેલ સાફ કરે છે, Page #245 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિઃ બીજુ ગાંગ-નિયમ, શૌચની વ્યાખ્યા (૧૭૯) અંત શુદ્ધિ કરવી, આત્મમલિનતા દૂર કરવી, તે જ ખરૂં શૌચ છે. કેટલાક લોકે જલથી જ શૌચ માને છે, તે યુક્ત નથી. તેથી તે કદાચ શરીરને મેલ સાફ શૌચ=અંતઃશુદ્ધિ થાય, અને તે પણ ખરેખરી રીતે બનવા યોગ્ય નથી, કારણ કે શરીર પોતે જ અશુચિની ખાણ છે, અશુચિને ઉકરડો છે. તે હજારો વર્ષ સુધી સાગર જેટલાં જલથી પણ સ્નાન કરતાં શુદ્ધ ન થાય ! એમ માછલાં પણ બિચારા વીસે કલાક પાણીમાં પડ્યા રહે છે ! તેમ ગમે તેટલા તીર્થ સ્નાન કર્યું પણ શૌચ થતું નથી. આ બાહ્ય શૌચ અહીં પ્રસ્તુત નથી, પણ અંતરંગ શૌચ જ વિવક્ષિત છે. ભાવશુદ્ધિરૂપ આધ્યાત્મિક શૌચને છેડી, જે જલ આદિ શૌચ છે, તે ભલે મૂઢ જનને વિસ્મય પમાડે, પણ બુધ જનને નહિં. કારણ કે– અહો ! મૂઢ જીવો એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળવડે નહાય છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન-સુખડથી ચર્ચ છે; અને હવે અમે પવિત્ર છીએ એમ ગણી એના પર પ્રીતિ–મોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડો કદી શુદ્ધ થાય ખરો? ન જ થાય.” શ્રી મનસુખભાઈ કી. કૃત શાંતસુધારસ વિવેચન બુધ અને તે આવા બાહ્ય શૌચને તેની કવચિત ગ્યતા કરતાં ઝાઝું મહત્વ આપતા નથી. તેઓની દષ્ટિ તે મુખ્યપણે અંતરંગ શુદ્ધિ ભણી જ હોય છે. તેઓ તે ધ્યાનરૂપ જલવડે, કમલની શુદ્ધિ કરવારૂપ ભાવ સ્નાન કરે છે. ધમરૂપ* દ્રહની અંદર બ્રહ્મચર્યરૂપ નિર્મલ શાંતિતીર્થમાં તેઓ સ્નાન
Page 147
કરી વિમલ વિશુદ્ધ થાય છે, દોષને ત્યાગ કરી શીતલ થાય છે.” “ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् । કરું í સાબિચ માઘસ્નાનં તદુ ”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક “ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહ ભાવીએ. ” “ પર પરિણતિ રજ કે, નિર્મલ સિદ્ધિ વરંત.”—શ્રી દેવચંદ્રજી x" शौचमाध्यात्मिकं त्यक्त्वा भावशुद्धयात्मकं शुभम् ।।" નરાશિરે ચહું મૂઢવિદEાપન દિ તત્વ –વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી. *" स्नायं स्नायं पुनरपि पुनः स्नांति पुण्याभिरभ्दिः वारंवारं बत मलतनु चंदनैश्चर्चयंते । मूढात्मानो वयमपमला प्रोतिमित्याश्रयंते । नेो शुद्धयंते कथमवकरः शक्यते शोध्धुमेवम् ॥" –શ્રી વિનયવિજયજી મહારાજકૃત શાંતસુધારસ + “ धम्मे हरए बंभे संतितित्थे, अणाइले अत्तपसन्नलेसे । - કવિ orો વિમો વિયુદ્ધો, મુરતિમૂરો પગામિ સં છે ? –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર " आत्मा नदी संयमते।यपूर्णा, सत्यावहा शीततटा दयार्मिः। તત્રામિણે પાડુપુત્ર ? – વાણિ શુદ્રથતિ ચાતરાત્મા II” –શ્રી મહાભારત, Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ગદષ્ટિસમુચ્ચય આમ ગૃહસ્થાદિને કારણવિશેષે કંઈક ઉપયોગિતા છતાં બાહ્ય શૌચનો આગ્રહ સર્વથા મિથ્યા છે. આત્માને પરપરિણતિરૂપ અંદરને મેલ જેમ બને તેમ સાફ કરે, અને આત્માને શુચિ-નિર્મલ-પવિત્ર શુદ્ધ સ્વભાવરૂપ સ્વધર્મ પ્રગટ કરે –એ જ સાચું ભાવ શૌચ સર્વ સંતજનેને સંમત છે. અથવા શૌચ એટલે નિર્લોભતા, નિર્લોભીપણું. આ પણ અંતરશુદ્ધિરૂપ છે; કારણ કે લેભ સર્વ પાપનું મૂળ કહેવાય છે. લાભ વધે તેમ લેભ વધે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. “ચા તા રોહો.” માટે જેમ બને તેમ લેભને મર્યાદિત કર, શૌચ=નિર્લોભતા અમુક ચોક્કસ નિયમમાં આણ તે શૌચ છે. પરપદાર્થને ઈચ્છ, પર પરિણતિમાં લેભાગું, પરવસ્તુની લાલચ રાખવી તે લેભના લક્ષણ છે. પરપરિણતિને રંગ જેમ જેમ દેવા જાય, તેમ તેમ નિર્લોભપણારૂપ શૌચ પ્રગટતું જાય છે. આ પરવસ્તુને લેભ-લાલસા ભાવ જેમ જેમ ઘટે તેમ તેમ શૌચ એટલે આત્માનું શુચિપણું-પવિત્રપણું પ્રગટે, અંત:શુદ્ધિ વધતી જાય. આમ બન્ને એકાવાચી છે. અથવા શૌચ એટલે પ્રમાણિક્તા (Honesty) છે. જે પ્રમાણિક માણસ હોય, તે પારકી વસ્તુ રહે નહિં, સ્પશે પણ નહિં. તે આબાલવૃદ્ધ સર્વ કેઈ સમજી શકે છે, માટે પરપદાર્થને જેમ બને તેમ હાથ પણ ન લગાડે તે શૌચ = શૌચ છે પારકી વસ્તુ ભૂલથી પણ લીધી હોય તે તે પાછી આપી પ્રમાણિકતા દેવી એ પ્રમાણિકપણારૂપ શૌચ છે. જેમ જેમ પરવસ્તુને ને પરપરિણતિને સંસર્ગ રંગ છૂટતો જાય, તેમ તેમ શૌચ ગુણ ફુટ થતું જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એકવાક્યતા છે. “હું કરતા હું કરતા પરભાવને હોજ, ભક્તા પુદ્ગલરૂપ; કારક કારક ગ્રાહક એહને હજી, રાચ્ચે જડ ભવભૂપ...નમિપ્રભ૦–શ્રી દેવચંદ્રજી “ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.”—શ્રીમદ્ રાજચંદ્રજી આ શૌચની ભાવનાથી આટલા ફળ આવે છે:-(૧) * સ્વાંગજુગુપ્સા–પિતાની કાયાના રૂપને વિચાર કરતાં તેનું અશુચિપણું જણાય છે, એટલે તે મલમૂત્રની ખાણ પ્રતિ જુગુપ્સા-ધૃણું ઉપજે છે, સૂગ આવે છે, અને આ કાયા અશુચિ છે. માટે એમાં લેશ માત્ર મિથ્યા મેહ-માન–આગ્રહ કર્તવ્ય નથી. (૨) અન્ય સાથે અસંગમ–બીજા કાય* “ જ્ઞોવાનું હા 7Tcણા ઘરસંસદા સુણરવશુદ્ધિતૌબનાવ્યેનિયનથારમનત્યાન જ ”પા. . ૨, ૪૦-૪૧. " शौचभावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसंगमः । सत्वशुद्धिः सौमनस्येका-याक्षजययोग्यता ॥" -શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા Page #247 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ સતેષ, તપ, સ્વાધ્યાય (૧૮૧) વંતે-દેહધારીઓ સાથે અસંગમ એટલે તેને સંપર્કનું પરિવર્જન થાય છે. જે ખરેખર ! પોતે જ અશુચિમય પિતાની કાયાને જગુસે છે, તે તેવી જ અશુચિમય પારકી કાયાઓ સાથે સંસર્ગ કેમ અનુભવે ? (૩) સત્ત્વવૃદ્ધિ-પ્રકાશ-સુખાત્મક સુસત્તની શુદ્ધિ થાય છે, એટલે કે રજસૂ-તમસ રહિતપણું થાય છે. (૪) સૌમનસ્ય-ખેદના અનનુભવથી માનસી પ્રીતિ ઉપજે છે, ચિત્તપ્રસન્નતા થાય છે. (૫)
Page 148
એકા-એકાગ્રપણું, એટલે નિયત વિષયમાં ચિત્તનું સ્થિરપણું થાય છે. (૬) ઈદ્રિયજય-ઇદ્રિયનો જય થાય છે. (૭) આત્મદર્શન ગ્રતા-વિષયપામુખનું એટલે જે વિષયથી વિમુખ થયા હોય તેનું સ્વાત્મામાં અવસ્થાન-સ્થિતિ થાય છે, અને વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનમાં ગ્યતા પ્રાપ્ત થાય છે, સમર્થપણું સાંપડે છે. ૨. સંતેષ-પ્રાપ્ત સ્થિતિમાં તુષ્ટ રહેવું, પ્રસન્ન-રાજી રહેવું, સદા ખુશમીજાજમાં રહેવું તે સંતેષ છે. આ સંતોષથી ભેગો પગ પદાર્થની મર્યાદા બંધાય છે, પરિગ્રહ પરિમાણનું નિયમન કરાય છે, આરંભની નિવૃત્તિ થાય છે. બાકી “તૃષ્ણ તે આકાશ જેવી અનંત છે.” “પ્રત્યેક પ્રાણી દીઠ તૃષ્ણારૂપ ઊડે ખાડે છે, તેમાં આખું વિશ્વ એક અણુ જેટલું છે, તે પછી તેના ભાગે કેટલું આવશે ?” * આમ તૃષ્ણાને ખાડો કદી પૂરાતો નથી. ચક્રવર્તીની ઋદ્ધિથી કે મેરુ જેવડા સેનાના ડુંગરથી પણ જે તૃષ્ણા છીપતી નથી, તે પામર મનુષ્યની પામર સંપત્તિથી શી રીતે છીપવાની હતી ? જેમ જેમ આ જીવ તૃષ્ણતરંગમાં તણાતે જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઊંડા તૃષ્ણાજલમાં ઉતરતો જાય છે ! સતીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કે “હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, ન મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહે ! રાજ્યચંદ્ર માને માન શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તેય જાય ન મરાઈને.”—શ્રી મોક્ષમાળા આ વિષયતૃષ્ણનું નિવારણ નિયમન કરનાર સંતેષ છે જેમ જેમ પર વસ્તુની મૃગતૃષ્ણાને-ઝાંઝવાના જળને મોહ ઓછો થતો જાય છે, તેમ તેમ સંતેષ ગુણની * “તિ ટુ ભારતમાં મળતિયા ”—શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, “મારામઃ કતિળિ ચમન વિશ્વમપૂTY | ચ વિહં ક્રિયાતિ વૃથા તે વિષચેષિતા ? –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન, " સંતાપાનામ: મુઢિામ: I'-પાતo o ૨-૪૨. Page #248 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨) ચેાગદષ્ટિસમુચ્ચય માત્રા વધતી જાય છે. જેમ જેમ પાંચ ઇંદ્રિયના વિષયમાંથી વિરામ પામતા જઈ, પરતૃષ્ણાથી પરિતપ્ત થયેલે આત્મા પરતૃષ્ણા છેડતા જાય છે, તેમ તેમ તે આત્માથી પરિતૃપ્ત થઇ સતેાષજન્ય આત્મશાંતિ અનુભવતા જાય છે. એટલે જ આ દૃષ્ટિવાળા મુમુક્ષુ જોગીજન જેમ અને તેમ ઇંદ્રિયાની વિષયતૃષ્ણામાંથી × પાછે। હઠી, આત્માધીન એવું સતાષસુખ મેળવવા ઇચ્છે છે. ૩. તપ—કમના ક્ષય અથે, નિર્જરા અર્થે જે તપવામાં આવે, તે તપ છે. અથવા જે તપ-તેજવડે આત્માનુ સ્વરૂપમાં પ્રતપવું-અત્યંત પ્રતાપવંત હાવું, નિજ સ્વરૂપતેજે ઝળહળવુ', તે ‘ તપ' કહેવાય છે. જેમ આમ્રક્સ વગેરે ફળ ગરમી વગેરેથી જલ્દી પાકે છે, તેમ કમ પણ તપ-અગ્નિના તાપથી શીઘ્ર પાકીને નિજરે છે. આ તપના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય ખાર ભેદ છે,-ઉપવાસ, ઊણાદરી વગેરે છ બાહ્ય તપ છે, અને પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાય વગેરે છ અભ્યંતર તપ છે. બાહ્ય તપ, અભ્યંતર તપને ઉપકારી થાય છે, અનુકૂળતા કરી આપે છે, સહાયકારી કારણરૂપ થાય છે. કારણ કે-જ્યારે ઉપવાસાદિ હાય છે, ત્યારે ઘણી બાહ્ય પંચાત મટી જાય છે, મન સ્વચ્છ રહે છે, પ્રમાદ થતા નથી, અને સ્વાધ્યાય—ભક્તિ આદિમાં પ્રવર્તાવાની અનુકૂળતા-અનુકૂળ તક મળે છે. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ અને તેમ વિષયકષાયને! ત્યાગ કરવા જોઇએ, ઉંઘવું-પાના રમવા વગેરે પ્રમાદ ન હેાવા જોઇએ, આભ્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવેા જોઇએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાને પ્રયાસ કરવા જોઇએ, તે જ તે ખરેખરો ‘ઉપવાસ' કહી શકાય. નહિં તે લાંઘણુ જ છે! X દ્ર મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ૦ પર તૃષ્ણાએ તપ્તરે; તે સમતા રસ અનુભવે રે લાલ॰ સુમતિ સેવન વ્યાપ્તરે.”—શ્રી દેવચ’દ્રજી દ 'कषायविषयाहारत्यागो यत्र विधीयते । ઉપવાસઃ સ ત્રિજ્ઞો
Page 149
રોષ છાન વિદુ: || ...શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ, k यत्रः राधः कषायाणां ब्रह्मध्यानं जिनस्य च । જ્ઞાતન્ય તત્ત: શુદ્ધમત્રશિષ્ટ તુ નમ્ ।”-શ્રી અધ્યાત્મસાર, આમ બાહ્ય તપ, આભ્ય'તર તપને પુષ્ટિ આપે છે, તેના સાધનની નિરાકુલતા કરી આપે છે, તેથી તે કબ્ધ છે જ,પરંતુ ક્રિયાજડપણે નહિ; પણ સમજણપૂર્વ ક–જ્ઞાન 66 યા સંતે પાચં મેડિનિય સયંશઃ । રૂદ્રિયાળીન્દ્રિયાર્થેયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ।।”—શ્રી ગીતા. "C परं कर्मक्षयार्थ' यत्तप्यते तत् तपः स्मृतम् ॥” “ સ્વરૂપે પ્રસવનાત્તવ:।। ”— શ્રી અમૃતચ`દ્રાચાર્ય છે. * Page #249 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિઃ તપસ્વીનું વધતું જતું તેજ (૧૮૩) કરવામાં આવે, પોતાની શક્તિની મર્યાદા-ગજું ખ્યાલમાં રાખીને જ જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તે જ તે કલ્યાણકારી થાય છે. બાકી ગજા ઉપરવટ થઈને યથાશક્તિ તપ મમતની ખાતર અથવા દેખાદેખીથી મહિના મહિનાના ઉપવાસ ખેંચ વામાં આવે, અથવા મનમાં માયાને રંગ રાખી અજ્ઞાનપણે માસખમણ વગેરે તપશ્ચર્યા કરવામાં આવે, તે પણ જન્મમરણ દુ:ખ ટળતું નથી. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે-અજ્ઞાનીઝ ક્રોડે વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતા નથી, તે જ્ઞાની એક શ્વાસે શ્વાસ માત્રમાં ક્ષીણ કરે છે. કેવલ કાયકલેશરૂપ તપ તે બાલ તપ છે, અજ્ઞાન તપ છે, માટે તપ જ્ઞાનપૂર્વક હોય તે જ કલ્યાણ થાય છે. કષ્ટ કરે સંયમ ધરે, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિં દુઃખને છે.”—સવાસો ગાથાનું સ્તવન દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જે માયા રંગ રે; તેપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજુ અંગ રે”—સા. 2. ગા. સ્ત. ખરેખરૂં મુખ્ય તપ તે આત્યંતર તપ છે. સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, વ્યુત્સર્ગ, વિનય, ને ધ્યાન એ અંતરંગ તપના છ પ્રકાર છે. તેના વળી અનેક ઉત્તર ભેદ છે. આ તપથી અંતરાત્માની શુદ્ધિ થતી જાય છે, કર્મમલ ગળાતો જાય છે, નિર્જરતે જાય છે. જેમ અગ્નિમાં તપાવવાથી સેનાનો મેલ ગળાઈ જઈ તે ચેખું થતું જાય છે, તેમ જ્ઞાનપૂર્વક તપથી આત્માનો અંદરને મેલ ગળાતે જઈ આત્મા ચેક બને છે. તપથી કલેશાદિ અશુચિના ક્ષયથી કાય-ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. “નિદ્રસિદ્ધિાશુક્રિયાન તપાઃ ” (પા. . ૨-૪૩). અને જેમ જેમ આ જ્ઞાનપૂર્વક તપનું અંતસ્તેજ વધતું જાય છે, તેમ તેમ આત્મા રવિ’ની જેમ પ્રતાપી તેજથી ઝળહળતો જાય છે. તે સાધીને તે “સેમ’ (ચંદ્ર જે સૌમ્ય-શીતલ) બને છે. એટલે તે મહાન “મંગલ” પંક્તિ પામે છે. તપસ્વીનું એટલે પછી તે “બુધ જનોના પ્રણામનું પાત્ર-“અત્ ” થાય છે, ને વધતું તેજ નિગ્રંથ જ્ઞાતા સિદ્ધિદાતા “ગુરુ” બને છે, અથવા તે પરિપૂર્ણ આત્મ વીર્યથી વિરાજતે “શુક” થાય છે, અને ત્યાં ત્રિગ-મન વચન કાયાના રોગ કેવળ મંદ (શનિ) થાય છે, ને પછી સ્વરૂપસિદ્ધિમાં વિચરી તે વિરામ પામે છે ! આ આ તપનો અપૂર્વ મહિમા છે. આ જ ભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં પિતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યો છે – x “अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् ।। અન્ત જ્ઞાનતાપુજતા નૈવ સંત –શ્રી યશોવિજયજીકૃત શ્રી અધ્યાત્મસાર Page #250 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪) ગદષ્ટિસમુચ્ચય “પપધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધન પ્રણામે. નિર્ચથ જ્ઞાતા ગુરુ સિદ્ધ દાતા, કાં તો સ્વયં શુક પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.” ૪. સ્વાધ્યાય-સક્ઝાય, પ્રણવપૂર્વક મંત્રોને જ; અથવા સશાસ્ત્રનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, પરિશીલન કરવું તે સઝાય. આત્મતત્વને અભ્યાસ કરવો, ચિંતન કરવું તે સ્વાધ્યાય છે. દેહાદિ સમસ્ત પર વસ્તુથી હું સર્વથા ભિન્ન એ શુદ્ધ ચૈતન્યમૂત્તિ આત્મા છું, એવી આત્મભાવને ભાવતા રહી, દેહમાં આત્મબુદ્ધિ છોડી દેવી,
Page 150
દેહાધ્યાસ છોડી દેવ, અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી, એ ઉત્તમ પ્રકારના સ્વાધ્યાય છે. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે, એવા અધ્યાત્મ ગ્રંથ વાંચવા-વિચારવા; વૈરાગ્ય-ભક્તિવાહી પદે, ભજન, સ્તવન ગાવા, લલકારવા; શંકાસમાધાન અર્થે પૃચ્છા કરવી; નિરભિમાનપણે જાણે પિતાના આત્માને બોધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું, વૈરાગ્ય ભાવના ભાવવી,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. સ્વાધ્યાયાદિદેવતાસં : ” (પાઇ થo ૨-૪૪). “ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.”–શ્રી આનંદઘનજી “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન છે.” ૫. ઈશ્વરપ્રણિધાન–એકાગ્ર ચિત્તે પરમાત્મા પરમેશ્વરનું ધ્યાન ધરવું, ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન. તેના સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન–જેડાણ કરવું, ચિત્તનું લીનપણું કરવું, તન્મયપણું કરવું તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઈશ્વર એટલે જેનામાં જ્ઞાનાદિ અનંત એશ્વર્ય આવિર્ભત થયું છે-પ્રગટ થયું છે, જે અનંત આત્માદ્ધિના સ્વામી-પ્રભુ-ઈશ્વર બન્યા છે તે. જેણે પરમ એવા પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, એવા શુદ્ધ સિદ્ધ આત્મા તે ઈવર. “સે ઈશ્વર દેવ, જેણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હે સકલ પ્રગટ કરી.” “જેહના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિ વરિયે; પરમાતમ જિનદેવ અહીં, જ્ઞાનાદિક ગુણ દરિયે રે...સ્વામી ! વિનવિયે મનરગે.” –શ્રી દેવચંદ્રજી એવા પરમાત્મા-પરમેશ્વર પદને પ્રાપ્ત થયેલ ઈશ્વરનું પ્રણિધાન કરવું, એકાગ્ર ચિત્તે ધ્યાન-ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન છે. પછી તે ઈશ્વરને ભલે પ્રભુ, જિન, અહંત , શિવ, શંકર, બુદ્ધ વગેરે અનેક નામે ઓળખવામાં આવતું હોય. કારણ કે નામભેદ છતાં અર્થભેદ નથી. તથારૂપ યથાર્થ ગુણવાળું ઈશ્વરપણું હોય એટલે બસ. તે ઈશ્વરપણું જ પૂજ્ય છે, પછી ગમે તે નામે મરે. જેમકે – Page #251 -------------------------------------------------------------------------- ________________ તારાદદિ ઈશ્વરમણિધાન, અનુગ (૧૮૫) “શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન; જિન અરિહા તીર્થકરુ, જોતિ સ્વરૂપ અસમાન.શ્રી સુપાર્શ્વ, અલખ નિરંજન વછલુ, સકલ જંતુ વિશરામ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...શ્રી સુપાર્શ્વ વિધિ વિરંચિ વિશ્વભરુ, હૃષીકેશ જગનાથ; અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ..શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર...શ્રી સુપાર્શ્વ ” શ્રી આન દઘનજી એ * ઈશ્વરને શા માટે આરાધવા જોઈએ? જેવું તે ઈશ્વરનું સ્વરૂપ છે, તેવું આ આત્માનું સ્વરૂપ છે, તેનું ભાન થવા માટે. પ્રભુ પિતે તે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા હોઈ, આદર્શરૂપ છે. તે આદર્શ દેખીને, જીવને પોતાના સ્વરૂપને લક્ષ આરાધન હેતુ થાય એ જ ભક્તિ-ઉપાસનાને મુખ્ય ઉદ્દેશ-હેતુ છે. જેમ ઘેટાના ટોળામાં ઉછરેલા સિંહશિશુને પોતાના સ્વરૂપનું વિસ્મરણ હોય છે, પણ જે તે સિંહને દેખે કે તરત તેને સ્વરૂપનું ભાન આવે છે, તેમ પરમાત્માના સ્વરૂપ ચિંતનથી આત્માને નિજ સ્વરૂપનું ભાન થાય છે. એટલે પરમેશ્વરના અવલંબનરૂ૫ સેતુબંધથી-પૂલથી આ જીવ સહેલાઈથી ભવસાગર તરી જાય છે, દુસ્તર ભવસમુદ્ર ગોપદ જે બની જાય છે! પ્રભુભક્તિને આ અદ્ભુત મહિમા છે, એટલા માટે એનું પરમ પૂજ્યપણું છે, એમ જાણી આ દૃષ્ટિવાળે યોગી પુરુષ જેમ બને તેમ ભક્તિપરાયણ થાય છે, સાવધાન-એકાગ્ર ચિત્તે તેનું નામસ્મરણ, ભજન, સ્તવન, ચિંતન, ગુણસંકીર્તન, ધ્યાન વગેરે કરે છે. આ ઈશ્વરપ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ થાય છે. શ્રી સુપાસ જિન વદિયે, સુખ સંપત્તિને હેતુ શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. સાવધાન મનસા કરી, ધારે જિનપદ સેવ.”—શ્રી આનંદઘનજી, આવા આ પાંચ નિયમને અહીં બીજી દષ્ટિમાં સંભવ હોય છે. અત્રે પ્રથમ દષ્ટિનું અંગ જે યમ તે તે હોય જ, ઉપરાંત આ નિયમ પણ હોય, પરંતુ પ્રથમ દૃષ્ટિમાં * તપ, સ્વાધ્યાય ને ઈશ્વરપ્રણિધાનથી કલેશ કાર્યના પ્રતિબંધારા સમાધિનું અનુકૂલપણું થાય છે. "तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । સમાધિમાનાર્થ: વજેશતનુવાળાર્થ ”—પા, , ૨-૧. “સમાલિસિદ્ધિીશ્વપ્રળિયાના ?-પા, , ૨-૪૫, Page #252 --------------------------------------------------------------------------
Page 151
________________ (૧૮૬) ગદષ્ટિસમુચ્ચય નિયમ ન હોય, કારણ કે તેવા ક્ષપશમને અભાવ છે. એટલે કે પાછલી દૃષ્ટિમાં આગલી દષ્ટિને ગુણ હોય જ, પણ આગલીમાં પાછલીને ગુણ ન હોય. ૨. અનુદ્વેગ નહિં કિરિયા ઉદવેગ રે....મનમોહન મેરે.”—ગ દ૦ સઝાય–૨ તેમ જ અત્રે ઉદ્વેગ નામને બીજે ચિત્તદોષ ટળે છે, અનુદ્વેગ હોય છે. એટલે આત્મહિતના કાર્યમાં, પરક સંબંધી હિતસાધનના કાર્યમાં ઉદ્વેગ, કંટાળો, અણગમો ઉપજતું નથી. બેઠા બેઠા પણ કિયા પ્રત્યે જે અણગમો-અભાવ થવો તેનું નામ ઉદ્વેગ છે. (જુઓ પૃ. ૮૫) એટલે ઉદ્વેગવાળે પુરુષ તે યોગક્રિયાથી ઉભગે છે–દૂર ભાગે છે, અને કદાચ પરાણે કરવી પડે છે તે ક્રિયા રાજવેઠની જેમ ઉતાવળે ઉતાવળે આટોપી લે છે, ઝટપટ પતાવી દે છે ! એથી ઊલટું, આ દૃષ્ટિવાળા પુરૂષને અનુક્રેગ હોય છે. ધર્મક્રિયા પ્રત્યે ઉદ્વેગ-અણગમો હેતે નથી, ગસાધન પ્રત્યે દ્વેષ હોતો નથી, એટલે તે ધર્મકાર્યમાં વેઠ કાઢતે નથી, રાજાના હુકમથી મન ન હોય છતાં પરાણે કરવું પડતું હોય એવું તે કરતો નથી, ઝટઝટ ઉતાવળે ઉતાવળે ધર્મક્રિયા પતાવી દેતે નથી ! ભગવાનને બે હાથ જોડયા-ન જોડ્યા, ચોખાની બે-ત્રણ ઢગલી મૂકીન મૂકી, ને તે ભાગ નથી ! . પરંતુ એને તે યોગક્રિયા-ધર્મક્રિયા પ્રત્યે પરમ પ્રેમ હોય છે. તે જાણે છે કે આ હું જે ધર્મકૃત્ય કરવા ઈચ્છું છું, તે હારા પોતાના જ આત્મકલ્યાણ માટે છે, આ યોગ સાધનથી હારે હારું પરિભ્રમણ દુ:ખ ટાળવું છે. આમ હોવાથી યોગક્રિયા પ્રીતિ તે આત્માથી મુમુક્ષુ પુરુષ પ્રત્યેક ધર્મક્રિયા પરમ ઉલ્લાસ ભાવથી કરે છે, અદમ્ય ઉત્સાહથી ને શાંતિથી કરે છે. તે પ્રભુભક્તિ કરતે હોય તે ભક્તિતન્મયપણે પરમ પ્રેમથી કરે છે. તે સદ્ગુરુ-સપુરુષની સેવાશુશ્રષા કરતો હોય, તે પરમ આદરથી વિનયપૂર્વક કરે છે. તે સક્શાસ્ત્રનું શ્રવણ કરતે હેય તે ધ્યાન દઈને કરે છે. તે સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતે હોય તે યથાવિધિ શુદ્ધભાવે કરે છે. અને આવા આ મુમુક્ષુ જોગીજનને આ અનુગ પણ અખેદ સહિત હોય છે. કારણ કે અખેદ હોય તે જ પછી અનુદ્વેગ આવે, એટલે પ્રથમ દૃષ્ટિમાં જે ખેદ દોષ દૂર થે, તે પણ અહીં તેમ જ છે. આમ આ યોગી પુરુષ ધર્મપ્રવૃત્તિ કરતાં ખેદ પામતે નથીથાકતા નથી. ૩. તત્ત્વજિજ્ઞાસા જિજ્ઞાસા નામને બીજો ગુણ અહીં પ્રગટે છે. જિજ્ઞાસા એટલે તત્વ જાણવાની ઈચ્છા, ઉત્કંઠા, ઇંતેજારી. તત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના ઉપજવી, તાલાવેલી લાગવી તે ખરી જિજ્ઞાસા છે. સાચી જિજ્ઞાસા વિનાનું જે જાણવું છે-જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે, Page #253 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ તત્ત્વજિજ્ઞાસા, વેગકથાપ્રીતિ (૧૮૭) હૃદયમાં પ્રવેશતું નથી. આ દષ્ટિવાળા મુમુક્ષુને તે સાચી તત્વજિજ્ઞાસા પ્રગટે છે. જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, જેમ તૃષાતુર પુરુષ પાણી માટે ચેતરફ ઝાંવાં નાંખે, તેમ આ મુમુક્ષુને તત્ત્વ જાણવાની તરસ લાગે છે, ઉત્કંઠા જાગે છે, તાલાવેલી ઉપજે છે. મરુદેશ જેવી ભૂમિમાં, ઉન્હાળાના સમયમાં ચાલ્યા જતે વટેમાર્ગ જેવો તરસ્યા થઈને પાણીને ઈચ્છે, “પાણી પાણી” કરે, તે તરસ્ય આ જીવ તત્વદર્શન પામવા માટે થાય છે. આવી તીવ્ર તત્ત્વપિપાસા આ જિજ્ઞાસુ પુરુષને ઉપજે છે, એટલે એને અનેક સહજ, પ્રશ્ન ઊઠે છે. જેમકે– હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે હારૂં ખરું? કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂં?”–શ્રી મોક્ષમાળા બજેટને પિપાસા હ અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન ? અભિનંદન જિન દરિશન સરસિયે.” શ્રી આનંદઘનજી અને આવી જ્યારે તત્વની કે તત્ત્વદર્શનની સાચી તરસ લાગે છે, ત્યારે તે બૂઝવવાનીછીપવવાની રીત પણ તેને મળી આવે છે. તેવી તરસ ન લાગી હોય, તે તે તરસ બુઝવવાને ઈચ્છે પણ કેમ? ને
Page 152
તે બૂઝવવાની રીત પણ કેમ મળે? પરમ સમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક ભાવવાહી શબ્દો કહ્યા છે– બૂઝી ચહત પ્યાસ કો, હું બૂઝનકી રીત; પાવે નહિં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત.” તૃષાતુરને પાયાની મહેનત કરજે, અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.”—શ્રીમદ્ રાજચંદ્ર આ જિજ્ઞાસા ગુણ પણ, પ્રથમ અદ્વેષ ગુણ પ્રગટયો હોય તે જ ઉપજે. એટલે પ્રથમ દૃષ્ટિમાં જે અદ્વેષ ગુણ પ્રગટયો હતો, તેના અનુગુણપણે–અનુકૂળપણે આ જિજ્ઞાસા પ્રગટે છે. જિજ્ઞાસા એ અદ્વેષનું ઉત્તર પરિણામ છે. આ જિજ્ઞાસામાં સાચું તત્વસ્વરૂપ જાણવાની ઈચ્છા હોય છે, પણ પિતાને કક્કો ખરો છે એ હઠાગ્રહ હોતો નથી. આમ આ દૃષ્ટિમાં– “દર્શન તારા દષ્ટિમાં....મનમોહન મેરેગમય અગ્નિ સમાન રે....મન શૌચ સંતોષ ને તપ ભલું...મન સક્ઝાય ઈવર ધ્યાન રે....મન નિયમ પંચ ઈંહાં સંપજે...મન નહિં કિરિયા ઉગ રે...મન જિજ્ઞાસા ગુણ તત્ત્વની...મન પણ નહિં નિજ હઠ ટેગ રે....મન”—સઝાય,૧-૨ આ દૃષ્ટિમાં જે બીજે ગુણસમૂહ હોય છે તે કહે છે – Page #254 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચય भवत्यस्यां तथाच्छिन्ना प्रीतियोगकथास्वलम् । शुद्धयोगेषु नियमाद्बहुमानश्च योगिषु ॥ ४२ ॥ ગકથામાં પ્રીત અતિ, અવિચ્છિન્ન આ સ્થાન શુદ્ધયોગ ચગી પ્રતિ, નિયમથકી બહુમાન કર અર્થ –આ દૃષ્ટિમાં વેગકથાઓ પ્રત્યે તેવા પ્રકારે અવિચ્છિન્ન-અખંડ એવી અત્યંત પ્રીતિ હોય છે અને શુદ્ધ ગવાળા ગીઓ પ્રત્યે નિયમથી બહુમાન હોય છે. વિવેચક “એહ દષ્ટિ હેય વરતતાં....મન ચોગકથા બહુ પ્રેમ રે....મન”—-ચેટ સઝાય, ૨ ઉપરમાં જે આ દષ્ટિના મુખ્ય ગુણ કહ્યા, તે ઉપરાંત બીજા ગુણને પણ અહીં સદ્ભાવ હોય છે. તે આ છે –(૧) ગકથાઓ પ્રત્યે અખંડ–અવિચ્છિન્ન એવી અત્યંત પ્રીતિ. અને (૨) શુદ્ધ ગવાળા યેગીઓ પ્રત્યે બહુમાન. તે આ પ્રમાણે – ૧. વેગકથા પ્રત્યે અત્યંત પ્રીતિઆ દષ્ટિમાં વર્તનાર યેગી પુરુષને યોગ સંબંધી કથાઓ પ્રત્યે અખંડ એવી અત્યંત પ્રીતિ હોય છે, અવિચ્છિન્ન એ પરમ પ્રેમ હોય છે, કારણ કે તેવી કથાઓ પ્રત્યે તેને ભાવપ્રતિબંધ થયો છે, તેને ભાવ–અંતરંગ પ્રેમ બંધાય છે, તેનું ચિત્ત આકર્ષાયું છેચૂંટયું છે. તેને અવિહડ દઢ રંગ લાગ્યો છે. એટલે તેવી કથા-વાર્તામાં તેને રસ પડે છે. આ ચોગકથા એટલે શું? મોક્ષની સાથે અથવા પરમ તત્વની સાથે જે-જેડે તેનું નામ યોગ છે. એટલે મેક્ષના સાધનરૂપ જે જે છે તે યોગ છે. તે યોગ સંબંધી જે કથા તે યંગકથા. તે યોગના મુખ્ય કરીને બે પ્રકાર છે–સાધક પેગ ને સિદ્ધ વેગ. ઉપશમ, ક્ષપશમ કે ક્ષાયિક ભાવપણે જે નિજ આત્મગુણનું પ્રગટપણું થાય, અને જેનાથી કેમે કરીને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ થાય, તે બધાય આત્મસ્વભાવરૂપ ધર્મના યોગના પ્રકાર સાધનભૂત એવા સાધક યોગ છે. પહેલી ગદૃષ્ટિથી માંડીને છેલ્લી ગદષ્ટિની પ્રાપ્તિ સુધીની જે સાધના છે તે સાધક યુગ છે; અથવા સમકિતથી માંડીને શિલેશી અવસ્થા પર્યત આત્મભાવને અનુસરતી જે ગભૂમિકાઓ છે. કૃત્તિઃ-મરત્યચાં–આ દૃષ્ટિમાં હોય છે. તથા–તેવા પ્રકારે, અરિજીન–અવિચ્છિન્ન, (અખંડ),ભાવપ્રતિબંધસારપણાએ કરીને, રીતિ-પ્રીતિ, જાવથાણુ-ગકથાઓ પ્રત્યે, -અત્યંતપણે. તથા શુદ્ધપુ-શુદ્ધ યોગવાળા,-- અકદ્રક (૧) પ્રધાન એવા નિયમદુનિયથી, વામાનશ્ચ એનિy–ોગીઓ પ્રત્યે બહુમાન. ( * આ પાઠ અશુદ્ધ હો સંભવે છે. ક૯પપ્રધાન એ પાઠ હશે ? એમ હોય તે કહ૫–ચોક્તયોગ-આચારવિધાન જેને પ્રધાન છે એવા, એમ અર્થ બેસે.) Page #255 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : ચાર પ્રકારની ધમકથા, શુદ્ધ યોગીએ પ્રતિ બહુમાન (૧૮૯) તે સાધક યોગ છે. તે સાધકગની પરાકાષ્ઠા-છેવટની હદ તે સિદ્ધ યોગ છે. તે સિદ્ધ યેગમાં સકલ કર્મને ક્ષય હોય છે, પૂર્ણાનંદમય સહજાન્મસ્વરૂપ પ્રગટે છે, આતમગુણની સંપૂર્ણતા નીપજે છે, ને યોગી આત્મભેગી થઈ સ્વસ્વરૂપમાં રમણ કરે છે.* આવા એક્ષસાધક
Page 153
યોગ સંબંધી જે કાંઈ કથન હોય, અથવા આવા યોગને સાધનારા પુરુષની જ્યાં જ્યાં કથા-વાર્તા ચાલતી હોય, ત્યાં ત્યાં આ દષ્ટિવાળા મુમુક્ષુને પરમ પ્રીતિ ઉલસે છે, પરમ પ્રેમ પ્રવહે છે. તેમજ સન્માગ પ્રત્યે ચાર પ્રકારની આકર્ષાનારી એવી આક્ષેપણું ધર્મકથા તેને અમૃત જેવી મીઠી લાગે . ધર્મકથા છે. અસમાગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી વિક્ષેપણ કથા તે રુચિથી સાંભળે છે. કર્મવિપાકનું વિરસ પણું બતાવી સંવેગ–મેક્ષાભિલાષ જન્માવનારી સંવેજની કથા તેને ખૂબ ગમે છે. પાપકમને કડવો વિપાક દેખાડી નિર્વેદ-ભવવિરાગ્ય પેદા કરનારી નિવેજની કથા તેને રુચે છે. ટૂંકમાં, જ્યાં ક્યાંય આત્મકલ્યાણની કથા-વાર્તા ચાલતી હોય, જ્યાં ક્યાંય નિર્મલ ભક્તિ અમૃતરસનું પાન થતું હોય, જ્યાં કયાંય સદ્ગુરુના ગુણગણુનું ગૌરવ ગાન ગવાતું હોય, ત્યાં આ આત્માથી પુરુષ પરમ પ્રેમરસમાં નિમજજન કરે છે. કારણ કે આત્મહિતકર યોગકથાને તે પરમ દુર્લભ જાણે છે. તે જાણે છે કે-આ જગતમાં સર્વત્ર અર્થની કથા, કામની કથા, અત્યંત સુલભ છે. એક બીજા પ્રત્યે આચાર્ય પણુ-ગુરુ પણું કરતાં “જી કામગ-અર્થની કથા અનંતવાર સાંભળી છે, અનંતવાર પરિચિત કરી છે, અનંતવાર અનુભવેલી છે. પણ મેક્ષના સાધનરૂપ સકથા, વેગકથા, ધર્મકથા તેણે કદી સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. આમ તે જાણતે હેઈ, એવી ઝેર જેવી ભેગકથામાં તેને રસ કેમ પડે ? ને પરમ અમૃત જેવી પરમ દુર્લભ યોગકથા પ્રત્યે તેને પરમ પ્રેમ કેમ ન કુરે? “જિન ગુણ અમૃતપાનથી મન૦ અમૃત ક્રિયા સુપરસાય રે...ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન, આતમ અમૃત થાય રે...ભવિ.”—શ્રી દેવચંદ્રજી “ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિન રાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મહારી નિર્મળ થાયે કાયા રે.”—શ્રી યશોવિજયજી * * ઉપશમ ભાવ હે મિશ્ર ક્ષયિકપણે, જે નિજ ગુણ પ્રાગભાવ; પૂર્ણાવસ્થાને નીપજાવતે, સાધન ધર્મ સ્વભાવ...સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હે શલેશી લગે, આતમ અનગમ ભાવ: સંવર નિર્જરા હે ઉપાદાનહેતા, સાધ્યાલંબન દાવ...સ્વામી શ્રી દેવચંદ્રજી * “ सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । પ્રચારકુવéમા નવર જ ગુરુ વિત્તરણ ”—શ્રી સમયસાર Page #256 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦) ૨. શુદ્ધ ચાગીએ પ્રત્યે બહુમાન અને યાગકથા પ્રત્યે પણ જો આવા પરમ પ્રેમ હાય, તે પછી તે શુદ્ધ ચેાગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્ત્તિમાન્ યાગસ્વરૂપ એવા યેાગીએ પ્રત્યે તેને બહુમાન હાય, પરમ આદર હેાય, એમાં નવાઈ શુ? મેાક્ષસાધક ચેાગમાગનું નિર્દોષપણે આરાધન કરનારા જે જે સાધકો હાય, સાચા સાધુજને હાય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ ચાક્કસ બહુમાન ધરાવે જ. ચેાગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધયાગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પેાતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણુસ્થિતિવાળા કાઇ પણ પ્રત્યે તેના આત્મા ભક્તિથી નમી પડે. કાઇ પણ ચેાગષ્ટિમાં વત્તા ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે. સહજ ભક્તિ ઉદ્દગાર : મુમુક્ષુ જોગીજન હેાય કે માર્ગાનુસારી આત્માથી હાય, સમ્યગ્દૃષ્ટિ પુરુષ હાય કે સાચા ભાવશ્રાવક હાય, ભાવસાધુ હાય કે ભાવઉપાધ્યાય હાય, ભાવઆચાય હાય કે ભાવચેાગી હાય, કેવલી ભગવાન હેાય કે સિદ્ધ ભગવાન હોય,—તે સ કાઈ પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અ ંતર્ના ઊંડાણમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે: નમો અરિહંતાળ । - - અરિહંતાને નમસ્કાર હા ! नमो सिद्धाणं । • સિદ્ધોને નમસ્કાર હૈ ! नमो आयरियाणं । नमो उवज्झायाणं । નમો હોક્ સસારૃપ ।'' - આચાર્યાંને નમસ્કાર હા ! ઉપાધ્યાયાને નમસ્કાર !! યોગદૃષ્ટિસમુચ્ચય - લાકમાં સર્વ સાધુઓને નમસ્કાર હા! શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક, યાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હા; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી,
Page 154
મુખ ખાનિ પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધમકે ઉદ્યાન હા; રાગ-દ્વેષસે રહિત, પરમ પુનિતનિત, ગુનસે' ખચિત ચિત્ત, સજ્જન સમાન હેા; રાયચંદ્ર ધૈર્ય પાળ, ધર્મ ઢાલ ક્રાધકાલ, મુનિ ! તુમ આગે મેરે, પ્રનામ અમાન હૈ।. ”—શ્રીમદ્ રાજચ'દ્રજી * કેવલ આ બહુમાન જ હાય છે એમ નહિં, પણ— Page #257 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : સત યાગીઓની યથાશક્તિ સેવા, યાગવૃદ્ધિફલ यथाशक्त्युपचारच योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥ ४३ ॥ યોગવૃદ્ધિ ફલ આપતા, યથાશક્તિ ઉપચાર; યાગીઓને નિયમથી, તસ અનુગ્રહ મતિ ધાર. ૪૩ (૧૯૧ ) અર્થ :——અને યથાશક્તિ ઉપચાર,-કે જે ચેગીએને નિયમથી જ ચેાગવૃદ્ધિરૂપ લ આપનાર, અને તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવા હાય છે. વિવેચન ગુણીના કરે....મન દેખે નિજ ગુહાણ રે....મન”—Àાસ૦ શુદ્ધ ચેગવાળા યાગીજના, ચેાગમાગ માં આગળ વધેલા યાગીપુરુષો કહ્યા, તે પ્રત્યે અ ંતરંગ બહુમાન હેાય એટલુ જ નહિ; પણ તે બહુમાનને સાર્થક બનાવે, આચરણમાં મૂકી વ્યવહારૂ (Practical) બનાવે, એવે પેાતાનાથી સ'તાની યથા. અની શકે તેટલા ઉપચાર–સેવાભાવ પણ તેમના પ્રત્યે હાય. એટલે આ શક્તિ સેવા મુમુક્ષુ પુરુષ તે સાચા સત્પુરુષો પ્રત્યે પેાતાનાથી બની શકે તેટલી સેવા વિનયપૂર્વક બજાવે છે; તેઓને યથાવિધિ પરમ આદરથી નિર્દોષ આહારપાન-ઔષધ આદિનું દાન કરે છે; સત્શાસ્ત્ર વગેરે ધઉપકરણા તે સત્પાત્રોને આપે છે; રેગ આદિ આપત્તિ આવી પડયે સાચી ભક્તિથી તેમની સેવા-શુશ્રુષા, વૈયાવચ્ચ કરે છે; તે મહાત્મા સંતજને નિરાકુલપણે ધર્મારાધન કરી શકે, એવી બધી જોગવાઇ કરી આપવા તે સદા તત્પર રહે છે. કારણ કે તે જાણે છે કે-આ સાચા ભાવસાધુએ તે પેાતાના દેહ પ્રત્યે પણ નિ:સ્પૃહ છે-મમતારહિત છે, આ અવધૂતે તે સર્વ પરભાવને ફગાવી દઇ ઉદાસીન થઈને બેઠા છે, નિજાનંદમાં નિમગ્ન રહેલા આ નિગ્રંથ સન્યાસીઓ સયમના હેતુથી જ દેહ ધારણુ કરી રહ્યા છે,ખીજા કેાઈ પણ કારણે ખીજી કોઈ પણ ઇચ્છા આ યાગીપુરુષો રાખતા વૃત્તિ:-યથાશયિથાશક્તિ, શક્તિના ઔચિત્યથી,-શક્તિના ઉચિતપણા પ્રમાણે, શુ? તે કે --૩૪રિશ્ર્વ-ઉપચાર, ત્રાસ–આહાર આદિના સંપાદનવર્ડ કરીનેયથેાક્ત યોગીઓ પ્રત્યે એમ પ્રક્રમ છે—ચાલુ સંબધ છે. તેનું જ વિશેષણ આપે છે–યો વૃદ્ઘિત્ર:–યાગવૃદ્ધિરૂપ ફલ આપનારા,-તેના સમ્યક્ પરિણામવડે કરીને; ચેશિનાં નિયમાટેવ–યાગીઓને નિયમથી જ. અન્યથા-અન્ય પ્રકારે તેને વિધાતહેતુ હાય નહિં. (આ શુદ્ધ ચેાગીએ પ્રત્યેની સેવા, ચેાગીજનને ચેાગવૃદ્ધિ કુલ નિયમથી જ આપે છે,-યેાગવિધાત હેતુ હાય નહિં. ) સનુ પીયુતઃ-તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવા. ઉપચાર સ’પાદકના અનુગ્રહની–ઉપકારની બુદ્ધિથી યુક્ત એવા. ( જે ઉપચાર-સેવા કરે છે તે એમ માને કે હુ' આ મ્હારા પોતાના આત્મા પર ઉપકાર કરી રહ્યો છું, આ સદ્ગુરુપ્રસાદ છે. ) Page #258 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨) ગિદષ્ટિસમુચ્ચય નથી; તે પણ તેવા સર્વથા નિઃસ્પૃહ મહાજનેની બનતી સેવા કરવી, તે મુમુક્ષુ આત્માથીને ધર્મ છે, જીવનનો અપૂર્વ લહાવો છે, તેઓના ચરણે જે કંઈ પણ અર્પણ કરીએ તે ઓછું છે, કારણ કે તેઓને પરમ ઉપકાર છે. એમ જાણતો હોઈ, તે પિતાથી બનતી સેવારૂપ ફૂલપાંખડી-“વä પુર્ણ કરું તોયં ”–ભક્તિથી તેમના ચરણકમલમાં અર્પણ કરે છે. “શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સહુ હીન; તે તે પ્રભુએ આપિઓ, વરતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતે પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” શ્રી આત્મસિદ્ધિ અને આવા સત્પાત્ર ભાવગીઓ પ્રત્યેને આ ઉપચાર-વિનયાન્વિત સેવાધર્મ જેગી જનને ચેકકસ યોગગુણની વૃદ્ધિરૂપ ફલ આપે છે. જેમાં ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું એક પણ બીજ પરંપરાએ અનંતગણું ફલ આપનારૂં થઈ પડે છે, તેમ આવા ગવૃદ્ધિ લ સત્પાત્ર સંતજનોની સેવા અનંતગણું ફલ આપનારી થઈ પડે છે, આત્માને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિનું-ખરેખરા “ધર્મલાભ’નું કારણ થાય છે. નિષ્કામ સેવાનો લાભ આપી પોતે ગવૃદ્ધિરૂપ પ્રતિલાભ પામે છે, અને
Page 155
એટલા માટે જ આ આત્મારામી સપુરુષની સેવા-ભક્તિવડે હું પિતાને જ અનુગ્રહ કરૂં છું, મહારા પિતાના આત્મા પર જ ઉપકાર કરી રહ્યો છું, એમ સેવા કરનારે ચોક્કસ ભાવવું જોઈએ. આનાથી હું મહારા આત્માને જ સંસારસમુદ્રથી તારૂં છું, એવી આત્મ અનુગ્રહ બુદ્ધિ ઉગવી જોઈએ. આમ આ દૃષ્ટિમાં વતે યોગી શુદ્ધ યેગીઓ પ્રત્યે બહુમાન ધરાવવા ઉપરાંત, યથાશક્તિ-ઉચિતપણે તેમની સેવાભક્તિ કરે, અને તે પણ પિતાના આત્માની અનુગ્રહ બુદ્ધિથી જ. આ ઉપચારને જ વિશેષણ આપે છે– लाभान्तरफलश्चास्य श्रद्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च शिष्टसम्मतता तथा ॥ ४४ ॥ અન્ય લાભ ફલ તસ એ, શ્રદ્ધાયુત આ એમ; નિરુપદ્રવતા હિત ઉદય, શિષ્ટ સંમતતા તેમ. ૪૪, આ વૃત્તિ –ામાનતભ્રસ્ટાચ-અને-- ઉપચારકર્તાને લાભાનતેર ફલવાળા -શુદ્ધ ઉપચારના પુણ્યથકી તચાપ્રકારના વિપાકભાવને લીધે. એટલા માટે જ-શ્રદ્ધાયુકતો-શ્રદ્ધાયુક્ત એ ઉપચાર, એમ ચાલું સંબંધ છે. હિતોઃ -જેમાં હિતને ઉદય હોય છે એ, આગળની જેમ. શુદ્રોપદ્રવાનિચ-અને ક્ષુદ્ર ઉપદ્રની હાનિ હોય છે. એથી કરીને જ વ્યાધિ આદિને નાશ હોય છે. શિષ્યનક્ષતતા તથા તથા પ્રકારે શિસમ્મતતા, શિષ્ટજનનું માન્યપણું, એથી કરીને જ આનું અતિ સુંદર બહુમાન હોય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ વાસદૃષ્ટિ : સંતસેવાથી અન્ય લાભ ફળ (૧૯૩) અર્થ અને એ ઉપચાર એને બીજા લાભરૂપ ફળ આપનાર અને શ્રદ્ધાથી યુક્ત એ હિતેાદયરૂપ હોય છે. અને તેમાં શુદ્ર ઉપદ્રની હાનિ તથા શિષ્ટજનેનું સંમતપણું– માન્યપણું હોય છે. વિવેચન ઉપરમાં જે ઉપચાર અથવા સેવાધર્મ કહ્યો તે વળી કે વિશિષ્ટ હોય છે, કેવા વિશેષ ગુણવાળો હોય છે, તે અહીં કહ્યું છે તેવા પ્રકારે સત્પુરુષની સાચા ભાવથી સેવા ભક્તિ કરનારને બીજા લાભારૂપ ફળ પણ મળે છે. કારણ કે તેના સેવા યોગમહિમા ભક્તિથી પુણ્યદયની પ્રાપ્તિ હોય છે, અને તેના વિપાકથી સુરપતિ–નર પતિ સંપદા વગેરે અન્ય લાભરૂ૫ ફળ સાંપડે છે. જેમ જારની પાછળ સાંઠા તે હોય જ, જેમ ફળ પહેલાં ફૂલની પ્રાપ્તિ હોય જ, તેમ સસેવાના ભેગવૃદ્ધિરૂપ ફલની સાથે સાથે ઇંદ્ર-ચક્રવત્તપદ આદિ આનુષંગિક ફળરૂપ પુણ્યપરિપાકની પ્રાપ્તિ હોય છે. કારણ કે ‘ગ * છે તે ઉત્તમ કલ્પવૃક્ષ છે, પરમ ચિંતામણિરત્ન છે, સર્વ ધર્મોમાં પ્રધાન છે, સિદ્ધિને સ્વયંગ્રહ છે” તેનાથી શું શું ફલ પ્રાપ્ત ન થાય ? આમ કલ્પવૃક્ષની જેમ વાંચ્છિત લાભ આપનાર આ સંતજન પ્રત્યેને સેવાધર્મ શ્રદ્ધાથી યુક્ત હોય છે. કારણ કે શુદ્ધ શ્રદ્ધા વિનાનો વિચાર શા કામને? માટે આ મુમુક્ષુ તે શ્રદ્ધાથી સત્પુરુષની સેવા કરે છે. અને આ આ શ્રદ્ધાયુક્ત હોય છે, તેથી કરીને આ મુમુક્ષુ જોગીજનને હિતને ઉદય થાય છે. એટલે તે આત્મહિતના --આત્મકલ્યાણના કાર્યમાં પ્રવર્તે છે, ને તેમાં તેની ચઢતી કળા થતી જાય છે. જેમ ઉદય પામતે સૂર્ય ઉત્તરોત્તર વધારે પ્રકાશમાન થત જાય છે, જેમ શુકલ* પક્ષને ચંદ્ર દિન-પ્રતિદિન ચઢતી કળાને પામતે જાય છે, તેમ આ આત્માથી પુરુષને ઉત્તરોત્તર વધારે ને વધારે બળવાન આત્મહિતની પ્રાપ્તિ થતી જાય છે, હિત પરંપરાથી હિતને અનુબંધ થયા કરે છે. શુકલ બીજ શશિ રેહ, તેહ પૂરણ હુવે લાલ” શ્રીદેવચંદ્રજી એથી કરીને જ એને શુક ઉપદ્રવની હાનિ થાય છે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે નાના નાના તુચ્છ ઉપદ્રવ આ જીવને હેરાન કરતા નથી, કનડતા નથી. મોટા ભવરૂપ ઉપદ્રવને નાશ થવાની જ્યાં પૂર્વ તૈયારી ચાલી રહી છે, ત્યાં પછી આ મગતરા મક “Tઃ વFપતઃ શ્રેષ્ઠ અશ્ચિન્તામળિઃ પs: | Tઃ પ્રધાને ધનનાં ચાર: સિદ્ધ ચંદ્રઃ || ”—શ્રી ગબિન્દુ * “યમઃ સોનમૂઢર, નિવૃદ્ધિનિયન Fક્ષદ્વિતીયા યા ચામણો યથr –ા દ્વા Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) યોગદૃષ્તિસમુચ્ચય જેવા તુચ્છ નમાલા ઉપદ્રવે—કનડગતા એને કેમ ખાધા કરી શકે ?
Page 156
જ્યાં નદીના પ્રમળ પ્રવાહપૂરમાં હાથીના હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શે ? અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનાનુ' સમતપણુ' હાય છે, અત એવ આનુ અતિ સુંદર બહુમાન હેાય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને અતિ બહુમાનપૂર્વક શિરસાવદ્ય ગણે છે–માથે ચઢાવે છે; અને તેમના સ’મતપણા થકી બહુમાન પામે છે. શિષ્ટ એટલે પરમ 'સ્કારી સુશિક્ષિત પ'ડિતજન, સ`સ્કારસ્વામી, સાધુ જનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સમ્યપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દૃઢપણે લાગ્યા છે, જે તત્ત્વાતત્ત્વના વિવેકમાં નિપુણ હાઇ પંડિત કહેવાય છે, અને તેથી કરીને જ સતજનાને સમત છે–માન્ય છે, એવા સત્પુરુષો ‘ શિષ્ટ ’ કહેવાય છે. એવા શિષ્ટજનને આ દૃષ્ટિવાળા યાગી પરમ માનનીય માને છે, અને બહુ માનનીય બને છે. તથા • * भयं नातीव भव कृत्यहानिर्न चोचिते । तथानाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया || ४५|| ભવભય ના અતિ-ચિતમાં, કૃત્યહાનિ પણ નાગ્ય; અજાણતાં પણ હાય ના, ક્રિયા અનુચિત કાય. ૪૫ અર્થ :— આ દૃષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હૈાય નહિ, ઉચિતમાં નૃત્યહાનિ હેાય નહિ, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સ॰થા હાય નહિ' વિવેચન ભવભય આવા દૃષ્ટિવાળા ચેાગીને ભવભય અત્યંત હાતા નથી, સસારનેા ઝાઝો ડર રહેતા નથી; કારણ કે અશુભ કામાં તેની પ્રવૃત્તિ હેાતી નથી, એટલે તે નિય રહે છે. જે ખાતુ' કે ખરાખ કામ કરતા હાય, જે અશુભ આચરણ કરતા હાય, જે દુષ્ટ પાપી હાય, તેને જ ડરવાપણું હાય, એમ ખાલક સુદ્ધાં સ કાઈ જાણે છે. વળી આ રહિતપણુ આત્માથી પુરુષ તે પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણુ ગ્રહી ભાવે છે કે–હે ભગવાન્ ! હે પરમકૃપાળુ દેવ ! હું તે અનંત દોષનુ ભાજન છું, છતાં પણ આપના અવલ’બનથી મે' આ અપાર ભવસાગરને ગાપદ જેવા કરી દીધા છે. જો કે મેહાદ શત્રુ વૃત્તિ:-મર્ચ નાતીય મવદ્ગ—ભવજન્ય—સ’સારજન્ય અત્યંત ભય હોતા નથી-, તથાપ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે (અશુભ પ્રવૃત્તિ કરે નહિ, તેથી સંસારના ડર પણ લાગે નહિં). ત્યાનિને ચેતેિ-અને સર્વાં જ ઉચિતમાં મૃત્યહાનિ ન હોય, ધમાઁ આદરને લીધે. તથાનામેાતેઽવ્યુવૈઃ—તેમજ અનાભોગથી પણુ, -અજાણતાં પણ અત્યંતણે, ને વાવ્યનુષિતક્રિયા–સવ`ત્ર જ અનુચિત ક્રિયા પશુ ન હેાય. ( અનણુતાં પણ અનુચિત ક્રિયા કરે નહિ'.) Page #261 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : ધી ગ ધણી માથે ફિયા રે’, ઉચિત કત્ત વ્ય (૧૯૫) હજુ મને છળી રહ્યા છે, ને હું પરપરિણતિમાં અમૂત્રપણે ભળી રહ્યો છું, પણ હવે તમારા જેવા સાહેબ મને મળ્યેા છે, એટલે એ મ્હારા ભવભય પણ ટળ્યો છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ ! તમારૂ તત્ત્વ-રસાયન મેં પીધું છે, ભક્તિથી મેં તમને મ્હારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે મ્હારા ભવરૂપ ભાવરાગ મટી ગયા છે, એમ મને લાગે છે. હે પ્રભુ ! આપનું દર્શીન થતાં મ્હારા દુઃખ–દૌર્ભાગ્ય દૂર થયા છે, અને મને સુખસપત્તિ મળી છે. તમારા જેવા ધી'ગો ધણી” મે ‘માથે કર્યાં' છે, તે પછી મ્હારા વાળ પણ કાણુ વાંકા કરી શકે એમ છે ? : “દુઃખ ! દાહગ ફ્રે ટળ્યા રે, સુખ સપદ શું ભેટ; ધીંગ ધણી માથે કયા રે, કુણુ ગજે નર “ખેટ .....વિમલજિન !”—શ્રી માનદઘનજી “જે અતિ દુસ્તર જલધિ સમા સંસાર જો, તે ગેાપદ સમ કીધા પ્રભુ અવલબને ૨ લે” પિ હું મેહાર્દિકે લિયેા, પરપરણિત
Page 157
શું ભળિયા રે....પ્રભુ પણ હવે તુજ સમ સાહિબ મળિયેા, તિણે ભવભય સવિ ટળિયા રે....પ્રભુ “પણુ નવિ ભય જિનરાજ પસાયે, તત્ત્વરસાયન પાયે રે....પ્રભુ॰ અંતરજામી ! પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાથે, ભાવરેાગ મિટ જાયે રે....પ્રભુ” શ્રી દેવચ`દ્રજી આમ અશુભમાંથી નિવૃત્તિથી અને શુભમાં પ્રવૃત્તિથી આ મુમુક્ષુ પુરુષ નિર્ભીય– નીડર હાય છે. અને તેને ઉચિત કૃત્યમાં હાનિ હાતી નથી, કરવા યાગ્ય એવા ઉચિત ધર્મ કર્ત્તવ્યમાં તે કાંઈ ખામી આવવા દેતા નથી; કારણ કે તે જિનચરણની ઉપાસના અતિશય ભક્તિપૂર્ણાંક કરે છે, મુનિજનની સંગતિ પ્રત્યે અત્યંત પ્રીતિ રાખે છે, યથાઉચિત કત્ત વ્ય શક્તિ સંયમનું પાલન કરે છે, દાન દે છે, શીલ-સદાચાર સેવે છે, તપ આચરે છે, શુભ ભાવના ભાવે છે, અને તેમાં કઇ ખામી-ઊણપ આવવા દેતા નથી. તે સર્વ જગજ્જતુને પેાતાના મિત્ર માનતા હેાઇ, જેમ બને તેમ મન-વચન-કાયાથી અહિંસક રહેવાને પ્રયત્ન કરે છે; હિત મિત ને પ્રીત એવું સત્ય વચન ખેલે છે; પ્રમાણિક અને ન્યાયપ્રિય રહી પરદ્રવ્ય હરવાની કે ચારવાની ઇચ્છાથી પણ દૂર રહે છે; પરસ્ત્રી પ્રત્યે મા-હેનની દૃષ્ટિ રાખી સ્વદારાસ'તેાષી થાય છે, અથવા સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરે છે; જેમ બને તેમ આરંભ-પરિગ્રહનું સક્ષેષપણું કરે છે, પરિગ્રહનુ પરિમાણુ—મર્યાદા ઠરાવે છે. તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મનું આલંબન લે છે; ખાકી બીજી બધી જ જાલ છેાડી દ્યે છે. તે સર્વ તામસી વૃત્તિઓને ત્યજી ઇ, સાત્ત્વિકી વૃત્તિઓને ભજે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,—ઇત્યાદિ સાત્ત્વિક વ્રુત્તિએ આ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્રત હાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૯૬) યોગદષ્ટિસમુચય “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે...શાંતિ” –શ્રી આનંદઘનજી અને આમ આ મુમુક્ષુ પુરુષ જેમ ઉચિત કર્તવ્ય કરવા ચૂકતા નથી, તેમ તે અનુ ચિત ક્રિયા પણ કરતે નથી. તે જાણી બૂઝીને સૂમમાં સૂક્ષ્મ જીવને પણ હણુ નથી, તે મેટા ધૂળ જીવને તે કેમ જ હણે? અજાણતાં પણ કોઈ જીવને અનુચિત તે દૂભવવા ઇચ્છતું નથી, તે જાણીને તે કેઈની લાગણી પણ કેમ અકર્તવ્ય ભવે ? તે સ્વપ્નમાં પણ ખોટું બોલવા ઈચ્છતા નથી, તે જાણું બૂઝીને પ્રતિજ્ઞાભંગ કેમ કરે? અન્યાયથી અપ્રમાણિકપણે ધન કમાઈને પાપને ગાંસડે કોના માટે બધી જ છે, એ જે વિચાર કરે છે, તેને પરદ્રવ્યની ચેરી કરવાની ઈચ્છા પણ કેમ થાય ? વ્યભિચાર આદિથી ઉપજતા ધનહાનિ, માનહાનિ, રેગાપત્તિ વગેરે દોષ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે પરસ્ત્રી પ્રત્યે આડી આંખે જુએ પણ કેમ ? આરંભ પરિગ્રહની પ્રપંચનાલમાંથી જેમ બને તેમ જે જલ્દી છૂટવા ઈચ્છતો હોય, તે એને લાંબે પથારો શું કામ પાથરે ? આમ જેને સંસારનો ઝાઝો ભય હવે રહ્યો નથી, એ આ મુમુક્ષુ પુરુષ ઉચિત કૃત્ય કરે છે, ને અનુચિત કરતા નથી, કારણ કે તે એ સરળપરિણમી હોય છે, કે તે સેનાની પેઠે જેમ વાળીએ તેમ વળે છે. “અનુચિત તેહ ન આચરે મન વાળે વળે જિમ હેમ રે મન”—શ્રી રોગ સઝાય ૨-૩ એમ– कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता । तुल्ये निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥४६॥ વૃત્તિ:- -કામાં, ધ્યાન આદિ કયમાં, અધિ-અધિકમાં,–પિતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા કયમાં,-અધિanતે-અધિગત એટલે આચાર્ય આદિ અધિક-ચઢીયાતામાં (ગુણવંતમાં) વર્તતા, એવા કૃત્યમ, વિજ્ઞાન-આની જિજ્ઞાસા, આ આમ કેમ એવી જાણવાની ઈચ્છા હોય છે; ઢાઢણાવિત્તા-લાલસા સહિત, એટલે કે અભિલાષાના અતિરેકથી યુક્ત
Page 158
એવી જિજ્ઞાસા. (પિતાનાથી ચઢીયાતી દશાવાળાની ચઢીયાતી ક્રિયા દેખી, આ આમ કેમ હશે તે જાણવાની તીવ્ર ઈચછા ). તુજે-વંદનાદિ તુલ્ય-સરખા કૃત્યમાં, નિને તુ-પિતાના જ, વિવારે-વિકલ, કાર્યોત્સર્ગીકરણ વગેરેવડે વિક–ખામીવાળા, સંત્રા-સંત્રાસ આત્મામાં હોય છે. હું હાનિવિરોધક છું એમ આત્મામાં અત્યંત ત્રાસ છૂટે છે. પાર્વતઃ-ઠેષ રહિત,-અધિક મયે દ્વેષ રહિત એ સંત્રાસ–પ્રસ્તુત દષ્ટિના સામર્થ્યને લીધે. (બનેની એક સરખી ક્રિયા છતાં, પિતાની કિયા ખામીવાળી દેખી, પિતાના કામમાં ત્રાસ છુટે છે, અને તેમાં અધિક ગુણવંત પ્રત્યે દ્વેષ હોતો નથી) Page #263 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ : અધિક ગુણી પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા અધિકના અધિક કૃત્યમાં, સલાલસા જિજ્ઞાસ તુલ્ય વિકલ નિજ કૃત્યમાં, દ્વેષ રહિત સત્રાસ. ૪૬ (૧૯૭ ) અર્થ :—ગુણથી અધિકના અધિક કૃત્ય પ્રત્યે લાલસાયુક્ત એવી જિજ્ઞાસા હાય, અને તુલ્ય એવા પેાતાના વિકલ-ખામીવાળા કૃત્ય પ્રત્યે દ્વેષ વિનાના સંત્રાસ હાય. વિવેચન વળી આ ષ્ટિમાં વત્તતા મુમુક્ષુ પેાતાના કરતાં અધિક ગુણવંત, ચઢીયાતી આત્મદશા વાળા એવા આચાર્યાદ્રિની પોતાના કરતાં ચઢીયાતી ક્રિયા દેખી, એમ ભાવે છે કે-અહા ! આ મહાજનેની આ ક્રિયા આવી ઉત્તમ પ્રકારની, આવી ઉચ્ચ કેટિની શી જિજ્ઞાસાઃ રીતે હોતી હશે ? એમ તેનું કારણ જાણવાની તેને તીવ્ર અભિલાષાવાળીદશાભેદ ઉત્કંઠાવાળી જિજ્ઞાસા ઉપજે છે; કારણ કે ચેાગના સ્થાન અસંખ્ય છે, અને મેહકર્મીની તરતમતાના કારણે, ન્યૂનાધિકતાના કારણે, એછાવત્તાપણાને લીધે, જીવની દશાના અસ`ખ્ય ભેદ પડે છે. આમ ક્ષયાપશમની ભિન્નતાના કારણે, કેટલાક જીવા પેાતાનાથી હીન–ઉતરતી પંક્તિના હાય, કેટલાક પેાતાની સમાન પૉંક્તિના હાય, ને કેટલાક પેાતાનાથી ચઢીયાતી પંક્તિના હેય. આમ સન્માગે પ્રયાણ કરતા, આગળ વધતા, આત્મવિકાસ સાધતા જીવેાની દશાના ભેદ હાય છે.એટલે તેએની ધર્મક્રિયા પણ તેવા પ્રકારની તરતમતાવાળી હોય છે, ઊંચી-નીચી કક્ષાની હાય છે. તેમાં આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા યાગી જ્યારે પેાતાનાથી ચઢીયાતી આત્મદશાવાળા મહાનુભાવ મહાત્માઓને દેખે છે, પેાતાનાથી ગુણમાં અધિક એવા ભાવાચાર્યને, ભાવઉપાધ્યાયને, ભાવસાધુને, ભાવશ્રાવકને કે અન્ય કેાઈ મુમુક્ષુને ભાળે છે, સાન'દાશ્ચર્ય ત્યારે તે વિસ્મયમાં પડી જાય છે. જ્યારે તે તેનું પેાતાના કરતાં વધારે ધન્ય ! અન્ય ! વિશુદ્ધિવાળુ ધર્મધ્યાન જુએ છે, જ્યારે પેાતાના કરતાં વધારે મળવાળે! દઢ ધરગ નીરખે છે, જ્યારે પેાતાના કરતાં વધારે ભક્તિ ઉલ્લાસવાળી ભગવ’તની ભાવભક્તિ ભાળે છે, જ્યારે પેાતાના કરતાં વધારે આત્મવીચેાલ્લાસવાળી તપ–સ્વાધ્યાય-પ્રતિક્રમણ-વંદનાદિ સક્રિયા નીહાળે છે, જ્યારે પેાતાના કરતાં અધિક વિકાસ પામેલા તેએના અહિં’સા-સત્ય આદિ સાક્ષાત્ દેખે છે, અને જ્યારે પેાતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલા તેઓના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણ પ્રત્યક્ષ કરે છે,-ત્યારે આ યોગદૃષ્ટિવાળા ચેાગી સાન દાશ્ચર્ય અનુભવી વિચારમાં પડી જાય છે કે-અહા! આ મહાત્માઓનું ધર્મધ્યાન ! અહે। ભાવભક્તિ ! અહે। ધર્ગ! અહે। તપ-સ્વાધ્યાય ! અહે। મહિ'સા-સત્ય ! અહા દશન જ્ઞાન–ચારિત્ર ! અહા એમની બ્રાહ્ની સ્થિતિ ! અહા એમની અપૂર્વ આત્મપરિણતિ ! આ અદ્ભુત બ્રહ્મનિષ્ઠ મહાત્માએ આવી અદ્ભુત આત્મદશા કેમ પામ્યા હશે ? આવી. આશ્ચર્યકારક Page #264 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) યોગદષ્ટિસમુરચય આત્મસાધના એમણે કેમ સાધી હશે ? આવી અપૂર્વ આત્મસામર્થ્યવાળી પરમ ધન્ય સક્રિયા તેઓ શી રીતે કરી શકતા હશે ? “ધન્ય ધન્ય નર તેહ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ ગે હો નિજ સાધકપણે.”—શ્રી દેવચંદ્રજી ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય ભગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા....ધન્ય જ્ઞાનવંત જ્ઞાની શું મલતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા...ધન્ય.”–સા. ત્રગ. સ્ત, ઇત્યાદિ પ્રકારે તે આત્મારામી મહાત્માઓની પરમ ધન્યતા તે ભાવે છે, અને ગુણી જન પ્રત્યેના પ્રશસ્ત
Page 159
રાગથી ચિંતવે છે કે આ મહાનુભાવોની આવી આશ્ચર્યકારક આત્મસ્થિતિ કેમ પ્રગટી હશે ? આ જાણવાની તેને તીવ્ર ઈચ્છા-જિજ્ઞાસા ઉપજે છે. અને આ મુમુક્ષુ જોગીજનને આવી સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલું જ નહિ, પણ તે મહાત્માઓ જેવી જ પિતાની વંદનાદિ ક્રિયામાં પોતાની હીનતા દેખી, તેને પોતાના પ્રત્યે મનમાં અત્યંત ત્રાસ છૂટે છે, પિતાના આત્મા પ્રત્યે જુગુપ્સાપિતા પ્રત્યે ધૃણ ધૃણા ઉપજે છે કે–અરે ! હું તે કે અન્ય કે આ મહાજને જેવી ઉત્તમ ધર્મક્રિયા કરી શકતું નથી! ખરેખર ! હું તે દેશ અનંતનુ ભાજન છું', અને મહારામાં ગુણ તે એકકે દેખાતો નથી; કારણ કે હારામાં આ મહાત્માઓ જે નથી શુદ્ધ ભાવ કે નથી પ્રભુ સ્વરૂપભાવ, નથી લઘુતા કે નથી દીનતા, નથી ગુરુઆજ્ઞા આરાધકતા કે નથી નિશ્ચલતા, નથી પ્રભુને દઢ વિશ્વાસ કે નથી પરમાદર, નથી સત્સંગને જોગ કે નથી સસેવા જોગ, નથી કેવળ આત્માપણુતા કે નથી દઢઆશ્રયભાવ, નથી અનુગ, નથી “હું પામર શું કરી શકું?' એવો વિવેક કે નથી પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ, નથી પ્રભુવિરહને તાપ કે નથી પરમ દુર્લભ એવી પ્રભુકથાનો પરિતાપ, નથી ભક્તિમાર્ગમાં પ્રવેશ કે નથી ભજનનું દઢ ભાન, નથી નિજ ધર્મની સમજણ કે નથી શુભ દેશે સ્થિતિ, નથી સેવાને પ્રતિકૂળ બંધનનો ત્યાગ નથી દેહદમન-ઇંદ્રિયદમન, નથી પ્રભુવિયોગની સ્કૂરણ કે નથી વચન-આગમ જ્ઞાન, નથી દિવ્ય નયનની પ્રાપ્તિ કે નથી યમ-નિયમાદિ, નથી ઉદાસીનતા કે નથી નિરભિમાનપણું, નથી સ્વધર્મ સંચય કે નથી પરધર્મનિવૃત્તિ આમ અનંત પ્રકારથી હું સાધન રહિત છું. મ્હારામાં એક પણ સદ્ગુણ નથી. હું મોટું શું બતાવું ? સકળ જગતમાં હું જ અધમાધમ ને અધિકમાં અધિક પતિત છું. Page #265 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : દેખે નિજ ગુણ હાણ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ ! . હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ ! શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યને, નથી પ્રકુલિત ભાવ; અંશ ન એક સ્નેહને, ન મળે પરમ પ્રભાવ અચળ રૂપ આસક્તિ નહિં, નહિં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિં તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિં ભજન દૃઢ ભાન; સમજ નહિ નિજ ધમની, નહિં શુભ દેશે સ્થાન. કાળ દેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ તેય નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેદ્રિય માને નહિં, કરે બાહ્ય પર રાગ. તુજ વિયેગ ફુરતા નથી, વચન નયન યમ નહિ, નહિં ઉદાસીન અભક્તથી તેમ ગૃહાદિક માંહિ. અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નાંહિ; નહિં નિવૃત્તિ નિમળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું; નહિં એક સગુણ પણ, મુખ બતાવું શું? કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ! પાપી પરમ અનાથ છું, હે પ્રભુજી! હાથ. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ.”- શ્રીમદ રાજચંદ્રજી Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦) યોગદષ્ઠિસમુચ્ચય “હું છોડી નિજ રૂપ રમ્યા પર પુદ્ગલે,. ઝી ઊલટ આણી વિષય તૃષણ જલે; આશ્રવ બંધ વિભાવ કરૂં રુચિ આપણી
Page 160
ભૂલ્ય મિથ્યા વાસ દોષ દઉં પર ભણી....વિહરમાન”—શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે પોતાના દોષ દેખી, પિતાની ધર્મક્રિયાની વિકલતા-ખામી જઈ, આ ગદષ્ટિવાળા મુમુક્ષુ યોગી પુરુષને પિતા પ્રત્યે બેદ ઉપજે છે, ત્રાસ છૂટે છે કે આ જીવનું આ તે કેવું હીનવીયપણું? કેવું શિથિલાચારીપણું? કેવું પ્રમાદીપણું? કેવું નિર્ગુણ ચકવર્તી પણું? પણ આ સંત્રાસ ઉપજે છે, તેમાં તે ગુણીજનો પ્રત્યે અદ્વેષ જ હોય છે, બીલકુલ દ્રષ-મત્સર ભાવ તે હેતે જ નથી. એવા ગુણનિધાન પ્રશસ્ત પુરુષ પ્રત્યે ઈર્ષ્યાઅદેખાઈ આવતી જ નથી, પણ કેવળ પ્રમોદ ભાવ જ ઉલસે છે. એટલું જ નહિં પણ પિતાની ગુણહીનતાથી નિરાશ થવાને બદલે, તે મહતું પુરુષોના ઉત્તમ ગુણ દેખી આગળ વધવાની પ્રેરણા મેળવે છે. આમ “વિનય અધિક ગુણીને કરે...મન દેખે નિજ ગુણ હાણ રે....મન”—૨૦ સક્ઝાય ૨-૩ दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् । चित्रा सतां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ॥४७॥ દુઃખરૂપ ભવ સર્વ આ, કયાંથી કેમ ઉછે? ચિત્ર પ્રવૃત્તિ સંતની, કયમ જણાય સહુ ભેદ? ૪૭, અર્થ –સર્વ સંસાર દુઃખરૂપ છે, આને ઉછેદ ક્યા કારણથી કેવી રીતે થાય? અને સંતોની ચિત્ર-વિવિધ આશ્ચર્યકારી પ્રવૃત્તિ છે, તે બધીય કેવી રીતે જણાય? વિવેચન ત્રાસ ધરે ભવભય થકી.મન ભવ માને દુખખાણ રે....મન” ૦ સઝાય ૨-૪ વળી આ દષ્ટિવાળો યેગી પુરુષ સમસ્ત સંસારને દુઃખરૂપ માને છે; કારણ કે જન્મ, જરા, મરણ, રેગ, શેક વગેરે દુઃખથી ભરેલે આ સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ વૃત્તિ-સુતો મા: સર્વ: -બધેય સંસાર દુ:ખરૂપ છે,–જન્મ-જરા આદિ રૂપપણાને લીધે. ઉછેડા -આ સંસારને ઉછેદ, કુંતઃ-કયાંથી? કયા હેતુથી ? ક્ષાંતિ આદિથકી. વચ્ચે-કેમ ? કેવા પ્રકારે ? જિત્રા-ચિત્ર, (વિવિધ પ્રકારની, અથવા આશ્ચર્યકારી), સત્તામ-સંતની, મુનિઓની પ્રવૃત્તિથ-પ્રવૃત્તિ, ચૈત્ય કર્મ આદિ પ્રકારથી, સાશા જ્ઞાચતે થy-તે અશેષ કેમ જણાય? તે બધીય કેમ જાણવામાં આવે ? -તેથી અન્યના અપહથી, (તેથી બીજીનો ત્યાગથી). Page #267 -------------------------------------------------------------------------- ________________ તારાષ્ટિ ‘ભવ માને દુ:ખખાણુ’-સતાનું ચિત્ર ચરિત્ર (૨૧) ત્રિવિધ તાપથી નિરંતર ખળી રહ્યો છે, એમ તે પ્રત્યક્ષ દેખે છે; આ લયાકુલ સંસાર સૉંસારમાં સત્ર ભય ભય ને ભય જ વ્યાપી રહેલ છે, એમ તેને જણાય છે. તે જુએ છે તે ભાગમાં × રાગના ભય છે, કુલને પડવાને ભય છે, લક્ષ્મીમાં રાજાના ભય છે, માનમાં દ્વીનતાનેા ભય છે, ખલમાં શત્રુને ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદના ભય છે, ગુણમાં ખલને ભય છે, અને કાયા પર કાળના ભય છે. એમ સર્વ વસ્તુ તેને ભયવાળી દેખાય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે,' એવું તેને પ્રતીત થાય છે. આમ આખા સ`સાર ભયાકુલ હાઇ કેવલ દુઃખરૂપ જ છે, સંસારમાં જે જે સુખસાધન મનાય છે તે પણ બધાય પરમાથી સુખાભાસરૂપ હાઇ દુઃખરૂપ જ છે, ઇંદ્ર-ચક્રવત્તી આદિની પદવી પણ દુઃખરૂપ જ છે, એમ તેના આત્મામાં નિશ્ચય થાય છે. કારણ કે r “ પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળા, રાગના ભયવાળા, આજીવિકાના ભયવાળા, યશ હશે તેા તેની રક્ષાના ભયવાળા, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળા, લેણું હશે તે તેને લેવાના ભયવાળા, દેણું હશે તે તેની હાયવેાયના ભયવાળા, સ્ત્રી હશે તે તેની..........ના ભયવાળા, નહિ હોય તા તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળા, પુત્ર-પુત્રાદિક હશે તેા તેની કડાકૂટના ભયવાળા, નહિં. ાય તે તેને મેળવવાના ખ્યાલવાળા, ઓછી ઋદ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળા, વધારે હશે તે તેને ખાથ ભરવાના ખ્યાલના, એમ જ પ્રત્યેક સાધના માટે અનુભવ થશે. —શ્રીમદ્ રાજચ'દ્ર "" એટલે તે મુમુક્ષુ પુરુષ ભાવે છે કે-હે જીવ! આ ભયરૂપ સ`સારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તુ અનંત દુઃખ પામ્યા છે. ભીષણ નરક ગતિમાં, તિય ચ
Page 161
ગતિમાં, કુદેવ ગતિમાં, ને કુમનુષ્ય ગતિમાં તું તીવ્ર દુ:ખને પ્રાપ્ત થયા છે, દારુણ અસહ્ય દુ:ખ વૈરાગ્યભાવના તે ચિરકાળ સહ્યા છે, શારીરિક માનસિક દુઃખ તે વારવાર અનુભવ્યા છે. હે જીવ! અશુચિ બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભાવાસમાં તું ચિરકાળ વસ્યા છે. સમુદ્રના પાણી કરતાં પણ વધારે માતાના ધાવણુ તું ધાવ્યા છે. તારા મરણુસમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાએએ સાર્યાં છે. મેરુપર્યંત કરતાં પણ વધારે તારા કેશ-નખ વગેરે કપાયા છે. હું જીવ ! આ X" भोगे रागभयं कुले व्युतिभयं वित्ते नृपालाद्भयं; माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, સર્વ વસ્તુ મયાન્વિત મુવિ મૂળાં વૈશ્યમેવામયમ્ ।' '—શ્રી ભર્તૃહરી (અ` માટે જુઓ–શ્રીમદ્ રાજચંદ્રકૃત ભાવનામેાધ ). "ऐहिकं यत्सुखं नाम सर्व वैषयिकं स्मृतम् । न तत्सुखं सुखाभासं किन्तु दुःखमसंशयम् ॥” -શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત શ્રી પંચાધ્યાયી Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) યોગદષ્ટિસમુચ્ચય ત્રિભુવન મધ્યે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ જી સાથે સર્વ પ્રકારના સંબંધો તે અનેક વાર કર્યા છે. ભુવનેદરમાં વત્તતા સર્વ પુદ્ગલે તે ફરી ફરી રસ્યા છે ને મૂક્યા છે,–જગની એંઠ તે વારંવાર હોંશે હોંશે ખાધી છે, તો પણ તું તૃપ્તિ પામ્યો નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તે ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણાને છેદ થયે નથી ! માટે હે જીવ! હવે તો તું વિરામ પામ ! વિરામ પામ ! “જડ ચલ જગની એંઠને, ન ઘટે તુજને ભેગ હો મિત્ત.”–શ્રી દેવચંદ્રજી આમ દુ:ખમય સંસારસ્વરૂપ ભાવતાં તેના અંતરમાં વૈરાગ્યને રંગ લાગે છે, એટલે તે ચિંતવે છે કે આ દુ:ખદ સંસારને કયા કારણથી, કેવી રીતે ઉછેદ થાય? હું આ ભવભયથી ઉભો છું. આ દુ:ખપ્રચુર અધુવ અશાશ્વત સંસારમાં હું એવી શું કરણી કરૂં? કે જેથી કરીને હું દુર્ગતિ પ્રતિ ન જઉં. * “ભવભયથી હું ઉભો , હવે ભવ પાર ઉતાર હે.” (યશવિજયજી) વળી તે મુમુક્ષુ સત્પરુષની, સંત મુનિજનેની વિવિધ પ્રકારની સતુપ્રવૃત્તિ જોઈને દિંગ થઈ જાય છે. તેઓની પરમ અદ્ભુત ભક્તિ, પરમ અદ્દભુત આત્મશક્તિ, પરમ વિશુદ્ધ નિમલ તપશ્ચર્યા, પરમ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન, પરમ પ્રશાંત ગંભીર વાધારા, સંતનું ચિત્ર પરમ જ્ઞાનસંપન્ન શુદ્ધ ક્રિયાકલાપ, અને મેરુ જેવા મહાન સંયમભારનું ચરિત્ર! લીલાથી ધારણ,-એ વગેરે તે સાધુપુરુષની સતુપ્રવૃત્તિ નિહાળી તે તે - આશ્ચર્યમાં લીન થઈ જાય છે; અને ચિંતવે છે કે-આ આત્મારામી બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનું સમસ્ત ચિત્ર ચરિત્ર કેમ જાણી શકાય? કારણ કે આ સપુરુષોનું ચરિત્ર ચિંતવવામાં આવે તે કવચિત્ કરુણકમળતા દેખાય છે, કવચિત તીણતા દેખાય છે, કવચિત્ ઉદાસીનતા દેખાય છે! આમ પરસ્પર વિરોધાભાસી ગુણોનું એમાં દર્શન થાય છે! કારણ કે આ મહાજને સર્વ જેનું હિત કરવાવાળી કરુણ ધરાવે છે, કર્મનું વિદારણ કરવામાં તીક્ષ્ણતા રાખે છે, અને ગ્રહણ–ત્યાગ પરિણામ વિનાની દૃષ્ટા-સાક્ષી ભાવરૂપ ઉદાસીનતા દાખવે છે ! વળી એઓ યેગી પણ છે ને ભેગી પણ છે! વક્તા પણ છે ને મૌનધારી પણ છે! ત્રિભુવનના પ્રભુ પણ છે ને નિગ્રંથ પણ છે ! આમ વિવિધ x “ भीसण णरय गईए तिरिय गईए कुदेव मणुय गईए। .. पत्तोसि तिव्वदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयणसलिलं सयलं पीयं तिहाइ पीडिएण तुमे । તે વિ જ તપાછો ના ચિંતેદ્ મવમળમ્ II ઇત્યાદિ (જુઓ) શ્રી કુંદકુંદાચાર્યજીત શ્રી ભાવપ્રાભૃત, * " अधुवे असासयंमि संसारंमि दुःखपउराए । વિં નામ હુન્ન નં #મ ાહું તુજારું ન જોડ્યા ”—શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Page #269 -------------------------------------------------------------------------- ________________ તારાદષ્ટિ : શાસ્ત્ર ઘણા, મતિ થાડલી”
Page 162
(૨૦૩) વિરોધાભાસી તેમની ચિત્ર પ્રવૃત્તિ જણાય છે! એમ પરમ આશ્ચર્યકારક એવી પુરુષોની સમસ્ત ચિત્ર-વિચિત્ર આત્મચેષ્ટા, ચૈતન્ય ચમત્કારે મહારાથી કેમ જાણી શકાય વારુ? કરુણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે રે....શીતલ સર્વ જંતુ હિતકરણ કરુણા, કર્મ વિદારણ તીક્ષણ રે; હાનાદાન રહિત પરિણમી, ઉદાસીનતા વીક્ષણ રે...શીતલ૦ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે....શીતલ ઈત્યાદિક બહભંગ ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી રે અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે...શીતલ” શ્રી આનંદઘનજી તાહરી શૂરતા ધીરતા તીક્ષણતા, દેખી સેવક તણે ચિત્ત રાચ્યો; રાગ સુપ્રશસ્તથી ગુણી આશ્ચર્યતા, ગુણી અભુતપણે જીવ મા.”—શ્રી દેવચંદ્રજી કારણ કે नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । શિgr: પ્રમામિ તત્ય જાતે સવા ૪૮ || નથી અમારી મતિ મહા શાસ્ત્રવિસ્તાર મહાન; શિષ્ટો અહીં પ્રમાણ એ, માને નિત આ સ્થાન, ૪૮ અર્થ—અમારામાં મોટી બુદ્ધિ નથી, અને શાસ્ત્રવિસ્તાર તે ઘણો મટે છે; તેથી અહી'આ તે શિષ્ટ જ પ્રમાણ છે,–એમ આ દષ્ટિમાં સદા માને છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે “આ સાધુજનની ચિત્ર પ્રવૃત્તિ બધીય ન જાણી શકાય,” તેનું અહી કારણ બતાવ્યું છે. આ દષ્ટિવાળે યેગી ભાવે છે કે-મહારામાં તે તેવી મોટી બુદ્ધિ નથી કે કદી વિસંવાદ ન પામે–ટી ન પડે. અને પિતાની બુદ્ધિએકયાં હારી સ્વછંદ મતિકલ્પનાએ કપેલા વિષયમાં તે વિસંવાદ આવ્યા વિના મંદ મતિ? રહેતું નથી. આમ મહારી મતિ તે અતિ પામર છે–અલ્પવિષયા છે, અને શાસ્ત્રનો વિસ્તાર તે ઘણો ઘણું મટે છે. શ્રુતસાગરને પાર વૃત્તિ-નામ મતી પ્રજ્ઞા–અમારી પ્રજ્ઞા-બુદ્ધિ મટી નથી, સંવાદિની નથી; કારણ કે પ્રજ્ઞાથી વિહિપતમાં વિસંવાદનું દર્શન થાય છે, તેટલા માટે. તથા–સુમહાન રાત્રવિરતા:-શાસ્ત્રવિસ્તાર અત્યંત મહાન–મોટે છે -તે તે પ્રવૃત્તિના હેતુપણુએ કરીને. આમ-શિષ્ટ-સાધુજનેને સંમત એવા શિષ્ય પુરુષ, પ્રમાણમ-આ વ્યતિકરમાં–પ્રસંગમાં પ્રમાણભૂત છે. રિતિ-તેટલા માટે આમ, કાચાં મચત્તે સા–આ દૃષ્ટિમાં સદા માને છે. જે તેઓએ આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્યથી કરવું યુક્ત છે, એમ અર્થ છે, Page #270 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચય પામતાં મહામતિવાળા મહાજન પણ થાકી જાય છે, ત્યાં મહારા જેવા પામરનું શું ગજું? મહારી ચાંચ તેમાં કેમ બૂડી શકે? “અનંત ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય, ને શબ્દરૂપ ! રત્નથી ધનાઢય-સમૃદ્ધ એવા સર્વજ્ઞ શાસન-પુરમાં પ્રવેશવું અબડુતોને દુષ્કર છે. તે પછી શ્રુત-બુદ્ધિX વિભવથી પરિહીન એ હું કે જે પોતાની અશક્તિ વિચાર્યા વિના તેમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, તે તે વેરાઈ ગયેલા દાણાના કણ વીણવા ઈચ્છતા રંક ભીખારી જેવો છું ! ત્રિપદીમાત્રના ગ્રહણથી જેને દ્વાદશાંગીનું જ્ઞાન થતું હતું, એવા પૂર્વ પુરુષસિંહોને અનંત સાગર જેવો જ્ઞાનતિશય જ્યારે સાંભળીએ છીએ, ત્યારે બિન્દુ જેવા પણ નહિ એવા જ્ઞાનથી “આગમધર-શ્રુતધર' કહેવાતા વર્તમાનકાળના પુરુષોને પણ મને અવકાશ નથી, તે મારા જેવા મંદમતિનું તે તેમાં સ્થાન જ કયાં છે? સૂત્રો જેમાં અમલ જલ છે અથગભીર મીઠાં, સિદ્ધાન્તના પ્રબળ ઉછળે જ્યાં તરંગે ગરીઠા; યુક્તિરૂપી સરસ સરિતા સંગમસ્થાન ચત્ર, ચારૂ એ શ્રુતજલનિધિ વર્ણવા કોણ શક્ત ? ધીમંતની પણ મતિગતિ તાગ જેને ન લાવે, બુદ્ધિ જેમાં બુધ જન તણી કયાંય નિરુદ્ધ થા; દેખીને જ્યાં ગુણ ગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચારૂ એ શ્રુત જલનિધિ વર્ણવા કોણ શક્ત ?”-(ડે. ભગવાનદાસ) આમ હારી અપમતિ અપાર શાસ્ત્રસમુદ્રને પાર પામી શકે એમ નથી, માટે અત્રે તે સંતજનોને સંમત એવા શિષ્ટ પુરુષ જ હારે પ્રમાણ કરવા યોગ્ય છે. તેઓએ જેમ કહ્યું છે તેમ જ તથ્ય હોવા યોગ્ય છે, તેઓએ જે આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્ય પણે હારે આચરવા ગ્ય છે, હારે મન તે તેઓનું વચન જ મનનીય ને માનનીય
Page 163
છે; માટે મ્હારે મહારૂં જૂઠું ડફાણ-દોઢડહાપણ કરવા યોગ્ય નથી. “મીંગનો ચેન જત: સ પ્રચા:”—મહાજન જે માગે ગયા તે માર્ગને અનુસરવું એ જ મહારૂં કર્તવ્ય છે, અને એમ ભાવથી કરીશ તે સુયશની પ્રાપ્તિ મને અવશ્ય થશે.* x" यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाव्यम् । सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ श्रुतबुद्धिविभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोच्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥ पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । ઋત્વા માંગતપુરુષ શર્થ સ્વયુદ્ધથા મહું ચાનિત .” -–શ્રી ઉમાસ્વાતિવાચકગણીત પ્રશમરતિ Re “તમન્ શાર્દૂ મા તે, અર્થાદાર્થવ્યવસ્થિતી ! જ્ઞાત્વા ફાસ્ત્રવિધાનો વર્ષ જીતુષિાસિ ”-ગીતા-અ, ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ તાશષ્ટિ : સારાંશ-યોગદૃષ્ટિ કળશ કાવ્ય (૨૯૫) “ શાસ્ત્ર ઘણા મતિ થાડલી....મન॰ શિષ્ટ કહે તે પ્રમાણ રે....મન૦ સુયશ લહે એ ભાવથી....મન॰ મ કરે જૂઠ કાણુ રે....મન”—ચાગ॰ સજ્ઝાય-૨-૫ 瓿 તારાદૃષ્ટિ સારાંશ આ તારાદષ્ટિમાં— (૧) દર્શીન, છાણાના અગ્નિકણુ જેવું મંદ વીય-સ્થિતિવાળુ. હાય. (૨) ચેાગતું ખીજુ અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષના ત્યાગ હાય. (૪) જિજ્ઞાસા નામને ખીજો ગુણુ પ્રગટે. તે ઉપરાંત આ ગુણુસમૂહ પણ હાય-(૧) યાગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (ર) શુદ્ધ યાગીએ પ્રત્યે બહુમાન, તેએનેા યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, ક્ષુદ્ર ઉપદ્રહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણુહીનતાથી ખેદ ત્રાસ. (૭) ભવવૈરાગ્ય–સ'સારથી છૂટવાની કામના. (૮) સત્ પુરુષની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચયૅ. (૯) શિષ્ટ કહે તે પ્રમાણુ’ એવી ભાવના, સ્વછંદ ત્યાગ. તારાદષ્ટિનું' કોષ્ટક ૫ ઢાષત્યાગ ગુણપ્રાપ્તિ ઉદ્વેગ ત્યાગ જિજ્ઞાસા ( અનુદ્દેગ ) દર્શન છાણાના અગ્નિકણ જેવુ ચાગાંગ નિયમ ખીજા' ગુણસમૂહ { યમકથાપ્રીતિ, યોગીજન પ્રતિ { સંમતતા, ભવભય પલાયન, ઉચિત આચરણ, અનુચિત અનાચરણુ ...ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ ગુણહાનિથી ખેદ. { ભવવૈરાગ્ય, શિષ્ટપ્રમાણતા. 品 ચાગષ્ટિ કળશ કાવ્ય —: મદાકાંતા :તારામાંહી પ્રથમ કરતાં દૃષ્ટિ ખૂલ્યે વધારે, ચેાગી 'ચું દરશન કઈ ગામયાગ્નિ શુ ધારે; સત્શ્રદ્ધાથી ચુત શ્રુતપથે તે સદા સચરે છે, મુમુક્ષુ તે સિંહશિશુ સમે મેક્ષમાગે ચરે છે. ૩૧. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચોગદષ્યિસમુચ્ચય ૩૨. - ૩૩. ૩૩. ૩૪. સોના અમલ જલથી ચિત્તનો મેલ છે, શૌચાચારે શુચિ રુચિ અતિ વેગ આ શુદ્ધ હવે સૂગાતે તે અશુચિ તનથી, શુદ્ધ નિર્લભ ભાવે, સવવૃદ્ધિ સુમનપણું ને યોગ્યતા યોગ પાવે સંતોષી આ ક્ષણ પણ તણાયે ન તૃષ્ણા-તરંગે. આત્મામાંહી નિત રત રહે તુષ્ટ સંવેગ રંગ; મર્યાદા તે પરિગ્રહ તણું નિયમે નિત્ય આણે, તૃષ્ણ ખાડે કઠિન પૂરવો જાણું સંતોષ માણે. સમ્યજ્ઞાને યુત તપ તપે શક્તિ શું આ યશસ્વી, ને આત્મામાં તપથી પ્રતાપે આ પ્રતાપી તપસ્વી; સતુશાસ્ત્રોનું મનન કરતે એહ સ્વાધ્યાય ધ્યાવે, દેહાધ્યાસ ત્યૐ જપ જપે ભાવના આત્મભાવે. જેનું શુદ્ધ સ્વરૃપ પ્રગટયું, જ્ઞાન અધુર્ય જેનું, યોગીન્દ્રો ધર મન ધરી ધારતા ધ્યાન જેનું, એવા સાચા ઈશવર ગુણે ચિત્તસંધાન જામે, ગાતાં ધ્યાતાં ભજન કરતાં આત્મનું ભાન પામે. યોગે ધારે નહિં અણગમે, વેઠ તે નાજ કાઢે, કિંતુ તેમાં દિન દિન પ્રતિ ભક્તિ ઉલ્લાસ વાધે; હું છું કોણ? સ્વરૂપ મુજ શું? જાણવા તત્ત્વ ખંખે, - ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકે જેમ કંખે. સોની અમૃત સરખી સકથાઓ ગમે છે, જાણ તેને દુરલભ અતિ ચિત્ત તેમાં રમે છે; કામાદિની વિષ સમ કથામાંહિ ના ચિત્ત ચોંટે, સૌએ ચાખી ફરી ફર ફરી એઠને કણ બોટે ? સાચા જોગીજન મહત જે શુદ્ધ સોગ સાધે, તેને પ્રત્યે નિત નિત બહુ ભક્તિ સન્માન વાધે; સેવા તેની વિનયથી કરે શક્તિશું ભક્તિભાવે, ને આત્માને અનુગ્રહ કરૂં ચિત્તમાં એમ ધ્યાવે. ૩૫. ૩૬. ૩૭. ૩૮. Page #273 -------------------------------------------------------------------------- ________________ (૨૦૭) ૩૯. તાશદષ્ટિ : યોગદષ્ટિ કળશ કાવ્ય તેથી તેને સુફળ મળતું ગવૃદ્ધિ સ્વરૂપી,
Page 164
લાલે બીજા પણ બહુ મળે આનુષંગી અનૂપી; કલ્યાણને ઉદય વધતે, હાણ ઉપદ્રની, માની શિષ્ટ શિર પર ધરે આણ તે સજજની. આ મુમુક્ષુ ભવ થક બહુ ના હવે તે ડરે છે, “માથે ધીગો ધણી” પ્રભુન કે વાળ વાંકે કરે છે; તે તે કૃત્યે ઉચિત મહિ તે આવવા દે ન ખામી, કિયાયે અનુચિત કરે તે અજાણે નકામી. ઊંચી ગસ્થિતિમય દશા ધારતા ગિની, ઊંચી ક્રિયા નિરખ તલસે જાણવા તે જુએાની ! તે સંતનું ધન ધનપણું ચિંતવે, દ્વેષ છૂટે, ને પિતાની વિકલ કરણી દેખૌ સંવાસ છૂટે. ભારી દુખસ્વરૃપ સઘળો એહ સંસાર ભાસે, કયા હેતુથી ? કઈ જ રૌતથી તાસ ઉછેર થાશે? આ સંતની ક્યમ વિવિધ આ સત્ ક્રિયાઓ જણાશે? એવું એવું બહુ તલસતે આ મુમુક્ષુ વિમાસે. મહારામાં તો નથૌ મતિ મહા, શાસ્ત્ર વિસ્તાર માટે, તેથી અત્રે મતિકલપનારૂપ સ્વચ્છેદ શિષ્ટો સાચા સતજનમતા સર્વથા છે પ્રમાણ, એવું માની મન મહિં સદા ડેળને ના ડફણ ૪૧. ૪૩. અનુષ્ક . . વાધે ચાગ કથાપ્રીતિ, સાધે સોગ સાધના સત્ સેવા સંતની લાધે બાધે દુષ્ટ કુવાસના. ત્યજ તે ભવભાગોને, સજતે ગસાધને; ભજ તે ભગવાન ગી, તે મનઃસુખનંદને. ૪૫. ... ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंद. नीबृहटीकानामविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे द्वितीया ताराष्टिः॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ બલા દષ્ટિ તારાદષ્ટિ કહી. હવે “ અલા' કહેવામાં આવે છે, તેથી અત્રે કહે છે. सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥४९॥ સુખ આસન સહ દર્શન, દઢ હોય બલામાંહિ; તત્ત્વશ્રષા પરમ ને ક્ષેપ યોગમાં નાંહિ ૪૯ અર્થ –બલા દૃષ્ટિમાં સુખ આસન સંયુક્ત દૃઢ દર્શન, અને પરમ તત્ત્વશુશ્રષા-તત્ત્વ સાંભળવાની ઈચ્છા હોય છે. તથા યુગ વિષયમાં ક્ષેપ હોતો નથી. વિવેચન ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ઠ અગ્નિ સમ બોધ, ક્ષેપ નહિં આસન સધેજી, શ્રવણ સમીહા શોધ રે.... જિનજી! ધન ધન તુજ ઉપદેશ.”—ગઢ સક્ઝાય રૂ-૧ ત્રીજી બલા નામની દૃષ્ટિમાં આગળ કહેલા અનુક્રમ પ્રમાણે આ પ્રકારે ચભંગી હોય છેઃ-(૧) દશન કાષ્ઠ અગિકણ સમાન, (૨) વેગનું ત્રીજુ અંગ આસન, (૩) ક્ષેપ નામના ત્રીજા આશય દોષને ત્યાગ, (૪) શુશ્રુષા નામના ત્રીજા ગુણની પ્રાપ્તિ હોય છે. - કૃત્તિ-સુહાસનમાયુ–સુખાસનથી સમાયુક્ત, સ્થિર સુખાસનવાળું, વરાયાં-બલા દષ્ટિમાં, -દર્શન, પૂર્વે કહ્યું હતું તે (સત્ શ્રદ્ધાળે છે તે દર્શન), દઢ-દઢ-કાષ્ઠ અગ્નિકણની ઉપમાવાળું છે એટલા માટે. પા જ તન્નારાશ્રણ-અને પરમ તત્વ શુશ્રુષાતત્વ, સાંભળવાની જિજ્ઞાસા–પરમ ઈચ્છા, ઉત્કંઠા, ન ક્ષે જન:-ગોચર–ગવિષયક ક્ષેપ હત નથી તે અનુગજન્ય હોય છે, એટલા માટે. Page #275 -------------------------------------------------------------------------- ________________ બહાષ્ટિઃ કાષ્ઠઅગ્નિ સમ બે, ત્રીજું ગાંગ આસન (૨૦૯) ૧. દર્શન : કાષ્ઠઅગ્નિ સમ બોધ બલવાળી તે બલા. આ દષ્ટિમાં દર્શન એટલે કે સતશ્રદ્ધાવાળે બંધ પણ આગલી બે દષ્ટિ કરતાં વધારે બળવાન દૃઢ હોય છે, કંઈક વિશિષ્ટ પ્રકારના હોય છે, અને તેને કાષ્ઠ અગ્નિકણુના પ્રકાશની ઉપમા છાજે છે. કાછનો-લાકડાને અગ્નિ, તૃણ ને છાણાના અગ્નિ કરતાં વધારે પ્રકાશવાળ, વધારે સ્થિતિવાળે ને વધારે વયવાળ હોય છે, તેમ આ દષ્ટિને બોધ પણ મિત્રો ને તારા દષ્ટિ કરતાં અધિક દઢતાવાળે, અધિક સ્થિતિવાળે ને અધિક બલ-સામર્થ્યવાળા હોય છે. એથી કરીને તેને જીવનમાં આચરણરૂપ પ્રગ કરતી વેળાએ ૫ટુ-નિપુણ જેવી સ્મૃતિ રહે છે, કારણ કે તેને સંસ્કાર લાંબે વખત ટકે છે, અને તેથી કરીને પ્રજનભૂત પ્રયોગની એટલે કે અર્થ પ્રગની માત્ર પ્રીતિથી કંઈક યત્નને સંભવ હોય છે. આમ અપેક્ષાએ અત્રે દઢ-બળવાન દર્શન હોય છે. એટલે આગળ કહેલા દૃષ્ટિદર્શન શબ્દના લક્ષણ પ્રમાણે, અહીં પુરુષની ને સપુરુષના વચનામૃતજીની –સશાસ્ત્રની બળવત્તર શ્રદ્ધા હોય છે,
Page 165
અને એવી શ્રદ્ધાથી સંયુક્ત બેધ પણ વધારે બળવાળો હોય છે. એટલે આ દષ્ટિવાળે મુમુક્ષુ સપુરુષ સદ્ગુરુને પરમ ભક્ત હોય છે, સતુશાસ્ત્રની આજ્ઞાને દઢ આરાધક હોય છે. એથી કરીને તે સત્શાસ્ત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, અસતુપ્રવૃત્તિથી વિરામ પામે છે, અને સત્પ્રવૃત્તિપદને પાસે ને પાસે ખેંચતે જાય છે. ૨. ત્રીજું યોગાંગ આસન અત્રે યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે; સુખાસન, સ્થિર આસન હોય છે, આસનની દઢતા હોય છે; આગલી બે દષ્ટિમાં યમ, નિયમ એ બે ગાંગની પ્રાપ્તિ પછી સ્વભાવિક કમે અહીં દઢ આસનની પ્રાપ્તિ હોય છે, કારણ કે જેમ જેમ યમ-નિયમની દઢતા થતી જાય છે, જેમ જેમ યમ-નિયમ આત્મામાં પરિણામ પામતા જાય છે, તેમ તેમ જીવ એગમાર્ગમાં દઢ સુખાસન જમાવતે જાય છે, દઢ બેઠક કરતે જાય છે, સ્થિર થતો જાય છે. અહીં પદ્માસન, પર્યકાસન આદિ બાહ્ય આસન ઉપરાંત મુખ્યપણે અત્યંતર આસનની વાત સમજવાની છે. આ જીવ અનાદિ કાળથી પરવસ્તુમાં અધ્યાસ-આસન કરી બેઠો છે, પરવસ્તુને પોતાની માની તે ઉપર ચઢી બેઠો છે ! એવી અનાદિની પરવસ્તુની બેઠક ઉઠાવી લઈ, પિતાના આત્મસ્વરૂપમાં આસન કરવું–બેઠક લેવી તે પરમાર્થથી સુખાસન છે. તેની સાથે મનની ને શરીરની ચપળતા દૂર કરવા માટે બાહ્ય દઢ આસનની સાધના પણ સહકારીપણે–આલંબનપણે ઉપકારી થાય છે, કારણ કે જીવ એક સ્થળે સ્થિર થઈ બેસે તો તેને મને યોગ અચપળ થાય છે, ને તેને ધર્મધ્યાનની અનુકૂળતા મળે છે. આસન Page #276 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) યોગદષ્ટિસમુચ્ચય દઢતાથી અંતરાયનો વિજય થાય છે. * દ્વન્દ્રોને અભિઘાત થતું નથી, અને દષ્ટ દેષને પ્રણિધાનપૂર્વક પરિત્યાગ થાય છે. આ “સુખાસન” શબ્દ સમજવા જેવો છે. “ સ્થિસુત્વનાતનમ્' (પા. થો૨-૪૬). સુખાસન એટલે જ્યાં સુખેથી-આરામથી–લહેરથી બેસી શકાય એવું સ્થિર હોય તે આસન. ઉદ્વેગ ન પમાડે એવું સ્થિર આસન તે સુખાસન. જે આસન સુખાસન ડગમગતું હોય, અસ્થિર હોય, જ્યાં સુખેથી-આરામથી બેસી શકાય એવું ન હોય, તે સુખાસન ન કહેવાય. જેમ ડગમગતા પાયાવાળી કે ભાંગી તૂટી કે ખૂચે એવી ખુરશી સુખાસન ન કહેવાય, પણ સ્થિર પાયાવાળી, અખંડ સુંદર ગાદીવાળી હોય તે સુખાસન કહેવાય; તેમ પરમાર્થમાં, અધ્યાત્મ પરિભાષામાં પણ, પર વસ્તુનું જે આસન તે અસ્થિર, ડગમગતું, બેસતાં ખૂચે એવું દુઃખદાયક છે, માટે તે સુખાસન નહિં, પણ દુખાસન છે ! સાચું “સુખાસન’ તે એક નિજ સહજ આત્મસ્વરૂપ પદ છે. કારણ કે તે જ અત્યંત સ્થિર, નહિં ડગમગતું, ને બેસતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારૂં છે, માટે તે જ પારમાર્થિક સુખાસન છે. જેમ જેમ તેવા ભાવ સુખાસનમાં જીવ બેસે છે, તેમ તેમ તેને સુખની–પરમાનંદની એર લહરીઓ છૂટતી જાય છે. આમ જેમ બને તેમ દેહાધ્યાસ છોડતા જઈ, આત્મારામી બનતા જવું, તે આસન નામના ત્રીજા વેગ અંગની સિદ્ધિ છે. છૂટે દેહાધ્યાસ તે, તું કર્તા નહિં કર્મ; તું ભક્તા નહિ તેહને, એજ ધર્મને મમ.”_શ્રી આત્મસિદ્ધિ આતમબુદ્ધ હે કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ... સુગ્યાની કાયાદિકે હે સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપસુ”-શ્રી આનંદઘનજી ૩. અક્ષેપ ત્રીજે જે “ક્ષેપ” નામનો ચિત્તદેષ કહ્યો હતો, તેને અહીં ત્યાગ હોય છે, કારણ કે આગલી બે દષ્ટિમાં ખેદ અને ઉદ્વેગ નામના બે દોષ દૂર થયા પછી આ દેષ પણ દૂર થાય છે. પ્રથમ ખેદ એટલે યોગક્રિયા પ્રત્યે મનનું અદઢપણું-થાકી જવું તે દૂર થાય છે. એટલે પછી તે યોગક્રિયા પ્રત્યેના દ્વેષરૂપ—અણગમારૂપ ઉદ્વેગ દેષ ટળે છે, વેડિયાપણું દૂર થાય છે. અને પછી સ્વાભાવિક ક્રમે “ક્ષેપ” દેષ પણ ટળે છે. ક્ષેપ એટલે ફેકાવું તે (ક્ષિધાતુ પરથી). ચિત્તનું જ્યાં ત્યાં ફેંકાવું-દોડવું તેનું નામ
Page 166
ક્ષેપ. કઈ પણ કિયા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ત્યાંથી ઉખડી ઉખડીને ચિત્ત બીજે બીજે સ્થળે આડુંઅવળું x" अतोऽन्तरायविजयों द्वन्द्वानभिहतिस्तथा । દોષપરિચાયઃ કણિધાનપુર:સર: || ”—શ્રી ય કૃત દ્વા દ્વા તો તાનમિઘાત: - શ્રી પાતંજલ . સુ ૨-૪૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ : અક્ષપ, મનડું કિહિ ન બને” (૨૧૧) ગયા કરે તે ક્ષેપ. જેમ શાલિને ઉખેડી ઉખેડીને બીજે વાવવાથી તેનું ફળ હેતું નથી, તેમ ઉખડી ઉખડીને અન્યત્ર દોડતા-ઝવાં નાંખતા ચિત્તથી થતી ક્રિયાનું શુદ્ધ ફળ હોતું નથી. (જુઓ પૃ. ૮૫). આવી ચિત્તની ડામાડોળ અવસ્થા તે ક્ષેપ છે. આ ક્ષેપ દોષને અહીં ત્યાગ થતાં અક્ષેપ હોય છે. આ વિક્ષેપ વિનાનું એવું * અવિક્ષિપ્ત મન તે જ આત્માનું તત્ત્વ છે, વિક્ષિપ્ત મન તે આત્માની બ્રાંતિ છે. એમ જાણીને આ દષ્ટિવાળ યોગી પુરુષ જેમ બને તેમ મનને અવિક્ષેપ રાખે છે, વિક્ષેપ પામવા દેતું નથી. તે પ્રતિક્રમણ કરતે હોય કે સામાયિક કરતે હોય, તે પ્રભુભક્તિ કરતો હોય કે સદ્દગુરુવંદન કરતે હોય, પણ તેનું મન બીજે આડુંઅવળું જતું નથી, ડામાડોળ થઈ પર વસ્તુમાં ગમન કરતું નથી. સામાયિક કરતાં ઢંઢવાડે ગયેલા શેઠની જેવું તે નથી કરતે – એક ગૃહસ્થ હતા. તે સામાયિકમાં બેઠેલા. દરમ્યાન વિચારચક્રે ચડી જઈ, ચામડાના વેપારી અમુક ચમારને ત્યાં જવું છે ને એની સાથે આમ આમ વાત કરવી છે એવી તે મનમાં ઘડભાંજ કરવા લાગ્યા ! ને તેમ બડબડવા પણ માંડ્યા ! તે છોકરાની વિચક્ષણ વહુએ સાંભળ્યું. તેવામાં કેઈ આવ્યું ને પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ? વહુએ પાધરે જવાબ આપ્યો-ઘરમાં નથી, ઢેઢવાડે ગયા છે ! પછી સામાયિક પૂરી થયે, શેઠે વહુને પૂછયું-હું તે ઘરમાં હતું, છતાં તું બેટું કેમ બેલી ? ડાહી વહુએ જવાબ આપેસસરાજી! આપનું શરીર ઘરમાં હતું ને સામાયિકમાં બેઠું હતું, પણ આપનું મન શું ઢેડવાડે હેતું ગયું? તે સાંભળી શેઠને પોતાની ભૂલનું ભાન આવ્યું ને પિતાના ચિત્તની ચંચલતા માટે પશ્ચાત્તાપ થયો. આ મુમુક્ષુ પુરુષ જેમ બને તેમ પરભાવમાંથી મનને પાછું વાળે છે, કારણ કે તેને અવિદ્યાભ્યાસના સંસ્કાર દૂર થઈ રહ્યા છે, ને જ્ઞાનસંસ્કાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે રાગ-દ્વેષ–મેહાદિ ભાવે તેને ઝાઝો ફેભ પમાડી શકતા નથી, તીવ્ર કષાયે તેની ચિત્તભૂમિને ખૂંદી નાંખી ખળભળાટ મચાવતા નથી; વિષયેનું આકર્ષણ તેના મનને ડામાડેળ કરતું નથી માન-અપમાન, સુખ-દુ:ખ, હર્ષ-શેક વગેરે દ્વન્દ્રો તેના ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી, અર્થકથા, કામકથા કે કઈ પણ પ્રકારની વિકથા તેના ચિત્તને આકર્ષતી નથી. *" अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ।। अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નામના ા ચહ્ય વેતનઃ ” શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક Page #278 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય (૨૧૨) કારણ કે આ મહાનુભાવ મુમુક્ષુ આ મન-મટના તરકટને સારી પેઠે જાણે છે. કાઇ પણ કાર્ય કરતાં આ મનરૂપ વાંદરૂ જ્યાં ત્યાં દોડયા કરે છે–ફેકાયા કરે છે, વિક્ષેપ પામે છે. માટે તેને છૂટુ-રે ન મૂકવુ. જોઈએ એમ તે સમજે છે. ‘મનડું મહી કારણ કે તે ચિતવે છે કે-રાત્રે કે દિવસે, વસતિમાં કે ઉજ્જડ સ્થાનમાં ન માગેઃ ગમે ત્યારે આ મન ઘડીકમાં આકાશમાં ને ઘડીકમાં પાતાલમાં જાય છે! મુક્તિના અભિલાષી એવા તપસ્વીએ જ્ઞાન-ધ્યાનના અભ્યાસ કરે છે, ત્યાં તે આ દુશ્મન જેવું મન કંઈક એવુ· ચિ'તવે છે કે જેથી તે અવળે પાસે નાંખી દે છેઉધે રવાડે ચડાવી દ્યે છે ! મેાટા મેાટા શાસ્ત્રના જાણકાર જે ‘આગમધર' કહેવાય છે. તેમના હાથે પણ આ મનડું
Page 167
કાઈ પણ પ્રકારે અંકાતું નથી-મદોન્મત્ત હાથીની જેમ અંકુશમાં આણી શકાતું નથી ! અને કયાંક જો તેને હઠ કરીને હડકાવવામાં આવે છે-તિરસ્કાર કરીને કૂતરાની જેમ હડધૂત કરવામાં આવે છે, તે તે વ્યાલની જેમ વાંકુ થઈને બેસે છે, ઉલટુ આડુ ફાટે છે! આ મનને જો ઠગ કહીએ તે ઠગતું દેખાતું નથી, ને શાહુકાર પણ તે છે નહિ ! તે બધાયમાં છે તે બધાયથી અલગુ' છે! એ આશ્ચય મનમાં ઉપજે છે! ને મનમાં સમાય છે! હું જે જે કહું છું તે તે આ દુન કાને ધરતા નથી, ને કાલે!' આપમતે રહે છે ! ગમે તે સુર, નર કે પ'ડિતજન સમજાવે તે પણ આ મ્હારા શાળા-મહા રેશાળા સમજાવ્યેા સમજે એમ નથી! હુ તે જાણતા હતા કે આ મન નપુ‘સકિલગી છે, પણ આ તે બધાય · મરદને ઠેલે મારે છે-ડેએ ચડાવે છે ! બીજી વાતમાં તે ‘પુરુષ' સમથ છે, પણ આ મનડાને કાઇ જેર કરી શકતું નથી! મન આવુ દુરારાધ્ય છે, રીઝવવુ’–શ કરવું મુશ્કેલ છે, માટે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું' એ વાત હું ખેાટી માનતા નથી. આવા મનને હું જેમ જેમ જતન કરીને રાખવા જઉં છું, તેમ તેમ તે અળગું ને અળગું ભાગતું જાય છે ! કઇ રીતે ખાઋતુ' નથી ! ઠેકાણે આવતું નથી ! મનડુ* કિંમહી ન ખાઝે હૈ। કુ'થુ જિન ! મનડુ· કિમહી ન ખાઝે; જિમ જિમ જતન કરીને રાખુ', તિમ તિમ અળગુ` ભાજે...હા કુથુ રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય. સાપ ખાય ને મુખડુ' થેાથુ, એહ ઉખાણા ન્યાય....હા કુંથુ મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઇ એહવું. ચિંતે, નાંખે અવળે પાસે....હા કુથુ આગમ આગમધરને હાથે, ના'વે Øિવિધિ આંકુ; કહાં કર્ણે જે હઠ કરી હટકુ, તેા બ્યાલ તણી પરે વાંકું....હા કુંથુ ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહિ; સહુ માંહે ને સહુથી અળગુ', એ અચરજ મનમાંહિ...હા કુંથુ Page #279 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ : દુરારાધ્ય મનમક, તવશુશ્રુષા (૨૧૩) જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહાર શાળે.હો કુંથુરા મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે...હો કુંથુ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિં ટી; એમ કહે તે નવિ માનું, એ કહી વાત છે મેટી...હો કુંથુ”-શ્રી આનંદઘનજી એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મહારે શી રીતે ઠેકાણે આણવું? કારણ કે પાણીમાં પથરે પડતાં પાણી જેમ ડોળાઈ જાય છે, તેમ આ ( હારૂં દુષ્ટ મન પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપને પથરે પડતાં ડોળાઈ મનમર્કટને કેમ જાય છે. “આ ચંચલ મન તે મથન કરનારૂં ને અત્યંત બળવાન છે. ઠેકાણે આણવું? વાયુની જેમ તેને નિગ્રહ કર ઘણું કઠિન છે.' માટે હવે હારે કેમ કરવું? વૈરાગ્ય ને અભ્યાસને ઉગ્ર પ્રયાસ નહિં કરવામાં આવે તો આ મન કદી વશમાં આવવાનું નથી, એ તે એના સ્વભાવ પ્રમાણે ચારે કોર ભટક્યા કરવાનું છે, માટે આ મનરૂપ વાંદરાને કયાંક બાંધી રાખું તે ઠીક ! અથવા એના જેવું કંઈ કામ સેંપી દઉં એટલે એ બિચારું ભલે ચઢ-ઉતર ર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનનો જય કર્યો છે, એવા પરમાત્મા પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકતું નથી ! અથવા તે એને
Page 168
શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય ! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય! ભલે વિશાલ મતિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે-કૂદ્યા કરે ! મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ હારૂં આણો , તે સાચું કરી જાણું. કુંથુ”-શ્રી આનંદઘનજી ૪. તત્ત્વ-શુશ્રુષા આ દષ્ટિમાં શુશ્રષા નામને ત્રીજો ગુણ પ્રગટે છે, કારણ કે બીજે જિજ્ઞાસા ગુણ * “રંપરું હું મન: પ્રમાથિ વઢવા દઢમ્ | तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहे। मनो दुर्निग्रहं चलम् । અચાન તુ શૌતેર વૈરાગ્યે જ મૃuતે ” –ગીતા * " अनेकान्तात्मार्थप्रसत्रफलभारातिविनते, वचःपर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं, श्रुतस्कंधे धीमान् रमयतु मनोमर्कटममुम् ।।" -શ્રી ગુણભદ્રસ્વામીજીત શ્રી આત્માનુશાસન Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) યોગદૃષ્ટિસમુચ્ચય પ્રગટવા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રુષા એટલે શ્રવણુ કરવાની–સાંભળવાની ઇચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પણ તત્ત્વ સબધી જ હાય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કાણુ છું ? મ્હારૂ સ્વરૂપ શું છે? આ ખીજુ બધુંચ શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેની સાથે મ્હારે શે। સ ંબંધ છે? આ જગત્ શું છે ? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે? ધર્માંનું પારમાર્થિક સ્વરૂપ શુ છે ? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઇત્યાદિ તત્ત્વ સંબધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્ત્વવાર્તા સાંભળવાની આ દૃષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરંગ ઇચ્છા પ્રગટે છે. આવી અંતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કણેન્દ્રિયદ્વારા શ્રવણુ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તા આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે ! તેપણુ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું' તત્ત્વજ્ઞાન થયું નથી ! કારણ કે તેણે અંતરાત્માથી,આંતર શ્રવણેન્દ્રિયથી ભાવ શ્રોત્રેન્દ્રિયથી શ્રવણ કર્યુ નથી, માત્ર દેખાવ પૂરતુ જ સાંભળ્યુ' છે. “ કથા સુણી સુણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ”—શ્રી અખાભક્ત બ્રહ્મા વા અરે શ્રોતવ્યો મમ્તવ્યો. નિટ્રિબ્યાસિતો ।' શ્રી વેદશ્રુતિ י, C “ કેટલીક વાર એક ભૂલ તા એ થાય છે કે તે · શ્રવણ ને અથ ગ્રહણ સાથેના તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. ‘શ્રવણ' એટલે સાંભળવુ' અને સાંભળવુ એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયુ' એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. x x x શબ્દને કર્ણીમાં લઈ તેની સાથે અગ્રહણ પણ કરી લેવું તેનું નામ ‘શ્રવણુ ', એમ શ્રવણુ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે. ” અને આ જે શ્રવણેચ્છા છે ખીજાના મેલ્યા કે ઉપદેશ્યા વિના વિદ્વય શ્રી આન‘દશ કર બાપુભાઈ ધ્રુવ તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું સભવે નહિ; માટે શ્રવણુ અન્ય દ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સદ્ગુરુમુખે મુખે કરવાનું છે; અને તેના જોગ ન હેાય તે પૂર્ણાંકાલીન મહાત્માશ્રવણ એના સાસ્રમુખે શ્રણ કરવાનું છે, કારણ કે મહાયાગબલસપન્ન એવા તે તે મહાગુરુઓના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘ અક્ષર” સ્વરૂપે વ્યક્ત થઇ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરેક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલખન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઈ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કોટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી–માની એસી તેના મુખે
Page 169
શ્રવણુ કરવા કરતાં, આવા પરોક્ષ સદ્ગુરુએના સથમુખે શ્રવણુ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનાનુ' માનવું છે. તારૂપ ગુરુગુણુરહિત ગમે તેને ગુરુ કલ્પવા કરતાં, આમ કરવુ તે જ ચેાગ્ય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : સદગુરુમુખે-સતશાસ્ત્ર મુખે શ્રવણ (૨૧૫) “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ વેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદ્ગુરુએ કહ્યા, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.”—શ્રી આત્મસિદ્ધિ “કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લે એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રંથ દ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને ગ્રંથમાં કેવી સારી રીતે સંક્રાંત કરી શકે છે, એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો ભાગ જ ઉત્તમ છે.”—પ્રો. આનંદશંકર ધ્રુવ. એટલા માટે આ દષ્ટિવાળો મુમુક્ષુ યેગી પુરુષ તત્ત્વશ્રવણની તીવ્ર ઉકંઠા ઉત્પન્ન થતાં, શ્રી સદ્ગુરુને વેગ મેળવવા પ્રયાસ કરી તેમના શ્રીમુખે તત્વ સાંભળવા ઈચ્છે છે. અને તેમને વેગ જે બની શકે એમ ન હોય તે સતશાસ્ત્ર મુખે શ્રવણ કરવા શું સાંભળવાની ઈચ્છે છે. તે કોઈ પણ પ્રકારે પિતાના હૃદયમાં મંથાઈ રહેલા તત્ત્વપ્રશ્નોનું ઈચ્છા? સમાધાન પામવા ઈચ્છે છે. તે કવચિત્ શાંતિનું સ્વરૂપ સાંભળવા ઈચ્છે છે, તે કવચિત્ આત્મતત્ત્વ કેવું હશે તે શ્રવણ કરવા ઉત્કંઠિત બને છે. આ જીવે પૂર્વે એવી તે શી વિરાધના કરી હશે ? કે જેથી તેના મેહાદિ દેષ હજુ ટળતા નથી, એવી શંકાનું સમાધાન પામવા તે કવચિત્ ઈચ્છે છે તે કવચિત્ ભગવાનને હાજરાહજૂર કલ્પી, સાક્ષાત ખડા કરી, આટલા બધા કારણ પામ્યા છતાં. આ જીવ હજુ કેમ તરી જતો નથી, તેનું કારણ આપ કહો, એમ જાણે સાક્ષાત્ ભગવાનને પૂછી, તે સાંભળવા માટે એકતાન થઈ રહે છે. જેમકે“શાંતિ જિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે! શાંતિ સ્વરૂપ કિમ જાણિયે ? કયમ અહો ! મન પરખાય રે?....શાંતિ આતમતત્વ કયું જાણ્યું જગત ગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિન લહિયે...મુનિસુવત.”—શ્રી આનંદઘનજી પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે; અવિરતિ મેહ ટલે નહીં, દીઠે આગમ દીવ લાલ રે.” કારણ જોગે છે સાથે તત્ત્વને, નવિ સમયે ઉપાદાન ર... જિર્ણોદજી શ્રી જિનરાજ પ્રકાશ મુજ પ્રતે, તેને કોણ નિદાન....જિ .”—- શ્રી દેવચંદ્રજી આ જ અર્થ કહે છે Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬) યોગદષ્ટિસમુચ્ચય नास्यां सत्यामसत्तृष्णा प्रकृत्यैव प्रवर्त्तते।। तदभावाच्च सर्वत्र स्थितमेव सुखासनम् ॥ ५० ॥ પ્રકૃતિથી જ તૃષ્ણા અસત, પ્રવર્તતી નહિ અત્ર; તાસ અભાવે સ્થિત વળી, સુખાસન જ સર્વત્ર, ૫૦ અર્થ -આ દષ્ટિ હતાં, અસત્ તૃષ્ણા પ્રકૃતિથી જ પ્રવર્તતી નથી અને તેના અભાવને લીધે સર્વત્ર-સર્વ સ્થળે સુખાસન રહે જ છે. વિવેચન પૂર્વે જે સુખાસન કહ્યું, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તેનું અહીં વિવરણ કર્યું છે. જ્યારે આ દષ્ટિ વર્તાતી હોય છે, ત્યારે જ્યાં સ્થિતિ કરી હોય ત્યાંથી બીજે સ્થળે ચિત્ત દોડતું નથી. એટલે સ્વભાવથી જ અસત્ તૃષ્ણ પ્રવર્તતી નથી; અને તેના અસત્ તૃષ્ણ અભાવથી સર્વત્ર જ સુખાસન હોય છે. આમ આ દષ્ટિમાં વર્તતા અભાવ મુમુક્ષુ જોગીજનની અસત્ તૃષ્ણ દૂર થાય છે. મૃગજળ-ઝાંઝવાના પાણી જેવી પરવસ્તુની પ્રાપ્તિ માટે ઝાંવાં નાંખવા જેવી જૂઠી તૃષ્ણા તેને હવે ઉપજતી નથી. અત્યાર સુધી તે વિષયરૂપ મૃગતૃષ્ણાની પાછળ ખુવાર થવામાં તેણે બાકી રાખી હોતી, તેની પાછળ તેણે દડાય એટલું દોડડ્યા જ કર્યું હતું, “દોડતા
Page 170
દોડતા દેડિયે, જેતી મનની રે દોડી, પણ હવે તે કાંઈક થાક્યો છે, વિરામ પામ્યો છે. કારણ કે આ સકલ જીવલેક* સંસારચક્રને ચાકડે ચડેલ છે. તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવના પરાવર્તેથી નિરંતર ભમી રહ્યો છે. વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય ધરાવતા મહામોહરૂપ ગ્રહથી બળદીઆની પેઠે તે હંકારાઈ રહ્યો છે. એમ ભમતાં ભમતાં તેને તૃષ્ણાની તીવ્ર પીડા ઉપજે છે. એટલે તે તરસ છીપાવવા માટે બળદની પેઠે ઉછળી વૃત્તિઃ--નથી, અાં, આ અધિકૃત–પ્રસ્તુત દૃષ્ટિ, સત્યાં–હેતે સતે, અસત્તUTI-અસત તૃષ્ણસ્થિતિ કારણથી અતિરિક્ત ગોચર-વિષય સંબંધી, કચૈવ-પ્રકૃતિથી જ, સ્વભાવથી જ, તે-પ્રવર્તાતી-વિશિષ્ટ શુદ્ધિના યોગને લીધે; તામાવાવ-અને તેના અસત તૃષ્ણાના અભાવથકી, સર્વત્ર-થાપ્તિથી સવસ્થાને, સ્થિતમેવ સુવાસન-સુખાસન સ્થિત જ હોય છે,–તેવા પ્રકારના પરિભ્રમણના અભાવને લીધે. ___ *" इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्यानांतमनंतद्रव्यक्षेत्रकालभवभावपरावतः समुपक्रांतभ्रांतेरेकछत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यमानस्य प्रसभोज॑भिततृष्णातकत्वेन व्यक्तांतराधेरुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुंधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुतपूर्वानंतश: परिचितपूर्वानंतशोऽनुभूतपूर्वाचैकत्वविरुद्धत्वेनात्यंतविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा ।" –આચાયચૂડામણિ શ્રી અમૃતચંદ્રસૂરિજીત સમયસાર ટીકા, Page #283 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિઃ ઝાંઝવાનાં જલ, અવરાપૂર્વક સવ ગમનાદિ કલ્ય (૨૧૭) ઉછળીને તે મૃગજળ જેવા વિષયગ્રામમાં મોટું નાંખે છે! પણ તે ઝાંઝવાના પાણીથી તેની તરસ છીપતી નથી, છતાં તે તેની પાછળ દોડ્યા જ કરે છે. જેવી રીતે કોઢિયા માણસને પિતાના ગળેલા હાથ વડે અન્ન ખાવામાં સંકેચ થતું નથી, તેવી રીતે વિષયને જેને કંટાળો આવવા છતાં વિષયોનો જેને કંટાળો આવતે નથી અને કર્મફળ વિષે નિરિચ્છ થતો નથી. ગધેડે ગધેડીની પાછળ લાગતાં તે ગધેડી લાતે ઉછાળીને તેનું નાક ફેડી નાંખે છે, તોય તે તે તેની પાછળ નકટ થઈને ચાલ્યો જ જાય છે. તે પ્રમાણે જે વિષ માટે બળતા અગ્નિની જવાળામાં કૂદતાં પણ આગળ પાછળ જેતે નથી અને પિતાના વ્યસનને દૂષણ નહિ પણ ભૂષણ માને છે ! જેમ મૃગજળની લાલસાથી દડતાં દોડતાં મૃગની છાતી તૂટી જાય, તે પણ તેની ઉત્કંઠા ઓછી ન થતાં સ્વામી વધતી જ જાય છે! પરંતુ એ મૃગજળને તે મિથ્યા માનતું નથી ” -શ્રી જ્ઞાનેશ્વરી ગીતા આમ આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત વ્યાકુલ થઈ રહ્યો હતો. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતું હતું, તેમ તેમ તે તૃષ્ણ બળવત્તર બનતી જતી હતી. અગ્નિમાં ઇંધન નાંખતાં તે જેમ પ્રજ્વલતે જાય, તેમ વિષયરૂપ આહુવિષયથીતૃષ્ણ- તિથી આ તૃષ્ણા અગ્નિ ઉલટો પ્રજવલિત થઈ જીવને પરિતાપ પમાડયા વૃદ્ધિ કરતે હતે. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃષ્ણસમુદ્રને ખાડે પૂરાતે હોતે. સાગર જેટલા દેવકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભેગવ્યા, છતાં જે તૃષ્ણ સમાઈ નહિં, તે ગાગર જેટલા મનુષ્યના તુચ્છ ભોગેથી શી રીતે શમાવાની હતી? પણ ગઈ તે ગઈ! હવે તે આ મુમુક્ષુ જીવ જાગે છે, ને તેને વૈરાગ્યને દૃઢ રંગ લાગ્યો છે. એટલે તે તેવા અસત્ તૃષ્ણરૂપ મૃગજળ પાછળ દોડતું નથી, ને નકામે દુઃખી થતું નથી. તેને આત્મા પૂર્વે જે પર-રસીઓ થઈ, પર તૃષ્ણાથી તૃપ્ત થતું હતું, તે હવે સ્વ-રસીઓ બની સ્વાત્મામાં સંતોષથી તૃપ્ત થાય છે, બુદ્ધિના-સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તે હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષયરૂપ મૃગજળ પાછળ દોડે જ કેમ? તે કેલું અન્ન ફરી ખવિા ઈચ્છે જ નહિં; જીવવા માટે વિષપાન કરે જ નહિં. અને આમ અસતતૃષ્ણાને અભાવ થતાં આ મુમુક્ષુ જોગીજનને આત્મસંતેષને અનુભવ થાય છે. એટલે પછી આ મુમુક્ષુ પુરુષ ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે વાતાવરણમાં, ગમે તે સંગમાં હોય, તો પણ તેને સર્વત્ર સુખઆસનની સ્થિરતા વર્તે છે. કારણ કે ગીપુરુષ તે તે પરિસ્થિતિને અનુકૂળ થઈ, પ્રાપ્ત
Page 171
સંગેમાં સંતુષ્ટ બની, સુખે જ રહે છે, આરામથી–લહેરથી-સુખચેનથી મેજમાં જ રહે છે, સદા મસ્તરાજ બનીને જ રહે છે. તેના મનની બધી દોડાદોડ અત્ર બંધ થઈ જાય છે, અને Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) ચેગષ્ટિસમુચ્ચય આસનની દૃઢતા–ચિત્તની સ્થિરતા નીપજે છે. મનની બેઠક જે ખાહ્ય વસ્તુમાં હતી, તેમાંથી નિવૃત્ત થઈ આત્મામાં આસન લેવા ભણી પ્રવર્તે છે. આમ આ મગનમાં ' રહે છે ! અવધૂત સદા CC અબધૂ સદા મગનમે રહેના, કયા તેરા કયા મેરા ? અમ‰૦ તેરા હૈ સે તેરી પાસે, અવર સખડી અનેરા....અખધૂ” —શ્રી આન’દઘનજી “ જેને એધખીજની ઉત્પત્તિ હાય છે, તેને સ્વરૂપ-સુખથી કરીને પરિતૃપ્તપણુ વત્તે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વતે છે;”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૨૯૭. (અ. ૩૬૦) ★ એ જ કહે છે— अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ ५१ ॥ ઉતાવળે 6 ત્વરા વિનાનું ગમન ને, કૃત્ય જ તેમ સમસ્ત; અપાયના પરિહારથી, સહું પ્રણિધાન પ્રશસ્ત, ૫૧. અર્થ :-સ ગમન ત્વરા-ઉતાવળ વિનાનું અને સ* કૃત્ય પણ અપાયના પરિહાર થકી પ્રણિધાન સયુક્ત એવુ હાય છે. અભાવ વિવેચન ઉપરમાં જે સુખાસન કહ્યુ. તેનું અત્ર વધારે સ્પષ્ટીકરણ કર્યું' છે. આ દૃષ્ટિવાળા મહાનુભાવને ચિત્તની એટલી બધી સ્વસ્થતા વતે છે–એટલી બધી સ્થિરતા રહે છે કેતેની બધી દોડાદોડ મટી જાય છે, સર્વત્ર તેને સુખાસન જ રહે છે, તે ગમે ત્યાં નીરાંતે હેઠા મનથી બેસે છે. આનું સીધુ પિરણામ એ આવે છે કે તે ગમે તે સ્થળે જતા હોય અથવા ગમે તે ક્રિયા કરતા હેાય, તાપણુ તે તે કત્તવ્યમાં તેને લેશ પણ ઉતાવળ–ત્વરા હાતી નથી, દોડધામ ઢાતી નથી. તેની સર્વ ક્રિયા મનના પ્રણિધાન સયુક્ત હોય છે, અને તે દૃષ્ટિ આદિમાં અપાય–ખામી આવવા દેતે નથી. એટલે તે દેવમંદિરે જતા હોય કે ઉપાશ્રયે જતા હાય, સ'સાર વ્યવહારના કામ માટે જતા હોય કે પરમાના કામ માટે જતા હાય, દેચિ'તા અર્થે જતા હાય કે અન્ય કાર્ય અર્થે જતા હોય, તેા પણ તે ઉતાવળે ગમન કરતા નથી, વૃત્તિ:-ભ્રષાપૂર્વમ્— અતરાપૂર્ણાંક, તા-ઉતાવળ વગરનું, એટલે અનાકુલ, સર્વ–સવ”—સામાન્યથી, તે શું ? તા કે--મન-ગમન, જવું તે, દેવકુલ આદિ પ્રત્યે. નૃત્યમેવ વા —તેમ જ કૃત્ય પણ,વંદનાદિ કૃત્ય પણુ, કળિધાનસમાયુ—મનના પ્રણિધાનપુરઃસર, ( મતની સાવધાનતા યુક્ત ), ગાયત્રાતઃ-અપામના પરિહારથકી,-દૃષ્ટિ આદિમાં અપાયના પરિહારવડે કરીને, ( દૃષ્ટિ આદિમાં કાઈ પણ હાનિ-ખામી ન આવે એવા પ્રકારે દોષના ત્યાગથી ). Page #285 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિ પ્રણિધાનયુક્ત વંદનાદિ અધ્યાત્મ ક્રિયા (૨૧૯) બેટી ધમાલ કરતે નથી; પણ સર્વત્ર શાંતિથી અનાકુલપણે જાય છે, યતનાપૂર્વક જીવહિંસા ન થાય, એમ ધીર-ગંભીર ગતિએ ચાલે છે, ને સર્વ વિધિ બરાબર સાચવે છે. જેમકે દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે....સુવિધિ” શ્રી આનંદઘનજી “સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે, હરખે વાર હજાર” -શ્રી દેવચંદ્રજી હાય! ભાગી જશે, પેલે લૂંટી જશે ને હું રહી જઈશ. અમુક પહેલી પૂજા કરી લેશે ને હું મેડે પડી પાછળ રહી જઈશ, દર્શન ખૂલ્યા છે ને તરત બંધ થઈ જશે, માટે ચાલ દોડતે જઉં. ચાલ ચાલ! હારે ફલાણે ઠેકાણે જલ્દી જવાનું છે, માટે આ ભગવાનની પૂજા જેમ તેમ પતાવી દઉ, આ ભગવાનને જલદી જલદી બે ચાર ચાંદલા કરી પૂજાવિધિ ઝટઝટ આટોપી લઉં', આ ચોખાની ત્રણ ઢગલી મૂકી “લે તારે ભેગ ને મૂક મારે કેડે” એમ કરતેકને એકદમ રવાના થઈ જાઉં ! –ઈત્યાદિ પ્રકારે વ્યક્ત થતી મુદ્ર વિચારણાવાળી બેટી ઉતાવળ આ મુમુક્ષુ પુરુષને ઉપજતી નથી. તે તે સર્વત્ર હેઠા
Page 172
મને, નીરાંતે, નિરાકુલપણે ગમન કરે છે. અને આમ તેની અત્યંત સ્વસ્થતા હોવાથી, આ મુમુક્ષુ જોગીજન પ્રત્યેક ક્રિયા ચિત્તને પ્રણિધાનપૂર્વક કરે છે, સાવધાન મનથી કરે છે, એકાગ્રપણે કરે છે. દાખલા તરીકે તે દેવ-ગુરુ આદિનું વન * કરતો હોય, તે સ્થાન–કાળ વગેરેના પ્રત્યેક ક્રિયામાં કમ બરાબર જાળવે છે, જે ભક્તિસૂત્ર-સ્તવન વગેરે બલ હોય તેના સાવધાનપણું શબ્દના અર્થમાં સાવધાન ઉપયોગ રાખે છે, બેસૂરા રાગડા તાણી બીજા ભક્તિ કરનારાઓને સંમેહ-વિક્ષેપ ઉપજાવતા નથીપણ યોગ્ય રાગમાં બીજાઓને પણ કર્ણપ્રિય મીઠું લાગે એમ, શ્રદ્ધા ને સંવેગ–અત્યંત ભક્તિરાગ સૂચવે એવી રીતે, સૂત્ર-સ્તવનાદિ લલકારે છે. તથા તે ભક્તિકૃત્ય કરતાં તેના ભાવ-રોમાંચ ઉદ્યસે છે, ખરેખરા રૂંવાડા ઉભા થાય છે, તેને શુભાશય વર્ધમાન થતું જાય છે–તેના ભાવ પરિણામ ચઢતા જાય છે; પ્રણામ આદિ વિધિ તે બરાબર સાચવે છે. આમ તે ઈષ્ટ દેવ-ગુરુ વંદન આદિ ભક્તિ તન્મયપણે કરે છે. જેમકે*"स्थानकालक्रमोपेतं शब्दार्थानुगतं तथा । अन्यासमोहजनकं श्रद्धासंवेगसूचकम् ॥ प्रोल्लसद्भावरोमाञ्चं वर्धमानशुभाशयम् । अवनामादिसंशुद्धमिष्टं देवादिवंदनम् ।। प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । તૃતીવધવત્રા યજયવાત ”—શ્રી હરિભકાચાર્યજીત શ્રી બિંદુ, ૩–૯૯ Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૨૦) ગણિસમુચ્ચય “તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહીએ રે–શ્રી આનંદઘનજી પરમ ગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે.” દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રે... જિદા! તેરા નામથી મન ભીનો.”—શ્રી દેવચંદ્રજી પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”—શ્રી યશોવિજયજી તે પ્રતિક્રમણ કરતે હોય, તે પૂર્ણ ભાવથી એકાગ્રચિત્તે કરે છે. પ્રમાદના વિશે કરી પોતાના સ્વરૂપથી શ્રુત થઈ, પરભાવમાં ગમનરૂપ જે કાંઈ પોતાના દોષ થયા હોય, તેનો તે પશ્ચાત્તાપ કરે છે, અને તે દોષ કરીને ન થાય એવી ભાવનાપવક સાચા અંતઃકરણથી ક્ષમા માગે છે, ‘ર્નિવામિ રિહાન વાળ વાઈસરમ” કરે છે, આત્માને નિર્જે છે, ગર્યું છે ને સરાવે છે–દોષથી મુક્ત કરે છે અને દોષ જે ન થયો હોય તે પણ આ પ્રતિકમણ ત્રીજા ઔષધ જેવું હોવાથી તેને આત્મધર્મની પુષ્ટિરૂપ ગુણ જ કરે છે. કારણ કે ઔષધ ત્રણ પ્રકારના છે:-(૧) એક રોગ હોય તે દૂર કરે, ન હોય તે ઉભે કરે, (૨) બીજુ રોગ હોય તે દૂર કરે, ન હોય તે ગુણ કે દોષ ન કરે, (૩) ત્રીજુ રોગ હોય તે દૂર કરે, ન હોય તે રસાયનપણે પરિણમે. આમ આ પ્રતિકમણ ત્રીજા ઔષધ જેવું હોવાથી તેને લાભકારી જ થાય છે. અને આ પ્રતિક્રમણ ક્રિયામાં પણ જે છ આવશ્યક સમાઈ જાય છે, તેમાં પણ તે સાવધાનપણું રાખે છે. સામાયિકની પ્રતિજ્ઞા લઈ તે સમભાવમાં સ્થિતિ કરે છે, પ્રત્યાખ્યાન કરતી વેળાએ પરભાવને પચ્ચખે છે–ત્યાગે છે; સ્વાધ્યાય કરતાં તે આત્મભાવમાં વતે છે; ચતુર્વિશતિ સ્તવ કરતાં પ્રભુને સહજાન્મસ્વરૂપ ભાવ મરી, તેમના ગુણમાં ચિત્તનું અનુસંધાન કરે છે; સદગુરુવંદન કરતાં તેમનું પરમ અદ્દભુત આત્મારામીપણું ચિંતવી, તેમના પરમ ઉપકારનું અનુસ્મરણ કરે છે; કાર્યોત્સર્ગ કરતી વેળાએ જાણે દેહમાં વતત ન હોય, એવી દેહાતીત શુદ્ધ આત્મદશા અનુભવે છે; આલોચના કરતાં તે પોતાના દેષ નિષ્કપટપણે નિદભપણે પ્રકાશે છે; ક્ષમાપના વેળાએ સર્વ જીવની સાચા ભાવથી ક્ષમા ઈચ્છી, તે સકલ જગજજતુ સાથે મૈત્રી ભાવે છે. જેમકે – " खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे।। બિત્તિને શ્વમૂહુ, જે મક્યું ન !”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર, Page #287 -------------------------------------------------------------------------- ________________ બહાદષ્ટિગ રનનું જતન
Page 173
(૨૨૧) આમ પ્રત્યેક ક્રિયા તે સાવધાનપણે કરે છે, કારણ કે દષ્ટિ આદિમાં અપાય-હાનિ આવવા દેતું નથી, ખામી-ઊણપ સર્વ દૂર કરી દે છે, તેમ જ આ દષ્ટિમાં હોવા ગ્ય ગુણની તે બરાબર સાધના કરે છે, એટલે તે તે સતક્રિયાઓ તે કઈ પણ જાતની ખેતી ઉતાવળ વિના અત્યંત સ્વસ્થતાથી, એકાગ્ર ચિત્તે, શુદ્ધ પ્રણિધાનથી કરે છે, અને પરમ આનંદમય શાંતિનો અનુભવ કરે છે. “શાંતિ સ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે...શાંતિ જિન” સત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવલલના સાવધાન મનસા કરી રે, ધારે જિનપદ સેવ.લલના”—શ્રીઆનંદઘનજી ઉપરમાં આ દષ્ટિ આદિને આ મુમુક્ષુ પુરુષ અપાય-હાનિ આવવા દેતું નથી એમ કહ્યું, તે આ પ્રકારે – અત્યાર સુધીની ભૂમિકાએ પહોંચતાં સુધીમાં આ ગી પુરુષે જેટલી યેગસાધના કરી છે, તેમાં તે કઈ જાતની ખેડ-ખાંપણ-ઊણપ આવવા પ્રાપ્ત વેગનું રત્ન દેતું નથી, અને તેને કોઈ નુકશાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે જેમ જતન છે. જેમ કેઈ મહામૂલ્યવાળું રત્ન મળ્યું હોય, તો તેને જીવની જેમ જાળવી રાખે, તેમ આ જોગીજન પિતાને પ્રાપ્ત થયેલ અમૂલ્ય દષ્ટિરૂપસબોધરૂપ ચિંતામણિરત્નને પ્રાણાધિકપણે જાળવી રાખે છે, તેને હાનિ-નુકશાન પહોંચવા દેતા નથી. જેમ, મૂલ્યવાન રત્નને કાંઈ ડાઘ ન લાગે એવી કાળજી રાખે છે, ને તેને મજબૂત કબાટ કે તેજુરીમાં સંઘરી રાખે છે તેમ આ મુમુક્ષુ પુરુષ બોધિરત્નને બાધારૂપ ડાઘ ન લાગે તેની ખાસ કાળજી રાખે છે, અને બધ-રત્નને પોતાના દઢ ચિત્તરૂપ કબાટમાં–તેજુરીમાં સાચવીને સંઘરી રાખે છે. એટલે મિત્રા દૃષ્ટિમાં તેમ જ તારા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગ–ગુણ સમૂહ તે સાચવી રાખે છે, એટલું જ નહિં પણ આ દષ્ટિમાં પ્રાપ્ત થઈ રહેલા ગુણરત્નનું પણ ખૂબ જતન કરે છે. કારણ કે-(૧) તે મિત્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલ બીજેને જલસિંચન કરે છે, તેને અંકરા ઉગાડે છે, એટલે કે તે પ્રભુભક્તિમાં વિશેષ દઢ બને છે, સશુરુ સેવામાં સદા તત્પર રહે છે, સતશાસ્ત્રની અધિક આરાધના કરે છે, વૈરાગ્યતરંગિણીમાં વિશેષ નિમજજન કરતે જાય છે; દાનાદિ અભિગ્રહનું પાલન વિશેષપણે આદરે છે, અને આ ગબીજ કથા પ્રત્યે સ્થિર માન્યપણું તથા ઉપાદેય ભાવ રાખે છે; ચગાવંચક, યિાવંચક ને ફેલાવંચક એ અવંચક ત્રિપુટીને બળવત્તર બનાવે છે; ભાવમલની એર ને એર ક્ષીણતા કરી, તથાભવ્યતા-ગ્યતાને વધારે પરિપાક કરે છે અને આમ મિથ્યાત્વ અંશની બાદબાકી કરતે જઈ, સમ્યકત્વની વધારે ને વધારે નિકટમાં આવતું જાય છે. વળી તે અહિંસા વગેરે પાંચ યમનુંવ્રતનું દઢ પાલન કરે છે, ધર્મકાર્યમાં ખેદ પામતે નથી, કે દ્વેષ ધરતે નથી. (૨) અને Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) ગદષ્ટિસમુચ્ચય તારા દૃષ્ટિમાં ધારણ કરેલ શૌચાદિ પાંચ નિયમ તે બરાબર પાળે છે, ઉદ્વેગને ત્યાગ કરે છે, ને જિજ્ઞાસા વધારે પ્રદીપ્ત કરે છે. ગકથા પ્રત્યેની તેની પ્રોતિ વધતી જાય છે, શુદ્ધ યેગીઓ પ્રત્યેના બહુમાન–સેવા આદિ વધારે સક્રિય બનતા જાય છે. તે ઉચિત આચરે છે ને અનુચિત આચરતું નથી. અધિક ગુણવત પ્રત્યે તે જિજ્ઞાસા રાખી, પિતાની ગુણહીનતાથી ત્રાસ પામે છે. તે સંસારથી અત્યંત વિરાગ્ય ધરી, તેથી છૂટવાની તીવ્ર ઈચ્છા કરે છે. શિષ્ટજનેને પ્રમાણુ ગણી તે પિતાનું ડહાપણ ડહોળતા નથી. આમ આ ચેગી પુરુષ આગળની જુની મૂડી સાચવી રાખે છે, ને તેમાં પણ આ દષ્ટિમાં નવી મૂડી ઉમેરે છે. એટલે આ બેલા દષ્ટિમાં તેને બંધ વધારે બળવાન બનવાથી, તે તે ધર્મક્રિયામાં તેનું મન વધારે સાવધાનપણે વતે છે, એમ જે કહ્યું હતું તે બરાબર છે. આસન કહ્યું. આની જ શુશ્રુષા કહે છે – कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा ।
Page 174
यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ॥५२॥ રમણ યુક્ત યુવાનને, સાંભળવા સુર ગાન, જ્યમ ઈચ્છા ત્યમ હોય તે, તરવવિષય આ સ્થાન પર અર્થ:–રમણીય રમણથી યુક્ત એવા તરુણને જેવી દિવ્ય સંગીત સાંભળવાની ઇચ્છાશુશ્રુષા થાય, તેવી આ દષ્ટિમાં તત્વ સંબંધી શુશ્રુષા હોય. વિવેચન “તરુણ સુખી સ્ત્રી પરિવજી, જિમ ચાહે સુરગીત, ત્યમ સાંભળવા તત્વને, એ દૃષ્ટિ સુવિનીત રેજિનજી!”—ગસઝાય રૂ-૨ અહીં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા કેવી ઉત્કટ હેવી જોઈએ, તે બતાવવા માટે દૃષ્ટાંત આપ્યું છે –કેઈ એક તરુણ-ભર યુવાનીમાં આવેલું સુંદર યુવાન પુરુષ છે. તે શરીરે નીરોગી, હૃષ્ટ–પુષ્ટ, ને સંપૂર્ણ ઇંદ્રિયસંપન્ન છે. મહાસ્વરૂપવાન સુંદર લાવણ્યમયી રમણી તેની બાજુમાં છે. ધન-વૈભવ આદિની તેને કોઈ કમીના નથી. પંચ વિષયના ઉપભેગની સમસ્ત સામગ્રી તેની સેવામાં સદા હાજર છે. આમ સર્વ પ્રકારે સુખી એ તે વૃત્તિ:-%ાતાત્તાત–કાંત કાંતાથી યુકત, કમનીય–સુંદર પ્રિયતમાથી યુક્ત એવાને, વિશ્રત અથr-જેમ દિવ્ય ગીતના શ્રવણ પ્રયે, જેમ કિનર વગેરેના ગીતના શ્રવણ પ્રત્યે અનો-યુવાનને વયસ્થને. સાત્તિ હોય છે, અષા-શુશ્રષા, શ્રવણું કરવાની ઈચ્છા,–તે સંગીત સંબંધી જ; તથાચાં -તેમ આ દૃષ્ટિમાં વ્યવસ્થિત હોનારને, તરવા -તવગોચર, તરવવિષયી જ, તરવસંબંધી જ શુશ્રષા-સાંભળવાની ઈચ્છા હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : શુષા-શ્રવણેચ્છાના દાખલા (૨૨૩) કેઈ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે અને સુખસમુદ્રમાં નિમજજન કરી રહેલા આવા તરુણને એ ઈચ્છાતરંગ ઉત્પન્ન થાય કે-આપણે તે હવે દિવ્ય સંગીત સાંભળવું છે. કોઈ કોકિલકંઠી કિન્નર પિતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારું ? ગાંધર્વોના મધુર આલાપવાળા સંગીતને જોગ બની આવે તો કેવું સારૂં? વીણ, વેણ વગેરે વાદ્યોના રણકારથી ગુંજતું અને દિવ્યાંગનાઓના નૃત્ય ઠણકારથી રુચતું, એવું દિવ્ય સંગીત સાંભળવાનું સૌભાગ્ય જે મને પ્રાપ્ત થાય તે કેવું સારૂં ? આમ તે રંગમાં આવી જઈને ઈચ્છે છે. ત્યાં દેવાનુયેગે જે કઈ કિન્નર કે ગાંધર્વ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાખે એવું દિવ્ય સંગીત છેડે, દિવ્ય સંગીતની રમઝટ બોલાવે, તે તે તરુણ પુરુષ તે દિવ્ય સંગીત કેટલા ઉલ્લાસથી સાંભળવા ઇછે? જાણે ચિત્રમાં આલેખાયેલે હેય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનું કર્ણપુટથી પાન કરે ? જાણે થીજી ગયેલું પૂતળું હોય એમ કેવી એકતાનતાથી તે શ્રવણ કરવાની હોંસ ધરાવે ? તેમ આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી પુરુષ તવ શ્રવણ કરવા માટે તેવી તીવ્ર ઈચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉલ્લાસથી તે ભોગી દિવ્ય સંગીતનું શ્રવણ ઈચ્છે છે, તેવા બલકે તેથી વધારે ઉલ્લાસથી આ ભેગી દિવ્ય તત્ત્વ અમૃતનું શ્રવણે છાના શ્રવણેદ્રિયદ્વારા પાન કરવા ઈચ્છે છે. તે તરુણ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર દાખલા થઈને સાંભળવા ચાહે છે, તેમ શ્રવણપિપાસુ જોગીજન સ્થિર તન્મયપણે તત્ત્વવાર્તા સાંભળવાની સહજ ઈચ્છાઉલટ ધરાવે છે. અને તે સહજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાદુગાર દ્વારા સરી પડે છે. જેમકે હે પરમ કૃપાળું સદ્ગુરુ દેવ ! જીવ તે દૃષ્ટિમાં આવતો નથી. તેનું કોઈ રૂપ જણાતું નથી. બીજે પણ કંઈ અનુભવ થતો નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિં. એટલે મોક્ષને ઉપાય મિથ્યા છે. આ હારી અંતર્ શંકાને આપ સદુપાય સમજાવે. હે ભગવાન ! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે? આપે તે કેવું જાણ્યેઅનુભવ્યું છે ? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઈચ્છું છું, કારણ કે નિર્મલ આત્મતત્ત્વ જાણ્યા વિના હારૂં ચિત્ત કઈ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મહારી મતિ મુંઝાઈ ગઈ છે. માટે સમાધાન કરવા આપ જ સમર્થ છે, કૃપા કરે! હે પરમ પ્રભુ ! આપને
Page 175
પરમ ધર્મ હું શી રીતે જાણું? સ્વસમય શું? અને પરસમય શું? તે આપના શ્રીમુખે શ્રવણ કરવા હું ઈચ્છું છું. હે મહિમાવંત! મહંત ! તે સમજાવવા કૃપા કરે! હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? તે કર્મ શું છે? તે અધ્યાત્મ શું છે? તે અધિભૂત શું Page #290 -------------------------------------------------------------------------- ________________ (૨૨૪) ગદસિમુચ્ચય છે? તે અધિદૈવ શું છે? આ દેહમાં રહેલ તે અધિયજ્ઞ કરણ કેવી રીતે છે? નિયતાત્મા યોગીઓથી તમે પ્રયાણકાલે કેવી રીતે જાણી શકાય છે?* “નથી દૃષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ માટે છે નહિં આતમા, મિથ્યા મેક્ષ ઉપાય; એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય.”—શ્રી આત્મસિદ્ધિ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણો! આતમતવ કયું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ ના લહિયે...મુનિસુવ્રત “ધરમ પરમ અરનાથને, કિમ જાણુ ભગવંત રે; સ્વાર સમજાવિયે મહિમાવંત મહંતરે-ધરમ”-શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે આ સાચે તત્ત્વપિપાસુ-તત્ત્વરસિક પુરુષ પોતાની શ્રવણેછા વ્યક્ત કરે છે. અને આ પરમ અમૃત જેવી તત્વવાર્તાના શ્રવણમાં આ મુમુક્ષુ યોગીને એટલે આનંદ આવે છે, તેને અનંતમે ભાગ પણ તે ભવાભિનંદી ભેગીને દિવ્ય સંગીત સાંભળવામાં આવતું નથી ! અને આ (શુશ્રષા) આવા પ્રકારની હોય છે, એટલા માટે કહે છે– बोधाम्भःस्रोतसश्चैषा सिरातुल्या सतां मता । अभाऽवेस्याः श्रुतं व्यर्थ मसिरावनिकूपवत् ॥ ५३॥ બધ સ્રોત સ તુલ્ય આ, એ વિણ શ્રવણ વૃથા જ; સરવાણી વિણ અવનિમાં, ૫ ખેદ યથા જ, પ૩, વૃત્તિ:- વધામઃન્નોતરો–બેધરૂપ જલ–સ્રોતની, બોધરૂપ પાણીના પ્રવાહની, વૈશા-અને આ, શુશ્રષા, ઉતરાવજ્યા-સિરા તુલ્ય, સરવાણી સમાન,–અવંધ્ય ને અક્ષય એવા તેના બીજના ય૫ણાએ કરીને સત્તાં મતા-સંતને, મુનિઓને મત છે, ઈષ્ટ છે. અમાવેડા :-આના, શુશ્રષાના અભાવે, શું? તે કે-શ્રુતં ય" --સાંભળેલું વ્યર્થ છે, શ્રમફલવાળું છે. કોની જેમ ? તે કે–અસિરાનિવ7-સરવાણી વિનાની પૃથ્વીમાં કવાની જેમ. તેમાં કવો બાદ તે ન ખેધા બરાબર જ છે. કારણ કે તેનું ફળ નથી તેટલા માટે. * “ किं तद् ब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम । अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ।। अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । કાનદારે જ અર્થ શેડતિ નિયાત્મિનિઃ | » –ગીતા અ. ૮. લેક ૧-૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિઃ શુશ્રષા-બેધપ્રવાહની સરવાણી (૨૫) અર્થ :–અને આ શુશ્રુષા બોધ જલના પ્રવાહની સરવાણી સમાન સંતોએ માનેલી છે. એના અભાવે સાંભળેલું વ્યર્થ –ફેગટ છે,–જેમ સરવાણી વિનાની ભૂમિમાં કુ ખેદ વ્યર્થ છે તેમ. વિવેચન સરી એ બધપ્રવાહનીજી, એ વિણ શ્રત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ....ધન.”—ચ૦ સન્માય, રૂ-૩ અહીં જે આવી શુશ્રષા-સાંભળવાની ઈચ્છા હોય છે, તે બેધરૂપ જલપ્રવાહની સરવાણી સમાન છે. જેમ કૂવામાં સરવાણી હોય, તો તે વાટે પાણી આવ્યા જ કરે, તેમ આવી ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણ જે હોય, તે તે વાટે બેધરૂપ પાણીને શુશ્રષા-બોધ પ્રવાહ એકધારે અક્ષયપણે આવ્યા જ કરે. પણ જેમ કૂવામાં સરવાણી પ્રવાહની ન હોય, તે પાણી આવે નહિં, તેમ જે આવી શુશ્રષારૂપ અવધ્ય-અક્ષય સરવાણું સરવાણી ન હોય, તે બોધરૂપ પાણીને પ્રવાહ આવે જ નહિં, ને જ્ઞાન રૂપી કૂ ખાલી જ રહે આમ શુશ્રુષા વિનાનું બધું શ્રવણ કર્યું તે ધૂળ થાય છે, સાંભળ્યું ન સાંભળ્યા જેવું થાય છે, એક કર્ણછિદ્રથી પેસી સેંસરું બીજેથી નીકળી જાય છે, હૃદયમાં પ્રવેશતું નથી, ફેગટ જાય છે. જેમ કેઈ એવી બરડ ભૂમિ-કે જેમાં પાણીની સરવાણી આવતી ન હોય, તે ભૂમિમાં ગમે તેટલે ઊંડે ફ ખેલ્યા કરીએ (Tapping), તે પણ પાણી આવે જ નહિં, કૃ
Page 176
દ ન ખોદ્યા બરાબર જ થાય, શ્રમમાત્ર જ ફળ મળે, મહેનત માથે પડે, તેમ સાચી શુશ્રુષા વિનાનું બધુંય શ્રવણ નિષ્ફળ જાય છે, બોધરૂપ ફળ આપતું નથી, એળે જાય છે. તેવા શ્રવણમાં તે વાયુના તરંગથી (Air-waves) શબ્દો કર્ણપટ પર અથડાઈ પાછા વાયુમાં–હવામાં મળી જાય છે! આને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવશેઆકૃતિ-૮ આકૃતિ–૯ =જ્ઞાન ભરેલો કૂવા=જ્ઞાન ખાલી ચોમ પેચી ભૂમિક શુભ્રષાવાળું શ્રવણ બરડભૂમિ= શુશ્રુષા વિનાનું શ્રવણ ઈ શુશ્રષા-સરવાણીને અભાવ તો બેધ-જલપ્રવાહને અભાવ બોધ-જલપ્રવાહ 6 શશ્રુષારૂપ સરવાણી Page #292 -------------------------------------------------------------------------- ________________ (૨૬) યોગદૃષ્ટિસમુચ્ચય જેમ કોઇ એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તો સાંભળતા હાય, ઉધમાં ને ઉંઘમાં તે હાંકારા પણ દેતા જાય, પણ તેનું લક્ષ તેમાં ાય નહિ, શુ' સાંભળ્યુ તે તેના ખ્યાલમાં રહે નહિં! અને સવારે ઊઠીને ખાપુ પૂછે અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી? તેમ પ્રસ્તુત શુશ્રુષા વિનાનું શ્રવણ કરતા હાય તે જાણે ઉંઘમાં હાય એમ સાંભળે છે! તે માટેથી ઘાંટા પાડી જી ! મહારાજ !' એમ હાંકા પણ દીએ છે! પણ શુ સાંભળ્યું તેનુ તેને ભાન હેાતું નથી! તે ઘેર આવીને પૂછે છે કે આજ મહારાજ વખાણુમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રુષા વિનાનું શ્રવણુ ફોગટ-નકામુ છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી ખીજે કાને કાઢી નાંખ્યા જેવુ' થાય છે! ખર્' શ્રવણ તેા ત્યારે થાય કે જ્યારે મન રીઝે—પ્રસન્નતા પામે, તન ઉલ્લુસે-શરીરમાં રામાંચ-રૂવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જે ગુણકથા સાંભળવામાં આવે, તે મ્હેરા માણસ આગળ સ'ગીત કરવા ખરાખર છે ! ભેંસ આગળ ભાગવત છે! અંગ્રેજી કહેવત પ્રમાણે ટૂકર પાસે મેાતીના ચારો નાંખવા ખરાખર છે! · Casting pearls before swine.' “ મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે મુઝે એક તાન; એ ઇચ્છા વિણ ગુણુકથા જી, મહેરા આગળ ગાન રે.... જિનજી ! ધન ધન તુજ ઉપદેશ.”—ચાગ॰ સજ્ઝાય રૂ-૪ ⭑ અહી જ વ્યતિરેક કહે છે— श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४ ॥ શ્રવણ અભાવે ય આ સતે, શુભભાવે આ સ્થાન; ફલ કક્ષય નામનું, ઉત્તમ ખેધ નિદાન, ૫૪ અર્થ :—શ્રવણના અભાવે પણ આ શુશ્રૂષા–સાંભળવાની ઇચ્છા હાતાં, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનુ ફળ હાય છે,-કે જે પરમ એધનુ નિખ ધન-કારણ થાય છે. વિવેચન ઉપરમાં જે શુશ્રૂષાની પ્રશ'સા કરી, તે વ્યતિરેકથી એટલે કે નકારાત્મક ઉક્તિથી વિશેષ દૃઢ કરે છે. ધારા કે તેવી શુશ્રુષા તત્ત્વ સાંભળવાની તીવ્ર ઇચ્છા છે, પણ શ્રવણના વૃત્તિ:-જીતામાવેઽ—િશ્રવણુના અભાવે પણ, મવેડચાઃ- શુષાના ભાવ–સદ્ભાવ હતાં, (આ સુશ્રુષા હોય તેા), શું? તે કે-ઝુમમાંયપ્રવૃત્તિત્તઃ-શુભ ભાવની પ્રવૃત્તિને લીધે,-તે શુશ્રુષા ભાવના જ શુભપાથકી, હરું માયાર્લ્સ ચાન્ કમક્ષય નામનું ફુલ હાય,વચનના પ્રામાણ્યથી ( આગમવાણીના પ્રમાણુપણાથી). અને આ વનોપનિયન્ધનમ્–પરમ ખેાલનુ નિષ્ઠ ધન, પ્રધાન મેાવનું કારણુ હાય છૅ, વચનપ્રામાણ્યથી જ, Page #293 -------------------------------------------------------------------------- ________________ અલાદષ્ટિ : શ્રવણ વિનાની શુશ્રૂષા પણ સફળ-અવિક્ષેપ (૨૭) જોગ ન હોય તેા શું? તેના અહીં ખુલાસા કર્યાં છે કે શુશ્રુષા છતાં શ્રવણુ ન અને, તેપણ તે શુશ્રુષા થવી એ શુભભાવમાં પ્રવૃત્તિ છે, એટલે તેથી કરીને કક્ષયરૂપ કળ ઉપજે છે, અને તે કક્ષય ઉત્તમ પ્રકારના એધનુ નિમ...ધન-કારણુ હેાય છે. આમ કેવલ શુશ્રુષા-સાંભળવાની સાચી અંતરંગ ઇચ્છા થવી તે પણ ઘણી મેટી વાત છે, પ્રશસ્ત છે, અને પરપરાએ તે પણુ લાભદાયક થાય છે. કારણ કે તેવા શુભભાવથી આગમના પ્રમાણપણાને લીધે ક`ના ક્ષય થાય છે, અને તેના પરિણામે પરમ મેધના નિમિત્ત મળી આવે છે. જે સાચા તપિપાસુ મુમુક્ષુ હાય છે, તેને તેના ભાગ્યાયથી ખેંચાઇને
Page 177
ઉત્તરાત્તર પ્રધાન મેધના કારણેા પ્રાપ્ત થાય છે; સત્પુરુષ સદ્ગુરુના જોગ ખની આવે છે, ને સત્ શ્રુત વગેરેની પ્રાપ્તિ થાય છે. લેાચુંખક જેમ લેાહુને ખેં'ચે, તેમ તેવુ તેવાને ખેંચે છે (Like attracts like). આ શુશ્રૂષામાં પણ એવું કોઈ અજય આકર્ષણ છે, કે સાચા વક્તા સત્પુરુષના સમાગમ ગમે ત્યાંથી થઈ આવે છે. જો તરસ ઝાવવાની ઇચ્છા છે, તે તે બૂઝાવવાની રીત પણ મળી આવે છે. શુશ્રૂષાથી ક ક્ષય આમ શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે, પણ શ્રવણુ વિનાની શુશ્રૂષા નિષ્ફળ નથી, પરંતુ કર્મક્ષયરૂપ ફળથી સફળ છે. સાચી ભૂખ લાગી હાય ને ખાધુ હોય તે જેમ ભાવે, રુચે, મીઠું લાગે ને પચે; ખૂબ તરસ લાગી હાય ને પાણી શુષાના જેમ મીઠું· અમૃત જેવું લાગે, ને તરસ છીપે; તેમ જ તત્ત્વ સાંભળવાની મહિમા સાચી ભૂખ લાગી હાય, તત્ત્વસુધારસ-પાનની સાચી તરસ લાગી હાય, તા જ તે શ્રવણુ ભાવે છે, રુચે છે, ને જીવને અમૃતરૂપે પરિણમે છે; નહિં તે। કાણા માટલાની જેમ બીજા ક-છિદ્ર વાટે મહાર નીકળી જાય છે! હૃદયમાં ઠરતુ નથી ! માટે આ શુશ્રુષા ગુણુનું માહાત્મ્ય ઘણુ' છે. << ખૂઝી ચડત જો પ્યાસકી, હૈ ખૂઝન કી રીત.” શ્રીમદ્ રાજચંદ્રજી 5 ચેાગમાં અક્ષેપ ગુણ કહે છે— शुभयेोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥ ५५ ॥ શુભ યોગ સમારંભમાં, કદી ક્ષેપ અહિં નથ્ય; ને તે વિષયોં ઉપાયનું, કૌશલ સુદર હોય. ૫૫ વૃત્તિ:-ગુમયોનલમામે—શુભ યાગના સમારંભમાં, તથાપ્રકારના ધ્યાન આદિમાં, ન ક્ષેોડયાં વાચન-આ અધિકૃત દૃષ્ટિ સતે કદી પણુ ક્ષેપ હોતા નથી. ઉવાચજૌરાસ્ટ વિ−તેમજ ઉપાયનુ કૌશલ કુશલપણું પણુ,—તથાપ્રકારના દેશ આદિ, આસન આદિ સબંધી, ચા—શેાલન, સુંદર, તદ્વિષચં—તેના વિષયે, શુભ યેાગસમારભ વિષયનું, મવેત્ હોય, Page #294 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) યોગશ્તિસમુચ્ચય અ:—આ દૃષ્ટિને વિષે, શુભ યાગના સમારભમાં કદી પણ ક્ષેપ હાતા નથી; અને તેના વિષયનુ ઉપાય—કૌશલ પણ સુદર હોય છે. વિવેચન અહીં અક્ષેપ ગુણનું સ્પષ્ટીકરણ કર્યું છે. આગલી દૃષ્ટિમાં ઉદ્વેગ દોષના ત્યાગ કર્યાં, એટલે તે પછી અનુક્રમે ક્ષેપ દોષ પણ જાય છે. એથી કરીને આ દૃષ્ટિમાં વા યેગી પુરુષ જ્યારે ધ્યાન વગેરે શુભ યાગના સમારંભ કરે છે, ત્યારે તેમાં કદી કોઈ પણ વિક્ષેપ આવી પડતા નથી, કેાઈ પણ આડખીલી કે અ'તરાય નડતા નથી, અહી' તહી' માંવાં નાંખી ચિત્ત ડામાડોળ થતું નથી, સંક્ષુબ્ધ થતુ' નથી. એટલે તે ધ્યાન કરતા હાય, તે એકાગ્ર ચિત્ત શુદ્ધ ભાવે કરે છે, પરીષહ-ઉપસ`થી ક્ષેાભ પામતા નથી; પ્રભુભક્તિ કરતા હાય તે। શુદ્ધ પ્રણિધાનથી તન્મયભાવે કરે છે,- અહીંતહીં ચિત્તવિક્ષેપથી ડામાડોળ થતા નથી; સામાયિકસ્વાધ્યાય કરતા હાય તેા સમતાભાવે અત્યંત સ્વસ્થતાથી કરે છે,-તેમાં આકાશ પાતાલના ઘાટ ઘડતા નથી; પ્રતિક્રમણ આદિ સતક્રિયા કરતા હોય, તે ઉપયાગપૂર્ણાંક નિજ દોષદનના સાચા પશ્ચાત્તાપ ભાવથી કરે છે,-પણ મનને બીજે ભમવા દેતા નથી; બીજો કાઈ પણ મેાક્ષસાધક યોગ સાધતા હાય, કે બીજું કેાઈ પણ શુદ્ધ તપશ્ચર્યાદિક ધર્માંકૃત્ય કરતા હાય, તેા આત્મજાગૃતિપૂર્ણાંક નિલ ભાવે કરે છે, પણ આ લાક-પરલેાકની ફુલાકાંક્ષાથી વિક્ષેપ પામતે નથી. તેમજ તે તે ધ્યાન આદિ શુભ ચાગ સંબંધી ઉપાયમાં પણ આ મુમુક્ષુ પુરુષ કૌશલકુશલતા ધરાવે છે, કલાકારના જેવી નિપુણતા દાખવે છે. તે તે ચેાગ કેમ ઉત્તમ રીતે સાધી શકાય, તેનું તેને નિપુણુ જ્ઞાન હૈાય છે. અને આમ ઉપાયપટુ હેવાથી ઉપાય કૌશલ તે તે ચેાગને તે સુંદર રીતે સાધી શકે છે. કારણ કે જે શસ્રવ્યાપારમાં નિષ્ણાત હાય, તે અટાપટાના ખેલ ખેલવામાં પટુ હોય; તેમ જેને તે ધ્યાન આદિની વિધિનું ખરાખર જાણપણું હોય, તે તે ધ્યાનાદિની
Page 178
સાધનામાં કુશલ હોય છે. વ્યાયામમાં જે સારી પેઠે કસાયેલા હાય, તે જેમ કુસ્તી વગેરે પ્રયાગેામાં હાશીયાર હાય છે; તેમ તે તે ધ્યાનાદિના ઉપાય જે ખરાખર જાણતા હાય, તે ધ્યાનાદિ સિદ્ધ કરવામાં નિપુણ હાય છે. દાખલા તરીકે–ધ્યાન કરવું હેાય તે તેને ચેાગ્ય દેશ આદિ જાણવા જોઇએ, આસનાઢિ વિધિ જાણવી જોઇએ. તે જાણેલ હાય, તે જ તેના ઉપાયમાં ખરાખર પ્રવર્તી શકાય. કુશલ કારીગર પેાતાની કામગીરી ખરાખર ખજાવી શકે છે, પણ અણઘડ તેમ કરી શકતા નથી; તેમ ઉપાયપટુ પુરુષ ધ્યાનાદિ કુશલપણે કરી શકે છે, અપટુ તેમ કરી શકતે નથી. ગીતામાં કહ્યુ છે કે‘ ચો: મનુ કૌશામ્। ’ “ હવે જિનવચન પ્રસંગથી, જાણી સાધક નીતિ....નાથ રે; સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ....નાથ રે.’’શ્રી દેવચ`દ્રજી 節 ાગમાં અવિક્ષેપ Page #295 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : ઉપકરણમાં અપ્રતિબંધ, સાધન તે બંધન ! (૨૨૯) અને આ દૃષ્ટિમાં જ અમ્યુચ્ચય કહે છે – परिष्कारगतः प्रायो विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥५६॥ ઉપકરણ વિષયમાં વળી, પ્રાયે નેય વિઘાત, પાપતણા પરિહારથી, મહદ અવિઘાત. ૫૬. અર્થ –ઉપકરણ વિષયમાં વિઘાત પણ પ્રાયે અત્રે હોતું નથી અને સાવદ્ય પરિહારથી એટલે કે પાપકર્મના પરિત્યાગથકી મહોદયવાળો અવિઘાત હોય છે. વિવેચન અહીં બીજે જે ગુણસમૂહ હોય છે, તે અત્રે સમુચ્ચયરૂપે ( Generalisation) કહ્યો છેઃ-(૧) અહીં ઉપકરણ સંબંધી પ્રાયે વિઘાત – ઈચ્છા પ્રતિબંધ ઉપજતો નથી, (૨) અને પાપકર્મના પરિહારથી મહેદયવાળા અભ્યદય-નિઃશ્રેયસહેતુ એ અવિઘાત-અપ્રતિબંધ હોય છે. તે આ પ્રકારે આ દૃષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને ઉપકરણ બાબતમાં પ્રાયે કોઈ પણ જાતને વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતું નથી. ઉપકરણ એટલે ધર્મસિદ્ધિમાં ઉપકાર કરે એવા ઉપસાધન. તેવા ઉપકરણ સંબંધી ઈચ્છાના પ્રતિબંધ કરી–આગ્રહ કરી આ મહાનુભાવ ઉપકરણમાં વિવાત પામતે નથી, વિન પામી અટકી જતો નથી. કારણ કે ઉપકરણ અપ્રતિબંધ એ તે સાધન માત્ર છે, સાધ્ય નથી, એમ તે જાણે છે. એટલે તે સાધનમાં જ સર્વસ્વ માની બેસી રહેતો નથી, સાધનના જ કુંડાળામાં રમ્યા કરતે નથી, પણ તે દ્વારા જે આત્મસિદ્ધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તે ભણી જ પોતાનો સતત લક્ષ રાખે છે, સદાય સાધ્યરુચિ રહી તે સાધન કરે છે. એટલે ઉપકરણ સંબંધી મિથ્યા આગ્રહ ટંટા, સાધન ધર્મના ઝગડા એને આપોઆપ નિવર્સી જાય છે. સાધનમાંઉપકરણમાં તે મૂચ્છ પામતા નથી, કારણ કે શુદ્ધ સાધ્યરુચિપણે સાધન સેવવાં એ તેણે જિનવચન પ્રસંગથી જાણ્યું છે, પંચ મહાવ્રત ધાન્ય તણુ, કર્ષણ વધ્યા રે; સાધ્યભાવ નિજ થાપી, સાઘનતાએ સધ્યા રે...શ્રી નમિ.” “સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખે નિજ લક્ષ છે.” -શ્રીદેવચંદ્રજી વૃત્તિ-રિદારજાત –પરિષ્કાર સંબંધી, ઉપકરણ સંબંધી, એમ અર્થ છે, કાચો-પ્રાયે, ઘણું કરીને, બાહુલથી, વિઘાડવ-વિવાત પણ, ઈચ્છા પ્રતિબંધ પણ, ન વિચરે-નથી હોત, અહ્યાં–આ દૃષ્ટિ હેતે સતે, વિઘાર-અને અવિઘાત હોય છે. કેવા પ્રકાર હોય છે? તે માટે કહ્યું કે–સાવ પરિણાદાત્ત-સાવધના પરિહારથકી, પ્રતિષિદ્ધના પરિહારથી–ત્યાગથી, જાય –મહોદયવાળા, અભ્યદય–નિઃશ્રેયસને હેતુ એ, એમ અર્થ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૩૦) યોગદૃષ્ટિસમુચ્ચય પણ મૂઢ આગ્રહી જીવા જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેના લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહેામાં, તુચ્છ મતભેદોમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,-તેમાં જ ઇતિકર્ત્તવ્યતા માને છે; તેમ આ મહાનુભાવ વિશાલષ્ટિવાળા ચેગીપુરુષ માનતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષાએ બાહ્ય-અભ્ય તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઇ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવને ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિ, પણ તેમાં પણુ જો જીવ મમત્વભાવ રાખે, ઇચ્છારૂપ પ્રતિખંધ કરે, મૂર્છા ધરાવે,
Page 179
તેા તે ઉપકરણેા ઉલટા અપકરણારૂપ થઇ પડે છે ! અધિકરણા થઇ પડે છે! સાધન તે અધન બને છે! જેમકે મૂર્છાથી અપકરણ મંદિર, ઉપાશ્રય આદિ ઘણા જીવાને ભક્તિ-સ્વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જો ચડસાચડસી, હાંસાંતેાંસી કરવામાં આવે, મારા-તારાપણું કરવામાં આવે, નીરાગી નિઃસ`ગી વીતરાગ પ્રભુ અંગે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કેટે ચઢવા જેવા મેટા ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તેા ઇષ્ટ ઉદ્દેશ માર્યાં જાય છે; સાધન તે બધન થઇ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિધપણે વિચરતા ફરતારામ મુનિના કામચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણાને અપાસરા ને આ બીજાને અપાસો એમ જો મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે ! ગચ્છ-ગણુ આફ્રિ પણ મૂળ તે વ્યવસ્થા ( organisation) અને સહકાર ( Co-ordination) ખાતર કરવામાં આવે છે, પણ તે પણ જો મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહેાનું નિવાસધામ અને, કલેશ–ઝઘડાનું રણાંગણુ અની જાય, કે વાડારૂપ સ’કુચિતતાનું પ્રદર્શીન ખને, તે તે પણ અધનરૂપ થઈ પડે છે! આત્માને વિધાતરૂપ થઈ પડે છે ! સાધન તે બધન! “ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉત્તરભરણાદિ નિજ કામ કરતાં થકા; મેહ નડિઆ કલિકાલ રાજે....ધાર.”–શ્રી આન’દઘનજી શાસ્ત્ર તેા કેવળ આત્માથે પઠન-પાન માટે ને સાનિક ઉપયાગ માટે કહ્યા છે. તેને બદલે કોઇ પેાતાનેા માલીકી હક્ક કરી કજૂસની જેમ તેના સંગ્રહ-સ ́ચય કરે, ને તેમાં પોતાનું મમત્વ સ્થાપે તે અપકરણુરૂપ થઇ પડે છે. અથવા હું કેવા પડિત છું, હું કેવુ' સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કેવા વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાર્થે ઉપયાગ કરવામાં આવે, તે તે જીવને પ્રતિષધરૂપ થઇ પડે છે. અથવા શાસ્ત્રને ગ્રહરૂપ ખંડન–મડનાથે કે ખાટા વાદવિવાદ માટે ઉપયાગ કરવામાં આવે તે તે પણ Page #297 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ : આત્માથે જ સાધન સેવન (૨૩૧) બંધનને અર્થ થાય છે. મૂઢજ જનોનો જેમ સ્ત્રી-પુત્રાદિ સંસાર છે, તેમ સદ્ગરહિત-અધ્યાત્મરહિત વિદ્વાનોને પણ “શાસ્ત્ર-સંસાર” છે ! તે જ પ્રકારે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અત્યંતર સાધને પણ જે કરંજનાથે કરવામાં આવતા હોય, અથવા ઈષ્ટ સાધ્ય લક્ષ્યને ભૂલી જઈ સાધનની ખાતર સાધન કરવામાં આવતા હોય, અથવા સાધનને સાધ્ય માની સેવવામાં આવતા હોય, તે તે પણ બંધનરૂપ બને છે. શ્રી રત્નાકરપચીશીમાં કહ્યું છે કે – “વૈશાચર પવષ્યનાચ, ધર્મોપદેશો સનસનાય . वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ॥" આમ જાણતે હેઈ આ મુમુક્ષુ પુરુષ તે તે ઉપકરણોને ઉપકરણરૂપે આરાધે છે. તે તે સાધનેને સાધનરૂપે સેવે છે અને તેમાં મમત્વરૂપ ઈચ્છા–પ્રતિબંધ કરી તેને બંધન બનાવતે નથી; કારણ કે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આત્માથે જ જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આત્યંતર ઉપકારી સાધનને પણ કેવળ સાધન સેવન આત્માથે જ સેવે છે, શુદ્ધ આત્મસિદ્ધિને સતત નિશ્ચય લક્ષ્ય રાખી આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય છે, તેમ આ આત્માથી મુમુક્ષુ પુરુષને નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે; આમ હોવાથી એને ઉપકરણ વિષયમાં કઈ પણ વિઘાત ઉપજતું નથી, ઈચ્છા પ્રતિબંધરૂપ વિક્ત નડતું નથી. તેમ જ આ મુમુક્ષુ પુરુષ સાવધને પરિહાર કરે છે, સર્વ પાપકર્મને ત્યાગ કરે છે, નિષિદ્ધ આચરણ કરતું નથી. એટલે તે અઢાર પાપસ્થાનક પ્રયત્નપૂર્વક વજે છે. આથી કરીને પણ તેને યોગસાધનમાં અવિઘાત હોય છે,
Page 180
ઈચ્છા પ્રતિબંધ રહિતપણું હોય છે. કોઈ પણ વિદ્ધ નડતું નથી. તે નિર્વેિનપણે, નિરાકુલપણે ગસાધના કર્યા કરે છે. અને આ ગસાધનનો અવિઘાત મહેદયરૂપ ફળવાળે છે. એટલે આ નિવિન ચગસાધનથી મુમુક્ષુને માટે અમ્યુદય-પુણ્યદય પ્રાપ્ત થાય છે, તેમજ નિઃશ્રેયસૂ-મોક્ષની સિદ્ધિ સાંપડે છે. આ મહદયવાળે સુયશ તેને મળે છે ! “વિઘન ઈહાં પ્રાયે નહી જી, ધર્મ હેતુમાં કેય; અનાચાર પરિહારથી છ, સુયશ મહોદય હાય..રે જિનજી! ધન”—શ્રી યે દસ રૂ–પ "पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । વિગુણ રાત્રઃ સોનાહિતામનામ્ – બિંદુ Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૩૨) અલાષ્ટિના સાર અહી દર્શીન દૃઢ–કાઇ અગ્નિકણ જેવું હાય છે, અને યાગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હેાય છે. અત્યરાપૂર્વક સત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સ કૃત્ય પ્રણિધાનયુક્ત હેાય છે. શુશ્રૂષા નામના ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હેાય છે. આ શુશ્રુષા મેધ જલપ્રત્રાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવા જેવું–ફાગત છે. શ્રવણ ન થાય તેપણુ આ શુશ્રષાના પ્રભાવે શુભ ભાવથી કાયરૂપ ફલ થાય છે,−જે ઉત્તમ બેધનું કારણ થાય છે. યાગ સિમુચ્ચય ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષને અહી ત્યાગ હાય છે. એટલે ચેાગ સંબધી અક્ષેપ હાય છે, અને તે ચેગ ઉપાયનું કૌશલ-કુશલપણુ' હેાય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કેાઈ વિઘ્ન અહીં નડતું નથી, અને પાપકના પરિત્યાગથી મહેાદયવંત અવિઘ્ન હાય છે. ખલા દૃષ્ટિનું કોષ્ટક— યાગાંગ ઢાષત્યાગ ક્ષેપ દોષ ત્યાગ. ઉપકરણ વિષયે અવિદ્ય. દર્શન દૃઢ-કાફ અગ્નિ સમ આસન તૃષ્ણા અભાવે સત્ર સુખાસન. અતરાપૂર્ણાંક સવ' ગમન-નૃત્ય. ગુણપ્રાપ્તિ શુભ્રષા. મેધ પ્રવાહ સરવાણી સમી. તરુણુ સુખી જેવી તી. ચેગ ઉપાય કૌશલ, યાગવૃષ્ટિ કળશ કાવ્ય 1: ભૂજંગી :— ખલા દૃષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, ખલી દેશને યુક્ત બેષત્વ માનું; પરા શુશ્રુષા તત્ત્વ કેરી ધરાવે, ન ચેાગે કદી યાગીને ક્ષેપ થાયે. ૪૬. અનાદિ તણા દેહ અધ્યાસ છેાડી, નિજાધ્યાસમાં તે અભ્યાસ જોડી; સુખાસનમાં સ્થિતિ યાગી કરે છે, પરાન૪માં મગ્નતા તે ધરે છે. ૪૭. Page #299 -------------------------------------------------------------------------- ________________ બલાદષ્ટિ: કળશ કાવ્ય (૨૩૩) સ્વભાવે કરીને જ આ દષ્ટિમાંહી, ન તૃષ્ણા અસતુ ગીને હાય ક્યાંહી, સુખાસંનમાં સ્થિત સર્વત્ર તેથી, રમે આત્મ આરામમાં તે સુખેથી. ૪૮. ગમે ત્યાં જતાં કે ગમે તે કરતાં, ત્વરા ના નિરાકુલ યેગી ધરંતા; પ્રણિધાન ધારી સદા આત્મરામી, ન ઘ આવવા દષ્ટિમાં કાંઈ ખામી. ૪૯. સુખી કાંત કાંતા યુત કે યુવાન, ચહે સૂણવા જેમ ગંધર્વ ગાન; અહીં શુશ્રુષા તત્ત્વની તેમ ધારે, પિપાસુ ચહે પાણીને જે પ્રકારે. ૫૦. હું છું કેણુ? કયાંથી વળી હું થયો છું? ખરા કયા સ્વરૂપે અહે! હું રહ્યો છું? મને બાંધતા આ સંબધે બધા શા? મહા સૂણવા તત્વ એવા પિપાસા. ૫૧. અહીં બેધ પાણીની સિરા સમાણી, ખરી શુશ્રુષા તત્ત્વની આ વખાણી, વિના શુશ્રુષા સાંભળ્યું સૌ વૃથા જ, અસિરા ભૂમાં કૂપ ખોદ્યો યથા જ. પર. કદી શ્રુતને જોગ ને છતાં યે, ખરે શુશ્રષા ભાવ જે ચિત્તમાં રુડા ભાવથી કમ તે ક્ષીણ થાયે, પરં બોધને હેતુ જેથી જ પાય. ૫૩. રુડા વેગ આરંભ–અત્ર યેગી, કદી ક્ષેપને ભેગ ને અભેગી; સુગો તણું શ્રેષ્ઠ ઉપાયમાંહિ, સુકૌશલ્ય તે દાખવે છે જ આંહી. કદી સાધને મૂછના ના ધરાવે, ન તે બંધનો સાધનેને બનાવે; સદા પાપથી ભાગતે તે ફરે છે, મને નદી ભાદને વરે છે. : ત્રાટક : દઢ દર્શન આસન સ્થિર વસે, અતિ તત્વ તણ શ્રવણે તલસે; અવિક્ષેપપણે શુભ ગ લસે, મનનંદન
Page 181
અભ્યદયે ઉલસે, ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे तृतीया बलादृष्टिः ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદેષ્ટિ બલા કહી. હવે દીપા કહે છે. प्राणायामवती दीपा न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ॥ ५७ ॥ પ્રાણાયામ દીપ્રામહી, ન યોગનું ઉત્થાન; શ્રવણ તત્ત્વનું હોય પણ, ન સૂક્ષ્મ બેધસ્થાન, ૫૭, અથડ–દીપ્રા દષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હોતું નથી; અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂક્ષ્મ બેધથી રહિત એવી હોય છે. વિવેચન “યોગદષ્ટિ થી કહીજી, દીપ્રા તિહાં ન ઉત્થાન પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન..... મમેહન જિનજી ! મીઠી તારી વાણુ”—ગ૦ ૬૦ સક્ઝાય ક-૧ આ દીપા નામની ચોથી ચગદષ્ટિ છે. એટલે આગળ કહેલા અનુક્રમે યોગનું ચોથું અંગ-પ્રાણાયામ અહી હોય છે, ઉત્થાન નામના ચેથા આશયદેષને પરિત્યાગ થાય છે, અને શ્રવણ નામને ચોથે ગુણ પ્રગટે છે, પરંતુ દર્શન તે હજુ પણ સૂમ બંધ વિનાનું હોય છે, અને તેને દીપકના પ્રકાશની ઉપમા ઘટે છે. તે આ પ્રકારે – વૃત્તિ-પ્રાણાયામવતી-પ્રાણાયામવંતી, પ્રાણાયામવાળી ચતુર્થી અંગના ભાવથી,-ભાવ રેચક આદિ ભાવથકી, તીકા-દીકા, ચેથી દૃષ્ટિ, શાળાથાનવતી-ચાગના ઉત્થાનવાળી નથી હોતી,-તથા પ્રકારના પ્રશાંતવાહિતાના લાભથી, શા-અત્યંત, સરાક્રવરં તરવશ્રવણથી સંયુક્ત -શશ્રષાના કુલ શ્રવણુથી સંયુક્ત,-શુષાના ફલભાવથી. સૂાવિવર્જિતા-સૂક્ષ્મ બેધથી વિવજિત, સૂક્ષ્મ-નિપુણ બેધથી રહિત એવી, Page #301 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ : દીપકભા સમ જ્ઞાન” દ્રવ્ય-ભાવ પ્રાણાયામ દર્શન–આ દૃષ્ટિમાં દર્શન–બંધ સ્થૂલ પ્રકારનો હોય છે, સૂક્ષમ-નિપુણ હેતે નથી. જો કે આગલી ત્રણ દષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળે ને વધારે સામર્થ્યવાળ હોઈ, તેને દીપકને પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થિર આદિ દીપપ્રભા દષ્ટિની અપેક્ષાએ આ બેધનું હજુ શૂલપણું છે. કારણ કે દીપકને પ્રકાશ સમ જ્ઞાન તૃણ-ગમય-કાષ્ટના અગ્નિ કરતાં અનેકગણે બળવાન્ ને વધારે સ્થિતિવાળ હોય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણે અ૫વીર્ય ને મંદ છે; તેમ આ દીપ્રાદષ્ટિને બોધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળે હોય છે, પણ સ્થિર આદિ કરતાં મંદ ને અલ્પ સ્થિતિવાળા હોય છે. દીપકના સાનિધ્યમાં તેના પ્રકાશ-વર્તુલમાં આવતા પદાર્થોનું દિગદર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂક્ષમ વ્યવહિત પદાર્થોનું દર્શન થતું નથી, તેમ ક્ષપશમરૂપ તેલના પ્રમાણમાં આ દષ્ટિમાં પદાર્થને સ્કૂલ બંધ થાય છે, પણ દૂર વર્તતા સૂક્ષ્મ અંતરિત પદાર્થનું દર્શન થતું નથી. દિ તેલ હોય ત્યાં સુધી પ્રકાશે છે, તેલ ખૂટી ગયે ઓલવાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બેધ તથારૂપ શોપશમ હોય ત્યાં સુધી પ્રકાશે છે, પછી પ્રકાશ નથી–ઓલવાઈ જાય છે. દીવ વાયરાના સપાટાથી ઓલવાય છે, અથવા અસ્થિર થાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તથા પ્રકારના બાહા નિમિત્તરૂપ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને-પડી જવાનો ભય રહે. છે, અથવા અસ્થિર–ચંચલ થવાનો સંભવ રહે છે, ઈત્યાદિ અનેક પ્રકારે આ દષ્ટિના બંધને દીપકની ઉપમા બરાબર ઘટે છે. અત્રે “દષ્ટિ”ના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સતશ્રદ્ધાસંગત બધ હોય છે, તેથી કરીને અસત્ પ્રવૃત્તિને વ્યાઘાત થતું જાય છે, ને સંતુપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે. – પ્રાણાયામ – બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ, મન”—શ્રી ૦ ૬૦ સજઝાય ક-૨ અત્રે મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામને નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામને શ્વાસના ધનરૂપ જે બાહ્ય એ હઠગને પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી, કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હાઈ ચિત્તચંચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ બાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે: (૧) શ્વાસને બહાર કાઢ. તે રેચક* પ્રાણાયામ છે. (૨) શ્વાસને અંદર પૂર, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુંભમાં જલની જેમ નિશ્ચલપણે થંભી
Page 182
રાખવે, તે કુંભક પ્રાણાયામ છે. * " रेचकः स्याद्वहिर्वृत्तिरन्तिर्वृत्तिश्च पूरकः । कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामनिधेत्ययम् ।। धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः। अन्यैरुक्तः कचिच्चैतद्युज्यते योग्यतानुगम॥" (આધાર માટે જુએ) યશ૦ કૃત દ્વા૦ દ્વા Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૩) યોગદષ્ટિસમુચય પતંજલિ આદિને અભિપ્રાય છે કે-“પ્રાણાયામથી પ્રકાશના આવરણને ક્ષય થાય છે, અને ધારણમાં મનની યોગ્યતા થાય છે.” એટલે કે ચિત્તસવગત પ્રકાશનું જે કલેશરૂપ આવરણ છે તેને ક્ષય થાય છે, અને પ્રાણાયામથી સ્થિર કરાયેલું ચિત્ત સુખે કરીને નિયત દેશમાં ધારી રખાય છે. અને આ જે પતંજલિ આદિએ કહ્યું છે તે કવચિત પુરુષવિશેષમાં ગ્યતા પ્રમાણે યુક્ત છે, કારણ કે યેગીઓનું નાનારુચિપણું છે, તેથી.x પણ ભગવત્ જિનપ્રવચનમાં તે શ્વાસોચ્છવાસને ધ વ્યાકુલતાને હેતુ થઈ પડે છે માટે નિષિદ્ધ જ છે, કારણ કે જેમ ગસમાધાન થાય એમ જ પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે અને પ્રાણધરૂપ મથામણુનું બહુ ઝાઝું પ્રયજન પણ નથી. બાકી ભાવથી જોઈએ તે બાહા ભાવેના રેચનથી, અંતભાવના પૂરણથી, ને નિશ્ચિત અર્થના કુંભનથી પરમાર્થરૂપ ભાવ પ્રાણાયામ + થાય છે. તે આ પ્રકારે: (૧) જેમ પ્રાણા યામની બાહ્ય સ્થૂલ ક્રિયામાં શ્વાસને બહાર કાઢવારૂપ રેચક ક્રિયા કરવામાં ભાવ પ્રાણાયામ આવે છે, તેમ આ ભાવ પ્રાણાયામમાં બાહ્યભાવ-પરભાવને બહાર કાઢવા રૂપ-રેચ દેવારૂપ રેચક ક્રિયા કરવામાં આવે છે. એટલે સ્ત્રી-કુટુંબ આદિના મમત્વરૂપ બાહ્ય ભાવને કાઢી નાંખવામાં આવે છે. (૨) જેમ બાહ્ય પ્રાણાયામમાં શ્વાસ અંદર ભરવારૂપ પૂરક ક્રિયા કરવામાં આવે છે, તેમ ભાવ પ્રાણાયામમાં અંતરાત્મભાવ અંતરમાં ભરવારૂપ પૂરક ક્રિયા કરાય છે. એટલે કે શ્રવણથી ઉપજેલા વિવેકરૂપ અંતર્ભાવ ભરાય છે. (૩) જેમ હઠયોગિક પ્રાણાયામમાં શ્વાસને અંદર ભર્યા પછી તેને કુંભમાં જલની જેમ સ્થિર કરવારૂપ–થંભાવી રાખવારૂપ કુંભક ક્રિયા કરાય છે, તેમ અત્રે ભાવ પ્રાણાયામમાં અંતર્ભાવની સ્થિરતારૂપ-સ્થનરૂપ કુંભક ક્રિયા કરવામાં આવે છે. એટલે નિશ્ચિત અર્થનું કુંભન-સ્થિરીકરણ થાય છે. આમ ભાવ પ્રાણાયામ તે આત્મભાવરૂપ સ્વભાવ છે, અને એ જ અવ્યભિચારથી યેગનું અંગ છે. અર્થાત્ બાહ્ય પ્રાણાયામ એગનું અંગ થાય કે ન પણ થાય, પણ આ ભાવ પ્રાણાયામ તે ચક્કસ યોગનું અંગ છે જ. માટે આ આધ્યાત્મિક પ્રાણાયામ એ જ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ પ્રાણાયામ છે. ___ " श्वासपश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यतरस्तंभवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टा दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः क्षीयते प्रकाशावरणम् । धारणासु च योग्यता મનેર–પાતo o ૨, ૪- ૫૩. x" उस्सासं ण णिरंभह आभिग्गहीओवि किमु अचेठा। પણ મf fથે મુમુકાયું જ નયા —શ્રી જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી, + “ના[હિમાવાના મનમવચ પૂરતા ઝુમનાનિશ્ચિતાર્થચ પ્રાણાયામ માવતઃ ”—શ્રી યશોવિકૃત દ્વા દ્વા Page #303 -------------------------------------------------------------------------- ________________ દીપ્રમાદષ્ટિ : ચેગનું અનુત્થાન, તન્ત્રાવણ 66 ઃ અહિતરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ; પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અરપણુ દાવ.”—શ્રી આનંદઘનજી શુદ્ધ દેવ અવલખન ભજતાં, પરહરીએ પરભાવ. “અંતર અતર આતમતા લહી હાજી, પરપરિણતિ નિરીડ, ”—શ્રીદેવચ'દ્રજી * ?? અનુસ્થાન ચાગનુ ઉત્થાન-ઊઠી જવું તે અત્ર થતું નથી, કારણ કે તેવા પ્રકારની પ્રશાંતવાહિતા હાય છે, એટલે કે એવા પ્રકારના પ્રશાંત રસના પ્રવાહ પ્રવહે છે કે ચેાગમાંથી ચિત્ત ઊઋતુ' નથી. જેમ શાંત સરિતાને પ્રવાહ અખંડ શાંતપણે વહ્યા કરે, તેમાં તરંગ ઊઠે નહિ, તેમ અત્રે ચેાગરિતાના શાંત રસને પ્રવાહ અખંડપણે વહ્યા કરે છે, તેમાં ઉત્થાનરૂપ તરંગ ઊઠતા નથી, કારણ કે આગલી દૃષ્ટિમાં ક્ષેપ નામના દેષ ટળ્યો, એટલે કોઇ પણ પ્રકારે ચિત્તમાં વિક્ષેપ ઉપજતા નથી, તેથી ચિત્તમાં શાંતરસ પ્રવહે છે, અને યાગને પેાતાના સ્થાનમાંથી ઊઠવાનું ખનતું નથી, આરભેલી ચેગક્રિયામાં જ ચિત્ત ચાંટયું રહે છે. આમ અનુસ્થાન ઘટે છે. પણ આવી આ શાંતત્રાહિતા—ઠરેલપણું ન હેાય, તે યાગમાં ઉત્થાન
Page 183
થાય છે, એટલે કે પ્રારબ્ધ ચેગક્રિયામાંથી મન ઊઠી જાય છે, ઉચક થાય છે, ઉત્ત્પન થાય છે, ચિત્ત ચાંટતુ નથી−ઠરતું નથી. છતાં તેવી ઉન્મન સ્થિતિમાં ત્યાગવા યેાગ્ય એવી તે ચેક્રિયા છડાતી પણ નથી. જેમકે-કેઇએ દીક્ષા લીધી હાય, અને તે પાળવાને સર્વથા અસમર્થ હાઇ તેમાંથી તેનું મન ઊઠી ગયુ' હાય, તેવાને તેદીક્ષા છેાડી શ્રાવકનુ' લિ'ગ ધરવુ વધારે ચાગ્ય છે, તથાપિ તે લેનિદા આદિ ભયથી તે મુનિલિ`ગ છાંડતા નથી. આ ઉત્થાન દોષનુ ઉદાહરણ છે. આવા ઉત્થાનદાષ અહી ટળે છે. * (૨૩૭) શાંતવાહિતા વિષ્ણુ હાવે રે, જે યાગે ઉત્થાન રે; ત્યાગ ચેાગ છે તેહથી રે, અણુછડાતું ધ્યાન રે....પ્રભુ’—સા૦ ત્ર૦ ગા॰ સ્તઢા.-૧૦ આગલી દૃષ્ટિમાં શ્રષા-સાંભળવાની ઇચ્છાના ગુણુ પ્રગટયો છે, એટલે તેના પછી સ્વાભાવિક ક્રમે અત્ર તત્ત્વનુ' શ્રવણુ અને છે. આગળમાં કહ્યું હતું તેમ, શુશ્રૂષા એટલે સાંભળવાની ઉત્કંઠા-અતર`ગ જિજ્ઞાસા વિનાનું શ્રવણ વૃથા છે, એ ખાસ લક્ષમાં રાખવા યાગ્ય છે. કદાપિ શ્રવણ વિનાની શુશ્રુષા કલ્યાણકારી થાય, પણ શુશ્રુષા વિનાનું શ્રવણ કલ્યાણકારી થતું નથી. માટે શુભ્રષાના અનુવેધવાળુ –અનુસ ́ધાનવાળુ શ્રવણું જ ઉપકારી થાય છે. અને આ શ્રવણ એટલે કર્ણેન્દ્રિય પર શબ્દાનુ અથડાવુ' ને સાંભળવુ' એમ નથી; પરંતુ અંતરાત્માથી અ'તઃકર્ણેન્દ્રિયદ્વારા શબ્દનુ અગ્રહણુ-ભાવગ્રહણ કરવું, તેનું નામ શ્રવણ છે. એમ તે આ જીવે કપટ તત્ત્વશ્રવણ * जइ न तरसि धारेउ मूलगुणभरं उत्तरगुणभरं च । મસ્તૂળ તોત્તિ ભૂમિ મુસાન્ત કરતા ।।”—શ્રી ઉપદેશમાલા, Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) ગદષ્ટિસમુચ્ચય પર અથડાવારૂપ શબ્દશ્રવણ તે એટલું બધું કર્યા કર્યું છે કે તેના કાનના પડદા પણ ગૂટી ગયા છે ! તે પણ તેને બ્રહ્મજ્ઞાન થયું નથી ! કારણ કે ખરૂં તત્ત્વશ્રવણ થયું જ નથી, અર્થગ્રહણ–ભાવગ્રહણરૂપ અંતરાત્માથી શ્રવણ થયું જ નથી. શ્રી અખાભક્ત માર્મિક વચન કહ્યું છે કે-કથા સૂણી સૂણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” ભાવરેચક આદિ ગુણ કહે છે – प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थ न धर्म प्राणसंकटे ॥ ५८ ॥ પ્રાણથીય મોટો ગણે, નિ:સંશય અહિં ધર્મ; ધર્મ અર્થ પ્રાણ ત્યજે, પ્રાણસંકટ ન ધર્મ, ૫૮, અર્થ-આ દષ્ટિ હતાં, પ્રાણ કરતાં પણ ધર્મને નિઃસંશય ગુરુ-મોટો માને; ધર્મને અર્થે પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે ધર્મ ન છોડે. વિવેચન ધમ અર્થ અહી પ્રાણને જી, ડે-પણ નહિ ધર્મ પ્રાણ અથે સંકટ પડે છે, જુઓ ! એ દૃષ્ટિને મર્મ..મન”—૨ દ૦ સઝાય-૪–૩ આ દષ્ટિમાં વર્તનાર યોગીને મન નિઃસંશયપણે પ્રાણ કરતાં પણ ધર્મ ઘણું વધારે મેટો લાગે છે, ધર્મનું માહાત્મ પ્રાણ કરતાં પણ અધિક ભાસે છે. આખા જગતમાં હાલામાં વહાલી વસ્તુ પ્રાણુ ગણાય છે, તે પ્રાણની જાળવણી અર્થે પ્રાણુથીય સમસ્ત જગત્ પ્રવૃત્તિ કરી રહ્યું છે, ને તેની રક્ષા માટે ગમે તે કરવા ધર્મ પ્રિય તે તૈયાર રહે છે. પણ આ જોગીજનને તે આવા પ્રિયતમ પ્રાણ કરતાં પણ ધર્મ વધારે પ્રિય ભાસ્યમાન થાય છે. એટલે જ તે ધર્મની ખાતર પ્રાણ પણ છોડી દેવા પડે- છાવર કરવા પડે, તે તે આંચકે ખાતો નથી, અને પ્રાણસંકટ આવી પડે, પ્રાણ જવાને પ્રસંગ આવી પડે, તે પણ તે પ્રાણ બચાવવાની ખાતર ધર્મને છેડતું નથી. પ્રાણની કે ધર્મની રક્ષા કરવાની હોય, તો તેની પ્રથમ પસંદગી ધર્મરક્ષા પર ઉતરે છે, પ્રાણના ભોગે પણ તે ધર્મનું પરિપાલન કરે છે. જેમકે – “રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાન જાય અરુ બચન ન જાઈ.”—શ્રી તુલસીદાસજીકૃત રામાયણ. તૃત્તિ –ાખ્યોતિ–પ્રાણથી પણ, ઈદ્રિય આદિ પ્રાણી કરતાં પણ, ગુરુ-ધર્મ ગુરુ, મહત્તર, વધારે મોટો હોય, સરનામામ–આ અધિકૃત દષ્ટિ-ડીઝા હેતે સતે, અલંકાયમૂ-અસંશયપણે, આ કયાંથી ? તે
Page 184
માટે કહ્યું-કાળાંત્યાતિ ધર્માર્થ—ધર્મ અથે પ્રણે ત્યજે છે -તરવર્ગ પ્રવૃત્તિવડે કરીને, (પણ) ન ધર્મ કારંવ-પ્રાણસંકટે ધર્મ ન ત્યજે-તવઉત્સગ પ્રવૃત્તિવડે કરીને જ Page #305 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : “સાચે જંગ તે ધર્મને –ધર્મ અથે પ્રાણ ત્યજે (૨૩૯) આ તે દઢધમી હોય છે, આ દઢ ધર્મર'ગ-“ચાળ મજીઠને રંગ –તેને લાગેલે હોય છે. અને આ ધમનો રંગ જ સાચે રંગ છે, બાકી બીજે બધે રંગ પતંગ સમાન છે–ચાર દિવસની ચટકી છે. “સાચે જંગ તે ધર્મનો’. દેહ ભલે જીર્ણ થાય, સડી જાય, પડી જાય, વિધ્વંસ પામી જાય, પણ ધર્મરંગ કદી જીણું થતું નથી, સડત નથી, પોતે નથી, વિધ્વંસ પામતે નથી. “શ્રી અનંતજિન શું કરે....સાહેલડીઆ, ચેળ મજીઠને રંગ રેગુણવેલડીઆ૦ સાચો રંગ તે ધર્મને......સાહેબ બીજે રંગ પતંગ રેગુણ૦ ધર્મ રંગ જીરણ નહિં....સાહેબે દેહ છરણ થાય છે...ગુણ૦ સોનું તે વિણસે નહિં....સાહેબ ઘાટ ઘડામણ જાય રેગુણ૦ ત્રાંબું જે રસધિયું....સાહેટ હોય તે જાચું હેમ રે....ગુણ૦ ફરી તે ત્રાંબું નવિ હુવે...સાહેબતિમ પ્રભુ શું મુજ પ્રેમ રે...ગુણ”–શ્રી યશોવિજયજી અને આ સાચે ધર્મરંગ-ધર્મપ્રેમ લાગવાનું કારણ, તે ધર્મનું પરમ માહાસ્ય તેને મન વસ્યું છે તે છે. જેમકે ચાતુર ચેપથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતે પ્રમાણે છે પારસમણિ પ્રેમથી કવિ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાને સાગર કથે સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરે છે, નિર્મળ થવાને કાજે, ન નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધમરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરે, વિલખો ન વેમથી.” –શ્રીમદ્ રાજચંદ્રજી તેમ જ આ મુમુક્ષુ જોગીજન જાણે છે કે-આ સંસારને વિષે વિશુદ્ધ ધર્મ જ બુધજનેને મુક્તિ અર્થે સદા ઉપાદેય છે–આદરથી ગ્રહણ કરવા એગ્ય છે, કારણ કે બીજુ બધુંય દુઃખનું કારણ છે. આ સંસારમાં બધુંય પ્રકૃતિથી અસુંદર છે, ધર્મજ ઉપાદેય સ્વભાવથી અસુંદર છે. એટલા માટે અત્રે ધર્મ સિવાય બીજે ક્યાંય વિવેકીઓને આસ્થા ધરવી શું યુક્ત છે? તે હે જીવ! તું કહે. અને તે ધર્મ તે જગદુવંઘ છે, નિષ્કલંક છે, સનાતન છે, પરાર્થને સાધક છે, અને શીલવંત ધીરજનેએ તે સેવેલે છે. માટે તે ધમ સિવાય અન્યત્ર ક્યાંય આસ્થા કરવી ચુત નથી.’x x “ उपादेयश्च संसारे धर्म एव सदा बुधैः । विशुद्धो मुक्तये सर्व यतोऽन्यदुःखकारणम् ॥ प्रकृत्यसुंदरं ह्येवं संसारे सर्वमेव हि । अतोऽत्र वद किं युक्ता कचिदास्था विवेकिनाम् ।। मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥" મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રણીત શાસ્ત્રવાર્તાસમુચ્ચય Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦) યોગદૃષ્ટિસમુચ્ચ આમ પરમ કલ્યાણકારી, દુ:ખહારક ને સુખકારક, એવા નિમલ ધર્મનું માહાત્મ્ય તેના હૃદયમાં વસ્તુ. હેાવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્માંની ખાતર પેાતાના પ્રાણને પણ ભાગ આપી દેવા પડે, પેાતાના પ્રાણની પણ કુરમાની કરવી પડે, તાપણુ પાછું વાળીને જુએ નહિ, એમાં શું નવાઇ ? કારણ કે તે ધર્મને જ પાતાના ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જો ગયા તે તે પેાતાને સુવેલે જ સમજે છે, તે ધમ જો રક્ષાયા તા પેાતાના પ્રાણ પણ રક્ષાયે। એમ તે ખરા અંતઃકરણથી માને છે. એટલે આવા ભાવપ્રાણુરૂપ ધર્માંના સંચય કરતા રહી, સ`રક્ષણ કરતા રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતા રહે છે; અને તે ધને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્ત્વને ઉત્સગ થાય, જેમ બને તેમ આત્મતત્ત્વના પ્રગટપણારૂપ કાર્ય સિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સત્પ્રવૃત્તિમાં જીવન અર્પણ કરે છે; અને તેમ કરતાં કવચિત્ પ્રાણસ’કટ આવી પડે, તાપણ તે તત્ત્વઉત્સગ પ્રવૃત્તિ કરતા જ રહી-આત્મસિદ્ધિ સાધતા જ રહી કદી ધર્માંને છેાડતા નથી, એવા તે દૃઢધર્માં હાય છે. અત્ર પ્રતિમધન કહે છે— एक एव सुहृद्ध
Page 185
मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥ એક જ સુહૃદૂ ધર્મ જે, સુવા પાછળે જાય; અન્ય સ તા દેહની, સાથે નાશ જ થાય. ૫૯, અઃ—ધમ એ એક જ સુહૃદ્-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. ખાકી ખીજુ` ખધું તે શરીરની સાથે જ નાશ પામી જાય છે. વિવેચન ધર્મ જ એક સાચા-ખરેખર મિત્ર’ છે, કારણ કે જે મૈત્રી સહચેગીપણું ન એટલે કે સહવાસછેડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુઃખમાં, સ'પત્તિમાં કે વિપત્તિમાં, સારી સ્થિતિમાં કે માઠી સ્થિતિમાં જે સાથ ન છેડે, સદા પેાતાના હૃદયરૂપ રહી ‘ સુહૃદ્’ભાવ ન ત્યજે, તે ખરેખરા મિત્ર અથવા સુહૃદ્ કહેવાય છે. એવા મિત્ર' શબ્દના થાય અથમાં જો કોઈ ને પણ ‘મિત્ર' નામ છાજતું હેાય તે તે ધર્માંને જ છે. કારણ મૃત્યુ પામ્યા પછી પશુ એક ધમ જ તે ધર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે, સદા એના સ'ગાથી રહે છે. 6 વૃત્તિ વ્ સુદ્ધમેર્યું—એક જ સુહુ-મિત્ર ધમ' છે, અન્ય નથી, તેના લક્ષણુના વેગને લીધે. તેથી કહ્યું-મૃતમધ્યનુયાતિ ચ:-જે મૃત–મરેલાની પાછળ પણ જાય છે. શરીરેળ સમ નારૉ- શરીરની સાથે નાશ—ય, સર્વમન્યત્તુ પતિ-બીજું' 'ય-સ્વજનહિ તા પામે છે, ધર્મ જ એક મિત્ર Page #307 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : “ધમપ્રેમ એ જ સાચે પ્રેમ છે, જે જ્યાંની તે ત્યાં રહી (ર૪૧) બાકી બીજા બધા કહેવાતા સ્વજન-સંબધી તે દેહના સંબંધી હોઈ, દેહ નષ્ટ થતાં તેની સાથે જ નષ્ટ થાય છે, દેહપર્યાય છૂટી જતાં તે તે સંબંધ પણ છૂટી જાય છે. સ્વજનાદિ તે મૃતદેહને બાળી-જાળી સ્મશાનમાંથી પાછા વળે છે, સ્નાન-સૂતક કરી, દા'ડે–પવાડે કરી, થોડો વખત સાચો-બેટે સ્વાર્થમય ખેદ કરી, મરનારના નામની મોટી પિક મૂકી પિતાના સ્વાર્થને રડતા રહી, થડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે ! અરે ! એટલું જ નહિ, પણ કેટલીક વાર તે મરનારના નામે, મરનારની મિલકત માટે અનેક પ્રકારના ઝઘડા કરે છે, કોર્ટ-કજી આ ઊભા કરે છે, ને મરનાર પાછળ ભવાડા કરી તેના નામને જગબત્રીશીએ ચઢાવે છે! ફજેતી કરે છે ! સાક્ષરવર્ય શ્રી સ્વ. મનસુખભાઈએ વેધક શબ્દોમાં આ અંગે આબેહૂબ ચિતાર ખડે કર્યો છે કે ચેતન ! તારા જવા પછી એ શું કરે છે? તું જે તેઓને માટે આખો ભવ ધૂળ ઘાલી રવ્યો, ખો, તેનું તે ગમે તે થાઓ; સારી ગતિ થાઓ કે માઠી ગતિ થાઓ, તેને તે તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફેડ કરે છે; તે હેંચી લે છે; તે વહેંચણીમાં તેફાન કરે છે; કેઈ ને ઓછું મળે છે, કેઈ ને વધારે મળે છે,–આથી વિરોધ થાય છે. કોઈ તને જશ આપે છે, કે તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણી સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામને છેડે તાણે છે. પુરુષે પણ તારા સંબંધરૂપ નામ યાદ કરી, કેઈ ભાઈ કહી, કેઈ બેટા કહી, તને લાંબા સાદે યાદ કરે છે; પણ કઈ એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ્યો? તારું શું થયું? તું સુખી છે કે દુઃખી ? એને ચેતન! કઈ વિચાર કરતું નથી. ” (ઈત્યાદિ )*-શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન, મૃત્યુ સુધારક બેધ, પૃ. ૪૬. આપ મુઆ પી છે, ડૂબ ગઈ દુનીયા.”–સંત બીરજી આમ પોતપોતાના સ્વાર્થને આશ્રયીને જગતમાં સર્વ કઈ પ્રીત-સગાઈ કરે છે, પણ તે બધી
Page 186
પ્રીત–સગાઈ સાચી નથી–ટી છે, માયાજાલરૂપ છે, એ સોપાધિક પ્રીતમાં કાંઈ માલ નથી–કાંઈ કિંમત નથી. ખરી પ્રીત-સગાઈ તો નિરપાધિક છે, સ્વાર્થ આદિ ઉપાધિથી રહિત છે, કેવળ પરમાર્થ પ્રેમમય છે. “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન ખોય-રાષભ.” શ્રી આનંદઘનજી * " प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः लथितमथ पुष्टेन वपुषा। प्रवृत्तं तद्रव्यग्रहणविषये बांधवजनैर्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥" શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ, Page #308 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ર) યોગદષ્ટિસમુચ્ચય અને એવી નિરુપાધિક, નિસ્વાર્થ, કેવળ પરમાર્થ પ્રેમમય પ્રીત–સગાઈ તે ધમની જ છે. “ધર્મપ્રેમ એ જ સાચે પ્રેમ છે.” કારણકે ધર્મ જ પરમ મિત્ર-સુહની જેમ જ્યાં જયાં આ જીવ જાય છે ત્યાં ત્યાં સર્વત્ર તેને અનુ• ધર્મ પ્રેમ ગામી થઈ, સાચું મિત્રપણું અદા કરે છે; સર્વત્ર હિતસ્વી રહી આત્મએ જ સાચે કલ્યાણ સાધી, સાચે નિર્ચાજ મિત્રભાવ બજાવતે રહે છે. એટલા પ્રેમ છે” માટે આવા પરમાર્થ પ્રેમી ધર્મરૂપ પરમ કલ્યાણમિત્રને સંસર્ગ કદી પણ છોડવા ગ્ય નથી, એમ આ ઉપરથી સાર બેધ ફલિત થાય છે. કારણ કે સર્વ શાસ્ત્રો પિકારીને કહે છે કે –“પાપથી દુઃખ ને ધર્મથી સુખ છે, એટલા માટે પાપ કરવું નહિ, ને ધર્મને સંચય કર. ઝ' કારણકે મનુષ્ય ગમે તેટલા છળપ્રપ કરી, ગમે તેટલા કાળા ધેળા કરી, ગમે તેટલું ધન સંચય કરે, ગમે તેટલી “ દે-લત” એકઠી કરે, ગમે તેટલા વાડીવજીફા ને બાગ-બંગલા બંધાવે, ગમે તેટલી ત્રદ્ધિ-સમૃદ્ધિ મેળવે, અરે ! જે જ્યાંની તે સકલ શત્રુદલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ત્યાં રહીજી’ ચક્રવતી પદવી પણ પ્રાપ્ત કરે, તે પણ જ્યારે મૃત્યુવેળા આવી પહોંચે છે, ત્યારે તે બધુંય એમને એમ થયું રહે છે, જે જ્યાંનું છે તે ત્યાંનું ત્યાં જ પડયું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયારૂપ કોટડી એક ક્ષણની પણ નેટીસ વિના તાબડતોડ ખાલી કરી, એ બધેય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવું પડે છે. મહાપરાક્રમી વિજેતા ઍલેકઝાંડર (સીકંદર) અંગે કહેવાય છે કે-તે જ્યારે મૃત્યુશય્યા પર હતું, ત્યારે તેણે એવો આદેશ કર્યો હતે કે હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે મહારી મુઠ્ઠી ખુલ્લી રાખજે, ને જગતને બતાવજો કે આ સીકંદર ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જાય છે. “ પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આથ; જે જ્યાંની તે ત્યાં રહીજી, કેઈ ન આવી સાથ રે....જિનાજી! મિચ્છા દુક્કડ આજ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશસ્તવન “પહવીને જે છત્ર પરે કરે, મેરુને કરે દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ માયાજાલશે.”—શ્રી રૂપવિજયજી, * “કુદë પાપાન સુર ઘસર્વશrg સંરિથતિઃ | ર્જ ચમત: પાપં થો ધર્મસંનઃ ”—શાસ્ત્રવાર્તાસમુચ્ચય "पापाहुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् । તમાહૂિદાય પરં તુ સુદ્ધાર્થી ન ધર્મન્ –આત્માનુશાસન, Page #309 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ સદાશયથી તત્ત્વશ્રવણ, વસ્તુધમ–આત્મધર્મ (૨૪) સાથે આવે છે માત્ર એમ ધર્મમિત્ર જ, એટલે “ હાથે તે સાથે’ એમ સમજી આત્માથી વિવેકી પુરુષ પોતાના હાથે જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરે છે. इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः। प्राणेभ्यः परमं धर्म बलादेव प्रपद्यते ॥६०॥ આમ સદાશય યુક્ત તે, તવ શ્રવણ તૈયાર પ્રાણથી પરમ ધર્મને કરે બળે જ સ્વીકાર ૬૦ અર્થ – આમ સદ્ આશયથી યુક્ત એ તે, તત્ત્વશ્રવણમાં તત્પર રહી, પ્રાણે કરતાં પરમ એવા ધર્મને બળથી જ અંગીકાર કરે છે, માન્ય કરે છે. વિવેચન આમ ઉપરમાં કહ્યું તેમ આ દષ્ટિવાળો યેગી પુરુષ ધર્મને પરમ મિત્ર-સુહદુ જાણે છે, એટલે તેને
Page 187
ધર્મની ગાઢ મિત્રી જામે છે, દઢ ધમરંગ લાગે છે, અને “જેને જે સંગ, તેને તે રંગ” એ ઉક્તિ પ્રમાણે તે ધર્મની સંગતિના પ્રભાવથી તે પિતે સાચે ધર્માત્મા–ધર્મમૂર્તિ બની જાય છે, તે ધર્મના સંસ્કાર તેને અસ્થિમજજા પર્યત હાડોહાડ વ્યાપી જાય છે. કારણ કે– “ ઉત્તમ ગુણ અનુરાગથી.....સાહે૨ લહીએ ઉત્તમ ઠામરે....ગુણ. ઉત્તમ નિજ મહિમા વધે....સાહેદીપે ઉત્તમ ધામ રે....ગુણ.” શ્રી યશોવિજયજી ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.”–શ્રી દેવચંદ્રજી. અને તેથી કરીને તેને ચિત્ત આશય સ્ફીત–ઉજજવલ થાય છે, સદુ-શુભ પરિણામવાળે થાય છે, તેની ચિત્તભૂમિકા સ્ફટિકના જેવી સ્વચ્છ ને ચકખી થાય છે, કે જેથી તે તત્વરૂપ નિર્મલ જલને ઝીલવા માટે યોગ્ય પાત્ર (Receptacle) સદાશય : બને છે. સારા મિત્રની સોબતથી અવગુણદોષ દૂર થાય છે ને સદ્ગુણ તત્ત્વશ્રવણ આવે છે, તેમ આ ધર્મ સન્મિત્રની સંગતિથી અશુભ આચરણરૂપ દેષ ટળે છે ને શુભ આચરણરૂપ સદ્ગુણની પ્રાપ્તિ થાય છે, ચિત્ત ચેખું નિર્મળ ને નિર્વિકાર બને છે, અને આમ ચિત્ત ચખું થાય ત્યારે જ તેમાં ભક્તિ પ્રમુખ ગુણ પરિણમે છે –ઠરે છે. - વૃત્તિ -હ્યું –એમ, સારાત-સદ્ આશયથી સંયુક્ત હોઈ તરવશાળતા તત્વશ્રવણમાં તત્પર, આ તવશ્રવણ–પ્રધાન એવો તે કાળેખ્યો પરમં ય ચઢાવ ગતિ-પ્રાણો કરતાં પરમ એવા ધમને બલથી જ માન્ય કરે છે, તેના સ્વભાવપણાને લીધે. સ્વત એવ (ાતાની મેળે જ) વેગનું ઉત્થાન આને હેતું નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) ગદષ્ટિસમુચય શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચોકખું ચિત્ત હો.”—શ્રી યશોવિજયજી. “શુદ્ધાશય પ્રભુ થિર ઉપગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત રસ ધામy.”—શ્રી દેવચંદ્રજી. અને આમ જ્યારે ચિત્તની પાટી ચોકખી (Clean Slate) થાય છે, ત્યારે જ તેમાં તત્ત્વશ્રવણરૂપ અક્ષર લખાય છે, ત્યારે જ જીવ તત્ત્વશ્રવણનું યોગ્ય પાત્ર બને છે. એટલે તે મુમુક્ષુ જોગીજન તત્વશ્રવણમાં તત્પર-ઉઘુક્ત થાય છે, ધર્મતત્ત્વ સાંભળવાને રસીઓ થાય છે. આ આખું જગત્ “ધર્મ ધર્મ” એમ કહેતું ફરે છે, પણ આ ધર્મને મર્મ કઈ જાણતું નથી, માટે આ ધર્મ એટલે શું? ધર્મનું વાસ્તવિક તત્ત્વસ્વરૂપ શું? ઈત્યાદિ તત્ત્વવાર્તા સદ્ગુરુમુખે શ્રવણ કરવામાં એ સદા ઉત્કંઠિત રહે છે. એટલે શ્રી સદ્ગુરુ ભગવાન પ્રકાશે છે કે –“રઘુવો ધમો’–‘વસ્તુને સ્વભાવ તે ધર્મ.” આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ, એટલે કે આત્માનું સ્વ-સ્વભાવમાં વર્તવું તેનું નામ ધર્મ. જે જે પ્રકારે આત્મા સ્વભાવમાં–આત્મભાવમાં આવે તે વસ્તુધર્મ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થા નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત-અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હોઈ, સંવરનિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધાય ધર્મના પ્રકાર છે. અને પછી સર્વ પ્રદેશે કર્મને અભાવ થઈ, પૂર્ણાનંદસ્વરૂપ જે આત્મગુણની સંપૂર્ણતા થવી, સહજાન્મસ્વરૂપની પૂર્ણ પ્રગટતા થવી, તે અનુપમ એ સિદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે. આમ સાધ્ય એવા વસ્તુ ધર્મનું સાધન કે સિદ્ધિ તે જ ખરો ભાવધર્મ છે. બાકી નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ, ક્ષેત્રધર્મ, કાલધર્મ, વગેરે જે ધર્મના પ્રકાર છે, તે તો જે ભાવધર્મના હેતુરૂપ થતા હોય તે ભલા છે-રૂડા છે, નહિં તે ભાવ વિના એ બધાય “આલ” છે, મિથ્યા છે, વ્યર્થ છે. આવા શુદ્ધ વસ્તુધર્મને–આત્મધર્મને અથવા તે શુદ્ધ ધર્મ જેને પ્રગટ્યો છે એવા ધર્મમૂર્તિ પ્રભુને જે જાણી, સહીને આરાધે છે, તે પછી કર્મ બાંધતે નથી, ને તેને વસ્તુ સ્વભાવરૂપ ધર્મ પ્રગટે છે. સ્વામી સ્વયંપ્રભને હું જાઉં ભામણે, હરખે
Page 188
વાર હજાર; વસ્તુધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર સ્વામી. નામ ધર્મ હો ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવ ધર્મના હા હેતુપણે ભલા, ભાવ વિના સહુ આલ.... સ્વામી. Page #311 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ: ધમનું શરણાગ બીજ પ્રહ (૨૪૫) શ્રદ્ધા ભાસન હો તત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ દેવચંદ્ર હે જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ...સ્વામી.”–શ્રી દેવચંદ્રજી. “ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ....જિનેસર ! ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ..જિનેસર ! ધર્મ જિનેસર ગાઉં રંગશું.”—શ્રી આનંદઘનજી. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે...જીવે ધર્મ પિતાની કલ્પનાવડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જેગ, કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. - ઈત્યાદિ પ્રકારે જ્યારે સદગુરુ ધર્મની વ્યાખ્યા કરે છે, ધર્મનું તત્ત્વસ્વરૂપે પ્રગટ કરે છે, ત્યારે આ મુમુક્ષુ શ્રોતા પુરુષ તન્મયપણે-તત્પરપણે તે શ્રવણ કરે છે. અને પ્રાણથી પણ પરમ એવા તે ધમને બલથી જ માન્ય કરે છે, તે ધર્મ પ્રત્યે એને એ પ્રેમપ્રવાહ વછૂટે છે કે તેના સ્વીકાર વિના તેને ચાલતું નથી. કારણ કે તે તેને સ્વભાવ છે, એટલે તે અનાયાસે જ-સહજ સ્વભાવે જ પ્રાણાધિક ધર્મનું શરણ ગ્રહે છે, અને ભાવે છે કે “શાધિ માં -વાં ગાર્ન' હે ધમ ! ત્યારે શરણે આવ્યો છું, તું મારું રક્ષણ કરો અને આમ જે ધર્મની રક્ષા કરે છે, તેને ધર્મ રક્ષે છે. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' “ સર્વને ધમ સુશણું જાણી, આરાધ્ય! આરાધ્ય ! પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્યા હાશે.”_શ્રીમદ્ રાજચંદ્રજી. તે શ્રવણ ગુણ કહે છે– क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेनरः ॥६॥ ખારા જલના ત્યાગથી, મધુર ભેગે જેમ; પામ બીજ પ્રરોહને, તત્વશ્રવણથી તેમ ૧ વૃત્તિ:ક્ષા/મરરંથારો ચહ્ન મધુરોri:-ખારા પાણીના ત્યાગથી, મધુર—મીઠા પાણીના ગથી જેમ – તેના માધુર્યનું સ્પષ્ટ સંચિતિથી સંવેદનાથી અજાણપણું છતાં, વીગં ઘરોમાધરો–બીજ પ્રહ ધારે છે–પામે છે, (બીજ ઊગી નીકળે છે) તતૂર તરવશ્રુતેર્નરઃ–તેની જેમ તત્ત્વશ્રુતિથી નર (પ્રહ પામે છે),–તત્વશ્રુતિના અચિન્ય સામર્થ્યથકી મહાપ્રભાવપણાને લીધે. Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) યોગદષ્ટિસમુચ્ચય અર્થ :–ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના વેગથી જેમ બીજ પ્રરેહ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી નર પ્રહને પામે છે. વિવેચન તત્ત્વશ્રવણુ મધુદકેરુ, ઈહાં હોય બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”– શ્રી. કે. દ. સઝાય -૪ તત્વશ્રવણને મહિમા અહીં બતાવ્યું છે. આ “તવશ્રવણુ મધુરોદકેજી – તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણીના જેગથી, અહીં બીજને પ્રરોહ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તે બીજ ઊગે નહિ; પણ જે ખારું પાણી છોડી, મીઠા પાણીને જોગ બને તે બીજ ઊગી નીકળે, ભલે તેની મીઠાશનું સ્પષ્ટ સંચેતન વડે ભાન-જાણપણું ન હોય, તે પણ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીને જંગ જ્યાં સુધી હોય, ત્યાં સુધી બેધનું બીજ ઊગે નહિ; પણ તે ખારું પાણી છોડી, તવશ્રવણરૂપ મધુર જલન જોગ જે બની આવે તે બોધરૂપ બીજ ઊગી નીકળે–પ્રરોહ પામે.” ભલે તે તત્વથતિના માધુર્યનું સ્પષ્ટ સંચેતન-સંવેદન હજુ ન હોય, તે પણ તેને અંકુરા તે જરૂર આવે. અત્રે “પ્રહ’ શબ્દ બને અર્થમાં ઘટે છે (લેષ); પ્રહ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરોત્તર ચઢતી પદવી પામવી તે. તત્ત્વશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરોત્તર પ્રહ-ચઢતી કળા પર આરૂઢ થતું જાય
Page 189
છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં “નર’ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદ્દવિવેકને ઉદય થઈ, યાવત્ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવું તત્ત્વશ્રવણનું અચિન્ય સામર્થ્ય હોય છે, આ માટે પ્રભાવ હોય છે. આકૃતિ–૧૦ બધ-અંકુર --૦બીજ * ** પુણ્ય-મજ સંસારઃખારું પાણી તવ શ્રવણ = મીઠું પાણી. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્વરમણ આદરિયે રે; દ્રવ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રપદ વરીએ રે”-શ્રી દેવચંદ્રજી. “વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.” “તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ.” -શ્રીમદ્ રાજચંદ્રજી Page #313 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ: તત્ત્વશ્રવણ મધુ જલથી ગબીજ અંકુર (૨૪૭) આમ આગવી મિત્રા આદિ દષ્ટિએમાં જે ચોગ-બીજેનું ચિત્તભૂમિમાં પણ થયું હતું, તેને અત્રે અંકુરા ફુટે છે, અર્થાત્ તે પરિપષણથી વૃદ્ધિ પામે છે. એટલે પ્રભુભક્તિ- પરમાત્મા અહંત ભગવંત પ્રત્યેની ભક્તિ ઉત્તરોત્તર ગબીજ અધિક માત્રા પામતી જાય છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યે પરમ ઉપાય અંકુર ભાવવાળી, અહારાદિ દશ સંજ્ઞાથી રહિત, અને ફલકામના વિનાની– નિષ્કામ એવી હોય છે. અને તે ભક્તિ કરનાર ભક્ત જોગીજનનું ચિત્ત અત્યંત ચેપ્યું હોય છે, સંશુદ્ધ-નિર્મલ હોય છે. આવી કુંઠિત ભક્તિથી મન એ જ વૈકુંઠ-સ્વર્ગ થઈ પડે છે, એમ યોગી જનેને અનુભવ કહે છે, અને એવા શુદ્ધચિત્ત યેગીજનો પરમ પ્રેમાવેશમાં પ્રભુને કહે છે કે-હે પ્રભુ! અમે તમને અમારા મન–ઘરમાં પધરાવશું એટલે તેની શોભા દેખીને તમે ત્યાં જ સ્થિર થઈ જશે ! મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભા; સાહેબા વાસુ; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યોગી ભાખે અનુભવ યુકતે. સાહેબા વાસુ”શ્રી યશોવિજયજી. - સદૂગુરુભક્તિ-સન્માર્ગે ચઢાવનાર શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે અત્રે અત્યંત ભક્તિ ઉલસે છે; ભાવગી એવા ભાવાચાર્યાદિ પ્રત્યે પરમાદર યુક્ત વિનય–બહુમાન હોય છે. અને તે પરમ ઉપકારી પ્રત્યે નિષ્કામ એવા શુદ્ધ આશયથી ભક્તજન વિધિ પ્રમાણે યથાશક્તિ વૈયાવચ્ચ–સેવા કરે છે. તન-મન-ધનથી તેની ઉપાસનામાં તત્પર રહે છે. સતશાસ્ત્રભક્તિ-પરમ ઉપકારી એવા સન્માર્ગદર્શક સદાગમ પ્રત્યે અધિકાધિક ભક્તિ સહુરતી જાય છે. સત્ શ્રુતન લેખન-પૂજન-દાન–ચિંતન–ભાવન–સ્વાધ્યાય આદિ પરમ ગૌરવબહુમાન યુક્તપણે અત્ર કરાય છે. જિનભક્તિ આદિ પરમ ગબીજ પ્રત્યે અત્રે પરમ ઉપાદેય ભાવ પ્રગટે છે. તેમજ ભવ વૈરાગ્ય-સંસાર પ્રત્યે તેના સ્વરૂપદર્શનથી ઉપજતો સહજ વૈરાગ્ય અત્ર બળવત્તર બને છે, જન્મ-મરણાદિ દુ:ખથી દુઃખમય એવા સંસાર પ્રત્યે અત્યંત ઉગ ઉપજે છે. ઇત્યાદિ ગબીજ અત્રે પરિપષણ પામી ગ–અંકુરપણાને પામે છે. આને જ ભાવાર્થ કહે क्षाराम्भस्तुल्य इह च भवयोगाऽखिलो मतः । मधुरोदकयोगेन समा तत्वश्रुतिस्तथा ॥ ६२ ॥ વૃત્તિ –ારા+મરતુન્ય ર ર માયોપોડ િમત્તા અને અહીં સમસ્ત સંસારગ ખારા પાણી બરાબર માનવામાં આવ્યો છે,–અતત્ત્વશ્રવણરૂપ પણ (તેમજ છે) મધુરોન સમા તત્વતિeતથા -તથા મધુર જલના યોગ સમાન તત્ત્વશ્રુતિ (તત્વશ્રવણુ) માનેલ છે, તેના અંગાણુથી તત્ત્વશ્રતિ પણ (તેમજ છે). Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) ગદષ્ટિસમુચ્ચય ખારા પાણી સમ બધે, ભવો અહીં જાણ; તવશ્રુતિ તે તે મીઠ, જલના જોગ સમાન, ૬૨ અર્થ—અને અહીં ખારા પાણી સરખો સકલ સંસાર યુગ માન્ય છે, તથા તત્ત્વશ્રુતિને મધુર જલના યોગ સમાન માની છે. વિવેચન ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ’–શ્રી જે. ઇ. સ. ઉપરમાં જે ખારું પાણી–મીઠું પાણી વગેરે કહ્યું, તે શું? તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. સમસ્ત સંસાર યોગ-સકલ સંસારપ્રસંગ છે, તે ખારા પાણી બરાબર છે. અતત્ત્વશ્રવણરૂપ સંસારપ્રસંગ પણ તેમજ ખારા પાણી જેવો છે. ખારા પાણીના ગે બીજ સંસાર ઊગે નહિં, બળી જાય, તેમ સંસારપ્રસંગ અથવા અતત્ત્વશ્રવણરૂપ ખારા
Page 190
ખારૂ પાણી પાણીના વેગથી પુણ્યબીજ વા બેબીજ ઊગે નહિં, પણ બળી જાય. જ્યાં લગી આ સંસાર સમુદ્રનું ખારું પાણી પીવાની હોંશ મનુષ્ય ધરાવે, ત્યાં લગી બેધબીજ પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત છે. જ્યાં લગી આ ખારૂં પાણી પીવાનું છોડી દઈ, ચિત્તમાં દઢ વૈરાગ્યરંગ ન લાગે, ભવેઢેગ ન ઉપજે, ત્યાં લગી જ્ઞાનને ઉદ્દભવ થે સંભવ નથી. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અને વિવેકીને મન તે આ સંસારસાગર ખરેખર ખારે જ લાગે છે, પ્રતિક્ષણે તેને તેને તે કડ અનુભવ થાય છે, એટલે તે ક્ષણભર પણ તે સંસારમાં રહેવાને ઇચ્છતે નથી. કારણ કે તે વૈરાગ્યભાવના ભાવે છે કે આ સંસાર સમુદ્રમાં * ઉપજતા સર્વ સંબંધે મનુષ્યોને વિપદાના સ્થાન થઈ પડે * " भवाब्धिप्रभवाः सर्वं संबंधा विपदास्पदम् । संभवन्ति मनुष्याणां तथान्ते सुष्ठु नीरसाः ॥ वस्तुजातमिदं मूढ प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रहः कोऽयभनौषधः ॥ यद्वद्देशान्तरादेत्य वसन्ति विहगा नगे ! तथा जन्मान्तरान्मूढ प्राणिनः कुलपादपे॥ प्रातस्तरुं परित्यज्य यथैते यान्ति पत्रिणः । स्वकर्मवशगाः शश्वत्तथैते क्वापि देहिनः ॥ शरीरं शीर्यते नाशा गलत्यायुर्न पापधीः । मोह : स्फुरति नात्मार्थः पश्य वृत्त' शरीरिणाम् ॥" શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ, આ ભાવનાઓનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવમાં, શ્રીમદ્ રાજચંદ્રજીત ભાવનાવબોધમાં, અને શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીકૃત શ્રી શાંતસુધારસમાં અત્યંત વિસ્તારથી વર્ણવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે સ્થળે જોવું. અને તેના આધારે સંક્ષેપમાં કહ્યું છે.. Page #315 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : વરાગ્ય ભાવના-દુઃખમય સંસાર સ્વરૂપ (૨૯) છે અને અંતે અત્યંત નીરસ નીવડે છે. આ શરીર રોગથી આક્રાંત થયેલું છે, યૌવન જરાથી આકાંત છે, અશ્વય અને વિનાશ છે, અને જીવનના અંતે મરણ છે. ઇંદ્રિય વિષયથી ઉપજતા એવા ક્ષણભંગુર સુખમાં રતિ કરીને ત્રિભુવન નષ્ટ થયું છે. આ વસ્તુમાત્ર પ્રતિક્ષણે વિનશ્વર છે, તે જાણતાં છતાં તું જાણતું નથી ! તે હે મૂઢ ! હાર કે ગ્રહ છે કે જેનું ઓસડ નથી ! જે પૂર્વે હારા શત્રુઓ હતા તે આ જન્મમાં કર્મવશે મ્હારા બંધુઓ બન્યા છે ! અને પૂર્વ જન્મમાં જે હાર બંધુઓ હતા, તે આ જન્મમાં મ્હારા શત્રુપણે ઉપજ્યા છે ! જેમ દેશાંતરથી આવીને પક્ષીઓ વૃક્ષમાં વાસ કરે છે, તેમ પ્રાણીઓ જન્માંતરથી આવીને કુલરૂપ વૃક્ષમાં વસે છે. પછી પ્રભાત થતાં આ પંખીઓ જેમ ઝાડને છેડીને પોતપોતાની દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ પ્રાણીઓ પણ આયુપૂર્ણતારૂપ પ્રાતઃકાળ થતાં પોતપોતાના કર્મ પ્રમાણે જુદી જુદી ગતિમાં કયાંય ચાલ્યા જાય છે ! આમ આ બધેય પંખી મેળે છે. છતાં પ્રાણીઓનું આ વિચિત્ર ચરિત્ર તે જુઓ ! શરીર શીર્ણ (જીર્ણ) થાય છે, પણ આશા શીર્ણ થતી નથી ! આયુષ્ય ગણે છે, પણ પાપબુદ્ધિ ગળતી નથી ! મેહ કુરે છે, પણ આત્માર્થ સ્ફરતે નથી ! ખરેખર ! આયુ તો વાયુના તરંગ જેવું તરલચંચલ છે, સંપદાઓ આપદાઓ સાથે જોડાયેલી છે, સર્વ ઇંદ્રિય વિષય સંધ્યા સમયના વાદળાના રંગ જેવા છે, મિત્ર-સ્ત્રી-સ્વજનાદિના સંગમનું સુખ સ્વપ્ન-ઇંદ્રજાલ સમાન છે. તેથી આ સંસારમાં એવી તે કઈ વસ્તુ છે કે જે સંતજનેને આનંદનું કારણ થાય ? આ ત્રિભુવનમાં એ કઈ પણ શરીરધારી નથી કે જેના કંઠમાં કૃતાન્તને પાશ નહિં આવી પડે. યમ–કેસરીને પાછા ન ઠેલાય એવા પગલાં જ્યારે પડે છે, ત્યારે મહામહેનત કરતાં દેથી પણ પ્રાણું રક્ષી શકાતો નથી, તે પછી માનવ–કીડાનું શું ગજું?” “જન્મ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તે; ક્ય કર્મ
Page 191
સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે. શ્રી વિનયવિજયકત શ્રી પુણ્યપ્રકાશ સ્તવન +“आयुर्वायुतरत्तरंगतरलं लग्नापदः संपदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्नेंद्रजालोपमम् , तत्किं वस्तु भवे भवेदिह मुदामा लम्वनं यत् सताम् ।। શાંતસુધારસ (જુઓ શ્રી મનસુખભાઈ કીરતચંદ્રકૃત વિવેચન ) Page #316 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦) યોગદષ્ટિસમુચ્ચય “છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડલ નાંખતા, કાંચન કડા કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને.” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિએ ત્યાં ક્ષણને પ્રસંગ? ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ ! વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના.” - શ્રીમદ્ રાજચંદ્રજી. વળી તે મુમુક્ષુ જોગીજન ભાવે છે કે– આ સંસાર પ્રતિ જીવે લેશમાત્ર મોહ કરવા જેવું નથી. જ્ઞાનીઓએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ-વિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ અનંત શેક, અનંત દુઃખ જોઈને એઓએ આ સંસારને પુંઠ દીધી છે, ખમય તે સત્ય જ છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી. ત્યાં, દુ:ખ, દુઃખ સંસાર ને દુ:ખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. કારણ કે જીવ પ્રથમ તે માતાની કૂખમાં–ગર્ભમાંજ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટ પામી મેટ થઈ, હાશ, હવે દુઃખનો અંત આવ્યો, હવે નિરાંત થઈ, એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાં જ મૃત્યુની બેનપણી જરા અવસ્થા કાયાને કેળિયે કરી જાય છે, અર્થાત્ ઘડપણ આવે છે, દેહ જર્જરિત થવા માંડે છે, અને કાળ આવી એચિંતે પ્રાણ હરી લે છે. આ દુ:ખરૂપ આ સંસાર છે. ગભરના દુ:ખથી માંડી મરણ પયત જીવ દ:ખીજ છે.” ૪ શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન + “ गलत्येका चिंता भवति पुनरन्या तदधिका, मनोवाक्काये हा विकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झदिति पतयालोः प्रतिपदं, न जंतोः संसारे भवति कथमप्यातिविरतिः ॥ साहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासर्यावस्पृशति कथमप्यतिविरति, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ।" -શાંતસુધારસ, Page #317 -------------------------------------------------------------------------- ________________ દોમાદષ્ટિ : અતશ્રવણ ખારૂ જલ- તકૃતિ મધુર જલ (૨૫૧) ચાર ગતિરૂપ જ્યાં મેટા આવર્તે છે અને દુઃખરૂપ દાવાનલ જ્યાં પ્રજ્વલી રહ્યો છે, એવા આ ભવસાગરમાં પ્રાણીઓ બિચારા નિરંતર ભમી રહ્યા છે. એક રૂપ છોડીને બીજા ગ્રહણ કરતે આ યંત્રવાહક જીવ, રંગભૂમિ પર નાટકીઆની જેમ નિરંતર નવનવા વેષ ધારણ કરી, આ ભવમંડપમાં નાટક નાચી રહ્યો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવ એમ પાંચ પ્રકારના પરાવર્તનવડે આ સંસાર દુઃખથી ઠાંસી ઠાંસીને ભરેલ છે. અનાદિ કાળથી ભ્રમણ કરતા આ જીવે ત્રણ-સ્થાવર યોનિઓમાં સર્વની સાથે સર્વ સંબંધે પ્રાપ્ત કર્યા છે. , દેવલેકમાં કે મનુષ્ય લેકમાં, તિર્યંચમાં કે નરકમાં એવી એક પણ યોનિ નથી, એવું એક પણ રૂપ નથી, એવો એક પણ દેશ નથી, એવું એક પણ કુલ નથી, એવું એક પણ દુઃખ નથી, એવું એક પણ સુખ નથી, એ એક
Page 192
પણ પર્યાય નથી કે જ્યાં નિરંતર ગમનાગમન કરી આ જીવ ખંડિત ન થયે હેય’ * “આ વિચિત્ર સંસારમાં દેવ આકંદ કરતે નીચે પડે છે ને શ્વાન સ્વર્ગે ચડે છે! શ્રોત્રિય બ્રાહ્મણ કૃત બને છે, વા કૃમિ કે શ્વપાક ચાંડાલ ઇંદ્ર બને છે ! રાજા કીડે થાય છે ને કીડે ઇંદ્ર બને છે ! આમ કર્મથી બલાત્કારે પ્રાણીના પરાવર્તન થાય છે ! અરે ! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને પુત્રી બને છે ! બહેન હોય તે સ્ત્રી થાય છે! તે સ્ત્રી વળી પુત્રી તરીકે અવતરે છે ! પિતા હોય તે પુત્રરૂપે જન્મે છે! તે પુત્ર વળી મરીને પૌત્ર પણ બને છે!” આમ આ સંસાર ખરેખર ! સાવ અસાર છે. આવા અનિત્ય, અશરણ, દુઃખમય, વિચિત્ર ને વિષમ સંસારને ધિક્કાર ! ધિક્કાર છે ! - ઈત્યાદિ પ્રકારે આ વિવેકી વૈરાગ્યવંત પુરુષ ભાવે છે. એટલે તેને સમસ્ત સંસાર સંબંધ ખારો લાગે એમાં શું નવાઇ? અને તેથી ઉભગીને, વિરક્ત થઈ, તે આ સંસારસમુદ્રના ખારા પાણીને ત્યાગ કરવાને પ્રવર્તે એમાં શું આશ્ચર્ય ? વળી જે અતત્ત્વશ્રવણું છે તે પણ ખારા પાણું સમાન છે. અનાદિ કાળથી આ જીવે અતત્ત્વશ્રવણરૂપ ખારું પાણી પીધા કર્યું છે, તેથી જ તેના અંતરમાં સાગનું બીજ રોપાયું નથી, કારણ કે મિથ્યાત્વવાસનાથી વાસિત એવું અતત્વ અતત્ત્વશ્રવણ- જ્યાં સુધી જીવ સાંભળ્યા કરે, ત્યાં સુધી જીવને સંસ્કાર ઊગે જ કેમ? ખારૂં જલ આ જીવે શ્રવણ કરવામાં તો કાંઈ બાકી રાખ્યું નથી, પણ તે તે તેણે *"चतुर्गतिमहावत्त दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजस्रं वराका जन्मसागरे । रूपाण्येकानि गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यन्त्रबाहकः ॥ सर्वैः सर्वेऽपि संम्बन्धा संप्राप्ता देहधारिभिः । अनादिकालसंभ्रान्तैस्त्रसस्थावरयोनिषु ॥ भूपः कृमिभवत्यत्र कृमिश्वामरनायकः । शरीरी परिवर्तत कर्मणा वञ्चितो बलात् ॥ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदं ॥” –થી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ, Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૫૨ ) ગદષ્ટિસમુચ્ચય કામગ અનુબદ્ધ-વિષય સંબંધી અસકથા જ શ્રવણ કરી છે, પણ તેણે કદી “સત્ ” સુચ્યું નથી, તેથી જ તેનું અત્યારસુધી અકલ્યાણ થયું છે. પણ હવે અત્રે આ દષ્ટિને પામતાં જીવ આ અતત્ત્વશ્રવણરૂપ ખારા જલને તિલાંજલિ આપે છે. અને જે આ ખારા પાણીને ત્યાગ થાય છે, તેની સાથે સાથે તવશ્રુતિ-તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણુને જેગ પણ બને છે, એટલે અહીં બોધ-બીજ ઊગી નીકળે છે. અત્રે તત્ત્વકૃતિ એટલે તત્વના પ્રતિપાદક એવા તત્ત્વશાસ્ત્ર-પરમાર્થશાસ્ત્ર તે મધુરાં-મીઠા જલના જોગ તત્ત્વશ્રતિ સમાન છે અને તેના બીજા અર્થમાં લઈએ તે તત્ત્વકૃતિ (= તત્વશ્રવણ) મધુર જલ તે પણ તત્વશ્રુતિના-તત્ત્વશાસ્ત્રના અંગરૂપ હેઈ, મધુર જલના જોગ બરાબર છે. આમ તત્ત્વશાસ્ત્ર તથા તત્વશાસ્ત્રદ્વારા થતું તત્વશ્રવણ તે બન્ને મીઠા પાણી જેવા છે. અને તત્ત્વશ્રુતિદ્વારા જે તત્ત્વશ્રવણ કહ્યું, તેમાં સદ્દગુરુનું ગ્રહણ અંતર્ભાવ પામે છે. કારણ કે સાંભળવાની ક્રિયા તો કઈ બેસે ત્યારે થાય, એટલે તત્ત્વશ્રુતિના–પરમાર્થ શાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તે શ્રીમદ્દ સરુ જ હેઈ, તેના શ્રીમુખે જ મુખ્ય કરીને તત્ત્વશ્રવણને જોગ બની શકે છે, અથવા સદ્દગુરુ વિરહે અર્થગ્રહણરૂપ શ્રવણુ પરોક્ષ સગુરુ સપુરુષે પ્રણીત કરેલા વચનામૃત–પરમકૃત દ્વારા પણ થાય છે. તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?”–શ્રી આનંદઘનજી. “આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર, અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આનો (તત્વશ્રુતિને ) જ ગુણ કહે છે अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् । गुरुभक्तिसुखोपेतं
Page 193
लोकद्वयहितावहम् ॥६३॥ કૃત્તિ-સત્તરતુ અને આથી કરીને જ, એટલે કે તત્વશ્રુતિ થકી જ, શું? તો કે—નિરમા દેવ ચાળ-નિયમથી જ કલ્યાણ. પરોપકાર આદિ, અણિરું કૂણાં-બધુંય નરેને-મનુષ્યોને હોય છે. -તત્વશ્રુતિ થકી તથા પ્રકારના આશયભાવને લીધે. તેનું જ વિશેષણ કરે છે: "મરિગુણોત્ત-ગુરુભક્તિના સૂ યા એવું કલ્યાણ, તેની આજ્ઞાથી તેના કરણનું-કરવાનું તત્તવથી કયાણપણું છે, તેટલા માટે. એટલા માટે જ કહ્યું : ચિહિતા દમ-ઉભય લેકમાં હિતાવહ-ડિત આણનારૂં-અનુબંધનું ગુરુભક્તિદ્વારા સાયપણું છે, તેને લીધે. Page #319 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: તવ શ્રવણથી સકલ કલ્યાણ (૨૫૩) નિયમથી જ એથી કરી, નરેને સકલ કલ્યાણ ગુભક્તિ સુખ યુક્ત જે, ઉભય લેક હિત સ્થાન. ૬૩ અર્થ :–અને એ-તત્ત્વકૃતિ થકી જ મનુષ્યને નિયમથી જ સકલ કલ્યાણ હોય છે,-કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બને લેકમાં હિતાવહ-હિત કરનાર એવું હોય છે. . વિવેચન તસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘનો.”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને એ તત્ત્વશ્રતિ–તત્વશ્રવણ થકી જ નિયમથી જ મનુષ્યને પરોપકાર વગેરે સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કારણ કે સત્શાસ્ત્રના સદુપદેશશ્રવણથી જ પરેપકાર, દયા, દાન, શીલ આદિના કલ્યાણકારી સંસ્કાર બીજ આત્મામાં રોપાય છે; અને તત્ત્વશ્રવણથી તેથી કરીને જ તેવા પ્રકારના નિર્મલ ચિત્ત-આશય પ્રગટે છે, મન:શુદ્ધિ સકલ કલ્યાણ થાય છે, અને તેના પરિણામે પરોપકાર આદિ કલ્યાણપ્રદ પ્રવૃત્તિ સંભવે છે. અર્થ-કામની ૪ બાબતમાં તો લેકે વિના ઉપદેશે પણ ૫ટુ-હેશિયાર હોય છે, પણ ધર્મ તે શાસ્ત્ર-શ્રુતિ વિના થઈ શકતો નથી, એટલે તેમાં–તે કલ્યાણકર શાસ્ત્રમાં આપ્ત સત્પુરુષના વચનમાં આદર કરે તે હિતકારક છે,” પરમ કલ્યાણકારી છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું વચનામૃત છે કે – “અહો ! પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલપ સ્વભાવના કારણભૂત, છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જ્યવંત વત્તે ! 39 શાંતિઃ શાંતિઃ શાંતિ” –શ્રીમદ રાજચંદ્ર અને તે કલ્યાણ પણ ગુરુભક્તિના સુખથી યુક્ત એવું હોય છે, કારણ કે શ્રી સશુરુની આજ્ઞાથી જ કલ્યાણ હોય છે. પરોપકારાદિ કલ્યાણકાર્ય પણ શ્રીમદ્ ગુરુ ભગવાનની આજ્ઞાપૂર્વક કરવામાં આવે તે જ તત્ત્વથી–પરમાર્થથી વાસ્તવિક કલ્યાણરૂપ થાય છે; સ્વછંદ કરવામાં આવે તે વાસ્તવિક કલ્યાણરૂપ થતું નથી. એમ ભગવાન શાસ્ત્રકારને x" उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । પરતુ ન વિના જ્ઞાતિ તત્રારો દ્વિતઃ !”—શ્રી ગિબિન્દુ, Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) ગદષ્ટિસમુચ્ચય અભિપ્રાય છે. કારણકે–ગુરુ આજ્ઞાને ત્યાગ કર્યો એટલે ભગવાનની આજ્ઞાને* ત્યાગ કર્યો, અને ભગવાનની આજ્ઞાને ત્યાગ કર્યો એટલે ઉભય લેકનો ત્યાગ કર્યો.” દાન તપ શીલ વ્રત, નાથ આણુ વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ... ધન્ય તું ! ધન્ય તું ! ધન્ય જિનરાજ તું !” આણરંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીવ્ર વરી જે.”—શ્રી દેવચંદ્રજી. આવું જે ગુરુ આજ્ઞાપૂર્વક કલ્યાણ કાર્ય હોય છે, તે અનુબંધવાળું હોય છે. એટલે કે તેથી ઉત્તરોત્તર વિશિષ્ટતા કલ્યાણની પરંપરા પ્રાપ્ત થયા જ કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરોત્તર ચઢતી કળા-અભ્યદય થયા જ કરે છે. આમ આ કલ્યાણકાર્ય આ લેક-પરલેકમાં હિતનું કારણ થાય છે, “લેકદ્રયહિતાવહ”—ઉભય લેકમાં હિતને ખેંચી લાવનારું બને છે. “માઘા, આખર ત”—શ્રી જિનપ્રવચન. આનું (ગુરુભક્તિનું) જ વિશેષથી પરમ ફલ કહે છે– गुरुभक्तिप्रभावेन तीर्थकुदर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥ પ્રભાવથી ગુરુભક્તિના, તીર્થકર દર્શન માન; સમાપત્તિ આદિ ભેદથી, મેક્ષનું એક નિદાન. ૬૪ અર્થ –ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ભેદે કરીને તીર્થકર દર્શન માન્યું છે,-કે જે મોક્ષનું એક નિબંધન-કારણ
Page 194
છે. કૃત્તિઃ–ગુરુમત્તિકમાન-ગુરુભક્તિના પ્રભાવથી, સામર્થ્યથી, તેનાથી ઉપજેલા કર્મવિપાકથી, શું ? તે કે તીર્થદન મર-તીર્થકરનું દર્શન, ભગવંતનું દર્શન માન્યું છે-ઈષ્ટ ગણ્યું છે. કેવી રીતે ? તે કે સામેન-સમાપુત્તિ આદિ ભેદથી. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પશન, તે વડે કરીને. આદિ શબ્દથી તે નામકર્મના બંધ, વિપાક અને તભાવ આપત્તિની ઉપપત્તિનું ગ્રહણ છે. (એટલે કે તીર્થંકરનામકમને બંધ, ઉદય અને તીર્થંકરભાવની પ્રાપ્તિની યુક્તિયુક્તતાનું–ગ્યતાનું ગ્રહણ છે.) તે તીર્થકર દર્શન આવું વિશિષ્ટ છે-નિર્વાગૈનિવશ્વનભૂ-નિર્વાણનું એક નિબંધન-કારણ છે, અસાધારણ એવું અવંધ્ય (અચૂક) મેક્ષ કારણ છે. • " गुरु आणाए चाए जिणवर आणा न हाइ णियमेण । सच्छंदविहाराणं हरिभद्देण जओ भणिअं ।। एअम्मि परिचत्ते आणा खलु भगवओ परिच्चत्ता । तीए अ परिचाए दुण्ड वि लेगाण चाओत्ति ॥" શ્રી યશોવિજ્યજીત શ્રી તિલક્ષણસમુચ્ચય, Page #321 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિઃ ગુરુભક્તિપ્રભા તીર્થંકરદશન-સમા૫ત્તિસ્વરૂપ (૫૫) વિવેચન “પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તેહ ઉપજવા પૂવિત ભાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં જે ગુરુભક્તિ કહી તેને મહાપ્રભાવ-માહાસ્ય-સામર્થ્ય અત્ર બતાવ્યું છે. ગુરુભક્તિના પ્રભાવથી શ્રી તીર્થકરનું દર્શન પ્રાપ્ત થાય છે, એમ સપુરુષોનું માનવું છે. તે કેવી રીતે? તેને માટે કહ્યું કે સમાપત્તિ વગેરે ભેદથી તે દર્શન સાંપડે છે. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પર્શના, પ્રભુના સ્વરૂપની અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપની ધ્યાનથી જે ફરસના થવી, તેથી કરીને તીર્થકર “દર્શન’ સાંપડે છે, અથવા તે તીર્થકર નામકર્મ બંધાય છે, અને તેને વિપાક થયે તીર્થકર ભાવની પ્રાપ્તિ થાય છે. આમ પણ તીર્થકર દર્શન પ્રાપ્ત થાય છે. અને આવું જે ભગવાન તીર્થંકરનું—ધર્મ તીર્થસંસ્થાપકનું દર્શન છે, તે મોક્ષનું એક અદ્વિતીય કારણ છે, અમેઘ-અચૂક એવું અસાધારણ અનન્ય કારણ છે. આમ ગુરુભક્તિને મહિમા અપૂર્વ છે. સદ્દગુરુની ભક્તિથી-સેવાથી–ઉપાસનાથી શ્રી જિનેશ્વર ભગવંતનું સ્વરૂપ સમજાય છે, તેમનું સ્વરૂપદર્શન થાય છે, જેથી અમેઘ મોક્ષફળ અવશ્ય મળે છે અને જે “દર્શન’ છે તે “દષ્ટિ ? બિના નયન વિના-નયન વિના થતું નથી, “બિના નયન પાવે નહિં;” વિના નયનની પાવે નહિં? જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગોચર એવી જે વાત છે, તે નયન’ વિના અર્થાત્ સદ્ગુરુની દેરવણ વિના અથવા સગુરુએ અપેલા દિવ્ય આંતરૂ ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી. પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તે તે “બિના નયનકી બાત” સાક્ષાત્ પામે છે વિનયવંત વિનેય-શિષ્ય સદ્ગુરુના નયનથી દિવ્ય નયન પામી જિનસ્વરૂપને સાક્ષાત્કાર કરે છે. આમ અતીન્દ્રિય એવા પ્રભુના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સદ્ગુરુએ આપેલા દિવ્ય નયન દ્વારા થાય છે,-એ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનને પરમ ઉપકાર છે. મૂળ સ્થિતિ જે પૂછો મને, તે સેંપી દઉં યોગી કને.”–શ્રીમદ્ રાજચંદ્રજી -- સમાપત્તિનું સ્વરૂપ – ઉપરમાં જે સમાપત્તિ કહી તેનું સ્વરૂપ રસપ્રદ–બધપ્રદ હેઈ ખાસ સમજવા જેવું છે સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શના. જેનું ધ્યાન કરવામાં આવે છે તેને સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શન–અનુભવન થવું, તદ્રુપતાની સમ્યફ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપત્તિ. અથવા જેનું ધ્યાન કરવામાં આવે છે તેને સ્વરૂપની સમતુલ્ય આપત્તિપ્રાપ્તિ થવી, તેની સમાન તપ આત્માનુભવ થવો તે સમાપત્તિ. આ સમજવા માટે સ્ફટિક રત્નનું દૃષ્ટાંત છે. જાતવંત એવું નિમલ સ્ફટિક રત્ન રાતા કે કાળા ફૂલની Page #322 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) યોગદૃષ્ટિસમુચ્ચય ઉપરમાં રાખ્યું હાય. તે તેમાં તેની તેવી ઝાંઈ-છાયા પડે છે, તેવી રંગછાયાથી તદ્રુપાપત્તિ-તદ્રુપપણાની પ્રાપ્તિ થાય છે; તેમ નિર્મલ ચિત્ત-રત્ન જેવુ ધ્યાન કરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે, તે તે ભાવવામાં આવતી વસ્તુના ઉપરાગથી તેને તદ્નાપત્તિ-તદ્રુપપશુ' પ્રાપ્ત થાય છે. આમ જાતિવત નિલ સ્ફટિક રત્નની જેમ ક્ષીણવૃત્તિવાળાને (૧) તાર્થ્યથી ? અર્થાત્ તેમાં સ્થિતિરૂપ એકાગ્રપણાથી અને (૨) ‘તદ'જનપણાથી’ અર્થાત્ તેનું અંજન–રંગ
Page 195
લાગવારૂપ તન્મયપણાથી સમાપત્તિ હોય છે. 4 સમાપત્તિ આ સમાપત્તિ× થવામાં ત્રણ મુખ્ય આવશ્યક શરત છે−૧) પ્રથમ તે સ્ફટિક રત્નની જેમ ચિત્ત ક્ષીણવૃત્તિવાળુ' નિમલ હેવુ જોઇએ. એમ હાય તે જ સમાપત્તિ થવાની ચેાગ્યતા પ્રાપ્ત થાય. ( ૨ ) એક લની પાસે મૂકેલા સ્ફટિકની જેમ, ભાવવામાં આવતા વિષય પ્રત્યે ચિત્તનું સ્થિર એકાગ્રપણુ કેમ થાય? થવુ જોઇ એ. આ ન હેાય તે સમાપત્તિ થાય જ કેમ ? ( ૩ ) અને પછી ફૂલની ૨ંગ–છાયા સ્ફટિકમાં પડે, તેમ તન્મયપણું થવુ જોઇએ, ધ્યાન વિષયના દૃઢ ભાવરગ લાગી જવા જોઈએ. આમ થાય ત્યારે જ સમાપત્તિ થાય. તેમજ આ સમાપત્તિ થવામાં આવશ્યક એવી જે આ ત્રણ શરત ( Essential conditions) કહી, તેમાં આગલી હોય તે પાછલીનું કારણ થાય છે. કારણ કે સૌથી પ્રથમ તે ચિત્તસત્ત્વ સ્ફટિક જેવુ અત્યંત નિલ-શુદ્ધ થવું જોઈએ, અર્થાંત્ ચિત્ત અત્યત સાત્ત્વિક પરિણામી થઇ જવું જોઈ એ. આમ જો ન થાય તે પત્થરમાં જેમ ફૂલની છાયા ન પડે, તેમ મલિન ચિત્તમાં પણ ભાવવા યેાગ્ય વસ્તુની છાયા ન પડે, સમાપત્તિ ન થાય. પણુ જ્યારે ચિત્ત નિર્મલક્ષીણવૃત્તિવાળું, સ્ફટિક જેવુ' પારદર્શક સ્વચ્છ (Crystal-clear) થઇ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતુ નહિ. હાવાથી સ્થિર થઇ એકાગ્રપણું પામે; અને આમ જ્યારે તે એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિમલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય. આમ સમાપત્તિને ઉપક્રમ X "मणिरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । તાન્ધ્યાત્ત કારત્વાષ સમાઽત્ત: કથીર્ત્તિતા ૫ શ્રી યશા. કૃત દ્વા॰ દ્વા૦ ૨, ૧૦ * પાતંજલ યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે ગ્રાહ્ય, ગ્રહણ અને ગૃહીત એમ ત્રણ પ્રકારની સમાપત્તિ છે. તેમાં ગ્રાહ્ય સભાપત્તિ નિવિચાર સમાધિ પય તે, ગ્રહણ સમાપત્તિ સાનંદ સમાધિ પ`તે, અને ગૃહીતુ સમાપત્તિ સાસ્મિત સમાધિ પતે વિશ્રામ પામે છે. વળી તેના ચાર પ્રકાર છે. (૧) સવિત', (૨) નિર્વિત, (૩) સવિચાર. (૪) નિવિ`ચાર. આ સમાપત્તિએ સ’પ્રજ્ઞાત સમાધિ (સવિકલ્પ) છે, અને તે જ ‘સખીજ’ સમાધિ કહેવાય છે. તેમાં છેલ્લી નિવિચાર સમાપત્તિનું નિમજ્ઞપણ' થયે અધ્યાત્મપ્રસાદ થાય છે, તેથી ઋતભરા પ્રજ્ઞા ઉપજે છે, કે જે શ્રુત-અનુમાન કરતાં અધિક હોય છે. તે ઋતંભરા પ્રજ્ઞાથી સંસ્કારાંતરના ખાધક એવા તત્ત્વસંસ્કાર ઉપજે છે, અને તેના નિરોધથી અસ’પ્રજ્ઞાત (નિવિ’કલ્પ) નામે સમાધિ ઉપજે છે. વિરામ પ્રત્યયના અભ્યાસથી અને નૈતિ નેતિ' એવા સંસ્કારશેષથી તે અસંપ્રજ્ઞાત સમાધિથી ચૈત્રય પ્રગટે છે-આત્માનુ કેવલ સ્વરૂપપ્રતિષ્ઠત્વ થાય છે. આમ નિવિચાર સમાપત્તિ-અભામપ્રસાદ→ ઋત'ભા પ્રજ્ઞા→ તત્ત્વસ સ્કાર-- અસપ્રજ્ઞાત સમાધિ → કૈવલ્ય, -આ ક્રમ છે. (વિશેષ માટૅ જુએ પાતંજલ, તથા યશોવિજયજીકૃત દ્વા. ક્રૂા. ૨૦). Page #323 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ: તાવિકી પરમાત્મ સમા૫ત્તિ; ત્રિવિધ આત્મા ( ર૫૭ ) છે. આમાં ચિત્તસ્થિરતા એ મધ્યવતી ગુણ છે, તેની કેટલી બધી મહત્ત્વતા છે એ સૂચવતું શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ તત્વગંભીર વચન છે કે— બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” હવે સમાપત્તિ કેની ? કયા ધ્યાનવિષયની? તેને વિચાર કરવા યોગ્ય છે. ધ્યાનવિષય જો જડ હેય ને ધ્યાતા ચેતન હેય તે એને એકત્વપરિણામરૂપ મેળ કેમ બને? માટે જડ વસ્તુને ધ્યાનથી તાવિક+ સમાપત્તિ થાય નહિં. તાત્વિક તાવિકી સમાપત્તિ તે આત્મા જે ભાવનાવિષય હોય તે જ થાય. અને પરમાત્મા પરમાત્મ એ શુદ્ધ આત્મા જ છે, એટલે પરમાત્માની* સમાપત્તિ જીવાત્મામાં સમાપત્તિ યુક્ત છે. હું છું તે પરમાત્મા છું, પરમાત્મા છે તે હું છું, “પરમાતમનું હે આતમ ભાવવું' એવું અભેદ ધ્યાન ધરવાથી જીવાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, કારણ કે દ્રવ્યથી આત્માની ને પરમાત્માની તારિક એકતા છે, એક
Page 196
ચેતન સ્વરૂપપણાથી સમાનતા છે, એટલે તેની સમરસીભાવરૂપ સમાપત્તિઅભેદ એકતા થવા યોગ્ય છે. એટલા માટે જ “જે અહંતને (શુદ્ધ આત્માને) સ્વદ્રવ્યગુણ-પર્યયથી જાણે છે, તે જ સ્વ આત્માને જાણે છે, અને તેને મોહ નિશ્ચય લય પામે છે,” એમ મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે. ___ " जो जाणइ अरहते, दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लय ।।" -શ્રી પ્રવચનસાર જે ઉપાય બહુવિધની રચના, ગમાયા તે જાણે ; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે....શ્રી અર” શ્રી યશોવિજયજી. “પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય રે. ”—શ્રી દેવચંદ્રજી. આમ પરમાત્માની સમાપ્તિ થાય છે તેનું કારણ એમ છે કે જીવમાં પિતાની અંતરંગ ઉપાદાનભૂત તેવી પરમાત્મ શક્તિ રહેલી છે. તેની વ્યક્તિ અર્થાત્ પ્રગટપણું વ્યક્ત-પ્રગટ પરમાત્માના તેવા પ્રકારે ધ્યાનરૂપ સામગ્રીસગથી હોય છે, પ્રગટ પરમાત્માનું ધ્યાનાલંબનરૂપ ઉત્તમ નિમિત્ત પામી જીવની તે ઉપાદાનશક્તિ પ્રગટ પરમાત્મપણે પરિણમે છે. +" संप्रज्ञातोऽवतरति ध्यानभेदेऽत्र तत्त्वतः । તરિત્ર સમાપસર્નામેનો માચતાં વિના !” –ા, હા. ૨૦-૧૫ *" परमात्मसमापत्तिर्जीवात्मनि हि युज्यते । મેન તથાણાનાન્તશતિઃ || -દ્વા, દ્વા. ૨૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) યોગદષ્ટિસમુચ્ચય અને જીવાત્મામાં તેવા પ્રકારે પરમાત્માનું સર્વ-શક્તિ છે, તેની ઉપપત્તિ માટે ત્રણ પ્રકારના આત્મા ગવામયમાં પ્રસિદ્ધ છેઃ * બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તેમાં (૧) કાયામાં જેને આત્મબુદ્ધિ છે અને તેથી હું સ્કૂલ, હું કૃશ” ત્રિવિધ આત્મા ઈત્યાદિ પ્રકારે જે પ્રતીત થાય છે, તે કાય અથવા બહિરાત્મા છે. (૨) કાયાદિકમાં જેને આત્મબુદ્ધિ નથી પણ આત્મામાં જ આત્મબુદ્ધિ છે, એટલે કાયાદિકમાં જે સાક્ષીરૂપ રહી તેને અધિષ્ઠાતા થઈને રહે છે, તે અધિષ્ઠાયક અથવા અંતરાત્મા છે. (૩) જ્ઞાનાનંદે જે પૂર્ણ પાવન અને સર્વ ઉપાધિથી રહિત છે, અને જે અતીન્દ્રિય ગુણરત્નના આકર છે, તે પરમાત્મા છે. આ ત્રણ પ્રકારના આત્મામાં બહિરાત્મા ધ્યાનને અધિકારી હોઈ ધ્યાતા થઈ શકતું નથી, અંતરાત્મા અધિકારી હેઈ ધ્યાતા હોય છે, અને પરમાત્મા તે ધ્યાનમાં લાવવા યોગ્ય એવા ધ્યેય છે. આમ ધ્યાનનો ઉપયોગ હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે બહિરાત્મભાવ ત્યજી, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, તે જ સમાપત્તિને વિધિ છે, આત્મ અપણને દાવ છે, “આતમ અરપણ દાવ.” જેમ અવિકાર એવા નિર્મલ દર્પણમાં પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિમલ અંતરાત્મામાં પરમપુરુષ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, અર્થાત તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. આ જ સમાપત્તિ છે. કાયાદિકે હો આતમ બુદ્ધ ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપસુગ્યાની; કાયાદિકે હે સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપ સુગ્યાની. જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સકલ ઉપાધિ સુગ્યાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ સુગ્યાની. બહિરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ..સુગ્યાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુગ્યાની. સુમતિ ચરણકજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર..સુગ્યાની ” -શ્રી આનંદઘનજી આ સર્વ પરથી ફલિત થાય છે કે બહિરાત્મામાં શક્તિથી પરમાત્મપણું છે, તેથી યથાયોગ્ય કારગે તેની વ્યક્તિને-આવિભવનો સંભવ છે. એટલે કે બહિરાત્મભાવ ત્યજી દઈ, નિર્મલ ને સ્થિર થયેલ અંતરાત્મા જો પરમેશ્વર-પરમાત્માનું એકાગ્ર ધ્યાન કરે, તે તેના અવલંબને ધ્યાતા ને ધ્યેયને અભેદ થાય, અર્થાત્ ધ્યાન x"बाह्यात्मा चान्तरास्मा च परमात्मेति च त्रयः । कायाधिष्ठायकध्येयाः प्रसिद्धायोगवाङ्मये ॥"-500 "बहिरन्तः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु । gવેચાત્તત્ર પર મપાયાહૂહિત્ય –સમાધિશતક, Page #325 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: “ભૃગી ઈલિકાને ચટકાવે”-તીર્થકરદશન (૨૫૯) કરનાર પોતે જ ધ્યેય એવા પરમાત્મસ્વરૂપ થઈ જાય, ધ્યેયની સમાપત્તિ થાય અને સાધ્યની અખંડ સિદ્ધિ સાંપડે. પરમેશ્વર અવલંબને રે.....મન ધ્યાતા ધ્યેય અભેદ રે....ભવિ. ધ્યેય સમાપત્તિ હવે રે....મન સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ
Page 197
રે...ભવિ.”—શ્રી દેવચંદ્રજી “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છેજી, તેથી જાયે સઘળા હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછે.”—શ્રી યશોવિજયજી આમ દ્રવ્યના-તત્ત્વના સાધમ્યથી અંતરાત્માને પરમાત્માની સમાપત્તિ થાય છે, અર્થાત સભ્યપ્રકારે તદ્રુપતા૫ત્તિ, તદ્રુપપણું, તન્મયપણું થાય છે, કારણ કે જે જેને ધ્યાવે તે તે થાય, એ નિયમ છે. અત્રે ભમરી ને ઇયળનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. ઈયળ ભમરીનું ધ્યાન ધરે છે, તે ઈયળ ભમરી બને છે. શ્રી આનંદઘનજીએ પરમ ભાવોલ્લાસથી લલકાર્યું છે કે : “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે...હૂદરિશણ જિન અંગ ભણીજે.” શ્રીમદ્ રાજચંદ્રજી આ વચનને ઉત્તમ પરમાર્થ સમજાવતાં કહે છે કે –“જિન થઈ ને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કેવલ્ય જ્ઞાનીને, વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે.” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, તેહને સહી દેવચંદ્ર પદ થાય રે...જિર્ણોદા તારા નામથી મન ભીને.” “પરમગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે.”—શ્રી દેવચંદ્રજી. આમ સમાપત્તિ આદિ ભેદથી આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન ગુરુભક્તિના પ્રભાવથી સાંપડે છે એમ કહ્યું છે. અર્થાત્ ગુરુભક્તિના પ્રભાવથી ઉપજેલા પુયપરિપાકથી ઉપરમાં વિવર્યું તેમ સમાપત્તિથી પરમાત્મદર્શન થાય છે, અથવા તીર્થકર નામકર્મ ગુરુભક્તિથી બંધાય છે, તેને ઉદય થાય છે, અને તીર્થંકરભાવની પ્રાપ્તિ થાય છે. અને તીર્થકર દર્શન આમ પણ તીર્થકરદર્શન–પરમાત્મદર્શન સાંપડે છે. આ તીર્થકરદર્શન-પર માત્મદર્શન જ નિર્વાણનું એક નિબંધન અર્થાત્ મોક્ષનું અદ્વિતીય કારણ છે. તે પ્રાપ્ત થયા વિના કદી પણ નિર્વાણ થતું નથી. જેની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, એવું Page #326 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) ગદષ્ટિસમુચ્ચય આ પરમાત્મદર્શન પરમ દુર્લભ છે. આ પરમાત્મદર્શનની પ્રાપ્તિથી પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આનંદઘનજીએ ગાયું છે કે “ચંદ્રપ્રભુ મુખ ચંદ રે સખી ! દેખણ દે ! ઉપશમ રસને કંદ...સખી. સેવે સુર નર ઇંદ.સખી. ગતકલિમલ દુઃખ હેં..રે સખિ. સુહમ નિગોદ ન દેખિ સખિ. બાદર અતિહિ વિશેષ...રે સખી. પઢવી આઉ ન પેખિયે...સખિ. તેલ વાઉ ન લેશ રે....સખી.” ઈત્યાદિ, (જુઓ. પૃ. ૧૪૭). આ તીર્થકરદર્શનની પ્રાપ્તિ વિના જ આ જીવ અનાદિ કાળથી આ સંસારમાં રખડડ્યો છે, અને તેની પ્રાપ્તિ થયે જ આ જીવને સંસારથી વિસ્તાર થાય છે. અને તેની પ્રાપ્તિ પણ નિમલ સાધુભક્તિ વિના-સંત સદ્ગુરુની ભક્તિ વિના થતી નથી. જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે, તુજ દરિશણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે.”-શ્રી દેવચંદ્રજી “નિગ્રંથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે ૪૪૪ શી એની શૈલી !” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૧. (ર) આવું પરમ અદ્દભુત ને પરમ દુર્લભ તીર્થ કરદશન એટલે શું ? તેના અનેક અર્થ ઘટે છે. જેમકે-(૧) પ્રભુની મુદ્રાનું–વીતરાગભાવસૂચક તદાકાર રસ્થાપનારૂપ પ્રતિમાનું દર્શન, (૨) તીર્થ કરના ગુણસ્વરૂપનું સામાન્યપણે સ્થૂલ દર્શન, (૩) તત્ત્વનું યથાર્થ તીર્થકર દશ દર્શન કરી તત્વદ્રષ્ટા તીર્થ કરે યથાવત્ પ્રરૂપેલ તત્ત્વદર્શન, (૪) તેમના નના વિવિધ પરમાત્મ સ્વરૂપનું સાક્ષાત્ દર્શન-સાક્ષાત્કાર, ઈત્યાદિ પ્રકારે આ દર્શનને અર્થ પ્રત્યેક પ્રકાર અનંતર કે પરંપર રીતે પરમ ઉપકારી છે. તેમાં પ્રથમના ત્રણ પ્રકાર પણ અનુક્રમે ચેથા પ્રકારના કારણરૂપ થવાથી ઉપકારી થાય છે. અને આવું આ પરમ ઉપકારી તીર્થંકરદર્શન પણ પરમ પરમ ઉપકારી શ્રીમદ્ સદગુરૂથી જ સમજાય છે, માટે મોટામાં મોટો ઉપકાર શ્રીમદ્
Page 198
સદ્દગુરુ ભગવાનને જ છે. સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ.”–શ્રીમદુરાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ Page #327 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧) દીમાદષ્ટિ: સૂમ બેધનું લક્ષણ, તન્ય નિર્ણયની ન્યાયપદ્ધતિ અહીં પ્રતિષેધ કરેલા સૂમ બેધનું લક્ષણ બતાવવા માટે કહે છે – सम्यग्हे त्वादिभेदेन लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः सूक्ष्मबोधः स उच्यते ॥६५॥ સમ્યગ હેતુ આદિથી જે તત્વનિર્ણજ્ય જનમાંય; વિદ્યસંવેદ્ય પદથી-તે, સૂક્ષ્મ બેધ કહેવાય. ૬૫. અર્થ –સમ્યફ હેતુ વગેરે ભેદે કરીને, લેકમાં જે વેધસવેદ્ય પદ થકી તસ્વનિર્ણય થાય છે, તે સૂક્ષ્મ બોધ કહેવાય છે. વિવેચન “સૂમબોધ તે પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય; વેદ્યસંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેલ્વે જેય...મનમેહન.”–શ્રી . દ. સઝાય ૫ ઉપરમાં સૂફમબોધ હજુ આ દષ્ટિમાં ન હોય એમ કહ્યું હતું, તેને ખુલાસો કરવા માટે “સૂક્ષ્મબોધ” એટલે શું? તેનું અત્ર કથન છે. હેતુ સ્વરૂપ અને ફલથી કરીને વિદ્વત સમાજરૂપ લેકમાં, પંડિત જનના સમુદાયમાં, વેદ્યસંવેદ્યપદથકી જે સભ્યપ્રકારે તત્ત્વનિર્ણય કરવામાં આવે, એટલે કે પરમાર્થને પરિચ્છેદ કરાય, પરમાર્થનું પરિજ્ઞાન થાય, તેને સૂક્ષમ બોધ” કહ્યો છે. તત્વનિર્ણયની ન્યાયપદ્ધતિ કેઈપણુ તત્વને નિર્ણય કરવો હોય, તે તે કામ સાચા પંડિત જનનું-ખરેખર વિદ્વાનું છે, કારણ કે તેઓ જ હેતુથી, વરૂપથી અને ફળથી તત્વની સમ્યક પરીક્ષા કરી, કષ-છેદ-તાપ આદિ પ્રકારથી સમ્યક કસોટી કરી, તત્વને-પરમાર્થને નિર્ણય કરવાને સમર્થ હોય છે. તેઓ સર્વ આગ્રહથી પર હેઈ, તત્ત્વની મધ્યસ્થપણે ન્યાય પદ્ધતિથી ચકાસણી કરે છે. જેમ કુશલ ન્યાયાધીશ-ન્યાયમૂર્તિ ન્યાયતુલા બરાબર જાળવીને પક્ષપાતરહિતપણે ન્યાય તોલે છે, તેમ આ ન્યાયપ્રિય વિદ્વજને પણ નિષ્પક્ષપાતપણે તત્વની તુલના કરે છે, કારણ કે તેઓ ન્યાયપદ્ધતિમાં નિષ્ણાત હોય છે. તે આ પ્રકારે – વૃત્તિસાજૂ-સભ્યપણે, અવિપરીત વિધિથી, રિ -હેતુ આદિ ભેદથી; હેતુ, સ્વરૂપ ને કલના ભેદથી, ઢોલકમાં, એટલે કે વિદ્યુત સમાજમાં ચતરસનિર્ણય-જે તત્વનિર્ણમા, પરમાર્થ પરિચછેદ. કયા કારણથી ? તે કે- ઘવત:-વેદ્યસંવેદ્યપદ થકી, જેનું લક્ષણ કહેવામાં આવે છે એવા દાવેદ્ય પદથકી, સૂક્ષ્મપોષઃ સ ૩૨ તે-તે સક્ષ્મધ, નિપુણ બેધ કહેવાય છે, એમ અર્થ છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ચોગદષ્ટિસમુચ્ચય (૨૬૨) સાથે જ, ૧. તત્ત્વના નિય કરવામાં ન્યાયવેત્તાએ પ્રથમ તે (૧) સાધ્ય નક્કી કરે છે,* સાધ્યના સ્વીકારરૂપ અમુક પક્ષ સ્થાપે છે, અને તે પ્રત્યક્ષ આદિથી અબાધિત એવા હેાય છે. તે હેતુને વિષય પ્રકાશે છે, માટે તેના પ્રયાગ કરવા જોઈએ, નહિ તેા લક્ષ્ય વિનાના ખાણ જેવી સ્થિતિ થઇ પડે, એમ તેએ જાણે છે. ( ૫ ) આમ સાધ્ય નિશ્ચિત કરી તેઓ તેના હેતુ વિચારે છે. સાધ્યને અવિનાભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના ન રહે—અવશ્ય તે હેતુ કહેવાય છે. સાધ્ય અને હેતુના સબંધ અવિનાભાવી એટલે કે એક ખીજા વિના ન ચાલે એવા છે. તથાપ્રકારે ઉપપત્તિથી અને અન્યથા પ્રકારે અનુપપત્તિથી, એમ એ પ્રકારે હેતુના પ્રયેાગવડે કરીને સાધ્યની સિદ્ધિ થાય છે. આમ અન્યથા અનુપપન્નપણું એટલે કે આ જ પ્રકારે ઘટે, ખીજા પ્રકારે ન ઘટે, એ હેતુનું લક્ષણ છે. તેની અપ્રતીતિ, સંદેહ કે વિપર્યાસ હાય, તા હેત્વાભાસ કહેવાય છે. તે હેત્વાભાસને આ વિચક્ષણ પુરુષો પ્રયત્નથી વજે છે. ( ) આમ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, તેઓ તેની દૃષ્ટાંતથી પુષ્ટિ કરે છે. જેમાં સાધન-સાધ્યની વ્યાપ્તિ વિશેષે કરીને સંબધસ્મરણથી વિનિશ્ચિત કરવામાં આવે તે, સાધન્ય થી દાંત છે; અને જ્યાં સાધ્ય નિવૃત્ત થતાં સાધનને પણ અસ’ભવ કહેવામાં આવે, તે વૈધ થી દૃષ્ટાંત છે. અંતર્ વ્યાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ હોય, તે ખાદ્ય ઉદાહરણ સાથ ક છે, નહિ તેા તેના અભાવે વ્યથ છે, (૩) આવા દૃષ્ટાંતથી પુષ્ટિ કરતાં આ ન્યાયવિશારદા અસિદ્ધ, અપ્રતીત,
Page 199
અન્યથાપપન્ન, વિરુદ્ધ, તે અનૈકાંતિક એવા સાધમ્મ થી ઉપજતા દષ્ટાંત દેષો આવવા દેતા નથી, તેમજ અપલક્ષણ હેતુથી ઉપજતા સાધ્યવિકલ વગેરેદેષો પણ આવવા દેતા નથી. અને વૈધમ્યથી ઉપજતા દૃષ્ટાંતદેષો દૂરથી પરિહરે છે. આમ આ વિચક્ષણ જને અનુમાનત્ર પ્રમાણથી નિષ્ણુ એવા સમ્યક્ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, ને નિર્દોષ દૃષ્ટાંતથી તેની પુષ્ટિ કરી, તત્ત્વનું અસ્તિત્વ સ્થાપે છે. સાધ્યું, હેતુ અને દાંત ૨. તત્ત્વનિ યમાં બીજી વસ્તુ તત્ત્વનું સ્વરૂપ વિચારવાની છે. એટલે તત્ત્વનું સ્વરૂપ-સ્વલક્ષણ શું છે? તેના સામાન્ય-વિશેષ ગુણુ શુ છે ? એને તેએ વિચાર કરે છે. પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે તેના એક દેશને-અંશને ગ્રહણ કરે તે નય કહેવાય છે. · તે એકનિષ્ઠ નયાની શ્રુતમાગમાં પ્રવૃત્તિ થકી સંપૂણું' અનેા વિનિશ્ચય કરાવનારૂ *66 साध्या विनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ અન્યથાનુવપન્નથું હેતોજેક્ષળમીપ્તિમ્ । તન્નત્તિયન્ટેનિવાસસ્તનામના ।।'' ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત શ્રી ન્યાયાવતાર, + " साध्या विनाभुवो लिङ्गात् साध्यनिश्चायक स्मृतम् 1 અનુમાન તરૂવ્રત પ્રમાળયાત સમક્ષત્રત | ’—ન્યાયાવતાર. Page #329 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : બોધનું સૂક્ષ્મપણું શી રીતે ? (263) સ્યાદવાદમૃત કહેવાય છે " એવા પ્રમાણભૂત સ્વાવાદ શ્રતનો તેઓ વતુરવરૂપ સમજવા માટે આશ્રય કરે છે. શ્રુતજ્ઞાને નયપથ લીજે, અનુભવ આસ્વાદન કીજે.” -શ્રી દેવચંદ્રજી. 3. તત્ત્વનિર્ણયમાં ત્રીજી વસ્તુ ફી શું તે નિર્ધારવાનું છે. એટલે અમુક તત્ત્વનું સ્વરૂપ નક્કી કર્યું, નિશ્ચિત કર્યું, તેનું ફળ શું, પરિણામ શું, અને પ્રસ્તુત તત્વની ફળરૂપ પ્રાપ્તિ કેવા પ્રકારે થાય, પ્રસ્તુત તત્ત્વ કેમ નિષ્પન્ન-સિદ્ધ થાય, તેની ફેલ વિચારણું તેઓ કરે છે. પ્રમાણભૂત એવા સર્વજ્ઞાનનું * ફલ સાક્ષાત્ અજ્ઞાનનું દૂર થવું તે છે, કેવલજ્ઞાનનું ફલ સુખ ને ઉપેક્ષા છે, અને બાકીના જ્ઞાનનું ફલ ગ્રહણ–ત્યાગ બુદ્ધિ ઉપજવી તે છે, એટલે કે સલૂના ગ્રહણ અને અસત્ના ત્યાગરૂપ વિવેકબુદ્ધિ ઉપજવી તે છે. અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” -–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ વિદ્વજને હેતુથી સ્વરૂપથી અને ફલથી તત્ત્વને સમ્યફ, યથાસ્થિત, અવિસંવાદી એવો નિર્ણય કરે છે, પરમાર્થને સુવિનિશ્ચય કરે છે, અને તે કરી શકે છે તેનું કારણ વેધસંવેદ્ય પદની પ્રાપ્તિ છે. વેદ્ય એટલે જાણવા ગ્યા જ્યાં સંવેદાય છે, સમ્યફ પ્રકારે જણાય છે, અનુભવાય છે, તે વેવસંવેદ્ય પદ કહેવાય છે. આનું સ્વરૂપ હવે પછી ગ્રંથકાર મહર્ષિ કહેશે. આ જે અવિસંવાદી તવનિર્ણય વેધસંવેદ્ય પદથી થાય છે, તેને જ “સૂક્ષ્મ બોધ” એવું નામ આપવામાં આવ્યું છે. અહીંજ વિશેષથી પ્રવૃત્તિનું નિમિત્ત કહે છે भवाम्भोधिसमुत्तारात्कर्मवनविभेदतः / ज्ञेयव्याप्तेश्च कात्स्न्येन सूक्ष्मत्वं नायमत्र तु // 66 // વૃત્તિ:–મવાઝ્મોધિત્તમુત્તારા-ભવસમુદ્રમાંથી સમુન્નારણથી, સંસારસાગરમાંથી પાર ઉતારવા વડે કરીને, લોકોત્તર પ્રવૃત્તિના હેતપણાને લીધે. તથા વર્મવસ્ત્રવિરતઃ-કર્મ રૂપ વજીના વિભેદથી,–અપુનરગ્રહણથી વિભેદવડે કરીને. યજ્ઞા શાર્ચન-અને યવ્યાપ્તિના કાર્યથી–સંપૂર્ણપણથી-સમગ્રપણાથી,-અનંત ધર્માત્મક તત્વની પ્રતિપત્તિ વડે કરીને, સૂક્ષ્મવં-સૂક્ષ્મત્વ, સૂક્ષ્મપણું, બેધનું નિપુણપણું. નાયમત્ર તુ-પણ (આ) આ સૂક્ષ્મ બેધ અત્રે નથી હોતે. અત્રે એટલે દીપ્રા દૃષ્ટિમાં અને તેની નીચેની દષ્ટિએમાં નથી હોત. નવથી સંધિભેદની અસિદ્ધિને લીધે, x नयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवमनि / સપૂણાર્થવિધિ થાકૂબતમુચરે ||–ન્યાયાવતાર, * " प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्त्तनम् / વરુધ્ધ ગુણોપેક્ષે વાચાકાનફ્રાધીઃ " –ન્યાયાવતાર, Page #330 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચય ભવસાગર નિસ્તારથી, કર્મ જ ભેદે જ; સેય સકલ વ્યાપ્તિ થકી, સૂક્ષ્મતા -અહિં ન એ જ. 66 અર્થ:–ભવસમુદ્રના સમુન્નારણ થકી, કમરૂપ વજૂના વિભેદ થકી અને રેય વ્યાપ્તિના સંપૂર્ણ પણ થકી સૂક્ષ્મપણું હોય છે, પણ (આ) આ સૂમ બંધ અત્રેઆ દૃષ્ટિમાં હોતું નથી. વિવેચન ઉપરમાં જે બોધનું સૂકમપણું કહ્યું. તે શા કારણથી હોય છે, તે અત્ર વિવયું છેઃ (1) સંસારસાગરના નિસ્તારને લીધે, (2) તથા કમરૂપ વાના વિભેદને લીધે, (3) તથા અનંત
Page 200
ધર્માત્મક એવું જે ય વસ્તુતત્વ તેના સંપૂર્ણપણાને લીધે–સમગ્રપણાને લીધે, આ સૂક્ષ્મપણું કહ્યું છે. તે આ પ્રકારે : બોધનું સૂક્ષ્મપણું શી રીતે? (1) જ્યારે આ સૂક્ષમ બોધ ઉપજે છે, ત્યારે જીવ અનંત અપાર એવો ભવસાગર તરી જાય છે, તેને ભવનિસ્તાર થાય છે. સંસારસમુદ્ર ગેમ્પદ જે સુખેથી લીલામાં એળગી જવાય એવું બની જાય છે. આમ આ સૂક્ષ્મ ભવસાગર ભવનિસ્તાર કરે છે, કારણ કે તે લોકેત્તર પ્રવૃત્તિને હેતુ થઈ પડે નિસ્તારથી છે. અથવા તે જ્યારે જીવને ભવનિસ્તાર થવાનું હોય છે, જીવ જ્યારે ભવસમુદ્રના કાંઠા પાસે આવી પહોંચે છે, ત્યારે લોકોત્તર પ્રવૃત્તિનો હેતુભૂત એ આ સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય છે. અને આમ એના શીઘ્ર તારકપણુને લીધે એનું સૂફમપણું ઘટે છે. (2) તથા કમરૂપ વજને વિભેદ થાય છે, તેથી પણ આ બેધનું સૂક્ષ્મપણું છે. વજ (હીરો) જેમ ભેદ-ચૂર મુશ્કેલ છે, તેમ કમની મહામેહરૂપ ગ્રંથિ દુર્ભેદ્ય ભેદી દુષ્કર છે, તેનો અત્ર વિભેદ થાય છે. વિભેદ એ કે જેથી કમવજી અપુનગ્રહણ હોય છે, એટલે કે એવા પ્રકારે ભેદ થાય કે ફરીને વિભેદથી તેનું તેવા પ્રકારે ગ્રહણ કરવાપણું હોય નહિં. આવા કર્મવજીના વિશે દથી “તીવ્ર સંકલેશ-દઢ કષાયદય થતું નથી, તેથી કરીને તે સદા નિઃશ્રેયસાવહ-નિર્વાણ હેતુ થાય છે. + અને આમ તે સૂમ બેધનું કારણ થઈ પડે છે. + “મેરોડનિ જાર વિશે ન મૂકો મેવ તથા તીવ્ર વિકામાત્ત સયા નિચલાવડ –શ્રી ગિબિંદુ Page #331 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : સમસ્ત વસ્તુનું' અનેકાંત સ્વરૂપ (265) (3) તેમજ અનંતધર્માત્મક એવા અખંડ વસ્તુ-તત્ત્વનું અત્ર સમગ્રપણે ( Comprehensive & Collective ) ગ્રહણ થાય છે, તેથી કરીને પણ આ બોધનું સૂફમપણું નીપજે છે. કારણ કે * સ્યાદવાદ જ એ સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક અનેકાંત એવું એક અખલિત અર્હત્ સર્વસનું શાસન છે; અને તે સર્વ અનેવસ્તુના સમગ્ર કાંતાત્મક છે એમ અનુશાસન કરે છે, કારણ કે સર્વ વસ્તુને અનેકાંત ગ્રહણથી સ્વભાવ છે. તેમાં જે તત્ છે. તે જ અતત્ છે; જે એક છે તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે જે નિત્ય છે, તે જ અનિત્ય છે,-એમ એક વસ્તુના વસ્તૃત્વનું સાધનાર એવું જે પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશન તે અનેકાંત છે. એમ તત્ત્વવ્યવસ્થિતિથી પિતે પિતાને વ્યવસ્થાપિત કરતે, અલL જૈન શાસન એ અનેકાંત વ્યવસ્થિત છે. આ “અનેકાંત તે પરમાગમને* જીવ-પ્રાણ છે. અને જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને શમાવનારો, તથા સકલ નવિલસિતેના વિરોધને મથી નાખનારે, એ પરમ ઉદાર ગંભીર ને સર્વગ્રાહી છે. કારણ કે તે ભિન્ન ભિન્ન નય–અપેક્ષા લક્ષમાં રાખી, જુદા જુદા દષ્ટિકોણથી સમગ્ર–સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ તપાસે છે, તેથી પરસ્પર કલહ કરતા નાની તકરારને અંત આવે છે, અને કોઈ પણ પ્રકારના મતાગ્રહને ઉભવાનું સ્થાન રહેતું નથી. તત્ત્વના જીવનરૂપ આ અનેકાંતના આવા પરમ અભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને, પરમ તત્વજ્ઞોએ ઉદારશેષા ઉઘોષણા કરી છે કે- “અનેકાંત સિવાય તત્વવ્યવસ્થા નથી,” તે અત્યંત સત્ય છે. *" स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य / स तु सर्वमनेकांतात्मकमित्यनुशास्ति सर्वस्यापि वस्तुनोऽनेकांतस्वभावत्वात् / + + तत्र यदेव तत्तदेवातत् , यदेवक तदेवानेकं, यदेव सत्तदेवासत् , यदेव नित्यं तदेवा नित्यमित्येकवस्तुवस्तुत्वनिष्पादकं परस्परविरुद्धशक्तिद्वय- . કાનમwતઃ 19 (ઈત્યાદિ, અનેકાંતની પરમ વિશદ હૃદયંગમ વિવેચના માટે જુઓ) –શ્રી અમૃતચંદ્રાચાર્યજી વિરચિત સમયસાર ટકા પરિશિષ્ટ. x “परमागमस्य जीवं निषिद्धजात्यंधसिंधुरविधानम् / सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकांतम् // " –શ્રી અમૃતચંદ્રાચાર્યજીપ્રણીત શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય. " एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम् / अलङ्गध्यं शासनं जैनमनेकांतो व्यवस्थितः // " –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારટીકા-પરિશિષ્ટ, + “इमा समक्षं प्रतिपक्षसाक्षिणा मुदारघोषामुदघोषणां ब्रुवे / न वीतरागात्परमस्ति
Page 201
दैवतं न चाप्येनकान्तमृते नयस्थितिः // " કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્ય વ્યય, હા Page #332 -------------------------------------------------------------------------- ________________ (266) ગિદષ્ટિસમુચય આમ અનંતધર્માત્મક અખંડ વસ્તુતત્ત્વનું સંપૂર્ણ પણે–સમગ્રપણે (as a whole) અત્ર ગ્રહણ થાય છે. એટલે કે પ્રત્યેક વસ્તુમાં-ધમીમાં અનંત ધર્મ રહ્યા છે, વસ્તુતત્વ અનેકાંત છે, છતાં વસ્તુ એક અખંડ ને અભેદ છે,-એમ સમગ્રપણે–સંપૂર્ણપણે અહીં વસ્તુ તત્ત્વ સમજાય છે. તેથી પણ આ બોધનું સૂફમપણું હોય છે. સ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહજે; સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ....સ્વામી સુજાત.”—શ્રી દેવચંદ્રજી અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લેપે, સર્વસ્વ તેનું નૃપ લેજ કોપે.”—(ડે. ભગવાનદાસ) આમ ભવસમુદ્રના વિસ્તારને લીધે, કર્મવાના વિભેદને લીધે, તથા ય વસ્તુતત્વના સમગ્રપણે ગ્રહણને લીધે, –આ બેધનું સૂમપણું કહ્યું છે, પરંતુ આવા સૂક્ષ્મપણાવાળે બેધ હજુ આ દષ્ટિમાં પ્રગટતું નથી, તેમજ તેની નીચેની દૃષ્ટિએમાં પણ હોતું નથી, કારણ કે તેમાં તત્વથી ગ્રંથિભેદને અભાવ હોય છે. अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् / पक्षिच्छायाजलचरप्रवृत्त्याभमतः परम् // 67 // ૫દ અઘસંવેદ્ય તે, તેવું પ્રબલ આ સ્થાન; બીજું પક્ષિછાયા વિષે, જલચર પ્રવૃત્તિ સમાન. 67. અર્થ-કારણ કે આ પહેલી ચાર દૃષ્ટિએમાં અવેદ્યસંવેદ્ય પદ તથા પ્રકારે ઉલ્મણપ્રબળ હોચ છે; અને આનાથી બીજુ એવું જે વેવસંવેદ્ય પદ છે, તે તે અહી પંખીના પડછાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું હોય છે. વિવેચન સૂમ બોધ આ મિત્રા વગેરે ચાર દૃષ્ટિએમાં નથી હોત એમ ઉપરમાં કહ્યું, તેનું કારણ એ છે કે અત્રે અઘસંવેદ્ય પદ ઉબણ-પ્રબલ હોય છે અને આનાથી વૃત્તિ - વેવઘાટું-– અદ્યવેદ્ય પદા-જેનું લક્ષણ કહેવામાં આવનાર છે તે, વર્ણાવાયુ-કારણ કે આમાં-મિત્રા આદિ ચાર દષ્ટિએમાં, તથોરવળ–તેવું ઉબણુ, તે નિવૃત્તિ દિ ૫દના પ્રકારથી પ્રબલ– ઉદ્ધત, 'ાિછલકાવવામw-પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું’, પક્ષીના પડછાયામાં તે પક્ષીની બુદિથી જલચરની પ્રવૃત્તિ જેવું, : પૂજ-આનાથી પર–બીજું, એટલે વૈદ્યવેદ્યપદ, આ દૃષ્ટિમાં તાવિક નથી હોતું, એમ અર્થ છે, કારણ કે અંથિભેદની સિદ્ધિ છે તેથી કરીન, આ અતાવિક વેદસર્વપદ પણ આ મિત્રા આદિ ચાર દષ્ટિએમાં ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ હોય છે,-એમ આચાર્યો Page #333 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ અવેઘ સવૈદ્ય પદ પ્રબલઃ વેધ સંઘ અતાત્વિક (267) બીજું-ઉલટું એવું જે વેદ્યસંવેદ્ય પદ તે અત્રે તાત્વિક હોતું નથી, પરંતુ પક્ષીની છાયા પ્રત્યે જલચરની પ્રવૃત્તિ જેવું મિથ્યા-અતાત્વિક હોય છે. જેમ આકાશમાં પંખી ઉડતું હોય, તેને પડછાયે પાણીમાં પડે, અને તે પડછાયાને પંખી જાણ કઈ જલચર તેને પકડવાની ચેષ્ટા કરે–તેની પાછળ દોડે, પણ તેના હાથમાં કાંઈ આવતું નહિ હેવાથી તે ચેષ્ટા જેમ નિષ્ફળ-મિથ્યા જાય; તેમ આ વે. સં. પદ ચાર દષ્ટિએમાં પણ વેદસંવેદ્ય પદ તે જલચરની પડછાયા પાછળ પડછાયારૂપ દેડવારૂપ ખાટી નિષ્ફળ પ્રવૃતિ જેવું હોઈ, યથાર્થ, તાત્વિક ( Real, Genuine) હેતું નથી, મિથ્યા પડછાયારૂપ (shadow-like) હોય છે, માત્ર તદાભાસરૂપ હોય છે. કારણ કે હજુ સુધી અત્ર ગ્રંથિભેદ થયે નથી, એટલે તાત્વિક વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોતી નથી, પણ અતાત્વિક એવું વેદ્યસંવેદ્યપદ અત્રે આ મિત્રાદિ પહેલી ચાર દૃષ્ટિમાં હોય છે, અને તે પણ છેલા યથાપ્રવૃત્તકરણવડે કરીને જ સાંપડે છે, એમ આચાર્ય ભગવંતેનું કથન છે, કારણ કે કર્મવિવરરૂપ પિલિયે દ્વારપાલ જ્યારે પોળ અર્થાત્ તત્તમંદિરનું મુખદ્વાર ઉઘાડે ત્યારે જ ખરેખરૂં તત્ત્વદર્શન થાય છે. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પળ પિળિયે, કર્મવિવર ઉઘાડેછે......... સેવ ભવિયાં વિમલ જિસેસર.”—શ્રી યશોવિજયજી. આ યથાપ્રવૃત્તકરણ આદિનું સ્વરૂપ આગળ પહેલી દષ્ટિના વર્ણનમાં કહેવાઈ ચૂકયું છે. જીવને ભાવમલ જ્યારે ઘણા ક્ષીણ થાય છે, ત્યારે છેલ્લા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવને આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ-આત્મપરિણામવિશેષ સાંપડે છે. યથાપ્રવૃત્ત
Page 202
તેથી કરીને અપૂર્વ આત્મવિયનો ઉલ્લાસ થઈ “અપૂર્વકરણ થાય છે. કરણાદિ અને તે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે જ નહિં-નિવતે જ નહિ, એવું “અનિવૃત્તિકરણ” હોય છે. તેમાં જવ ગ્રંથિ સુધી આવે ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ કરતાં અપૂર્વકરણ, અને ગ્રંથિભેદ કરી છવ સમ્યફવાભિમુખ થાય ત્યારે અનિવૃત્તકરણ હોય છે. આમાં આ ચરમ યથાપ્રવૃત્તકરણ પહેલી ચાર દષ્ટિએમાં સાંપડે છે. પણ સમ્યકત્વની પ્રાપ્તિ તે પાંચમી દષ્ટિથી જ હોય છે, ત્યાર પહેલાની ચાર દૃષ્ટિ સુધી તે મિથ્યાત્વ જ હોય છે. (જુઓ પૃ. 46, 170 ) આમ પહેલી ચાર દષ્ટિઓમાં મિથ્યાત્વને સભાવ હોવાથી " અવેદ્યસંવેદ્ય પદ? ઉલબણ-ઉત્કટ પ્રકારનું હોય છે, બહુ બળવાન હોય છે, જેથી દશનામહને લીધે જીવની મેહદશા હજુ હોય છે. અને અત્રે વેદ્યસંવેદ્યપદ જે હોય છે તે સ્થલ બાધ તાત્ત્વિક-વાસ્તવિક હેતું નથી, પણ તદાભાસરૂપ–પડછાયારૂપ અતાત્વિક Page #334 -------------------------------------------------------------------------- ________________ (268). ગ્યદષ્ટિસમુચય એવું હોય છે, એટલે જીવની જ્ઞાનદશા હતી નથી. એટલા માટે જ આ પહેલી ચાર દૃષ્ટિએમાં જીવને જે કાંઈ તત્ત્વજ્ઞાનનો બંધ થતો દેખાય છે, તે માત્ર ઉપરછલે ને ઉપરટપકાને હોય છે, સ્થૂલ પ્રકારનું હોય છે, પણ ઊડે ને તવરહસ્યગામી એ સૂક્ષમ હેતો નથી. આ ઉપરથી–પુસ્તક વાંચીને કે અહીંથી તહીથી કંઈક જાણીને ઉપરછલા તત્વબોધથી પોતાનું જ્ઞાનીપણું માની બેસનારા પંડિતમએ કે જ્ઞાનીઓના અનુભવની મલાઈરૂપ “તૈયાર માલ” પર બેસી ગયેલા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણે ધડ લેવા જેવું છે, આ ઉપરથી ઘણે બેધ લેવા જેવું છે. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ઉપર કહ્યું લેવા યોગ્ય ધડે તેમ પાંચમી દષ્ટિમાં ઘણી ઊંચી દશા પ્રાપ્ત થયે હોય છે, અને તેની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ ચાર દૃષ્ટિમાં કે અપૂર્વ ગુણગણ પ્રાપ્ત કરવો પડે છે, તે તે પ્રત્યેક દૃષ્ટિમાં વિસ્તારથી વર્ણવ્યું છે. તે યક્ત “ગુણસ્થાન પ્રાપ્ત કર્યા વિના સમ્યક્ત્વની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી. છતાં તથારૂપ આત્મભાવની પ્રાપ્તિ વિના, મેહભાવ રહિત એવી તથારૂપ જ્ઞાનદશા વિના, પિતાને “જ્ઞાની” માની બેસવાની “કલ્પના કરવી તે કલ્પના” જ છે, અને તે પોતાના આત્માને વંચવા છેતરવા બરાબર છે. કારણ કે " દશાનું ફળ છે, માન્યાનું ફળ નથી ”-એ પરમ તત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકેલ્કીર્ણ વચનામૃત અત્ર બરાબર લાગુ પડે છે. મેહભાવ ક્ષય હોય જ્યાં અથવા હેય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે બ્રાંત. સકળ જગત તે એઠવત્ , અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન” –શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત આત્મસિદ્ધિ. આ એમ કેમ છે? તે માટે કહે છે - अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविबंधकृत् / नैतद्वतोऽयं तत्तत्त्वे कदाचिदुपजायते // 68 // અપાયશક્તિ માલિત્ય કરે, સૂક્ષ્મ બોધ પ્રતિબંધ એહ-વંતને તત્વમાં, કદી ન આ ઉપજત. 68. અર્થ –અપાય શક્તિનું મલિનપણું સૂફમધને પ્રતિબંધ કરનારું છે, તેથી કરીને આ અપાયશક્તિના મલિનપણાવાળાને તત્વવિષયમાં આ સૂક્ષ્મ બેધ કદી ઉપજ નથી. 1 જૂતિ –અપાયમરિવ્યે અપાયશક્તિનું માલિત્ય, નરકાદિ અપાયશક્તિનું મલિનપણું, શું ? તે કે–સૂક્ષ્માવિગંધા-સૂમ બેધને વિબંધ-પ્રતિબંધ કરનારું છે, કારણ કે અપાયહેતુ એના સેવનરૂ૫ કિલષ્ટ બીજને ભાવ-હોવાપણું છે, તેથી કરીને. નિતાડચં--એ અપાયશક્તિના મલિનપણાવાળાને આ-સૂક્ષ્મ બંધ નથી, તત-તેથી કરીને, તરવે-તત્ત્વ વિષયમાં, રાહુનાતે-કદી ઉપજ, અવંય એવા સ્થૂલ બેબીજના ભાવથી–હોવાપણાથી. Page #335 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સૂક્ષ્મબોધરેધક અપાય-શક્તિમાલિન્ય (ર૬૯) વિવેચન ઉપરમાં એમ જે કહ્યું કે આ મિત્રા આદિ ચાર દષ્ટિમાં અદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે, પણ તાત્વિક એવું વેવસંવેદ્ય પદ પણ હેતું નથી, અને તેથી કરીને સૂક્ષ્મ બોધ અત્ર હોતો નથી, તે શા કારણથી એમ હોય છે, તેનો અહીં સ્પષ્ટ અપાય શક્તિ ખુલાસો કર્યો છે. નરક વગેરે અપાયનું જે શક્તિરૂપ મલિનપણું છે, તે માલિન્ય સૂક્ષ્મ
Page 203
બોધને વિબંધ-પ્રતિબંધ કરનારું, ધનારું—અટકાવનારું છે. કારણ કે નરક વગેરે આપે એવા અપાયહેતુઓનું-કિલષ્ટ કર્મના કારણોનું આસેવનરૂપ બીજ હજુ અહીં સત્તામાં છે, શક્તિરૂપે રહ્યું છે. આ અપાય એટલે શું ? * “નિરુપક્રમ નામથી ઓળખાતું એવું પૂર્વ કર્મ જ અપાય છે, એમ નિરપાય પુરુષે કહે છે, આ અપાયરૂપ વિચિત્ર કર્મ પાપ આશય ઉપજાવે છે.” અને પાપ આશય ઉપજાવનારું આ અપાયરૂપ લિષ્ટ કર્મનું બીજ જ્યાં સુધી શક્તિરૂપે પણ હોય છે, ત્યાંસુધી તે સૂક્ષમ બોધ ઉપજવા દેતું નથી, કારણ કે તે ચિત્તનું એવું મલિનપણું ઉપજાવે છે કે તેમાં સૂક્ષ્મ બેધને અંતઃપ્રવેશ થઈ સૂક્ષ્મબોધ શકતું નથી. મેલી પાટી પર જેમ ચોખા અક્ષર લખી શકાતા નથી, રેધક તેમ ચિત્તની પાટી જ્યાં સુધી મલિન હોય ત્યાં સુધી તેમાં સૂફમ બેધરૂપ ચેખા અક્ષર લખી શકાતા નથી, જેમ ચીકાશવાળી સપાટી ( Greasy surface) પર પાણી ઠરતું નથી, તેમ કિલષ્ટ કર્મમલથી ચીકણી ચિત્તભૂમિ પર સૂક્ષ્મ બોધરૂપ નિર્મલ જલ ઠરતું નથી–પ્રવેશતું નથી. આ અપાયબીજરૂપ કીડો અંદરથી જ્યાં સુધી અંતરને કેરી ખાતે હોય, ત્યાં સુધી તત્ત્વસંબધી સૂ ધ ઉત્પત્તિની આશા રાખવી આકાશકુસુમવત્ ફેગટ છે, ત્યાં સુધી જે બંધ થાય તે પિલે જ-પોકળ જ રહેવાને. કારણ કે તે શક્તિરૂપે રહેલું અપાય-બીજ પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી તે સૂફમ બોધને આડા અંતરાયરૂપ થઈ પડે છે, એટલું જ નહિ, પણ તથારૂપ નિમિત્ત પામી તેમાંથી વૃક્ષ થઈ તેવા વ્યક્ત ફલ પરિણામની પણ સંભાવના રહે છે. બીજમાંથી જ્યાં સુધી રોગનું બીજ ન ગયું હોય, રોગ નિમૂળ ન થયો હોય, વૃક્ષ ત્યાંસુધી રોગ કયારે ઉંબરી નીકળશે, કયારે ઉથલે મારશે, તે કહી શકતું નથી; તેમ અપાયબીજ પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી તે ક્યારે ઉબરી આવી-ક્ત સ્વરૂપે ફૂલીફાલી આત્માના સ્વાથ્યને બગાડી નાંખશે, તે કળી શકાતું નથી. આમ આ અપાયશક્તિનું મલિનપણું ખરેખર ! અપાયરૂપ જ થઈ પડે છે, કારણ કે તેના થકી અપાય (અપ+આય) થાય છે, આવેલ લાભ હાથમાંથી ચાલ્યો * “અપાયમા. નિપાયા: પુરાતનો પાપારાય ચિત્ર નિપસંજ્ઞE >>- ગબિન્દ. Page #336 -------------------------------------------------------------------------- ________________ (ર૭૦) યોગદષ્ટિસમુચય જાય છે, એટલે કે જે કાંઈ બેધન લાભ થાય, તે સૂક્ષ્મજોધરૂપ ઈષ્ટ પરિણામ આપ્યા વિના ચાલ્યા જાય છે. અને આમ આવા અપાયનું-કિલષ્ટ કમંદષનું બીજરૂપ-શક્તિરૂપ મલિનપણું જેનામાં હોય, તેને સૂમબોધની પ્રાપ્તિ હેતી નથી, એટલે કે તત્વવિષયનું અંતર્ગત રહસ્યભૂત જ્ઞાન હોતું નથી, તત્ત્વની ઊંડી યથાર્થ સાંગોપાંગ સમજણ હોતી સ્થલબધ તો નથી. તે પણ આ મિત્રાદિ ચાર દષ્ટિમાં તત્ત્વસંબંધી સ્કૂલ બેધ તે હાય જ અવશ્ય હોય છે, કારણ કે અવંધ્ય–અમેઘ-અચૂક એવા સ્થલ બોધ બીજનું અત્ર હોવાપણું છે, અને તે અવંધ્ય હોઈ, આગળ ઉપર ભાવી શુભ ફળ પરિણામનું એટલે કે ભાવી સૂક્ષ્મ બેધનું કારણ થઈ પડે છે. સૂકમ બોધ તે પણ ઈહાજી, સમક્તિ વિણ ન હોય.”—છે. સઝાય. આમ છે તેથી કરીને– अपायदर्शनं तस्माच्छ्रतदीपान तात्त्विकम् / तदाभालंबनं त्वस्य तथा पापे प्रवृत्तितः // 69 // શ્રદીપથી તાવિક ના અપાય દર્શન તાસ; તેવી પાપ પ્રવૃત્તિથી, તે હોય તદાભાસ, 60 અર્થ—તેથી કરીને કૃતરૂપ દીપકથી એનું અપાય દર્શન તાવિક હેતું નથી, પણ એને તેની આભાનું–તદાભાસનું અવલંબન હોય છે, કારણ કે તેવા પ્રકારે પાપમાં એની પ્રવૃત્તિ હોય છે. વિવેચન આમ અપાયશક્તિના મલિનપણને લીધે સ્થલ બોધ અત્રે હોય છે, પણ સૂફમબેધ નથી હોતો, તેથી કરીને આગમરૂપ દીપકવડે કરીને આ દષ્ટિવાળાને અપાયદર્શન એટલે વૃત્તિ –અપાયવનમ્ –અપાયદર્શન, અપાયનું–દેષનું દર્શન, તમાZ-તેથી કરીને, શ્રતીત્ત-શ્રુતરૂપ દીપથી, આગમથી, તાજિક્તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું, કશ્ય-આનું-એમ સંબંધ છે. તામાર્ચને ત—પણ તેની આભાના અવલંબનવાળ
Page 204
તે, પરમાર્થભાવિષયી તે ભ્રાંતિથી હોય છે. (એટલે કે તવાભાસ, પરમાર્થભાસરૂપ અપાયદર્શન હોય છે, તવદર્શન નહિં). શા કારણથી ? તે કે–તથા Tamત્તિ: તેવા પ્રકારે પાપમાં 4 પ્રવૃત્તિથી, તેવા પ્રકારે વિચિત્ર અનાગ–અજાણતા પ્રકારથી પાપમાં પ્રવૃત્તિ હોય છે તેટલા માટે. પાઠાંતર–શા-અર્થાત અપાયમાં, પાપરૂપ છેષમાં, Page #337 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : આગમ-દી, તત્ત્વાભાસરૂપ સ્કૂલ બંધ (271) કે કિલષ્ટ કર્યદોષનું જે દર્શન થાય છે, તે તાત્વિક-પારમાર્થિક હોતું નથી, પરંતુ તત્વનાપરમાર્થના આભાસરૂપ, તત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, તદાભાસરૂપ હોય છે. આગમરૂપ દી મેહધકાર ભર્યા આ લેકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે, અને આત્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચાડનાર એવા લિષ્ટ કર્મરૂપ અપાયનું સમ્યગ સવરૂપ દેખાડી તે કમષને કેમ દૂર કરે તેને સાચે રસ્તે બતાવે છે. જેમકે આગમ-દીપક –આ આત્મા સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વયંતિ ને સુખધામ છે. પણ અજીવરૂપ જડ કર્મના દેષથી તેનું તે શુદ્ધ સ્વરૂપ અવરાયું–ઢંકાઈ ગયું છે. તેના સહજાન્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચેલ છે, અને આ પુણ્ય-પાપરૂપ કર્મ અપાયથી તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રત-વિષય-કષાય આદિથી તે કર્મને આશ્રવ થાય છે ને પછી બંધ થાય છે. દશવિધ ધર્મ આદિ સંવરથી નવાં કર્મો આવતા અટકી જાય છે, ને તપથી જૂના કર્મોની નિર્જરા થાય છે.–ખરી જાય છે. અને આમ સર્વ કર્મોને ક્ષય થયે, આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટપણારૂપ મોક્ષ થાય છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મિક્ષપંથ તે રીત. જે જે કારણ બંધના, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. મક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ ઈત્યાદિ પ્રકારે સદાગમરૂપ દીપક તત્ત્વનું સમ્યફ સ્વરૂપ પ્રકાશે છે, કર્મ–આત્માને સંબંધ દર્શાવી તે કર્મ–અપાય દૂર કરવાને શુદ્ધ માર્ગે સ્પષ્ટપણે દેખાડે છે. તથાપિ આ જીવની તેવા સૂમ બંધની ઊણપને લીધે તેને યથાર્થ તત્વદર્શન થતું નથી. આગમ૩૫ દીપકના પ્રકાશથી જે કે આ જીવને કમરૂપ અપાય દોષનું સ્થૂલ સ્વરૂપ ભાસ્યમાન થાય છે, તે પણ બંધની દષ્ટિમંદતાને લીધે તેને તેનું તાત્વિક સ્વરૂપ-પરમાર્થ સ્વરૂપ હજુ સમજાતું નથી, બરાબર લક્ષમાં આવતું નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ (272) ગદષ્ટિસમુચ્ચય એટલે તેને આ સ્થૂલ બંધ તત્ત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, ઉપરછલે ને પડછાયા જે (Shadow-like) હોય છે. આમ આ સ્થૂલ બેધ તવન-પરમાર્થને આભાસ આપે એવો હોય છે, પણ તત્વથી ચિત્તમાં અંત:પ્રવેશરૂપતત્ત્વાભાસરૂપ સજજડ છાપ લાગી જાય એવો હતો નથી. એથી કરીને ઉપર ઉપરથી તે સ્કૂલ બોધ આ જીવને આત્મા-કર્મ અપાય આદિનો બંધ હોય એવું દેખાય છે, એવો આભાસ ઉપજે છે. કારણ કે શ્રતશ્રવણાદિ દ્વારા તેવા સ્થૂલ પ્રકારે જાણ તેવી વાત પણ તે કરે છે; પરંતુ તેને તે બોધ તત્વથી નહિ હેઈ, ભ્રાંતિરૂપ હોય છે, ખરેખરી અંત:પ્રતીતિરૂપ હોતો નથી. કારણ કે આ દૃષ્ટિમાં વર્તતો જીવ હજુ અજાણતાં પણ તેવા પ્રકારના નાનાવિધ પાપમાં પ્રવૃત્તિ કરે છે, તેથી કરીને એમ જણાય છે કે હજુ તેને નરકાદિ અપાયનું તત્વથી દર્શન થયું નથી; જે થયું હોત તે તે ભીષણ નરકાદિ ગતિના અનંત દુઃખથી ભય પામીને તે તે પાપથી ડરતો રહી–પાપભીરુ રહી, તથા પ્રકારની પાપપ્રવૃતિમાં અજાણ્યું પણ પ્રવર્તત નહિં, તેથી દૂરથીજ ભાગત. अतोऽन्यदुत्तरास्वस्मात पापे कर्मागसोऽपि हि / तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि // 7 // પદ અઘસઘથી, અન્ય વેધસંવેદ્ય તે તે છેલ્લી ચાર તે, દષ્ટિમાંજ સંવેદ્ય, આથી કર્મ
Page 205
અપરાધથી, પાપકર્મમાં કેય; તસ લેહુપદ ન્યાસ સમ, વૃત્તિ કવચિત જ હોય. 70 અર્થ –આ અવેવસંવેદ્ય પદથી અન્ય એવું જે વેદ્યસંવેદ્ય પદ છે, તે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેવસંવેદ્ય પદને લીધે, કર્મના અપરાધથી પણ પાપમાં જે કવચિત્ પ્રવૃત્તિ હોય, તે તે પણ તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે. વિવેચન એ પદ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃતિ; તપ્ત લેહ પદ ધૃતિ સમીજી, અંતસમય નિવૃત્તિ મનમેહન”—. સજઝા. 4-7 કૃત્તિઃ-તોડવત્ ઉત્તરા—આનાથી એટલે પ્રક્રમથી પ્રસ્તુત અદ્યસંવેદ્ય પદથી અન્ય તે વેદ્ય વિદ્ય પદઉત્તર એટલે સ્થિર આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં હોય છે. તમા-આના થકી, આ દ્યસંવેદ્ય પદ થકી, -પાપકર્મમાં, હિંસા આદિમાં, વર્માનગરિ હિ-કમને અપરાધથી પણ, (કમના દોષે કરીને પણ ), શું ? તે કે-તોપભ્યાસતુન્યા કુત્તિઃ-લેહ૫૬ન્યાસ તુલ્ય વૃત્તિ, એટલે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી વૃત્તિ,-અપાયમાં–અપાય થાય ત્યારે સંવેગસાર-સંવેગપ્રધાન એ સી, વિદ્ય-કવચિત હોય તે હોય, પણ પ્રાયે તે હોતી જ નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : તખ્તલોહ પદ વ્યાસવૃત્તિ, ભાવ અપ્રતિબંધ (273) ઉપરમાં જે અદ્યસંવેદ્ય પદ કહ્યું, તેનાથી ઇતર-બીજું એવું જે વેદસંવેદ્ય પદ છે, તે સ્થિર વગેરે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેદ્યસંવેદ્યપદના પરમ પ્રભાવથી આ દૃષ્ટિવાળો જોગીજન અપાયમાં અથવા પાપમાં તપ્તાહપદ પ્રાયે પ્રવૃત્તિ કરતા જ નથી; અને પૂર્વ કર્મના દેષ કરીને પણ જે ન્યાસવૃત્તિ કવચિત્ કરે, તે તેની તે પાપ પ્રવૃત્તિ, તપ્તાહપદન્યાસ જેવી, એટલે કે તપેલા લેઢા પર મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લેઢા પર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પણ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતે નથી, તરત જ આપોઆપ પાછો ખેંચી લેવાય છે, તેમ આ દષ્ટિવાળે મહાત્મા સમ્યગૂ- -- દૃષ્ટિ પુરુષ એટલે બધે પાપભીરુ હોય છે, એટલે બધે પાપથી ડરતો રહે છે, કે કવચિત્ કર્મના અપરાધને લીધે પણ જે જાણતાં-અજાણતાં પણ તેની હિંસાદિ પાપમાં કંઈ પ્રવૃત્તિ થઈ જાય, તો તે તરત એકદમ આંચક અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટકતો નથી, ત્યાંથી તે તક્ષણ જ પાછો વળી જાય છે–પ્રતિક્રમી જાય છે. અને તે પ્રવૃત્તિ પણ તે અત્યંત નીરસપણે-અંતરંગ ખેદપણે કરે છે, આત્મભાવથી તે કરતે જ નથી; નિર્વસ પરિણામથી કરતો નથી, પૂર્વ કર્મથી પ્રેરાઈને પરાણે ન છૂટકે કરવી પડે તે કરે છે. આ સમ્યગ્ર દષ્ટિ જીવ કાયપાતી જ + કાયપાતી, પણ હોય છે, કાયાથી જ એનું પતન થાય છે, એટલે કે કાયા માત્રથી જ ચિત્તપાતી નહિં તે કવચિત્ પાપમાં પડે–પાપક્રિયા કરે, પણ તે ચિત્તપાતી તે હેતો જ નથી, ચિત્તથી તેનું કદી પાપમાં પતન થતું જ નથી. કારણ કે તે ભિન્નગ્રંથિ સમ્યગદષ્ટિ પુરુષનું ચિત્ત મોક્ષમાં હોય છે જે શરીર સંસારમાં હોય છે. રિ મ તનુ ." એટલે તેને સર્વ જ ગ-ધર્મ અર્થાદિ સંબંધી વ્યાપાર ગરૂપ જ હોય છે. શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ કિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; સંસારક્રિયામાં અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી નીરસપણુ બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. x x x સમ્યગદષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં + “યતિન પદ્ વોધિસત્ત્વ: પવિતા न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् // भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः / તરય તરસ ઇવેન્દ્ર ચોનો ગોળો હિ માવતઃ " -–શ્રી યોગબિંદુ, Page #340 -------------------------------------------------------------------------- ________________ (274)
Page 206
ગદષ્ટિસમુચ્ચય એવાં પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહિં. પૂર્વ કર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. એટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યફદષ્ટિપણું તે જીવને હોય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ સમ્યકત્વ સિવાય ગયાં સંભવે નહિ, એમ જે કહેવાય છે તે યથાર્થ છે. x x x પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા નું પણ સંભવે છે. પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસ પણું પરમાર્થ માગી પુરુષનું હોય છે.” ( વિશેષ માટે જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક 375. (459) આમ સમ્યગદષ્ટિ પુરુષની સમસ્ત સંસાર ચેષ્ટા, ભાવપ્રતિબંધ વિનાની હોય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા. ભેગી છતાં ગી હતા. સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલેપ રહ્યા હતા. આવું તેમનું લેટેત્તર ચિત્ર ચરિત્ર આચાર્યોના આચાર્ય જેવા સમર્થ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કેરાગ ભરે જન મન રહે, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કઈ ન પામે છે તાગ... શ્રી શ્રેયાંસ કૃપા કરો.” શ્રીયશોવિજયજી "यदा मरुन्नरेंद्रश्रीस्त्वया नाथोपभुज्यते / यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते // " –શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત શ્રી વીતરાગસ્તવ અને એવું જ ઉજજવલ જીવતું જાગતું જવલંત દષ્ટાંત વર્તમાનયુગમાં શ્રીમદ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્માગી સમ્યગદષ્ટિ વીતરાગ પુરુષે પિતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરું પાડ્યું છે. તે તેમનું અધ્યાત્મ જીવન જેમાં ઓતપ્રોત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્યત અવકનારને સહજે પ્રતીત થાય છે. દાખલા તરીકે-- રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ સમ્યગ્રષ્ટિનું સંસારક્રિયામાં નિરસપણું –ઉદાસીનપણું (275) અધિક શું કહેવું ? હાડ, માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે. “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.” અમને તે એવી જંજાળ વિષે ઉદાસીનપણું વતે છે. અમારે વિષે વતતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મને મળવા દેતા નથી. જે કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે, અમને વતે છે એવું ચિત્ત તે નેત્રરૂપ છે. XXX આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તે બળવાનપણે આરાધિયે છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે; તે જેમ દુ:ખે, અત્યંત દુખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણુએ સ્થિત ચિત્ત હેવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે.” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. આ ઉપરથી સમજી શકાશે કે સમ્યગદષ્ટિ જીવ પ્રાયે પાપ આચરે જ નહિ, અને કદાચને પૂર્વ કર્મની પ્રેરણાથી-પ્રારબ્ધ ઉદયથી તે કિંચિત્માત્ર પણ કવચિત્ આચરે, તે તે નિર્વસ પરિણામથી તો તેમ કરે જ નહિ, તેથી કરીને તેને બંધx સમ્યગદષ્ટિને પણ અ૯પ હોય
Page 207
છે. તે પાપકર્મ આચરતાં પણ તેને તપાવેલા લેઢા પર અલપ બંધ પગ મૂકવાની જેમ એકદમ આંચકો લાગે છે, અરેરાટી ઉપજે છે, ને હૃદયના ઊંડાણમાંથી ચિત્તના સાચા ભાવથી અત્યંત અત્યંત ખેદ થાય છે. કારણ કે જેણે સમકિત અમૃત રસને લેશ પણ સ્વાદ ચાખે, તેને બાકસબુકસ જેવા બીજા રસ કેમ ગમે ? તુજ સમકિત રસસ્વાદને જાણ, પાપ કુભકતે હે બહુ દિન સેવિયુંજી; સેવે જે કરમને જોગે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. જાણે રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખ્યો છે જેણે અમી લવ લેશ, બાકસબુકસ તસ ન રુચે કિમેજી.”—શ્રી યશોવિજયજી આ એવા પ્રકારની કેમ હોય છે? તે માટે કહે છે - x “सम्मविट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि / કપાણિ હો વંધો ના નિધë કુળg / શ્રી પ્રતિક્રમણુસૂત્ર–વંદિત્તા સૂત્ર Page #342 -------------------------------------------------------------------------- ________________ (276) ગદષ્ટિસમુચ્ચય वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति / चरमैव भवत्येषा पुनर्तुत्ययोगतः // 71 // સંગતિશયે કરી, વદ્યસંવેદ્ય પ્રભાવ; પુન: દુર્ગતિ અગથી, છેલ્લી હોય આ સાવ, 71 અર્થ :–વેદ્યસંવેદ્ય પદથકી સંગતિશયને લીધે, આ પાપપ્રવૃત્તિ છેલી જ હોય છે, કારણકે (તેને) ફરીને દુર્ગતિને વેગ હેતું નથી. વિવેચન ઉપરના લેકમાં એમ કહ્યું કે વેદ્યસંવેદ્ય પદવાળાને કદાચ પાપપ્રવૃત્તિ જે થાય, તે તે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી હોય છે, એટલે કર્મોષ વશે તે કરતાં તેને અંતરંગ ખેદ–પશ્ચાત્તાપરૂપ તીવ્ર બળતરા થાય છે. આવી વિલક્ષણ પ્રકારની મંદતમ રસવાળી આ પ્રવૃત્તિ કેમ હોય છે? તેને અહીં ખુલાસો હોય છે. પ્રથમ તે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાને લીધે જ આવી પ્રવૃત્તિ હોય છે. આ વેદ્યસંવેદ્યપદ (સમ્યગદર્શન) ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ નિચે કહેવામાં આવશે. અત્યંત દારુણ એવી કર્મગ્રંથિને શુભ ભાવવડે ભેદી નાંખીને કદાચિત્ કોઈક જ તે દર્શનને પામે છે.” વૃત્તિ વેચાપતો-વિદ્યાસ વિદ્ય પદ થી, જેનું લક્ષણ કહેવામાં આવશે તે વેદસંવેદ્ય પદને લીધે, સંવેfrતિરાવ7-સંવેગ અતિશયથી, અતિશય સંવેગને લીધે, રામૈત્ર મરત્યેષાઆ પાપપ્રવૃત્તિ છેટલી જ હોય છે. શા કારણથી? તે કે–પુનત્યયોત –પુનઃ-ફરીને દુર્ગતિના અયોગથી, ફરીને દુર્ગતિને વેગ થતું નથી તેટલા માટે. શ્રેણિક આદિના ઉદાહરણ ઉપરથી. શંકા–જેનું સદર્શન પ્રતિપતિત (આવીને પાછું પડી ગયું છે) થયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, એટલા માટે આ યત કિંચિત છે. ( આમાં કાંઈ સાર નથી). કારણકે અમારા અભિપ્રાયનું પરિજ્ઞાન નથી–અમારો અભિપ્રાય બરાબર સમજાયો નથી. ક્ષાયિક સમ્યગૃષ્ટિને જ નૈઋયિક વિદ્યસંવેદ્ય પદને ભાવ હોય છે, એવા અભિપ્રાયથી એ (સમ્યગદર્શન) વ્યાવહારિક છે. તેમજ આ જ (નિશ્ચય વેદ્યસંવેદ્ય પદ) ચારુસુંદર છે, કારણ કે એ હોતાં, પ્રાયે દુર્ગતિમાં પણ માનસ દુઃખને અભાવ હોય છે,–જ તંદુલની જેમ (વજીના ચેખાની જેમ) આને ભાવ પાકને અગ હોય છે તેને લીધે, પણ આનાથી બીજું એવું વ્યાવહારિક વેધસંવિધ પદ તે એકતિથી જ અચા–અસુંદર છે. * तदर्शनमवाप्नोति कर्मग्रंथिं सुदारुणम् / निर्भिद्य शुभभावेन कदाचित्कश्चिदेव हि // सति चास्मिन्नसौ धन्यः सम्यग्दर्शनसंयुतः / तत्त्वश्रद्धानपूतात्मा न रमते भोदधौ // " - મહર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, Page #343 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સવેગાતિશય-સમ્યગદર્શનને અપૂવ મહિમા (277) બીજું તે સવેગાતિશય-અતિશય સંવેગને લીધે આવી પ્રવૃત્તિ હોય છે. અને આ સંવેગાતિશય પણ વેધસંવેદ્યપદની પ્રાપ્તિનું ફળ પરિણામ છે. કારણ કે સમ્યગદર્શન થતાં, ભવસાગરનું સાચેસાચું સ્વરૂપ પ્રતીત થાય છે, સંસારનું દારુણ સંવેગ=અત્યંત અનંત દુઃખમય સ્વરૂપ સાક્ષાત્ જણાય છે અને આત્માનું અનંત વેગ સુખમય સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ અનુભવગોચર થાય છે. એટલે તે જીવ આવા દુ:ખમય ભયરૂપ સંસારમાં રમતું નથી, પણ જેમ ભયસ્થાનથી કે મૂઠીઓ
Page 208
વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સમ્યગ્દષ્ટિ મુમુક્ષુ જીવ પણ સંવેગથીઅત્યંત વેગથી તે સંસારથી ભડકીને ભાગે છે. ક્ષણભર તેને સંસારની મોહિની રુચિકર લાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સંવેગભાવમય વચનામૃત છે કે હે નાથ ! સાતમી તમતમપ્રભા નર્કની વેદના મળી હોય તે વખતે સમ્મત કરત. પણ જગની માહિતી સમ્મત થતી નથી.”–શ્રીમદ્ રાજચંદ્રજી. નં. 58 (85) અથવા સંવેગ એટલે અત્યંત મેક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુ પણું. સમ્યગદષ્ટિ પુરુષે સહજ આત્મસ્વરૂપને પરમાનંદમય રસાસ્વાદ કર્યો છે, અદ્ભુત સમકિત અમૃતરસ ચાખે છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મપરિણતિ અત્યંત સંવેગથીસંવેગ=ક્ષા- અત્યંત અત્યંત વેગથી સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ મેક્ષ ભણી દોડે ભિલાષ છે. એટલે કે જેમ બને તેમ ત્વરાથી સમસ્ત સંસારબંધનથી છૂટી, સકલ કર્મનાલમાંથી મુક્ત થઈ, આત્મસ્વભાવરૂપ મોક્ષ પામવાની તેને ઉત્કટઅતિશય ઈચ્છા હોય છે. કારણ કે તે ભાવે છે કે-જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ, શોક વગેરેથી ઉપદ્રવ પામી રહેલે આ ભયંકર ભવસાગર પુરુષોને કેવળ કલેશનું જ કારણ થાય છે, અને સુખનું કારણ તે માત્ર મેક્ષ જ છે, કે જે મેક્ષ જન્મ વગેરે કલેશથી રહિત, ભયશક્તિથી વિમુક્ત અને સદા વ્યાબાધાથી વજિત છે "+ અને આવે તીવ્ર મોક્ષાભિલાષરૂપ સંગ હોવાથી, ઉપલક્ષણથી તે મોક્ષના સાધનરૂપકારણરૂપ અહંદભક્તિ-વાત્સલ્ય વગેરે સતૂસાધન પ્રત્યે પણ સંવેગ–પરમ રુચિભાવ ધરાવે છે. કારણ કે કારણથી જ કાર્યનિપત્તિ-કાર્યસિદ્ધિ થાય છે, સંવેગ=પરમ એ અખંડ સનાતન સિદ્ધાંત ત્રિકાલાબાધિત નિશ્ચલ નિશ્ચય તે હદયમાં ભક્તિરાગ અવધારે છે. એટલે તે ભગવાન અહ તેની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી-અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મોલ્લાસથી, + “જન્મમૃત્યુનાવ્યાનવાયુ દુઃ. क्लेशाय केवल पुंसामहो भीमो भवोदधिः // सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशबर्जितः / / અપરાયા વિનમ્ો ચાવવાના સી –શાસ્ત્રવાર્તાસમુચ્ચય, Page #344 -------------------------------------------------------------------------- ________________ (278) ગદષ્ટિસમુચ્ચય અત્યંત ચિત્તપ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનું પૂર રોકયું રકાતું નથી, તેમ સમ્યગદષ્ટિને આ સસાધન પ્રત્યેને અત્યંત વેગ-સંવેગ-અદમ્ય ઉત્સાહ રેક્યો રોકાતો નથી. " यथा सम्यक्त्वभावस्य संवेगो लक्षणं गुणः / स चोपलक्ष्यते भक्तिवात्सल्येनाऽथवाहताम् // મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીકૃત પંચાધ્યાયી. કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણજિનવર ! પુષ્ટ હેતુ મુજ સિદ્ધિના, જાણ કીધ પ્રમાણ...જિનવર !”—શ્રી દેવચંદ્રજી. જિનસે ભાવ વિના કબૂ , નહિં છૂટત દુઃખદાવ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આમ વેદસંવેદ્ય પદના પ્રતાપે, ઉપરોક્ત ત્રણે અર્થમાં સંવેગની પ્રાપ્તિ હોય છે. એટલે આ સમ્યગદષ્ટિ મુમુક્ષુ આત્માથી જીવ અત્યંત સંવેગથી–અત્યંત અત્યંત વેગથી સંસારથી દૂર ભાગે છે, અત્યંત સંવેગથી મોક્ષ પ્રત્યે દોડે છે, અત્યંત સંવેગથી–પરમોલ્લાસથી -પરમ ભક્તિરાગથી જિનભક્તિ આદિ એક્ષસાધનને આરાધે છે. અને આમ વેધસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાથી, તથા સંવેગાતિશય ઉપ હોવાથી, ઉપરમાં કહી તે તખ્તલોહપદન્યાસ જેવી પાપપ્રવૃત્તિ કદાચ હોય તે હોય; અને તે પણ ચરમ-એટલે છેલ્લી જ, છેવટની જ હોય છે, હવે પછી ભવિષ્યમાં કોઈ કાળે તેનાથી તેવી પાપપ્રવૃત્તિ ફરીથી થવી સંભવતી નથી. આ પાપ પ્રવૃત્તિ છેલ્લી જ કહી, તેનું કારણ એ છે કે ત્યાર પછી પુનઃ કદી પણ દુર્ગતિને-માઠી ગતિને તે સમ્યગૃષ્ટિ પુરુષને વેગ થવાનું નથી. અત્રે શ્રીમાન શ્રેણિક રાજાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. તે મહાનુભાવ મહાત્માને ક્ષાયિક પુનઃદુર્ગતિ સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું, છતાં પૂર્વ કર્મ પ્રયોગથી-પ્રારબ્ધવશે કરીને અગ તેમની છેલ્લી: પાપપ્રવૃત્તિ હતી, વ્રતપચ્ચખાણ આદિ તે ગ્રહી શક્તા હતા, અવિરતિ સમ્યગદષ્ટિ હતા, અને જો કે સમ્યગદર્શન પૂર્વે બાંધેલા આયુકર્મના પ્રભાવે તેમને નરકગતિની પ્રાપ્તિ થઈ છે, તો પણ તે છેવટની જ છે. તે પછી તે તે આગામી વીશીમાં મહાપા નામના તીર્થંકર થવાના છે. આ અપૂર્વ મહિમા વેધસધ પદરૂપ-સ્વસંવેદનરૂપ સમ્યગદર્શનને છે. પરમ સત્કવિવર શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાયું છે કે - “વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ
Page 209
કેઈને; મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લે. જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભળે સાંભળે.’ Page #345 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિઃ ક્ષાયિક સમ્યગ્નદષ્ટિને જ નિશ્ચય વેઘસવેદ્યપદ (279) આ વચન કોઈ અવિરતિપણાની પ્રશંસારૂપ નથી, પરંતુ બાહ્ય-દ્રવ્ય અવિરતિ છતાં પણ સમ્યગદર્શનને, આત્મજ્ઞાનનો, આત્માનુભૂતિને કેટલે બધો અચિન્ય અપૂર્વ મહિમા છે, તે સૂચવવા માટે જ છે. વળી ભાવથી જોઈએ તે તેવા સાચા સમ્યગદર્શનને સમ્યગદષ્ટિ પુરુષ અંતરાત્માથી પરભાવથી વિરામ-વિરતિ પામ્યા જ અપૂર્વ મહિમા હોય છે. બાકી સમ્યગદર્શન ને બાહ્ય વિરતિને સુમેળ તે તે સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. પણ સમ્યગદર્શન વિનાનું જે જ્ઞાન જાણ્યું તે ન જાણ્યા બરાબર છે; મોટા મીડારૂપ-શૂન્યરૂપ છે; તેમજ સમ્યગદર્શન વિનાનું જે ચારિત્ર-વિરતિ-વ્રતપચ્ચખાણ તે પણ મોક્ષપ્રાપ્તિ અર્થે શૂન્યરૂપ-મોટા મીંડા જેવું છેએમ શ્રી ભગવતી સૂત્રમાં ભાખ્યું છે. એને જ ભાવ સૂચવતા પરમ રહસ્યપૂર્ણ પરમાર્થગંભીર શબ્દોમાં એ જ સ્થળે કવિરાજ શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે કે“જે હેય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણે નહિ, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશે જીવ કરવા નિર્મળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. આ જીવ ને આ દેહ એ ભેદ જે ભા નહી, પચખાણ કીધાં ત્યાંસુધી મેક્ષાર્થ તે ભાખ્યાં નહીં એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિમળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જે જાણિયું નિજ રૂપને, કાં તેહ આશ્રય કરજે ભાવથી સાચા મને, તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે, જિનાવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.” શ્રીમદ્ રાજચંદ્રજી આત્માનુભૂતિથી અવિનાભાવી એટલે કે નિશ્ચયથી જેમાં આત્માનુભવ હોય જ એવા સમ્યગદર્શનને આ પરમ પ્રભાવ છે. એટલે તે પ્રાપ્ત થયા પછી ફરીને દુર્ગતિને ગ થતું નથી. અત્ર કેઈને શંકા ઉદ્દભવવાને સંભવ છે કે-જેનું સમ્યગદર્શન આપીને ચાલી ગયું છે, પ્રતિપાતી થયું છે, પડી ગયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, તેનું કેમ? Page #346 -------------------------------------------------------------------------- ________________ (280) ગિદષ્ટિસમુચય એનું સમાધાન એમ છે કે એવી શંકા કરનાર અભિપ્રાય આશય સમજ નથી, કારણ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચયથી વેધસંવેદ્ય પદ હોય છે, તેને અપેક્ષીને અત્ર કથન છે, તેણે માનેલા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદની-વ્યાવહાર નિશ્ચય વેદ્ય- સમ્યગદર્શનની વાત અહીં છે નહિં. તે વ્યાવહારિક સમ્યગદર્શન સુંદર સંવેદ્ય પદ નથી, કારણકે તેથી ભવભ્રમણનો અંત આવતો નથી. ભવભ્રમણને અંત તો નિશ્ચય વેધસંવેદ્ય પદની પ્રાપ્તિ પછી જ આવે છે. માટે આ નિશ્ચય વેધસંવેદ્ય પદ જે છે, તે જ સુંદર છે, રૂડું છે, ભલું છે, નિર્વ્યાજ સાચેસાચું કલ્યાણકર છે, તે જ શીવ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. અને એ પ્રાપ્ત થયે, પ્રાયે દુર્ગતિમાં જવું જ પડતું નથી, પણ કવચિત્ કર્મવશે કરીને છેવટને માટે એકાદવાર જ જે જવું પડ્યું (મહાનુભાવ મહાત્મા શ્રેણિક મહારાજની જેમ), તે પણ ત્યાં નરકમાં પણ તેવા ક્ષાયિક સમ્યગદષ્ટિ પુરુષને માનસિક દુઃખને અભાવ હોય છે; વજન ચેખા જેમ પાકે નહિ, તેમ માનસિક દુઃખના તાપથી તેના ભાવનો પાક થતો નથી, તેના ભાવ તપતા નથી, તેને ઉન્હી આંચ પણ આવતી નથી, તે તો નિરાકુલપણે સ્વસ્વભાવમાં જ સમવસ્થિત રહી સમતાભાવે સર્વ સુખ-દુઃખ વેદે છે. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે હૈયેથી, અજ્ઞાની
Page 210
વેદે રાય”—શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે આત્માનુભવી નિશ્ચય સમ્યગદષ્ટિ સંતજન જાણે છે, વેદે છે, અનુભવે છે, ને આત્મ ભાવના ભાવે છે કે - અબધૂ ! ક્યા તેરા ? કયા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા....અબધૂ” હું નિશ્ચય એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું. બીજું કંઈ પણ, પરમાણુ માત્ર પણ, મ્હારું નથી, હું અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, ને અસંયુક્ત એ શુદ્ધ આત્મા છું. " સર્વ તરફથી સ્વરસથી નિર્ભર ભાવવાળા એક એવા સ્વને-આત્માને હું અહીં સ્વયં અનુભવી રહ્યો છું. મહારે કઈ મેહ છે નહિં–છે નહિ. હું શુદ્ધ ચિઘન તેજેનિધિ છું.” "अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी / णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमिन्र्तपि / / जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठमणण्णयं णियदं / વિસમસંગુત્ત તં સુદ્ધનચે વિયાળી -શ્રી સમયસાર Page #347 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : વેદ્યસંવેદ્ય ૫દ- “ઇએ છે જે જોગીજન” (281) સર્વતઃ સ્વનિર્ભરમાવું, રેત કાયદું સ્થનિદૈન્મ નાતિ નારિત મમ ન મેહ, શુદ્ધવિનમાનિધિમિ " –સમયસારકળશ “પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે. નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. –આનંદઘનજી. ઈત્યાદિ પ્રકારે આત્મભાવના ભાવતે આ પ્રસ્તુત પરમ ભાવિતાત્મા નિશ્ચય સમ્યગદષ્ટિ જીવ ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આકુલતા પામતો નથી, સદાય ઉદાસીન ભાવથી સ્વસ્થ રહે છે, નિરંતર આત્માના નિજાનંદમાં નિમગ્ન રહે છે. પણ આવા આ નિશ્ચય વેધસંવેદ્યપદથી અન્ય એવું જે વ્યાવહારિક વેદસંવેદ્યપદ છે, તે તે એકાંતે જ અસુંદર છે, ભલું નથી, રૂડું નથી. કારણ કે ઉપર કહ્યું તેમ તેનાથી ભવભ્રમણની રખડપટ્ટી બંધ થતી નથી, સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. હા, પુણ્યબંધ થાય છે, પણ ભવવિચ્છેદ થતા નથી, માટે તેના અવલંબને પણ પરમ સુંદર નિશ્ચય વેધસંવેદ્યપદ પામવાને નિરંતર લક્ષ આત્માથીએ રાખવો જોઈએ. अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः / पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् // 72 // અપદ જ છે પરમાર્થથી, પદ અઘસવે; પદ તે નિશ્ચય ગિનું, પદ જ વેદસંવેદ, 72 અર્થ-અવેવસંવેદ્ય પદ એ પરમાર્થથી અપદ જ છે. નિશ્ચય યોગીઓનું પદ તે વેદ્યસંવેદ્ય પદ જ છે. વિવેચન અ સંવેદ્ય પદ જે ઉપરમાં એકાંતે જ અસુંદર કહ્યું, સારૂં રૂડું નથી એમ કહ્યું, તે શા કારણથી એમ છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. અ સંવેદ્ય પદ જે પરમાર્થથી વૃત્તિઃ- વે પ -અદ્યસંવેદ્ય પદ મિથ્યાદિ આશયસ્થાન. એટલા માટે જ કહ્યું કેઘરમાર્થતા-પરમાર્થથી અપદ છે.યથાવસ્થિત વસ્તુ તવતાના અપેદનથી–અજાણપણુથી. ખરું સુ-૫ણ 50 છે. વસંવેદપાવ-વેદ્યસંઘ પદ જ-જેનું લક્ષણ કહેવામાં આવે છે તે, અનૂથ યેગથી, (શખના યથાર્થ અર્થ પ્રમાણે એ જ ‘પદ છે,) દિનિશ્ચય, જના-ગીએાનું, Page #348 -------------------------------------------------------------------------- ________________ (282) યોગદક્ટિસમુચય વિચારીએ તે “અપદ” જ છે, એને “પદ” નામ જ ઘટતું નથી. વેધસંવેદ્ય જ કારણકે તે મિથ્યાદષ્ટિવાળું આશયસ્થાન છે, એટલે સમ્યગદષ્ટિ એવા “પદ” ગીજનેને તે પદ (પગ) મૂકવાનું ઠેકાણું જ નથી, સ્થાન જ નથી. ત્યાં તે શ્રીમાન આનંદઘનજીના વચન પ્રમાણે “ચરણું ધરણુ નહિ ઠાય એવી સ્થિતિ છે. પણ રોગીઓનું ખરૂં પદ તે,-પગ મૂકવાનું સ્થાન તે, વેદ્યસંવેદ્ય પદ જ છે; કારણકે તે જ “પદ” શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે “પર” કહેવાને ગ્ય છે, તેને જ “પદ” નામ ઘટે છે. અસંવેદ્ય પદ અથવા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ જે છે તે સ્થિર નથી, અસ્થિર છે, તેને પતનને ભય છે, અને તે પિતે ભવભ્રમણને અંત કરી શકતું નથી, પણ જો તે પરંપરાએ નિશ્ચય વેધસંવેદ્ય પદનું કારણ થાય, એટલે કે તેના ઈચ્છે છે જે દ્વારા પ્રાપ્ત થયેલી ગ્યતાથી–પાત્રતાથી જીવને જે નિશ્ચય વેધસંવેદ્ય જોગીજન પદ પ્રાપ્ત થાય, તે જ
Page 211
અને ત્યારે જ જીવને ભવભ્રમણને અંત આવે છે, અને મોક્ષને પેગ થાય છે. આ નિશ્ચય વેધસંવેદ્ય પદ અસ્થિર નથી, સ્થિર જ હોય છે, તેને પતનને ભય હોતું નથી, અને તેથી શીધ્ર ભવભ્રમણ અટકી પડી મુક્તિ સાંપડે છે. આમ નિશ્ચય વેધસંવેદ્ય પદ જ મોક્ષને અવિલંબે યોગ કરાવે છે, એટલે મોક્ષના અથી યોગીજને સદાય આ નિશ્ચય વેધસવેદ્ય પદને જ ઈચ્છે છે, પરમાર્થથી તેને જ પરમ ઈષ્ટ ગણે છે, અને બાકી બીજા બધાં પદને અપદ જાણી, એક નિશ્ચય વેધસંવેદ્ય પદને જ પિતાનું પદ માને છે, તેને જ પરમ પૂજ્ય-આરાધ્ય-ઉપાસ્ય સમજી આરાધે છેઉપાસે છે. અને તેવા પ્રકારે કહે છે - वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् / तथाप्रवृत्तिबुद्धयापि स्व्याद्यागमविशुद्धया // 73 // કૃત્તિ ––વેદ્ય, વેદનીય, વેઠવા ગ્ય વસ્તુ. વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાન વડે ગ્રાહ્ય એવી વસ્તુ, એમ અર્થ છે. સંવે-સંવેદાય છે, ક્ષયપશમને અનુરૂ૫૫ણે નિશ્ચય અહિથી પણ જણાય છે, પરિમ-જેમાં, જે પદમાં–આશયસ્થાનમાં, તે કેવું વિશિષ્ટ ? તે માટે કહ્યું અવસાનિધન-અપાય આદિનું નિબંધન-કારણ, નરક-સ્વગ વગેરેનું કારણ, ચારિ-આદિ, તથા–તેવા પ્રકારે જેથી સામાન્યથી અનુવિદ્ધ (સામાન્ય સાથે સંકળાયેલું) અગ્રવૃત્તિવૃષિ -અપ્રવૃત્તિબુદ્ધિથી પણ. એટલે કે તેના ઉપાદાન-ત્યાગ આશયામક બુદ્ધિથી, તેના ઉપાદાન-ત્યાગ (ગ્રહણ -ત્યાગ) આશયવાળી બુદ્ધિવડે કરીને, હવે-સંવેદાય છે, (સ્ત્રીઆદિ વેદ્ય) સામવિશુદ્ધા-આગમથી વિશુદ્ધ એવી. એટલે શ્રતથી જેને વિપર્યયમલ દર કરાવે છે એવી બુદ્ધિથી. પ્રેક્ષાવંતને-વિચારવાનું છેવાને પણું આ જ પ્રધાન બંધકારણ છે, એટલા માટે સ્ત્રીઆદિ ગ્રહણ કર્યું, Page #349 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : વેદ્ય પદની વ્યાખ્યા, નારી નિદા (283) અપાય આદિ નિદાન જ્યાં, સ્ત્રી આદિ વેદ્ય વેદાય; આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; 73. અર્થ –જેમાં,-અપાય આદિના કારણરૂપ સ્ત્રી આદિ વેદ્ય-દવા યોગ્ય વસ્તુ, આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ, સંવેરાય છે, - (આ લેકને ઉત્તર સંબંધ નીચેના શ્લોકમાં છે. ) વિવેચન નરક-સ્વર્ગ વગેરે અપાયના નિબંધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે-સમ્યક્ પ્રકારે વેદાય છેઅનુભવાય છે, તેનું નામ વેદ્યસંવેદ્ય પદ છે, એમ પછીના લેકમાં સંબંધ છે. ) તે આ પ્રકારે વેદ્ય એટલે વેદનીય, દવા યોગ્ય, અનુભવવા યોગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય-ગ્રહણ થાય એવું વેદવા વસ્તુસ્વરૂપ. ભાગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દર્શનજ્યાં સ્ત્રી આદિ અનુભવન-વેદન થવા ગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે સ્ત્રી વેધ સંવેદાય વગેરે પદાર્થ –કે જે નરક-સ્વર્ગ વગેરેના કારણે થાય છે. આ સ્ત્રી આદિ તે વે. સં. પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે જેમ છે તેમ, ભાવગીને સામાન્યપણે વેદના અનુભવન થવું, તે વેદ્ય છે. આ સ્ત્રી આદિ વેદ્ય-અનુભવ ચોગ્ય વસ્તુ જ્યાં પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે, સમ્યક પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે (વેદ્યસંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના લેકમાં સંબંધ છે.) એટલે કે નરકાદિ અપાયના કારણરૂપ સ્ત્રી આદિનું જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શન થવું, અનુભવન થવું તે વેધસંવેદ્ય પદ છે. આ નિશ્ચયબુદ્ધિ આગમથી–સશાસ્ત્રથી વિશુદ્ધ થયેલી એવી હોય છે, તેનો વિપર્યય મલ-વિમર્યાસ મલ આગમરૂપ નિર્મલ જલથી ધોવાઈ ગયે હોય છે. અને આ નિશ્ચયબુદ્ધિમાં સ્ત્રી આદિ પદાર્થ પ્રત્યે તથા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ આગમવિશુદ્ધ હોય છે, એટલે કે વેદ્યસંવેદ્યપદ-સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી, આ અપ્રવૃત્તિબુદ્ધિ સ્ત્રી આદિ પદાર્થ હેય છે, ત્યાગવા લાગ્યા છે, છેડી દેવા ગ્ય છે, અનાદેય છે–ગ્રહણ કરવા યોગ્ય નથી, એ દૃઢ
Page 212
નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એ નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્યગ Page #350 -------------------------------------------------------------------------- ________________ (284) ગદરિસમુચ્ચય દષ્ટિ પુરુષને, પૂર્વકમથી કદાચ ત્યાગ ન કરી શકાય તે પણ, સ્ત્રી આદિ અપાયહેતુ પ્રત્યે અંતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદ્ધિ જ હોય તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવતે નહિ જ. કારણ કે “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય, તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે ક્ય નથી, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન થતો હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણે. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે કયાંય ક્ષણવાર સ્થાયી થવાને વિષે છે નહીં.” (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક 371. (454) અત્રે સ્ત્રીનું મુખ્યપણું કહ્યું, તેનું કારણ એ છે કે ભલભલા મોટા વિચારશીલ જીવને પણ સ્ત્રી એ મોટામાં મોટા પ્રતિબંધનું કારણ થઈ પડે છે. દુર્ભય કામચાંડાલ પંડિતેને પણ પડે છે. “સ્ત્રી વગેરે મોટા ફાંસાથી ખૂબ જકડાયેલા સંસારી મુસાફરે “ભવ' નામના મોટા અંધારા કૂવામાં પડે છે.” માટે મુખ્ય એ આ સ્ત્રી–પ્રતિબંધ ટળતાં, બીજા પ્રતિબંધ પણ સહેજે તૂટવાનો અવકાશ મળે છે. * “આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ. એક વિષયને જીતતાં, છતિએ સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિએ, દળ પુર ને અધિકાર.” –શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા. જીવને આ જગતમાં જે મોટામાં મોટું અપાયનું-આત્મહાનિનું કોઈ કારણ હેય, કલ્યાણનું મોટામાં મોટું પ્રતિબંધક કઈ પણ કારણ હોય, તે તે સ્ત્રી જ છે. એટલા માટે જ જ્ઞાની પુરુષોએ આ સ્ત્રીની નિંદા કરવામાં કાંઈ બાકી રાખી નથી. નારી નિંદા જેમ કે-વાણીમાં * જે અમૃત અને હૃદયમાં હાલાહલ વિષ ધારે છે એવી આ નિસર્ગ–કુટિલ સ્ત્રી કેણે નિર્માણ કરી છે તે અમે જાણતા નથી ! * “નિચ: જામવાળ્યા: વંદિતાન વચેત દિ નાળામરાસ્ત્રાર્થોધોધ મન્ - શ્રી અધ્યાત્મસાર, "अङ्गनादिमहापाशैरतिगाढं नियंत्रिताः / पतत्यंधमहाकूपे भवाख्ये भविनोऽध्वगाः // " –શ્રી શુભચંદ્રાચાર્યજી પ્રણીત શ્રી જ્ઞાનાર્ણવ, *"धारयन्त्यमृतं वाचि हृदि हालाहलं विषम् / निसर्गकुटिला नार्यो न विद्मः केन निर्मिताः॥ वनज्वलनलेखेव भोगिदंष्ट्रेव केवलम् / वनितेयं मनुष्याणां संतापभयदायिनी।" Page #351 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદિષ્ટ ભેદવિજ્ઞાન-મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન (285) વજગ્નિની લેખાની જેમ અને સાપની દાઢની જેમ આ વનિતા મનુષ્યને કેવળ સંતાપ અને ભય આપનારી છે. સંતેના પણ ચિત્તમાં વસતિ બાંધતી એવી આ નિ:શંક સ્ત્રી જગતુપૂજ્ય એવા ગુણસમૂહને ઉદ્દવાસિત કરે છે–દેશવટો દે છે. ક્રોધ પામેલી કુંફાડા મારતી નાગણને આલિંગન કરવું સારું, પણ નરકપદ્ધતિરૂપ નારીને કૌતુકથી પણ આલિંગવું સારું નહિં. ઇઢિયાર્થીને પ્રકોપ કરનારી સ્ત્રી પુરુષોના હૃદયમાં એ દાહ ઉપજાવે છે કે જેવો સ્પર્શવામાં આવેલી અગ્નિશિખા ઉપજાવતી નથી. સ્ત્રી સંધ્યાની પેઠે ક્ષણરાગવંતી છે, નિમ્ન (નદી ) જેમ નીચ-પ્રિયા છે, તથા બીજના ચંદ્રમાની પેઠે વક-વાંકી હોય છે. ઈત્યાદિ. અને આમ સ્ત્રીનું સ્વરૂપ જેમ અત્યંત હેયબુદ્ધિથી સંવેદાય છે, તેમ “આદિ” શબ્દથી અન્ય સર્વ વસ્તુસ્વરૂપ પણ તેના યથાર્થ સ્વરૂપે અત્રે સમ્યગૃષ્ટિ પુરુષને સંવેદાય છે. તેથી તે સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ હેય-ઉપાદેય ત્યાગવા યોગ્ય છે, અને આ વસ્તુ આદરવા ગ્ય-ગ્રહણ કરવા યોગ્ય વિવેક છે, એ સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છાપપણે અંકિત થઈ ગયેલ હોય છે. એટલે ભલે કદાચ તે તે પ્રમાણે
Page 213
આચરણ ન પણ કરી શકે, અર્થાત્ સ્ત્રી આદિ હેય છે, તેને તે ત્યાગ ન કરી શકતો હોય, અથવા વિરતિ-પ્રત્યાખ્યાન આદિ આદેય છે, તેનું તે ઉપાદાન-ગ્રહણ ન કરી શકતો હોય, તે પણ આ વસ્તુ ચેકકસ છોડી દેવા ગ્ય છે, અને આ વસ્તુ ચોક્કસ આદરવા યોગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણ ફેર પડતો નથી. કર્મદેષ વશે તેમ કરવાની કદાચ પિતાની અશક્તિનિર્બળતા હોય તે તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય ખેદ રહે છે કે અરે ! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિ આદિ હું આદરી શકતો નથી. આમ તે જ્ઞાનીના અંતમાં ભેદ પડી જાય છે, અજ્ઞાનીને તેવો સંવેદનરૂપ અંતરભેદ હેતું નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં, વૃત્તિમાં, અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થયું છે. સ્વ-પર વસ્તુને ભેદ તેણે જાણે છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એવા બીજભૂત-મૂળભૂત જ્ઞાનનું અંતઃપ્રતીતિમય અખંડ સંવેદન–અનુભવને તેને વતે છે. સ્વપરના ભેદવિજ્ઞાનરૂપ उद्वासयति निःशङ्का जगत्पूज्यं गुणव्रजम् / बनती वसति चित्ते सतामपि नितम्बिनी / / वरमालिङ्गिता क्रुद्धा चलल्लोलाऽत्र सर्पिणी / न पुनः कौतुकेनापि नारी नरकपद्धतिः // हृदि दत्ते तथा दाहं न स्पृष्टा हुतभुशिखः / वनितेयं यथा पुंसामिन्द्रियार्थप्रकोपिनी / / सन्ध्येव क्षणरागाढथा निम्नगेवाधरप्रिया / वक्रा बालेन्दुलेखेव भवन्ति नियतं स्त्रियः / / " -- શ્રી જ્ઞાનાર્ણવ Page #352 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય આ આત્મસંવેદન સર્વ ભાવગીને સામાન્ય ( Common) છે. એટલે કે અવિકલ્પ જ્ઞાનવડે (દશનવડે) ગ્રાહ્ય એવી વિદ્ય વસ્તુનું આ સામાન્ય દર્શન સર્વ ભાવગીને હોય છે, અને તેઓને આ વેદ્ય વરતુ પોતપોતાના ક્ષપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દર્શન જે થયું તેનું સમ્યગ દર્શન-શ્રદ્ધાન-આત્મસંવેદન– અનુભવન–સંપ્રતીતિ તે તે સર્વને સામાન્ય છે. અર્થાત્ જે કઈ ભાવગી છે, તેને આ સમ્યગદર્શનરૂપ વેદ્યસંવેદ્ય પદ હોય છે અને જેને આ સમ્યગદર્શનરૂપ વેધસંવેદ્ય પદ છે, તે જ ભાવગી છે. સમ્યગૃષ્ટિ પુરુષ એ જ ભાવગી છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નિકળે છે કે બાધબીજભૂત-મૂળભૂત આત્મસંવેદનવાળું, આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદ્યસંવેદ્ય પદ છે. પણ તે બીજભૂત જ્ઞાન વિનાનું-આત્મસંવેદન વિનાનું બીજું બધુંય મૂળ વસ્તુનું ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તે ત્યાં વેદ્યસંવેદ્ય પદ નથી. એટલા બીજભૂત જ્ઞાન માટે જ સ્વ-પર ભેદવિજ્ઞાનરૂપ મૂળ બીજભૂત આવશ્યક તત્વમય જ્ઞાન જેને હતું, પણ બીજુ કાંઈ પણ જ્ઞાન જેને હતું, એવા “તુષમાષ” જેવા અતિ મંદ ક્ષપશમી પણ તરી ગયા છે; અને ચૌદ પૂર્વ કંઈક ઊણું જાણનારા અતિમહા ક્ષપશમી શાસ્ત્રપારંગત પણ રખડ્યા છે, તેનું કારણ આ બીજભૂત સંવેદન જ્ઞાન હતું એ છે. તેમણે સર્વ શાસ્ત્ર જાણ્યા, પણ મૂળ બીજભૂત જે આ વેદ્યસંવેદ્ય પદ તે ફરહ્યું નહિં, આ જીવ અને આ દેહ એવો સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યો નહિં, તેથી તેમ થયું. આમ મૂળ બીજભૂત જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસંવેદ્ય પદના સદ્દભાવે ડું જઘન્ય જ્ઞાન પણ શીધ્ર મહાકલ્યાણકારી થાય છે, અને તેને અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવું કલ્યાણકારી થતું નથી. આ વેદ્યસંવેદ્ય પદનો-સમ્યગ દર્શનને અતિ અતિ અદ્ભુત મહિમા બતાવે છે. આ અંગે અતિ અદ્દભુત ચમત્કારિક રહસ્યમય સમાધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત કર્યું છે - બીજુ પ્રશ્ન. ચૌદ પૂર્વધારી કંઈ જ્ઞાને ઊણુ એવા અનંત નિગોદમાં લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ?–એને ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છું કે એ
Page 214
જઘન્ય જ્ઞાન બીજુ અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મેક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુનાં જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લહયાર્થીનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બેધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણું ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશ ઊણું કહેવાથી Page #353 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સવેદ્ય પદ જ યથાર્થ પદ-આત્મસ્વભાવ ૫દ (287) આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનને અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કઈ ભાષા અઘરી, અથવા અર્થ અઘરે નથી કે સ્મરણમાં રાખવું તેમને દુલ્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે : શાસ્ત્રો (લખેલાંનાં પાના) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું છે. કારણ બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વનું તે જ છે. તે પણ હવે બીજા નય પર દષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણ શાહ્યાભ્યાસ હશે તે કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ પામશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસને નિષેધ અહીં કરવાને હેતું નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ.” ઇત્યાદિ.-(જુઓ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક 125. (139) तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् / अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते // 74 // તે પદ સમ્યફ સ્થિતિ થકી, ભિન્ન ગ્રંથ્યાદિરૂપ; “વેદ્યસંવેદ્ય શાસ્ત્રમાં, કહ્યું અર્થ અનુરૂપ. 74 અર્થ-તે ભિન્નગ્રંથિ વગેરે લક્ષણવાળું પદ, સમ્યફ અવસ્થાન-સ્થિતિને લીધે, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, શાસ્ત્રમાં “વેદ્યસંવેદ્ય” કહેવાય છે. વિવેચન ઉપરમાં કહ્યા પ્રમાણે, જ્યાં સ્ત્રી આદિ વેદ્ય યથાવસ્થિતપણે, જેમ છે તેમ, સંવેદાય વૃત્તિ –તપુરમ-તે પદ પદન થકી પદરૂપ થવાથી પદ, એટલે આશયસ્થાન, સાગરકથાનાસાધુ અવસ્થાનને લીધે, પરિચ્છેદથી સમ્યફ અવસ્થાનને લીધે, સમ્યફ સ્થિતિથી. મિત્રાચાસ્ત્રિક્ષળમુભિન્નગ્રંથિ આદિ લક્ષણવાળું, ભિન્નગ્રંથિ-દેશવિરતિરૂ૫. શુંતે કે–ચશ્વર્થાત –અન્વથ યોગથી, તંતંત્રમાં, સિદ્ધાંતમાં, વેચવેચમુચત્તે-વેધસંવેદ્ય કહેવાય છે.-આના વડે કરીને વેવ સંદાય છે, એટલા માટે. " Page #354 -------------------------------------------------------------------------- ________________ ( ર૮૮) ગદષ્યિસમુચ્ચય છે, આત્માનુભવગોચર થાય છે, તે પદ વેદ્યસંવેદ્યપદ નામથી શાસ્ત્રમાં ઓળખાય છે. સમ્યફ પ્રકારે અવસ્થાનવાળું, સ્થિતિવાળું, સ્થિરતાવાળું હોવાથી તેને વેદ્યસંવેદ્ય તેજ ‘પદ’ નામ બરાબર ઘટે છે, કારણ કે “પદ” એટલે પદ-પગ મૂકવાનું યથાર્થ ‘પદ સ્થાન; અને તે સ્થિરતાવાળું હોય, ડગમગતું ન હોય, તે જ ત્યાં પદ (પગ) મૂકી શકાય નહિં તે ત્યાં ચરણ ધરણ નહિં ઠાય.”ત્યાં પગ મૂકી શકાય જ નહિ. પણ અત્રે તો ભાવથી તેવી
Page 215
સ્થિરતા હોય જ છે, એટલે આ પદને “વેદ્યસંવેદ્ય પદ” નામ આપ્યું, તે તે શબ્દના યથાર્થ અર્થમાં બરાબર ઘટે છે, પરમાર્થથી તેમ જ છે. કારણ કે આ વેધસંવેદ્ય પદ સ્વસંવેદનરૂપ-આત્માનુભવ પ્રધાન છે. અને આ આત્મ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે, કારણ કે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે, તે જ ત્રિકાલાબાધિતપણે સ્થિર હોય છે, આત્મસ્વભાવ એટલે તે સહજાન્મસ્વરૂપ પદનું–શુદ્ધ આત્મસ્વભાવનું જે નિશ્ચયરૂપ પદ” ભાન થવું, અનુભવન થવું, સંવેદન થવું, તે પણ ત્રણે કાળમાં ફરે નહિં એવું સ્થિર નિશ્ચલ હોઈ “પદ' નામને ગ્ય છે. તે સિવાયનાઆત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા બીજા બધાય કહેવાતા પદ તે પદ નથી, પણ અપદ છે, કારણ કે તે સ્વભાવરૂપ ન હોવાથી, અસ્થિર છે, અનિયત છે. એટલે આ અસ્થિરરૂપ દ્રવ્ય-ભાવ અપદોને મૂકી દઈ, નિશ્ચય સમ્યગદષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર, એ સ્વભાવથી પ્રાપ્ત થતે ભાવ (પદ) ગ્રહણ કરે છે. "आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। थिरमेगमिमं भावं उवलभंतं सहावेण // " . –શ્રી સમયસાર, ગા. 203 કારણ કે * આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવોની મધ્યે જે અતત સ્વભાવથી ઉપલબ્ધ થતા–અનુભવાતા, અનિયતપણાની અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, એવા વ્યભિચારી ભાવે છે, તે સર્વેય પિતે અસ્થાયીપણાને લીધે સ્થિતિ કરનારનું સ્થાન થવાને અશક્ય હોવાથી અપદરૂપ છે. અને જે તત્ સ્વભાવથી–આત્મસ્વભાવથી ઉપલબ્ધ અપદ અનેક, થત–અનુભવાતે, નિયતપણાની અવસ્થાવાળે, એક, નિત્ય એ પદ એક જ અવ્યભિચારી ભાવ છે, –તે એક જ, પોતે સ્થાયીપણાને લીધે સ્થિતિ * " इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः, अनेके, क्षणिकाः, व्यभिचारिणो भावाः ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थान भवितुमशक्यत्वात अपदभूताः। यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावत्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः / ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं, परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाय / / " –શ્રી અમૃતચંદ્રાચાર્યજીની સમયસાટીકા, ગા. 203 Page #355 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સ્વરૂપ પદને મહિમા-સમ્યગૃષ્ટિની ચરણ ધારા (289) કરનારનું સ્થાન થવાને શક્ય હોવાથી, પદરૂપ છે. તેથી કરીને સર્વેય અસ્થાયી ભાવેને મૂકીને, સ્થાયી ભાવરૂપ, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, એવું આ જ્ઞાન એક જ સ્વાદ્ય-સ્વાદ લેવા ગ્ય છે, –(સંવેદ્ય છે). તાત્પર્ય કે સહજ સ્વભાવરૂપ જ્ઞાયક એવા એક આત્મભાવ જ-આત્મપદ જ સ્થાયી છે, સ્થિર છે, એટલે ત્યાં જ સ્થિતિ-સ્થિરતા થઈ શકે, માટે તે જ પરમાર્થથી ખરેખરૂં પદ છે. બાકી એ આત્મભાવ સિવાયના બીજા બધાય ભાવે પિતે જ અસ્થાયી છે, અસ્થિર છે, ડગમગતા છે, એટલે ત્યાં સ્થિતિ–સ્થિરતા થઈ શકવી સંભવતી નથી, માટે તે બધાય અપદ છે. અને આ આત્મપદરૂપ પારમાર્થિક પદ તે સ્વસંવેદનજ્ઞાની સમ્યગદષ્ટિને સાક્ષાત્ અનુભવગોચર હોય જ છે, એટલે તે સ્થિર પદમાં તેની સ્થિતિ હોવાથી, એના એ વેદ્યસંવેદ્ય પદને “પદ” કહ્યું તે સર્વથા યથાર્થ છે. આ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પદની પરમ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષોએ ઠેર ઠેર મુક્તકંઠે સ્તુતિ કરી, તે સ્વરૂપ પદને ખૂબ મહિમા ગાય છે. જેમકે જે સ્વરૂપ સમજ્યા વિના પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત. ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.”–પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી. ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ વિમલજિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ૦ અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય શાંત સુધારસ ઝીલતી
Page 216
રે, નીરખત તૃપતિ ન હોય...વિમલ”—ગિરાજ આનંદઘનજી. “શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભાવભયથી ટળિયાજી.”—તત્ત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી. આમ આ સ્વસંવેદનરૂપ-આત્માનુભવરૂપ વેધસદ્ય પદ સમ્યક સ્થિતિવાળું હોય છે અને ગ્રંથિભેદ, દેશવિરતિ આદિ લક્ષણોથી તે સૂચિત થાય છે. “આ કર્મ– ગ્રંથિ જે અત્યંત કલેશ ઉપજાવનારી અને પર્વત જેવી મહાબલવાળી હોઈ ભેદી દુષ્કર છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ (290) યોગદષ્ટિસમુચય તે જ્યારે તીક્ષણ ભાવ વજથી ભેદાઈ જાય છે, ત્યારે આ સમ્યગદષ્ટિ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે,–જેમ રેગીને ઔષધવડે કરીને રેગ દૂર થતાં ઉપજે છે તેમ.” (ગબિ ) A દેશવિરતિ-સમ્યગદર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદસંવેદ્ય પદનું લક્ષણ છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરપરિણતિથી-પરભાવથી ભાવ દેશવિરતિ ઓસરતે જાય છે, અને સ્વભાવ૫રિણતિ ભણી ઢળતી જાય છે–સંચર આદિ જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા - જિનસ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિકાળથી વિસરાઈ ગયેલા આત્મ- સ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ અવશ્યમેવ સકલ વિભાવ ઉપાધિથી ભાવથી પાછા હઠ છે, ઓસરે છે, પ્રતિક્રમે છે અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે પ્રવર્તે છે. અને આમ અનાદિની મહાદિની વૃમિ (ઘૂમાવે-જમણે) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એ આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્ત્વરમણરૂપ શુચિ-પવિત્ર-શુલ–શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે, અને સમતારસના ધામરૂપ જિનમુદ્રાનેસમ્યગ્દષ્ટિની શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિનદર્શન આદિ શુદ્ધ ઉત્તમ ચરણુધારા નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધમ્યથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી–અનુસરતું વીર્ય–આત્મસામર્થ્ય પ્રવર્તે છે અને તે “ચરણુધારા” આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ–સર્વવિરતિ આદિને ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન તત્ત્વદષ્ટા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત્ જિનદર્શનને અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે - “દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો... હે લાલ ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો. , સકલ વિભાવ ઉપાધિ થકી મન એસ , ,, સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો..,, ,, દીઠો. મહાદિની ધૂમિ અનાદિની ઉતરે..... , અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે..,, , તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે., , તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે, , દીઠે x जह मूलाओ खंधो साहापरिवारबहुगुणो होइ। ત૬ Hિસામૂ ગિઠ્ઠિો મોવ4Hf/રસ -શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી અષ્ટપ્રાભૃત, Page #357 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ અજ્ઞાનરૂપ અઘસવ ભવાભિનંદીને (291) પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે..હો લાલ. દ્રવ્ય તણે સાધમ્ય સ્વ સંપત્તિ ઓળખે છે, ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે..., , રુચિ અનુયાયી વય ચરણધારા સધ... હો લાલદીઠો”—શ્રી દેવચંદ્રજી. આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે, એટલે સ્ત્રી આદિ સમસ્ત પરભાવ હેય છે ત્યાગવા લાગ્યા છે, અને એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે-ગ્રહણ કરવા એગ્ય છે, એવો નિશ્ચલ નિશ્ચયરૂપ વિવેક આત્મગ્રાહક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશથયે ટળે પર- વિરતિ, સર્વવિરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે. અને આ ગ્રહણુતા” સમસ્તની પરમ રહસ્યભૂત મુખ્ય ચાવી (Master-Key) આ છે કે આત્માને ગ્રાહક થાય એટલે પરનું ગ્રહણપણું એની મેળે છૂટી જાય છે, તને ભેગી થાય એટલે પરનું ભાગ્યપણું આપોઆપ ટળે છે. આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણતા, તત્ત્વભેગી થયે ટળે પરોગ્યતા. ધર્મ " શ્રી દેવચંદ્રજી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે ક્ષાયિક સમ્યગદષ્ટિપણું એ જ નિશ્ચય વેધસંવેદ્ય પદ છે, એ જ સાચું સમકિત, પારમાર્થિક સમ્યગદર્શન છે. એ “પદની પ્રાપ્તિ વિના
Page 217
વ્યવહાર સમ્યગદર્શન માત્રથી પિતાનું વાસ્તવિક સમકિતીપણું માની બેસનારા ભ્રાંતિમાં રમે છે, અને તેવી ભ્રાંતિથી આગળ આધ્યાત્મિક પ્રગતિ કરતાં અટકે છે. પણ જે વ્યવહાર સમ્યગદર્શન માત્રથી સંતોષ ન માનતાં, વ્યવહાર સમ્યગદર્શનના આલંબન સાધનથી પણ સાધ્ય નિશ્ચય સમ્યગુદર્શનને નિરંતર લક્ષ રાખી-તાવિક નિશ્ચય વેધસંવેદ્ય પદને ઝંખતા રહી તેની પ્રાપ્તિ વિના જંપતા નથી, તે અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા રહે છે. એ આ ઉપરથી સહેજે સમજાય છે. રતિ રે વાધિશ્વરઃ - અવેધસંવેદ્ય પદ અધિકાર તેનાથી અન્ય કહે છે - अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् / भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् // 75 / / ' કૃત્તિ - સાવ વિપતિ–અઘસવેદ્ય પદ વિપરીત, તો આનાથી, આ વેવસંધ પદથી, મત-મત છે, ઇષ્ટ છે, માનેલું છે, તે આ પ્રકારે -" અવે એટલે અવેદનીય–ને વેદી શકાય તે, વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકટપક જ્ઞાનવર્ડ ગ્રાહ્ય નહિં તે-ગ્રહણ ન કરી શકાય એવું તથાપ્રકારના Page #358 -------------------------------------------------------------------------- ________________ (292) યોગદક્ટિસમુચય પદ અઘસંવેદ્ય તે, એહ થકી વિપરીત; ભવાભિનંદી વિષચી તે, સમારે પણ સહિત. 75, અર્થ –એનાથી વિપરીત તે અસંવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિનદી છે, -(ભવાભિનંદી જીવને તે હોય છે); અને તે સમાપથી સમાકુલ એવું હોય છે. વિવેચન “એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસંવેદ્ય ભવભિનંદી જીવને જી, હોય તે વજી અભેદ્ય મની”—શ્રી જે. દ. સજઝાય. 4-8 ઉપરમાં જે વેધસંવેદ્ય પદનું લક્ષણ કર્યું, તેનાથી વિપરીત-ઉલટા પ્રકારનું જે છે, તે “અદ્યસંવેદ્ય પદ’ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છેઃ અવેદ્ય એટલે અવેદનીય,-ન વેદાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે જે ગ્રાહ્યગ્રહણ કરી શકાય એવું નથી, તે અવેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પરિઅવેદ્ય ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ “અવેવ” કહ્યું છે. એટલે શું? ભાવગીઓને સામાન્યપણે વસ્તુસ્થિતિનું અમુક પ્રકારનું સામાન્ય સમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગદર્શન હોય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસંવેદન, સમ્યગદર્શન, અનુભૂતિ હોય છે. જેમકે-છે દેહાદિથી ભિન્ન આતમા રે”—એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવને નિશ્ચય સામાન્યપણે સર્વ ભાવગીઓને હોયજ છે. એવો અનુભવ અવિકલ્પરૂપ-નિર્વિકલ્પ બેધરૂપ હેય છે, એમાં કઈ પણ વિકલ્પ હોતું નથી, એટલે તવવિનિશ્ચયરૂપ આ નિવિકલ્પ અનુભવ સમ્યગદર્શન સ્વરૂપ છે. કારણ કે “દશન” અવિકલ્પરૂપ કહ્યું છે, ને જ્ઞાન સમાન પરિણામની અનુપત્તિને લીધે. (તેવું સમાન પરિણામ ઘટતું નથી તેથી). આવું જે “અ " તે સંદાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષપશમને અનુરૂપપણે ઉપક્ષવસારવિપસરૂ૫ (ગોટાળાવાળી ) એવી નિશ્ચયબુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણ જલની જેમ જે પદમાં જણાય છે, તે તથા પ્રકારનું અદ્યસંવેદ્ય છે. એટલા માટે જ કહ્યું - મવામિનવિષચં–ભવાભિનંદી જેને વિષમ છે એવું, ભવાભિનંદીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. (ભવાભિનંદી એટલે ભવ-સંસારને અભિનંદનારે, વખાણનારે, સંસારમાં રાચનારે ). સમારોપણમવુમ્-સમારોપથી સમામુલ–અત્યંત આકુલ. મિથ્યાત્વના દેષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારોપથી તેવા પ્રકારે પણ તે મલિત છે, એમ અર્થ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સમારે પરૂપ અઘસવેદ્ય પદ (૨૦) વિકલ્પરૂપ છે. પણ અદ્ય”માં તે તેવા પ્રકારનું ભાવગીગમ્ય એવું કઈ પણ સામાન્ય સંવેદન-દર્શન હોતું નથી. તેથી જ તેને “અદ્ય” નામ આપ્યું છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે ભાવગીઓની સામાન્યપણે પોતપોતાની આત્મદશા અનુસાર જૂદી જૂદી સમાન કક્ષાઓ હોય છે, કે જેમાં સામાન્યપણે વસ્તુસ્થિતિ પ્રમાણે અમુક વસ્તુનું અમુક પ્રકારનું સમાન સંવેદન, દર્શન, અનુભવન હોય છે. પણ આ “અવેદ્યમાં તે એવી કોઈ સમ્યગદષ્ટિની કક્ષાના સમાન સંવેદના પરિણામની ઉપપત્તિ થતી નથી, અદ્ય” એવી કઈ જઘન્ય કોટિમાં પણ આવતું નથી–પ્રાપ્ત થતું નથી, એટલે જ એને “અદ્ય' કહ્યું છે. સંવેદ્ય
Page 218
એટલે એવું અને જ્યાં સદાય છે, જણાય છે, અનુભવાય છે તે અત્રે મિથ્યાત્વનો સદ્ભાવ હોવાથી જ્ઞાન અજ્ઞાનરૂપ જ હોય છે. એટલે તે અજ્ઞાનનું આવરણ જેટલું ખસ્યું હોય, તેટલા ક્ષયોપશમ પ્રમાણે ઉપપ્પવરૂપ-વિપર્યાસરૂપઅજ્ઞાનરૂપ ગડબડગોટાળારૂપ નિશ્ચયબુદ્ધિથી જે અજ્ઞાનરૂપ જ્ઞાન-જાણપણું અત્રે મિથ્યા સંવેદન થાય છે, તે મૃગતૃષ્ણા જેવું ખોટું હોય છે. મૃગતૃષ્ણા (ઝાંઝવાનું જલ) જેમ જૂઠી હોય છે, મિથ્યા હોય છે, તેમ આ અદ્યસંવેદન પણ જૂઠું છે, મિથ્યા છે; કારણ કે મિથ્યાભાસરૂપ બેટા ઝાંઝવાના પાણીને સાચા માનવારૂપ મિથ્યા ભ્રાંતિ-ભ્રમણ અહીં હોય છે. પરમ* તાત્વિકશેખર શ્રીમાન અમૃતચંદ્રાચાર્યજી અજ્ઞાનથી મૃગતૃષ્ણાને-ઝાંઝવાના જલને જલબુદ્ધિથી પીવાને મૃગલાઓ દોડે છે, અજ્ઞાનથી અંધકારમાં રજુને વિષે સપની ભ્રાંતિથી લેકે ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચકન કરવાવડે કરીને આ (આત્મા), પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં, વાયુથી જેમાં તરંગ ઊઠે છે એવા સમુદ્રની પેઠે, કર્તા થઈ આકુલ બને છે. આવા અજ્ઞાનથી ઝાંઝવાના જલ જેવું મિથ્યાભાસરૂપ સંવેદન જ્યાં થાય છે, તે અવેધસંવેદ્ય પદ છે, અને વાસ્તવિક રીતે તે તે ઉપર કહ્યું તેમ “પદ” નામને પણ યોગ્ય નથી. આવું આ અદ્યસંવેદ્ય પદ ભવાભિનંદી જીવને હોય છે. ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનંદનારે, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારથી રાચનાર, સંસારમાં રપ રહેનાર, સંસાર જેને મીઠો લાગે છે (Hails) એવો વિષયકષાયને કીડો, ક્ષુદ્ર જંતુ આનું લક્ષણ હવે પછી કહેશે. • " अज्ञानान्मृगतृष्णिको जलधिया धावंति पातुं मृगाः । अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रजौ जनाः ॥ अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत । ધ્વજ્ઞાનના અપ વાન ચમત્સાહ: શ્રી સમયસાર કલશ, ૫૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ (૨૯૪) યોગદષ્ટિસમુચ્ચય વળી આ આવેદ્યસવેદ્ય પદ સમારેાપથી સમાકુલ હાય એટલે કે આમાં એક વસ્તુનું ખીજી પર આરાપણુ હાય છે, ઉપચાર હાય છે, એકની ટાપલી ખીજાને માથે એઢાડવામાં આવે છે, પરવસ્તુમાં સ્વનું-પેાતાનુ આરેપણ કરાય છે, સ્વવસ્તુમાં પરનુ આપણુ કરાય છે. એટલે અવેદ્યસ'વેદ્ય પદમાં સ્થિતિ કરતા ભવાભિનંદી જીવ પરવસ્તુને પેાતાની માની બેસે છે, દેહાદિમાં આત્માના અધ્યાસ-આત્મબુદ્ધિ કરે છે, બીજાની બેઠક ઉપર પાતે ચઢી એસે છે, પારકી ગાદી ાતે પચાવી પાડે છે! આત્મા પાતે જ સુખસ્વરૂપ છતાં તે સુખના આરેપ પુદ્ગલ-વિષયમાં કરે છે! અને તે સમારોપની આકુલતાનું ફૂલ પણ પાતે આકુલતામય દુઃખત્રરૂપે ભગવે છે!! કારણ કે આ સમારેપણુ મિથ્યાત્વદેષથી અપાયગમનાભિમુખ–નરકાદિ અપાય પ્રત્યે જનારા જીવને હાય છે; તેથી આત્મસ્વરૂપની હાનિરૂપ અપાય થાય છે, અને નરકાદિ અપાયની પ્રાપ્તિથી આકુલતારૂપ દુઃખ ઉપજે છે. સમારાપ સમાકુલ આ જે સમારાપણુ ઉપચાર છે તે વ્યવહાર નયના વિષય છે. એટલે અવેદ્યસ‘વેદ્ય પદ્મવાળા જીવ વ્યવહારપ્રધાન દૃષ્ટિવાળા હેાય છે. અને વ્યવહારમાં જ જેની દૃષ્ટિ રહ્યા કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાના લક્ષ થતા નથી, તે તે વ્યવહારના વ્યવહારે કાંઈ અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ચક્રાવામાં જ ભમ્યા કરે છે, ન આવે પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુની પ્રાપ્તિ થતી નથી; કારણ કે હાથ ’ ઉપચારરૂપ-સમારેાપરૂપ વ્યવહારને જ લક્ષ રાખ્યા કરે, તેના હાથમાં કાંઇ વસ્તુ આવતી નથી; એક પરમાનેા જ લક્ષ રાખી જે પ્રવર્તે, તેને જ વસ્તુગતે વસ્તુ પ્રાપ્ત થાય છે,-જેમ વેદ્યસ'વેદ્ય પદવ'તને થાય છે તેમ. તે રજે એક તંત રે; તેહના ભેદ અનંત રૈ-ધર્મ પરમ અરનાથના કાંઇ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે-ધરમ” શ્રી આન‘ઘનજી. “પરમારથ પથ જે વહે, વ્યવહારે લખ જે રહે, વ્યવહારે લખ દાહિલે, આવું સમારોપવાળુ અવેધસ વેધ પદ મિથ્યાત્વદેષથી ઉપજતુ. હાઈ ગલત છે, મિથ્યા છે, મિથ્યાભાસરૂપ છે, અને તેનું પાત્ર ભવાભિન'ટ્વી જીવ છે, * ભવાભિનંદીનું લક્ષણ કહે છેઃ— क्षुद्रो लोभरतिर्दीना मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्याम्निष्फलारम्भसं
Page 219
गतः ॥ ७६ ॥ વૃત્તિ!—ન્નુરૂઃ ધ્રુવ, કૃપણું, ામત્તિ:-લાભરતિ, લાભમાં રતિ-પ્રીતિવાળા, લેાળી, માંચાશીલ ( માગણુ સ્વભાવવાળા ), ફોન:-દીન, સદાય અકલ્યાણુદશી, મણી–મસરવત, પર્ કલ્યાણુમાં દુ:સ્થિત Page #361 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિઃ ભવાભિનદીના લક્ષણ (૨૫) લુક લોભી દીન મત્સરી, શઠ તેમજ ભયવંત; ભવાભિનંદી અ ને, આરંભ અફળવંત. ૭૬. અર્થ –શુદ્ર, લેભી, દીન, મત્સરવત, ભયવાળે, શઠ, અજ્ઞાની એવો ભવાભિનંદી નિષ્ફલ આરંભથી સંયુક્ત હોય છે. વિવેચન સંસારમાં રાચનારે- રપએ રહેનાર ભવાભિનંદી જીવ કેવો હોય ? તેના મુખ્ય લક્ષણ અહીં સૂચવ્યા છે – તે શુદ્ર એટલે કે કૃપણ, પામર, તુચ્છ હોય છે, કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુ માનનારે હેઈ, તેના આદર્શો ને વિચારણાઓ પણ તુચ્છ, પામર, કંજૂસ જેવા અનુદાર ને છીછરા હોય છે, એટલે તે પોતે પણ તેવો પામર, ક્ષુદ્ર-લોભી તુચ્છ, ક્ષુદ્રવૃત્તિવાળ હોય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણિક સાંસારિક લાભથી તે મલકાઈ જાય છે, હર્ષાવેશમાં આવી કાકીડાની જેમ નાચવા કૂદવા મંડી જઈ પિતાની પામરતાનું પ્રદર્શન (Vanity fair) કરે છે! અને રખેને તે ચાલ્ય જશે એમ જાણી તેને કૃપણની જેમ સાચવી રાખવા મથે છે! પણ આત્માની અનંત ગુણસંપત્તિનું તેને ભાન પણ નથી ! તે લાભારતિ–લોભી હોય છે. તે સદાય લાભમાં રતિ-પ્રીતિવાળો હોય છે, એટલે કે મને લાભ સદાય મળ્યા કરે એવો તે લેભી-લાલચુ હોય છે. પાંચ મળે તે પચીશ, પચીશ મળે તે સ, સે મળે તો હજાર, હજાર મળે તો લાખ, લાખ મળે તે કોડ, ક્રોડ મળે તે અબજ, -એમ ઉત્તરોત્તર તેને લેભનું પ્રમાણ વધતું જાય છે. “દીનતાઈ હોય ત્યારે તે પટેલાઈ ઈચ્છે છે, પટેલાઈ મળે એટલે તે શેઠાઈ ઈચ્છે છે, શેઠાઈ મળે એટલે મંત્રિતાઈ ઈચ્છે છે, મંત્રિતાઈ મળે એટલે નૃપતાઈ (રાજાપણું) ઈચછે છે, નૃપતાઈ મળે એટલે દેવતાઈ ઈચ્છે છે, દેવતાઈ મળે એટલે ઈંદ્રતાઈ ઈચ્છે છે.” એમ તેના લેભને ભ નથી. જેમ લાભ વધે તેમ લેભ વધતું જાય છે. અને આવો લેભી-લાલચુ હોવાથી તે યાચાશીલ એટલે કે યાચના કરવાના સ્વભાવવાળે, માગણવૃત્તિવાળે ભીખારી હોય છે, કારણ કે સાંસારિક વિષયની ભૂખથી પીડાતે હેઈ, તે ભૂખ ભાંગવાને માટે-વિષય બુમુક્ષાને ટાળવાને માટે તે “નિપુણ્યક રંક' કરમાં ઘટપાત્ર લઈને દુ:ખીએ, (એટલે કે બીજાનું ભલું દેખીને દુ:ખી થનાર), મયવાન–ભયવાન , નિત્ય ભીત, સદી ડરનાર, કા:- શઠ, માયાવી, કપટી, મg:-અજ્ઞાની, મૂર્ખ, અજામિનની ભવાભિનંદી, સંસાર બહુમાની, સંસારને બહુ માનનારો, ચાર-એવા હોય તે, નિષ્કામાતા-નિષ્ફલ આરંભથી સંગત–સંયુક્ત હોય. સર્વત્ર અતવાભિનિવેશને લીધે. Page #362 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬ ) યોગદૃષ્ટિસમુચ્ચય ભીખ માંગતા ફરે છે ! વિષયતૃષ્ણા છીપાવવા માટે મૃગતૃષ્ણા પાછળ દોડે છે! પણુ પાતામાં જ રહેલી આત્માની અનત ઋદ્ધિને તે ઉલ્લધી જાય છે ! ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટપાત્ર; વિષયષુભુક્ષુ ભીખ માંગતા, ભમે દિવસ ને રાત્ર.”—મનેાનદન (ડૉ. ભગવાનદાસ ) દીન-સત્સવ ત તે દીન હાય છે. તે સદાય અકલ્યાણુદશી, હંમેશાં ભૂંડું જ દેખનારા ( Pessimistic ) હોય છે. તે દીન, ગરીખડા, રાંક જેવો થઇ સદા અકલ્યાણુ દેખે છે, ખૂરૂ જ જુએ છે, નિરાશાવાદી જ હાય છે. હાય ! આ મ્હારા આ ઠીબડામાં રહેલુ વિષય કદન્ત ચાલ્યુ જશે તેા ? કેાઇ ઉપાડી જશે તે ? કાઇ પડાવી લેશે તે ? એમ ઇંદ્ર જેવા પુરુષ પ્રત્યે પણ સદા આશકા રાખતા હ।ઈ તે ખાપડ-બિચારા સર્વત્ર અકલ્યાણ-અમગલ દેખતા ફરે છે; સત્ર ભયદશી હાઇ, ભયાકુલ રહી, નિરંતર ફફડાટમાં રહ્યા કરે છે; અને હાથે કરીને દીન, લાચાર બિચારા, પાપડો, રાંક થઈને કરે છે! કારણ કે કલ્યાણમૂત્તિ એવા સહજાત્મસ્વરૂપને તેને લક્ષ નથી. એટલે તે પરની ગુણુ
Page 220
વળી આ ભવાભિન'દી જીવ મત્સરવત-અદેખા હેાય છે. સપત્તિ પ્રત્યે દ્વેષવાળા હેાય છે. પારકાનું ભલું દેખી કે પારકાને ગુણ દેખી તેને મનમાં ખળતરા થાય છે, માગ ઊઠે છે, પરસુખે તે દુઃખી થાય છે. કારણ કે તેને મન તુચ્છ સાંસારિક વિષયનું માહાત્મ્ય ભાસ્યું છે, તે સાંસારિક વિષયથી રીઝે છે; ને પેાતાને પ્રાપ્ત ન થયેલા, પણ ખીજાને પ્રાપ્ત એવા વિષયાદિ સુખ દેખી, અથવા પરના પ્રશસ્ત શુભ ગુણુ દેખી, તેને મનમાં ઈર્ષ્યા ઉપજે છે કે આ લઇ ગયા ને હું રહી ગયા. આવો પુણ્યદ્વેષી ને ગુણદ્વેષી તે હાય છે. તે ભયવાન્ હાય છે. તે સદા ભયાકુલ રહ્યા કરે છે. આ લેક પરલેક સ’બધી ભય, વેદના ભય, અશરણુભય, અગુપ્તિભય, મૃત્યુભય, આદિ ભય તેને નિર ંતર સતાવ્યા કરે છે, ડરાવ્યા કરે છે, હાય ! આ મ્હારુ લૂટાઇ જશે તે ! હાય ! મને વેદના આવી પડશે તે ! હાય ! મ્હારું મૃત્યુ આવી પડશે તે ! ઇત્યાદિ પ્રકારે તે સદાય ભયથી ફફડતા રહે છે; કારણ કે પરમ નિય એવા શાશ્વત આત્મસ્વરૂપનું તેને ભાન નથી, ભયમાનૂ શઅન તે શરૂ એટલે માયાવી, કપટી હૅાય છે. જગતને છેતરવાને, જગતની આંખમાં ધૂળ નાંખવાના તે પ્રયાસ કરે છે. તેની મન-વચન-કાયાની એકતા હાતી નથી, મનમાં કાંઇ, વચનમાં કાંઈ અને વર્ત્તનમાં કાંઈ-એમ તેના ત્રણે ચેગની વંચકતા હાય છે. પોતે દુર્ગુણી છતાં સદગુણી દેખાવાને ડાળ કરે છે, "ભ કરે છે! તેની ચેષ્ટા દાંભિક Page #363 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ભવાભિનદી નિષ્ફળારંભી (૨૯૭) હોય છે, ને જગતને હું કે વંચું છું-છેતરું છું, એમ માની તે મનમાં મલકાય છે. પણ ખરી રીતે તો તે પોતે જ છેતરાય છે, આત્મવંચના જ કરે છે, તે તે મૂખ જાણતા નથી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, છડું ન અવગુણચાલ, અનાદિની જે પ્રિયા...વિહરમાન ભગવાન”–શ્રી દેવચંદ્રજી તે અજ્ઞ એટલે અજ્ઞાની, મૂર્ણ હોય છે, સારાસારના ભાન વિનાનો, અબૂઝ, અલ વગરને હોય છે. અને આવા લક્ષણવાળે હેઈ, તે નિષ્ફળ આરંભી હોય છે, એટલે કે તેના સર્વ આરંભ નિષ્ફળ–અફળ જાય છે, કારણ કે તેની સમસ્ત પ્રવૃત્તિ અતજ્વાભિનિવેશવાળી હોય છે, એટલે અતવમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યા અભિનિવેશને લીધે નિષ્ફળ તેની સમસ્ત કિયા આદિ કાર્યકારી થતી નથી, કારગત થતી નથી, આરંભી ફોગટ જાય છે, એળે જાય છે. એનું બધું કર્યું–કરાવ્યું ધૂળ થાય છે, પાણીમાં જાય છે. “આંધળે વણે ને પાડો ચાવે” એના જેવું થાય છે. આમ તેના બધા આરંભ-મંડાણ નિષ્ફળ જતા હોઈ, તે તે કેવળ નિષ્ફળ ખેદ ને મિથ્યા શ્રમ જ હારે છે. શદ્ધ શ્રદ્ધાન વિનાની તેની સકલ ક્રિયા “છાર પર લિપણું’ જેવી થાય છે. “શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિપણો તે જાણો.”—શ્રી આનંદઘનજી આગેકે ટુંકત ધાય, પાછે બછરા ચરાય, જૈસે દગહીન નર જેવી વટતુ હૈ; તૈસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ બેવત ખટતુ હૈ.”–શ્રી બનારસીદાસજી. આમ તેની સમસ્ત પ્રવૃત્તિ-સમસ્ત આરંભ નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પણ તેની ગપ્રવૃત્તિ પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તે ધર્મવ્યાપારરૂપ એગપ્રવૃત્તિ મેહગર્ભવૈરાગ્યથી ઉપજતી હેઈ, અપાયજનની મોહભવાભિનંદિની વાસના ઉત્પન્ન કરે છે. અને તેનાથી જે પુણ્યબંધ થાય છે તે પણ ચોગક્રિયા પણ પાછળથી અપાયવાળો હોય છે, એટલે કે તે પુણ્ય પાપાનુબંધી પુણ્ય - અફળ હોય છે. અને આમ “ અવેધસંવેદ્ય પદમાં સ્થિતિ કરતા ભવાભિનંદી જંતુઓને પુણ્ય જે હોય છે, તે નિરનુબંધ હોય છે, અને પાપ જે ય છે તે સાનુબંધ હોય છે. એટલે
Page 221
પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી, પાપની * " प्रवृत्तिरपि योगस्य वैराग्यान्मोइगर्भतः । प्रसूतेऽगायजननीमुत्तरा मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकम् । भवाभिनंदिजन्तूनां पापं स्यात्सा नुवन्धकम् ।।" –શ્રી વિજયજી કૃત દ્વા દ્વા Page #364 -------------------------------------------------------------------------- ________________ (૨૯૮) યોગદષ્ટિસમુચય પરંપરા ચાલુ રહે છે, કારણ કે રાગદ્વેષાદિનું આ ભવાભિનંદીને પ્રબલપણું હોય છે. આમ ભવાભિનંદી બિચારે જે કાંઈ ધર્મકરણ કરવા જાય છે, તે પણ તેને નિષ્ફળ થઈ પડે છે!—આ આ ભવાભિનદી જીવ, સંસારને અભિનંદના- બહુ માનનારે, સંસારમાં રાચનાર, સંસારમાં રપ મશગૂલ-તન્મય રહેનાર, સંસારને કીડે હોય છે. “લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ....મન.”—. દ. સક્ઝાય ૪-૯ જે ખરેખર એમ છે, તેથી શું? તે માટે કહે છે– इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विपसंपृक्तकाम्नवत् ॥ ७७ ॥ યુક્ત અસત પરિણામથી, બધ ની સુંદર એમ; તાસ સંગથી જ નિયમથી, વિષસ્પષ્ટ અન્ન જેમ. ૭૭ અર્થ –એમ અસત્ પરિણામથી અનુવિદ્ધ-(સંકળાયેલ) બોધ, તેના સંગથકી જ, નિયમથી સુંદર નથી,-વિષમિશ્રિત-વિષથી ખરડાયેલા અનની જેમ. વિવેચન ઉપરમાં જે ભવાભિનદીના લક્ષણ બતાવ્યા, તે ઉપરથી શું ફલિત થાય છે, તે અહીં સ્પષ્ટ કર્યું છે. ભવાભિનંદીના-સંસારથી રાચનારા જીવના જે જે પરિણામ હોય છે, તે અસત્ હોય છે. એટલે તેને જે કાંઈ સ્કૂળ બધ હોય છે, તે પણ અસત્ પરિણામ અસત્ પરિણામથી અનુવિદ્ધ-સંકળાયેલ-જોડાયેલો હોય છે. સેયમાં યુક્ત બોધ પરેવાયેલા દેરાની જેમ, તેને બંધ પણ અસત્ પરિણામમાં અસત્ પરોવાયેલું છે, એટલે અસત્ પરિણામના સંગ થકી જ તેને તે બેધ પણ નિયમથી અસત્ હોય છે, સુંદર-સારા નથી હોતે, રૂડે–ભલે નથી હોતો. કારણ કે જે સંગ તેવો રંગ લાગે છે. આમ અસત્ પરિણામને લીધે તેના બોધને બધે ઘાણ બગડી જાય છે. અત્રે વિષથી ખરડાયેલા, સ્પર્ધાયેલા, ભેળ વૃત્તિ: –રિ–એમ ભવાભિનંદી પરિણામ સતે-આના અસત પરિણામપણાને લીધે, જરૂરિનાનાનુવિદ-અસત પરિણામથી અનુવિદ્ધ, પરોવાયેલે, જોડાયેલે, સંકળાયેલ, વોઃબોધ-સામાન્યથી, ન સંરત:સુંદર નથી. શા કારણથી ? તે કે–તરસવ-તેના સંગથકી જ, વિવક્ષિત અસત પરિણામના સંબંધથકી જ, નિયમાનૂ-નિયમથી, કેની જેમ ? તે કેવિપdyત્તરનવ-વિષસંપ્રત અનની જેમ, વિષયથી સ્પર્શયેલા-ખરડાયેલા અન્નની જેમ. એમ નિદર્શન માત્રદૃષ્ટાંત માત્ર છે, Page #365 -------------------------------------------------------------------------- ________________ દોટાદઃ અસત પરિણામયુક્ત બેધ અસત (૨૯૯) વાયેલા વિષમિશ્રિત અન્નનું દષ્ટાંત ઘટે છે. સુંદર પકવાન્ન હોય, પણ તે જે વિષથી દૂષિત હોય, તેને વિષને સંગ લાગ્યો હોય, તે તે આખું ભેજન વિષરૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા ગ્ય રહેતું નથી. તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ત્ર આદિને જે કંઈ બોધ હોય છે, તે પણ તેના અસત્-મિથ્યા આત્મપરિણામથી દૂષિત હોવાથી, વાસિત હોવાથી, અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે; અસત્ પરિણામરૂપ વિષથી બધી બાજી બગડી જાય છે. તે પરમ અમૃતરૂપ આગમબેધ પણ તે અસત્ પરિણામવંત અધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે. એટલે આ ઉપરથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે-ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલે દ્રવ્ય કૃતજ્ઞાની હોય, ગમે તે આગમવેત્તા-આગમધર શાસ્ત્રવિશારદ કહેવાતું હોય, ગમે તે વાકપટુ હોઈ વાચસ્પતિ બધ પણ કહેવાતું હોય, ગમે તેવો શાસ્ત્ર ધરાવતો હોય, તો પણ તેના અબોધ પરિણામ અસત્ હોવાથી, મિથ્યા વાસનાથી વાસિત હોવાથી, તે અજ્ઞાની જ છે, તેને તે સવ બોધ અબોધરૂપ જ છે. ક્ષયોપશમની તરતમતા પ્રમાણે ભલે તેનામાં તરતમ ક્ષયોપશમ હોય, તે પણ તેને આધાર વાસનામય બંધ હોવાથી, “વાસિત બોધ આધાર હોવાથી, તેને તે બેધ વાસ્તવિક રીતે અબોધ જ છે. કારણ કે– વસ્તુ વિચારે રે! દિવ્ય નયન તણે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ ગે રે
Page 222
તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો.”—શ્રી આનંદઘનજી વળી આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યાં લગી અસત પરિણામની વાસના હોય છે, ત્યાં લગી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે, ગમે તેટલે દ્રવ્ય શ્રુતબધ પણ અધરૂપ જ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“અભવ્ય સારી ભવાભિનંદીના પેઠે શાસ્ત્રો અભ્યાસીને પણ પ્રકૃતિ છેડતે નથી,-સાકરવાળું દૂધ પીને જ્ઞાન-કિયા પણ પન્નગ (વિષધર-સા૫) નિર્વિષ–ઝેર વગરના નથી હોતા તેમ.” નિષ્ફળ (જુઓ પૃ. ૭૯ ). આ અભવ્યના દષ્ટાંત ઉપરથી એ સૂચિત થાય છે કે અભવ્ય તો કદી પણ અનાદિ અસત્ વાસના છેડત નથી, સ્વપરનો ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કદી પામતો નથી, તેથી તેને કદી મેક્ષ થતો નથી. તેમ અન્ય જીવ પણ-ભવ્ય પણ જ્યાંલગી અનાદિ કુવાસના-અસત્ વાસના છોડતું નથી, જ્યાં લગી સ્વ-પરનો ભેદ જાણવારૂપ ભેદ જ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતે નથી, ત્યાં લગી તે પણ અજ્ઞાની હેઈ સંસારમાં રખડયા કરે છે. અર્થાત્ જ્યાં લગી જીવનું ભવાભિનંદીપણું ટળે નહિં ત્યાં લગી ભવભ્રમણ પણું ટળે નહિં; કારણે કે Page #366 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦) ગદષ્ટિસમુચ્ચય જ્યાંલગી પર વસ્તુમાં આત્મબુદ્ધિ ટળતી નથી, પરભાવ-વિભાવ પ્રત્યેની અંતરંગ રમણતારૂપ દુષ્ટ દુર્વાસના જ્યાં લગી દૂર થતી નથી, જીવની પરિણતિ અને વૃત્તિ જ્યાં લગી પરભાવવિભાવમાં રાચી રહી છે, ત્યાં લગી તેનું સમસ્ત જ્ઞાન પણ અજ્ઞાન છે, અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ નિષ્ફળ-નકામી છે. દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે મનમેહના”- શ્રી દેવચંદ્રજી ફલ થકી આ જ કહે છે – एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः । हिताहितविवेकान्धा खिद्यन्ते सांप्रतेक्षिणः ॥ ७८ ॥ એહીજું કારણથી અહીં, અઘસવેદ્યવંત; વિપર્યાસમાં તત્પરા, એવા નરે હવત. વળી તે હિત-અહિતના વિવેકમાંહિ અંધ; ખેદ પ્રાપ્ત કરતા રહે, વર્તમાન દેખંત, ૭૮ અર્થ એટલા માટે જ અહીં આ અદ્યપદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ હોય છે, એટલે હિત-અહિતના વિવેકમાં અંધ એવા તેઓ વર્તમાનને જ દેખનારા હેઈ, ખેદ પામે છે. વિવેચન એટલા માટે જ, ઉપરમાં જે કહ્યું તે કારણને લીધે, આ અઘસવેદ્ય પદમાં જે વ છે, એવા મનુષ્ય આ લેકમાં વિપર્યાસપરાયણ હોય છે, એટલે કે વસ્તુસ્થિતિથી - વિપરીત–ઉલટી બુદ્ધિ ધરાવે છે. તેઓ સને અસત્ જાણે છે, અને વિપસ સત્ જાણે છે; તત્ત્વને અતત્ત્વ જાણે છે, અતત્ત્વને તત્વ જાણે છે; નિત્યને અનિત્ય જાણે છે, અનિત્યને નિત્ય જાણે છે, ધમને અધર્મ જાણે છે, અધર્મને ધર્મ જાણે છે, હિતને અહિત જાણે છે, અહિતને હિત જાણે છે; હેયને આદેય જાણે છે, આદેયને હેય જાણે છે, રેયને જ્ઞાન જાણે છે, જ્ઞાનને ય જાણે છે; આત્માને અનાત્મા જાણે છે, અનાત્માને આત્મા જાણે છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે વિપર્યાસનેઊંધી બુદ્ધિનો આવિષ્કાર થાય છે, પ્રગટ ભાવ દેખાય છે. તાત્પર્ય કે વસ્તુ સ્થિતિથી વિપરીત–ઉલટી માન્યતા તેનું નામ વિપર્યાસ છે. વૃત્તિ –ણતત્તે-આ અદાપદવાળા, અત્ત ga-આજ કારણથી, રૂ–અહીં, લેકમાં, વિપત પર –વિપર્યાસપ્રધાન, ના --નરે, મનુષ્યો, શું ? તે કે:-હિતાવેજાભ્યા-હિતાહિત વિવેકમાં અંધ, આથી રહિત એમ અર્થ છે. એટલા માટે જ કહ્યું કે વિશ્વને કળિ –સાંપ્રતેક્ષીઓ ખેદ પામે છે, વર્તમાનદશી હાઈ ખેદ પામે છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ વિપર્યાસ-દેહમાં આત્મબુદ્ધિથી જ સંસાર (૩૦૧) પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપસપણે પદાર્થ સ્વરૂપને નિરધારી લે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બંધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ચા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય
Page 223
ત્યાંસુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થયું જ સંભવે છે. ગૃહ-કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૪૧૮. (૫૦૬ ) અને આવી વિપર્યાસબુદ્ધિ-ઉલટી મતિ હોવાથી, તે જીવ હિત અહિત વિવેકમાં અંધ-આંધળા હોય છે, હિત-અહિતનું તેને ભાન હોતું નથી, એટલે તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી હાથે કરીને દુઃખી થાય છે. "हितं हित्वा हिते स्थित्वा दुर्धीर्दुःखायसे भृशम् । विपर्यये तयोरेधि त्वं सुखायिष्यसे सुधीः ॥” –શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન અર્થાત્ હિતને છેડા, અહિતમાં સ્થિતિ કરી તું દુબુદ્ધિ અત્યંત દુઃખી થાય છે. અને તે બન્નેના વિપર્યયને તું પામ, એટલે કે અહિતને છોડી હિતમાં સ્થિતિ કર, એટલે સુબુદ્ધિ એ તું સુખી થશે. જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે, એવી ખેતી મતિ જીવને થાય તે તે સાચી વાટે પ્રયત્ન કરતે તે અટકે છે. મને આ વાટે સુખ નહિ મળે, સુખ તે. બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતો અટકે છે. અને સત્ય સુખનો અંતરાય પામે છે....આ એટી મતિને જ્ઞાનીએ મિથ્યાત્વ કહે છે.” –શ્રી મનઃસુખભાઈ કિ. કૃત શાંતસુધારસ વિવેચન. એથી કરીને જ તેઓ માત્ર સાંપ્રતેક્ષી હોય છે, વર્તમાનદશી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળને વિચાર કરતા નથી. તે તે “આ ભવ મીઠા પરભવ કેણ દીઠા' એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે વર્તામાનદશી પરાકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી છે આ દેહાશ્રિત સમસ્ત કત્તવ્યમાંજ ઈતિકર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાંજ આંખ મીંચીને રચ્યા-પચ્યા રહે છે. અને તેમ કરતાં તે હિતાહિત-અંધ જ કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાદ્યાખાદ્યનું, પિયાયિનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જુદા શુદ્ધ ચૈતન્યમૂતિ આત્માના અભાનપણથી, દેહ-આત્માને એકવ અધ્યાસ રાખી તે બેભાનપણે-મેહમૂર્ણિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ (૩૦૨) ગદષ્ટિસમુચ્ચય અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહને સંબંધ તે ઉલટે તેને બંધરૂપ નીવડે છે ! કારણ કે જે દેહને તેણે આટલે બધે ગાઢ સંબંધ રાખે, તે દેહ વેઠની પોઠ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે ? શું તે કાંઈ અકૃતજ્ઞ છે–શું કૃતપ્ત છે વારુ ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહને બંધસંબંધ છૂટ નથી; તે બંધ છે ત્યાંસુધી જન્મ-મરણ છૂટતા નથી; જન્મ મરણ છૂટતા નથી ત્યાંસુધી દુઃખ છૂટતું નથી અને આ જન્મ મરણ દુઃખ છૂટતું નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પોતાના માનેલા સંબંધી એવા દેહનો સબંધ જાળવવા ખાતર (!) પિતે પિતાને બાંધી પાપને પિટલે માથે ચઢાવી, વેઠની પિઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા ભવાભિનંદી જીવ સંસારમાર્ગમાં નિરંતર પરિભ્રમણનો ખેદ પામ્યા કરે છે! શ્રીમાન પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાર્યું છે કે “દેહમાં ૪ આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે; અને સ્વ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિજે છે–વિખૂટો પડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર સ્ત્રી વગેરે કલ્પનાઓ (Unrealities, Imaginations, Illusions) દેહમાં આત્મ- ઉપજી છે. અને તે કલ્પનાઓ વડે આત્માની–પિતાની સંપત્તિ માનતું બુદ્ધિથી જ આ અભાગીયું જગત્ અરેરે ! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું સંસાર મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છેડીને, હારમાં ઇન્દ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરે.” પણ ભવાભિનંદી જીવને તે દેહમાં આત્મબુદ્ધિ હોય છે. અને આવી વિપર્યાસરૂપ ઉલટી બુદ્ધિથી
Page 224
તે દેહ સાથે બંધાઈને સંસાર પરિભ્રમણ દુઃખ પામે છે. આમ વિપર્યાસથી અવિવેક, અવિવેકથી વર્તમાનને જ દેખનારી મિથ્યા પ્રવૃત્તિ, અને મિથ્યા પ્રવૃત્તિથી સંસાર ખેદ ઉપજે છે, એમ સ્પષ્ટ થયું. जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः ।। ७९ ।। વૃત્તિ –નમ-જન્મ, પ્રાદુર્ભાવ-જન્મવું જેનું લક્ષણ છે તેનું મૃત્યુ:-મૃત્યુ, પ્રાણત્યાગરૂપ, કરા-જા, ઘડપણુ, વયહાનિરૂપ વૃદ્ધાવસ્થા, કથાધિ-વ્યાધિ કે વગેરે લક્ષણવાળે, રોગ-રોગ, વિશચિકા વગેરે આતંક–અસંત તીવ્ર આવેગવાળી પીડા, શોક:-શાક ઈષ્ટવિયાગ વગેરેથી ઉપજ મને વિકાર માહિ-આદિ શબ્દથી ગ્રહ આદિનું ગ્રહણ છે, એએથી- કૂત-ઉપદ્રવ પામી રહેલા x " देहे स्वबुद्धिरात्मानं युनत्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ।। देहेष्वास्मधिया जाताः पुत्र भार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यत्क्वैर्ना प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।। –શ્રી સમાધિશતક, Page #369 -------------------------------------------------------------------------- ________________ દીમાઇષ્ટિ : ભવાભિન’દીના મહામહ, જન્મ-મરણાદિ દુઃખ જન્મ મરણ વ્યાધિ જા, રોગ શાક દુ:ખવ‘ત; ભવ જોતાંય ઉદ્વેગ ના, અતિ માહથી લહત, ૭૯ અર્થ :— જન્મ, મરણુ, જરા, વ્યાધિ, રંગ, શેક વગેરેથી ઉપદ્રવ પામતા સંસારને દેખતાં છતાં, તે અતિ મહને લીધે ઉદ્વેગ પામતા નથી ! વિવેચન “ જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેના એ કહ્યા, રાગ દ્વેષ અણુહેતુ.”—શ્રીમદ્ રાજચદ્રજી (૩૦૩) ઉપરમાં ભવાભિનઢી જીવ વિપરીત મતિવાળા, ઊધી બુદ્ધિવાળા હાઇ, હિત–અહિતના વિવકમાં અધ હાય છે, અને માત્ર વમાનને જ જોનારા હાય છે,-એમ કહ્યું. આમ અવિવેકી વર્તમાનદશી હાવાથી જ, સંસારનું પ્રગટ દુઃખદ સ્વરૂપ મહામહનુ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે તેથી ઉદ્વેગ પામતા નથી, કંટાળતા નથી, વિલસિત ઉલટા તેમાં જ ગાઢ માડુ પામે છે! પુન: પુન: જન્મવું, પુનઃ પુનઃ મરવુ, પુનઃ પુન: જનનીના જઠરમાં ગર્ભવાસ કરવા, પુનઃ પુન: ચારે ગતિમાં રખડવું, એવી અત્યંત પ્રગટ દુઃખમય અવસ્થાએ પુન: પુન: આ સૉંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે. છતાં આ સ'સારથી આ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉર્દુ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાને વિચાર કરતા નથી, એટલું જ નહુિ પણ તેને ઉલટા દૃઢ આસક્તિથી વળગી રહે છે, એ કાંઈ જેવુ તેવુ આશ્ચર્ય નથી. ખરેખર આ બધું મહુામેાહુનું વિલસિત છે. કારણ કે— અશુચિમયમાતાના ઉદરમાં જાણે તપશ્ચર્યાં કરતા હોય એમ નવ માસ પર્યંત ઉધે માથે લટકતા રહી, આ જીવ જ્યારે જન્મ પામે છે, તે સમયે જે વેદના થાય છે, તે અતિ અતિ તીવ્ર, અતિ અતિ અસહ્ય, અકલ્પ્ય ને અવશ્ય હેાય છે. એવી જન્મ દુઃખ વેદના પ્રત્યેક જન્મમાં—ભવમાં વેદવી પડે છે. કહ્યુ છે કે જેના બન્ને છેડે અગ્નિ સળગાવેલા છે એવા લાકડાની અંદરમાં રહેલા કીડાની જેમ, હે જીવ! તું જન્મ-મૃત્યુથી ભેટાયેલા શરીરમાં અરેરે ! સીદાય છે ! '* શ્રીમદ્ રાજચ'દ્રજીનું પરમ સંવેગરગી વચનામૃત છે કે— * કથ ના હેરાનગતી અનુભવતા, વીમાના વિદેખતાં છતાંય, મર્વ-સંસારને, સોવ્રુિત્તે-ઉદ્વેગ પામતા નથી,—આના થકી ઉદ્વેગ પામતા નથી એમ પ્રક્રમ છે—ચાલુ સંબંધ છે, અતિમોતો--અતિ માહરૂપ હેતુને લીધે. 66 दीप्तोभयामवातारियारूवरगकीदवत् । નમૃત્યુલમાજિકે શરીરે વત મીલ ॥” –શ્રી ગુણભદ્રસ્વામીકૃત આત્માનુશાસન “ પુત્તવિ નનન પુનવ મળ, પુસપિ અનનીગરે ક્ષયને ”—શ્રી શકશચાર્ય Page #370 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૪) યોગદૃષ્ટિસમુચ્ચય “ અંતર્માંનથી મચ્છુ કરતાં એવા કોઇ કાળ જણાતા નથી વા સાંભરતા નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન ક્યુ' હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યા હાય, નિર'તર એ સ્મરણુ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. “ વળી જેનુ' મુખ કોઇ કાળે પણ નહિ' એ, જેને કાઇ કાળે હું ગ્રહણ નહી' જ કરૂ'; તેને ઘેર પુત્રપણે, સ્ક્રીપણે, દાસપણે, દાસીપણું, નાના જ તુણે શા માટે જન્મ્યા ?
Page 225
અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયુ! અને તેમ કાની તેા ઇચ્છા નહાતી ! કહે, એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) વળી જ્યારે મૃત્યુ આવે છે ત્યારે પણ આ જીવને તેવી જ અસહ્ય તીત્ર વેદના થાય છે. તેમજ જે દેહમાં આયુષ્ય પર્યં ત આખા ભવ સ્થિતિ કરી તે દેહના અને તે દેહને આશ્રિત એવી અન્ય વળગણાઓને સબધ વગર નેટિસે તાખડમરણુ દુ:ખ તેાખ છેડતી વેળાએ, આ જીવ અત્યંત આંતરિક-માનસિક વ્યથા અનુભવે છે. પ્રત્યેક દેહ છેડતી વેળાએ તે તે દેહના અમત્વથી આવી અસહ્ય આંતર્ વેદના લેગવવી પડે છે. અને તે તે ભવને પરિગ્રહ તે છે।ડવા ઇચ્છતે નથી, છતાં તેને પરાણે છેાડવા પડે છે. તેથી તેનું અંતર્ કપાઈ જાય છે. પણ તે તેણે પેાતાની માનેલી બધી સંપત્તિ ત્યાંની ત્યાં જ પડી રહે છે, કાઇ સાથે આવતી નથી. “ વળી મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહી શકું' એવા કેટલાક પદાર્થો (શ્રિયાદિક ) તે અનંતવાર છોડતાં તેના વિયોગ થયાં અન'ત કાળ પણ થઇ ગયા; તથાપિ તેના વિના જીવાયું એ કઇ થાડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવા પ્રીતિભાવ કર્યાં હતા તે તે વેળા તે કલ્પિત હતા. એવા પ્રીતિભાવ કાં થયા ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” -શ્રીમદ્ રાજચ’દ્ન. પત્રાંક ૧૧૫, આવા ઘાર મૃત્યુ-ાઘથી× સુધાયેલા પ્રાણીને દેવા પણ શરણરૂપ થતા નથી, તે 66 X 'उपघातस्य घोरेण मृत्युव्याघ्रेण देहिनः । તેવા પિ ન નાચતે શરળ મુિ માનત્રાઃ ।।” શ્રી અમૃતચ'દ્રાચાર્યજી કૃત શ્રી તત્ત્વાર્થસાર जन्मतालद्रुमाज्जन्तुफलानि प्रच्युतान्यधः । 66 છાત્રાઘ્ય મૃત્યુમૂમાનમન્તરે ફ્યુઃ યિયિમ્ ।।’–શ્રી ગુણભદ્રસ્વામી કૃત શ્રી આત્માનુશાસન Page #371 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ જરા-રેગ-શેક આદિ દુઃખ (૩૦૫) પછી માનવનું શું ગજું? જન્મરૂપ તાડવૃક્ષમાંથી નીચે ભ્રષ્ટ થયેલા જંતુરૂપ ફળ મૃત્યુ રૂપ ભૂમિભાગે પહોંચતાં પહેલાં વચ્ચમાં કેટલીક વાર રહેશે ? તાડના ઝાડમાંથી છૂટા પડેલા ફળને ભૂમિ પર પહોંચતાં વાર લાગતી નથી, તેમ જન્મમાંથી જીવને મૃત્યુ પામતાં વાર લાગતી નથી. “નગુણી કાયા તેરા કયા ગુણ ગાવું? મહેલ રચ્યો તિમેં રહેન ન પાવું; જા મુખ ચાવત પાનકી બીરી, તા મુખ તેરે સંગત કીરી.”—સંત કબીરજી આમ જન્મ મૃત્યુ પરંપરા-શૃંખલા ચાલ્યા જ કરે છે. જન્મ પછી મરણ, ને મરણ પછી જન્મ,-એમ અનંત અનુબંધ-પરંપરા ચાલ્યા જ કરે છે. અને તેથી આ જીવ અરઘટ્ટઘટી ન્યાયે, કૂવાના રેંટ જેવી આ સંસારની રખડપટ્ટીમાં, અનંત દુઃખપરંપરા અનુભવ્યા કરે છે. વળી પ્રત્યેક જન્મમાં પણ બીજા શા શા મુખ્ય દુઃખ ભેગવવા પડે છે, તેને પણ અહીં નિર્દેશ કર્યો છે. તે આ પ્રમાણે જ્યારે જરા–ઘડપણ આવે છે ત્યારે પણ આ જીવના હાલહવાલ થવામાં કાંઈ બાકી રહેતી નથી. જ્યારે પાંચ ઇંદ્રિયની શક્તિ શિથિલ–ઢીલી થઈ જાય છે, વિકલ-પાંગળી બની જાય છે, ઊઠવાની શક્તિ અંગમાં રહેતી નથી, હાથમાં લાકડીને ઘડપણનું ટેકે ચાલવું પડે છે, કેડ વાંકી વળી જાય છે, શરીરમાં કરચલી પડે છે, દુઃખ વળીઆ-પળીઓ આવે છે, અને જ્યારે પરાધીન-પરવશ થઈને રહેવું પડે છે, બીજાના મેણા-ટોણા સહન કરવા પડે છે, ને આ ડોક “મરતે નથી ને માં મૂકતે નથી” એવા કડવા વચન સાંભળવા પડે છે,-એવી વૃદ્ધાવસ્થા પણ કાંઈ ઓછી દુઃખદાયક નથી. વળી આ “વૃદ્ધાવસ્થામાં બીજાઓના તિરસ્કાર વેણ જાણે સાંભળવાને ઈચ્છતા ન હોય એમ કાન બહેરા થઈ જાય છે ! પિતાની દુષ્ય લાચાર દશા દેખવાને જાણે અસમર્થ હોય એમ આંખ અંધપણાને પામે છે ! સામે
Page 226
આવેલા ચમરાજની ભીતિથી જાણે કાયા પણ ખૂબ કંપે છે ! તે પણ જરાથી ખખડી ગયેલ આ પ્રદીપ્ત ભવનમાં પણ અહો ! આ જીવ નિષ્કપ રહે છે !' સત્ કવીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ મેક્ષમાળામાં સ્વભાક્તિથી તાદશ્ય વર્ણન કર્યું છે કે – કરચલી પડી દાઢી ડાથા તણે ડાટ વળ્યો, કાળી કેશપટી વિષે તતા છવાઈ ગઈ; સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વળ્યું, વળી દંત આવલિ તે ખરી કે ખવાઈ ગઈ, + “ગોત્રીવ રિશ્વત્તા પત્તિકારશ્રીનાં પ્રતિ चक्षुर्वीक्षितुमक्षमं तव दशां दूष्यामिवान्ध्यं गतम् । भीत्येवाभिमुखान्तकादतितरां कायोऽप्ययं कम्पते, નિપત્રમાં તમારે ઘર? ” –શ્રી આત્માનુશાસન Page #372 -------------------------------------------------------------------------- ________________ (૩૦૬). ગદષ્ટિસમુચ્ચય વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયે, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અહો રાજ્યચંદ્ર ! એમ યુવાની હરાઈ પણ, મનથી ને તેય રાંડ મમતા મરાઈ ગઈ.” તેમજ કોઢ વગેરે અનેક જાતના દુ:સાધ્ય અસાધ્ય વ્યાધિઓ (Chronic diseases) અથવા વિસૂચિકા (Cholera) વગેરે અનેક તીવ્ર આત્યંતિક પીડા ઉપજાવનારા-વેદનામય રેગે (Acute Ailments) જ્યારે આ શરીર પર આક્રમણ કરે છે, જ્યારે આ શરીર પર જોરથી હલે લાવી તેને ચોતરફથી ઘેરી વળે છે, ત્યારે આ પિતાને હાલ દેહ પણ અત્યંત અકારો થઈ પડે છે, અને તે છોડવાનું મન પણ કયારેક થઈ આવે, એવું અસહ્ય દુ:ખ અત્ર વેદાય છે. જ્યારે એ રેગી જણાશે, મૂકવાનું મન થાશે; તન તું ગણે છે તારું રે, તે નથી તારું.”—કવિ શ્રી દલપતરામ, તથા ઈષ્ટ વસ્તુને વિયોગ થતાં કે અનિષ્ટને સંગ થતાં, તેને શોક કરવારૂપ આંતરું દુઃખ અત્રે હૃદયને અત્યંત સંતાપ આપે છે. કેઈ ઇચ્છ–મને વાંચ્છિત વસ્તુ ન મળી, તે અરેરે ! આ મને ન મળી, આ લાગ આવ્યું હતું તે મારા શોક હાથમાંથી હાથતાળી દઈને ચાલ્યા ગયે, એમ અંતસ્તાપ થાય છે. અથવા સ્વજનાદિ કોઈ ઈષ્ટ-પ્રિય જનને મૃત્યુ આદિ કારણે વિયેગ થાય તો તેને શોચ થયા કરે છે કે-અરે ! આ તે ગયે, એના વિના હું કેમ જીવીશ ? અથવા રેગાપત્તિ, ધનહાનિ, કે માનહાનિ આદિ કેઈ અનિષ્ટ પ્રસંગ આવી પડે, ત્યારે પણ એ ઝૂર્યા કરે છે કે–અરે ! આ અનિષ્ટ પ્રસંગ કેમ દૂર થશે ? આ મુશ્કેલીમાંથી કયારે આરે આવશે ? ઈત્યાદિ અનેક પ્રકારે આ સંસારમાં ઈષ્ટના અસંગથી કે વિયેગથી, અથવા અનિષ્ટના સંયેગથી કે અવિયેગથી આર્તધ્યાનરૂપ શેકથી ઉપજતું આંતર્ દુઃખ જીવના હૃદયને કીડાની જેમ કોરી ખાય છે. આ બધાના સારસમુચ્ચયરૂપ જીવંત શબ્દચિત્ર આ છે – એક તરુણ સુકુમારને રોમે રેમે લાલચોળ સુયા ઘેચવાથી જે અસહા વેદના ઉપજે છે, તે કરતાં આઠગુણ વેદના ગર્ભ સ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. લગભગ નવ મહિના મળ, મૂત્ર, લેહી, પરુ આદિમાં અહેરાવ્ય મૂચ્છગત સ્થિતિમાં વેદના દુઃખ સુખ જોગવી ભેળવીને જન્મ પામે છે. ગર્ભ સ્થાનની વેદનાથી અનંતગુણ વિદને ને દુઃખ જન્મસમયે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ, અને નગ્નાવસ્થામાં અણસમજથી રઝળી રડીને તે બાળાવસ્થા પૂર્ણ થાય છે, અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે જ્યાંથી ઉત્પન્ન થયે છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દષ્ટિ, સંગ, વિયેગ, એમ ઘટમાળમાં યુવાવય ચાલ્યું જાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : કૃત્યાકૃત્ય વિમૂઢતા, દુઃખમાં સુખબુદ્ધિ (૩૦૭ ) ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરેાચલી પડી જાય છે; સુંધવુ, સાંભળવું અને દેખવું એ શક્તિએ કેવળ મંદ થઈ જાય છે, કેશ
Page 227
ધવળ થઇ ખરવા માંડે છે; ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લથડીઆં ખાતાં ચાલવું પડે છે; કાં તેા જીવન પર્યંત ખાટલે પડયા રહેવુ પડે છે; શ્વાસ, ખાંસી ઈત્યાદિક રાગ આવીને વળગે છે, અને થાડા કાળમાં કાળ આવીને કાળીએ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી કેટલી બધી વેદના છે? ચતુ`તિના દુ:ખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં બધાં દુ:ખ રહ્યા છે! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે, એમ પણ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, માટે જ વિચક્ષણ પુરુષા પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધે છે.” —શ્રીમદ્ રાજચ'દ્રજીપ્રણીત મેાક્ષમાળા પાઠ ૧૮. આ સર્વાંગસુ ંદર શબ્દચિત્રમાં સંસારદુઃખનું તાદૃશ્ય આબેહુબ ચિત્ર દોર્યુ` છે. અને આમ પ્રગટપણે જન્મ-મરણાદિ દુઃખના ઉપદ્રાથી હેરાન હેરાન એવું સંસાર સ્વરૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં, આ જીવા તેનાથી કેમ ઉદ્વેગ નહિ' પામતા છતાં ઉદ્વેગ હોય ? તેમાંથી અત્યંત વેગથી કેમ નાશી છૂટતા નહિ... હાય ? આ નહિ ! બળતા ઘરમાં રહેવાને કેમ ઇચ્છતા હશે ? એવા સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે. તેનું સમાધાન મહાત્મા ગ્રંથકારજ સ્વય' કહે છે કે—અતિ મે હુથી', મેહના અતિશય પ્રબળપણારૂપ હેતુથી, આ મહા મેહમૂઢ જીવા તે સંસારથી ઉદ્વેગ–કંટાળા પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઇ તેનેા અંત લાવવાને ઇચ્છતા નથી! ઉલટા મેાહથી મુંઝાઇ જઇને તેને જ દૃઢ આસક્તિથી વળગી રહે છે! તેમાં જ રાચે છે ! સ’સારસમુદ્રનું ખારું પાણી હોંશથી મીઠું માનીને પીએ છે! ને પેાતાના ભવાભિન'દી' નામને સાર્થક કરે છે!! 6 ★ દાખલા તરીકે, એને શુ' હેાય છે? તે કહે છે— कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा । दुःखे सुखधियाकृष्टा कच्छूकण्डूकादिवत् ||८०|| વૃત્તિ:-ત્સ્ય-કુકૃત્ય, પ્રાણાતિપાત–આરંભ આદિ કુકૃત્ય, નૃત્યમામાતિ—કૃત્ય ભાસે છે,— મેાહને લીધે, ઋત્ય —અને કૃત્ય, અહિંસા-અનારભ આદિકૃત્ય, સ્ત્યવત્ સર્વા—અકૃત્ય જેવું સદા ભાસે છે, મેહથી જ. તુવે—દુ:ખમાં, સમારંભ આદિમાં, સુવિયા—સુખ બુદ્ધિથી, દા—આકર્ષાયેલા, કાની જેમ ? તો કે—કૂચાલિયા—કછુ કહ્રષક આર્દિની જેમ, ખસને ખણુનારા વગેરેની જેમ. પામા, ખસ તેના કંડૂમકા, ક-ખજવાળ કરે તે કઠૂમક, ખજવાળનારા, ખણુનારા, તેની જેમ, આદિ શબ્દથી કૃમિથી હેરાન થઈ રહેલ એવા અગ્નિસેવક-અગ્નિ સેવનારા કાઢીઆનું ગ્રહણુ છે. - Page #374 -------------------------------------------------------------------------- ________________ (૩૦૮) ગદષ્ટિસમુચ્ચય કુકૃત્ય કૃત્ય ભાસે સદા, કૃત્ય અકૃત્ય જ તેમ; દુઃખમાં સુખબુદ્ધિ ધરે, ખસ ખણનારા જેમ, ૮૦ અર્થ એઓને કુકૃત્ય સદા કૃત્ય ભાસે છે, તેમજ કૃત્ય અકૃત્ય જેવું ભાસે છે; અને ખસને ખણનારા વગેરેની જેમ તેઓ દુઃખમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલા હોય છે. વિવેચન અતિ મહમૂઢ એવા ભવાભિનદી જીવોની વિપર્યાસ મતિ–ઉલટી બુદ્ધિ કેવા કેવા પ્રકારે વ્યક્ત થાય છે, તે અહીં બતાવ્યું છેઃ –હિંસા, આરંભ વગેરે જે દુષ્ટ કૃત્ય છે, કુકૃત્ય છે, અકૃત્ય છે, તે તેઓને મન સદા કૃત્યરૂપ, કરવા ગ્ય કૃત્યાકૃત્ય લાગે છે ! અને અહિંસા, અનારંભ વગેરે જે શિષ્ટ કૃત્ય છે, સુકૃત્ય વિમૂઢતા છે, તે તેઓને અકૃત્યરૂપ, નહિં કરવા યોગ્ય લાગે છે! આમ હોવાથી તેઓ દુઃખને સુખ માની બેસે છે, અને તેવી મિથ્યા સુખબુદ્ધિથી આકર્ષાઈને તેઓ તે દુઃખમાં જ પ્રવૃત્તિ કરે છે, રાચે છે, તન્મય થાય છે ! જેમ ખસવાળે મનુષ્ય ખસને ખણવાથી સુખ માને છે, અને તેથી ખણવાની પ્રવૃત્તિ કર્યા કરે છે તથા જેને કીડા પડ્યા હોય એવો કેઢીયે અગ્નિના સેવનથી સુખ માની તેમાં પ્રવૃત્તિ કરે છે; તેમ આ વિપરીત મતિવાળા ભવાભિનંદી પણ દુઃખમય સંસારમાં કૃત્યાકૃત્યનું ભાન ભૂલી જઈ દુખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં પ્રવર્તે છે, અને સુખદાયક
Page 228
એવા અહિંસાદિ સુકૃત્યથી નિવત્તે છે ! ! એ અતિ આશ્ચર્યકારક વિષમ ઘટના છે ! અને આ આશ્ચર્યકારક વિષમ ઘટનાનું કારણ પણ આ છે, કે આ જીવને સુખના સાચા વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, પણ તેઓ સુખને સાચો માર્ગ જાણતા નથી, ને દુ:ખના માર્ગને દુઃખમાં સુખ સુખને માગ માની બેસી-કલ્પી બેસી તેને પકડે છે. અનાકુલતા એ બુદ્ધિ ! સુખનું લક્ષણ છે, આકુલતા એ દુ:ખનું લક્ષણ છે. પ્રાણાતિપાત-હિંસા, અસત્ય, ચેરી આદિ અનાર્ય કાર્યો આકુલતાના કારણરૂપ હોઈ દુઃખના કારણ છે. કારણ કે જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, અબ્રહ્મચર્યરૂપ દુરશીલ સેવે છે, પરદ્રવ્ય ગ્રહણ કરે છે-હરે છે, તે સ્થૂલ દષ્ટિએ ઉપલક રીતે જોતાં પણ પિતે અપરાધી હોઈ, નિરંતર આકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત દુ:ખી થયા કરે છે-એ સર્વ કેઈને સતત પ્રત્યક્ષ અનુભવ છે. તે હિંસા–ચેરી આદિ કરનારને અંતમાં કદી પણ શાંતિ હતી નથી, હાય ! કદાચ પકડાઈ જઈશ તો!–એમ સદાય ફફડાટ રહ્યા કરે છે. તેથી ઊલટું જે પ્રાણાતિપાત નથી કરતા, અસત્ય નથી બોલતો, ચારી નથી કરતે, દુ:શીલ નથી સેવ, પારદ્રવ્ય નથી રાહત, તે પિતે નિરપરાધી હેઈ, નિરંતર નિરાકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત સુખી વર્યા કરે છે. અહિંસક, સત્ય વકતા, Page #375 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાયષ્ટિ : દુ:ખમય આર’ભ-પરિગ્રહની-ખલા (૩૦૯) સુશીલ પુરુષને અંતમાં સદાય શાંતિ હોય છે—નિરાંત હોય છે,-આ સવાઁ કોઈના પ્રત્યક્ષ સ્વાનુભવ છે. પણ આ જીવે તે વિપર્યાસને લીધે ઉલટી બુદ્ધિ ધરી છે, ને તેથી તે ઉલટા માર્ગો પકડે છે. તે Rsિ'સા આદિ કરીને સુખ પામવાની ઇચ્છા રાખે છે! તેથી સુખને માટે ઝવા નાંખતા તે બિચારા દુઃખી થાય છે! અને અહિ'સાદિ સુખને માગ છેડીને હિં...સાદિ દુ:ખના માર્ગ પકડી સુખ પામવાને ફાંફાં મારે છે, પણ સુખથી ભ્રષ્ટ થઈ દુ:ખ જ અનુભવે છે! આ જીવને જવું છે ઉત્તર ભણી, ને પકડે છે દક્ષિણના માગ ! આ જીવને જોઈએ છે સુખઅમૃત, પણ પીએ છે દુઃખવિષ ! તેમજ આર્ભ એ પ્રગટ આકુલતાનું કારણ અને નિરારભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલ્લી આરભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુ:ખ; જેટલી નિરાર'ભ નિરુપાધિ, તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિદ્ધ એવી નિવિવાદ વાત છે. છતાં વિપર્યાસ બુદ્ધિવાળા જીવ એથી જ '' કલ્પી ઉંધું જ પ્રવતન કરે છે, ઉલટું જ આચરણ કરે છે. તે તે એમ સમજે છે કે આરંભ સમારભ કરવાથી મને સુખ સાંપડશે. એટલે તે હિ'સાપ્રધાન કૃત્ય-આરભા આદરી, પાપાચરણ આચરી, પાપાપાર્જન કરે છે, પાપની કમાણી કરે છે. દાખલા તરીકે–તેણે ધનમાં સુખ માન્યુ છે, એટલે ચેન જૈન પ્રારેળ ગમે તે પ્રકારે તે ધન મેળવવા માટે તે નાના પ્રકારના મહાપાપી કાંદાની ધંધા-આરંભ આદરે છે. જેમકે-અગ્નિકર્મ, વનકર્મ, શકટમ, ભાટક કર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય ઇત્યાદિ.X આર્ભ એ દુઃખ 4 એટલે ચાતરફથી ગ્રહે છે, અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરભને મિત્ર પરિગ્રહ પણ સાથેાસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન પરિગ્રહ ' પણ પેાતાના નામ પ્રમાણે, જીવને ૮ પરિ’ પકડી લે છે, જકડી લે છે. પછી તેા આ ‘ ગ્રહ' (ભૂત અથવા દુષ્ટ ગ્રહુ અથવા મગર ) જેવા પરિગ્રહની જીવ પર જકડ–પકડ એવી તેા મજબૂત હાય છે, કે તેમાંથી જીવને છૂટવા ધારે તા પણ છૂટવુ ભારે પડે છે. તે પરિગ્રહ-ખલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. માટા વ્યવસાયા આરભનારા અથવા માટી
Page 229
માટી રાજ્યાદિ ઉપાધિ ધારણુ કરનારા જનને આ રાજને જાતિઅનુભવ છે. પરિગ્રહની જ'જાલમાં સેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઊંઘ પણ આવતી નથી. આમ જીવે હાથે કરીને વ્હારેલી મારભ ઉપાધિ જીવને પોતાને જ પશ્ત્રિહરૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે ! હાથના કર્યા હૈયે વાગે છે! ભેસના શીંગડા ભેસને જ ભારી પડે છે ! પરિગ્રહની મલા આમ દુ:ખમાં સુખબુદ્ધિથી ખેંચાઇને આ જીવે દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં x "इ'गाली वण साडी भाडी फोडी सुवज्जए कम्मं । નાળિષ્મ ચૈત્ર કૃતજીલસ વિજ્ઞવિસર્ચ ।।”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર Page #376 -------------------------------------------------------------------------- ________________ (૩૧૦) ગદષ્ટિસમુચ્ચય તથા આરંભ-પરિગ્રહમાં પ્રવર્તે છે; પણ સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યમાં તથા નિરારંભમાં પ્રવર્તતા નથી. તે માટે અહીં બે પ્રસિદ્ધ દષ્ટાંત રજૂ કર્યા છે – ખસ ખણુનાર (૧) કેઈને ખસનું દરદ હોય તેને મીઠી ખૂજલી આવે, એટલે તે જેમ ખસને ખણ્યા કરે છે, પણ પરિણામે તેને બળતરા જ ઊઠે છે, લાહ્ય બળે છે. (૨) કેઢીયાને કીડા પડયા હોય તે અનિસેવનથી-શેક વગેરેથી દૂર થશે એમ માને છે, પણ તેમ કરતાં તેને વ્યાધિ ઊલટો વધી પડે છે. શારીરિક, માનસિક અનંત પ્રકારના દુઃખાએ આકુળવ્યાકુલ જીને તે દુઃખોથી છૂટવાને બહુ બહુ પ્રકારે ઈચ્છા છતાં, તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એ પ્રશ્ન અનેક જીવને ઉત્પન્ન થયા કરે પણ તેનું યથાર્થ સમાધાન કેઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે જ્યાંસુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખને ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં તેને અનુભવ્યા જ કરવું પડે. અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનું પ્રયત્ન છે. પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં તેઓ દુઃખને અનુભવ જ કરતાં દષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ કેઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તો પણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. ” ઈત્યાદિ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫) આમ વિપર્યાસથી સુખદુઃખના સાચા સ્વરૂપનું ભાન નહિ હોવાથી ભવાભિનંદી જીવની ઉલટી પ્રવૃત્તિ હોય છે. અસત્ આચરણ હોય છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – यथा कण्डूयनेष्वेषां धीन कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ॥ ८१ ॥ વૃત્તિ –-કઈ એક ખસને ખણુનારો દરદી હતે. ખજવાળના અતિરેકથી એના નખ ધસાઈ ગયા. પછી રેતાળ ભૂમિમાં નિવાસને લીધે, તેને ખજવાળ દૂર કરવા માટે કેમ કરીને તણખલું મળ્યું નહિ. ત્યાં ભિક્ષાપુટિકા (ઝોળી) વગેરે સાથે જેણે તૃણુને પૂળો લીધો હતો એવા વૈદ્ય પથિકનું તેને દર્શન થયું. તેની પાસે તેણે એક તૃણ માંગ્યું ને એણે તેને તે દીધું. એટલે તે હયમ પરિતુષ્ટ થશે અને તેષ પામી ચિ તવવા લાગે-અહો ! આ ખરે ખર ધન્ય છે ! કે જેની પાસે આટલા બધા ખજવાળવાને હૂયન (સાધનો) છેપછી તેણે તેને પૂછ્યું-વારુ, આ આમ આટલા બધા કયાં મળે છે ? તેણે કહ્યું-લાટ દેશ આદિમાં. હારે એનું શું પ્રયોજન છે? તેણે કહ્યું-ખસની ખજવાળ દૂર કરવાનું (કછૂક છૂવિને દ). પથિક–જે એમ છે તે આનું શું કામ છે? હું હારી ખસને જ સાત રાતમાં દૂર કરી દઉં. તું ત્રિફલાને ગ કર તેણે Page #377 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ખસ ખણનારા જેમ વિષય સાધનેચછા (૩૧૧) મતિ એની ખજવાળમાં, ખસ મટાડવા નહિ; ત્યમ
Page 230
તસ મતિ ભેગાંગમાં, ન તદિચ્છા ક્ષયમાંહિ ! અર્થ –આ ખસને ખણનારાઓની બુદ્ધિ જેમ ખજવાળમાં જ હોય છે, પણ ખસના મટાડવામાં હોતી નથી, તેમ આ ભવાભિનંદી જીની મતિ પણ ભેગના અંગરૂપ વિષયમાં જ હોય છે, પણ તે ભેગાંગની (વિષયની) ઈચ્છાના નાશમાં હોતી નથી. વિવેચન અત્રે જે સુંદર આબેહુબ દૃષ્ટાંત આપ્યું છે (જુઓ વૃત્તિ) તે બહુ મનન કરવા જેવું છે, ને તેને ઉપનયયુક્ત આ સાર ગ્રહણ કરવા યોગ્ય છે – ખસના દરદીને ખજવાળ–ચળ ઘણી જ મીઠી લાગે છે, અને તેથી તે ખણવામાં–બેદી નાંખવામાં તેને એટલે બધો આનંદ આવે છે કે ખજવાળતાં ખજવાળતાં તેના નખ ઘસાઈ જાય, તે પણ તેની ખજવાળ ખૂટતી નથી ! પછી તે ખજવાળવા માટે દૃષ્ટાંત તૃણ વિગેરે બીજા સાધન પણ શોધે છે. હવે તેને જે કઈ વૈદ્યરાજ મળી ઉપનય આવે અને તેને કહે કે ભાઈ ! હાર સમૂળગો ખસ ગ જ હું કાઢી નાંખું, મને ત્રિફળાને પ્રયોગ કરવા દે, પછી ત્યારે ખજવાળવાની પણ પંચાત નહિં રહે, તો એ સામું કહેશે-હારે તે આ હારી ખજવાળ જ ભલી છે, તે જ મને મીઠી લાગે છે, માટે બરાબર ખજવાળાય તે તેને ઉપાય હોય તે કરે. જો કે આ ખજવાળથી તાત્કાલિક કલ્પિત મીઠાશ લાગતાં છતાં પરિણામે તે બળતરા જ ઊઠે છે, ખજવાળ ઉલટી વધે જ છે, ને રેગ ઊંડા મૂળ નાખે છે, પણ પશુ જે મૂર્ખ તે ગામડીઓ ગમાર તેમ સમજતા નથી. તે જ પ્રકારે ભવાભિમંદીરૂપ રેગીને ભવરૂપ ખસને મહારોગ લાગુ પડ્યો છે. તેથી આ સંસારના કીડાને વિષયેચ્છારૂપ મીઠી ખુજલીખજવાળ આવે છે, અને વિષયસેવનથી તે ખજવાળ દૂર કરવા મથે છે, પણ ગમે તેટલા વિષયગથી તે મટતી નથી, અગ્નિમાં આહુતિની જેમ ઉલટી વધતી જાય છે, ને અંતસ્તાપરૂપ બળતરા ઊઠે છે. વિષય ભેગથી સંસાર રેગ ઊંડા મૂળ નાંખતે જાય છે. વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષય કહ્યું–ખસ મટી ગયે, કવિનેદના અભાવે (ખજવાળના અભાવે) જીવવાનું ફળ શું? તેથી ત્રિફલાથી સયું! આ કયાં મળે છે એ જ કહો ! એમ ને ગભર્યા છે. અક્ષગમનિકા (શબ્દાર્થ તે-ચાં શ0qca થી જૂનિવર્તિને તતેષ મનg ન રતિષ્ઠા રિજે-જેમ એની મતિ કંથનામાં (ખજવાળના સાધનોમાં) હોય છે, પણ તે ખસના નિવતનમાં–મટાડવામાં હોતી નથી; તેમ આ ભવાભિનંદીઓની મતિ ભેગીંગમાં હોય છે, પણ તેની ઈરછાના પરિક્ષયમાં ભેગેરછાની નિવૃત્તિમાં નથી હોતી; તવના અનભિજ્ઞપણથી જ (અજાણુપણાથી ) વયના પરિપાક થયે પણ. વાજીકરણમાં આદર હોવાથી. અહીં છૂછનું’ પ્રહણુ ભેગક્રિયાના ઉપલક્ષણવાળું છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ (૩૧૨) ગદષ્ટિસમુચ્ચય તૃષ્ણા વધતી જાય છે. ઈધનથી-બળતણથી અગ્નિ જેમ ક્ષીણ થતો નથી, તેમ વિષથી કામ ક્ષીણ થતો નથી, ઉલટો વિશેષ બળવાન બની વૃદ્ધિ પામે છે. કારણ કે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જાણે કદી પ્રાપ્ત ન થયા હોય એવા ભ્રમને લીધે કામભેગેને વિષે મૂઢ જનની ઇચ્છા ઉપશમતી નથી !' પછી તેને દૈવાનુગે-સદ્ભાગ્યના ઉદયથી કઈ સદ્ગુરુરૂપ સવૈદ્યને આકસ્મિક ભેટે થઈ જાય, તે તે વિષયેચ્છારૂપ ખજવાળ-ચળને સાધનઉપાય (પુણ્યરૂપ) પૂછે છે, અને તે પણ વિષયસાધનથી જ થાય એમ ઈચ્છે છે. એટલે શ્રી સદ્ગુરુ તેને કહે છે–હે ભદ્ર ! આ ખજવાળ ખજવાળ શું કરે છે? ચાલ, હું ત્યારે આ ખજવાળના મૂળરૂપ ભવોગ જ અલ્પ સમયમાં મટાડી દઉં, આ સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિફલાનું તું સેવન કર, એટલે આપોઆપ તે ખજવાળ પણ એનું મૂળ કારણ દૂર થતાં મટી જશે. પણ તે મેહમૂઢ જીવ વળતું એમ બોલે છે-હે મહાનુભાવ! મહારે એ રોગ છે રહ્યો ! મહારે તે આ મારી વિષયેચ્છાની ખજવાળ-ચળનું સાધન
Page 231
જોઈએ છે, તે ખણવામાંજ –તેને ખેદી નાંખવામાંજ મને તે મીઠાશ લાગે છે, માટે તેને બાધ વિષય સાધન ન આવે એવું સાધન હોય તે કહો. આમ તે વસ્તુતત્ત્વથી અનભિજ્ઞઈચ્છા અજાણ હેઈ, ભોગસાધનમાં આસક્ત રહી, ભવરેગનું નિવારણ ઈચ્છતે નથી, અને વિષયને જ ઈષ્ટ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાંજ નિમગ્ન થાય છે, તેમાં જ ડૂબી જાય છે! અને આમ તેની ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી, તે એટલે સુધી કે ઉંમર પાકી ગઈ હોય, પિતે ઘરડખખ બૂઢા બેલ જેવો થઈ ગયો હોય, છતાં વિષયાભિલાષના અતિરેકથી પુન: જુવાનીનું જેમ પ્રાપ્ત કરવાને તે “વાજીકરણ” પ્રયોગ,ધાતુપુષ્ટિને વૈદ્યક પ્રયોગ કરે છે, રસાયન સેવે છે, ને ઘડા જેવી તાકાત મેળવવા ઈચ્છત તે વિષયને ગધેડે બને છે! આશા જીર્ણ થતી નથી, તે જ જીર્ણ થાય છે ! વય જાય છે, પણ વિષયાભિલાષ જ નથી ! ! “મારા = ની વયમેવ વળ–શ્રી ભર્તુહરિ. નતં વયો નો વિશ્વામિત્રા : '–શ્રી રત્નાકર પચીશી + “विषयैः क्षीयते कामो ने धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ॥ अप्राप्तवनमानुश्चैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ।।" શ્રી યશોવિજયજીત અધ્યાત્મસાર, " न हि केनाप्युपायेन जन्मजातङ्कसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यति" ॥ શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ Page #379 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિઃ ૫૫ધૂલિથી પિતાના હાથે આત્માને ફાંસે ! (૩૧૩) અત્રે ભેગસાધનને ઈચ્છાપરિક્ષય નથી એમ કહ્યું, તે ઉપરથી ભેગક્રિયાને પરિક્ષય પણ નથી થતો એમ ઉપલક્ષણથી સમજવાનું છે, કારણ કે ભેગકિયા પણ ભેગઈચ્છા વિના ઉપજતી નથી, એટલે ગઈચ્છાને પરિક્ષય-નાશ ન હોય તે ભેગકિયાને પણ પરિક્ષય નથી થતું. ઈચ્છા-વાસના ટળે નહિં ત્યાં સુધી ભેગપ્રવૃત્તિ પણ ટળે નહિં. જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને કારણ એમ છે તેથી– आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् । पापधूल्या जडाः कार्यमविचायैव तत्त्वतः ॥८२॥ કચેષ્ટાથી જડ એ સદા, નાખે છવને પાશ; પાપ ધૂળથી-તાવથી, વિના કાર્ય વિમાસ. ૮૨, અર્થ –આ જડ છે, તત્વથી કાર્ય વિચાર્યા વિના જ, અત્યંતપણે અસત્ ચેષ્ટાથી આત્માને પાપધૂલિવડે સદા પાશ નાંખે છે. વિવેચન ઉપરમાં કહ્યું તેમ સ્થિતિ હોવાથી, આ ભવાભિનંદી જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાં– ખોટા માની લીધેલા કલ્પિત સુખમાં આસક્ત હોઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે પિતાના હાથે છે, આરંભ આદિ કરે છે, અને તે તે પાપસ્થાનકોના સેવનથી તે ફાંસો ! જ્ઞાનાવરણાદિ પાપકર્મ રૂપ ધૂલિ–રજ આત્મામાં નાંખી પિતાના આત્માને મલિન કરે છે ! તે પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે, પિતે પિતાને બાંધે છે, પિતે પિતાને વેરી થઈ આત્મઘાતી બને છે! અને આમ જે પિતાના હાથે ગળે ફાંસે નાંખે છે, આત્મામાં ધૂળ નાંખે છે, તે મૂર્ખ, જડ, મંદબુદ્ધિ કહેવા ગ્ય છે. કારણ કે કોઈ માણસ પોતાના હાથે માથામાં ધૂળ નાંખતે હેય, તે આપણે તેને મૂર્ખ દિવાને માનીએ છીએ, ગાંડાની ઇસ્પીતાલને લાયક ગડે પાગલ વૃત્તિઃ– ગાભનં-આત્માને, જીવને, પારાતિ–પાશ બાંધે છે, જકડી રચે છે, ગંઠી લે છે, તે આ અધિકૃત–પ્રસ્તુત પ્રાણીઓ, સા સદા-સર્વકાલ અષ્ટયા-અસત ચેષ્ટાથી, પ્રાણુતિપાત–આરંભરૂપ એવી. હેતુભૂત અસત્ ચેષ્ટાવડે કરીને, સૂરાપુ-અત્યંત. કેનાવડે પાશ બાંધે છે ? તે માટે કહ્યું કે–પાપૂજા-પાપધૂલિવડે, જ્ઞાનાવરણ આદિ લક્ષણરૂપ પાપધૂલિવડે, – જડે, મંદ, વિવાવ-કાર્ય વિચાર્યા વિના જ, તરસતા-તાવથી, પરમાર્થથી, ક્ષણિક કસુખમાં સમાપણાથી તેઓ આત્માને પાશ નાંખે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪) યોગદષ્ટિસમુચય ગણુએ છીએ, ને તેની મૂર્ખતા પર હસીએ છીએ. તે પછી આ તો અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપ ધૂલ નાંખી
Page 232
તેને મલિન કરે, તે તે કેટલી બધી મૂર્ખતાનું કામ ગણવું જોઈએ? ખરેખર ! વિષયાસક્તિથી પાયધૂલિ આત્મામાં નાંખનારા મહમૂઢ ભવાભિનંદી જી મૂર્ખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઇસ્પિતાલને લાયક મનુષ્ય જ છે. કારણ કે તેઓ મહમદિરાથી મસ્ત થઈ ઉન્મત્ત બન્યા છે ! “વવા મોમીનમાં જ અતિમુનીમૂi નાર –ભર્તુહરિ. દાખલા તરીકે – धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥ કર્મ ભૂમિમાં લહ પરમ, ધર્મ બીજ નર જન્મ; તસ સત કર્મ કૃષિ વિષે, મંદ કરે ન પ્રયત્ન. ૮૩, અર્થ –કર્મભૂમિમાં પરમ ધમ બીજરૂપ મનુષ્યપણું પામીને, એની સત્કર્મરૂપ કૃષિમાં (ખેતીમાં) અલ્પ મતિવાળાઓ પ્રયત્ન કરતા નથી. વિવેચન “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તે અરે! ભવચક્રનો ટનહિ એકે ટળે.”–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત મોક્ષમાળા કર્મભૂમિમાં ધર્મબીજની સત્ કર્મ ખેતી. ધર્મની પ્રાપ્તિમાં બીજરૂપ પ્રધાન કારણુ-પરમ ધર્મબીજ મનુષ્યપણું છે. બીજ હોય તે જ અંકુર ફૂટવાનો સંભવ છે, કારણ કે મનુષ્યપણું હોય તે જ બીજા આનુ. પંગિક કારણેને જેગ બની શકે છે, અને મનુષ્યપણામાં જ પૂર્ણ સદવિવેકને ઉદય થઈ મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે,–બીજા કેઈ દેહથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આ માનવ દેહ સર્વથી ઉત્તમ છે. જ્ઞાનીઓ કહે છે કે ઘણા ઘણા પુણ્યને પુંજ ભેગે થાય-માટે પુણ્યશશિ એકઠો થાય, ત્યારે આ મનખો અવતાર મળે છે, આ માનવદેહ પરમ દુર્લભ છે. આવું મનુષ્યપણું પણ પુણ્ય જેગે મળ્યું હોય, પણ વૃત્તિ –ધર્મી ધર્મબીજ, ધર્મ કારણ. પરં–પર, પ્રધાન, -પ્રાપ્ત કરી, તે કર્યું? તે કેનાગુચ-મનુષ્યપણું. ક્યાં ? તો કે મુમg-ભરત આદિ કર્મભૂમિમાં. શું? તે કે-સંવર્મપી-સત કર્મ કૃષિમાં, ધમ બીજાધાન આદિ રૂપ સતકર્મની ખેતીમાં, બચ-આની, આ ધમં બીજની, ને પ્રતસેજલ-અ૮૫મતિવાળા પ્રયત્ન કરતા નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ ધર્મભૂમિમાં ધર્મબીજની સતકર્મ ખેતી (૩૧૫) જે અનાર્ય ક્ષેત્રભૂમિમાં જન્મવું થયું હોય, તે તે મનુષ્યપણું પણ અફળ જાય છે, કારણ કે એવી અનાર્ય ભૂમિમાં ધર્મ સંસ્કારનું દુર્લભપણું છે, ઉલટું ત્યાં તે ધર્મસંસ્કાર હોય તોપણ ચાલ્યા જવાનો સંભવ છે, માટે ધર્મની પ્રાપ્તિમાં આર્યક્ષેત્રની પણ તેટલી જ આવશ્યકતા છે. “ આર્ય' એટલે સર્વ હેય–ત્યાગવા યોગ્ય ધર્મોથી જે જલ્દી દૂરથી ચાલ્યા ગયેલા છે, તે માનનીય જન. હિંસા-ચેરી–પરદા રાગમન વગેરે અનાર્ય કાર્ય જે આચરતા નથી, અને ખાદ્યાખાદ્ય, પૈયાપેય, ગમ્યાગમ્ય વગેરે વિવેક જે કરે છે, એવા સંસ્કારી આર્ય સજજન જ્યાં વસે છે તે આયક્ષેત્ર છે. આર્ય છ પ્રકારના છે-ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કુલ આર્ય, કર્મ આર્ય, શિ૯૫ આર્ય અને ભાષા આય. પંદર કર્મભૂમિમાં જન્મેલા તે ક્ષેત્ર આર્ય છે, ઇત્યાદિ. દેવકુરુ *, ઉત્તરકુરુને બાદ કરી, પાંચ ભરત, પાંચ અરવત ને પાંચ વિદેહ-એ પંદર કર્મભૂમિ કહેવાય છે, કારણ કે સંસાર દુર્ગને અંત કરનારા સમ્યગદર્શન જ્ઞાન-ચારિત્રરૂપ મેક્ષમાર્ગના જ્ઞાતા, કર્તા ને ઉપદેશ એવા ભગવાન પરમર્ષિ તીર્થ કરે અત્રે ઉપજે છે. અત્રે જ જન્મેલા સિદ્ધ થાય છે, અન્યત્ર નહિં. એટલા માટે મેક્ષાર્થ કમની જે સિદ્ધિભૂમિઓ છે, તે કર્મભૂમિ છે. જ્યાં મોક્ષ માટે પુરુષાર્થ કર્મવેગ સફળ થાય છે-સિદ્ધ થાય છે, તેને કર્મભૂમિ નામ બરાબર ઘટે છે. પણ આવું પ્રધાન ધર્મબીજરૂપ ઉત્તમ મનુષ્યપણું મળ્યું હોય, અને ભરતક્ષેત્રાદિ કર્મભૂમિરૂપ આર્યક્ષેત્ર પણ સાંપડયું હોય, છતાં એ ધર્મ બીજને વાવી, ઊગાડી, તેમાંથી સત્કર્મરૂપ ખેતી ન કરે, તેને ખેડવાનો પ્રયત્ન ન કરે, તે શું કામનું ? તેવા મનુષ્ય તે ખચિત અલ્પમતિવાળા કહેવા ગ્ય છે, કારણ કે તે તેવું ઉત્તમ મનુષ્યપણું હારી જાય છે, તેને વેગ પામી આત્માર્થ– આત્મકલ્યાણ સાધતા નથી, પોતાનું કામ કાઢી લેતા
Page 233
નથી. કેઈ બીજ હોય, તેને યોગ્ય ભૂમિમાં જે વાવવામાં ન આવે, ઊગાડવામાં ન આવે, ને તેને નકામું પડયું રહેવા દેવામાં આવે, તે તે પડઘું પડયું સડી જાય ને નાશ પામે. પણ જે તેને સુગ્ય ભૂમિમાં વાવ્યું હોય, તે તે એક બીજમાંથી બીજમાંથી લાખો, કરોડ, અબજો, અસંખ્ય, અનંત બીજ ઊગી નીકળે. દાખલા વૃક્ષ તરીકે–વડનું એક નાનું સરખું બીજ વાવ્યું હોય, તેમાંથી મોટું વટવૃક્ષ ફાલીલી નીકળે છે. તે વટવૃક્ષમાં અનંત બીજ હોય છે, તે પ્રત્યેકમાંથી પાછા અનંત બીજ નીપજે છે. એમ અનંત પરંપરા ચાલ્યા જ કરે છે. તેમ * * બાપાત્રાતઃ સાધો રૂત્તિ બા: – શ્રી શીલાંકાચાર્યકુત સૂયગડાંગ ટીકા. “મરતૈયતવાર શર્ષમૂમચોડચત્ર રેવન્યુત્તરવું: ” શ્રી તત્વાર્થસૂત્ર Page #382 -------------------------------------------------------------------------- ________________ (૩૧૬) યોગદષ્ટિસમુરચય ધર્મબીજરૂપ મનુષ્યપણું સાંપડયું હોય, તેને સતકમોગ વડે કરીને કર્મક્ષેત્રરૂ૫ રેગ્ય ભૂમિમાં વાગ્યું હોય, તે તેમાંથી અનંત કલ્યાણપરંપરાને અનુબંધ થયા જ કરે છે. આ ધમક્ષેત્રરૂપ કુરક્ષેત્રમાં-કર્મક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડે અને અશુભ વૃત્તિરૂપ કૌરનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સકર્મયોગરૂપ સત્ય પુરુષાર્થથીઆત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિઓને દબાવી દઈ સવૃત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાર્થથી ધર્મબીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરોત્તર કલ્યાણની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે. તે - અત્રે “કર્મભૂમિ' એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે છે, તે ઘણે અર્થસૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કર્મભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી પડે છે, બીજને વાવી તેનું પરિપેષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કર્મભૂમિ પામી તેમ તે મનુષ્ય ! તમે પણ આ કર્મભૂમિમાં જન્મ્યા છે, તે સત્કર્મ કર્મચગી રૂ૫ પુરુષાર્થમાં પ્રયત્ન કરે ! પ્રયત્ન કરે ! સત્કર્મગ સાધી સાચા થાઓ! કમલેગી બને ! આ ઉત્તમ ધર્મબીજરૂપ મનુષ્યપણને વાવી સત્ કર્મરૂપ ખેતી કરે, સદ્ધર્મ આરાધનારૂપ જલસિંચનવડે તેનું પરિપષણ કરી વૃદ્ધિ પમાડે-જેથી કરીને તે ધર્મ બીજ ઊગી નીકળી, ફાલીફૂલી અનંતગણું ફળ પરિપાક આપશે. જો ઇચછ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માથ.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અહે મનુષ્ય ! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી જે તમે પંચ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશે, તે ક્ષાયિક દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણરૂપધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદ રૂપ સુભિક્ષ–સુકાળ વર્તશે, એટલે તમે સાદિ અનંતકાલ આત્મસુખ ભેગવશે. આમ આ કર્મભૂમિ જાણે આ કર્મભૂમિના મનુષ્યને સંદેશ આપી રહી છે ! પંચ મહાવ્રત ધાન્ય તણું કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સસ્ય, આતમ ઘર નીપજ્યા રે. પ્રભુદરિસણ મહામહ તેણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા મુજ દેશમેં રે; દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરે રે, સાદિ અનંત કાળ આતમ સુખ અનુસરે રે શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉમે ?શ્રી દેવચંદ્રજી. + “धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सत्रः । मामकाः पाण्डवाश्चव किमकुर्वत संजय ॥" શ્રી ભગવદ્ ગીતા, ૧-૧ Page #383 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ કર્મભૂમિ પામી કર્મવેગી થાઓ ! (૩૧૭ ) ખરેખર ! મનુષ્યપણું એ ધર્મપ્રાપ્તિમાં–આત્મસિદ્ધિમાં અપેક્ષા કારણ છે. પ્રભુદર્શન આદિ નિમિત્ત કારણ પામી, આત્મપરિણામરૂપ ઉપાદાન કારણ જે પ્રગટે તે જ તે અપેક્ષા કારણનું સફળ પણું છે, તે જ તે લેખે છે. નહિં તે સંમૂઠ્ઠિમ જેમ જો તે શું? ને મુએ તોયે શું? તેને કાંઈ હિસાબ નથી. માટે સદ્ધર્મરૂપ નિમિત્ત પામી આત્મારૂપ ઉપાદાનને પ્રગટાવે, એ જ આ ધર્મ બીજરૂપ મનુષ્યપણાની ખેતી છે. “નર ગતિ પઢમ સંઘયણ તે અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન,
Page 234
તેહને લેખે આણેપ્રણમે શ્રી અરનાથ. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી...પ્રણમે. “જન્મ કૃતાર્થ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જગત શરણ જિન ચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ. ”—શ્રી દેવચંદ્રજી. “દશ દષ્ટાંતે દુર્લભ માનવદેહ આ, પ્રાપ્ત થાય છે મહા પુણ્ય સંગ જે; ઉતાવળે કરવું તે સાર્થક એહનું, ફરી ફરી બાઝે નહિ એ જગ જે.”-(ડૉ. ભગવાનદાસ) પણ મૂર્ખશિરોમણિ એવા મંદબુદ્ધિ ભવાભિનંદી છે આમ ધર્મબીજરૂપ મનુષ્યપણાનું સાર્થકય કરવાને બદલે તે બીજને વેડફી નાંખે છે ! અનેક પ્રકારના દુરાચારમાં, મિથ્યાભિમાનમાં, પ્રમાદમાં, વિષયમાં ને કષાયમાં તેઓ અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમાન મનુષ્ય જીવન ગુમાવી દે છે! ને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિ રત્ન ફગાવી દેનાર મૂર્ખ જેવું કાર્ય કરે છે ! તેથી તેમને “એળે ગયો અવતાર' થાય છે. “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું ? તે તે કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું? એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નરદેહને હારી જ, એને વિચાર નહિં અહોહો ! એક પળ તમને હો !”-શ્રી મોક્ષમાળા ૧ ત્યારે શું ? बडि शामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । सक्तास्त्यजन्ति सच्चेष्टां धिगहो दारुणं तमः ॥ ८४ ॥ વૃત્તિ - શનિવવ7-ડિશામિષ જેવા, એ નિદર્શન-ઉદાહરણ છે; એટલે કે માછલાના ગળાના માંસ જેવા, તુ-તુચ૭, અલ્પ, સુમુ-કુસુખમાં, દુષ્ટ ભેગથી ઉપજતા કુસુખમાં, રાહથે દારુણ ઉદયવાળા, રૌદ્ર વિપાકવાળા,- આ સમય (આગમ) પરિભાષા છે. સા:-સક્ત, વૃદ્ધ, લુપી, શું ? તે કે સ્થાનિત સદ-સાચેષ્ટા ત્યજે છે, ધર્મસાધન સજે છે. આ કર્મને દોષ છે, તે Page #384 -------------------------------------------------------------------------- ________________ (૩૧૮) ગદરિસર્ભાશય દાણુ ઉદયી ગલ સમા, તુછ કુસુખે સક્ત; ત્યજે સુચેષ્ટા-ધિક અહે, દારુણ તમને અત્ર! ૮૪ અર્થ –બડિશામિષ એટલે માછલાના ગળાના માંસ જેવા તુચ્છ, તથા દારુણ ઉદય-વિપાકવાળા કુસુખમાં સક્ત થયેલા તેઓ સચેષ્ટા ત્યજે છે! અહો ! દારુણ તમનેઅજ્ઞાન અંધકારને ધિક્કાર હો ! વિવેચન તે ભવાભિનંદી જે મનુષ્ય જન્મનું સાર્થક્ય તે કરતા નથી, પણ ઉલટું તેને વેડફી નાંખે છે; મનુષ્ય અવતારરૂપ ધર્મબીજની ખેતી કરવી તે દૂર રહી, પણ તે બીજને જ સડાવી નાંખે છે ! કમાણી કરવી તે દૂર રહી, ઉલટી મૂડી ગુમાવી ગલની લાલચે નુકશાની જ કરે છે ! નફાના બદલે બોટને વ્યાપાર કરે છે ! કારણ બૂરા હાલ કે તેઓ માછલાના ગળાના માંસ જેવા તુચ્છ અને દારુણ-ભયંકર વિપાકવાળા દુષ્ટ ભેગજન્ય વિષયસુખમાં સક્ત થાય છે. માછલાને લલચાવવા માટે મચ્છીમારે માછલાના ગળાનું માંસ-ગલ આરમાં ભરાવીને મૂકે છે. માછલું તે તુચ્છ માંસ ખાવાની લાલચે, તેની પાછળ દોડી, તે આરમાં સપડાઈ જાય છે, અને પછી તેના ભૂંડા હાલહવાલ થાય છે, પ્રાણત દારુણ દુઃખ તે અનુભવે છે. તેમ મેહરૂપ માછીમાર જીવરૂપ માછલાને લલચાવવા માટે દુષ્ટ વિષયસુખરૂપ ગલ મૂકે છે, તે તુચ્છ અસત્ સુખની આશાએ તે તેની પાછળ દેડી તેમાં સપડાઈ જાય છે, આસક્ત થાય છે. અને પછી તેના બૂરા હાલહવાલ થાય છે, નરકાદિના દારુણ દુઃખ વિપાક તેને દવા પડે છે. આમ રસનેંદ્રિયની લેલુપતાથી જેમ માછલું સપડાઈને દુઃખી થાય છે તેમ પશેન્દ્રિયને વશ થવાથી મદોન્મત્ત હાથી પણ બંધન પામે છે, ચક્ષુઈન્દ્રિયને વશ થવાથી પતગીએ દીપકમાં ઝંપલાવી બળી મરે છે, ઘાણે દ્રિયને વશ થવાથી ભમરો કમળમાં પૂરાઈ જઈ પ્રાણાંત દુઃખ પામે છે, શ્રોત્રંદ્રિયને વશ થવાથી મૃગલાં પારધિની જાલમાં સપડાઈ જાય છે. આમ એકેક દાદ્રિય વિષયના પરવશપણાથી પ્રાણી દાણુ વિપાક પામે છે, તો પછી પાંચ ઇન્દ્રિય જ્યાં મોકળી હોય, એ ભવાભિનંદી જીવ તે કેટલું દુઃખ પામે એમાં પૂછવું જ શું ? "करिझषमधुपा रे शलभमृगादयो, विषयविनोदरसेन ।
Page 235
हंत लभंते रे विविधा वेदना, बत परिणतिविरसेन ॥ જિળવા રે ગુઋસિમિતાબવા ” –શ્રી વિનયવિજયજીકૃત શાંતસુધારસ, માટે કહ્યું –ધિકાદો વા તH:-અહો ! દારુણ તમને ધિક્કાર છે ! આ કારણે અસાન અંધકારને ધિક્કાર છે ! આ કષ્ટરૂ૫ અજ્ઞાન છે, એમ અર્થ છે. કામ તાત વિર રામ તપાસ Page #385 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : ૭ વિષયાસક્તિના દારુણ વિપાક (૩૧૯) મનમથ વશ માતંગ જગતમેંપરવશતા દુઃખ પાવે રે, રસના લુબ્ધ હોય ઝખ મૂરખ, જાળ પડે પછતાવે રે.... વિષય વાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે. પ્રાણ સુવાસ કાજ સુન ભમરા, સંપુટમાંહે બંધાવે રે તે સરોજ સંપુટ સંયુક્ત કુન, કરીકે મુખ જાવે રે....વિષયક રૂપ મનહર દેખ પતંગ, પડત દીપમાં જાઈ રે; દેખે યાકુ દુઃખ કારનમેં, નયન ભયે હે સહાઈ રે....વિષયશ્રેત્રેદ્રિય આસક્ત મિરગલા, છિનમે શિશ કટાવે રે, એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે રે....વિષય પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકહા ક્યું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવ રહીએ રે....વિષય.” –શ્રી ચિદાનંદજી આમ હોવાથી જ્ઞાની પુરુષોએ આ વિષય સુખને નાગની ફેણનીઝ અથવા કિપાકફલની ઉપમા આપી છે, અને તેને કુસુખ-અસત્ સુખ કહ્યું તે યથાર્થ છે, અથવા તે જેના પરિણામે દુ:ખ છે તે વાસ્તવિક રીતે સુખ જ નથી, દુ:ખ જ છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ. – શ્રીમદ્ રાજચંદ્રજી આને અત્રે તુચ્છ ને દારુણ કહ્યું તે યથાયોગ્ય છે. કારણ કે તે તુચ્છ, સાર વિનાનું ને જગતની એક જેવું છે. જે પુદ્ગલે અનંત જીવોએ વારંવાર ભેગવ્યા છે, તેના ઉચ્છિષ્ટ–એઠા એવા પુદ્ગલ પરમાણુઓના ભેગથી વિષયા“figો વાળ સક્ત-ભવાભિનંદી જીવ આનંદ માને છે ! ને તેવા ઝાંઝવાના જલ જેવા તમઃ” તુચ્છ કુસુખ પાછળ દોડી સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, ધર્મકર્તવ્યરૂપ સપ્રવૃત્તિ છેડી દે છે ! એ માટે શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યજી ખેદ વ્યક્ત કરે છે–અરે ! આ તમને, અજ્ઞાન અંધકારને ધિક્કાર હે! કે જેને લઈને આ જીવ પિતાનું ભાન ભૂલી જઈને આમ વિપરીત પ્રવૃત્તિ કરે છે, ખોટું આચરણ કરે છે. આમાં એ બિચારાને દોષ નથી, પણ તેના મેહનીય કર્મને દેષ છે. તે જ અંધકારરૂપ હોવાથી, તેને સાચી દિશા સૂઝતી નથી, સાચે માર્ગ ભાસતો નથી, એટલે મુંઝાઈ જઈ તે સમાગ છડી ઉભાગે જાય છે. ૪ “મા મુકામr: Hઇ: વાળવાળિઃ | Rામાના બનાવો સંસારે વિયાપ !”–ી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ, Page #386 -------------------------------------------------------------------------- ________________ (૩૨૦) ગદષ્ટિસમુચ્ચય “ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે, અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે?”—શ્રીમદ્ રાજચંદ્રજી ઉપસંહાર કરતાં કહે છે अवेद्यसंवेद्यपदमान्ध्य दुर्गतिपातकृत् । सत्संगागमयोगेन जेयमेतन्महात्मभिः ॥ ८५ ॥ પદ અવે એ આંધ્યરૂપ, કરતું દુર્ગતિ પાત; સત્સંગાગમ યોગથી, જેય મહાત્મથી માત્ર ૮૫. અર્થ –એ અદ્યસંવેદ્ય પદ આંધ્યરૂપ- અંધપણારૂપ હેઈ, દુર્ગતિમાં પાત કરનારુંપાડનારું છે એ સત્સંગ-આગમન યેગથી મહાત્માઓથી જીતી શકાય એવું છે. વિવેચન આમ ઉપરમાં જેનું સ્વરૂપ વિસ્તારથી કહેવામાં આવ્યું, તે અઘસવેદ્ય પદ આંધ્યરૂપ એટલે કે અંધપણુરૂપ છે, અને તે દુર્ગતિમાં પાત કરનારું–પાડનારું છે. આવું આ અદ્યસંવેદ્ય પદ આ જ ભૂમિકામાં મહાત્મા ગીજનેથી જ અ. . સં. ને સત્સંગઆગમના યોગે કરીને જીતાય એવું છે. તે આ પ્રકારે જેમ સત્સંગ-આગ- કેઈ આંધળે અંધપણાને લીધે માર્ગે ન દેખતે હોઈ ઊંડા ખાડામાં મથી જય પડી જાય, તેમ અદ્યસંવેદ્યરૂપ અંધપણને લીધે આ જીવને સન્માર્ગ ન સૂઝતે હોઈ તે નરકાદિ દુગતિરૂ૫ ગર્તામાં-ખાડામાં પડી જાય છે. પણ તે આંધળાને જે સાચે માર્ગદર્શક દોરનારે મળી આવે, તે તે ખાડામાં
Page 236
ન પડતાં સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ આ જીવને પણ સાચે રસ્તે દોરનાર સત્સંગ-સપુરુષનો અને આગમને-સતુશાસ્ત્રને વેગ બાઝે, તે તેવા માર્ગદર્શકના પ્રભાવે તેને સન્માર્ગનું ભાન થાય, અને દુર્ગતિના ખાડામાં ન પડતાં તે સન્માર્ગે ચાલ્યો જાય. વૃત્તિ સંવેપH-ઉક્ત લક્ષણવાળું અદ્યસંવેદ્ય પદ, ભાર્થે આંધ્ય ભાવરૂપ, અંધપણારૂપ છે. એટલા માટે જ કહ્યું--હુતિપાતશત્ત-દુર્ગતિમાં પાત કરવાના શીલવાળું- રવભાવવાળું છે. સરંજામાન-સત્સંગ–આગમના વેગથી, વિશિષ્ટ સંગ-આગમના સંબંધથી એમ અર્થ છે. એકરૂપ ભાવ પુરુષપ્રાધાન્ય પ્રખ્યાપન કરે છે તેયમેટુ-આ અદ્યસંવેદ્યપદ છતાવા એગ્ય છે, મઠ્ઠામમિ – મહાત્મા પુરુષોથી,- આ જ ભૂમિકામાં; અન્યાદા જીતવાનું અશકયપણું છે તેથી કરીને. એથી કરીને જ આગમ પણ અનુવાદપર (આમ જ અનુકળ કહેનાર ) છે, એમ મેગાચાર્યું કહે છે. “ જાનામિ ” અ૫ના નિયમની અસિદ્ધિને લીધે. Page #387 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ: સત્સંગને અનન્ય મહિમા (૩૧) પરિચય પાતકઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ.” “દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે.”—શ્રી આનંદઘનજી. અત્રે સત્સંગ-આગમ નથી એમ એકવચનરૂપ પ્રગ કરી એકભાવ કહ્યો છે, તે સહેતુક છે, કારણ કે માર્ગના દર્શનમાં સત્ પુરુષનું જ પ્રાધાન્ય-પ્રધાનપણું છે. માર્ગદિષ્ટા સત્પરુષ સદ્ગુરુ જ માર્ગ દેખાડી શકે, તે જ અજ્ઞાનાં જીવનું “નયન” એટલે કે સન્માર્ગે દોરવણું કરી શકે. અને તે પુરુષને સમાગમ જોગ બને તે તેના અનુસંધાનમાં જ સહૃતના શ્રવણને જેગ પણ બની આવે છે. અથવા તેમની આજ્ઞા પ્રમાણે અધ્યાત્મશાસ્ત્ર વાંચવા-વિચારવાની–અવગાહવાની પ્રેરણા મળે છે. આમ અગમ એવું આગમજ્ઞાન પણ ગુરૂગમને આધીન છે, માટે બને કારણની એકતા કહી. જ્ઞાની પુરુષોએ આ સત્સંગનો મહિમા ઠેર ઠેર ખૂબ ગાય છે. સત્સંગ એ જીવને તરવાનું ઉત્તમ સાધન છે. “ક્ષણ પણ સજજનની સંગતિઝ થઈ તે તે ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન થઈ પડે છે,” એમ મહાજને કહે છે. કારણ કે સત્સંગથી જીવના સ્વચ્છેદાદિ દેષ સહેજ દૂર થાય છે, ને આત્મગુણની વૃદ્ધિ થાય છે. આમ સત્સંગનો આશ્રય જીવને પરમ આધારરૂપ, અવષ્ટભરૂપ, ઓથરૂપ થઈ પડે છે, ને તેના અવલંબને સંસારસાગર ખાબોચીઆ જે થઈ જઈ લીલાથી પાર ઉતરાય છે. જીવના પરમ બાંધવરૂપ આ સત્સંગની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, માટે તેમાં સર્વાત્માથી આત્માર્પણ કરવું યોગ્ય છે એમ સત્પરુષે ઉપદેશે છે. “માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી એ દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે. અને પછી “સ” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચન લખ્યા છે, તે સર્વે મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે. અને એને સમ્યફ પ્રકારે વિચાર્યોથી પરમપદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટું દશનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુલ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપને નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણી, નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ * “ક્ષાન િરજ્ઞનયંતિરે, મવતિ મનાઈવર ના />– શ્રી શંકરાચાર્ય "पातयन्ति भवावते ये त्वां ते नैव बांधवाः । “વંધુતાં તે થિન્તિ હિતમુદ્િરા યોનિનઃ”—શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ, Page #388 -------------------------------------------------------------------------- ________________ (૩૨૨) યોગદૃષ્ટિસમુચ્ચય સર્વાંપણપણે ઉપાસવા યાગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે.
Page 237
”–(જુએ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧-૪ર૮-૫૧૮ (૨૧૧, હા-નેાં. ૨-૩૭, ૬૦૯) ઈ આવા ઉત્તમ સત્સંગ આગમના ચેાગથી આ અવેધસ વેધ પદ આ ચેાથી ષ્ટિવાળા મહાત્મા પુરુષાથી જ જીતી શકાય છે, કારણ આ જ ભૂમિકામાં તેનેા જય કરી શકાય એમ છે. અન્યત્ર તેમ બની શકવું સ ́ભવતુ' નથી, કારણ કે તથાપ્રકારની ચાગ્યતાનાપાત્રતાને અભાવ હોય છે. પૂર્વે તે જીતવા જેટલુ' આત્મખલ હેાતુ નથી, અને પછી તેને ઉદય હાતા નથી, તે જીતાઈ ગયુ. હાય છે. આગમમાં પણ આનું સમંન છે કે અચેાગ્યને નિયાગની અસિદ્ધિ છે.' માટે આ દૃષ્ટિમાં જ અવેધસ વેધ પત્નને જીતવાની મેગ્યતા આ મહાત્મા જોગીજનને સાંપડે છે. અને એટલા માટે જ કહ્યું કે એવા અવગુણવંતનુંજી, પદ એ અવેદ્ય કઠોર, સાધુ સંગ આગમતણેાજી, તે જીત્યા રધાર... મનમેાહન.” -શ્રી ચા, ૬. સ. ૪–૧૦ અવેધસ વેધ અને વેધસવેદ્ય પદની તુલના : કોષ્ટક ૭. અવૈદ્યસવૈદ્ય પ વેદ્યસવેદ્ય પદ પહેલી ચારમાં અ. સ. પ પ્રખલ; વેદ્યસંવેદ્ય અતાત્ત્વિક ગ્રંથિ અભેદ છેલ્લી ચારમાં અવૈદ્ય સં. ન હેામ, વેદ્યસ વૈદ્ય પદ્મ તાત્ત્વિક ગ્રંથિભેદ નામ કર્ણ દૃષ્ટિમાં કારણ વ્યાખ્યા પાત્ર મેવ પાપ પ્રવૃત્તિ લક્ષણ પરિણામ પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ લ ગુરુસ્થાન વૈદ્ય ન સવેદામ, પરમાથી અપદ્મ ભવાભિનંદી, સાંપ્રતઃશી મિથ્યાદષ્ટિ સ્થૂલ-અસત્. કારણ અપાય શક્તિ માલિન્ગ, અપાય દર્શન અતાત્ત્વિક પાપ પ્રવૃત્તિ હોય વિષર્માંસ, વિવેકાંધતા, અતિમેહ, વિષમ કુતક' ગ્રહ સંસાર પ્રતિ અનુદ્વેગ, ભાગાસક્તિ, કૃત્યાકૃત્યત્ક્રાંતિ અસત્ ચેષ્ટાપ્રવૃત્તિ, સત્ ચેષ્ટાનિવૃત્તિ અધપણારૂપ આત્મખધન, દુર્ગતિપાત પ્રથમ વૈદ્ય સવેદાય. પરમાર્થથી પદ્મ મુમુક્ષુ, નિશ્ચય સમ્યગ્દષ્ટિ સૂક્ષ્મ—સત્. કારણ અપાય શક્તિ માલિન્સ ન હેાય, અપાયદન તાત્ત્વિક હાય નહિ. કવચિત્ હામ તેા છેલ્લી ને તાલેાહપદન્યાસ જેવી અવિપર્યાંસ, સદ્વિવેક, અમેહ, ગ્રહરહિતપણું સંવેગાતિશય–પરમ વૈરાગ્ય, અનાસક્તિ, અભ્રાંતિ સત્ ચેષ્ટાપ્રવૃત્તિ, અસત્ ચેષ્ટાનિવૃત્તિ સમ્યગ્દર્શનરૂપ અખંધ, સુગતિપ્રાપ્તિ ચતુથ –દેશવિરતિ આદિ [] કૃતિ અનેથસંવેદ્યપવાષિર્: |] 5 Page #389 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત શ્રી યોગદષ્ટિસમુચ્ચય યો: શત્પતિ સવિવેચન શ્રેષ્ઠ:, ચોશિંતામUિT: પર: | શ્રી હરિભદ્રસૂરિ ( ભાગ - ૨) : વિવેચન કર્તા: ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા : પ્રકાશક: શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. મૂલ્ય રૂપિયા ૨૫૦ Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગટેચા માનદ્ મંત્રીશ્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. Email: [email protected] પ્રાપ્તિ સ્થાનો: (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. ફોન નં. ૦૨૨-૨૬૭૧૮૬૪૧ Email: [email protected] (૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય હીલ ડ્રાઈવ, તળાજા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ફોન નં. ૦૨૭૮-૨૫૬૩૯૬૯, Email: [email protected] પહેલી આવૃત્તિ: ઈ.સં. ૧૯૫૦- વિ.સં. ૨૦૦૬ વીર નિર્વાણ સંવત : ૨૪૭૫ દ્વિતીય આવૃત્તિ: ઈ.સં. ૧૯૭૮ – વિ.સં. ૨૦૩૪ વીર નિર્વાણ સંવત : ૨૫૦૩ તૃતીય આવૃત્તિ: ભાગ - ૨ ઈ.સ. ૨૦૧૮ - વિ.સં. ૨૦૭૪ વીર નિર્વાણ સંવત : ૨૫૪૩ કિંમત : ૨૫૦/નકલ: પOO મુદ્રક: વિનાયક પ્રિન્ટર્સ વિજ્ઞાપન ભવન, તાર ઑફિસ સામે, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. (મો.) ૯૯૭૯૨૦૬૦૬૦ Page #391 -------------------------------------------------------------------------- ________________ વિધાતીર્થ વિધાલય - શ્રી મહાવીર જૈન વિદ્યાલય પંજાબ કેસરી આચાર્યશ્રી પ.પૂ. વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશિષ સહ આજથી ૧૦૦ વર્ષ પૂર્વે વિ.સ. ૧૯૭૦, ફાગણ સુદી પાંચમને સોમવાર, તા. ૦૨/૦૩/૧૯૧૪ના શુભ દિવસે "શ્રી મહાવીર જૈન વિદ્યાલય”ની મંગલ સ્થાપના કરવામાં આવી. પૂ. ગુરુદેવે જોયું કે ગુજરાતના નાના ગામો અને શહેરોમાં યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત ન હતી. ઉચ્ચ અભ્યાસની
Page 238
તીવ્ર ધગશવાળા ઉચ્ચ ગુણાંક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ લક્ષમાં લઈને આપણા સમાજના યુવાધનના ઉચ્ચ અભ્યાસની સગવડતા ઉભી કરવાના ધ્યેય સાથે પૂ. ગુરુદેવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી. પૂ. ગુરુદેવના મનમાં ઉચ્ચ અભ્યાસ માત્ર બૌધિક વિકાસ માટે જ નહી પરંતુ વિદ્યાપિપાસુના સર્વગ્રાહી વિકાસનું કારણ બને તેજ વિચારોથી પૂ. ગુરુદેવે ઉચ્ચ વ્યવાહરિક અભ્યાસ સાથે ધાર્મિક સંસ્કારના સિંચનના અભ્યાસને સંલગ્ન કર્યા. સંસ્થાની સ્થાપના સમયે ત્રણ મૂળભૂત મુદ્દાઓ વિચારવામાં આવ્યા હતા. રાત્રિભોજન નિષેધ, અભક્ષ્યનો ત્યાગ અને જિનપૂજા સાથે ધાર્મિક અભ્યાસ વિગેરે ધ્યાનમાં રાખીને પંદર વિદ્યાર્થીઓ સાથે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” ૧૯૧૫માં ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું. જે આજે વટવૃક્ષરૂપી ગુજરાત-મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાં ૧૨ શાખાઓ, ૧૬૦૦ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓથી અધિક અભ્યાસ કરી શકે તેવી અદ્યત્તન સુવિધાઓ સાથેના વિદ્યાર્થીગૃહો | કન્યા છાત્રાલયો કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા વિદ્યાલયે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન નામનું નવું ટ્રસ્ટ રચી વડોદરા મુકામે એમ.બી.એ. કોલેજ શરૂ કરેલ છે. આપણા સમાજના યુવાધન ઉચ્ચ પ્રોફેશનલ શિક્ષણથી આર્થિક કારણોસર વંચિત ન રહે તે માટે વગર વ્યાજની લોન સહાય યોજના ચાલુ છે. આ યોજના હેઠળ વિદ્યાલય દ્વારા ભારત અને પરદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે. જૈન સાહિત્ય અને પ્રકાશનને ઉત્તેજન :(૧) સંસ્થા દ્વારા જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશનને ઉત્તેજન મળે તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા આગમના ગ્રંથો તૈયાર કરવામાં આવે છે. તેમજ અન્ય પુસ્તકોનું પ્રકાશન પણ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. સાદી અને સરળ ભાષામાં વિવેચનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પ્રકટ કરવાની સમયદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અને સંસ્થાના અનેકમુખ ઉત્કર્ષના પૂરસ્કર્તા સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાની ભાવના હતી અને આ માટે સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાએ ગ્રંથમાળાના સંપાદન કાર્યની શરૂઆત કરી અને આજદિન સુધીમાં ૯ પુસ્તકો તથા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (સંગ્રાહક અને સંપાદક) ગ્રંથમાળાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૧૦ અને અન્ય સાત પુસ્તકો તથા મુનિશ્રી નંદિઘોષ વિજયજી પ્રકાશિત બે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. (૨) જૈન સાહિત્યનો પ્રસાર, પ્રચાર અને ઉત્તેજન મળે તે માટે આજ દિન સુધીમાં ૨૩ જૈન સાહિત્ય સમારોહનું જુદા જુદા સ્થળે આયોજન કરવામાં આવેલ છે. વિધાલયની શાખાઓ : મ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં. ઈ-મેઈલ આઈ.ડી ૧૯૨૫ ૧૫ વિદ્યાર્થીઓ સાથે સને ૧૯૧૫માં શરૂ થયેલા શ્રી મહાવીર જૈન At present under વિદ્યાલય, ગોવાલિયા ટેન્ક પર સંસ્થાના મકાનમાં ભાવનગર રાજ્યના redevelopment દીવાન સર પ્રભાશંકર પટનીના શુભ હસ્તે તા. ૩૧/૧૦/૧૯૨૫ “શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ” ૧૯૪૬ શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ વિધાર્થીગૃહ, પાલડી બસ સ્ટેન્ડ સામે, પાલડી,| [email protected] અમદાવાદ-૩૮૦૦૦૬. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૫૭૯૯૫૩, ૨૬૫૮૪૩૫૨. ૧૯૪૭ શ્રી મહાવીર જૈન વિદ્યાલય | શ્રી ભારત જેન વિધાલય [email protected] આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧૦૦૪. ટેલિફોનઃ (૦૨૦) ૨૫૫૧૨૨૬. ૧૯૫૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગૃહ, આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, | vadodara smiv.org વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૩૨૪૬૮. ૧૯૬૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગણ, પંચાયત કાર્યાલય નજીક, [email protected] વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૦૨૧૧. ૧૯૭૦ શ્રી મણીલાલ દુર્લભજી વિધાર્થીગૃહ, હીલ ડ્રાઈવ, તળાજા રોડ, [email protected] ભાવનગર-૩૬૪૦૦૨. ટેલિફોનઃ (૦૨૭૮) ૨૫૬૩૯૬૯. ૧૯૭૨ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિધાર્થીગૃહ andheri @smjv.org જુહુ લેન, વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ટેલિફોનઃ (૦૨૨) ૨૬૭૧૮૬૪૧, ૨૬ ૨૪૧૪પ૭. Page #392 -------------------------------------------------------------------------- ________________ ક્રમ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં. ઈ-મેઈલ આઈ.ડી. ૧૯૯૪ શ્રીમતી શારદાબેન
Page 239
ઉત્તમલાલ મહેતા કન્યા છાત્રાલય [email protected] શ્રી નિકેતન, દશા પોરવાડ સોસાયટી, આયંબિલ ભવન પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦0૭. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૬૫૧૬૨૭. ૯ | ૨001 ડો. યાવન્તરાજ પુનમચંદજી અને શ્રીમતી સંપૂણ જેન વિધાર્થીગૃહ | [email protected] ચિત્રકૂટ નગર, ભુવાણા, પ્રતાપનગર બાયપાસ, ઉદયપુર-૩૧૩001, (રાજસ્થાન). ટેલિફોનઃ (૦૨૯૪) ૨૪૪૦૩૭૭. ૨00૪ શ્રી વાડીલાલ સારાભાઈ વિધાર્થીગૃહ – સેન્ડહર્ટ રોડ શાખા sandhurst @smjv.org C/o. શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન વાડી, ૪થા માળે, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચ બંદર, મુંબઈ-૪૦૦૦0૯. ટેલિફોનઃ (૦૨૨) ૨૩૭૭૮૧ ૨૪ ૨૦૦૫ શ્રીમતી નલિનીબેન પ્રવીણચંદ્ર જમનાદાસ ચાંગાણી કન્યા છાત્રાલય |[email protected] પો.બો. નં. ૨૫, પંચાયત કાર્યાલય નજીક, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૨૪૫૫ ૨૦૦૬ સૌ. શોભાબેન રસિકલાલ ધારીવાલ કન્યા છાત્રાલય [email protected] આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧00૪. ટેલિફોનઃ (૦૨૦) ૨૫૬૬ ૧૮૯૫. ૨૦૦૯ શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન [email protected] શ્રી સી. કે. શાહ વિજાપુરવાળા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, Website : www.eksvim.edu.in આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૮૩૨૮/૨૯, ૦૮000૬૩૧૫૧૭/૧૮૧૯ ૨૦૧૭ શ્રીમતી ચન્દ્રકાબેન પ્રવિણભાઈ મહેતા, હીરાબા કન્યા છાત્રાલય vadodara @smjv.org આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૪૨૯૯ ઉદ્દેશો અને અમલીકરણ તેમજ એકવીસમી સદી તરફ પ્રયાણ : શરૂઆતમાં જે મૂળભૂત નિયમો ઘડવામાં આવ્યા હતા તે અનુસાર આજ રીતે આજે દશ દાયકાથી સંસ્થા મક્કમપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહી છે. જેમાં નીચેના મૂળભૂત નિયમો અમલમાં છે. (૧) દરેક શાખામાં વિદ્યાર્થીઓ નિયમિત જિનપૂજા કરી શકે તે માટે મુંબઈ, અંધેરી, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, ઉદેપુર, ભાવનગર તેમજ પૂના મુકામે શિખરબંધી દેરાસરજી બનાવેલ છે. જ્યારે સેન્ડહર્ટ રોડ શાખામાં ઘર દેરાસર છે. અમદાવાદ તથા વડોદરા મુકામે વિદ્યાર્થીગૃહનું નવનિર્માણની શરૂઆત થયેલ છે. આ બંને જગ્યાએ નૂતન જિનાલય નિર્માણાધીન છે. (૨) ધાર્મિક અભ્યાસક્રમ માટે દરેક શાખામાં ધાર્મિક શિક્ષકો દ્વારા ધાર્મિક અભ્યાસના વર્ગો ચલાવવામાં આવે છે. નિયમિત ધાર્મિક પરિક્ષાઓ લેવામાં આવે છે અને પ્રોત્સાહનરૂપે વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવાસ, ડેવલપમેન્ટ શિબીરો, ઉગ્ર તપશ્ચર્યાઓને પ્રોત્સાહન માટે સુવિધાઓ આપવામાં આવે છે. (૪) વિદ્યાર્થીઓના વ્યકિતગત અને વ્યકિતત્વના વિકાસ માટે સ્પર્ધાઓ, રમત-ગમત તેમજ વ્યાયામના સાધનો ઉપલબ્ધ હોય છે અને સેમીનારો ગોઠવવવામાં આવે છે. (૫) શાખાના વિદ્યાર્થીઓ દ્વારા “આંતર શાખા હરિફાઈ યોજવામાં આવે છે. અને પ્રોત્સાહન રૂપે ઈનામો આપવામાં આવે છે. (૬) વિદ્યાર્થીઓને “જનરલ નોલેજ માટે શાખાઓમાં ન્યુઝ પેપર્સ, મેગેજીન રેફરન્સ બુકસ સારા પુસ્તકો તેમજ લાઈબ્રેરીઓ સ્થાપવામાં આવી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ૧૦૨ વર્ષ દરમ્યાન, સમાજના અંદાજે ૨૦000 વિદ્યાર્થીઓને વિદ્યાના અમૃતનું પાન કરાવી કાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા અને તેમના જીવનને સેવાભાવના, ધાર્મિકતા તેમજ સંસ્કારિતાથી સુવાસિત બનાવ્યા. ઉછરતી પેઢીને વિદ્યાનું અને પ્રેરણાનું પાન કરાવીને સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સંસ્કારી બનાવનારી વિદ્યાલયની આ મહાપરબ અત્યારે પણ અવિરતપણે ચાલી રહી છે. સમાજના કલ્યાણબંધુ મહાનુભાવો અને પૂણ્યમાર્ગના પ્રવાસીઓ ! ઉદાર આર્થિક સહકારરૂપી આપની ભાવનાનાં નીર આ મહાપરબમાં નિરંતર ઉમેરતા રહેશો! આપની ઉદારતા આપને ધન્ય બનાવશે અને સમાજને સમૃદ્ધ બનાવશે. આવો બેવડો લાભ લેવાનું રખે કોઈ ચુકતા ! જ્ઞાન પ્રસાર દ્વારા સમજણને વિસ્તારવાનો જે પુરૂષાર્થ કરે તે જગતનો મોટો ઉપકારી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આવા પુરૂષાર્થ દ્વારા સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સુખી બનાવવાનું વિનમ્ર જીવન વ્રત સ્વીકાર્યું છે એ વ્રત પાલનમાં સહાયક થશે તે કૃતકૃત્ય થવાની સાથે સમાજ કલ્યાણના સહભાગી બનશે. સૌને સથવારે આપણે તન, મન અને ધનથી વિદ્યાલયની સેવામાં અહર્નિશ ઉભા રહીએ અને યુગપુરૂષના આશિષસહ, ભવ્ય ભૂતકાળના સહારે સુંદર વર્તમાનની કેડી પર કદમ મિલાવી ઉત્કૃષ્ટ ભવિષ્યનું સ્વપ્ન સિધ્ધ કરીએ એજ અભ્યર્થના... Page #393
Page 240
-------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જિનશાસન અનુસાર જીવનું મુખ્ય લક્ષ્ય પરમાનંદસ્વરૂપ મોક્ષ પામવાનું છે. આ પદ પામવા મુમુક્ષુઓએ યોગ અને અધ્યાત્મની સાધનાના માર્ગે વિકાસ સાધવાનો છે. જ્ઞાન સંપાદનની સાધના વિરલ ગ્રંથોના અધ્યયન અને યોગથી જ થાય છે. આ માટે આચાર્ય પ્રવરોએ અનુગ્રહ કરી સ્વાધ્યાય માટે અનેક ગ્રંથો આપ્યા છે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી રચિત યોગદૃષ્ટિસમુચ્ચય એ સૌમાં શિરમોર સમાન છે. આત્માના ક્રમિક વિકાસની કેડી આ ગ્રંથ દ્વારા મુમુક્ષુઓના લાભાર્થે ચીંધવામાં આવી છે. સાધકવર્ગ આ ગ્રંથના મર્મને પામે એ માટે વર્ષો અગાઉ માનનીય સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ સુંદર વિવેચન કર્યું હતું. આને શેઠશ્રી મનઃસુખભાઈ તારાચંદ મહેતાએ સ્વ. શ્રીમતી લીલાવતીબહેનના સ્મરણાર્થે ગ્રંથ સ્વરૂપે વર્ષ ૧૯૫૦માં (પ્રથમ આવૃત્તિ) પ્રકાશિત કર્યું. વિવેચક સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાના પિરવારમાં હાલ કોઈ નથી. પ્રકાશક સ્વ. શેઠશ્રી મનઃસુખભાઈ તારાચંદ મહેતાના પિરવારમાં તેમના સુપુત્રી કોકિલાબહેન વિ. પારેખ તથા શ્રીમતી અરૂણાબહેને શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ધાર્મિક દૃષ્ટિએ મહત્તા જાણી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એને ફરીથી પ્રકાશિત કરવાની ઉદાર ભાવના સાથે સંમતિ આપેલ છે. જેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી, શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. આ ઉમદા કાર્ય માટે શ્રી સંઘના અમે અત્યંત આભારી છીએ. શ્રી ગીતાર્થ ગંગાના અનેક ગ્રંથોના વિવેચનકર્તા પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર મોતાજીનો આભાર માનીએ છીએ કે એમણે એમના પ્રકાશિત ગ્રંથમાંથી “ભેદ પ્રભેદ વૃક્ષ” કોષ્ટક આ પ્રકાશનમાં છાપવાની અનુમતિ આપી છે. પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહના અને પ્રુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણીકભાઈ કીર્તિભાઈ શાહના ઋણિ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જિનશાસનની પ્રભાવનાના કાર્ય રૂપે જિનાગમો તેમજ જૈન તત્ત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકોનું પ્રકાશન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ્ઞાન પ્રસારનું કાર્ય કરે છે. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રકાશન કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોના જીવનમાં આ ગ્રંથ કલ્યાણનું કારણ બને, આધ્યાત્મિક મુમુક્ષુઓનો વિકાસ થાય અને આંતરપ્રકૃત્તિ વિકસાવી સૌ સમતા પ્રાપ્ત કરે એવી શ્રધ્ધા સહ... સ્થળ : મુંબઈ. તા. ૨૯/૦૩/૨૦૧૮ શ્રી મહાવીરસ્વામી જન્મકલ્યાણક દિન લિ. ભવદીય હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ વિવેચનકારનું મંગલાચરણ યોગદૃષ્ટિ કળશકાવ્ય માલિની જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું, ગણધર-હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને, ભગવતા શ્રુતગંગા રક્ષકો તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મબ્રાંતિ હરતી, જગત હિત કરતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખ જનની તે વંદું જૈનેન્દ્ર વાણી અનુષ્ટપુ અનંતા સંતમાં એક, વિલસતતી સંતતા; સુધાસિંધુ સમી તેને, મનોગંદન વંદના. | ઉપજાતિ ઊંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ ! હેજાત્મ સ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો, | મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. હદે સ્મરી સદ્ગુરુરાજ એવા, શ્રીમદ્ હરિભદ્રસૂરીંદ્ર દેવા; સવૃત્તિ તેની અનુવર્તવાને, ઇચ્છી વિવેચું કંઈ એક સ્થાને. સલ્ફાસ્ત્ર વિવેચનકારિણી આ, ટીકા કરું સુમનનંદની આ, ને યોગદષ્ટિ કળશો કરું છું, યોગામૃત સંભૂત તે ધરું છું. ६अ Page #395 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૩૨૩ ૩૨૫ ૩૨૯ ૩૩૩ ૩૩૪ ૩૩૯ ૩૪૧ ૩૪૫ ૩૪૮ उ४८ અનુક્રમણિકા શ્લોક નં. વિષય ૮૬ અવેદ્યસંવેદ્યપદ જિતાયું છે તેના લિંગો
Page 241
કુતર્કનું સ્વરૂપ ૮૮-૮૯ અવેદ્યસંવેદ્યપદને જીતવાનો ઉપાય કુતર્કની અસારતા ૯૧-૯૨ કુતર્કનું સ્વરૂપ ૯૩-૯૪ કુતર્કમાં પ્રવર્તતા અનુચિત વિકલ્પો ૯૫-૯૭ દષ્ટાન્તમાત્રના આલંબનથી કુતર્કની પ્રવૃત્તિ ૯૮ શુષ્ક તર્કથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિ આગમથી અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિ ૧૦૦-૧૦૧ અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિનો ઉપાય : આગમ, અનુમાન અને યોગનો અભ્યાસ ૧૦૨-૧૦૩ સર્વજ્ઞના વિષયમાં પરમાર્થથી સર્વજ્ઞના ભિન્ન અભિપ્રાયનો અભાવ અને મોહથી સર્વજ્ઞના ભેદનું આશ્રયણ ૧૦૪ સામાન્યથી સર્વ દર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક ૧૦૫ વિશેષથી છદ્મસ્થને સર્વજ્ઞનો અનિર્ણય ૧૦૬ સામાન્યથી સર્વજ્ઞના ઉપાસકનું સ્વરૂપ ૧૦૭-૧૦૮ સર્વ દર્શનકારો દુરાસન્ન ભેદથી એક સર્વજ્ઞના ઉપાસક ૧૦૯ બુદ્ધ-કપિલાદિ નામભેદ હોવા છતાં સર્વજ્ઞમાં ભેદનો અભાવ ૧૧૦ દેવવિષયક ચિત્રભક્તિ અને અચિત્રભક્તિનું સ્વરૂપ ૧૧૧-૧૧૨ ચિત્રભક્તિ અને અચિત્રભક્તિ કરનારા જીવોના ભેદ અને સ્વરૂપ ૧૧૩-૧૧૪ સંસારી દેવોમાં ચિત્રભક્તિ થવાનું કારણ ૧૧૫ ઈષ્ટાપૂર્ત કર્મોમાં લોકોના જુદા-જુદા પ્રકારના અધ્યવસાય ૧૧૬-૧૧૭ ઈષ્ટકર્મ અને પૂર્તકર્મનું સ્વરૂપ ૧૧૮ સમાન પણ અનુષ્ઠાનમાં અધ્યવસાયના ભેદથી ફળભેદ અને ફળપ્રાપ્તિ પ્રત્યે અધ્યવસાયની પ્રધાનતા ૧૧૯ અનુષ્ઠાનમાં અધ્યવસાયનો ભેદ થવાનું કારણ ૧૨૦ સમાન પણ અનુષ્ઠાનમાં બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહથી ફળભેદ ૧૨૧-૧૨૨ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ અને ભેદમાં દષ્ટાંત ૧૨૩ સદનુષ્ઠાનનું લક્ષણ ૧૨૪ બુદ્ધિપૂર્વકના કરાયેલા ધર્માનુષ્ઠાનથી સંસારફળની પ્રાપ્તિ ૧૨૫ જ્ઞાનપૂર્વકના કરાયેલા ધર્માનુષ્ઠાનથી મોક્ષફળની પ્રાપ્તિ ૧૨૬ અસંમોહપૂર્વક કરાયેલા ધર્માનુષ્ઠાનથી શીઘ્ર મોક્ષફળની પ્રાપ્તિ ૧૨૭ અસંમોહપૂર્વક ધર્માનુષ્ઠાન કરનારા જીવોનું સ્વરૂપ ૧૨૮ ભવથી અતીત માર્ગમાં જનારા સર્વ દર્શનકારોનો એક શમપરાયણ માર્ગ ૩૫૩ ૩પ૬ ૩પ૭ ૩૫૮ ૩૬૦ ૩૬૨ ૩૬૫ ૩૬૬ ૩૬૮ ૩૭૧ ૩૭૨ ૩૭૫ ૩૭૬ ૩૭૮ ૩૭૮ ૩૮૧ ૩૮૫ ૩૮૬ ૩૮૯ ૩૯૨ ૩૯૪ Page #396 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૩૯૮ ૪૦૫ ४०८ ૪૧૪ ૪૧૮ ૪૨૧ ૪૨૪ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ શ્લોક નં. વિષય ૧૨૯ થી ૧૩૧ પરતત્ત્વનું સ્વરૂપ, એને કહેનારા ભિન્ન-ભિન્ન દર્શનોનાં નામો અને એના લક્ષણ ૧૩૨-૧૩૩ સર્વ દર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ - તેનો સ્વીકારના કારણો ૧૩૪-૧૩૫ કપિલ અને સુગત સર્વજ્ઞ હોવા છતાં દેશનાભેદનું કારણ ૧૩૬-૧૩૭ તીર્થંકરની એક દેશનાથી શ્રોતાના ભેદથી બોધનો ભેદ ૧૩૮ નયભેદથી કપિલ-સુગત આદિ ઋષિઓની દેશનાનો ભેદ ૧૩૯ અન્ય દર્શનકારોના દેશનાભેદના પરમાર્થને જાણ્યા વગર તેના નિરાકરણમાં દોષપ્રાપ્તિની યુક્તિ ૧૪૦-૧૪૨ કોઈપણ દર્શનકારના કથનના અભિપ્રાયને જાણ્ય વગર તેના નિરાકરણમાં દોષપ્રાપ્તિના કારણો ૧૪૩ અતીન્દ્રિય પદાર્થ વિષયમાં છમના વિવાદમાં અનર્થકારિતા ૧૪૪ અનુમાનથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિ ૧૪૫ અનુમાનથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિમાં ભર્તુહરીની દલીલ ૧૪૬ હેતુવાદથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિના કારણો ૧૪૭-૧૮૮ મુમુક્ષુ માટે શુષ્ક તર્ક ત્યાજ્ય અને એના સ્વીકારના કારણો ૧૪૯-૧૫૨ ધર્મના વિષયમાં શુષ્ક તર્કને છોડીને બુદ્ધિમાનોએ કરવા યોગ્ય ઉચિત પ્રવૃત્તિઓ ૧૫૩ દીપ્રા દૃષ્ટિનો ઉપસંહાર શ્લોક ૧૫૪ થી ૧૬૧ સુધી સ્થિરા દૃષ્ટિનું નિરૂપણ ૧૫૪ સ્થિરા દષ્ટિનું સ્વરૂપ ૧૫૫-૧૫૭ ગ્રન્થિભેદથી દેખાતું ભવનું અને મોક્ષનું સ્વરૂપ ૧૫૮ સમ્યગૃષ્ટિ જીવનો વિવેકપૂર્વકનો પ્રત્યાહાર ૧૫૯-૧૬૧ સમ્યગુષ્ટિ જીવોનું ઉત્તમ શ્રુતપ્રધાન આલોચનનું સ્વરૂપ શ્લોક ૧૬૨ થી ૧૬૯ સુધી કાન્તાદેષ્ટિનું નિરૂપણ ૧૬૨-૧૬૩ કાન્તાદૃષ્ટિનું સ્વરૂપ ૧૬૪ આક્ષેપક જ્ઞાનના કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને ભોગો પણ ભવના અહેતુ ૧૬૫-૧૬૬ ભોગકાળમાં પણ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓની અસંગ પ્રવૃત્તિનું સ્વરૂપ ૧૬૭-૧૬૮ ભોગમાં પરમાર્થ બુદ્ધિવાળા જીવોને ધર્મની પ્રવૃત્તિથી પણ મોક્ષમાર્ગની અપ્રાપ્તિ ૧૬૯ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓની મીમાંસાથી સદા હિતની પ્રાપ્તિ શ્લોક ૧૦૦ થી ૧૦૦ સુધી પ્રભાષ્ટિનું સ્વરૂપ ૧૭) પ્રભાષ્ટિનું સ્વરૂપ ૧૭૧ તત્ત્વપ્રતિપત્તિ ૪૩૭ ૪૪૨ ૪૫૩ ૪૬૧ ४८७ ૪૯૫ ૫૧૩ ૫૨૬ ૫૩૧ ૫૩૮ પ૪૬ પપપ ૫૬૮ Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નં. ૧૭૨ ૧૭૩-૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧-૧૮૨ ૧૮૩-૧૮૪ ૧૮૫-૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦-૧૯૧ ૧૯૨-૧૯૭ ૧૯૮-૨૦૩ ૨૦૪-૨૦૬ ૨૦૭-૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫-૨૧૮ ૨૧૯-૨૨૧ ૨૨૨ ૨૨૩–૨૨૪ ૨૨૫ ૨૨૬-૨૨૭ ૨૨૮ વિષય સુખ-દુઃખનું તાત્ત્વિક લક્ષણ પુણ્યના
Page 242
સુખની અનિત્યતા અને ધ્યાનના સુખની નિત્યતા અસંગ અનુષ્ઠાનમાં સત્ પ્રવૃત્તિપદ અસંગ અનુષ્ઠાનોના જુદા-જુદા દર્શનકારોના નામો ઉપસંહાર શ્લોક ૧૦૮ થી ૧૮૬ સુધી પરાર્દષ્ટિનું નિરૂપણ પરાર્દષ્ટિનું સ્વરૂપ પરાદષ્ટિમાં રહેલા યોગીઓના નિરાચારપદનું સ્વરૂપ અન્ય દષ્ટિવાળા અને પરાક્રષ્ટિવાળા યોગીઓના ભિક્ષાટનાદિમાં આચારભેદ અસંગભાવથી ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ દૃષ્ટાન્તથી જીવનું, જીવના જ્ઞાનનું અને કર્મના આવરણનું સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી યોગનિરોધ દ્વારા ભવક્ષય મુક્તાત્માનું સ્વરૂપ ભવરૂપ મહાવ્યાધિનું સ્વરૂપ નિરુપચરિત ભવ વ્યાધિના સ્વીકારના કારણો ભવ વ્યાધિથી મુક્તને મુક્તરૂપે સ્વીકારની યુક્તિ ક્ષણિકવાદમાં મોક્ષના અસંભવના કારણો એકાન્ત નિત્યપક્ષમાં મોક્ષની અસંગતિના કારણો વ્યાધિ મુક્તતાના કારણો ગ્રન્થ રચનાનું પ્રયોજન આ ગ્રન્થના અધિકારીનું સ્વરૂપ કુલયોગી અને ગોત્રયોગીનું સ્વરૂપ કુલયોગીનું વિશેષ લક્ષણ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ આદ્ય અવંચકયોગી આ ગ્રન્થના અધિકારી અહિંસાદિ પાંચ યમોનું સ્વરૂપ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમનું સ્વરૂપ યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકયોગનું સ્વરૂપ આ ગ્રન્થથી કુલાદિ યોગીઓને થતા ઉપકારનું સ્વરૂપ તત્ત્વનો પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ વચ્ચેનું અંતર યોગ્ય જીવોની ગ્રન્થશ્રવણમાં સ્વાભાવિક પ્રવૃત્તિ અયોગ્ય જીવને પ્રસ્તુત ગ્રન્થ ન આપવાના કારણો યોગ્ય જીવને વિધિપૂર્વક પ્રસ્તુત ગ્રન્થ આપવાની વિધિ 卐卐卐 પાના નં. ૫૭૩ ૫૭૫ ૫૭૯ ૫૮૪ ૫૮૬ ૧૯૦ ૫૯૫ ૫૯૯ ૬૦૩ ૬૦૭ ૬૧૩ ૬૨૮ ૬૩૧ ૬૩૮ ૬૪૨ ૬૪૬ ૬૫૪ ૬૬૪ ૬૭૧ ૬૮૧ ૬૮૪ ૬૯૨ ૭૦૩ ૭૦૮ ૭૧૧ ૭૧૭ ૭૩૨ ૭૪૩ ૭૪૫ ૭૪૯ ૭૫૦ ૭૫૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ योगः कल्पतरुः श्रेष्ठः, योगश्चितामणिः परः 1 યોગ: પ્રધાન ધર્માંળાં, યોઃ સિદ્ધઃ સ્વયંપ્ર:॥ શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગબિન્દુ अहो ! अनन्तवीर्याऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्वेव ध्यानशक्तिप्रभावतः 11 શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ - યોગ કલ્પતરુ શ્રેષ્ઠ છે, ચિન્તામણિ પર યોગ; યોગ પ્રધાન જ ધર્મમાં, સિદ્ધિ સ્વયંવર યોગ અહો ! અનંતવીર્ય આ, આત્મા વિશ્વ પ્રકાશતો; ધ્યાનશક્તિ પ્રભાવે જે, ત્રલોક્યને ચળાવતો. Page #399 -------------------------------------------------------------------------- ________________ દીમાઃિ અઘસવે કુતર્કથહ નિવૃત્તિ (૩ર૩) વિષમ કુતર્કગ્રહ નિદા અધિકાર એટલા માટે જયલિંગે (જયના ચિહ્નો) કહે છે– जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥८६॥ એહ છંતાતાં નિયમથી, તત્વથી નરને સાવ સ્વયં નિવર્સે ગ્રહ સામે, વિષમ કુતર્ક ભાવ, ૮૬. અર્થ—અને આ અવેવસવેદ્યપદનો જય કરાતાં નિયમથી મનુષ્યને કુતર્ક વિષમ ગ્રહ તત્વથી અત્યંતપણે આપોઆપ નિવૃત્ત થાય છે–ટળે છે. વિવેચન તે છતે સહેજે ટળેજ, વિષમ કુતક પ્રકાર; દર નિકટ હાથી હણેજી, કરે એ બઠર વિચાર...મનમોહન”—શ્રી. એ દ. સ. ૪-૧૧ અને આ અદ્યસંવેદ્યપદ કે જે મહામિથ્યાત્વનું કારણ છે, અને પશુપણા આદિ શબ્દથી વાચ-ઓળખાવા યેચું છે, તે જ્યારે છતાતું જાય છે ત્યારે પરમાર્થથી પુરુષને વિષમ કુતર્કરૂપ ગ્રહ પોતાની મેળે જ ચેકસ નિતી જાય છે. ઉપમહામિથ્યાત્વ રમાં અત્યંત વિસ્તારથી અવેધસંવેદ્યપદનું વર્ણન કર્યું, તે ઉપરથી નિબંધન સ્પષ્ટ છે કે મહામિથ્યાત્વનું કારણ જે કઈ હોય, તે તે અવેદ્ય સંવેદ્યપદ જ છે. તેના પ્રભાવથી જ જીવ અનાત્મજ્ઞ હોય છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરે છે, સ્વ-પરને એકત્વ અધ્યાસ કરે છે, દેહને જ આત્મા માની આત્માનું ભાન ભૂલી જાય છે, સને અસત્ અને અસત્ સત્ ચિંતવે છે. ઈત્યાદિ પ્રકારે ગાઢ મિથ્યાપણાનું-અસત્પણાનું કારણ આ અદ્યસંવેદ્ય પદ છે. અને આવા અબૂઝપણાને લીધે જ એને પશુપણું, ગમારપણું, અબૂઝપણું, મૂઢપણું ઇત્યાદિ નામ છાજે છે. કારણ કે “પશુ જેવા અબૂઝનું જ્ઞાન બાહ્ય પદાર્થોથી સર્વથા પીવાઈ જાય છે ને નિજ દ્રવ્યક્તિ અર્થાત્ સ્વસ્વરૂપનું પ્રગટપણું છોડી દીધાથી ખાલી થતું જાય છે. આમ પર રૂપમાં જ વૃત્તિ-ગીયમને જ નિયમતસ્મિન–અને આ અસંવેદ્ય પદ નિયમથી છતાતાં; એટલે કે આ મહામિથ્યાત્વના નિબંધનરૂપ, પશુત્ર આદિ શબ્દથી વાય એવું અદ્ય પદ છતાતી વેળાએ, Rવર:-તરવથી, પરમાર્થથી, ઝૂનાં-નરોને, પુરુષોને, નિરવર્તતે થતદ-સ્વત: નિતે છે, આત્માથી જ પોતાની મેળે
Page 243
જ, પરના ઉપદેશ વિના નિવ' છે. ટળી જાય છે-નિમિત્તના અભાવે નૈમિત્તિકના અભાવને લીધે. અત્યંતં-અત્યંતપણે, સમજ્ઞાનયોગને લીધે, આગમ પ્રામાણ્યના જાણપણું થકી. જીતપિનાક-કતકરૂ૫ વિષમ ગ્રહ -દષ્ટ એવા અપાય હેતુપણાથકી. ( અપાય હતપણું પ્રગટ દીઠામાં આવતું હોવાથી. ) ગ્રહ જેવો ગ્રહ (ગ્રહ સૂર્ય ચંદ્રાદિ, અથવા ભૂત-પિશાચ, અથવા મગર.) Page #400 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) યાગદશિસમુચ્ચય વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન ચાતરફથી સીદાય છે. પણ જે તત્–તે છે, તે તત્ અહી સ્વરૂપથી છે, એવું સ્યાદ્વાદીનું જ્ઞાન તે અત્યંત-ઉન્મગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઇ સમુન્મન પામે છે, ઉલ્લુસી આવી–ઉપર તરતું રહે છે.’× આવું અબૂઝ-ગમાર પશુપા જેવું મિથ્યાત્વકારણ અવેદ્યસ'વેદ્યપદ જેમ જેમ જીતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન-તે મિથ્યાત્વથી જ ઉદ્ભવતા એવા વિષમ કુતર્ક રૂપ ગ્રહો પેાતાની મેળે જ નવતી જાય છે, દૂર થાય છે; કારણ મિથ્યાત્વજય કે નિમિત્તના અભાવ થાય એટલે નૈમિત્તિકના અભાવ થાય જ એવા નિયમ કુતર્ક ગ્રહ- છે. કુતર્કોનું. જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવુ' મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથેાસાથે જ કુતર્ક પણ ચાલ્યા જાય છે, કારણ કે મૂળ કારણુ નિમૂલ થતાં ઉત્તર કારણ નિર્મૂલ નિરાધાર થાય છે. મુખ્ય આધાર સ્થંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વને આધાર તૂટી પડતાં કુતર્કની ઇમારત એકદમ તૂટી પડે છે. કુતર્કના હવાઈ કિલ્લા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા જીતાઈ જતાં આખી સેના જીતાઈ જાય છે, તેમ મિથ્યાત્વને। જય થતાં તેના પરિવારરૂપ કુતક-સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપેાઆપ જ, પેાતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી. કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત્—ખાટા તર્ક, જે સ્વરૂપથી પાતે જ દુષ્ટ છે, ખાટા છે, અસત્ છે, મિથ્યા છે તે કુતર્ક. આ કુતર્કના ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ વિષમ' કહ્યો તે યથાથ છે. કારણ કે તે ખરેખર વસમે છે. જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કાઇ જાતનું ઠેકાણુ· નથી, ઢંગધડા નથી, આમ પણ કૂદે ને તેમ પણ ફ્દે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! ખાટાનુ સાચું ને સાચાનુ ખાટું કરવુ' એ એનું કામ છે. ઇત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમપણુ' પ્રગટ છે. આવા કુતર્કને વિષમ ‘ગ્રહ' ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે:—(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસમેા થઇ પડે છે, નડે છે, તેમ કુતર્ક રૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ ગ્રહ’હેરાન કરી નાંખી વસમે। પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જેવા કુતર્ક રાહુ જેવા પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતક'રૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઇ તેને અત્યંત + " बाह्यार्थैः परिपीतमुज्झित निज प्रव्यक्तिरिक्ती भव द्वितं पररूप एव परितो ज्ञानं पशोः सोदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन - હૂંત્તા નષનવમાત્રમરતઃ પૂર્ણ સમુન્દ્ર જ્ઞત્તિ ।। શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસારક્લેશ, Page #401 -------------------------------------------------------------------------- ________________ દીમારિ: વિષમ કુતર્કગ્રહ–ચિત્તને ભાવશત્રુ (૩૨૫) તાપ પમાડે છે. આમ તે ભારે “વસ” ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ’ એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કેઈને વસમું ભૂત, પિશાચ કે છોડ વળગ્યું હોય, તે તેને કેડે ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન પરેશાન કરી નાખે, તેમ આ કુતકરૂપ ભૂત, પિશાચ કે છોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેને કેડે મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ
Page 244
કનડે છે. જેના મનમાં કુતકરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે! આમ પણ કુતર્ક વિષમ ગ્રહ” છે. (૩) અથવા “ગ્રહ’ એટલે મગર. મગર જે કઈને ગ્રહે, પકડે, તો તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતકરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે, તેની દાઢમાં જે ભીડા, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ ગ્રહ, ભૂત, કે મગરએમ ગ્રહના કેઈ પણ અર્થમાં કુતકને “ગ્રહ નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ ગ્રહ છે. વસમ-શમા વિકટ, સમ કરે-સીધે પાંસ કર દુર્ઘટ એ છે. આવો જીવને ગ્રહી રાખનારો, પકડી–જકડી રાખનારે કુતર્કરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અસંવેદ્યપદન૪ જય થતાં, આપોઆપ પોતાની પકડ મૂકી છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહને ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂત આવેશ-ઝોડ ઉતરી જાય છે, જેમ મર્મસ્થળમાં પ્રહાર આદિથી મગરની પકડ છૂટી જાય છે; તેમ અઘસવેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુતરૂપ વિષમ ગ્રહ (યથાસંભવ ત્રણે અર્થમાં) પિતાને ગ્રહ–પકડ આપોઆપ છેડી દે છે આ કુતક કે વિશિષ્ટ છે? તે માટે કહે છે – बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥८७॥ વૃત્તિ:-ઘોષોન:-બાપને રાગરૂપ,-તે યથાવસ્થિતના ઉપઘાત ભાવને લીધે, રમાય –મને અપાયરૂપ-હાનિ કરનાર,-અસદુ અભિનિવેશના જનકપણ થકી. શ્રદ્ધામ:-શ્રદ્ધાભંગરૂ૫,-આગમ અર્થની અપ્રતિપત્તિને લીધે, અમિમનછા-અભિમાન કરનાર મિથ્યાભિમાનના જનકપણાથી. એમ x “जीयमानेऽत्र राज्ञीव चमचरपरिच्छदः । નિવર્તિતે તત: શીર્ઘ વિષમકઃ ”—ી યશો કૃત દ્વા, ઢા, “નૃપતિ જીતતાં છતિએ દળ પુર ને અધિકાર.”—શ્રી ક્ષમાળા. Page #402 -------------------------------------------------------------------------- ________________ (૩૨૬) ગદષ્ટિસમુચ્ચય બધગ શહાણ ને, શ્રદ્ધાભંગ મદકાર; કુતર્ક ભાવરિપુ ચિત્તને, પ્રગટ અનેક પ્રકાર. ૮૭. અર્થ –ષને રોગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને લંગરૂપ, અને અભિમાન કરનારે એ કુતર્ક વ્યક્તપણે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. વિવેચન આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કે અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે. આ કુતક (૧) બોધ પ્રત્યે રોગ જે છે, (૨) શમને અપાયરૂપ–હાનિરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) અને અભિમાનને ઉપજાવનારે છે. આમ તે અનેક પ્રકારે ચિત્તનો ભાવશત્રુ-પરમાર્થરિપુ છે. ચિત્તને ભાવશત્રુ કુતક ૧. બોધગ–આ કુતર્ક ગ્રહ બેધ પ્રત્યે-સમ્યગ્ર જ્ઞાન પ્રત્યે રંગરૂપ છે, કારણ કે યથાવસ્થિત બેધને–સાચી સમજણને તે ઉપઘાત કરે છે. રોગ જેમ શરીરને હાનિ પહોંચાડે છે, નિર્બલ કરે છે, તેમ કુતક પણ યથાર્થ બેધને નુકશાન પહોંચાડી નબળો બનાવે છે. જેમ રોગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગોપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કૃશ થઈ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુંઠિત થવાથી બેધની શક્તિ ક્ષીણ થાય છે, બધ શિથિલ-કોલે–પિ બને છે, ને કૃશ થાય છે–દૂબળે પડી જાય છે. આમ કુતર્કથી બંધ “માં” પડે છે. એટલે માંદે માણસ જેમ ભારી રાક પચાવી શકતા નથી–જીરવી શકતો નથી, તેમ કુતર્કગ્રહરૂપ રોગ જેને લાગુ પડ્યો છે એવો કુતકી જીવ ઉત્તમ કૃતજ્ઞાનરૂપ પરમાન્ન પચાવી શકતા નથી-જીરવી શકતો નથી, ઊલટું તેનાથી તે તેને અપચોકુગ્રહવંત અજીર્ણ થાય છે! એટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે- જેને બોધ અપાત્ર અસદુગ્રહ નાશ પામ્યો નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું વખાણવા લાયક નથી,–જેમ ખેડખાંપણવાળાને મેટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય નથી તેમ. કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પિતાને અને ઘડાને નાશ કરે છે, તેમ અસદુગ્રહવંતને આપવામાં આવેલું કૃત તે બન્નેનો નાશ કરે છે. અસગ્રહથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતોપદેશ આપવા જાય છે, તે
Page 245
મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તુરીને લેપ કરે છે ! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દષિતને તઃ કુતર્ક –આગમનિરપેક્ષ એવો એમ અર્થ છે. તે શું ? તે કે-જેત-ચિત્તને, અંતઃકરણને, ચવતંવ્યક્તપણે, -માવેશત્રુ:-ભાવશત્રુ, પરમાર્થરિપુ, અનેકવા-અનેક પ્રકારે,-આર્યના અપવાદ આદિ કારણવડે કરીને. Page #403 -------------------------------------------------------------------------- ________________ દીમાદદિઃ કુતકથી બે રેગ–શમાપાય આદિ (૩૨૭) આપે છે, તે સેંકડો યત્નથી મેળવેલું બીજ ઊખર ભૂમિમાં વાવતાં ખેદ પામે છે! કારણ કે અસરગ્રહવાન ગુરુ પાસેથી શાસ્ત્રો સાંભળે છે, પણ તેમની આજ્ઞા કદી પાળતો નથી, અને તે અસારગ્રાહી ચાલણીની જેમ પોતાનું વિવેચકપણું માને છે!” જેમ ચાલણી અસાર એવા કાંકરા પકડી રાખે છે, તેમ આ અસગ્રહવાન્ કાંકરા જેવા અસાર દેષ પકડી રાખે છે! ને ઉલટું તેનું અભિમાન રાખે છે કે હું કે વિવેચક છું ! “ આમ તેની ચતુરાઈ પણ દંભને માટે હોય છે. શાસ્ત્રજ્ઞાન પણ પાપને માટે હોય છે, પ્રતિભાસંપનપણું પણ પ્રતારણા માટે-છેતરપીંડીને માટે હોય છે, ધીરપણું પણ ગર્વને માટે હેય છે! અહો ! અસદુગ્રહવંતના ગુણેની વિપરીત સૃષ્ટિ હોય છે !' એટલા માટે જ અસદુગ્રહવંત રોગી બેધરૂપ દૂધપાક પચાવવાને ગ્ય નથી. * ૨, શમાપાય-કુતક શમને એટલે આત્મશાંતિને અપાયરૂપ-હાનિરૂપ થાય છે, ખલેલ પહોંચાડે છે, કારણ કે તે અસત્ અભિનિવેશ-કદાગ્રહ જન્માવે છે, ખોટા ખોટા મનના તરંગે કે તુરંગે ઉપજાવે છે, તેથી તે ચિત્તની શાંતિને ડોળી નાંખે છે, ખળભળાવી મૂકે છે, ને જીવને વિશ્વમ દિશામાં પાડી નાંખે છે, હાવરો-હાવરો બનાવી દે છે. “શમરૂપ સુંદર ને શીતલ બાગને આ કુતરૂપ આગની જવાલા બાળી નાખે છે, ને ઉજજડ વેરાન કરી મૂકે છે. આવા અસગ્રહરૂ૫૪ અગ્નિથી જેનું અંતર્ બળી ગયું છે, ત્યાં તત્ત્વનિશ્ચયરૂપ વેલી ક્યાંથી ઊગે? તે પછી પ્રશાંતિ-પુષ્પ અને હિતોપદેશ-લે તે બીજે જ શોધી લેવા ! આ અસદુગ્રહથી જેની મતિ છવાઈ ગઈ છે એવો મનુષ્ય કુતકરૂપ દાતરડાવડે તત્વવલ્લીને કાપી નાંખે છે, રસથી દષવૃક્ષને સિંચે છે, ને શમરૂપ સ્વાદિષ્ટ ફલને નીચે ફેંકી દે છે!” ૩. શ્રદ્ધાભંગકુતક શ્રદ્ધાને ભંગ કરે છે, કારણ કે તેથી આગમ અર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે, સશાસ્ત્રની આસ્થામાં ભંગાણ પડે છે, આસ્થા ટૂટે છે. કુતર્કરૂપ શલ્ય હોય છે, ત્યાં લગી હૃદયમાં શ્રદ્ધા ચુંટતી નથી. જેમ પત્થરવાળી ભૂમિમાં પાણી પ્રવેશતું નથી ને અંકુર ફૂટ નથી, તેમ અસદુગ્રહરૂપ પત્થરમય ચિત્તમાં સદ્* " असद्ग्रहो यस्य गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः । અ ત્રત્તમોત્તવૈવ, કૃતાત્માકુમોર્વિનાશઃ ” ઇત્યાદિ, (વિશેષ આધાર માટે જુઓ) –શ્રી યશ૦ કૃત, શ્રી અધ્યાત્મસાર, + "असद्ग्रहाग्निज्वलितं यदंतः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशांतिषुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु । कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्ली रसात्सिंचति दोषवृक्षम् । પિચુપ ચાતુર્ણ રામાશ્રમનછન્નમતિર્મનુષ્યઃ ”—શ્રી અધ્યાત્મસાર, Page #404 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ગદરિસમુચિય ભાવ રસનો પ્રવેશ થતો નથી, ને વિશુદ્ધ બોધરૂપ અંકુરે ઉગતે નથી, એમાં સિદ્ધાંત વાણીને શો અપરાધ વારુ? વ્રત આચરે, તપ પણ તપે, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ કરે, તે પણ નિવોને ફળ નથી મળતું, તે અસદુગ્રહને જ અપરાધ છે, કારણ કે તેઓને શ્રદ્ધા નથી.” થાળીમાં લાડવા પીરસ્યા હોય, પણ કોઈ ગળું દબાવે તે કેમ ખાઈ શકાય ? તેમ “સ્વબુદ્ધિરૂપ થાળી છે, તેમાં સદ્દગુરુરૂપ પીરસનારે કઈ બોધરૂપ માદક પીરસ્યા છે, પણ અસદુગ્રહરૂપ કે એ દુષ્ટ ગળચી દબાવનાર છે કે તે ગળે ઉતરવા દેતો જ નથી!” એટલે કે શ્રદ્ધા ઉપજવા દેતું જ નથી. * ૪. અભિમાનકાર–કુતર્ક અભિમાન કરનાર છે, મિથ્યાભિમાન ઉપજાવે છે. તે
Page 246
આગમથી નિરપેક્ષ એ હોય છે. કુતર્ક કરનારને પોતાની કુતર્કશક્તિનું અભિમાન ઉપજે છે કે હું કે બડો હોશિયાર છું, કે ડાહ્યો (દોઢ) છું, આગમમાં કહેલી વાતને પણ હું મહારા તર્કબળથી કેવી બેટી પાડું છું ! ઈત્યાદિ પ્રકારે તે પેટે ફાકે રાખી આગમશાસ્ત્રની પણ પરવા કરતો નથી પણ આ બધું તેનું મિથ્યા-ખોટું અભિમાન છે. કારણ કેઝ “કાંઈક ભણીને ને કાંઈક સાંભળીને અસદુગ્રહથી જે પંડિતમાની–પિતાને પંડિત માને છે, તે ભલે વાણીનું મુખ ચુંબે, પણ તેનું લીલારહસ્ય તે અવગાહત નથી.” આમ આ વિષમ કુતર્ક-ગ્રહ બોધને રોગ ઉપજાવનાર, આત્મશાંતિમાં ખલેલ પહોંચાડનાર, શ્રદ્ધાને ભાંગનારે, અને મિથ્યાભિમાનને જન્માવનારે હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – "शमारामानलबाला हिमानी ज्ञानपङ्कजे । શ્રદ્ધા રાન્ચે સ્પોટ્ટાણઃ કુતરું: યુનારા ” શ્રી યશોવિજયજીતકુ, દ્વા. દ્વા. ૨૩ અર્થાતુ-કુતક શમરૂપ બગીચા પ્રત્યે અગ્નિવાલા છે, જ્ઞાનરૂપ કમળને કરમાવવામાં હિમ જેવો છે, શ્રદ્ધાને શૂળરૂપ છે, ગર્વના ઉલ્લાસરૂપ છે, ને સુનય પ્રત્યે આગળીઆરૂપ છે. અને આમ છે એટલા માટે જ આ કુતક ચિત્તને-અંત:કરણને અનેક પ્રકારે * " असद्ग्रहनावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः । इहांकुरश्चित्तविशुद्धबोधः, सिद्धांतवाचां बत कोऽपराधः ॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली । રાસ રોડ છે હીતા, તથાપિ મોવડુ ન વરાતિ સુદઃ ”—શ્રી અધ્યાત્મસાર. x “अधीत्य किंचिच्च निशम्य किंचिदसद्ग्रहात्पंडितमानिनो ये। મુર્ણ સુર્ય વિષમતુ પારો સીટાડ્યું તુ તેર્નાદે ”—શ્રી અધ્યાત્મસાર, Page #405 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : કુતમાં અભિનિવેશ સુમુક્ષુને અયુક્ત (૩૨૯) ભાવશત્રુ છે, પરમાથ રિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડુ કરે છે, અહિત કરે છે, તેમ આ ભાવશત્રુ જીવનું અકલ્યાણુ કરવામાં કાંઇ ખાકી રાખતા નથી, કારણ કુતર્ક ચિત્તના કે એના કારણે આ પરમપૂજ્ય એવા સત્પુરુષ-સદાગમ આદિને પ્રગઢ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના અવિનય–અપવાદ વગેરે નીપજે છે, અને તેથી જીવતું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સÖનાશ કરવામાં સદા તત્પર હેાય છે, તેમ જીવના આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતા રહી, સનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે, એટલે જે કુતર્ક કરે છે, તે પાતે પેાતાના દુશ્મનનું કામ કરે છે! પાતે પેાતાના વૈરી અને છે! ⭑ અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે— कुतर्केऽभिनिवेशस्तन्न युको मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ॥ ८८ ॥ ભુતકે મ અભિનિવેશ ના, મુક્તિવાદીને ચુક્ત; પણ શ્રુત શીલ સમાધિમાં, મહાત્માને એ યુક્ત. ૮૮ અ—તેથી કરીને મુક્તિવાદીએને-મુમુક્ષુઓને કુતકમાં અભિનિવેશ કરવા યુક્ત નથી; પણ શ્રુતમાં, શીલમાં અને સમાધિમાં અભિનવેશ કરવા એ મહાત્માઓને યુક્ત છે. વિવેચન આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્કમાં અભિનિવેશ કરવા તે મુક્તિવાદીઆને-સંન્યાસીઓને–મુમુક્ષુઓને કાઇ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને ન જોડવી× અને મતિમાં યુક્તિને પરાણે જોડવી એ અસહરૂપ અભિ વૃત્તિઃ-પુત—ઉક્ત લક્ષગુવાળા કુતર્કમાં, મિનિવેશ:-અભિનિવેશ, તેવા પ્રકારે તેના ગ્રહરૂપ. શુ ? તેા કે-નવુઃ-યુક્ત નથી. તે ? તે કે-મુક્ત્તિત્રાલીનામ્-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. યુત્ત્તઃ પુનઃ પણ યુક્ત છે, શ્રુતે શ્રુતમાં, આગમાં, શોઢે-શીલમાં, પરદ્રોહથી વિરતિ લક્ષજીવાળા શીલમાં, સૌ ચ-અને સમાધિમાં, ખાનના ભૂત સમાધિમાં, મહાત્મનામ્—મહાત્માઓને, મુક્તિવાદીએને અભિનિવેશ યુક્ત છે. '' * " नियोजयत्येव मतिं न युक्तौ युक्ति मतौ यः प्रसभं नियुक्ते । અપનાયેવ ન ય હાચોડન ઘટાોપળમાધાનઃ ।''—શ્રી અધ્યાત્મસાર, " आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । પક્ષપાત તિક્ષ્ય તુ યુયિંત્ર તંત્ર મતિત્તિ નિવેશં !”—શ્રી હરિભદ્રાચા જી " मनोवत्स युक्तिगवीं मध्यस्थस्यानुधावति । સામાવંતિ પુષ્લેન તુચ્છાત્રહ્મન:વિ:।”—શ્રી યોાવિજયકૃત અધ્યાત્મપનિષદ, Page #406 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય પાછળ નિવેશનુ લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડો નાંખવા
Page 247
જેવુ... હાસ્યાસ્પદ છે ! ‘ મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછ ું ચુક્તિરૂપી ગાયની દાડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહીનું મનરૂપી વાંદરૂ તે યુક્તિરૂપી ગાયને પુછડાથી ખેંચે છે ! '—યુક્તિની ખેંચતાણ કરે છે! આવે તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા ચેગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તે માત્ર મેાક્ષને જ અભિલાષી હાય છે, આત્મા સિવાય બીજી કેાઈ ઇચ્છા કે મનરેગ તેને હાતા નથી. (૩૩૦) સુમુક્ષુને કૃત અયુક્ત 9 કામ એક આત્માનું, બીજો નહિ' મનરેગ. ' શ્રીમદ્ રાજચ'દ્રજી અને આ કુતર્કના અભિનિવેશતા મેાક્ષને પ્રતિપક્ષી ને આત્માના વિરોધી છે— માધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સાધને ઇચ્છે છે, ને કુતર્ક તા ખેાધને રાગરૂપ થઇ પડી તેને હાસ અથવા ધ્વંસ કરે છે. મુમુક્ષુ શમને આત્મશાંતિને કુંત અંતિમળને ઝ'ખે છે, ને કુતર્ક તે શમને અપાયરૂપ હાઇ હાનિ મુક્તિવિરાધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માČનું પ્રથમ પગથીયુ. માની તેમાં સ્થિર થવાને પ્રયત્ન કરે છે, ને કુતર્ક તા શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તેા ‘આળાપ ધમ્મો શાળાપ તવો' આજ્ઞાએ ધમ ને આજ્ઞાએ તપ' એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે; ને કુતર્ક તા સ્વચ્છંદપ્રધાન હેાઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવના ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્ક ને કયારેય પણ કઇ પણ પ્રકારની ક’ઇ પણ મળતી પાણુ આવતી નથી, બન્નેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અધકાર જેવા પ્રગટ ભેદ છે, એ અન્નેના કોઇ કાળે મેળ ખાય એમ નથી. 6 માટે સાચેા મુમુક્ષુ ઢાય તે પેાતાના ઇષ્ટ પ્રયેાજનમાં વિશ્નકર્તા એવા કુતર્કને કેમ ગ્રહણ કરે વારુ ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પર્શે, તે પછી તેમાં અભિનિવેશ– આગ્રહરૂપ પકડ તે કેમ જ કરે ? ખરેખર! સાચા મેાક્ષાભિલાષી હાય, તે તા કુતરૂપ અસગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતા હાઇ, કુતક –ગ્રહણને ગ્રહવા ઇચ્છે જ નહિ'; કુતર્ક ગ્રહને ભૂત પિશાચરૂપ અલાના વળગાડ જાણતા હેાઇ, તે ખલાને વળગવા ઇચ્છે જ નહિ; કુતર્ક ગ્રહને ગ્રાહરૂપ-મગરરૂપ જાણતા હેઇ, તેનાથી ગ્રહાવા—તેના સક’જામાં આવવા ઇચ્છે જ નહિ. તે તે તે કુતર્ક ખલાથી સદા દૂર જ ભાગે, કદી પશુ તેમાં અભિનિવેશ કરે જ નહિ. અને એમ જ કરવુ' મુમુક્ષુને યુક્ત છે, કારણ કે યેાગમાગ ના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના ચેાગીજનાના હિત અર્થે મેહાંધકાર પ્રત્યે આ લાલખત્તીરૂપ વચન કહ્યું છે કે—તેવા તેવા પ્રકારે વાદા × અને પ્રતિવાદ કરતાં તત્ત્વને અંત પમાત x" वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । સવાનું નૈવ ઇન્તિ તિરુવીયનૂત્તૌ ॥” શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યાગબિંદુ, Page #407 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાપ્તિ : શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત (૩૩૧) નથી,—ઘાણીના ખેલની જેમ.' આંખે પાટા બાંધેલા ઘાણીને ખેલ આખા વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલ્યે! તેનુ' તેને ભાન નથી હાતુ; તેમ પાતપેાતાના પક્ષના અક્ષિનિવેશથી અંધ થયેલા વાદીએ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં ખેાલાઇ રહેલા તત્ત્વને તે તેઓ પામતા નથી ! “ ત વિચારે રે વાદપરપરા રે, પાર ન પ્હોંચે કેાય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. ....પથડા નિહાળુ` રે ખીજા જિતા. ''—શ્રી આનદઘનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતમાં ખીલકુલ અભિનિવેશ કરવા ચે।ગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જો કયાંય પણ અભિનિવેશ કરવા યાગ્ય હાય, તે તે શ્રુતમાંસદાગમમાં કરવા ચેાગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાં– શીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કરવો ચૈાગ્ય છે, અને ધ્યાનના લરૂપ સમાધિમાં કરવા અભિનિવેશ ચેાગ્ય છે. કારણ કે શ્રુત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરવા એટલે
Page 248
કે 'તઃપ્રવેશ કરવા, દૃઢ આગ્રહ ધરવા, દૃઢતાથી વળગી રહેવુ', મજબૂત પકડ કરવી, એ આત્માર્થી મુમુક્ષુને હિતાવહ હાઇ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હાઈ સર્વત્ર વર્જ્ય જ-ત્યાગવા યાગ્ય જ છે; તેા પણુ અત્રે જે શ્રુત આદિમાં અભિનિવેશ કહ્યો, તે કદાત્રડુના અમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થાંમાં છે; અત્રે અભિનિવેશ એટલે અત્યંત અતઃપ્રવેશ એમ અ ઘટે છે. આમ શ્રતમાં અભિનિવેશ કરવો એટલે શ્રુતને દૃઢ ભક્તિથી આરાધવું, શ્રુત સાગરમાં ઊડો પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરવેા એટલે શીલને-શુદ્ધ ચારિત્રને દૃઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવુ, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરવા એટલે દૃઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષેાભ રહેવું, ધાર× પરીષહ કે ઉપસ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જો,’—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી. " આમ પ્રશસ્ત અમાં-શ્રુત, શીલ ને સમાધિની દૃઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રુત-શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરવા તે મુમુક્ષુને સર્વથા યાગ્ય છે; કારણ કે તે શ્રુત–શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મેાક્ષરૂપ ઇષ્ટ પ્રયેાજનની સિદ્ધિના ઉત્તમ સાધન છે, માટે તેની દૃઢ લગનીરૂપ આરાધના કરવી, રઢ લગાડીને તેની પાછળ મડી પડવુ, તેમાં અભિનિવેશ—અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત ચાગ્ય છે. × જીએ શ્રીમદ્ રાજચદ્રીકૃત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય. Page #408 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨) ગદષ્ટિસમુરચય बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ॥८९ ।। આનું બીજ સહુ ગિને, સિદ્ધ અવંધ્ય પ્રધાન; પરોપકાર પરિશુદ્ધ જે, એથી એહ આ સ્થાન, ૮૯ અર્થ—અને આ કૃત આદિનું બીજ, પરમ એવું સર્વ યોગીઓને સિદ્ધ અવધ્યઅચૂક ફલ દેનારું પરિશુદ્ધ પરાર્થકરણ (પરોપકાર ) છે, એટલા માટે અત્રે પણ અભિનિવેશ કરવો યુક્ત છે. વિવેચન પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.”–શ્રીમદ્ રાજચંદ્રજી અને આ ઉપરમાં જે અભિનિવેશ કરવા ગ્ય-લગની લગાડવા યોગ્ય, એવા શ્રુત, શીલ ને સમાધિ કહ્યા, તેનું પણ સર્વ યેગીઓને સિદ્ધ થયેલું-પ્રતિષ્ઠિત થયેલું પરમ કારણ શું છે? તે અહીં પ્રગટ કર્યું છે -એ શ્રુતાદિનું પણ પરમ બીજરૂપ પ્રધાન કારણ પરાર્થકરણ છે, એટલે કે પર પ્રયોજનના પરોપકારમાં નિષ્પાદનરૂપ પરોપકાર છે. એમ કુલગી વગેરે સર્વ યેગીઓએ અભિનિવેશ સંમત કરેલું છે, પ્રતિષ્ઠિત કરેલું છે. અને આ પરોપકારરૂપ બીજ શ્રુતાદિની પ્રાપ્તિરૂપ અમેઘ-અચૂક ફલ આપનારું છે. આ પરોપકાર કાર્યમાં અન્ય કોઈને ઉપઘાત ન થવો જોઈએ, બીજા કેઈને બાધા ન ઉપજવી જોઈએ, એવું તે સર્વથા પરિશુદ્ધ હોવું જોઈએ. આવા પરિશુદ્ધ પરોપકારમાં અભિનિવેશ કરવો, લગની લગાડવી, તે મુમુક્ષુ મહાત્માઓને યુક્ત છે, કારણ કે આ પરોપકાર શ્રેતાદિ કારણનું પણ કારણ છે. એટલા માટે મુમુક્ષુએ પોપકારી થવું, પરેપકાર કાર્યના વ્યસની થવું, એમ સત્પુરુષને ઉપદેશ છે. શ્રી વ્યાસજીએ ભાગવતમાં કહ્યું છે કે –“રે પાર પુષ્કાય વાવાય પાપીરનમ્ !' એટલે મેક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પિતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ કૃત્તિ-વીનં રા–અને આનું-શ્રતાદિનું બીજ, પરં સિદ્ગ-પરમ સિદ્ધ, પ્રધાન પ્રતિષ્ઠિત, અવરબ્ધ-અવંધ્ય, નિયત ફલદાયી, ચક્કસ ફલ આપનારું, સર્વનામ-સર્વયોગીઓને, કલયોગી પ્રમુખ સર્વ યોગીઓને. તે શું ? તે માટે કહ્યું-પાર્થ –પરાર્થકરણ, પરપ્રજનનું નિષ્પાદન, (પરોપકાર) શેર-જેથી, જે કારણથી, પશુ-પરિશુદ્ધ, અન્યના અનુપઘાતથી, બીજાને ઉપધાત નહિં કરવા થકી, તો-આથી, આ કારણ થકી, સત્ર ૨-અત્રે પણ, આ પરાર્થકરણમાં ( પપકારમાં) પણ અભિનિવેશ યુક્ત છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ દોમાષ્ટિ : અનિધાસ ગત વિકલ્પ, તેના યાજક કુતર્ક (૩૩૩) અન્ય જીવોના ઉપકારને અર્થે ખચવી એજ ઉચિત છે. પાતાના શરીરને તે પેાતાનાથી અને તેટલી પર સેવા કાર્યમાં અણુ કરે, પેાતાના મનને તે પરહિતચિંતાના કાર્યમાં બ્યાગૃત કરે,
Page 249
પેાતાના વચનને તે પરતું ભલું થાય એવા સત્ પ્રયેાજનમાં પ્રયુક્ત કરે, પેાતાના ધનને તે દીન-દુઃખીના દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષ રૂપ સેવાકામાં પેાતાના મના ફાળા આપે, કારણ કે સતજનેાની વિભૂતિઓ પરોપકારાર્થ હાય છે. ‘પત્રાય સાં ત્રિમૂર્તયઃ ।' અને આવું જે પરાપકાર કૃત્ય છે તે પરિશુદ્ધ ’ અર્થાત્ સર્વથા શુદ્ધ હોવુ' જેઈએ. એટલે આમાં ખીજા જીવને ઉપઘાત ન થાય, એકના ભાગે ખીજાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઇએ. કોઈ પણ જીવને કંઇપણુ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરાપકાર છે. તેમજ આ પાપકાર કૃત્યમાં આ લાક-પરલેાક સંબંધી કઇ પણ ફ્લૂ અપેક્ષા ન જ હોવી જોઇએ, પરોપકાર કૃત્ય સથા નિષ્કામ જ હેવુ જોઇએ, અને તા જ તે ‘ પરિશુદ્ધ' ગણાય. 6 * તન,મન, ધનથી પાપકાર ★ કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । તદ્યોગનાત્મચેષ ત મિનેન તત્ ॥૧૦॥ અવિદ્યાસંગત પ્રાય તે, હાય વિકલ્પ તમામ; તસ યાજકજ કુતર્ક આ, તેથી એવું શું કામ ? ૯૦ અ:—ઘણું કરીને સવેય વિકલ્પે અવિદ્યાસંયુક્ત હાય છે, અને તે વિકલ્પના ચેાજનરૂપ આ કુતક છે. તેથી કરીને આ કુતર્કથી શું? વિવેચન “ જહાં કલપના જલપના, તહાં માના દુઃખ છાંય; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઇ.”—શ્રીમદ્ રાજચંદ્રજી સર્વથ વિકલપે–શવિકલ્પે તે અવિકલ્પા પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય વૃત્તિ:-નિવાસંતાઃ—મવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંપૃક્ત-સયુક્ત, યે-પ્રાયે, માહુલ્યથી, વિસ્ત્વા: સર્વ ત્ર-વિકલ્પે સર્વેષ,—શવિકા, અને અર્થવિકલ્પ, ચ-કારણ કે, તોજ્ઞનામ -અને તેને યાજનાત્મક, તે વિકલ્પના યાજનાત્મક, ત્ત્ત:-આ,- ગામમ-પાયસ આદિ વિકલ્પ કરવાવડે કરીને, 1:- કુતક –ક્ત-લક્ષણવાળા છે. મિનેન—તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે ? કંઇ નહિ', એમ અથ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ (૩૩૪) ગદષ્ટિસમુચ્ચય છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સંપૂક્ત-સંયુક્ત હોય છે. જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની સાથે અવિદ્યા અવશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિકલ્પને આદિને ઉદય હોય જ છે. અને તે અવિદ્યાસંગત વિકલ્પોને જક કુતર્ક પેજક–જનાર–ગોઠવનારો આ કુતર્ક છે. આ છાણ છે તે દૂધ કેમ નહિં? આ દૂધ છે તે છાણ કેમ નહિ? ઈત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પને ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ૪ શિલ્પી-કડીઓ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની યોજના કરે છે, ગોઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ! તેનું શિલ્પ–ઘડતર પણ ક૫નારૂપ, બધુંય હવામાં! હવાઈ કિલ્લા જેવું ! Castles in the air! ને તે હવાઈ કિલાની શિલાને સલાડનારો પાછે કુતક ! એટલે પછી બધુંય ચણતર ખોટામાં ખોટું કલ્પિત ને હવાઈ જ હોય ને! અને તે બાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે બીજું કાંઈ? મૂરખ જીવ ધરે ચિત્તમેં કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાવહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેજ પરાઈ.” શ્રી દેવચંદ્રજીકૃત દ્રવ્યપ્રકાશ તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગોઠવનારા કુતર્કનું શું કામ છે? શું પ્રયોજન છે ? કંઈ જ નહિં. વિકલપનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારે કુતક છે, તે પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખોટા કુતર્કને કર્યો વિબુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારને અંત ઈચ્છનારે મુમુક્ષુ વિકલ્પને આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચોડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાવિકશેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉચ્ચાર્યા છે કે ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અલક્તાં, વિલય થતાં નહિં વાર.” તેમજ— जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः ।
Page 250
हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९१॥ તત્તિપાતિકારશ્ચ-અને જાતિપ્રાય, દૂષણુભાસપ્રધાન, સડયં-આ સર્વે કુતર્ક, કતીતિજાધિરઃ-પ્રતીતિ-ફલથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે સુરતી થાપત્યુૌ – હાથી મારી નાંખશે એવું વચન મહાવતે કહ્યું,-કોની જેમ ? તે માટે કહ્યું –ગાતાકાત વિઠપવત-માતઅપ્રાપ્તના વિકલ્પની જેમ. * ““વિકરાવદરાના શિલ્પ બાયોગવિદ્યાવિનિમિતy I તોનનામયશ્ચત્ર કુતઃ વિક્રમનેન તન્ –દ્વા. દ્વા, Page #411 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : કુતર્ક દૂષણભાસપ્રધાન (૩૩૫) પ્રતીતિ-ફેલ બાધિત આ, જાતિપ્રાય સહુ જલ્પ; જ્યમ હાથી હણશે? ક, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ છે, અર્થ-અને પ્રતીતિફલથી બાધિત એ આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે-દૂષણભાસપ્રધાન છે. “હાથી મારી નાંખશે” એવું કહ્યું, હાથી પામેલાને-પાસે રહેલાને હણશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?–એવા વિકલ્પની જેમ વિવેચન અને જે આ સર્વ કુતર્ક છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણભાસ શોધી કાઢવું એ એનું કામ છે ! દૂષણ નહિં પણ દૂષણ જે આભાસ આપતું, દૂષણ જેવું દેખાતું કંઈ પણ છિદ્ર શોધી કાઢવું એ કુતર્કનું કામ છે ! “દૂધમાંથી પિરા કાઢવા જેવું છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણું છે ! "वायुक्त साधने प्रोक्तदोषाणामुदभावनम् । ટૂષvi નિરવ તુ ટૂષામા નામન્ !” શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર આવો આ કુતક પ્રતીતિથી અને ફલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતો નથી, સર્વદા સંશયાત્મક્તા જ રહે છે. ને “સંશયાત્મ વિરતિ” સંશયી જીવ વિનાશ પામે છે. કતક પ્રતીતિ. તેમજ તેથી કાંઈ ફલ પ્રોજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાલ બાધિત ફેડ થાય છે. એ માટે અત્રે રમૂજી દષ્ટાંત રજૂ કર્યું છે કે-હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યું, હાથી પાસે રહેલાને હશે ? કે દૂર રહેલાને હણે? એવો વિક૯પ જેમ કેઈ બકર-જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. દૂર નિકટ હાથી હણે છે, જ્યમ એ બઠર વિચાર.” આ દષ્ટાંતને સાર આ પ્રમાણે – કોઈ નૈયાયિક છત્ર (વિદ્યાથી) કયાંકથી આવ્યું. અવશ–નિરંકુશ થઈ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કેઈએ બૂમ મારી “અરે! અરે ! જલદી દૂર ખસી જ! (નહિં તે ) હાથી મારી નાંખશે.' એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત હતું–જે ભણ્યો પણ ગણ્યો ન્હોતો એવા તેણે કહ્યુંરે રે! બઠર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાણને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિન (મરણને) પ્રસંગ છે,-પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે. ત્યાં તો તેને હાથીએ રહ્યો–પકડ્યો. તેને માંડ માંડ મહાવતે મૂકાવ્યા. જાતિપ્રાયતા તે સર્વત્ર ભિન્ન અર્થ ગ્રહણ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે;-તત્રત (તેમાં પ્રાપ્ત થતા) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ (૩૩૬) ગદષ્ટિસમુચ્ચય કોઈ એક તૈયાયિક-ન્યાયશાસ્ત્રને વિદ્યાર્થી ક્યાંકથી આવી ચઢ્યો. ત્યાં રસ્તામાં નિરંકુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા મહાવતે બૂમ મારી–અરે અરે ! જલદી દૂર હઠી જા ! દૂર હટી જા ! નહિં તે હાથી મારી નાંખશે. એટલે ભણે પણ ગણે નહિ એવો તે વેદીએ દોઢચતુર દોઢડહાપણ કરી, પોતે ભણેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ ન્યાયને પ્રયોગ કરવા લાગ્યું કે-રે રે મૂર્ખ ! આમ તું યુક્તિબાહ્ય-યુક્તિ વગરનું શું બકે છે? કારણ કે આ હાથી શું પામેલાને–પાસે આવેલાને હણે? કે નહિં પામેલાને હણે ? પામેલાને હણે એમ કહે તે તને જ હશે,-એમ જ્યાં તે હજુ પોતાનું સંભાષણ આગળ ચલાવે છે, ત્યાં તો હાથી પાસે આવી પહોંચે, ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડમાંડ છેડા. તેમ
Page 251
તેવા પ્રકારે વિકલ્પ કરનારે એવો તે તે દર્શનમાં સ્થિત જીવ પણ કુતક-હસ્તીથી ગ્રહાયેલ હોય છે, તે સદ્ગુસ–મહાવતથી જ મૂકાવાય છે. આના જેવું બીજું રમૂજી દષ્ટાંત-કૃતાધારે પાત્ર ઉઠવા પાત્રાધાર વૃતમ્ ! ઘીના આધારે પાત્ર છે ? કે પાત્રના આધારે ઘી છે? એ પ્રયોગસિદ્ધ કરવા માટે વેદી પંડિતે પાત્ર ઊંધું વાળ્યું એટલે ઘી ઢોળાઈ ગયું ! આમ સર્વત્ર જુદો જ અર્થ ગ્રહણ કરવાના સ્વભાવવાળું સંવેદન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં જાતિપ્રાયતા હોય છે. એટલે કે કહેવાના આશયથી-મતલબથી જુદો જ અવળે જ આશય ગ્રહણ કરવો, “એડનું ચોડ વેતરવું” તે જાતિપ્રાયતા છે, દૂષણભાસપ્રધાનતા છે. અને તે સંબંધી વિક૯પ કરવો તે પણ તદ્રુપ હોવાથી તેવા પ્રકારનો જાતિપ્રાય-દૂષણભાસપ્રધાન હોય છે. ‘નાત ટૂષurrમાસાઃ પક્ષાવિહૂર્ત ન ચૈ: ” તાત્પર્ય કે જે વાત કહેવા માગતા હોય, તેનાથી ઊલટે જ-ઊધે જ અર્થ પકડવો અને તેવો વિક્લપ કરવો તે જાતિ અથવા દૂષણભાસ કહેવાય છે. અંગ્રેજી કહેવત પ્રમાણે Chalk ને બદલે Cheese સમજવી, તેની જેમ. “હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનેજી, એ તે વચન પ્રકાર...મન.”–શ્રી કે. દ. સઝાય. ૪-૧૨ તેમજ વળી– स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नार्वाग्दृग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ॥ ९२ ॥ કૃત્તિઃ-૩માવોત્તપર્યન્ત gg:- આ કુતક પય તે સ્વભાવ ઉત્તરવાળા હોય છે, છેવટે “સ્વભાવ” એ જ તકને ઉત્તર હોય છે. અને અત્રે “વતુમાંવૈરાં વચ્ચે વસ્તુસ્વભાવો વડે કરીને ઉત્તર કહેવા યોગ્ય છે, એ વચન ઉપરથી. આમ અગ્નિ રહે છે, પાણી ભીંજવે છે. એ એનો સ્વભાવ છે. બાવષિ-આ ભાવ ૫ણુ, તત્ત્વતઃ-તત્ત્વથી, પરમાર્થથી, -નાર્વાદ - અર્વાદગ્રેચર નથી, છાસ્થનો વિષય નથી; વાયા-ન્યાયથકી, પરપ્રસિદ્ધ એવા ન્યાયથી. કેવા પ્રકારનો હોઈને ! Page #413 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિઃ કુતકને છેવટને જવાબ “સ્વભાવ' (૩૩૭) સ્વભાવ આવી ઉભું રહે છેવટને જ જવાબ; કુતર્ક એ હેય એ, એવી એહની છાપ, એ સ્વભાવ પણ તરવથી, છદ્મસ્થાચર નોય; કારણ ન્યાયથી અન્યથા, અન્યથી કલ્પિત હોય, ૯૨, અર્થ :–સ્વભાવ જ જ્યાં છેવટનો જવાબ છે એવો આ કુતર્ક છે; અને આ સ્વભાવ પણ તત્ત્વથી અગદષ્ટિવાળાને-છદ્મસ્થને ગોચર હેત નથી, કારણ કે ન્યાયથી એ બીજાથી બીજા પ્રકારે કપવામાં આવે છે. વિવેચન આ જે કુતક કહ્યો, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે–આ કુતર્ક એવો હોય છે કે તેમાં છેવટનો જવાબ “સ્વભાવ હોય છે. જ્યારે બીજી કઈ પણ દલીલ કે યુક્તિ ન ચાલે, ત્યારે છેલ્લે એમ કહેવાય કે આ તે આ વસ્તુને સ્વભાવ છે. કહ્યું છે કેવતુસ્ત્રમાણ્વત્તાં વાળે” “વસ્તુસ્વભાવથી ઉત્તર કહેવો.’ આમ અગ્નિ બાળે છે–દઝાડે છે, પાણી ભીંજાવે છે, કારણ કે એવો એને સ્વભાવ છે. અને તે સ્વભાવ પણ તત્વથી–પરમાર્થથી અર્વાદષ્ટિને એટલે કે છદ્મસ્થને ગોચર નથી. અમુક વસ્તુને સ્વભાવ શું છે? તે તત્વથી જાણવું એ છદ્મસ્થને એટલે કે જ્ઞાના વરણવંતનો વિષય નથી. જેને સંપૂર્ણ છજ્ઞાનાવરણ ટળ્યું નથી, તે છઘસ્થની તે જાણી શકવાને સમર્થ નથી. શાથી? પર દર્શનીઓને પ્રસિદ્ધ એવા અન્યથા કલપના ન્યાયથી. કેવા પ્રકારે ? તે કે-અન્ય વાદીથી તે અન્યથા-બીજા જ પ્રકારે કલ્પવામાં આવે છે. કોઈ અમુક પ્રકારે વસ્તુસ્વભાવની કલ્પના કરે, તે તે માટે કહ્યું-અન્યથા–અન્યથા, પ્રકારાન્તરથી જુદા જ પ્રકારે, અન્યન-અન્યથી, બીજા વાદીથી, પિત્ત-કલ્પિત હેઈ, કલ્પવામાં આવેલ હાઈ. દાખલા તરીકે-“વરતવમાāરત્તાં વાચં વસ્તુ સ્વભાવ પરથી ઉત્તર કહેવો, એમ સર્વત્ર જ તથા પ્રકારે તેની તેની સિદ્ધિમાં કહી શકાય છે. કેવા પ્રકારે -જેના વડે તેને અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તેના વડે તે અર્થીક્રિયા કરે છે, નહિં કે ક્ષણિ તાથી. કારણ કે તેને ( અર્થરિયાન) સર્વ ભાવોમાં જ સ્વીકાર છે તેટલા માટે.
Page 252
કારણ કે ગમે ત્યાંથી તેના અર્થ ક્રિયાભાવના પ્રસંગથી તેના કારણને અવિશેષ હોય છે, તફાવત હોતી નથી, તેથી. આમ અગ્નિ, જલની સંનિધિમાં (નિકટ હોજરીમાં) ભીંજવે છે,-તથા પ્રકારના સ્વભાવપણાને લીધે. તથા જલ અનિની સંનિધિમાં દહે છે,–તથા પ્રકારના સ્વભાવપણાને લીધે જ-સ્વભાવના વૈચિયથીવિચિત્રપણાને લીધે. તેમાં પણ લેકબાધા શિવાય વળી બીજે સ્વભાવ હોય છે, દૃષ્ટાંતમાત્રનું સર્વત્ર સુલભપણું હેય છે. તેથી એમ કુતર્ક અસમંજસકારી (અયુક્ત) છે. એમ અદંપર્ય છે, આ કહેવાનું તાત્પર્ય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) ગદષ્ટિસમુચ્ચય વળી બીજે વાદી પ્રકારતરથી–જુદા જ પ્રકારથી તેની કલ્પના કરે છે. આમ જેનું જ્ઞાનાવરણ ટળ્યું નથી એવા છદ્મસ્થનું જ્ઞાન કલ્પનારૂપ (Imaginary) હોવાથી, છસ્થાની ચિત્રવિચિત્ર કલ્પનાને મેળ ખાતે નથી ! ને “મુંડે મુંડે મતિર્મિન્ના' “મગજે મગજે જુદી મતિ’ જેવું થાય છે! એક કલ્પના કરશે ઉત્તરની, તો બીજે કરશે દક્ષિણની ! Diametrically Opposite ! છદ્મસ્થને પ્રત્યક્ષ જ્ઞાન તે છે નહિં, એટલે તેને બધે આધાર વિકલ્પરૂપ કલ્પના ઉપર રાખવો પડે છે, અને કલ્પિત જ્ઞાનથી અનેક કલ્પિત કલ્પનાતરંગે ઊઠયા કરે છે; કારણ કે “વસ્તુસ્વભાવો ઉપરથી ઉત્તર કહેવો,' એ સૂત્ર પ્રમાણે સર્વત્ર જ તેવા પ્રકારે તેની સિદ્ધિ કહી શકાય છે. તે આ પ્રકારે–જેના વડે કરીને તેને અર્થ ક્રિયા કરવાને સ્વભાવ છે, તેના વડે તે અર્થયિા કરે છે,-નહિં કે ક્ષણિકતાથી. અને કોઈ પણ અર્થ ક્રિયા તેવા પ્રકારના તે વસ્તુના સ્વભાવથી થાય છે. આ અWક્રિયાને સર્વ ભાવોમાં જ સ્વીકાર કરાય છે, અને ગમે ત્યાંથી તેવી અર્થ ક્રિયાને પ્રસંગ ઉભું કરી શકાય છે, કારણ કે તેના કારણમાં કઈ તફાવત નથી. આમ કઈ કહેશે કે અગ્નિ, પાણીની નિકટ હાજરીમાં, ભીજાવે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે! તથા પાણી, અગ્નિની નિકટ હાજરીમાં, બાળે છે–દઝાડે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે ! અથવા તે સ્વભાવનું વિચિત્રપણું હેવાથી, લેકબાધા ન ઉપજે એવા બીજા પ્રકારના પણ તથાસ્વભાવપણાની વિચિત્ર કલ્પના કરી શકાય છે! કારણ કે તેવા તેવા સ્વભાવને પુષ્ટ કરે એવા દષ્ટાંત માત્રનું સર્વત્ર સુલભપણું હોય છે! ગમે ત્યાંથી તેવું અનુકૂળ દૃષ્ટાંત મેળવવું હેલું છે ! આવા પ્રકારે કુતર્ક કરનાર પિતાના મંતવ્યની–પિતાની કલ્પનાની સિદ્ધિ માટે હંમેશાં વસ્તુસ્વભાવનો આશ્રય લે છે, અને આ વસ્તુસ્વભાવ છે એમ છેવટને જવાબ આપી સામા માણસને નિરુત્તર કરવાને-મુખ બંધ કરવાનો પ્રયાસ દૃષ્ટાંતનો કરે છે ! અને ચેન ન કરે-ગમે તે પ્રકારથી કયાંયથી પણ તેને તોટો નથી પોતાની કલપનાને અનુકૂળ એવો સ્વભાવ મળી પણ આવે છે ! કારણ કે સ્વભાવનું વિચિત્રપણું હોય છે, અને તેને બંધબેસતું દષ્ટાંત મેળવવું પણ બધેય સુલભ હોય છે! તે મેળવતાં ઝાઝી તકલીફ પડતી નથી ! દાખલા તરીકેઅગ્નિ તે મૂળ ઉષ્ણસ્વભાવી હેઈ દઝાડનાર છે એમ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયાસ કરશે કે જુઓ! અગ્નિને સ્વભાવ પાણીની હાજરીમાં ભીંજાવવાનો છે, કારણ કે ઉલ્લું પાણી ભીંજાવે પણ છે ! તેમજ પાણીને મૂળ સ્વભાવ, શીતલ હોઈ ભીજાવવાને છે, છતાં કુતર્ક કરનાર એવી દલીલ કરશે કે-પાણીને સ્વભાવ, અગ્નિની હાજરીમાં દઝાડવાને છે, કારણ કે ઉડું પાણી દઝાડે છે ! એ પ્રત્યક્ષ અનુભવ છે. કારણ કે તે તેને સ્વભાવ છે. આ રીતે વસ્તુસ્વભાવના ઓઠા હેઠળ કુતર્ક કરનાર મારી મચડીને પિતાને મનફાવતે અર્થ બંધ બેસાડે છે ! આમ દષ્ટાંતને તોટો નથી ને Page #415 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : છાસ્થ પનારૂપ કુતર્કનું” અસમ’જસપણું' (૩૩૯) કુતર્કના આરેા નથી ! માટે આવો ક્રુત સર્વથા અસમજસ, અયેાગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાના-ઠામઠેકાણા વિનાના છે, એમ તાત્પ છે.
Page 253
અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુ જોગીજને તેના સથા દૂરથી પરિત્યાગ કરવો યાગ્ય છે. ★ આ જ અને વિશેષથી કહી દેખાડવા કહે છે— ears: क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । safoeनधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥ ९३ ॥ એથૉ જલ સન્નિધાનમાં, અનલ ભીંજવે વાહુ ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ; એમ તેડુ બન્ને તણા, તથા સ્વભાવે થાય; એમ. કોઇ વાઢિ થકી, જ્યારે કથન કરાય; ૯૩. અર્થ :—એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે, એમ તે બન્નેના તેવા સ્વભાવપાને લીધે થાય છે, એવુ કાઇથી જ્યારે કથવામાં આવે ત્યારે— વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છે:–પ્રસ્તુત વસ્તુસ્વભાવ અર્વાષ્ટિછદ્મસ્થને ગાચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથા જાણી શકતેા નથી. એટલા માટે જ અગ્નિ, પાણીની સનિધિમાં—નિકટ હાજરીમાં, ભીજવે છે; અથવા પાણી, અગ્નિની સ`નિધિમાં—નિકટ હાજરીમાં દઝાડે છે; કારણ કે અગ્નિને તે પાણીના તેવો તેવો સ્વભાવ છે,--એમ કેાઇ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લેાકમાં કહ્યું છે. અગ્નિને અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આખાલવૃદ્ધ સ કોઈ જાણે છે, છતાં કુતર્ક કરનારા કહેશે કે–અગ્નિના સ્વભાવ ભીંજવવાને છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીજવે છે, ઉષ્ણુ જલ ભીંજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. વૃત્તિ:—કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાંગદાયર-દ્મથની દષ્ટિને ગાચર નથી, તો એથી કરીને, એ કારણથી, અગ્નિ: ફૈતિ—અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિહાર અથે કહ્યું. કે-લમ્બુલન્નૌ–જલની સનિધિમાં, નિકટ હાજરીમાં. વૃતિ વાસ્તુ-અથવા પાણી દઝાડે છે. પ્રતીતિખાધા નથી એટલા માટે કહ્યું કે-નિયંનિધી-અગ્નિની સંનિધિમાં (અગ્નિની નિકટ હાજરીમાં) આ એમ કેમ છે? તે માટે કહ્યું-સત્સ્વામાવ્યાત્તો:-તે ખન્નેના તે સ્વાભાવપણાને લીધે. અગ્નિના તે પાણીના તેવા સ્વભાવ છે તેથી કરીને, ઉત્તે-પરવાદીથી કહેવામાં આવ્યેા, એમ એમ જ્યારે ક્રાઇ પરવાદી કહે છે. ત્યારે— Page #416 -------------------------------------------------------------------------- ________________ (૩૪૦) યોગદષ્ટિસમુચ્ચય તેમજ જલ મૂળ શીતલ સ્વભાવી છે, અને તેથી ભીંજાવાય છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયત્ન કરશે કે–પાણીને સ્વભાવ દઝાડવાને છે, કારણ કે પાણી અગ્નિની હાજરીમાં દઝાડે છે, ઉષ્ણ જલ દઝાડે છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. આમ વસ્તુસ્વભાવના એઠા નીચે કુતર્ક કરનાર પિતાને મનફાવતો અર્થ એક જ વાતમાંથી ઉતારી શકે છે ! શું? તે કહે છે कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः। विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकद्दश्यते यतः ॥ ९४ ॥ કેશપાન વિના બીજ, હેય ન જ્ઞાન ઉપાય; એવું પણ યુક્તિ થકી, અત્રે સ્થાપિત થાય! કારણ દૂર રહ્યો છતાં, લેહચુંબ પાષાણ; સ્વાર્થ કાર્ય કરત સદા, દેખાયે આ ઠાણ, ૯૪ અર્થ-અત્રે યુક્તિથી કોશપાન સિવાય જ્ઞાન ઉપાય છે નહિ; કારણ કે વિપ્રકૃષ્ટ ( દૂર રહેલો) લેહચુંબક પણ સ્વાર્થ કરનારે (પિતાનું કાર્ય કરનારે) દેખાય છે. વિવેચન ત્યારે કોઈ વળી એમ કહેશે કે કેશપાન (શબ્દકેષ પી જ–ગોખી જ તે) સિવાય જ્ઞાનને બીજો ઉપાય નથી ! એમ અત્રે સ્વભાવના પ્રસંગમાં શુષ્ક તની યુક્તિથી સ્થાપિત થઈ શકશે. જે સ્વભાવની જ વાત કર્યા કરશે, તે કઈ વળી એ જ સ્વભાવની યુક્તિ આગળ ધરીને ઉપર પ્રમાણે દલીલ કરશે. તેમાં વળી કઈ વિપ્રકર્ષને (Far-letched argument) એટલે દૂરપણાન–છેટાપણાને વાંધો લેશે, તે તે પણ આ લેહચુંબક દૃષ્ટાંતથી દૂર કરી શકાશેઃ-દૂર રહેલે અયસ્કાંત-લેહચુંબક પત્થર પણ સ્વાર્થ સાધે છે, અર્થાત્ લેઢાનું આકર્ષણ વગેરે પિતાનું કાર્ય કરવાને સ્વભાવ ધરાવતે દેખાય છે. કૃત્તિ-જોરાપાના તે કોશપાન સિવાય, જ્ઞાનોપા નાસ્થત્ર-જ્ઞાનઉપાય અ-સ્વભાવ વ્યતિકરમાં (પ્રસંગમાં ) છે નહિં, પુતિઃ યુક્તિથી, શુષ્ક તર્ક યુક્તિથી, કોઈ બીજું દષ્ટાંત પણ આ અર્થનું સમર્થક એવું વિદ્યમાન છે જ, એટલા માટે કહ્યું -વિલોડરદાન્તઃ-વિપ્રકૃષ્ટ-દૂર રહેલો એવો અયસ્કાંત-લેહાકર્ષક
Page 254
પત્થરવિશેષ, સ્વાર્થ-સ્વાર્થ કરનારો, લેહાકર્ષણ આદિ સ્વકાર્ય કરણરૂપ સ્વભાવવાળો, દફતે ચતા –કારણ કે દેખાય છે. પર તે જ વિપ્રકૃષ્ટ જ-દૂર રહેલે જ એવો સંનિકૃષ્ટ લોહને જ, નહિં કે તામ્રાદિને, આકર્ષે જ છે, નહિ કે કાપે છે. તેથી આમ આની જેમ અગ્નિ આદિનું તથાસ્વભાવ કપન કોનાથી બાધિત થાય ? કેઈથી નહિં, એમ ભાવવા યોગ્ય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : દષ્ટાંતપ્રધાન કુતકના ચુંથણ : (૩૪૧) કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લોઢાને ખેચે છે, નજીક હોય તે નહિ; સંનિકૃષ્ટ-નિકટ લેઢાને જ ખેંચે છે, તાંબા વગેરેને નહિં; લોઢાને બેચે જ છે, કાપતો નથી. કારણ કે લેહચુંબકને તે જ સ્વભાવ છે. તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથા સ્વભાવનું ક૯૫ન કેનાથી બધી શકાય વારુ? કેઈથી નહિ, એમ ભાવવા ગ્ય છે. ગમે તે સ્વભાવ કુયુક્તિથી ને દષ્ટાંતબલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુંથણું કરવામાં કાંઈ સાર નથી, કંઇ માલ નથી. તવંગવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતકને નવ ગજના નમસ્કાર જ કરવા ગ્ય છે. ! ઉપસંહાર કરતાં કહે છે – दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥ ९५ ।। એમ દષ્ટાંતમાત્ર અહીં, સર્વત્ર સુલભ જોય; તપ્રધાન આ કેણથી, નીતિથી બાધિત હોય? ૯૫ અર્થ –આમ પૃથ્વીમાં સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દષ્ટાંતપ્રધાન એ આ કુતર્ક કેનાથી પોતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વારુ? વિવેચન આમ ઉપરમાં જે કહ્યું તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સર્વ કઈ સ્થળે સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે, કઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેક-પ્રતીતિથી બાધિત એવું, દષ્ટાંત મેળવવું સહેલું છે. પોતાના સાધ્યને અનુકૂળ-બંધબેસ્તુ એવું દૃષ્ટાંત દષ્ટાંતપ્રધાન મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેકને પ્રતીત ન થાય એવું, કુતક માન્યામાં ન આવી શકે એવું હેય ! ગમે તેમ મારી મચડીને, તાણે ખેંચીને, પોતાની માન્યતાની ડાબલી બંધ બેસાડવા ખાતર ઊભું કરેલું હોય ! માટે આવું દૃષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દૃષ્ટાંત પર જ જેને બધે મદાર છે, આવા દષ્ટાંતના પોલા થાંભલા પર જ જેની હવાઈ ઇમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કે પિતાની નીતિથી વારી શકે ? કોણ બાધિત કરી શકે વારુ ? કઈ નહિં. કૃત્તિઃ-giતમાä-દષ્ટાંતમાત્ર, સાધ્ય વસ્તુમાં, લેક-પ્રતીતિથી બાધિત એવું, સત્ર-સર્વત્ર અવિશેષથી વ૫-કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતૌ-પૃથ્વીમાં છે. આંતરપ્રયાનાડચ-એ દષ્ટાંતપ્રધાન આ કુત, નાતે-કોનાથી દૂર કરાય-બાધિત થાય? કેઈનાથી નીતિના વિરોધને લીધે, એમ અર્થ છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ (૩૪૨ ) યાગદષ્ટિસમુચ્ચય કદાચ કાઇ એમ કહેશે કે કલ્પનાગૌરવ આદિથી આ કુતર્કને બાધા પ્હોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીના દાહ સ્વભાવ કલ્પવા તેમાં કલ્પનાગૌરવ ( Monstrous imagination) છે, ઘણી ભારી કલ્પના છે, તે ગળે ઉતરે એમ નથી; માટે તે બાધક છે. એમ કાઇ કહેશે તે તેના ઉત્તર એ છે કે યુક્તિથી સિદ્ધ સ્વભાવના ખાધનમાં કલ્પનાગૌરવાદિક સમથ નથી, કારણ કે હજારા કલ્પનાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવુ શકય નથી. એટલા માટે જ કલ્પનાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કલ્પવા શકય નથી, એમ સમજી લેવું. ગૌરવ છતાં અપ્રામાણિક હોય તે તેનું દુહપણું છે; અને પ્રામાણિક હોય તે ગૌરવાદિ થકી પણ અદોષપણુ છે. તાત્પર્ય કે કલ્પનાગૌરવ હાય કે કલ્પનાલાઘવ હાય, તેથી કાંઇ કુતર્ક ને ખાધા પ્હોંચતી નથી; માટે આવે આ દૃષ્ટાંતપ્રધાન× કુતર્ક સČથા પરિત્યાગ કરવા ચેાગ્ય જ છે એમ નિશ્ચિત થયું. કલ્પના ગૌરવાદિ બાધક નથી અહી જ દૃષ્ટાંત કહે છે— द्विचन्द्रस्वप्नविज्ञान निदर्शन बलोत्थितः । निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥ ९६ ॥ દ્વિચંદ્ર
Page 255
સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ ખલ દાવ; જ્યમ સહુ જ્ઞાનની સાધતા, નિરાલતા સાવ. ૯૬ અઃ—જેમ એચ'દ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ ખલથી ઊઠતા એવા આ કુતર્ક, સર્વ જ્ઞાનેાની નિરાલંબનતા સાધતા સતા, કાનાથી બાધિત થાય વારુ ? વિવેચન ઉપરમાં કુતર્કની દૃષ્ટાંત પ્રધાનતા કહી, ને આવા દૃષ્ટાંતઃપ્રધાન કુતર્કને કાણુ ખાષિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દૃષ્ટાંત રજૂ કર્યું છેઃ- ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે એ દેખાય છે સ્વપ્ન મિથ્યા છે-ખાટું છે, છતાં તેનું વિજ્ઞાન–જાણપણું થાય છે. આમ એ ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, ખાટા નિદર્શ તના वृत्तिः - द्विचन्द्रस्वप्न विज्ञान निदर्शन व ले। त्थितः श्रे ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણના અલથી-સામથ્થુ થી ઊઠેલે ઉપજેલા એવા કુતક', નિ રુન્ધનતામ્-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાનામ્-સવાનાની, મૃગતૃષ્ણા આદિ ગાયરસ જ્ઞાનાની, -અવિશેષથી, સામાન્ય કરીને, સાધચન્યથા-સાધતા સતો જેમ, “આવા કુતક કાનાથી ખાધી શકાય વારું ? x" दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् । સ્વમાવવાષને નાનું વનાનૌવાવિષ્ઠમ્ '' દ્વા દ્વા. ૨૨-૧૦ Page #419 -------------------------------------------------------------------------- ________________ દીમાતૃષ્ટિ : આવા દુષ્ટ કુત થી સયુ ! ( ૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિમૂળ છે. આ દૃષ્ટાંતના સામર્થ્યથી, આ દૃષ્ટાંત આગળ ધરીને કોઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલ બન હાઇ મિથ્યા-ખેાટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગેાચર ખીજા બધા જ્ઞાન નિરાલંબન હાઇ મિથ્યા-ખાટા છે. ઝાંઝવાના જલ નિરાલખન છે, વાસ્તવિક છે નહિ, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાના નિરાલંબન હાઇ મિથ્યા છે. આમ કુતર્ક કરી દૃષ્ટાંતના ખલે કરીને સર્વ જ્ઞાનેનુ નિરાલ’ખનપણું, નિરાધારપણું, નિ`ળપણું કેઇ સાખિત કરવા જાય, તે તેને કેણુ બાધિત કરી શકે વારુ ? કાઈ નહિં. કુતક કઇ રીતે ખાધિત કરવો શકય નથી, એનું આ ઉદાહરણૢ માત્ર રજૂ કર્યું; માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતર્કના કયા વિવેકી પુરુષ આશ્રય કરે ? ⭑ અને એમ તત્ત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સત્ર; પ્રતીતિ બાધિત લાકમાં, એથી કાંઈ ન અત્ર, ૯૭ અર્થ :—કારણ કે આ કુતર્ક થકી સર્વ સત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમજસ ( અયથાર્થ ) અને લેાકમાં પ્રતીતિથી ખાષિત તેટલા માટે આ કુતર્કથી કાંઈ નથી, એનુ કાંઇ પ્રત્યેાજન નથી. એવું હેાય છે. વિવેચન આ અને આમ કુતર્ક કરવા થકી કેઇ પ્રકારે તત્ત્વસિદ્ધિ થતી નથી, કારણુ કુતર્કથી તા સ સત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઇ સાધ્ય થઇ શકે છે. કોઇ એક અમુક દૃષ્ટાંતના ખલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દૃષ્ટાંત સર્વત્ર લાગુ પાડવામાં આવે છે! એક લાકડીએ બધાયને હાંકવામાં આવે છે! આ અતિપ્રસંગરૂપ હોઇ અસમંજસ છે, અયથાર્થ છે, અયેાગ્ય છે. વળી આ કુતર્ક તા લાકમાં પણ પ્રતીતિથી બાધિત દુષ્ટ કૃતથી સત વૃત્તિ:—સર્વે-સ†, નવશેષ સાધ્યુ એમ પ્રક્રમ છે, સર્વત્ર ૨-સત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં પ્રાપ્તેતિ-પ્રાપ્ત થાય છે, ચચસ્માત્—જો આ કુતર્ક થકી, અસમંગહ્રમ્-અસમંજસ, ( અયથાય),— અતિપ્રસંગને લીધે. પ્રતીતિાષિત સ્રો-લાકમાં પ્રતીતિથી ખાષિત થતુ એવુ, તેવા પ્રકારના દૃષ્ટાંતમાત્ર સારવ'તપણાથી, તનેેન ન ચિન-તેથી આથી-આ તકથી કાંપ્ત નથી, ( એનું કષ્કિં કામ નથી.) Page #420 -------------------------------------------------------------------------- ________________ (૩૪૪) વેબદુષ્ટિસમુચ્ચય થાય છે, એટલે કે લોકમાં પણ તે માટે પ્રતીતિ ઉપજતી નથી, ખાત્રી થતી નથી. કુતર્કથી સિદ્ધ કરાતી વાત લોકોને પણ માન્યામાં આવતી નથી. કારણ કે તેમાં માત્ર દષ્ટાંત સિવાય બીજો કાંઈ સાર હોતો નથી આમ સર્વથા આવા નિઃસાર તુચ્છ
Page 256
કુતર્કથી કાંઈ નથી, એમાં કાંઈ માલ નથી. એટલે આવા અસમંજસકારી લોકપ્રતીતિથી બાધિત કુતર્કથી સયું! “તતા પર્યાસિસ%ાળા અતીન્દ્રિયાર્થસિદ્ઘાર્થ નીવારોડથ કુરિ I દ્વા. ઢા, ૨૩-૨. માટે જે સત્યતત્ત્વનો જિજ્ઞાસુ છે એવા તત્ત્વગષક આત્માથીએ તો ક્યારેય પણ, કોઈ પણ પ્રકારના કંઈ પણ કુતર્કને બીલકુલ કેડું આપવા ગ્ય નથી જ, એમ તાત્પર્ય છે. આ અંગે પ્રત્યેક મુમુક્ષુએ પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટકેલ્કીર્ણ વચન હૃદયમાં સદા કેરી રાખવા યોગ્ય છે– છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિક૯૫; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.”—શ્રી આત્મસિદ્ધિ કુતર્ક નિંદાનો સારાંશ અને આ વચનને જાણે પ્રતિધ્વનિ કરતા હેય-પડઘો પાડતા હોય, એમ ભગવાન શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીએ આ કુતકરૂપ વિષમ ગ્રહના ત્યાગ પર આટલે બધે ભાર મૂક્યો છે, સર્વ પ્રકારના આગ્રહ-અભિનિવેશને અત્યંત નિષેધ કર્યો છે. કારણ કે આ કુતર્ક વિષમ ગ્રહની ખૂબ નિંદા કરતાં, તેઓશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું કે-આ કુતર્ક, (૧) બોધ પ્રત્યે રંગરૂપ છે, (૨) શમને-આત્મશાંતિને અપાયરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) મિથ્યા અભિમાન ઉપજાવનાર છે, અને (૫) આમ તે ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ-પરમાર્થરિપુ છે, માટે તેમાં અભિનિવેશ કરવો મુમુક્ષુને યોગ્ય નથી. (૬) સર્વ વિકલ અવિદ્યાસંગત છે, અને તેની યોજના-ગોઠવણી કરનાર આ કુતર્ક છે, માટે તેથી શું કામ છે ? (૭) આ સર્વ કુતર્ક જાતિપ્રાય એટલે દૂષણભાસપ્રધાન છે, પ્રતીતિથી અને ફલથી બાધિત છે. દૂર રહેલાને હાથી હણે ? કે નિકટ રહેલાને? તેના જેવા વેદિયાડાની જેમ. (૮) વળી આ કુતર્કમાં છેવટને જવાબ સ્વભાવ” છે. અને આ સ્વભાવ તે તત્ત્વથી છદ્મસ્થાને ગોચર નથી, કારણ કે અન્યથી તે અન્ય પ્રકારે ક૯પવામાં આવે છે. જેમકે અગ્નિ ભીંજવે છે, પાણી બાળે છે, ઈત્યાદિ. (૯) આમ સર્વત્ર લેકપ્રતીતિથી બાધિત એવું દૃષ્ટાંત સુલભ છે, તે પછી આવા દૃષ્ટાંતપ્રધાન કુતર્કને કણ વારી શકે ? જેમકે-બે ચંદ્ર ને સ્વમવિજ્ઞાનના ઉદાહરણના બલ ઉપરથી ઊઠતે કુતર્ક સર્વ જ્ઞાનનું નિરાલંબનપણું સાધે છે! (૧૦) આમ લેકપ્રતીતિથી બાધિત એવું સર્વ કાંઈ પણ અસમંજસ કુતર્કથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. કુતર્કથી ગમે તેવું અગડંબગડે ગમે ત્યાં સાબીત થઈ શકે છે ! તે પછી આવા અનિષ્ટ દુષ્ટ કુતર્કનું શું પ્રજન છે? Page #421 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : અતીન્દ્રિય અથ શુષ્ક તર્કના અવિષય (૩૪૫) 6 માટે આવા કુતર્ક ગ્રહને-કદાગ્રહને તૃણની જેમ ત્યાગ કરવા એ જ ઉદારબુદ્ધિ મુમુક્ષુજનને ઉચિત છે, અને એમ જે કરે છે, - તેને પતિવ્રતા કુલીન સ્ત્રીની જેમ ગુણાનુરક્ત યશલક્ષ્મી+ કી છેાડતી નથી. ' અને આવા નિદ્ય આ દુષ્ટ, અનિષ્ટ, અસત્ એવા કુતર્ક વિષમ ગ્રહ, અત્રે આ દૃષ્ટિમાં અવેધસ વેદ્યપદને જય થતાં આપેાઆપ ટળે છે. । इति कुतर्कविषमग्र निन्दाधिकारः । અતીન્દ્રિય અથ સિદ્ધિઉપાય અને અહીં આ એમ છે, એટલા માટે કહે છે— अतीन्द्रियार्थसिद्धयर्थं यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥ ९८ ॥ સિદ્ધય અતીન્દ્રિયાની, પ્રેક્ષાવંત પ્રયાસ; ને તે ગાચર કયાંય ના, શુષ્ક તર્કને ખાસ, ૯૮ અઃ—જોઈ વિચારીને વનારા પ્રેક્ષાવંત જનાના પ્રયાસ અતીન્દ્રિય અ ની સિદ્ધિને અર્થે હાય છે; અને તે અતીન્દ્રિય અર્થ તા કવચિત્ પણ શુષ્ક તર્કના ગેાચર (વિષય) હાતા નથી. વિવેચન જે પ્રેક્ષાવત વિચારવાન જીવેા છે, તે વિવેકીઆના પ્રયાસ અતીન્દ્રિય અની સિદ્ધિ અર્થે હોય છે. ધમ, આત્મા આદિ અતીન્દ્રિય અથ છે, એટલે કે ઇંદ્રિયને અગેાચર છે, ઇંદ્રિયજ્ઞાનવડે જાણી શકતા નથી. ત્યાં ગા—ચર નથી, અર્થાત્ ગેા એટલે ઇંદ્રિય, તેના ચર-સંચાર નથી, ગતિ-પ્રસર નથી. આવા અતીન્દ્રિય, ઇંદ્રિયજ્ઞાનથી પર એવા ધ-આત્મા આદિ અર્થાનું સ્વરૂપ વાસ્તવિક રીતે કેવું છે ? તે જાણવા માટે, સમજવા
Page 257
માટે તે સિદ્ધ કરવા માટે વિચારવંત વિવેકી પુરુષો સતત પ્રયત્નશીલ રહે છે, વૃત્તિ:-અતીન્દ્રિયાર્થસિતૂર્થ-અતીન્દ્રિય અથ'ની સિદ્ધિને અથે, ધ આદિની સિદ્ધિ અર્થે એમ અર્થ છે, ચાોચિતળામ-યથાલાચિતકારીઓના પ્રેક્ષાવાના, પ્રચાર:-પ્રયાસ, પ્રવૃત્તિ-ઉત્કષ* હોય છે. જીતત્ત્વ-અધિકૃત શુષ્ક તકના, ન ચાૌ-અને નથી હોતા તે અતીન્દ્રિય અથ, નોર ્:-ગોચર, વિષય, ક્વન્નિત્–કવચિત્, કર્યાંય પણ. + " इदं विदंस्तत्त्रमुदारबुद्धिरसद्द्रहं यस्तृणवज्जहाति । જ્ઞાતિ નૈન નેવ ચેષિર્ ગુળાનુક્ષ્મ ચિતં યજ્ઞ:શ્રી: ।। ”—શ્રી અધ્યાત્મસાર, Page #422 -------------------------------------------------------------------------- ________________ (૩૪૬) યોગદસિમુચ્ચય મથે છે. અને એમ કરતાં તેઓને આત્મા–ધર્મ આદિ પદાર્થના અતીન્દ્રિયપણાની વિશેષ પ્રતીતિ થાય છે. તે આ પ્રકારે – ઈદ્રિય” એટલે ઇંદ્ર સંબંધિની. ઇદ્ર એટલે આત્મા જેને સ્વામી છે તે ઇદ્રિય. અથવા જે પોતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિન્દ્રની જેમ સર્વસત્તાધીશ થઈને વતે છે તે ઇંદ્રિય. તેના ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં ઇટ્રિયેને ઈંદ્ર તેનું કંઈ ચાલતું નથી. પિતપોતાની ક્ષેત્રમર્યાદાની બહાર કઈ ઇંદ્રિયની આત્મા સત્તા ચાલતી નથી. જેમકે-આંખ દેખવાનું જ કામ કરી શકે છે, કાન સાંભળવાનું જ કામ કરી શકે છે. આંખથી સંભળાતું નથી, કે કાનથી દેખાતું નથી. આમ પ્રત્યેક ઇંદ્રિયની સત્તા નાના ઠાકરડાની પેઠે પિતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. આવી સર્વ ઇદ્રિયની સત્તાથી જે પર છે, તે ઇન્દ્રિયોને પણ જે ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે, તે “આત્મા” નામથી ઓળખાતી વસ્તુ છે. અત્રે કઈ એમ શંકા કરે કે–આત્મા જેવી કઈ વસ્તુ જ નથી કારણ કે તે દૃષ્ટિમાં આવતું નથી–નજરે ચડતું નથી, તેનું કોઈ પણ રૂપ જણાતું નથી, તેમજ તેને બીજે કઈ પણ અનુભવ થતું નથી. માટે જીવનું સ્વરૂપ છે જ નહિં. અથવા નથી દષ્ટિમાં દેહ જ આત્મા છે, અથવા ઇંદ્રિય-પ્રાણ એ આત્મા છે, આત્મા જુદો આવત’ માનવ એ મિથ્યા છે, કારણ તેનું એંધાણ નથી. વળી જે તે આત્મા હોય તે તે કેમ જણાતું નથી ? જે તે હોય તે ઘટ-પટ વગેરેની જેમ જણાવો જોઈએ, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી. અને તે પછી મોક્ષને ઉપાય પણ મિથ્યા છે-ફેગટ છે. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિં, તેથી ન છવસ્વરૂપ. અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માન, નહિં જૂહું એંધાણ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિં કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. માટે છે નહિં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણે, સમજાવો સદુપાય.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ આમ કઈ દેહાત્મવાદી કે જડવાદી દલીલ કરે તે કેટલી બધી પિકળ છે, એ ઉપર કહેલા ઇંદ્રિયના સ્વરૂપ પરથી સહેજે સમજી શકાય છે. કારણ કે જે દ્રષ્ટિને પણ દ્રષ્ટા Page #423 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાતૃષ્ટિ આત્માદ્ધિ અતીન્દ્રિય અથ આગમગેાચર (૩૪૭) છે, જે રૂપને જાણનારા છે, તેને દૃષ્ટિ કેમ દેખી શકશે વારુ ? સ ઇન્દ્રિયેાથી પર એવા અખાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું સ્વરૂપ છે. પ્રત્યેક ઇંદ્રિયને તા પાતપેાતાના વિષય પૂરતું જ જ્ઞાન હાય છે, પણ આત્માને તેા પાંચે ઇંદ્રિયના વિષયનુ ભાન હેાય છે. દેહ તે આત્માને જાણતા નથી, ઇંદ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદૃ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઇંદ્રિય ને પ્રાણ પાતપેાતાના નિયત કાર્યોંમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યત્રને ચલાવનારા યત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જૂદા જ જાય છે, જૂદા જ તરી આવે છે, જે પ્રગટરૂપ ચૈતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એંધાણ છે—આળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા
Page 258
દેહ સમાન ભાસે છે, પણ તે ખન્ને પ્રગટ લક્ષણુ ઉપરથી ભિન્ન છે,− જેમ અસિ ને મ્યાન' ભિન્ન છે—જૂદા છે તેમ. • જે દ્રષ્ટા છે દ્રષ્ટિના ’ “ જે દૃષ્ટા છે દૃષ્ટિના, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્ત્ત જાણુ. સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એધાણ સદાય. ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે ખન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ,, (જુ) શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કચિત્ પણ પ્રસ્તુત શુષ્ક તર્કના વિષય નથી હતા. સુક્કા, નીરસ, વિત'ડાવાદ જેવા કારાધાકેાડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રયેાજનભૃત, ઇષ્ટ સિદ્ધિને નહિ સાધનારા, અને ઉલટા આત્માને હાનિરૂપખાધારૂપ થઇ વ્યામેહ ઉપજાત્રનારા શુષ્ક તને કયે વિચારવંત આત્માથી પુરુષ સેવે ? આદરે ? કઇ વિચારવાન વિવેકી જીવ તે તેને દૂરથી પણ સ્પર્શે જ નહિ'. Page #424 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮ ) गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ॥ ९९ ॥ પણ અતીન્દ્રિય અર્થ તે, આગમ ગોચર હોય; તેહ થકી તે અની, ઉપલબ્ધિ અહિ જોય; ચંદ્ર-સૂર્ય ગ્રહણાદિત, મળતું આવે જે એવા આગમદર્શીને, હાય નહિં સંદેહ, ૯૯ યોગષ્ટિસમુચ્ચય અર્થ:—પર'તુ તે અતીન્દ્રિય અથ અતીન્દ્રિય અર્થાંની ઉપલબ્ધિ ( જાણપણું ) ગ્રહણુ વગેરેને સંવાદી-મળતા આવતા આગમનું દન થાય છે. વિવેચન પણ ગોચર હેાય તે તે આગમને જ છે. કારણુ કે એવા વિષયનું જાણપણું આગમથી થાય છે. જેમકે આગમ દ્વારા એમ જાણવામાં આવે છે કે અમુક દિવસે, અમુક વખતે અતીન્દ્રિય અથ ચંદ્રગ્રહણ થશે, સૂર્યગ્રહણ થશે, ઇત્યાદિ. અને તે જ આગમવાણી આગમગેાચર પ્રમાણે તેને મળતા આવતા જ સમયે ચંદ્રગ્રણ-સૂર્ય ગ્રહણ (Eclipse) આદિ પ્રત્યક્ષ દેખાય છે. આમ આગમકથનનેા પ્રત્યક્ષ સાથે સવાદ આવે છે, મેળ ખાય છે. એટલે આ સ્થૂલ દૃષ્ટાંત ઉપરથી અતીન્દ્રિય અની વાત એ આગમને વિષય છે, એમ સિદ્ધ થાય છે. જો કે આ ચંદ્રગ્રહણાદિ લૌકિક અથ' છે, એમ ભાવવા ચેાગ્ય છે; છતાં અતીન્દ્રિય હાઇ દૃષ્ટાંતરૂપે અત્રે રજૂ કરેલ છે. ઉક્ત અતીન્દ્રિય અર્થ જો કોઈને અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયાને અગમ્ય આગમને જ ગેાચર હાય છે,-તેના થકી તે થાય છે તેટલા માટે. કારણ કે ચંદ્ર-સૂર્યના જે જે વિષયમાં નિષ્ણાત હેાય તે વિષયમાં તેનું વચન જ પ્રમાણભૂત ગણાય, તે સામાન્ય નિયમ પ્રમાણે અતીન્દ્રિય વિષયમાં અતીન્દ્રિય જ્ઞાની એવા આસ પુરુષ પ્રમાણુભૂત હાઇ, તેનુ જ વચન પ્રમાણુ છે. અને આપ્ત પુરુષનું વચન તેનું નામ જ ‘આગમ’ છે. તેની પ્રત્યક્ષ પ્રતીતિ આપે એવું ગણુનું દૃષ્ટાંત અત્ર આપ્યુ છે. પણ આ તા લૌકિક પદાર્થ છે. પણ અલૌકિક એવા અતીન્દ્રિય આત્મપદાના સંબંધમાં પણ આ આપ્ત જ પ્રમાણભૂત છે. કારણ કે તે યાગીશ્વરે આત્મસ્વરૂપનું સાક્ષાત્ દન કરી તેની પ્રાપ્તિ કરી વૃત્તિ:-નોવસ્તુ-પણ ગાચરતા, મચૈત્ર-આઞમને જ, અતીન્દ્રિય અંતેા આગમને જ ગાચર હોય છે. કાંથી ? તે માટે કહ્યું-તતજ્ઞકુવધિત:-તેના થકી—આગમ થકી તે અતીન્દ્રિય અર્થાંની ઉપલબ્ધિને લીધે. એ જ કહે છે-ચન્દ્રસૂર્યાવાળાહિસંવાથામાંનાત-ચંદ્ર-સૂર્યના ઉપરાગ (ગ્રહણ) આદિને સંવાદી-ખરાખર મળતા આવતા એવા આગમના દČન ઉપરથી. આ લૌકિક અથ છે એમ ભાવવું. Page #425 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : અતીન્દ્રિય અથ સતશ્રાદ્ધ શીલવાન યોગી જાણે (૩૪૯) છે, અને તથારૂપ અનુભવ
Page 259
કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સાક્ષાત્ “પ્રભુ” બન્યા છે. અને જેવું આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથાર્થપણે તેમણે કહી દેખાડયું છે. એટલે આવા આ આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનુભવી પ્રાપ્ત પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, પ્રકૃષ્ટ આપ્ત છે, પરમ વિશ્વાસ કરવા યોગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કઈ સાચા પ્રમાણિક મનુષ્યનો લેકે વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થ માં પણ આ સાચા પ્રમાણિક સપુરુષ વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખવા યંગ્ય છે, “તહત્તિ” કરવા છે. પરમ તત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.”—મેક્ષમાળા પાઠ ૬૭ અને આત પણ તે જ કે જેના દેષ* ને આવરણ કન્યા હોય. જેના રાગ-દ્વેષમહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ “આપ્ત” હવા યોગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન આત કણ?અસત્ય પણ હોય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિ. અને રાગ દ્વેષ-મહાદિ હોય છે તેથી પણ અસત્ય વદવાનો પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હોઈ વિશ્વાસપાત્ર હોય-આપ્યું હોય. એટલે જે કંઈ સર્વજ્ઞ વીતરાગ હોય તે જ આપ્ત છે, ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હોઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. ઉપસંહાર કરતાં કહે છે – एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानर्था स्तथा चाह महामतिः ॥ १०॥ વૃત્તિ -ઇતત્પધાન –આ આગમપ્રધાન, સદ્નાર્દો:-સત શ્રાદ્ધ, સશ્રદ્ધાવંત પ્રાજ્ઞ, શરવાન–શીલવાન, પરદ્રોહથી વિરતિમાન, યોગતત્વ:–ગતત્પર. સદા તેમાં અભિયુક્ત-તત્પર, એવા પ્રકારનો હોઈ, નાનાચતથિનર્થોન-અતીન્દ્રિય અર્થોને, ધર્માદિને જાણે છે, તથા જાદુ મહામત્તિ –અને તેવા પ્રકારે મહામતિએ-પતંજલિએ કહ્યું છે – * "दोषावरणया निनिःशेषास्त्यतिशायनात् । જાથિથા હેતુઓ વક્રિાન્તર્મક્ષચઃ ” –શ્રી સમંતભદ્રાચાર્યજીકૃત આસમીમાંસા, Page #426 -------------------------------------------------------------------------- ________________ (૩૫૦) ગદષ્ટિસમુચ્ચય શ્રુતપ્રધાન સતશ્રાદ્ધ ને ગપર શીલવાન; અર્થ અતીન્દ્રિય જાણત-કહે મહામતિમાન:- ૧૦૦ અર્થ –આ આગમપ્રધાન, સતુશ્રાદ્ધ (સતશ્રદ્ધાવંત), શીલવાન એ ગતત્પર પુરુષ, અતીન્દ્રિય અર્થોને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિએ (પતંજલિએ) કહ્યું છે – વિવેચન આ આગમપ્રધાન એટલે કે આગમ જેને મન પ્રધાન–મુખ્ય છે, એ સતશ્રાદ્ધ શીલવાન ને યોગતત્પર થઈ અતીન્દ્રિય અને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે. ઉપરમાં અતીન્દ્રિય વિષયમાં પ્રમાણભૂત અતીદ્રિય અર્થો એવું જે આગમ અર્થાત્ આપ્તવચન કહ્યું, તે જેને મન પ્રધાન છે, મુખ્ય કેણુ જાણે છે, સર્વોપરિ છે, એવો પુરુષ સશ્રાદ્ધ અથવા સતુશ્રદ્ધાવંત કહેવાય છે. એ સહ્યાદ્ધ શીલવાનું થાય છે એટલે કે પરદ્રોહથી વિરામ પામે છે, અને યોગસાધનામાં તત્પર રહી ધર્મ–આત્મા આદિ અતીન્દ્રિય અને જાણે છે. આગલા લેકમાં અતીન્દ્રિય વિષયની બાબતમાં ગ્રહણના દષ્ટાંત ઉપરથી આગમનું– આપ્ત વચનનું પ્રમાણભૂતપણું બતાવ્યું. આવું આગમવચન જેને મન પ્રધાન છે, તે આજ્ઞા પ્રધાન પુરુષ સત્ શ્રાદ્ધ કહેવાય છે. કારણ કે તે સત્ વચન પ્રત્યે આજ્ઞાપ્રધાન સત્ શ્રદ્ધા-દઢ વિશ્વાસ-સ્થિર આસ્થા ધરાવે છે, અને સર્વત્ર સતશ્રાદ્ધ પુરુષના વચનને આગળ કરી પ્રવર્તાવાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે. આમ આત્મકલ્યાણને ઈચ્છનાર મુમુક્ષુએ સૌથી પ્રથમ “આજ્ઞાપ્રધાન થવું જોઈએ, કારણ કે “આજ્ઞાથી ધર્મ અને આજ્ઞાથી તપ _એમ શાસ્ત્રવચન છે. સપુરુષની આજ્ઞા વિનાની આ જીવની દાન-તપ-શીલ આદિ ક્રિયા પણ જીવને બાધક થઈ ઉલટી ભવઉપાધિ કરે છે, માટે અત્રે શાસ્ત્રકાર મહર્ષિએ આજ્ઞાપ્રધાનપણા ગુણને સૌથી પ્રથમ મૂક્યો છે. આ આજ્ઞાપ્રધાન હોય તે જ “સત્ શ્રાદ્ધ ’–સત્ શ્રદ્ધાળુ થઈ શકે છે. પ્રભુ
Page 260
આણુ ભકતે લીન, તિણે દેવચંદ્ર પદ કીન.” આણે રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીધ્ર વરીજે.”—શ્રી દેવચંદ્રજી. આ જે સહ્યાદ્ધ હોય છે તે પછી યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે ચાલવા તત્પર બને છે. અને આગમની મુખ્ય આજ્ઞા તે “શીલ” સેવવાની છે. “શીલ” એટલે આત્મસ્વભાવ; પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરવાથી–વ્યભિચાર કરવાથી શીલસેવન તે શીલને ભંગ થાય છે, માટે પરભાવ-વિભાવ પ્રત્યે વ્યભિચારથી શીલ ભંગ ન કરતાં, આત્મસ્વભાવમાં રહી “શીલ” પાળવું એવી મુખ્ય શાસ્ત્ર આજ્ઞા છે. અને તેવા શીલન પાલન માટે અહિંસા-સત્ય આદિ પંચ શીલ પરમ Page #427 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : તવ માસિના આગમાદિ ત્રિવિધ ઉપાય (૩૫૧ ) ઉપકારી છે, માટે તેનું પાલન કરવું એવી શાસ્રઆજ્ઞા છે. આ આજ્ઞાને અનુસરીને સત્શ્રાદ્ધ મુમુક્ષુ પુરુષ યથાશક્તિ અહિંસા-સત્યાદિ શીલના પાલનમાં તત્પર બને છે, અને જેમ બને તેમ પરભાવ-વિભાવના ત્યાગ કરી આત્મસ્વભાવમાં રહેવા પ્રયત્નશીલ અને છે. આમ તે શીલવાન' હાય છે. અને આમ જે સશ્રાદ્ધ શીલવાન—સંચમી હેાય છે, તે પછી ચેગને અધિકારી બની ચેાગતત્પર હોય છે, આત્મસ્વભાવ સાથે યુજનરૂપ યોગને સાધવા પ્રવર્તે છે. અને તેમ યેાગતત્પર થતાં તેને દિવ્ય ચેાગીજ્ઞાનની પ્રાપ્તિથી અતીન્દ્રિય અર્થાંનું જ્ઞાન થાય છે, સાક્ષાત્કાર થાય છે. શું? તે કે— आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्रमुत्तमम् ॥ १०१ ॥ આગમથી અનુમાનથી, ચાગાભ્યાસ રસે ય; પ્રજ્ઞા ત્રિવિધે યાજતાં, ઉત્તમ તત્ત્વ લહે ય. ૧૦૧ અ:—ભગમથી, અનુમાનથી અને ચેાગાભ્યાસના રસથી,-એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પતાં–પ્રયેાજતાં ઉત્તમ તત્ત્વને પામે છે, વિવેચન મુનિ પત'જલિ કહે છે કે- ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રયેાજતાં થાય છેઃ (૧) આગમથી, (૨) અનુમાનથી, અને (૩) યેાગાભ્યાસના રસથી.’ પ્રજ્ઞાનેબુદ્ધિને આગમમાં યાજવાથી, આપ્ત પુરુષના વચનમાં જોડવાથી ઉત્તમ ઉત્તમ તત્ત્વ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અનુમાન એટલે લિંગ ઉપરથી લિંગીનુ પ્રાપ્તિ ત્રણ જ્ઞાન, તેમાં પણ પ્રજ્ઞાને પ્રયાજતાં ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અને પ્રકારે ચેાગાભ્યાસ એટલે વિહિત અનુષ્ઠાનના અભ્યાસરસમાં પણ પ્રજ્ઞાને પ્રત્યેાજિત કરતાં ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આમ ત્રણ પ્રકારે આગમથી, અનુમાનથી અને યેાગાભ્યાસરસથી,-એ ઉક્ત અનુક્રમે જ પ્રજ્ઞાને પ્રયાજતાં વૃત્તિ:—બાળમેન-આગમથી, આપ્તવચનરૂપ લક્ષણુવાળા માગમથી, અનુમાનેન-મનુમાનથી, લિંગ ઉપરથી લિંગીના જ્ઞાનરૂપ અનુમાનથી, ચેળાસલેન 7-અને યાગાભ્યાસના રસથી, વિહિત અનુષ્ઠાનરૂપ યેાગાભ્યાસના રસથી, ત્રિધા યન્ત્રજ્ઞા ત્રણ પ્રકારે પ્રજ્ઞામે પ્રકલ્પતા, ઉક્ત મે જ, કાણુ કે અન્યથા તે પ્રવૃત્તિની અસિદ્ધિ છે, તેથી કરીને. તે। શું ? તે કે–મતે તત્રમુત્તમમ્–ઉત્તમ તત્ત્વ પામે છે,–પાપસમાહની નિવૃત્તિને લીધે શ્રુતાદિ ભેદે કરીને. Page #428 -------------------------------------------------------------------------- ________________ (૩૫૨) યોગદષ્ટિ સમુચ્ચય ઉત્તમ તત્વને પામે છે, એટલે કે પાપ-સંમેહની નિવૃત્તિ થકી કૃતાદિના ભેદે કરીને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ૧. અત્રે તસ્વપ્રાપ્તિને સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દર્શન જેણે કર્યું છે એવા આત્માનુભવી પુરુષનું વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવત તત્વષ્ટાના વચનામૃતમાં બુદ્ધિને જવાથી અર્થાત્ સપુરુષના વચનની બુદ્ધિપૂર્વક–સમજણપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ જરૂર થાય. ૨. તત્ત્વપ્રાપ્તિને બીજો ઉપાય અનુમાન અર્થાત્ સન્યાયસંપન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાન પ્રયોગ કરવાથી અર્થાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસોટીમાંથી પાર ઉતરતાં તત્વની અત્યંત દઢતા થાય છે, સન્મતિતર્કનું યથાયોગ્ય સમાધાન થતાં તત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસંપન્ન હોવો જોઈએ. જેમ ન્યાયમૂત્તિ નિષ્પક્ષપાતપણે–નિરાગ્રહપણે-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તેલ, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વને તેલ કરી, સન્યાયસંપન યુક્તિયુક્ત પક્ષને જ મુક્ત કંઠે સ્વીકાર કરવો જોઈએ,–જેમ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હરિ ભદ્રસૂરિજીએ કહી દેખાડ્યું છે ને કરી
Page 261
દેખાડયું છે તેમ; અથવા મેક્ષમાળા નામક મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યું છે તેમ. “પક્ષપાતો ન કે વીરે : પિરારિપુ. ગુવતમવનં યા તા થાઃ પરિપ્રદ્દઃ ”શ્રી હરિભદ્રાચાર્યજી. તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હોવો જોઈએ, પણ અવિરુદ્ધ હોવો જોઈએ, આગમને અનુકૂળ હવે જોઈએ. કારણ આગમ એ સાક્ષાત્ તત્વષ્ટા પુરુષનું વચન હેઈ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાન કરવામાં બાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર બાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે. ૩. તથા તત્ત્વપ્રાપ્તિનો ત્રીજો ઉપાય ચોગાભ્યાસ રસ છે. સતશાસ્ત્રમાં જે યોગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે યોગસાધન અર્થાત્ ધર્મવ્યાપાર વિધાન બતાવ્યા છે, તેના પુનઃ પુનઃ આસેવનરૂપ અભ્યાસમાં રસ લઈ મતિ જેડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિર્મલ બને છે, તેથી તત્ત્વના ચમત્કાર તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે “રસ’ શબ્દથી યોગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચવ્યું છે. આ ગાભ્યાસનું સ્થાન અત્રે Page #429 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ સત્તામાં ભેદ નથી, છતાં અતિભકતોને મેહ! (૩૫૩) ત્રીજું મૂકયું છે, તેનું કારણ આ ગાભ્યાસ શાઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હો જોઈએ; તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એ હો જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હોવું જોઈએ. આમ તત્ત્વપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનું ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણું છે. પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનું, અને પછી ગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હોય તો જ પાછલું શોભે છે. માટે મુમુક્ષુ આગમવચનને દઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક બરાબર સમજીને, તદનુસાર જે રસપૂર્વક યોગાભ્યાસ કરે તો તેને અવશ્ય ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય, એમ તાત્પર્ય છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ, આ અનુક્રમે ત્રણે મળે, તે તત્ત્વકાર્યની સિદ્ધિ સાંપડે. । इति अतींद्रियार्थसिद्धयुपायाधिकारः । UR સર્વજ્ઞ તત્ત્વ અભેદ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર * આ જ અર્થ કહે છે न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्देदाश्रयणं ततः ॥१०२॥ સર્વ બહુ તરવથી, નથી ભિન્ન મતવાસ; ભેદ માનવે મોહ છે, અતિભક્તોને તાસ, ૧૦૨ અર્થ –કારણ કે ઘણું સર્વ તત્વથી ભિન્ન મતવાળા નથી, તેથી કરીને તેના ભેદને આશ્રય કરે તે તેના અતિભક્તોન-દાસને મેહ છે. વૃત્તિ – ૪ તત્વતઃ– તરવથી, પરમાર્થથી, મિત્તમતા -ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, કઈ વાવો –કારણ કે બહુ સર્વજ્ઞો, નોરતાધિમુત્તરીનાં-મેહ છે તેના અતિભક્તોનો. સવતિય શ્રાદ્ધને, તાળ-તેના ભેદને આશ્રણ કરો તે, સર્વના ભેદનું અંગીકરણ, તત્ત:તેથી કરીને. * આ દીપ્રાદષ્ટિનું વર્ણન અનેક હૃદયંગમ શાસ્ત્રીય ચર્ચાવાળું ઘણું લાંબુ હોઈ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અથે અત્રે આ મુખ્ય અધિકારો અને તેના અંતરાધિકારોના વિભાગની રોજના મેં પ્રયોજી છે. –ભગવાનદાસ, Page #430 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) યોગદષ્ટિસમુચ્ચય વિવેચન “નહિં સર્વ જજઆજી, તેહના વળી દાસ.”—. ૬. સજઝા. ૪-૧૪. ઉપરમાં આગમની અથવા શાસ્ત્રની પ્રધાનતા અને તેની શ્રદ્ધા પર ખાસ ભાર મૂકે, તે પછી ક્યા શાસ્ત્રની શ્રદ્ધા કરવી ? કારણ કે શાનું પણ ભિન્નપણું છે, એમ સ્વાભાવિક પ્રશ્ન ઉઠવાને સંભવ છે. તેને અત્રે ઉત્તર આપ્યો છે કે તત્વથી ધર્મવાદની અપેક્ષાએ જોઈએ તે શાસ્ત્રને ભેદ પણ નથી, કારણ કે તેના શાસ્તામાં ભેદ નથી. પણ સ્કૂલબુદ્ધિ જનેને તેના ભેદનું અભિમાન થાય છે, તે તે તે તે નયની અપેક્ષાએ દેશનાભેદને લીધે જ છે. આમ તે તે ધર્મ-શાસ્ત્રના પ્રણેતા જે સર્વજ્ઞ ભેદ અનેક સર્વજ્ઞ છે, તે તત્વથી–પરમાર્થથી વિચારતાં કાંઈ ભિન્ન મતવાળા, કલપના અતિ ભિન્ન અભિપ્રાયવાળા નથી, તેમાં કોઈ પણ જાતને
Page 262
મતભેદ કિવા ભકતને મેહ અભિપ્રાયભેદ નથી. એટલા માટે તે તે સર્વને ભજનારા જે સર્વજ્ઞ ભક્તો છે, શ્રદ્ધાળુ શ્રાદ્ધજને છે, તે સર્વમાં કઈ પણ પ્રકારના મતભેદને અવકાશ રહેતું નથી. છતાં પણ તે તે સર્વજ્ઞના કેઈ અતિભક્તિ-અતિશ્રદ્ધાળુઓ જે તે સર્વમાં ભેદની કલ્પના કરે, ભિન્નતા-જૂદાઈ માને, તે તે કેવલ તે અતિભકતોને મેહ જ-અજ્ઞાન જ છે, એમ કહેવું પડશે. કારણ કે તેઓ ભક્તિના અતિરેકમાં ને શ્રદ્ધાની અધતામાં ધર્મઝનૂનના આવેશથી વિવેક ભૂલી જઈ તેવા પ્રકારે મિથ્યા કલ્પના કરે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તે અનંત સર્વજ્ઞો પણ એક અભિન્ન સ્વરૂપ છે. માટે તેમાં ભિન્નતા* કલ્પવી તે માત્ર મહિને વિલાસ છે, કેવલ બ્રાંતિ જ છે. માટે જે આરાધ્ય–ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી, તે પછી આરાધક એવા સર્વજ્ઞભક્તોમાં પણ કઈ ભેદ હવે ઘટતો નથી. પિતાના આરાધ્ય-પૂજ્ય પુરુષને સર્વજ્ઞ ને સત્કૃષ્ટ માનવાને માનવસ્વભાવ છે, માનવસુલભ નબળાઈ છે. એટલે પિતે માનેલા સર્વજ્ઞનું સ્થાન બીજા બધાથી ચઢીયાતું છે એમ સાબિત કરવા ઇચ્છતે તે તેનું ભિન્નપણું કલ્પવાને સહેજે લલચાય છે, અને પોતાના ઈષ્ટ દેવ પ્રત્યેના દૃષ્ટિરાગથી અંધ થઈ તથા પ્રકારે ભિન્ન કલ્પનાનો આગ્રહ કરે છે. આ દષ્ટિરાગમાંથી શ્રદ્ધા-ભક્તિના અતિરેકને લીધે વધારે પડતા ઉત્સાહી અતિભક્તોને આંધળું ધાર્મિક ઝનૂન પ્રગટે છે; અને તેથી ધર્મને નામે નાના પ્રકારના ઝઘડા ઉત્પન્ન થાય છે. આમ આ ભેદક૯૫ના અનિષ્ટપરંપરાનું મૂલ થઈ પડે છે. અભિનંદન જિન દરિશણ તરસિએ, દરિશણુ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછિયે, સૌ થાપે અહમેવ.” –શ્રી આનંદઘનજી. તરત બ્રમે ન શાખામેરા મોત્તષિમુવતીનાં તાકથi તરઃ | શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વા. ર૩-૧૪ Page #431 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : પારમાર્થિક સર્વજ્ઞ વ્યકિતભેદ છતાં એક જ (૩૫૫) કેવી રીતે ? તે માટે કહે છે – सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्वतः ॥ १०३ ॥ સર્વજ્ઞ નામે જેહ કે, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદે પણ તત્ત્વથી, તે એક જ સર્વત્ર. ૧૦૩ અર્થ “સર્વજ્ઞ” નામને જે કઈ પારમાર્થિક જ એવે છે, તે વ્યક્તિભેદ છતાં, તત્વથી સર્વત્ર એક જ છે. વિવેચન ઉપરમાં કહ્યું કે સર્વજ્ઞોમાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે –“સર્વજ્ઞ” નામથી ઓળખાતે જે કોઈ પણ પારમાર્થિક જ, સાચેસાચે, નિરુપચરિત સર્વજ્ઞ હોય, તે વ્યક્તિભેદ છતાં તત્વથી સર્વત્ર એક જ છે. વ્યકિતભેદ છતાં તે સાચા પારમાર્થિક સર્વજ્ઞને ભલે પછી અહંત, જિન, બુદ્ધ, શિવ, સર્વજ્ઞ અભેદ શંકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યું હોય, છતાં તત્વથી સર્વજ્ઞપણાએ કરીને તે સર્વત્ર એક જ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હોય, તો પણ પારમાર્થિક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઈએ તે તે તત્વથી જાતિની અપેક્ષાએ સર્વ સ્થળે એક જ છે, તેમાં ભેદને અવકાશ છેજ નહિં. " मुक्तो बुद्धोऽहन्वापि यदैश्वर्येण समन्वितः ।। તીરઃ સ વ ચારસંન્નામેવોડત્ર દેવમ્ I” –શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી યોગબિન્દુ, “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન...લલના, જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન.લલના. શ્રી સુપાતજિન વંદીએ.” –શ્રી આનંદઘનજી. નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે હોય, પણ સાચું પરમાર્થ સત્ સર્વાપણું હોય, તો અનંત સર્વજ્ઞ પણ એક સ્વરૂપ છે. આમ અનંત કેવલજ્ઞાનીના પણ કૃત્તિ–સર્વજ્ઞો નામ : - સર્વજ્ઞ નામે જે કોઈ અહંત આદિ પરમાર્થિw ga દિ–પારમાર્થિક જ છે, નિરુ૫ચરિતજ છે, સ g gવ સર્વત્ર-તે સર્વત્ર એકજ છે –સપણે થકી, નિમેટેડ ૧ વર-વ્યકિતભેદ છતાં -તત્વથી, ઋષભાદરૂપ વ્યક્તિભેદ છતાં Page #432 -------------------------------------------------------------------------- ________________ (૩૫૬) ગદષ્ટિસમુચય કેવલજ્ઞાનસ્વરૂપમાં ભેદ નથી, કારણકે કેવલજ્ઞાની
Page 263
સર્વજ્ઞ સર્વ કાંઈ જાણે છે. તેના અસંખ્ય પ્રદેશાત્મક આત્મક્ષેત્રમાં અનંત પર્યાયનું સ્થાન છે, અને તેની અશેષ–સંપૂર્ણ જ્ઞાયક શક્તિ પૂર્ણ કક્ષાએ પ્રગટી છે, તેથી તે સર્વ કાંઈ વિશેષ જાણે છે, સર્વ પ્રમેયપ્રમાણ તેનું કેવલજ્ઞાન હોય છે. “ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણુગ શક્તિ અશેષ, તેહથી જાણેરે કાંઈ સકલ વિશેષ રે.... જિગંદા તેરા નામથી મન ભીને. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણુ પહાણ તિણે કેવલનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે....જિમુંદા.” –શ્રી દેવચંદ્રજી. प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ १०४ ॥ તેથી પ્રતિપત્તિ તેહની, જેહની સામાન્ય જ; તે સર્વ આશ્રિત તેહને, પરા ન્યાયગતિ એ જ, ૧૪. અર્થ –તેથી કરીને તે મુખ્ય સર્વજ્ઞની જેટલાઓને સામાન્યથી જ પ્રતિપતિ (માન્યતા ) છે, તે સર્વેય તેને આશ્રિત છે, એમ પરા ન્યાયગતિ છે. વિવેચન આમ વ્યક્તિભેદ છતાં સર્વજ્ઞ એક જ છે, તેથી કરીને આ સર્વજ્ઞને સામાન્યથી જ જેટલા સ્વીકાર કરતા હોય, તે સર્વે તે સર્વને જ આપન્ન છે, આશ્રિત છે, એવી ચાયની પરા ગતિ છે. કારણ કે જેમ મનુષ્ય લક્ષણ જેના જેનામાં હોય, મુખ્ય સર્વજ્ઞને તેને તેને સામાન્યથી જ “મનુષ્ય” તરીકે સ્વીકાર કરે એ ન્યાયની ભક્ત અભેદ પદ્ધતિ છે; તેમ સર્વજ્ઞનું લક્ષણ જેના જેનામાં હોય, તેને તેને સામા ન્યથી “સર્વજ્ઞ” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની રીતિ છે. અને આમ જેટલા જેટલા ભિન્ન ભિન્ન મતવાદીઓ-દાર્શનિકે સામાન્યપણથી જ તે સર્વજ્ઞને સ્વીકાર કરતા હોય, માન્યતા ધરાવતા હોય, તે સર્વેય મુખ્યજ-પારમાર્થિક જ એવા તે - વૃત્ત – પ્રતિપત્તિઃ તતઃ– તેથી કરીને પ્રતિપત્તિ, તરંથ-તેની, સર્વજીની, સામાન્ચનૈવ સામાન્યથી જ, જીલાની, જેટલા તંત્રાન્તરીની (અન્ય અન્ય દેશની એની) પણ, તે સર્વેકવિ-તે સય. તમન્ન-તે મુખ્ય સર્વગ્નને જ આપન્ન-આશ્રિત છે, હૃત્તિ ચાયત્તિ: - એવી પરા નાયગતિ છે,–તે શિવાય તેની પ્રતિષત્તિની અસિદ્ધિ છે માટે. Page #433 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સામાન્યથી સવજ્ઞને માનનારા અભેદ (૩૫૭) એક સર્વજ્ઞને જ માન્ય કરે છે, માને છે, એમ ન્યાયથી સાબિત થાય છે. માટે સર્વજ્ઞને માનનારા જુદા જુદા દર્શનવાદીઓ પણ સર્વ કઈ એક સ્વરૂપ જ છે, અભેદ સ્વરૂપ જ છે. આમ સર્વજ્ઞને ભજનારા ભક્તોમાં પણ ભેદ હોવો સંભવતો જ નથી. विशेषस्तु पुनस्तस्य कात्स्न्ये नासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ અસર્વદર્શી સર્વને, વિશેષ પણ તેને ય; પૂર્ણ જણાય ન-તે થકી, તેને પ્રાપ્ત ન કેય, ૧૦૫ અર્થ-અને તે સર્વજ્ઞ વિશેષ-ભેદ તે સંપૂર્ણપણે સર્વ અસર્વદશી"એને જાણવામાં આવતા નથી, તેથી કરીને તે સર્વને પ્રાપ્ત થયેલે એવો કઈ (અસર્વદશી) છે નહિ. વિવેચન ઉપરમાં સામાન્યથી સર્વજ્ઞનું એકપણું કહ્યું. હવે કોઈ કહેશે કે વિશેષથી તેમાં ભેદ હશે. તેને ઉત્તર અત્રે કહે છે તે સર્વજ્ઞ વિશેષ–ભેદ તો અસર્વદશી એવા સર્વ પ્રમાતૃઓને જાણવામાં સંપૂર્ણપણે આવી શકતો નથી. કારણ કે તે પોતે અસર્વદર્શી અસર્વદર્શી અસર્વજ્ઞ હોવાથી, તેનું સર્વ દર્શન તેઓને થતું નથી, વિશેષ સંપૂર્ણ એટલે તે સર્વજ્ઞના વિશેષનું-ભેદનું જ્ઞાન તેઓને કેમ થઈ શકે? અને કેમ જાણે? સામાન્ય એવું દર્શન થતું હોય તે પણ વિશેષ એવા તેના જ્ઞાનમાં તેઓની ગતિ હોતી નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ ચિંતવનારા સર્વ અસર્વદશીને તેના સંપૂર્ણ વિશેષ સ્વરૂપનું ભાન થવું સંભવતું નથી. કારણ કે સંપૂર્ણને સંપૂર્ણ ને ખ્યાલ આવી શકે, પણ અપૂર્ણને સંપૂર્ણને ખ્યાલ કેમ આવી શકે? એટલે તે તે દર્શન પ્રમાણે આ સર્વજ્ઞ સંબંધી જે ભેદ કલ્પના કરવામાં આવે છે, તે પણ નિરર્થક છે. જેમકેશવ લોકો તેને અનાદિશુદ્ધ ને સર્વગત કહે છે, જેને સાદિ ને અસર્વગત કહે
Page 264
છે, બૌદ્ધો પ્રતિક્ષણ ભંગુર કહે છે, ઈત્યાદિ જે ભેટ કપાય છે તે નકામે છે. કારણ કે-(૧) તેના વિશેષનું પરિજ્ઞાન એટલે કે સર્વથા સર્વ પ્રકારે જ્ઞાન છદ્મસ્થને થઈ શકતું નથી. (૨) યુક્તિઓના જાતિવાદને લીધે પ્રાયે વિરોધ હોય છે, વૃત્તિઃ—વિરોષતુ-વિશેષ તો, ભેદ તે પુન-વળી, તસ્ય-તે સર્વાન, ચૈન-કાર્યથી, સંપૂર્ણપણે અર્વશિમિડ-અસદશ પ્રમાતૃઓથી સર્વે-સર્વથી, ન જ્ઞાનથી જાણવામાં આવતે - તેના આદર્શનને લીધે દર્શન સતે પણ તેના જ્ઞાનની અગતિને લીધે, દર્શન હોય તો પણ તેના જ્ઞાન પ્રત્યે ગતિ હોતી નથી તેથી કરીને, તેન-તે કારણથી, તં-તે સર્વને, આઘન્ન-પ્રતિપન, પ્રાપ્ત થયેલે, ન 7કોઈ અસર્વદશ નથી. Page #434 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮) ગદષ્ટિસમુચય એટલે અનુમાનરૂપ યુક્તિઓના પરસ્પર વિરુદ્ધપણાથી એક બીજાનું ખંડન કરે છે. સાંખ્ય ને શૈવ બૌદ્ધનું ખંડન કરે છે, તે બૌદ્ધ સાંખ્ય ને શિવનું પ્રતિખંડન કરે છે. આમ ખંડનમંડન પરંપરા ચાલ્યા કરે છે, ને આ પ્રશ્નને નિવેડો કઈ રીતે આવતું નથી, અને ઘાણીને બેલ જ્યાંને ત્યાં પડ્યો રહે છે ! (૩) અને ભાવથી ફલનો અભેદ છે. એટલે કે પરમાર્થથી ફળમાં ભેદ પડતું નથી.૪ કારણ કે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ ગમે તે હો, પણ તે ગુણપ્રકરૂપ સર્વજ્ઞની આરાધનાનું સાધ્ય ફળ તે એક જ છે, અને તે કલેક્ષયરૂપ મેક્ષફલ છે. એટલે તે સર્વજ્ઞ ભગવાન પ્રત્યેના બહુમાનનું જ ફલદાયકપણું હેવાથી જે કઈ પણ તે સર્વજ્ઞની સાચા ભાવથી ભક્તિ કરશે તેને જ તે ફળ મળશે, માટે તે સર્વજ્ઞના વિશેષ સ્વરૂપ સંબંધી મિથ્યા વાદવિવાદ શો? નકામે ઝગડો શો? આમ વિશેષથી તે સર્વજ્ઞને પ્રતિપન્ન થયેલે-પામેલ એ કોઈ પણ અસર્વદશી છે નહિ, તે પછી સર્વજ્ઞમાં ભેદ છે એમ કેણ દેખી–જાણી શકે વારુ ? માટે તેની એકતા જે સિદ્ધ છે તે માન્ય કરી, વિશેષની વાત હાલી જતી કરવી, એ જ સર્વ અસર્વ દશી છઘસ્થાને સાંપ્રત ને શ્રેયસ્કર છે, અને પરમાર્થથી આત્માથી મુમુક્ષુ જોગીજનને તેમજ કરવું ઉચિત છે. तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि ।। निजि तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६ ॥ (તેથી) સામાન્યથી પણ એહને, માને અદંભ જે; તે અંશે જ ધીમંતને, તુલ્ય જ હોયે તેહ, ૧૦૬ અર્થ:–તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે નિર્ચાજપ-સાચેસાચી રીતે માન્ય કરે છે, તે તેટલા અંશે કરીને જ મતિમ તેને મન તુલ્ય જ-સરખે જ છે. વિવેચન તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે કંઈ પણ માને છે, સ્વીકારે છે, તે તે ત્તિ:-તwારસામાચરોડબેન–તેથી કરીને સામાન્યથી પણ આ સત્તને, અમ્યુપૈતિ ચ શ્વ દિ-જે કોઈ અસવંદશી માન્ય કરે છે, નિર્ચાન-નિવ્યાજ પણે (સાચેસાચી રીતે), ઔચિત્ય યુગથી તેણે કહેલના પાલનમાં તત્પર થઈને, તુરક વાતૌ-તે લયજ છે. તેનાંશન-તે સર્વ પ્રતિપત્તિ લક્ષણ અંશથી, ધીનતામ-ધીમે તેને, અનુપડત બુદ્ધિવંતને, એમ અર્થ છે. x “अनादिशुद्ध इत्या दिर्यश्च भेदोऽस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सेोऽपि निरर्थकः ।। विशेषस्यापरिज्ञानाद्यक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધ જામેલા% માવતઃ ”—શ્રી હરિભદ્રસૂરિછકૃત શ્રી યોગબિન્દુ, Page #435 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : રાજસેવકવત સવભક્તો અભેદ (૩૫૯) માન્યતા પૂરતા અંશથી ધીમોને મન સરખા જ છે. એટલે કે નિર્ચાજપણે, નિદભાણે, નિષ્કપટપણે, સાચેસાચી રીતે તે સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં યથોચિતપણે તત્પર થઈ, તેને જે કઈ માન્ય કરે છે, તે સર્વજ્ઞ માન્યતારૂપ સામાન્ય અંશે કરીને બુદ્ધિમાન પ્રાજ્ઞજનોને મન તુલ્ય જ છે, સમાન જ છે,–પછી તે ભલે ગમે તે મતને, સંપ્રદાયને કે દર્શનને અનુયાયી હોય. અને સર્વજ્ઞને માનવું, એટલે નિષ્કપટ, નિર્દભપણે તેની ભાખેલી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર રહેવું, એમ અર્થ સ્પષ્ટ કર્યો છે. કારણ કે મુખેથી માન્યપણે કહીએ, પણ આજ્ઞા આરાધન ન કરીએ, તે તે માન્યપણાની મશ્કરી વા વિડબના
Page 265
કરવા બરાબર છે ! એ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું !”—એના જેવો ઘાટ થયે ! માટે અહિંસા, સત્ય આદિના પાલન સંબંધી એની આજ્ઞાનું પાલનમાં સદા ઉઘુક્ત રહેવું, એજ એ સર્વજ્ઞ ભગનાનની આરાધનાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને તેવા પ્રકારે શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં કહ્યું છે + “સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતિ કરતાં. સહેજે નાથ નિવાજે. સેવા સાર રે જિનની મન સચે”—શ્રી દેવચંદ્રજી. તાત્પર્ય કે-જે કોઈપણ સર્વજ્ઞ તત્વને, સ્વીકારી, નિદભપણે-નિષ્કપટપણે, સાચા ભાવથી તેની આજ્ઞાના આરાધનમાં તત્પર હોય છે, તે સર્વ તેટલી માન્યતા પૂરતા સમાન અંશથીઝ તુલ્ય જ છે, સમાન જ છે. ચાહે તે જૈન હોય કે અજૈન સર્વ ભક્તોને હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હોય, સાંખ્ય અભેદ હોય કે નૈયાયિક હોય, વેદાંતી હોય કે સિદ્ધાંતી હોય, ઈસ્લામી હોય કે ઇસાઈ હોય, ગમે તે મત સંપ્રદાયને અનુસખ્ત હોય, પણ જે તે સર્વશને (omniscient) માનતો હોય તો તે એકરૂપ-અભેદરૂપ જ છે. આમ સર્વને સામાન્ય એવી સર્વજ્ઞ માન્યતા જગતના સમસ્ત સંપ્રદાયનું એક અનુપમ મિલનસ્થાન છે, માટે એક અભેદસ્વરૂપ સર્વજ્ઞને માનનારા સેવક ભક્તજનમાં કોઈ પણ ભેદ ઘટતો નથી, એમ સિદ્ધ થયું. આ જ અર્થ નિદર્શનગર્ભપણે કહે છે – + “વસ્થ રાનાધનોવાયઃ સાચ્ચાસ વ . यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।।" x"सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामल्या धिया । निर्व्याजं तुल्यता भाव्या सर्वतंत्रेषु योगिनाम् || २३-१७ Page #436 -------------------------------------------------------------------------- ________________ (૩૬૦) યોગદષ્ટિસમુચ્ચય यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दुरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥ १०७ ॥ જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય; દૂર-નિકટ ભેદેય તે, તસ સેવક સઘળાય. ૧૦૭ અર્થ –જેમ કેઇ એક રાજાના ઘણાય આશ્રિતે હોય, પણ દૂર-નિકટ આદિને ભેદ છતાં, તેઓ સર્વેય તેના ભૂ-સેવકો છે; વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સર્વજ્ઞભક્તોનું અભેદપણું ઘટાવ્યું, તેનું અહીં લેકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યું છે-જેમ કેઈ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષ હોય તે આશ્રિતમાં કોઈ રાજાની નિકટનો સેવક હોય, કે દૂરને હોય, કે પ્રધાન હોય, તે કઈ મંત્રી હોય કે સરદાર હોય તે કઈ સીપાઈ હોય; કેઈ કારકુન હોય, તે કઈ પટાવાળા હોય. ઈત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાને ભેદ હોય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષ તે એક જ રાજાના ભૃત્યો તે છે જ, સેવકો તો છે જ. તેઓના મૃત્યપણામાં–સેવકપણામાં કાંઈ ભેદ પડતું નથી. કોઈને હોદ્દો ઊંચો તે કેઈને નીચે, પણ તે બધાયની ગણત્રી ભૃત્યવર્ગમાં જ–દાસવર્ગમાં જ થાય છે. તે સર્વ એક વર્ગ તરીકે રાજસેવક (Government Servant) કહેવાય છે. દષ્ટ'તિક જન કહે છે– सर्वज्ञतत्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥ રિચર્થવૈજલ્થ વૃત્તેિ-જેમ કોઈ એક વિવક્ષિત રાજાના, વાડપિ મિશ્રિતા-ઘણાય સમાશ્રિત પુર, તૂરાન્નાહમે રેડરિ-દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિગ ભેદ (નીમણુંકને ભેદ) કરવામાં આવ્યું પણ, તદ્દત્યા –તે વિવક્ષિત રાજાના સેવક, સર્વ વ તે-તે સમાશ્રિત સર્વે હેય છે વૃત્ત સર્વજ્ઞતસ્વીમેન-મથક્ત નીતિથી હેતુભૂત એવા સર્વગ્નતત્વના અભેદથી, તથા–તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત બહુ પુરુષની જેમ, સર્વજ્ઞાવિનઃ સર્વે-સર્વે સર્વસવાદીઓ, જિન આદિ મતભેદ અવલંબીઓ, તત્તત્વ:–તે સર્વ તત્ત્વગામી, શેયાઃ-જાણવા, મિન્નાવારિથતા પિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી. Page #437 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સવે સર્વજ્ઞવાદીને અભેદ (૩૬૧) સર્વજ્ઞતત્વ અભેદથી, સર્વાવાદી બધાય; સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮ અર્થ–તેમ સર્વજ્ઞ તત્વના અભેદથી, સર્વજ્ઞવાદીઓ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તરવગામી જાણવા. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે
Page 266
કે ઉક્ત દષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણું પુરુષોની જેમ, સર્વેય સર્વગ્રવાદીઓ તે સર્વજ્ઞતત્વ પ્રત્યે જનારા–ગમન કરનારા છે; કારણકે સર્વજ્ઞ તત્ત્વો ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમ સર્વ સર્વજ્ઞ. પછી ભલે તે સર્વજ્ઞવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હોય. તાત્પર્ય કે–જેમ એક રાજાના આશ્રિત એવા ઘણા પુરુષ હેય, તેઓ પોતપોતાની યોગ્યતા અનુસાર નાના મોટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હોય, ઊંચા નીચા હોદ્દા સંભાળતા હોય, પણ તે એક જ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેઓના દાસભાવમાં ભેદ પડતો નથી; તેમ ભગવાન્ સર્વદેવનો આશ્રય કરનારા, સર્વને માનનારા-ભજનારા જૈન કે જૈનેતર બધાય સર્વજ્ઞવાદીએ તે એક સર્વજ્ઞતત્વ પ્રત્યે ગમન કરનારા હેઈ, સર્વજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સર્વજ્ઞ તત્વને સ્વીકાર કરનારે ભલે જૈન હોય કે બૌદ્ધ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હય, પારસી હોય કે ખ્રીસ્તી હોય, અને ભલે તે પોતપોતાની યોગ્યતા પ્રમાણે અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારમાં વર્તતે હોય, ઉંચી દશાવાળો હોય કે નીચી દશાવાળ હોય, ઉત્તમ કેટિન હોય કે અધમ કેટિન હોય, ગમે તેમ હોય, પણ તે સર્વેય એક જ આરાધ્ય સર્વજ્ઞને ભજનારા આરાધક-ભક્તો છે, સર્વજ્ઞસેવકે જ છે એના દાસભાવમાં કોઈ જાતને ભેદ નથી, તે બધાય સર્વજ્ઞ ભગવાન-દાસ છે. આ સર્વજ્ઞના સાચા સેવક ભક્ત પણ કણ કહેવાય? તે ઉપર સ્પષ્ટ કર્યું છે, તે અહીં નૃપસેવકના દષ્ટાંતથી વિશેષ દઢ કર્યું છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ રાજસેવક હોય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઈએ, એવી સેવક ભક્ત રીતિ છે, તે પછી આ તે કેત્તર દેવ સર્વજ્ઞ મહારાજની આજ્ઞાના આજ્ઞા પાલક પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવું જોઈએ, તે સહેજે સમજી શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાફળની આશા પણ ન રાખવી જોઈએ, ને તે જ તે સાચી ભક્તિ કહી શકાય નહિ તે તેની જે આશા રાખવામાં આવે તે તે ભક્તિ નહિં, પણ ભાડુતી કામ જેવું થયું ! Page #438 -------------------------------------------------------------------------- ________________ (૩૬૨) ગદષ્ટિસમુચ્ચય “સેવા સાર રે જિનની મન સાચે, પણ મત માગો ભાઈ ! મહિનતને ફળ માગી લેતાં, દાસભાવ સવિ જાઈ....સેવા. ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાશે; દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે...સેવા.”–શ્રી દેવચંદ્રજી. અને આ સર્વજ્ઞ દેવના આવા જે સાચા સેવક ભક્તજને હય, તેઓ સમાનધમી હોવાથી, સર્વેય સાધર્મિક છે. એટલે તેને એક બીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હોવું જોઈએ, પરમ પ્રેમ કુરો જોઈએ, વિશ્વબંધુત્વની (Universal Brotherhood) ભાવના દઢપણે વિકસવી જોઈએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તે પછી એકબીજા પ્રત્યે કઈ પણ પ્રકારના શ્રેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉદ્દભવવાનું સ્થાન પણ કયાં રહે છે? ઉપસંહાર કરતાં કહે છે– न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥ મહાત્મા સર્વ તણે, તત્વથી ભેદ જ નથ; નામાદિ ભેદેય આ, ભાવ્ય સુજ્ઞને હોય. ૧૦૯, અર્થ-મહાત્મા સર્વને તત્ત્વથી ભેદ જ નથી,–તેવા પ્રકારે નામ વગેરેને ભેદ છતાં પણ, આ મહાત્માઓએ ભાવવું યોગ્ય છે. વિવેચન “રામ કહે રહેમાન કહે કેઉ, કાન કહે મહાદેવરી.” શ્રી આનંદઘનજી. “ઈશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન !” ઉપરમાં જે સર્વજ્ઞ સંબંધી વિવરણ કર્યું, તેને ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે તત્ત્વથી–પરમાર્થથી જોઈએ તે મહાત્મા સર્વમાં એટલે કે ખરેખરા ભાવ સર્વજ્ઞોમાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ | દિન મે -ભેદ જ નથી, તરવે-તત્વથી, પરમાર્થથી,
Page 267
સર્વજ્ઞાન માત્મનામસર્વર મહાત્માઓને, ભાવ સર્વને એમ અર્થ છે, તથા–તેવા પ્રકારે, નામાંડિજિ-ઈષ્ટઅનિષ્ટ નામ આદિને ભેદ છતાં, મામેતન્મતિમમિઃ - આ મહાત્માઓએ ભાવવું યોગ્ય છે -શ્રત-મેધા-અસંમેહસાર પ્રજ્ઞાવડે કરીને. Page #439 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : નામાદિ ભેદ છતાં તત્ત્વથી સર્વશ અભેદ (૩૬૩) નામ વગેરેને ભેદ હોય, તે પણ તત્વથી તે તેમાં કંઈ પણ ભેદને અભાવ છે. આમ મહાત્મા જનેએ કૃતથી, મેધાથી ને અસંહથી સાર-પ્રધાન એવી પ્રજ્ઞાવડે ભાવવા એગ્ય છે. કારણકે પરમાર્થ દષ્ટિથી વિચારતાં, સાચા ખરેખરા ભાવ–સર્વમાં કેઈપણ જાતને ભેદ સંભવ નથી, એમ બુધજનેને સ્પષ્ટ જણાય છે. “સર્વ જાણે તે સર્વજ્ઞ” એમ તેની વ્યાખ્યા પરથી આ યુક્તિસિદ્ધપણે પ્રતીત થાય છે. ભલે પછી નામભેદ ભલે હે એ સર્વજ્ઞને મત-સંપ્રદાય આદિના ભેદે કરીને પોતપોતાના ઈષ્ટ એવા ભિન્ન ભિન્ન નામ આપવામાં આવતા હોય, ભિન્ન ભિન્નપણે તેનું સ્વરૂપ વર્ણવવામાં આવતું હોય, ભિન્ન ભિન્નપણે તેને મહિમા ગવાતે હેય, ભિન્ન ભિન્ન પણે તેનું ચરિત્ર સંકીર્તન કરાતું હોય, પણ તેના સર્વરૂપણરૂપ લક્ષણમાં ભેદ પડતું નથી. કેઈ તેને જિન કહે કે શિવ કહે, કેઈ બુદ્ધ કહે કે અહંત કહે, કઈ વિષ્ણુ કહે કે બ્રહ્મા કહે, કેઈ ઈશ્વર કહે કે ખુદા કહે, કોઈ રામ કહે કે રહેમાન કહે, કઈ પરમાત્મા કહે કે સર્વશક્તિમાન “ગેડ” (God Almighty) કહે, ઈત્યાદિ ગમે તે ઈષ્ટ દેવના નામે તેને સર્વ કે ભજતા હોય, પણ તેમાં નામભેદથી અર્થભેદ નથી. જેમ ગંગાનદીને કેઈ સુરનદી કહે, કઈ ભાગીરથી કહે, કેઈ વિપથગા કહે, કેઈ મંદાકિની કહે, પણ ગંગા નદી તે એક જ છે, તેમાં ફેર પડતો નથી, તેમ એકસ્વરૂપ સર્વના અપેક્ષાભેદે ભલે જુદા જુદા નામ આપવામાં આવે, પણ તેના તાવિક સ્વરૂપની એકતામાં ફેર પડત. નથી. સર્વજ્ઞતા તે પરમાર્થથી એક ને અભિન્ન જ છે, એવું બુધજનેએ મેધાથી, મૃતથી ને અસંમેહથી પાવન એવી પ્રજ્ઞાવડે ભાવન કરવા યોગ્ય છે, પુનઃ પુનઃ ચિંતન કરવા ગ્ય છે. અને આવા આ એક સ્વરૂપ સર્વજ્ઞને જે વિવિધ નામ આપવામાં આવ્યા છે, તે પણ તેના વિવિધ ગુણના વાચક છે, અને જુદી જુદી અપેક્ષાએ તેના અપૂર્વ અચિંત્ય મહિમાને વર્ણવતા હેઈ સાર્થક છે. જેમકે–તે “ અહં” એટલે ગુણનિ૫ન પૂજાહે–પૂજાને યોગ્ય, જગતુપૂજ્ય, વિશ્વવંદ્ય છે. કર્મશત્રુને નાશ નામની કરવાથી તે “જિન–વીતરાગ છે. અધિદેવપણાથી તે “મહાદેવ છે. અવિરુદ્ધતા સુખાવહપણાથી એટલે કે ત્રણે ભુવનના શંકરપણાથી તે “શંકર છે. બ્રહ્મજ્ઞપણાથી–આત્મજ્ઞપણાથી તે “બ્રહ્મા” છે. દુઃખ હરવાથી તે હરિ છે. વિબુધોથી તેને બુદ્ધિધ અર્ચાય છે, માટે તે “બુદ્ધી છે. શિવમાર્ગની વિધિનું વિધાન કરવાથી તે “વિધાતા છે. આવા હેવાથી તે વ્યક્તપણે પ્રગટ પુરુષોત્તમ છે. ઈત્યાદિ અનેક નામ ધરાવતાં છતાં તે સ્વલક્ષણથી અનેક નથી, કારણકે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. એટલે વિવિધ ગુણ અપેક્ષાએ વિવિધ નામ પરસ્પર વિરુદ્ધ નથી, પણ એક જ અર્થના-સ્વરૂપના દ્યોતક હોઈ, એકબીજાના પૂરક પોષક છે, અને એક જ તત્ત્વસ્વરૂપની પુષ્ટિ કરે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ (૩૬૪) ગદષ્ટિસમુદ્રચય “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન...લલના જિન અરિહા તીર્થકરૂ, જ્યોતિસરૂપ અસમાન.લલના શ્રી સુપાસ.”ઈત્યાદિ. “એમ અનેક અભિધાઝ ધરે રે, અનુભવગમ્ય વિચાર...લલના જે જાણે તેને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ” શ્રી આનંદઘનજી, આમ સર્વજ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેને વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાર્થથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ એળખે છે, તેને તે “આનંદઘન અવતાર કરે છે, તદ્રુપ સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઈટ પરમાર્થ હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરોધ શે? જે પરમાર્થ એક છે, તે શબ્દભેદનો
Page 268
ઝઘડે છે ? શબ્દભેદ ઝઘડો કિજી , જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહિં એક. મનમેહન” ૦ સક્ઝાય. ૪-૨૧, અને આવા આ સર્વજ્ઞને ભજનારા ભક્ત જોગીજને તે પ્રભુથી દૂર* હોય કે નિકટ હોય, પણ તે સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકો પોત x" अर्हन्निति जगत्पूज्यो जिनः कर्मारिशातनात् । महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ।। विष्णुानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ।। इत्याद्यनेकनामापि नानेकोऽस्ति स्वलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनात् ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજી () પ્રણીત પંચાધ્યાયી. "बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेविधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥" –શ્રી ભક્તામર સ્તોત્ર. “નિર્મચઃ શાશ્વત શુદ્ધ નિર્વિવાનો નિરામયઃા નિઃારો નિરાતં સિદ્ધ સૂક્ષ્મ નિરંજ્ઞનઃ | महादेवो महावीरो महामोहविनाशकः । महाभावो महादर्शः महामुक्तिप्रदायकः ॥" શ્રી ભદ્રબાહુ સ્વામી જિનલધુસહસ્ત્રનામ, * “दूरासन्नादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ।।" શ્રી યશોવિજયજીકૃત દ્વાદ્વા. રરૃ-૧૮, Page #441 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાકૃત્તિ: ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિત્ર (૩૬૫) પેાતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હાય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પેાતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હાય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જો એક જ છે તે તેના ઉપાસકા—આરાધકે પણ એક રૂપ જ છે. 品 ચિત્ર અચિત્ર દેવભક્તિવિભાગ શાસ્રગલ જ (શાસ્ત્રમાં કહેલ) ખીજી ઉપપત્તિયુક્તિ કહે છેઃ— चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જે; સાગ શાસ્ત્ર વર્ણવી, તેથી પણ સ્થિત એહુ, ૧૧૦, અઃ—અને દેવા પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ એ વિભાગથી સાગશાસ્ત્રોમાં વવવામાં આવી છે, તે ઉપરથી પણ આ (જે કહ્યુ' તે) એમ જ સ્થિત છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે સંજ્ઞનુ એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રાક્ત બીજી યુક્તિ અહીં' કહી છેઃ—અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સદ્વેગશાસ્ત્રામાં વર્ણવવામાં આવ્યુ છે કે–àાકપાલ, મુક્ત વગેરે દેવાની ભક્તિના એ સ્પષ્ટ વિભાગ પડે છે: (૧) ચિત્ર એટલે ભિન્ન, જૂદા જૂદા પ્રકારની, ( ૨ ) અચિત્ર એટલે અભિન્ન અથવા જૂદા જૂદા પ્રકારની હિં તે. આ સત્શાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સજ્ઞ ને તેના ભકતાની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સસિદ્ધ થાય છે. "C નહિં સર્વજ્ઞા જુજુઆજી, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ ક્ઠીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ....મન॰ ” —ચા. સજ્ઝાય ૪-૧૪ ⭑ આ જ અને સ્પષ્ટ કરતાં કહે છેઃ— વૃત્તિ: ત્રિચિત્રવિìન-ચિત્ર-અચિત્ર વિભાગથી.—જેનું લક્ષણુ કહેવામાં આવશે, યજ્ઞઅને જે, તેનેવુ વર્જિત-દેશ પ્રત્યે, લેાકપાન્ન-મુક્ત આદિ દેવા પ્રત્યે વસ્તુ વવામાં આવી છે, ક્ત્તિ:ભક્તિ, સોળશાસ્ત્રેવુ-સદ્ધેશ્નસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તેઽવિ–તે કારણ થકી પણ, મનું સ્થિતમ્–આ પ્રસ્તુત એમ સ્થિત છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११ ॥ સંસારી દેવે પ્રતિ, ભક્તિ નિશ્ચયે જોય; તે સંસારી દેવના, કાયગામિની હેય. સંસારાતીત તવમાં, ભક્તિ પરંતુ સેય; સંસારાતીત અર્થમાં, ગમનકારીની હોય. ૧૧૧ અર્થ-કારણકે સંસારી દે પ્રત્યે, તે કાયમાં જનારાઓની ભક્તિ હોય છે; પણ તે સંસારથી અતીત–પર એવા તત્વ પ્રત્યે, સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓની ભક્તિ હોય છે. વિવેચન કેની કેની ભક્તિ કેવા કેવા દેવ પ્રત્યે હોય છે, તેને સ્પષ્ટ વિભાગ અત્રે કર્યો છે? (૧) લેકપાલ વગેરે જે સંસારી દે છે, તેના પ્રત્યેની ભક્તિ તે સંસારી દેવની કાયમાં જનારાઓને હોય છે, તે તે સંસારી દેવની ગતિમાં જે ગમન સુકાના ભક્ત કરનારા છે–જવાવાળા છે, તેવાઓ તે સંસારી દેના ભક્ત–સેવક મુમુક્ષુ હોય છે, તેઓ જ તેને
Page 269
ભજે છે.* (૨) પરંતુ તે સંસારથી અતીત પર તત્ત્વ પ્રત્યેની ભક્તિ તે સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓને હોય છે. સંસારથી અતીત-પર એવા રોગમાર્ગે જે ગમન કરનારા છે, એવા યોગીજનની ભક્તિ તે સંસારથી અતીત, સંસારને પાર પામેલા, એવા પર તત્ત્વમાં જ હોય છે. આમ સંસારી દેના ભક્ત, સંસારગામી સંસારી જીવ હોય છે; અને મુક્ત સર્વજ્ઞ દેવના ભક્ત મુક્તિગામી મુમુક્ષુ જોગીજને હોય છે. કારણકે “યાદશી માવના તાદશી તિદ્ધિ જેવી ભાવના તેવી સિદ્ધિ, અથવા ચણા મતિ તથા જત્તિઃ જેવી મતિ - કૃત્તિ-સંપારિપુ હિ તેપુ-કારણકે સંસારી દેવામાં, લોકપાલ આદિ દેવો પ્રયે, મત્તિભક્તિ સેવા, તથાનિનામ-તે કાયગામીઓની, એટલે કે તે સંસારી દેવની કાયમાં જનારાઓની, (ાય છે), તરતીતે પુન:-પણું તેથી અતીત, સંસારથી અતીત–પર, તરેરે તત્વમાં, તત્વ પ્રત્યે, તીરાઈનાજિનાં–તેનાથી અતીત અર્થગામીઓની, તેનાથી અતીત -પર અર્થ પ્રત્યે જનારાઓની. એટલે કે સંસારાતીત માગે જનારા યોગીઓની ભક્તિ હોય છે. “વનાં ગર્ભના મને જ્ઞાનવાત્મા કપૂરે | वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ कामैस्तैस्तैर्हतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः । સં સં નિયમન થાય ત્યા નિયતાઃ 4થા | p—ગીતા. Page #443 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ સંસારી દેવની ભકિત ચિત્ર-સુક્તની ભક્તિ અચિત્ર (૩૬૭) તેવી ગતિ જે જેને ભજે તે તે થાય. સંસારને ભજે તે સંસારી થાય, મુકતને ભજે તે મુક્ત થાય. આ પરિણામી આત્મા જેવા જેવા ભાવે પરિણમવા ઈચછે, તેવા તેવા ભાવે તે પરિણમી શકે છે. ઈયલ ભમરીનું ધ્યાન ધરતાં, પોતે ભમરી બને છે. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે....ષદર્શન” શ્રી આનંદઘનજી. આ બેને વિશેષ કહે છે चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता ।। अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥ ११२ ॥ તસ રાગ પર દ્વેષથી, ભક્તિ આઘમાં ચિત્ર; શમસારા એ ચરમમાં હોય સમસ્ત અચિત્ર. ૧૧૨ અર્થ અને તેમાં પહેલા તે સંસારી દેવ પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેના રાગથી ને તેનાથી અન્ય પ્રત્યેના દ્વેષથી સંગત હોઈ, ચિત્ર (ભિન્ન) હોય છે. અને છેલ્લા-તે સંસારાતીત તત્વ પ્રત્યેની જે ભક્તિ તે બધીય શમસાર (શમપ્રધાન) હેઈ, અચિત્ર ( અભિન) હોય છે. વિવેચન ઉપરમાં જે બે પ્રકારના દેવના ભક્તના બે વિભાગ પાડવા, તેની ભક્તિમાં પણ તેવા બે ભેદ પડે છે, તે અહી બતાવ્યું છે –તેમાં પ્રથમ જે લોકપાલ વિગેરે સાંસારિક દે છે, તેઓ પ્રત્યેની ભક્તિ ચિત્ર એટલે નાના પ્રકારની હોય છે; અને સંસારી દેવની મેહગર્ભપણને લીધે તે પોતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગવાળી ને અનિષ્ટ ભક્તિ ચિત્ર દેવ પ્રત્યે દ્વેષવાળી હોય છે. જેમકે કે હનુમાનને, કે શંકરને, કે વિષ્ણુને, કે સૂર્યને, કે વરુણને, કે અન્યને ભક્ત હોય, તે તેવા પ્રકારના મેહભાવને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ રાખી, ઇતર પ્રત્યે દ્વેષ રાખે છે. આમ તે ભક્તિ જુદા જુદા દેવને અપેક્ષીને જુદા જુદા પ્રકારની ને રાગ-દ્વેષવાળી હોય છે. એમાં સહિષ્ણુતાને પ્રાયઃ અભાવ હોય છે, અને હું માનું છું તે જ દેવ સાચા ને બાકી બીજા બધા ખેટા, એવી માન્યતા મુખ્યપણે હોય છે. વૃત્તિ –જિત્રા -અને ચિત્ર, નાના પ્રકારની, થેપુ-આaોમાં, સાંસારિક દેવે પ્રત્યે, રાગત વસતા-પિતાના અભીષ્ટ દેવતાના રાગથી અને અનભીષ્ટના દ્વેષથી સંયુક્ત એવી હેય છે,-મેહગર્ભ પણાને લીધે. જિત્રા-અચિત્ર, એકાકાર, એક પ્રકારની, રમે સુ-પણ ચરમમાં એટલે કે તદતીત-સંસારાતીત તત્વમાં, ઘણા-આ ભક્તિ; અને તે, રામપારા-શમસાર-મપ્રધાન, મહિસૈવ દિ અખિલ જ હોય છે -તેવા પ્રકારના સંમેહના અભાવને લીધે. Page #444 -------------------------------------------------------------------------- ________________ (૩૬૮) યોગદૃષ્ટિસમુચ્ચય અને બીજું જે સંસારાતીત–સ'સારથી પર એવું મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની જે ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હેાય
Page 270
છે, એક જ પ્રકારની હાય છે; કારણ કે તે પરતત્ત્વનું એકપણું-અભેદપણું ઉપરમાં સિદ્ધ કરાઇ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર-શમપ્રધાન હોય છે. ભક્તિ અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને ખીજા પ્રત્યે દ્વેષ, એમ હેાતું નથી; પણુ સત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખડ શાંતરસને પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સમાહને અત્ર અભાવ હાય છે. આમ અનેક એવા સ'સારી દેવેાની ભક્તિ વિચિત્ર અને એક એવા સંસારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે. દેવ સ'સારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર...મન૰ '—યા. ૬. સાય. ૪-૧૫ ★ અત્રે જ હેતુ કહે છે संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ સ્થાન સસારિ દેવના, ચિત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાક્રિકથી, પ્રતિશાસને આધાર. ૧૧૩ અ:—કારણુ કે સંસારી દેવાના સ્થાને સ્થિતિ—ઐશ્વય –પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર ( જૂદા જૂદા ) હોય છે. વિવેચન સસારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હોય છે એમ કહ્યું, તેનું કારણ આ પ્રમાણે:-ઊર્ધ્વ, મધ્ય ને અધેાલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સંસારી દેવા છે, તેઓના સ્થાને પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સ'સારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, અશ્વ, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેએના વિમાન આદિ સ્થાનેામાં જાત જાતના તફાવત-ભેદ હેાય છે. જેમકે (૧) હિંદુ ધર્માંમાં બ્રહ્મા, વિષ્ણુ, વૃત્તિ:-સંસાળિાં ફ્રિ રેવાનાં કારણુ કે સ ંસારી દેવાના-લેાકપાલ આદિના ચશ્માજ્જિત્રાનિ કારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નેપા–અનેક પ્રકારે,–કાના વડે ? કયા ? તે માટે કહ્યુંસ્થિરઐશ્વર્ય માવા ધૈ:સ્થિતિ, ઐશ્વમ, પ્રભાવ આદિ વડે કરીને, અદ્દેિ શબ્દથી સહજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાન, વિમાન આદિ, વૃતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિષ્યના અનુભેદથી, Page #445 -------------------------------------------------------------------------- ________________ દીમા દષ્ટિ: તે ચિત્ર દેવસ્થાનેને સાધન ઉપાય ચિત્ર (૩૬) મહેશ, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વરુણ વગેરે દેવ ગણાય છે. તેઓના સ્વાભાવિક સ્વરૂપ, સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ, સામ વગેરેમાં તે તે યક્ત વર્ણન પ્રમાણે ભેદ હોય છે. (૨) જૈન ધર્મમાં ચાર પ્રકારના સંસારી દેવનિકાય કહ્યા છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. તેઓના વળી અનેક પ્રતિભેદ વિરતારથી વર્ણવ્યા છે. તેમાં કોઇની સ્થિતિ ઓછી હોય છે, કોઈની વધારે હોય છે. કેઈનું ઐશ્વર્ય અધિક હોય છે, કેઈનું ન્યૂન હોય છે. કોઈને પ્રભાવ મંદ હોય છે, કેઈને ઉગ્રતેજસ્વી હોય છે. કેઈનું સહજ રૂપ આકર્ષક હોય છે, કેઈનું અનાકર્ષક હોય છે. આમ રૂપ, રસ, ગંધ, વર્ણના વિભિન્ન ભેદે કરીને તરતમતાના અનેક પ્રકાર હોય છે. (૩) બૌદ્ધ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, અને બીજા ધર્મોમાં પણ પિતાપિતાની માન્યતા અનુસાર સંસારી દેવેનું વર્ણન કર્યું છે. આમ પ્રત્યેક શાસનની અપેક્ષાએ સંસારી દેના સ્થાને-વિમાન આદિ પણ ચિત્ર પ્રકારના હોય છે. કારણ કે એમ છે – तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ (તેથી) સાધન ઉપાય તેહને, નિયમથી ચિત્ર જ હોય; કદી ભિન્ન નગર તણે, મારગ એક જ નય. ૧૧૪ અર્થ –તેથી કરીને તે દેના સ્થાનની સાધનાને ઉપાય, નિયમથી જ, ચિત્રજુદા જુદા પ્રકારને હેય છે, કારણકે ભિન્ન નગન માગ કદી પણ એક હેય નહિં. વિવેચન અને આમ તે તે સંસારી દેના સ્થાને ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે, એટલા માટે તે તે દેવસ્થાનની સાધનાને જે ઉપાય છે, તે પણ નિયમથી ચિત્ર હોય છે, ભિન્ન-જૂદા જુદા પ્રકારનું હોય છે.
Page 271
આ માટે અત્રે લેકમાં જાણીતું દષ્ટાંત આપ્યું છે કે જૂદા જૂદા નગરે પ્રત્યે જવાને માર્ગ કદી પણ એક હેય નહિં. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી વગેરે જુદી જુદી દિશામાં આવેલા શહેરે ભણું જવું હોય, તે તેને રસ્તે પણ જુદી જુદી દિશામાં જતે હેય, એક ન હોય. નહિ તે તે તે નગરનું ભિન્નપણું ઘટે વૃત્તિ –તસ્મા–તે કારણ થકી, તરસાધનાપા :-તેના સાધનને ઉપાય, તે સંસારી દેવના સ્થાનના સાધનને ઉપાય. નિયાચિત્ર ઈશ્વ હિ-નિયમથી ચિત્ર જ હોય છે. આ જ વસ્તુ લેપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા કહે છે-7 મિન્નનળrળ ચાટુ-ભિન્ન નગરોને ન હોય, પ. વર્ષ વાવનએક માર્ગ કદી પણ,–તેવા પ્રકારે તેના ભેદની અનુપસિને લીધે. Page #446 -------------------------------------------------------------------------- ________________ (૩૭૦) યોગદરિસમુચ્ચય નહિ. આમ સાદી સમજથી ભિન્ન નગરના માર્ગ પણ ભિન્ન છે, તેમ ભિન્ન સંસારી દેવસ્થાનના સાધને પાય પણ ભિન્ન છે. એટલે ચિત્ર દેવની ભક્તિ ચિત્ર પ્રકારની છે એમ સાબિત થયું. આકૃતિ ૧૧ દિલ્હી 1 ઉત્તર મુંબઈ-- પશ્ચિમ | કલકત્તા પૂર્વ કાસ ચિત્રાચિન ભક્તિનું કેટકઃ ૮. ચિત્ર ભકિત અચિત્ર ભક્તિ લા લક્ષણ ચિત્રાચિત્રતા કારણ લોકપાલાદિ સંસારી દેવ મુક્ત પરમાત્મા સંસારી દેવ કામગામી, ભવાભિનંદી, સંસારાતીત અર્થગામી, ભવભાગસંસારસિદ્ધ વિરત મુમુક્ષુ મેહગર્ભપણાને લીધે ઇષ્ટદેવમાં રાગ, | અસંમેહભાવને લીધે શમસારપણુંઅનિષ્ટમાં દ્વેષ સમભાવ ) સંસારિ દેવના ચિત્રસ્થાનના સાધન સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધમા આદિ ઉપાય ચિત્ર નામભેદ છતાં નિર્વાણુતત્વનું-પર પનું અભેદપણ ૨) ચિત્ર આશયથી ચિત્રકલભેદ સંસાર ક્ષ મેક્ષ [ રિ વિવિમર્શતાપિવગર]. == = Page #447 -------------------------------------------------------------------------- ________________ દીપ્રારંષ્ટિ : ઇષ્ટનુ સ્વરૂપ-યજ્ઞની આત્માપણુ ભાવના તથા— ઇષ્ટાપૂ કર્યાં અને આશયભેદે ફ્લભેદ. इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः । नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥ લાકે ચિત્ર અશિસંધિથી, કર્માં કાપૂ; વિચક્ષણે સહુ દેખવા, નાના લૂથી યુક્ત, ૧૧૫ ( ૩૭૧ ) અઃ—જે ઇષ્ટાપૂ કર્યાં છે, તે સર્વેય લેકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે—અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફુલવાળા છે, એમ વિચક્ષણાએ દેખવા ચેાગ્ય છે. વિવેચન ઉપરમાં તે તે દેવાના સ્થાનનુ' ચિત્રપણું અને તેના સાધને પાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનુ' વળી પ્રકારાંતરથી સમન કરવા માટે અહી ખીજી યુક્તિ રજૂ કરી છેઃ—ઇટાપૂત વગેરે કર્મો જે લેાકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા જુદા પ્રાણીઓને અભિપ્રાયભેદે જૂદા જૂદા અભિસંધિ–મભિપ્રાય હાય છે, આશયવિશેષ હોય છે. સભેદ અને તેથી તે સર્વના કુલ પણ જૂદા જૂદા હેાય છે, એમ વિચક્ષણ પુરુષાએ–ડાહ્યા વિદ્વજનાએ જાણવુ ચેાગ્ય છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઇષ્ટાપૂત' વગેરે કર્યાં કરવામાં જેવા જેવા અભિપ્રાયભેદ હોય છે, તેવા તેવા તેને ફલભેદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનાને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલખ–ઇરાદો ( Intention ) તેવુ' ફુલ, જેવી ભાવના તેવી સિદ્ધિ ’. * ઈટાપૂનું સ્વરૂપ કહે છે— ऋत्विग्भिर्मत्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ વૃત્તિ:—છાપૂર્વાનિર્માણ-પ્રાપૂ કર્યાં,-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ાપૂત" ક્રમાં, હોલાકમાં, પ્રાણિગણમાં, ખ્રિામિણંતિ:-ચિત્ર અભિસંધિથી—અભિપ્રાયરૂપ કારણથી. શું ? તે કેનાનાાતિનાના પ્રકારના ફલવાળા, ચિત્ર લવાળા છે એમ, સર્વાળિ-સર્વે', દૃષ્ટëાનિ-દેખવા ચેાગ્ય છે,--હેતુભેદને લીધે. કાનાથી ? તે માટે કહ્યુ*-વિપળ: વિચક્ષણાથી, વિદ્વાનાથી. વૃત્તિ:-ૠષિમિ:મત્તુમાં અધિકૃત એવા ઋતિગેાથી, મંત્રતંત્રજૈઃ—કરણભૂત એવા મંત્રસંસ્કારા વડે કરીને, કાચબાનાં સમત: બ્રાહ્મણાની સમક્ષમાં, તેનાથી અન્યને, અન્તર્વેદ્યાં-વેદીની અંદર, હિં—સ્પષ્ટપણે, નિશ્ચયે, ચ‡-જે હિરણ્ય (સુવર્ણ' ) આદિ દેવામાં આવે છે, ફર્સ્ટ તમિલીયતે તે ‘ઇષ્ટ’ કહેવાય છે, વિશેષ લક્ષણના યાગને લીધે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ( ૨) ગદષ્ટિસમુચ્ચય બ્રાહ્મણ સમક્ષ વિગે કરી મંત્ર સંસ્કાર; વેદમાંહિ દેવાય જે, ઇષ્ટ તેહ અવધાર, ૧૧૬ અર્થ –કત્વિો દ્વારા, મંત્ર સંસ્કાર વડે કરીને, બ્રાહ્મણની સમક્ષમાં, વેઢીની અંદર, જે આપી દેવામાં
Page 272
આવે, તે “ઈષ્ટ’ કહેવાય છે. વિવેચન | ઈચ્છાપૂર્તિમાં “ઈષ્ટ ” એટલે શું? તેનું સ્વરૂપ અહીં કહ્યું છે-યજ્ઞમાં જે અધિકૃત -અધિકારી બ્રાહ્મણે હોય, તે “ઋત્વિગ” કહેવાય છે. એવા ઋત્વિો દ્વારા, બીજા બ્રાહ્મણોની હાજરીમાં, વેદીની અંદર મંત્રસંસ્કારો વડે વિધિપૂર્વક જે સુવર્ણ વગેરેનું દાન આપવામાં આવે, તે “ઈષ્ટ' કહેવાય છે. કારણ કે તેમાં “ઈષ્ટ' શબ્દનો અર્થ બરાબર ઘટે છે. “હું અમુક દાન દેવા ઈચ્છું છું” એવા ઈષ્ટ સંકલ્પપૂર્વક યજ્ઞમાં દાન દેવાને વિધિ હોવાથી, તેને ઈષ્ટ” નામ આપવામાં આવ્યું છે. આમાં મહાજનની સમક્ષ ઈષ્ટ દાનની ગંભીર પ્રતિજ્ઞા લેવામાં આવે છે, માટે આ “ઈષ્ટ” છે. અત્રે બાહ્ય યજ્ઞમાં જે વિધિ પ્રચલિત છે તેને અનુસરીને કહ્યું છે. યજ્ઞ શબ્દ “યજ' ધાતુ પરથી નીકળ્યો છે. એને મૂળ અર્થ “યજ” એટલે યજવું-પૂજવું, એ ઉપરથી યજ્ઞ એટલે ઈષ્ટ દેવનું યજન, પૂજન કરવું તે છે; અને તે પૂજનમાં અર્પણ યજ્ઞની ભાવનાઃ કરવાની–હોમી દેવાની ભાવના હોય છે, એટલે હેમી દેવું, અર્પણ કરવું બ્રહ્મયજ્ઞ એ બીજો અર્થ પણ થાય છે. અર્થાત્ સ્વાર્પણ બુદ્ધિથી દાનાદિ સદનુષ્ઠાન કરવું તે યજ્ઞ. પિતાપણાની-મમત્વની બુદ્ધિ હોમી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિઃસ્વાર્થ પણે-નિષ્કામપણે જે કંઈ આત્મભોગ (Self-sacrifice) આપવામાં આવે, જે કાંઈ ઈષ્ટ સંકલ્પિત દાનાદિ દેવામાં આવે, તે યજ્ઞ ને તે જ ઇષ્ટ;નહિં કે અન્ય પશુ આદિને ભેગ આપવામાં આવે તે યજ્ઞ, તે તે યજ્ઞની વિકૃતિ ને વિડંબના છે. પોતાને ને પિતાની વસ્તુને ભેગ-બલિદાન આપવાની વાત જ અત્ર મુખ્ય છે. મમત્વ વિસર્જનરૂપ-આત્માર્પણ ભાવરૂપ સાચે સ્વાર્થ ત્યાગ એજ યજ્ઞની પાછળની પ્રશસ્ત ભાવના છે. વર્તામાનમાં પણ અપેક્ષાએ કંઈક ઉપમારૂપ તુલના કરીએ તે શિષ્ટ જનની (બ્રાહ્મણે) સભા સમક્ષ, દાતા સગૃહસ્થ (ઋત્વિો ), વ્યાસપીઠ (વેદી) પરથી, ગંભીર પ્રતિજ્ઞાવિધિરૂપ જાહેરાતથી (મંત્રસંસ્કારેથી) જે પિતાના ઈષ્ટ દાનને સંકલ્પ જાહેર કરે છે (announcement), તે સમસ્ત વિધિ પણ એક પ્રકારે ઉક્ત યજ્ઞવિધિને કંઇક અંશે મળતો આવે છે, તે જાણે તેની ન્હાનકડી આવૃત્તિ સમ લાગે છે ! અસ્તુ! આ તે બાહા યજ્ઞની વાત થઈ. બાકી ખરે પારમાર્થિક યજ્ઞ તે આંતરિક છે, Page #449 -------------------------------------------------------------------------- ________________ મણિ શાય-આધ્યાત્મિક ભાવયા (૩૭૩) અધ્યાત્મ યજ્ઞ છે, બ્રહ્મXય છે, અને તે જ પ્રશસ્ત હોઈ સર્વ સપુરુષોને સંમત છે. મહાત્મા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે– હે પાથ ! એવી રીતે કે પોતાના સર્વ દેનું ક્ષાલન કરી નાખે છે, કેઈ હૃદયરૂપી અરણીમાં વિચારરૂપ મંથન કરીને, અને તેને પૈયરૂપ ભારથી દાબીને, તથા શાંતિરૂપ દોરીથી હચમચાવીને ગુરુવાક્યરૂપ મંત્રવડે મંથન કરે છે. એવી રીતે સર્વ વૃત્તિઓનું શક્ય કરીને મંથન કરવાથી ત્યાં તત્કાળ કાર્યસિદ્ધિ થાય છે. તે કાર્યસિદ્ધિ એ કે, ત્યાં તરત જ્ઞાનરૂપી અગ્નિ પ્રજવલિત થાય છે. અર્થાત્ પ્રથમ અદ્ધિસિદ્ધિના મોહરૂપ ઉત્પન્ન થયેલા ધૂમાડાને લેપ થતાં અગ્નિની સૂમ ચિનગારી ઉત્પન્ન થાય છે. એ પછી યમ-નિયમના ગે સહજ તૈયાર થયેલા મનરૂપ કયલાની સહાયતાથી તે અગ્નિને સળગાવવામાં આવે છે. એની સહાયથી મોટી જવાળા ઉત્પન્ન થાય છે. ત્યારપછી વાસનારૂપ સમિધેને અનેક પ્રકારના મેહરૂપ ધૃતનું લેપન કરીને તેમને બાળી નાંખવામાં આવે છે. ત્યારપછી જીવરૂપ દીક્ષિત, પ્રદીપ્ત કરેલા જ્ઞાનરૂપ અગ્નિમાં ઇંદ્રિય-કર્મોની આહુતિ આપી દે છે. અંતે પ્રાણુકર્મના “સુવા' નામક યજ્ઞપાત્રની સહાયથી અગ્નિમાં પૂર્ણ આહુતિ કર્યા પછી એજ્યબેધરૂપ અવભૂથ સ્નાનને લાભ પ્રાપ્ત થાય છે, અને સંયમાગ્નિમાં ઇંદ્રિય આદિક હોમદ્રવ્યોનું હવન કરી દીધા પછી બાકી રહેલા આત્મસુખને પુરેડાશ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ? પ્રથમ વૈરાગ્યરૂપ ઈધનની પૂર્ણતાથી ઇન્દ્રિયરૂપ અગ્નિને પ્રજવલિત કરીને તેમાં વિષયરૂપ દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે, ત્યાર પછી વાસનરૂપ ભૂમિકાને શુદ્ધ કરીને તેની ઉપર
Page 273
મૂળબંધ મુદ્રાને એટલે બાંધવામાં આવે છે, અને તેની ઉપર શરીરરૂપ મંડપ ઉભે કરાય છે. તે સ્થાને ઇંદ્રિયનિગ્રહરૂપ અગ્નિના કુંડમાં ઇંદ્રિયરૂપ હેમદ્રવ્યો અપીને યોગમંત્રવડે હવન કરાય છે. એ પછી મન અને પ્રાણના નિગ્રહરૂપ હોમદ્રવ્યોની તૈયારીથી ધૂમાડા વિના જ નિર્દોષ જ્ઞાનાગ્નિને સંતુષ્ટ કરવામાં આવે છે. એવી રીતે એ સાહિત્યને જ્ઞાનમાં અર્પણ કરીને, પછી તે જ્ઞાન પિતે બ્રહ્મમાં લય પામે છે, અર્થાત્ x"ब्रह्मार्पणं ब्रह्म हविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ सर्वाणींद्रियकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते ॥ શ્રેયાર મચાવલા જ્ઞાનયજ્ઞ પરંતર સર્વ વિ પાર્થ જ્ઞાને પરિણાવ્યો ”—ગીતા. અથત–(૧) જે બ્રહ્મને અર્પણ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ હવિ (હોમ દ્રવ્ય ), બ્રહ્મ અનિમાં, બ્રધથી હોમવામાં આવે છે; અને બ્રહ્મ કમ સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યે જ જવાનું છે, બ્રહ્મને જ પામવાનું છે. (૨) બીજાઓને વળી સર્વ ઇદ્રિય અને પ્રાણુકર્મોને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ ગ–અગ્નિમાં હોમી દે છે. (૩) હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસકર છે. હે પાર્થ ! સઘળુંય સર્વ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪) ગદરિસમુચ્ચય એમ થતાં તે કેવલ, એકલું બ્રા અને બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે. એને જ અધિયજ્ઞ એટલે બ્રહ્મ માનવામાં આવે છે.”—જ્ઞાનેશ્વરી ગીતા. | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૨ મા અધ્યયનમાં પણ સંક્ષેપથી આ જ શ્રી જ્ઞાને. શ્વરજીને મળતે ભાવ બતાવે છે. બ્રાહ્મણે જન્મથી ચંડાલ એવા હરિકેશિબલ મુનિને પૂછે છે # – હે મુનિ ! તમારી તિ (અગ્નિ) શું છે? તમારું આધ્યાત્મિક જ્યોતિસ્થાન–અગ્નિસ્થાન શું છે? તમારી સુવા (કડછી) કઈ છે ? તમારા ભાવયજ્ઞ ઇંધન (છાણાં-લાકડાં) કયા છે? તમારા સમિધે કયા છે? ક્યા હમથી તમે તિને હોમો છે? મુનિ જવાબ આપે છે-“તપ મારી તિ (અગ્નિ) છે, જીવ મહારૂં તિસ્થાન છે, યુગો મહારી સુવા (કડછી) છે, શરીર મહારૂં ધન (છાણાં-લાકડાં) છે. કર્મ મહારા સમિધ છે, સંજમ જોગ શાંતિ છે, ઋષિ સંબંધી એ પ્રશસ્ત હોમ હું હસું છું.” મહર્ષિ હરિભદ્રાચાર્યજી પણ અગ્નિકારિકા” અષ્ટકમાં વદે છે કે-“કર્મઈબ્ધનને આશ્રય કરીને જેમાં સદ્ભાવનાની આહુતિ આપવામાં આવે છે, એવી દઢ અગ્નિકારિકા ધર્મધ્યાનરૂપ અગ્નિવડે દીક્ષિતે કરવી.” "कर्मेन्धनं समाश्रित्य दृढा सद्भावना हुतिः। धर्मध्याग्निना कार्या दीक्षितेनाग्निकारिका ॥" આમ સાચો પ્રશસ્ત યજ્ઞ તે ભાવયજ્ઞ જ છે, અધ્યાત્મ યજ્ઞ જ છે, બ્રહ્મયજ્ઞ જ છે. બાકી જે બાહ્ય યજ્ઞ-ઈષ્ટ છે, તે તે સકામને હોય છે, તે મોક્ષના અંગરૂપ નથી. અકામ મુમુક્ષુને તે ઉપરમાં કહેલી અગ્નિકારિકા જ ન્યાચ્ય છે, એને તે એવી જ “ધૂણી” સદાય ધખાવવી ઘટે છે. તથા— वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्त तत्त्वविदो विदुः ॥ ११७ ॥ કૃત્તિ –સાવીષત્તરાનિ-વાવ, કૂવા, તળાવો લોકપ્રસિદ્ધજ છે, તેવતાનાનિ -અને દેવાયતને, વસતિકા આદિ. તથા શાળાનં અન્નદાન (લૌકિકજ) છે. અને આવા પ્રકારનું તે શું ? તે માટે કહ્યું કે-પૂર્વ તરવવિદો વિદુ-પૂરૂં ' પરિભાષાથી તત્ત્વવિદે જાણે છે. "के ते जोइ किं व ते जोइठाणं १ का ते सुआ किं व ते कारिसंगं ? एहा य ते कयरा संति भिक्खू ! कयरेण होमेण हुणासि जोइं ?" મુનિ ઉત્તર આપે છે"तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंग ।। कम्मे एहा संजमजोग संती, होमं हुणामि इसिणं पसत्थं ॥" x “ईष्टापूर्त न मोक्षाङ्गं सकामस्योपवर्णितम् ।। કામથ પુનર્યોwા શૈવ ચાગ્યાનિIિ II”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક Page #451 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સમ અનુષ્ઠાનમાં પણ આશયભેદે કુલભેદ (૩૭૫) વાવ તળાવ કૂવા અને, દેવસ્થાન અન્નદાન; એહ સર્વને પૂર્ણ તે, જાણે તાવ સુજાણ, ૧૧૭ _અર્થ – વાવ, કૂવા, તળાવ
Page 274
અને દેવાયતને-દેવમંદિરે, તથા અન્નપ્રદાન-આને તત્વવિદો “પૂત્ત' કહે છે. વિવેચન વાવે કરાવવી, કૂવા ખોદાવવા, તળાવ બંધાવવા, દેવમંદિર ચણાવવા, અન્નદાન આપવું, એ બધા પૂર્તકર્મ છે, એમ ત્તની પરિભાષા ઉપરથી તત્ત્વવેત્તાઓ જાણે છે. (૧) વાવ વગેરે જલાય કરાવવા, એ સાર્વજનિક લોકકલ્યાણના કેઈ અપેક્ષાએ ઉપયોગી સુકૃત્ય છે. કઈ પણ તરસ્યા ત્યાં આવીને પોતાની તરસ બુઝાવે ને પોતાની આંતરડી ઠરતાં જલાશય કરાવનારને અંતરના આશીર્વાદ આપે, તેથી કઈ રીતે કંઈ પુણ્યબંધ સંભવે છે. જો કે તેમાં હિંસા આદિ દોષ પણ છે, તથાપિ જલ વિના જીવન ટકતું નથી, એટલે તેની જ્યાં ઓટ હોય ત્યાં તે પૂરી પાડવી, તે લોકોપયોગી “ પૂર્ત કર્મ ” છે. (૨) તેમજ ભૂખ્યાને અન્નદાન દેવું, તે માટે જ્યાં જરૂર હોય ત્યાં દાનશાલાઓ કરાવવી, સદાવ્રતે ખેલવા, ઈત્યાદિ સુકૃત પણ જનસેવાના પ્રકારે છે. અને વિના જીવી શકાતું નથી, તેથી દીન-દુઃખી-દરિદ્રીને પિટને ખાડે પૂરવા માટે અન્નપ્રદાનનો પ્રબંધ કરવો તે પુણ્ય એવું “પૂત્ત કર્મ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વગેરે ભયંકર પ્રસંગોમાં જનતાની રાહત માટે યથાશક્તિ રાહતકેન્દ્રો ખેલી અન્નની ત્રુટિની પૂત્તિ” કરવી તે પણ પૂર્ણ કર્મને પ્રકાર છે. (૩) તે જ પ્રકારે ઉપલક્ષણથી ઔષધદાન દેવું, રોગીઓની સારામાં સારી માવજત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઇસ્પિતાલે બંધાવવી, ઔષધાલયેદવાખાનાં ખોલવાં, અનાથાલયે-અપંગાલ ખોલવાં, તે પણ પૂર્ણ કર્મના પ્રકાર છે. આમ જનતાના ઈહલૌકિક કલ્યાણ માટેના સાધનોની જ્યાં ઊણપ હોય, ત્યાં તેની પૂત્તિ કરવી તે “પૂત્ત' કર્મ છે. (૪) તેમજ લેકના પારલૌકિક કલ્યાણ માટેના સાધનની પણ જ્યાં જ્યાં ઊણપ હોય, ત્યાં ત્યાં તેની વૃત્તિ કરવી, તે પૂરા પાડવા, તે પણ પૂર્ણ કર્મ. જેમકે-દેવમંદિરો કરાવવા, ધર્મશાળાઓ કરાવવી, સ્વાધ્યાયગૃહો-પૌષધાલા-ઉપાશ્રયે કરાવવા વગેરે. આન્તરહેતુને અધિકૃત કરી (મુખ્ય કરીને) કહે છે – अभिसंधः फलं भिन्नमनुष्टाने समेऽपि हि । परमोतः स एवेह वारीव कृषिकर्मणि ॥११८॥ વૃત્તિ -અમિસંથે –તથા પ્રકારના આશયરૂપ લક્ષણવાળા અભિસંધિ થકી-અભિપ્રાય થકી. શું ? તે કેન્દઢ મિનિં-કુલ ભિન્ન છે. સંસારી દેવને સ્થાનાદિરૂપ ફળ ભિન્ન છે, જાણીને તમેડપિ દિઇષ્ટ આદિ અનુદાન સમ ( સરખું ) છતાં, ઘામ -પરમ, પ્રધાન, રાત:-આ કારણથ, સ gવ-તે જ, અભિસંધિ જ, શ્રદ-અહીં, કુલસિદ્ધિ માં, કેની જેમ ? તે માટે કહ્યું કે-વાતવ કૃષિવમળ-કવિકર્મમાં–ખેતીમાં જલની જેમ. એમ કરૂઢિથી પરમ દૃષ્ટાંત છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ (૩૭૬) ગદષ્ટિસમુદાય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય; એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮, અથ:–અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણુ) છે,–જેમ કૃષિકર્મમાં જલ છે તેમ. વિવેચન ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અભિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જુદું જુદું હોય છે. દાખલા તરીકે કોઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જે આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર પરિણામ હોય છે, તે તે ફલામાં પણ ભેદ પડે છે. આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફલદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવામાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. યોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણી જ ન હોય, તે એ બધા ફોગટ છે, પાણીનો જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર
Page 275
અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે. અભિસંધિના–આશયના ભેદના કારણે કહે છે– रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः ॥ ११९ ।। ચિત્ર લગી લેકને, રાગાદિથી આ એમ; બહુ પ્રકારે ભિન્ન અહિં, બુદ્ધયાદિ ભેરે તેમ ૧૧૯, અર્થ અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના ફલના ઉપભોક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે. કૂત્તે – કિમિ -રાગાદિ દેથી, અર્થે ર–આ અભિસંધિ વળી, દુ-આ લોકમાં, મિડને નામ-મનુષ્યોને-અનેક પ્રકારે ભેદ પામે છે, તેના મૃદુ, મધ્ય, અધિમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુને ? તે માટે કહ્યું-નાનાટોમોri-નાના પ્રકારના ફલના ઉપલેતા એવા મનુષ્યોને, તથા યુદ્ધકાર્ભિવતઃ–તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ( કહેવામાં આવનારા ) અભિસંધિ ભેદ પામે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ (૩૭૭) દીમદષ્ટિ: શગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ વિવેચન અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું? તેને અહીં ખુલાસો કર્યો છે કે-રાગાદિ પ્રમાણે તે ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મોહ આદિ પરિણામ હોય છે, તે તેવો આશયવિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કોઈના રાગાદિથી રાગાદિ પરિણામ મંદ-માળા હોય, કેઈના મધ્યમ પ્રકારના હોય, આશયભેદ કોઈના વધારે પડતી માત્રાવાળા–અધિમાત્ર તીવ્ર હોય. આમ એક સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે, અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવો આશય તેવું ફળ મળે છે. દાખલા તરીકે—કેઈ ત્રણ ગૃહસ્થ છે, ને તે દરેક એકસરખી રકમનું ધમાંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હોસ્પીટલ બંધાવે છે; પણ તેમાંને એક કીર્તિને લાલસુ છે, નામને ભૂખે છે, ને લોકે હારી વાહવાહ કરશે, હારા નામની તખ્તી ચડશે, મ્હારું પૂતળું બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજું કંઈક કીર્તિલેભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજે એકાંત પરોપકાર અર્થે કેવળ પરમાર્થ પ્રેમથી પ્રેરિત થઈને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાર્યમાં ત્રણેના રાગાદિ પરિણામ જુદા છે, તેથી આશય જુદા છે, અને તેથી ફળ પણ જુદા છે. પહેલાને કીત્તિ તે મળે છે, પણ ફળ તેથી આગળ વધતું નથી; બીજાને કીત્તિ સાથે કંઈ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિનો સંચય થાય છે, અને જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ આનુષગિક કીર્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવાભાવીને પરવા પણ હોતી નથી. તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જે જે જે બોધ હોય છે, તે તે તેને આશય હોય છે તે બુદ્ધિ આદિ ભેદનું સ્વરૂપ નીચે કહ્યું છે. આકૃતિ ૧૨ રવિ-મન -માનને –{ નોન ' તીન કે અસંમોહ [। इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः ।] Page #454 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૮ ) બુદ્ધિ, જ્ઞાન અને અસમાહ કમ અધિકાર, આ જ કહે છે— बुद्धिर्ज्ञानमसंमोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ જ્ઞાન અસમાહુ એ, એધ ત્રિવિધ કથાય; સર્વ દૈહિના ક સહુ, તસ શેઢે ભેદાય. ૧૨૦. અર્થ:—બુદ્ધિ, જ્ઞાન ને અસમેાહ, એમ ત્રણ પ્રકારના મેધ કહ્યો છે; અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મ ભેદ પામે છે. વિવેચન શાસ્ત્રમાં બેધ ત્રણ પ્રકારના કહ્યો છે:- (૧) બુદ્ધિરૂપ મેધ, (૨ ) જ્ઞાનરૂપ મેધ, (૩) અસ’માહરૂપ મેધ. આ ત્રણેનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ મેધના ભેદને લીધે સવ દેહધારી પ્રાણીઓના ઇષ્ટ આદિ સર્વ કર્મોમાં પણ ભેદ પડે છે. જેવા જેવા જેને એધ, જેવી જેવી જેની સમજણુ, તેવા તેવા તેના કર્મમાં ભેદ હાય છે;
Page 276
કારણ કે હેતુભેદ હોય તે ફલભેદ પણ હાય, એ ન્યાયની રીતિ છે. કારણ જૂદું, પણ જુદુ' હાય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કમાં, મેધની તરતમતા પ્રમાણે, ક્રમની તરતમતાના ભેદ પડે છે. કા તેમાં— ★ યોગદૃષ્ટિસમુચ્ચય इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठान वच्चैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ ઇંદ્રિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન; સદનુષ્ઠાનવત્ જ્ઞાનનું, અસ'મેહુ અભિધાન, ૧૨૧ વૃત્તિ:—વૃદ્ધિ:-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાનમ્-જ્ઞાન પણ એમ જ, સંમો:અસંમેાહ પણ એમ, ત્રિવિધો કોષઃ-ત્રણ પ્રકારને એધ, વ્યતે-શાસ્ત્રોમાં કહ્યો છે, તદ્નેાત્ તે બુદ્ધિ આદિના ભેદ ઉપરથી, સર્વઽળિ-ઇષ્ટ આદિ સવ” કર્યાં, મિથુન્ત-ભેદ પામે છે, સર્વતૃદિનામ્સવ` દેહધારીઓના, પ્રાણીઓના,-તેના હેતુભેદ થકી ભેદ હોય છે એટલા માટે. વૃત્તિ:—રેંદ્રિયાશ્રયા વુદ્ધિ:-ઇંદ્રિય અર્થના આશ્રય કરે તે બુદ્ધિ છે,−તી યાત્રાળુનુ દ”ન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનસ્વામપૂર્વમ્ અને જ્ઞાન આગમપૂર્ણાંક હોય છે,— તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જેમ; સનુષ્ઠાનવ ચૈત્- અને સદનુષ્ઠાનવાળુ. આ જ્ઞાન, શું? તે કેસમોોમિલીયતે-અસંમેહ કહેવાય છે, એધરાજ છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : બુદ્ધિ જ્ઞાન અને અસહ કર્મ-રત્ન દષ્ટાંત (૩૭૯) અર્થ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે “બુદ્ધિ' છે, આગમપૂર્વક (કૃતપૂર્વક) હોય તે “જ્ઞાન” છે, અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન તે “અસંમોહ” કહેવાય છે. વિવેચન તેમાં (૧) જે બુદ્ધિ છે તે ઇંદ્રિય અર્થને આશ્રય કરનારી છે. ઇંદ્રિયદ્વારા જણને પદાર્થ તે બુદ્ધિને વિષય છે ઇંદ્રિય થકી જે જાણપણું થાય છે, તે બુદ્ધિરૂપ બાધ છે. જેમકે-કેઈ તીર્થયાત્રાળુને દેખીને તીર્થગમનની બુદ્ધિ ઉપજે, તે બુદ્ધિજન્ય બોધ છે. આમાં તીથના સ્વરૂપની ગતાગમ નથી, માત્ર અન્યને તીર્થે જતે દેખી, ત્યાં તીર્થે જઈએ તે કેવું સારું? એવી પિતાને બુદ્ધિ ઉપજે છે. (૨) જ્ઞાન જે છે તે આગમપૂર્વક છે. શાસ્ત્ર અથવા મૃતદ્વારા જે બેધ ઉપજે છે, જે જાણપણું થાય છે, જે સમજણ આવે છે, તે જ્ઞાનરૂ૫ બોધ છે. જેમકે–તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન આગમ દ્વારા થાય છે. તીર્થ એટલે શું ? તીર્થ સ્વરૂપ શું ? તીર્થયાત્રા કેમ કરવી? એ વગેરે વિધિ બાબત શાસ્ત્રથકી જણાય છે. ભવસાગરથી તારે તે તીર્થ. તેના વળી દ્રવ્યતીર્થ, ક્ષેત્રતીર્થ, કાળતીર્થ ને ભાવતીર્થ એવા ભેદ છે. તે પ્રત્યે કેવા વિનય, વિવેક, ભક્તિ, આદર, બહુમાન આદિ દાખવવા જોઈએ, એ બધી વિધિ શાસ્ત્ર વિસ્તારથી બતાવે છે. (૩) અને સદનુષ્ઠાનવાળું આ જે જ્ઞાન તે અસમેહ અથવા “બેધરાજ' કહેવાય છે. આગમ દ્વારા જે જાણ્યુંસમજાયું તે જ્ઞાન થયું. તદનુસાર તે જ્ઞાનસહિતપણે તથારૂપ સત્ પ્રવૃત્તિ-આચરણ કરવું તે, બંધમાં શિરોમણિ, બોધરાજ, એ અસંમેહરૂપ બંધ છે. આમ બુદ્ધિમાં ઈદ્રિયદ્વારા રક જાણપણું છે, જ્ઞાનમાં શાસ્ત્રથકી જાણપણું છે, અને અસંમેહમાં જ્ઞાન સહિત સઆચરણપણું છે. અને તેથી કરીને તેના ફલમાં પણ ભેદપણું છે. ઇઢિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન તે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફલભેદ સંકેત મન.”—શ્રી યે દ. સ. ૪–૧૬. એમ એઓનું લક્ષણ વ્યવસ્થિત સતે, લેકસિદ્ધ ઉદાહરણ કહે છે— रत्नोपलम्भतज्ज्ञानतत्प्रायादि यथाक्रमम् । इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥ १२२ ॥ વૃત્તિ:- સ્નેપસ્ટમ-રત્નનું સામાન્યથી જાણપણ તે ઈદ્રિય અર્થના આશ્રમવાળી બુદ્ધિ છે, તડજ્ઞાન- આગમપૂર્વક તે રત્નનું તે જ્ઞાન રત્નજ્ઞાન છે. તબEયાદ્ધિ-તેની પ્રાપ્તિ આદિ તે અસંમેહ છે–એના બોધગર્ભપણાને લીધે, યથામH-આમ યથાક્રમે, ઉક્ત અનુક્રમે, અહીં, બુદ્ધિ વિષયમાં, -ઉદાહરણ, સાધુ-સાધુ છે, (સમ્યફ છે ),-ઈષ્ટ અર્થને સાધકપણાને લીધે. એટલા માટે જ કહ્યું–શૈકં યુદ્ધવાલિસિદ્ધયે-બુદ્ધિ, જ્ઞાન, ને અસંમેહની સિદ્ધિ અર્થે જાણવું. Page #456 -------------------------------------------------------------------------- ________________ (૩૮૦) યોગદિસમુચ્ચય રત્ન તણા ઉપલભ ને, તેહુ તણુ' વળી જ્ઞાન ; પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હોય આ સ્થાન; એહુ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહી જાણ; બુદ્ધિ આદિની સિદ્ધિને, કાજે સાધુ પ્રમાણ, ૧૨૨
Page 277
અર્થ:—રત્નની જાણ ( ખખર ) થવી, તેનુ' જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ ( સમ્યક્-સાધક ) ઉદાહરણ જાણવુ', વિવેચન રત્નના ઉપલ’ભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થાંના આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે રત્નનુ જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનુ દૃષ્ટાંત મેધગર્ભ પણાને લીધે અસમાહ છે. આમ અનુક્રમે અહી બુદ્ધિ આદિ પરત્વે સાધુ–સમ્યક્ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઇષ્ટ અનુ. ખરાખર સાધક છે, એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસ'માહુનું ખરાખર સચાટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લૌકિક રત્નનુ દૃષ્ટાંત રજુ કર્યુ છે: (૧) જેમ કાઇ એક રત્ન હાય, તેને દેખી સામાન્યથી ચક્ષુઇંદ્રિયના વિષયથી · આ રત્ન છે' એવુ' જે જાણુપણ”, તે બુદ્ધિરૂપ આધ છે. (૨) અને રત્નના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સ`ખ'ધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ મેધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે એળખી, તે રત્નની પ્રાપ્તિ વગેરે થવી, તે અસમેાહરૂપ બેધ છે. અસ’મેહમાં તથારૂપ જ્ઞાન । અંતર્ભૂત હાય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હેાય તે। અસ માહ કેમ ઉપજે ? એળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે ? એટલે સમ્યપણે એળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હાય, ત્યાં સમાહ કયાંથી હાય ? અસંમાહુ જ હાય. ⭑ સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે— आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ વૃતિઃ—માત્ર:-આદર, યત્નતિશય ( અતિશય મન ), રત્ને-ષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, પ્રીતિ:-પ્રીતિ, અભિધ્વંગરૂપ પ્રીતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), વિન્ન:-અવિદ્મ,−તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ્ર-અદૃષ્ટના સામર્થ્યને લીધે, સંપવામ-સંપદ્ આગમ, સંપત્તિની પ્રાપ્તિ,—તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, નિજ્ઞાઢા-જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, ઈષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તાલેવા ૨-અને તનની—તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઇષ્ટ ઉચિત સેવા, ૬— શબ્દ ઉપરથી અનુગ્રહનું ગ્રહણ છે, સનુષ્ઠાનક્ષળમ્— આ સનુષ્ઠાનનું લક્ષણુ છે. કારણ કે એનુ અનુબંધસારપણ છે ( અનુબંધપ્રધાનપણું છે, પરંપરાએ એને ઉત્તરાત્તર શુભ અનુભધ થયા કરે છે). Page #457 -------------------------------------------------------------------------- ________________ દીકાદ : સત અનુષ્ઠાનનું લક્ષણ (૩૮૧) આદર પ્રીતિ અવિધ ને, સંપદ પ્રાપ્તિ તેમ; જિજ્ઞાસા તજજ્ઞ સેવના, સત કૃતિ લક્ષણ એમ. ૧૨૩ અર્થ:–ક્રિયાને વિષે આદર, પ્રીતિ, અવિખ, સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા અને તજુની-તેના જ્ઞાતા પુરુષની સેવના-આ સત્ અનુષ્ઠાનનું ( ક્રિયાનું) લક્ષણ છે. વિવેચન ઉપરમાં જે સદનુષ્ઠાન કહ્યું, તેનું લક્ષણ અહીં બતાવ્યું છેઃ (૧) ક્રિયામાં આદર, (૨) પ્રીતિ, (૩) અવિખ, (૪) સંપત્તિ પ્રાપ્તિ, (૫) જિજ્ઞાસા, (૬ ) તજજ્ઞસેવા, (૭) તેને અનુગ્રહ. સનુષ્ઠાનનું લક્ષણ ૧. ક્રિયા આદર –ઈસ્ટ આદિ કરવામાં આદર એટલે કે યત્નાતિશય હેય; જે ઈષ્ટ વગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક, અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિ કાઢતાં ખૂબ જાળવીને, ઉપયોગજાગૃતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુષ્ઠાન સૂચવે છે. દાખલા તરીકે ભક્તિ કાર્યમાં– સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે...સુવિધિ દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈએ રે.સુવિધિ” શ્રી આનંદઘનજી ૨. પ્રીતિ–તે ક્રિયા-અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ, અભિળંગ-રનેહરૂપ પ્રીતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. કઈ પણ ક્રિયામાં અંતરની પ્રીતિ-પ્રેમ-ઉમળકે જ્યાં લગી ન હોય, ત્યાં લગી તે ક્રિયા નીરસ, ફીક્કી, ને લુખી
Page 278
લાગે છે, વેઠ કાઢવારૂપ થઈ પડે છે. જ્યારે તેના પ્રત્યે અંતરને પ્રેમ-ઉલ્લાસ પ્રગટે છે, ત્યારે તે જ ક્રિયા અત્યંત સરસ, આહલાદક ને રોમાંચક નિવડે છે, ત્યારે આત્મા તેમાં તન્મય થઈ એકરસ બને છે. દાખલા તરીકે-પ્રભુભક્તિ કરવામાં આવે, તેમાં પ્રીતિની પ્રથમ આવશ્યકતા છે. પ્રભુ પ્રત્યે પર પ્રેમ પ્રવાહ પ્રગટે, અનન્ય પ્રીતિ જાગે, ત્યારે જ પ્રભુ ભક્તિની ઓર મજાહ-લીજજત અનુભવાય છે, ત્યારે જ જીવ પ્રભુભક્તિમાં તન્મય થઈ એકરસપણું–એક્તાનપણું અનુભવે છે. “અજિત નિણંદ શું પ્રીતડી, મને ન ગમે તો બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે...અજિત Page #458 -------------------------------------------------------------------------- ________________ (૩૮૨) ગદષ્ઠિસમુચ્ચય કેકિલ કલ કૃજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઊંછા તરુવર નવિ ગમે, ગિરુઆ શું હોયે ગુણને પ્યાર કે... અજિત કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ શું પ્રીત કે; ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે....અજિત તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું છે નવિ આવે દાય કે શ્રી નયવિજય વિબુધ તણ, વાચક જય હો નિત નિત ગુણ ગાય કે..અજિત.” શ્રી યશોવિજયજી સ્વામી સ્વયંપ્રભને જાઉ ભામણે, હરખે વાર હાર; વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર.–સ્વામી”—શ્રી દેવચંદ્રજી ૩. અવિન્ન-ક્રિયામાં અવિશ્ન-નિર્વિઘપણું એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આ નિર્વિઘપણું અદષ્ટ એવા પૂર્વોપાર્જિત શુભ કર્મના સામર્થ્યથી ઉપજે છે. નિવિંદને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુષ્યને પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સર્વ વિજ્ઞ દૂર નાસે છે. શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂર નાસે છે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે છે. ”—શ્રી યશોવિજયજી ૪. સંપદાગમ-સંપદુનું આવવું, સંપત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સંપત્તિ પણ શુભભાવથી ઉપાજેલા પુણ્યકર્મથી આવી મળે છે. કોઈ કિયા ફલ વિનાની હોતી નથી, તેમ સક્રિયા પણ સફલ વિનાની હોતી નથી. એટલે સક્રિયાના ફલ પરિણામે દ્રવ્ય-ભાવ સંપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઈ નવાઈ નથી. દ્રવ્યસંપત્તિ એટલે અર્થ-વૈભવ વગેરે લૌકિક સંપત્તિ, અને ભાવસંપત્તિ એટલે વિદ્યા-વિય-વિવેકવૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સગુણોની આધ્યાત્મિક સંપત્તિ. આવી સંપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફલ છે એમ સમજવું. દાખલા તરીકેપ્રભુભક્તિ અંગે કવિવર યશોવિજયજી કહે છે – “ચંદ્ર કિરણ ઉવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપે જી; જે પ્રભુભક્તિ કરે નિત વિનય, તે અરિયણ બહુ પ્રતાપી ઝપે છે. શ્રી નમિ. મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગે જી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગે છે. શ્રી નમિ. ” ૫. જિજ્ઞાસા–તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઇચ્છા, ઉત્કંઠા, ઉત્સુકતા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ દીમાષ્ટિ: પાંચ પ્રકારનું અનુષ્ઠાન (૩૮૩) ૬. તજજ્ઞ સેવા–તજજ્ઞ એટલે તેના જ્ઞાતા પુરુષની-જાણકારની સેવા તે પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. જે સાચો જિજ્ઞાસુ-તત્ત્વપિપાસુ હોય છે, જેને તત્વ જાણવાની તરસ લાગી છે, ને તે તરસ બુઝાવવાને જે ઈચ્છે છે, તે તેના જાણકાર જ્ઞાતા પુરુષને શોધે છે, ને નિખાલસપણે નિર્માનીપણે તેની પાસેથી પોતાની જિજ્ઞાસા સંતોષવા ઇચ્છે છે, એટલે તે તજની સેવા-ઉપાસના કરે છે, તેમના ચરણકમલ પ્રત્યે “ઉપનિષદ” (સમીપ–પાસે બેસવું તે) કરે છે, જેથી તેને “ ઉપનિષદ –રહાયભૂત જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાની સપુરુષની સેવા–પર્યું પાસના કરવી તે સદનુષ્ઠાનનું સૂચક લક્ષણ છે. સેવે સંગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ”–શ્રીમદ્ રાજચંદ્રજી ૭. તજજ્ઞ અનુગ્રહ–તેના જ્ઞાતા પુરુષનો અનુગ્રહ-કૃપાપ્રસાદ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. તજજ્ઞની
Page 279
સેવા કરતાં, તે પ્રસન્ન થાય છે, અને તેથી તેને અનુગ્રહ ઉપજે છે. જો કે જ્ઞાની પુરુષ તેવી સેવાના બીલકુલ અભિલાષી હોતા જ નથી, પણ જિજ્ઞાસુને તેથી આત્મલાભ થાય છે, તેથી તેવી યાચિત સેવા કરવી એ તેના પિતાના જ હિતની વાત છે. એટલે જ્ઞાનીની સેવાથી જિજ્ઞાસા સંતોષાવારૂપ અનુગ્રહ હોય છે, અને આમ જ્ઞાનીની કૃપાદૃષ્ટિની વૃષ્ટિથી જીવના સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આમ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આદર કિરિયા રતિ ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છી; જિજ્ઞાસા બુધ સેવના છે, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યેષ્ઠી.મન –એ. ૬. સ. ૪-૧૭ આને “સદનુષ્ઠાન” કહેવાનું કારણ એ કે તેનું અનુબંધસારપણું છે, અનુબંધપ્રધાનપણું છે. તેથી ઉત્તરોત્તર શુભ અનુબંધપરંપરા થયા કરે છે, અને ઉત્તરોત્તર પુણ્યાનુબંધ પુણ્યની માત્રા વધતી જાય છે. અત્રે સદનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે અનુષ્ઠાનના પ્રકાર સમજવા યોગ્ય છે, કારણ કે એક જ અનુષ્ઠાનમાં કત્તના ભેદથી ભેદ પડે છે,–જેમ રોગી અને નીરોગી ભક્તાના ભેદથી ભોજનાદિ બાબતમાં ભેદ પડે છે તેમ; રોગીને અમુક ભોજન પાંચ પ્રકારનું વગેરે રોગવૃદ્ધિનો હેતુ થાય છે, અને નીરોગીને તે જ ભોજનાદિ અનુષ્ઠાન બપચયનું-પુષ્ટિનું કારણ થાય છે તેમ. આમ આ અનુષ્ઠાન સામાન્યથી પાંચ પ્રકારનું કહ્યું છે –(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તદ્ધતુ, (૫) અમૃત.-ગુરુ આદિના પૂજાનુષ્ઠાનમાં અપેક્ષાદિ વિધાનથી આમ ભેદ પડે છે. તેમાં (૧) આ લેકમાં લબ્ધિ-કીર્તિ આદિની અપેક્ષાથી જે કરવામાં આવે છે તે વિષ અનુષ્ઠાન છે. કારણ કે આ સચ્ચિત્તને મારી નાખે છે અને મહતું એવા અનુષ્ઠાનનું અલેપ સ્પૃહણથી લઘુત્ર સંપાદન કરે છે. તેથી આ ખરેખર વિષ છે. ૨) દિવ્ય ભોગના અભિછે લાથી જે કરવામાં આવે છે તે “ગર’ અનુષ્ઠાન છે. કારણ ઉપરમાં કહી તે જ નીતિથી Page #460 -------------------------------------------------------------------------- ________________ (૩૮૪) ગદષ્ટિસમુચ્ચય આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાંખે છે, ભવાન્તરમાં અનર્થ સંપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર “ગર” અનુષ્ઠાનક છે. (૩) અનાભોગવંતનું–બેખબરનું જે સંમૂચ્છનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન * છે, તે અનનુષ્ઠાન છે, કર્યું ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુગ્ધ છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી-બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવને શ્રેય હેતુ હોવાથી “તા” અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશને વેગ છે. (૫) આ જિનેક્ત છે એમ જાણ કરવામાં આવતું એવું ભાવસાર જે અત્યંત સંવેગગર્ભ અનુષ્ઠાન છે, તેને મુનિપંગ “અમૃત” અનુષ્ઠાન કહે છે. “વિનોતિનિતિ ચાતુર્માવતનમઃ પુનઃ સંવેળાર્મસાત્તમમૃતં મુનિyવા છે –શ્રી ગિબિંદુ “જિનગુણ અમૃતપાનથી રે...મન અમૃત ક્રિયાને પસાય. રે ભવિ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે...મન આતમ અમૃત થાય રે ભવિ.”—શ્રી દેવચંદ્રજી આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,–અસત્ છે, હેય છે, ચોથું કંઈક અંશે પ્રશસ્ત-સત્ છે; અને છેલ્લું અમૃત અનુષ્ઠાન તે પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે. તેમાં– बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ વૃત્તિઃ-શુદ્ધિપૂર્વાળિ વળિ સજ્જૈવ-સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો, અહી લેકમ, હિનાદેહધારીએાના, પ્રાણીઓના. શું ? તે કે-સંજ્ઞાનાચેવ-સંસરફલદાયક જ છે, કારણ કે તેઓનું શાસ્ત્રપૂર્વકપણું નથી, એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમ જ કહે છે-વારવિસાર -તેઓનું નિયોગથી જ-નિયમથી જ વિપાકવિરસપણું છે તેથી કરીને, વિપાકમા–પરિણામે તેઓને વિરપણું છે તેટલા માટે. x “विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ञयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहर्मनीषिणः। હૂિતિનીધૈવ વસ્ત્રાન્તાનિવારનાT
Page 280
”—શી ગબિંદુ * "अनाभोगवतश्चतदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ॥ एतद्रागा दिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावशियोगतः ।।" –ી ગબિંદુ Page #461 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિ: બુદ્ધિ કર્મ વિપાકવિરલ સંસાર (૩૮૫) બુદ્ધિપૂર્વક કર્મ સહુ, દેહધારીના આંહિ; વિપાક વિરસ પણ થકી, સંસારફલદાયિ. ૧૨૪. અર્થ –અહીં પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કમે છે તે સર્વેય, વિપાક વિરસપણને લીધે, સંસારફલ જ દેનાર છે. વિવેચન આ લેકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો વિપાકવિરતપણાએ કરીને સંસારફલ જ આપનારા હોય છે. અત્ર સામાન્યથી જોઈએ તે પ્રાણીઓ સર્વેય કર્મો બુદ્ધિપૂર્વક એટલે કે ઇંદ્રિયજન્ય બંધ દ્વારા કરે છે; આંખથી, કાનથી, નાથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે– ઇદ્રિયપ્રવૃત્તિ આંખથી કઈ પદાર્થ દેખવામાં આવ્યું, જાણવામાં આવ્યું, તે પદાર્થ અને સ્મૃતિ- ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું સંસ્કાર મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખને સંદેશ મગજને પહોંચ્યા, મગજે બુદ્ધિને પહોંચાડ્યો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે “આ લેવા તું જા, તથા હાથને આદેશ દીધું કે “આ તું લે. આ બધી સૂક્ષમ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઈચ્છાનિષ્ટ પદાર્થ સંબંધી મૃતિસંસ્કાર–ધારણું પણ રહી જાય છે. જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિને નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇન્દ્રિયો દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ બોધથી તે તે પ્રકારનું ઈષ્ટ–અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણ–ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સ્મૃતિસંસ્કારની વાસનાથી તથા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય બોધથી પ્રાણીઓના સામાન્યપણે સર્વ કર્મની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, લેવું, મૂકવું એ વગેરે વિષયભેગ પ્રવૃત્તિ, વગર શિખચૅ પણે, પ્રાણીઓ કર્યા કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી. અને આ વિષયસેગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્મો છે, તેનું વિપાક વિરસ૫ણું છે, વિપાકે-પરિણામે તે અવશ્ય વિરસ નીવડે છે. જે વિષયે પ્રથમ સરસ લાગે છે, તે જ પરિણામે વિરસ-રસહીન–ભૂખ લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને વિષયનું વિપાક આકર્ષક ભાસે છે, તે જ પ્રાંતે તેને મેહ ઉતરી જતાં કડવાં ને વિરપણું અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલેના રૂપ-રસ-ગંધ-સ્પર્શ પ્રથમ સરસ ને મનેજ્ઞ હતા, તે જ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં Page #462 -------------------------------------------------------------------------- ________________ (૩૮૬) યોગદૃષ્ટિ સમુચચ્ચ વિરસ થઈ જતાં અમનેાજ્ઞ-અકારા લાગે છે. કારણ કે પૂરાવ' ને ગળવું. જ્યાં નિરંતર થયા કરે છે તે પુદ્ગલ છે, અને સડવાને-વિધ્વંસ પામવાના તેના સ્વભાવ છે. આવા પુદ્ગલરૂપ વિષયેા ભાગવતાં તા પ્રારભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા ક્રુતિકારણ થાય છે, એટલે તેનુ વિપાક વિરસપણું છે. 'પાકકલ-ઇંદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાષા પછી શીઘ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભાગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વરસ થઇ પડે છે. જ્ઞાનીએએ આ ભાગાને ભુજંગના ભાગ જેવા-સાપની કૃણા જેવા કહ્યા છે, તે શીઘ્ર પ્રાણ હરે છે, ને તે ભાગવતાં દેવને પણ સ`સારમાં રખડવું પડે છે. આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્માનુ’ વિપાકવિરસપણું છે. . ' " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रति मूढ विनष्टं भुवनत्रयम् 1 भोगा भुजङ्गभोगाभाः सद्यः प्राणापहारिणः । सेव्यमाना प्रजायन्ते संसारे त्रिदशैरपि ।। " શ્રી શુભચદ્રાચાર્ય છકૃત શ્રી જ્ઞાનાવ. અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્યું સસારä જ આપે છે, કારણ કે તેં કર્યાં શાપૂર્વક નથી, શાસ્રને-માસવચનને આગળ કરી તે કરવામાં આવતા
Page 281
નથી, શાસ્ત્રાજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફૂલ-પરિણામ એકાંત ભવભ્રમણુરૂપ સ'સાર જ છે. “ સયલ સંસારી ઈંદ્રિયરામી, મુનિ ગુણુ આતમરામી રે.”—શ્રી આન દઘનજી. * ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ।। १२५ ।। મુક્તિ અગ કુલચાગિને, જ્ઞાનપૂર્યાં તે કર્યાં; શ્રુતશક્તિ સમાવેશથી અનુબંધે શિવ શ. ૧૨૫, અઃ—જ્ઞાનપૂર્વક એવા તે જ કમે* કુલયેાગીઓને મુક્તિના અગરૂપ હેાય છે; કાણુ કે એમાં શ્રુતશક્તિના સમાવેશને લીધે અનુખ ધલપણું હાય છે. વૃત્તિ:—જ્ઞાનપૂર્વાળિ-જ્ઞાનપૂ`ક, થેાક્ત જ્ઞાન–નિબંધનવાળા, ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણવાળા ). તાન્યેવ—તે જ કર્યાં. શુ ? તે કે-મુત્ત્વ –મુક્તિનુ અંગ હોય છે, યોગિનામ્કુલયેાગીઓને, જેનુ લક્ષણ કહેવામાં આવશે. કુલયેાગીનું ગ્રહણુ, અન્યને અસ્ભવ જણાવવા માટે છે. શા કારણથી ? તે કે-શ્રુતાન્તિસમાવેશાર્–શ્રુત શક્તિના સમાવેશરૂપ હેતુથી. આ ( શ્રુતશક્તિ ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કુલયેાગીપણું હાતું નથી. એટલા માટે જ કહ્યું" - અનુય—હત્વત:-અનુખ ધફલપણા થકી,–મુક્તિ અંગની સિદ્ધિમાં તાત્ત્વિક અનુબંધના એવ’ભૂતપણાને લીધે. ( મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્ત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે ). Page #463 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ જ્ઞાનકમ મુક્તિ અંગ, શ્રત અમૃત શક્તિ (૩૮૭) વિવેચન જે જ્ઞાનપૂર્વક કર્મે છે, તે મુકિત અંગરૂપ છે, અને તે કુલયોગીઓને જ હોય છે, કારણ કે શ્રુતશક્તિના સમાવેશથી તેઓને અનુબંધફલપણું હોય છે. જ્ઞાનપૂર્વક કર્મ એટલે આગમપૂર્વક જે કર્મો કરવામાં આવે છે. શાસ્ત્ર આજ્ઞાને આગળ કરી–અનુસરી જે કર્મો કરવામાં આવે છે, તે મુક્તિના અંગરૂપ છે, મેક્ષના કારણરૂપ થઈ પડે છે. કારણ કે આપ્ત અર્થાત્ પ્રમાણભૂત પુરુષની આજ્ઞાને અનુસરવું તે મેક્ષને પ્રધાન હેતુ છે, માક્ષને ધોરી રસ્તેરાજમાર્ગ છે. એટલે તથારૂપ આસ પુરુષથી પ્રણીત શાસ્ત્ર-આજ્ઞાનું પ્રમાણ માની, શિરસાવંઘ ગણી, માથે ચઢાવી, જે કઈ સતકર્મ કરે છે, તે મોક્ષમાર્ગ સાધે છે. “ તુમ આણા હે આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે.” “આણું રંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીઘ વરી જે.”–શ્રી દેવચંદ્રજી આમ જેમાં આપ્ત આજ્ઞાનું અનુસરણ મુખ્ય છે એવા આ મુક્તિ અંગરૂપ જ્ઞાનપૂર્વક કર્મો કુલગીઓને જ હોય છે,–બીજાને નહિં. આ કુલગીનું લક્ષણ આગળ ઉપર કહેવામાં આવશે. આ કુલગીઓને જ આ જ્ઞાનપૂર્વક કર્મોને સંભવ અમૃત સતી કહ્યો, તેનું કારણ એ છે કે તેથી હેડલી અવસ્થામાં બુદ્ધિપૂર્વક કર્મો શ્રુતશક્તિ હોય છે, ને ઉપલી અવસ્થામાં અસંમેહરૂપ કર્મો હોય છે. એટલે કુલ યોગી સિવાય અન્યને આ જ્ઞાનપૂર્વક કર્મોને અસંભવ કહ્યો. અને કુલયોગીઓને આનો સંભવ કહ્યો, તેનું કારણ પણ તેઓને શ્રુતશક્તિને સમાવેશ હોય છે, અને તેથી કરીને અનુબંધફલપણું હોય છે, તે છે. આ શ્રુતશક્તિ અમૃતશક્તિ જેવી છે. એ ન હોય તે મુખ્ય એવું કુલગીપણું હોતું નથી. અમૃત જેમ મરેલાને કે મૂર્શિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ પણ મહામહથી મૃતપ્રાય અથવા મૂચ્છિત બનેલા જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ-જીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે. આ સંજીવની જેવી પરમ અમૃતસ્વરૂપ શ્રુતશક્તિનો સમાવેશથી અર્થાત્ સમ્યક અંતઃપ્રવેશથી, દઢ ભાવરંગથી મુખ્ય એવું કુલગીપણું પ્રાપ્ત થાય છે. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે, દ્રવ્ય ભાવ આશ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે....પ્રભુ અંતરજામી.” શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી Page #464 -------------------------------------------------------------------------- ________________ (૩૮૮) ગદષ્ટિસમુચ્ચય અને આવી આ અમૃત સમાણી શ્રુતશક્તિના મહાપ્રભાવથી અનુબંધ ફ્લ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તરોત્તર અધિકાધિક શુભ ફલપરંપરા સાંપડે છે; એક શુભ ફલ બીજા વધારે શુભ ફલનું કારણ થાય છે, એમ ને એમ શુભ ફલની સંકલના અતૂટપણે–
Page 282
અખંડપણે ચાલ્યા કરે છે, યાવત્ પરમ ભક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ શ્રુતશક્તિના પ્રભાવે કુલોગીઓને તાત્વિક અનુબંધ થયા કરે છે, તેથી જ આ જ્ઞાનપૂર્વક કર્મો તેઓને મુક્તિઅંગરૂપ થઈ પડે છે. આમ કુલગીઓનું અનુષ્ઠાન અનુબંધ ફલવાળું હોય છે, કારણ કે તે અનુબંધશુદ્ધ હોય છે. આ બરાબર સમજવા માટે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. અનુષ્ઠાન ત્રણ પ્રકારનું કહ્યું છેઃ (૧) વિષયશુદ્ધ, (૨) ત્રિવિધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ, (૩) અનુબંધ શુદ્ધ. આ ત્રણ અનુષ્ઠાનનું ઉત્તરોત્તર અને તેનું ફલ પ્રધાનપણું છે. (૧) તેમાં મુક્તિને અર્થે–મને મુક્તિ મળશે એમ મુગ્ધપણે-ભોળા ભાવે માનીને જે ભૃગુપત આદિ પણ કરવામાં આવે છે, તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અને તે મુક્તિના લેશ ઉપાદેયભાવથી શુભ કહ્યું છે, પણ અત્યંત સાવદ્યરૂપ૫ણને (પાપરૂપ પણાને) લીધે તે સ્વરૂપથી શુદ્ધ નથી. (૨) સ્વરૂપ. શુદ્ધ અનુષ્ઠાન તે કદષ્ટિથી વ્યવસ્થિત એવા યાદિ જ છે, અર્થાત્ તાત્વિક સ્વરૂપ સમજ્યા વિના જે અહિંસા-સત્ય વગેરે યમ આદિ લૌકિક રીતે-શૂલ લેકરૂઢિ પ્રમાણે કરવામાં આવે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. પણ તે યથાશાસ્ત્ર નથી, શાસ્ત્ર અનુસાર નથી, કારણ કે સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન આદિને અભાવ છે. આ અનુષ્ઠાન સ્વરૂપથી તે શુદ્ધ છે, પણ વિધિથી શુદ્ધ નથી. (૩) જે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે તે આ યાદિ જ છે, પણ તે તત્વસંવેદનથી અનુગત હોય છે, સમ્યક્ તત્વપરિજ્ઞાનથી યુક્ત હોય છે, તત્ત્વની બરાબર સમજણવાળું હોય છે, તથા પ્રશાંત-નિષ્કષાય વૃત્તિવડે કરીને તે સર્વત્ર અત્યંતપણે ઉત્સુકતા રહિત હોય છે. આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપથી અને વિધિથી પણ શુદ્ધ હોય છે. "तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । પ્રશાંતવૃા સર્વત્ર દઢપૌટુર્નતમ્ ” –શ્રી ગબિંદુ આ ત્રણેનું ફળ અનુક્રમે આ પ્રમાણે છેઃ- (૧) વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દષવિરામ થતો નથી, અર્થાત્ મોક્ષલાભને બાધક એ દેષ દૂર થતું નથી. કારણ કે તમસનુંઅજ્ઞાન અંધકારનું બાહુલ્ય-પ્રબલપણું છે, તેથી જ આવી આત્મઘાતરૂપ કુમતિ સૂઝે છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દોષ દૂર તે થાય છે, પણ એકાંત અનુબંધથી દૂર થતો નથી. ભસ્મ કરાયેલા દેડકાના ચૂર્ણને જે નાશ કરવામાં આવ્યું હોય તે તેમાંથી દેડકાની ઉત્પત્તિ ન થાય, પણ અત્રે તો તેની જેમ દોષનો સાનુબંધ નાશ થતું નથી કે જેથી બીજા ભાવિ Page #465 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાતૃષ્ટિ : વિવિધ અનુષ્ઠાન અને તેનુ ફળ (૩૮૯) દોષ ન ઉપજે. દોષ દૂર તા થાય છે, પણ દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દોષ દૂર થાય ત્યાં ખીજા ઉભા જ છે. આંધળા વર્ષે ને પાડા ચાવે' એના જેવી પરિસ્થિતિ થાય છે ! કારણ કે તેમાં ગુરુલાઘવ-ચિ'તાદિ નિયમથી હેાતા નથી; અર્થાત્ ગુણ—દોષના ગુરુલઘુભાવના પ્રમાણનું ભાન અત્ર હેતુ નથી. એટલે આજને એને બાહ્ય—મપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે, અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવુ તે છે. કિદ્યાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પેાતે પ્રજાને લૂટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહ્ય દોષને અભાવ છતાં, અદરખાનેથી આ કુરાજા જેવા તત્ત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષવિંગમ× થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત્ દોષ દૂર થવાની પર`પરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસ ંધાન ચાલુ રહે છે. આ દોષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યા છે. ઘરને પાયે મજબૂત હાય, તા તેના ઉપર માળના માળ ઉપરાઉપર ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરાત્તર દોષ દૂર થવાનેા અનુષધ થયા
Page 283
જ કરે છે. આવુ આ અનુષ્ઠાન ગુરુલાઘવ ચિ'તાથી યુક્ત હાઇ, ગુણદોષના પ્રમાણના ખરાખર ભાનવાળું હાઈ, તેવુ અનુબંધવાળુ ઉદાર ફલ આપે છે. એથી કરીને અત્રે સર્વય પ્રવૃત્તિ સદૈવ મહાદયવાળી હાય છે. આવુ. આ અનુષંધશુદ્ધ અનુષ્ઠાન કુલયેાગીઓને હાવાથી તેઓને સાનુઅધ ફ્ય પ્રાપ્તિ હાય છે. * असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाण फलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસ માહરૂપ ક; ભવાતીત અ ગામિને, શીઘ્ર દીએ શિવશ ૧૨૬. વૃત્તિ:-અસંમોછ્તમુત્થાનિ–અસ માહથી ઉદ્દભવેલા, મથાક્ત અસમાહરૂપ નિખ ધન-કારણવાળા, તે જ કર્યું તુ—તેા, વળી, હ્રાન્સહિત એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી,પરિપાક વશે કરીને; શું ? તે કે-નિર્વાળજ્જાન્યાણુ-શીઘ્ર નિર્વાણુ ફૂલ દેનારા છે. કાને ? તે માટે કહ્યું-મવાસીતાર્થયાયિનામ્-સ સારાતીત અથ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્મક્- પરત વવેકીને—પર તત્ત્વ જાણનારાઓને એમ અ છે. * “ तृतीयाद्दोषविगमः सानुबंधो नियोगतः । गृहाद्यभूमिका पाततुल्यः कैश्चिदुदाहृतः ॥ एतद कलदं गुरुलाघवचितया । अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया " ॥ —(આધાર માટે જુએ) યાગબિંદુ Page #466 -------------------------------------------------------------------------- ________________ (૩૯૦) ગદષ્ટિસમુચ્ચય અ:— અને અસ’માહથી ઉપજતા એવા તે જ કર્મી, એકાંત પરિશુદ્ધિને લીધે, સસારાતીત-પર અથ પ્રત્યે ગમન કરનારાઓને (પરતત્ત્વવેદીએને) શીઘ્ર નિર્વાણુ ફેલ દેનારા હાય છે. વિવેચન અસમાહથી ઉપજેલા એવા કર્મી, એકાંત પરિશુદ્ધિને લીધે, ભવાતીત-સ'સારાતીત અ ગામીઓને શીઘ્ર નિર્વાણુ લ આપનારા એવા હાય છે. ઉપરમાં કહ્યા પ્રમાણે સદ્અનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસ માહ કહેવાય છે. એવા અસંમાહથી એટલે કે સઅનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે શીઘ્ર નિર્વાણુફલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલખ થતા નથી, કારણ અસંમેાહ ક કે અત્રે એકાંત પશુિદ્ધિ હાય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીઘ્ર માસદાયી હોય છે જેમ સુવણુને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવણું ઉત્તીર્ણ થાય છે. તેમ અત્રે પણ યાગાનલથી તપાવતાં તપાવતાં આત્માની કમલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિને પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુવણુ જ નિષ્પન્ન થાય છે. અને આમ જ્યારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઇ, એટલે પછી મેાક્ષલને આવતાં વાર શી ? આત્મા શુદ્ધોપયેાગવત થયા એટલે મેક્ષ હથેળીમાં જ છે, કારણ કે ‘જે× શુદ્દોપયેાગવંત છે તેના આવરણ-અંતરાય ને મેહરજ દૂર થઇ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઇ, જ્ઞેયમાત્રના પારને પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે છે. ' તે આ પ્રકારે:- જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયેાગવડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે—ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની મધાયેલી અતિ દેઢ માહગ્રંથિ ઉદ્ભગ્રથિત થાય છે—ઉકેલાઈ જાય છે, અને તે અત્યંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેના સમસ્ત જ્ઞાનાવરણુ, દનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિષ-અપ્રતિહત આત્મશક્તિ ઉલ્રસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઇ જ્ઞેયમાત્રના અતને પામે છે, ' કેવલજ્ઞાન પામે છે. આમ ઉયેાગની એકાંત પરિશુદ્ધિ થકી યાવત્ મેક્ષ પ્રાપ્ત થાય છે. * " उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ । મૂરો સયમેવાવા જ્ઞાતિ પર ગેયમૂળ ।।” શ્રી કુંદ દાચાર્ય કૃત પ્રવચનસાર, (6 'यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपद मुद्भिद्यमानविशिष्ट विशुद्धिशक्तिरुद्रन्थितासंसार बद्धदृढ तर मोहप्रन्थितयात्यन्तनिर्विकार चैतन्यो निरस्त - समस्तज्ञान दर्शनावरणान्तरायो निः प्रघतिविजृम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो ज्ञेयत्वमापन्नाना मन्तमवाप्नोति । " --શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારવૃત્તિ. * Page #467 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાદષ્ટિ : અસમેહ કમ નુ' ફલ શીઘ્ર મેાક્ષ (૩૯૧) આવા શીધ્ર મેાક્ષફલ આપનારા અસમાહ કર્યાં કાને હેય છે? તે માટે અત્ર કહ્યું કે–‘ભવાતીત અગામીઓને,' એટલે સ'સારથી અતીત–પર એવા અ` પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક્ પર તત્ત્વને
Page 284
જાણનારા પર તત્ત્વવેદીએને આ અસમાહ કર્મી હોય છે એમ તાત્પય છે. જેને આ પર તત્ત્વની ગમ–સમજણ પડે છે, તેએ જ આ પર તત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાય છે. આમ અનુક્રમે બુદ્ધિક્રિયાનુ ફૂલ સ'સાર છે, જ્ઞાનક્રિયાનુ કૂલ મુક્તિના અંગરૂપ છેપરપરાએ મુક્તિ છે, અને અસમાહ ક્રિયાનુ લ શીઘ્ર અવિલ'ખપણે માક્ષ છે, અનંતર મુક્તિ છે. “ બુદ્ધિક્રિયા ભવલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમેાહ કિક્રિયા દ્વીએજી, શીઘ્ર મુગતિલ ચ’ગ. મન૦ ત્રિવિધ મેધના સાર સ ંક્ષેપ આશયના—અભિપ્રાયના ભેદે કરીને લમાં ભેદ પડે છે. અને આશયના ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસ મેહરૂપ મેધના કારણભેદથી પડે છે. મેષ ત્રણ પ્રકારનેા હેાય છે-બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસમાહરૂપ. આ મેધના ભેદથી સ જીવાના સર્વકર્માના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતા એધ તે બુદ્ધિ' કહેવાય છે (૨) શ્રુતના-શાસ્ત્રના આધારે ઉપજતા મેધ તે ‘જ્ઞાન' કહેવાય છે. (૩) અને સદનુષ્ઠાનયુક્ત જ્ઞાન તે ‘અસમાહ' રૂપ બેષ કહેવાય છે; તે બેષ જ સર્વાંત્કૃષ્ટ હાઇ ‘ધરાજ' કહેવાય છે. જેમકેયાત્રાળુને દેખી તીથે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન, તે જ્ઞાન છે; અને તી યાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થંગમન- તીથ ક્રસણ તે અસમાહુ છે. ‘આ રત્ન છે' એવું રત્નનુ સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે; અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ એળખી તે રત્નની પ્રાપ્તિ આદિ થવી તે અસમાહનુ' સમ્યક્ સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિઘ્ન, સ'પત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તનસેવા તન અનુગ્રહ,—એ સદનુષ્ઠાનના લક્ષણુ છે. . -શ્રી ચેા. ૬. સ. ૪-૧૮ તેમાં (૧) પ્રાણીઓના સામાન્યપણે સર્વેધ બુદ્ધિપૂર્વðક કર્માં- ઇંદ્રિયજન્ય ખાધવાળા કર્યાં તે વિપાકવિરસ હાઇ તેનુ' ફલ પરિણામ સ`સાર છે. (૨) કુલયેાગીએના સર્વ કર્માં જ્ઞાનપૂર્વક એટલે કે શ્રુત-શાસ્રને અનુસરનારા હૈાય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવુ છે, તેથી ઉત્તરાત્તર ઉત્તમ પરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલયેાગીના કમ' મુક્તિના અંગરૂપ છે, પરંપરાએ મુક્તિના કારણરૂપ થઇ પડે છે. (૩) અને સ’સારાતીત Page #468 -------------------------------------------------------------------------- ________________ (૩૯૨) ગિદષ્ટિસમુચ્ચય સંસારથી પર એવા પર તત્વ પ્રત્યે ગમન કરનારા પરમાર્થવેત્તાઓના જે કર્મો છે તે અમેહિજન્ય હોય છે. એટલે એકાંતે-નિર્ભેળપણે પરિશુદ્ધિવાળા હેઈ, તેઓનું ફલ શીધ્રઅવિલંબે મુક્તિ છે, અનંતર મુક્તિ છે. વિવિધ બેધનું કેષ્ટક : ૯ સાન અસંમોહ લક્ષણ ઈદ્રિય આશ્રયી આગમપૂર્વક સરનુષ્ઠાન યુક્ત જ્ઞાન. ક્રિયા આદર, પ્રીતિ, અવિળ, સંપત્તિ પ્રાપ્તિ, જિજ્ઞાસા, તજઇ સેવા, તેના અનુગ્રહ રત્નની પ્રાપ્તિ આદિ ઉદાહરણ રત્નનું સામાન્ય જાણપણું આગમથી રત્નનું જ્ઞાન પાત્ર કુલ યોગીઓ સવો ભવાતીત અથગામી. * સામાન્યથી સર્વ પ્રાણી. વિપાકવિરસપણે એકાંત પરિશુદ્ધિ, વિરિષ્ટ પરિણામ અમૃતસમી શ્રુતશકિતથી સાનુબંધ ફલપણું મુક્તિ અંગ–પરંપરાએ કુલ સંસાર શીઘ મુકિત-અનંતર મોક્ષ [ રૂતિ ગુદ્ધિજ્ઞાનાર્જમોવર્માન્તરાધિ: ] પરંતસ્વગામીને એક જ શમપરાયણુ માર્ગ એઓનું જ (ભવાતીત અર્થગામીનું ) લક્ષણ કહે છે– प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥ १२७ ॥ વૃત્તિઃ–પ્રોવિ૬ માપુ-અહીં પ્રાકૃતભાવો પ્રત્યે, બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવમાં, (આ શબ્દાદિ ભાવો છેવટે બુદિમાં સમાય છે, અદ્ધિજન્મ ભાવો છે તેમાં ), ચેષાં રેતો નિકરણw-જેએનું ચિત્ત નિરુત્સુક છે,-નિ:સંગતાના સમાવેશને લીધે, મામો વિવારેભવભેગથી વિરક્ત એવા તેઓ, સંસારના ભેગથી વિરક્ત એ સ્વરૂપવાળા (એવંભૂત) તે જીવ મુક્ત જેવા, માનીતાર્થથરિન - “ ભવાતીતઅર્થગામી ” કહેવાય છે,-ભવમાં ચિત્તના અસંસ્પર્શને લીધે. (સંસારમાં તેનું ચિત્ત સ્પર્શતું નથી–લેપાતું નથી, તેથી કરીને). Page #469 -------------------------------------------------------------------------- ________________ દાહરિ: “ ભવાતીત અથગામી” ભવભાગવિરક્ત (૩૯૩) પ્રાકૃત ભાવોમાં અહીં, નિરુત્સુક સ ચિત્ત; ભવાતીત અર્થગામિ તે, ભવભેગમાં વિરક્ત. ૧૨૭ અર્થ:–અહીં
Page 285
પ્રાકૃત ભાવે પ્રત્યે જેએનું ચિત્ત નિરુત્સુક (ઉત્સુકતા રહિત) હોય છે, તે વિભાગથી વિરક્ત થયેલાઓ, ભવાતીત અર્થગામી છે. વિવેચન ઉપરમાં ભવાતીત અર્થગામી એવા મહામુમુક્ષુ કહ્યા, તે કોણ ને કેવા હોય ? તેનું લક્ષણ અહીં સ્પષ્ટ કહ્યું છે. અહીં શબ્દાદિ વિષયરૂપ પ્રાકૃત ભામાં જેઓનું ચિત્ત ઉત્સુક્તા રહિત હોય છે, તે સાંસારિક ભેગથી વિરક્ત જને ભવાતીતઅર્થગામી છે. પ્રાકૃત ભાવે એટલે બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવે. પ્રાકૃત એટલે પ્રકૃતિને વિકાર, પુદ્ગલને વિકાર. શબ્દાદિ વિષયે પ્રાકૃત ભાવ છે અર્થાત્ જડ પ્રકૃતિના વિકારરૂપ છે, પુદ્ગલના વિકારરૂપ છે; અને તે બુદ્ધિમાં પર્યમુમુક્ષુ ભવભોગ વસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, અર્થાત્ બુદ્ધિગમ્ય ભાવ છે. વિરક્ત આવા આ શબ્દાદિ વિષરૂપ પ્રાકૃત ભાવોમાં જેએનું ચિત્ત અના સક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભવભેગથી વિરક્ત થયેલા જને “ભવાતીત અર્થગામી' કહેવાય છે. શબ્દાદિ વિષયોમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું છે, સાંસારિક ભેગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભોગથી વિરક્ત-સાચો અંતરંગ વૈરાગ્ય પામેલા આ જીવે ખરેખરા “ભવાતીત અર્થગામી” છે. કારણ કે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં-સંસારમાં સ્પર્ધાતું નથી, લેપતું નથી, અસ્કૃષ્ટ રહે છે, જળ-કમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વપ્ન-ઇંદ્રજાલ જેવી પુદ્ગલરચના તેઓને કારમી-અકારી લાગે છે, અને જગતની એઠરૂપ તે પુદ્ગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંગરંગી મહાત્માઓને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત, અસહ્યા લાગે છે. દાખલા તરીકે પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાના સ્વાનુભવદુગાર કાઢયા છે કે જોકે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજણ પણુ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે x x કારણકે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૧૩ (૩૮૫) Page #470 -------------------------------------------------------------------------- ________________ (૩૯૪) યોગદષ્ટિસમુચય આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરંગી સાચા પરિણત–ભાવિતાત્માઓ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયમાં-પ્રાકૃત ભાવોમાં કેમ રાચે ? આ પ્રાકૃત ભાવમાં તે સામાન્ય પ્રાકૃત જને જ રાચે, પુદ્ગલાનંદી ભવાભિનંદી છ જ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન મુમુક્ષુ છે કદી પણ ઉત્કંઠા ધરાવે નહિ, આસક્ત થાય નહિં. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા “વૈરાગીઓ” જ સંસારથી પર એવા અર્થ—તત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્ત્વને જાણનારા ને પામનારા હોય છે. કારણકે સંસારમાં રહ્યા છતાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવોને-વાસનાને લેશમાત્ર સ્પર્શતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણ પામેલા છે, જીવન્મુક્ત છે. “ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનિદશા, બાકી વાચાજ્ઞાન.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥ એક જ હોય તેહને, પ્રશમપરાયણ માર્ગ અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમાર્ગ, ૧૨૮. અર્થ—અને તેઓને શમપરાયણ માગ પણ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સમુદ્રમાં તીરમાગની કાંઠાના માર્ગની જેમ. વિવેચન અને એવા તે ભવાતીતઅર્થગામીઓને એટલે કે પરમતત્ત્વવેદીઓનો માર્ગ પણ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સાગરમાં તીરમાગની-કાંઠાના માર્ગની પેઠે. ઉપરમાં જેનું સ્પષ્ટ લક્ષણ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સંવેગી કૃત્તિ–% વ તુ માડજિ-અને માર્ગ પણ એક જ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળા માર્ગ પણ એક જ છે, તેષાંતેઓને, એટલે કે, ભવાતીત અર્થગામીઓને,
Page 286
રામપરાયણઃ-શમપરાયણ, શમનિક, અવમેડિજિ-અવસ્થાભેદને ભેદ છતાં, ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, (તેમની દશાને ભેદ છતાં), ધૌ તીભાવતુ-સમુદ્રની બાબતમાં તીરમાગની જેમ, એ દષ્ટાંત છે. અને અહીં તે સમદ્રથી દર-નિકટપણુ આદિના ભેથી અવસ્થાભેર હોય છે. ( સમુદ્રના કાંઠાના માર્ગ તે તીરમાર્ગ છે. તેમાં કાઈ દૂર હોય, કેઈ નિકટ હોય, એમ ભેદ છતાં તે બધાય “તીરભાગ જ છે.) Page #471 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : મુમુક્ષુને એક જ શમપરાયણ શાંતિમાગ (૩૫) મુમુક્ષનો મુમુક્ષુ આત્માઓ ભવાતીત અર્થગામી અથવા પરતત્વવેદી કહેવાય છે. માર્ગ એક જ અને તેઓને ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે, કેઈપણ પ્રકારે ચિત્તવિશુદ્ધિ કરી, આત્માને શુદ્ધ કરે, એ જ માર્ગ છે. અને તે એક જ છે, તેમાં કઈ પણ ભેદ નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું કોકીર્ણ વચનામૃત છે કે – મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માગ નિગ્રંથ.”–શ્રી આત્મસિદ્ધિ મેક્ષને એક જ શમપરાયણુ માર્ગ-શાંતિમાર્ગ અને આ માગ શમપરાયણ છે–શમનિષ્ઠ છેઃ (૧) શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષ રહિતપણું, સમભાવ. “મેહ-ક્ષેભરહિત જે આત્માને પરિણામ તે સમઝ કહેવાય છે.” આ માર્ગમાં શમની પ્રાપ્તિ કરવી, શમપરાયણ થવું, એ જ એક નિષ્ઠા છે-છેવટની નિતાંત સ્થિતિ છે, એ જ અંતિમ સાધ્ય છે. (૨) અથવા શમ એટલે સામ્ય; યથાવસ્થિત આત્મગુણને પામવું-જેમ છે તેમ આત્મગુણની સમાન થવું તે સામ્ય છે. જે સામ્ય છે તે ધર્મ છે, અને “વત્થરણાવો છો એ લક્ષણ પ્રમાણે વસ્તુનો સ્વભાવ તે ધમ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર એટલે “ હરે વારિત્ર' એ લક્ષણ પ્રમાણે સ્વરૂપમાં ચરવું, આત્મસ્વરૂપમાં વત્તવું, તે ચારિત્ર છે. આમ ચારિત્ર ધર્મ, સામ્ય, સમ, શમ એ શબ્દો સમાનાર્થવાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા તત્પર થવું એ જ શમનિષ્ઠ માર્ગ છે. (૩) અથવા શમ એટલે શાંતિ. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ આદિની શાંતિ થવી તે શમ છે. પરભાવથી વિરામ પામી આત્મભાવમાં આવવું તેનું નામ શાંતિ છે, અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિ માર્ગ છે. આ શાંતિમાર્ગનું શાંતિમાર્ગ અત્યંત હૃદયંગમ સ્વરૂપ મહાજ્ઞાની યોગીશ્વર શ્રીમાન આનંદઘનજીએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સંક્ષેપમાં પ્રદર્શિત કર્યું છે. તેમાં શ્રી આનંદઘનજી ભગવાનને સાક્ષાત્ હાજરાહજૂર દેખતા હોય એમ તેમની સાથે ગોષ્ઠિવાર્તાલાપ કરતાં પૂછે છે – શાંતિજિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ? કહે કિમ મન પરખાય રે ?..શાંતિ.” x “ નહિરં હિન્દુ ધર્મો નો કો સો સોરિ વિહો ! मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो॥" –શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત શ્રી પ્રવચનસાર Page #472 -------------------------------------------------------------------------- ________________ વાગપ્ટિસમુચ્ચય ત્યારે ભગવાન તેને જવાબ આપે છે કે જેને આવા પ્રશ્નનો અવકાશ છે એવા હે આનંદઘન ! હારા આત્માને ધન્ય છે ! તું મનમાં ધીરજ ધરીને સાંભળ! હું તને શાંતિસ્વરૂપ જેમ પ્રતિભાસ્યું છે તેમ કહું છું: “ધન્ય તું આતમ જેહને, એ પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે...શાંતિ.” ૧. અવિશુદ્ધ ને સુવિશુદ્ધ જે જે ભાવો ભગવાન જિનવરે-પરમ વીતરાગદેવે કહ્યા છે, તે તેમજ અતિથ્ય અથવું અત્યંત સાચા જાણીને સહે, શ્રદ્ધ, દઢ આત્મપ્રતીતિથી માન્ય કરે, તે શાંતિપદની પ્રથમ સેવા છે, શાંતિમાર્ગનું પ્રથમ પદ-પગથિયું છે. ૨, અને આગમના પરમાર્થ રહસ્યને ધારણ કરનારા, સમ્યકત્વવત અર્થાત્ આત્મજ્ઞાની, સારભૂત એવી સંવર કિયા કરનારા, જ્ઞાનીઓના સનાતન મોક્ષમાર્ગના સંપ્રદાયને અનુસરનારા, સદાય અવંચક, સર્વથા આજુ-સરલ, અને શુદ્ધ આત્માનુભવના આધારરૂપ, એવા સદગુરુનું જે સેવન તે શાંતિપદની સેવાનું પરમ અવલંબન છે. તેમજ અન્ય પણ શુદ્ધ આલંબન આદરવા ને બીજી બધી
Page 287
જ જાલ છોડી દેવી, તથા સર્વ તામસી વૃત્તિઓ પરિહરી સુંદર સાત્વિકી વૃત્તિઓ ભજવી એ શાંતિ સ્વરૂપને પામવાને માર્ગ છે. “ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિત સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે..શાંતિ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે....શાંતિ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલ રે...શાંતિ.” ૩. તેમજ જેમાં ફલને વિસંવાદ છે નહિ, અચૂકપણે જે ઈષ્ટ મિક્ષફલ આપે જ છે, જેમાં શબ્દ છે તે બરાબર અર્થ સાથે સંબંધ-સુમેળ ધરાવે છે, અર્થાત્ શબ્દનયે ખરેખર પરમાર્થ અર્થમાં તે તે સત્ સાધન સેવાય છે–પ્રયે જાય છે, અને જેમાં સકલ નયવાદ વ્યાપી રહે છે, અર્થાત્ સર્વ નય જેમાં અવિરેધી–અવિસંવાદીપણે એક પરમાર્થ સાધકપણે પ્રવર્તે છે, એવા શિવસાધનની-સમ્યગદર્શનાદિ મોક્ષસાધનની સંધિ કરવી, એવા સમ્યક મક્ષસાધન જોડવા-પ્રજવા, તે શિવસ્વરૂપ-મોક્ષસ્વરૂપ પરમ શાંતિમાર્ગને શ્રેષ્ઠ ઉપાય છે. ફલ વિસંવાદ જેહમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધી રે, સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે....શાંતિ. ” ૪. આત્મપદાર્થને વિરોધ ન આવે એ વિધિ-પ્રતિષેધ કરી, મહાજને રહેલે એ આત્માનો ગ્રહણવિધિ આદરવો,-એ આગમમાં કહેલો શાંતિમાર્ગને બધ-ઉપદેશ છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ દોમાણિ: મેક્ષને શાંતિમાગ એક જ (૩૭) ૫. દુષ્ટ જનની સંગતિ છેડી દઈ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિના હેતુરૂપ યોગ-સમાધિમય ચિત્તભાવને ભજવું, એ શાંતિને સન્માર્ગ છે. “વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહો, ઈ આગમે બેધ રે... શાંતિ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે, યોગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે મુગતિનિદાન રે...શાંતિ. ” ૬. માન-અપમાનને સમાન જાણે, વંદક-નિદકને સમ ગણે, કનક-પાષાણને સરખા માને, સર્વ જગતજંતુને સમ ગણે, તૃણમણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમા છે. “માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિદક સમ ગણે, ઈ હોય તે જાણ રે...શાંતિ સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે...શાંતિ.” ૭, તેમજ આપણે આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર (પરિવાર ) બીજા બધા સાથસગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં સમાઈ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાને શ્રેષ્ઠ ઉપાય છે. આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; - અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિ.” ઈત્યાદિ પ્રકારે આ શમપરાયણ માર્ગનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યું છે. “ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ (૧૫) સર્વ મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઈરછે છે, એટલે તે સવને માર્ગ એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વે માર્ગ “તીરમાર્ગ' છે, માટે તે એક જ સ્વરૂપ છે, તેમ આ સર્વ મુમુક્ષુઓના માર્ગ પણ “ભવ-તીરમાગ'-મોક્ષમાર્ગ મોક્ષને શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કેઈ તે માર્ગ એક જ માર્ગની નિકટ હોય ને કઈ દૂર હોય. જેમ સાગરમાં કઈ તીરમાર્ગ કાંઠાની નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે “તીરમાગ' જ છે; Page #474 -------------------------------------------------------------------------- ________________ (૩૯૮) ગદષ્ટિસમ્રચય તેમ કઈ મુમુક્ષુ વસમુદ્રના તીરની-ભવપારની–મેક્ષની અત્યંત નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે સર્વનો માર્ગ તે એક જ “મેક્ષમાગ' છે. આમ ગુણસ્થાનકની અપેક્ષાએ દશાવિશેષ પ્રમાણે ભલે તેઓમાં દૂર-નિકટપણને
Page 288
ભેદ હોય, તે પણ મેક્ષમાર્ગનો તે અભેદ જ છે. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધક-ઉપાસકો છે, સાધર્મિક બંધુઓ છે. મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે. અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે. એ માર્ગના મને પામ્યા વિના કે ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહી. શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તો સફળ છે, અને એ માગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશ ગ્રહણ થાય તે તે સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પામશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ (૫૪) પર તત્ત્વના સ્થાનની ઇચ્છાથી કહે છે– संसारातीततत्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥ ભવાતીત પર તવ તે, નિર્વાણ કહેવાય; તત્વથી એક જ તેહ છે, શબ્દ ભેદ છતાંય. ૧૨૯ વૃત્તિ –સંતાયાતીતતત્ત્વ તુ-અને સંસારાતીત તત્વ તે, શું ? તે કે--૫ર, પ્રધાન, નિર્ચાળણણિતમનનિર્વાણ નામનું છે, નિર્વાણ સંજ્ઞા એની ઉપજી છે એટલા માટે. ત નેવ-તે નિશ્ચયે એક જ સામાન્યથી છે, નિયમ-નિયમથી, નિયમે કરીને, રામેડજિ-શબ્દભેદ (જેનું લક્ષણ કહેવામાં આવે છે.) છતાં, તવતતત્ત્વથી, પરમાર્થથી. Page #475 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ પરંતત્વ તિર્થી ને તેના અન્યૂથ નામ (૩૯) અર્થ –અને સંસારાતીત તવ તે “નિર્વાણ' સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્ત્વ છે અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એક જ છે. વિવેચન ઉપરમાં જે સંસારાતીત-સંસારથી પર એવું પર તત્ત્વ કહ્યું, તે શું ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે-તે પર તત્વ નિર્વાણુ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એ શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિર્વાણ તત્વ એક જ છે. ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તત્ત્વ છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દી ત્યાં બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણુ નામ ઘટે છે. सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१३० ॥ સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાત્મ તથાતા ય; આદિ શબ્દ અવર્થથી, એક જ તેહ કથાય, ૧૩૦ અર્થ-સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે; તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એક જ છે. વૃત્તિઃ-સારવ –સદાશિવ, એટલે સર્વકાળ શિવ, કદી ૫ણ અશિવ નહિં તે,-ત્રિકાલ પરિદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે -પરમ, પ્રધાન, ત્રહ્મ-બ્રહ્મ તથા પ્રકારે બુહા અને બૂકવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હોવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિષ્ઠિતા એમ અર્થ છે, તથતિ જ-અને તથાતા,
Page 289
આકાલ એટલે સર્વકાલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા' કહેવાય છે. કહ્યું છે કે " उपादाननिमित्ताभ्यामधि कारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥ અથાત–ઉપાદાન ને નિમિત્તથી તેના અધિકારિત્વતા ધ્રુવ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા” એમ કહેવાય છે અને આ અધિકારિત્વતા તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકેટિ છે, અને અત્યંત ભૂતાથ ફૂલ દેનારી છે. ઈત્યાદિ શ.–શબ્દથી, તત્ત-તે નિર્વાણ, ઉત્તે-કહેવાય છે, ઓળખાય છે, અવત-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉક્ત નીતિથી, મેવ-તે એક જ હોઈ, વાણિમિઃએ આદિ શ્રબ્દોથી. Page #476 -------------------------------------------------------------------------- ________________ (૪૦૦) ધોગટિસસુરાય વિવેચન “ શબ્દ ભેદ ઝઘડો કિછે, જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફિરે નહિ એક.મનમેહન”—શ્રી. ઇ. સ. ૪-૨૧ તે પરમ “નિવણ” નામના તત્વને જે જુદે જુદે નામે ઓળખવામાં આવે છે, તેને પરમાર્થ જોતાં કાંઈ અર્થભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામોમાંથી કેટલાક અત્ર બતાવ્યા છે : (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા (૪) તથાતા. પરમાર્થથી તે નામનું એકપણું આ પ્રકારે– સદાશિવ-કઈ તેને “સદાશિવ” કહે છે. આ ‘સદાશિવ' એટલે સદાય શિવ, સર્વકાળ શિવ, કદી પણ અશિવ નહિં તે. ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવન–અકલ્યાણના અભાવને લીધે આને “સદાશિવ' નામ બરાબર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપ હોવાથી, આ “નિર્વાણુ’ સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સર્વ કલ્યાણનું-મંગલનું ધામ છે, શંકર સ્વરૂપ અર્થાત્ શમ–આત્મસુખકર સ્વરૂપ છે. “શિવશંકર જગદીશ્વરૂ રે, ચિદાનંદ ભગવાન....લલના " શ્રી આનંદઘનજી પરબ્રહ્મ-વળી એ “પરબ્રહ્મ” નામથી ઓળખાય છે. પરં એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે બૃહત્ત્વ-બૃહકત્વથી સદ્ભાવ અવલંબનપણને લીધે તે “બ્રહ્મ’ છે. બૃહત્ત્વ એટલે જગતમાં અન્ય કોઈ પણ વસ્તુ કરતાં જેનું બૃહતપણુ-મહતપણું છે તે બ્રા. અથવા બૃહકત્વ એટલે આત્મગુણનું અત્યંત વૃદ્ધિગતપણું–અત્યંત પુષ્ટપણું જ્યાં વસે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ-બૃહક7 વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનું અવલંબન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાન્મસ્વરૂપનું વિદ્યમાનપણું વતે છે, જે સહજાન્મસ્વરૂપ છે, તે ‘પર બ્રહ્મ’ છે. બ્રહમ શબ્દ વૃદુ-ઢો (વધવું, to grow) એ ઉપરથી થયો છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિન, વિશ્વના વિકાસને જેથી ખુલાસો થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ “બ્રા” છે. x x પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે–તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ ફલિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી–ફ સંહિતાના સમયથી–ગૃત શબ્દ વિશાળ, હોટું, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ ગ્રહ શબ્દને સહેતર છે, તેથી ત્રહ્મ એટલે અનાવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ” -પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ Page #477 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : એક નિર્વાણુ તત્ત્વના અવયા નામ (૪૦૧) સિદ્ધાત્મા—તેને સિદ્ધાત્મા નામ પણ આપવામાં આવ્યું છે. જેના આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેનેા આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઈ કબ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિશ્તિા છે અર્થાત્ જેના સર્વાં અની નિષ્ઠા છેવટની હદ પ્રાપ્ત થઇ છે, એટલે કે જેના સ અથ–પ્રયેાજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યુ છે, નિષ્પન્ન કર્યુ” છે, એવા સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચૈતન્યમૂર્ત્તિ તે સિદ્ધાત્મા છે. "6 'येनात्मा बुध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥” —શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક, “ સકળ પ્રદેશે હા કમ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હા જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ ...સ્વામી સ્વયં
Page 290
પ્રભને જાઉં ભામણે. અચળ અખાધિત હા જે નિઃસંગતા, પરમાતમ ચિત્રુપ; આતમભેાગી હા રમતા નિજ પદે, સિદ્ધ રમણુ એ રૂપ ...સ્વામી૰ —શ્રી દેવચ’દ્રુજી. તથાતા વળી કાઈ તેને તથાતા' નામથી એળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથાપ્રકારના ભાવ હાવાને લીધે તે ‘તથાતા ' છે. જેનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વર્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યુ` છે કે ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્વતા ધ્રુવ છે-નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પશુ શુદ્ધ આત્મા જ છે. એટલે તેનુ સ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું;, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કદી ન ફરે એવું છે. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે. આ તથાતા * વિસ’ચેગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુ:ખથી પરિવર્જિત છે. સ અન્ય ભાવને જ્યાં વિસયેાગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવને જ્યાં વિયાગ થયા છે, વિશ્લેષ થયેા છે, પરમાણુ માત્ર પણ કના જ્યાં સ્પર્શી રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્મા જ જ્યાં વર્તે છે, એવી આ તથાતા વિસ ́ચાગાત્મિકા છે–વિસયાગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુઃખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ Page #478 -------------------------------------------------------------------------- ________________ (૪૨) યોગદરિસરાય તાપથી, અથવા આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક એ ત્રિવિધ દુખથી તે પરિવિજિત છે, સર્વથા રહિત છે. સગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ.” – શ્રી દેવચંદ્રજી. વળી આ તથાતા પરા ભૂતકેટિ છે, અને અત્યંતપણે ભૂતાર્થ ફલ દેનારી છે. પ્રાણીએની-ભૂતની પરમ કેટિરૂપ—ઉચ્ચતમ વર્ગરૂપ જે છે તે પરા ભૂતકેટિ છે, અર્થાત જે પરમાત્મસ્વરૂપ છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે, ઉત્કૃષ્ટ કેટિના આત્મા છે, તે તથાતા છે, “જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ. સુગ્યાની ! સુમતિ ચરણકજ આતમ અરપણ.”-શ્રી આનંદઘનજી અને તે ભૂતાર્થ ફલ–પરમાર્થ ફલ આપનાર છે, અર્થાત્ ખરેખરૂં સત્ય ફલ, મેક્ષરૂપ પરમાર્થ સત ફલ આપે છે. તથાતાની અર્થાત્ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમ પ્રભુજીનીપરમાત્માની સેવા-ભક્તિ તથાતારૂપ નિર્વાણ ફલ અવશ્ય આપનારી છે. આમ તથાતાનું સ્વરૂપ અન્યત્ર કહ્યું છે, તે શ્લોક શ્રી હરિભદ્રસૂરિજીએ પણ વૃત્તિમાં ટાંકેલ છે, તેને ભાવાર્થ અત્ર કંઈક વિચાર્યું છે. - ઈત્યાદિ શબ્દોથી તે નિર્વાણને અન્યથથી એટલે કે શબ્દને બરાબર અનુસરતા અર્થ પ્રમાણે તે તે નામ આપેલ છે. એ આદિ શબ્દોથી ઓળખાતું તે નિર્વાણ તત્વ એક જ છે, નામભેદ માત્ર છે, અર્થભેદ નથી. કારણ કે શુદ્ધ સહજાત્મનિર્વાણુતત્વ સ્વરૂપ એવું તે નિર્વાણ, આપણે જોયું તેમ, સદા શિવસ્વરૂપ હેવાથી એક જ સદાશિવ છે, પરમ આત્મસ્વરૂપ હોવાથી પરબ્રહ્મ છે, શુદ્ધ આત્મ સિદ્ધિના નિષ્પન્નપણથી સિદ્ધાત્મા છે, સહજાત્મસ્વરૂપપણે શાશ્વત સ્થિતિથી તથાતા છે. ઈત્યાદિ અને અનુસરતા અન્ય અન્ય નામથી પણ તેનું અભેદ સ્વરૂપ જ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે તેને પરમાર્થ જે સમજે, તે આનંદઘન અવતારને પામે છે. એમ અનેક અભિધા ધરે રે, અનુભવગમ્ય વિચાર-લલના જે જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર...લલના”–શ્રી આનંદઘનજી, તે કેવું છે? તે કહે છે – Page #479 -------------------------------------------------------------------------- ________________ દીમા : નિરાબાધ નિરામય નિષ્ક્રિય પરંતવ (૪૦૭). तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥१३१ ॥ લક્ષણ અવિસંવાદથી, નિરાબાધ નીરોગ; ને નિષ્ઠય પર તવ તે, જન્માદિને અયોગ. ૧૩૧ અથ–તે નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે, તે પરમ તત્વ નિરાબાલ, નિરામય અને નિષ્ક્રિય એવું છે, કારણ કે જન્મ આદિને અયોગ
Page 291
છે. વિવેચન અત્યાબાધ અગાધ, આતમસુખ સંગ્રહો હો લાલ.”–શ્રી દેવચંદ્રજી, ઉપરમાં જે નિર્વાણ તત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહા, તેના લક્ષણમાં અવિસંવાદ છે, સંવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ-બસુરાપણું નથી, તેથી કરીને તે એકસ્વરૂપ છે. કારણ કે-“નિર્વાણ એટલે શું ? (૧) નિર્વાણુ સ્વરૂપ નિર્વાણ એટલે બૂઝાઈ જવું, શાંત થઈ જવું, નિવૃત્તિ પામવી તે. જેમ તેલ હોય ત્યાં સુધી દીવ બળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે તેમ જ્યાં સુધી કર્મરૂપ તેલ હોય ત્યાંસુધી સંસારનો દી બળ્યા કરે છે, પણ જેવું કર્મરૂપ તેલ ખૂટ્યું કે તરત તે સંસાર-દીપક બૂઝાઈ જાય છે, હોલવાઈ જાય છે, નિર્વાણ પામે છે. આમ જ્યાં સંસાર-દીપક બૂઝાઈ જાય છેનિર્વાણ પામે છે, તે પદ નિર્વાણપદ છે. (૨) અથવા નિર્વાણ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સર્વ સંસારભાવ શાંત થઈ જાય છે, સર્વ પરભાવ-વિભાવ વિરામ પામે છે, તે નિર્વાણ છે. આત્મા જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તરંગ સમુદ્રની જેમ પરમ શાંત થઈ સ્વ સહજાન્મસ્વરૂપમાં સમાઈ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિઓનો સંક્ષય થયો છે, અર્થાત્ સર્વ સંસારવૃત્તિઓ જ્યાં નિવૃત્ત થઈ છે, નિવૃત્તિ પામી ગઈ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વર્તનારૂપ વૃત્તિ જ્યાં વર્તે છે, અર્થાત્ શુદ્ધ આત્મપદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણતા છે,–તે નિવૃત્તિપદ અથવા નિર્વાણ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દનો પર માથે દર્શાવવામાં આવ્યો, તે તત્વથી વિચારતાં, જે નિર્વાણને અર્થ છે, તેજ તે તે શબ્દને -- જૂત્તિઃ - તક્ષાવિસંવાલા –તેના–નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છે-નિરાધંતિરાબાધ, “ નિરં જાવાસ્કઃ -આબાધાઓમાંથી નિર્ગત-મ્હાર નીકળી ગયેલ. (લેશ પણ બાષા જ્યાં એવું), બનાનયે-અનામય, જ્યાં દ્રવ્ય-ભાવ રાગ અવિદ્યમાન છે એવું, નિચે ૨-અને નિષ્કય છે, નિબંધનના-કારણના અભાવે કર્તવ્યના અભાવથકી નિક્રિય છે. ઘર તરચં-એવંભૂત તે ૫રં તત્વ. ચત્તો-જે કારણ થકી, સન્માદ્યોગત:-જન્મ, જરા, મરણના અગ થકી. Page #480 -------------------------------------------------------------------------- ________________ (૪૦૪) યોગદષ્ટિસમુચય અર્થ છે, માટે નિર્વાણને લક્ષણમાં અને સદાશિવ આદિના લક્ષણમાં વિસંવાદ નથી, અવિસંવાદરૂપ એકતા છે. અર્થાત્ નિર્વાણ, સદાશિવ આદિ એકસ્વરૂપ છે, એક જ છે, એમ અત્યંત પ્રસિદ્ધ થયું. અને આમ એક એવું આ નિર્વાણુતત્ત્વ કેવું છે? તે કે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું તે પરમ તત્ત્વ છે. તે આ પ્રકારે-(૧) નિરાબાધ–સર્વ આબાધાઓમાંથી તે બહાર નીકળી ગયેલું છે; આબાધા અર્થાત લેશમાત્ર બાધાથી પણ તે રહિત છે, અવ્યાબાધ સ્વરૂપ છે. અને આવું અવ્યાબાધ સ્વરૂપ તે પદ હેવાથી, ત્યાં એકાંતિક, આત્યંતિક, સહજ, સ્વાધીન એવું અનુપમ અવ્યાબાધ આત્મસુખ નિરંતર અનુભવાય છે. (૨) નિરામય-આમય એટલે કેઈપણ જાતના દ્રવ્ય-ભાવરોગને ત્યાં અભાવ છે. દેહને અભાવ છે, એટલે શરીર સંબંધી કઈ પણ દ્રવ્ય રેગને ત્યાં સંભવ જ નથી. અને આત્માની અત્યંત પરિશુદ્ધિ વર્તે છે, એટલે રાગ-દ્વેષ-મહ આદિ ભાવ રોગને પણ બીલકુલ અભાવ છે. આમ દ્રવ્યથી ને ભાવથી આ પદ નિરામય, નીરોગી છે, અને અત્રે આત્માનું પરમ ભાવ આરોગ્ય, સ્વરૂપસ્થિતિરૂપ પરમ સ્વાથ્ય વર્તે છે. (૩) નિષ્ક્રિય છે. નિબંધનને-કારણનો અભાવ છે, એટલે કાર્યને અભાવ છે. અત્રે સર્વ કમને નિઃશેષ નાશ થઈ ગયું હોવાથી કમરૂપ પ્રેરક કારણ નથી, એટલે કાંઈ કર્તવ્ય પણ રહ્યું નથી. કારણ હોય તે કાર્ય હાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય, એ સનાતન સામાન્ય નિયમ છે. આમ તે નિષ્ક્રિય છે. એકાંતિક આત્યંતિક સહજ અમૃત સ્વાધીન હો જિનજી! નિરુપચરિત નિદ્ધ% સુખ, અન્ય અહેતુક પીન હે જિનજી! “શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ,
Page 292
પરમ અક્રિયતા અમૃત પીધે.”—શ્રી દેવચંદ્રજી દેહાદિક સંયોગને, આત્યંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ.”–શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આત્મસિદ્ધિ. આવું નિરાબાધ, નિરામય, ને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે, કારણ કે જન્મ જરા-મરણને ત્યાં અાગ છે, સર્વથા અભાવ છે. એટલે સર્વ દુઃખનો ત્યાં આત્યંતિક અભાવ છે, કારણ કે “જન્મ-જરા ને મૃત્યુ” એ જ “મુખ્ય દુઃખના હેતુ” છે. અને “કારણ તેના બે કહ્યા, “રાગ દ્વેષ અણુહેતુ. પણ અત્રે તે મુખ્ય દુ:ખહેતુ આ જન્માદિ નથી, અને તેના કારણે રાગદ્વેષને પણ સર્વથા અભાવ છે. એટલે જ આ નિર્વાણરૂપ પરમ પદમાં કઈ પણ પ્રકારની બાધાનો, રેગને અને સંસરણરૂપ ક્રિયાનેસંસારને સર્વથા અસંભવ જ છે. ઍપ (તાત્પર્ય) કહે છે— Page #481 -------------------------------------------------------------------------- ________________ દામોદષ્ટિ : અભેદ પરંતત્વવેદીને વિવાદ ન ઘટે (૪૦૫) ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ १३२ ॥ અસંમોહથી તાવથી, જાણે તવ આ ઉક્ત; તસ ભક્તિમાં વિવાદ ના, બુદ્ધિવંતને યુક્ત, ૧૩૨ અર્થ– આ નિર્વાણ તત્વ અસંમોહે કરીને તત્વથી જાણવામાં આવ્યું, પ્રેક્ષાવંતેને (બુદ્ધિવને-વિચારવાને) તેની ભક્તિ બાબતમાં વિવાદ ઘટતું નથી. વિવેચન આવું જે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું પરમ નિવૃતવ ઉપરમાં વર્ણવ્યું, તેનું સ્વરૂપ અસંમેહ બોધવડે તવથી-પરમાર્થથી જાણવામાં આવ્યું, સમ્યક પરિચછેદ કરવામાં આવ્યું, વિચારવાન જીવોને તેની ભક્તિના તદ્દષ્ટિને વિષયમાં વિવાદ ઘટતું નથી, કારણ કે તત્વજ્ઞાનમાં ભેદને અભાવ છે. વિવાદ ન ઘટે નહિ તે જ વિવાદ કરવામાં આવે તે પ્રેક્ષાવંતપણાને-વિચારવંતપણાને વિરોધ આવે. જે સુજ્ઞ વિચારક જ છે, તે તે નિરંતર તત્વ ભણી જ દષ્ટિ રાખે છે. તત્વ જે અભેદ હોય તે પછી તેની ભક્તિ-આરાધના વિધિમાં ગમે તેટલે ભેદ હોય, તે પણ તેની તેઓ બીલકુલ પરવા કરતા નથી. સાધ્ય જે એક છે, તે તેના સાધક સાધન ગમે તે હોય, તેના પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય કરે છે, અર્થાત્ ઈષ્ટ સાધ્યરૂપ મધ્યબિંદુ પ્રત્યે જ દેરી જતા વિવિધ સાધનમાર્ગો પ્રત્યે તેઓ કટાક્ષદષ્ટિએ જોતા નથી. દાખલા તરીકે-નાગપુર જવું હોય, તે જુદી જુદી દિશામાં આવેલા મુંબઈ, દિહી, મદ્રાસ વગેરે શહેરથી ભિન્ન ભિન્ન માગે ત્યાં પહોંચી શકાય, પણ ઈષ્ટ મધ્યબિંદુ એક જ છે તેમ ભિન્ન ભિન્ન દર્શન સંપ્રદાયવાળાઓ નિર્વાણ તત્વને માન્ય કરી ભલે તેને ભિન્ન ભિન્ન પ્રકારે આરાધતા હોય, પણ તેઓનું ઈષ્ટ લક્ષ્ય સ્થાન જો એક જ છે, તે પછી તેની ભક્તિ બાબતમાં કઈ વિવાદને અવકાશ રહેતો નથી. એટલે તત્વગ્રાહી દષ્ટિવાળા સુજ્ઞજનો તે તે સાધનધર્મના મિથ્યા ઝઘડામાં પડતા નથી. કારણ કે સાચા તત્ત્વજ્ઞાનીઓ કે જેઓને નિર્વાણ તત્ત્વનું પૂરેપૂરું ભાન છે, તેઓ તે કદી પરસ્પર ઝઘડે જ નહિં; એટલું જ નહિ, પણ પિતાના પરમ આરાધ્ય એવા તે ઈષ્ટ નિર્વાણ પદને જે અન્ય કોઈ ભક્તિથી આરાધતા હોય, તે સર્વને પોતાના સાધર્મિક જ માને, સ્વધર્મબંધુ જ ગણે. પણ નિર્વાણુતત્ત્વનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીઓ પોતે તેથી અત્યંત દૂર છતાં, તે - જૂરિ–zતે-પરિચ્છિન્ન થયે, નિર્ધાતરવેડમિન -આ એવંભૂત નિર્વાણ તત્વ, સંતોનઅસંમોહરૂપ બેધથી, તરવતઃ–પરમાર્થથી. શું ? તે કે-ક્ષાવતાં-પ્રેક્ષાવંતેને-બુદ્ધિમ તેને, ન તતનથી તેની ભક્તિમાં, નિવણ તરવની સેવા બાબતમાં, શું ? તે કે વિવાર ૩૫૬-વિવાદ ઘટતોતત્વજ્ઞાનમાં ભેદના અભાવને લીધે,-નહિં તે પ્રેક્ષાવંતપણુને વિરોધ આવે, એટલા માટે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ગિદષ્ટિસમુચય નિર્વાણુ તત્વની આરાધના બાબત પરસ્પર ઝઘડે છે, એ મહાઆશ્ચર્ય છે! એમાં તત્વજ્ઞાનની શૂન્યતાને જ દોષ છે. મહાસમર્થ તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ મહાદશન-પ્રભાવક શ્રી મેક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવું પરમ સત્ય જ ભાખ્યું છે કે મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન
Page 293
ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દેઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પડનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડ્યાં છે. એક લૌકિક કથન છે કે “સ શાણે એક મત,” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી, માટે તત્તાવધ પરમ આવશ્યક છે.”–શ્રી મેક્ષમાળા. ઉપરમાં જે વિવર્યું, તે ઉપરથી આટલું તાત્પર્ય ફલિત થાય છે કે તે નિર્વાણુતત્વને સમ્યફપણે જાણનારા વિવેકી વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિં. સુષ કિં બહુના? । इति परंतत्त्वाभेदमार्गान्तराधिकारः । सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यस्थितम् । आसनोऽयमृजुर्मागस्त दस्तत्कथं भवेत् ॥ १३३ ॥ સર્વાપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ ઋજુ માર્ગ , તેનો ભેદ શી રીત? ૧૩૩ અર્થ – અને કારણ કે આ નિર્વાણ તત્વ સર્વ પૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિર્વાણને સમીપ એ આ સર્વજ્ઞરૂપ માર્ગ કાજુ-સરલ છે, તે પછી તેને ભેદ કેમ હોય? વૃત્તિ – સર્વજ્ઞપૂર્વ ચૈતંદું-અને સર્વત્તપૂર્વક આ-નિર્વાણ નામનું અધિકૃત તત્વ, નિરમા અત્ત સ્થિતમૂ-કારણ કે નિયમથી જ સ્થિત છે,સર્વને નિર્વાણની અનુપત્તિને લીધે આસોડાનિર્વાણુને આસન-સમીપને, આ સર્વત લક્ષણવાળો, ગુર્મા-ઋજુ-અવક્ર માર્ગ–પંથ, તમે:-સર્વજ્ઞ ભેદ, મતભેદરૂપ લક્ષણવાળે, તત તેથી, મત-કેમ હોય? ન જ હોય. Page #483 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ : સવજ્ઞyવક નિર્વાણ-સર્વજ્ઞ અભેદ (૪૦૭) વિવેચન “ભિન્ન ભિન્ન મત દેખોયે, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેડ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને આ પ્રસ્તુત નિર્વાણ તવ નિયમથી જ સર્વ પૂર્વક હોય, એમ સ્થિતિ છે, કારણ કે અર્વજ્ઞને કદી નિર્વાણ ઘટે જ નહિં, અર્થાત્ સર્વજ્ઞ થયા વિના નિર્વાણ પામે જ નહિં એવો નિયમ છે. એટલે સર્વજ્ઞપણું એ નિર્વાણ પૂર્વેની અવિનાસર્વજ્ઞપૂર્વક ભાવી આવશ્યક સ્થિતિ છે, સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણ પામે, એ નિર્વાણ નિયમમાં ત્રણે કાળમાં ફેરફાર થાય એમ નથી, એ નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે. આમ આ સર્વજ્ઞપણું નિર્વાણને અત્યંત નિકટની સ્થિતિરૂપ માર્ગ છે, અને તે માર્ગ કાજુ છે, સરલ-સીધે છે, વક-વાંકાચૂકે નથી, એટલે તે એકરૂપ જ છે. આવા અભેદરૂપ સર્વજ્ઞ માર્ગમાં મતભેદરૂપ સર્વજ્ઞભેદ કેમ હોય વા? ન જ હોય, ન જ હોય. અને સર્વજ્ઞમાં ભેદ જે નથી જ, તે પછી તેના આરાધક ભક્તોમાં કેમ ભેદ હોઈ શકે? ન જ હોય, ન જ હેય, એ આ ઉપરથી વિશેષ કરીને પૂરવાર થયું, સંસિદ્ધ થયું. તાત્પર્ય કે સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણપદની પ્રાપ્તિ થાય, એમ નિયમથી સિદ્ધ છે. એટલે નિર્વાણુને નિકટમાં નિકટ જે કઈ હોય તે તે સર્વજ્ઞ છે, અને મેક્ષનો નિકટમાં નિકટ જે કઈ માગ હોય તે તે સર્વજ્ઞદશા છે, આ માર્ગ કાજુતે સર્વજ્ઞ સરલ છે, સીધે છે, વાંકેચૂકે નથી, અને જે સીધે સરલ માગ હોય ભામાં ભેદ તે એક જ હોય; કારણ કે કોઈ અમુક સ્થળે જવાને સીધે-સીધી કેમ? લીંટીએ જત (Straight-line) માર્ગ એક જ હોય, વાંકાચૂકા–આડા અવળા માર્ગ અનેક હોય, એ પ્રત્યક્ષસિદ્ધ છે; તેમ મોક્ષ પ્રત્યે સીધો લઈ જતો આ સર્વજ્ઞતારૂપ માર્ગ એક જ છે. આવા નિર્વાણને નિકટમાં નિકટના સરલ સર્વજ્ઞમાર્ગને ભજવું, તે નિર્વાણને નિકટતમ માગે છે, અને તેમાં કોઈ પણ ભેદ નથી. તો પછી
Page 294
તેને ભજનારા સાચા આરાધક ભક્ત જનમાં કેમ ભેદ હોઈ શકે વારુ ? “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કોય.” શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિ. સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા-સારાંશ. સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા બાબત અત્રે જે યુક્તિઓ-દલીલો બતાવી, તેને સાર આ પ્રમાણે-(૧) પારમાર્થિક સર્વજ્ઞ વ્યક્તિભેદ છતાં સામાન્યથી સર્વત્ર Page #484 -------------------------------------------------------------------------- ________________ (૪૦૮) યોગદૃષ્ટિસમુચ્ચય તત્ત્વથી એક છે; અને તેને વિશેષ સ ંપૂર્ણપણે અસદી ને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વજ્ઞને નિર્દે ભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્ણાંક જે કેઇ માનતા હોય તે સ તુલ્ય જ છે, અર્થાત્ સર્વજ્ઞભક્તો એક જ છે.—જેમ એક રાજાના અનેક સેવકે તેના એક ભૃત્યવગ માં જ ગણાય છે. તેમ. (૨) દેવાની ભક્તિ ચિત્ર-ચિત્ર બે પ્રકારની છે. તેમાં સ'સારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અ-પર તત્ત્વ-મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્ત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનાને માગ એક જ છે. ( ૩ ) તે મુમુક્ષુઓને મા એક જ-મપરાયણ એવા છે, અને તે સાગરમાં કાંડાના માર્ગની પેઠે અવસ્થાભેદને ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણુ નામનુ પર' તત્ત્વ નામભે છતાં એકજ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામેાથી ઓળખાતું તે નિર્વાણુ તત્ત્વ સ્વરૂપથી એક જ છે. આવું નિર્વાણુ તત્ત્વ નિરાખાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવુ' એકસ્વરૂપ છે. આ નિર્વાણુતત્ત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ ચેગીએ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્ત્વને સ॰જ્ઞપૂર્ણાંક છે. સજ્ઞત્વ જ એને પામવાને ઋજુ અને નિકટ એવા એક જ માર્ગ છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિર્વાણુને સત્વરૂપ માર્ગ પણ એક જ છે, તા પછી સજ્ઞમાં ભેદ કેમ હેાય ? અને તેમાં ભેદ ન હેાય તે તે સર્વજ્ઞના સાચા ભક્ત એવા મુમુક્ષુ જોગીજનેામાં પણ ભેદ કેમ હાય ? । इति सर्वज्ञतत्त्वाभेदप्रतिष्ठापको महा धिकारः । 節 ભિન્ન સર્વદેશના અભેદ અધિકાર દેશનાભેદ કેમ છે ? એમ આશકીને કહે છે— चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ વૃત્તિ:—ચિત્રા તુ−વળી ચિત્ર, નાના પ્રકારની, ફેરાના-દેશના, ‘ આત્મા નિત્ય છે,' અને અનિત્ય છે,’ ઇત્યાદિપે તેવાં-એએની,-કપિલ, સુગત આદિ સોની, યાત્- હાય, વિનેયાનુ– ન્યત: તથાપ્રકારના વિનેષે ના–શિષ્યાના આનુગુણ્યથી—ખનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભીરુ એવા શિષ્યને આશ્રીને પર્યાયને ઉપસર્જન-ગૌણ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભાગઆસ્થાવ'તને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના. અને તે અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણુનારા ન હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞપણાની અનુપત્તિ હાય, ( સત્તપણું ટે નહિ"). એવા પ્રકારે દેઢના તા તથાપ્રકારે ગુણુદનથી અદૃષ્ટ જ છે-નિર્દેષ જ છે. તે માટે કશુંન્ચમાવેતે માત્માન:-કારણુ કે આ મહાત્માઓ, સ`શે. શુ ? તા કે-મવ્યાધિમિષવર :-ભવવ્યાધિના ભિષવરા છે. સંસારવ્યાધિના વૈદ્યોમાં પ્રધાન છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ શિખ્ય હિતાર્થ દ્રવ્યપ્રધાન-૫ર્યાયપ્રધાન દેશના (૪૦૯) ચિત્ર દેશના એહની, શિષ્ય આનુગુણ કાજ; કારણ એહ મહાત્મા તે, ભવવ્યાધિ વૈદ્યરાજ, ૧૩૪ અર્થ–પરંતુ એની ચિત્ર-જૂદા જુદા પ્રકારની દેશના તે શિષ્યના આનુગુણ્યથીઅનુકૂળપણાથી હેય; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષવરે છે. વિવેચન જે ગાયો તે સઘળે એક, સકલ દશને એજ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ્ રાજચંદ્રજી ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જે ઉપરમાં પ્રતિપાદન કર્યું તેમ સર્વનો અભેદ છે, તે પછી એઓની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જુદા જુદા પ્રકારની કેમ છે? તેને અહીં જવાબ આપે છે કે આ કપિલ, બુદ્ધ આદિ સર્વની દેશના તથાજે ગાયો તે પ્રકારના શિષ્યોના આનુગુણ્યથકી–અનુકૂળપણાથકી ચિત્ર એટલે કે
Page 295
જુદા જુદા સઘળે એક પ્રકારની હોવી સંભવે છે; કારણ કે આ મહાત્માઓ ભવવ્યાધિના ભિષવરે છે, સંસાર રોગના વૈદ્યરાજે છે. કપિલ, સુગત-બુદ્ધ આદિને તે તે દર્શનવાદીઓ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં-ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનું શું કારણ? તેનું યુક્તિસંગત સમાધાન અત્ર મહાનુભાવ શાસકાર મહર્ષિએ આપ્યું છે. અને તે એ છે કે-જે જેવો સમજાવ્યાની શિષ્યરૂપ પાત્રવિશેષ હોય, તે તે તેને અનુકૂળ પડે-માફક આવે, શૈલી કરી તેના આત્માને ગુણ કરે, એ બોધ કર, ઉપદેશ કરે યોગ્ય જાણી, તે તે સર્વએ તેમ કર્યું છે. એટલે કે તથાવિધ શિષ્યવિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે “સમજાવ્યાની શૈલી કરી છે. પાત્રવિશેષને લક્ષમાં લઈ કઈ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણ-સ્વસ્થાને લાવ–સમજાવે,’ એ જ તેઓને એકાંત હિત હેતુ હેઈ, તેની દેશના શૈલી જૂદી પડે છે. દાખલા તરીકે કઈ અનિત્યવાદી શિષ્ય એમ કહે કે-આ દેહાદિ અનિત્ય છે, જગમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તે પછી આ ધર્મમેક્ષ આદિ કોના માટે? ને શા માટે કરવા? એમ અનિત્યપણાથી ભીરુ દ્રવ્યપ્રધાન હોય, ડરતે હોય, તેવા શિષ્યને બંધ કરવાનો હોય-સમજાવવાને દેશના હોય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણ કરી, દ્રવ્યપ્રધાન દેશના દીધી કે–અહે, ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણ Page #486 -------------------------------------------------------------------------- ________________ (૧૦) યોગદૃષ્ટિજીવાય દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. ‘ કઇ સમુદ્ર પલટાતા નથી, માત્ર મેાજા` પલટાય છે, તેની પેઠે.' માલ, વૃદ્ધને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ“જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ જીણુ થયેલા દેહને છોડી આત્મા નવા દેહને ગ્રહે છે, ખાળીયુ' બદલાય છે, આત્મા બદલાતા નથી, માટે આત્મા અજર, અમર ને અવિનાશી છે એમ જાણી તું ભય મ પામ. X “ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; ખાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારા તે ક્ષણિક નહિ, કર અનુભવ નિરધાર. કયારે કાઇ વસ્તુના, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તા, કેમાં ભળે? તપાસ.’ —શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભાગ પ્રત્યે આસ્થાવત–આસક્તિ ધરાવતા કાઈ શિષ્ય હાય, તેને મેધ કરવાના પ્રસગે, તેએએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના દીધી કે * – અહા ! આ અનિત્ય ભાગેામાં ત્યારે આસ્થા કરવી ચેાગ્ય નથી. આ બધુ ́ય જગત ક્ષણભ`ગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને શાકથી ભરેલા એવા પ્રિયસયાગ અનિત્ય છે. કુત્સિત આચરણનું સ્થાનક એવુ. યૌવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાએ અનિત્ય છે. અને સભાવના નિધનરૂપ-કારણુરૂપ એવુ' જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનને આશ્રય કરવા પડે છે, એટલે અત્રે સુખ છે નહિં. આમ મા સ`સારમાં બધુય પ્રકૃતિથી પર્યાયપ્રધાન દેશના x " वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । તથા રાતાળિ વિદાય ગીોચાનિ સંચાતિ નવનિ વેદ્દી’--શ્રી ભગવદ્ગીતા " नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा । નટે ફેહેડપ્થામાનું ન નષ્ટ હન્યતે પુષઃ ।।”—શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત શ્રી સમાધિશતક * " अनित्यः प्रियसंयोग इद्देर्ष्याशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ॥ अनित्या: संपदस्तीव्रक्लेशवर्ग समुद्भवाः । अनित्यं जीवितं चेह सर्व भावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मृत्युहींना दिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ॥ प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद
Page 296
किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्मं जगद्वंद्यम कलङ्कं सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः || —શ્રી હરિભદ્રાચાર્ય છકૃત શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તમક ૧. Page #487 -------------------------------------------------------------------------- ________________ રોમાદિ : અન્વય-વ્યતિરેકરૂપ સ્યાવાદી વસ્તુ અસુંદર છે. એટલા માટે, કહે, એક જગદ્વંદ્ય સનાતન શુદ્ધ ધર્મ શિવાય અને ક્યાંય વિવેકીઓએ આસ્થા કરવી યુક્ત છે?” આમ પાત્રભેદે તે તે શિષ્યના ઉપકાર હેતુઓ તે સર્વની દેશનાનો ભેદ પડ્યો હોય એમ સંભવે છે. વળી તે સર્વ કાંઈ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા ન હોય એમ નથી, જાણનારા હોય જ એ નિશ્ચય છે, નહિ તે તેમનું સર્વાપણું ઘટે નહિ. કારણ કે અન્વયરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાય, એ બનેથી યુક્ત એવું અન્વય- વસ્તુસ્વરૂપ તેઓ ન જાણતા હોય, તે તેઓનું સર્વજ્ઞપણું શી રીતે ? વ્યતિરેકરૂપ અને અન્ય વ્યાપ્તિથી તે અન્વય-વ્યતિરેક અર્થાત્ દ્રવ્ય-પર્યાય એ વસ્તુ બને મળીને ભેટાલેક વૃત્તિવાળી જ વસ્તુ છે, એ યુક્તિ-સુસંગત વાત તે સામાન્ય બુદ્ધિવાળા બુધજન પણ સમજી શકે છે, તે પછી આ સર્વ ન જાણતા હોય, એમ કેમ બને? કારણ કે “ દ્રવ્ય વિનાનો પર્યાય નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય નથી,' એમ અન્ય વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. આ દ્રવ્ય-પર્યાયની અ ન્ય વ્યાપ્તિ પણ તેને એકાંત ભેદ કે અભેદ માનવામાં આવતાં ઘટતી નથી. કારણ કે દ્રવ્ય-પર્યાયને એકાંત ભેદ માનવામાં આવે, તે અતિપ્રસંગની પ્રાપ્તિ થશે; એકાંત અભેદ માનવામાં આવે, તે તે બન્નેનું અક્યએકપણું થશે, તે પછી દ્રવ્ય-પથાય જુદા માનવાની શી જરૂર પડી? અને આમ એકાંત ભેદ કે અભેદ માનવામાં “સ્યાદવાદ આવશે, તે શબ્દાર્થ પણ ઘટશે નહિં; કારણ કે સર્વત્ર અનુવસમજણ પણ ચાલ્યો આવે તે અન્વયે નામે ઓળખાય છે, અને એકત્ર વત્તી જુદી ખરી’ તરી આવે તે વ્યતિરેક કહેવાય છે. આમ શબ્દાર્થ પણ એકાંત પક્ષમાં ઘટશે નહિ. વળી “અ ન્ય વ્યાપ્તિ’ એમાં “ અન્યાન્ય’ એ શબ્દો ભેદ સૂચવે છે, અને “વ્યાપ્તિ' એ અભેદ બતાવે છે. માટે એ બન્નેનો ભેદભેદ માનવામાં આવે તે જ અન્ય વ્યાપ્તિનો સંભવ થાય તાત્પર્ય કે અન્વય-વ્યતિરેકની* અન્ય વ્યાપ્તિથી વસ્તુ ભેદાદરૂપ જ છે, અર્થાત્ દ્રવ્ય-પર્યાયની અન્ય વ્યતિથી ભેદભેદ વૃત્તિવાળી વસ્તુ છે, વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે, એમ ન્યાયથી અવિરુદ્ધપણે સિદ્ધ છે. * " अन्वयो व्यतिरेकश्च ट्रव्यपर्यायसंज्ञितौ । अन्योन्यव्याप्तितो भेदाभेदवृत्त्येव वस्तु तौ ॥ नान्योऽन्यव्याप्तिरेकांतभेदेऽभेदे च युज्यते । अतिप्रसंगादैक्याश्च शब्दार्थानुपपत्तितः ॥ अन्योऽन्यमिति यभेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसंभवः ।। एवं न्यायविरुद्धेऽस्मिन् विगेधोद्भावनं नृणाम् । व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ।।" ઇત્યાદિ (વિશેષ માટે જુઓ) શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્ર વાર્તાસમુ , સ્તબક. ૭ "णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो । व्वगुणपज्जयत्थो अत्थो अत्थित्तणिव्वत्तो॥" –શ્રી કુંદકુંદાચાર્યજીપ્રીત પ્રવચનસાર, અર્થાત–પરિણામ વિનાને અર્થ નથી, અને અર્થ વિનાને પરિણામ નથી. દ્રવ્ય-ગણુ-પર્યાયસ્થિત અર્થ અસ્તિત્વથી સિદ્ધ થાય છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ (૧૨) યોગદષ્ટિસમુચ્ચય આવું સદ્દબુદ્ધિગમ્ય ન્યાયપ્રસિદ્ધ વસ્તુસ્વરૂપ જ્ઞાની એવા સર્વની જાણ બહાર હાય, એમ કેમ બને? ન જ બને. તેવું યથાર્થ વસ્તુસ્વરૂપ તેઓ અવશ્ય જાણતા જ હેવા જોઈએ, પરંતુ શિષ્યના હિતહિતુએ તેઓએ તેવા તેવા પ્રકારે ગૌ-પ્રધાન ભાવથી જુદી જુદી દેશના કરી છે, માટે તે અદુષ્ટ જ છે, નિર્દોષ જ છે, કારણ કે નિત્ય દેશના કરતાં પર્યાયને ગૌણુભાવ, અને અનિત્ય દેશના કરતાં દ્રવ્યને ગૌણુભાવ, તે મહાનુભાવોના હૃદયમાં હોવો જ જોઈએ. કઈ પણ દેશના અમુક નય-અપેક્ષાના પ્રધાનપણથી ને અન્ય અપેક્ષાના ગૌણપણથી જ થઈ શકે કારણ કે વચનમાં એક વખતે એક અપેક્ષા જ આવી શકે, અને જ્ઞાનમાં તે સર્વ અપેક્ષા એકી સાથે ભાસ્યમાન થાય, છતાં વચનથી તે અનુક્રમે એક એક અપેક્ષા જ ગૌણ-મુખ્યભાવે
Page 297
કહી શકાય. એટલે તે મહાનુભાવનું કથન એકાંતિક નથી, એમ આશય સમજાય છે. “કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધક સાધન સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે. કુંથુ જિનેસરૂ! વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામે; ગ્રાહક અવસર બેધથી રે, કહેવે અર્પિત કામે રે. કુંથુ”—શ્રી દેવચંદ્રજી. અને તેવા પરમ ઉપકારી મહાત્મા મહાપુરુષે આમ કરે એમાં આશ્ચર્ય નથી, કારણ કે કોઈ પણ પ્રકારે આ જીવને સંસારરૂપ મહારોગ મટે એ જ તેમને મુખ્ય ઉદ્દેશ હતું. એટલે ભવ્યાધિના ભિષગવરે-વૈદ્યરાજે જેવા આ સર્વજ્ઞાએ ભવવ્યાધિના તે તે જીવની પ્રકૃતિ એળખી, તેને માફક આવે અનુકૂળ પડે, ગુણ ભિષગવરે કરે, એવી દેશના ઔષધિ તેઓને આપી. વ્યવહારમાં પણ કુશળ વૈદ્યરાજ હોય તે રોગીની પ્રકૃતિ એળખી, રોગનું નિદાન પારખી, બરાબર ચિકિત્સા કરી, તેને યોગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે, કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કફપ્રકૃતિને અવગુણ કરે; ઈત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધ પ્રયોગ કરે છે. તેમ આ ભવરગના વૈદ્યરાજ મહાત્મા સર્વાએ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી ભિન્ન ભિન્ન દેશનાઔષધિને ૧ પ્રયોગ કર્યો છે, એમ સમજાય છે. આ ઉપરથી શું? તે કહે છે– *" विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥ न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥" “અન્ય વમિરત્યે મેતરાથનિવૃત્તશે વિ સર્વમેવેતિ યુદ્ધનોવાં કામના !” –શાસ્ત્રવાર્તાસમુચ્ચય Page #489 -------------------------------------------------------------------------- ________________ હાબાદઃ ભવ્યાધિ ભિષવરેને બીજાધાનાદિર બંધ (૪૧૩). यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥ સાનુબંધ બીજ આદિને, સંભવ જેને જેમ તેને એઓએ અહીં, બાધ કર્યો છે તેમ, ૧૩૫ અર્થ –જેને જે પ્રકારે સાનુબંધ બીજાધાન આદિને સંભવ થાય, તેના પ્રત્યે તેવા પ્રકારે તેઓએ તેટલા માટે કહ્યું છે. વિવેચન “ભવરગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિ; દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિ.”–શ્રી દેવચંદ્રજી અને આમ ઉપરમાં કહ્યું તેમ આ મહાત્મા સર્વ ભવવ્યાધિના ભિષવરે છે–સંસારરેગના વૈદ્યરાજે છે, એટલા માટે જ જે પ્રાણીને જે પ્રકારે સાનુબંધ બીજાધાન આદિને સંભવ થાય, તેવા પ્રકારે તેઓએ, કુશલ બીજાધાનાદિ માલીની પેઠે, તેના પ્રત્યે ઉપદેશકાર્ય કર્યું. તે આ પ્રકારે :-વનસ્પતિથાય તે બધા શાસ્ત્રના નિયમ પ્રમાણે કઈ છોડને ઊગવા માટે અમુક જાતનું ખાતર જોઈએ છે. કોઈ બીજા છેડને માટે બીજી જાતનું ખાતર ખપે છે. આમ જૂદા જૂદા છોડને માટે જુદી જુદી જાતનું ખાતર નાંખવું પડે છે. આ મુદ્દો લક્ષમાં રાખીને કુશલ માલી ભૂમિમાં બીજાધાન થાય, બીજ રોપાય, ઊગી નીકળે, એવું ખાતર નાંખે છે. તેમ આ કુશલ ભિષવર પણ ગ્ય પાત્રવિશેષરૂપ શિષ્યની ચિત્તભૂમિમાં સમ્યગૂ બેધ–બીજનું આધાન થાય, પણ થાય, તેવું ભવેઢેગ ઉપજે એવું ઉપદેશ રૂપ ખાતર નાંખે છે. માળી જેમ બીજાધાન થયા પછી પણ, બીજ રોપાયા પછી પણ, તેમાંથી અંકુરફણગો ફૂટે તેમ જલસિંચન કરે છે તેમ આ નિપુણ વૈદ્યરાજે પણ તે તે શિષ્યને તે બેધબીજ ઊગી નીકળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશજલ સિંચે છે. પછી માળી જેમ તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, જ્યારે બાંધે છે, અને તેને પાણી પાયા કરે છે, તેમ આ નિષ્ણાત વૈદ્યવરે શિષ્યના ઊગતા ધરૂપ કૃતિ – શ્ય–જે પ્રાણને, જેન કાળ–નિત્યદેશના આદિ લક્ષણવાળા જે પ્રકારે, ચીકાથીનારિસંમવા બીજાધાન આદિને સંભવતાપ્રકારે ભોગ આદિ ભાવે કરીને, સાનુ પો મવતિ–સાનુબંધ થાય તેવા પ્રકારે ઉત્તર ગુણદ્ધિ વડે કરીને, તે-આ સર્વાએ
Page 298
તથા તેવા પ્રકારે, તોય તેને, તેના પ્રત્યે, ગjદકહ્યું છે, ગાયું છે, તd-તેટલા માટે. Page #490 -------------------------------------------------------------------------- ________________ (૪૧૪) ગદરિસરુસ્થય છોડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડનો પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધજલ પાયા કરી પરિવૃદ્ધિ પમાડે છે. અને પછી ખૂબ કાળજીથી-માવજતથી છેડને ઉછેરીને જેમ માલી તે છેડ ફલફૂલથી શેભતું વૃક્ષ થાય તેવું કરે છે; તેમ આ ભિષગુવારે પણ શિષ્યને બેધરૂપ છોડ મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. આમ જેમ કુશલ માલી બીજાધાનથી વૃક્ષ માંડીને ફલભારથી નમ્ર વૃક્ષ થવા પર્યત છેડની કાળજીભરી સંભાળ લે છે, તેમ આ મહાનિપુણ વૈદ્યરાજે શિષ્યને સાનુબંધ બીજાધાનાદિ થાય, અર્થાત્ સમ્યગુ બાધબીજ ઊગી નીકળી, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામી, યાવત્ મેક્ષફળ પ્રાપ્ત થાય, તેમ ઉપદેશામૃત જલધારા વહાવી નિષ્કારણ કરુણાથી કાળજીભરી સંભાળ લે છે. કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજોને એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનું છે. જેમ સવૈદ્યનો હેતુ રોગીને જેમ બને તેમ જલદી રોગમુક્ત કરવાને-સાજો કરવાનો જ હોય છે, એકાંત શિષ્ય પછી ગમે તે એસડથી સારો થતો હોય, તે તે ઓસડ તે નિ:સંકેચકલ્યાણ હેતુ પણ અજમાવે છે. તેમ આ ભવરોગના ભિષવરો પણ જે ઉપદેશ ઔષધિથી આ જીવને ભવરોગ મટે, તેની આત્મબ્રાંતિ ટળે, તે ઔષધિનો નિ:શંક પ્રયોગ કરતાં અચકાતા નથી, કારણ કે તેઓનો એકાંત હેતુ જેમ બને તેમ જલદી જીવને ભવરૂપ ભાવોગ મટાડવાનો છે. જવની આત્મબ્રાંતિ ને તેથી થતી ભવભ્રાંતિ દૂર કરવાનો છે; એટલે નિત્યપ્રધાન દેશનાથી શિષ્યને ગુણ થાય એમ છે એવું લાગ્યું, તે તેઓએ નિત્યદેશના ઉપર ભાર મૂક્યો; અને અનિત્યપ્રધાન દેશનાથી લાભ થાય એમ છે એવું દેખ્યું તે અનિત્યદેશના પર ભાર મૂક્યો. જ્યાં જેમ ઘટે તેમ વિવેક વાપરી તેઓએ યથાયોગ્ય ઉપદેશ દીધો. આમ પરમાર્થ હેતુએ કરીને સર્વોની દેશનામાં ભેદ પડ્યો હશે, એમ આશય સમજાય છે. આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પધ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન ”—શ્રી આત્મસિદ્ધિ પરિહારાન્તર-બીજા પ્રકારને શંકાનો પરિહાર (સમાધાન) કહે છે– एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्य पुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ १३६ ॥ કૃત્તિ-પારિ રેરાના–દેશના એક છતાં તેના મુખમાંથી વિનિમન-નીકળવાને આશ્રીને એક છતાં, તેણ-આ સર્વજ્ઞાની, યદ્દા-અથવા તો, શોકૂવમેરત-શ્રોતાઓના વિભેદથી, તથા ભવ્યતાના ભેદ કરીને, નિપુણતા -અચિન્ત પુણ્યના સામર્થ્યથકી, એટલે કે પર બેધના આશ્રયથકી ઉપજેલા કર્મના વિપાકને લીધે, એમ અર્થ છે, તથા–તેવા નિત્ય આદિ પ્રકાર, ત્રિવિમારે-ચિત્ર અવભાસે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ દીઓદષ્ટિ અચિત્ય પુણ્ય સામર્થ્યથી એક દેશના ચિત્ર ભાસે ! (૪૧૫) એક છતાં તસ દેશના, શ્રોતૃભેદથી તેમ; અચિન્ય પુણ્ય સામર્થ્યયથી, ચિત્ર ભાસતી એમ, ૧૩૬ અર્થ:–અથવા તે એઓની (સર્વની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામર્થ્યને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે. વિવેચન અથવા તે સર્વજ્ઞોની વાણીમાં ભેદ કેમ પડે છે? એ વિરોધને પરિહાર કરવા માટે બીજે યુક્તિસંગત ખુલાસે અહીં કર્યો છે -એઓની દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામર્થ્યના પ્રભાવને લીધે, તેવા સર્વજ્ઞ દેશના પ્રકારે ચિત્ર ભાસે છે! અર્થાત્ એ સર્વજ્ઞોના મુખવિનિગમને અપેક્ષીને એક છતાં ચિત્ર એટલે કે એએના મુખમાંથી નીકળી તે અપેક્ષાએ તે તેઓની દેશના ભાસે ! એક છે, છતાં તથાભવ્યત્વના ભેદથી શ્રોતાઓના ભેદને લીધે તે ચિત્ર ભાસે છે ! આમ તે સર્વજ્ઞોના મુખમાંથી કરેલી વાણી તે એક જ પ્રકારની છે, પરંતુ શ્રોતાઓમાં તથાભવ્યત્વને ભેદ હોય છે, જુદી જુદી ભવ્યતા–ચોગ્યતા હોય છે, એટલે શ્રેતાઓનો ભેદ પડે છે, તેથી કરીને તે સર્વજ્ઞવાણી એઓના અચિત્ય પુણ્ય પ્રભાવથી તે તે શ્રેતાને ચિત્ર-જુદી જુદી પ્રતિભાસે
Page 299
છે! એટલે પિતાપિતાની ભવ્યતા પ્રમાણે પ્રત્યેક શ્રોતા સર્વજ્ઞવાણીને પિતપતાને ઉપકારી એવી અનુકૂળ અપેક્ષામાં સમજી જાય છે, પોતપોતાને કલ્યાણકારી અનુકૂળ અર્થમાં ગ્રહણ કરી લે છે, એટલે પ્રત્યેક સાંભળનાર જાણે એમજ સમજે કે ભગવાન આ જાણે મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે ! એમx કહેવાય છે કે સમવસરણમાં બિરાજી ભગવાન તીર્થકર સર્વજ્ઞદેવ દેશના આપે છે. ત્યારે પશુ-પક્ષી, મનુષ્યાદિ સર્વ કોઈ પોતપોતાની ભાષામાં તેને ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ અદ્ભુત સર્વના વચનાતિશય હોય છે, તે એ જ પરમાર્થ સૂચવે છે. અને આમ એક વાણી પણ અનેકરૂપે-ચિત્રરૂપે ભાસ્યમાન થાય છે, તે ભગવાન સર્વજ્ઞના અચિત્ય પુણ્ય સામર્થ્યને જ પ્રભાવ છે. કારણ કે “સવિ જીવ કરૂં શાસનરસી' એવી પરમ ઉદાત્ત પરેપકાર ભાવનાના બલથી, પોપદેશના કારણે કરી, તેઓએ મહાપુણ્યસંભાર સંચિત કર્યો હતો. તે પુણ્યના પરિપાકવશે કરીને આ ચમત્કારકારી અતિશયવંત મહાપ્રભાવ તેઓનો વર્તે છે ! જેમ મેઘવૃષ્ટિ તે એક જ હોય છે, પણ ભૂમિ પર પડતાં, તે તે ભૂમિના આકાર પ્રમાણે જુદા જુદા વહેળા વહે છે, તેમ આ સર્વશોએ વષવેલ બેધધારામય ઉપદેશવૃષ્ટિ એક જ પ્રકારની છે, છતાં ભિન્ન ભિન્ન શ્રોતા પાત્રની x “ तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । બળેવા વરં તે ઘwવવો 1 ”–શ્રી હેમચંદ્રાચાર્યજીત વીતરાગસ્તવ, Page #492 -------------------------------------------------------------------------- ________________ (૪૧૬) ગદરિસસુ થયા ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થ પ્રવાહ ધારણ કરે છે! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે ! “વાણી ગુણ પાંત્રીશ અનેપમ, અવિસંવાદ સરૂપે રે, ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે– यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર અવસ્થતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અર્થ:–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેને તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિત એવી છે. વિવેચન “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ સર્વજ્ઞદેશને એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તે પણ વિશેષ આશ્ચર્યકારી તે એ છે કે તેનાથી તે સર્વને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણીની સર્વત્ર સુસ્થિત એવી અવધ્યતા-અનિષ્ફળતા ઉપજે છે. શ્રી સર્વજ્ઞવાણી એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણું જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉ૫કાર પણ થાય છે, કૃત્તિ –ામ ર–અને યથાભવ્ય, ભવ્યને સદ, સર્વે-સર્વેને, સમડજિ-ઉપકાર પણ, ગણ ૫ણ, તાતા તેનાથી કરાયેલા, દેશનાથી નિપન-નીપજે, ગાજતે-ઉપજે છે, પ્રાદવિ છે, પ્રગટે છે. જવાડજિ-અવંધ્યતા પણ, અનિષ્ફળતા પણ, પર્વ-એમ, ઉક્ત નીતિથી અચા–આની, આ દેહનાની, સર્વત્ર સુરિયા-સર્વત્ર સુસ્થિત એવી. * “ક$ષ્ટપુષ્યામબાતિહાર્યાન્વિતઃ વગેશન શોમાન્સયમન્ચે નિયતઃ | » –પગબિલ્ડ Page #493 -------------------------------------------------------------------------- ________________ હમાદ્ધિ: રાવણની અવધ્ય દેશના (૪૧૭) અને તે ઉપકાર, સાંભળનારનું જેવું જેવું ભવ્યત્વ–ોગ્યપણું હોય તે સર્વજ્ઞની પ્રમાણે થાય છે. જેવી જેવી જેની જેની યોગ્યતા–પાત્રતા છે, તે અવંધ્ય દેશના તે તેને તેને ઉપકાર થાય છે, ગુણ ઉપજે છે, આત્મલાભ થાય છે. જેવી જેવી જેની જેની ઝલવાની શક્તિ, જે જે જેને ક્ષયોપશમવિશેષ, તે તે બધું તે ઝીલે છે. જેમ કેઈ અમૃતસરોવર ભર્યું હોય, તેમાંથી જેવડું પાત્ર હોય, તેવડું પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે તેમ આ સર્વજ્ઞ વચનામૃત સાગરમાંથી તથાવિધ પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે. તે અમૃતસિંધુમાંથી જેનાથી જેટલું બને તેટલું યથાશક્તિ અમૃતપાન યથેચ૭પણે સર્વ કઈ શ્રોતા કરે છે, અને તેથી તેને તથા પ્રકારને આત્મગુણ
Page 300
થાય છે, તે ચેકસ. ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે. દેવ વિશાલ જિર્ણોદની, તમે ધ્યા તત્વસમાધિ રે.”—શ્રી દેવચંદ્રજી કારણ કે રોગીને સાચે વૈદ્ય મળે છે, અને અમેઘ અમૃત ઔષધિને જગ બન્ય છે, તે તેને રેગ દૂર કેમ ન થાય? તેમ આત્મબ્રાંતિથી ઉપજેલે આ ભવરૂપ મહારાગ જેને લાગુ પડ્યો છે, એવા આ ભવ્ય શ્રોતાજનેને શ્રી સર્વજ્ઞરૂપ પરમ ઔષધને ગુણક સદ્યને જગ લાવ્યો છે, ને તેઓએ પ્રોજેલી પરમ ઔષધિરૂપ વિદેષને નાશ અમૃતવાણી કાને પડી છે, તો પછી તેઓને તે રેગ કેમ ન મટે? કેમ ન હઠે? રોગીને રોગ હઠે છે કે નહિં, તેને ગુણ થાય છે કે નહિ, તે તેના દોષ દૂર થવારૂપ ચિથી પરખાય છે. જેમ વાત, પિત્ત ને કફની વિષમતાથી ઉપજેલા ત્રિદોષથી કોઈ પીડાતે હોય, તેને ઔષધ આપવામાં આવતાં જે તેનો ત્રિદેષ દૂર થતે દેખાય તે સમજવું કે આ ઔષધથી તેને ગુણ થયે; તેમ આ ભવરોગી રાગ, દ્વેષ ને મેહરૂપ ત્રિદોષ સન્નિપાતથી પીડાઈ રહ્યો છે, તેને આ રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદેવ જે પરમ શાંત રસમૂળ સર્વજ્ઞ વચનામૃત થી દૂર થયે, વા એ છે થયે, તે જાણવું કે આ ઔષધને આ ગુણ છે. અને આ સર્વજ્ઞ વચનામૃત શ્રવણથી તે તે શ્રોતાના રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ અવશ્ય દૂર થાય છે, દૂર હટે છે, માળા પડે છે, એ નિશ્ચિત છે. એમ કહેવાય છે કે, સર્વદેશના સાંભળી મેહપટલ દૂર થતાં કંઈક જીવને સર્વવિરતિ પરિણામ-ભાવ ઉપજે છે, કંઈક છે દેશવિરતિભાવને પામે છે. કંઈક ને સમ્યગદર્શન સાંપડે છે, અને કંઈક જ શુભભાવમાં સ્થિતિ કરે છે. માહી જીવ લેહકો કંચન, કરવે પારસ ભારી હો - સમતિ સુરતરુ વન સેચનમેં, વર પુષ્કર જલધારી હે.” શ્રી દેવચંદ્રજી Page #494 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ગદરિચય કારણ કે અનંત અનંત ભાવભેદથી ભરેલી, તથા અનંત અનંત જયનિક્ષેપે વ્યાખ્યાન કરેલી, એવી સર્વસવાણી સકલ જગની હિતકારિણી છે, મેહની હારિણી છે, ભવસાગરની તારિણી છે, અને મેક્ષની ચારિણું છે. એવી સર્વસવાણીને જિનેશ્વરતણું ઉપમા આપવાની તમા રાખવી તે ફેગટ છે, અને ઉપમા આપવાની શણ, જાણી કે ધૃષ્ટતા કરે તે તેના ઉપરથી તેની પોતાની મતિનું માપ નીકળી તેણે જાણી છે” જાય છે! આવી પરમ ગુણકારિણી સર્વજ્ઞવાણીને બાલ જીવો ખ્યાલ નથી પામતા, તે ગુણખાણી વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે. અને તેવા પ્રકારે શ્રી “જિનેશ્વરની વાણી’ની અનન્ય ભાવથી પરમ પ્રશંસા કરતા અમર કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લલકાર્યું છે – “અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગતહિતકારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને, તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ, મપાઈ મેં માની છે; અહો રાજ્યચંદ્ર! બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણું છે.” શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા. આમ સર્વજ્ઞવાણી શ્રોતાઓને યથાયોગ્ય ઉપકારરૂપ ગુણ અવશ્ય કરે છે, એટલા માટે એનું સર્વત્ર અવધ્યપણું છે, અનિષ્ફળપણું છે, અમેઘપણું છે, અર્થાત્ સર્વદા સર્વથા સર્વત્ર સફળપણું છે, એ નિશ્ચિત સ્થિતિ છે. સર્વજ્ઞવાણું રામબાણ જેવી અમેઘ છે, કદી પણ ખાલી જતી નથી. પ્રકારાન્તર (બીજે સમાધાન પ્રકાર) કહે છે – यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ॥१३८॥ તતકાલાદિ નિયોગથી, તે તે નયસાપેક્ષ ચિત્ર દેશના ઋષિથકી તન્મેલ આ પણ વખ, ૧૩૮ અર્થ—અથવા તે તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર દેશના તે કાલ આદિ નિવેગથી ત્રષિઓ થકી પ્રવર્તી છે, આ પણ તત્ત્વથી તે તસ્કૂલ-સર્વજ્ઞમૂલ વાણી
Page 301
છે. વૃત્તિ –ચ–અથવા તે, તત્તનાપેક્ષા-તે તે નયની અપેક્ષાવાળી, દ્રવ્યાસ્તિકાય આદિને અધિકૃત કરીઆશ્રીને, તwાિિનયોત –તે કાલ આદિના નિયોગથી, દુષભ આદિના વેગથી, -ઋષિઓ થકી, કપિલ આદિ થકી જ, તેરશના ચિત્રા-દેશના ચિત્ર છે. અને આ પણ, નિર્મલ નથી, એટલા માટે કહ્યુંતન્યૂટકારતે સર્વશદેશનાલ આ પણ, તત્ત્વત તત્ત્વથી, પરમાર્થથી,–તેના પ્રવચનના અનુસાર થકી તથા પ્રકારે પ્રવૃત્તિને લીધે. Page #495 -------------------------------------------------------------------------- ________________ દાહઃિ કાદિ સાપેક્ષ ઋવિદેશનાનું મૂલ સવારના (૪૧૯) વિવેચન “રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ”–શ્રીમદ્ રાજચંદ્રજી. અહીં વળી પ્રસ્તુત વાતને બીજા પ્રકારે ખુલાસો કર્યો છે. તે કાળના આદિના નિરોગથી તે તે નયની અપેક્ષાવાળી આ ચિત્ર દેશના કપિલ આદિ ઋષિઓ થકી જ પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વદેશના જ છે, કાલાદિ સાપેક્ષ કારણ કે સર્વજ્ઞપ્રવચનના અનુસારે જ તેની તથા પ્રકારે પ્રવૃત્તિ છે. આમ ચિત્ર ઋષિદેશના તે તે દેશના ચિત્ર-જુદી જુદી ભાસે છે, તેનું પ્રકારાંતરે આ યુક્તિયુક્ત કારણ પણ સંભવે છે કે-તેવી જુદી જુદી દેશના સ્વયં ત્રષિઓ થકી જ ચાલી આવી છે, અર્થાત્ કપિલ આદિ ઋષિઓએ જ તેવી ભિન્ન ભિન્ન દેશના પ્રવૃત્તિ કરી છે. અને તેમ કરવામાં તેઓ દેશ-કાલ આદિ જોઈ વિચારીને પ્રવર્યા છે. સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ જેઈને પ્રવર્તવું એ વિચક્ષણનું કર્તવ્ય છે એ નિયમ છે. એટલે એ મહાનુભાવોએ દુઃષમ કાળ-કરાલ કલિકાલ વગેરે પરિસ્થિતિ લક્ષમાં - લઈને, અને જીવોના સર્વ-સંવેગ ને વિજ્ઞાનવિશેષ ખ્યાલમાં રાખીને અનુશાસન કર્યું છે, વ્યાસ્તિક આદિ નયની અપેક્ષાએ જાતજાતની દેશના કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે કહ્યું છે કે – " देशकालान्वयाचारवयःप्रकृतिमात्मनाम् । વિવેગવિજ્ઞાનવિશેષ જવાનુશાસનમ્ ” –ાત્રિશત દ્વાત્રિ શિકા. દેશકાળાદિ જોતાં જો નિત્યદેશના ઉપકારી લાગી, તે તેઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો, જે અનિત્ય દેશના ઉપયોગી લાગી, તે પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કોઈ અપેક્ષા કાર્યકારી લાગી, તે તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને–અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશ પદ્ધતિ અંગીકાર કરી છે કારણ કે ગમે તેમ કરી જીવની આત્મબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપને લક્ષ કરાવી “ઠેકાણે આણુ” એ જ એક એમનો મુખ્ય ઉદ્દેશ હતું. એટલે એ જ એક વિવેક તેઓએ સર્વત્ર નિજ નિજ દર્શનમાં ગાય છે, અને તે સમજાવવા માટેની જુદી જુદી શૈલી-કથનરીતિ અખત્યાર કરી છે. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એજ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી.” –પરમ તત્વદષ્ટા શ્રીમદ રાજચંદ્રજી, Page #496 -------------------------------------------------------------------------- ________________ (૪૨૦) યોગદષ્ટિસમુરાય અને “નય’ શબ્દને પરમાર્થ પણ એ જ સૂચવે છે, કારણ કે “ની” ધાતુ ઉપરથી નય એટલે વસ્તુસ્વરૂપ અંશ પ્રત્યે દેરી જાય , અથવા “નાના સ્વભાવમાંથી વ્યાવૃત્ત કરી એક સ્વભાવમાં વસ્તુને દોરી જાય-પહોંચાડે તે નય;” અથવા “પ્રકૃત વસ્તુના અંશનું ગ્રહણ કરતે પણ તેના ઈતર-બીજા અંશને પ્રતિક્ષેપ– વિધ નહિં કરતે અધ્યવસાયવિશેષ તે નય. ” જે ઈતર અંશને અપલાપ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે નય નહિં, પણ દુર્નય+ અથવા નયાભાસ બને છે અથવા નય એટલે ન્યાય. નયરૂપ ન્યાયપદ્ધતિથી નિષ્પક્ષપાતપણે અનંતધર્માત્મક વસ્તુસ્વરૂપના અંશોનું અનુક્રમે પરીક્ષણતેલન થઈ શકે છે. અને “ઉપદેશ છે તે નન્ય છે,’ ‘વસો સો નામ', અર્થાત્ નયજન્ય ઉપદેશમાં નય પદને ઉપચાર થાય છે. કારણ કે ઉપદેશ પણ અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણથી થઈ શકે છે. એટલે ઉપદેશ છે તે પણ નય છે, અપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈલી’ રૂપ છે, માટે તે તે ત્રષિદેશનાને પણ નયસાપેક્ષ કહી તે યથાર્થ છે. આવી સાપેક્ષ ઋષિદેશનાનું મૂલ પણ
Page 302
તત્વથી–પરમાર્થથી સર્વજ્ઞદેશના જ છે, કારણ કે પરમ પ્રમાણભૂત સર્વજ્ઞવાણી જ પ્રત્યેક વસ્તુને-કેઈ નય ન દુભાય એમ-અનંત નય અપેક્ષાએ પરીક્ષે છે. સર્વ વાણીમાં નયવિહીન એવું કોઈ સૂત્ર રષિદેશનાનું કે અર્થ નથી,x પણ શ્રેતાને આશ્રીને નિયવિશારદ નય કહે-પ્રકાશે. ભૂલ સર્વજ્ઞદેશના એટલે પરમાર્થથી તે તે નય અપેક્ષાએ શ્રોતાવિશેષને આશ્રીને કરવામાં આવેલી સર્વ ઋષિદેશનાઓનું મૂલ ઉદ્ભવસ્થાન સર્વજ્ઞવાણી જ છે, એમ સ્વયંસિદ્ધ થાય છે. જેમ અનેક નદીઓનું મૂલ પ્રભવસ્થાન પર્વત છે, તેમ વિવિધ દેશના-સરિતાઓનું મૂલ જન્મસ્થાન સર્વજ્ઞવચન છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ સર્વજ્ઞવાણીને પરમ ભક્તિભાવાંજલિ અર્પતું ટકોત્કીર્ણ વચનામૃત છે કે અહે! તે સત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ ! અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! + “नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन्स्वभावे वस्तु नयति प्राप्नोतीति नयः।" "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः ।" –શ્રી યશવિજ્યજીકૃત નરહસ્ય. + “જે ન્તwówwwજુવાતે ચુસ્તતા દુર્નયાઃ” –શ્રી હરિભદ્રસુરિત પંચાશત. x “नथि नएहि विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि । । ગાયજ્ઞ ૩ લોયા ના નવવિલા કૂવા ” શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક સૂત્ર Page #497 -------------------------------------------------------------------------- ________________ દીમદષ્ટિઃ પ્રતિક્ષેપ મહાઅનર્થકર (૪૨૧) અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્ય એવા પરમ કૃપાળુ સદ્દગુરુ દેવ! તમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વત્તે ! જયવંત વૉ !”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ સર્વજ્ઞ પ્રવચન અનુસારે જ પ્રવર્તેલી તે તે ઋષિદેશનાઓ એક જ વત્સલ માતાની સંપીલી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તે એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે. “શિષ્ય ભણી જિન દેશના, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન....મન”–શ્રી . સ. ૪-૨૦. આકૃતિ ૧૩ (૧) સર્વ દેશના ચિત્ર (૨) સર્વદેવના એક (૩) ઋષિદેશના ચિત્ર (દેશકાલાદિ પ્રમાણે) શ્રોતાભેદે ચિત્ર ભાસે સર્વ દેશના એક પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન અનિદેશના નિસંદેશના (શિષ્યકલ્યાણ*). ત્તિ વિદેશનાડમેપિઝાડા સર્વજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર પ્રકૃત ઋષિઓથકી જન કહે છે– तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दृिशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३९ ॥ 1 દિ–તમિનાથ-તેઓને અભિપ્રાય, સર્વને અભિપ્રાય, અજ્ઞાત્વિ-જાણ્યા વિના, ર-નથી, તd –તે કારણથી, અર્વાદશાં સત્તાં-અવગુદષ્ટિ (છઠસ્થ) સંતને, પ્રમાતૃઓને. શું? તે કે-ગુ તત્ત ગતિશે તેઓને પ્રતિક્ષેપ યુક્ત, કે વિશિષ્ટ ! તે માટે કહ્યું-માનર્થ-મહા અનર્થકરણશીલ, મહા અનર્થ કરવાના સ્વભાવવાળો, પ–પર, પ્રધાન x" सुनिश्चितं नः परतंत्रयुक्तिषु, स्फुरति याः काश्चन सूक्तसंपदः । તવૈવ તે પૂર્વકાળવોચિત્તા, જાસ્ત્રના બિનવાવવિgઃ ” શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા દ્વા. Page #498 -------------------------------------------------------------------------- ________________ (૪૨૨) ચેય શિસુરધ તસ અભિપ્રાય લધા વિના, છદ્મસ્થને લગાર; પ્રતિક્ષેપ તસયુક્ત ના, પર મહાનકાર. ૧૩૯ અર્થ :—તેથી કરીને તેનેા-સુજ્ઞના અભિપ્રાય જાણ્યા શિવાય, અર્વાષ્ટિ છદ્મસ્થ સતાને તેના પ્રતિક્ષેપ (વિરેાધ) યુક્ત નથી, કે જે પરમ મહાઅનથ કરનાર છે. વિવેચન “સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન ખાર અનત કર્યા, તદપિ કછુ હજુ ન પાઁ’–શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં કહેવામાં આવ્યા તે તે કારણેાને લીધે તે સજ્ઞાના અભિપ્રાય જાણ્યા વિના અર્વાષ્ટિવાળા છદ્મસ્થ સંતજનાએ તેના પ્રતિક્ષેપ કરવા-વિરોધ કરવા યુક્ત નથી. તે પ્રતિક્ષેપ કેવા છે? તા કે પરમ-મેાટામાં માટેા અનથ કરનાર એવા છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સવ દેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું;, મહાઅનથ કર સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે-તે સર્વજ્ઞના આશય શે છે? તેના સમજણુ વિના અર્વાષ્ટિ પ્રમાતૃઓએ અર્થાત્ તત્ત્વગવેષક છદ્મસ્થ સજ્જનાએ તેના પ્રતિક્ષેપ કરવા-વિરોધ કરવા ઘટતા નથી. કારણ કે છદ્મસ્થનું જ્ઞાન આવરણવાળું ઢાઇ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના × છદ્મસ્થા ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પરાક્ષ શાસ્ત્રજ્ઞાન વડે તેને વ્યવહાર ચાલે છે. આંધળા જેમ હાથ લગાડીને વસ્તુ
Page 303
પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુઅ`ધના હસ્તસ્પર્શી સમું છે. તેના વડે છદ્મસ્થા યથાવત્ કેમ દેખી-જાણી શકે? માટે સર્વૈજ્ઞના વિષયમાં સંસ્થિત અર્થાને છદ્મસ્થા પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચય નથી, પણુ તે કંઇ પણ જાણે છે તે જ અતિ અદ્ભુત-આમ છે ! “सर्वज्ञ विषय संस्थांश्छद्मस्थो प्रकाशयत्यर्थान् । નાશ્ચર્યમેવવત્યપૂર્ણ તુ કિષિષિ વેશિ ॥” શ્રી સિદ્ધસેન દિવાક્ચ્છ મૃત દ્વા દ્વા. ૮-૧૧ વળી ઉપલક્ષણથી તે તે દશનભેદવાળી દેશનાએ પણ સનમૂલક છે, મૂલ તેમાંથી ઉદ્ભવેલી છે, એટલે તે પણ સવ સવાણીના અગરૂપ છે. આમ મુખ્ય એવા ષડૂદર્શન પણ સર્વૈજ્ઞપ્રવચનના અંગભૂત હોઇ, તેનેા પ્રતિક્ષેપ કરવા તે પણ સશવાણીના છેદ કરવા ખરાખર છે. શ્રી આનદ્દઘનજીની અમૃત વાણી છે કે— ★ " अंतरा केवलझानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शाखज्ञानं तद्व्यवहारकृत् ॥ " —શ્રી યશોવિજયજીત અધ્યાત્મપનિષદ્ Page #499 -------------------------------------------------------------------------- ________________ હરિ પદ્ધ દરિસણ જિન અંગ ભણજે (૨૩) “ષટું દરિસણ જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરિસણુ આરાધે રે...ષ... દરિસણુ. જિન સુરપાદ૫ પાય વખાશું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે....૦ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે...૫૦ લકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર એ કીજે રે; તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ? " જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...૧૦ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શન જિનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજનારે. ” માટે તે તે દશને વિચારતાં “ચાત ” પદાંતિ અપેક્ષાવિશેષને “ધરિ'-પ્રથમ ન્યાસ કરી, સર્વજ્ઞના આરાધક સંતજનેએ તેને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવા ગ્ય નથી, એટલું જ નહિં પણ, સ્યાત્ પદના ન્યાસપૂર્વક-સ્થાત્ પદ આગળ જોડીને કલ્પવૃક્ષ સમા ષટ દરિશન જિનદશનના અંગભૂત ષડ્રદર્શન પણ આરાધવા યોગ્ય છે. અને આ જિન અંગ દર્શનનું જ્ઞાન પણ કાંઈ ખંડનમંડનમાં ઉતરવા માટે નથી, પણ તત્ત્વનો ભણી જે’ વિનિશ્ચય કરવા માટે છે, ૫ર સિદ્ધાંત જાણીને સ્વ સિદ્ધાંતના બલને* નિશ્ચય જાણવા માટે છે, સ્વપક્ષનું બલ ચકાસવા માટે છે, અને એમ કરીને પણ કેવલ આત્માર્થ સાધવા માટે છે. વળી સર્વ શાસ્ત્રના નય હૃદયમાં ધારણ કરી, આ જીવે અનંતવાર મત ખંડનમંડનના ભેદ જાણ્યા, તે પણ તેનું કલ્યાણ થયું નથી ! એ સાધને અનંતવાર કર્યા છતાં, હજુ કાંઇ તવ હાથમાં આવ્યું નથી ! હાથ હજુ ખાલી ને ખાલી છે ! માટે આત્માથી સંતજનેએ કોઈ પણ પ્રકારે પ્રતિક્ષેપમાં-ખંડનમંડનમાં ઉતરવું યોગ્ય નથી. અને તેમાં પણ સર્વજ્ઞનો કે સર્વજ્ઞ વાણીને પ્રતિક્ષેપ કરવો તે તે અત્યંત દુષ્ટ છે, મા અનર્થકર છે, મોટામાં મોટો અનર્થ કરનાર છે. કારણ કે પરમ પૂજ્ય આરાધ્ય સવજ્ઞની આશાતના જીવને સન્માર્ગ પ્રાપ્તિમાં મહા અંતરાયરૂપ થઈ પડી, પરમ અકલ્યાણને હેતુ થાય છેપ્રત્યેક મુમુક્ષુઓ આ નિરંતર લક્ષમાં * શખવા યોગ્ય છે કે એક સંતની + “શેય: સિદ્ધાંત' શ્વવનિયોપટ6ષ્યના પક્ષમામાગુત્ય તુ સત્તામના ચાર–શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા, દ્વા ૮-૧૯ » “વારાશાતનાવ્યત્ર રામે તરવતા અન્યોન્યમનુવિદ્ધા હિ તે માના – શ્રી યશે, કૃત દ્વ, કા, ૨૧-૯ Page #500 -------------------------------------------------------------------------- ________________ (૪૨૪). યોગદરિચયુરાય આશાતનામાં સર્વ સંતની આશાતના છે, ને એક સંતની પૂજામાં સર્વ સંતની પૂજના છે. અહીં જ નિદર્શન (દષ્ટાંત) કહે છે– निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥१४०॥ ચંદ્ર તણે પ્રતિક્ષેપ ને, ભેદ કલ્પના જેમ, હોય અસંગત અંધના, છદ્મસ્થના આ તેમ, ૧૪૦ અર્થ :- જેમ ચંદ્રને પ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ (કલ્પના) આંધળાઓને
Page 304
અસંગત-અયુક્ત છે, તેમજ અવને-છદ્રસ્થાને આ સર્વજ્ઞપ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ અસંગત-અસંયુક્ત છે. વિવેચન જેમ ચક્ષુવિકલ એવા આંધળાઓને ચંદ્રને પ્રતિક્ષેપ કરે, નિષેધ કર, તે નીતિથી અસંગત છે–અયુક્ત છે, અને ચંદ્રના ભેદની પરિકલ્પના કરવી તે પણ અયુક્ત છે; તેમજ છદ્મસ્થાને સર્વજ્ઞને પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદની પરિકલ્પના સર્વજ્ઞપ્રતિક્ષેપ કરવી અસંગત છે—અયુક્ત છે. અંધકારને દૂર કરનારા નિશાનાથ-ચંદ્ર અયુક્ત અધનું દૂર આકાશમાં રહ્યો સતે ચાંદની રેલાવી સમસ્ત જગતમાં પ્રકાશ દષ્ટાંત રેલાવે છે; છતાં ચક્ષુવિકલ આંધળા તેને દેખી શક્તા નથી. ચંદ્ર પ્રગટ છે, છતાં તે આ અંધજને “ચંદ્ર છેજ નહિં” એમ કહી વાંધો ઉઠાવે, તેને પ્રતિક્ષેપ કરે, તે તે બીલકુલ બેહૂદું છે, અણઘટતું છે, નીતિથી અસંગત છે. કારણ કે તેઓ પોતે જ દેખતા નથી, તે આ નથી એમ કેમ કહી શકે તેમ હાંધકારને હરનારા સર્વજ્ઞ-ચંદ્ર જ્ઞાન-ત્રના વિસ્તારી સમસ્ત વિશ્વ વસ્તુને પ્રકાશિત કરે છે, છતાં દૃષ્ટિવિકલ છવા તેને દેખી શકતા નથી; સર્વજ્ઞ પ્રગટ છે, છતાં જે આ અવદષ્ટિ છદ્મસ્થ, “સર્વજ્ઞ જ નથી” એમ કહી પ્રતિવાદ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે સર્વથા અયુક્ત છે, સન્યાયથી અસંગત છે, કારણ કે પોતે જ જે દેખતા નથી, તે આ નથી એમ કહેવાની ધૃષ્ટતા કેમ કરી શકે વારુ? તૃત્તિ-નિશાનાથપ્રતિઃ -ચંદ્રને પ્રતિક્ષેપ, ચાયનામ-જેમ અંધેરે, ચક્ષુવિને, અલંકારઃઅસંગત છે. નીતિથી અસંગત છે. રાજાઝ-અને તેના બે પરિકલ્પ, ચંદ્રના બે પરિકલ્પવક્રપણું, ચેરપણું વગેરે, તથૈવ-તેમજ, બાદશા-અવગુ દષ્ટિવાળાઓને, એટલે કે છાસ્થાને, બર્થઆ, સર્વ પ્રતિક્ષેપ, અને તેના ભેદને પરિક૫ અસંગત-અફક્ત છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રાણિ: સન ભેદકલ્પના અયુક્ત-જન્માંધ મનુષ્યા ને હાથી (૪૨૫) વળી આ અંધજનેામાં કાઇ ચંદ્ર વાંકે છે, કાઇ ત્રાંસા છે, કેાઇ ચેારસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નીતિથી વિરુદ્ધ છે. કારણ કે જે ચંદ્રને દીઠો જ નથી, તેના સ્વરૂપ સબંધી ગમે તે કલ્પના કરવી તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જના, સર્વજ્ઞ આવા છે કે તેવા છે વગેરે તેના ભેદ સબધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, બેહૂદુ છે; કારણ કે જે સર્વજ્ઞને પેાતે દીઠા જ નથી, તેના સમી ગમે તે કલ્પનાના ઘેાડા દેડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પેાતાને દેખાતા નથી, તે ચંદ્રના વિવિધ ભેદ કલ્પી, આંધળાએ તે સબધી ઝઘડા કરે, તા તે તેા કેટલું બધું બેહૂદુ કહેવાય ? તેમ જે સજ્ઞ પાતે દીઠા નથી, તે સČજ્ઞના જૂદા જૂદા ભેદ કલ્પી, છદ્મસ્થા તે ભેદ સંખશ્રી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખડન-મંડનમાં ઉતરી પડે, તે તા અત્યંત અયુક્ત છે જ, એ આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્યા હાથીનું દૃષ્ટાંત ઘણું અધખેતુ છે. તે આ પ્રકારે— ભેદ હેપના અયુક્ત જન્માંધ મનુષ્યા ને હાથી કાઇ એક સ્થળે એક હાથી આવ્યો. એને જોવા માટે છ જન્માંધ પુરુષા ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જોયા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંખેલા જેવા લાગ્યા. ખીજાના હાથમાં દતૂશળ આવ્યું એટલે તેને તે ભૂંગળા જેવા લાગ્યા. ત્રીજાના હાથમાં કાન આવ્યા, એટલે તેને તે સૂપડા જેવા લાગ્યા. ચેાથાના હાથમાં પગ આવ્યો, એટલે તેને હાથી થાંભલા જેવા જણાયા. પાંચમાના હાથમાં ઉદર આવ્યું, એટલે તેને તે મષક જેવા જાયા. છઠ્ઠાના હાથમાં પૂંછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જેવા જણાયેા. આ ઉપરથી તેઓએ પેાતાતાના અભિપ્રાય બાંધ્યા અને પછી એક બીજાને જણાવ્યો. પછી દરેક પાતપેાતાના અભિપ્રાયમાં મક્કમ હાઈ, પાતે જ સાચા છે ને બાકીના બીજા બધા
Page 305
ખાટા છે, એમ આગ્રહ કરી પરસ્પર ઝઘડા કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી ! ત્યાં કાઈ એક દેખતા દૃષ્ટિવાળા મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેને નિવારીને ખેલ્યા કે—અરે ! ભલા માણસા ! આ તમે ફોગટ ઝઘડા શા માટે કરે છે ? તમે બધાય ખાટા છે ને તમે બધાય સાચા છે ! કારણ કે હાથી આવા જ છે એવા તમારા આગ્રહથી તમે ખાટા છે, અને અમુક અ`ગની અપેક્ષાએ હાથી આવા છે એ રીતે તમે સાચા છે. જુઓ ! હાથીની સૂંઢને આકાર સાંબેલા જેવા છે, દતૂશળના આકાર ભૂંગળા જેવા છે, કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું જણાય છે, અને પૂછ ુ‘ Page #502 -------------------------------------------------------------------------- ________________ (૪૨૬) સાવરણી જેવું દેખાય છે. એક એક અંગને સ્પર્શવાથી તમને હાથી તે તેવો લાગ્યો, તે તે તે અંગની અપેક્ષાએ બરાબર છે, પણ તે ઉપરથી કાંઈ આખા હાથીને ખ્યાલ છે • આવે છે! સમગ્ર અંગ મળીને જ હાથી બને છે. માટે તેનું સાંગોપાંગ સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેને સમયપણે જ વિચાર કરવો જોઈએ. તમારે આગ્રહરૂપ “જ'કારએકાંતવાદ છેડી દેવો જોઈએ. એમ સમજી હવે તમારે ઝઘડો બંધ કરે ! બંધ કરે ! એમ તે ડાહ્યા દેખતા દશ્ય પુરુષે સમજાવ્યા, એટલે તે વાદીઓ ટાઢા પડ્યા, ને મિથ્યા ચર્ચા છોડી દઈ સમજીને શાંત થયા.* આ દૃષ્ટાંત ઉપરથી એટલું ફલિત થાય છે કે આ આમ “જ” છે એમ વદનારા એકાંતવાદી આગ્રહી હોય, પણ સર્વ સમન્વયકારી અનેકાંતવાદી તે સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. થેડા પણ મહાગ્રંથમભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદીનું પરમ સમર્થ નિરસન કરતું શ્રીમદ્ રાજચંદ્રજીનું ચમત્કારિક સુભાષિત છે કે “એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ “જ' એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાનવડે કહે છે. મહારે મહાવીર એમ કોઈ કાળે કહે નહિ; એ જ એની સકવિની પેઠે ચમત્કૃતિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬ (૨૦) તેમજ– न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनजिंहाछेदाधिको मतः ॥ १४१ ॥ પ્રતિક્ષેપ સામાન્યને પણ સંતને ન યુક્ત; અધિક જિદ્વાદશી, આર્ય અપવાદ ઉક્ત. ૧૪૧ અર્થ–સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ યુક્ત નથી. તેથી કરીને આર્ય સથાને અપવાદ તે સંતને મન જિહા છેદ કરતાં અધિક છે. ત્તિ: –નથી યુક્ત, કરિશેષ-નિરાકરણરૂપ પ્રતિક્ષેપ. સામાન્યરાષિમાઈ સામાન્ય પુરુષ આત્રિો ૫ણ ત–વેથી કરીને સવાર-સંવ, મુનિઓને, શાપવાનુ પુનઃ-ગાયને ચરવા તે વળી, સર્વને પરિભવ તે એમ અર્થ છે. શું ? તો કે-બિહાછેડાોિ મરઃ-જિહવાકેદ કરતાં (જીભ કપાઈ જવા કરતાં) અધિક મત છે,–તથાવિધ પ્રયપાયના ભાવે કરીને. * “WHચ વીઘં, નિષિદ્ધનાચંતિપુવિધાનમ્ | सकलनयविलसितानाम् , विरोधमथनं नमाम्यनेकांतम् ॥" -શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધિઉપય. Page #503 -------------------------------------------------------------------------- ________________ દોમહષિઃ આ અપવાદ જિવાદથી અધિક ભાષા સમિતિ (૪૭) વિવેચન કેઈ સામાન્ય પુરુષને પણ પ્રતિક્ષેપ-વિરોધ કર યુક્ત નથી; તેટલા માટે આર્ય એવા સર્વજ્ઞને વિરોધ કરે છે તે સંતજનેને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે. કોઈ સામાન્ય-સાધારણ મનુષ્ય હોય, તેને પણ નિરાકરણરૂપ પ્રતિક્ષેપ કર, પ્રતિવાદ કર, વિરોધ કરે, તે સજનને ઘટતું નથી. કારણ કે આપણા મનમાં કાંઈ હાય અને એના મનમાં કાંઈ હેય. “અપને મન કછુ એર હે, ઉનકે સામાન્યને મન કછુ એર' આપણે એને આશય-અભિપ્રાય જાણી શકતા નથી, પ્રતિક્ષેપ પણ એટલે તે જાણ્યા વિના તેના ખંડનમાં ઉતરી પડવું, તેને તેડી પાડવાને યુક્ત નથી વિકલ્પ સુદ્ધાં કરે,
Page 306
તે સાવ બેહૂદુ છે. તે પ્રતિક્ષેપ કરતાં પણ, સામો માણસ કાંઈ પોતાનો અભિપ્રાય છોડી દેતું નથી, ઊલટો ઘણીવાર તેને બેવડા જોરથી વળગી રહે છે ! વળી તેવા પ્રતિક્ષેપથી વિરોધની વૃદ્ધિ થાય છે, સામા માણસનું મન દુભાય છે, વૈમનસ્ય બંધાય છે, રાગદ્વેષની ગાંઠ પડે છે, + આનં-રૌદ્રધ્યાન થાય છે, પિતાને પણ અશાંતિ રહે છે. આમ અનેક અનર્થ નીપજે છે, માટે સંત-મુનિઓ તે વિરોધ કરે જ નહિં. તે પછી અસામાન્ય, અસાધારણ વિભૂતિરૂપ, મહાઅતિશયવંત એજ આખ્ય સર્વજ્ઞાને અપવાદ કરે-અવર્ણવાદ બલવા તે તે અત્યંત અત્યંત અયુક્ત જ હેય, એમાં પૂછવું શું? એટલા માટે એવા પરય પૂજ્ય આર્ચ સને અપવાદ આ અપવાદ કર પરિવરૂપ વિરોધ કર, તેને સંત મુનિજને તે જિહુવા છાવાદથી કરતાં અધિક માને છે. એટલે કે પરમ અહં સર્વર માટે એક રાધિક પણ અપવાદ વચન બોલતાં, તેમને જીભ કપાઈ જવા કરતાં વધારે દુઃખ થાય છે. અને જીભ કપાઈ જતાં બેલાય જ કેમ? અને પિતાની છત્ય કપાય તેવું બોલવા ઈચ્છે પણ કેણુ? તાત્પર્ય કે સંતજને કદી પણ આર્ય સર્વજ્ઞાનું અપવાદ વચન ઉચ્ચારવાને પ્રારંભ પણ કરે નહિં, તેવું વચન ઉચ્ચારતાં તેમની જીભ ઉપડે જ નહિં; કારણ કે પરમ સતપુરુષ એવા આર્ય સર્વજ્ઞના અવર્ણવાદથી મહા અનર્થ – પરંપરા નિપજે છે, જીવ અનંત સંસારી થાય છે. તેમજ +ળાખ્યાનોપો વારે પ્રતિવાનિસ્તથ રહ્યા ન્તિરિ પાશા હવાલાનરામર્થ ”—શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત હા, દ્વા. ૮-૧૦ Page #504 -------------------------------------------------------------------------- ________________ (૪૨૮) યોગસરાશય कुदृष्टयादिवनो सन्तो भाषन्ते प्रायसः क्वचित् । निश्चितं सारवच्चैव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४२ ॥ કુષ્ટિઆદિવાળું વેણ તે, ભાખે કદી ન સંત; નિશ્ચિત પરહિતકર સદા, સારવંત જ વદંત. ૧૪૨ અર્થ –કુદષ્ટિ આદિવાળું કસ્ય વચન સંતે કવચિત્ બોલતા નથી, પરંતુ સદાય નિશ્ચિત, સારવાળું અને સત્ત્વાર્થ કરનારૂં-પ્રાણીઓનું હિત કરનારૂં એવું વચન બોલે છે. વિવેચન સંતજને કુદષ્ટિ આદિની પેઠે કદી કુદષ્ટિવાળું–કુત્સિત-નિઘ વચન બોલતા નથી, અને બેલે છે તે નિશ્ચિત, સારવાળું અને પરનું હિત કરનારૂં એવું જ વચન સદા લે છે. કુદષ્ટિવંત અવિવેકી જ હોય તે કુત્સિત–નિંઘ ભાષણ કરે છે, ફાવે તેમ ઠેકાણા વિનાનું બેલે છે, યતદ્ધા ઢંગધડા વિનાને અસંબદ્ધ પ્રલાપ કરે છે. સાર વગરનું નમાલું બકે છે, અને બીજા અને દુઃખ થાય, અનર્થ થાય, અહિત સંત કેવું થાય એવું સાવદ્ય વચન ઉચ્ચારે છે. પણ જે સાચા સંત-મુનિજને બોલે ? જોગીજને છે, તેઓ તેમ કદી કરતા નથી, તેવું સાવદ્ય વચન કદી ઉચ્ચારતા નથી. તેઓ બેલે છે તે વિવેકપૂર્વક ભાષાસમિતિ સાચવીને, ભાષાને વિવેક આચાર બરાબર જાળવીને જ સદા બોલે છે. એટલે જ તેઓનું વચન સદા નિશ્ચિત-અસંદિગ્ધ-સુસંબદ્ધ હોય છે,–સંદેહવાળું, ઠેકાણુ વિનાનું, અસંબદ્ધ પ્રલાપ જેવું હતું નથી; સારપૂર્ણ હોય છે, નિઃસાર નિષ્પાજન કે નિર્માલ્ય હેતું નથી; અને સત્વાર્થ કરનારૂં હોય છે, અન્ય છાનું હિત કરવાના સ્વભાવવાળું જ હોય છે,-બીજા જીવને દુઃખ થાય, અનર્થ થાય, અહિત થાય, એવું સાવદ્ય કદી પણ હેતું નથી. આમ સંત જનેને સદા નિશ્ચિત, સારભૂત, ને પરેપકારી એવું નિરવદ્ય-નિર્દોષ વચન ઉચ્ચારવાની ટેવ પડી હોય છે. સાધુજી સમિતિ બીજી આદરે, વચન નિર્દોષ પરકાશ રે; ગુપ્તિ ઉત્સર્ગને સમિતિ તે, માર્ગ અપવાદ સુવિલાસ રે.” –શ્રી દેવચંદ્રજીકૃત અષ્ટપ્રવચનમાતાની સજઝાય । इति सर्वज्ञप्रतिक्षेपनिषेधाधिकारः। S કૃતિશદષ્ટયરિવા-કુદષ્ટિ આદિવાળું, કુસ્સ ઈત્યાદિ, નો સન્તો ન સંતે, મુનિએ, માન્તિ વળવા-ભાખે કવચિત, ત્યારે કેવું ભાખે? તે માટે કહ્યું – નિશ્ચિત-નિશ્ચિત, અસંદિગ્ધ, સાવર-અને સારવાળું જ, ન અપાર્થક- નહિં એવું, રિંતુ સાર્થશ-પરંતુ સત્ત્વાર્થકર, પરાર્થકરણશીલ એવું, સદા ભાખે છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ દો. ગિરાનગય અતીદ્વિયમ અનુમાનઅવિષય (૪૨૯) સર્વજ્ઞાદિ અતીંદ્રિય
Page 307
અર્થ અનુમાન અગોચરત્વ અધિકાર ઉપસંહરતાં કહે છે– निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । ગોગા #પાનાં વિવાન જ નિ છે રૂ . નિશ્ચય અતીન્દ્રિયાર્થ, ન ગિજ્ઞાન શિવાય; એથીય અંધ સમાજના વિવાદથી નહિં કાંય. ૧૪૩ અર્થ—અને અતીન્દ્રિય અને નિશ્ચય ગિજ્ઞાન શિવાય થતો નથી; એથી કરીને પણ અત્રે સર્વજ્ઞની બાબતમાં અંધ જેવાઓના વિવાદથી કાંઈ નથી. વિવેચન અને સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અર્થને નિશ્ચય ગિજ્ઞાન સિવાય થતું નથી, કારણકે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે, એટલા માટે અત્રે સર્વજ્ઞ અધિકારમાં અંધ જેવા છદ્મસ્થાના વિવાદથી શું? સર્વજ્ઞ આદિ વિષય અતીન્દ્રિય છે, ઇંદ્રિય અને મનને અગોચર છે, અને માત્ર યેગીઓને જ જ્ઞાનગણ્ય થઈ શકે એવા છે. એ સંબંધી યથાર્થ નિશ્ચયની બાબતમાં છન્દ્રસ્થાને અધિકાર નથી, કારણ કે વિશેષથી તત્ત્વને નહિ દેખનારા એવા અંધ સમા તે છઘ અંધ જને જેવા છે. માટે એ એમના અધિકાર બહારના છઘસ્થાના વિષયમાં–તત્વનિશ્ચય બાબતમાં તેઓને વિવાદ નકામો છે, તેઓની વિવાથી શું? ચર્ચાની અચ અકિંચિત્કાર છે. કારણ કે જે વસ્તુ આપણે દેખતા નથી જાણતા નથી, તેના સ્વરૂપ બાબતમાં સ્વચ્છેદે કલ્પના કરી, મિચ્યા ઝઘડો કરો, નિઃસાર વાયુદ્ધ કરવું, વાદ-પ્રતિવાદ કરી શૃંક વાવવું, ખંડનમંડનમાં પડી વૈમનસ્ય વધારવું, તે મૂર્ખતાની નિશાની છે. ચંદ્રના આકાર વિષે અંધજનેની કલ્પના જેવું હાસ્યાસ્પદ છે, પેલા આંધળાઓ જેમ હાથીના સ્વરૂપ બાબત ખેટ ટટો કરતા હતા, તેના જેવું ફેગટ છે. તેવા મિથ્યા વિવાદથી લાભ થવાને બદલે ઊલટી હાનિ થાય છે, કારણ કે તેથી પોતાના સત્ ચિત્તને નાશ થવારૂપ અનિષ્ટ ફલ નીપજે છે. અર્થાત્ રિ–નિલોડરાિચ સર્વ આદિ અતીન્દ્રિય અર્થને નિશ્ચય, શિલ્લાનાદ ન જ -રેગિસ્તાન સિવાય નથી હોત-કારણ કે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે. મોડકિઆ કારણ થકી બત્ર–અને, સર્વજ્ઞ અધિકારમાં, રાજાનાં-અંધ જેવાઓના વિશેષથી તેના તત્ત્વને નહિ દેખનારાબાના, વિવાન ન શિવન-વિવાથી કંઇ નથી -સચ્ચિત્તનાદરૂપ શિવાળા વિવાદથી કાંઈ નથી. Page #506 -------------------------------------------------------------------------- ________________ (૪૩૦) ગખ્રિસશ્ચય સદ્દભાવવાળો ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દેષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સંભ ઉપજે છે. આવા સચિત્તનો નાશ કરનારા વિવાદનું સંતજનોને શું પ્રજન છે? કંઈ જ નહિં, કંઈ જ નહિ. न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ।। १४४ ।। યુક્તિ વિષય આ તત્વથી, નહિ-એથી અન્યત્ર; સમ્યક્ નિશ્ચય થાય ના, કથ્ય બુદ્ધિધન અત્ર-૧૪૪ અથ–અને આ સર્વજ્ઞરૂપ અર્થ તત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આવ્યો. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સમ્યક્ષણે નિશ્ચય થતું નથી. બુદ્ધિધન ભહરિએ કહ્યું છે – વિવેચન ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થ ગિજ્ઞાન વિના જણાતું નથી, એટલે આ વિષયે અંધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. ત્યારે કઈ એમ કહે કે આપ એવું કેમ કહે છે ? અનુમાનથી-યુક્તિથી પણ અતીંદ્રિય તે કેમ ન જાણી શકાય? તેને અહીં જવાબ આપે છે કે-આ અર્થ યુક્તિને સર્વજ્ઞરૂપ અતીન્દ્રિય અર્થ તત્ત્વથી અનુમાન-યુક્તિનો વિષય નથી. અવિષય ગમે તેવા મહામતિમાન તાકિકની યુક્તિની ત્યાં ગતિ નથી; ગમે તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તવ ગમ્ય થઈ શકતું નથી. કારણ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે–અગમ્ય છે, અને તકવાદ બુદ્ધિને વિષય હોઈ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં અતિની ગતિ કુતિ થતાં યુક્તિવાદ ભોઠો પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તે પણ અન્ય સામાન્ય અર્થને પણ અનુમાન થકી સમ્યપણે નિશ્ચય થતો નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતને પણ બરાબર નિર્ણય પ્રાપ્ત થતી નથી, તે પછી અતીન્દ્રિય અર્થનું તે પૂછવું જ શું? આના સમર્થનમાં
Page 308
અહીં મહામતિ ભતૃહરિનું વચન ટાંકયું છે. * શું કહ્યું છે? તે કહે છે – વૃત્તિ – જ્ઞાનમાનવિષયો અને અનુમાનનો વિષય નથી, યુક્તિગાચર નથી, ઘોડW—આ સર્વજ્ઞવિશેષ લક્ષણવાળ અર્થ, તરવરો મતઃ-તત્વથી માનવામાં આવેલ, પરમાર્થથી દષ્ટ, જાતો-અને આ અનુમાનથકી નથી હોતે, નિશ્ચય: સભ્ય-નિશ્ચય સમ્યફપણે, અન્યત્રાતિ-અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પણ આ ધોધનતે બુદ્ધિધન ભતૃહરિએ કહ્યું છે – Page #507 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ: “તક વિચારે વાદ પરંપરા રે' (૪૩૧) यत्नेनानुमितोऽप्यर्थः कुशलैग्नुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ॥ યત્નથી પરુ અનુમાતૃથી, અર્થ અનુમિત થાય; તેય યુક્તતર અન્યથી, અન્યથા સમર્થાય, ૧૪૫ અર્થ –કુશલ અનુમાનકારોથી યત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, વધારે યુક્તિયુક્ત એવા બીજાએથી બીજી જ રીતે સાબીત કરાય છે. વિવેચન તે બુદ્ધિધનવાળા શ્રી ભતૃહરિએ શું કહ્યું છે? તે કહે છે-“કુશળ અનુમાનકાએ યત્નથી અનુમાનેલે અર્થ પણ વધારે સબળ યુક્તિવાળા બીજાએથી બીજી જ રીતે ઉપપાદન કરાય છે’–સાબીત કરાય છે. અન્વય-વ્યતિરેક વગેરે ન્યાયપદ્ધતિમાં પારંગત એવા નિપુણ યુક્તિવાદીઓ અન્વયવ્યતિરેક આદિ અનુસાર તત્વપરીક્ષા કરે છે. તેમાં અન્વય એટલે આ આમ હોય તે આ આમ હોય એવી વિધાનરૂપ હકારાત્મક ઉક્તિ; અને વ્યતિરેક એટલે યુક્તિથી મંડનઃ આ આમ ન હોય તે આ આમ ન હોય, એવી નિષેધરૂપ નકારાત્મક યુક્તિથી ખંડન ઉક્તિ. (૧) આ અન્વય-વ્યતિરેક પ્રમાણે કેઈ કુશલ યુક્તિવાદીઓ પ્રયત્નપૂર્વક અનુમાનથી-યુક્તિથી અમુક અર્થ સ્થાપિત કરે, અને કહે કે જુઓ ! આ અર્થ આ હેતુથી આ રીતે જ ઘટે છે, આમ એની તપપત્તિ છે આ અર્થ આથી અન્ય રીતે ઘટતો નથી–આમ એની અન્યથાનુપત્તિ છે. (૨) તે ત્યાં તેનાથી ચઢિયાતા એવા બીજા પ્રખર તાર્કિકો-યુક્તિવાદીઓ, વળી એ જ અન્વય-વ્યતિરેક આદિને આશ્રય કરી, તે જ અર્થને અન્યથા પ્રકારે ઉપપાદિત કરે છે, સાબીત કરી બતાવે છે, અને કહે છે કે જુઓ! તમે કહો છે તે પ્રકારે આ અર્થ ઘટતું નથી–એની અત પપત્તિ છે અને આ અમે કહીએ છીએ તે બીજા પ્રકારે જ એ ઘટમાન થાય છેએની અન્યથોપત્તિ છે. આમ એક જ અર્થને અમુક વાદી સ્થાપે છે, તે બીજે ઉત્થાપે છે! એક જ અર્થને સમર્થ તાર્કિક પતતાના મતિબલથી જુદા જુદા પ્રકારે પૂરવાર કરી આપે છે! વૃત્તિ:– નેનાનુમિતોડણ-અન્વય આદિ અનુસાર અત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, કુરાસૈાનમામિ - અન્વય આદિના જાણનારા કુશલ અનુમાનકારોથી-યુક્તિવાદીઓથી, મિથુનત્તમૈર:અન્વય આદિના જ્ઞાતા જ એવા અભિયુક્તતર-વધારે યુક્તિવાળા બીજાઓથી, અર્થવોપાચતે અન્યથા જ ઉપપાદન કરાય છે. અતથાસિદ્ધિ આદિ પ્રકારે બીજી રીતે જ પૂરવાર કરાય છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ (૪૩૨) યોગદરિટાયુરાય આમ આ તર્કવાદ તે બુદ્ધિને અખાડે છે! અખાડામાં જેમ શરીરને વ્યાયામ થાય છે, કસરત કરાય છે, અટાપટા ખેલાય છે, દાવપેચ રમાય છે, તર્કવાદ બુદ્ધિને તેમ આ યુક્તિવાદરૂપ વ્યાયામશાળામાં બુદ્ધિને વ્યાયામ થાય છે, અખાડે યુક્તિની કસરત કરાય છે, તકના અટપટા ખેલાય છે, છલ-જાતિના દાવપેચ રમાય છે! “સાક્ષર વિજેતા પક્ષના મવત્તિ !” અખાડામાં જેમ વધારે બળવાન મલ્લ અલ્પ બળવાળા પ્રતિમલ્લને મહાત કરે છે, શિકસ્ત આપે છે, તેમ આ યુક્તિવાદની કસરતશાળામાં વધારે પ્રખર બુદ્ધિમાન વાદી અલ્પ બુદ્ધિવાળા પ્રતિવાદીને પરાજિત કરે છે, હાર આપે છે! વળી શેરને માથે સવાશેર' એ ન્યાયે તે વિજેતા મલને પણ જેમ વધારે બળવાન મલ જીતે છે, તેમ વિજયથી મલકાતા ને ફેલાતા તે વાદીને પણ બીજે અધિક તર્કપટ પ્રતિવાદી હરાવે છે! આમ જેમ કુસ્તીની પરંપરા ચાલ્યા કરે છે, મલ્લયુદ્ધને છેડો આવતો નથી, તેમ તર્કવાદની પરંપરા ચાલ્યા કરે છે ને બુદ્ધિયુદ્ધને આરે આવતે નથી! પણ આમ અનંત તર્કવાદ કરતાં પણ કઈ અભિમત વસ્તુ વસ્તુગતે કહી શકવા સમર્થ થતું નથી ! ઉલટું “પડે પાડા
Page 309
લડે તેમાં ઝાડને ખે નીકળી જાય,” એ ન્યાયે આ તામિકેની સાઠમારીમાં તત્ત્વવૃક્ષ બાપડું કયાંય છુંદાઈ જાય છે! તત્ત્વ વસ્તુ કયાંય હાથ લાગતી નથી. મહાત્મા આનંદઘનજીનું માર્મિક વચનામૃત છે કે :“તક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય. પંથડો નિહાળું રે બીજા જિન તણે રે.”—શ્રી આનંદઘનજી. અભ્યરચય કહે છે– ज्ञायेरन्हेतुवादेन पदार्या यद्यतीन्द्रियाः । જાનૈતાવતા ઘા છતા નિશ્ચય | ૨૪૬ પદાર્થો અતીન્દ્રિય જ, હેતુવાદથી જણાત આટલા કાળે પ્રાણથી, નિશ્ચય તિહાં કરાત, ૧૪૬ અર્થ – હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો જણાતા હત, તે આટલા કાળે પ્રાજ્ઞોથી તે વિષયમાં નિશ્ચય કરવામાં આવ્યો હોત. - કૃત્તિ-જ્ઞાન હેતુવાન-હેતુવાદથી–અનુમાનવાથી જાણવામાં આવતા હતા, પરાળ વપરજિયા જે સર્વ આદિ અતીન્દ્રિય પદાર્થો, અનૈતાવતા-ગાટ કાળે કરીને, –માથી, તાર્કિકાથી, તો ચાત્ત-કરાયા હતા, તેy-તે વિષયમાં, નિશ્ચય-નિશ્ચય અવગમ. Page #509 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાષ્ટિ : મુમુક્ષુને શુષ્ક તક ગ્રહ ત્યાજ્ય જ (૪૩૩) વિવેચન “હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ. અભિનંદન જિન દરિશણ તરસિયે.”—શ્રી આનંદઘનજી. જે યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોત, તે આટલા કાળે પ્રાણ જનેએ તે સંબંધી નિશ્ચય કરી નાંખ્યો હતો. જે યુક્તિ વડે કરીને ઇન્દ્રિયને અગમ્ય એવા અતીન્દ્રિય પદાર્થો જાણવામાં આવતા હોત, તે ઘણું હેતુવાદથી લાંબા કાળથી આ મહાબુદ્ધિશાળી પ્રાજ્ઞજને-મહાતાકિકો જે તેવી તનિશ્ચય યુક્તિ લડાવતા આવ્યા છે, તેઓને આટલા બધા કાળે તે અતીન્દ્રિય ન થાય પદાર્થને નિશ્ચય થઈ જવો જોઈતો હતો. પણ તેવું તો થયું દેખાતું નથી, હજુ તેને કાંઈ નિવેડો આવ્યો જણાતો નથી. કારણ કે આ વાદી–પ્રતિવાદીઓ હજુ તેવા ને એવા જોરશોરથી તે જ વાદવિવાદ ચલાવી રહ્યા છે ! હજુ પણ તે બાબતમાં નવા નિશાળીઆની જેમ તેવા ને તેવા કેરાધાકડ રહેલા જણાય છે ! તેઓની વાદ-કંડૂ હજુ તેવી ને તેવી છે ! આટલા બધા મહાસમર્થ વાદી મહારથીઓએ આટલે બધો કાળ પ્રખર યુક્તિબલ અજમાવ્યું, પણ તે મહાનુભાવોને આ મહા પ્રયાસ પાણીમાં ગયો હોય એમ જણાય છે! કારણ કે ગબિંદુમાં કહ્યા પ્રમાણે “નિશ્ચિત એવા વાદ ને પ્રતિવાદે કરતાં છતાં તેઓ ગતિમાં ઘાણીના બેલની પેઠે, હજુ તત્ત્વના અંતને પામ્યા નથી !” न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥ ને આ એમ ન તે થકી, શુષ્ક કુહ મહાન; ત્યાજ્ય જ હોય મુમુક્ષને, મિથ્યા માન નિદાન, ૧૪૭ અર્થ :–અને કારણ કે આ એમ નથી, તેટલા માટે મહાન એ શુષ્ક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુપણાને લીધે, મુમુક્ષુઓને ત્યાજ્ય જ છે- છોડી જ દે યોગ્ય છે. કૃત્તિ – જૈતવં અને આ એમ નથી, દુ-જે કારણથી, તમાર-તે કારણથી, શુદગાતોશુષ્કતર્ક ગ્રહ, માન–મડાન, અતિરૌદ્ર, મધ્યામિ માનતુલ્હા-મિથ્યાભિમાનહેતુષણરૂપ કારણથી, ચાવ શ્વ-ત્યાજય જ છે, મુમુક્ષુમિ –મુમુક્ષ એએ, મૂકાવા ઈચ્છનારાઓએ. Page #510 -------------------------------------------------------------------------- ________________ (૪૩૪) યોગદરિસસુરાય વિવેચન અને આ એમ તે છે નહિ અર્થાત્ ઘણા ઘણા કાળે પણ હેતુવાદથી અતીન્દ્રિય તત્વને નિશ્ચય હજુ પ્રાસજનથી પણ થઈ શક્યો નથી, તેથી કરીને મિથ્યાભિમાનના હેતુરૂપ આ શુષ્ક તર્કને મહા રૌદ્ર-ભયંકર ગ્રહ, ભવબંધનથી શુષ્ક તર્ક ગ્રહ ખરેખર છૂટવા ઈચ્છનારા મુમુક્ષુજને એ છોડી જ દેવો જોઈએ, કારણ મુમુક્ષુએ કે આ શુષ્ક તર્કવાદ ખરેખર! “શુષ્ક જ' છે. એમાં કાંઈ રસ-આદ્રતા ત્યાજ્ય નથી. સુક્કી, હૃદય સ્પર્શ વિનાની યુક્તિઓની વાજાલમય લડાઈ જ એમાં છે. વેળુને ગમે તેટલું પલતાં પણ જેમ તેમાંથી તેલરૂપ સાર નીકળે નહિ, તેમ ગમે તેટલું પીલતાં પણ–પિષ્ટપેષણ કરતાં પણ શુષ્ક તર્કવાદમાંથી તત્વરૂપ સાર નીકળે નહિં. અને
Page 310
મુમુક્ષુ તે તત્વને જ ખપી છે. તે આવા નિસાર નીરસ શુષ્ક તને કેમ ગ્રહે વારુ? વળી આ શુષ્ક તર્ક ગ્રહ ખરેખર! ગ્રહ જેવો જ છે. પૂર્વે કહ્યું હતું તેમ ગ્રહ એટલે ભૂતપિશાચ, અથવા અનિષ્ટ ગ્રહ, અથવા મગરમચ્છ. (૧) ભૂતપિશાચરૂપ ગ્રહથી જે ગ્રસ્ત હાય, જેને ઝાડ વળગ્યું હોય, તેના ભુડા હાલહવાલ થાય છે ને તેને તે ગ્રહમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડે છે તેમ આ શુષ્ક તર્કવાદરૂપ ગ્રહથીભૂતથી જે આવિષ્ટ થયો હોય, એ ભૂત જેને ભરાયું હોય, તેની ભારે બૂરી દશા થાય છે, ને તેના ગ્રહમાંથી–પકડમાંથી છૂટવું ભારી થઈ પડે છે. (૨) અથવા અનિષ્ટ પાપ ગ્રહ જેને નડતો હોય, તેને ભારી વસમી પીડા સહવી પડે છે, તેમ આ તકવાદરૂપ અનિષ્ટ ગ્રહથી જે પીડાતા હોય, તેને પિતાને હાથે હોરેલી ભારી કનડગત ભેગવવી પડે છે, અને તેની અસરમાંથી તે સહેલાઈથી છૂટી શકતું નથી. (૩) અથવા જે મગરથી પ્રસા હોય, તેને તેના જડબામાંથી છટકવું ભારી કઠિન થઈ પડે છે; તેમ શુષ્ક તકરૂપ મગરના ગ્રહથી જે ગ્રહાયે હય, તેને તેની ચુંગાલમાંથી છૂટવું અતિ દુષ્કર થઈ પડે છે. આમ ત્રણે અર્થમાં પિતે રહેલા શુષ્ક તકરૂપ ગ્રહથી શુષ્કત ગ્રાહી પિતાની મેળે જ દુ:ખી થાય છે. આવા અનિષ્ટ દુષ્ટ શુષ્ક તર્ક ગ્રહને આત્માર્થગ્રાહી મુમુક્ષુ કેમ ગહે? તેમજ આ શુષ્ક તક ગ્રહ મહાન છે, અતિ રેઢ છે, મહા ભયંકર છે. એનું પરિણામ પિતાને માટે તે પરને માટે મહા રૌદ્ર છે-દારુણ છે. કારણ કે આનં–રૌદ્ર ધ્યાનથી વાદી-પ્રતિવાદી બનેને હાનિ થાય છે. મહા તાકિ કશિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં વર્ણવ્યું છે તેમ-જે કોઈ પ્રકારે પોતાનો વિજય થાય છે તે તે એટલે બધે પરિતેષ પામે છે કે મર્યાદાને ભંગ કરી એ પોતાની બડાઈ હાંકી ત્રણે લોકોને ખલ બનાવે છે! અને પોતે જે કોઈ પ્રકારે બીજાથી છવાઈ જાય છે તે કપાંધ થઈ જઈ, પ્રતિવાદી પ્રત્યે ઘાંટા પાડી–બરાડા પાડી, આક્રમણ કરતે સતે પોતાનું Page #511 -------------------------------------------------------------------------- ________________ દીમાદષ્ટિ મુમુક્ષને સર્વત્ર ગ્રહ અયુક્ત (૪૫) વિલખાપણું દૂર કરે છે. તે વાદ કથા ખમી શકતું નથી, અને માનભંગથી ઉષ્ણ એવા લાંબા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ-જવર લાગુ પડે છે– રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સહદે પ્રત્યે પણ તેના વચન વજ જેવા કઠોર નીકળે છે ! અને ખ અહંકારમાંથી ઉપજે છે, એ આ સર્વતંત્ર સિદ્ધાંત સર્વ તંત્રને સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર ! તસ્વપરીક્ષા કરે છે ! અર્થાત્ અહંકારજન્ય દુઃખને સાક્ષાત્ અનુભવ કરે છે!” ઈત્યાદિ પ્રકારે શુષ્ક તકવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનને હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પિતાને બડો હોશિયાર માને છે! તેને પિતાની બુદ્ધિનું–તર્કશક્તિનું ઘણું અભિમાન હોય છે. મેં કેવી ફક્કડ યુક્તિ લડાવી ફલાણાને છકડ મારી તેડી પાડ-હરાવ્યો, એ ફાકે રાખી તે અક્કડ રહે છે! આમ મહારૌદ્ર પરિણામવાળ શુષ્ક તર્કગ્રહ મિથ્યાભિમાનને હેતુ હેવાથી, આત્મહિતેષી મુમુક્ષુઓને સર્વથા ત્યાજ્ય જ છે. કારણ કે સાચા મુમુક્ષુઓને મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાને છે. તેઓને કેવળ એક આત્માર્થનું જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ બીજે મન-રોગ તેઓને હેતે નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કોઈપણ પ્રકારને આત્માર્થ સિદ્ધ થતું નથી, ઊલટો માનાથને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથી પણું? અને કયાં શુષ્ક તર્કવાદીનું મતાથી પણું-માનાથીપણું? “શ્રેય તે એક બાજુએ રહ્યા છે, તે વાદિષો અથવા વાદીરૂપ બળદીઆ બીજી
Page 311
બાજુએ વિચારી રહ્યા છે ! મુનિએ વાદવિવાદને કયાંય પણ મેક્ષ–ઉપાય કહ્યો નથી.” આમ વાદને અને મોક્ષને લાખ ગાઉનું અંતર છે, માટે માત્ર મોક્ષને અથી એ મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે? શુષ્ક તકગ્રહને કેમ ગહે? *"यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः । स्वगुणविकत्थनदूषिकत्रीनपि लोकान् खलीकुरुते ॥ उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः। गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥ वादकां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्वपि वनीकरणवाक्यः॥ दुःखमहंकारप्रभवमित्ययं सर्वतंत्रसिद्धांतः। अथ च तमेवारूढस्तत्त्वएरीक्षा किल करोति ॥" શ્રી સિદ્ધસેન દિવાકરછક્ત દ્વા, દ્વા, ૮, ૧૫-૧૮ x“अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः। वाकूसंरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः॥ શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા–દ્વા, ૮-૭ Page #512 -------------------------------------------------------------------------- ________________ (૪૩૬ ) તેમજ— ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । aat धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४८॥ મુમુક્ષુઓને તત્ત્વથી, ગ્રહુ અયુક્ત સત્ર; ધર્માય પ્રાયે મુક્તિમાં, ત્યાજય-એથી શુ' અત્ર ? ૧૪૮ અ:—સત્ર ગ્રહ તત્ત્વથી મુમુક્ષુઓને અસગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધર્માં પણ પ્રાયે ત્યજવાના હાય છે, તેા પછી આ ગ્રહથી શુ ? વિવેચન યોગદૃષ્ટિસમુચ્ચય છેડી મત દર્શન તણેા, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ’”—શ્રીમદ્ રાજચ*દ્રજી પ્રણીત આત્મસિદ્ધિ મુમુક્ષુએ તત્ત્વથી કયાંય પણ ગ્રહ રાખવેા યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાયે છેાડી દેવા પડે છે. તે પછી આ ગ્રહથી શું? મેાક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તક ગ્રહ છેડી દેવા ચેાગ્ય છે, એટલુ જ નહિં, પણુ કયાંય પણુ કાઇ પણ વસ્તુને ગ્રહ પણ ત્યજી દેવા જોઇએ. માટે સ॰ મતદનનેા આગ્રહ તેમ વિકલ્પ છેાડી ઇ, તેમ જ અન્ય સર્વ પ્રકારને કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ થેાક્ત મેાક્ષમાગ જ આરાધવા યુક્ત નથી ચેાગ્ય છે, કારણ કે મુમુક્ષુના એકાંત હેતુ કોઇ પણ પ્રકારે મેાક્ષની પ્રાપ્તિ કરવી તે જ છે. અને માક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્માં સિવાય બધુય છેડયે જ છૂટકો છે. અરે ! ક્ષમાદિક ક્ષાાપશમિક ધર્માં પણ મેાક્ષમાં છેડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ ગ્રહેાની તે શી વાત કરવી ? સ ગ્રહથી મુક્ત થયા વિના મા સન્મુખ પણ ન થવાય, તેા મુક્ત તે કેમ જ થવાય ? તે પછી આ ‘રાખના પડીકા' જેવા દુષ્ટ ગ્રહાને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે ? ને એ ગ્રહ જેવા ગ્રહાને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુ:ખથી ગૃહીત થાય ? ,, ‹ ધર્મ ક્ષમાર્દિક પણ મિટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તે ઝઘડા અઞા તણાજી, મુનિને કવણુ અભ્યાસ. ....મનમાહન જિનજી ! મીઠી તાહરી વાણુ. ચા. દ. સા. ४-२२ । इति सर्वज्ञादि अतींद्रियार्थानुमानागोचरत्वाधिकारः । 5 વૃત્તિ:-ત્ર ્:ગ્રહ, સર્વત્ર-સર્વાંત્ર, સ` વસ્તુમાં તરવેન-તત્ત્વથી, પરમાથ થી, મુમુક્ષ્ળામસંવતઃમુમુક્ષુઓને અસગંત છે—અયુક્ત છે. કયા કારણુથી ! તા કે–મુૌ ધર્મો વિકાચત્ત્વયા:-મુક્તિને વિષે ધર્માં પશુ પ્રાયે ત્યજવા પડે છે, પ્રામ:નું ગ્રહણુ ક્ષાયિક ધમેના વ્યવચ્છેદ (અપવાદ) અથે છે, મિનેન સ ્—તો પછી આ ગ્રહથી શું? કંઇ નહિ, એમ અથ છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ દોમાદષ્ટિ મહાજનને માર્ગ-પરપીડાવન, પરે૫કાર (૪૩૭) મહત્પુરુષ માર્ગ અધિકાર કારણ કે એમ છે તેથી– तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥ પ્રાશે અત્ર મહંતને, માર્ગ આશ્રૌને સાર; તસ અતિક્રમ વિણ વર્તવું, ન્યાય તણે અનુસાર ૧૪૯ અર્થ –તેથી કરીને અત્રે મહત્વ પુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, વિચક્ષણોએ તેને અતિક્રમ વજીને, યથાન્યાય વર્તવું ગ્ય છે. વિવેચન મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” – શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ તેથી અત્રે આ બાબતમાં
Page 312
મહાપુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, નિરીક્ષણ કરી મુમુક્ષુજનેએ તે ધર્મને અતિક્રમ ન થાય એ રીતે, યથાન્યાયે વર્તવું એગ્ય છે. તે પછી મુમુક્ષુ આત્માથી જીવે શું કરવું યોગ્ય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે. વિચક્ષણ મુમુક્ષુએ તો બીજી બધી માથાફેડ છોડી દઈને, બીજી બધી મહાજનના ભંગજાલ ફગાવી દઈને, મત–દર્શન આગ્રહને સમસ્ત પ્રપંચ વિસર્જન માર્ગને કરી, સર્વ ગ્રહની ચુંગાલમાંથી મુક્ત થઈ, મહત્ પુરુષોના માર્ગનું અનુસરવું સમ્યફ અવલંબન કરવું યોગ્ય છે. “માનનો ચેન જત: ૪ પ્રથાઃ ” મહાજન જે માર્ગે ગયા તે માર્ગ છે. અને મહાજનેને માગે તે કેવળ આત્મવિશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ છે. એટલે મહાજનેના નિદિષ્ટ માગે તેમના પગલે ચાલવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે અને તે માર્ગે ચાલતાં, મહતપુરુષોએ પ્રણીત કરેલા નિર્દોષ ધર્મમાગને જેમ અતિકમ ન થાય, અતિચાર ન થાય, ઉલ્લંઘન ન થાય, ભંગ ન થાય, તેમ ઉપગપૂર્વક સનીતિ પ્રમાણે ચાલવું એગ્ય છે. આમ મહાજનના માર્ગે નિરતિચારપણે યથાન્યાય પ્રવક્તવું–ગમન કરવું એ જ મુમુક્ષુ જોગીજનનું કર્તવ્ય છે. નૃત્તિ-સત્ર-તેથી અત્ર વ્યતિકરમાં, આ પ્રસંગમાં, મંતાં વર્મ-મહત પુરુષોના માર્ગને, સમાશ્રિત્યસમાશ્રય કરી અંગીકાર કરી, વિરઃ -વિચક્ષણોએ, પંડિતોએ, તતચં ચાન્યા-થથાન્યા-ન્યાય પ્રમાણે વર્તવું પેગ છે. તરિક્ષમન્નતૈિઃ -તે મહત ધર્મના અતિક્રમથી–અતિચારથી રહિત એવાઓએ. Page #514 -------------------------------------------------------------------------- ________________ (૪૩૮) એજ કહે છે— परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ પરપીડા અહિં સૂક્ષ્મ પણ, વવી જ સપ્રયત્ન; તેમજ તસ ઉપકારમાં, કરવા સદૈવ યત્ન. ૧૫૦ અર્થ :—અહીં' સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી નજવી; તેમજ તેના ઉપકારમાં પણુ સદૈવ જ યત્ન કરવા. સમદષ્ટિમુજીય વિવેચન ‘પોષહાર: પુછ્યાય, પાપાચ પપીવનમ્ 'ન્યાસજી. તે મહત્ પુરુષાએ આચરેલ માગ કર્યો છે? તે અહી કહ્યો છે. આ લાકમાં સૂક્ષ્મ પણ પરપીડા વજવી, તેમજ પર ઉપકારમાં પણ નિરંતર યત્ન કરવા. ઃઃ આ જગમાં પેાતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ ખાધા પણુ ન ઉપજે, એમ પ્રયત્નથી-યત્નાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માથીનુ કર્ત્તવ્ય છે. મુમુક્ષુ ખીજા જીવાને સૂક્ષ્મ પીડા પણ વજ્ર, તા પછી માટી પીડાની વાત તે કયાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કોઇપણ પ્રકારે કાઇપણ જીવને પાતાનાથી કઇપણ પીડા–માધા ન ઉપજે, એવી સતત જાગૃતિ આત્માથી જીવ રાખે. અનુષધે આત્મા ફ્લાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સ જીવનુ ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સદને એ ઉપદેશ, એ એકાંતે નહિ વિશેષ; સર્વ પ્રકારે જિનને ખેષ, યા યા નિર્મળ અવિાષ. એ ભવતારક સુંદર રાહ, રિચે તરિયે કરી ઉત્સાહ; ધ સકળનુ એ શુભ મૂળ, એ વિષ્ણુ ધમ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ એળખે, તે જન પહેાંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચ'દ્ર કરુણાએ સિદ્ધ” શ્રીમદ્ રાજચદ્રપ્રણીત માક્ષમાળા વૃત્તિ:—પવીદા—પર પીડા, પર ખાધા, રૂ–અહી, લેાકમાં, સૂક્ષ્માપિ–સૂક્ષ્મ પણુ, મોટી તા દૂર રહે ! શુ'! તા કે વર્ગનીયા-જવા ચેાઞ છે, પરિત્યજવા યોગ્ય છે, પ્રયત્નર: પ્રયત્નથી, સૂક્ષ્મ માબેગથી, તદૂતતેની જેમજ, પ્રયત્નથીજ, તેંડુપ રેપિ–તેના ઉપકારમાં પશુ, ચતિતન્ય-મન કરવા યોગ્ય છે, અનુષ્ઠાન દ્વારાએ ( આચરણુવડે કરીને), સંવૈવ ફ્રિ-સદેવ જ. Page #515 -------------------------------------------------------------------------- ________________ દીમારિ ગુરુદેવ-દ્વિજયતિનું યથાયોગ્ય પૂજન (૪૩૯) અને બીજા ના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવનું આ લેકમાં ને પરલોકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન ધનથી પિતાથી બનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પરમદયાળુ ને પરોપકારને વ્યસની–બંધાણી હેય. તથા गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥ ગુરુ દેવતા વિને, તપાધન યતિરાજ; પૂજય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આ જ, ૧૫૧
Page 313
અર્થ– ગુરુઓ, દેવતાઓ, વિપ્રો અને તપોધન યતિઓ–એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે–પૂજવા યોગ્ય છે. વિવેચન તેમજ-ગુરુઓ, દેવતા, કિજે અને તપોધન યતિઓ,-એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નત ચિત્તે યથાયોગ્યપણે પૂજનીય છે, પૂજવા યોગ્ય છેઃ- ગુરુઓ એટલે માતા, પિતા, કલાચાર્ય, એએના જ્ઞાતિઓ-ભાઈ બહેન વગેરે, તથા ધર્મને ગુરુ-દેવાદિ ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ જને. આ શિષ્ટ જનેને પૂજન ઇષ્ટ એવો ગુરુવર્ગ છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય :-(૧) ત્રણ સંધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તે અવસરગ ન હોય તે ચિત્તમાં તેને અત્યંતપણે આપીને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યત્થાનાદિ કરવું, અર્થાત્ ઊઠીને સામા જવું, આસન દેવું, તે બેસે એટલે પર્ય પાસના કરવી, ઈત્યાદિ વિનય આચરણ કરવું તેની સમીપમાં અપ્રગલ્ટપણે–અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેને અવર્ણવાદ ન સાંભળ. (૩) સારામાં સારા વસ્ત્રાદિનું તેને યથાશક્તિ નિવેદન–સમર્પણ કરવું, અને તેના હાથે સદા પરક ક્રિયાઓનું કરાવવું. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારને ત્યાગ કરે, અને ઈષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તન કરવું, અને આ ધમદિને પીડાઝ ન ઉપજે એમ ઔચિત્યથી–ઉચિતપણે કરવું, અર્થાત્ - કૃત્તિ-ગુણો-એ, માતા-પિતા પ્રમુખ, વૈતા-દેવતા, સામાન્યથી જ વિ-વિ, તિજે, ચતા-અને યતિઓ, પ્રવતિ, તપોવની તપાધન, ત૫રૂપ ધનવાળા, વરીયા-પૂજનીય છે, પૂજવા યોગ છે, મારમાર-મહાત્માઓ, એ સવેપ, યથાહપણે થાયેગ્યપણે કેવી રીતે તે કે-યુઇન નેતનાસુપ્રયત્નવંત ચિતથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અર્થ છે. __x" त्यागश्च तदनिष्टानां तदिष्टेषु पवर्तनम् । औचित्येन विद क्षेयं प्राहुर्धर्माद्यपीडया" (આધાર માટે જુઓ) શ્રી યોગબિંદુ, શ્વે ૧૧૦-૧૧૫. Page #516 -------------------------------------------------------------------------- ________________ (૪૪૦ ) યોગદૃષ્ટિસંમુચ્ચય તેને અનિષ્ટથી નિવત્તતાં અને ઇષ્ટમાં પ્રવર્ત્તતાં ને ધર્માદિ પુરુષાર્થ ને ખાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેના આસનાદિના અભોગ કરવા, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિ. અને તેના દ્રવ્યનુ તીર્થાંમાં નિયેાજન કરવું, અર્થાત્ તીક્ષેત્રમાં વાપરી નાંખવું, નહિ તે તે પેાતે ગ્રહણ કરે તે તેના મરણાદિમાં અનુમતિને પ્રસંગ આવે. (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાના ધૂપ-પુષ્પાદિ પૂજારૂપ સ’સ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્ધ્વદેક્રિયા કરવી, મૃતકાર્ય કરવું. પુષ્પાથી, અલિથી, વસ્ત્રોથી, અને શેાલન તેંત્રોથી શૌચ-શ્રદ્ધા સમન્વિત એવુ' દેવોનું પૂજન કરવું, ઇત્યાદિ પ્રકારે યથાયેાગ્યપણે ગુરુ-દેવની પૂજા કરવી. વિપ્રો એટલે દ્વિજો—બ્રાહ્મણેા. વિદ્યા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકને પામેલા છે તે વિપ્ર. બે વાર જેને જન્મ થયા છે, અર્થાત્ એક તે સ્થૂલ દેહજન્મની અપેક્ષાએ અને ખીજો સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ. બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવત, સ‘સ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્વજનારૂપ દ્વિજો યથાયેાગ્યપણે પૂજવા ચેાગ્ય છે, સન્માનવા ચેાગ્ય છે, તેમજ તપેાધન એવા યતિએ પણ પૂજનીય છે. યતિ એટલે સચમી પુરુષ, સાધુજન. જેણે મનને તે ઇંદ્રિયાના સયમ કર્યા છે તે યતિ અથવા ‘તિ’. જે જીવરક્ષામાં ને ઇંદ્રિયનિગ્રહમાં યત્નવંત છે તે યતિ. તપ જેનુ' ધન છે તે તપેાધન. અનશનાદિ ખાદ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આભ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપાધન યતિએ નિરતર પરમાદરથી પૂજવા યાગ્ય છે. આમ ગુરુએ, દેવતાઓ, વિષે, અને તપેાધન યતિએ——આ સ† મહાત્માએ જેમ ઉચિત હાય તેમ યથાયેાગ્યપણે પૂજવા ચાગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયત્નવંત ચિત્તથી હાવી જોઇએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઇએ. ⭑ पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सवेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ॥ સ્વકર્મથી જ હણાયલા, પાપી પ્રતિ અત્યંત; ન્યાય અનુકંપા જ-આ, ઉત્તમ ધર્મ મહુત, ૧૫૨ વૃત્તિ:-પાપવિશ્વાસ્થતં-અને અત્યંત પાપવા પ્રત્યે પણ, લુબ્ધક–જ્ઞિકારી આફ્રિ પ્રત્યે પણ, ચર્મનિતૅવ્વસમ્-અત્યતપણે સ્વકમાઁથી હણાયેલા એવા, અનુêવ
Page 314
સત્ત્વેષુ-સત્ત્વા પ્રત્યે અનુક`પા જ, ન્યાયા ન્યાય્ય છે.—નહિં કે મત્સર, ધર્માંડયમુત્તમ:--આ ધ' ઉત્તમ છે,-કારણમાં કાના ઉપયાથી. શ્રી ચાદુિ * " तदासनाद्यभोगश्व तीर्थे तद्वित्तयोजनम् । तद्विवन्याससंस्कार ऊर्ध्वदेह क्रिया परा ॥ " Page #517 -------------------------------------------------------------------------- ________________ માહિઃ મહત પુરુષને માગ, ઉપસંહાર (૪૪) અર્થ –અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાચ્ય છે,- આ ધમ ઉત્તમ છે. વિવેચન “શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ”શ્રીમદ્ રાજચંદ્રજી અને પિતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા જ ન્યાપ્ય છે-આ ધમ ઉત્તમ છે. મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હેય એમાં તે પૂછવું જ શું? પણ શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જીવો પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યા છે–ન્યાયયુક્ત છે. તેના પણ દયા પ્રત્યે ઘણા રાખવી કે તિરસ્કારની દૃષ્ટિથી જેવું એ યોગ્ય નથી, કારણ કે એ બિચારા પામર જી અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી છે તે અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકર્મોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છૂટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તે તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધમ ઉત્તમ છે. તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાન.” તુલસીદાસજી પરહિત એ જ નિત હિત સમજવું, અને. પરદુ:ખ એ પોતાનું દુઃખ સમજવું.” “પ્રભુ ભજે, નીતિ સો, પરઠો પર પકાર.”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ ( ૧ ) પરપીડાવજન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, ( ૪ ) પાપીની પણ અનુકંપા-આ ધર્મ ઉત્તમ છે. આ મહત્ પુરુષને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજનેએ આચર્યો છે, જે દર્શાવ્યું છે, તેને જ અનુસરવું એ જ યથાત્યાય વત્તન છે. | રિ મધુમાડપિs: 1 --- DR = Page #518 -------------------------------------------------------------------------- ________________ ગદષ્યિસમુચ્ચય (૪જર) - ઉપસંહાર કરતાં કહે છે – कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ સર્ણ અત્ર પ્રસંગથી, હવે કહાઁએ પ્રસ્તુત; તે તે પંચમી ગની, દષ્ટિ મહોદય યુક્ત, ૧૫૩ અર્થ:- અત્રે પ્રસંગથી બસ થયું. હવે અમે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ; અને તે પ્રકૃતિ તે પાંચમી મહોદયવતી યોગદષ્ટિ છે. વિવેચન ઉપરમાં આ જે બધું ય કહ્યું તે પ્રસંગવશાત્ કહ્યું છે. તે માટે આટલું બસ છે! વધારે કહેવાની જરૂર નથી. શાણા તે સાનમાં સમજી જાય. એટલે સાચા મુમુક્ષુ વિચક્ષણ જને આટલામાંથી બધું સમજી જશે, થોડું કહ્યું ઝાઝું કરી જાણશો.” એટલે હવે અમે પ્રકૃત–ચાલુ વાતને પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. અને તે પ્રસ્તુત વાત તે પાંચમી “સ્થિરા નામની યોગદષ્ટિ છે. અને તે કેવી વિશિષ્ટ છે? તે કે મહદયવાળી છે. માટે અહે મુમુક્ષુ જોગીજનો ! સર્વ અભિનિવેશ છોડી દઈને ચાર દષ્ટિની મર્યાદા વટાવી જઈને, તમે હવે આ “સુયશ’ અમૃત ઘનવૃષ્ટિ કરનારી પાંચમી “સ્થિરા” દષ્ટિ સંબંધી યોગ કથા ભાવથી એકચિત્ત શ્રવણ કરે! અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ-”શ્રી યે, દ, સઝા ૪-૨૩ કૃત્તિ-શ–પર્યાપ્ત થયું, બસ થયું, ત્ર–અત્ર વ્યતિકરમાં, કન-પ્રસંગથી, કાં પ્રસ્તુનોડપુના-હવે અમે પ્રકૃત (ચાલુ વાત) કહીએ છીએ, તપુનઃ–પુન: તે પ્રકૃત તે, વન્નરી તાવળદષ્ટિ-પાંચમી યુગ થરા નામની છે. તે કેવી વિશિષ્ટ છે ? તે માટે કહ્યું-મોથા-મહોદયવાળી છે,
Page 315
નિર્વાણ૩૫ પરમ કલવાની છે, એમ અર્થ છે, Page #519 -------------------------------------------------------------------------- ________________ તમાદષ્ટિ: રોમાષ્ટિને સાર દીમાદષ્ટિનું કોષ્ટક : ૧૦ નામ ચથી દષ્ટિમાં નેધ ર્શન દીપપ્રભા સમબોધ અસંઘ પદને લીધે બોધ સ્થૂલ-સૂક્ષ્મ નહિ. ગાંગ ભાવ પ્રાણાયામ રેચક -પૂરક કુંભક પરભાવને રેય, આત્મભાવની પૂતિ ને સ્થિરતા. દષત્યાગ ઉત્થાન દેષતાગ પ્રશાંતવાહિતાને લીધે યુગમાં ઉલ્યાનદેષ ન હોય. ગુણપ્રાપ્તિ | તત્ત્વશ્રવણું | ધર્મશરણબીજોહ-અસભક્તિ તીર્થકરશનનિર્વાણ. વિશિષ્ટતા | અસંવેદ્ય પદ જય | વિષમ કતકપ્રહ નિવૃત્તિ. ગુણસ્થાન પહેલું ગુણસ્થાન પહેલા “ગુણસ્થાન” નો પ્રકર્ષ-છેલ્લામાં છેલી હદ અહીં પ્રાપ્ત થાય. દીમા દૃષ્ટિને સાર ચાથી દીપા દષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોષ પ્રકાશ હોય છે, અને યોગનું ચોથું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉત્થાન નામના ચોથા ચિત્તદેષને નાશ તથા તવશ્રવણ નામના ચેથા ગુણની પ્રાપ્તિ હોય છે છતાં અત્રે હજુ સૂક્ષ્મ બેધ હેતે નથી. અત્રે આ પ્રાણાયામ જે હોય છે, તે ભાવથી હોય છે. એટલે બાહ્ય ભાવને રેચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતરન્નાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ,-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હોય છે. આ દૃષ્ટિવાળ યોગી પુરુષ પ્રાણ કરતાં પણ ધર્મને નિઃસંશય ગુરુ–માટે ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણની ખાતર ધર્મ છેડતે નથી, એ તે દઢવમાં હોય છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ (૪૪) વાગદરિપુરાથ આમ સદાશયવાળે તે મુમુક્ષુ તવશ્રવણમાં તત્પર બની પ્રાણ કરતાં પણ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારું પાણી છોડી મીઠા પાણીના ગથી બીજ ઊગી નીકળે છે, તેમ તત્વકૃતિથી નરને ગબીજ ઊગી નીકળે છે–પ્રરેહ પામે છે, અહીં સર્વ સંસારગ છે તે ખારા પાણી બરાબર છે, અને તત્ત્વશ્રુતિ તે મધુર જલના જોગ સમાન છે. જેથી કરીને આ તસ્વકૃતિથી મનુષ્યને સર્વ કલ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેકમાં હિતાવહ એવું હોય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થંકરદર્શન કર્યું છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણનું એક કારણ છે. “તત્ત્વશ્રવણ મધુદકેરુ, ઈહાં હેય બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુ ભક્તિ અદ્રોહ.મનમોહન” છતાં અત્રે સૂક્ષ્મ બંધનો નિષેધ કહ્યો તેનું કારણ એ છે કે સમક્તિ વિના તે બેધ હોતે નથી. તે બેય વેદ્યસંવેદ્ય પદ થકી હોય છે, તે અવેદ્યસંવેદ્ય પદમાં જેવામાં આવતું નથી. વેદ્ય એટલે બંધ–મેક્ષહેતુરૂપ વેદનીય વસ્તુ, તે વેધસવેદ્ય ૫દ જ્યાં સદાય છે તે વેવસંવેદ્ય પદ છે, તેથી કરીને સમ્યફ હેતુ આદિ ભેદથી વિદ્ધસમાજમાં જે તત્વનિર્ણય થાય છે તે સૂફમબેધ કહેવાય છે. તે સૂક્ષમધ હજુ આ દષ્ટિમાં હોતું નથી, કારણ કે અહીં પહેલી ચાર દષ્ટિમાં અવેદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે ને વેદ્યસંવેદ્ય પદ પંખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું પડછાયારૂપ-તદાભાસરૂપ અતાત્વિક હોય છે. અને અવેદ્યસંવેદ્ય પદ જે છે તે તે પરમાર્થથી અપદ જ છે, યોગીઓનું પદ તે વેધસંવેદ્ય પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેધનું જ્યાં સમ્યફ સંવેદન તથા પ્રકારની આગમથી વિશુદ્ધ એવી નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ સમ્યફ સ્થિતિવાળું હોઈ તે “પદ” નામને બરાબર યેગ્ય છે. આવું આ વેધસંવેદ્ય પદ ભિન્નથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળું છે. આ નૈૠયિક વેધસંવેદ્ય ૫દ ક્ષાયિક સમ્યગદષ્ટિને જ હોય છે. અને તેના મહાપ્રભાવને લીધે, કર્મના અપરાધવશે કરીને પણ જે કવચિત્ પાપમાં પ્રવૃત્તિ થઈ જાય તે તે તપેલેહપદન્યાસ જેવી હોય, અર્થાત્ તપેલા લેઢા પર પગ મૂક્તાં જેમ તરત પાછો ખેંચાઈ જાય છે, તેમ આ સમ્યગદષ્ટિને પણ પાપ કરતાં તરત આંચકો લાગે છે, તેમાં ઝાઝી
Page 316
સ્થિતિ નથી, અને આ પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હોય છે. કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુનઃ દુર્ગતિને યોગ હેત નથી. તે પદ ગ્રંથિ વિભેદથી, છેલ્લી પા૫ પ્રવૃત્તિ, તપ્ત લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ.....મનમોહન” - તેનાથી વિપરીત તે અવેધસંવેદ્ય પદ છે. અને વા જેવું અભેદ્ય તે પદ ભવાભિનંદી જીવને હોય છે. આ ભવાભિનંદી ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરવત, ભાયાકલ, સડ, Page #521 -------------------------------------------------------------------------- ________________ હોમદષ્ટિ હોમાષ્ટિનો સાર (૪૪૫) અજ્ઞાની અને નિષ્ફલ આરંભથી સંગત એવો હોય છે. એવા અવગુણઅઘસવેદ્ય વંતને બોધ અસત પરિણામથી અનુવિદ્ધ-પરોવાયેલ હોઈ વિષમિશ્રિત પદ અને જેમ સુંદર નથી હતો. એટલે આ અઘસ વેદ્ય પદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ ને વર્તમાનદશી હાઈ હિતાહિતના વિવેકમાં અંધ હોય છે, એટલે સંસારનું પ્રગટ દુઃખમય સ્વરૂપ દેખતાં છતાં તેઓ અતિમોહને લીધે તેથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, અને ભેગમાં આસક્ત રહી આ જડ જને પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે-બાંધે છે. કર્મભૂમિને વિષે મનુષ્યપણારૂપ પરમ ધર્મ બીજ પામીને પણ આ અલ્પમતિ જનો આ બીજની સત્કર્મરૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી, પણ ગલ જેવા તુચ્છ ને દારુણ ઉદયવાળા કુસુખમાં સક્ત થઈ સચેષ્ટા-સતૂઆચરણ છોડી દે છે! અહો ! આવા આ દારુણ તમને ધિક્કાર છે! આવું આ અદ્યસંવેદ્ય પદ અધપણુરૂપ હેઈ દુર્ગતિમાં પાત કરનારું—પાડનારું છે, અને તે સત્સંગ-આગમ ગવડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતવા ગ્ય છે,-અન્ય સમયે જતાવું અશકય છે. “એવા અવગુણવંતનું જી, પદ જે અવેવ કઠોર સાધુસંગ આગમ તણાજી, તે જ ધુરંધર....મનમોહન” અને આ અવેધસંવેદ્ય પદ છતાયું હોય છે ત્યારે મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. આ કુતર્ક બેધને ગરૂપ છે, શમને અપાયરૂપ, છે શ્રદ્ધાને ભંગ કરનાર અને અભિમાન ઉપજાવનાર છે. આમ કુતર્ક પ્રગટપણે વિષમ કુતર્કગ્રહ ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. એટલા માટે મુમુક્ષુઓને આવા નિવૃત્તિ દુષ્ટ કુતર્ક માં અભિનિવેશ-આગ્રહ કર યુક્ત નથી, પણ કૃતમાં, શીલમાં, સમાધિમાં અને પરોપકારમાં તે કર યુક્ત છે. તેમજ – સર્વેય વિકલ્પ અવિદ્યાસંગત છે. અને તેઓની યોજનારૂપ આ કુતર્ક છે, તે એથી શું પ્રયોજન છે? વળી આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–zષણાભાસપ્રધાન છે, અને પ્રતીતિથી–ફલથી બાધિત છે. હાથી મારવા દોડતે હોય ત્યારે આ હાથી દૂર રહેલાને હણશે કે નિકટ રહેલાને હણશે? એવા મૂખ વિકલ્પ જેવો આ કુતર્ક છે. ઈત્યાદિ અનેક પ્રકારના દેષ આ કુતર્કથી ઉપજે છે તેથી આવા દુષ્ટ અનિષ્ટ કુતર્કનું શું કામ છે? અને વિચારવંત જીવોને પ્રયાસ તો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તકને ગોચર હેતે નથી, પણ આગમને જ ગોચર હોય છે એટલે આ આગમપ્રધાન, સલ્ટાદ્ધ, શીલવાન એ યોગતત્પર પુરુષ અતીન્દ્રિય અર્થોને જાણે છે, અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે-“આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી એમ પ્રજ્ઞાને ત્રણ પ્રકારે પ્રયોજતાં પુરુષ ઉત્તમ તત્ત્વને પામે છે.” અને તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માને તે તેના Page #522 -------------------------------------------------------------------------- ________________ (૪૪૬) ગદષ્ટિસમુચ્ચય અતિભક્તોને મહ છે. કારણ કે સર્વજ્ઞ નામનો જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ છતાં તત્વથી સર્વત્ર એક જ છે. તેથી તેની સામાન્યથી જ જેટલાઓની સર્વજ્ઞ તવ પ્રતિપત્તિ-માન્યતા છે, તે સર્વેય તેને પામેલા છે એવી પર ન્યાયગતિ અભેદ છે. અને તેને વિશેષ તે સંપૂર્ણપણે સર્વ અસવદશીએથી જણાતે નથી, તેથી સામાન્યથી પણ એ સર્વજ્ઞને જે નિર્વ્યાજ પણે-નિષ્કપટપણે તેના આજ્ઞાપાલનમાં તત્પર થઈ માનતા હોય, તે તેટલા અંશથી જ ધીમે તેને મન તુલ્ય જ છે,-એક રાજાના ઘણુ સેવકની જેમ. અત્રે
Page 317
બીજી યુક્તિ પણ છે.–દેવની ભક્તિ બે પ્રકારની છે–ચિત્ર અને અચિત્ર. તેમાં જે સંસારી દે છે તેની ભક્તિ વિચિત્ર પ્રકારની છે, કારણ કે તેઓનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે, અને તે ભક્તિમાં મોહગર્ભપણને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ અને અનિષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય છે. પણ સંસારતીત એવા પર મુક્ત તત્વની જે ભક્તિ છે, તે અચિત્ર છે, અને તે સંમેહના અભાવને લીધે શમસારા જ-શમપ્રધાન જ હોય છે. “નહિં સર્વ જજુઆ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.મનમોહન” તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંધિ-આશય પ્રમાણે ભિન્ન ફળ હોય છે, અને તે જ આશય અહીં કૃષિકર્મમાં પાણીની પેઠે પરમ છે–પ્રધાન છે. આ આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેધના ભેદ પ્રમાણે બુદ્ધિ-જ્ઞાન- અનેક પ્રકારના ભેદ વાળ હોય છે, કારણ કે બે ત્રણ પ્રકારને હેાય છે: અસંમોહ (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન, (૩) અસંમેહ. તે બધથકી સર્વ કર્મોમાં ભેદ પડે છે. તેમાં ઇક્રિયાથને આશ્રય કરે તે બુદ્ધિ છે, આગમપૂર્વક હોય તે જ્ઞાન છે, અને સદનુષ્ઠાન યુક્ત જે જ્ઞાન તે અસહ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિશ્વ, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, તજજ્ઞ બુધજનની સેવા, અને તેમને અનુગ્રહએ આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. પ્રાણીઓના સર્વ કર્મો સામાન્યથી બુદ્ધિપૂર્વક હોય છે, અને વિપાકવિરસપણને લીધે તે સંસારફલ આપનારા છે. કુલગીના જે કર્મ છે તે જ્ઞાનપૂર્વક હોય છે, અને તે અમૃત સમી શ્રુતશક્તિના સમાવેશથી અનુબંધફલપણુંથકી મુક્તિને અંગરૂપ હોય છે, અને અસંમેહથી ઉપજતા કર્મો એકાંત પરિશુદ્ધિથકી શીધ્ર મેક્ષફળ આપનારા હોય છે આ અસંમેહ કર્મ ભવાતીત અથગામી મુમુક્ષુઓને જ હોય છે. “બુદ્ધિ ક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ; અસંમેહ કિરિયા દીએજી, શીવ્ર મુગતિફલ ચંગ....મનમેહન” અહીં પ્રાકૃત ભાવોમાં-કારમી પુદ્ગલ રચનામાં જેનું ચિત્ત નિરુત્સુક છે, તે ભવ Page #523 -------------------------------------------------------------------------- ________________ દીપ્રાણિ : વાદૃષ્ટિના સાર (૪૪૭ ) ભાગવિરક્ત જને ભવાતીત અગામી છે. તેના માર્ગ એક જ શમપરાયણ એવે છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાની જેમ એક જ છે, કારણ કે સંસારાતીત પર તત્ત્વ ' નિર્વાણુ ' નામનું છે, તે શબ્દભેદ છતાં તત્ત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દોથી અન્યથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણુના અવિસંવાદથી નિરામાધ, નિરામય અને નિષ્ક્રિય એવું આ પર તત્ત્વ જન્માદિના અચેાગ્યથી હાય છે. એટલે અસમાહથી તત્ત્વથી આ નિર્વાણુતત્ત્વ જાણવામાં આળ્યે, પ્રેક્ષાવાને તેની ભક્તિની ખાખતમાં વિવાદ ઘટતા જ નથી. અને આ નિર્વાણુ તત્ત્વ નિયમથી જ સજ્ઞપૂર્વક સ્થિત છે. આ સર્વજ્ઞરૂપઋજુ મા નિર્વાણુને નિકટમાં નિકટ માગ છે, તે તે સજ્ઞના ભેદ કેમ હાય ? અને તે ન હેાય તા તેના ભક્તોને ભેદ્ય સુમુક્ષુના એક જ શમમા નિર્વાણુ તત્ત્વ એક જ કેમ હાય? ઃઃ પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણેાજી, ભેદ લહે જગ દીન....મન૰” ત્યારે સ્હેજે શ ́કા થશે કે તે પછી તે સજ્ઞાની દેશનાને ભેદ કેમ છે ? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી-ગુણુ થાય એવા અનુકૂળપણાથી તે ચિત્ર-નાના પ્રકારની છે. કારણ કે ભવરાગના આ ભિષવરાએ જેને જે પ્રકારે ખીજાધાન આદિના સભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દ્વીધા છે. અથવા તે ખીજું કારણ એમ છે કે એએની દેશના એક છતાં શ્રોતાઓના વિભેદથી તેઓના અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વના યથાભવ્ય-ચૈાન્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાગ્નિના નિયેાગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ થકી જ પ્રવત્તી છે,
Page 318
અને આ ઋષિદેશનાનુ મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે સજ્ઞને અભિપ્રાય જાણ્યા વિના તેના પ્રતિક્ષેપ-વિરાધ કરવા યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થંકર છે. એટલે આ સર્વજ્ઞ વિષયમાં અધ જેવા છદ્મસ્થાએ વાદવિવાદ કરવા યુક્ત નથી, માટે મિથ્યાભિમાન હેતુપણાને લીધે શુષ્ક તક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છેાડી દેવા ચેાગ્ય જ છે. મુમુક્ષુને તા તત્ત્વથી સČત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્માં પણ છેડી દેવા પડે છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું? દેશના ભિન્નતાના ખુલાસા કુતર્ક ગ્રહ ત્યાજ્ય “ ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધમ સન્યાસ; તા ઝઘડા અઞા તણેાજી, મુનિને કવણુ અભ્યાસ ?....મન” Page #524 -------------------------------------------------------------------------- ________________ (૪૪૮) ગદસિમુદાય તેથી મહતુ પુરુષના માર્ગને સમ્યકપણે આશ્રી વિચક્ષણેએ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વર્તવા યોગ્ય છે. તે મહતુ પુરુષોને માર્ગ સામાન્યથી સંક્ષેપમાં આ છે :(૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વજેવી, (૨) પરોપકારમાં સદૈવ યત્ન કરે, (૩) ગુરુએ, દેવતા, વિપ્રો, અને તપોધન યતિએ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયોગ્યપણે પૂજવા, (૪) પિતાના કર્મોથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીઓ પ્રત્યે પણ અત્યંત અનુકંપા રાખવી, –નહીં કે મત્સર. આ ધર્મ ઉત્તમ છે. ઈત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સર્વ કુતર્ક-અભિનિવેશ ત્યજી ચાર દૃષ્ટિ પામે છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી થિરા દૃષ્ટિ પામશે. “અભિનિવેશ સઘળો ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ. ...મનમોહન જિનાજી! મીઠી તાહરી વાણુ.” છે. દ. સક્ઝાય યોગદષ્ટિ કળશ કાવ્ય ઃ શાલિનીઃ દીપામાંહી દીપ શા બોધ દીપે, દીપતિ તે ચિત્ત ઉત્થાન ઝીપે; પ્રાણાયામે આત્મને તે ભરે છે, ને પ્રીતેથી તત્ત્વશ્રુતિ કરે છે. ૫૭ બાહિરભાવે રેચકે બહાર કાઢે, અંતરભાવ પૂરકે ગાઢ વાધે; તેને યોગી કુંભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. ૫૮ પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણથીયે ધર્મ મેટો જ માને, પ્રાણેને તે ધર્મ અર્થે ત્યજે છે, ના પ્રાણથે ધર્મને તે ત્યજે છે. ૫૯ સુહદ્ સાચે એક ધર્મ થાયે, મૂઆની યે પાછળે જેહ જાયે; બાકી બીજું તે બધુ બળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. ૬૦ આવી રૂડી ધર્મની ભાવનાથી, તત્ત્વશ્રુતિ તત્પર થાય આથી; પ્રાણથીયે ધર્મ માટે કહે છે, શણુ” તેનું ભક્તિભાવે ગ્રહે છે. ૬૧ ખારું પાણી છોડી મીઠા જલેથી, આવે બીજે અકરા જે રૉતેથી તેવી રીતે તત્વશ્રુતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. દર ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તવશ્રુતિ મિષ્ટ વારિ સમાણી, કલ્યાણ સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લ્હાવો મળે છે. ૬૩ શ્રી સદ્ગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીર્થ સ્વામી દર્શન પ્રાપ્ત થાવે; ધ્યાને સ્પશી” તે સમાપત્તિ ભાવે,-નિર્વાણે જે એક હેતુ ધરાવે. ૬૪ Page #525 -------------------------------------------------------------------------- ________________ દીમાણિઃ કળસ ક્ષત્ર (૪૯) ઉપજાતિ તે ન હોયે અહિં સક્ષમ છે, તે વેદસંવેદ્ય પદે સુધ તે વેધસંવેદ્ય ન અત્ર હોય, અવેવસંવેદ્ય જ ઉગ્ર જોય. ૬૫ જે વેવસંવેદ્ય પદે ઠરે છે, ભવાંબુધિ શીધ્ર જ તે તરે છે; ને વા તે કર્મરૂપી વિભેદે, સત્તત્વથી રેય સમગ્ર વેદ. ૬૬ આ વેદ્યસંવેદ્ય પદ પ્રભાવે, પાપે પ્રવૃત્તિ કદીયે ન થા; ને કદોષે યદિ તે પ્રવૃત્તિ, તે તસલેહપદન્યાસ વૃત્તિ. ૬૭ જે વેદ્યસંવેદ્ય પદે વસે છે, સંવેગરગે અતિ તે હસે છે; તેથી જ છેલ્લી તસ પાપવૃત્તિ, ના દુર્ગતિની ફરને પ્રવૃત્તિ. ૬૮ આ વેવસંવેદ્ય તણા અભાવે, અદ્યસંવેદ્ય તણા જ ભાવે; ન અત્ર તત્વે કદી સૂક્ષ્મ બેધ, પરંતુ હેયે કંઈ સ્કૂલ બંધ ૬૯ ના તત્વથી તે “પદ” છે
Page 319
અવેદ્ય, છે ગીનું પદ એક વેદ્ય સમ્યફ સ્થિતિથી “પટ” તે જ સાચું, ને ગ્રંથિભેદાદિ સ્વરૂપ જાચું. ૭૦ અવેદ્ય તે છે વિપરીત તેથી, ભવાભિનંદી તસ પાત્ર એથી; અસત્ પરિણામી ન બે ચારુ, ક્યું વિષસંપૂક્ત ન અન્ન સારૂં. ૭૧ એથી વિપર્યાસી અવેદ્યવંતા, હિતાહિતે હેય વિવેક અંધા; આ લેક મીઠા પર કોણ દીઠા? એવું વિચારે જન મોહ મૂઠા. ૭૨ સંસાર જન્માદિથી દુઃખી દેખે, ઉદ્વેજતા તેય ન મેહ લેખે ! કુકૃત્ય તે કૃત્ય અકૃત્ય કૃત્ય, ભાસે–સ્વ પાશ કરી તે કુકૃત્ય. ૭૩ લે કર્મભોમે નર ધર્મબીજ, સત્ કર્મ ખેતી મૂઢ ના કરે જ; દાણ ફૂડા કુસુખે જ રાચી, ચેષ્ટા ત્યજે તે જડ સર્વ સાચી. ૭૪ અવેદ્ય આ અંધપણું નઠારું, છે દુર્ગતિમાંહિ જ પાડનારૂં; તે તે જીતે આ જ સુદષ્ટિ વેગે, સતસંગ સત્ આગમના સુગે. ૭૫ ને આ જીંતાતાં નિયમે નકી જ, સ્વત: નરેને અતિ તત્વથી જ; કુતર્ક ગ્રાહે વસમો ટળે છે, જે જીવને તે ગ્રહ શો નડે છે. ૭૬ આ રેગ બધે, શહાણકારી, શ્રદ્ધાપહારી અભિમાનકારી; કુતર્ક પ્રત્યક્ષ અનેક રીતે, છે ચિત્તને ભાવરિપુ જ નિત્યે. ૭૭ તેથી કુતકે ગ્રહ ના જ યુક્ત, સમાધિ ને શીલ શ્રતે સુયુક્ત; પરોપકારે પણ સુવિશુદ્ધ,–જે ચગીને બીજ અવધ્ય સિદ્ધ. ૭૮ મુમુક્ષુ તે શ્રાદ્ધ શ્રુતપ્રધાન, વૈ યેગમાં તત્પર શીલવાન; પદાર્થ અતીન્દ્રિય અત્ર જાણે, પ્રજ્ઞાબલે ઉત્તમ તત્ત્વ પામે ૭૯ Page #526 -------------------------------------------------------------------------- ________________ (૪૫૦) ઇદ્રવંશા (વંશસ્થ) સર્વજ્ઞ ઝાઝા નથી ભિન્ન તત્વથી, તભેદ માને અતિભક્ત મોહથી; સર્વજ્ઞ જે કઈ ખરેખર જ છે, તે વ્યક્તિ ભેદે પણ એક સર્વ છે. તેને જ સામાન્યથ જેહ માનતા, ધીમંતને તે સહુની સમાનતા; એક રાજાશ્રિત સેવકે બહુ, નિયુક્તિ ભેદે પણ મૃત્યુ તે સહુ. ૮૧ સર્વજ્ઞ સતું તત્ત્વ તણું અભેદથી, સર્વજ્ઞવાદી મહિં ભેદ તે નથી; ઉપાસ્ય જો એક ઉપાસકો મહીં, આચાર ભેદે પણ ભિન્નતા નહિં. ૮૨ સર્વેથ સર્વજ્ઞ મહાત્મને ખરે ! તેથી નથી તત્ત્વથી ભેદ આખરે; નામાદિનું ભિન્નપણું ભલે હવું, સમ્યફ મહાત્મા જન એહ ભાવવું. ૮૩ શાલિની ચિત્રાચિત્ર ભક્તિ જે દેવ કેરી, સશાસ્ત્રોમાં કેગના વર્ણવેલી, તેથીયે આ વસ્તુ તે પુષ્ટિ પાવે, સર્વની એક્તા સિદ્ધ થા. જે સંસારી દેવકાયે જનારા, તે સંસારી દેવમાં ભક્તિ ધાર જે સંસારાતીત અર્થે જનારા, તે તે તેહી તત્ત્વમાં ભક્તિકારા. ૮૫ તે સંસારી દેવની ભકિત ચિત્ર, તેના રાગે અન્ય દ્વેષે સહિત, ને સંસારાતીત તવે અચિત્ર, ભક્તિ સર્વે શંસારા પવિત્ર. તે સંસારી દેવના સ્થાન ચિત્ર, સ્થિતિ આદિ સૌ પ્રકારે વિચિત્ર; તેથી તેને સાધને પાય ચિત્ર, રસ્તે જુદા પુર ના અચિત્ર. કા એકે આશયને વિભેદ, તેથી તે તત્ ફલોનેય ભેદ, હોયે હેતુ આશયો મુખ્ય આંહી, જેવી રીતે પાણી તે ખેતીમાંહિ. ભોક્તા નાના તત લે એહ ઠામે, તે લોકોના આશયો ભેદ પામે; રાગાદિના તારતમ્ય પ્રમાણે, ને બુદ્ધયાદિ બોધભેદ પ્રમાણે, બુદ્ધિ જ્ઞાન ને અસંહદ્વારા, ભાખ્યા શાસે બેધના ત્રિપ્રકાર; તેના ભેદે સર્વ પ્રાણીગણના, ક સ પામતા ભેદ નાના. ઇદ્રિ બુદ્ધિ તે આશ્રનારી, હોયે અને જ્ઞાન શાસ્ત્રાનુસારી; ને સત્ ક્રિયા યુક્ત જે જ્ઞાન આમ, તેને આપ્યું છે “અસંમેહ' નામ. દિયા પ્રત્યે આદર પ્રીતિ ભારી, નિર્વિધ્ધ શ્રી સંપદાલબ્ધિ સારી; જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે ! સકિયાનાં લક્ષણે એહ જાણે. ૯૨ બુદ્ધિપૂર્વ પ્રાણીના કમ સર્વ, તે તે સંસારી ફલે થે જ સર્વ; શાસ્ત્રાનુસારીપણું ને જ્યાંહિ, વિપાકે તે વિરસા હોય આંહિ. ૯૩ : Page #527 -------------------------------------------------------------------------- ________________ હિ ; કળસ કાવ્ય (૪૫૧) ને કર્મો જે જ્ઞાનપૂર્વ જુઓને! તે મુકવ્યંગા કુલગી જોને; સુધા જેવી શ્રુતશક્તિ પ્રભાવે, સાનુબંધી
Page 320
સતફ તે જ પાવે. ૯૪ કર્યો હોય જે અસંમેહજન્ય, તે તે આપે શીધ્ર નિર્વાણ ધન્ય; જે સંસારાતીત તત્ તત્ત્વગામી, તે એકાંતે શુદ્ધિથી સિદ્ધિ સ્વામી. ૫ જેનું ચિત્ત પ્રાકૃતાર્થે ન સક્ત, જે સંસારી ભોગ પ્રત્યે વિરક્ત; એવા જીવન્મુક્ત જે આત્મરામી, તે સંસારાતીત તત્ તત્વગામી. ૯૬ એવા તે સંતે તણે માર્ગ એક, “ક્ષતિમો ” સંમનિષ્ઠો જ છેક; હેયે ઝાઝા તદ્ દશા ભેદ તેયે, અબ્ધિમાં ક્યું તીરને માગ હેયે. ૯૭ તે સંસારાતીત તત્ત્વ પર તે, છે નિર્વાણું નામ સંગાધરે તે; તે તે નિશ્ચે તત્વથી એક હોયે, સિદ્ધાત્માદિ શબ્દભેદો છતાંયે. ૯૮ આ નિર્વાણ તત્વને તત્વથી જ, સમ્યફ જાયે એ અસંમેહથી જ તેની ભક્તિમાં વિવેકી જનેને, વિવાદે તે ના ઘટે રે! જુઓને ! ૯૯ ને નિર્વાણ હોય સર્વજ્ઞપૂર્વ, મુક્તો પૂર્વે હોય સર્વજ્ઞ સર્વ આ સર્વજ્ઞ બાજુ નિર્વાણમાગ, તેથી તેને કેમ રે! હાય ભેદ? ૧૦૦ સર્વની દેશના ચિત્ર જેહ, કલ્યાણાર્થે શિષ્યના ઉક્ત તેહ, જેને ઊગે બેધબીજાદિ જેમ, તેને બેઠું જન્મવૈધે જ તેમ. ૧૦૧ શ્રોતાભેદે દેશના એક તેય, ચિત્રા ભાસે! પુણ્ય સામર્થ્ય જે એ! સૌ ભવ્યને તેથી ઉપકાર હોયે, ને આ રીતે તદ્ અવધ્યત્વ રહે. ૧૦૨ વા ઋષિની દેશના ચિત્ર હોય, તે તે કાલાદિ અપેક્ષા જ જોયે; ને તેનું મૂલ સર્વજ્ઞ જાણે, સર્વજ્ઞવાક્ સિંધુ બિન્દુ પ્રમાણો. ૧૦૩ વિના જાણે આશય તાસ આંહિતેને પ્રત્યાક્ષેપ તે યુક્ત નાંહિ; આને દુર્વાદ ભાખે કદી કે, તે તે જિવાદથી છે અધિક. ૧૦૪ સર્વજ્ઞાદિ આ અતીદિય હેયે, વિના ગીજ્ઞાન નિણત ને, એથી અત્રે અંધ જેવા જના, વિવાદેનું કામ કાંઈ જ છે ના. ૧૦૫ અનુષ્ય શુષ્ક તક તણે તેથી, ગ્રહ રૌદ્ર મહા અતિ, મિથ્યાભિમાનને હેતુ, ત્યજે મુમુક્ષુ સન્મતિ. ૧૦૬ તત્વથી ગ્રહ સર્વત્ર, મુમુક્ષુને ઘટે નહિં; ધર્મેય મુક્તિમાં ત્યા, તે આ ગ્રહથી શું અહિં? ૧૦૭ Page #528 -------------------------------------------------------------------------- ________________ (૫૨) ગદષ્ટિસમુચિ વૈતાલીય અહિં આત્મ જ એક શાશ્વતે, તસ છે ધર્મ જ એક શાશ્વતે; ભજી ધર્મ જ તે સનાતને, જન યેગી પદ લે સનાતને. ૧૦૮ મત દર્શન આગ્રહ ત્યજી, પથ સત્ સંત મહંતને ભજી; સત ભક્તિપરાયણ થવું, અનુકંપામય ચિત્ત ધારવું. ૧૦૯ પરપીડન સૂમ વર્જવું, ઉપકારે નિત ચિત્ત અપવું; પૂજવા ગુરુ આદિ સાદરા, થવું પાપી પ્રતિયે દયાપરા. ૧૧૦ વિષ આગ્રહનું જ વામશે, સમકિતામૃત તેહ પામશે; મનનંદન ધામ જામશે, ભગવાનદાસ અમૃતત્વ પામશે. ૧૧૧ ॥ इति महर्षिश्रीहरिभद्गाचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन *सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने चतुर्थी दीपादृष्टिः॥ જ આ મસ્કત વિવેચનનું આ ‘સુમને નંદની” બહત ટીકાનામ રાખ્યું છે ભગવાનદાસ (“મને નંદન') Page #529 -------------------------------------------------------------------------- ________________ સ્થિરા દષ્ટિ એમ સપ્રપંચ થી દષ્ટિ કહી, પાંચમી કહી દેખાડવા માટે કહે છે– स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४ ।। દર્શન નિત્ય સ્થિરમહીં, પ્રત્યાહારથી યુક્ત; કૃત્ય અબ્રાંત અદોષ ને સુક્ષ્મ બેધ સંયુક્ત, ૧૫૪. અર્થ –સ્થિર દૃષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે; તથા કૃત્ય અબ્રાંત, અનઘ (નિર્દોષ), ને સૂક્ષમધ સંયુક્ત એવું હોય છે. વિવેચન દષ્ટિ થિરામાંહિ દર્શન નિયે, રત્નપ્રભા સમ જાણે રે; ભ્રાંતિ નહિ વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે. તે ગુણ વીર તણે ન વિસારું.” શ્રી એ. ૬સક્ઝાય. ૬-૧. સ્થિરા નામની પાંચમી ગદષ્ટિમાં-નિરતિચાર એવીમાં દર્શન નિત્ય-અપ્રતિપાતી હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું કૃત્તિ – ચિરા-સ્થિરા દૃષ્ટિમાં, નૈ-દર્શન, બેધલક્ષણવાળું, નિત્યં-નિત્ય, અપ્રતિપાતી,-નિરતિચાર એવી દષ્ટિમાં; અને સાતિચારમાં તે-જેને નયનપટલને (આંખના પડદાને) ઉપદ્રવ પ્રક્ષીણ છે તેને તેના ઉલ્કાપાદિના અનવબોધ જેવું,-અનિત્ય પણ હોય છે,–તેવા પ્રકારના અતિયારના
Page 321
ભાવને લીધે. રત્નપ્રભામાં પણ લિ આદિને ઉપદ્રવ હોય છે. પ્રત્યાહાહા -અને પ્રત્યાહારવાળું જ. હવિષયાસંકોને વિત્તહાન જ રેન્દ્રિયાળાં ત્યાદા સ્વવિષયના અસંપ્રયોગે સ્વચિત્તસ્વરૂપને અનુકારી એવો દકિયેનો પ્રત્યાહાર, તેનાથી યુક્ત એવું આ દર્શન છે. ત્યા-કય, વંદનાદિ ક્રિા, અબ્રાન્ત-અબ્રાંત-કમને અધિક્ત કરીનેઆશ્રીને, એટલા માટે જ જનપં-અના, નિષ્પાપ-નિર્દોષ,-અનતિચારપણને લીધે. એને જ વિશેષણ અાપે છે. સહારોપસમવિભૂ-સૂક્ષ્મધ સંયુક્ત,ગ્રંથિભેદ થકી ઘસવેદ્યપદની ઉ૫પત્તિને લીધે. Page #530 -------------------------------------------------------------------------- ________________ (૪૫૪) ગદષ્ટિસમુચ્ચય હોય છે. તથા અત્રે વંદનાદિ ક્રિયા ક્રમની અપેક્ષાએ અબ્રાંત, નિર્દોષ-નિરતિચાર હોય છે; અને એટલે જ તે સુમબેધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેદસંવેદ્યપદની પ્રાપ્તિ હેય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહીં પાંચમી દષ્ટિમાં(૧) દર્શન રત્નપ્રભા સમાન હોય છે, (૨) યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) બ્રાંતિ નામને પાંચમે ચિત્તદોષ નષ્ટ થાય છે, (૪) બોધ નામને પાંચ ગુણ પ્રગટે છે. નિત્ય દર્શનઃ રત્નપ્રભા સમ સ્થિર દષ્ટિ બે પ્રકારે છે-(૧) નિરતિચાર, (૨) સાતિચાર. નિરતિચાર દષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્ય-અપ્રતિપાતી હોય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે; અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હોય છે,–જૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી. આ દૃષ્ટિના દર્શન–બેધને રત્નપ્રભાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હોય તેમ આ દૃષ્ટિને બોધ ચોથી દીપ્રા દષ્ટિ કરતાં ઘણું વધારે હોય છે. દીપકની પ્રભા તેલ વગેરે બાહ્ય કારણેને અવલંબી હોય છે, “રત્નપ્રભા જ્યાં લગી તેલ હોય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હોય સમ જાણે રે છે, પણ રત્નની પ્રભા તેવા બાહ્ય કારણોને અવલંબતી નથી, તે તે સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે-કદી નાશ પામતી નથી. તેમ આ દૃષ્ટિને બોધ આત્માવલંબી છે, પર કારણને અપેક્ષત નથી-પરાવલંબી નથી, અપરોક્ષ છે, અને આમ આ બોધ આત્માલંબી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતું નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિર દષ્ટિને બોધ નિર્મલ રત્નપ્રભા જેવો હોઈ, નિમલપણાએ કરીને નિત્ય-સદા સ્થિર એકરૂપ હોય છે, અપ્રતિપાતી હોય છે, જે છે તે અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિર દષ્ટિને બંધ સમલ રત્નપ્રભા જેવો હોઈ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતો નથી, મલાપગમ પ્રમાણે ચૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ ધૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે ધૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હોય છે–ચૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે તેમ આ દષ્ટિને બંધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર આંદોલનવાળ-અનિત્ય હોય છે, ક્ષયપશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થત નથી, એટલે સ્થિર રહે છે. જેમ કોઈની આંખ ઊઠી હેય ને તે મટવા આવી હોય, તેને તેના ઉોપ આદિની અસર માલૂમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી, તેને પીડા પણ Page #531 -------------------------------------------------------------------------- ________________ વિચાવષ્ટિ : રત્નદીપક અતિ દીપતા હો લાલ” (૪૫૫) થતી નથી, છતાં હજુ કઈક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, ને વચ્ચે વચ્ચે આંખ' ઝાંખુ' દેખે છે; તેમ સાતિચાર દષ્ટિવાળાના દૃષ્ટિરોગ મટવા આવ્યો છે, એટલે તેને તેના ઉલ્કેપ આદિની અસર માલૂમ પડતી નથી, દૃષ્ટિરાગ પણુ દેખાતા નથી, અને તજન્ય પીડા પણ થતી નથી, છતાં હજુ કંઇ અતિચારરૂપ વિકારને લીધે દશનમાં ક્ષયાપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિરા દૃષ્ટિમાં દનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા, અનિત્યતા નીપજે છે.-છતાં આ ‘ સ્થિરા’ દૃષ્ટિ તા એના
Page 322
નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતી જ હાય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્માંક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિરા દૃષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં-નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિરવામાં આવ્યુ છે તે ઉપરથી સ્પષ્ટ થઇ જશે. આ ષ્ટિમાં થતું દન, નેત્રરોગ દૂર થતાં ઉપજતા દર્શીન જેવું છે. જેમ આંખના રાગ મટી જતાં-આંખનુ પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે; તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મેહસંતાનથી ઉપજેલે દેહ-આત્માની ઐય દૃષ્ટિરાગ નષ્ટ બુદ્ધિરૂપ દૃષ્ટિરાગ દૂર થતાં ને દર્શનમહના પડદા હઠી જતાં, તત્ત્ક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યક્ દન થાય છે. એટલે આ સાક્ષાત્ દૃષ્ટા એવા સમ્યગ્દષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હું એક શુદ્ધ દન-જ્ઞાનમય અને સદા અરૂપી એવા આત્મા છું. અન્ય કંઈ પણુ પરમાણું માત્ર પણ મ્હારું' નથી.' (જુએ પૃ. ૬૮ ) " 6 અનુભવ આ દર્શન-ખાધને રત્નદીપકની ઉપમા ખરાખર અ'ધ એસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ્દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ પ્રકાશ પ્રકાશે છે, માડુ અંધકાર વિલય પામે છે, મિટે તે માહ અધાર્. (૨) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હાતી નથી ને ચિત્રામણુ ચળતું નથી, તેમ સમ્યગ્દર્શન રત્ન જ્યારે -તેજે અવળહળે છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, - ધૂમ થાય ન રેખ’ અને ચારિત્રરૂપ ચિત્રામણુ ચળતું નથી. ચિત્રામણ નવિ ચળે ઢા લાલ. ’ (૩) રત્નદીપ ખીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, પાત્ર કરે નહિ હેઠ,' તેમ આ સમ્યગદર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતુ નથી, અર્થાત્ તેનુ પાત્ર અધેાગતિને પામતું નથી. (૪) રત્નદીપ તા કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગદર્શ ́ન રત્નનુ તેજ તા સૂર્યતેજથી છૂપાતું નથી. ( ૫ ) રત્નદીપનું 6 ચરણ 6 4 રત્નદીપક અતિ દીપતા હો લાલ’ ܕ Page #532 -------------------------------------------------------------------------- ________________ (૫૬) ગદષ્ટિસમુચય તેજ તે સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ “સર્વ તેજનું તેજ” એવું આ સમ્યગ્દર્શનરત્નનું તેજ તો અનુભવ પ્રયોગની બળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. (૬) રત્નદીપક જેમ પવનથી ઓલવાતું નથી અને ચંચલતા-અસ્થિરતા પામતે નથી, તેમ આ સમ્યગદર્શનરૂપ રત્નદીપ મહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતાઅસ્થિરતા પામતા નથી. “ઘર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાને અંત જે.” (જુઓ ફૂટનેટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણ-કૃશ થતો નથી, તેમ આ સમ્યગદર્શનરૂપ રત્નદીપ સદા રમણીય-સુંદર દેખાય છે, તથા પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હે લાલ’–પુષ્ટ ગુણે કરીને કદી પણ કુશ-ક્ષીણ થતો નથી, દૂબળો પડતો નથી, પણ આત્મધર્મની ઉત્તરોત્તર પુષ્ટિથી નિરંતર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા “દિશા” અર્થાત્ વાટ બળતી નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીવામાં પુદ્ગલરૂપ તેલ નાંખવું પડતું નથી, અર્થાત્ પરભાવનું આલંબન હોતું નથી, તથા શુદ્ધ આત્મદશા બળતી નથી, “જેહ ન શુદ્ધ દશા દહે છે લાલ,” અર્થાત્ શુદ્ધ આત્મભાવમાં સ્થિતિ રહે છે. રત્નદીપકના રૂપક પરથી ફલિત થત આ સર્વ ચમત્કારિક ભાવ કવિવર યશોવિજયજીએ પોતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છે – સાહેલાં તે કુંથ જિનેશ્વર
Page 323
દેવ! રત્નદીપક અતિ દીપત હે લાલ; સા, મુજ મનમદિરમાંહી, આવે જો અરિઅલ ઝીપતે હો લાલ.” ઈ. (જુઓ પૃ. ૬૯) તેમજ-રત્નના પ્રકાશની જેમ આ દષ્ટિને બોધ પણ (૧) અપ્રતિપાતી, (૨) પ્રવદ્ધમાન, (૩) નિરપાય, (૪) અન્યને અપરિતાપહેતુ, (૫) પરિતોષહેતુ, (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. (સ્પષ્ટીકરણ માટે જુઓ પૃ. ૬૯-૭૦). ઈત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દૃષ્ટિના દર્શનનું–બોધનું સમાનધર્મપણું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ તેમ તેમ તેમાંથી એર ને એર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્દભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સંક્ષેપમાં તેનું દિગ્દર્શન કર્યું છે. સ્વમતિથી વિશેષ વિચારવું. યોગનું પાંચમું અંગ-પ્રત્યાહાર વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારે રે.”—. સક્ઝાય, ૬-૪. યોગનું ચોથું અંગ પ્રાણાયામ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર (પ્રતિ + આહાર) એટલે ઇદ્રિનું વિષયોમાંથી પ્રત્યાહત થવું-પાછું ખેંચાવું તે. “વિષયને અસંગ્રેગ થતાં Page #533 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિઃ પ્રત્યાહાર-વિષયવિકારે ન ઇદ્રિય ડે” (૪૫૭ ) સ્વચિત્તસ્વરૂપને અનુકારી તે પ્રત્યાહાર છે.” અર્થાત્ ચક્ષુ આદિ ઇંદ્રિયને ગ્રાહ્ય એવા રૂપ આદિ વિષયને અસંપ્રયોગ થતાં, એટલે કે વિષય સાથે જોડાણ નહિં થતાં તેનું ગ્રહણાભિમુખપણું છોડી દીધાથી સ્વરૂપમાત્ર અવસ્થાન થાય. ઇંદ્રિયે પિતાના વિષયમાંથી પાછી ફરે, એટલે જેમ છે તેમ છાનીમાની બેસી જાય, અને એમ થાય એટલે અંત:સ્વરૂપનું અનુકરણ થાય, અર્થાત્ ચિત્તનિરોધ કરવા માટેની સામગ્રી સાંપડે. આનું નામ ચક્ષુ આદિ ઇન્દ્રિયને પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર કેવો છે? તે કે ઇન્દ્રિયોના વશીકરણરૂપ એક ફલવાળે છે. પ્રત્યાહારને અભ્યાસ થતાં, ઇંદ્રિયે એવી આયરઆધીન-તાબેદાર થઈ જાય છે, કે બાહ્ય વિષય પ્રત્યે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી. * ચેથી દૃષ્ટિમાં પ્રાણાયામ વડે કરીને બાહ્ય ભાવને રેચ દીધે, અંતર્ભાવ પૂરણ કર્યું, અને તેનું કુંભન-સ્થિરીકરણ કર્યું; આમ યોગમાર્ગે આગળ વધતા મુમુક્ષુ જેગીજનની વૃત્તિ બાહા ભાવમાં રમતી નથી, અને અન્તર્ ભાવમાં પરિણમે છે. એટલે હવે આ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં, આ ગાભ્યાસી મુમુક્ષુ જનની ઇંદ્રિયે પિતપતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી, અને તેના તેના વિષયમાંથી વ્યાવૃત્ત થઈ પાછી ખેંચાઈ આવે છેપ્રત્યાહત થાય છે, અને અંત:વ્યાપારમાં વ્યાપૃત-પ્રવૃત્ત થઈ ચિત્તનિધિમાં ખપ લાગે છે, અને ચિત્તસ્વરૂપનું અનુકરણ કરે છે. જે ઇદ્રિ પૂવે હરાયા ઠેરની જેમ છૂટી ફરતી હતી ને રઘવાઈ થઈને સ્વચ્છેદ વિચરતી હતી, તે હવે નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પોતાના ચિત્ત-ઘરના ખીલે બંધાય છે. વિષયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવારૂપ બહિ“વિષય વિકારે મુખ વૃત્તિ છોડી દઈ, તે હવે ડાહીડમરી બની અંતર્ અભિમુખ થાય છે. ન ઇકિય જોડે એટલે જેની આંખે બાહ્ય રૂપને દેખતી હતી તે યોગી હવે ભાવથી અંતઃ સ્વરૂપને દેખે છે. જેના કાન બાહ્ય શબ્દો સુણતા હતા તે હવે અંતઃનાદ સાંભળે છે. જેનું નાક બાહ્ય સુગંધથી ભાતું હતું, તે હવે ભાવ-સૌરભથી સંતોષાય છે. જેની રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંત:ચૈતન્યરસના પાનથી પ્રસન્ન થાય છે. જેને સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતું, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઇંદ્રિયની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આત્યંતર વૃત્તિ વસે છે, કારણ કે પાંચે ઇતિરૂપ તોફાની ઘેડાની લગામ હવે જાગ્રત આત્માના * “વિષયાસકયોરન્નાહાનુત્તિ વિદ્યા પ્રત્યાહારઃ પીવાળામેતારતાઢ .” શ્રી યશા કૃત દ્વાઢા, ૨૪-૨, "स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः। તતઃ પમા વરસેન્દ્રિયાળા ” –શ્રી પાતંજલ ય, સે. ૨-૫૪-૫૫. Page #534 -------------------------------------------------------------------------- ________________ (૪૫૮) યોગદષ્ટિસમુરચય એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ
Page 324
ચૈતન્યરસને અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિય એવી તે વશ થઈ જાય છે, એવી તે ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયોમાં રસ પડતો નથી, ને તે પ્રત્યે પરાણે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી ! એવું તે તેને આ ચિત્ત-ઘર ગોઠી જાય છે! એટલે આ ચૈતન્ય અમૃતરસનો આસ્વાદ છેડીને ભેગી તે બાકસબુકસ રૂપ પુદ્ગલભેગને ઇચ્છતે નથી !-આમ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગૃષ્ટિ ગીપુરુષનું દર્શન અવસ્ય પ્રત્યાહારવાળું જ હોય છે, કારણ કે પ્રત્યાહાર–ખરેખર અંતરંગ વિષયવૈરાગ્ય ન હોય તે સમ્યગદષ્ટિપણું પણ ઘટે નહિ, માટે સમ્યગદષ્ટિ પુરુષને વિષયે પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય, પરમ વૈરાગ્ય જ વર્તે ભ્રાંતિ દેષ ત્યાગ બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ચેાથે ઉત્થાન નામને ચિત્તદોષ જેથી દષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે બ્રાંતિ નામને પાંચમે દેષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હોય છે, ચિત્તને એવો અખંડ એકધારે શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હોય છે કે મેક્ષસાધક યુગમાર્ગ–ક્રિયામાંથી ચિત્ત ઊઠતું નથી. અને જે ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિં, તે તેની બ્રાંતિ પણ કેમ થાય? તે આડુંઅવળું કેમ ભમે? એટલે અત્રે ચિત્ત અબ્રાંત હોય છે સ્થિર હોય છે. (૨) અથવા પ્રસ્તુત ગક્રિયાને છોડી ચિત્તનું ચારેકેર ભ્રમણ-બ્રામક વૃત્તિ તે બ્રાંતિ. પણ અત્રે તો શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વરે છે, એટલે તેવી બ્રાંતિ હોતી નથી, અભ્રાંતિ જ હોય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણું થવી, તત્ત્વને અતત્વ માનવારૂપ વિપર્યાસ થવો તે ભ્રાંતિ. પણ અત્રે તે તત્વના યથાર્થ નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ બ્રાંતિ હોતી નથી, અબ્રાંતિ જ વર્તે છે (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ કિયાથકી પણ અર્થવિધી એવું અકાજ થાય, ઈષ્ટફલરૂપ પરમાર્થ કાર્ય ન થાય (જુઓ પૃ. ૮૬) આ પણ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યમ્ ઉપયોગવંતપણને લીધે જાગ્રતિવાળા સમ્યગદષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પણ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયોગવંતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અબ્રાંત હોય છે-સ્થિર હોય છે. એટલે સમ્યગદષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અબ્રાંત હોય છે, અર્થાત્ યક્ત ક્રમને બરાબર સાચવીને તે તે ક્રિયા બ્રાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્વક પરમ શાંતિથી, તાવિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયોગથી કરે છે. જેમ કે Page #535 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : ભ્રાંતિ દોષત્યાગ, સૂક્ષ્મ બેષ ગુણુપ્રાપ્તિ -- શુદ્ધાશય થિર પ્રભુ ઉપયેગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનતું પામે, પરમ અમૃતરસ ધામજી. શીતલ॰ ”—શ્રી દેવચ'દ્રજી. તે વંદનાદિ કરે છે તેા સ્થાન, કાળ ને ક્રમ ખરાખર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થ માં ઉપયાગ રાખે છે, બીજાને સ`માહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે; અને તે વંદનાદિ કરતાં તેના ભાવ-શમાંચ શુદ્દાશય થિર ઉલ્લસે છે, શુભાશય વધ`માન થાય છે, ને પ્રણામાદિની સંશુદ્ધિ ખરાખર પ્રભુ ઉપચાગે' જળવાય છે. આમ તેની વંદનાદિ ક્રિયા નિરતિચારપણાને લીધે અનઃ– નિર્દેષિ—નિષ્પાપ હોય છે. (જુએ પૃ. ૨૧૯-૨૨૦) તેમજ આ વંદનપ્રતિક્રમણાદિ ક્રિયા સૂક્ષ્મ ધથી સંયુક્ત એવી હેાય છે. સમ્યગ્દષ્ટિ પુરુષ જે કાઈ ક્રિયા કરે છે, તે તેની તાત્ત્વિક સમજણપૂર્વક સમ્યપણે કરે છે; કારણ કે તેને તત્ત્વનું સમ્યક્ સવેદન હાય છે, એટલે તેને અનુસરીને સ* ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સંત્ર અત્યંત ઔદ્ભુકયરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સભ્યષ્ટિનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધ હાય છે. દાખલા તરીકે–સમ્યગ્દષ્ટિ પ્રભુભક્તિ કરે
Page 325
છે તે તાત્ત્વિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે મ્હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મ્હારા આત્માનું સ્વરૂપ છે. એટલે મ્હારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિચ્છંદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હાઇ, મ્હારે તેનું પરમ પ્રખળ અવãંખન લેવા ચેાગ્ય છે. k (૪૫૯) “પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમો જિન સ્વભાવ તા, આત્મભાનના ગુજ્ય.”—શ્રીમદ્ રાજચદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ “મારી શુદ્ધ સત્તા તણી પૂતા, તે તણેા હેતુ પ્રભુ તુંહી સાચા; દેવચંદ્રે સ્તબ્યા મુનિગણે અનુભવ્યો, તત્ત્વભક્ત ભવિક સકલ રાચા.”-શ્રી દેવચ’દ્રજી સૂક્ષ્મ બેધ ગુણની માસિ અત્રે એય નામને પાંચમે ગુણુ પ્રગટે છે, કારણ કે ચેાથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણના ગુણુ પ્રગટયો, એટલે તેના લરિપાકરૂપે આ પાંચમી ષ્ટિમાં બેષ ગુણુ સ્વાભાવિક ક્રમે પ્રગટવા જોઇએ. અને તે બેષ પણ અત્રે સૂક્ષ્મતાવાળા હેાય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેધસવેદ્યપદની પ્રાપ્તિ હેાય છે અને આ વેવસવેલપદમાં જ સૂક્ષ્મબાધ ઘટે છે, એમ આગળ ચેાથી દૃષ્ટિના વૈદ્યસવેદ્યપદઅધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂકયુ' છે, તેપણુ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઇએ, તેા તેનુ લક્ષણ આ પ્રમાણે કહ્યું. હતું:—સમ્યક્ હેતુ સ્વરૂપ ને ફુલના ભેદે કરીને વિદ્વત્ Page #536 -------------------------------------------------------------------------- ________________ (૪૬૦) યોગદષ્ટિસમુચય સમાજમાં જે વેદ્યસંવેદ્યપદ થકી તત્વનો નિર્ણય થાય, પરમાર્થ પરિચ્છેદ કરાય, તે સૂક્ષ્મ બોધ' કહેવાય છે. અને ભવસમુદ્રમાંથી પાર ઉતારવામાં આ બેધનું કુશલપણું છે એ જ એનું સૂકમપણું છે અથવા કર્મ વજાન વિભેદ કરવામાં એનું તીક્ષણપણું છે એ જ એનું સૂફમપણું છે; અથવા અનંત ધર્માત્મક સમગ્ર વસ્તુતત્ત્વનું વ્યાપકપણે નિપુણ માન્યપણું એ જ એનું સૂક્ષ્મપણું છે. આમ અનેક પ્રકારે આ બેધનું સૂકમપણું ઘટે છે. (જુઓ . ૬૫-૬૬, વિવેચન પૃ. ૨૬૧-૨૬૬) અત્રે વેધસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે. અર્થાત જ્યાં વેદ્ય-સંવેદનીય વસ્તુ વસ્તુ સ્થિતિ પ્રમાણે સંવેદાય છે તે વેધસંવેદ્યપદ છે. એટલે સ્ત્રી આદિ પદાર્થ જે અપાય આદિના કારણરૂપ છે, તે તેના યથાર્થ સ્વરૂપમાં અત્રે આગમથી વિશુદ્ધ શુદ્ધાતમ એવી તથા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સંવેદાય છે. અર્થાત્ સ્ત્રી આદિ અનુભવ સદા પદાર્થ ભવહેતુ છે, માટે હેય જ છે, ત્યાજ્ય જ છે, એવી નિશ્ચયબુદ્ધિ પ્રતીતિ–સમજણ–છાપ આત્માને વિષે ઉપજે છે. (જુઓ–લૈ. ૭૦૭૫, વિવેચન પૃ. ર૭૨–૨૯૧) તથા જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ લક્ષણવાળે એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી આત્મા જ માત્ર આદેય છે–ગ્રહણ કરવા ગ્ય છે, બાકી બીજું બધું ય હેય છે–ત્યજવા યોગ્ય છે, એ અખંડ નિશ્ચય આત્મામાં પ્રગટે છે. શુદ્ધ આત્માને જે અનુભવ છે તે સ્વસમયને વિલાસ છે, અને જ્યાં પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિતિરૂપ પરભાવની છાંયડી પડે છે, તે પરસમય નિવાસ છે, એમ વતુગતે વસ્તુ અત્રે પ્રકાશે છે. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે પરવડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે— ધરમ પરમ અરનાથને.”—શ્રી આનંદઘનજી. મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી આત્મા ભિન્ન છે, સદા ઉપયોગવંત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેની સમ્યફ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સંવેદન થાય છે. આવું જે સહજ આત્મસ્વરૂપપદ સમજ્યા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુઃખ પામ્યો હતો, તે આત્મસ્વરૂપ “પદ' શ્રી સદ્દગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગોચર થાય છે, સ્વસંવેદનથી પ્રત્યક્ષ જણાય છે, અને તે જ વેધસંવેદ્યપદ છે. સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહિ લ, દૂર થયું અજ્ઞાન.”– શ્રીમદ્ રાજચંદ્રજીપત શ્રી આત્મસિદ્ધિ અને આ જે આત્મસ્વરૂપ અનુભવ પદ અથવા વેધસંવેદ્ય પદ છે તે જ ' શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે “પદ” છે, કારણ કે જ્યાં
Page 326
સ્થિરપણે પદ માંડી શકાય Page #537 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : બાલધૂલિગૃહકીડા સમી સર્વ ભવચેષ્ટા (૪૬૧) એવું સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે હોય તેને જ “પદ' નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વેધસંવેદ્ય પદ સ્વભાવભૂત હોઈ તેવું સમ્યફ સ્થિતિવાળું છે, એટલે તેને જ “પદ” નામ બરાબર ઘટે છે. (જુઓ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧). આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વેવસંવેદ્ય પદ ગ્રંથિભેદથી આ સ્થિર દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષમ બોધની સંપ્રાપ્તિ હોય છે. અને એવા સૂકમબેધસંપન્ન સમ્યગદષ્ટિ પુરુષના આવા સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે-આમ નિર્મલ સમ્યગદર્શનના પ્રતાપે કરીને જેણે હારું પશુરૂપપણું ટાળીને દેવરૂપપણું કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે ભગવાન વીરને અમાપ ઉપકાર હું કદી વિસરું નહિ, રાત દિવસ સંભારું છું. એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિન રાત રે; પશુ ટાળી સરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.”–શ્રી . દ. સઝાય. પ-૨. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂતિ સભ્ય દર્શનને નમસ્કાર.” શ્રીમદ્ રાજચંદ્રજી. बालधूलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥ બાલ ધૂલિગ્રહ રમત શી, ભવચેષ્ટા જ સમરત; તમેચંથિભેદે દીસે, બુદ્ધિમંતને અત્ર. ૧૫૫ અર્થ—આ દષ્ટિમાં તમોગ્રંથિના વિભેદને લીધે બુદ્ધિમતોને અખિલ જ ભવચેષ્ટા બાલકની ધૂલિગ્રહકીડા તુલ્ય ભાસે છે. વિવેચન બાલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે; ત્રદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે......તે ગુણ વીર.” –શ્રી જે. દ. સક્ઝાય. ૫-૩ વૃત્તિસાધૂરી વૃક્રીeતુચા-બાલકની ધૂલિગ્રહક્રીડા સરખી-પ્રકૃતિઅસુંદરપણાથી ને અસ્થિરપણથી, અ–આમાં, આ સ્થિરા દૃષ્ટિમાં, મારિ-ભાસે છે, ધીમતાં-ધીમંત-બુદ્ધિમંત પુરુષોને, તમોબપિવિનતમોગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મવઝાવિકૈવ હિ-અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયે-ચક્રવતી આદિ ચેષ્ટારૂપ પણ પ્રકૃતિઅસુંદરપણુથી ને અસ્થિરપણુથી. Page #538 -------------------------------------------------------------------------- ________________ (૪૬૨) ચેાગદષ્ટિસસુય આ દૃષ્ટિમાં વત્તતા ચેાગીને તમાગ્રંથિના વિભેદ થયા હૈાય છે, એટલે તેને સમસ્ત સ'સારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ ક્રીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદરપણાથી ને અસ્થિરપણાથી તે બન્નેનું સમાનપણું છે. ખાલક ધૂળના કૂમા ( ઘર ) બનાવવાની રમત રમે છે. તે કૂમા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હેાય છે. તેમ સર્વ ભવચેષ્ટા આ સ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીણું વિશી થઈ જાય એવી ક્ષણભ'ગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવત્તી આદિની ઋદ્ધિ કે જે સૉંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્ત્વથી જોતાં વિષમિશ્રિત અન્ન જેવી અસુ ંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં મળવાન્ થઈને ‘ ભારી ભૂપ’ ઉપજ્યા હતા, એ ચતુર ચક્રી ચાલિયા હાતા ન હોતા હોઇને,' હાથ ખ'ખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગમાં એટલા બધા ચક્રવત્તી થઇ ગયા છે, કે જ્યારે કોઇ નવા ચક્રવત્તી' થાય છે, ત્યારે કિકિણીરત્નથી ૠષભકૂટ પર્વત પર પેાતાનું નામ ઉત્કી કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાંખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઇ ગયા છે, ને આ પૃથ્વી કેાઈ સાથે ગઇ નથી કે જવાની નથી. આમ આ જગત્ની સર્વોચ્ચ પદવીની પણું આ દશા છે, તેા પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાએ ની શી વાત કરવી ? (જુએ પૃ. ૨૪-૨૫૦ ). બાલધૂલિ ઘર ક્રિયા સમી આમ બાલકના કુબા જેમ સાવ તકલાદી નેે ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સ` સંસારને ખેલ
Page 327
પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હતેા ન હતા થઈ જાય છે. આ સહસારમાં જ્યાં જુએ ત્યાં સČત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તેા ખાલકના સૂબાની જેમ ખાલજીવાને જ રુચે છે,-ગમે છે, પણ તેવી ખાલકની રમત રમવી જેમ મેાટા માણસને ન રુચેન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગૃહક્રીડા પણુ પંડિત જનને-જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું–આનંદ માનવા તે લજ્જાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ ભવચેષ્ટા તેને ખાલધૂલિગૃહક્રીડા જેવી લાગે છે, તેનુ કારણ તેને તમેાગ્રંથિના વિભેદ થયા છે, તે છે. આ તમાગ્રંથિના વિશ્વેદથી તેને વેધસ વેધપદરૂપ સમ્યગ્દર્શન પ્રગટયું છે, તેથી તેને સંસારનું યથા` દુઃખદ સ્વરૂપ સવેદાય છે, માટે આ ગ્રંથિભેદ તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગ્દર્શનનું સ્વરૂપ સ ંક્ષેપમાં જાણવું અત્ર પ્રસ`ગથી પ્રાપ્ત થાય છેઃ— ગ્રંથિભેદ આ પાંચમી સ્થિરા દૃષ્ટિને પામેલા સભ્યષ્ટિ પુરુષને તમેથિને એટલે Page #539 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાઇટિ: ગથિભેદ દશમેહઉપશમ-સમ્યગદર્શન (૪૬૩) અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિને વિભેદ થયો હોય છે, અજ્ઞાનમય મોહાંધકારને પડદે ચીરાઈ ગયો છે. આ અજ્ઞાન ખરેખર ! તમસરૂપ-અંધકારરૂપ જ હોય છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતું નથી. આ અધિકાર સમું અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીધ્ર નાશી જાય છે–એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દી પટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિને મેહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તત્ક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ ગીને દેખાય છે. આમ આ યેગી સમ્યગદર્શની, સમ્યગદષ્ટિ જ્ઞાની હોય છે. “કમભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાસ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.”—શ્રી આત્મસિદ્ધિ આ તમોગ્રંથિ જીવન કર્મ જનિત ઘન-ગાઢ રાગદ્વેષ પરિણામ છે; અને તે વાંસની કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવો અત્યંત દુધ છે. એટલા માટે જ એને “ગ્રંથિ'–ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી (Complex) પર્વત જેવી મહાબલવાન તમગ્રંથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની ફુરણાથી અપૂર્વકરણરૂપ તીક્ષણ ભાવવાવડે ભેદાઈ જાય છે. એટલે પછી સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવર્સે નહિ એવા અનિવૃત્તિકરણવડે કરીને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી વસ્તુનું યથાર્થસમ્યફ સ્વરૂપ દેખાય છે. ( વિશેષ માટે જુઓ-પૃ. ૩૯ અને ૪૬-૪૭). સમ્યગદર્શન છે હાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ સાંભળે જિનનો રે! એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત...મૂળ” –શ્રીમદ્ રાજચંદ્રજી. આમ ઉક્ત ગ્રંથિભેદના ફલ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યકત્વ અથવા સમ્યગદર્શન આત્માનો ગુણ છે, અને તે નિર્વિકલ્પ છે. આ સૂક્ષમ ગુણ કેવલજ્ઞાનગોચર છે તથા પરમાવષિ અને મન:પર્યય જ્ઞાનનો વિષય છે, મતિજ્ઞાનનો કે તજ્ઞાનને કે દેશાવધિને વિષ્ય નથી. એટલે આ ગુણ પ્રગટહ્યો છે કે નહિ તે તેવા Page #540 -------------------------------------------------------------------------- ________________ (૪૬૪) ગદષ્ટિસમુચ્ચય વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શનમોહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડ્યો છે –કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દૈવયોગે કાલાદિ લબ્ધિ સંપ્રાપ્ત થયે ભવસમુદ્રને છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી-જીવની યથાયોગ્યતાથી જીવ સમ્યકત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લબ્ધિ કારણભૂત છેઃ (૧) ક્ષાપશમિક લબ્ધિ-કના ક્ષપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્મોના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩)
Page 328
દેશના લબ્ધિ-સદ્દગુરુ આદિના ઉપદેશને ગ. (૪) પ્રાયોગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિઃ કમેની સ્થિતિ ઘટીને અંતરકટાકોટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમોહ લબ્ધિ-આત્મસામર્થ્યવિશેષ કે જેથી કરીને કર્મોની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લબ્ધિ ત્રણ પ્રકારની છે–અધ: કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે. આ કરણલબ્ધિ પછી અંતમુહૂર્તમાં દર્શન મેહના ઉપશમથી અવશ્ય સમ્યગદર્શન ઉપજે છે, અર્થાત્ દર્શનની મિથ્યા અવસ્થા સમ્યક્ અવસ્થારૂપ થાય છે. પણ જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી આ સમ્યગદર્શનને લાભ થતું નથી. કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-લોભરૂપ આ દુષ્ટ અનંતાનુબંધી કષાયચેકડી જ સમ્યકૃત્વને ઘાત કરનાર છે, અવરોધનાર છે તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દર્શનમોહને ઉદયમાં આણે છે, એટલા માટે એને “ અનંતાનુબંધી” એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સંસારનો અનુબંધ કરનાર આ મહા રૌદ્ર ને દારુણ પરિણામી અનંતાનુબંધી કષાય ટળે જ દર્શનમોહ ટળે છે, એટલા માટે અનંતાનુબંધીનું આ વ્યવહારૂ સ્વરૂપ સમજી આત્માથીએ તેને ટાળવાને પ્રત્યેક પ્રયત્ન કરે જોઈએ જે સંસાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી કોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગર, દેવ, ધર્મ પ્રત્યે અસતગુરુવાદિકના આગ્રહથી, માઠા બેધથી, આસાતનાએ. ઉપેક્ષાએ પ્રવતે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિરછેદ નહી થતી * “खयुवसम विसोही देसणा पाउग्ग करणलद्धिए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मत्ते॥" શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત શ્રી ગમ્મસાર, Page #541 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : સમ્યકત્વમાસિનો ઉપક્રમ, દશનામહ ઉપશમ (૪૬૫) હતાં છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંત ક્રોધ, માન, માયા, લોભને આકાર છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫, ૫૨૩. (૪૫૯, ૬૧૩) વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લધિ સમ્યકત્વ પ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key) છે. કારણ કે કમના ક્ષપશમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદ્ગુરુના ઉપદેશની પ્રાપ્તિન જોગ બને, તો પછી તેને અનુક્રમે સમ્યફત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તે જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા હોય નહિ. સંસાર પ્રત્યે ખેદ હોય અને અંતમાં દયા વ, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખર મિક્ષમાગને “જિજ્ઞાસુ” કહેવાય. આવા વિશુદ્ધિ પ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જે સદ્દગુરુનો બંધ થાય તે તે સમકિત પામે અને અંતરની શોધમાં વત્તે; એટલે પછી સદેવ-ગુરુ-ધર્મની સમ્યફ પ્રતીતિરૂપ વ્યવહાર સમકિત, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુબંધપણે ઉત્તરોત્તર વધતી જતી સમ્યકત્વની કક્ષાઓને તે સ્પશતે જાય. કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બેધ તે પામે સમકિતને, વત્તે અંતર્ શોધ. મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે સદ્ગુરુ લક્ષ લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. વ નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ્ધ વાસ.” શ્રી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે –(૧) આપ્ત પુરુષનાં વચનની પ્રતીતિરૂપ,
Page 329
આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિવિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમક્તિનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા ગ્ય છે, ભક્તિ કરવા ગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૮૯ (૭૫૧) Page #542 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ગદદિસપુર આ સર્વ પરથી ફલિત થાય છે કે સ્વચ્છેદનો ત્યાગ કરી શ્રી સદ્દગુરુના ચરણનું સમુખાસન કરતાં આત્માથી મુમુક્ષુ જીવને અનંતાનુબંધી દુષ્ટ કષાય-ચેકડી નષ્ટ થયે દનમેહને ઉપશમ થાય છે અને ત્યારે-જેમ સૂર્યકિરણોથી અંધકારને નાશ થયે દિશાઓ પ્રસન્નતા પામે છે અને ચોતરફ નિર્મલ થઈ જાય છે, તેમ સર્વ આત્મપ્રદેશમાં શુદ્ધપણું હોય છે, ચિત્તપ્રસન્નતા-નિર્મલતા ઉપજે છે, કે જેથી ત્રણ પ્રકારને બંધ થર થાય છે. અથવા જેમ કેઈએ મદિરા કે ધતૂરે પીધે હોય તેને મૂછ આવે છે, પણ થોડા વખત પછી તેને નશો ઉતરી જતાં તે મૂચ્છરહિત નીરોગી થઈ જાય છે, તેમ દર્શન મેહના ઉદયથી જીવને મૂછ ઉપજે છે, વૈચિત્ય હેય છે-ચિત્તનું ઠેકાણું હતું નથી, બેભાનપણું હોય છે, તથા ભ્રમ હોય છે, પણ તે દર્શનમોહ શાંત થયે મૂછને નાશ થતાં જીવ નીરોગી બને છે. “દર્શન મેહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે....(અપૂર્વ અવસર.)”—શ્રીમદ્ રાજચંદ્રજી. તે સમ્યગ્દર્શનનું લક્ષણ શું? શ્રદ્ધાનાદિ* ગુણ સમ્યગદષ્ટિનું બાહ્ય લક્ષણ છે. તે શ્રદ્ધાનાદિ જ સમ્યક્ત્વરૂપ નથી, પણ જ્ઞાનના પર્યાય છે. વળી આત્માનુભૂતિ આત્માનુભવ પણ જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનનો પર્યાય છે. માટે તે શ્રદ્ધાન નાનાદિ પણ સમ્યકત્વનું લક્ષણ નથી. અર્થાત જ્ઞાન છે તે સમ્યકત્વ નથી અને બાહ્ય લક્ષણ જે છે એમ કહે છે તે બાહ્ય લક્ષણ કહી શકાય. કારણ કે જેમ નીરોગતા દુર્લક્ષ્ય છે, પણ મન-વચન-કાયાના ઉત્સાહાદિક ગુણરૂપ સ્થૂલ લક્ષણેથી જાણી શકાય છે, તેમ સમ્યગ્ગદર્શન દુર્લક્ષ્ય છે, પણ તસ્વાર્થી શ્રદ્ધાન, આત્માનુભૂતિ આદિ બાહ્ય લક્ષણથી લક્ષિત થાય છે, જાણી શકાય છે. નિર્વિકલ્પ વસ્તુ કહી શકાય એમ નહિં હોવાથી તેને ઉલ્લેખ જ્ઞાન દ્વારા કરાય છે, કારણ કે જ્ઞાન જ એક એ ગુણ છે કે જે સવિકલ્પ-સાકાર હોઈ દીપકની જેમ સ્વ-પરનો ગ્રાહક છે, સ્વપરને આવેદક છે, સ્વ-પરને નિશ્ચાયક-નિશ્ચય કરાવનાર છે. બીજા બધા ગુણ નિર્વિકલ્પ હાઈ સ્વ-પર અવેદક છે. એટલે સમ્યકત્વ પણ નિર્વિકલ્પ-નિરાકાર હેઈ વસ્તુતઃ વચનને અગોચર એ સૂક્ષમ ગુણ છે. તેથી વિધિ-કમે કઈથી કહી કે સાંભળી શકાય તેમ નથી, માટે આત્માની સાધનાદિ વિધિમાં જ્ઞાન જ એક પ્રસિદ્ધ છે, અને તે સ્વાનુ x “तत्रोल्लेखस्तमोनाशे तमोऽरेरिव रश्मिभिः। दिशः प्रसत्तिमासेदुः सर्वतो विमलाशया:॥ हङ्मोहोपशमे सम्यग्दृष्टेरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधा बन्धापहारि यत् ॥" (આધાર માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી (3) કૃત શ્રી પંચાધ્યાયી. * "श्रद्धानादि गुणा बाह्य लक्ष्म सम्यग्हगात्मनः । તતિ લૈંતિ જ્ઞાનાથ પંચા: ”–શ્રી પંચાધ્યાયી, Page #543 -------------------------------------------------------------------------- ________________ સ્થિરષ્ટિ : આત્માનુભૂતિ શ્રદ્ધા અને સભ્યની વ્યાપ્તિ (૪૬૭) ભૂતિના એક હેતુ હોઈ તે જ પરમ પદ છે-પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુણાના લક્ષ્ય કરાવનાર છે. નિરાક઼ાર અલેક સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે; દન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારે રે....વાસુપૂજ્ય ”—શ્રી આનદઘનજી અને જે આત્માનુભૂતિ-આત્માનુભવ છે તે આત્માના જ્ઞાનિવશેષ છે. આ માત્માનુ ભૂતિના સમ્યક્ત્વની સાથે અન્વય-વ્યતિરેથી અવિનાભાવી સંબધ છે, એક ખીજા વિના ન ચાલે એવા સંબધ છે. અર્થાત્ સમ્યક્ત્વ હોય તે। આત્માનુભૂતિ આત્માનુભૂતિ હોય, આત્માનુભૂતિ હાય ।
Page 330
સમ્યક્ત્વ હોય; સમ્યક્ત્વ ન હેાય તે અને સમ્યક આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂતિ ન ઢાય તે સમ્યક્ત્વ ન હોય. ત્વની વ્યાસિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યક્ત્વ તે સ્વાનુભૂતિ છે,તે સ્વાનુભૂતિ જે શુદ્ધ નયાત્મક કેમ તે. અર્થાત શુદ્ધ આત્માના અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમ્મ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યક્ત્વનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે. 66 વળી સમ્યક્શ્રદ્ધાન આદિ ગુણ પણુ સમ્યગ્દર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ:—‘ સત્ત્વાર્થશ્રદ્ધાનું સૂચવીન’-તત્ત્વાર્થં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શોન છે એવું લક્ષણુ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાસ્નાય તત્ત્વાર્થં ગોચર શ્રદ્ધાતના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે—(૧) શ્રદ્દા-તત્ત્વા અભિમુખી મ્રુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા રુચિ-સાત્મ્ય, આત્મભાવ, (૩) પ્રતીતિ તથા ’ તદ્ઘત્તિ ' પ્રેમ સમ્યક્ત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણુ-તેને અનુકૂલ આચરણ-ક્રિયા. આમ ઉત્તરેશત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનતા જ પર્યાય છે; અને આચરણુ મન-વચન-કાયાને શુભ કર્મમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત-છૂટા છૂટા સમ્યગ્દ ́નના લક્ષણુ હાય કે ન પણ હાય, તે સમ્યક્ત્વ સાથે પણ હાય ને મિથ્યાત્વ સાથે પણ હાય, અથવા આ શ્રદ્ધા િસાથે સમ્યગ્દર્શન હેાય કે ન પણ હેાય, એટલે આ શ્રદ્ધાદિ પોતે કાંઈ સમ્યગ્દર્શનના લક્ષણ નથી, પણ જો તે સ્વાનુભૂતિ સહિત હોય તા જ ગુણુ છે-સમ્યગ્દર્શનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણા જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તે। સમ્યક્ત્વ છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યક્ત્વ નથી. તાત્પ કે શ્રદ્ધા આદિ હાય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હોય, તેા સમ્યક્ત્વ નથી; શ્રદ્ધા આદિ હાય અને શુદ્ધ આત્માનુ ભૂતિ હોય તેા સમ્યક્ત્વ છે. આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે—સમ્યક્ અને મિથ્યા. ( ૧ )માત્માનુભૂતિ સહિત હાય તે સમ્યક્ શ્રદ્ધાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધા કહેવા યાગ્ય છે. (૨) આત્માનુ Page #544 -------------------------------------------------------------------------- ________________ (૪૬૮) યોગદષ્ટિસમુચ્ચય ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્ધાદિ છે, અર્થાત તે શ્રદ્ધાદિ નથી– શ્રદ્ધા-આત્મા- આમ ભેદ પાડવાનું કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ નુભૂતિ વ્યાપ્તિ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેને અનુભવ નથી થયે એવા અનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવિષાણ જેવી–ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત નહિં અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા કૃતમાત્રથી-શાસ્ત્રમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી તાત્પર્ય કે ત્યાં ખરેખરી નિશ્ચયામક શ્રદ્ધા છે ત્યાં આત્માનભવ છે અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સંબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યકત્વનું લક્ષણ કહેવાની યૌગિકી રૂઢિ પડી છે. તેમાં પણ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજ. અને આ જ “તાર્યશ્રદ્ધાનં વચનં –“તત્વાર્થનું શ્રદ્ધાન એ સમ્યગ્રદર્શન છે” એ મહાસૂવનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ–આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તત્વ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા જ નથી. આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગદર્શન હોય નહિ, અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હોય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સમ્યક શ્રદ્ધા જ સમ્યગદર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી * –ભૂતાઈથી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કર્યું છે-કે- “ભૂતાર્થથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.'
Page 331
“જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર નિજેરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ. જીવ, અજીવ વિષે તે ન તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “કારણ જગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભુ, ”-શ્રી આનંદઘનજી. આમાં (૧) જીવ તત્વ ઉપાદેય છે-ગ્રહણ કરવા ગ્ય છે, (૨-૩-૪) અછવ * “વવોડમૂલ્યો મૂલ્યો સિવો ટુ યુદ્ધનો ! મૂત્વમસિવો સ્વહુ સાદ્દી હવા જીવો –શ્રી સમયસાર, + “મૂલ્યમિકા નીવાળીવા પુછાપાવું જો વિક્ષેતળિવંધો જોવો સત્ત | »–શ્રી સમયસાર, Page #545 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ નવતત્વ વિવેકથી ભેદજ્ઞાન (૪૬૯) અને તેના અંગભૂત પુણ્ય-પાપ હેય છે-ત્યાગ કરવા યોગ્ય છે. (પ-૬) હેય એવા અજીવ તત્વને ઉપાદાનહેતુ આસવ છે, અને તેને આદાનરૂપ-ગ્રહણરૂપ બંધ નવતત્વ વિવેકથી છે, એટલે એ બને ય હેય-ત્યજવા યોગ્ય છે. (૭-૮-૯) સંવર અને ભેદજ્ઞાન નિર્જરા એ હેય એવા અજીવ તત્ત્વના હાનના-ક્ષીણપણાના હેતુ છે, અને તે હેયના પ્રહાણરૂપ-આત્યંતિક ક્ષીણતારૂપ જીવને મોક્ષ છે, એટલે આ ત્રણેય તત્વ ઉપાદેય છે.આ હે પાદેય વિવેક સમ્યગદષ્ટિ પુરુષ કરે છે (જુઓ - શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્વાર્થસાર). આમ ભૂતાર્થથી–પરમાર્થથી દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવી પ્રત્યગ જ્યોતિ પ્રકાશે છે કે જે “અનેક વર્ણમાળામાં સુવર્ણ સૂત્રની જેમ નવતત્વગત છતાં એકત્વ છોડતી નથી !” આ ભિન્ન જ્યોતિરૂપ શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન ઉપજવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ પ્રગટવી તે સમ્યગદર્શન છે, સમ્યક્ત્વ અથવા સમતિ છે. (જુઓ પૃ. ૪૦) "उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्र । किमपरमभिध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અલખ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ વીર.”—શ્રી આનંદઘનજી આવા આત્માનુભવરૂપ સમ્યગ્દર્શનના બીજા બાહ્ય લિંગ-પ્રગટ ચિહ્નો પણ છે; અને તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્ય એ પાંચ છે (જુઓ–પૃ. ૪૧-૪૨). આ પ્રશમાદિ ગુણ પણ બહિર્ દષ્ટિથી સમ્યગદર્શનના લક્ષણ છે; આત્માપ્રશમાદિ નુભૂતિ અથવા સમ્યક્ત્વ સાથે જે તે હોય તો તે ગુણ છે, નહિં તે બાહ્ય લક્ષણ ગુણભાસ છે. અર્થાત્ આત્માનુભૂતિ ન હોય તે પ્રશમાદિ સમ્યગ | દર્શનના લક્ષણ નથી. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે : (૧) પ્રશમવિષય કષાયમાં શિથિલ મન તે, અર્થાત્ વિષયકષાયનું ઉપશાંતપણું તે પ્રશમ છે. અથવા કૃતાપરાધી જીવો પ્રત્યે તેને બાધા ઉપજાવવાની બુદ્ધિ ન થવી, ક્રોધનું ઉપશમન કરી ક્ષમા ધરવી તે પ્રશમ છે. (૨) સંવેગ-(ક) આત્મધર્મમાં અને ધમફલમાં પરમ ઉત્સાહ, (૧) સાધમિકમાં અનુરાગ, (૪) પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રીતિ, તે સંવેગ છે. જેમકે–() સમ્યક્ત્વમાત્ર આત્મા એ જ ધર્મ છે, અથવા શુદ્ધ આત્માનો અનુભવ તે જ ધર્મ છે, અને તેનું ફળ Page #546 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ગદરિસરુષ્ણય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું એક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મોક્ષ પ્રત્યે સંવેગ (સં + વેગ)-અત્યંત વેગ ધરે, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવવો, પરમ ઉછરંગ ધરાવે તે સંવેગ છે. (૨) આવા આત્મધર્મને સાધનારા-આરાધનારા જે સાધમિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હવે તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મકલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે.
Page 332
(૨) અથવા આવા આત્મધર્મને ને તેને ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પરા પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે પરમ પ્રીતિ હોવી, પરમ ભક્તિ હોવી તે સંવેગ છે. અર્થાત્ સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના-ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આત્મધર્મના કલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર એક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષને ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિવેદ* છે, એમ પરમ તત્ત્વદષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંગ તે જ ધર્મ છે, કારણ કે મેક્ષ સિવાય બીજા અભિલાષયુક્તઈચ્છાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને ક્રિયા માત્ર છે તે ધર્મ નથી, મિથ્યાદષ્ટિ પણ કિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદૂભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાદષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હોય છે. (જુઓ પૃ. ૨૭૭). "संवेग : परमोसाहो धौ धर्मफले चितः । सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्ठिषु ॥ धर्मः सम्यक्त्रमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा । તર# સુરમચક્ષમાર્ચ ક્ષાવિ ૨ ચ7 .” – શ્રી પંચાધ્યાયી. (૩) નિર્વેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામવો તે. (૪) અનુકંપા–એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મૈિત્રીભાવ, અથવા માધ્યરચ્ય, અથવા વૈરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણી પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે. * “સાળ: સર્વામિા ચ નિરો હકારાથા | स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥" (ઈત્યાદિ આધાર માટે જુઓ)-પંચાધ્યાયી, Page #547 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ પ્રશમાદિ સમ્યફ લક્ષણ (૪૭) રાગાદિ અશુદ્ધ ભાના સદૂભાવે બંધ થાય છે, તેના અસદુભાવે બંધ નથી થતો, એમ જાણે રાગાદિ ત્યજી આત્મા ને બંધાય એમ કરવું તે સ્વાનુકંપા–પિતાના આત્માની દયા છે. (૫) આતિક્ય–સ્વત:સિદ્ધ એવા તત્વના સર્ભાવમાં–હોવાપણામાં, ધર્મમાં, ધર્મના હેતુમાં અને ધર્મના ફળમાં,-આત્મા આદિને જે ધર્મ છે તે યથાવત્ વિનિશ્ચય કરે તે આસ્તિક્ય છે. આ આસ્તિકય જે આત્માનુભૂતિ સહિત હોય તે જ સમ્યફવા છે, નહિં તે મિથ્યા આસ્તિક્ય છે. “આત્મા છે તે નિત્ય છે, છે કત્તા નિજ કર્મ છે ભોક્તા વળી મિક્ષ છે, મિક્ષ ઉપાય સુધમ.”—શ્રી આત્મસિદ્ધિ કૈધાદિક કાનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ ! અરે જીવ! હવે થેભ, એ નિર્વેદ. મહાગ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવાં મેગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા એગ્ય છે, અનુભવવાં યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રક ૧૨૨. (૧૩૫) આવા આ પ્રશમાદિ ગુણ પણ જે આત્માનુભૂતિ-આત્માનુભવ સહિત હોય તો સમ્યગદર્શનના બાહ્ય લક્ષણ છે, આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્દર્શનના લક્ષણ નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશામાદિ ગુણ ભવનુંજ મુખ્યપણું છે. તથાપિ આ પ્રશમાદિ ગુણ સમ્યગદર્શનની આવશ્યક પ્રાપ્તિમાં કારણરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રામાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતાપાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેક્ષ
Page 333
સિવાય બીજો અભિલાષ ન હોય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્ત, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પિતાના આત્મા પ્રત્યે અનુકંપા ભાવ હોય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલે જીવ સદ્ગુરુના ઉપદેશને પાત્ર બને છે, અને તે ઉપદેશ બેધથી સવિચારણની કુરણ થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મોક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે–આસ્તિક્ય ઉપજે છે, અને આત્માનુભૂતિ-આત્મજ્ઞાન પ્રગટી સમ્યગદર્શન સાંપડે છે, અને તેથી મેહ ક્ષય થઈ નિર્વાણપદ પામે છે. માર્ગ પ્રાપ્તિને આ સકલ અવિકલ ક્રમ મહાસમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં આ અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્ય છે – Page #548 -------------------------------------------------------------------------- ________________ (૪૭૨) યોગદષ્ટિસમુચ્ચય કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ. જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ–ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તે સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજાપર્યત હાડોહાડ વ્યાપ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવિરાગ્યમાં જ જે જીવ અટકી પડે–આત્મજ્ઞાનના ઈષ્ટ લક્ષ્ય ભણી આગળ વધે નહિ, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અથે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”–શ્રી આત્મસિદ્ધિ. આ પરમ ઉપકારી પ્રમાદિ ગુણ જ્યાં પ્રગટયા છે, પરમાર્થથી-તત્વાર્થનું સમ્યક શ્રદ્ધાન જ્યાં ઉપર્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન–શુદ્ધ આત્માનુભવ થાય છે, એવું આ પરમ ધન્ય, પરમ વંદ્ય, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન વિવેકી સમ્યગ્દષ્ટિ દષ્ટા યેગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત્ અનુભવાય છે, એટલે જ આ પરમ ધન્ય સમ્યગદષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે– એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેવી અમારી રે.” શ્રી મુક્તાનંદજી. Page #549 -------------------------------------------------------------------------- ________________ રિથરાદષ્ટિ: “મૃગતૃષ્ણા જલ વૈલોક. છવ્યું ધન્ય તેહનું (૪૭૩) આમ સંતજનોએ આત્મજ્ઞાનને–સમ્યગદર્શનનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીમાનું યશોવિજયજી કહે છે કે-આત્મજ્ઞાનનું ફલ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, માટે મહાત્મા આત્માથી એ આત્મજ્ઞાનને અર્થે નિત્ય યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આત્માને* જાણ્ય, પછી જાણવાનું બાકી રહેતું નથી અને આ આત્મા ન જાણ્ય, તે પછી બીજું જ્ઞાન ફેગટ છે.” પરમ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને પડે પાડે છે – જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાને નિજ રૂપકે, સબ જા સે ફેક.”—શ્રીમદ્ રાજચંદ્ર मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥ મૃગજલ ગંધર્વનગર ને, તેમજ સ્વપ્ન સમાન; બાહ્ય ભાવ તત્વથી જુએ, મૃતવિવેકથી સુજાણ, ૧૫૬ અર્થ :–આ દષ્ટિવાળો ગી શ્રતવિવેક થકી બાહ્ય
Page 334
ભાવોને તત્વથી માયાજલ, ગંધર્વનગર ને સ્વપ્ન જેવા દેખે છે. વિવેચન “જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જલ ચેલેક..જીવ્યું ધન્ય તેહનું! દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક-જીવ્યું ધન્ય તેહનું !” આ દષ્ટિવાળા યોગીને શ્રતવિવેક પરિણત હોય છે, એથી તે દેહ-ગૃહાદિ બાહ્ય ભાવેને પરમાર્થથી મૃગતૃષ્ણા જેવા, ગધર્વનગર જેવા, સ્વપ્ન જેવા દેખે છે. આ સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે આ સર્વ જગજજાલ મૃગતૃષ્ણા જેવી છે, મૃગજલ જેવી-ઝાંઝવાના પાણી જેવી મિથ્યા છે (જુઓ પૃ. ૨૧૬). ભર ઉન્ડાળામાં જંગલને કૃત્તિમારીજ-મૃગતૃષ્ણકા, પર્વના ગન્ધર્વનગર, હરિશ્ચંદ્રપુર આદિ, સ્વપ્ન - રૂમ, પ્રતીત જ છે, સનિમાર-તેના આકારવાળા, વાઘાન-બાહ્ય, દેહ-ગૃહ આદિ, પતિ-દેખે છે, તન-તત્વથી, પરમાર્થથી, માવાન-ભાવોને, પદાર્થોને, શા કારણથી? તે કે-કૃતિઃ -શ્રુત વિવેક થકી, સમ્યક એવા શ્રુતજ્ઞાને કરીને. x"झाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।" શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર Page #550 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ગદષ્ટિસખા વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીને આભાસ થાય છે, ને તે મૃગતૃણુ પાણી પીવાની આશાએ પૂરપાટ દેડયો જાય છે ! પણ તે મૃગજલ તે જલ ઐલેક’ વસ્તુત: નહિં હોવાથી, ખાલી આભાસમાત્ર હેવાથી, હાથતાલી દઈને આવું ને આવું ભાગતું જાય છે! ને તે મૃગ બિચારો તેની ખોટી ને ખોટી આશામાં દોડાદોડીને નાહકને લથપથ થાય છે ! અથવા મધ્યાહે રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાણીનો આભાસ ( Mirage) થાય છે, એટલે તરસ્યો થયેલે તે તે મેળવવાની આશાએ દોડે છે, પણ તે પાણી તે હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યાકલ્પનારૂપ છે, સૂર્યકિરણેથી ઉપજતે મિથ્યાભાસરૂપ દશ્યવિભ્રમ (Illusion of vision) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે! તેમ આ દેહ-ગૃહાદિ ભાવ મૃગજળ જેવા છે. તે પિતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી–મિથ્યાભાસથી–અસત્ કલ્પનાથી પોતાના ભાસે છે! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પિતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દોડ” જેટલું દેડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પિતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે. તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે! કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યો, તેમાં કર્યો દેહ આ જીવને ગણ? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક તેનો ત્યાગ કરીને-દગો દઈને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ અમે મે' (હારૂં મહાસું) કરતે હાથ ઘસતો રહે છે! આ હાલામાં હાલે દેહ પણ જ્યાં જીવને થતું નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેહ હોઈને રહેલી એવી ઘરબાર વગેરે પરિગ્રહરૂપ વળગણ તે તેની કયાંથી થાય? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ પણ જે આ આત્માને નથી થતું, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તે આ આત્માના ક્યાંથી બને? માટે આ દેહાદિ બાહ્ય ભાવ તત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે, એમ આ સમ્યગદષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે. મહાત્મા પુરુષો-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષોને લક્ષ સદૈવ દેહને વિષે અધિષ્ઠિત અજર અમર અનંત એવો જે દેહી-આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તો અનેક ધર્યો હોય, ત્યાં કયા દેહને પિતાને ગણે?” શ્રી મનસુખભાઈ કિરચંદકૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા. અથવા તે આ દેહ-ગૃહ
Page 335
આદિ ભાવ ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા જ છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ શિશદષિ“આ તો સ્વપનું છે સંસાર' –શ્રતવિક (૪૭૫) શહેર જેવા છે! ઇંદ્રજાલીયા આકાશમાં નગરરચનાને પેટે ભાસ ઉભું કરાવે છે, પણ તે મિથ્યાભાસરૂપ નગર તે ક્ષણવારમાં ક્યાંય “છુ” થઈ જાય છે! ગગનનગર કયાંનું કયાંય અલેપ થઈ જાય છે! અથવા તે આકાશમાં અદ્ધર જે સંસાર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે! હવામાં કિલ્લા બાંધવા (Castles in air ) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા કલ્પનાના ઘોડા છે ! તેની જેમ આ દેહ–ગૃહ આદિ બાહ્ય પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસરૂ૫ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. શ્રી દેવચંદ્રજીના શબ્દોમાં “દ્રવ્ય દ્રવ્ય મિલે નહિં, ભાવ તે અન્ય અવ્યાપ્ત છે મિત્ત.” જડ તે જડ ને ચેતન તે ચેતન એમ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ છે. એટલે દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલ્પના તે આકાશમાં નગરરચના જેવી મિથ્યા કલ્પનામાત્ર છે. શ્રી પૂજ્યપાદ સ્વામીજીએ કહ્યું છે તેમ “દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર, સ્ત્રી આદિ ક૯૫નાઓ ઉપજી છે અને તેના વડે આત્માની સંપત્તિ માનતું જગત્ અરે હણાઈ ગયું છે !” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?-શ્રીમદ્ રાજચંદ્રજી. અથવા આ દેહ-ગૃહ આદિ આત્મ-બાહ્ય પદાર્થો સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્ન દશામાં દેખાતી આ દેહાદિ કલ્પના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં આ તે સ્વપનું વાસ્તવિક દેખાતી નથી, મિયાણાસરૂપ જણાય છે. અથવા ગમે તેવું છે સંસાર” સુંદર સ્વપ્ન આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભેગ ભેગવ્યા હોય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી; અને હાય! તે ભેગ ચાલ્યા ગયા ને અમારા ભેગ મર્યા!-એ મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે! તેમ આ દેહ-ગૃહાદિને સુંદર યોગ થયો હોય અને ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભોગોની વિપુલતા સાંપડી હોય, તે પણ તે સર્વ ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દષ્ટનષ્ટ થઈ જાય છે, ને હાય ! આ હાર ભેગ ચાલ્યા ગયા, એ વસવસે મનમાં રહી જાય છે! “ભીખારીને ખેદ” એ મનનીય દષ્ટાંત શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં તાદૃશ્ય રીતે વર્ણવ્યું છે, તે અત્રે બરાબર લાગુ પડે છે. કઈ એક ભીખારીને સ્વપ્નમાં ઉત્તમ રાજવૈભવ સાંપડયો છે, ને પછી તે સ્વપ્નમાં ને સ્વબમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ! વચ્ચમાં વિશ્ન આવે છે–ગાજવીજને ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ન અધૂરું રહે છે, તેને ખેદ માત્ર અવશેષ રહે છે! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્ના જે છે, માટે જ સાદા વેધક શબ્દોમાં ચાબખા મારનારા ભેજા ભગતે ભેળા ભાવે સાચું જ ગાયું છે કે પ્રાણીઓ ! ભજી લેને કિરતાર, આ તે Page #552 -------------------------------------------------------------------------- ________________ (૪૭૬) ગદષ્ટિસમુચ્ચય સ્વપનું છે સંસાર.”—ઈત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગ્ગદષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવ, મૃગજળ જેવો, ગગનનગર જે, ઉપલક્ષણથી એઠ જે, ધૂળ-રાખ જે, કાજળની કેટલી જેવો ભાસે છે. કારણ કે સ્વપ્નરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઈ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે. “જાગીને જોઉં તે જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રા લટકાં કરે બ્રહ્મ પાસે.” શ્રી નરસિંહ મહેતા. સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીયે જ્ઞાનિદશા, બાકી વાચા જ્ઞાન.”—શ્રી આત્મસિદ્ધિ, આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ
Page 336
છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષ્ણ છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જવરાદિ રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણુ છેસપુરુષની વાણી વિના કેઈ એ તાપ અને તૃષા છેડી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪. આમ આ સંસાર પ્રત્યે આ સમ્યગદષ્ટિ યોગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વત્તે છે. આવા ગાઢ સંવેગરંગથી જ્ઞાની પુરુષ રંગાયેલા હોય છે, તેનું કારણ એમને શ્રતવિવેક ઉપજ્યા છે તે છે, સમ્યપણે શ્રુતજ્ઞાન પરિણત થયું છે તે છે (જુઓ શ્રતવિવેક પૃ. ૧૯-૨૦) અર્થાત્ આ સમ્યગદષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પરુષ સદ્દગુરુ સમીપે શ્રવણ કરેલા “શ્રુત’ જ્ઞાનથી વિવેક ઉપજે છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સદ્અ સનું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગટયું છે, આત્મા--અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યો છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે. જેમ કે-હું આ દેહાદિ પરવતુથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ હારૂં છે, બીજું કંઈ પણ હારું નથી. હું આ દેહાદિ ભાવને નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી,-એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયો છે. “ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ”—ી આત્મસિદ્ધિ. Page #553 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : Rહ પરભાવને કેમ ચાખે?' નિઃશંક સમ્યગદષ્ટિ (૪૭૭) શ્રી સદ્ગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મહારાં નથી. શુદ્ધ ચિતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” –શ્રીમદ્ રાજચંદ્રજી. માટે મહારે આ હાર એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે માટે હું મહારા આત્મભાવને જ ભજુ ને સમસ્ત પરભાવપ્રપંચને ત્યજે એ જ યંગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર-પરિવારરૂપ ભાવ જ આ બીજા બધા સાથ સોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ! વિરામ પામ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાને પરમ ઉપાય છે. એને આશ્રય કર ! આશ્રય કર ! “આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર સવિ સાથ સોગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિજિન”- શ્રી આનંદઘનજી. આમ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષ સ્વભાવને આશ્રય કરવાને ને પરભાવને ત્યાગ કરવાને વિવેકજન્ય નિશ્ચય કરે છે, તેમાં ધાબીના ઘેરથી આણેલા બદલાઈ ગયેલ વસ્ત્રનું આ દષ્ટાંત બરાબર ઘટે છે –જેમ કેઈ એક પુરુષ ભ્રાંતિથી ધોબીના ઘેરથી વસ્ત્ર લઈ નેહ પરભાવને આવી, પિતાનું માની પહેરીને સૂઈ ગયે. તે પોતે અજ્ઞાની હોઈ, બીજાએ કેમ ચાખે?' તેને છેડે પકડી તેને બળથી નગ્ન કરવા માંડ્યો અને કહ્યું કે “અલ્યા ! જલદી ઊઠ ! આ મહારૂં બદલાઈ ગયેલું વસ્ત્ર આપી દે !” એમ વારંવાર વચન સાંભળીને તેણે બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, ચક્કસ આ તો પારકું છે એમ જાણ્યું, એટલે જ્ઞાની થઈ તેણે તે વસ્ત્ર એકદમ મૂકી દીધું. તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પારકા ભાવે ગ્રહણ કરીને
Page 337
આત્મીય પ્રતિપત્તિથી–પિતાના માની બેસી પરમાં અધ્યાસ કરીને સૂતે હતું. તે સ્વયં અજ્ઞાની હોઈ, ગુરુ પરભાવવિવેક કરી તેને “એક કરવા માંડે છે ને ઉપદેશે છે કે-અરે ! પ્રતિબોધ પામ! જાગ ! આ આત્મા નિશ્ચયથી એક છે.” એમ વારંવાર શ્રતશ્રત સંબંધી વચન સાંભળી તે સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, નિશ્ચિત આ પરભાવ છે એમ જાણે છે, એટલે જ્ઞાની થઈ તે સર્વ* ભાવેને શીઘ મૂકી દે છે. કારણ કે x “जह णाम कोवि पुरिसो परदव्वमिणति जाणिदुं चयदि । तह सव्वे परभावे पाऊण विमुंचदे णाणी ॥" (આધાર માટે જુઓ ) શ્રી સમયસાર અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા. Page #554 -------------------------------------------------------------------------- ________________ (૪૭૮) એમદરિયામય “જીવ નવિ પુષ્યલી નવ પૂગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પરત ઈશ નહિં અપર એશ્વર્યતા, વસ્તુધમે કદા ન પર સંગી... અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સંગ્રહે નહિં આપે નહિં પર ભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્વાવાદ નિજ ભાવ ભેગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે?...અહ શ્રી સુમતિ તારી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્વ ઈહે; તત્વરંગી થયે દોષથી ઉભ, દેષ ત્યાગે ઢળે તત્વ લહે...અહો ! શ્રી સુમતિ.” શ્રી દેવરાંદ્રજી. આમ શ્રતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપ હોવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, આત્મસ્વરૂપપદ સમજાયું હોવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડ્યું હોવાથીઆ સમ્યગદષ્ટિ યેગી પુરુષને દેહ-ગૃહાદિ બાહ્ય ભાવે-પરપદાર્થો મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સંવેગરંગથી રંગાયેલી હોય છે. ખરેખર ! આત્મારામી સમ્યગદષ્ટિ મહાત્માની દશા પરમ અદ્દભુત હોય છે. જેમકે કર્મબંધની શંકા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિઃશંક આત્મા સમ્યગદષ્ટિ જાણવો. જે કર્મફલેમાં તથા સર્વ ધર્મોમાં કાંક્ષા કરતું નથી, તે નિષ્કાંક્ષ આત્મા સમ્યગદષ્ટિ જાણ. જે સર્વેય ધર્મોમાં જુગુપ્સા કરતા નથી, તે નિઃશંક સમ્યગ નિર્વિચિકિત્સ આત્મા સમ્યગદષ્ટિ જાણુ. જે સર્વ ભાવમાં અસંમૂઢ દષ્ટિ કે હોય? હેઈ સદ્દષ્ટિવાનું છે, તે અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણો. સિદ્ધભક્તિયુક્ત એ જે સર્વ પરવસ્તુના ધર્મોનું ઉપગ્રહન-ગોપન કરે છે, અથવા સર્વ આત્મધર્મોનું–આત્મશક્તિઓનું ઉપબૃહણ કરે છે-વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી–ઉપબૃહનકારી સમ્યગદૃષ્ટિ જાણો. ઉન્માર્ગે જતા પિતાના આત્માને જે માર્ગે સ્થાપે છે તે સ્થિતિકરણયુક્ત આત્મા સમ્યગદષ્ટિ જાણો. મોક્ષમાર્ગને વિષે ત્રણ સાધુઓનું અર્થાત સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રનું જે પોતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એ માર્ગ વત્સલ સમ્યગદષ્ટિ જાણે. વિદ્યારથમાં આરૂઢ થયેલ જે મને રથપથામાં ભમે છે, તે ચેતયિતા–આત્મા જિનાજ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગ્દષ્ટિ જાણવો.” *"जो चत्तारिवि पाए छिददि ते कम्मबंधमोहकरे । સો ળિસંશો જેવા સમરિદ્રી મુળથવ્યો ? –(જુઓ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬. અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા * “ વિમો મળો મમઃ જો રેવાની સો વિખrળાવી સમાવિદો મુળચળ્યો ! –શ્રી સમયસાર, Page #555 -------------------------------------------------------------------------- ________________ સ્થિઃિ ૫૨ જતિ-૫રમ નિધાન પ્રગટ સુખ આગળ (૪૭૯) अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥ અબાહ્ય કેવલ જતિ જે, નિરામય નિરાબાધ; પરમ તવ તેહી જ અહીં, શેષ ઉપપ્લવ બાધ, ૧૫૭ અર્થ :–અબાહ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય તિ જે અત્રે છે તે પરમ તત્વ છે; બાકી શેષ તે ઉપપ્તવ છે. વિવેચન “કેવલ જતિ તે તન્ય પ્રકાશે, શેષ ઉપાય અસારે .—શ્રી કે. દ. સક્ઝા. ૬-૪ અત્રે અબાહ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનજાતિ છે, તે જ પરમ તત્ત્વ છે. તે જ અમૂર્તાપણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ પરમ તત્ત્વ છે. એ સિવાયનું બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ છે. આ જગત્માં જે કઈ પરમ,
Page 338
સર્વોત્કૃષ્ટ, પરમત્તમ તત્વ હોય છે તે અંતરમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યોતિ જ છે. એ તત્વ અબાહ્ય છે, અંતરમાં ઝળહળી રહ્યું છે. તે નિરાબાધ છે, કઈ પણ પ્રકારની બાધાથી-પીડાથી રહિત અબાહ્ય કેવલ છે, કારણ કે તે અમૂર્ત-અરૂપી છે, એટલે તેને કેઈ બાધા સ્પશી જ્યોતિ પર શકતી નથી. વળી તે નિરામય-આય-રોગ રહિત, અરેગી છે, ભાવતવ આરોગ્યસંપન્ન છે. કારણ કે તે અરૂપી-અમૂર્ત છે. આમ નિરાબાધ ને નિરામય હોવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કોઈ પણ બાધા –પીડા વિનાને અને રોગ વિનાને સ્વસ્થ મનુષ્ય જેમ પિતાને સહજ (Normal & Natural) કુદરતી સંપૂર્ણ આરોગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂણું ખુશમીજાજમાં–આનંદોલ્લાસમાં દેખાય છે, તેમ કઈ પણ પ્રકારની બાધાથી ને રોગથી રહિત, એવી આ કેવલ જ્ઞાનતિ પિતાના સહજ સંપૂર્ણ અવ્યાબાધ આરોગ્યમય-સ્વાધ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભય સુખમય–પરમ આનંદમય દીસે છે. આ અવ્યાબાધ આરોગ્યમય એવા સહજાન્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યોતિ જ પરમ તત્ત્વ છે. નેતિ નેતિ' એમ બીજું બધુંય બાધ્ય બાધ કરતાં, તે છેવટ-પરમ અબાધ્ય અનુભવરૂપ રહે છે, વૃત્તિ –શા-અબાલ, આનર, વરું-કેવલ, એક, રતિઃ -તિ, જ્ઞાન, અનાર્ધ-અનાબાધ -અમૂર્તતાથી પીડારહિત, અનામથું-અનાય, અરોગી,-એટલા માટે જ, પત્ર-જે અત્ર-લેડમાં, તારે તવંતે પરં ત વ છે, સદા તથાભાવને લીધે, શેપ પુનઃ-શેષ-બાકીને પુન:, ઉપરા -ઉપપ્તવ છે,તપાસવરૂપે જરથી. Page #556 -------------------------------------------------------------------------- ________________ (૪૮૦) ગદષ્ટિસમુચ્ચય તેટલા માટે તે પરમ છે; અથવા એનાથી પર–મોટું કોઈ નથી, એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ સર્વોત્તમ છે, તેટલા માટે તે પરમ છે. અને ત્યાં કેવલ માત્ર, એક, શુદ્ધ, અદ્વૈત એવી તે જ્ઞાતિ જ છે, એક ચૈતન્ય ચમત્કાર સિવાય બીજું કાંઈ નથી. “અખંડ અનાકુલ ને અનંત એવી તે પરમ જ્યોતિ અંદરમાં ને બહારમાં સદા સહજ વિલસી રહી છે, ચૈતન્યના ઉછાળાથી તે નિર્ભર હેઈ, મીઠાના ગાંગડાની પેઠે સદાકાલ એકરસને આલંબે છે. X મીઠાને ગાંગડો ગમે ત્યાંથી ચાખે પણ સદા એક લવણરસરૂપ જ લાગે છે, તેમ આ ચૈતન્યઘન જ્ઞાનતિ સદા એક ચૈતન્યરસરૂપ જ અનુભવાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું કર વિચાર તે પામ.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી. અને આવું આ પરમ તિર્મય તત્વ અબાહ્ય છે, અંતરમાં જ વતે છે, આત્મામાં જ સ્થિત છે, પિતામાં જ રહે છે, આત્માથી બાહ્ય-ન્હાર નથી. એ આત્માનું અંતસ્તત્વ છે, અને તે જ પોતાનું છે. તે કંઈ હાર ખોળવા જવાની પરમ નિધાન જરૂર નથી. તે તે આત્મામાં જ રહેલું હેઈ, આત્મામાંથી જ ઓળખીને પ્રગટ મુખ ખેળી કાઢવાનું છે. પરંતુ કસ્તુરી જેમ મૃગની નાભિમાં જ છે, પણ આગળ’ અજ્ઞાન મૃગને તેનું ભાન નહિં હોવાથી તે ઢુંઢવા માટે બીજે દેડે છે! તેમ અજ્ઞાની જીવને આ પરમ તત્વ જે પોતાના આત્માની અંદરમાં જ રહેલું છે, જે આત્મા પોતે જ છે, તેનું ભાન નહિં હેવાથી, તે તેની શોધમાં બહાર ભમ્યા કરે છે! પણ અંતર્મુખ થઈ પિતાની અંદર અવેલેકતે નથી ! આમ પરમ નિધાન જે પ્રગટ મુખ આગળ રહ્યો છે, તેને આ અજ્ઞાની જગત્ ઉલ્લંધી જાય છે ! ને તેની શોધમાં હાર નીકળી પડે છે! કેડે છોકરું ને શોધવા ચાલી” એના જેવો ઘાટ થાય છે! ખુલ્લે ખજાનો આવે છે, ત્યાં આંખ મીંચીને ચાલતા, છતી આંખે આંધળા બનેલા મૂખે જનેના જેવી આ વાત બને છે! તેઓ નિકળ્યા'તા તે ખજાને શોધવા, પણ જ્યાં ખજાને આવે છે, ત્યાં “આંધળા શી રીતે ચાલતા હશે તે જોઈએ તે ખરા !” એમ તુક્કો ઊઠતાં તેઓ આંખો મીંચીને ચાલવાને અખતરો કરે છે ! એમ કરતાં
Page 339
તેઓ ખજાનો ઉલ્લંઘી જાય છે–ટપી જાય છે ! અને તે શેધવા માટે આગળ દોડ્યા જાય છે ! પણ પ્રગટ મોઢા આગળ ઉઘાડો પડેલે ખજાને દેખતા નથી ! તેમ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય–આનંદ આદિ ગુણરત્નોનો પરમ નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં x अखण्डितमनाकुलं बलदनन्तमन्तर्बहि-महः परममस्तु नः सह जमुद्विलासं सदा । चिदुच्छलननिर्भर सकलकालमालम्बते, यदेकरससमुल्लसल्लवणखिल्यलीलायितं ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ, Page #557 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: કર્મ આદિ આત્માથી બાહ્ય (૪૮૧) કિંમતી ખજાને, એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલ્લે પડયો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનજ્યોતિને પ્રકાશ સાંપડ્યો નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અંધે અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે ! પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય....જિનેસર! જોતિ વિના જુએ! જગદીશની, અંધે અંધ પલાય...જિનેસર ! ધર્મ.” -શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તે અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની તિને પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તે આ પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પિતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે આ૫ આ૫કું ભૂલ ગયા !” પોતે પોતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અધેર કર્યું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે ! પણ હવે તે અમે ફરીથી નહિ ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે – આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેર? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેગે ફેર.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આ કેવલ જ્ઞાનતિ જ અબાહ્ય છે, બાકી બીજું બધુંય બાહ્ય છે, અર્થાત્ કર્મ, કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તેનો આત્મામાં અંતઃપ્રવેશ નથી. કારણ કે ૪ “પ્રગટપણે અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે હાર આળોટ્યા કરે, પણ વર્તુ x"बहिलठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम्, तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते, स्वभावचलनाकुलः किमिह मोहित: क्लिश्यते । वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहि ठन्नपि ।। यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनः स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસાર કલશ. Page #558 -------------------------------------------------------------------------- ________________ (૪૮૨) ગદષ્ટિસમુચ્ચય કર્મ આદિ તરની-બીજી વસ્તુની અંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સકલ જ આત્માથી બાહ્ય વસ્તુ સ્વભાવનિયત કહી છે, પોતાના સ્વભાવથી નિયત-નિશ્ચયથી મર્યાદિત કહી છે, તે પછી મહ પામી તે સ્વભાવ ફેરવવા માટે આકુલ થઈ શાને કવેશ પામવામાં આવે છે? કારણ કે અહી કઈ વસ્તુ અન્ય વસ્તુની નથી, તેથી વસ્તુ તે વસ્તુ જ છે, આ નિશ્ચય છે હાર લેટતાં છતાં અન્ય અન્યનું શું કરે છે? અને સ્વયં પરિણમી એવી અન્ય વસ્તુનું અન્ય વસ્તુ કંઈ પણ કરે છે, તે તે વ્યવહાર દૃષ્ટિથી માન્યું છે, નિશ્ચયથી તે અહીં બીજું કંઈ પણ નથી.’ આમ કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તો પછી આત્માને અને જ્ઞાનાવરણીયાદિ કમને, શરીરાદિને તથા રાગદ્વેષાદિ ભાવકને પરસ્પર શો સંબંધ છે? તે પ્રસંગથી અત્ર સમજવા માટે સંક્ષેપ વિચાર કર્તવ્ય છે. અત્રે શિલ્પીનું*-કારીગરનું દષ્ટાંત ઘટે છે – જેમ કેઈ ની વગેરે કારીગર કુંડલાદિ પદ્રવ્ય પરિણામરૂપ કર્મ કરે છે, હથેડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણ વડે કરે છે, હડી
Page 340
વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણે ગ્રહે છે, અને કુંડલાદિ નિમિત્ત નિમિ. કર્મના ફળરૂપે પરદ્રવ્ય પરિણામરૂપ પ્રામાદિ ભોગવે છે, પણ અનેક ત્તિક વ્યવહાર દ્રવ્યપણાને લીધે તેનાથી અન્યપણું-જૂહાપણું હોઈ તન્મય થતો નથી. તેથી નિમિત્ત–નિમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કોં–કર્મવનો ને ભેકર્તાભેગ્યત્વને વ્યવહાર છે. તેમ આત્મા પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરો વડે કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરણે ગ્રહે છે, અને પુણ્ય પાપાદિ કર્મફલરૂપ પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક સુખ દુઃખાદિ ભેગવે છે, પણ અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું-ભિન્નપણું હોઈ તન્મય થતું નથી. તેથી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કર્ણ-કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વને વ્યવહાર છે. અને જેમ તે જ કારીગર કામ કરવાને ઇચ્છતે સત, ચેષ્ટાને અનુરૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, અને ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણુએ કરીને તેનાથી અનન્યપણુંપરિણામ-પરિ અભિન્નપણું હોઈ તન્મય થાય છે, તેથી પરિણામ-પરિણામી ભાવથી ભુમી નિશ્ચય તેમાં જ તું-કમવન ને ભકતૃ-ભેગ્યત્વને નિશ્ચય છે. તેમ આત્મા પણ કરવા ઈચ્છો તે, ચેષ્ટારૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, *"जह सिप्पिओ उ कम्मं कुम्वइ ण य सो उ तम्मओ होइ । तह जीवोवि य कम्मं कुव्वदि ण य तम्मओ होइ ।" (આધાર માટે જુઓ)-શ્રી સમયસાર ગા. ૩૪૯-૩૫૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા, Page #559 -------------------------------------------------------------------------- ________________ સિદષ્ટિ ખડી અને ભીંત, આત્માનું શુદ્ધ સ્વરૂપ (૪૮૩) ચેષ્ટારૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું–અભિનપણું હોઈ તન્મય થાય છે. તેથી પરિણામ-પરિણામી ભાવથી તેમાં જ કર્યું–કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વનો નિશ્ચય છે. આમ દ્રવ્ય કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, અને અશુદ્ધ નિશ્ચયથી ભાવકમ સાથે પરિણામ-પરિણામી સંબંધ છે. પણ શુદ્ધ નિશ્ચય નયથી તે આત્મા સર્વ કર્મકલંક-પંકથી રહિત એ શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત” છે. વળી જેમ ભીંત પર હાર લગાડેલી ખડી ભીતરૂપ નથી, ભીંતથી બાહ્ય છે, ભીંતથી જૂદી છે, એટલે ખડી ભીતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું વ્યવહારથી પુદ્ગલાદિ દ્રવ્ય ય છે, પણ તે જ્ઞાયક યથી બાહ્ય છે, ખડી અને શેયથી જુદો છે, એટલે તે જ્ઞાયક ય એવા પરદ્રવ્યને નથી, જ્ઞાયક ભીંતનું દૃષ્ટાંત તે જ્ઞાયક જ છે, એમ નિશ્ચય છે. જેમ શ્વેત ગુણવાળી ખડીને સ્વભાવ ભીંતને વેત કરવાનો છે, તેમ જ્ઞાનગુણુવાળા આત્માને સ્વભાવ રેયને જાણવાનો છે. ખડી જેમ વ્યવહારથી ભીતરૂપ પરદ્રવ્યને શ્રત કરે છે, તેથી તે કાંઈ ભીતની થઈ જતી નથી, અર્થાત્ ભીતરૂપ બની જતી નથી, પણ નિશ્ચયથી ખડીની ખડી જ રહે છે; તેમ આત્મા પણ વ્યવહારથી ય એવા પદ્રવ્યને જાણે છે, તેથી તે કાંઈ પરદ્રવ્યનો થઈ જતો નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતો નથી, પણ નિશ્ચયથી જ્ઞાયકનો જ્ઞાયક જ રહે છે. કારણકે એ જ એને સ્વભાવ છે. (આધાર માટે જુઓ સમયસાર ગા. ૩૫૬-૩૬૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક “આત્મખ્યાતિ’ ટીકા) __“जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ । તદ્ નાનો ટુ ન પણ નાનો ગાળો સો ટુ –શ્રી સમયસાર “ભાવ સગજા કમ ઉદયાગતા, કરમ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા; ખડીયથી ભીતિમાં જેમ હોએ તતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા; દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ છેષ ન વિચિત્ત છે, પુલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જુઓ જુઓ એક હવે કિમે.” –શ્રી યશોવિજ્યજીકૃત સાડા ત્ર૦ ગા, સ્ત, અને જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ
Page 341
થઈ જતો નથી,-વિશ્વપ્રકાશક “ચંદ્ર ભ્રમિરૂપ થતો નથી” તેમ (જુઓ પૃ. ૭૫ ). જ્ઞાન ણેયને સદા જાણે છે, પણ શેય કદી તેનું થતું નથી. આમ યજ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે જ્ઞાન સ્વભાવી આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ ણેયને જાણે છે.આમ જીવ દેહ નથી, વચન નથી, મન નથી, કર્મ નથી, રાગ નથી, દ્વેષ નથી, પુદ્ગલ નથી, કે અન્ય દ્રવ્યરૂપ નથી. જીવ આ સર્વથી જુદ છે-ભિન્ન છે. આ સર્વ તે બાહ્ય ભાવે છે, Page #560 -------------------------------------------------------------------------- ________________ (૪૮૪) ગદષ્ટિસમુચ્ચય એક કેવલજ્ઞાનતિ જ આત્માનો અબાહ્ય ભાવ છે; કારણ કે નિશ્ચયથી–શુદ્ધનયથી આ આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. (જુઓ ગાથા, ફુટનેટ પૃ. ૭૨) દેહ પ્રત્યે જેવો વચનો સંબંધ છે તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જેવો સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષને જીવન અને મરણ બન્ને સમાન છે.” -પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી. (૧) અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ આત્મા બદ્ધસ્પષ્ટ છે, છતાં એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય એવા આત્મસ્વભાવને અપેક્ષીને આત્મા જલમાં કમલની જેમ અબદ્ધસ્કૃષ્ટ છે. (૨) નરનરકાદિ અન્યાન્ય પર્યાય ધારણ કર્યાથી અન્યરૂપ છતાં સર્વત્ર આત્માનું શુદ્ધ અખંડ એવા આત્મસ્વભાવની અપેક્ષાએ, ઘટ આદિ સવ પર્યાયમાં સ્વરૂપ વત્તતા અખંડિત મૃત્તિકા સ્વભાવની જેમ, આત્મા અનન્ય છે. (૩) સમુદ્રની જેમ આત્માના વૃદ્ધિ-હાનિ પર્યાયથી અનિયત છતાં, સમુદ્રસ્વભાવ જેવા નિત્ય વ્યવસ્થિત આત્મસ્વભાવની અપેક્ષાએ આત્મા નિયત છે. (૪) ભારી, પીળું, ચીકણું એમ સોનું અનેક પર્યાયરૂપ દીસે છે, પણ પર્યાયદષ્ટિ ન દઈએ ને દ્રવ્યદષ્ટિથી જોઈએ તો એક અભંગ સેનું જ દેખાય છે. તેમ પર્યાય દૃષ્ટિથી આત્મા જ્ઞાન– દર્શનાદિ અનેક પર્યાયવિશેષરૂપ દીસે છે, પણ અવિશેષ એવા આત્મસ્વભાવને અપેક્ષીને જોઈએ ને નિવિકલ્પ રસનું પાન કરીએ તે શુદ્ધ નિરંજન એક આત્મા જ ભાસ્યમાન થાય છે. (૫) જેમ અગ્નિસંગે પ્રાપ્ત ઉષ્ણત્વ પર્યાયની અપેક્ષાએ જલમાં ઉષ્ણપણાનું સંયુક્તપણું છે છતાં, એકાંતે જલના શીત સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી; તેમ કર્મસંગે પ્રાપ્ત માહપર્યાયની અપેક્ષાએ આત્માનું મેહસંયુક્તપણું છે, છતાં એકાંતે આત્માના સ્વયં બાધબીજ સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી, અર્થાત્ આત્મા અસંયુક્ત છે. આમ પર્યાયદષ્ટિ છેડી દઈ, શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિથી જોતાં આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. (આધાર માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારીકા ગા. ૧૪-૧૫) ભારી પીળો ચીકણે, કનક અનેક તરંગ રે; પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે..ધરમ પરમ અરનાથન દરશન જ્ઞાન ચરણથકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.... ધરમ” -શ્રી આનંદઘનજી આવી શુદ્ધ, નિરંજન, એક, અદ્વૈત એવી કેવલ જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે, આત્માનું પરમ એવું અંતસ્તત્ત્વ છે. એ સિવાયના શેષ ભાવો તે બાહ્ય છે, આત્માથી Page #561 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : “g જે તાણ ”—-બાકી બધો ઉપષ્ણવ (૪૮૫) પર છે, ને તે ઉપપ્પવરૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી, આફત, બાકી બધે આપત્તિ, દુર્ભાગ્ય, વિજ્ઞ, ભય, ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. ઉપપ્લવ કેવલ જ્ઞાનતિ સિવાયના જે જે ભાવે છે–પરભાવે છે, તે તે ખરેખર! ઉપપ્પવરૂપ જ છે. જેમ કેઈ પરચકના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાશભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિં; તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશપરિસ્પંદરૂપ સંક્ષેભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નોનો ખજાન લૂંટાય છે, અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિને પાર રહેતો નથી. “પારકે પેઠો વિનાશ કરે” તે કહેવત અત્ર
Page 342
સાચી પડે છે ! "परः प्रविष्टः कुरुते विनाशम्, लोकोक्तिरेषा न मृषेति मन्ये । નિર્વિરા જુમિયા વિક્ર જિં, જ્ઞાનાનો ને સમારિ વષ્ટ ”—શ્રી શાંતસુધારસ. આ કર્માદિ પરભાવ તે બાહ્ય ભાવો છે, ખરેખર ! પર છે અર્થાત્ શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહેવમમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પરપરિણતિના રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને પરને ગ્રાહક તથા રક્ષક બની પરભેગમાં આસક્ત બને છે! આ પરપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુ:ખ પામે છે. એટલે આ પરભાવરૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્પવરૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિશ્વરૂપ-બાધારૂપ છે, અરિષ્ટ-અનિષ્ટરૂપ છે, ગ્રહરૂપ છે, અંધાધુંધીરૂપ છે. પર પરિણતિ રાગીપણું, પર રસ રંગે રક્ત રે, પર ગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે...જગતારક પ્રભુ વિનવું” શ્રી દેવચંદ્રજી. “एगो मे सासओ अप्पा णाणदंसणलक्खणो। સેના ને જાતિ મવા સર્વે સંકોરવળ .” --શ્રી આર્ષ વચન. પણ જેને કેવલ જ્ઞાનતિને પ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યગ્ગદષ્ટિ જીવ તે એમ ભાવે છે કે-જ્ઞાનદર્શન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારે છે, બાકીના સંજોગલક્ષણ ભાવે તે બાહ્ય છે–આત્મબાહ્ય છે, મહારા આત્માને તેની તારો સાથે કંઈ લેવાદેવા નથી–કંઈ નિસ્બત નથી. એમ સમજી તે પરપરિણતિ આપા' ત્યજે છે, ને આત્મપરિણતિને ભજે છે પરમાત્મસ્વરૂપ શુદ્ધ સ્વજાતિ તત્વના બહુમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છેડી દે છે, ને સરસ એવા સ્વસ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીગોધડ બને છે! Page #562 -------------------------------------------------------------------------- ________________ (૪૮૬). ગણિરામુચ્ચય શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુમાને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે...જગતારક”—શ્રી દેવચંદ્રજી. અને આવા કેવલજ્ઞાન-તિર્મય પરમ આત્મતત્વનું જેને દર્શન સાંપડયું છે, આત્મસાક્ષાત્કાર થયું છે, એવા સમ્યગદષ્ટિ પુરુષને પછી કોઈ પણ પ્રકારનો સંશયને અંશ પણ રહેતું નથી. “જ્ઞાન તિહાં શંકા નહિં થાપ.' જેમ સૂર્યને કિરણસમૂહ પ્રસરતાં અંધકાર રહેતો નથી, તેમ પરમાત્મદર્શન થયે લેશ પણ સંશય રહેતું નથી, સર્વથા પરમ નિશક્તા-નિર્ભયતા વર્તે છે, અને “દુખ દેહગ દરે ટળે છે. કારણ કે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ થાપ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. દરશન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ.”—શ્રી આનંદઘનજી. એવું નિઃશંક સહજાન્મસ્વરૂપનું દર્શન થતાં પરમ નિર્ભયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની સમ્યગ્દષ્ટિઓના આવા પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે – “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” ઓગણીસસેં ને સુડતાલીસું, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આ અહો ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. “દુઃખ દેહગ દ્વરે ટળ્યા રે, સુખ સંપરશું ભેટ; ધી*ગ ધણી માથે કિયે રે, કુણુ ગંજે નર એટ ? વિમલ જિન દીઠા લેયણ આજ, મહારા સિખ્ખયાં વંચ્છિત કાજ. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય....વિમલ૦”—શ્રી આનંદઘનજી. एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्त्वतः ॥ १५९ ॥१५८ કૃત્તિઃ-વજૂ-એમ, ઉક્ત નીતિ પ્રમાણે, વિનિ -આ વિવેકી, ઘી-ધીર, અચપલ, પ્રત્યાહારપૂજા-ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારપ્રધાન, તથા-તે પ્રકારે, ધર્માધાપરિત્યાનચત્તવન-અને ધમભાધાના પરિસમાગમાં કનવંત, તરવર - તરવથી, એમ ઉક્ત નીતિથી વિવેકવર્ડ કરીને પરિદ્ધિને લીધે તરસથી–પરમા* થી. કારણ કે તેઓ ભિનયંથિપણુથકી
Page 343
ઉત્તમ શ્રુતપ્રધાન હોઈ એમ આલેચે છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિ : વિવેકખ્યાતિ-અનુભવ હંસૂ શું પેખ રે' (૪૮૭) એમ વિવેકી ધીર આ, પ્રત્યાહાર કરંત; તવથી ધર્મભાવના, ત્યારે પ્રયત્નવંત ૧૫૮ અર્થ –એમ વિવેકી એવા એ ધીરજને તેવા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અને તત્વથી ધમબાધાના પરિત્યાગમાં યતનવંત હોય છે. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે વિવેકી એવા આ ધીર–અચપલ જને ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારમાં તત્પર હોય છે, અને તે વિવેકથી ઉપજેલી પરિશુદ્ધિને લીધે તેઓ તત્વથીપરમાર્થથી ધર્મની બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. તે આ પ્રકારે – વિવેકખ્યાતિ ઉપરમાં સ્વ-પર ભાવને સ્પષ્ટ વિવેક બતાવ્યું કે દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે; મૃગજલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે; પર છે પારકા છે, પોતાના નથી. અને નિરાબાધ નિરામય એવી કેવલ એક જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે; શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે; આત્મીય-પિતાને છે, પારકે નથી; અને એ જ પરમ તત્ત્વ છે, બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ-આફતરૂપ-અંધાધુંધીરૂપ છે. માટે એક આ કેવલજ્ઞાનજ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધુંય હેય છે–ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી બેબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તે તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગદષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવને-પરવસ્તુને મહારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં નેહરૂપ “આસક્તિથી હું બંધા છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણ કે દેહમાં સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચય જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિજે છે-વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે, માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરૂં. (જુઓ પૃ. ૩૦૨). આમ સ્વ-પરભાવને વિવેક ઉપજે હેવાથી, ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ આત્માનુભવ સાંપડે છે. એટલે-“ભૂતક વર્તમાન x “भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बंधं सुधी यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । यात्मात्मानुभवैकाम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं, नित्यं कर्मकलङ्कपविकलो देवः स्वयं शाश्वतः ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ, Page #564 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય ને ભાવી અધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મેહને હઠથી અનુભવ હંસ હઠાવી અંતમાં નિહાળે છે, તેા એક આત્માનુભવથી જ જેને મહિમા શું પેખ રે 'ગમ્ય છે એવા આ પ્રગટ આત્મા ધ્રુવપણે ‘ સ્થિત ' છે, અને તે નિત્ય ક કલંક પંકથી રહિત એવા સ્વયં શાશ્વત દેવ છે'. આમ હુંસ જેમ ક્ષીર–નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્યગ્ દૃષ્ટિ પુરુષ આત્મા-અનાત્માના વિવેક કરે છે, સ્વપરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ર જુગ્નુ' છે, મ્યાનથી જેમ તલવાર જૂદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જુદા છે, એમ તે અનુભવે છે; સ અવસ્થામાં જે સદાય ન્યારા-જુદા ને જુદા જણાય છે અને જે પ્રગટ ચૈતન્યમય સ્વરૂપ છે, એવા આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જુદી છે, તેમાં પલંગ ન્યારા-જુદા છે, તેમાં સેજ-પથારી ન્યારી છે તેની ચાદર પણ ન્યારી છે, આવા પરવસ્તુ સાથેના મ્હારા સબધ છે, એમાં મ્હારી સ્થાપના કરવી—આત્મબુદ્ધિ કરવી જૂડી છે,-એમ સમજી સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને, ત્યાગી ચેતન મની, દૃષ્ટિ ખેાલીને દેખે છે, તે પેાતાનું-આત્માનું સ્વરૂપ દેખે છે. “ નિજ ગુણુ સખનિજમાં લખે, ન ચ પરગુણની રેખ રે; ખીર નીર વિવરે કરે, અનુભવ હુ'સ શુ' પેખ રે....પ્રણમુ' પદપકજ પાર્શ્વના ’ (૪૮૮) 4 66 * —શ્રી આનદધનજી, ચિત્રસારી ન્યારી, પરજક ન્યારા, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઇહાં
Page 344
જૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રા વહી કેઉ પૈન, વિદ્યમાન પલક ન, ચામે' અખ છપના; શ્વાસ ઔ સુપન દાઉ, નિદ્રાકી અલંગ ખુએ, સૂઝે સખ અંગ લખી, આતમ દરપના; ત્યાગી ભયા ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દૃષ્ટિ ખાલિકે, સંભાલે રૂપ અપના. —કવિવર બનારસીદાસજી. C અને તે દેખે છે તે સ્વરૂપ કેવુ છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, સોફ્ '. તે નથી નપુસક, નથી નર, નથી નારી, નથી એક, નથી કે, નથી ખબહુ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષુપ્ત-સૂતા હતા, અને જેના સદ્ભાવે હું જાગ્રત થયા—ઊઠયો, તે અતીન્દ્રિય અનિર્દેશ્ય એવા સ્વસ વેદ્ય હું છું. ( જુ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગ્દષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સમ્યગ્ જ્ઞાનસુધારસધામ એવા આત્મા જાગ્યા છે ને એટલી ઊઠે છે કે k. "7 येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ॥ दभावे तोsहं यद्भवे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥ " શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક, Page #565 -------------------------------------------------------------------------- ________________ સ્થિ રાદષ્ટિ : સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિ:શંકપણુ (૪૮૯) “જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લે. જા સમ્યગ જ્ઞાન સુધારસ ધામ , છાંડી દુર્ભય મિથ્યા નિદ પ્રમાદની રે લે. સહજે પ્રગટ નિજ પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જે, નિજપરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે.” તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી ધીરતા–નિર્ભયતા. ધગ ધણું માથે કિયે રે, કુણ ગંજે નર એટ? વિમલ૦”—શ્રી આનંદઘનજી. આ સમ્યગદષ્ટિ મહાત્માઓ આવા વિવેકી હોય છે, એટલા માટે જ ધીર હોય છે, અચપલ–અચંચલ હોય છે, પરમ નિર્ભય હોય છે, કારણ કે ભય-ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પિતાના સ્વરૂપનું ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગૃષ્ટિ પુરુષો તે દઢ નિશ્ચયપણે જાણે છે કે મહારું કાંઈ ચાલ્યું જવાનું નથી, હારું છે તે તે હારી પાસે જ છે, બાકી બીજુ બધુંય અનેરું છે. “અવધૂ કયા તેરા? કયા મેરા ? તેરા હે સે તેરી પાસે, અવર સબહી અનેરા. માટે હારે ભય છે? ચિંતા શી? વિકલ્પ છે? “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ૫ શે ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” છું. આવા સમ્યગદષ્ટિએ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે જ્યારે વજ પડતું હોય ને ભયથી કંપાયમાન થતું લેય તેને માર્ગ છેડતું હોય, ત્યારે નિસર્ગ - નિર્ભયતાથી સર્વ જ શંકા છેડી દઈ, તેઓ સ્વયં પિતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ્ય જ્ઞાનદેહરૂપ જાણતા હોઈ બેધથી ચુત થતા જ્ઞાનીનું પરમ નથી,” (જુઓ પૃ. ૬૮, ફુટનોટ ). અને આમ જેને જ્ઞાનદેવમય નિજ નિઃશંકપણું સહજાન્મસ્વરૂપને પરમ અખંડ નિશ્ચય ઉપ છે એવા ધીર * સમ્યગદષ્ટિને સાત ભયમાંથી કોઈ પણ પ્રકારનો કંઈ પણ ભય રહેતો નથી. એ તે પરમ નિઃશંક હોય છે, કારણ કે (૧-૨) સર્વથી* જુદા એવા આ * આ સાત ભયનું વિસ્તરથી પરમ મને જ્ઞ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજી(?)કૃત પંચાધ્યાચીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જેવું. તેનું સારભૂત સંક્ષેપ પણ સંપૂર્ણ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાઇએ પરમ સુંદર
Page 345
રીતે અને આધારરૂપ લીધેલા પરમ અભુત ચમત્કારિક સમયસારેકલશમાં લલકાયું છે. જેમકે – “ટો: શાશ્વત પણ પ સરકચરો વિવિIRમનश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोको यन्न तवापरस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિઃરા સતતં સાં સ સઘં જ્ઞાનં સવા વિનંતિ | ઇત્યાદિ Page #566 -------------------------------------------------------------------------- ________________ (૪૯૦) યોગદષ્ટિસમુચ્ચય વિવિક્ત આત્માનો તે સર્વથી રહિત એ આ એક શાશ્વત લેક છે. એવા આ કેવલ ચૈિતન્ય લેકને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપરલેક કે પરલોક હારે નથી એમ જે ચિંતવે છે, તેને તે ઈહલોકભીતિ કે પરલોભીતિ કયાંથી હોય? આમ સતત નિ:શંક એવો જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉદિત-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના બલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ જનથી જે સ્વયં વેદાય છે, તે આ એક જ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ ક્યાંથી હોય? (૪) જે “સત્ ' છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તે પછી એનું બીજાઓથી શું ત્રાણ કરાયું છે? એટલા માટે એનું અત્રાણ એવું કંઈ નથી, તે પછી તે અત્રાણુ ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? (૫) “સ્વ રૂપ” એ જ ખરેખર ! વસ્તુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઈ પણ બીજે પ્રવેશવા શક્તા નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાન જ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિં. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? (૬) પ્રાણુના ઉચ્છેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કદી પણ ઉચ્છદાતું નથી, એથી કરીને તેનું મરણ કંઈ હોય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ ક્યાંથી હોય? (૭) એક એવું જ્ઞાન અનાદિઅનંત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અત્રે બીજાને-દ્વિતીયને ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઈ અત્રે હોય નહિં. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? સતત નિશક એ જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. આમ ઈહલોકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવો સમ્યગદષ્ટિ જ્ઞાની તે સદા પરમ નિર્ભય, પરમ નિઃશંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે ! પ્રત્યાહાર. “પપરિણામિકતા છે, જે તુજ પુદ્ગલ ભેગ હે મિત્ત ! જડ ચલ જગની એડને, ન ઘટે તુજને ભોગ હો મિત્ત!” –શ્રી દેવચંદ્રજી, સમ્યગદષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હોય છે, તેટલા માટે જ તેઓ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત્ વિષયવિકારમાં ઇંદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇંદ્રિયેને પ્રત્યાહત કરે છે–પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો સકળ જગતું ” વાળી સ્વચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પરંપરિકૃતિને વમી આત્મતે એઠવ” પરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે-હે આત્મન ! હે મિત્ર! જે તું પુદ્ગલગ કરે છે, તે પરપરિણતિપણું છે, * “સવિદ્દી નવા નિર્ણવદા હરિ નિદમથા તેની હત્તમ વાઘમુજી ના તહાં ટુ બસેરા || ”—શ્રી સમયસાર, Page #567 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: પ્રત્યાહાર-વિષયવાસના ત્યાગે ચેતન !' (૪૯૧) પર પરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એઠને હે મિત્ર ! તને ભોગ ઘટતે નથી. આ મુદ્દગલ સર્વ જીવોએ અનંત વાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કણ ખાય? ને પિતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કે ભ્રષ્ટ કરે? વળી હે ચેતન ! આ પુદ્ગલભોગ અનિત્ય છે,
Page 346
ક્ષણવિવંસી છે. જે પૌગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણ કે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભેગ પણ દુર્ગથી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપને આસ્વાદ છેડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદનને કેણ ચાખે? “ક સાચા રંગ જિનેશ્વર, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તે દુરગંધિ કદન રે....કરે સાચા આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિષે, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે...કરે સાચા ” શ્રી દેવચંદ્રજી. પાંચ ઇંદ્રિયના વિષયભાગ પરિણામે અત્યંત દુઃખદાયી છે. જે “આપાતમાગું-આરંભ માત્ર સુખદાયક લાગે છે, તે વિષયભોગ વિપાકે કિપાક ફલ જેવા દારુણ પરિણામી છે. આ ભોગ ખરેખર ! સાપની ફેણ જેવા આત્મઘાતી છે. વિષયમાં ને વિષયવાસના કાલકૂટ વિષમાં મેરુ ને સરસવ જેટલું અંતર છે.” એકેક ઇંદ્રિયને ત્યાગે ચેતન !” પરવશપણથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું જે ! (જુઓ પૃ. ૩૧૮-૩૧૯ ) તે પછી પાંચ ઇંદ્રિયના પ્રબળપણથી તે કેટલું બધું દુઃખ થાય? માટે હે સચ્ચિદાનંદ આત્મન ! તું વિષયવાસના છેડીને નિજસ્વભાવમાં સ્થિતિ કર ! વળી હે ચેતન ! આ અનાદિ સંસારમાં તે અનેક વાર દેવ કાદિના અનંત સુખ ભેગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજ નથી, અને હજુ ભૂખાળવાની જેમ જાણે કઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલકના તુરછ કામભોગની વાંછા કરે છે! તે તેથી તને શી રીતે તૃપ્તિ ઉપજશે ? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે ? પાણીના પૂરથી સમુદ્ર કઈ રીતે તૃપ્તિ પામે, ઇંધનેથી અગ્નિ તૃપ્તિ પામે, પણ અતિ ચિરકાળ ભેગવેલ અનંત કામગથી પણ પ્રાણી તૃપ્તિ પામતે નથી, માટે આવા તૃષ્ણ-તાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી સર્યું.x-આમ આ પુદ્ગલભગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણાતાપ ઉપજાવનાર છે. અને હારું સ્વરૂપ તે હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય, ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે, માટે હવે તું પરપરિણતિરસરૂપ પુદ્ગલ ભેગની આસક્તિ છેડી દે, ને સ્વસ્વરૂપરસના ભેગને આસ્વાદ લે ! » વિશેષ આધાર માટે જુઓ જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર આદિ ગ્રંથરત્ન. Page #568 -------------------------------------------------------------------------- ________________ (૪૯૨) ગદષ્ટિસમુચ્ચય ત્યાગીને સહુ પરપરિણતિરસ રીઝ જે, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લે. સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલિમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લે.” –શ્રી દેવચંદ્રજી ઇત્યાદિ પ્રકારે વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચનારા આ સમ્યગદૃષ્ટિ જોગીજનને ભેગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વતે છે; કારણ કે...(૧) જેનું મન મૂંગે અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કેકિલ કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભેગ કેમ ગમે? પ્રિય સંગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કરકંકણના અવાજથી કેમ ઘૂર્ણાયમાન થાય ? (૨) અવિનાશી ને નિસગ–નિમલ એવા સ્વરૂપને જે દેખે છે, તે યોગીપુરુષને નાશવંત ને શુક્ર-શણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે? (૩) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી–ચંદનાદિ સુગંધી દ્રવ્યોથી કેમ આનંદ ઉપજે? કારણ કે બીજી સુગધી તે ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ ઊડી જાય છે, પણ શીલસૌરભ તે લાંબે વખત ઉપયોગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાયરે હરી શકતા નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમાં શાંત રસમાં મગ્ન થયું છે, તે ગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસેથી કેમ
Page 347
રીઝે? જે મધુર રસને ચાખતાં રસલુપીની રસનામાંથી રસ પડે છે–જીભમાં પાણી છૂટે છે, તે રસને ભયંકર વિપાક ચિંતવતાં આ વિરક્તજનેની આંખમાંથી પાણી પડે છે–આંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુx બીછાવેલા છે એવી નિર્મલ સુવિકલ્પરૂપ તળાઈમાં જે ધૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમ્યગદૃષ્ટિજનો બાહ્ય સ્પર્શમાં કેમ રત થાય? આમ આ લેકના વિષયે આ વિરક્તચિત્ત સમ્યગ્દષ્ટિ જનેને આનંદદાયી થતા નથી. અરે ! આ મહાનુભાવે પરમાનંદરસનું પાન કરીને ધીંગાધડબા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તેઓ પરલેક સુખમાં પણ નિ:સ્પૃહ હોય છે ! ધર્મયતના આવા વિવેકી ધીર ને વિષયવિરક્ત સમ્યગ્દષ્ટિ મહાજને ધર્મબાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. આત્મધર્મમાં જેમ બાધા ન ઉપજે તેમ પ્રવર્તાવા તેઓ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વર્તાવા પ્રયાસ કરે છે; પરભાવમાંથી x "इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते। विमले सुविकल्पतल्पके, क बहिः स्पर्शरता भवंतु ते ।। तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदरसालसा अमी ॥" (ઈત્યાદિ આધારરૂપ હદયંગમ વર્ણન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્ય અધિકાર. Page #569 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ: ધ મમ–ધર્મનું વાસ્તવિક સ્વરૂપ (૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછા ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને તાદૃશ્ય આત્માનુભવ આલેખ્યો છે કે – એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. * * * એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૨. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ ભુલાવો ધમો ' વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શનચારિત્ર અથવા ટંકેત્કીર્ણ એક શુદ્ધ જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેભ વિનાનો આત્માનો પરિણામ છે.' આમાં “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણથી સામ્ય છે. અને સામ્ય તો દર્શનમોહનીય ને ચારિત્રમેહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મેહક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જવનો પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્ણવાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાન સમ્યગદષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી વ્યવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તે જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત્ “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તે કઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ ___x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणाम.।" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા Page #570 -------------------------------------------------------------------------- ________________ (૪૯૪) ગદષ્ટિસમુચ્ચય જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તું કર્મ કર્તા અને ભક્તા પણ નથીએ
Page 348
જ ધર્મને મર્મ છે. “ છૂટે દેહાધ્યાસ તે, તું કર્તા નહિં કમ; તું ભક્તા નહિ તેહને, એ જ ધર્મને મમ.”—શ્રી આત્મસિદ્ધિ આમ આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે, અને વિભાવમાં વર્તવું તે અધર્મ છે. જે વિભાવ છે તે નિમિત્તિક છે–નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસંગાદિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સંસરે છે–રઝળે છે, અને પરભાવને કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવને કન્ન થાય છે. “પરિણામિક જે ધર્મ તમારે, તેવો અમ ધર્મ શ્રદ્ધા ભાસન રમણ વિયેગે, વળગ્ય વિભાવ અધર્મ ... રે સ્વામી ! વિનવિયે મન રંગે. જેહ વિભાવ તેહ નિમિત્તિક, સંતતિ ભાવ અનાદિ; પરનિમિત્ત વિષયસંગાદિક, હાય સાદિગ્બરે સ્વામી ! – અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરને; શુદ્ધ નિમિત્ત રમે જબ ચિઘન, કર્તા ભોક્તા ઘરનો....રે.”—શ્રી દેવચંદ્રજી આવું ધર્મ–અધર્મનું પરમ સારભૂત પરમાર્થ સ્વરૂપ જાણ સમ્યગદષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્મના નિમિત્તોને ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્મને સાધક કારણોને સત્ સાધનેને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ર જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રગટે તેહ વૃદ્ધિના ઉપાયોનું અવલંબન લે છે, આત્મસ્વરૂપના બાધક કારણોને અમારો રે !' ત્યજે છે ને સાધક કારણને ભજે છે, અને તેમાં પણ જેને એ શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધમ પ્રગટ છે, એવા પરમાત્મા પ્રભુની દૃઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, “હે પ્રભુ! હે સહજાન્મસ્વરૂપ સ્વામી ! આપને જે શુદ્ધ ધર્મ પ્રગટે છે, તે શુદ્ધ ધર્મ અને પ્રગટ !” એમ નિરંતર અજપા જાપ જપે છે. તે પ્રભુને અવલંબતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મમાં રમણતા અનુભવતાં તેને આત્મભાવ પ્રગટે છે. શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધાર; શુદ્ધ ધર્મ જે પ્રગટયો તુમ, પ્રગટો તેહ અમારે રે....સ્વામી ! શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરિયે પરભાવ; આતમધમરમણ અનુભવતાં, પ્રગટે આતમભાવ રે....સ્વામી.”—શ્રી દેવચંદ્રજી. Page #571 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : પાપસખા લેણ-હિંસાદિ પાપમય ભેગ (૪૯૫) અને સમ્યગ્દષ્ટિની આવી પ્રવૃત્તિ તત્ત્વથી-પરમાથ થી હાય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયા છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ શ્રુતપ્રધાન હાઇ એમ વિચારે છે. 5 न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् । तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥ १५९ ॥ અલક્ષ્મીસખી લક્ષ્મી ન દે, ધીમતને આનંદ; પાપસખા ત્યમ પ્રાણિને, અહી' ભાગના વૃ, ૧૫૯ અર્થ :—ખરેખર અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી બુદ્ધિમતાને આનંદ માટે થાય જ નહિ; તેમ લેાકમાં પાપના સખા એવા ભાગવિસ્તર પ્રાણીઓને આનંદ માટે થતા નથી. વિવેચન અલક્ષ્મી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમતાને આનંદદાયક થતી નથી; તેમ પાપ જેના સખા છે એવા ભાગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતા નથી. સામાન્ય લેાકવ્યવહારમાં પણ મનાય છે કે અલક્ષ્મી જેની હેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે અલક્ષ્મી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પિરણામે અલક્ષ્મી પ્રાપ્ત થાય છે, તેવી લક્ષ્મી ડાહ્યા માણસાને આનંદનું કારણ થતી નથી. સાપસખા કારણ કે જે લક્ષ્મી અનુખ'ધે અલક્ષ્મી આપે, જે કરેલી કમાણી ભાગ ધૂળધાણી થઈ નિનપણું આપે, ને અંતમાં દાહ દઈને ચાલી જાય, તેવી લક્ષ્મીથી બુધજન કેમ રાચે ? તેમ સમસ્ત પ્રકારને જે ભાગવિસ્તાર છે તેના સખા-મિત્ર પાપ છે. ભાગની અને પાપની એવી ગાઢ મૈત્રી છે, એવી દિલેાજાન ઢાસ્તી છે કે, જ્યાં જ્યાં ભાગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર લેિાજાન દાસ્ત પાપ અવશ્ય હાજર હાય જ છે. અર્થાત્ ભાગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એવા એ બન્નેને એક બીજા વિના ન ચાલે એવા-ચેન ન પડે એવા અવિનાભાવી
Page 349
સબંધ છે. આવે પાપરૂપ મિત્રવાળા અથવા પાપના મિત્ર-ગેાઠી ભાગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતા નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તા વૃત્તિઃ—નહિ—નહિં જ, અમીતવી ક્ષ્મી.-અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી, તથાપ્રકારે ઉભયના પરિભાગથી, યથાનન્યાય ધીમતામ્—જેવા પ્રકારે ધીમતાના આનાથે,—તથા તેવા પ્રકારે, પાવરઘા-પાપના સખા, અથવા પાપ જેનેા સખા છે એવા, હોજે–લાકમાં –તેના અવિનાભાવથી, ફેહિનાં મોવિસ્તર:–પ્રાણીઓના ભાગવિસ્તર, આનંદાથે થતા નથી, ભૂતાને ઉપન્નાત કર્યાં વિના ભાગ સંભવતા નથી, અને ભૂતપધાતથી પાપ છે એમ ભાવના છે, Page #572 -------------------------------------------------------------------------- ________________ (૪૯૬) ગદષ્ટિસમુચ્ચય દુ:ખ જ છે, તે પછી જેનાથી પાછળ દુઃખ છે એવા પાપસખા ભેગથી સુખ કેમ થાય ? શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકીર્ણ અમૃત વચન છે કે – પરવસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિં–શ્રી મેક્ષમાળા સર્વ પ્રકારને ભોગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપભોગમાં સર્વત્ર પાપ, પાપ ને પાપ જ છે : (૧) સર્વ પ્રકારના વિષયભોગની ઉત્પત્તિ ના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. હિંસાદિ પાપ- કામભોગની ઉત્પત્તિ માટે આરંભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભેગ પંચ વિષયની કઈ પણ સામગ્રી આરંભ-પરિગ્રહ વિના ઉપજતી નથી. સ્પશે દ્રિયનો વિષય છે કે રસનેંદ્રિયને વિષય , ધ્રાણેદ્રિયને વિષય લ્યો કે ચક્ષુરિન્દ્રિયને વિષય , શ્રોત્રંદ્રિયને વિષય લ્યો કે અન્ય કોઈ વિષય , પણ કઈ પણ ભોગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમઈ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનનો એક દાખલો જ બસ છે. આ બે ઇંચની જીભડીને રાજી રાખવા ખાતર જગમાં કેટલી બધી હિંસા થાય છે? રસને દ્રિયના રસને સંતેષવા માટે કેટલા બધા મુંગા નિર્દોષ જેને ઘાત કરાય છે? માંસાહારીઓના ક્ષણિક સ્વાદની ખાતર રોજ લાખે-કરડે પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત્ કરી રહ્યું છે! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હસે હસે પાન કરી ઉન્મત્ત લેક મેહમદિરામાં મસ્ત બની પોતાને સંસ્કારી (civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વ માટે, કોશેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તે તેની વિધિ જાણનારા સહુ કઈ જાણે છે. ઊન-ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીંછાંવાળી-રૂંછાવાળી ટેપીઓ માટે, ફેટ હૅટ (મર્કટ-મુકુટ !) સાહેબ ટેપી વગેરે માટે, હજાર-બલ્ક લાખે પ્રાણીઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગ પરિધાન કરી આ બેશરમ માનવ-પશુ પિતાની વિકૃત વિરૂપતા-બેડેળપણું ઢાંકે છે, અને તેમ કરી પોતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મોટું જોઈ મલકાય છે ! પણ તે બાપડાને ખબર નથી કે – મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિં દિલમેં.મુખડા”શ્રી કબીરજી. વળી પોતે રેગન ભોગ ન બને તેટલા ખાતર લાખો નિર્દોષ પ્રાણીઓનો ભોગ લઈ બનાવવામાં આવતી કૉડલિવર, ચીકન ઈસેન્સ વગેરે હિંસાદૂષિત દવાઓને આ લેક હસથી ઉપભોગ કરે છે! ને આથી જાણે અમરપણું પામી જવાના હોય, એમ આંખો મીંચીને બાટલાના બાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમો ગમે તેટલા ઉપાય કયે" પણ છેવટે મરણશરણ થાય છે!—આ બધા સ્કૂલ દષ્ટાંત છે, પણ કોઈ પણ Page #573 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાઇષ્ટિ : ધર્મ જન્ય ભાગા પણ અનથ હેતુ (૪૯૭ ) ન્હાનામાં ન્હાની ભોગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિ'સાન હૈાય. આમ ભાગસામગ્રીમાં સર્વાંત્ર હિ`સા વ્યાપ્ત છે; અને હિંસા એ મોટામાં મેાટુ' પાપ છે, એટલે સમસ્ત ભાગાત્પત્તિ સાથે પાપ સદા સ'કળાયેલું હેાય છે. (૨) વળી આ પાપ-સખાવાળી ભાગસામગ્રીની—વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યાને પ્રાયે પાપાપાનથી ધનપ્રાપ્તિ
Page 350
કરવી પડે છે, આર’ભપરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણી માટે ભાગ્યે જ કોઇ એવા ધંધા હશે કે જે સથા પાપમુક્ત તે અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ-વનકમ વગેરે પદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણુ હેાઇ અત્યંત નિદ્ય છે, અને આત્માથી ને સથા વર્જ્ય છે—દૂરથી ત્યજવા યાગ્ય છે. આમ ભાગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભાગના ઉપભાગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભાગસામગ્રી ભેાગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયેાના અભિલાષથી જીવના રાગ-દ્વેષ-માહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણના ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લો લહેા; 66 ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહેા રાચી રહેા ?”—શ્રી મેાક્ષમાળા. આમ ભાગની ઉત્પત્તિમાં પાપ છે, ભાગની પ્રાપ્તિમાં પાપ છે અને ભાગના ઉપભાગમાં પણ પાપ છે. એટલે ભાગને સખા પાપ છે એમ કહ્યુ તે સથા યથાથ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભાગપ્રવૃત્તિ વર્જ્ય છે, તેમજ ભોગસાધનરૂપ આરંભ-પરિગ્રહ પણ ત્યાજ્ય છે, એમ જાણી સ`વેગર'ગી સમ્યગ્દષ્ટિ પુરુષા સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આર્ભપરિગ્રહુને સંક્ષેપ કરે છે. ★ ધમ ભોગ સુદર છે એવી પણ આશકા દૂર કરવા માટે કહે છે— धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥ १६० ॥ વૃત્તિ:-ધર્માવિ મન મોળ:— ધમથકી પણ ઉપજતા ભાગ-દેવલાકામાં, કાચોપ્રાયે, બાહુલ્મથી, બનાય ફેનિામ્-પ્રાણીઓને અન` અર્થ થાય છે, તથાપ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયઃનું ગ્રહણ શુદ્ધ ધર્માક્ષેપી (શુદ્ધ ધને આકનારા—ખેંચી લાવનારા ) ભેગના નિરાસ અથે' છે,−તેના પ્રમાછવત્વના યાગને લીધે, અત્યંત અનવદ્ય તીથ કરાદિ લશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં માગમાભિનિવેશ થકી ધમ સાર ચિત્તની ઉપપત્તિને લીધે, સામાન્યથી દાંત કચું”—નાપિ સંમૂત-તથાપ્રકારે શૈત્ય પ્રકૃતિવાળા શીતલ ચાઁદનથકી પશુ ઉપજેલે, શુ ? તે કે વ્યેવ ધ્રુતાશન:-હતાશન—અગ્નિ હે જ છે, દઝાડે જ છે,-તથાસ્વભાવપણાને લીધે પ્રાય: આ આમ જ છે, (તથાપિ) કાષ્ઠ નથી પણ હતા,-સત્ય મત્રથી અભિસંસ્કૃત અગ્નિથકી દાઢની અસિદ્ધિને લીધે. આ સકત્ર લેસિÊ છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ (૪૯૮ ) ધ થકી પણ ભોગ તે, અનર્થંકર પ્રાયે જ; ચંદનથી પણ ઉપજતા, અગ્નિ અહી બાળે જ, ૧૬૦ યોગદૃષ્ટિસમુચ્ચય અઃ—ધર્મ થકી પણ ઉપજેલે ભાગ પ્રાણીઓને પ્રાયે અનથ અર્થે થાય છે. ચંદનથકી પણ ઉપજેલા અગ્નિ દઝાડે જ છે. વિવેચન “ શીતલ ચંદનથી પણ ઉપના, અગ્નિ દહે જિમ વનને રે; ધર્માંજનિત પણ ભાગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણુ શ્રી ચા સજ્ઝા ૧-૫ ,, . ઉપરમાં ભાગમાત્રને પાપસખા કહ્યો ને તેથી ગભ તપણે મુમુક્ષુને તેના નિષેધ ર્યાં, પણ ધર્મોથી-પુણ્યથી પ્રાપ્ત થતા ભાગનું શું ? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કેધર્માંથી એટલે શુભક રૂપ ધ કૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભાગ પણ દેવલે ક-મનુષ્યલાક આદિમાં જે ભાગવિસ્તરની પ્રાપ્તિ થાય છે, તે પણ અનહેતુ પણ ઘણુ કરીને પ્રાણીઓને અનરૂપ થઇ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં ઘણું કરીને ' એમ કહ્યું તે શુદ્ધ ધમને આક્ષેપનારા-ખેચી આણનારા ભાગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેવા ભાગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થંકરાદિલની શુદ્ધિ હાય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ધર્માંસાર–ધમાઁપ્રધાન ચિત્તનું હાવાપણું છે. અત્રે લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે; છ્તાં તેથી પ્રગટેલા અગ્નિ જરૂર ખાળે જ છે-દઝાડે
Page 351
જ છે. કદાપિ કેાઇ સાચા મંત્રથી સસ્કારેલ ચંદનના અગ્નિ નથી પણ ખાળતા, આ લેાકમાં પ્રતીત છે. 5-આ દેવલાકનાં સુખ તેમાં પ્રથમ દેવલાકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે જીવ શુભ ધર્માંકરણીના પુણ્યાદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય તપાસીએ!— દેવલેાકમાં વિમાનને વિષે કુદ જેવા કેમલ ઉપપાદ શિલા-ગભમાં દેવા સ્વય ઉત્પન્ન થાય છે. તે સ્થાન સ` ઇંદ્રિયાને સુખ આપનારૂ એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજમાન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, ‘ જય’ ‘ જીવ' શબ્દથી ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજલના પૂરાથી દ્વિગતરાને પ્રસાદિત કરતા એવા વજ્રકાયને મહાબલવાન્ સર્વાંગસુંદર દેવા અચિન્ત્ય પુણ્યયેાગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખા + “ तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले । उपपादिशिलागमें संभवन्ति स्वयं सुराः ।। " ( ઇત્યાદિ પરમ સુન્દર વણુંનના આધાર માટે જુમે )—શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાવ, પ્ર૦ ૩૫. Page #575 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : સુખમમ દેવ-રાદિનું પ્રમાદજીવન (૪૯). મૃતના મહાસાગરની મધ્યેથી બહાર નિકળ્યા હોય એમ તે દેવો તરત જ ક્ષણમાં નવયૌવનવાળા થાય છે. જેમ કેઈ સુખનિદ્રામાંથી આળસ મરડીને ઊઠે, તેમ આ દેવે ઉપપાદશયામાંથી ઊઠી આંખ ઉઘાડીને જુએ છે તે પરમ રમણીય સ્વર્ગભૂમિ ને તેની વિપુલ ભેગસામગ્રી નજરે પડે છે. એટલે તે આશ્ચર્યચક્તિ થઈ ચિંતવે છે–અહો ! મેં પૂર્વે અન્ય જનને દુર એવું તપ આચર્યું હતું, અને કવિતાથી પ્રાણીઓને અભયદાન દીધું હતું, મનઃશુદ્ધિથી દર્શન-જ્ઞાનાદિ ચતુષ્ટય આરાધ્યું હતું, અને જગન્ના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને આરાધ્યા હતા; વિષય અરણ્યને મેં બાળી નાંખ્યું હતું, કામ વૈરીને હણ્યા હતા, કષાય તરુઓને છેદી નાંખ્યા હતા, ને રાગશત્રુને નિયંત્રિત કર્યો હતો. આ બધે તેને પ્રભાવ છે કે જેનાથી આજે દુર્ગતિમાંથી ઉદ્ધરીને મને દેવવંદિત સ્વર્ગ રાજ્યમાં સ્થાપવામાં આવ્યે છે.' “નિત નિત નવ નવ રંગ, ગીત જય જય સદા હો લાલ ગીત સાત ધાતુ વિણ દેહ, રૂપ સુખકર મુદા હો લાલ૦ રૂ૫૦ અતિ સુકમાલ શરીર, ચતુર પંડિતવરુ હે લાલ૦ ચતુર૦ દેષ કલેશ ભયહીન, શાંત જિમ નિશકરુ હે લાલ૦ શાંત પુણ્ય ઉદે લહે સુખ, સદા મન ઊમહે હો લાલ૦ સદા દેવલોકની ભૂમિ સદા, સુખ ગુણ ગહે હો લાલ૦ સદા સુરપતિ ચેતન તામ, કામ એ પુણ્યના હો લાલ૦ કામ પૂરવકૃત તપ શીલ, ચરણ વર દાનના હે લાલ ચરણ૦ પિણ શિવસાધક માગ, એણ ગમે નહીં તે લાલ૦ એણ૦ એહ વિનાશી સુખ, દુઃખ ગિણજે સહી હે લાલ૦ દુઃખ૦ ” –શ્રી દેવચંદ્રજીત શ્રી જ્ઞાનાર્ણવ અનુવાદ, અને પછી આમ શુભકરણીજન્ય પુણ્યદયથી સાંપડેલી સ્વર્ગસંપત્તિનો ઉપભેગી દે કરે છે. ત્યાં પંચવિષયના સુખે પગ સાધનની એટલી બધી વિપુલતા હોય છે, અને દેવો ભેગસાગરમાં એટલા બધા નિમગ્ન થઈ જાય છે–મશગુલ બની પ્રમાદમાં જાય છે, કે તે આડે તેઓને બીજું કાંઈ સૂઝતું નથી. રાતદિવસ જીવનવ્યય! કયાં જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી ! અરે ! અનેક સાગરોપમ જેટલું તેમનું દીર્ઘ આયુષ્ય પણ એમ ને એમ પાણીના રેલાની માફક કયાં ચાલ્યું જાય છે તેનું પણ તેમને ભાન રહેતું નથી! આયુષ્યના માત્ર છેલ્લા છ માસ બાકી રહે છે ત્યારે એમની ફૂલની માળા કરમાવા લાગે છે, નેત્રોનું અનિમેષપણું ટાળે છે–ચક્ષુ મટમટે છે, ત્યારે તેમની આંખ ઉઘડે છે કે–અરે ! મહારે અંતકાળ હવે નજીકમાં છે. અરે રે ! મહારું આયુષ્ય મેં વિષયતલ્લીન બની પ્રમાદમાં ગુમાવ્યું: “આ સુરમ્ય સ્વર્ગભૂમિ! આ સર્વાંગસુંદર દેવાંગનાઓ ! આ પરમ પ્રણયી મિત્ર Page #576 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ચગદષ્ટિસસુલ્શય દેવા! આ સ્વામીભક્ત સેવકે ! આ નંદનવન ! આ
Page 352
કલ્પવૃક્ષેા ! આ પંચ વિષયની સ ́પૂર્ણ સામગ્રી ! અરે રે ! આ બધુંય છેડીને મ્હારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે ? ' ઇત્યાદિ અંતસ્તાપપૂર્વક ચિતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગેાની જેમ અક્સાસમાં ને અસેસમાં કેમે કરીને વીતાવે છે. આમ દેવલાકમાં પ્રાયઃ ધમથી પ્રાપ્ત થયેલ ભાગ ભાગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સ્વરૂપભ્રષ્ટતાથી તે આત્માને અનના હેતુ થઇ પડે છે. " . આ સ્વર્ગ લાકની વાત જવા દઇએ, અને પ્રત્યક્ષ દૃશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિના વિચાર કરીએ, તેા પણુ તેમજ પ્રતીત થાય છે. પ્રખળ પુણ્યાદથી ઉત્તમ રાજ્યલક્ષ્મીને પામેલ એવા રાજાત્તુિ આંતર્ જીવન જો તપાસીએ, તે તે ભાગવિલાસાક્રિમાંકે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત— પડી ગયેલા ’ જણાય છે, કે તેને - ધર્મ કા` ' માટે ‘ ફુરસદ ' મળતી નથી ! નવરાશ જડતી નથી ! એટલું જ નહિ પણ રાજ્યભારરૂપ પુષ્પશય્યામાં નહિ...—પણુ કટકશય્યામાં પેાઢી ગયેલા તે મહાનુભાવાને ‘ધર્મ' જેવી કાઇ વસ્તુ જગમાં છે કે નહિ તેની પણ ભાગ્યે જ ખખર પડે છે! જે ધમાઁના જ પ્રસાદથી આ પુણ્યવૈભવ સાંપડયો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુ:ખીઆ જીવેા કૃતઘ્ધપણુ‘ આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે! Unhappy lies the head, that wears the crown. , રાજાદિનું પ્રમાદ જીવન અથવા તે ખૂરી દશા છે. મહાઅશ્વય સંપન્ન એવા કાઇ શ્રીમંત ધનાઢ્ય હાય, તે તેની પણ એ જ કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હાય છે, માગ, મંગલા ને અગી સદા જેની તહેનાતમાં હાય છે, પાણી માગતાં દૂધ જેની પાસે હાજર થાય છે, એવા શ્રીમત ધનાઢ્ય જનેાની જીવનચર્યાં નીરખીએ તે તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હેાય છે. કારણ કે ઋદ્િ ગાવ, સગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ ગયેલા હાઇ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા પડી ગયા હાય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની ' એ ઘડી માજ ’ માણુવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હૈાય છે, હાય ! રહી જશે એમ જાણી જીવનના લ્હાવે લૂંટવાની તાલાવેલીમાં એટલા બધા લટ્ટુ ખની ગયા હૈાય છે, કે ધમ જેવી કાઇ ચીજ જગમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી ! માં તે તે ધનના મદમાં એટલા બધા છકી ગયા હાય છે, દાલતની દા–લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હેાય છે, ‘ચિત્તસ્તÀતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તે જાણે આકાશના તારા નિહાળતા હાય એમ એટલા બધા અક્કડ ને શ્રીમતાના પણ એ જ હાલ ! Page #577 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિઃ અપવાદરૂપ તીર્થંકરાદિ સપુરુષે (૧૦૧) ફકકડ બનીને ચાલે છે, કે તેઓ સમસ્ત જગતુને પિતાની પાસે તૃણવત્ તુચ્છ ગણે છે ! અરે ! પોતે મૂર્ખશિરોમણિ છતાં સાચા પંડિત સમર્થ વિદ્વજાજનોને પણ હસે છેઅપમાને છે ! અને કાં તે આ બિચારા શ્રીમંતજનો પોતે પાથરેલી પરિગ્રહની જાલમાં એટલા બધા ગુંથાઈ ગયા હોય છે, મિલ-કારખાના વગેરે પાપો પાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરજણમાં એટલા બધા પરોવાઈ ગયા હોય છે, પારકે પરસેવે સંચય કરેલ ધનરાશિ કઈ ગાંઠે બાંધવો ને ક્યાં રોકો તેના પ્રપંચની વિમાસણમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે, શેરસટ્ટાની ઉથલપાથલની ગડમથલમાં અહીંના અહીં જ પાછળ મૂકી જવા માટેના ધનના ઢગલા શીધ્ર ભેગા કરવાની વેતરણમાં એટલા બધા વ્યગ્ર બની ગયા
Page 353
હોય છે,–કે આ બાપડા ગદ્ધાવૈતરું કરનાર શ્રીમતી શાંતિથી ભેજન પણ લેતા નથી ! ચિંતામગ્ન થઈ રાતે નિરાંતે ઊંઘતા પણ નથી ! અને આવી આ ધન-મધની મધમાખીઓ જે ધન–મધને પોતે સંચય કરે છે, તેને આસ્વાદ લેવાથી પોતે જ વંચિત રહે છે! જે ધનના મધપુડા પિતે બાંધે છે, તે જાણે પારકા માટે મૂકી જવાને” જ હોયની એમ પરગજુ-પરોપકારી બને છે ! વેઠીઆ પિઠીક બની પારકી વેઠ કરે છે ! પણ પ્રમાદ છેડી, જે ધર્મથી આ એશ્વર્યની પ્રાપ્તિ થઈ છે, થાય છે, ને થવાની છે, તેને સંભારતા પણ નથી ! ખરેખર ! શ્રીમંત ધનવાન જેવું બીજું કેઈ વધારે દયાપાત્ર પ્રાણી દુનિયામાં જડવું મુશ્કેલ છે. સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બનવાજોગ છે, પણ શ્રીમંતને પ્રભુના ધામમાં પ્રવેશ થવો સંભવ નથી, એવા આશયનું મહાત્મા ઇસુ ખ્રીસ્તનું વચન બાઈબલમાં છે, તે અત્રે બરાબર લાગુ પડે છે – 'It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of heaven.' સાહ્યબી સુખદ હોય, માન તણે મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશને અંકેર હોય, દેલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ, એ તો બેએ જ બદામનું.” – શ્રીમદ્ રાજચંદ્રજી આમ સ્વર્ગમાં કે મનુષ્યમાં જ્યાં ધર્મપસાથે પુણ્યોદયથી ભાગસંપત્તિ સાંપડે છે, ત્યાં જીવન પ્રાયે વિશિષ્ટ ધર્મસાધન વિના પ્રમાદમાં વ્યતીત થાય છે, ને આત્મસ્વરૂપ ભૂલાઈ જાય છે. એટલે પરિણામે રમા ધર્મજનિત ભેગસંપત્તિ પણ પરમાર્થથી આત્માને અનર્થકારક થઈ પડે છે, અહિતરૂપ બને છે, આત્માર્થથી સૂકાવી દેનાર-વંચિત કરનાર નીવડે છે; માટે આ ધર્મ જનિત ભેગ પણ પ્રાયે અનિષ્ટ છે, પરમાર્થથી દુઃખરૂપ જ છે. અત્રે પ્રાયે–ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-આકર્ષનારા Page #578 -------------------------------------------------------------------------- ________________ (૫૦૨) ગદષ્ટિસમુચ્ચય એવા પુણ્યાનુબંધી પુણ્ય ફલના ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેમાં પ્રમાદને અાગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટપણું હોતું નથી. અપવાદરૂપ તીર્થકર આદિ ઉત્તમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષની વાત ન્યારી છે. સત્પુરુષો તેઓને અચિંત્ય પુણ્યસંભારથી તીર્થંકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત થાય છે, અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગસામગ્રીને ઉપભોગ લે છે, તે પણ તેઓને તે ઉપગ અત્યંત અનાસક્ત ભાવે હોવાથી તેઓ બંધાતા નથી. જેમ સુક્કી ભીંત પર માટીને ગળો ચૅટ નથી. તેમ નિ:સ્નેહ-અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતું નથી, પણ નિર્જરા જ થાય છે, ને ભોગકર્મથી તે છૂટે છે. કારણ કે ભોગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનોને જે ભોગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકૃત કેટિના જનોને નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદરૂપ છે. “Exception proves the rule”—અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગો –ધોરીમાગે તે સહુ કઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી–એકપદી પર ચાલવું તે કઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષો ભોગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તે ધર્મસાર જ હોય છે—ધર્મ પ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી
Page 354
જ ભાવિત ને વાસિત હોય છે. ૪ (જુઓ પૃ. ૨૭૪-ર૭૫). “રાગ ભરે જન મન રહે, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને કઈ ન પામે હો તાગ...શ્રી શ્રેયાંસ કૃપા કરે!” શ્રી યશોવિજયજી આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન–અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી, પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે; કારણ કે વિષયનું સેવન ન કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભોગાદિની કામનાઅજ્ઞાનીને વાસના હેય તે વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાબંધ: જ્ઞાની સક્તભાવ હેય ને અંતરુમાં ભોગાદિની કામના-વાસના ન હોય તો અબંધ વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તે તે સર્વોત્તમ છે, તથાપિ કેઈ અપવાદરૂપ વિશિષ્ટ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્તભાવ છતાં પૂર્વ પ્રારબ્ધદયથી વિષયસેવન હોય, તે પણ તેના x" अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । નર્માતા વૈષં નોરતાનાં વિદુતે ” શ્રી અધ્યાત્મસાર Page #579 -------------------------------------------------------------------------- ________________ સ્થિષ્ટિઃ અજ્ઞાનીને બધ, જ્ઞાની અબજ (૫૦૩) વૈરાગ્યને બાધ આવતો નથી. એટલે “વિષયના બંધ ઉત્પાદનમાં નિયમ છે નહિ. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી-નિર્જરા જ છે; કારણ કે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી –ભેગવતાં છતાં ભેગવતા નથી ! અને “અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે”—નહિં ભોગવતાં છતાં ભોગવે છે! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે. * કારણ કે જેમ કોઈ વાણેતર શેઠની વતી વ્યાપાર કરે–લેવડદેવડ કરે, પણ તે કાંઈ લાભહાનિને સ્વામી થતું નથી, તેના નફા-ટોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તે માત્ર ચીઠ્ઠીને ચાકર છે; અને શેઠ પોતે બેસી રહે છે, ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-ટોટાને માલીક છે, લાભ-હાનિનો સ્વામી છે; તેમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયે સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવનફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ-નહિં સેવનારો છે; અને મિથ્યાદષ્ટિ તે વિષય નહિં સેવતાં છતાં રાગાદિ ભાવના સભાવે વિષયસેવનફલના સ્વામિત્વને લીધે સેવક–સેવનાર છે. આમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ ભેગ ભગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજરે જ છે! ને અજ્ઞાની ભોગવતાં બંધાય છે! કારણ કે “પદ્રવ્ય ઉપભોગવતાં સતાં તેના નિમિત્તે સાત-અસાત વેદનાના ઉદયથી જીવને સુખરૂપ વા દુ:ખરૂપ જ્ઞાન-વૈરાગ્યનું ભાવ નિયમથી ઉદયમાં આવે છે. પણ તે જ્યારે વેદાય છે ત્યારે સામર્થ્ય મિથ્યાદષ્ટિને રાગાદિ ભાવના સદૂભાવથી બંધનિમિત્ત થઈને નિર્જ રાતો છતાં અજીર્ણ હોઈ બંધ જ થાય છે; પણ સમ્યગદષ્ટિને રાગાદિ ભાવના અભાવથી બંધનિમિત્ત થયા વિના કેવળ નિર્જરાતે સતે જીર્ણ થઈને નિર્જરા જ થાય છે.* આમ કઈ કમ ભેગવતાં છતાં કર્મોથી બંધાતું નથી ! તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે: (૧) જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદ્ગલ કમને ઉદય જ્ઞાની ભગવે છે પણ બંધાતું નથી. કોઈ વિષવૈદ્ય, બીજાઓને મરણનું કારણ એવું વિષ ખાતાં છતાં, અમેઘ વિદ્યાના સામર્થ્ય વડે તેની * “विषयाणां ततो बंधजनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कर्हि चित् ॥ सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥" –શ્રી યશોવિજયજી કૃત શ્રી અધ્યાત્મસાર, "सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। વાળા #વિ જ ય પાચળોત્તિ દો.”–શ્રી કુંદકુંદચાર્યજી કૃત શ્રી સમયસાર. * આ વિષય વિસ્તારથી સમજવા માટે અત્રે આધારરૂપ લીધેલ, શ્રી સમયસારની ગા. ૧૯૪-૧૯૮ તથ તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમસુંદર આત્મખ્યાતિ ટીકા અવગાહી,-તેમજ શ્રી અધ્યામસારનો વિરામ અધિકાર અવલોક. + “તત્ જ્ઞાનવ સામર્થ્ય વિરાળથ જ વા વાજી यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥" –શ્રી
Page 355
અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી સમયસાર કલશ. Page #580 -------------------------------------------------------------------------- ________________ (૫૦૪) ગદષ્ટિસમુચ્ચય શક્તિની નિરુદ્ધતાથી મરતે નથી; તેમ અજ્ઞાનીઓને રાગાદિ ભાવેના સદૂભાવથી બંધકારણ એ પૂર્વ કર્મને ઉદય ઉપભેગવતાં છતાં, અમોઘ જ્ઞાનસામર્થ્યવડે કરીને રાગાદિ ભાને અભાવ સતે તેની શક્તિની નિરુદ્ધતાથી જ્ઞાની બંધાતો નથી.-આમ જ્ઞાનનું સામર્થ્ય છે. (૨) જેમ મધ પીતે પુરુષ અરતિભાવે કરીને મદવાળો થતો નથી, તેમ દ્રવ્યના ઉપભેગમાં અરત એ જ્ઞાની બંધાતું નથી. કોઈ પુરુષ મદ્ય પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્તતે હેઈ મદ્ય પીતાં છતાં તીવ્ર અરતિના સામર્થ્યથી મદવાળે થતું નથી, તેમ રાગાદિ ભાવના અભાવે સર્વ દ્રવ્યોગ પ્રતિ તીવ્ર વિરાગભાવ પ્રવર્તતે હોઈ, વિષયે ઉપભેગવતાં છતાં, જ્ઞાની તીવ્ર વિરાગભાવના સામર્થ્યથકી, બંધાતો નથી.–આ વૈરાગ્યનું સામર્થ્ય છે.” આમ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષની વાત ન્યારી છે. તેઓ પૂર્વ કર્મથી પ્રેરાઈને પ્રારબ્ધોદયથી સંસારમાં રહ્યા હોય તો પણ તે સંસારથી પર-અસંસારી છે, ને ભેગ ભેગવતાં છતાં નથી ભેગવતા,-એ પરમ અદ્ભુત મોક્ષે નિત્ત વૈરાગ્ય તેમને હોય છે! કારણ કે તેમનું શરીર–ખેળીયું સંસારમાં છે, મરે તન: > પણ ચિત્ત તો મોક્ષમાં જ છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મોક્ષે વિત્ત મ તનુ ” “લેકમાં વર્તતા જ્ઞાની ગીની પ્રવૃત્તિઓ કાઝયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હોઈ તેમને બાધાર્થે થતી નથી, અને કાનુગ્રહના હેતુપણાથી આ “યોગમાયા” છે, એમ અન્ય દર્શનીઓ પણ કહે છે, અને એમાં પણ દૂષણ નથી.” “दारुयंत्रस्थपांचालीनृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નૈવ વધાર્ચ જ્ઞાનિનો ઢોર્તિનઃ ” –શ્રી અધ્યાત્મસાર. અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની સમ્યગદૃષ્ટિ આત્માનું દૃષ્ટાંત શોધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હમણાં જ વર્તમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જ્વલંત ઉદાહરણ મળી આવે છે. એ પરમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં સંસારપ્રસંગમાં રહેવું પડ્યું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેને અત્યંત * “जह विसमुवभुज्जतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मरसुदयं तह भुंजदि णेव बज्झए णाणी ॥ जह मज्ज़ पिबमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । વુમોને કરો : વિ જ વર્લ્સરિ તદેવ | ”—શ્રી સમયસાર, “કા વિર્ણ સુકાયે, પંતમૂવિનાયા ! વિકલા ફuiતિ મહૈિં, તો તે ધ્રુવ નિરિવર્સ ”—શ્રી વંદિત્તાસૂત્ર, Page #581 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : ધર્મજન્ય ભાગ પણ અનિષ્ટ,-ચંદનઅગ્નિવત (૫૦૫) અત્યંત ખેદ વત્તો હતો, અને મહામુનિવરોને પણ દુર્લભ એવી પરમ ઉદાસીન અદ્ભુત વૈરાગ્યમય ભાવનિગ્રંથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વર્તતી હતી, અખંડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિષ્પક્ષપાત અવલકનારને પદે પદે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત્ નિલેપ મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વિરલ જ હોય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવંત તેમના ચિત્તસમુદ્રનો તાગ લેવાનું કે અનુકરણ કરવાનું બીજાનું ગજું નથી; તેમ કરવા જતાં બીજા પ્રાકૃત અને તે ખરા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કે – “વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તાવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષય ભોગવ્યાથી નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે અને તેથી પરાજિત થવાને બદલે વિષય વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષ વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જે પ્રવર્તાવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી
Page 356
ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અથેજ વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરુષને ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૯ (૫૯૧). આમ સામાન્યપણે ધર્મજનિત ભોગ પણ અનર્થરૂપ થઈ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણ થતો એ અપવાદ છે. અત્રે ચંદનનું દૃષ્ટાંત ઘટે છે. ચંદન જે કે સ્વભાવથી શીતલ જ છે. છતાં ચંદનને ચંદનનો અગ્નિ અગ્નિ વનને બાળે જ છે, કારણ કે તે તેને સ્વભાવ છે. તેમ ધર્મ પણ બાળે પણ સ્વભાવે શીતલ-શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભેગ પણ અતદાહ | ઉપજાવે જ છે. કવચિત્ અપવાદે ચંદનને અગ્નિ મંત્રથી સંસ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડે. તેમ કેઈ અપવાદરૂપ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધર્માનિત ભોગ અનર્થ હેતુ નથી પણ થતો. કારણ કે તેવા ભાવિતાત્મા તે આત્મ-વિધાધર પુરુષોએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યું હોય છે. એટલે તેમને ભોગનું ઝેર ચડતું નથી ! બીજા અજ્ઞાની જનોને Page #582 -------------------------------------------------------------------------- ________________ (૫૦૬) યેાગદષ્ટિસમુચ્ચય જે આશ્રવનુ –કમ આગમનનું કારણ થાય છે, તે જ તેને પરિશ્રવનુ−કમ નિગ મનનું કારણ થાય છે! નિ બાલવા કે સિવા, પરસવા સે બાલવા ।।’—શ્રી આચારાંગ સૂત્ર “હેાત આસવા પિરસવા, નહિ. ઇનમેં સંદેહ; માત્ર દૃષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.”—શ્રીમદ્ રાજચ`દ્રજી આ ઉપરથી ફલિતા એ છે કે સમ્યગ્દૃષ્ટિ પુરુષને ધર્મ જનિત ભાગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુણ્યાદયથી સાંપડેલ ભેગ પણ અકારે લાગે છે, કારણ કે તે સારી પેઠે સમજે છે કેઆ વિષયભોગ આત્માને પ્રમાદના-સ્વરૂપભ્રષ્ટ કરવાના ધર્મજન્ય ભાગ કારણ છે, માટે એની અડાસે પણ ઉતરવા ચાગ્ય નથી. એમ સમજી પણ અનિષ્ટ તે વિષયભોગ ઇચ્છતા જ નથી અને તેથી ભાગતા જ ફરે છે. પણ પૂ પ્રારüાદયથી કવચિત્ તેમ ન ખની શકે, તેા સતત ચેતતા રહી અનાસક્તભાવે–અનાત્મભાવે ભોગવી તે કમને ખેરવી નાંખે છે, પણુ મધાતા નથી ! તે અવિનાશી જાણે પુદ્ગલાલના તમાસા જોઈ રહ્યો હાય એમ કેવળ દૃષ્ટાભાવે– સાક્ષીભાવે વર્તે છે. તથા— भोगाचदिच्छा विरतिः स्कंधभारापनुत्तये । स्कंधान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥ १६१॥ વૃત્તિ:-મોત ભોગથકી, ત્િøાવિત્તિઃ—તેની—ભાગની ઇચ્છાની વિરતિ,−તાત્કાલિકી, શું? તે કે --ષમારાપનુત્તયે-કંધભાર દૂર કરવા માટે, સ્કંધાન્તલમારોઃ-સ્કધાન્તર સમારાપ વર્તે છે, ખીજી ખાંધ પર લાદવા ખરાખર છે, શા કારણથી ? તેા કે–તરણંગ વિધાનન્તઃ-તેના સંસ્કારવિધાનથી, તથાપ્રકારે કર્યું અંધથી અનિષ્ટ એવા ભાગસંસ્કારના વિધાનથકી, તત્ત્વથી તેની ઇચ્છાની અનિવૃત્તિને લીધે, એમ પાંચમી દૃષ્ટિ કહી. આ દષ્ટિ સતે, ખીજા યેાગાચાર્યેએ પણ અલૌક્ષ્—અલાલુપતા આદિ ગુણા કલા છે. કહ્યું છે કે— " अलौल्यमारोग्यम निष्ठुरत्वम्, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टयभः, जनप्रियत्वं च तथा परं स्यात् ॥ दोषव्यपायः परमा च तृप्ति - रौचित्ययोगः समता च गुर्वी । વૈવિનાશોડથ શ્રૃતમા થી—ર્નિqયોગસ્થ તુ વિજ્ઞમતત્ ॥ ” ઇત્યાદિ. અર્થાત્—( ૧ ) અલૌલ્ગ–અલેલુપપણુ, ( ૨ ) આરેાઞ. ( ૩ ) અનિષ્ઠુરપણું–કઠારપણું, Page #583 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાદષ્ટિ : ભેગથી ઈરછાનિવૃત્તિ ન થાય (૫૦૭) ભેગથકી ઇચ્છા-વિરતિ તે, તસ સંસ્કાર કરે૫;. અંધભાર ઉતારવા, સકંધાતર આરોપ, ૧૬૧. અર્થ :–ભેગથકી તેની ઈચ્છાવિરતિ તે ખાંધ પર ભાર દૂર કરવા માટે બીજી ખાંધ પર લાદવા બરાબર છે,–તેને સંસ્કાર વિધાનને લીધે. વિવેચન ત્યારે કઈ કહેશે
Page 357
કે-વિષયભેગથી તેની ઇચછાની નિવૃત્તિ થશે, ભેગ ભેગવ્યાથી એના પ્રત્યે કંટાળો–વૈરાગ્ય આવશે, તે તે માનવું પણ ખોટું છે. કારણ કે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી, તે તો એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાંધે ભોગથી ભાર આપવા બરાબર છે, કારણ કે તેના સંસ્કાર તે ચાલુ જ છે. ઈચ્છાનિવૃત્તિ જેમ કઈ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે ન થાય બીજી ખાંધે ભાર આપે છે, પણ ભાર મૂકી દેતે નથી; તેમ ભગવાંચ્છક એક વિષયથી થાકે-કંટાળે એટલે તેની ઈચ્છાથી વિરામ પામી બીજો વિષય પકડે છે, પણ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતે નથી, માટે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી શક્ય નથી. કારણ કે ભેગસંસ્કાર છૂટયો નથી-વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભોગ થકી જે ઈચ્છાવિરતિ થવી તે તે તત્વથી ઈચ્છા અનિવૃત્તિરૂપ જ છે, કારણ કે વાસનાને અનુબંધ ચાલુ જ છે !* આમ જાણી આ સમ્યગદષ્ટિ પુરુષ ભોગેચ્છાથી દૂર રહે છે; વિષયવાંચછા ત્યજે છે, વિષયવાસનાનો ત્યાગ કરે છે અને કદાચિત્ પૂર્વકર્મવેગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે - પ્રાપ્ત ભાગસંપત્તિને ઉપભોગ કરે છે, તે પણ અનાસક્તભાવે-અનાત્મપુદ્ગલ જાલ ભાવે જલકમલવત્ નિલેપ રહીને જ કરે છે, એટલે તે તેમાં બંધાતે તમાસી રે” નથી અને કર્મ ભોગવીને છૂટી જાય છે. આ સમ્યગદષ્ટિ પુરુષની (૪) શુભ ગંધ, (૫) અલ્પ મૂત્ર-પુરીષ –આ ગપ્રત્તિનું પ્રથમ ચિહ્ન છે. (૬) મૈત્રી આથિી યુક્ત ચિત્ત, (૭) વિષમાં અચેત એવું ચિત્ત, (૮) પ્રભાવવંત ચિત્ત, (૯) અને હૈયથી યુક્ત એવું ચિત્ત. (૧૦) ધંધોથી અધૃષ્યત્વ - ઈષ્ટ અનિષ્ટ, લાભ-અલાભ આદિ ઠંધોથી નહિ ગભરાવાપણું. (૧૧) અને જનપ્રિયપણું-આ બીજું ચિહ્ન છે. (૧૨) દોષને અપાય-દૂર થવું તે, (૧૩) અને પરમ તૃપ્તિ, (૧૪) ઔચિત્ય યોગ, ( ૧૫ ) અને ભારી સમતા, ( ૧૬ ) વૈરાદિને નાશ, ( ૧૭ ) અને ઋતંભરા બુદ્ધિ,-આ નિષ્પન્ન વેગનું ચિહ્ન છે. અહીં પણ આ અકૃત્રિમ ગુણસમૂહ અહીંથી જ (આ દષ્ટિથી જ) આરંભીને જોડવો. x "सिद्धथा विषयसौख्यस्य वैराग्यं वर्णयति ये । मतं न युज्यते तेषां यावदर्थप्रसिद्धितः। अप्रासत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः। कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्धते ॥" અધ્યાત્મસાર, Page #584 -------------------------------------------------------------------------- ________________ (૫૦૮) ગદષ્ટિસમુચ્ચય આશ્ચર્ય ઘટના છે. કારણ કે તે શુદ્ધ આત્મસ્વરૂપને દષ્ટા-જ્ઞાતા હેઈ, પુદ્ગલની બાજુમાં સપડાતું નથી, અને આ બધું રૂપ-રસ-ગંધ-પર્શ –શબ્દમય પુદ્ગલને તમાસે છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, માત્ર દૃષ્ટારૂપે–સાક્ષીભાવે તે તમાસો જોયા કરે છે, અને મફતમાં આનંદ માણે છે ! કારણ કે જે ચિદાનંદઘનના સુયશને વિલાસી છે, તે પર વસ્તુની આશા કેમ રાખે? અંશે હોય ઈહ અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, તે કિમ પરને આશી રે? તે ગુણ”, દ, સઝા.૧-૬ જગતને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ”શ્રીમદ્ રાજચંદ્રજી. UR યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણ આ પાંચમી દષ્ટિમાં વળી અલૌલ્યાદિ બીજા ગુણો જે અન્ય યોગાચાર્યોએ પણ કહ્યા છે, તે પણ ઘટે છે, તે આ પ્રકારે –(૧) અલેલુપતા-સમ્યગદષ્ટિ પુરુષને વિષય વાસના નષ્ટ હોય છે, અથવા અતિ મંદ હોય છે, મેળી પડી ચોગપ્રવૃત્તિના ગયેલી હોય છે, એટલે તેને વિષયલેલુપતા સંભવતી નથી. સમ્યગપ્રથમ ચિહન દૃષ્ટિ જીવ વિષય માટે ઝાંવાં નાખતું નથી કે તે માટે તલપાપડ થત જ નથી. પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ભોગ પણ તે અનાસક્તપણે અમૂચ્છિતપણે ભોગવે છે. (૨) આરોગ્ય-ગસાધનના પ્રભાવથી સમ્યગદષ્ટિને આરોગ્ય વર્તે છે. મન-વચન-કાયાના ગની શુદ્ધિથી તથા વિષય અલેલુપતાથી રોગ હોય તે નાબુદ થાય છે ને ન થતું નથી. આરોગ્ય સાંપડે છે. (૩) અનિપ્પરપણુ–સમ્યગદષ્ટિના મનપરિણામ અત્યંત
Page 358
કોમળ થઈ જાય છે, દયા-અનુકંપાથી આ ભીના બને છે. એટલે તેનામાં કઈ પણ પ્રકારનું નિષ્ફરપણું હોતું નથી, પણ કુસુમ સમું કમળપણું, મૃદુપણું ને દયાદ્રપણું જ હોય છે. દેવચંદ્રજીએ ગાયું છે તેમ “ભાવ દયા પરિણામને એહ જ છે વ્યવહાર.” (૪) શુભગધ-યેગી પુરુષને યોગસિદ્ધિના પ્રભાવથી શરીરને પરિમલ પણ સુગંધી–સુવાસિત બની જાય છે, કાંતિ પ્રસન્નતા આદિ પણ વધે છે. (૫) અપ મૂત્ર-પુરીષ–યેગસાધનાથી શરીરમાં કોઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી શરીરના મલ સુકાઈ જઈ મલમૂત્ર પણ થડા થાય છે, લઘુનીતિ–વડીનીતિ અલ્પ બને છે. ઈત્યાદિ ગપ્રવૃત્તિના પ્રથમ ચિહ્ન છે, પ્રથમ વાનકીરૂપ છે. આ બધાં લક્ષણે યોગસાધનાના પ્રારંભમાં જણાય છે. “અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અ૯૫ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ... ધન ધન શાસન શ્રી જિનવરતણુ!” શ્રી એ. સ. -૧ Page #585 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણું (૫૦૯) (૬) મૈત્રી આદિ યુક્ત ચિત્ત—આગલી દૃષ્ટિએમાં કરેલી ચેાગસાધનાથી ચિત્ત મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષયે। . પ્રત્યે અચેત—વિષયે પ્રત્યે ચિત્ત અચેત હાય છે. (૮) પ્રભાવવ’તપણુ—યોગ પ્રભાવથી ચગી પુરુષને ખીજુ` ચિહ્ન કાઇ આર પ્રભાવ ઝળકે છે. જેથી સામેા માણસ અજાઈ જાય છે, ને તેના પર ચમત્કારની સ્વાભાવિક છાપ પડે છે. ચેાગી પુરુષને જોતાં જ આ કાઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્ય વંતપણુ – પરમ આત્મનિર્ભયતાથી યાગી સમ્યગ્દષ્ટિ પુરુષનું ધૈર્ય અસાધારણ–અલૌકિક હાય છે. (૧૦) * અધૃષ્ટત્ર—સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હુ શેક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દ્વોથી યાગીનું અદૃષ્યપણું હાય છે. અર્થાત્ તે તે ન્દ્રોથી સમ્યગ્દૃષ્ટિ પુરુષ ક્ષેાભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે દ્વન્દ્વોને। ભાર નથી કે યેગી પુરુષનેા વાળ વાંકા કરી શકે. (૧૧) જનપ્રિયત્વ—આવા સમ્યગ્દષ્ટિ પુરુષ લેાકપ્રિય હેાય છે. એમનુ દ”ન થતાં લેાકેાને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ સ્ફુરે છે, એવા તે પ્રિયદર્શન હેાય છે.—આ બધા ચેગના બીજા ચિહન છે. શ્વીર પ્રભાવી ર્ આગલે ચેગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઇષ્ટના રૈ દ્વંદ્વ અષ્ટતા, જનપ્રિયતા હાય નિત્ય....ધન ધન૦” -શ્રી ચાગ સ. ૬-૨. (૧૨) દોષ વ્યપાય—રાગ, દ્વેષ-માઠુ આદિ દોષ દૂર થાય છે, અથવા અત્યંત મઢ થાય છે, મેળા પડે છે. જેમ જેમ સમ્યગ્દČનની દૃઢતા થાય છે, તેમ તેમ રાગદ્વેષ-મૈાહ એ ત્રિદેષનુ જોર એવું થતુ જાય છે. (૧૩) પરમ તૃપ્તિનિષ્પન્ન ચેાગના આત્માષીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ તૃપ્તિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આસ્વાદથી તે એટલા બધા આત્મતૃપ્ત થઈ ગયેલ હેાય છે, એટલા બધા ધરાઈ ગયેલ હાય છે, કે તેને પછી ચિહ્ન માકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય યાગ——સમ્યગ્દષ્ટિ સર્વાંત્ર ઔચિત્યથી–ઉચિતપણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા—સમ્યગ્દૃષ્ટિને સત્ર કોઈ અપૂર્વ' સમતા વર્તે છે. (૧૬) વૈદિ નાશ—સમ્યગ્દષ્ટિને વૈર-વિરોધ, કલેશ આદિના નાશ સહજમાં થઇ જાય છે, કારણ કે વૈર વિધાદિ કરીને કઇ ગાંઠે બાંધવા છે? એમ સભ્યદૃષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સભ્યષ્ટિના સન્નિધાનમાં વૈરાદિના નાશ થાય છે, એવા તેમના ઉગ્ર મહાપ્રભાવ વર્તે છે. ચેગી પુરુષાની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પેાતાના જાતિવૈર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) ઋતંભરા બુદ્ધિ- ‘ૠતું વિમÎત્તિ ૠર્તમા’અર્થાત્ ઋત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણુ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે ઋત ભરા Page #586 -------------------------------------------------------------------------- ________________ (૫૧૦) યોગદષ્ટિસમુચય બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ઋતંભરા બુદ્ધિને પ્રાતિજ જ્ઞાન પણ
Page 359
કહે છે. તે શ્રુતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રત ને અનુમાનને વિષય સામાન્ય છે, ઋતંભરાને વિષય વિશેષ છે. આ ઋતંભરા બુદ્ધિ અધ્યાત્મપ્રસાદથી-અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છેઅત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે.-આ બધા નિષ્પન્ન-સિદ્ધ યોગના લક્ષણ છે. અને તે પાંચમી દષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે. “નાશ દેષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વૈરને રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નહ ગ....ધન ધન ચિઠ યોગના રે જે પરગ્રંથમાં, યોગાચારજ દીઠ; પાંચમી દષ્ટિથકી સવિ જેડીએ, એહવા તેહ ગરીઠ...ધન ધન.” શ્રી સઝા ૬-૩-૪ પાંચમી સ્થિર દષ્ટિને સાર આ સ્થિરા દષ્ટિમાં–(૧) દર્શન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હોય છે, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ પ્રાપ્ત થાય છે, (૩) બ્રાંતિ નામનો પાંચમો ચિત્તદેષ ટળે છે, અને (૪) સૂફમધ નામને પાંચ ગુણ સાંપડે છે. આ દૃષ્ટિવાળા સભ્યશની જ્ઞાની પુરુષને અજ્ઞાનધકારરૂપ તમોગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમસ્ત સંસારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન બાલકની ધૂલિહકીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે, સમ્યક્ પરિણત શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સર્વ બાહ્ય ભાવને મૃગજલ જેવા, ગંધર્વનગર જેવા, અને સ્વપ્ન જેવા દેખે છે, અબાહ્ય-આંતર્ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનજ્યોતિ છે તે જ અત્રે પરમ તત્વ છે, બાકી બીજે બધે ઉપપ્લવ છે,-એમ જેને વિવેક ઉપજે છે એવા આ સમ્યગદષ્ટિ ધીર સતપર તથા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અર્થાત્ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે વિષયવિકારોમાં ઇદ્રિને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્વથી યત્નવંત રહે છે. - અલક્ષ્મીની સખી એવી લક્ષમી જેમ બુદ્ધિમતેને આનંદદાયી થતી નથી, તેમ પાપને સખા એ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, કારણ કે પાપને અને ભેગને સંબંધ એક બીજા વિના ન ચાલે એ અવિનાભાવી છે, અર્થાત ભેગ છે ત્યાં પાપ હોય છે જ પ્રાણીઓના ઉપઘાત સિવાય ભોગ સંભવિત x" अध्यात्म निर्विचारत्ववैशारखे प्रसीदति । ऋतंभरा ततः प्रज्ञा श्रतानुमितितोऽधिका॥" - શ્રી યશoyત દ્વા દ્વા૦ Page #587 -------------------------------------------------------------------------- ________________ સ્થિરાષ્ટિ: સ્થિરાષ્ટિના સાર, કળશ કાવ્ય (૫૧૧) નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ્ઠ એવા સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયભાગથી વિરામ પામવા જ ઇચ્છે છે. વળી ધમથી પણ ઉપજતા ભેાગ પ્રાયે અનથકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચ'દનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધજનિત ભાગ પણ તાપ પમાડતા હાઇ સભ્યદૃષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ-ભાગથી ભાગ-ઇચ્છાવિરતિ માનવી, તે તે એક ખાંધેથી ભાર ઉતારી ખીજી ખાંધે લાદવા ખરાખર છે. તેથી કાંઈ ભાર ઉત્તરતા નથી, પણ ભારનેા સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભોગથી ભોગની ઈચ્છા વિરામ પામશે . એમ માનવું તે બ્રાંતિ છે, કારણ કે તેથી તેા ઊલટા ભાગેચ્છાના નવા નવા સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી.–એમ સમજી સમ્યગ્દષ્ટિ પુરુષ જેમ બને તેમ ભોગને દૂરથી વવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત્ વિષયેામાંથી ઇંદ્રિયાને પાછી ખે`ચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે. વળી ચેાગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ચેાગાચાર્યએ કહ્યા છે, તે પણ આ પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટે છે. ( જુએ પૃ॰ ૫૦૬) સ્થિરાદષ્ટિનું' કોષ્ટક ૧૧ દર્શીન રત્નપ્રભાસમનિત્ય યાત્રાંગ પ્રત્યાહાર દોષત્યાગ ભ્રાંતિયાગ ગુણુપ્રાપ્તિ સૂક્ષ્માષ અલેાલુપતાદિ —; કળશ કાવ્ય — ચાપાઈ દન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇંદ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યાગી સૂક્ષ્મ સુખાધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસ‘વેદ્ય પદે સ્થિર ભાવ; વીતી
Page 360
માહ અધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર–નીર જ્યમ જાણી લેદ્ય, સ્વપર વસ્તુના કરી વિભેદ; યેાગી હુંસ શુદ્ધ માનસ રમે, પરપરિણતિ આત્માની વયે ૧૧૪ ખાલ ધૂલિગૃહક્રીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી; મૃગજલ ને સ્વપ્નાદિ સમાન, દેખે ભાવા બાહ્ય સુજાણુ. ૧૧૫ ગુણસ્થાન ૪-૫ Page #588 -------------------------------------------------------------------------- ________________ (૫૧૨) યોગદષ્ટિસમુચય અબાહ્ય કેવલ તિ એક, નિરાબાધ નિરામય છેક; તેજ પરમ અહિં તત્વ પ્રમાણ, બાકી બધા ઉપપ્લવ જાણું. ૧૧૬ એમ વિવેકી ધીર મહંત, પ્રત્યાહાર સદાય કરંત, વિષયોમાંથી ઇંદ્રિય હરે, આસક્તિ ભોગે ના ધરે. ૧૧૭ જેહ હરાયા છે જેમાં વિષયમાં ધરતી બહુ પ્રેમ હઠથી હઠાવી ઇંદ્રિય તેહ, સ્વરૂપમાં જોડે ગુણગેહ ૧૧૮ પાપ તણે મિત્ર જ છે ભોગ, યોગ પ્રત્યે રોગ જ છે ભોગ; ભોગ ભુજંગ તણે છે ભોગ, ઇછે કયમયેગી તે ભોગ? ૧૧૯ ધર્મથી પણ સાંપડતે ભોગ, તેને પણ ગમે નહિ ગ; ઉપ શીતલ ચંદન થકી, તે અગ્નિય વન બાળે નકી. ૧૨૦ ભોગથી ઇચ્છા તણે વિરામ, કદી ન થાયે-વધે જ કામ; એક ખાંધેથી ઉતારી ભાર, બીજે લાદ તે અવધાર! ૧૨૧ એમ ચિંતે યેગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ; વિષયવિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે. ૧૨૨ અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, યોગને હેયે સંનિધિ; વિભૂતિ સૌ દાસી થઈ ફરે, આવી સ્વયં યેગીને વરે. ૧૨૩ તે સામી નવ દષ્ટિ કરે, ગી સમ્યગદષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની ઋદ્ધિ, ત્યાં કુણ માત્રજ લબ્ધિ સિદ્ધિઃ ૧૨૪ બેસી સ્વરૂપના ઘરમાંહિ, યેગી સાક્ષી ભાવે આંહિ; પુદ્ગલજાલ તમાસે જુવે, લીલા લહેર મફત અનુભવે. ૧૨૫ ધર્મતણી બાધા પરિહર, તત્વથી ધર્મ યત્ન જ કરે; આત્મધર્મમાં સ્થિરતા ધરે, ભગવાન્ મનનંદન પદ વરે. ૧૨૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने पञ्चमी स्थिरादृष्टिः॥ Page #589 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ અને તથા પ્રકારે છઠ્ઠી દષ્ટિ કહી દેખાડવા માટે કહે છેજાન્તાવાતાં શી ધાર I अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसाऽस्ति हितोदया ॥ १६२ ॥ કાંતા દષ્ટિ છઠ્ઠીમાં, જે કહ્યું હમણાં જ તેહ બધુંયે હોય છે, અન્ય પ્રીતિને કાજ, હેય પર અહિં ધારણા, એથી અન્યમુદ નય; મીમાંસા વળી સર્વદ, હિતેયયુત હોય, ૧૬ર અર્થ–કાંતા દષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિ કારણ થાય છે, તથા પરા ધારણ હોય છે; એથી અત્રે અન્યમુદ્ હોતી નથી ને નિત્ય હિતેાદયી મીમાંસા હોય છે. વિવેચન છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારા પ્રકાશ; તત્વમીમાંસા રે દઢ હોય ધારણા, નહિં અન્ય કૃત વાસ... ધન ધન શાસન શ્રી જિનવરતણુ!'”—શ્રી. એ. દ. સઝાય -૫ વૃત્તિ:-હનાથામ-કાના દૃષ્ટિમાં, તટુ-આ, અનંતર-હમણું જ કહેલું નિત્યદર્શનાદિ બીર-બીજાઓની પ્રીતિ અર્થ થાય છે નહિ કે દ્વેષ અર્થે. તથા બારણા પા-પરા-પ્રધાન ધાણા હોય છે. “ચિત્તને દેશબંધ’ એ ધારણાનું લક્ષણ છે. કહ્યું છે કે-“સેશવપત્તિથ ધાણા” (પા. રૂ. ૧). બતો-આ ધારણાથકી, શત્ર-આ દૃષ્ટિમાં, નાથકુટુ-અન્યમુદ્ નથી હતી, અન્યત્ર હર્ષ નથી હોત,–ત્યારે તે તે પ્રતિભાસના અાગને લીધે. તથ-નિત્ય-નિત્ય, સર્વ કાળ, મીનસાડત્તિ-સવિચારાત્મિકા મીમાંસા હોય છે, એટલે જ કહ્યું-તિયા-હિતેાદયવાળી,-સમ્યગ્રજ્ઞાનના ફળપણુએ કરીને. Page #590 -------------------------------------------------------------------------- ________________ (૫૧૪) ગદષ્ટિસમુચ્ચય આ છઠ્ઠી કાંતા દષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દર્શનાદિ બધુંય હોય છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે છે–નહિ કે દ્વેષ. (૨) પરમ ધારણું હોય છે. ધારણા એટલે ચિત્તને દેશબંધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દ હેતી નથી, અર્થાત્ અન્યત્ર હર્ષ હોતો નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસને અયોગ હોય છે. (૪) તથા નિત્ય-સવકાળ સવિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હોય છે, કે જે સમ્યગ જ્ઞાનના ફળ૫ણુએ કરીને હિદયવંતી હોય છે. આ દૃષ્ટિને “કાંતા” નામ આપ્યું છે, તે યથાર્થ
Page 361
છે. કારણ કે આ દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા આ ઘરના બીજાં બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળે સમ્યગદૃષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતે હોય, પણ તેનું ચિત્ત સદાય શ્રુતધર્મમાં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-હાલી લાગે છે. આ દ્રષ્ટિમાં રિથતિ કરતો પુરુષ કાંત-કમનીય–પરમ રમ્ય ભાસે છે, એટલે અન્ય ઇવેને બહુ પ્રિય-હાલો લાગે એવો જનપ્રિય હોય છે, એટલે આ દષ્ટિને પણ કાંતા” નામ ઘટે છે. અથવા આ દષ્ટિ યોગીજનેને બહુ પ્રિય છે, એટલે પણ તે યંતા છે. આમ ખરેખર “કાંતા” એવી આ છઠ્ઠી દ્રષ્ટિમાં પાંચમી દષ્ટિનો જે નિત્ય દર્શનાદિ ગુણગણ કહ્યો, તે તે હોય જ છે, પણ તે વિશેષ નિર્મળપણે. એટલે નિત્યદર્શન, સૂક્ષ્મ બોધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની એર બળવત્તરતા વર્તે છે. અત્રે જે દર્શન થાય છે તે સ્થિર દષ્ટિની પેઠે નિત્ય-અપ્રતિપાતી હોય છે, પણ વધારે નિર્મલ અને બળવાન હોય છે. તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાને પ્રકાશ રત્નની જેમ સ્થિર હોય છે, પણ તેના કરતાં વધારે બળવાન તેજસ્વી હોય તિહાં તારાલ છે. તારાને પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા સ્થિર હોય છે, તેમ પ્રકાશ” આ દૃષ્ટિવાળા સમ્યગૃષ્ટિ પુરુષને સમ્યગદર્શનમય બોધ-પ્રકાશ ચિદા કાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દર્શન અર્થાત્ આત્માનુભવજન્ય સશ્રદ્ધાવંત બેય એટલે બધો સ્પષ્ટ હોય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દષ્ટિને બોધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણ પ્રથમ તે પરમ જ્ઞાની એવા પ્રભુનુંપરમાત્માનું અવલંબન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુસ્તર ભવસમુદ્ર પણ તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુના પ્રબલ અવલંબનથી ગોપદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનબલથી આત્મા નિરવલબનપણું પામી નિજ ગુણરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે. એટલે જ આવા આ સમ્યગ્દશની પુરુષનો બાધ અત્યંત સૂક્ષમ હોય છે. દ્રવ્યાનુ Page #591 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : તારા સમ પ્રકાશ-સુમબાધાદિ, ધારણા (૫૧૫) સૂક્ષ્મ બાધ યોગ ને તેના મમ્દરૂપ રહસ્યને સમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વથી સભ્યપણે જાણે છે. તેની શ્રુત-અનુભવની દેશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસ્વરૂપને અવભાસ થાય છે. સ્વ-પર ભાવને પરમ વિવેક કરવારૂપ સૂક્ષ્મ ખાધ અત્રે અધિક બળવત્તર હેાય છે, અત્યંત સ્થિર હાય છે. હું દેહાદ્ધિથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવુ· પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દૃઢ ભાવનાવાળું હાય છે. એટલે તે સમ્યગ્દષ્ટિ પુરુષ ભાવે છે કે-ચૈતન્ય* શક્તિમાં જેના સČસ્વ સાર વ્યાપ્ત છે એવા આ આત્મા આટલેા જ છે, એનાથી અતિરિક્ત (જુદા) આ સર્વેય ભાવા પૌલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વર્ણામિાન્ પુદ્ગલ જ નાચે છે-અન્ય નહિ; અને આ જીવ તા રાગાદિ પુદ્દગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂત્તિરૂપ છે.’-એવી દૃઢ આત્મભાવનાને લીધે ચૈતન્યથી રિક્ત-ખાલી એવું બધુંય એકદમ છેાડી ઇ, અત્યંત સ્ફુટ એવા ચિતશક્તિમાત્ર આત્માને અવગાહીને તેએ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.' આવા સૂક્ષ્મ મેધ હોવાથી સમ્યગ્દૃષ્ટિને કયારનીચે મિથ્યાત્વજન્ય શ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યક્ત્વ
Page 362
અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. પર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવના મેાટામાં મેાટો રાગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને તે। આ આત્મબ્રાંતિરૂપ મહારોગ સર્વથા દૂર થયા છે, એટલે તેએ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઇ, સ્વરૂપૈકનિષ્ઠ બની પરમ આત્મશાંતિ અનુભવે છે. આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હેાવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સ્વરૂપવિશ્રાંતિમય પરમ શાંતિ મળી હેાવાથી, આ જ્ઞાની સમ્યગ્દૃષ્ટિ સત્પુરુષ પરભાવમાંથી આત્માને પાછા ખેચી લે છે-પ્રત્યાહત કરે છે. એટલે તે પ્રત્યાહાર પરપરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી— મેહમૂચ્છિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે. * "चिच्छक्तिव्याप्त सर्वस्वसारा जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी ॥ अस्मिन्ननादीनि महत्यविवेकनाटये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकार विरुद्ध शुद्ध - चैतन्यधातुमयमूर्त्तिरयं तु जीवः ॥ सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तम्, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिपात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात्, कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥” શ્રી અમૃતચંદ્રાચાર્ય છકૃત —શ્રી સમયસાર કલશ. Page #592 -------------------------------------------------------------------------- ________________ (૫૧૬) ગદષ્ટિસમુચ્ચય તેઓ પૌગલિક વિષયભેગથી નિરંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયમાંથી ઇદ્રિને પ્રત્યાહાર કરે છે–પાછી ખેંચી લે છે. એટલે એમની આશ્રવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સંવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પોતે જ સાક્ષાત્ સંવરરૂપ થાય છે, સવરૂપગુપ્ત બને છે. આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દષ્ટિના ગુણગણુનો આત્મલાભ અત્ર છઠ્ઠી દ્રષ્ટિમાં વિશેષ પ્રબળપણે-નિર્મળપણે અનુવર છે જ. આવા પરમ ઉદાર ગુણસંપન્ન સમ્યગદષ્ટિ સન્દુરુષને દેખીને અન્ય જીને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ કુરે એવી તેમની જનપ્રિયતા હોય છે. આ મહંતોના સ્વરૂપાચરણરૂપ ચારિત્રને કઈ એ મુંગો મહાપ્રભાવ સ્વયં કુરે છે, કે તેમને જોતાં જ બીજા ને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે. યોગનું છછું અંગ-ધારણા “જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચંદ્રજી આ દૃષ્ટિમાં ધારણા નામનું છઠ્ઠું ચોગ અંગ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણ થાય છે. ધારણું એટલે ચિત્તને દેશબંધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં–ક્ષેત્રમાં બાંધી રાખવું-ધારી વિભાવ નિવૃત્તિ રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનમર્કટ ચારે કોર ભ્રમણ સ્વભાવ પ્રવૃત્તિ કરવાનો અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં સ્થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરોહણ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. (જુઓ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહુત કરેપાછો ખેંચ તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખ તે ધારણનું કામ છે. આમ ચિત્તને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવું, આત્મસ્વરૂપ ધર્મમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સમ્યગદષ્ટિ યેગી પુરુષ ધરે છે, કે જે અંતે તત્તાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણવાળા સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ પર પરિણતિ* છેડી દઈ, ભેદવાદોનું ખંડન કરી, ઉદિત અખંડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કર્મ પ્રવૃત્તિને અવકાશ કયાંથી હોય છે અથવા પૌગલિક કર્મ બંધ કયાંથી હોય?” આવી અદભત આત્મસ્વભાવ ધમમય * "परपरिणतिमुज्झत् खंडयझेदवादा-निदमुदितमखण्डं ज्ञानमुञ्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मवन्धः॥" (ઈત્યાદિ વિશેષ માટે જુઓ)–શ્રી સમયસારકલશ. Page #593 -------------------------------------------------------------------------- ________________ કાંતા દુષ્ટિ : અન્યમુદ-“મને ન ગમે તે બીજાને સંગ’ (૫૧૭) ધારણવાળા ભેદજ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક-જાગતા હોય છે, અને
Page 363
પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા ને મૂંગા હોય છે ! “અરમકવૃત્તાવત્તિના :, પવૃત્તી વિષયૂઃ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ. અન્યમુદ્ દોષને નાશ. “ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત...જિનેસર ! બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત...જિ.” શ્રી આનંદઘનજી. અને અત્રે આવી સ્વસ્વરૂપમાં દઢ અવધારણરૂપ ધારણ હોય છે, એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા દઢ યેગીને અન્યમુદ્ હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતે નથી, એક આત્મા સિવાય બીજે ક્યાંય આનંદ થતો નથી, કારણ બીજે મન- કે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન મંદિર આણું આત્માના પરમ અમૃત સુખને રસાસ્વાદ જેણે ચાખે હેય, તેને નહિં તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ રસ આત્મા અને આત્મધર્મ શિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે? આવા આત્મારામી સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખને વિરહ તે ખમી શકતા નથી. અને અનિચ્છતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃતસુખસિંધુના અખંડ અનુભવનમાં વિપ્ન આવે, તે તેથી તેને આત્મા અત્યંત સંવેદનવાળે પ્રશસ્ત ખેદ અનુભવે છે. –એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે. “મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી; મહતિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઊપશમચી.... હું તે વારિ પ્રભુ ! તુમ મુખની.”—શ્રી દેવચંદ્રજી. કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ પરમ આત્મતત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એવો પરમ પ્રેમપ્રવાહ પ્રવહત હોય છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત ચંચમાત્ર પણ રતિ મને ન ગમે છે પામતું નથી. શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ બીજાને સંગ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાને સંગ ગમતું નથી. માલતી ફૂલે જે મહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય, તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુધી ખાચિયાના પાણીમાં કેમ રમે ? અત્યંત ઉત્કંઠાથી જે “પીઉ પીઉ” જપી Page #594 -------------------------------------------------------------------------- ________________ ( ૫૧૮) ગદષ્ટિસમુચ્ચય જલધરના જલની પ્રતીક્ષા કરતું હોય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આમ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કેનિલને ફલકૂલ રહિત ઉછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે? કમલિની દિનકરના કર વિના બીજાને કર કેમ રહે? કુમુદિની ચંદ્ર શિવાય બીજાની પ્રીતિ કેમ કરે ? ગૌરી ગિરીશ વિના ને લક્ષમી ગિરિધર વિના પોતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્વ શિવાય અન્યત્ર પ્રીતિ કેમ ધરે? (જુઓ પૃ. ૩૮૧-૩૮૨) આમ આ પરમ આત્મતત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું-એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયને પ્રતિભાસ પણ થતું નથી ! સમ્યગૃષ્ટિ સપુરુષનું ચિત્ત સ્વરૂપ–સ્વદેશમાં એટલું બધું રોકાયેલું રહે છે કે તે આડે બીજે કયાંય શું બની રહ્યું છે, તેનું પણ તે પરમ સંત અવધૂતને ભાન રહેતું નથી ! –આવા પરમ અદ્ભુત અનન્યમુદ્ ભાવનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનેગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે – રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ
Page 364
છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લમી ગમતી કે નથી અલમી ગમતી; એમ છે. ઇત્યાદિ” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૨૦. (૧૩૩) ખરેખર જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને અનન્યમુભાવ આવી પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલે વર્તે છે, તેનું આ દિગ્ગદર્શન માત્ર છે. આમ આ છઠ્ઠી દષ્ટિમાં અન્યમુદ્ નામનો છઠ્ઠો ચિત્તદોષ નષ્ટ થાય છે. આત્મતત્ત્વ કરતાં અન્ય સ્થળે આનંદ-મંદ પામ તે અન્યમુદ્ અથવા આમ માંડેલી ગક્રિયા અવગણીને બીજે ઠામે હર્ષ ધરો, તે પરમાર્થરૂ૫ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ જે છે. (જુઓ, પૃ. ૮૬) મીમાંસા તથા આ છઠ્ઠી દ્રષ્ટિમાં મીમાંસા નામને છઠ્ઠો ગુણ પ્રગટે છે. પાંચમી દષ્ટિમાં સૂક્ષ્મધ નામને ગુણ પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે મીમાંસા ગુણ ઉપજ જોઈએ. Page #595 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ: હિતેાદયવતી મીમાંસા (૫૧૯) કારણ કે જેને સૂક્ષ્મધ ઉપજે છે, તે પછી તે બેધનું મીમાંસન કરે છે, તલસ્પર્શી સવિચારણું કરે છે, અહોનિશ ઊહાપોહ કરે છે, નિત્ય મનન-નિદિધ્યાસન કરે છે, નિરંતર તત્વચિંતન કરે છે. જેમ કેઈ ખેરાક ખાય તે બરાબર રસપૂર્વક ચાવે તે હોજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય, ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લેહમાં એકરસ થઈ સર્વ અંગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યગ બેધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, અર્થાત્ પુનઃ પુનઃ મનન કરવામાં આવે તે ઉત્તમ ભાવરૂપ રસની નિષ્પત્તિ થાય, ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચનક્રિયા થાય, અને પછી તે પરિણત રસ આત્માના અંગેઅંગમાં-પ્રદેશેપ્રદેશમાં વ્યાપ્ત થઈ તેને શુદ્ધ આત્મધર્મની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ–ભરાવદાર બનાવે. આ દષ્ટાંતથી મીમાંસાનો પરમાર્થ સમજાય છે. એટલે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાય, તેને ભંગ, નય, પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી, સપ્તભંગી, આત્મા, કર્મ, વેગ આદિ દ્રવ્યાનુગાંતગંત સૂક્ષમ વિષયોની તલસ્પેશિની અવગાહના કરે છે; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું અસ્તિપણું છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું નાસ્તિપણું છે, એવું ઊંડું ગંભીર તત્ત્વચિંતન કરે છે. આ દ્રવ્યાનુયોગના પરમ રહસ્યભૂત-કળશરૂપ પરમ આત્મતત્વનું-ભગવાન સમયસારનું અર્થાત્ શુદ્ધ આત્માના સહજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે. “ગુણ પર્યાય અનંતતા રે, વળી ય સ્વભાવ અગાઉં રે; નય ગમ ભંગ નિક્ષેપના રે, હે પાદેય પ્રવાહ રે...કુંથુ જિનેસ! નિજ ભાવે સીય અસ્તિતા રે, ૫ર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવે રે...કુંથુ.—શ્રી દેવચંદ્રજી. અને આવી સૂક્ષ્મ મીમાંસાતત્વવિચારણું હિતેાદયવાળી હોય છે, આથી હિતેદયસર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ થાય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યને ઉદય થઈ તે ઉત્તરોત્તર વધતી તેજસ્વિતાને પામી મધ્યાહુને પૂર્ણપણે પ્રતાપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યને ઉદય થઈ, ઉત્તરોત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ બીજને ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણિમાએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ શુદ્ધ સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિમાં પર્યાપ્તિ પામે છે. સહસ્ત્રદલકમલકલિકા જેમ ઉત્તરોત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઊઠે છે, તેમ
Page 365
અત્ર હિતોદયરૂપ સહસ્ત્રદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. નવે નિધાન અને અષ્ટ મહાસિદ્ધિ આદિ કિકર થઈને જ્ઞાની પુરુષને અનુસરે છે, પણ અવધૂત નિરપેક્ષ જ્ઞાની તે તેની સામું પણ પાછું Page #596 -------------------------------------------------------------------------- ________________ (૫૨૦) યાગદષ્ટિસમુચ્ચય વાળીને જોતા નથી, તેની તમા પણુ કરતા નથી ! એવા પરમ અદ્ભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હાય છે ! “તે આત્મસ્વરૂપથી મહત્ એવુ' કઈ નથી. એવા આ સૃષ્ટિને વિષે કોઇ પ્રભાવજોગ ઉત્પન્ન થયા નથી, છે નહી', અને થવાના નથી કે જે પ્રભાવોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જોગને વિષે વત્તવામાં આત્મસ્વરૂપને કંઈ કવ્યુ નથી, એમ તે છે, અને જો તેને તે પ્રભાવબેગને વિષે કંઇ કવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીયે. ’ “ બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે, અને જ્યાંસુધી સમ્યક્ પરિણામી આત્મા છે ત્યાંસુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સભવતી નથી.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૩૭, ૩૬૯. (૪૧૧, ૪૫૦) 品 આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે— अस्यां तु धर्ममाहात्म्यात्समाचार विशुद्धितः । प्रियो भवति भूतानां धर्मेकाग्रमनास्तथा ॥ १६३ ॥ આમાં ધ માહાત્મ્યથી, હાય વિશુદ્ધાચાર; તેથી હાય પ્રિય પ્રાણિને, ધમ એકમન ધાર. ૧૬૩ અ—અને આ જ દૃષ્ટિમાં ધર્માંના માહાત્મ્યથકી સમ્યક્ આચારની વિશુદ્ધિને લીધે, ચેગી પ્રાણીઓને હાય પ્રિય છે, તથા ધર્માંમાં એકાગ્ર મનવાળા હોય છે. વિવેચન આ કાંતા દૃષ્ટિમાં જ નિયમે કરીને ધર્માંના માહાત્મ્યરૂપ કાણુ થકી સમ્યક્ આચારવિશુદ્ધિ હોય છે; અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતા સમ્યદૃષ્ટિ યાગી પુરુષ પ્રાણીઓને આપેઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે. ધર્મના મ। ધર્મના અપૂર્વ મહિમા. “જિન સે।હી હે આતમા, અન્ય હાઈ સેા ક; ક્રમ કટે સાજિત ખચન, તત્ત્વજ્ઞાનીકે મ. ” —શ્રીમદ્ રાજચંદ્રજી ,, વૃત્તિ:ાસ્યાં તુ—આ જ કાંતા દૃષ્ટિમાં–નિયેગથી, નિયમથી, ધર્મમાહાત્મ્યત્-ધમ માહાત્મ્યરૂપ કારણ થકી, સમાચારવિદ્વિતઃ–સમ્યક્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું ? તો કે−ત્રિયો મતિ મૂલાનામ્ભૂતાને-પ્રાણીઓને પ્રિય હોય છે, ધમઁનામમનાસ્તથા-તથા ધર્માંમાં એકાગ્ર મનવાળા હેય છે, Page #597 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ: ધર્મને સમવિભાવ તે કમ, સ્વભાવ તે ધર્મ (૫૨૧) ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવા યોગ્ય છે. અત્રે “ધર્મ એટલે સનાતન–શાશ્વત એવો આત્મધર્મ સમજ. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ “જિન” અર્થાત વીતરાગ પ્રભુ છે; અને એવા તે જિનને અર્થાત્ શુદ્ધ આત્માને ધર્મ તે જ જિનધર્મ છે, અને તેનાથી અન્ય તે કર્મ છે. તે કર્મને જે કાટે-કાપે તે જિનવચન છે. આમ તત્ત્વજ્ઞાનીઓનો મર્મ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હેઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આત્મભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવા તેનું નામ “ધર્મ' છે; અને તે જ વાસ્તવિક એ વસ્તુ-ધર્મ છે. કારણ કે જ્ઞાનદર્શનચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુણ છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એ શુદ્ધ એક ટંકે કીર્ણ જ્ઞાયક ભાવ એ જ આત્માને સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મવસ્તુને ધર્મ છે. “રઘુરાવો મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધમ. આમ નિર્મલ જ્ઞાન દર્શનમય આત્મભાવમાં વર્તવું તે જ ધર્મ છે. પણ ધર્મના આ વાસ્તવિક સ્વરૂપનું જગતને ભાન નથી. ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે” આખું જગત્ “ધર્મ ” “ધર્મ” કરતું ફરે છે, પણ તેને ધર્મના મર્મની ખબર નથી. નહિ તે આ ધર્મ જિનેશ્વરનું ચરણ ગ્રહ્યા
Page 366
પછી કઈ કર્મ બાંધે જ નહિ,-એમ મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી ગાઈ ગયા છે. લેકે પારકે ઘેર ધર્મ શોધતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે જોતાં નથી ! આ તે તેઓ કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! કસ્તુરી મૃગની નાભિમાં જ કસ્તૂરીને વાસ છે, છતાં તે મૃગને તેને પરિમલ ક્યાંથી આવે છે કસ્તુરી મૃગનું તેનું ભાન નથી. એટલે તે બિચારે તેની શોધમાં બહાર ચોતરફ દૃષ્ટાંત ભમ્યા કરે છે! તેમ આ ધર્મ તે પોતાના આત્માની અંદર જ રહ્યો છે, કાંઈ ગામ ગયો નથી, છતાં અહીંથી મળશે કે નહીથી મળશે એવી ખોટી આશાએ અજ્ઞાન લેક તેને ટૂંઢવા માટે ચારેકેર ઝાંવા નાંખી નકામા હેરાન થાય છે, ને નિષ્ફળ ખેદ ધરે છે. પોતાના મુખની આગળ જ જે પરમ નિધાન પ્રગટ ખુલ્લે પડ્યો છે, તેને ઉલંઘી જઈને, તેઓ તેની શોધમાં હાર નીકળી પડે છે!! (જુઓ પૃ. ૪૮૦). પર ઘરે જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લહે રે ધમ; જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીઓ, મૃગમદ પરિમલ મર્મ. શ્રી સીમંધર સાહેબ સાંભળે.” -શ્રી યશોવિજ્યજી કૃત સ. ગા, સ્ત, આમ આ ધર્મ તે પોતાના આત્મામાં જ રહ્યો છે, અથવા આત્મા પોતે જ Page #598 -------------------------------------------------------------------------- ________________ (૫૨૨) યોગદષ્ટિસમુચ્ચય ધર્મ છે, એટલી સીધી સાદી વાત લેક સમજતા નથી. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નને સ્વભાવ હોઈ તેને ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિમલતા એ જ સ્ફટિક દષ્ટાંતઃ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માને ધર્મ છે. અર્થાત્ શુદ્ધ આત્મા નિરુપધિપણું એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે તે ધર્મ અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ હોય તે તેમાં રાતી ઝાંઈ–છાયા પડે છે, કાળું ફૂલ હોય તે કાળી ઝાંઈ પડે છે. આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિર્મળતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિમળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિમલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આત્મધમની સિદ્ધિ છે, અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પયત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય અભાવ...શ્રી સીમંધર. જેમ તે રાતે રે ફૂલે રાતડું, સ્પામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગજીવને, રાગ દ્વેષ પરિણામ.....શ્રી સીમંધર. ધર્મ ન કહીએ રે નિશ્ચ તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કરમે હોયે ઉપાધિ.શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્રદષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ કહે શિવશર્મ....શ્રી સીમ ધર.” -યશોવિજયજી. જેમ જેમ પર૫રિણતિ સજાતી જાય છે અને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતે જાય છે-વિકસતો જાય છે, યાવત મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિ સ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે, સંપૂર્ણ આત્મવિભાવ તે કર્મ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે શુદ્ધ આત્માની સિદ્ધિ એ જ સ્વભાવ તે ધર્મ ધર્મ છે. જેમ જેમ કમ–ઉપાધિ ટળે છે, તેમ તેમ ધર્મ-સમાધિ પ્રગટે છે, કારણ
Page 367
કે વિભાવપરિણતિરૂપ ઉપાધિ તે કર્મ છે અને સ્વભાવપરિણતિરૂપ સમાધિ તે ધર્મ છે. આમ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મના દ્રવ્ય Page #599 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ : ધર્મને અપૂર્વ મહિમા, સમ્યફ આચારવિશુદ્ધિ (૫૨૩) ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-આત્મધર્મની ઉત્પત્તિમાં-સિદ્ધિમાં જેટલે અંશે કારણભૂત થાય તેટલે તેટલે અંશે જ તેની સફળતા છે, નહિં તે વસ્તુના સ્વભાવ ધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે. મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ ભાવ વિના સહુ આલ'. આ આ આત્મનિર્મલતારૂપ સ્વભાવ-ધર્મ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા મેગીને અત્યંત આવિર્ભત થયો હોય છે, અત્યંત પ્રગટયો હોય છે, કારણ કે આ દૃષ્ટિવાળા સમ્યગ્ર દષ્ટિ ગીપુરુષ અત્યંત આત્મસ્થિતિમાં સ્થિત હોય છે, પરપરિણતિને ત્યજી આત્મસ્વરૂપને ભજે છે, એવા તે ધર્મમૂર્તિ મહાત્મા હોય છે. "धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो।। સેવા વિ « THસતિ, નર ઘ ચ મળો ” –શ્રી દશવૈકાલિક સૂત્ર, આ ઉક્ત આત્મસ્વભાવરૂપ ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ * આદિને મહિમા તેની પાસે તુચ્છ છે. આ ધર્મ જ્યારે ખરેખરા સ્વરૂપમાં આત્મામાં પ્રગટે છે, ત્યારે સર્વ લબ્ધિ-સિદ્ધિ, સર્વ વિભૂતિ તેની પાસે ધર્મને અપૂર્વ દાસી થઈને કર જોડી ઊભી રહે છે, છતાં આ આત્મનિમગ્ન અવધૂત મહિમા મહાત્મા તેની પરવાહ પણ કરતા નથી ! તેની સામે જોવાની પણ તકલીફ લેતા નથી ! ખરેખર ! ધર્મમાં જેનું મન સદા લીન હોય છે, એવા મહાત્મા ગીને દેવે પણ નમસ્કાર કરે છે. કારણ કે અહિંસા, સંયમ અને તપ એ ધર્મના પ્રકાર છે અને તેની આ મહાત્માએ અત્યંત સિદ્ધિ કરી હોય છે. પરભાવ-વિભાવ પરિણતિથી તે આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસા થવા દેતા નથી, અને સ્વસ્વરૂપમાં નિરંતર સ્થિતિ કરે છે, તેથી તે અત્યંત અહિંસક હોય છે. આત્માને તે સ્વસ્વરૂપમાં જ સંયમી રાખે છે–દાબી રાખે છે, બહાર પરવસ્તુમાં જવા દેતા નથી, તેથી તે પૂરા સંયમી હોય છે. આમ પરભાવમાં નહિં જવારૂપ અહિંસનથી, અને સ્વભાવમાં સ્થિતિરૂપ સંયમનથી સમર્થ આત્મવીર્યને સંચય થાય છે, અને તેથી આ ગી પુરુષ સ્વસ્વરૂપના પરમ તેજથી પ્રતાપે છે, પરમ તપોધન હોય છે. આવા અહિંસક, સંયમી અને તપસ્વી સાચા સંત પુરુષને દેવે પણ નમસ્કાર કરે એમાં શી નવાઈ ? * 'धर्मः श्री वशमंत्र एष परमो धर्मश्चः कल्पद्रुमो, धर्मः कामगवीप्सितप्रदमणिधर्मः परं दैवतम् । धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो. ઘ રાતવાદ્ઘતાં શિવ છુawતૈ: » શ્રી પદ્મનદિપંચવિંશતિક. Page #600 -------------------------------------------------------------------------- ________________ (૨૪) યોગદષ્ટિસમુચિય સમ્યક્ આચારવિશુદ્ધિઅને આવા શુદ્ધ ધર્મની સિદ્ધિના મહિમાથી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે, અર્થાત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની ચોક્ત વિશુદ્ધિ થાય છે. એટલે (૧) “જ્ઞાનચરણથે આ યેગી પુરુષ સ્વાધ્યાય કાલ અવલેકે છે, અનેક પ્રકારે વિનય પ્રપંચે છે, દુદ્ધર ઉપધાન વિધિપૂર્વક આદરે છે, સારી પેઠે બહુમાન વિસ્તારે છે, નિતવ દેષાપત્તિ અત્યંત નિવારે છે, અર્થ—વ્યંજન અને તદુભય શુદ્ધિમાં નિતાંત સાવધાન રહે છે. (૨) દર્શનચરણથે પ્રશમરસનિમગ્ન, દઢ સંવેગરંગી, પરમ વૈરાગ્યસંપન્ન, અનુકંપાપરાયણ અને આસ્તિક્યવંત એવા તેઓ શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિતાને ઊઠતાં વેંત જ દાબી દેવા માટે નિત્ય બદ્ધપરિકર-ભેઠ બાંધીને તૈયાર રહે છે અને ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય, તથા પ્રભાવનાને ભાવતાં વારંવાર ઉત્સાહની અભિવૃદ્ધિ કરે છે. (૩) ચારિત્રચરણથે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રા અને પરિગ્રહથી સમસ્ત વિરતિરૂપ પંચ મહાવ્રતમાં તેઓ તનિષ્ઠવૃત્તિવાળા હોય છે સમ્યમ્ યેગનિગ્રહરૂપ લક્ષણવાળી ગુપ્તિમાં અત્યંત ઉઘોગી હોય છે, ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં અત્યંત પ્રયત્નશીલ રહે છે. (૪) તપ આચરણથે તેઓ અનશન, અમદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ અને વિવિક્ત શય્યાસનમાં પ્રતિક્ષણે ઉત્સાહ ધરાવે છે; પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનપરિકરથી તેઓ પોતાના
Page 368
અંતઃકરણને અંકુશમાં લાવે છે. (૫) વીર્યચરણાર્થે તેઓ કર્મકાંડમાં સર્વશક્તિથી વ્યાપૃત થાય છે.” આમ કંઈ પણ અતિચાર દોષ ન લાગે એમ તેઓ પંચાચારનું આદર્શ પરિપાલન કરે છે. આવું તેઓનું નિરતિચાર ભાવ અનુષ્ઠાન, સક્રિયાચરણ હોય છે. “માર્ગાભિમુખ થયેલા સમ્યગદષ્ટિ જીવોને એ આચરણો પરમ કલ્યાણના હેતુરૂપ છે. માટે તેઓએ તે અવશ્ય આચરવાં ઘટે છે, આચરવાનો ખંતથી પ્રયાસ કરવો ઘટે છે. અભ્યાસ કરી વિશુદ્ધ આચરણ થશે. અહે! કેવા અનુપમ આચાર!” (આ પંચાચારનું હૃદયંગમ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે જુઓ) -શ્રી મનસુખભાઈ કીરચંદત દાનધર્મપંચાચાર, જ્ઞાનને અનુસરતી–અનુકૂળ જે સત્ ક્રિયા તેનું નામ “ અનુષ્ઠાન” છે, એટલે આ સમ્યગદષ્ટિ પુરુષને જે આત્મજ્ઞાન ઉપર્યું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ-છાજે એવી આત્માનુચરણરૂપ ભાવકિયા કરવાને-સચ્ચારિત્ર પાળવાને આ યેગી પુરુષ સતત પ્રયત્નપૂર્વક પરમ પુરુષાર્થ કરે છે. આ સાચા સાધુપુરુષને વંદનાદિ અનુષ્ઠાન ઉત્તમ ભાવવાળા હોય છે. + “જ્ઞાનવાળા સ્વાધ્યાયાસ્ટમરોયન્તો, ઘણા વિનચં પશ્ચાત્તો) –(ઇત્યાદિ આધારરૂપ પરમસુંદર વર્ણન માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પંચાસ્તિકાય ટીકા ગા. ૧૭૨. Page #601 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ: આદર્શ નિયથચર્યા, ધમમાં એકાગ્ર મન (૫૨૫) એટલે જ આ દષ્ટિવાળા પરમ ભાવિતાત્મા યોગીપુરુષનું સમસ્ત આચરણ-ચારિત્ર નિરતિચાર, શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિયોગપ્રધાન અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. (જુઓ પૃ. ૭૨, તથા પૃ. ૨૫, શ્રીમદ્ રાજચંદ્રજીનું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ કાવ્ય.) તે અણગાર ભગવતે ઇસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિત, પારિકાપનિકા સમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, મન, વચનગુપ્ત, કયગુપ્ત, ગુપ્ત, ગુખેંદ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, અકોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત, અનાશ્રવ, અગ્રથ, છિન્નશ્રોત, નિપલેપ, કશ્યપાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુપ્તદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શૌડીર, વૃષભ જેવા સ્થિર, સિંહ જેવા દુઘર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્યુલેશ્યાવંત, સૂર્ય જેવા દીપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શ વિષહ, સુહુત હુતાશન જેવા તેજથી જ્વલંત હોય છે. તે ભગવતેને કયાંય પણ પ્રતિબંધ હેતે નથી. અને આવી સમ્યફ આચારવિશુદ્ધિને લીધે આ શુદ્ધોપગમય નિગ્રંથ શ્રમણ આપોઆપ જનતાને પ્રિય થઈ પડે છે. આ સ્વયંભૂ (spontaneous) પ્રીતિ સંપાદન કરવા માટે તેને કાંઈ બોલવું પડતું નથી, કે બીજે કઈ કૃત્રિમ પ્રયાસ કરે પડતો નથી. માત્ર આ નિગ્રંથ મહાત્માનું સહજ સ્વભાવે સિદ્ધ એવું શુદ્ધ આત્માનુચરણરૂપ પવિત્ર ચારિત્ર જ જાણે લોકોને પોકારીને બેધ આપી આકર્ષે છે! સેંકડો વાચાની વાણી જે બોધી નથી શકતી, તે એક જ્ઞાની મુનિનું મૌન બેધે છે પુસ્તક-પંડિતના વાગજાલરૂપ હજારે ઉપદેશ કે વાચસ્પતિઓના લાખે વ્યાખ્યાને જે બાધ નથી આપી શકતા, તેનાથી અનંતગણ સમર્થ બોધ એક સાચા સપુરુષનું શુદ્ધ સહજાત્મસ્વરૂપમય નિર્મલ આત્મચારિત્ર મૂક વાણીથી આપે છે! અને તેથી તેના પ્રત્યે કેને નૈસર્ગિક પ્રેમ પ્રવાહ પ્રવહે છે. ધર્મમાં એકાગ્ર મનઅને આવા શુદ્ધ આચારસંપન્ન, ધર્મમૂર્તિ, પરમાર્થના અવતાર સમા આ સમ્યગુદષ્ટિ યોગીપુરુષનું ચિત્ત સદાય ધર્મમાં એકાગ્ર જ હોય, એમાં પૂછવું જ શું ? ધર્મ તે રે ગદા ગામણ જાપા મrāતો રૂરિયામિયા માતાનિયા ઈ (જુઓ નિગ્રંથચર્યાના આ પરમ સુંદર હદય ગમ વર્ણન માટે શ્રી સૂત્રકૃતાંગ, કિં. શ્રુ રૂં. સૂત્ર ૭૦) Page #602 -------------------------------------------------------------------------- ________________ (પ૨૬) દષ્ટિસમુચ્ચય એના પ્રાણરૂપ જ હોય છે, જીવનરૂપ જ થઈ પડે છે, એવો અસ્થિ-મજજા પર્યત અવિહડપાકો ધર્મરંગ તેમને લાગ્યો હોય છે. આવા ધર્મમૂર્તિ યોગીન્દ્રનું જવલંત ઉદાહરણ આ રહ્યું “ધમ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે,
Page 369
ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે. ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેને નિહાર (?) છે, ધર્મ જ જેને વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ?” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૭. (૧૩૦) આમ આ યોગી પુરુષ ધર્મ-ધારણામાં આ પરમ દઢ ધીર હોય છે, તે તેની અત્યાર સુધીની દીર્ઘ ગસાધનાનું ફળ છે. કારણ કે આપણે પૂર્વે આગલી દૃષ્ટિએમાં પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસક્રમમાં જોયું તેમ, તેણે પ્રથમ તો મૈત્રી દીર્ઘ ચોગ. આદિ ભાવનાઓ વડે ચિત્તપરિકમથી-ચિત્તસુધારણાથી પોતાના અંત:સાધનાનું ફળ કરણને વાસિત કર્યું; પછી યમ-નિયમને સારી પેઠે અભ્યાસ કર્યો; આસનને જય કર્યો-દેહાધ્યાસ છોડી આત્મભાવમાં આસન જમાવ્યું; પ્રાણુવિક્ષેપને પરિહર્યો-આત્મભાવની સ્થિરતારૂપ ભાવ પ્રાણાયામ સાથે; ઇંદ્રિયગ્રામને વિષયોમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરી કાયાને ત્રાજુ કરી–સીધી કરી; રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ ઢંઢોને જય કર્યો, સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં અત્યંત પ્રવેશ કર્યો; અને નાભિચક્ર-નાસાગ્ર આદિ દેશમાં ચિત્તને બંધ કર્યો,-વિષયાન્તર પરિહારથી અર્થાત્ બીજે બધે વિષય છેડી દઈ ચિત્તના સ્થિરીકરણરૂપ ધારણ કરી.–આવે ધારણામાં સુસ્થિત-સમ્યફપણે વ્યવસ્થિત મહાયોગી શ્રીમદ્ પુરુષ જગજનને પ્રિય કેમ ન હોય ? તથા ધર્મમાં એકાગ્રમના કેમ ન હોય ?જ એ જ કહે છે– श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥१६४॥ | કૃત્તિ -શ્રત -શ્રતધર્મમાં, આગમમાં, મન નિયં-મન નિત્ય હોય છે,–તેની ભાવનાની ઉ૫પત્તિને લીધે. -કાય જ, મચ-આ અધિકૃત દુટિવંતની, અન્યૂર્તિ -અન્ય ચેખિતમાં, સામાન્ય એવા બીજા કાર્યમાં, અતz-આ જ કારણથી, આક્ષેપ જ્ઞાનાન્ન હેતુભૂત એવા સમ્યગુ આક્ષેપક જ્ઞાનલકી, મોળr:ભેગે, ઈદ્રિષાર્થ સંબંધે, મતવઃ-સંસારહેતુઓ, નથી હોતા. x“देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः। प्रियो भवति भूतानां धर्फकाग्रमनास्तथा ॥" – આધાર માટે જુઓ) શ્રી દ્વા. દ્વા. ૨૪-૯. Page #603 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ: સામાક્ષેપકવત-“મન મહિલાનું વહાલા ઉપરે? (૫૨૭) શ્રતધર્મ મન તસ સદા, અન્ય કાર્ય તન ગ; એથ આક્ષેપક જ્ઞાન, ભવહેતુ નહિ ભેગ. ૧૬૪ અર્થ –એનું મન નિત્યે કૃતધર્મમાં હોય છે, કાય જ અન્ય કાર્યમાં હોય છે; આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગે ભવહેતુ થતા નથી. | વિવેચન આ પ્રસ્તુત દૃષ્ટિવાળા ભેગીનું મન મૃતધર્મની દઢ ભાવનાને લીધે શ્રુતધર્મમાંઆગમમાં હોય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્યમાં હોય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગો એને ભવહેતુ–સંસારકારણ થતા નથી. આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગદષ્ટિ યોગી પુરુષને આત્મધર્મની એવી દઢ ભાવના ઉપજ હોય છે, કે તેનું મન શ્રીમદ્ સત્પરુષ સદ્દગુરુ ભગવાન પાસેથી શ્રવણ કરેલા તે શ્રતધર્મમાં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી બીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તો તે આજ્ઞારૂપ-કૃતધર્મમાં જ ચૂંટેલું હોય છે. આ ધર્મનું તેને કોઈ એવું અજબ આકર્ષણ-આક્ષેપણ હોય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પોતાના ભણ આક્ષેપ-આકર્ષણ કરે છે. લેહચુંબક જેમ લેઢાને ખેંચી રાખે છે, તેમ શ્રતધર્મ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં આકર્ષનારું-ખેંચી રાખનારૂં જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સ્વભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ જ્ઞાનાક્ષેપકવંત” કહેવાય છે. અત્રે આ લેકપ્રસિદ્ધ દષ્ટાંત ઘટે છે. મહિલાનું અર્થાત્ પતિવ્રતા સ્ત્રીનું
Page 370
મન ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં પણ પોતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં છતાં, કે ભોગ ભોગવતાં છતાં પણ નિરંતર શ્રતધર્મમાં જ લીન હોય છે, આસક્ત હોય છે. આ મહામુમુક્ષુનું મન મેક્ષમાં અને ખેળીઉ સંસારમાં—એવી સ્થિતિ હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશે અદ્દભુત પરમાર્થ. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રત ધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે....ધન.”—શ્રી. યો, દ, સક્ઝાય ૬-૬ આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું છે કે-“ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દને અર્થ) સ્ત્રીનું મન પિતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમ્યગદષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશ ધર્મ તેને વિષે વીનપણે Page #604 -------------------------------------------------------------------------- ________________ (૨૮) યોગદષ્ટિસમુચ્ચય વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવ્યું છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીને પ્રેમ એ કઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યું છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યું છે. તે સ્નેહ એ પ્રધાન-પ્રધાન શા માટે ગણવામાં આવ્યું છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજાં બધાં ઘર સંબંધી (અને બીજા પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વરે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તે સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે. ઈચ્છાપણે, જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે સ્નેહ તે પતિવૃત્તારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા ગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તે ભક્તિપ્રધાન છે. x x x ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે પણ દેષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અ૯૫ એવું જ્ઞાન અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી બ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તે ઘણું કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે).”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૦ (૩૯૪) વળી “તેમ છતમે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે' એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે – વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની
Page 371
મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. અત્યંત સમર્થ એ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગત્માં, સંસારમાં પ્રાયે મુખ્ય એ જે પુરુષ પ્રત્યેને કલેશાદિ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીને, તે જ પ્રેમ Page #605 -------------------------------------------------------------------------- ________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનીને ‘ ભાગ નહિ” ભવહેત', ધાર તરવારની’ (પર૯) સત્પુરુષથી શ્રવણ થયે। હાય જે ધમ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે સત્પુરુષદ્વારા શ્રવણુ પ્રાપ્ત થયા છે જે ધમાઁ તેમાં સવાઁ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઇ એક લક્ષપણું, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણું, એક ઉપયાગપણે, એક પરિણામપણે સ વૃત્તિમાં રહેલે જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રુતધમ રૂપ કરવાના ઉપદેશ કર્યો છે; એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એવા શ્રુત પ્રત્યે પ્રેમ કરવા ઘટે છે, તથાપિ દૃષ્ટાંત પરિસીમા કરી શકયુ નથી, જેથી દૃષ્ટાંતની રિસીમા જ્યાં થઇ ત્યાંસુધીને પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડયો નથી.”—શ્રીમદ્ રાજચ’દ્ર, પત્રાંક ૩૨૧ (૩૯૫) અત્રે બીજા લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત પણ ઘટે છે. જેમકે ગાય વનમાં ચારેા ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તેા પેાતાના પરમ પ્રિય વત્સ-વાછરડામાં જ હેાય છે. ચાર પાંચ સાહેલીએ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનુ ખેડુ માથા પર મૂકીને ઝપાટાખ ́ધ રુવાખભેર ચાલે છે, વાતા કરતી જાય છે, તાલી ક્રીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે ‘ ગગુરિઆમાંય ’–તેની ગાગરમાં જ હેાય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય શ્રુતધર્માંના જ ધ્યાનમાં લીન હેાય છે. “જિન ચરને ચિત્ત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારા ચરનકે કારણે રે, ગૌ અનમેં જાય; ચારા ચરે ફિરે ચિહું દિશિ, વાંકી નજર મધુરિઆ માં.....વૈસે જિન॰ ચાર પાંચ સાહેલિમ મિલી, હિલમિલ પાની જાય; તાલી દ્વીએ ખડખડ હસે, વાંકી નજર ગઝુરિઆ માંહ્યુ....વૈસે ’—શ્રી આનંદઘનજી. નિશદિન સુતાં જાગતાં, હુઇડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સભારીએ, તવ ઉપજે આનંદપૂર રે. ’’—શ્રી યશેાવિજયજી. અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષને ભાગા પણ ભવહેતુ થતા નથી—સ'સારકારણુ બનતા નથી ! જે સાંસારિક ભાગે ખીજા સામાન્ય પ્રાકૃત જનને સ'સારહેતુ હાય છે, તે ભાગે પણ આ દૃષ્ટિવાળા જ્ઞાની પુરુષને સંસારકારણ થતા નથી, એ અત્યંત આશ્ચય કારક પણ પરમ સત્ય ઘટના છે. આને ખુલાસા એમ છે કે-સામાન્ય સ*સારી અજ્ઞાની જીવાને વિષયાનુ આક્ષેપણુઆકર્ષણુ હાય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રુતધર્મનું જ આક્ષેપણુ-આકણુ હેાય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાત્ત હાઇ, વિષયાકાર વૃત્તિને ભજતા રહી વિષયને જ ઈચ્છે છે ને તે પ્રત્યે દાડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય શ્રુત ૮ ભેાગ નહિ ભવહેત’ Page #606 -------------------------------------------------------------------------- ________________ (૫૩૦) યોગદષ્ટિસમુરચય ધર્મને જ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધર્મને જ ઈચ્છે છે, એ વિષયને નહિ ઈચ્છતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધદયથી ભેગવવા પડે તે અલેલુ૫૫ણે-અનાસક્ત ભાવે ભોગવી નિર્જરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તે અત્યંત ઉપપણે-આસક્ત ભાવે જોગવી પુનઃ બંધાય છે. આમ જ્ઞાની–અજ્ઞાનીની વૃત્તિમાં ને દષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ ભેગને નિરંતર ઈચ્છતે એ અજ્ઞાની ભગ નહિં ભગવતાં છતાં બંધાય છે! અને ભેગને અનિચ્છતે એ જ્ઞાની
Page 372
આવી પડેલ ભેગ ભેગવતાં છતાં બંધાતું નથી ! એ આશ્ચર્યકારક ઘટના સત્ય બને છે. (જુઓ પૃ. ૫૦૨–૫૦૪). કારણ કે યંત્રની પૂતળીઓ જેમ દોરીસંચારથી નાચે છે, તેમ નિરિચ્છ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે. એટલે તે કવચિત પૂર્વ પ્રારબ્ધોદય પ્રમાણે સાંસારિક ભેગાદિ પ્રવૃત્તિ પણ કરે, તે પણ વિચરે પૂર્વ જલકમલવત નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તે મેક્ષમાં જ લીન પ્રયોગ' રહે છે. સંસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે ભેગમાયા પ્રકટ કરતા હોય, એમ જણાય છે ! અને કાનુગ્રહના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેકવતી જ્ઞાની યેગી પુરુષ ક્વચિત્ અપવાદવિશેષે સંસારમાં–ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ ભોગવતાં છતાં પણ બંધાતા નથી, અને અજ્ઞાની નહિ જોગવતાં છતાં પણ બંધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનને મહાપ્રભાવ સૂચવે છે. ભેગ ભેગવતાં છતાં પણ જ્ઞાની બંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનસ્નેહને અભાવ એ છે. જેમ રેણુબહુલક વ્યાયામશાળામાં કેઈ સ્નેહાભ્યક્ત–તેલ ચેપડેલે મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચૂંટે છે; પણ સ્નેહાભ્યક્ત ન હોય–તેલ ચોપડેલ ન હોય, તેને નેહરૂપ-તેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી; તેમ અજ્ઞાનીને નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચાંટે છે, પણ નિઃસ્નેહવીતરાગ-અનાસક્ત એવા “કેરા ધાકડ” જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને સનેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કમરજ વળગી શક્તી નથી. આમ સમર્થ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂર્ખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તો ખત્તા જ ખાય! ધાર તરવારની સોહલી, દેહલી ચૌદમા જિનતણી ચરણ ચેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા.”–શ્રી આનંદઘનજી. સંસારમાં રહીને પણ સર્વથા નિલેપ રહેવાનું આવું મહાપરાક્રમ તે કઈક વિરલા અપવાદરૂપ અસાધારણ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ X “ર્વ સન્માદિ વ વસ્તુવિદેજોયુ, જો કવળોને સિંઘરૂ ! ” (જુઓ) શ્રી સમયસાર-ગા૦ ૨૪૨-૨૪૬, Page #607 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ : જ્ઞાનીનું ભેગ-મૃગજલ સેંસરૂ પરમપદ ગમને ( ૩૧) તે સમર્થ યેગી પુરુષે જ કરી શકે. બાહ્ય ઉપાધિ મધ્યે રહ્યા છતાં ધાર તરવારની' અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી, પણ “આંખ પાસે રેતી ઉપડાવવા જેવું મહાવિકટ છે'—એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમર્થ મહાયોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવથી યથાર્થ જ કહ્યું છે,–જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પદે પદે દગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મળે પણ એ મહાત્મા પરમ જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સંસારસંગમાં પણ અસંગતા કેવી અદ્ભુત હતી તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનને સ્વયં પ્રત્યક્ષ થાય છે. “પાત્રો દિ વિજ્ઞાન એ પાતંજલ યોગભાગનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનદશાની સાક્ષી પૂરે છે. આ જ અર્થ દષ્ટાંતને આશ્રીને કહે છે– मायाम्भस्तत्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६५॥ મૃગજલ તાવથી દેખતે, તે તે વિણ ઉદ્વેગ; તે મદરે વ્યાઘાત વિણ, જાય જ જેમ સવેગ, ૧૬૫ અર્થ -માયાજલને તરવથી દેખતે પુરુષ તેનાથી અનુદ્ધિપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ ચાલ્યો જ જાય છે – વિવેચન માયાજલને-મૃગજલને જે તત્વથી–માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતે નથી–ગભરાતું નથી. એટલે તે તે તેની મધ્યેથી ઝપાટાબંધ ચાલ્યો જ જાય છે; અને તેમ કરતાં તેને વ્યાઘાત-બાધ ઉપજતો નથી, કારણ કે માયામાયા પાણી રે જલ તત્વથી વ્યાઘાત-બાધ ઉપજાવવાને અસમર્થ છે. મૃગજલ-ઝાંઝવાનું જાણી તેહને પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-બેટું છે. એવા
Page 373
માયાજલનું તત્ત્વથી કઈ સ્વરૂપઅસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હોઈ છેટું જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ-ક્ષોભ પામતો નથી, રખેને હું આમાં - વૃત્તિ –નયામ -માયાજલને તરવર: રિયન તત્વથી માયાજથપણે દેખતે, અનુહૂિનત્તરો-તે માયાજલથી નદિન હેઈ, તમ–શ ધ્ર, તન્મથે-તે ભાયાજલ મધ્યેથી, પ્રત્યેવ-ચાલ્યા જ જાય છે. યથા–જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, થાકાતવર્ષિત-ભાધાત પામ્યા વિના, -માયાજલના તત્વથી વ્યાધાતના અસમર્થપણુને લીધે. Page #608 -------------------------------------------------------------------------- ________________ (૫૩૨) યોગદષ્ટિસમુચ્ચય બૂડી જઈશ એમ ડરતે નથી. એટલે તે તે તે માયાજલ મધ્યેથી સસરો ઝપાટાબંધ બેધડકપણે ચાલ્યો જતાં આંચકે ખાતે નથી, નિર્ભીકપણે તેને ઉલ્લંઘીને ચાલ્યા જ જાય છે. અને તેમ કરતાં તેને કેઈ પણ વ્યાઘાત-બાધારૂપ અંતરાય ઉપજતો નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી. માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ ધન ધન.” શ્રી જે. ૬. સઝાય -૮ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ॥१६६।। ત્યમ ભેગો મૃગજલ સમા, તત્વથી જે દેખે જ; ભોગવતાંય અસંગ તે, પર પદને પામે જ. ૧૬૬ અર્થ –તેમ ભેગને સ્વરૂપથી માયાજલ સરખા દેખતે પુરુષ, ભોગવતાં છતાં, અસંગ હેઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે. વિવેચન તે જ પ્રકારે ભેગેને સમારેપ સિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભોગોને ભેગવતાં પણ અસંગ હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે-કારણ કે અનભિગ્વગંથી-અનાસક્તિથી પરવશ ભાવ છે માટે. ભોગ અર્થાત્ ઇઢિયાર્થ સંબંધોને કોઈ પણ પ્રકારના સમાપ શિવાય તેના વસ્તુસ્વરૂપે જોઈએ તે માયાજલ સરખા-મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર મિથ્યાભાસરૂપ છે, વસ્તુતઃ સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે વિષય મૃગજલ તેમાં જલબુદ્ધિને સમારોપ કરે મિથ્યા છે, ખૂટે છે, તેના પ્રત્યે પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કંઇકાળે તૃષા છીપવાની નથી, અને તે મિથ્યા હોવાથી જ તેને ઉલ્લંઘીને ચાલ્યા જતાં–તેની મધ્યેથી સેંસરા પસાર થતાં ડૂબાતું પણ નથી. તેમ વિષયભેગ મૃગજલ જેવા છે, નિઃસાર છે. આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કઈ ચીજ છે નહિં,–પરમાર્થથી આત્મસ્વરૂપને તેની સાથે વૃત્તિ –મોબાન–ભોગેન, ક્રિયાથે સંબંધને, સ્વાત. પરન-સમારોપ શિવાય સ્વરૂપથી જોતે, તવા-તેમ, માયોપમાન-માયાજલ જેવા અસાર, મુન્નાનોડજિ-કમક્ષિપ્ત -કર્મથી આકર્ષાઈને આવી પડેલા ભોગે ભેગવતાં પણ વાસ: સજ-અસંગ હઈ, વાઘેર પર પમ્ પરમ પદ પ્રત્યે જાય જ છે-અનભિળંગતાથી (અનાસક્તિથી) પરવશ ભાવને લીધે. Page #609 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ : જ્ઞાનીને અનાસકતયોગ-ત્રિકાળ વૈરાગ્ય (૫૩૩) કાંઈ લેવાદેવા નથી. એટલે એવા નિઃસાર મિચ્છા વિષયભોગમાં આત્મબુદ્ધિને સમાપ કર મિથ્યા છે-ખોટે છે, તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએ-દુરાશાએ દોડવું તે પણ મિથ્યા છે, કારણ કે જે વસ્તુ પિતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિઃસાર-મિથ્યા હોવાથી જ તેમાં આત્મબુદ્ધિ કર્યા વિના, અસંગ રહીને, તેની મધ્યેથી તેને ઉલંઘીને સેંસરા ચાલ્યા જતાં પણ ડૂબાતું નથી, એટલે વિષયેનું આવું મૃગજલ જેવું મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણે છે, તે અસંગ-અનાસક્ત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતે નથી પણ અવશ્ય ભોગ્ય કર્મ કવચિત આવી પડે તે પણ તેની મધ્યેથી સેંસરે બેધડકપણે અવિષમ ભાવે પસાર થઈ જાય છે. અત્રે ભોગને “મિથ્યા' કહ્યા છે, તેને અર્થ કેઈ સ્વરૂપસ્તિત્વ ન હોવું એ કરે છે તેમ નથી. પણ અત્રે “મિથ્યા' શબ્દનો અર્થ સ્વરૂપાસ્તિત્વ હોવા છતાં પર માર્થથી નિઃસાર એવો સ્પષ્ટ કર્યો છે. જેમ મૃગજલમાં કંઈ જલરૂપ જ્ઞાનીને અના- સાર નથી, અને તેની પાછળ દોડવાથી કાંઈ વળતું નથી, તેમ અનાત્મ
Page 374
સક્ત રોગ સ્વરૂપ ભોગેમાં કંઈ આત્મતત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુ ધાવનથી-દોડવાથી આત્માનું કાંઈ વળતું નથી. અથવા “મિચ્યા” એટલે નહિં હેવાપણારૂપ અસત્પણું નહિ, પણ ખોટાપણારૂપ અસપણું. કારણ કે આત્મતત્વની અપેક્ષાએ પરવતુરૂપ ભોગ અસત્ અર્થાત્ બેટા છે, વિપર્યાસરૂપ છે. આત્મતત્વને વસ્તુતઃ તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિં, છતાં તેની અસત્-બેટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઈચ્છાનિષ્ટ ભાવથી મહમૂઢ આત્મા નિષ્કારણ મુંઝાય છે ને બંધાય છે. પણ અમેહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તે તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઈષ્ટાનિષ્ટ ભાવનાને ત્યાગ કરી મુંઝાતા નથી ને બંધાતા નથી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જે ભોગને સ્વરૂપથી માયાજલ જેવા નિસાર ને ખોટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કર્મના-પ્રારબ્ધના મેગથી આક્ષિપ્ત–ખેંચાઈને આવી પડેલા ભોગો ભોગવતાં છતાં પણ અસંગ હોઈ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભોગપંકની મધ્યે પણ કદી ખરડાતા નથી-લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, મોહમલથી અસ્પૃશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનું નામ જ ગીતામાં કહેલે અનાસક્ત ચોગ છે. “ભોગ પંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિકમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે.”—સા, ત્ર, ગ, સ્ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસક્તિ-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિરંતર ભાવે છે કે-આ Page #610 -------------------------------------------------------------------------- ________________ (૫૩૪) ગદષ્ટિસમુચ્ચય પરવતુમાં પરમાણુ માત્ર પણ હારું નથી. હું તે એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય ચૈતન્યસ્વરૂપી અરૂપી આત્મા છું. આ સમસ્ત પરવસ્તુની સાથે મહારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મેહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મબંધથી બંધાયો છું, તે આ કમપુદ્ગલે પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણમુક્ત કરે ! બાકી “હુતે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મહારી નથી કે હું હેને નથી.” હું તે હું છું, તે તે તે છે. હારૂં તે મ્હારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! હારૂં છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરું છે, માટે આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માને હુંકાર કરી એ હુંકાર તું તોડી નાંખ. ‘મારું 'ને મારું એમ નિશ્ચય કર. આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ પરવસ્તુના ભાગ મળે રહ્યા છતાં પણ ભોગથી લિપ્ત થતા નથી, પરંતુ કાજળની કેટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભોગકર્મને ભોગવી જ્ઞાનીને ત્રિકાલ નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ વૈરાગ્ય જ્ઞાની તીર્થકર ભગવાનના ભોગાવલી કર્મના ભોગવટાનું આ જ પરમ રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મ માં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ ભોગકર્મને ભેગવતાં છતાં પણ બંધાતા નથી,-ઉલટા તે ભોગાવલી કમ ભોગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાશ્વપ્રસિદ્ધ છે. (જુએ, પૃ. ૨૭૩-૨૭૪) એ જ પ્રકારે કેઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના યોગથી. ખરેખરા અંત:કરણથી અનિચ્છતાં છતાં, સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડે, તે તે પરમ સમર્થ યેગી અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં આવા જ્ઞાની પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ અપવાદરૂપ કરે છે; અને ધાર તરવારની
Page 375
સેહલી-દેહલી ચૌદમાં જિન તણું ચરણસેવા”ની જેમ, સંસાર ઉપાધિ મળે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણમય ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્દભુત બાજીગરપણું દાખવી, પિતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થ્યોગને પર બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ ગીઓ તે કઈક વિરલા જ હોય છે, કારણ કે ત્યાગ અવસ્થામાં આત્મસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકર x“अहमेदं एदमहं अहमेदरसेव होमि मम एदम् । अण्णं जं परदव्वं सञ्चित्ताचित्तमिस्सं वा ॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो । શ્રી સમયસાર ગા. ૨૦-૨૨, (આના અદ્દભુત પરમાર્થ માટે જુઓ શ્રીઅમૃતચંદ્રાચાર્યજીની ટીકા) Page #611 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિ : આવા જ્ઞાની અપવાદરૂપ,-બીજાનું ગજું નથી. (૫૩૫) સોહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તે દુષ્કર દુષ્કર ને દહલી છે. ચેખા ઓરડામાં ડાઘ ન લાગે એ દેખીતું છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણ ડાઘ ન લાગવા દે, એ કાંઈ જેવા તેવા પુરુષાર્થ કૌશલ્યનું કામ નથી. પણ પુનઃ કહેવાનું કે આવા અપવાદરૂપ પરમ યોગીઓ તે કઈક વિરલા જ હોય છે. આનું જવલંત ઉદાહરણ વર્તમાનમાં પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિછતાં છતાં પૂર્વ પ્રારબ્ધદયથી પરાણે સંસારઉપાધિ મળે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચનામૃતમાં ડોકિયું કરતાં કઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દર્શાનીઓમાં પણ જનક વિદેહી-શ્રી કૃષ્ણ આદિના દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુર્ઘટ કાર્ય તે કોઈ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત ગારૂઢ પુરુષો જ કરી શકે. બાકી બીજા સામાન્ય પ્રાકૃત જને, કે સામાન્ય કોટિના યેગીજને કે ગપ્રારંભક આરોહક બીજાનું ગજુ' સાધકે, તેનું જે આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તો નથી તેનું તે અધઃપતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સંસારપ્રસંગમાં રહી કેવળ અસંગ રહેવાનો અખતરો સામાન્ય પ્રાકૃત જનો અજમાવવા જાય તો તે પ્રાયે નિષ્ફળ થવાને જ સજાયેલે છે, એટલું જ નહિં પણ તેને ઉલટો મહાઅનર્થકારક થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. હાલમાં સ્વચ્છંદ મતિકલ્પનાએ અધ્યાત્મશાસ્ત્ર વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત ગની દાંભિક વાતો કરનારા અને ખોટો ફાંકે રાખનારા ઘણા જને દષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવો ક્ષણવાર જે પિતાનો દંભ અને ફાંકે છડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તે તેઓને આ ઉપરથી ઘણે ધડો લેવાનું પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દૃષ્ટિ જેટલી ઊંચી પરિપકવ ગદશાને પામેલા જ્ઞાનાક્ષેપકવંત ગીવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યોગ્યતાવિહીન જન કેમ કરી શકે? જેને હજુ એકડો પણ આવડતું નથી એ બાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારંગત પંડિતને કેમ પહોંચી શકે ? મોટા માણસના જેડામાં જેમ ન્હાનાને પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્યો ન જ કરી શકે, અને મેગ્યતા વિના કરવા જાય તે ઉલટું અહિતકારક જ થઈ પડે. શ્રી નરસિંહ મહેતાને કહેવું પડયું છે કે – અમારૂં ગાયું ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે; જે સમજીને ગાશે, તે હેલાં વૈકુંઠ જશે.” માટે સાંકડી કેડી–એકપદીમાંથી તે કઈ વિરલ મનુષ્ય જ જઈ શકે છે ને રાજમાર્ગો Page #612 -------------------------------------------------------------------------- ________________ (૫૩૬) ગદષ્ટિસમુચ્ચય તે સહુ કોઈ જઈ શકે છે, એમ જાણી, લેગ મળે પણ નિલેપ રહેવારૂપ એકપદી પર ચાલવાનું દુર્ઘટ કાર્ય કઈ વિશિષ્ટ જ્ઞાની વિશેષને માટે રહેવા દઈ, ઈતર જનેએ તો વિધ્યત્યાગરૂપ રાજમાર્ગે જ ચાલવામાં
Page 376
પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા એગ્ય છે, એ જ અત્ર તાત્પર્ય છે. (જુઓ, અધ્યાત્મસાર ). એટલે જ્ઞાની પુરુષના અધ્યાત્મ વચને વાંચી પિતાની તથારૂપ આત્મદશા થયા વિના, પોતાની તેવી દશા કલ્પી લઈ, જે શુષ્ક જ્ઞાનીઓ સંસારમાં રહીને ભેગ ભોગવતાં છતાં નિષ્કામપણું ભજવાનો ખોટો ડોળ-દંભ કરે છે, તે અજ્ઞાનીઓ દંભી અજ્ઞાનીને ખરેખર ! આત્મવંચના જ કરે છે, અને યોગ-અધ્યાત્મની હાંસી-વિડં. કરણ ફેજ ! બના જ માત્ર કરે છે! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને ( નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિ પણ તેનું ઘર અધઃપતન કરે છે. માટે ખરેખર જે નિષ્કામપણું ભજવું જ હોય તો તેવા બાહ્ય નિમિત્ત પ્રસંગને પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. સંસારપ્રસંગમાં પણ અસંગ રહી નિષ્કામવૃત્તિ અખંડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક બેગ પ્રસંગને જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાર્ગ છે. આ અનાસક્ત ગ તો કોઈક વિરલા પરમ ગસિદ્ધ પુરુષે જ સાધી શકે છે. બાકી તથારૂપ યોગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખત્તા જ ખાય છે, ત્યાહ ઉપજાવનારા બાહ્ય નિમિત્તે તેને સસ્વરૂપથી ભ્રષ્ટ કરે છે–પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે મેગીને બદલે “ભેગી’ બને છે ! એટલા માટે જ જ્ઞાની પુરુષોએ વિષયલેગ સાધનને પતનસ્થાન જાણી બાહ્ય સંગનો પણ સર્વથા નિષેધ કર્યો છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પણ પરવસ્તુને લેશ પણ સંગ કરવા ગ્ય નથી, એ એમને નિરંતર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યોગ સાધવા પ્રવર્તાવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ “લાલબત્તી’ તેઓએ આગળ ધરી છે. જેમકે હે જ્ઞાની! કદી પણ કંઈ કર્મX કરવું ઉચિત નથી. તથાપિ જે તું એમ કહે કે હું તે ભોગવું છું, પણ પરદ્રવ્ય કદી હારૂં નથી,” તે અરે! તું દુર્ભક્ત જ છે, અર્થાત્ જે હારૂં નથી તે તું ભગવે છે, એટલે તું દુષ્ટ ભેગવનાર છે અને જે તે કહે કે “ઉપભોગથી બંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી એમ x “ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते, भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बंधः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधुध्रुवम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ, Page #613 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિ : “મન ગુણ અવગુણ ખેત', બલીયસી ધમશક્તિ (૫૩૭) શાસ્ત્રમાં કહ્યું છે,' તે શું આ હારી ગપ્રવૃત્તિ કામચાર છે-ઈચ્છા પ્રવૃત્તિ છે? અને એમ છે તે શું બંધ નથી ? માટે હે જ્ઞાની ! તું જ્ઞાનરૂપ થઈને વસ, નહિં તે ચોક્કસ હારા પિતાના અપરાધથી તું બંધને પામીશ. તેમજ-કર્મનયના અવલંબનમાં પરાયણક્રિયામાં રચ્યાપચ્યા રહેનારા એવા ક્રિયાજડ જે જ્ઞાનને નથી જાણતા તે મગ્ન છે, સંસારસમુદ્રમાં ડૂબી ગયેલા છે. જ્ઞાનનયને ઇચ્છનારાઓ પણ જે સ્વચ્છેદથી મંદ ઉધ્યમવાળા છે તે પણ મગ્ન છે, સંસારસાગરમાં ડૂબેલા જ છે. વિશ્વ ઉપર તે તે તરે છે, કે જે સતત સ્વયં જ્ઞાન થઈ-જ્ઞાનરૂપે પરિણમી કર્મ કદી પણ કરતા નથી, અને કદી પણ પ્રમાદને વશ થતા નથી. ' વળી અત્રે જ્ઞાનાક્ષેપકવંત કવચિત્ ભાગ ભોગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અભુત ગસિદ્ધિનું સામર્થ્ય સૂચવવા માટે કહ્યું છે, તે ભેગ ભેગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ કવચિત જ્ઞાની ભેગી કોઈ યોગીવિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં છતાં અભેગી ! રાખી, તેનું અસાધારણ અતિશયવંત
Page 377
દઢયેગીપણું દર્શાવવા માટે કહ્યું છે. કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ વિષયને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પિતાના નથી જ એમ દઢ આત્મપ્રતીતિથી માને છે. અને તેમાં સ્વપ્નાંતરે પણ પરમાણુ માત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સુક્કો ગોળો જેમ ભીંતને લાગતું નથી, તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધોદયથી કદાચને ભોગ ભોગવવું પડે, તે પણ તેમાં સર્વથા અસંગપણાને લીધે જ્ઞાની લપાતા નથી, એવી અપૂર્વ ઉપગજાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે. તેમજ– વિષયો જે છે તે પિતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દેષરૂપ મન ગુણ પણ નથી. એટલે “વિષયોને બંધ ઉત્પાદનમાં નિયમ નથી; અજ્ઞાનીને અવગુણ ખેત તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતો નથી. જે સેવતાં કદી જેની અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત્ શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” (જુઓ અધ્યાત્મસાર) પણ તે વિષયના નિમિત્તે જે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ઉપજે છે, તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિસ્થાન છે. મન ga મનુષ્યાળાં જાઉં વંધમોક્ષયો ” અને વીતરાગ જ્ઞાની પુરુષને તે એ પરમ વૈરાગ્ય વર્તે છે કે તેને વિષયોમાં લેશમાત્ર પણ ઈચ્છાનિષ્ણ બુદ્ધિ હોતી જ નથી, નિમૂળ જ + “મના શર્મનાવટ-વનપા જ્ઞાનં નાનંતિ રે, मग्नाः ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंत: स्वयं, જે કુત્તિ જ ગાતુ ન વ યાંતિ કમાય -શ્રી સમયસાર કલશ , Page #614 -------------------------------------------------------------------------- ________________ (૫૩૮) યોગદષ્ટિસમુચ્ચય થયેલી હોય છે, એટલે પૂર્વ કર્મવશાત્ કવચિત વિષય ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભોગના ગુણદોષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “એવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહિં ભવહેત; નવિ ગુણ દેષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત..ધન.” –શ્રી યો.સક્ઝાય -૭ આમ જે ભેગાસાગરમાં ભોગી ડૂબી મરે છે, તેને સમર્થ યોગી શીવ્ર તરી જાય છે ! જે ભોગથી બીજાના ભોગ મરે છે, તે ભોગ પણ આવા ઉત્તમ ભેગીને ગબાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે “આ કાંતા દષ્ટિમાં કમક્ષિપણાથી ભોગશક્તિ નિર્મલ હોય છે, તે નિરંતર સ્વરસથી પ્રવર્તતી એવી બલીયસી ધર્મશક્તિને હણતી નથી –દીપને જે વાયરે બૂઝાવી નાંખે છે, તે પ્રજવલિત એવા દાવાનલને બૂઝાવી શકો નથી, પણ ઉલટે તેને સહાયતા કરે છે, તેમ અત્રે ભોગવ્યા વિના છૂટકે જ નથી એવા કર્મને ક્ષય થતું હોવાથી બળવાન ધર્મશક્તિને ભોગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિબળપણાને લીધે તેને વિરોધ કરતી નથી. હાથીને મગતરું શું કરી શકે ? મહામલ્લને નિર્બલ બાલક શું કરી શકે? જે કે સ્થિર દષ્ટિમાં પણ જ્ઞાનની તાકાત એટલી બધી હોય છે કે તેને ભોગે કાંઈ કરી શકે એમ નથી, તો પણ ત્યારે હજુ કંઈક અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરંતુ આ કાંતા દષ્ટિમાં તે ધારણ જ્ઞાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ બળવાનપણું થયું હોય છે, કે તે ભોગો પણુ ભાવસાધુ પણ લેશ પણ પ્રમાદ ઉપજાવી શક્તા નથી ! અર્થાત્ ભોગ મળે પણ તેવો વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતો નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એ તે બળવાન સામર્થ્ય સંપન્ન હોય છે. આવો અપ્રમત્ત ગૃહસ્થ યોગી પણ ભાવસાધુ જ છે. અને આમ હવાથી અત્રસ્થિત અસંગ જ્ઞાની ગીપુરુષ નિર્વિને નિબંધ પણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ
Page 378
કરતે આગળ વધે જ છે. “તે એ દષ્ટિ રે ભવસાગર તરે, લહે મુનિ સુયશ સંગ.”—. સઝાય. भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलधनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥१६७॥ વૃત્તિ-મોરવચ સુભગતત્વને તે, ભેગપરમાર્થને તો, અર્થાત ભેગ જેને મન પરમાર્થ છે એવાને, પુનઃ–પુનઃ, 7 મોરકુન-ભોદધિનું બંધન નથી, ભવસાગર ઉલ્લંઘા નથી,–તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને એ જ કહે છે-માયોદવેશ:-માયાજલમાં જેને દઢ આવે છે એવો –તેવા પ્રકારના વિપસને લીધે, જેને મૃગજલમાં દઢ અભિનિવેશ છે એ, તેન ચાવી : પથા- કેણુ અહીં તે પંથે-માર્ગે જય, કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે. x “धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् ।। ત્તિ રીપvણો વાયુર્ઘટાં વાનરમ ”—યશવકૃત દ્વા. દ્વા. ૨૪-૧૫ Page #615 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ ભગતત્વ ભવાબ્ધિ ન તરે, વિષય મૃગજa (૫૩૯) ભગતત્વને ભવાબ્ધિનું, લંઘન તે ન જ થાય; મૃગજલ દઢાવેશ છે, તે માર્ગે કુણ જાય? ૧૬૭ અર્થ-પણ જેને મન ભેગ એ તત્વ છે, એવાને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. જેને મૃગજલમાં દઢ આવેશ છે, એ કેણ અહીં તે માગે –કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે ત્યાં–જાય? વિવેચન “સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડેલ...ધન ધન ગતરવને રે એ ભય નવિ ટળે” –શ્રી જે. દ. સક્ઝાય. પણ ભેગને જે તત્વરૂપ-પરમાર્થરૂપ માને છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેવા પ્રકારના વિપર્યાસને લીધે, માયાજલમાં જેને દઢ અભિનિવેશ છે એવો કોણ અહીં-જ્યાં માયામાં જલબુદ્ધિ છે એવા તે માર્ગે જાય? ભેગ જેને મન તત્વરૂપ છે, પરમાર્થરૂપ લાગે છે, સાચા ભાસે છે, એ ભોગતત્વ પુરુષ કદી ભવસમુદ્ર ઓળંગી શકતું નથી. કારણ કે તેવી મિથ્યાભાસરૂપ બુદ્ધિને લીધે તે તેના ઉલ્લંઘનના ઉપાયમાં પ્રવર્તતું નથી. અને તેનું કારણ પણ ભેગતત્વ એમ છે કે જેને માયાજલમાં દૃઢ આવેશ-ગાઢ અભિનિવેશ હોય, ભવાબ્ધિનતરે તે તે માગે કેવી રીતે જાય? વિપસને લીધે તેને સાચું જાણત હોય તે તેને ઉલ્લઘી જવાની હામ કેમ ભીડે? એટલે રખેને હું ડૂબી જઈશ એમ ડરતે રહી, ડામાડોળ બની, તે માયાજલને ઓળંગી જવાનો પુરુષાર્થ કરતું નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતે નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતું નથી, તેને નિઃસાર અસત્ય જાણી તેની સેંસર નિર્ભયપણે પસાર થઈ જતો નથી, પણ તેમાં જ નિમગ્ન બની ડૂબી જાય છે, ગુંચી જાય છે, પચ્યો રહે છે. અત્રે વિષયને જે મૃગજલની-ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે અત્યંત યુક્ત છે. કારણ કે ગ્રીષ્મમાં દૂર દૂર ક્ષિતિજમાં-જ્યાં પૃથ્વી ને આકાશ મળતા દેખાય છે ત્યાં દષ્ટિમર્યાદાના છેડે જલને આભાસ થાય છે, તેને મૃગવિષય મૃગજલ જલ કહે છે. તે જલ કઈ વસ્તુતઃ છે જ નહિં, પણ દષ્ટિવિભ્રમથી વિપર્યાસ (Illusion of vision) તેને આભાસ માત્ર થાય છે. એવા તે મૃગજલને સાચું જ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે Page #616 -------------------------------------------------------------------------- ________________ (૫૪૦) યોગદષ્ટિસમુચય પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલ તે જાણે હાથતાદ્વી દઈને આવું ને આવું ભાગતું જ જાય છે! કાંઈ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે ! તેમ જડ એવા વિષયપદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ થવો અસંભવિત છે, તથાપિ વિપર્યાસરૂપ દષ્ટિવિભ્રમથી (Illusion and Delusion) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી
Page 379
તે સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતષ્ણાથી આકુલ બનેલે મહમૂઢ જીવરૂ૫ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દેડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝાંવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તે લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય, એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુવાવનથી ભવભ્રમણુજન્ય ખેદને લીધે, પથ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે. - આ વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં બુદ્ધિનો વિશ્વમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિપર્યાસથી ભોગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિયામતિ ભૂલ ગયા !” ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલ આત્મા ઇંદ્રિયદ્વારથી પ્રવર્તતે રહી વિષયમાં પડી જાય છે, અને તે વિષયને પામીને પોતે પિતાને તત્ત્વથી જાણતું નથી, પોતે પોતાને ભૂલી જાય છે! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે “આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર?” એના જેવી મહાહાસ્યાસ્પદ વાર્તા બને છે ! “હું ડી નિજ રૂપ, રમ્ય પર પુદ્ગલે, ઝી ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે.–શ્રી દેવચંદ્રજી વિચારની ઉત્પત્તિ થયા પછી વદ્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સબંધનાં વદ્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય જીવની ભૂલ જોતાં તે અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, Page #617 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિ વિષયને ભિખારી નિપુણ્ય ક (૫૪) કે જે ભૂલને વિચાર કર્યાથી સર્વે ભૂલને વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સેવે ભૂલ મટે છે. કઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈ છે, પણ તે કર્તાવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. ”શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. (૫૦૦) આ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવતુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાય છે, “આપ આપકું ભૂલી ગયા !' એ જ મોટામાં મોટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલની પરંપરા નીપજે છે, તે વિષયનો એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારી બની જાય છે. પંચ ઇંદ્રિયના વિષયોમાં તે એટલે બધે તન્મય થઈ નિપુણ્યક રંક જાય છે કે તે પિતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઈ, વિષયમાં જ | સર્વસ્વ માની તેની ગષણમાં અહોનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આ ને તપ્ત બની નિરંતર દુઃખ અનુભવે છે, છતાં તે વિષયોને કી વિષયોનો કેડો મૂકતે નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આ તે વિષયખુભુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિદ્ધર્ષિએ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક રંકના જેવું સમસ્ત ચેષ્ટિત
Page 380
કરે છે, ને કરમાં ઘટપાત્ર લઈ રાતદિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે ! જેમકે “ આ જીવ આ સંસારનગરમાં અપરાપર જન્મ લક્ષણરૂપ ઊચા-નીચા ગૃહમાં વિષય-કદનના આશાપાશને વશ થઈ અવિરામપણે ભમ્યા કરે છે. “ક્ષુધાથી જસ દુર્બલ દેહ, ગૃહે ગૃહે ભિક્ષાથે તેહ કરમાંહિ ગ્રહોને ઘટપાત્ર, નિન્દાતે ભમતે દિનરાત્ર. સર્વાગી મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ; ય માડી! રે કરજો ત્રાણુ!' પોકારે એવી દીન વાણ. જવર કુછ ઉન્માદ સંયુક્ત, શૂલપીડિત ને પામી યુક્ત; સર્વ રોગને તેહ નિવાસ, વેદનાવેગે વિહલ ખાસ. પામીશ ભિક્ષા તે તે ગેહ, ઈત્યાદિક ચિંતવત એહ; વિકલ્પાકુલ મનમાં થાય, રૌદ્રધ્યાન ભરતે જાય. સંતને કરુણનું સ્થાન, માનીએાને હાસ્ય નિદાન બાલને કીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ.” -શ્રી ઉ. ભ. પ્ર. કથા, પ્ર. ૧ (ડે. ભગવાનદાસકૃત સપઘમઘ અનુવાદ) “સંસારને વિષે અહોનિશ પર્યટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષય અને જે આ બંધુવર્ગ-ધન-સુવર્ણાદિ, અને જે કીડ-વિકથા આદિ અન્ય પણ સંસાર Page #618 -------------------------------------------------------------------------- ________________ (૫૪૨) ગદષ્ટિસમુચ્ચય કારણ હેય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવોના કારણપણાને લઈને વિષય કદન્નના અને કર્મ સંચયરૂપ મહા અજીર્ણના નિમિત્તપણને લઈને કદન્ત જાણવા મનોરથ યેગ્ય છે.” (ઉ. ભ. પ્ર. કથા) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા ઈચ્છતો આ જીવ નાના પ્રકારના વિષય સંબંધી મારો કરે છે,થાવત્ તે ચક્રવર્તીપણાને મને રથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણ ભગવાન સતસાધુઓને ક્ષુદ્ર રંક જેવો પ્રતિભાસે છે, તે પછી શેષ અવસ્થાઓનું તે પૂછવું જ શું?” અને આવા કદન્ત જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાને વિચ્છેદ થતું નથી, એટલું જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ ગ્રીષ્મમાં દવદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂચ્છથી ઢળી પડેલા એવા કેઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રબલ કલ્લેબમાલાથી આકુલ એવા ઘણું ઘણું મહા જલાશયસમૂહે પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી, તેમ આ જીવને પણ આ વિષયાદિ વત્ત છે. તે આ પ્રકારે:-અનાદિ સંસારમાં પરાવર્તન કરી રહેલા આ જીવે પૂર્વે દેવને વિષે અનંતીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેગો પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિઓ મેળવેલા છે, પતિના વિશ્વમેને ખંડિત કરે એવા વિલાસિનીવૃદો સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની કીડાએથી કીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભક્ષાથી–ભૂખથી કૃશ ઉદરવાળો હોય એમ આ જીવ શેષ દિનના ભક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણ નથી !! કેવલ તેના અભિલાષથી શોષાય છે !!! -તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભક્ષા વધતી જાય !” ' –શ્રી ઉ. ભ. પ્ર. કથા (ડી, ભગવાનદાસ મ, મહેતાકૃત અનુવાદ) આવી કદન્નરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અનર્થ પરંપરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલ્લંઘી જવાની હામ ભીડતે નથી, અને જ્યાં છે ત્યાંને ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડયો રહે છે !! स तत्र भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥ વૃત્તિઃ-સ-તે, માયામાં જેને જલને દઢ આવેશ છે તે, તા-ત્યાં જ, પથમાં, માર્ગમાં મોનિઃભદ્વિગ્ન હોઈ, ચણા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, તિરંગાય-નિઃસંય સ્થિતિ જ કરે છે.-જલબુદ્ધિના સમાચથો, મોક્ષમાડપિ હિ-નાનાદિ લક્ષવાળા મોક્ષમાર્ગમાં પણ, તથા-તેમ અસંશય રિથતિ કરે છે. મોનરન્નાટોહિત –ભેગજંબાલથી–ભેગનિબંધન દેતાદિ પ્રપંચથી મેહિત એવો તે એમ અર્થ છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ : ભવમાં સ્થિતિ, બહિરત્મા-દેહમાં આત્મબુદ્ધિ (૫૪૩) ત્યાં જ નિ:શંક સ્થિતિ કરે, ભદ્વિગ્ન તે જેમ; ગજબાલે મોહિયે, મોક્ષપથે પણ
Page 381
તેમ. ૧૬૮ અર્થ –તે જેમ ત્યાં જમાર્ગમાં, ભદ્વિગ્ન હોઈ, નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ ભેગબાલથી મહિત એ તે સ્થિતિ કરે છે. વિવેચન માયાજલમાં જેને જલને દઢ અભિનિવેશ છે, એ તે ભેગતત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભદ્વિગ્ન રહી, ત્યાં જ માર્ગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ ભોગના કારણરૂપ દેહાદિ પ્રપંચથી માહિત એવો તે નિ:સંશય “સ્થિતિ’ કરે છે. આનો આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિને અભિનિવેશ છે, એવો ભગતવ પુરુષ, આ જલ સાચું છે–ખરેખરૂં છે, એવા બાંધી લીધેલા પૂર્વગ્રહરૂપ - મિથ્યાભાવને લીધે, સંસારથી ઉદ્વેગ-દુખ પામતે રહી, ત્યાં જ માર્ગમાં ભવમાં સ્થિતિ: સ્થિતિ કરે છે, પણ આમાં કાંઈ સાર નથી એમ જાણી તે સંસાર મેક્ષમાગે સાગરને ઓળંગી જવા આગળ વધતું નથી, પુરુષાર્થ કરતું નથી, પણ “સ્થિતિ” એટલે તે ભેગમાં જ સ્થિતિ કરે છે, ભોગમાં રો-પચ્ચે રહે છે. તેમજ ભેગકારણરૂપ દેહાદિ પ્રપંચથી મેહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાગમાં પણ “સ્થિતિ” કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંને ત્યાં અટકી રહે છે–થેભી રહે છે, પડ્યો રહે છે, પણ આગળ વધતું નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાર્ગમાં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ સ્થિતિ' કરે છે. અર્થાત્ તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મોક્ષમાર્ગે આગળ વધતા નથી. તે આ પ્રકારે – આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપઅજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પરપદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાદિ પરવસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી બહિરાત્માઃ બધી સજજડ થઈ ગઈ છે. એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઈ છે કે દેહમાં “દેહાદિ તે જ હુ” એવી વિપર્યાસ બુદ્ધિ-વિપરીત મતિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના દીર્ઘકાલના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે ! આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરાક્ષુખ એ આ બહિરાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિયદ્વારાથી કુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં Page #620 -------------------------------------------------------------------------- ________________ (૫૪૪) ગદષ્ટિસમુચય રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે, અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે, પણ તત્વથી હું પોતે તેવો નથી, તે તે દેહપર્યાયરૂપ નથી, હું તે અનંતાનંત જ્ઞાનશક્તિને સ્વામી સંવેદ્ય એ અચલ સ્થિતિવાળે શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતા નથી. આમ પોતાના દેહમાં આત્માને અધ્યાસ કરતા એ આ બહિરાત્મા પરના આત્માને જ્યાં વાસ છે એવા સ્વદેહ સદેશ અચેતન પરદેહને આ પારકે દેહ માની બેસે છે. અને આમ દેહમાં સ્વપરના મિથ્યા અધ્યવસાયનેમાન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મણ જનને સ્ત્રી-પુત્રાદિ સંબંધી વિભ્રમ વર્તે છે, અને તેમાંથી અવિદ્યા નામને દઢ સંસ્કાર જન્મે છે, કે જેથી લેક પુન: દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.” જડ ચલ જડ ચલ કર્મ જે દેહને હેજી, જાણ્યું આતમ તત્વ; બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરગે એકત્વ. નમિપ્રભ૦”–શ્રી દેવચંદ્રજી. દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાથે વિષયમાં પ્રવૃત્તિ કરે છે, અને તે વિષયપ્રાપ્તિના સાધનરૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે. તુચ્છ કદન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં
Page 382
તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે. અને વિશેષ વિશેષનો લોભ ધરતે રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળપ્રપંચ-માયાકપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે, અને તેથી હાથે કરીને આ ભવપ્રપંચ ઉભું કરીને, સંસાર પરિભ્રમણદુ:ખ પામી, તે ભદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આ જીવનું સંસારચક્ર ચાલ્યા કરે છે. x"बहिरात्मेन्द्रियद्वारैगत्मज्ञानपराङ्मुखः। स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।। नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा। अनंतानंतधीशक्तिः स्वसंबेद्योऽचलस्थितिः।। स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुसां पुत्रभार्यादिगोचरः ।। अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।। मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यस्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજીત શ્રી સમાધિશતક Page #621 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ ભોગતત્વની ક્ષમાર્ગ અપ્રગતિ-સ્થિતિ (૫૪૫) રાગ ભર્યો માહ વૈરી નડ્યો, લેકની રીતમાં ઘણુંય રાતે; ક્રોધ વશ ધમધમ્ય, શુદ્ધ ગુણ નવ રમે, ભ ભવમાંહિ હું વિષય માતે..... તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી.”—શ્રી દેવચંદ્રજી વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા છ પર કોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.” ઈ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) અને પછી તે તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂઢ જીવને એટલે બધો રંગ લાગી જાય છે, એટલે બધે તન્મય રસ જામે છે, કે તેની પ્રાપ્તિમાં ! નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજું કાંઈ તે બાપડ જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભોજનનો સ્વાદ તેને સ્વપ્ન પણ લાધ્યો નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડયા રહેવું ગમે છે, તેમ તેને વિષય –કદનમાં રચ્યા-પચ્યા રહેવું ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિષ્ટાની સુગંધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગંધ જ સારી લાગે છે ! તેને સુંદર માને રાંક, બીજું ન જાણે તે વરાક, સુસ્વાદુ ભોજનનો સ્વાદ, રવને પણ એને ન પ્રાપ્ત.” ઉ. ભ. પ્ર. ૧ (ડો. ભગવાનદાસ મ. મહેતાકૃત અનુવાદ) આમ પર પરિણતિના રાગીપણું, પર રસરંગે રક્ત થયેલ આ જીવ, પર વસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યત સંસારમાં રખડે છે. અને આમ પિતાનું આમહિત ચૂકી, આ મહામેહમૂઢ જીવ વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનો હેરાન હેરાન થાય છે ! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે પપરિણતિ રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે! પર કરતા પર ભોગતા, ો થયે એહ સ્વભાવ ?....નાથ રે !” શ્રી દેવચંદ્રજી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે. તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનનો અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચા છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ (હાથનેધ, ૨–૧૯) Page #622 -------------------------------------------------------------------------- ________________ (૫૪૬) યાગદદિસમુચ્ચય અને આમ ભાગરૂપ નિઃસાર માયાજલમાં જ જેને દૃઢ ર'ગ લાગ્યા છે, દૃઢ અભિનિવેશ ઉપજ્યો છે, એવા ભાગતત્ત્વ પુરુષને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હેતુ નથી, એટલે માક્ષમાગ માં તેને પ્રવેશ પણ કયાંથી હોય ? દેહાર્દિની ભૂલભૂલામણીભરી જખાલમાં જે સાઇ ગયા છે, દેહાર્દિ માયાપ્રપ`ચમાં આત્મબુદ્ધિના વ્યામાહથી જે મુઝાઈ ગયા છે, માયાજલરૂપ વિષયની અટપટી માયાવી જાલમાં જે અટવાઇ
Page 383
પડયો છે, તેના નિમિત્તે રાગદ્વેષ કરતા જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપ`ચના અનંત ચક્રાવામાં પડી ગયા છે,– એવા આ મહામેહમૂઢ જીવને મેાક્ષમા પામવા પણ મુશ્કેલ થઇ પડે છે. તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હાય છે, તેથી તે આગળ વધતા નથી, પ્રગતિ કરતા નથી; કારણ કે જ્યાંલગી કષાયની ઉપશાંતતા ન થઇ હાય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વત્તા હાય, માક્ષ શિવાય ત્રીજી કઈ અભિલાષા ન હેાય, ત્યાંલગી મેાક્ષમાગ માં પ્રવેશ કરવા યેાગ્ય ચેાગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ · ગુણસ્થાનક' પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તેા પછી ઉક્ત ભેગતત્ત્વ પુરુષના મેાક્ષમાગ માં પ્રવેશ કયાંથી હાય? ને તેમાં તે આગળ કયાંથી વધે? ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે ? મેક્ષમા અપ્રગતિસ્થિતિ આમ જેને ભાગમાં તત્ત્વમુદ્ધિ છે એવા ભાગતત્ત્વ પુરુષ સસારમાં ‘સ્થિતિ’ કરે છે, અર્થાત્ અન ́ત કાળસ્થિતિ પર્યંત અનંત પરિભ્રમણ દુ:ખને પામે છે. અને મેાક્ષમાગ માં પણ તે ‘ સ્થિતિ ’જ કરે છે. અર્થાત્ ગુણવકાસ પામી આગળ પ્રગતિ કરતા નથી, ગળીયા અળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે! અને આમ તેનું પરિભ્રમણ દુ:ખ ચાલુ રહે છે, ને તેના નિવારણના ઉપાય તેને મળતા નથી. એટલે બન્ને રીતે તે દુઃખી થાય છે. U2 5 मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तवसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥ નિત્ય મીમાંસા ભાવથી, માહુ એહમાં ન્હોય; એથી તત્ત્વસમાવેશથી, સદા હિદય હોય. ૧૬૯ અ:—નિત્ય મીમાંસા ભાવને લીધે આ દૃષ્ટિમાં માહ હાતા નથી, એથી કરીને તત્ત્વસમાવેશને લીધે સદૈવ હિતેાદય જ હાય છે. વૃત્તિ:-મીમાંસામાવતો-મીમાંસા ભાવથી, સદ્વિચાર ભાવથી, નિસ્યં−નિત્ય. સવકાળ, ન મોદ્દોડા યતો મવેત્ કારણ કે આ દૃષ્ટિમાં માડુ હોતા નથી, અતઃ–એથી કરીને સરવસમાવેશ—તવસમાવેશરૂપ કારણ થકી, સવૈવ હિ હિતોત્ય:-આ દૃષ્ટિમાં ચોક્કસ સદૈવ હિતાય જ હોય છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિઃ થર્ષદ મીમાંસા, દશનામીમાંસા (૫૪૭) વિવેચન વળી નિત્ય મીમાંસાના ભાવથી આ દષ્ટિમાં મેહ હોતો નથી. એથી કરીને તત્વના સમાવેશરૂપ કારણ થકી નિશ્ચય એને સદાય હિતેાદય જ હોય છે. તત્ત્વ મીમાંસા આ દષ્ટિમાં સ્થિતિ કરત સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ સમર્થ તત્વચિંતક-તત્વમીમાંસક હોય છે. એટલે નિરંતર સવિચારરૂપ મીમાંસાના-સૂમ તત્ત્વપષણના હેવાપણાને લીધે અત્રે કેઈપણ મોહને સંભવ હોતો નથી. કારણકે જે તત્ત્વ સમજે છે, તે મેહ પામત નથી. અને સમ્યગ્દષ્ટિને દર્શનમહ તે કારનો ક્ષય થઈ ચૂક છે, તથા યોગમાર્ગમાં આગળ વધતાં એને ચારિત્રમેહની પણ ઉત્તરોત્તર ક્ષીણતા થતી જાય છે, એટલે સર્વથા મેહનો અભાવ હોય છે. સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રકારે તત્વને સૂમ વિચાર કરે છે. જેમ કે શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્ગદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –(૧) પહેલું પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પપદ મીમાંસા અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય-સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. (૨) બીજું પદ-આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સગો અનુભવ ચોગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન-સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસરગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હાય નહિ. (૩) ત્રીજુ' પદ-આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ
Page 384
ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ચોગ્ય વિશેષ સંબંધ સહિત ) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. (૪) ચોથું પદ આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ; હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ Page #624 -------------------------------------------------------------------------- ________________ (૫૪૮ ) યોગદૃષ્ટિસમુચ્ચય થવા ચેાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભેાક્તા છે. ( ૫ ) પાંચમુ' પદ—મક્ષપદ છે.-જે અનુપરિત વ્યવહારથી કમ'નું કર્તાપણું નિરૂપણ કર્યું", કર્તાપણું હાવાથી ભાક્તાપણું નિરૂપણ કર્યું", તે કમ'નુ' ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હેાય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ચેાગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા ચેાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. ( ૬ ) છઠ્ઠ પદ-તે મેક્ષના ઉપાય છે.—જો કદી કર્યંબંધ માત્ર થયા કરે એમ જ હાય તે। તેની નિવૃતિ કેાઈ કાળે સભવે નહી; પણ કમ''ધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે ક`બંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન સયમાદિ મેાક્ષ પદના ઉપાય છે. ’’ (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦૯ (૪૯૩) કર્તા નિજ કર્યાં; 66 આત્મા છે તે નિત્ય છે, છે છે ભાક્તા વળી મેાક્ષ છે, મેક્ષ ઉપાય સુધ ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દશન પણ એહ; સમજાવા પરમાને, કહ્યાં જ્ઞાનિએ એહુ, ”. -શ્રી આત્મસિદ્ધિ. “ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણેા; આતમ તત્ત્વ કર્યુ. જાણ્યુ' જગતગુરુ ! એહુ વિચાર મુજ કહિયેા; આતમ તત્ત્વ જાણ્યા વિણુ નિમાઁલ, ચિત્તસમાધિ નવિ લહિંયા મુ॰”—શ્રી આનંદઘનજી. વળી આ આત્મતત્ત્વ સંબધી ષડ્કનની તે તત્ત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પર્યાયેાચના કરે છે: (૧) કાઈ આત્મતત્ત્વને અખંધ માને છે, પણ આ આત્મા ક્રિયા કરતા દેખાય છે, તે તે ક્રિયાનું ફળ કાણુ ભાગવશે ? ( ૨ ) જડ-ચેતન ષદન આ બન્ને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ અન્ને સરખા છે એમ કેાઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર નામનું દૂષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. ( ૩ ) આત્મદર્શીનમાં લીન એવા કાઇ કહે છે કે આત્મતત્ત્વ નિત્ય જ છે,' પણ તેમાં તેા કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ દોષ, અને નહિ કરેલા કર્મીના આગમનરૂપ અકૃતાગમ દોષ આવે છે, તે મતિહીનને દેખાતા નથી. મીમાંસા “ કઇ અંધ આતમ તત્ત માને, કરિયા કરતા દીસે; ક્રિયાતણુ' ફૂલ કહે। કુણુ ભાગવે? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત॰ Page #625 -------------------------------------------------------------------------- ________________ કતા દષ્ટિ પદનમીમાંસા, આત્મતત્વમીમાંસા (૫૪૯) જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખે; દુઃખ સુખ સંકર દૂષનું આવે, ચિત્ત વિચારી જે પરિખે. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્વ, આતમ દરિશણ
Page 385
લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણે. મુનિ—શ્રી આનંદઘનજી (૪) કોઈ કહે છે કે “આ આત્મા ક્ષણિક છે એમ જાણે. પણ તેમ માનતાં બંધમેક્ષ કે સુખ-દુઃખની વ્યવસ્થા નહિં ઘટે, એ વિચાર મનમાં લાવવા એગ્ય છે. (૫) કઈ વળી એમ કહે છે કે “ચાર ભૂત શિવાયની અળગી–જુદી એવી આત્મસત્તા ઘટતી નથી.” પણ આંધળે ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંને શે દોષ?—એમ અનેક વાદીઓના મતવિભ્રમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત્ત સમાધિ પામતું નથી, અને યથાર્થપણે આત્મતત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તે મુમુક્ષુએ કેમ કરવું? “સૌગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો, બંધ મેક્ષ સુખ દુખ નવિ ઘટે, એહ વિચાર મન આણે. મુનિ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તે શું કીજે શકટે? મુનિ એમ અનેક વાદિ મતવિભ્રમ, સંકટ પડિ ન લહે; ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિણ તત્ત કેઈ ન કહે મુનિવ”—શ્રી આનંદઘનજી. ત્યારે તેને અંતરાત્મા (અથવા પરમાત્મા) જાણે જવાબ આપે છે કે–અહો આત્મન ! તું સર્વ પક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મોહ પક્ષથી વર્જિત એવા એક આત્મતત્ત્વમાં રઢ લગાડીને મંડી પડ! જે કોઈ આ આત્માનું ધ્યાન કરે છે તે ફરી આમાં આવતું નથી, અને બીજું બધુંય વાજાલ છે એમ જાણે છે, આ તત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ–આત્માને વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરે યોગ્ય છે, અને તે જ તત્ત્વજ્ઞાની કહેવાય. એટલે એને અંતરાત્મા પુનઃ બેલી ઊઠે છે કે હે આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ! “મુનિસુવ્રત ! જે કૃપા કરે છે, “આનંદઘન પદ લહીએ.” “વળતું જગગુરુ ઈણિ પેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ-દ્વેષ–મેહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી-મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કોઉ, સો ફિર ઈણમેં ના'વે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત્ત લાવે. મુનિ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જે કૃપા કરે છે, આનંદઘન પદ લહિયે. મુનિ” -શ્રી આનંદઘનજી. ઈત્યાદિ પ્રકારે પદની અને તે પરથી ફલિત થતા પડ્રદર્શનની મીમાંસા કરનાર Page #626 -------------------------------------------------------------------------- ________________ (૫૫૦) યોગદષ્ટિસમુરચય આ મહાતત્ત્વજ્ઞાની પુરુષ બીજી બધી પંચાત છેડી દઈ, શુદ્ધ આત્મધ્યાનમાં લીન થાય છે, અને ધ્યાવે છે કે હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા આત્મતત્તવ છું. “આ મહારા સ્વરૂપથી૪ ચુત થઈ હું ઇદ્રિયદ્વારોથી વિષયમાં પતિતમીમાંસા પડી ગયો હતો. તે વિષયને પામીને હું” એમ મને મેં પૂર્વે તત્વથી ઓળખે નહિં ! જે અગ્રાહ્યને ગ્રડતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એવું સ્વસંવેદ્ય તે તહું છું. તત્ત્વથી બોધાત્મા-બેધસ્વરૂપ એવા મને સમ્યફપણે પેખતાં, રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે તેથી કઈ મહા શત્રુ નથી, કે કઈ મહારો પ્રિય મિત્ર નથી. મને નહિં દેખતે એ આ લેક નથી મહારો શત્રુ કે નથી મારે મિત્ર.” આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલ જ્ઞાની પુરુષ ભાવે છે કે-જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હુંજ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિ એમ સ્થિતિ છે. વિષયમાંથી મને પ્રશ્રુત કરાવી, સ્વારથી જ હારામાં સ્થિત એવા પરમાનંદમય બેધાત્માને હું પ્રપન્ન થયેલ છું, પ્રાપ્ત થયેલ છું.' ઇત્યાદિ પ્રકારે આત્મભાવનાના પરિભાવથી તે દર્શનમોહને ક્ષય કરે છે. અને તેથી કરીને દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વર્તે છે, એ પરમ સૂક્ષ્મબોધ તેને ઉપજે છે. એટલે પછી તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન પ્રવર્તે છે કે તે ચારિત્રહને
Page 386
પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ કરવા ભણી પ્રવર્તે છે. જેમકે— ચારિત્ર મહ પરાજય | સર્વ ભાવથી તે ઔદાસીન્ય વૃત્તિ-ઉદાસીન ભાવ કરે છે, અને તેને દેહ માત્ર સંયમના હેતુએ જ હોય છે, બીજા કેઈ કારણે તેને બીજું કાંઈ કલ્પતું નથી, અને દેહમાં પણ તેને કિંચિત્ મૂચ્છ હોતી નથી. મન, વચન, કાયાના સર્વત્ર દા યોગને તે જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે, અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની સીન્ય: ગુપ્તિ આત્મામાં સ્થિરતા કરે છે, તે પણ મુખ્યપણે તે દેહની સ્થિતિ પર્વતસમિતિ ચાવજજીવ વર્તે છે. તે આત્મસ્થિરતા એટલી બધી દઢ હોય છે કે ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી પણ તેને અંત આવી શકતો નથી. *"मत्त च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः ।। यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमरम्यहम् ॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः।। मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रन च पियः॥ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः। अहमेव मयोपास्या नान्यः कश्चिदिति स्थितिः॥ प्रच्याव्य विषयेभ्योऽहं मा मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક, Page #627 -------------------------------------------------------------------------- ________________ કાંતા દષ્ટિ ચારિત્ર મેહપરાજય, સદાય હિતેાદય (૫૫૧) અને તે સંક્ષિપ્ત મન-વચન-કાયાના યુગની પ્રવૃત્તિ કરવી પડે છે તે માત્ર સંયમના હેતુથી જ કરે છે, અને તે પણ નિજ આત્મસ્વરૂપને નિરંતર લક્ષ રાખીને અને ભગવાનું વીતરાગ દેવની આજ્ઞાને આધીનપણે રહીને. તે સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં હોય છે, અને છેવટે નિજ સ્વરૂપમાં લીન થાય છે. (જુઓ પૃ. ૨૫, પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવસિદ્ધપણે સંગીત કરેલું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ અનન્ય કાવ્ય.—જેને ભાવ અત્ર અવતાર્યો છે). સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કપે નહિં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જય જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ” ઈ –શ્રીમદ્ રાજચંદ્રજી પંચ ઇન્દ્રિયના વિષયમાં તેને રાગદ્વેષ વિરહિતપણું હોય છે, ઈટ–અનિષ્ટ બુદ્ધિ હતી નથી; પાંચ પ્રકારના પ્રમાદથી એના મનને ક્ષેભ ઉપજતું નથી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી ક્યાંય પ્રતિબંધ કર્યા વિના તે નિર્લોભપણે પૂર્વ પ્રારબ્ધ વિષયકષાયજય: કર્મના ઉદયને આધીન થઈને વિચરે છે. ક્રોધ પ્રત્યે તે તેને સ્વઅપ્રમાદ- ભાવપણું વર્તે છે ! માન પ્રત્યે દીનપણાનું માન હોય છે! માયા પ્રત્યે અપ્રતિબંધ તે સાક્ષીભાવની દષ્ટાભાવની માયા કરે છે ! અને લેભ પ્રત્યે તે લાભ સમાન થતું નથી કઈ બહુ ઉપસર્ગ કરનારો હોય તે તેના પ્રત્યે તે કેપતું નથી. ચક્રવતી આવીને વંદન કરે તે પણ તેનામાં માન ગેસું જડતું નથી, દેહ છૂટી જાય તે પણ તેના પ્રેમમાં પણ માયા ઉપજતી નથી. પ્રબળ લબ્ધિ-સિદ્ધિ પ્રગટે તે પણ તેને લેભને અંશ પણ સ્પશત નથી. શત્રુ-મિત્ર પ્રત્યે તેને સમદર્શિપણું વર્તે છે, માન-અપમાનમાં પણ તેનો તે જ સ્વભાવ વર્તે છે, જીવિતમાં કે મરણમાં તે ન્યૂનાવિકપણું-ઓછાવત્તાપણું માનતો નથી, અને સંસાર હો કે મેક્ષ છે તે પ્રત્યે તેને શુદ્ધ સમભાવ વર્તે છે. સર્વત્ર સમભાવ: તે એકાકીપણે સ્મશાનને વિષે વિચરે છે, વળી પર્વતમાં કે જ્યાં વાઘજિનકપીવત્ સિંહને સંયોગ હોય છે ત્યાં પણ વિચરે છે; છતાં તેનું આસન ચર્યા અડોલ રહે છે ને મનમાં કેઈપણ પ્રકારનો ભ ઉપજતો નથી, પણ જાણે પરમ મિત્રને વેગ પામ્યા હોય એમ તે જાણે છે. ઘોર તપશ્ચર્યા કરતાં પણ તેના મનને તાપ થતું નથી, અને સરસ અનથી તેના
Page 387
મનને પ્રસન્નભાવ ઉપજતો નથી. રજકણ હો કે વૈમાનિક દેવની ઋદ્ધિ છે, તે સર્વેય એક પુદ્ગલ સ્વભાવરૂપ છે એમ તે માને છે. આમ તે ચારિત્રમોહને પણ પરાજય કરે છે, એટલે સર્વથા મોહના અભાવથી તત્વસમાવેશરૂપ કારણને લીધે–અત્યંત તવપરિણતિને લીધે તેને સદાય હિતેાદય જ Page #628 -------------------------------------------------------------------------- ________________ (૫૫૨) ગદષ્ટિસમુચ્ચય હોય છે. મોહાંધકાર હરનારી મીમાંસાદીપિકાના૪ તત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની-ધર્મની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મ અધિકાધિક અંશે ઉન્મીલન પામત જાય છે, પ્રગટતો જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરોત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મગુણની શ્રેણી પર આરૂઢ થતું જાય છે. જેમ બીજને ચંદ્રમાં ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સમ્યગદષ્ટિ મહાત્મા યેગીને હિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પૂર્ણ સ્વરૂ૫૫ણને પામે છે. “ભગતત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંગ. ધન ધન શાસન શ્રી જિનવરતણું !” શ્રી કે. દ, સજઝાય. – Eા કાંતા દષ્ટિ: કેપ્ટક ૧૨ દાન-તારા સમાન | અન્યમુદ્ ચિત્તદોષ ત્યાગ | ગાંગ-ધારણું | મીમાંસા-ગુણપ્રાપ્તિ – કાંતા દૃષ્ટિનો સાર – છઠ્ઠી કાંતા દષ્ટિમાં, આગલી દૃષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અબ્રાંતિ, સૂફમબોધ વગેરે કહ્યું, તે તે હોય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હોય છે. તે ઉપરાંત અત્રે ધારણુ નામનું છઠું માંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્ નામને ચિત્તદોષ હેતે નથી, અર્થાત્ ચિત્ત ધર્મ શિવાય કેઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિદય કરનારી એવી નિત્ય મીમાંસા-સદવિચારણા અત્ર હોય છે. આ દષ્ટિમાં ધર્મના માહાભ્યને લીધે સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે. અને તેથી કરી આ દષ્ટિવાળો યેગી પુરુષ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે, અને તે ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે. એનું મન સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે, – જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં બીજા બધાં કામ કરતાં પણ + " मीमांसादीपिका चास्यां मोहध्वान्तविनाशिनी ।। તત્વોને તેના ચાન્ન જાણમા !” –શ્રી દ્વા દ્વા. ૨૪-૧૫ Page #629 -------------------------------------------------------------------------- ________________ કાંત દષ્ટિ : સાર, ગદષ્ટિ કળશ કાવ્ય (૫૫૩) પિતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગા ભવહેતુ–સંસારકારણ થતા નથી. માયાજલને તત્ત્વથી-તેના સ્વરૂપથી દેખનારે પુરુષ જેમ બેધડકપણે શીધ્ર તેની મધ્યેથી, ત્યાઘાત પામ્યા વિના, ચાલ્યો જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગેને તેના સ્વરૂપથી દેખનારે સમ્યગદષ્ટિ દેછા પુરુષ, તે ભેગવતાં છતાં અસંગઅનાસક્ત હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભેગ જેને મન તવરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેની તથા પ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હોય છે. માયાજલમાં જેને તેવા વિપસને લીધે દઢ અભિનિવેશ-આગ્રહ છે, એવો કે અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભદ્વિગ્ન-ભવથી દુઃખ પામતે રહી, જેમ ત્યાં જ-માર્ગમાં જ નિઃસંશય સ્થિતિ કરે છે, તેમ ભોગજંબાલથી મોહિત એવો તે મોક્ષમાર્ગમાં પણ સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંને ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતો નથી. સદા સદ્દવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી મોહ હેત નથી, એથી કરીને અમેહસ્વરૂપ' એવા “બેધમૂત્તિ’ જ્ઞાની પુરુષને સદૈવ હિતેાદય જ હોય છે, અર્થાત્ ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતનો--આત્મકલ્યાણને સમુદય થયા જ કરે છે. યોગદષ્ટિ કળશ કાવ્ય હરિગીત કાંતા સમી નિત કાંત કાંતા દષ્ટિ ગિજન તણી,
Page 388
તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણું; સૂફમધ પ્રકાશ કાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્વવિચારણામય મીમાંસા બલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાદિ થકી, અવિનાશી ને ઉપયોગવત દેખતે નિત્યે નક; યેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપ ધાર, પરભાવ તેમ વિભાવમાં કદી મોદ તે ન ધરાવતે. ૧૨૮ આત્મ સ્વભાવે વર્તનારૂપ ધર્મમાં વર્તન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતે યેગી નકી; ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્મને, આ ધર્મના મહિમા થકી હોયે અતિ પ્રિયતા જને. ૧૨૯ Page #630 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય શ્રત ધર્મમાં નિત ચિત્ત ધારે, કાય કાર્ય બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન હાલામાં અહીં, જ્યમ ગાય વનમાં જાય, ચાર ચરે, ચાર દિશા ફરે, પણ દષ્ટિ તે તેની સદા નિજ વત્સ વ્હાલા પર ધરે. ૧૩૦ શ્રત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવતને ભેગો ય ભ વહે તુ નહિં ! મોહમયી માયામહીં પણ અમેહસ્વરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત્ જલમાં ન લેપાયે કદા. ૧૩૧ મૃગજલ અહીં મૃગજલપણે જે તત્વથી જન પેખતે, તે સેંસર બેધડક તે બાધા વિના ચાલ્યો જતે; ત્યમ ભંગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતે, ભેગ'તાંય અસંગ રહી તે પદ પરમ પ્રત્યે જતે. ૧૩૨ ભેગ તત્વ જ માનતે તે ભવસમુદ્ર તરે નહિ, માયાજલે આવેશ દઢ તે તે પથે વિચરે નહિ; તે ત્યાં જ ભવઉદ્વિગ્ન ત્યમ માયાજલે સ્થિતિ ધારો. ત્યમ મોક્ષમાર્ગ પણ કરે સ્થિતિ ભેગમલ મેહિત થતા. ૧૩૩ હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પુષ્ટ તત્ત્વ સુધાતણ રસપાનથી નિત પુષ્ટ છે; તે યોગી મનનંદન ધરે કયમ મોહ કે પરભાવમાં? હિત ઉદય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪ ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे षष्ठी कान्ता दृष्टिः ॥ Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ છઠ્ઠી દૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે – ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । તરવતિપત્તિયુતા સસ્ત્રવૃત્તિપાવી* || ૨૭૦ || ધ્યાન પ્રિયા પાયે પ્રભા, એથી અત્ર ન ગ; તરવ પ્રતિપત્તિ અહીં, સત્યવૃત્તિ પદ યોગ, ૧૭૦ અર્થ -પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, એથી કરીને જ આમાં “ગ” નામને દોષ હોતું નથી. આ દષ્ટિ તત્ત્વપ્રતિપત્તિ યુક્ત અર્થાત્ યથાર્થ આત્માનુભવયુક્ત હેય છે, અને સત્પ્રવૃત્તિ પદને આણનારી હોય છે. વિવેચન અર્ક પ્રભા સમ બેધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિડી, તત્વતણું પ્રતિપત્તિ વળી ઈહાં, રેગ નહિં સુખ પુઠ્ઠી... રે ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ”–શ્રી જે. દ. સક્ઝા. ૭-૧ આ સાતમી પ્રભા દષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્ય પ્રભા સમાન બેધ, સાતમું યોગાંગ ધ્યાન, સાતમા “સ” દેષનો અભાવ ને સાતમા તત્તવમતિપત્તિ ગુણને ભાવ હોય છે. આવી આ દષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, તથા વિશેષ કરીને શમસંયુક્ત અને તેથી સતાવૃત્તિપદાવહા-સતુપ્રવૃત્તિપદ આણનારી હોય છે. કૃત્તિ -એમ આ દૃષ્ટિ “સત્યવૃત્તિપદાવહા' છે એમ પિંડાર્યું છે, અર્થાત્ સતપ્રવૃત્તિપદને લાવનાર છે. + પાઠાંતર:–વિરોળ રોમાન્વિતા અથત વિશેષ કરીને શમ સંયુક્ત એવી હેય છે. અત્રે વૃત્તિ પણ અપૂર્ણ અથવા ખંડિત જણાય છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ (૫૫૬) યોગદષ્ટિસસુરાય આ દષ્ટિને સૂર્ય પ્રભાની ઉપમા આપી, તે યચિત છે. કારણ કે તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણ બળવાનું હોય છે, તેમ છઠ્ઠી કાંતા દૃષ્ટિ કરતાં સાતમી પ્રભા દષ્ટિનું દર્શન-બેધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન, પરમ અવગાઢ હોય છે. આને . “પ્રભા' નામ આપ્યું તે પણ યથાર્થ છે. પ્રભા અર્થાત્ પ્રકૃણ બધપ્રકાશ જેને છે તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ
Page 389
દષ્ટિની બેધ-પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી, બળવાન ક્ષપશમસંપન્ન હોય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બેધપ્રકાશથી સર્વ પદાર્થસાર્થનું યથાર્થ દર્શન થાય છે. યોગનું સાતમું અંગઃ ધ્યાન અને આ દૃષ્ટિને આ પ્રકૃણ બેધ-પ્રકાશ હોય છે, તેથી જ આ બે નિરંતર ધ્યાનને હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણુ ધ્યાન થાય છે; જેવું જ્ઞાન બળવાન્ તેવું ધ્યાન પણ બળવાન હોય છે. આમ આ દષ્ટિ ધ્યાનપ્રિયા હોય છે, ધ્યાનની હાલી પ્રિયતમા જેવી હોય છે, જ્યાં ધ્યાન યોગીને અત્યંત પ્રિય હોય છે એવી હોય છે. એટલે અહીં સ્થિતિ કરતો યેગી જ્ઞાની પુરુષ પોતાને પરમ પ્રિય એવું અખંડ આત્મધ્યાન ધ્યાવે છે. અને આ આત્મધ્યાન તીક્ષણ આત્મા પગવાળું–આત્મજાગ્રતિવાળું હોવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કોઈ પણ વિકલ્પ ઊઠવાને અવકાશ હેતે નથી, એવું તે નિર્વિકલ્પ હોય છે. ધારણુ નામનું છઠું ગાંગ સાંપડયા પછી સ્વાભાવિક કમે સાતમું ધ્યાન નામનું ગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણ એટલે અમુક વિષયમાં–પ્રદેશમાં ચિત્તબંધ થાય, એટલે તેના પુનઃ પુન: સંસ્કારથી તેના અંતસ્તત્વ પ્રત્યે ચિત્ત દોરાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન પ્રગટે છે. “યોગશ્ચિત્તવૃત્તિનિરોધ:” (પા૨–૧). ધારણમાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણું હોય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્વનું સાક્ષાત્ અનુસંધાન હોય છે. “તત્ર પ્રત્યકૈવજ્ઞાનતા થાનમ્' (પા. ૩–૨). ચિત્તના ધારણા-દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણા પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. (જુઓ દ્વા. દ્વા.) “જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અસ્થિર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અર્થમાં મનની અંતમુહૂર્ત સ્થિતિ તે ધ્યાન છે. અનેક અર્થસંક્રમમાં લાંબી પણ સ્થિતિ હય, તે અચ્છિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે. ” (જુઓ અધ્યાત્મસાર ). ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે–(૧) આત્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુકલ. તેમાં આત્તરોદ્ર એ બે દુધ્ધન સંસારના કારણ હેઈ અપ્રશસ્ત અને અનિષ્ટ છે, Page #633 -------------------------------------------------------------------------- ________________ પ્રશા દૃષ્ટિ: ધ્યાન, ચાર ભાવનાથી સ્થિચિત્તસ્થિતપ્રજ્ઞ ધ્યાતા (૫૫૭ ) અને આત્માથી મુમુક્ષુને સવથા હેય છે—ત્યજવા યાગ્ય છે. બાકીના એ ધમ અને શુક્લ મેાક્ષના કારણ હાઇ પ્રશસ્ત અને ઇષ્ટ છે, અને આત્માથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદરથી આદરવા ચાગ્ય છે. અથવા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પશુ સમજવા યેાગ્ય છે. આ સ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાવ, અધ્યાત્મસાર, યાગશાસ્ત્ર, માક્ષમાળા આદિ ગ્રંથરત્ને અવલેાકવા. આ સર્વ પ્રકારના ધ્યાનનેા અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાના છે. એટલે આત્મધ્યાન એ જ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનનું સ્વરૂપ ખરાખર સમજવા માટે ધ્યાતા-ધ્યેય આદિનું સ્વરૂપ સમજવા ચેાગ્ય છે— ધ્યાતા સ્વરૂપ આ ધ્યાન ધરનાર ધ્યાતા ચૈાગી પુરુષ પણ તે માટેની યથાયાગ્ય ચૈાગ્યતાવાળા હાવા જોઇએ, અને તે માટે જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ ભાવનાઓથી+ભાવિતાત્મા ઢાવા જોઈએ-દૃઢ ભાવર’ગી હાવે ચાર ભાવનાથી જોઇએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દનભાવનાથી સ્થિર ચિત્ત અસંમેાહ હૈાય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મીની નિર્જરા થાય છે અને વૈરાગ્ય ભાવનાથી સ`ગના આશસાના ને ભયના ઉચ્છેદ થાય છે; અર્થાત્ વૈરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સ`ગ-આસક્તિ કરતું નથી, અને આ લેાક-પરલેાકાદિ સંબધી કઈ પણ આશ'સા-ઇચ્છા કરતું નથી, અને કાઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષેાભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હેાય છે, તેનું ચિત્ત સ્થિર થાય છે. અને આવે જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની
Page 390
ચેાગ્યતા પામે છે, બીજાને-અસ્થિરચિત્તને તેની યાગ્યતા હેાતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સૌથી પ્રથમ આવશ્યક છે. પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ ગ'ભીર તત્ત્વવચન છે કે ઔજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.' તેમજ ગીતામાં પણ કહ્યું છે કે ‘*અસ યતાત્માને યોગ પામવા દુર્લભ છે એમ મ્હારી મતિ છે, પણુ જેને આત્મા-મન વશ છે તે યત્નવતને યોગ ઉપાયવડે કરીને પામવેા શકય છે. '–આ બધુય ઉપરક્ત ભાવનાથી ભાવિતાત્મામાં ખરાખર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાય જીએ બૃહદ્ દ્રબ્યસંગ્રહમાં ભાખ્યું છે કે- જો તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અર્થે " निश्चलत्त्रमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सङ्गाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ स्थिरचित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्त ं परैरपि । ” —શ્રી યશાવિજયજીકૃત અધ્યાત્મસાર * k ܕ असंयतात्मने। योगो दुःप्राप्य इति मे मतिः । વયાભના તુ ચતતા રાજ્જોડવાનુમુયત: || ”—ગીતા અ. ૬. Page #634 -------------------------------------------------------------------------- ________________ (૫૫૮) ગદષ્ટિસમુચ્ચય ચિત્તને સ્થિર ઈચ્છતા હો, તે ઈષ્ટ અનિષ્ટ અર્થોમાં મહ મ પામે, રાગ મ કરે, દ્વેષ મ કરો.' " मा मुज्जह मा रज्जह मा दुस्सह इणि?अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धिए ॥" -શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત બૃહદ્ દ્રવ્યસંગ્રહ, આમ મનના અને ઇન્દ્રિયના જયથી જે નિર્વિકાર બુદ્ધિવાળો છે, તે ધ્યાતા શાંત અને દાંત એવો હોય છે, અર્થાત્ કષાયની ઉપશાંતતાથી તે શાંત હોય છે, અને ઇંદ્રિયાદિના દમનથી તે દાંત હોય છે. ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞના શાંત, દાંતઃ લક્ષણ આ શાંત-દાંત યોગીમાં સંપૂર્ણ પણે ઘટે છે- “હે અર્જુન ! સ્થિતપ્રજ્ઞ જ્યારે સર્વ મનોગત કામને-ઇચ્છાઓને છોડી દે છે, ત્યારે આત્માથી આત્મામાં જ તુષ્ટ એ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખમાં તેના મનને ઉદ્વેગ ઉપજતું નથી અને સુખમાં તે સ્પૃહા કરતા નથી. વીતરાગ, વીતભય, વીતકોધ હેય એ તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આત્મારામપણાએ સ્થિત એ શાંત-દાંત પુરુષ ખરેખર ! આવા લક્ષણવાળો હોય છે. અને આ સાતમી દૃષ્ટિવાળા યોગી પુરુષ તો આવા ઉત્તમ કોટિના ધ્યાતા હોય જ છે, કારણ કે અત્યાર સુધીની ઉત્તમ યોગસાધનાથી તે અત્યંત સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ થઈ ચૂક્યા છે. (૧) સૂક્ષ્મ તત્વબોધ અને તેની મીમાંસાથી–સૂક્ષમ આ દષ્ટિવાળો સદુવિચારણાથી તેને જ્ઞાન-દર્શનની ઉત્તમ ભાવના થઈ હોય છે. (૨) ઉત્તમ યાતા અહિંસાદિ પાંચ યમના પાલનથી, શૌચ સ તેષાદિ નિયમના સેવનથી ચિત્ત સમાધાનકારી સુખાસનની દઢતાથી, બાહ્ય ભાવના વિરેચન અને અંતર્ આત્મભાવના પૂરણ-કુંભનરૂપ પ્રાણાયામથી, ઇંદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહારથી અને ચિત્તને ધર્મધ્યાનમાં ધારી રાખવારૂપ દઢ ધારણથી,આમ યોગગાના નિરંતર અભ્યાસથી–પુનઃ પુન: ભાવનથી તેની ચારિત્રભાવના ઉત્તમ પ્રકારની થઈ હોય છે. (૩) અને જ્ઞાન-દર્શન-ચારિત્રની આવી ઉત્તમ ભાવનાવાળા આ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પરમ વૈરાગ્યભાવનાથી રંગાયેલા હોય છે, તેથી પરમ ઉદાસીન એવા તે વીતરાગ પુરુષ કયાંય પણ સંગ-આસક્તિ કરતા નથી, આ લેક-પરલેક સંબંધી કેઇપણ ઇચ્છા ધરતા નથી, જીવવાની તેમને તૃષ્ણ નથી ને મરણુયોગથી તે ક્ષોભ પામતા x" प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। દુઃવેદનુદ્દિાનમના સુપુ વિતર: વીતરામચક્રોધઃ સ્થિતીનિયતે ”—ગીતા, "सुविदिदपदत्यसुत्तो संजमतवसंजुदो विगतरागो। समणो समसुदुक्खो भणिदो सुद्धोवओगोत्ति ॥" –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર Page #635 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ : વસ્તસ્વરૂધ્યાન, અરિહંતધ્યાન, સિદ્ધાખ્યાન (૫૫૯) નથી, એવા તે સર્વ ભયથી મુક્તપરમ નિર્ભય અવધૂત હોય છે. યોગીશ્વર રાજચંદ્રજીનું ટકેલ્કીર્ણ વચનામૃત છે કે : નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ પેગ નહિં ક્ષોભ; મહાપાત્ર તે માગના, પરમ યોગ જિતભ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. અને આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવનાઓથી અસ્થિમજજા પર્યત હાડોહાડ રંગાયેલા, ને આત્મભાવનાથી, અત્યંતપણે ભાવિતાત્મા એવા યોગીને, ચિત્તવિક્ષેપ ઉપજાવનારા દોષ નિવૃત્ત
Page 391
થઈ ગયા હોવાથી, ચિત્તની અત્યંત સ્થિરતા વર્તે છે. એટલે આ આવા સ્થિરચિત્ત, સ્થિતપ્રજ્ઞ, આત્મારામી શાંત-દાંત, વીતરાગ યોગીશ્વર સમગ્ર ધ્યાનસામગ્રીથી સંપન હેઈ, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ અર્થમાં મોહ પામતા નથી, રાગ ધરતા નથી, દ્વેષ કરતા નથી અને એટલે જ આ પરમ નિગ્રંથ વીતરાગ મુનીશ્વર પરમ નિશ્ચય ધ્યાનને માટે-શુદ્ધ આત્મધ્યાનને માટે પરમ ગ્ય હોય છે. ધ્યેય સ્વરૂપ ધ્યેય એટલે ધ્યાન કરવાને વિષય-આલંબન. કઈ પણ ધ્યેય ચિતવવાને અંતિમ (Ultimate) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાનો છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીહ વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે – (૧) ચેતન કે અચેતન એવી મૂdઅમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ટિ, (૩) આત્મા. ૧. વસ્તુ ચેતન–અચેતન એમ બે ભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિ–લયરૂપ સત્ સ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની સ્વરૂપસત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિરૂપ છે. અર્થાત્ કોઈ વસ્તુ સ્વરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે જડ ભાવે જ પરિણમે છે, અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. એમાં કઈ પિતાને સ્વભાવ છોડી પલટતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ છે, અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન છે. આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? ઈત્યાદિ પ્રકારે કોઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે, અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહિં, છડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?”–શ્રીમદ્ રાજચંદ્રજી. Page #636 -------------------------------------------------------------------------- ________________ (૫૬૦) યોગદષ્ટિસમુચ્ચય ૨, અથવા પંચ પરમેષ્ઠિને પરમેષ્ટિવાચક નામમંત્રોથી જપ કરે (પદસ્થ ધ્યાન ) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે. "नमो अरिहंताणं, नमो सिद्धाण, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोए सब्वसाहूणं ।” (૧) જેના ચાર ઘાતિકર્મ નષ્ટ થયા છે, અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ* શુદ્ધ આત્મા તે “ અહંતુ ધ્યાન કરવા યોગ્ય છે.” ધ્યાનના ફલરૂપ પરમ આત્મઅરિહંતનું સમાધિને પામી જે દેહ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વિચરે છે, ધ્યાન એવા સહજાન્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આત્મા તે જ અહંત-જિન ભગવા–સર્વજ્ઞ પરમાત્મા છે. આ જીવનમુક્ત દેહધારી પરમાત્માનું તાત્વિક શુદ્ધ સ્વરૂ૫ આત્માથી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે; કારણ કે આ સહજાન્મસ્વરૂપ શુદ્ધ આત્માના ધ્યાનથી આત્મા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થાય છે. એટલે આ “પરમેષ્ઠિ'નું ધ્યાન મુમુક્ષુને હસ્તાવલંબનરૂપ હોવાથી પરમ ઈષ્ટ છે. જિનવરના આલંબનથી આત્મા આત્માવલંબની થઈ નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્વે એક્તાને; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુકિત નિદાને.”-શ્રી દેવચંદ્રજી. દહ તેય જેહની દશા અદેહ વર્તાતી, વૃત્તિ આત્મભાવમાં સદા સ્વયં પ્રવર્તતી; ગિનાથ જે ધરી રહ્યા છવનવિમુક્તિને, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વંદું એ વિભૂતિને.” શ્રી અરિહંતસ્તોત્ર (ડૉ. ભગવાનદાસ મ. મહેતા વિરચિત) (૨) જેના અષ્ટમ કર્મ અને દેહ નષ્ટ થયા છે, કાલેકના જે જ્ઞાયક ને દષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા કશિખર સ્થિત છે તે ધ્યાવવા.” સર્વ કર્મ કલંકને ક્ષય જ્યથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યો છે, દેહ રહિત એવા શુદ્ધ આત્મા સિદ્ધનું ધ્યાન પ્રગટ કર્યો છે, સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે, કેવલ ચૈતન્યમય આત્મતત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિકત્વરૂપ
Page 392
કૈવલ્યને પામ્યા છે,-એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન તે પરમ ધ્યેય છે— x" णट्ठचदुघाइकम्मो दसणसुहणाणवीरियमईओ । सुहदेहत्यो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ॥" – શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવરીકૃત શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ, +“ લે ઝોયાસ્ટોરન્સ ગાળો વા કુરિલાયા પા સિદ્ધ ક્ષ સોસિદ્દો.” –શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ, Page #637 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ : સિદ્ધનું ધ્યાન, આચાર્યાદિનું ધ્યાન (૫૬૧) પરમ ધ્યાન ધરવા યોગ્ય છે. કારણ કે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટયો છે, સર્વ આત્મગુણુની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઈ છે, નિજ સ્વરૂપના કર્તા-ભોક્તા થઈ તે તેમાં રમણતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્ત્વપણું તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. “ધર્મ પ્રાગુભાવતા, સકલ ગુણ શુદ્ધતા, કતૃતા ભેગ્યતા, રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહો ભાવીએ!”—શ્રી દેવચંદ્રજી. “પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”—શ્રી યશોવિજયજી. “ખાતાં કરી ખતમ કમતણા સમસ્ત, પામ્યા ગતિ જ અપુનર્ભવ જે પ્રશસ્ત; જેણે સૂર્યા ચઉગતિ રથ ચક ચારે, તે સિદ્ધને ચરણ હો શરાણું અમારે! -શ્રી સિદ્ધસ્તોત્ર (ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા વિરચિત) આવા પ્રગટ સહજાન્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણ કે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જે તે ધર્મમૂત્તિ ધમનાથ પરમાત્માને શુદ્ધ ધર્મ છે, તેવો જ આ આત્માને તિણે મનમંદિરે મૂળ સ્વભાવ ધર્મ છે. આમ જે વસ્તુની જાતિ એકતા છે, તે કદી ધર્મ પ્રભુ પલટતી નથી-ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સંગના પરિહારથી ધ્યાએ” તે પરમ આનંદમય પરમાત્મ તત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત્ત હોવાથી અવ્યક્તપણે–શક્તિરૂપે* રહ્યું છે, અર્થાત્ સંસારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્મપણું છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્ત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવું જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપ્તિ થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અપૃથફપણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનમંદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા યોગ્ય છે–પરમ ઈષ્ટ છે. +" मम शक्त्या गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः । एतावानावयोर्भेदः शक्तिव्यक्तिस्वभावतः ।। सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ।।" –શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ. Page #638 -------------------------------------------------------------------------- ________________ (૫૬૨) યોગદષ્ટિસમુચ્ચય “તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મહારી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.” “પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વને ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્વ સમાય રે.” “ઈણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે; ધ્યાન પૃથફત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું!”–શ્રી દેવચંદ્રજી. (૩-૪-૫) તેમજ–“દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વિચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને જે છે, એવા તે આચાર્ય મુનિ ધ્યેય છે— ધ્યાન કરવા યોગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશમાં નિરત છે, આચાર્યાદિ યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હે! (તે પણ ધ્યેય ધ્યેય છે) દશન-જ્ઞાનસમગ્ર એવું મોક્ષના
Page 393
માર્ગરૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે સાધે છે તે સાધુ એવા મુનિ છે, તેને નમસ્કાર હે !' આ પણ ધ્યાન કરવા યોગ્ય છે.–આ આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજાન્મસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવૃત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માઓ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષિઓનું સ્વરૂપધ્યાન આત્માર્થીને આત્મધ્યાનારૂઢ થવામાં અપૂર્વ પ્રેરણાદાયી હોવાથી પરમ ઈષ્ટ છે.–આમ પંચપરમેષ્ટિ આદિ આ સવ ધ્યેય-આલંબનને હેતુ આત્મસ્વરૂપના ધ્યાનપર આરૂઢ થવાને-ચઢવાનો છે, કારણ કે “જે કંઈ ચિંતવતાં સાધુ જ્યારે એકત્વ પામી નિરીહ વૃત્તિવાળો થઈ જાય છે, ત્યારે તેને નિશ્ચય ધ્યાન હોય છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન હોય છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિ આદિ ધ્યેયનું આલંબન પરમ ઉપકારી થાય છે. ૩. અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે-ધ્યાનને વિષય છે. ઉપરોક્ત અન્ય સર્વ ધ્યેયનું અંતિમ લક્ષ્ય અને ફળ પણ આ આત્મધ્યાન જ છે. કારણ કે એ અરિહંત સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ ધ્યેયના ચિંતનથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા-એકાગ્રતા *"दसणणाणपहाणे वीरेयचारित्ततवायारे । अप्पं परं च जुजइ सो आयरिओ मुणी झेओ। जो रयणत्तयजुत्तो णिच्चं धम्मोवएसणे णिरदो । सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ॥ दसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चरितं । साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।। जं किंचिवि चितंतो णिरीहवित्त। हवे जदा साहू । लध्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं झाणं ॥" -શ્રી બદુ દ્રવ્યસંગ્રહ Page #639 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ : શુકલ આત્મધ્યાન, પ્રભુનુ પિ′ડસ્થઘ્યાન (૫૬૩) થાય છે,—જેથી સત્ર નિરીહ એવા ચેગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાનને માટે પરમ ચેાગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માના અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે. પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી ચંદ્રપ્રભ’-શ્રી દેવચ’દ્રુજી, "" અને આ દૃષ્ટિવાળા મહાયેગી તા યુક્ત એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ ચેાગ્ય થઈ ગયા હાય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મ ધ્યાનની ઉત્કૃષ્ટ આરાધનાથી આ આત્મજ્ઞાની સભ્યષ્ટિ યાગી પુરુષ એવે શાંત, દાંત આ દૃષ્ટિમાં ને અપ્રમત્ત થઈ ગયા હૈાય છે, આત્મભાવથી એવા ભાવિતાત્મા શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આત્મારામી થઇ ગયા હેાય છે, કે તેણે શુદ્ધ આત્માના ચૈાગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણીએ ચઢવા માટે આવશ્યક ઉપયેગી એવા અપૂર્વ આત્મવીય ના-આત્મસામર્થ્ય ના અદ્ભુત સંચય કરી લીધા હાય છે, એટલે આ આત્મધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીયની સ્ફુરણાથી ભાવે છે કે· અનંત ગુણુ–કમલને વિકાસ કરનાર એવા હું સૂર્ય સમાન છતાં અહા ! આ મહાલવારણ્યમાં પૂર્વે ક-વૈરિઓથી વંચિત કરાયા ! આત્મબ્રાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ અધનાથી બધાયેલેા હું અનતકાળ આ દુČમ ભવ-વનમાં વિખિત થયો! હવે આજ મ્હારા રાગ–જ્વર નષ્ટ થયેા છે, આજ મ્હારી માહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખગધારાથી હું કમ શત્રુને હણી નાંખુ વળી તે ભાવે છે કે— જેના અભાવે હું સૂતા હતા, અને જેના સદ્ભાવે હું ઊઠયો છું, તે અતીન્દ્રિય અનિર્દેશ્ય સ્વસ`વેદ્ય હું છું. જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે પરમ છે, તેથી હું જ મ્હારાથી ઉપાસ્ય છુ, અન્ય કાઈ નહિ', એમ સ્થિતિ છે.’ નમા મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતા નથી. નમે મુજ રે ’કારણકે તે ચિંતવે છે કે- આ અચેતન × છે તે દૃશ્ય છે, ને ચેતન છે,
Page 394
તે અદૃશ્ય છે. તેા હું કયાં રાષ કરુ ? કયાં તેષ કરું ? એથી હું < *"अनन्तगुणराजीवबन्धुरप्यत्र वञ्चितः । अहो भवमहा कक्षे प्रागहं कर्मवैरिभिः ॥ स्वविभ्रमसमुद्भूतै रागाद्यतुलबन्धनैः । बद्धो विडम्बितः कालमनन्तं जन्मदुर्गमे ॥ अद्य रागज्जरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ।। " —શ્રી શુભચ દ્ગાચા છકૃત શ્રી જ્ઞાનાવ, +‘-શ્વેતમિનું દથમદË ચેતનું તતઃ । વામિ વ તુષ્યામિ મધ્યસ્થોડઢું માન્યતઃ ।। ′′—શ્રી સમાધિશતક, Page #640 -------------------------------------------------------------------------- ________________ (૫૬૪) ગદરિસમુચ્ચય મધ્યસ્થ થઉં છું.” અને સર્વત્ર વીતરાગ એવો તે આત્મામાં જ રત થઈ શુકલ એવા આત્મધ્યાનને પામે છે, ને તેના પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે કે અહે ! અહો ! હું મુજને કહું, નમે મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. ... શાંતિજિન ! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી, આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિંડસ્થ ધ્યાન કહે છે. દેહપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવનું જ્યાં ધ્યાન ધરાય છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષ્ઠિવાચક નમસ્કારાદિ મંત્ર વાકયને જપ ય ભેદે ચાર જ્યાં ધ્યેય છે, તે પદસ્થ ધ્યાન છે. જ્યાં સદેહે વતા, સાકાર-રૂપી ધ્યાન ભેદ એવા સર્વજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને - જ્યાં દેહાતીત-રૂપાતીત એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.* "देहादेवलि जो वसइ, देउ अणाइ अणतु । केवलणाणफुरंततणु, सो परमप्पु णिभंतु ॥" - શ્રી યોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ ગા. ૩૩ એમાં પણ ખાસ કરીને જીવતમૂત્તિ એવા રૂપી-દેહપિંડસ્થ સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન જીવને પરમ ઉપકારી થાય છે. કારણ કે આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્ત જનનું મન ચપળ પ્રભુનું પિંડસ્થ સ્વભાવ છોડીને ઠરી જાય છે–સ્થિર થાય છે. એટલે એ ભક્ત જન ધ્યાન ભાવાવેશમાં ગાય છે કે-હે ભગવાન ! જો આ હારૂં રૂપી સ્વરૂપ જગમાં ન દેખાયું હોત, તે અમારું મન તેના ઉપર હસત-હર્ષ પામત? હીંચ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છત? ઈડ્યા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત - એળખત ? પ્રીયા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત? લાવ્યા વિના રસસ્વાદ તે કેમ પામતી માટે અમે તે માનીએ છીએ કે હે પ્રભુ! હારી ભક્તિ વિના કોઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સત્ પુણ્યના ભેગથી તમે રૂપી દેહધારી થયા ને અમૃત સમાણુ ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન! આ હારે દેહ-પિડ ઘણુ ગુણનું કારણ છે, અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે, માટે હે પ્રભુ! અમે તો હારું પિંડસ્થ ધ્યાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. “રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરુ, છાંડી ચપલ સ્વભાવ ઠ" મન મારું; રૂપી સરૂપ ન હોત જો જગ તુજ દીસતું, તે કુણ ઉપર મન કહે અમ હીંસતું. *"पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वाचितनम । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ॥" Page #641 -------------------------------------------------------------------------- ________________ સભા દષ્ટિ : આત્મયાનની મુખ્યતા, રેગ દેશને નાશ હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ? ઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા ? પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા? લાવ્યા વિણ રસસ્વાદ, કહ કિમ પાવતા? ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કઈ ભક્તને, રૂપી વિના તે તે ન, હવે કઈ વ્યક્તિને અમ સતપુણ્યને યોગે, તમે રૂપી થયા, અમિય સમાણી વાણ, ધરમની કહી ગયા. તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, સેવ્ય ધ્યાયે હવે, મહાભયારણો શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિકા
Page 395
જના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન કરો થઈ એકમના.” -શ્રી રૂપવિજયજી. “હારું ધ્યાન તે સમકિત રૂ૫, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જાયે સઘળા હે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હવે પછ.”–શ્રી યશોવિજયજી. આ સર્વજ્ઞ પરમાત્માને પરમ શાંત, પ્રશમરસનિમગ્ન વીતરાગ ભાવ જેમાં મૂર્તિમંત થાય છે, એવી તેની તડાકાર સ્થાપનારૂપ જિનપ્રતિમા પણ ધ્યાન માટે તેટલી જ ઉપકારી થાય છે. જિન અને જિનપ્રતિમા બન્ને નિમિત્ત જિનપડિયા સમાન છે, એવી આગમ વાણી છે. એટલે આ સ્થાપનારૂપ જિનપ્રતિમા જિન સારિખી” સાથે પણ જે અભેદતા વધી, તે આ આત્માના સ્વસ્વભાવ ગુણની વ્યક્ત-પ્રગટ ગ્યતા સાધી એમ જાણવું. અને આવા આ રૂપી ભગવંતનું અદ્ભુત રૂપ દેખીને આશ્ચર્ય છે કે ભવ્યજન-ગ્ય એવા ગીજન અરૂપીપદ વરે છે! “નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.” જિનપડિમા જિન સારિખી, કહી સૂત્ર મઝાર.” ઠવણું સમવસરણ જિન સેંતી, જે અભેદતા વાળી રે, એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે.”–શ્રી દેવચંદ્રજી. “દેખી અભુત તાહરું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; હારી ગત તું જાણે હે દેવ! સમરણ ભજન તે વાચક યશ કરેછે.”—શ્રી યશોવિજયજી. તેમજ રૂપાતીત આદિ ધાન પ્રકારે પણ આત્માને સ્વરૂપાવલંબનમાં પરમ ઉપકારી થઈ આત્મધ્યાને ચઢાવે છે. આ આત્મધ્યાન જ મુખ્ય એવું ભેગસાધન છે, કારણ કે તેનાથી જ વેગને મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થાય છે, શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષ સાથે યુજન થાય છે, શુદ્ધ આત્મતત્વના અનુસંધાનરૂપ યેાગ નીપજે છે. આ ધ્યાન કરનાર ધ્યાતા પોતે ધ્યેયરૂપ–પરમાત્મારૂપ બની જાય છે. “કર્મયોગને સમ્યક અભ્યાસ કરી, જ્ઞાનયેગથી સમાહિત એવો યેગી, ધ્યાન પર ચઢી, મુક્તિયોગને પામે છે."* x"कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ।।" શ્રી અધ્યાત્મસાર, Page #642 -------------------------------------------------------------------------- ________________ (૫૬૬ ) યોગદષ્ટિસમુચ્ચય ધ્યાનના ઘણુ ઘણા પ્રકાર છે, એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણું જીવોને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બેધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૨. રોગ દોષને નાશ « ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પરપરિણતિ ઉદે. ”—શ્રી દેવચંદ્રજી. ગ” નામને સાતમે ચિત્તદોષ અત્રે નષ્ટ થાય છે. રોગ એટલે રાગ-દ્વેષ-મેહ એ ત્રિદોષરૂપ મહારાગ-ભાવરોગ તેને અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણ વિનાની ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા લંગરૂપ થાય, તે રોગ છે. (જુઓ સનિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝિયું છે. (૧) આત્મસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂર્શિત થાય છે,–આ જ મહ છે. અને તેને લીધે પરવસ્તુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગદ્વષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરપરિણતિને ભજે છે. આમ મહરાગ-દ્વેષ એ જ જીવને મોટામાં મોટો રોગ છે. જેમ ત્રિદેષ સન્નિપાતને રેગી પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યદ્વાલદ્વા અસમંજસ બેલે છે, ટૂંકામાં જાણે બદલાઈ ગયું હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીત પણે-વિભાવપણે વર્તે છે, અને પિતાના સત્ સ્વરૂપથી નિપાતને પામી પોતાના “ સન્નિપાતી” નામને યથાર્થ કરે છે તેમ રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદોષ સનિપાત જે જીવને લાગુ પડયો હોય છે, તે જીવ
Page 396
પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પિતાનું ને પિતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીત પણે–વિભાવપણે વત્ત છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવન નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે, એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યે-વિભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવને મુખ્ય મહારોગ છે. (૨) અથવા યથાર્થ સાચી સમજણ વિનાની જે કિયા કરવામાં આવે તે પણ રોગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાને ઉચછેદ થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેને ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ માંદલી હોય છે, તેમ આ રોગ દોષવંતની કોઈ પણ ક્રિયા માંદલીરેગિષ્ટ હોય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે, Page #643 -------------------------------------------------------------------------- ________________ કલા દષ્ટિક તત્વમતિપત્તિ-મસારયાન સુખ અનુભવ (૫૬૭) શુદ્ધ સ્વરૂપમણુતારૂપ ચારિત્રને જે ભંગ થાય તે જ રોગ છે. આ બનને વ્યાખ્યાન તાત્પર્યાથે એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના લંગરૂપ અથવા પર પરિણતિમાં ગમનરૂપ રોગને અત્ર નાશ થાય છે.-એટલે પરપરિણતિમાં ગમન થતું નથી અને આત્મપરિણતિમાં જ રમણ થાય છે.–આ “પ્રભા” દષ્ટિમાં સ્થિતિ કરતે મહાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંબતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મમાં રમણ અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદશ્ય આલેખન આ રહ્યું – એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. ” “અત્રે આત્માકારતા વતે છે.” ઈત્યાદિ. (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. તત્ત્વમતિપત્તિ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. છઠ્ઠી દૃષ્ટિમાં મીમાંસા'-સૂક્ષમ તત્વવિચારણા નામને ગુણ પ્રગટયા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દૃષ્ટિમાં તત્ત્વમતિપત્તિ નામના ગુણને અવિર્ભાવ થાય છે. તત્ત્વમતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્ત્વને અનુભવ. “શુદ્ધાતમ અનુભવ સદા”. આમ અત્રે આત્માને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનું પક્ષ વર્ણન છે, એવા અન્ય શાસ્ત્રો અકિંચિકર થઈ પડે છે, નકામા-અણખપના થઈ પડે છે, કારણ કે શાસ્ત્ર ને માત્ર માર્ગનું દિશાદર્શન કરાવે છે, અને જે આત્મ-વસ્તુતત્વને લક્ષ કરાવવા માટે શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે, તે વસ્તુતત્વ તે અત્રે સાક્ષાત્ અનુભૂતિમાંઅનુભવમાં આવ્યું છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઈ પ્રજન રહ્યું નથી. “અગમ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫; અનુભવ મિરો રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ વીર.”—શ્રી આનંદઘનજી. જે મન-વચનને અગોચર છે, જ્યાં વાણી અને મનને મૌન ભજવું પડે છે, જ્યાં વિકલ્પ–જપને અવકાશ નથી, એવું અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત્ જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જ્યાં પ્રમાણને પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રહ્મને કેવળ અનુભવ-ભાનુ જ દેખાડે છે. (જુઓ પૃ. ૩૦ ) Page #644 -------------------------------------------------------------------------- ________________ (૫૬૮) યોગદષ્ટિસમુચ્ચય ध्यान मुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ॥ ધ્યાનજન્ય સુખ એહમાં, મન્મથને ઑતનાર, વિવેકબલથી ઉપજતું, સદૈવ જે શમસાર, ૧૭૧ અર્થ:–અને આ દૃષ્ટિમાં કામના સાધનને જીતનારૂં એવું ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે વિવેકબલથી ઉપજેલું હઈ સદેવ શમસાર જ હોય છે. વિવેચન “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવનંતને ઉપાય છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી. આ પ્રસ્તુત સાતમી દષ્ટિમાં જ ધ્યાનજન્ય સુખ હોય છે.
Page 397
અને તે કેવું વિશિષ્ટ હોય છે? તે કે મન્મથના-કામના સાધનેને જીતનારું, અર્થાત્ શબ્દાદિ વિષયનો જય કરનારૂં એવું હોય છે. વળી તે વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉત્પન્ન હેઈ, સદાય શમસાર–શમપ્રધાન જ હોય છે, કારણ કે વિવેકનું ફળ શમ છે. આ દષ્ટિમાં જ ધ્યાનનું ખરેખર સુખ અનુભવાય છે; શુદ્ધ આત્માના ધ્યાનથી કે નિવ્યજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ પરમ અમૃતરસસાગરમાં નિમગ્ન થયેલ ગિરાજ જે સહજાન્મસ્વરૂપના ધ્યાન સુખ આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તે તે અનુભવ પોતે જ જાણે છે. આ ધ્યાનજન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા પ્રકારનું છે. કારણ કે અત્રે તે કામના સાધનરૂપ શબ્દાદિ વિષયોને* જૂત્તિ-દાનવું સુમિસ્યાં સુ-આમાં અધિકૃત દષ્ટિમાં જ માનજન્ય સુખ હોય છે કેવું વિશિષ્ટ છે કે સિતમથષનં-મમથના-કામના સાધનને જીતનારૂં, શબ્દાદિ વિષયને બદસ્ત કરનારું કણાની દેના. આને જ વિશેષણ આપે છે–વિવેઇવનિતવિવેકના બલથી ઉપજેલું, જ્ઞાન સામર્થ્યથી ઉપન, એટલા માટે જ, મારું સદૈવ -સદૈવ જ શમસાર–શમપ્રધાન -વિવેકના શમફલપણાને લીધે. - "इन्द्रियसुखभाजनेषु हि प्रधानाः दिवौकसः । तेषामपि न खलु स्वाभाविकं सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दु.खमेवावलोक्यते । यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परव प्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति | xxx तददुःखवेगमसहमाना अनुभवन्ति च विषयान् जलथका ફુવ તાવવાવત ક્ષય થાનિ | ' ઇ (વિશેષ માટે જુઓ) –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારટીકા ગા. ૭૧-૭૭. Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ ઈદ્રિયસુખ તે દુખ જ, વિવેકબલજન્ય ધ્યાનસુખ (૫૯) જય હોય છે, જિતેન્દ્રિયપણારૂપ “જિનત્વ હોય છે. શબ્દાદિ વિષયે જે લેકમાં સુખસાધન મનાય છે તે તે પરમાર્થ દૃષ્ટિથી જોતાં દુઃખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાઓને ઉત્કૃષ્ટ ઇંદ્રિયસુખની પ્રાપ્તિ હોય છે, “તેઓને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટું સ્વાભાવિક દુઃખ જ દેખાય છે. કારણ કે તેઓ પચેન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઈ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયે પ્રત્યે ઝવાં નાંખી ઝંપલાવે છે.” પુણ્ય બલથી ઈચ્છા મુજબ હાજર થતા ભેગોથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ “દુષ્ટ રુધિરમાં જળની પેઠે ' તેઓ વિષયોમાં અત્યંત આસક્ત હાઈ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરાબ લેહી પીવા ઈચ્છતી હીતરસી જળ જેમ રુધિર પાન કરતાં પોતે જ પ્રલય પામી કલેશ ભોગવે છે, તેમ વિષયતૃષ્ણાવંત આ પુણ્યશાળીએ પણ વિષયોને ઇચ્છતા અને ભેગવતા રહી પ્રલય-આત્મનાશ પામી કલેશ અનુભવે છે. આમ શુભપયોગજન્ય પુણ્યો પણ સુખાભાસરૂપ દુઃખનાં જ સાધન છે. જ્યાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાર્થથી દુઃખરૂપ જ છે, ત્યાં બીજા સુખનું તો પૂછવું જ શું ? વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુખસ્વરૂપ પણ છે. કારણ કે તે પરાધીન છે, બાધા સહિત છે, વિચ્છિન્ન-ખંડિત છે. બંધકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયેથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુઃખ જ છે. આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતું હોવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન* છે. શ્રુષા-તૃષાદિ તૃષ્ણા પ્રકારથી અત્યંત આકુલતાને લીધે તે *બાધા સહિત છે. એક સરખો અખંડ શાતાદનીયને ઉદય રહેતે ન હેઈ, શાતા-અશાતા વેદનીયના ઉદયથી તે ખંડખંડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખંડિત છે, ઉપભેગમાર્ગમાં રાગાદિ દેશસેના તે પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ઘન કમરપટલ પણ સાથે સાથે હોય જ છે, તેના વડે કરીને તે બંધકારણ છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુઃખસાધન સિદ્ધ થયું. "सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोखं दुःक्खमेव तधा॥" –શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર. અને “આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નથી માનતે તે મહાચ્છાદિત જીવ અપાર
Page 398
ઘર સંસારમાં ભમે છે.” * કારણ કે સેનાની બેડી હોય કે લેઢાની બેડી હોય, પણ બંને બંધનરૂપ બેડી જ છે; તેમ પુણ્યબંધ હોય કે પાપબંધ હોય, પણ બને ૪ જુઓ-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬. Page #646 -------------------------------------------------------------------------- ________________ (૫૭૦) યોગદષ્ટિસમુરચય ભવબંધનરૂપ બેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કોઈ ફતભેદ નથી, અર્થાત પુણ્યફલરૂપ સુખ પણ કર્મોદયરૂપ હે દુઃખ જ છે, પરિણામથી* તાપથી, સંસ્કારથી, અને ગુણવૃત્તિના વિરોધથી પુણ્યજન્ય સુખ તે દુ:ખ જ છે.” જેને વધ કરાવાને છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણ હોય છે, લેહીતરસી જળ જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષયભેગને વિપાક પણ અતિ દારુણ હોય છે. સૂર્યને લીધે જ્યાં વિષયતૃષ્ણતાપથી ઇન્દ્રિયનું સંતપ્તપણું રહે છે, ત્યાં સુખ શેનું હોય? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આપવાની પેઠે ઇન્દ્રિયનો આલાદ છતાં તત્વથી દુઃખને સંસ્કાર દૂર થતો નથી. સુખ, દુઃખ અને મોહ એ ત્રણેય ગુણવૃત્તિઓ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપ જ છે. ઈત્યાદિ પ્રકારે પુષ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુઃખરૂપપણું જાણે છે, એવા પરમ વૈરાગ્યવાનું જ્ઞાની યેગી પુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ | શબ્દાદિ વિષયને જય કેમ ન કરે ? “જડે ચલ જગની એઠ” “જિન”નો જેવા પુદ્ગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે? પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખને રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તે તુચ્છ બાકસબુકસ જેવા દુર્ગધિ વિષય-કદને કેમ ચાખે? કારણ કે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાનસુખ સ્વાધીન છે. વિષયસુખ બાધા સહિત છે, ત્યારે ધ્યાનમુખ બાધા રહિત છે. વિષયસુખ વિચ્છિન્ન-ખંડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ બંધકારણ છે, ત્યારે ધ્યાનસુખ મક્ષિકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે ધ્યાનસુખ સમ છે. આવું પરમાત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હોય, તે પછી તુચ્છ વિષય ભણી નજર ૫ણ કેમ નાંખે? આવું ધ્યાનસુખ વળી વિવેકને બળથી-જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું હોય છે. સ્વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાંપડે છે, તેના સામર્થ્યથી આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષપશમની જેવી વિવેક બલજન્ય તીવ્રતા હોય છે, તેવી જ ધ્યાનની તીવ્રતા નીપજે છે; અને જેવી ધ્યાન સુખ ધ્યાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે. * “ જ દિ માહિ નો છું નત્રિ વિષેત્તિ પુouTયા ! હિં ઘોડમાં સંસાર મોહંછvળો ! ” શ્રી પ્રવચનસાર. ન હાયર વંધણ તપનીયમ ા पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ||" –( ઇત્યાદિ જુઓ ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લો. ૬૦-૭૪ * " परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । ગુણવૃત્તિવિરોધાથ દુવં પુખ્યમવૈ કુલમ્ ” –શ્રી અધ્યાત્મસાર, Page #647 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ : “સમજ્યા તે સમાયા” શમના વિવિધ અર્થની એક્તા (૫૭૧) કારણકે હંસ જેમ ક્ષીર–નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા પાડે છે, અને પછી પાણીને છેડી દૂધ ગ્રહે છે, તેમ મુનિરૂપ પરમહંસ યોગિરાજ આત્માઅનાત્માને વિવેક કરે છે, અને અનાત્મારૂપ સમસ્ત પરભાવને હેય-ત્યજવા યોગ્ય જાણી તેને ત્યાગ કરે છે, તથા જ્ઞાનદર્શનમય શુદ્ધ આત્મસ્વરૂપને પરમ આદેય ગ્રહણ કરવા ગ્ય જાણી આત્મસ્વભાવમાં ચિત્તવૃત્તિને જોડે છે. આ આત્મસ્વરૂપના એકાગ્ર ચિંતનમાં અનુસંધાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થ, તે જ મુખ્યપણે “ગ” છે, અને તેને જ જૈન પરિભાષામાં ધ્યાન” નામથી ઓળખવામાં આવે છે. અને એ શુકલ ધ્યાનરૂપ હેળીની જવાળા કઠેર કર્મ પણ બાળી નાંખે છે. શુકલ ધ્યાન હેરીકી જવાલા, જાલે કર્મ કઠોર રે....નિજ સુખકે સયા; શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિજેરા, ભસ્મ ખેલ અતિ જોર રે.....નિજ ”–શ્રી દેવચંદ્રજી. આમ આ ધ્યાનસુખ વિવેકબલથી–જ્ઞાન સામર્થ્યથી ઉત્પન્ન હોય છે,
Page 399
એટલા માટે જ તે સદાય શમસાર–શમપ્રધાન હોય છે. કારણ કે “સમજ્યા તે સમાયા.” જ્ઞાનનું અર્થાત્ વિવેકનું ફલ વિરતિ–શમ છે. “જ્ઞાનસ્થ શ્રેષ્ઠ વિત્તિ:'- એ જિનપ્રવચનનું મહાસૂત્ર છે. “જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હિતે, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા” તેને અર્થ છે. જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહં મમત્વ શમાવી દીધું કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તે દીઠો નહિ; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો છે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” (જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંત પ૬. (૬૫૧) આમ સ્વરૂપમાં જે સમાયા છે, એવા જ્ઞાની પુરુષના ચિત્તની પ્રશાંતવાહિતા હેય છે. જેમ તરંગ રહિત શાંત સરિતાને પ્રવાહ અખંડ એકધારે વહ્યા કરે, તેમ અત્રે યોગીની શાંત ચિત્ત-સરિતાને પ્રવાહ એ અખંડ એકધારો પ્રશાંતવાહિતા શાંતપણે પ્રવહ્યા કરે છે, કે તેમાં કઈ પણ વિકલ્પતરંગ ઊઠત નથી, વિક્ષેપ દૂર કર્યો હોવાથી સદેશ એક સરખા પ્રવાહવાળી પરિણમિતા હોય છે. આ પ્રશાંતવાહિતા નિરોધજન્ય સંસ્કારથી ઉપજે છે* ( આની વિશેષ સમજૂતી માટે જુઓ પાત. યે. રૂ -૧૦, તથા દ્વા. દ્વા. ૨૪. ) “તરણ કરાવાહિતા સંસાર – પાતંજલ યુગ ૨-૧૦ Page #648 -------------------------------------------------------------------------- ________________ (૫૭૨) ગદષ્ટિસમુચ્ચય શમ એટલે (૧) કષાયનું શમન, (૨) વિરતિ, (૩) વીતરાગભાવ, (૪) સમભાવ, (૫) સામ્યભાવ, (૬) ધર્મ, (૭) ચારિત્ર, (૮) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યાર્થી એક છે. તે આ પ્રકારે –(૧) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણ આવે, સ્વ–પરનો ભેદ પરખાય, અર્થની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણ કષાયની ઉત્પત્તિ ન થાય, “રાગ દ્વેષ અણહેતુ’ ન ઉપજે, અને ક્રોધ-માન-માયા-લેભનું શમન થાય, શાંતપણું થાય, મંદપણું થાય. આમ વિવેકથી કષાયશમન થાય છે. (૨) વિવેકથી સ્વ-પરને ભેદ જાણે, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિરતિ પામે. જે વિષયને માટે ઝાંવાં નાંખવારૂપ મનની દેહાદેડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ જ્ઞાનનું ફલ વિરતિ” એ સૂત્ર ચરિતાર્થ બને છે, (૩) સ્વ-પર ભેદ જાણે, એટલે પર વસ્તુમાં મુંઝાય નહિ, મોહ પામે નહિ, ગોથું ખાય નહિં. એટલે પરભાવ પ્રત્યે રાગ છૂટી જાય, આસક્તિ છૂટે, નેહાનુબંધ ત્રુટે, આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪) આમ વીતરાગ ભાવ પામે, સર્વત્ર રાગ-દ્વેષ વિરહિત બને, એટલે સર્વત્ર સમભાવી થાય, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ ચિંતવે નહિ, સમદશી બને, “વંદક નિદક સમ ગણે” ઈત્યાદિ પ્રકારે સમભાવને પામે (૫) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણુ-સંદેશપણુ પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધર્મ પામે. કારણ કે ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. વઘુરાવો ધમો' આત્મસ્વભાવને પામો તેનું નામ ધર્મ માટે સ્વરૂપ સામ્ય થયું એટલે આત્મધર્મ પામ્યો. (૭) આત્મધર્મ પામ્યો એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે “સ્વરૂપે વાર્વિ–આત્મ સ્વરૂપનું અનુચરણ તે ચારિત્ર. જેવું આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવું યથાખ્યાત ચારિત્ર અર્થાત્ સ્વ સ્વરૂપમાં રમણપણું આમ પ્રાપ્ત થાય. (૮) અને આપણે આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર-નિજ પરિવાર બીજા સર્વ સાથે સંયોગ
Page 400
કરતાં સાર છે. તે જ નિજ પરિકરરૂપ આત્મભાવની સાક્ષાત અત્ર પ્રાપ્તિ થઈ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયે, સ્વરૂપવિશ્રાંતિ પામ્ય, સ્વરૂપમાં સમાઈ ગયે. આમ સમજો એટલે શમા. “શત્રુ મિત્ર પ્રત્યે વત્તે સમદર્શિતા, માન અમાને વત્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહિં જૂનાધિતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવ જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે?”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સ્વ–પરને ભેદ જાણ્ય-વિવેક થયે, એટલે કષાય ઉપશાંતિ થઈ, વિરતિ થઈ, આસક્તિ ગઈ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધર્મની સિદ્ધિ Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દરિ: “સઘળું પરવશ તે દુઃખલક્ષણ”, “પ્રતિક્રમણ કર્યો છૂટકે (૫૭૩) થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટયું, આત્મા પરમ શાંતિમાર્ગને પાયે, સ્વરૂપે શમાયા સ્વરૂપમાં વિશ્રાંત થયો, સ્વરૂપ સમજીને તેમાં જ સમાઈ ગયો. આ એવા બધા “શમના પ્રકાર છે. અથવા તે સરવાળે પરિણામે એક જ છે. આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને શમસાર–શમપ્રધાને કહ્યું છે. તેમજ– सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥१७२॥ પરવશ સઘળું દુઃખ છે, નિજવશ સઘળું સુખ; લક્ષણ એ સુખ દુઃખનું કહ્યું સંક્ષેપ મુખ્ય. ૧૭૨ અર્થ–પરવશ હોય તે બધુંય દુઃખ છે, અને આત્મવશ હોય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કહ્યું છે. વિવેચન સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દષ્ટ આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણ કહીએ ?”–શ્રી કે. સઝાય. ૭-૨ જે કાંઈ પરવશ છે-પરાધીન છે, તે બધુંય દુઃખ છે; અને જે સ્વવશ છે-આત્મવશ છે. તે બધુંય સુખ છે; કારણકે તેમાં સુખ-દુ:ખના લક્ષણને વેગ છે આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ તે સદા નિરાશ” પરાધીનતા-પરતંત્રતા જેવું કંઈ દુઃખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કંઈ સુખ નથી. કેઈ પારકી આશે એશીયાળ થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે સઘળું પરવશ પોતે જ જાણે છે. પરાધીન–પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુ:ખ ભોગવવું તે દખલક્ષણ પડે છે, તે હાલના જમાનામાં સર્વ કઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં, તેમ પરમાર્થ માં પણ પરાધીનતા-પરતંત્રતા એ દુઃખ તે સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત-જુદી એવી વસ્તુને આધીનપણું–પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપણું–સ્વતંત્રપણું. જેમાં પર વસ્તુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે કૃત્તિ - TRવાં દુઃવ-પરવશ તે સર્વ દુઃખ છે તેના લક્ષણના યોગ થકી, સર્વમાનમાં યુવઆત્મવશ તે સર્વ સુખ છે-એ જ હેતુથકી, પતતુરં–આ કહ્યું છે મુનિએ, સામેન-સમાસથી, સંક્ષેપથી ક્ષમ્-લક્ષણ, સ્વરૂપ, સુવદુયો -સુખ-દુઃખનું. Page #650 -------------------------------------------------------------------------- ________________ (૫૭૪) યોગષ્ટિસસુશ્ર્ચય સુખ નથી, પણુ દુ:ખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ છે, એમ આપણે પૂર્વ વિસ્તારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલખન છે, એવું નિરપેક્ષ આત્મસુખ એ જ વાસ્તવિક સુખ છે કારણકે સાવેાં અસમર્થ, નિવેશ્વ સમર્થ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમથ છે, આમ પરમાથ પરિભાષા છે. “ આશા એરનકી કયા કીજે ? ગ્યાન સુધારસ પીજે....આશા ભટકે દ્વાર દ્વાર વૈાનકે, કુકર આશા ધારી... ...આશા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા....આશા॰ ”—શ્રી આનંદૅઘનજી, અથવા આકુલતા એ દુ:ખનું લક્ષણ છે, અને નિરાકુલતા એ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ ઉપાક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે, ને તેને પુષ્ટ કરે છે; કારણ કે જ્યાં એક કરતાં વધારે મળે–ભળે, જ્યાં દ્વૈત છે ત્યાં આકુલતા છે; અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હાય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં નિરાકુલતા છે.
Page 401
એટલે પરવસ્તુના સયેાગ સંબધથી જ્યાં પરાધીનતા છે ત્યાં આકુલતા છે; અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે,-એ સ કાઈના પ્રત્યક્ષ અનુભવ છે, તથા પરવસ્તુના સંયોગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે; અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વાંના સાક્ષાત્ અનુભવ છે. આમ આ બને વ્યાખ્યાના સુમેળ છે. આકુલતા તે દુઃખ 4 આત્માથી અતિરિક્ત-જૂદી એવી જે અન્ય વસ્તુ-ક, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે. એડીથી જકડાયેલા પરાધીન કેદીને જ્યાં લઇ જવા હોય ત્યાં પરાણે લઇ જવાય છે, તેમ કખ ધરૂપ પારકા પેઢી એડીથી બંધાયેલા પરાધીન જીવને ક ગમે ત્યાં ઘસડી જાય છે, અને વિનાશ કરે’જન્મ-જરા-મરણાદિ અનંત દુઃખાથી દુ:ખી કરે છે. આમ ‘પારકા પેઠો વિનાશ કરે ’-‘૧૬: વિટઃ તે વિનાશં' –એ લેાકેાક્તિ સાચી ઠરે છે. આત્માએ સ્વસમયને અર્થાત્ આત્મવસ્તુની સ્વરૂપમર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં– પારકા પુદ્ગલ ક્ષેત્રમાં-પારકી હદમાં પ્રવેશ કર્યાં, અતિક્રમણ (Transgression, Trespass ) કર્યાં. અનાદિથી આત્માએ પરપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું.–હસ્તક્ષેપ કર્યાં, પરવસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે સ્નેહસંબધ (!) ખાંધ્યા. એટલે તે પુદ્ગલ ખલાએ બદલામાં કરૂપ ભૂત તે આત્માને વળગાડ્યું, અને આત્માને પેાતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય-ક્ષેત્રમાં પૂરી રાખવારૂપ દડ દીધા ! અથવા તેા સ્નેહસંબંધના બદલામાં તેને ગાઢ અંધને બાંધી સ*સારરૂપ હેડમાં પૂરી રાખ્યું ! આમ પરાધીનતાથી જ અધી મ્હાકાણુ થઇ છે! પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણુરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત કરે છે, ને પેાતાના Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ : પુણ્યાક્ષી સુખ તે દુખ, ધ્યાનસુખ આત્માધીન (૫૭૫) ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિં જવાનું પ્રત્યાખ્યાન કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિકરૂપ આત્મસ્વભાવને પ્રતિકમણુ” ભજે છે; સ્વસ્વરૂપના સ્પર્શનરૂપ સાચું આત્મવંદન કરે છે; “નમે કર્યો છૂટકે મુજ ! નમો મુજ !” એમ આત્મસ્તુતિની પરમ ધન્ય યોગ્યતાને પ્રાપ્ત થાય છે, અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રંથના પંથને પામે છે, અર્થાત્ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયેત્સર્ગ ભાવને સાધે છે;–ત્યારે આ આત્મા સ્વાધીન–આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે. અને આવી આ કાર્યોત્સર્ગ દશાને પામેલે આ દષ્ટિમાં સ્થિત યેગી તે પરવશપણાથી દુખસ્વરૂપ એવા સર્વ વિષયને ત્યાગ કરે છે, અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુકલ આત્મધ્યાનને આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજજન કરે છે. SR पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् ।। ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७३ ॥ પુણ્ય અપેક્ષક સુખ પણ પરવશ સ્થિત છે આમ; તસ લક્ષણ નિયગથી, દુઃખ જ એહ તમામ. ૧૭૩. અર્થા–એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, અને તેથી કરીને આ તેના લક્ષણના નિયેગથી દુઃખ જ છે. (અને ધ્યાનજન્ય સુખ જ તાવિક સુખ છે.) વિવેચન એમ ઉપર કહી તે નીતિ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ રહ્યું છે, કારણકે પુણ્યનું પરપણું છે, એટલે તે પણ તેના લક્ષણના નિયોગથી દુઃખ જ છે. તેથી આમ ધ્યાનજન્ય સુખ એ જ તારિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે અને કર્મ– વિયેગ માત્રથી ઉપજવાપણું છે. ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે તેટલું બધુંય દુઃખ છે, અને સ્વવશ છે તેટલું બધુંય સુખ છે, તે નિયમની નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા વૃત્તઃ-guથાપિ –પુણ્યાક્ષી પણ, પુણ્યની અપેક્ષાવાળું પણ, ઘર-એમ, ઉક્ત નીતિથી, મુર્ણ વાં થિરમ્-સુખ પરવશ સ્થિત છે, પુણ્યના પરપણને લીધે તતદુ:ખેવૈતત તર્થક્ષનિયોત –અને તેથી કરીને આ તેના લક્ષણ નિયામને લીધે દુખ જ છે. તેથી મામદશાનશું તાત્તિ
Page 402
પુર્વ-ધ્યાનજન્ય એ જ તારિક સુખ છે-અપરાધીનપણને લીધે, કર્મવિગ માત્ર જન્યપણાને લીધે [ ધ્યાન રારિ સુવનએ પાઠાંતર છે.] –શ્રી અધ્યાત્મસાર Page #652 -------------------------------------------------------------------------- ________________ (૫૭૬) યોગદષ્ટિસમુચ્ચય રહે છે, અર્થાત્ પુણ્યોદયથકી જે જે સુખપ્રાપ્તિ થાય છે, તે પણ પુણ્યાપેક્ષી સુખ દુઃખ જ છે. કારણ કે તે પુણ્ય પણ પરવસ્તુ છે, એટલે તેને પરાધીન તે દુઃખ એવું સુખ તે તે દુઃખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે. પુણ્યને પરવસ્તુ કહેવાનું કારણ એ કે-પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત-જુદી એવી પરવસ્તુ છે. આમ પરવતુરૂપ પુણ્યના ઉદયથી દેવેંદ્ર-મનુજેદ્ર આદિના જે જે સુખ સાંપડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે, અથવા સુખાભાસ જ છે. ઇંદ્ર-ચક્રવત્તી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદશ્ય ચિતાર ખડો કરતું પ્રસ્તુત દષ્ટાંત યાદ આવે છે. તેમાં પુણ્યોદયથી ચક્રવત્તીની અદ્ધિ પામેલાને પણ પરમાર્થથી “નિપુણ્યક' અર્થાત ધર્મધનથી રહિત એ નિધનીઓ મહાદરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્દભુત રૂપક વર્ણન (Allegory) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પિતાના આત્મા ઉપર ઘટાવી આત્માથી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જે કદી બંધનને સુખ માની શકાય તે પુણ્યને સુખ માની શકાય, પણ તેમ તે મૂખ ગમાર પણ માને નહિ. કારણ કે પુણ્ય એ સેનાની બેડી ને પાપ એ લોઢાની બેડી, પણ બન્ને બંધન તો છે જ છે. પોપટને સેનાના પાંજરામાં પૂર્યો હોય કે લેઢાના, પણ તે બંને બંધનરૂપ પાંજરા છે જ. એટલે જે પયપ્રધથી સંસારબંધન ચાલુ રહે છે. વિષય તૃણા ઉદી રહે છે. છે. વિષય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને સુખ કેમ કહી શકાય? આ વગેરે ઉપરમાં વિસ્તારથી વિવેચાઈ ચૂકયું છે. આ ઉપરથી સારરૂપ તાત્પર્ય એક જ છે કે–તાત્વિક–પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે, કારણ કે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા પ્રગટ શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ અવલંબનની અપેક્ષા છે, એટલેધ્યાનસુખ તે કેવલ આત્માધીન છે, અને તે કર્મવિયોગમાત્રથી ઉપજે છે, આત્માધીન એટલે તેમાં કર્મનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં આત્મા ધ્યાતા છે, ધ્યેય આત્મા છે, ને ધ્યાન આત્મા છે. ધ્યાતાધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે, પરમ શુદ્ધ અંત થાય છે. સહજાત્મસ્વરૂપ એ જ સાધ્ય, સહજાન્મસ્વરૂપ એ જ સાધન, ને સહજાન્મસ્વરૂપ એ જ સિદ્ધિએમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કેઈ પણ પ્રકારની કઈ પણ વિકલ્પરૂપ આકુલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ સ્વસ્થતા ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષયસુખમાં રાચનારા પામર જનેને શી ખબર પડે ? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડીઆને શી ગમ પડે ? તેમ અનુભવ વિના તે ધ્યાનસુખ કેમ કહી શકાય ? “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કણ લહે નર નારી રે.”—શ્રી . સક્ઝા. ૭-૩ Page #653 -------------------------------------------------------------------------- ________________ મમત: નિમ બધે સદા આભયાન: હેમ સદા કલ્યાણ (૫૭૭) “આ ધ્યાન* જ્યારે પરમ પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઈંદ્રપદ તૃણ સરખું છે. સ્વપ્રકાશમય–સુખમય–બેધમય એવું આ ધ્યાન જ ભવને નાશ કરનારું છે. આત્માને પરમાત્મામાં જે ભેદબુદ્ધિકૃત વિવાદ હતું, એને આ ધ્યાનરૂપ સંધિકાર ઝટ દૂર કરી, એ બેને અભેદ કરી આપે છે. અર્થાત આત્મા-પરમાત્માની અભેદતા થતાં આત્માને પરમાત્મામાં લય થાય છે. “ ધ્યાન સુધારસ પાન
Page 403
મગનતા, ભજન સ્વગુણ ઉપગ રે....નિજ સુખકે સવૈયા; રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ ગ રે....નિજ ”—શ્રીદેવચંદ્રજી. ध्यानं च निर्मले बोघे सदैव हि महात्मनाम् ॥ क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥ નિર્મલ બોધ સતે સદા, મહાત્માઓને ધ્યાન; ક્ષીણપ્રાય મલ હોય તે, હેમ સદા જ કલ્યાણ. ૧૭૪, અર્થ:–અને નિર્મલ બેધ સતે, મહાત્માઓને સદૈવ જ ધ્યાન હોય છે. ક્ષીણપ્રાય મલવાળું સેનું સદાય કલ્યાણ જ હોય છે. વિવેચન “એહ દષ્ટિમાં નિર્મલ , ધ્યાન તે હેયે સાચું; દૂષણ રહિત નિરંતર તિ, રત્ન તે દીપે જાચું.”—શ્રી જે. સક્ઝા. ૭-૪ સ્પષ્ટ ક્ષાપક્ષમાંથી ઉપજેલ નિમલ બંધ હતાં, મહાત્માઓને-મુનિઓને સદૈવ જ ધ્યાન હોય છે. અત્રે પ્રતિવસ્તુઉપમા આપી છે કે-ક્ષીણપ્રાય મલવાળું સેનું સદાય કલ્યાણ જ હેય છે. કારણ કે તેની તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિ છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.”—શ્રીમદ્ રાજચંદ્ર. ત્તિઃ—થાનં ૨ નિર્મણે ઘોષે-અને સ્પષ્ટ ક્ષયોપશમથી ઉપજેલો નિમલ એધ સતે આન, શું? તે -રર દિ માત્મના સદૈવ જ મહાત્માઓને, મુનિઓને હેય છે. આ જ પ્રતિવસ્તુપમાથી કહે છે-શીખામઢ મ–ક્ષીણુઝાય મલવાળું હેમ-સેનું, ર વન્યાણમેવ સિદા કલ્યાણ જ હોય છે તથા પ્રકારની અવસ્થાની ઉ૫પત્તિને લીધે. x" यत्र गच्छति पर परिपार्क, पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद्धथानमेब भवनाशि भजध्वम् ॥ आत्मनो हि परमात्मनि योऽभूतेंदबुद्धिकृत एव विवादः । નિબંધિનું કથાનીય ટ્રાઇમેકનર્વતનેતિ | ">શ્રી અધ્યાત્મસાર , અ ૧૭. Page #654 -------------------------------------------------------------------------- ________________ (૫૭૮) યોગદરિસસુરીય આ સાતમી પ્રભા દષ્ટિમાં બોધ એટલે બધે નિમલ થઈ ગયું હોય છે, સ્પષ્ટ ક્ષપશમનું બલ એટલું બધું વધી ગયું હોય છે, કે આ દષ્ટિવાળા મહાત્મા ગી મુનીશ્વરોને સદાય-નિરંતર ધ્યાન વત્તે છે. આ આત્મારામ જ્ઞાની આત્મધ્યાનથી પુરુષે નિરંતર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદ્ભુત સહજ આત્મપ્રાપ્તિ ધ્યાનદશા તેમની વ છેકારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે. અને અત્રે યેગીને જ્ઞાનાવરણીય કમને ક્ષયોપશમ એટલે બધા વધી ગયો હોય છે, સતુશ્રદ્ધાસંગત બેધ એટલે બધો સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયો હોય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઈ ગઈ હોય છે, કે એવા યોગીશ્વરેને સહજ સ્વભાવે નિરંતર અખંડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાનીઝ પુરુષ “પુણ્ય-પાપ યોગ વિષયમાં આત્માને આત્માથી રુધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઇચ્છાથી વિરત થઈ, દર્શન-જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સર્વ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી ધ્યાવે છે, કર્મને કે નેકમને ધ્યાવતા નથી, અને ચેતયિતા–આત્માનુભવી એવા તે એકતને ચિંતવે છે. આમ દશન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કર્મવિપ્રમુક્ત એવા આત્માને જ શીધ્ર પ્રાપ્ત કરે છે.” આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ સિદ્ધિ પ્રાપ્તિ કરી છે, એવા પરમાત્માનું અવલંબન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પિતાને શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે યેગી પુરુષો પિતાના મનમંદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલંબનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલંબનઆત્માલંબન થાય છે, અને આમ “દેવચંદ્ર’ પરમાત્માના ગુણની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે. “પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય કાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને.” મારા સ્વામી હે તેરે ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હો, સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી. અત્રે લોકપ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી નખાયો હોય, શુદ્ધ કરાયે હેય, એવું હેમ-સનું “કલ્યાણ” તરીકે ઓળખાય છે, અને તે સદાય x “ અજાળમ:૫ ઇંધિર પુuપાવગોણું ! दंसणणाणझि ठिदो इज्छाविरओ य अण्णसि ।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चितेदि एयत्तं ॥ अप्पाणं झायंतो दंसणणाणमओ
Page 404
अणण्णमओ। ૨૬ જિળ અogrળમેવ રામવિક છે – શ્રી સમયસાર ગા. ૧૮૭–૧૮૯, Page #655 -------------------------------------------------------------------------- ________________ સભા દ્રષ્ટિ: અસગાનુષ્ઠાન સતિ સામવૃત્તિપદ (૫૭૯) કલ્યાણ” સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કર્મમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયું હોવાથી-ક્ષીપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષપશમથી જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણુસ્વરૂપ ઉત્કૃષ્ટ સાચા જ્ઞાનનો હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે-ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ. ધામરૂપ બાય સદાય પરમ કલ્યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મેક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વત્ત છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણ” સુવર્ણ કદી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણુસ્વરૂપ જ રહે તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બોધ કદી વિણસે નહિ, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે. એટલે આ નિર્મલ બાધ સતે અત્રે નિરંતર ધ્યાન વત્તે છે, એ યથાર્થ કહ્યું છે. सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ॥ ને સસ્પ્રવૃત્તિપદ અહી, છે અસંગ અનુષ્ઠાન; મહાપથતણું પ્રયાણ જે, આપે પદ નિર્વાણ, ૧૭૫ અર્થ :–અને અહી–તત્વમાગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિપદ વતે છે, કે જે મહાપથ-પ્રયાણુરૂપ હોઈ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ પમાડનારૂં છે. વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સમવૃત્તિ પદ પ્રાપ્ત વર્તે છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત અપુનરાવર્ત પદ પમાડનારું-નિત્ય પદ પમાડનારું છે. અસંગ-અનુષ્ઠાન ઉપરમાં જે સત્યવૃત્તિપદ કહ્યું તે શું ? તેનું અત્ર સ્વરૂપ કહ્યું છે. અહીં તત્ત્વ વૃત્તિ-સંબવૃત્તિપર્વ વેદ-અને અહી એટલે કે તત્વમાગ માં સતપ્રવૃત્તિ ૫૬, શું? તે કે અષાનWારસહિતy -અસંગાનુષ્ઠાન સંરિત સંજ્ઞાવાળું વતે છે; તથા પ્રકારે વરસપ્રવૃત્તિને લીધે. મgruથયા ૨૬-જે અસંગાનુષ્ઠાન મહાપથ પ્રયાણ છે. મના[[નાવણ-અનાગામિ પદાવહ છે, (અપુનરાવર્તા ૫૮ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ગિદષ્ટિસમુચ્ચય માર્ગમાં અર્થાત્ શુદ્ધ આત્મતત્વની સિદ્ધિ સાધનારા યોગમાર્ગમાં, સપ્રવૃત્તિપદને અસંગાનુષ્ઠાન' સંજ્ઞા આપવામાં આવી છે. આ અસંગાનુષ્ઠાન” સંજ્ઞા-નામ ઉપરથી એનું સ્વરૂપ સંજ્ઞાત થાય છે, સમ્યફપ્રકારે જણાય છે, એટલે એને “અસંગનુષ્ઠાન સંજ્ઞા બરાબર ઘટે છે. “સંજ્ઞાચક્ત અને રૂતિ સંજ્ઞા.” આ અસંગ અનુષ્ઠાન એટલે શું? તે બરાબર સમજવા માટે આ ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું જોઈએઃ (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન, (૪) અસંગ અનુષ્ઠાન. જે અનુષ્ઠાનમાં પરમ આદર-પ્રયત્નાતિશય હોય છે, પરમ પ્રીતિ ઉપજે છે, અને શેષત્યાગથી એટલે કે બીજાં બધાં કામ એક કેર મૂકી દઈ જે કરાય છે, તે પ્રીતિ અનુષ્ઠાન છે. * એ પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય છતાં, પૂજ્યપણાની બુદ્ધિથી પ્રીતિ-ભક્તિ જે વિશુદ્ધતર વ્યાપારવાળું હોય છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. એટલે અનુષ્ઠાન બીજી બધી રીતે પ્રીતિ અનુષ્ઠાન બરાબર છતાં, આ ભક્તિ અનુષ્ઠાનમાં પૂજ્યભાવનો અંશ વિશેષ હોય છે, તેથી તે વધારે વિશુદ્ધગવ્યાપારવાળું હોય છે. આ પ્રીતિ–ભક્તિ એ બને અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે પત્નીનું અને માતાનું ઉદાહરણ છે. પત્ની છે તે અત્યંત વલ્લભ-પ્રિય છે, તેમજ જનની હિતરૂપ છે, પત્નીને જે ભજન-વસ્ત્રાદિ આપવામાં આવે છે તે પ્રીતિથી અપાય છે, અને માતાને જે આપવામાં આવે છે તે ભક્તિથી અપાય છે. આટલે એ બંને વચ્ચે ફેર છે. શા અર્થના અનુસંધાનપૂર્વક સાધુપુરુષની જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. અર્થાત્ ચારિત્રવંત સત્પષની શાસ્ત્રવચનને અનુસરતી, “જ્યાં જ્યાં જે જે
Page 405
યોગ્ય છે એવી સર્વત્ર ઉચિત ગવાળી પ્રવૃત્તિ, શાસ્ત્રમાં કહ્યા વચન-અસંગ પ્રમાણે યથાસૂત્ર આદર્શ ( Ideal) આચરણ, તે વચનાનુષ્ઠાન છે. અનુષ્ઠાન દા. ત. અઢાર હજાર શીલઅંગને ધરનારા તે સાચા સાધુ અથવા મુનિ છે, તેવું શાસ્ત્રવચન અનુસારનું યક્ત આદર્શ આચરણ હોય તે વચનાનુષ્ઠાન. વ્યવહારકાલે શાસ્ત્રવચનથી જે નિરપેક્ષ હોય છે–શાસ્ત્રવચનની જ્યાં અપેક્ષા રહી નથી, અને અતિદઢ સંસ્કારને લીધે ચંદનગંધ ન્યાયે જે આત્મારૂપ થઈ ગયું હોય છે, એવું જે જિનકલ્પી આદિનું ક્રિયાસેવન–સર્વ પર ભાવના સંગસ્પર્શરહિત શુદ્ધ x “ यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्पीत्यनुष्ठानम् ॥ गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्तयनुष्ठानम् ॥ अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । સુન્યમરિ ૐચમનોજ્ઞપ્ત થાતોતિમતિ ” ”—ડિશક, ૧૦, ૩-૫ Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ : મીતિ આદિ ૪ અનુષ્ઠાન, અનાલ બન ચેગ (૫૧) આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-અભ્યાસાતિશયને લીધે સતાથી જે સાહ્મીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હાય છે. પહેલું ચક્રભ્રમણ દ...ડવ્યાપારથી હાય છે અને તેના અભાવે પછીનું હાય છે,-આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનના વિશેષ જણાવનારૂ દૃષ્ટાંત છે.' અર્થાત્ હાથે। હલાવતાં ચક્ર ભ્રમે છે, તેમાં પહેલા આંટા હાથે। હલાવવાથી ફરે છે, અને પછી હાથેા મૂકી દઇએ તે પણ પૂર્વ સ'સ્કારથી ચક્ર ફર્યાં કરે છે. આમાં પહેલા આંટા ખરાખર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા ખરાખર અસ'ગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનુષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજ્જનિત સંસ્કારથકી હાય છે, વચનવ્યાપાર નહિ. છતાં તેનાથી ઉપજેલા દૃઢ અભ્યાસ સસ્કારથી આપે।આપ (Automatic) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલખન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સસ્કાર થકી, ચંદનગધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઇ ગયેલું અનુષ્ઠાન-જેમ ચ'નગંધ આખા વનને સુવાસિત રી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવત મહાયેાગીને એટલું બધું આત્મારૂપ થઇ ગયું હાય છે, કે તે તેના સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઇ જઇ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનના તેના આત્માને એટલેા બધા દૃઢ અભ્યાસ થઇ ગયે હાય છે, ને શાસ્ત્રવચનના તેને એટલેા બધા ગાઢ સસ્કાર લાગી ગયેા હાય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથાપ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસ’ગ આચરણુ તે અસંગ અનુષ્ઠાન છે. અનાલઅન ચાગ અનાલંબન ચોગ કહેવાય છે, કારણ કે અનાલંબન યાગનું સ્વરૂપ સમજવા માટે પ્રકારેઃ— અહીં આલખન પણ આ છે— પરમાત્માના ગુણુની પરિણતિરૂપ એવા આ આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આલંબન ચેાગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ રૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી જે સૂક્ષ્મ છે, તે અનાલખન ચેાગ છે.' “आलंबणं पि एयं रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूत्रो, सुहुमोऽणालंबगो नाम || " —શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગવિ'શિકા, ગા. ૧૯ "6 यत्त्वभ्यासातिशयात्सात्मभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ॥ चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।। " મહર્ષિ હરિભદ્રાચાર્ય જીપ્રણીત ષોડશક ૧૦-૭, ૮. Page #658 -------------------------------------------------------------------------- ________________ (૫૮૨) યોગદષ્ટિસમુચ્ચય અહીં (૧) રૂપી એટલે સમવસરણસ્થિત જિનરૂપ; અને તેની પ્રતિમાદિ લક્ષણવાળું આલંબન. (૨) અરૂપી પરમ એટલે સિદ્ધ પરમાત્મા. તેમાં–તે અરૂપી પરમાત્મરૂપ આલંબનના જે કેવલજ્ઞાનાદિ ગુણો, તેની સમાપત્તિરૂપી પરિણતિથી જે જણાય છે, તે તદ્દગુણપરિણતિરૂપ અનાલંબન નામનો યોગ છે. અતીન્દ્રિય વિષયપણાને લીધે તે સૂક્ષ્મ છે; અથવા તે સૂક્ષ્મ આલંબનવાળે આ યોગ છે, તેથી આ ઈષદૂ-કિચિત આલંબનરૂપ હોઈ અનાલંબન યુગ કહેવાય છે.
Page 406
* અને આ જે અનાલંબન યોગ છે, તે સામર્થ્ય યોગમાં પ્રાપ્ત થતી પરતત્વદર્શનેચ્છારૂપ છે. “શાસ્ત્રમાં જેને ઉપાય બતાવવામાં આવ્યો છે, પણ જેને વિષય શાસ્ત્રથી પર છે, એવો વિશેષથી શક્તિઉદ્રેકથી પ્રાપ્ત થતો આ સામર્થ્ય પરતત્ત્વ નામને ઉત્તમ યોગ છે.”—એમ આ ગ્રંથપ્રારંભમાં (લે. ૫) દર્શનેછા વ્યાખ્યા કરવામાં આવી હતી. આ સામર્થ્ય યોગ ક્ષપકશ્રેણીગત દ્વિતીય અપૂર્વકરણમાં પ્રાપ્ત હોય છે, અને તેમાં ક્ષમા આદિ ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે. આવા સ્વરૂપવાળા આ ધર્મસંન્યાસરૂપ સામર્થ્યોગ થકી જે નિઃસંગ એવી પરતત્ત્વદર્શને છા* અખંડપણે પ્રવર્તે છે, તદુરૂપ આ અનાલંબન યોગ જાણો. અર્થાત્ એક પરમાત્મા સિવાય બીજે કયાંય સંગ ન કરે– ચૂંટે નહિં એવી અસંગ શક્તિથી, અખંડ પ્રવૃત્તિથી પૂર્ણ એવી જે પરમાત્મદર્શનની ઈચ્છા તે અનાલંબન યોગ છે. અને તે પરતવનું દર્શન જ્યાંલગી નથી થયું, ત્યાં લગી જ આ હોય છે; પણ પરમાત્મ સ્વરૂપનું દર્શન થયે કેવલજ્ઞાન ઉપજતાં, અનાલંબન યુગ હેતો નથી, પણું સાલંબન હોય છે આ સમજવા માટે બાણુનું દષ્ટાંત છે : ક્ષપકરૂપ ધનુર્ધાર-બાણાવળી છે. ક્ષપકશ્રેણીરૂપ ધનુષ્ય છે. પરમાત્મા એ લક્ષ્ય-તાકવાનું નિશાન છે. તેના વેધમાં ખાલી ન જાય, અચૂક જે બાણ તાકે છે, તેના સ્થાને આ અનાલંબન યોગ છે. જ્યાં લગી તે બાણ છોડવામાં આવ્યું નથી, ત્યાં લગી જ અનાલંબન યોગ વ્યાપાર છે. પણ તે છોડવામાં આવ્યું, અચૂક એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ હોય છે. શીધ્ર પરમાત્મદર્શન થાય છે. એટલે બાણપાત બાણુના પડવા જેવો સાલંબન કેવલજ્ઞાન પ્રકાશ જ હોય છે, * “ રાજ્યને નિરાટન : જે ક્રૂિપા શેયઃ ત્તિનપધ્યાન હવાઇરતત્તરવસ્વર : ”—ષોડશક ૧૪-૧. " सामर्थ्य योगतो या तत्र दिदृक्षेत्यसङ्गशच्याढया । साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ तत्रा प्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ द्रागस्मात्तदर्शनमिषुगतज्ञातमात्रते। ज्ञेयम् । પત વર્ટ તત્ત જ્ઞાનં ચશ્વરનાં ચોતિઃ | »–ષોડશક ૧૧-૮, ૯, ૧૦, Page #659 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ : પરતત્ત્વદત નેચ્છા, અસ’ઞ અનુષ્ઠાન'નું તાત્પ (૫૮૩) નહિં કે અનાલંબન યાગ વ્યાપાર. કારણ કે ફુલનુ સિદ્ધપણું છે. ( વિશેષ જિજ્ઞાસુએ ચેાગવિંશિકા પર શ્રી યશેાવિજયજીની ટીકા તથા ષોડશક શાસ્ર અવલેાકવાં. ) આ સર્વાં ઉપરથી તાત્પર્ય આ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્રવચનના સંગ–અવલ ́ખન વિના,તજન્ય દૃઢ સંસ્કારથી આપે।આપ સ્વરસથી પ્રવતું એવુ, નિગ્રંથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઇ ગયેલું અસંગ આચરણ આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ હાય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવના કંઈ પણ સ`ગ નથી હાતા. સ`ગ એ પ્રકારના છે-ખાદ્ય અને અભ્ય તર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સ`ગ છે, રાગ-દ્વેષ-માહાદિ અંતરંગ ભાવા તે અભ્યતર સંગ છે. આ બંને પ્રકારના સંગના જ્યાં સર્વથા અભાવ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. દ્રવ્ય-ભાવ નિગ્ર ંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદશ ભાવ નિગ્રંથપણાની જ્યાં સપૂર્ણ સસિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલ અન ચેાગ છે. અરૂપી પરમાત્માના ગુણુ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યાગ છે. ખીજે કયાંય પણ સ`ગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જોડી, પરમાત્માના અને આત્માના ગુણની એકત્વતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલખન યાગ છે. (૩) અને આ અનાલ બન ચેગ તે સામથ્યાગમાં પ્રગટતી ઉત્કટ પરતત્ત્વદર્શનેચ્છા છે. આ પરતત્ત્વદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટ–તીવ્ર હોય છે, કે ત્યાં પછી ખીજે કાંય પરભાવમાં સૉંગઆસક્તિ હોતી નથી, ખીજે કયાંય ચિત્ત ચાંટતું નથી, કેવળ પરતત્ત્વના દર્શનની જ ઝખના વતે છે. આમ અન્યત્ર કયાંય સંગ વિના—આસક્તિ વિના, આલખન વિના, પ્રતિખંધ
Page 407
વિના, જે અસગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનનરૂપ જે અનાલંબનયેાગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઇચ્છા પ્રવર્ત્ત, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે. અસગનું' તાત્ક ' આ અનુષ્ઠાન' શબ્દનું અથÖરહસ્ય સમજવા યાગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દૃઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થયું કે દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને 6 રહસ્ય ‘ અનુષ્ઠાન ’તું વનમાં –આચરણમાં મૂકવું અર્થાત્ દેહાર્દિ પરવસ્તુ પ્રત્યેના રાગાદિ ભાવના ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્ત્તવું, તે અનુષ્ઠાન છે. દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે . આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ–છાજે એમ દેહાર્દિ પરભાવના સ'સર્ગ'થી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવુ, તે અનુષ્ઠાન છે. એટલી તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં Page #660 -------------------------------------------------------------------------- ________________ (૫૮૪) ગદષ્ટિસઝુમ્ર સમ્યગદષ્ટિ યોગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે. પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે....મન, વચન અસંગી સેવ રે....ભાવિક કર્તા તન્મયતા લહેરે...મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ. ”-શ્રી દેવચંદ્રજી. આવું પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણરૂપ છે, મહામેક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત્ ગમનરૂપ-છેલ્લી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત એક્ષમાગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને અહીં “અનાગામિપદાવહ’ કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત્ત પદ કે જ્યાંથી પુન: પાછું ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મોક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મોક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસંગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યુગ છે, અને પરમાત્માના સ્વરૂપધ્યાન આલંબને આત્મા અવશ્ય પરમાત્મા થાય છે,-ઈયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી બને છે તેમ. “જિન ભક્તિરત ચિત્તને રે, મન, વેધક રસ ગુણ પ્રેમ છે. ભવિ. સેવક જિનપદ પામશે રે, મન, રસધિત અય જેમ રે. ભવિ.”– શ્રી દેવચંદ્રજી. “જિન થઈ જિન જે આરાધે, તે સહી જિનવર હોવે રે ભંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જેવે રે.”—શ્રી આનંદઘનજી. આના નામે કહે છે प्रशान्तवाहितासंझं विसभागपरिक्षयः । शिववर्त्म धुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७६ ॥ વિસભાગપરિક્ષય અને, શાંતવાહિતં નામ, ધ્રુવમાર્ગ શિવપંથ આ ગીત યોગીથી આમ, ૧૦૬, અર્થ -પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિસભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવમાગ એમ યોગીઓથી ગવાય છે. વિવેચન “વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ; કરે અસંગ ક્રિયા ઈહાં યેગી, વિમલ સુયશ પરિણામ છે.”—એ. સક્ઝા, –પ. કૃત્તિ-કફતવાતાવંશપ્રશાંતવાહિતા સંતાવાળું,-સાંખ્યાનુ. વિમાન પરિક્ષાઃ-વિભાગપરિક્ષય, બૌદ્ધોનું. શિવવર્મ-શિવવર્મા, શિવમાર્ગ-શોનું-ધુવાધ્યા–ધ્રુવમાર્ગ-મહાવતિનું, કૃતિ–એમ, જિમિર્જાય? હા-અસંગ અનુષ્ઠાન યોગીઓથી ગવાય છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ સભા દરિઃ અસંગાનુષ્ઠાનના નામ-૫૨ શાંતિ અનંત સુધામય જે (૫૮૫) આ જે અસંગ અનુષ્ઠાન કહ્યું, તેને યેગીઓએ ભિન્ન ભિન્ન નામે ગાયું છે કઈ તેને પ્રશાંતવાહિતા કહે છે, કઈ વિભાગપરિક્ષય કહે છે, કઈ શિવવર્મા કહે છે, કઈ ધ્રુવમાગ કહે છે. (૧) સાંખ્યદશની–ગદશનીઓ આ અસંગ અનુષ્ઠાનને પ્રશાંતવાહિતા નામે ઓળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતા-વહન ભાવ છે, અર્થાત્ જ્યાં અખંડ શાંત સુધારસને પ્રશાંત એકધારે પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા અસંગાનુષ્ઠાનના છે. જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં વિવિધ નામ નિમજ્જનમય અખંડ એકધારે આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા Xછે. (૨) બૌદ્ધ દશની તેને “વિસભાગપરિક્ષય” કહે છે. જ્યાં વિભાગને પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આને પરમાર્થ એમ સમજાય છે કે-અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સર્વથા ક્ષય હોય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષનો સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે,
Page 408
તે વિસભાગપરિક્ષય છે. (૩) તેને શિવવર્મા–શિવમાર્ગ કહે છે. શિવ એટલે પરમ તત્વરૂપ મેક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેય; તેને પામવાને માર્ગ, તેના પ્રત્યે જતે માર્ગ તે શિવવર્મા, શિવમાર્ગ, મોક્ષમાર્ગ. અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાંતિ પામવાને માર્ગ તે શિવવક્મ. (૪) મહાવ્રતિકે તેને યુવાધ્વપ્રવ માર્ગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિં, ફરે નહિ એવું અચલ ૫૮. જેમ ધ્રુવને તારે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે, તેમ જે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ પ્રત્યે જવાને માગે તે ધ્રુવ માર્ગ, આમ જે પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને જેને અસંગાનુષ્ઠાન નામે ઓળખે છે, તેને જ અન્ય દર્શનીઓએ પણ જુદા જુદા નામે ગાઈ તેને મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના સ્પર્શ લેશથી રહિત એવું આ પરમ અસંગ વિતરાગપદ-જિનપદ, શિવપદ, બુદ્ધપદ, વિષ્ણુપદ છે; અને તે પામવાને માર્ગ પણ તે જ અસંગ અનુષ્ઠાનરૂપ છે. સકલ ભેગમાર્ગના પરમ રહસ્યરૂપ “ઇએ છે જે જોગીજન” વાળું પરમ અદ્દભુત અમર કાવ્ય કે જે ગીશ્વર * કાંતવાહિતા ઃ સંસ્થાનિકોલસાન પ્રાદુર્ભાવતિરોમાથી તદ્ગુલ્યાનગોચમ્ | "—ધા. ઠા, ૨૪, ૨૫. અર્થાત–પ્રશાંતવાહિતા એટલે વિક્ષેપના પરિહતપણુથી સદપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહ૩૫ પરિમિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિરાધજન્ય સંસ્કારથી હોય છે. “ તથ વાતવાદિતા સંવત –(ા. ૨૦-૧૦). આ નિરોધ તે શું ? તે કે નિરોધજન અને વ્યત્યાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાદુર્ભાવ-તિરભાવ તે નિરોધ છે, Page #662 -------------------------------------------------------------------------- ________________ (૫૮૬) ગદષ્ટિસમુચ્ચય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામેને પરમાર્થભાવે સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુંથેલ દશ્ય થાય છે – સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”–શ્રીમદ્ રાજચંદ્રજી. સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધ્રુવ એવા આ પરમ પદને સંતજને-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર “ પરશાંતિ હો! એ પદ “વર' છે અર્થાત્ યેગીઓએ વરેલું-પસંદ કરેલું અનંત ( Choicest ) પરમ પદ છે. એવું તે પદ જયવંત વહેં ! અત્રે સુધામય જે” “સુખધામ” શબ્દથી તેનું શિવપણું અને “અનંત” શબ્દથી ધ્રુવપણું બતાવ્યું છે. “સુધામય’ શબ્દથી વિસભાગપરિક્ષયનું સૂચન છે, અને પર શાંતિ અનંત” પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દશનેના યોગશાસ્ત્રોને પરમ સંમત એવી યગપરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશે છે! ખરેખર ! શ્રીમદને આ છેલ્લામાં છેલ્લે શબ્દ એ સર્વ યોગશાસ્ત્રનો પણ છેલ્લામાં છેલ્લે (last word) શબ્દ જ છે. एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैयैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ॥ એહ પ્રસાધે શીઘ અહિં સ્થિત ગિજન શિ; તેથી એહ-૫દાવહા, આ જ તત્તને ઈટ. ૧૭૭ અર્થ –કારણ કે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત સંત યોગી આ અસંગ અનુષ્ઠાનને શીવ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દષ્ટિ ત્યાં આ પદ જાણનારાઓને ઈષ્ટ છે. વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દૃષ્ટિમાં વ્યવસ્થિત ગી શીઘ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિઃ–પર્-આ, અસંગ અનુષ્ઠાન, પ્રયત્યાસુ-શીધ્ર પ્રસાધે છે, વત્ રોજી-કારણકે મેગી, –આમાં, આ દષ્ટિમાં, યવસ્થિતઃ-વ્યવસ્થિત સત, gagવ-એ પદાવતા આ જ છે. એ ૫ પમાડનારી આ જ દૃષ્ટિ છે, તા–તેથી કરીને, તત્ર-તેમાં, ઇનિવાં-એ પદને જાણનારાઓને, કતા-મત છે, ઇષ્ટ છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દષ્ટિ અસંગનુષ્ઠાનસિદ્ધિ-પ્રણમું પદ તે, વર તે, જય હે. (૫૮૭)
Page 409
અસંગપદાવહા-અસંગ પદને પમાડનારી આ જ દૃષ્ટિ, તે ગમાર્ગને વિષે એ પદના જ્ઞાતા ગી પુરુષોને મત છે, ઈષ્ટ છે, અભિમત છે. આ જે અસંગ અનુષ્ઠાન કહેવામાં આવ્યું, તે અસંગ અનુષ્ઠાનને આ સાતમી પ્રભા દૃષ્ટિમાં સ્થિતિ કરતે થેગી શીધ્ર પ્રસાધે છે. અત્રે યેગી પરમ વીતરાગ ભાવરૂપ આ અસંગ પદને પામે છે, કે જ્યાં અનાદિ કુવાસનામય વિષને અસંગાનુષ્ઠાન. પરિક્ષય-વિસભાગપરિક્ષય થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા શુદ્ધ સિદ્ધિ સહજાન્મસ્વરૂપે પ્રગટ થાય છે, અને જ્યાં પરમ શાંત સુધારસનો પ્રશાંત અખંડ પ્રવાહ વહ્યા કરે છે–પ્રશાંતવાહિતા વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈિતન્ય રસામૃતસાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે પરમ ભેગી જ્ઞાન-દર્શન–ચારિત્રની અભેદ એકતારૂપ પરમાર્થ મોક્ષમાગને-શિવમાર્ગને સાક્ષાત્ પામે છે, મોક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઈ જનારા પ્રત્યક્ષ ધ્રુવમાગને પ્રાપ્ત કરે છે. “એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે.” –શ્રીમદ્ રાજચંદ્રજી આવા અસંગ-વીતરાગ વેગીની આત્મદશા પરમ અદ્દભુત હોય છે. તેમને આત્મા એટલે બધે ઉદાસીન-વીતરાગ વતે છે, કે તે સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે, એક જવલંત આત્મા સિવાય અન્યત્ર ક્યાંય સંગ કરતું નથી. આવી પરમ અદ્દભુત અસંગઉદાહરણુ ઉદાસીન વીતરાગ દશાનું શ્રીમદ્ રાજચંદ્રજીનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું – ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છઈએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છઈએ.” ઇત્યાદિ. જુઓ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૭ (૨૫). આ અસંગ અનુષ્ઠાન અત્રે સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે આ સાતમી દષ્ટિ જ પરમપદને-મોક્ષપદને આણનારી, પમાડનારી હેઈ, લેગીઓને પરમ ઈષ્ટ છે, અભિમત છે. કારણ કે એ પદને-શાશ્વત પદને અથવા પ્રણમું પદ તે. અસંગાનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને જેઓ સ્વરૂપથી જાણે છે, તે શાશ્વત વર તે, જય તે આત્મસ્વરૂપ પદનો-મોક્ષપદને મહિમા જેના હૃદયે વસ્યું છે, એવા Page #664 -------------------------------------------------------------------------- ________________ (૫૮૮). દરિસમુચ્ચય તજજ્ઞ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હેય, એમાં આશ્ચર્ય શું? એટલે યેગીએ નિરંતર આ દૃષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચ્છા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ : પ્રભા દષ્ટિનો સાર : સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. એથી કરીને જ આમાં “રોગ” નામને સાતમે ચિત્તદોષ હેત નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષ કરીને શમસંયુક્ત એવી હેઈ, સતુપ્રવૃત્તિપદાવહા-સતપ્રવૃત્તિ પદ પમાડનારી છે. આ દષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાનજન્ય સુખ તે જ તાત્વિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે.
Page 410
અત્રે નિર્મલ બંધ હોઈ, મહાત્મા મુનિઓને ધ્યાન સદેવ હોય છે, કારણ કે જેને મલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે. અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સપ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવભાગ-એમ અનેક નામે યેગીઓથી ગવાય છે; આને અત્ર સ્થિત યેગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ યોગવિદેને ઈષ્ટ છે. પ્રભાષ્ટિનું કેષ્ટક : ૧૩ દર્શન | યોગગ ! દષત્યાગ | ગુણગ્રાપ્તિ અન્ય વિશિષ્ટતા, ગુણસ્થાન ધ્યાને સદાય સૂર્ય'પ્રભાસમ સત્મવૃત્તિ રોગ દોષ | તત્તપ્રતિપત્તિ પદાવહપણું, ત્યાગ સતપ્રવૃત્તિપદ -શ્રમસાર = અસંગાનુષ્ઠાન اسی -નિમલ બધા અનુપમ સુખ Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રભા દૃષ્ટિ: સાર, પ્રભા દષ્ટિના કળશ કાવ્ય (૫૮૯) કળશ કાવ્ય માલિની દિનકર શું પ્રકાશી આ પ્રભા નામ દષ્ટિ, શમ અમૃત ઘનની અત્ર ઉદ્દામ વૃષ્ટિ, નિરમલ પ્રતિપત્તિ તત્ત્વકેરી પ્રવ, રુગરહિત કિયા સૌ સર્વદા શુદ્ધ વૉ. ૧૩૫ વિષય સુખતણું સૌ સાધને જીતનારું, બલથી સ્વપર ભેદજ્ઞાનના જન્મનારું; પ્રશમરસથ સાર ધ્યાનનું સૌખ્ય એવું, અહિં અનુભવ ચાખે યોગી-ઔષમ્ય કેવું? ૧૩૬ પરવશ સઘળયે લેકમાં દુઃખ જાણે, નિજવશ સઘળુંયે સુખ તે તે પ્રમાણે, લખણ સુખદુઃખનું એ સંક્ષેપમાંહિ, પરવશ સુખ પુષ્પાપેક્ષૌ તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ બધે આત્મનું શુલ ધ્યાન, નિશદિન જ મહાત્મા જ્ઞાનીને એહ સ્થાન; મલ ગલિત થયે તે હેમ કલ્યાણ જાચું, ત્યમ અમલ કહે “હ્યાં ધ્યાન કલ્યાણ સાચું. ૧૩૮ વિષમ વિષય આદિ વિષ-જ્યાં ક્ષીણ વર્તે, અપુનરગતિદાયી સતુપ્રવૃત્તિ પ્રવર્તે, પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુધા સરિતા, ધ્રુવ શિવ પથદાત્રી યોગીને નિત્ય પ્રીતા. ૧૩૯ પરપરિણતિ કે સંગ જ્યાં નો'ય કાંઈ, પર સમયન જેમાં હાય સ્વને ન છાંઈ; સમય પણ ન જેમાં હાય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સ્વસમયે તે સત્ અસંગી પ્રવૃત્તિ. ૧૪૦ સત પ્રવૃત્તિપદં તે' હ્યાં અસંગાનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે યોગિનું છે પ્રયાણ પરિખય વિસભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવભાગ ગિથી તે ગવાય. ૧૪૧ સકલ સ્થલ અસંગી આ અસંગાનુષ્ઠાન, સ્થિત અહિં ઝટ યોગી સાધતો એહ સ્થાન; નિશદિન મનની આત્મ આનંદ જામે, પર પદ ભગવાને દાસ તે શીધ્ર પામે ૧૪૨ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाना मकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने सप्तमी કમાદષ્ટિઃ || Page #666 -------------------------------------------------------------------------- ________________ પરા દષ્ટિ સાતમી દષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે – समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥ સમાધિનિષ્ઠા દષ્ટિ પર, તસ આસંગ વિહીન; આત્મારૂપ પ્રવૃત્તિ જ્યાં, આશય તેથી ઉત્તીર્ણ. ૧૭૮. અથર–આઠમી પર દષ્ટિ સમાધિનિષ્ઠ અને તેના આસંગદોષથી વિવર્જિત એવી હોય છે તથા સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે. વિવેચન આઠમી દૃષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુંછ” –એ. સઝા. ૮-૧ આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ અને તે સમાધિના આસંગ દોષથી સર્વથા રહિત એવી હોય છે. વળી તે ચંદનગંધ ન્યાયે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તે પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે, કારણકે વાસક ચિત્તને અભાવ હોય છે. આ આઠમી દષ્ટિ “પર” નામની છે, અને તેનું આ “પર” નામ સર્વથા યથાર્થ છે, કારણ કે એનાથી પર કેઈ નથી, અને એ સર્વથી પર છે, પરમ છે, સત્કૃષ્ટ છે, જિક-રાપિનિr gm –આઠમી પરાદષ્ટિ તો સમાધિનિષ્ઠ હોય છે. સમાધિ તે દયાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફલ છે એમ બીજાને કહે છે. કહ્યું છે કે- તેરાપરિસ્થ ધાર ' (T. -૧), “તત્ર પ્રત્યેનાનતા ધ્યાન' (-૨), “તદેવાર્શમાત્રનિર્માતં સ્વ ચમિત્ર સમાધિ:' (. ૨-૩ ). તલાવિવર્જિતા–તેના-સમાધિના
Page 411
આસંગથી વિવજિત, સમીતરવૃત્તિ-સાત્મીકૃત પ્રવૃત્તિવાળી, સાત્મીભૂત પ્રવૃત્તિવાળી આ,ચંદન ધન્યાયે. તદુત્તીરાયા–તેનાથી પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળીવાસક ચિત્તના અભાવે. Page #667 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિઃ સમાધિનિષ્ઠ પર દષ્ટિ, શશિ સમ બે વખાણું , (૫૯૧) ઊંચામાં ઊંચી ને છેવટમાં છેવટની એ છે એટલા માટે એને “પર” કહી છે. અત્રે જ આધ્યાત્મિક વિકાસરૂપ ગની પરાકાષ્ઠા-છેલામાં છેલ્લી હદ પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત્ પ્રવૃત્તિ અત્ર હોય છે, અર્થાત્ અત્રે આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. વળી આ “પર” દષ્ટિને પામેલે ગીશ્વર સંસારથી પર થાય છે, એટલે પણ એને “પરા” નામ ઘટે છે. આવી આ યથાથભિધાના આઠમી પર દૃષ્ટિમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચંદ્રપ્રભા સમાન બેધ, યેગનું આઠમું અંગ સમાધિ, આઠમા આસંગ દેષને ત્યાગ અને આઠમા પ્રવૃત્તિ ગુણની સંપ્રાપ્તિ હોય છે. આ દષ્ટિમાં પ્રાપ્ત થતું બે ચંદ્રની પ્રજા સરખે હોય છે, કારણ કે સાતમી દૃષ્ટિ કે જેને બધ-પ્રકાશ સૂર્યપ્રભા સમાન હોય છે, તેના કરતાં આ આઠમી દષ્ટિને બંધ અધિકતર હોય છે. સૂર્યને પ્રકાશ તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, શશિ સમ બોધ ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હોઈ વખાણુંજી શીતલતા ઉપજાવે છે, પરમ આલાદ આપે છે અને બન્નેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે, એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ પૂર્ણ ચંદ્રની જેમ જ્યાં પૂર્ણ જ્ઞાનચંદ્રને પ્રકાશ સોળે કળાએ ખીલી ઊઠે છે, એવી આ દૃષ્ટિને બંધ પરમાત્કૃષ્ટ હોય છે, અને તે બધ-ચંદ્રની જ્ઞાન સ્ના સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે, પણ તે વિશ્વરૂપ થતો નથી. (જુઓ પૃ. ૭૫૭–૪૮૭) આમ આ પરાષ્ટિને ચંદ્રની ઉપમા સાંગોપાંગ સંપૂર્ણપણે ઘટે છે, કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સમવસ્થિત રહી અત્રે બોધની વિશ્વપ્રકાશકતા હોય છે, પણ વિશ્વવ્યાપકતા નથી હોતી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને લેશ પણ પ્રવેશ હેતું નથી, કેવળ નિર્ભેળ શુદ્ધ અદ્વૈત અવસ્થા જ હોય છે, અને આમ બેધની પરાકાષ્ઠા પ્રાપ્ત હોવાથી અત્રે યોગનું આઠમું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ સમાધિનિષ્ટ હોય છે–સદા સદ્ધયાનરૂપ જ હોય છે. આ સમાધિ એ ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફળ છે એમ બીજાઓ સમાધિનિષ્ઠતા કહે છે. ચિત્તને દેશબંધ તે ધારણ, તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન, અને તે જ ધ્યાન અર્થ માત્ર નિર્માસરૂપ હેઈ જાણે સ્વરૂપશૂન્ય હોય છે તે સમાધિ છે. અર્થાત્ જ્યાં થેય વસ્તુમાત્ર જ દેખાય છે ને ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી, અને આમ જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની ત્રિપુટીની એકતા થાય છે,કેવળ એક સહજ એવું આત્મસ્વરૂપ જ સહજ સ્વરૂપે ભાસે છે, તેનું નામ સમાધિ છે. અત્રે નિરંતરપણે આવી પરમ આત્મસમાધિ જ વર્તે છે, એટલે આ દષ્ટિમાં સ્થિતિ કરતા યોગીશ્વરની સહાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનું જે દ્રત હતું તે સર્વથા ટળી ગયું, Page #668 -------------------------------------------------------------------------- ________________ (૫૯૨) ગદરિસરુચ્ચય એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિતિરૂપ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે. આમ આ દષ્ટિ સમાધિમાં નિષ્ઠાને-અંતિમ આત્યંતિક સ્થિતિને પામે છે, એટલે જ એને અત્રે “સમાધિનિષ્ઠ કહી છે. શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભોગી યદા, આત્મ ક્ષેત્રે નહિ અને રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રઢતા, શક્તિ ઉત્સગની હોય સહુ વ્યક્તતા.”–શ્રી દેવચંદ્રજી. આ પરમ સદ્ધયાનરૂપ આત્મસમાધિ નિવિકલ્પ જ હોય છે, કારણ કે અત્રે ઉપર કહ્યા પ્રમાણે બધ પણ ચંદ્ર જેવો નિર્મલ તથા નિર્વિકલ્પ હોય છે. એટલે એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારને કેઈ પણ વિકલ્પ ઊઠવાનો સર્વથા અસંભવ જ નિર્વિકલ્પ દશા છે. આમ અત્રે નિર્વિકપ
Page 412
અખંડ આત્મસમાધિ હોય છે, એટલે ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે, જ્ઞાતા, રેય ને જ્ઞાનની ત્રિપુટી પણ લય પામે છે, જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે. અત્ર સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે, ને એક શુદ્ધ આત્મા સ્વભાવસમવસ્થિત રહે છે, શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંતચરણવંત વર્તે છે, સ્વસ્વભાવમાં વિકસે છે. “નિર્વિકલ્પ સુસમાધિમેં હૈ, ત્રિગુણ ભયે હે અભેદ.” “ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે; ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે....પ્રભુ અંતરજામી ! –શ્રી દેવચંદ્રજી. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ...મૂળ મારગ. તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ...મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આ પરમ ગીદ્ર આવી નિર્વિકલ્પ દશા આવા અખંડ આત્મધ્યાનથી પામે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છG. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છG. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૭૬૦. (૮૩૩) આમ વિકલ્પજાલથી ચુત થઈ શાંત ચિત્તવાળા જે ગીશ્વરે નયપક્ષપાત છેડી, નિત્ય સ્વરૂપગુપ્ત થઈને નિવસે છે, તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. અર્થાત્ જેઓ નિર્વિકલ્પ એવું શુદ્ધ-શુકલ આત્મધ્યાન ધ્યાવે છે, તેઓ જ પરમ Page #669 -------------------------------------------------------------------------- ________________ પર હવા નિકલ શ, સવરૂપગુસ’ અમૃતપાન (પ૯૩) સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખનો સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાવિકશિરોમણિ શ્રી અમૃતચંદ્રા ચાર્યજીએ શ્રી સમયસાર કલશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં લલકાયું છેઃ “य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशास्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥" આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દષ્ટિમાં આગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હોય છે. અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી આસંગ તે આસંગદોષ છે. જે ક્રિયા કરતું હોય, તેમાં “ઈદમેવ સુંદર' આ જ દેષયાગ સુંદર છે–રૂડું છે-ભલું છે, એ જે રંગ લાગવો, આસક્ત ભાવ થે, તેમાં જ ગુંદરીયા થઈને ચેટયા રહેવું, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ જે આસક્ત થઈને એંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress, Advancement) ન થાય, આગળનું ગુણસ્થાન ને સ્પર્શીય, અને તેથી પરમાર્થરૂપ સફળ–મોક્ષફલ ન મળે. (જુઓ પૃ. ૮૬). ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી; આસંગે વરજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેછે. ”—. સઝા૦.૮-૨ અથવા પર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દષ્ટિવંત વીતરાગ મહાયોગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતો નથી; કારણ કે એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ હારૂં નથી, એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ હોય ? અરે ! અન્યત્ર આસંગ તે દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યું તેમ યોગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસંગ હેતે નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિ પ્રકર્વને પામતે આ યોગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતે આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતો નથી, પણ સમયે સમયે અનંત સંયમ વર્ધમાન કરતે રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ
Page 413
ચઢતે ચઢતે ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે. “અનુક્રમે સંયમ સ્પશતેજી, પામ્ય ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી કુલડેજ, પૂજે પદ નિષ્પાવ.”—શ્રી યશોવિજયજી Page #670 -------------------------------------------------------------------------- ________________ (પ૯૪) ગદષ્ટિસંજીર T અને સાતમાં પ્રતિપત્તિ-તત્વાનુભવરૂપ ગુણ પ્રગટયા પછી, સ્વાભાવિક ક્રમે આ આઠમી દષ્ટિમાં આઠમે પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે, જેથી યથાતત્ત્વ પ્રવૃત્તિ હોય છે. એટલે કે * જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે આ૫ સ્વભાવે પ્રવર્તનરૂપ, આચરણરૂપ ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણે પ્રવૃત્તિ પૂરણ” હોય છે. અર્થાત્ આત્માને સ્વભાવ જ્ઞાન-દર્શનરૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્રે પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે. આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના નામ ચારિત્ર પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે. જેને વાસકની–સુવાસિત તે અણલિંગ” કરનારની અપેક્ષા નથી, એ ચંદનને ગંધ વનમાં સર્વત્ર પ્રસરી જઈ તેને સુવાસિત કરે છે, તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આ પ્રવૃત્તિ ગુણ વિકસતું જાય છે, તેમ તેમ મેહનીય કમરને ક્ષય થતું જાય છે, ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, છેવટે યથાખ્યાત પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે. એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે-પ્રસિદ્ધ છે, અથવા તે જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ આખ્યાત છે-જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું અત્ર પ્રગટ થાય છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ મારગ તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામચારિત્ર તે અણલિંગ મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી. વળી આ દૃષ્ટિ પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે–વાસક ચિત્તના અભાવને લીધે. એટલે કે હવે ચિત્ત-આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ-પાર ઉતરી ગયેલ હોય છે. ચિત્તને કંઈ પ્રવૃત્તિ કરવાપણું રહ્યું નથી, એટલે તેની સમસ્ત પ્રવૃત્તિ નિવૃત્ત પ્રવૃત્તિ અનંત થાય છે, બધી દોડાદોડ બંધ થાય છે ને તે આત્મામાં લય પામે છે. અપહારી હે' અત્યાર પહેલાં વાસનાનંત આત્માની બધી પ્રવૃત્તિ ચિત્તદ્વારા થતી હતી, જ્યાં સુધી લેશરૂપ વાસના હતી ત્યાં સુધી વાસનાવાસિત ચિત્ત જીવને બધા કારભાર ચલાવતું હતું. પરંતુ હવે તે કલેશરૂપ વાસના નિમૂળ થતાં, વાસનાનું બીજ સર્વથા બળી જતાં, આત્મા પિતે જ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, વચ્ચે મફતીઆ મારફતીઆ (agent) ચિત્તની ડખલ રહેતી નથી. આમ પદભ્રષ્ટ મંત્રીની જેમ વાસનાવાસિત ચિત્ત અત્ર નિર્વાસિત થાય છે ! એટલે “શ્ચિત્તવૃત્તિનિધઃ ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની સંપૂર્ણ સિદ્ધિ અત્ર સંપ્રાપ્ત થાય છે. સર્વ પ્રદેશ પ્રગટ સમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હે; પરમ ગુણ સેવનથે સેવક, અપ્રશસ્તતા વારી હો.”—શ્રી દેવચંદ્રજી. Page #671 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ : “આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, (૫૫) લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. “આવે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.” શ્રીમદ્ રાજચંદ્રજી. निराचारपदो ह्यस्यामतिचारचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९॥ નિરાચાર એગી અહી, નિરતિચાર જ હોય; તસ ચેષ્ટિત-આરૂઢનું, આરેહણ જ્યમ નોગ્ય. ૧૭૯ અથ –આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદવાળ, અતિચારથી વિવજિત-રહિત એ હોય છે. આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ એનું ચેષ્ટિત હોય છે. વિવેચન આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદ્ધવાળા હોય છે. કઈ પણ આચાર કરવાનું પ્રજન તેને હોતું નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનો અભાવ હોય છે. વળી તે અતિચારથી
Page 414
વિવર્જિત-સર્વથા રહિત હોય છે, કારણ કે કઈ પણ અતિચાર લાગવાનું કારણ તેને હોતું નથી. આરૂઢને આરહણના અભાવની જેમ આ ગીનું ચેષ્ટિત હોય છે, કારણ કે આચાર વડે જીતવા યોગ્ય એવા કમનો તેને અભાવ થયો છે. એટલે કેઈ આચારનું પાળવાપણું તેને બાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયો હોય છે. “નિરતિચાર પદ એહમાં યેગી, કહિયે નહિં અતિચારીજી; આરે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી” . દ. સઝા. ૮-૧. જ્યારે યોગી આ આઠમી પર દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કેઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવો કપાતીત થાય છે. અત્યાર સુધી કૃત્તિ-નિવારનો દિ-નિરાચાર પદવાળે જ, ચાં-આમાં, મા દષ્ટિમાં યોગી હોય છે –પ્રતિક્રમણાદિના અભાવથી, અત્તિવાવિકસિત -અતિયાર વિવજિત-રહિત-તેના નિબંધનના અભાવને લીધે જ હૃાો[નામાવત્તિ 7 રથ રેટિર-આરઢના આરોહણ અભાવની ગતિ જેમ આનું–ગીનું ચેષ્ઠિત હોય છે. આચારથી જય-જય કરવા ગ્ય એવા કમના અભાવથી નિરાચાર પદવાળો હોય છે, એમ અર્થ છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ (૫૬) ગદષ્ટિભ્રમુચ્ચય યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય નિરાચાર પદ હતા, તે હવે અત્રે સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય એહમાં યોગી' છે, નિષ્પોજન થાય છે. પૂર્વે પ્રારંભિક સાધકને જે પ્રતિક્રમાદિ સાધન ગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે ગારૂઢ એવી સમાધિદશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિત્કર-નકામા થઈ પડે છે. ગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર અમૃતકુંભરૂપ હોય છે, તે જ સાધનને જે નિષ્પન્ન-સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે છે તે વિષકુંભરૂપ થઈ પડે છે; કારણ કે અખંડ આત્મસમાધિરૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટો વિક્ષેપ પાડે છે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિદશા પામવાને છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી. અત્રે શંકા થવી સંભવે છે કે-“આ શુદ્ધ આત્મ ઉપાસનથી શું ? કારણ કે પ્રતિક્રમાદિથી જ આત્મા નિરપરાધ થાય છે. અપ્રતિક્રમણાદિ સાપરાધને–અપરાધીને અપરાધ દૂર નહિ કરનાર હોવાથી વિષકુંભરૂપ છે, અને પ્રતિક્રમણાદિ પ્રતિકમણુદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે. તેનું સમાધાન-પ્રતિક્રમણાદિ વિષકુંભ કેમ? અપ્રતિક્રમણદિના ત્રણ પ્રકાર છે –(૧) અજ્ઞાની જનનું જે અપ્રતિ ક્રમશુદિ છે તે તે સાક્ષાત્ વિષકુંભ જ છે. કારણ કે તેમાં તે શુદ્ધ આત્મસિદ્ધિને અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધરૂપ જ છે, (૧) (૪) બીજુ જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણ કે તે આત્માર્થરૂપ સ્વકાર્ય સાધતું નથી, અને માનાર્થ આદિપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષરૂપે જ ઝેરરૂપે જ પરિણમે છે. (૫) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, આત્મસિદ્ધિને લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તે વ્યવહારથી તે અમૃતકુંભરૂપ હોય છે, અર્થાત આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજુ જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકારૂપ–શુદ્ધ આત્મસિદ્ધિરૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તે સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે, અર્થાત્ આત્માને સાક્ષાત અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિસંપન્ન આવા ગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે, અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે *(સરખા-વિષ, અમૃત આદિ અનુષ્ઠાન સ્વરૂપ). •" पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥ अपडिकमण अप्पडिसरणं अप्परिहारो अधारणा चेव । अणियत्ती व अणिंदा गरहा सोही अमयकुंभो ॥" (જુઓ ) સમયસાર ગા. ૩૦૧-૩૦૭ અને અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા, Page #673 -------------------------------------------------------------------------- ________________ પર દર નિરાશાર પદ એહમાં ગી?-ગારૂઢની વાત ન્યારી (૫૯૭) અને એટલા
Page 415
માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સિદ્ધ યોગી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિકમણદિરૂપ ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત હેવાથી, તેમને સાધકોપયોગી એવી દ્રવ્ય પ્રતિકમણાદિ આચારકિયા હોતી નથી; અપ્રતિક્રમણદિ કારણ કે સમસ્ત ક્રિયાકલાપને એક ઈષ્ટ ઉદ્દેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ અમૃતકુંભ છે, અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તે અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે હવે તેનું કંઈ પ્રજન રહ્યું નથી. કારણ કે * “કમ જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેનાથી જે આત્માને નિવર્તાવે–પાછો વાળે તે પ્રતિકમણ છે.” અથવા તે “સ્વસ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયો હોય, તેનું પુનઃ પાછું ત્યાં જ મૂળ સ્થાને કમણુ–ગમન તે પ્રતિક્રમણ કહેવાય છે.' અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભ્રષ્ટતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદ 'માં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે; આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પુનરાગમનરૂપ ભાવપ્રતિકમણુપરમાર્થ પ્રતિક્રમણ અત્રે નિષ્પન્ન ગીને પ્રાપ્ત થઈ ચૂકયું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ-નિર્દોષ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધને પુનઃ સંભવ નથી. તે પછી અપરાધના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણને અવકાશ ક્યાંથી હોય? આમ તેમને શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃતસ્વરૂપ અપ્રતિકમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સમજી લેવું. અત્રે આ દૃષ્ટાંત ઘટે છે–પર્વત પર ચઢવા માટે આરેહણક્રિયા-ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી. તેમ યોગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર યોગભૂમિકા વટાવવારૂપ ગારૂઢની આરેહશુક્રિયા કરવી પડે છે, પણ ગગિરિના શૃંગ પર આરૂઢ વાત ન્યારી થયા પછી કંઈ પણ યોગસાધનરૂપ આરોહણક્રિયા કરવી પડતી નથી. સાધક દશામાં વત્તતા ગાહકને જે અવલંબન–સાધન અનિવાર્ય પણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન ગદશાને પામેલા ગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? ધરાયેલાને જમવાનું શું? આમ પરમ અદ્દભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનયોગીની વાત એ છે, ન્યારી છે. ત્યાં પ્રાકૃત જનને કાયદો કેમ લાગુ પડે? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે? ભૂખ્યાને ભેજન + “ વં પુછવયં સુહાગુમળાવિત્યવિષે તો ચિત્ત અવયં તુ ગો તો વિમળા”—સમયસાર ગા. ૩૮૩. "स्वस्थानात्यत्परस्थान प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते " Page #674 -------------------------------------------------------------------------- ________________ ( ૫૯૮) યાગદૃષ્ટિસસુક્ષય કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને-તૃપ્ત થયેલાને કાંઇ જરૂર રહેતી • આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના પાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે' હવે કેાઈ આલંબન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબનસાધનને ત્યાગી જેણે પરપરિણતિને ભગાડી છે, એવા સહજાત્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદાતિ જાગ્રત એવી ઉજાગર દશામાં ખિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયુ' હાવાથી સાધનની કઇ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા ડાવાથી એને હવે કંઇ કરવાનું રહ્યું નથી. “ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્યે, આનંદધન પ્રભુ જાગે રે. ''—શ્રી આનનજી. દશા આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણકામ થઇ ચૂકયા છે; કારણ કે જ્યારથી ચેતન પાતે વિભાવથી ઉલટા થઇ–વિમુખ થઇ, સમય પામી પેાતાને સ્વભાવ ગ્રહણ કરી લીધા છે, ત્યારથી જ જે જે લેવા યાગ્ય હતું તે તે સ તેણે કૃતકૃત્ય જ્ઞાન- લઈ લીધુ છે, અને જે જે ત્યાગ યાગ્ય હતું, તે તે સવ છેડી દીધું છે. એટલે તેને હવે કંઇ લેવાનું
Page 416
રહ્યું નથી કે મૂકવાનું ખીજું કાંઇ રહ્યું નથી, તા હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ ચેાગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધેા છે. “ જમહિં તે ચેતન વિભાવસે ઉટિ આપુ, સમા પાઈ અપને સુભાવ ગઢી લીના હૈ, તમહિ' તે જો જો લેન જોગ સેા સે। સખ લીના, જો જો ત્યાગ જોગ સેા સે। સખ છાંડી દીનેા હૈ. લેવેકી ન રહી ઠાર ત્યાગિયેકા નાંહિ ઔર, બાકી કહા ઉમર્યાં જુ, કારજ નવીનેા હૈ; સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરત્ર ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીના હૈ. —શ્રી મનારસીદાસકૃત હિંદી સમયસાર, આવી પરમ અદ્ભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પેાતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યાં છે, એવા પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વધુ વેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશ'સા કરતાં પરમેાલ્લાસથી કહે છે કે:-~~ "" લેવેકી ન રહી ઠોર, ત્યાગીવેકી નાહિ ઔર; આકી કહા ઉખ^ જુ. કારજ નવીન હૈ.” “ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણુ' પ્રાપ્ત થયુ. એટલે હવે બીજુ કાઈ ક્ષેત્ર કઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપના તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂખ પણ ઇચ્છે નહિ; અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે, ત્યાં તે પછી બીજું કઈ રહ્યું Page #675 -------------------------------------------------------------------------- ________________ પણ દષ્ટિ : કૃતકૃત્ય જ્ઞાનદશા, લેનેકી ન રહી ઠાર? • લેવેકી ન રહી કાર’ (૫૯૯) નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહી. હવે જ્યારે લેવુ. દેવુ' એ અને નિવૃત્ત થઇ ગયું ત્યારે બીજુ કાઇ નવીન કા કરવાને માટે શું ગયું...? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જ જાળ કયાંથી હેાય? એટલે કહે છે કે અહી' પૂર્ણકામતા થઈ. ” શ્રીમદ્ રાજચંદ્ર, અ’. ૨૭૫. (૩૨૮) કેવી અદ્ભુત ધન્ય દશા ! આવા કૃતકૃત્ય, પૂર્ણકામ જ્ઞાની પુરુષને ગ્રહણુ-ત્યાગરૂપ કયા આચાર આચરવાના ખાકી રહ્યો હાય ? કારણ કે મૂઢ જીવ મ્હારમાં ગ્રહણુ–ત્યાગ × કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં અંતમાં ગ્રહણ-ત્યાગ કરે છે, પણુ * કહીયે નહિ' નિષ્ઠિતાત્માને મ્હાર કે અંદર ગ્રહણુ-ત્યાગ હાતા નથી.' આમ નિરાચાર અતિચારીજી’પદને પામ્યા હાવાથી અત્રે તેના કારણના અભાવે કાઇ પણ અતિચારને સંભવ રહેતા નથી. કારણ કે આચારમાં અતિચાર લાગે, પણ અત્રે તા આચાર જ નથી, તે અતિચાર કયાંથી લાગે ? આવી નિરાચારપઢવાળી ઊચી આત્મદશાને પામેલા મહાત્માએાનુ વ`માન ઉદાહરણ શ્રી ચિદાનંદજી મહારાજના અધ્યાત્મ જીવનમાંથી મળી આવે છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કેઃ— “ જૈન મુનિ થયા પછી પેાતાની પરમ નિવિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય—ક્ષેત્ર-કાલ–ભાવથી યમ-નિયમ તેએ હવે પાળી શકશે નહીં, તેમ તેમને ( ચિદાનંદજીને ) લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન કરવુ છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તેા પછી તે શ્રેણીએ પ્રવત્તવુ અને ન પ્રવર્ત્તવું બન્ને સમ છે. આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. ” ઇત્યાદિ.— શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯ (૨) (૨૨) 品 આને ભિક્ષાટનાદિ આચાર કેમ હેાય ? એવી આશકા દૂર કરવા કહે છે. रत्नादि शिक्षादृग्भ्योऽन्या यथा दृकू तनियोजने । तथाचार क्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८० ॥ વૃત્તિ:—નાિિશક્ષાદો—રતાદિની શિક્ષાદૃષ્ટિએ કરતાં, અન્યા-મન્ય, મિત્ર જ, ચથા–જેમ, દ-દષ્ટિ, તત્રિયોગનેને-તે રત્નાદિના નિયાઝનમાં,—શિક્ષિત હતાં, તથા-તેમ, ભાષા ત્રિયાયઆ યાગીની આચારક્રિયા પશુ, સૈવ- તે જ, ભિક્ષાટનાદિ લક્ષણુવાળી, અન્યા-અન્ય, ભિન્ન, જૂદી જ હાય છે. કયા કારણથી ? તા કે મત્ત:-લભેદ થકી-પૂર્વ સાંપરાયિક ક્રમ ક્ષય ળ હતું, અને હમણાં તે। ભવાપગ્રાહી કમ'ક્ષય કુળ છે. બ X त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् । નાન્દર્યદ્દિપાયાનું
Page 417
ન ચાનો નિષ્ઠિતાત્મનઃ ||” સમાધિશતક, Page #676 -------------------------------------------------------------------------- ________________ (૦૦') રત્નાદિશિક્ષા દૃષ્ટિથી, નિયોજન દૃષ્ટિ ભિન્ન; ત્યમ આચાર ક્રિયા ય તસ, તે ફલ ભેરુ ભિન્ન, ૧૮૦ "" યોગદષ્ટિસસુય અ—રત્નાદિની શિક્ષાષ્ટિ કરતાં જેમ તેના નિયેાજન સંબધી દૃષ્ટિ ભિન્ન હાય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલદને લીધે ભિન્ન હાય છે. વિવેચન શિક્ષાથી જ્યમ રતન નિયેાજન, દૃષ્ટિ ભિન્ન ત્યમ એહેાજી. ”—શ્રી ચા, સજ્ઝા, ૯–૧ રત્નાદિકની શિક્ષાર્દષ્ટિએ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયેાજન વિષયમાં દૃષ્ટિ અન્ય જ હાય છે, ભિન્ન જ હાય છે; તેમ આ ચેાગીની તે જ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હાય છે. શા કારણથી? તા કે લભેદથી, પૂર્વ સાંપાયિક કર્મ ક્ષય ફળ હતુ, હવે ભાપગ્રાહી કમ ક્ષય ફળ છે. દૃષ્ટિ હોય છે, તે એવા તે શિક્ષિતની પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રત્નનું નિયેાજન કરે છે દૃષ્ટિ જૂદી જ હોય છે; કારણ કે પ્રથમ તા શિખાઉને તે વિષય સંબધી શિક્ષાથી જ્યમ કઇ જ્ઞાન હૈ।તું નથી. રત્ન કેવું છે ? તેનું સ્વરૂપ શું ? તેના પ્રકાર શું ? રતન નિયેાજન’ તેના ગુણ-દોષ શું? તેનું મૂલ્ય શુ? ઈત્યાદિ ખાખત તેને સાવ અજ્ઞાત હાય છે. એટલે તેને તે સંબધી કુતૂહલ બુદ્ધિ હેાય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રત્નની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રત્નપરીક્ષામાં સુશિક્ષિત એવા તે ઉપલબ્ધ જ્ઞાનના વ્યવહારમાં વિનિયોગ કરે છે, ચ-વિક્રયાદિ પ્રયાગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન ( Theoretical knowledge ) હતું, ત્યારે હવે તા તેનેા અનુભવસિદ્ધ પ્રયાગ ( Practical application ) હોય છે. એટલે વ્હેલાંની શિખાઉ દૃષ્ટિ કરતાં આ વિનિયેગ દશાની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હાય છે. તેમ અત્રે પણ ચેગીની તે જ ભિક્ષાટન આદિ આચારક્રિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ ડાય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં અને દૃષ્ટિમાં મહદ્ અતર છે. અથવા તા એકડીઆને પ્રથમ તે માતૃકાક્ષરનું-ખારાખડીનું જ્ઞાન પણ નથી હેતુ, એકડા પણ નથી આવડતા. પણ તે ખતીલેા વિદ્યાર્થી બનીને એકડો ઘુંટતાં ઘુંટતાં, ક્રમે રીતે શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા, વિદ્યાપારંગત સ્નાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને મ્હાર પડે છે! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનને વ્યવહાર ઉપયાગ કરે છે–ચથાયાગ્ય વિનિયાગ કરે છે. તેની નિશાળીઆ તરીકેની શિખાઉ અવસ્થાની Page #677 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ : શિક્ષા દૃષ્ટિથી નિયેાજન દૃષ્ટિ ભિન્ન, નિષ્કષાય ‘સાધુ ’ (૬૦૧) દૃષ્ટિમાં અને જીવન–વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દૃષ્ટિમાં ઘણા જ ફરક હાય છે. તેમ અત્રે પણ આચારની ખાખતમાં પ્રારંભક સાધક યાગીની દૃષ્ટિ કરતાં, યેાગારૂઢ સિદ્ધ ચેગીની દૃષ્ટિ ભિન્ન—જૂદા પ્રકારની હાય છે. અથવા તે। સ`ગીત શાસ્રથી અનભિજ્ઞ અણુ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સબધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ ખને છે, અને તેમાં એનેા હાથ એવા એસી • દૃષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ–મૂનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એહાજી' ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનરંજન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પરત્વે પ્રથમની અભ્યાસદશામાં સાધક ચેાગીની જે દૃષ્ટિ હાય છે, તેના કરતાં ગીતા નિષ્પન્ન
Page 418
જ્ઞાનદશામાં દૃષ્ટિ ભિન્ન વ્હાય છે. આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સ ́ગીત આદિ છે તેા તેના તે, પણુ તેના પ્રત્યેની શિખાઉની દૃષ્ટિમાં ને શિક્ષિતની દૃષ્ટિમાં પ્રગટ ભેદ હેાય છે; તેમ શિક્ષાટનાદિ આચારક્રિયા છે તા તેની તે, પણ તેના પ્રત્યેની સાધક યાગીની દૃષ્ટિ કરતાં અત્રે સિદ્ધ નિષ્પન્ન ચેગીની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની–એર જ હાય છે. કારણ કે પૂર્વ સ ંપાયિક-કષાય સંબધી કક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભવાપગ્રાહી કમ ક્ષય એ લ છે. પૂર્વે નિગ્રંથ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય સબંધી કમ ક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાયના પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીના દેહ પણ માત્ર સયમને માટે હતા, અને તે દેહ દ્વારા સયમયાત્રાના નિર્વાહ અર્થે જ શિક્ષાટનાદિ ક્રિયા આવશ્યક હતી, તથા એ બધુÖય કષાય–ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વીતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા · સાધુ 'ને કવચમ્ હેય તે અતિ અતિ સૂક્ષ્મ એવા સજ્વલન ક્યાય જ હાય, એથી અધિક કષાય × હાય જ નહિ, છતાં ભેદ d 6 × શ્રીમાન્ હરિભદ્રસૂરિજી શ્રી પચાશક સાસ્ત્રમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ ' ને કાલદોષથી હાય તો કવચિત્ સજ્વલન કષાયને ઉદ્દમ હોય, બાકી તેા કષાય હાય જ નહિં, અને જો હાય તે તે સાધુ જ નથી. કારણ કે સલેમ અતિચારા સંજ્વલનના ઉમથી હાય છે, પણ અનંતાનુબંધી આદિ ખાર ષ યના યથી તા સચાડો વ્રતભંગ થતો હોવાથી મૂલવ પ્રાયશ્ચિત્ત લાગે છે " चरिमाण वि तह णेयं संजलणकसायसंगमं चेव । माईठाणं पायें असई पि हु कालदोंसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होंति । મૂછેખ પુળ હોર્ વાસરૂં લાયાળું ।।”—શ્રી પચાશક, Page #678 -------------------------------------------------------------------------- ________________ (૬૦૨) થાગદષ્ટિસમુચ્ચય તે મહામુનિ આંખના કણાની જેમ તે કષાયકણિકાને પણ સાંખી શકતા નથી, એટલે સર્વ આત્મપ્રદેશમાંથી પરમાણુ માત્ર કષાયકણને પણ કાઢી નાંખવા માટે તે સર્વાત્માથી પ્રવર્તે છે, અને નિષ્કષાયતારૂપ વીતરાગ ભાવને સાધે છે. પણ હવે અત્રે તે તે અતિ અતિ અલ્પ કષાયભાવ પણ સર્વથા દૂર થઈ ગયું છે, વીતરાગતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ઘાતિકને ક્ષય થઈ ચૂક્યો છે, એટલે અઘાતી એવા ભોપગ્રાહી કર્મને ક્ષય એક જ અત્ર હેતુ છે. અત્રે આ પરમ યોગી જે દેહ ધારણ કરી રહ્યા છે, તે નામ-ગોત્ર-આયુર્વેદનીય એ ચાર, આ ચરમ દેહમાં ભોગવવા ગ્ય પ્રારબ્ધ કર્મના ક્ષય અર્થે જ ધારણ કરી રહ્યા છે. એટલે તે દેહના નિર્વાહાથે જે ભિક્ષાટનાદિ ક્રિયા કરે છે, તે પણ તે ભયગ્રાહી કર્મના ક્ષય અથે જ કરે છે. આમ પૂર્વે સાંપરાયિક કર્મક્ષય એ ભિક્ષાટનાદિ ક્રિયાનું ફલ હતું, અને અત્રે ભપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. આમ કુલભેદથી દષ્ટિભેદ પ્રગટ થાય છે. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જેને સર્વ કષાયને ક્ષય થયો છે એવા વીતરાગ પરમ ભેગી જ્યાં લગી આ છેલ્લા દેહની આયુસ્થિતિ છે ત્યાં લગી પૂર્વ પ્રારબ્ધદયથી વિચરે છે, અને એમ કરીને પોતાના શેષ કમને ત્રાણાનુબંધ ચૂકવી આપી દેહ છતાં જેની નિર્જરી નાંખે છે. આમ પૂર્વ પ્રયોગથી વિચરતા જ્ઞાની પુરુષ, દેહ દશા, વર્તે છતાં દેહાતીત એવી પરમ અદ્ભુત કાયોત્સર્ગ દશા-જીવન્મુક્ત દેહાતીત” દશાને અનુભવ કરતા સતા, સદેહે મુક્ત વર્તે છે. આવા વિદેહદશા સંપન્ન કેવલિ ભગવાન પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી ભવ્યજનોને બોધ કરતા ભૂતલ પર વિચરે છે, ને પરમ જનકલ્યાણલકેપકાર કરે છે અને આવા જગમ કલ્પવૃક્ષ સમા શુદ્ધ આત્મસ્વરૂપ જિનરાજને ધન્ય આત્માઓ સેવે છે. જેમ કે – “અજિતવીર્ય જિન વિચરતા રે... મન પુષ્કર અધ વિદેહ
Page 419
રે....ભવિ. જંગમ સુરતરુ સારિ રે..મન સેવે ધન્ય ધન્ય તેહ રે...ભવિ–શ્રી દેવચંદ્રજી. “દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.”–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् । तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥१८१॥ –ાન્નિશે-તેના નિયગથી, રત્નના નિયગથી, માત્મ-મહાત્મા અહીં લેકમાં, ત્યો ચા મા-જેમ કૃતકૃત્ય હોય છે, કઈ રત્વવણિફ કૃતકૃત્ય હોય છે; તથાથં-તેમ આ, અધિકૃત વેગી, ધર્મસંન્યાવિનિયોniા-ધર્મસંન્યાસના વિનિયોગથકી, મામુનિ –મહામુનિ, કૃતકૃત્ય હોય છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ: ધર્મસંન્યાસવિનિયોગથી મુનિ-રાવણિ; કૃતકૃત્ય (૬૦૩) તસ વિનિયેગે તે અહીં, કૃતકૃત્ય જ્યમ થાય; ધર્મ સંન્યાસ વિગથી, તેમ મહામુનિરાય. ૧૮૧ અર્થ -તે રત્નના વિનિયોગથી અહીં જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયેગથી કૃતકૃત્ય થાય છે. વિવેચન “તાસ નિયોગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેજી.”—. સક્ઝા. ૮, ૨, તે રનના વિનિયોગથી જેમ અહીં લેકમાં કઈ મહાત્મા-રત્નાવણિક કૃતકૃત્ય થાય છે, તેમ આ દષ્ટિવાળો યેગી મહામુનિ ધર્મસંન્યાસના વિનિયેગથકી કૃતકૃત્ય થાય છે. રત્નપરીક્ષા કરી જાણનારે રત્નાવણિ ચેકસી, ઝવેરી શુદ્ધ દૃષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયો કહેવાય છે. કારણ કે રત્ન પરીક્ષા સંબંધી ગમે તેટલું જાણપણું હોય, પણ જ્યાં સુધી વ્યવહારમાં–વ્યાપારવિનિમયમાં રત્નાવણિફનું તેને પ્રયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી તેનું સાર્થકપણું– દૃષ્ટાંત કૃતાર્થપણું થયું કેમ કહેવાય ? પણ રત્નના કયવિક્રયમાં, લેવડદેવડમાં ઉપયોગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્યપણે આવશ્યક હતું, તે જ્ઞાનને વ્યાપારમાં જ્યારે વિનિયેગ (Practical application) કરવામાં આવે, ને તેને યથેચ્છ લાભ ઉઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય. તે જ પ્રકારે આ દૃષ્ટિવાળે યેગી મહામુનિ અહીં ધર્મસંન્યાસના વિનિયોગથી, અર્થાત્ શુદ્ધ દૃષ્ટિથી તાવિક આચરણરૂપ વિશિષ્ટ પ્રયોગથી–ધર્મવ્યાપારરૂપ પ્રજનથી કૃતકૃત્ય થાય છે, કારણ કે ધર્મસંન્યાસ સંબંધી ગમે તેટલું જાણપણું હોય, ધર્મસંન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હોય, પણ જ્યાં સુધી હજુ તેને નિશ્ચયશુદ્ધ વિનિયોગ વ્યવહારમાં તાત્વિકપણે ઉપગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી પરમાર્થથી તેનું સાર્થકપણું થયું કેમ કહેવાય ? પણ પ્રસ્તુત ધર્મસંન્યાસની યેગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દર્શન–ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યંત આવશ્યક હતી, તેને હવે અહીં તારિક ધર્મસંન્યાસપણે વ્યવહારૂ પ્રયોગ કરવામાં આવે છે, અને તજજન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહીં આ દૃષ્ટિમાં જ ધર્મસંન્યાસના વિનિયોગથી (Practice) કૃતકૃત્યપણું હોય છે. અર્થાત્ અત્રે જ શુદ્ધ રત્નત્રયીને વ્યાપાર કરનારે મહામુનિરૂપ રત્નાવણિક ધર્મસંન્યાસ યોગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ ન મેળવી કૃતકૃત્ય થઈ જાય છે, અહીં જ તેને બેડો પાર થઈ જાય છે, અહીં જ તેનું આત્મસિદ્ધિનું કામ થઈ Page #680 -------------------------------------------------------------------------- ________________ (૬૦૪) યોગદષ્ટિસમુચ્ચય જાય છે, અહીં જ તે સાચે “ધર્મસંન્યાસ' યોગી-સંન્યાસી’ બની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દષ્ટિ પૂર્વેને અત્યાર સુધી જે ધર્મસંન્યાસયોગ હતું, તે તાત્ત્વિક હેતે, અતાવિક હતું. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મને સંન્યાસ-ત્યાગ જરૂર હતો. એટલે જ અતાત્વિક છતાં “ધર્મસંન્યાસ’ નામને યોગ્ય હતું તેમજ તે તાત્વિક ધર્મસંન્યાસની યોગ્યતા પામવા માટે પણ આવશ્યક ને ઉપકારી હતા, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તે તાત્વિક ધર્મસંન્યાસચોગ હોય છે. ધર્મ એટલે ક્ષાપથમિક ભાવ, તેને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, માટે તે ધર્મસંન્યાસયોગ અત્રે યથાર્થ પણે પરમાર્થથી હોય છે. તથા— द्वितीयापूर्वकरणे मुख्योऽयमुपजायते । केवलश्रीस्ततश्चास्य निासपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વમાં, મુખ્ય એહ ઉપજત; (તેથી તેને નિરાવરણ નિદયા, કેવલલક્ષ્મી વરત. ૧૮૨. અર્થ –બીજા અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ ગીને નિઃસપન્ના-નિરાવરણ
Page 420
એવી સોદિયા કેવલલી હોય છે. વિવેચન શ્રેણીવત્તી એવા બીજ અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસયોગ ઉપજે છે,-ઉપચરિત તે પ્રમત્ત સંયતથી આરંભીને હોય છે. અને તે ધર્મસંન્યાસના વિનિયોગ થકી આ ગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે કે જે પ્રતિપાતના અભાવે કરીને સદેદયા હોય છે. આ ધર્મસંન્યાસ લેગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત્ તાત્વિક કોટિને ધર્મ સંન્યાસ ક્યારે હોય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય-તાત્વિક ધર્મ સંન્યાસ શ્રેણીમાં આવતા બીજા અપૂર્વકરણ સમયે પ્રાપ્ત હોય છે,–જો કે ઉપચરિતતાત્વિક અતાત્ત્વિક એ ધર્મ સંન્યાસ પ્રમત્તસંયત ગુણસ્થાનથી માંડીને હોય ધર્મસંન્યાસ છે, અને તે અનુક્રમે તાત્વિક ધર્મસંન્યાસ પામવાની યોગ્યતા માટે અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ અતાવિક ધર્મકૃત્તિ – દૂતીયાપૂર્વજળે-દ્વિતીય અપૂર્વકરણમાં, શ્રેણીવત્તી એવા અપૂર્વકરણમાં, મુઘોડથ-મુખ્ય એવો આ ધર્મસંન્યાસ; Evજ્ઞાન્ત–ઉપજે છે, –ઉપચરિત તે પ્રમત્ત સંયતથી આરંભીને ઉપજે છે. દેવશીતત-અને કેવલશ્રી તેથી કરીને-ધર્મ સંન્યાસ વિનિયોગ થકી, અચ-આ પિંગીને, નિ સન્ના-નિઃસ પત્ની, પ્રતિપક્ષ રહિત (નિરાવરણ), સોયા-સદાય, –પ્રતિપાતના અભાવે કરીને. Page #681 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ તાત્વિક ધર્મસ-કેવલશ્રી: “શ્રીમદ' જિન ભગવાન (૬૦૫) સંચાસમાં પ્રવૃત્તિલક્ષણ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, અને તાત્વિક ધર્મસંન્યાસમાં ક્ષયોપશમભાવરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, એટલે ધર્મસંન્યાસ સંજ્ઞા યથાર્થ છે, અહીં “બીજા” અપૂર્વકરણમાં આ તાત્વિક ધર્મસંન્યાસ પ્રગટે છે એમ કહ્યું તે સહેતુક છે, કારણ કે પહેલું અપૂર્વકરણ જે ગ્રંથિભેદનું કારણ છે, તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિ. એટલા માટે બીજામાં એમ કહી તેને અપવાદ સૂચવ્યો. આમ આ અપૂર્વકરણ બે છે:–(૧) ગ્રંથિભેદના કારણરૂપ તે પહેલું; (૨) ક્ષપકશ્રેણી વેળાનું તે બીજુ. આ “અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ ” એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. અને પછી કર્મસ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે આ બીજું અપૂર્વ કરણ–અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાવિક ધર્મસંન્યાસ યોગ ક્ષેપક શ્રેણીમાં ચઢતા સામર્થ્યયોગીને હેય છે. (આને “અપૂર્વકરણ” કહેવાના કારણ માટે જુઓ પૃ. ૪૩-૪૪). આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને, પરમ આત્મવીલાસ સ્કુરાવીને જે યોગીપુરુષ ક્ષકશ્રેણ પર આરૂઢ થાય છે, તેને આ તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય યોગ હોય છે, કારણ કે તે ક્ષયપશમરૂપ ધર્મોનું ક્ષપકશ્ચણ ક્ષપણ કરતે કરતો આગળ વધે છે, કર્મ પ્રકૃતિને સર્વથા ખપાવતે કેવલથી ખપાવતે, ખતમ કરતે કરતે, ઉડાવતે ઉડાવતે, ગુણસ્થાનકની શ્રેણી પર વેગે ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુનો ક્ષય કરતો કરતો, ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ કરતે કરતે, આ પરમ સમર્થ વીર સંન્યાસી” ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. (જુઓ આકૃતિ ૩-પૃ. ૫૦) અને આમ ધર્મસંન્યાસના વિનિયોગથી આ સામર્થગીને કેવલલક્ષ્મીની-કેવલશ્રીની પ્રાપ્તિ હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન-દર્શનની ઉત્પત્તિ હોય છે, કે જેમાં કોઈપણ પ્રતિબંધક વિરેધક પ્રતિપક્ષરૂપ આવરણ હોતું નથી. આવી આ નિરાવરણ કેવલશ્રી શ્રીમદ્ સદીદયા હોય છે, અર્થાત્ કેઇપણ કાળે તેના પ્રતિપાતને અભાવ ભગવાન હોવાથી સદા ઉદયવંતી જ હોય છે. એટલે આવી અનુપમ કેવલશ્રી સંપન્ન આ “શ્રીમદ્દ ભગવાન્ જિનરાજરાજેશ્વર આત્મસામ્રાજ્ય લક્ષમીથી સદા વિરાજે છે. તેનું અપૂર્વ વર્ણન લાક્ષણિક શૈલીમાં કવિરાજ દેવચંદ્રજીએ ગાયું છે: Page #682 -------------------------------------------------------------------------- ________________ (૬૬) યોગદષ્ટિસમુચ્ચય “મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે છે આજ તમારડોજી; ક્ષાયિક વીર્ય અનંત, ધર્મ અગે તું સાહિબ વડે.... હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. કર્તા ભક્તા ભાવ, કારક કારણ છે તે સ્વામી છતેજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુને હો ધમ પ્રકાશજી.હું બલિહારી સમ્યગદર્શન મિત્ત, સ્થિર નિદ્ધ રે અવિસંવાદિતાજી; અવ્યાબાધ સમાષિ, કેશ અનધર રે
Page 421
નિજ આનંદતાજી.”—શ્રી દેવચંદ્રજી, કારણ કે આ આત્મસામ્રાજ્યના સ્વામી શ્રીમદ્દ ભગવાનમાં રાજરાજેશ્વરના સમ્રાટન સંપૂર્ણ લક્ષણ જોવામાં આવે છે. જેમકે–તેમનામાં અનંત એવું ક્ષાયિક વીય પ્રગટયું છે, અને તેથી આત્મસ્વભાવરૂપ ધર્મના અભંગાણાએ કરીને શ્રી જિનરાજ એ “વડા સાહેબ” મોટામાં મોટા સાહેબ થયા છે. તે આત્મભાવના રાજરાજેશ્વર કત્ત–ભક્તા, કારક કારણ છે, એટલે તે છતા-પ્રગટ એવા સ્વસ્વરૂપના - સ્વામી થયા છે. તેમને જ્ઞાનાનંદ નામનો પ્રધાન છે કે જે સર્વ વસ્તુને ધમ પ્રકાશે છે; અને સમ્યગદર્શન નામને મિત્ર છે કે જે સ્થિર એવી અવિસંવાદિતાને નિર્ધાર કરે છે, બધું બરાબર છે એની તકેદારી રાખે છે. તેમને અવ્યાબાધ સમાધિરૂપ નિજાનંદમય અવિનશ્વર કેશ છે, અખૂટ ખજાને છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તેના દેશ છે કે જે પોતપોતાની રીતે ગુણસંપત્તિથી ભર્યા છે એમને ચારિત્રરૂપ અભંગ દુર્ગ છે, અજેય કિલ્લા છે, કે જે આત્મશક્તિથી પરપરભાવરૂપ શત્રુને જય કરવા સંચર્યા છે. ક્ષમાદિ ધર્મરૂપ તેમનું સૈન્ય છે. પરિણતિ પ્રભુત્વરૂપ-આત્મપરિણતિના સ્વામિત્વરૂપ તેમનું આકરૂં બલ છે આવા આ પ્રભુએ સકલ તત્વને પ્રગટભાવ સાદિઅનતી રીતે ધારણ કર્યો છે. દ્રવ્ય-ભાવ સર્વ શત્રુને નાશ કરીને આવા આ “સાહિબ” અવતર્યા છે, અને તે સહજ સ્વભાવ વિલાસના ભોગી, ઉપયોગી એવા જ્ઞાનગુણે ભર્યો છે. દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુગર અભંગ, આતમશક્ત હો પર જય સંચયજી....હું બલિહારી, ધર્મ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હે તુજ બલ આકરેજી; તત્ત્વ સકલ પ્રાભાવ, સાદિ અનંતી જે રીતે પ્રભુ ધર્યો છે. બલિહારી, દ્રવ્યભાવ અરિ લેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપયોગી રે જ્ઞાનગુણે ભજી.”—શ્રી દેવચંદ્રજી સિંહાવલોકન નીતિથી અધિકૃત વસ્તુના નિર્ધારણાર્થે કહે છે – Page #683 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ : શ્રી જિનરાજરાજેશ્વર : આત્મ-ચંદ્ર, જ્ઞાન-ચંદ્રિકા (૬૦૭) स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चंद्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ १८३॥ ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું છવ એહ; જ્ઞાન ચંદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ. ૧૮૩ અર્થ :-જીવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અશ્વ-વાદળા જેવું છે. વિવેચન આત્મા ચંદ્રની પેઠે પિતાની–આત્મીય ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, કાંઈ સ્થાપિત કરવાનું નથીઅને જે વિજ્ઞાન છે તે સ્ના જેવું-ચાંદની જેવું છે. આ કેવલાદિનું ઉપમા માત્ર છે. અને તદાવરણ અર્થાત્ જ્ઞાનાવરણ તે અા જેવું વાદળા જેવું છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે જ, કાંઈ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી-સ્વ ભાવ સ્થિત જ છે, કાંઈ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની આત્મ-ચંદ્ર ઉપમા સાગપાંગ સુઘટપણે ઘટે છે. ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથીજ્ઞાન-ચંદ્રિકા કુદરતી–સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યો છતે ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ ત્સના-ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિ આદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાનજ્યોત્સનાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આમ સ્વ–પર પ્રકાશક ચંદ્રિકા રેલાવતે ચંદ્ર સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્વ–પર અવભાસક જ્ઞાન-ચંદ્રિકા વિસ્તારતે આત્મા પણ નિજ સ્વભાવપદમાં સમવસ્થિત જ રહ્યો છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી સ્થિતિ છે. અને જે સ્વભાવ છે તે કદી અન્યથા થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તે સ્વભાવ નહિં, પણ પરભાવ જ છે (જુઓ પૃ. ૪૮૩, તથા . પૃ. ૭૫) આત્માને સ્વ-પરપ્રકાશક એવો જ્ઞાયક સ્વભાવ છે, એટલે તે
Page 422
વિશ્વને કૃત્તિ–થિતઃ-સ્થિત છે, નહિં કે સ્થાપનીય, સ્થાપવાને નથી, શીર્વાશુવ7-શીતાંશુ-ચંદ્રની જેમ, લીવ-જીવ, આત્મા, કન્યા-આત્મીય-પિતાની પ્રકૃતિથી. માવા -ભાવશ એવી, તત્વશહ એવી એમ અર્થ છે. તેમજ-દ્ધિાવદર-અને ચંદ્રિકા જેવું, જ્યના-ચાંદની જેવું, વિજ્ઞાનવિજ્ઞાન કેવલાદિન આ ઉપમામાત્ર છે, તવા -તાવરણ, જ્ઞાનાવરણ. ઝવ-અભ્ર જેવું, મેધટપલ જેવું છે એમ અર્થ છે. Page #684 -------------------------------------------------------------------------- ________________ (૬૦૮) ગદષ્ટિસંમુશ્માં જાણે છે, પણ તેથી તે કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આ અંગે પરમ તત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ ત થઈ જાય છે, પણ ચંદ્ર કંઈ ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.”– શ્રીમદ્ રાજચંદ્ર. ૭૬૦ (૪૩૩), “ય જ્ઞાન શું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્થ રે; પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રે લાલ, જાણે જે જિમ જથ્થ રે.”—શ્રી દેવચંદ્રજી. અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી છે, ને તેથી તેનું યથાર્થ દર્શન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે–ઢાંકી દે છે, જ્ઞાનવરણ- અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે મેઘ તેટલું ગાઢ હોય છતાં, જેમ ચંદ્રની કંઈ ને કંઈ છાયા દેખાયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ ચંદ્રિકા વાદળને વીધીને બહાર નિકળ્યા વિના રહેતી નથી, “ચંદ્ર છુપે નહિં બાદલ છાયો'; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચંદ્ર ગમે તેટલા ગાઢ કર્મપટલના આવરણથી આવૃત હોય, તો પણ તેની કોઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ જ્ઞાન-જ્યોત્સના ડોકીઉં કરી ચૈતન્ય સ્વરૂપને ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનંતમાં ભાગ જેટલો કેવલજ્ઞાનનો ભાગ નિત્ય ઉઘાડે જ રહે છે એમ શાસ્ત્રમાં + કહ્યું છે. નહિ તે તે પણ જે અવાઈ જાય તે જીવ અજીવપણને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જે કે જ્ઞાનને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતું નથી, તેપણ અંશપ્રકાશરૂપ મંદ પ્રકાશ તે સદાય અવશ્ય દશ્યમાન હોય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મંદ પ્રકાશરૂપ છાવસ્થિક જ્ઞાન ઉપજે છે * સુવિ મેવમુદ્ર તિ માં વાળાં?? :-શ્રી નંદીસત્ર, ૪૨ આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, નાધિકતા દેખાય છે, ચિત્રx “सबजीवाणपि य णं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिट्ठइ, સો વિશ કરૂ વરિજ્ઞા તે વીવો નીવત્તળ પવઝા -શ્રી નંદીસુત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य, વેવિ મય%ારા રૂત્યુથ તત્ર દેતુ વરજ્ઞાનાવરણમેવ ” –શ્રી જ્ઞાનબિંદુ, Page #685 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ: કેવલજ્ઞાનાવરણ મેઘ, મંદ પ્રકાશ-ક્ષયોપશમ (૬૦૯) વિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઇતર કર્મ છે. વસ્ત્રના વિવરમાંથી કે ભીતના વિવરમાંથી (છિદ્રમાંથી) દેખાતા અબ્રાચ્છાદિત સૂર્યના ક્ષપશમ: મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ અનંત ભેદ આદિ ઈતર જ્ઞાનાવરણ કમને લીધે કેવલજ્ઞાનાવરણછાદિત આત્માના જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે-ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું હોય છે. અને તેથી કરીને મતિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમના અનંત ભેદથી મતિ આદિ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે. + ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાને કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે–અણુઢાંક્યો જ રહે છે. એટલા
Page 423
માટે જ કહ્યું છે કે-જ્ઞાન એ આત્માને સ્વપરાવભાસક અસાધારણ ગુણ છે. " तत्र ज्ञानं तावदात्मनः स्वपरावभासकः असाधारणोः गुणः।" -શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનબિંદુ પ્રકૃતિનું જન કહે છે – घातिकर्माभ्रकल्प तदुक्तयोगानिलाहतेः । यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥१८४ ॥ ઘાતિકર્મ વાદળ સમું, વાતાં ગ સુવાય; દૂર થાય ત્યારે શ્રીમાન, જ્ઞાનકેવલી થાય. ૧૮૪ અર્થ –ઘાતિક વાદળા જેવું છે, તે ઉક્ત યોગરૂપ વાયુના આઘાતથી (સપાટાથી) જ્યારે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાનું જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ થાય છે. વિવેચન જ્ઞાનાવરણીયાદિ જે ઘાતિકર્મ તે અભ્ર જેવું–વાદળા જેવું વર્તે છે. તે ઘાતિકર્મઉપરમાં હમણાં જ કહેવામાં આવેલા ધર્મસંન્યાસ ગરૂપ પવનના સપાટાથી,-જ્યારે કૃત્તિ –પતિ-ધાતિકર્મ, જ્ઞાનાવરણીય આદિ, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય. આ અગવડતામ-અન્ન, વાદળા જેવું વર્તે છે. તત્તે ઘાતકર્મ, swયોmનિઃ -ઉક્ત-હમણાં જ કથા તે યોગ-વાયુના આઘાતથી-સપાટાથી (એમ અર્થ છે ). ચાતિ-જ્યારે દૂર થાય છે-શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે તાત્યારે, શ્રીમાન શ્રીમાન, શ્રીમદ્ તે મુખ્ય એવા વિક્રમ નથી, પરાક્રમયોગથી, ના જ્ઞાનદેવી-જ્ઞાનકેવલી થાય છે, સર્વજ્ઞ થાય છે, એમ અર્થ છે. +"स च अपान्तरालाबस्थितमतिज्ञानाद्यावरणक्षयोपशमभेदसंपादितं नानात्वं भजते । घनपटलाच्छन्नरवेः मंदप्रकाश इव अन्तरालस्थकुटकुटयाद्यावरणविवरप्रवेशात् ॥" -ઇત્યાદિ (જુઓ)-શ્રી જ્ઞાનબિન્દુ, Page #686 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાનું જ્ઞાન કેવલી-સર્વજ્ઞ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર “ઘાતિકર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની વાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણને આવૃત ઘાતિકર્મ–અન્ન કરી તેની ઘાત કરે છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને આવરી તેની ઘાત કરે છે. મેહનીય કર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યકત્વ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કમ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારેય કર્મોને “ઘાતિકર્મ એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આકૃતિ: ૧૪ /જ્ઞાન-દ્રિકા આત્મા ધર્મસંચાલ ચગ-વાયુ ઘાતિકર્મ–મેઘપટલ " तत्र धातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया ।। પાતત્વાર્ ગુણાના હિ નીવઐતિ વાસ્થતિઃ II –શ્રી પંચાધ્યાયી. આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્મો જ્યારે આત્માના તે તે ગુણોને આવરણ માત્ર કરે છે, ત્યારે આ મેહનીય કર્મ તે આત્માના તે તે મેહનીયઃ ગુણને વિપરીત સ્વાદવાળે બનાવી દે છે. દર્શન મેહનીય આત્માના કમેન રાજા સમ્યગૂ નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ Page #687 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ: માહનીય-કર્માના રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ (૬૧૧) મિથ્યાત્વમાં ફેરવી નાંખે છે. અને ચારિત્ર માહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણુને વિભાવ સ્થિતિપણામાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિપણામાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય ( Villain's action) મેાહનીય કર્મ કરે છે. બીજાં કમ તા માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) માહનીયકમ તે પાતાનું દોઢડહાપણુ વાપરી ઉલટા મગાડો કરી મૂકે છે! એટલે જ એ આત્માના ભય'કરમાં ભયંકર ને મેટામાં માટેા દુશ્મન ( Ring-leader) છે. તે નાયકના જોર પર જ ખીજાં કર્યાંનું બળ નભે છે, તેનું જોર ક્ષીણ થતાં અન્ય કર્માનું ખળ પણુ ક્ષીણુ થાય છે. આમ અન્ય કર્માંના આશ્રયદાતા— · અન્નદાતા ' ાવાથી નેકનામદાર મેહનીયને કર્માના ‘રાજા ' કહ્યો તે યથાર્થ છે. 6 કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્યે મેહનીય, હણાય તે કહું પાઠ. ક્રમ મેાહિનીય ભેદ એ, ૧ દર્શન ૨ ચારિત્ર નામ; હણે ૧ એધ ૨ વીતરાગતા, અચૂક ઉપાય
Page 424
આમ. ′′—શ્રી આત્મસિદ્ધિ “કની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અધાતિની કહેવાય છે. ચાર ધાતિનીને ધર્મ આત્માના ગુણુની ઘાત કરવાને અર્થાત્ (૧) તે ગુણને આવરણુ કરવાને, અથવા (૨) તે ગુણુનું ખળવી રાધવાના, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ધાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણુ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણુને આવરતી નથી, પણ તેના ભાગ ઉપભાગ આદિને, તેનાં વીય-ખળને રાકે છે. આ ઠેકાણે આત્મા ભેાગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણુ નથી; પણુ સમજતાં છતાં ભાગાદિમાં વિઘ્ન-અતરાય કરે છે, માટે તેને આવરણ નહિ. પણ અંતરાય પ્રકૃતિ કહી, આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઇ, ચેાથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને સૂચ્છિત કરી, મેાહિત કરી નિકળ કરે છે; જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિ. છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા ધાવે છે, મુવે છે, માટે એને માહનીય કહી. આમ આ ચારે સઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યાં કરે છે અને ઉચ અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણુની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી. માટે તેને અધાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચદ્ર, પત્રાંક ૭૯૩. (ઉપદેશ નેાંધ, ૩૯) આ ચાર ઘાતિ કમ શિવાયના શેષ-ખાકીના જે ચાર ક્રમ છે, તે અઘાતિ’ Page #688 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ગદષ્ટિસમુચ્ચય કર્મ કહેવાય છે. આયુ, નામ, ગોત્ર ને વેદનીય એ “અઘાતિ” કર્મ છે, કારણ કે તે આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન ગુણની ઘાત કરતા નથી. હા, અઘાતિ કર્મ તે ઘાતિ કર્મોને સહાયક અવશ્ય થાય છે, પણ સ્વયં આત્માને તે મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવગુણને હણતા નથી. તથાપિ તે તે કમ પિતપિતાની વિશિષ્ટ શક્તિ જરૂર દાખવે છે. જેમકે-આયુ કર્મથી જીવ અમુક મર્યાદિત સમય સુધી તે તે ગતિને વિષે તે તે દેહમાં સ્થિતિ કરે છે, અર્થાત્ આયુકર્મ જીવને ચતુગંતિમય સંસારમય બંદિખાનામાં જકડી રાખે છે, અને તેથી આત્માના અવગાહન ગુણને હાનિ પહોંચે છે. નામકર્મ આત્માના અમૂલ્તત્વ-સૂફમત્વ ગુણને ધોખે પહોંચાડે છે, જેથી કરીને આત્માના ગતિ-જાતિ-શરીર આદિ સ્થલ-મૂર્ત પય પ્રગટે છે એટલે નામકર્મ ચિતારાએ ચિત્રેલા ચિત્રામણ જેવા ચિત્રવિચિત્ર નામ પામી આત્મા બહુરૂપીવિશ્વરૂપી બને છે ! ગોત્રકમ આત્માના અગુરુલઘુ ગુણને હાનિ કરે છે, જેથી કરીને એક શુદ્ધ સમસ્વરૂપ આત્મા ઉચ્ચ-નીચ ગોત્રરૂપ વિષમતાને પામે છે. વેદનીય કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને હણે છે, જેથી કરીને મધુથી ખરડાયેલ ખડૂગધારા જેવા શાતા-અશાતા વેદનીયના ઉદયથી સુખદુઃખ ભેગવવા પડે છે. આમ આ ચાર અઘાતિx કર્મ પણ મૂળ આત્મગુણઘાતી નહિ છતાં પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર નીપજાવે છે, પિતાપિતાને ભાવ જરૂર ભજવે છે. - આમ આ આઠ પ્રકારના કર્મમાંથી જે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મ છે, તે વાદળ જેવું છે. તે જ્યારે ધર્મસંન્યાસ યોગરૂપ પવનના સપાટાથી શીવિશીર્ણ થાય છે, વિખરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમ યેગે કરીને તે શ્રીમાન ધર્મસંન્યાસ જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા થાય છે. વાદળાં જેમ વાયુના વાયુઃ ક્ષપકશ્રેણું હોલેનાથી વિખરાઈ જાય છે, તેમ ધર્મસંન્યાસરૂપ પવનના આઘાતથી સપાટાથી ઘાતકર્મરૂપ મેઘપટલ વિખરાઈ જાય છે. આ હમણાં જ કહ્યો તે તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય વેગ આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનથી શરૂ થાય છે, કે જ્યાં ક્ષપકશ્રેણીને પ્રારંભ થાય છે. અત્રે આ સમર્થ યેગી અપૂર્વ આત્મપરાક્રમ-અપૂર્વ આત્મવીલ્લાસ દાખવતે ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, અને કર્મોને ક્ષય કરતો
Page 425
કરતો, ખપાવતે ખપાવતે, ખતમ કરતો કરતો, “મહા વીર ની પિઠે આત્મસ્થાને વીરપણું પ્રકટ કરેત સત, આગળ વધે છે. સમયે સમયે આત્મસ્થિતિમાં સંયમનરૂપ અનંતા સંયમ વર્ધમાન કરતે કરતે, ને કમંદને ઉડાવતે ઉડાવતે, તે મહાગી ઉત્તરોત્તર ગુણસ્થાન ભૂમિકાઓ કૂદાવતે જાય છે, અને ક્ષાયિક ભાવની વૃદ્ધિ કરતો જાય છે. યાવત્ બારમાં ગુણસ્થાનના અંતે મેહનીય કર્મને સર્વસંક્ષય કરી, તે પરમ ચેગી પરમ અમેહસ્વરૂપ એવા પરમ વીતરાગ ભાવને પામે છે. * “તતઃ શેષાજં ચા વારિ વિવાના ! ગુનાનાં બાતમીવરાવો વ્યાત્મિરાત્તિનિ ” –શ્રી પંચાધ્યાયી, Page #689 -------------------------------------------------------------------------- ________________ પરા દૃષ્ટિ કે ધમ સુથી ઘાતિ-પ્રભ્ર વિલય ને અાત્મ-ચંદ્રને પ્રકાશ “ વીર પણું તે આતમ ટાણે, જાણ્યુ' તુમચી વાગે રે; ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિંચાણે રે. ”—શ્રી આનંદઘનજી. (૬૧૩) અને જેવું માહનીય ક્રમ ક્ષય પામે છે કે તત્ક્ષણ જ તેના અવશે—આથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કમ ક્ષય પામે છે, અર્થાત્ કેવલજ્ઞાનાવરણ, કેવલદનાવરણુ, ને અંતરાય ક્રમ'ની ત્રિપુટીના સર્વનાશ થાય છે. આમ માહિરપુને જય થતાં આત્માને જયપટહ વાગી રહે છે, છત-નગારૂ વાગે છે, અને આત્મા કમ રિપુને જય કરનારા • જિન ' તરીકે, ‘ અરિહંત ’ તરીકે, ‘ વીર ’ તરીકે જગત્માં પ્રસિદ્ધ થાય છે. કેવલજ્ઞાન “ સહેજ ગુણ આગરેા, સ્વામી સુખ સાગા, જ્ઞાન વયરાગરા પ્રભુ સવાયે;; શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, માહ રિપુ જીતી જયપડતુ વાયેા. ’’—શ્રી દેવચ`દ્રજી. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; 66 મિથ્યા મેહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.”—શ્રી આનંદઘનજી. અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકમ ર થાય છે, કે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યેાતિસ્વરૂપ આત્મા સ્વરવરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણસ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિ કરૂપ મેઘપટલ ટળતાં પરજ્યેાતિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જનરાજ-ચંદ્ર સ્વયં પૂ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે. “ ચાર ક્રમ ઘનઘાતિ તે વ્યચ્છેદ જ્યાં, ભવના બીજ તણેા આત્ય'તિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દેષ્ટા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જો, અપૂર્વ અવસર. શ્રીમદ્ રાજચ’દ્રજી. ,, એટલા માટે જ કહે છે— क्षीणदोषोऽथ सर्वज्ञः सर्व लब्धिफलान्वितः । परं परार्थ संपाद्य ततो योगान्तमश्रुते ॥ १८५ ॥ વૃત્તિ:-ક્ષીળયોષઃ—ક્ષીણુ દોષ જેના સર્વજ્ઞો - સર્વજ્ઞ, નિરાવરણ જ્ઞાનના ભાવે સ` ઔત્સુકયની નિવૃત્તિથી. પં પાર્થ લક્ષણુવાળા પરાથ—પરોપકાર કરી, તો તને પામે છે. થયા છે તે, –સકલ રાગાદિના પરિક્ષયથી. ચ-ત્યારે જ, કરીને, સર્વવિધાન્વિતઃ–સવ* લબ્ધિ ફલથી યુક્ત, – સંવાદ્ય—પરમ પરાથી સંપાદન કરી,શાભવ્ય સમ્યક્ત્વાદિ ચોળાન્તમસ્તુતે –પછી ચેગના અંતને પામે છે, ચેામના Page #690 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ચોગદદિસમુચ્ચય ક્ષીણ દોષ સર્વજ્ઞ તબ, સર્વ લબ્ધિ ફલવંત, ૫રમ પરાર્થે કરી પછી, લહે યેગને અંત ૧૮૫, અર્થ–પછી ક્ષીણ દેલવાળા, સર્વજ્ઞ, સર્વ લબ્ધિ ફલથી યુક્ત એવા તે પરમ પરાર્થનું સંપાદન કરી યોગના અંતને પામે છે. વિવેચન આમ જે ક્ષીણદોષ થયા છે એવા તે ત્યારે જ નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને સર્વજ્ઞ હોય છે; અને સર્વ સુયની નિવૃત્તિ થકી સર્વ લબ્ધિફલથી યુક્ત એવા હોય છે. આવા સર્વલબ્ધિસંપન્ન સર્વજ્ઞ, ભવ્ય જનેની યોગ્યતા પ્રમાણે તેમને સમ્યક્ત્યાદિ પરમાર્થલાભ આપી, પરમ પરોપકાર કરે છે, અને પછી યોગના અંતને પામે છે. જેના રાગાદિ સર્વ દોષ ક્ષીણ થાય છે તે વીતરાગ-જિન થાય છે, અને જે વીતરાગ થાય છે તે તત્ક્ષણ જ સર્વજ્ઞ હેય છે. આ નિયમ છે. સર્વ દે ત્રણ મુખ્ય દોષમાં સમાય છેઝાગ દ્વેષ અને મહ. આ ત્રિદોષ” જેનામાંથી ગયા છે, ત્રિદોષ” તે સર્વ દોષથી મુક્ત
Page 426
એવા પરમ વીતરાગ હોય છે, કારણ કે આ વિજેતા મહાદેવ “ત્રિદોષથી જ જીવને “સન્નિપાત' લાગુ પડે છે, અર્થાત આત્માના શુદ્ધ સત્ સ્વરૂપથી નિપાત-અધઃપતન હોય છે. પણ જ્યારે આ દેષ નષ્ટ થાય છે ત્યારે સત્ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત હોતું નથી, પણ આત્માના સહજ સત સ્વરૂપમાં સંસ્થિતિ જ હોય છે. આત્મા સહજાભસ્વરૂપે સ્થિત થાય છે. આ જ પરમ વીતરાગ દશા છે, અને આ જ પરમ દિવ્ય એવું ખરેખરૂં “મહાદેવપણું” છે. એટલા જ માટે કહ્યું છે કે જેને સંકલેશ ઉપજાવનારે રાગ સદાયને માટે છે જ નહિ, અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણ પ્રત્યે દ્વેષ પણ છે જ નહિં, અને સજ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનારે મેહ પણ છે જ નહિં,–તે ત્રિકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ' કહેવાય છે.” “ यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥" –શ્રી હરિભદ્રાચાર્યજીત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત શ્રીમદ્દ વિતરાગ જિનદેવ અથવા પ્રકારાંતરે, જેનામાંથી અઢાર દેષ ગયા છે, તે પરમ નિર્દોષમૂર્તિ વીતરાગ હોય છે. બીજાઓ જે દોષને અતિ આદર આપે છે, જે રાગાદિ દેષથી યુક્તમાં પણ Page #691 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ વિશેષવિજેતા “મહાદેવ'-૧૮ દોષ રહિત જિનદેવ (૧૫) પૂજ્યપણું આપે છે, તે દેને આ ભગવાન જિને–વીતરાગે તે મૂલથી નિવાર્યા હોય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હોય છે, જેમકે“સેવક કિમ અવગણીએ હે મલ્લિજિન ! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તે તેં મૂલ નિવારી. ”—શ્રી આનંદઘનજી. અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે વ્હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું. અનાદિની સાથે સંલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી તે જુઓ તે તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણું પણ ન માંડી ! તેને આવી' માટે અફસેસ વીક પણ ન કર્યો ! આમ આ ભગવાને અજ્ઞાન દેષને નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજજાગ્રત એ ચાર દશામાંથી ચેથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મપયોગમય સતત અત્યંત જાગ્રતિને પામ્યા; અને નિદ્રા સ્વપ્ન એ બે દશા રીસાણી જાણી તે ચાલવા માંડી, તે પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિ ! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું નહિ ! આમ અત્યંત જાગ્રત-ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દેશની આત્યંતિક નિવૃત્તિ કરી. જ્ઞાન રવરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણ; જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. હે મણિજિન ! નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી નિદ્રા સુપન દેય દશા રીસાણી, જાણી ન નાથ માનવી... હે મણિજિન !” મિથ્યામતિ નામની જે કુલટા આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સંલગ્ન હતી, તેને અપરાધ-દુષ્ટ દોષવાળી દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ બાંધ્યું. આમ સમ્યગદર્શનને પામેલા સગાઈ કીધી” ભગવતે મહામિથ્યાત્વ દેષને-દર્શનમોહને ક્ષીણ કર્યો. “સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યાતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી મલિજિન !” હાસ્ય, અરતિ, રતિ, શોક, દુગચ્છા, ભય,-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તે બિચારા ક્યાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા નેકષાય દેશે તે ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા Page #692 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિસમુચ્ચય ત્યારે,—શ્વાનની ગતિ ધારણ કરી ! પણ ‘હાથીની પાછળ કૂતરાં ભસે ' તેની
Page 427
જેમ તે ખાપડા ભસતા જ રહ્યા ! અને ભગવાની સ્વારી તે તેની ઉપેક્ષા કરી આગળ ચાલી ! અર્થાત્ આ તુચ્છ પામર દેષો આ પરમ સમ ચાગિવર પાસે કિચિત્કર થઈ પડયા, તેમના પર પેાતાની કંઇ પણ અસર નીપજાવવા સર્વથા અસમર્થ નીવડયા ! (૬૧૬) ૐ ભય પામર કરસાલી ’ દૂર હાસ્ય અરતિ રતિ શેક દુગચ્છા, ભય પામર કરસાલી; નેકષાય ગજ શ્રેણી ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી....હા મ@િજિન !” રાગ, દ્વેષ અને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમેહના જખરજસ્ત યાદ્ધા હતા, તે તેા જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્ક્ષણુ ખાઘા ખનૌ ઉઠીને નાઠા ! વળી વેદાદચરૂપ જે કામવિકાર પરિણામ-કાસ્ય કર્મ તે સર્વના ચણુ માહના પણ આ ભગવાને ત્યાગ કર્યાં. આમ ચારિત્રમેહને સનાશ કરી, નિષ્કારણુ કરુણારસના સાગર એવા આ પરમ કૃપાળુ દેવે અનંત ચતુષ્ટ પદ પ્રગટ કર્યું", અર્થાત્ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત વીની પ્રાપ્તિ કરી. 6 ચાદ્દા’ “ રાગ દ્વેષ વિરતિની પશ્થિતિ, ચરણુ માહના ચાદ્ધા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા ખાધા...હા મ@િજિન ! વેદેય કામા પિરણામા, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કારણુ કરુણારસ સાગર, અનંત ચતુષ્ઠ પદ પાગી....હા મ‚િજિન ! ” આવા આ પરમ વીતરાગ પ્રભુ દાન સ’બધી વિાને-અ'તરાયને નિવારીસજનને અભયદાનપદના દાતા થયા. લાભ સૌંબધી વિશ્ર્વને નિવારી પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ જગને વિન્ન કરનારા લાભવિજ્ઞના નિવારક થયા. પરમ લાભ પતિ વીચે કરીને વીચ વિઘ્નને-વીર્યા'તરાયને હણીને આ પ્રભુ પૂ રસ માતા' પઢવીના ચેાગી બન્યા; અને ભાગ–ઉપલેાગ એ અને વિઘ્ન નિવારીને પૂર્ણ ભાગના સુભેાગી થયા. “દાન વિધન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિધન જગ વિશ્વન નિવારી, પરમ લાભ રસ માતા હૈ....મહ્વિજિન ! નીય વિધન પડિત વીચે હણી, પૂરણ પદવી યાગી; ભાગેાપભાગ દાય વિધન નિવારી, પૂરણ ભાગ સુભેાગી હેા....મિજિન !” આમ ( ૧) અજ્ઞાન, (૨) નિદ્રા, (૩) મિથ્યાત્વ, ( ૪ ) હાસ્ય, ( ૫ ) અતિ, (૬) રતિ, (૭) શાક, (૮) દુગચ્છા, (૯) ભય, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) Page #693 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ ! અહાર દૂષણવજિત જિનદેવ-સવજ્ઞ (૬૧૭) અવિરતિ, (૧૩) વેદોદય (કામ), (૧૪) દાનાંતરાય (૧૫) મુનિજન વૃંદે લાભપંતરાય, (૧૬) વયતરાય, (૧૭) ભેગાંતરાય, (૧૮) ઉપગાયા ” ભેગાંતરાય,-એ અઢાર દૂષણથી રહિત આ જિન-વીતરાગ પરમાત્મા હોય છે, કે જેના અનન્ય ગુણોનું સંકીત્તન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિર્દૂષણ એવા પ્રભુ મનને રુચે એવા ગમે એવા છે. અને આ આવા પરમ નિર્દોષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી-કૃપા દષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. એહ અઢાર દૂષણ વરજિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દેષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા હે....મલ્લિજિન ! ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે; દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હે.” – શ્રી આનંદઘનજી. આમ આ ભગવાનના દેષ-આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે – સ્વહેતુઓથી જેમ બાહ્ય-અભ્યતર મલ ક્ષય થાય છે તેમ. ધાતુપાષાણને બાહ્યાભંતર મલ જેમ પોતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગદર્શનાદિ દેષ-આવરણ સ્વહેતુઓ વડે કરીને ભગવાનના બાહ્યાભ્યતર મલને ક્ષય થયો હોય છે, ક્ષયઃ સર્વજ્ઞ એટલે મેહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણદર્શનાવરણરૂપ આવરણને આત્યંતિક ક્ષય હોય છે. અને આમ પ્રતિબંધક એવા દોષ-આવરણને ક્ષય થતાં, ક્ષીણુદેષ એવા તે અવશ્ય સર્વજ્ઞ થાય છે, અર્થાત્ નિરાવરણ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી લેકાલેકના સર્વ
Page 428
ભાવને તે સાક્ષાત્ દેખે છે, સર્વ દ્રવ્યના સર્વ પર્યાય જાણે છે. (જુઓ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ ફુટનટ.) આ સર્વસિદ્ધિ વિષયમાં આ પ્રમાણે છે:–*સૂક્ષ્મ, અંતરિત ને દૂર પદાર્થો કોઈને પ્રત્યક્ષ હોય છે,–અનુમેયપણું છે માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત્ સૂમ એટલે સ્વભાવથી વિપ્રકૃણ (વિખૂટા પડેલા), અંતરિત એટલે કાળથી વિપ્રકૃષ્ટ ને દૂર એટલે દેશથી વિપ્રકૃષ્ટ એવા પદાર્થો કેઈને પણ પ્રત્યક્ષ હોય છે, કારણ કે તે અનુમેય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હોય છે, અથવા જે અનુમાનગમ્ય છે તે કેઈને પ્રત્યક્ષ હોય છે. જેમકે-અગ્નિ આદિ. વળી સર્વજ્ઞ *" सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा । મેવતોડાવિપિતિ સર્વશસ્થિતિઃ શ્રી આસમીમાંસા, Page #694 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ગદરિસસુસ્થય સિદ્ધિ બાબત બીજ પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હોય છે, તેને પ્રકર્ષ-છેવટની હદ હોય છે. જેમકે મહત્ત્વ, એ તરતમભાવવાળો ગુણ છે. તેને પ્રકઅંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન છે, તેમ જ્ઞાન ગુણ તરતમભાવથી યુક્ત હોય છે. એટલે તેની કવચિત્—કઈ પુરુષવિશેષમાં પ્રકર્ષ પ્રાપ્તિ અવશ્ય સંભવે છે. અને જેનામાં તે જ્ઞાનને પ્રકર્ષ પ્રાપ્ત હોય છે, તે જ સર્વજ્ઞ છે. ઈયલ પ્રસંગેન ! (જુઓ–શ્રી હરિભદ્રસૂરિકૃત સર્વજ્ઞાસિદ્ધિ પ્રકરણ, જ્ઞાનબિન્દુ, આપ્તમીમાંસા આદિ). આવા ક્ષીણદોષ-પરમ નિર્દોષ, ગુણવતાર શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન્ સર્વ લબ્દિરૂપ ફલથી સંયુક્ત હોય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલદર્શન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનંત ઉપગ લબ્ધિ, અનંત વીર્ય સર્વ લબ્ધિ લબ્ધિ આદિ સર્વ લબ્ધિ આ કેવલી ભગવંતના ઘટમાં વસે છે. અણિમાફલ ભેગીજી મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિકરી થઈને ફરે છે. પાતંજલ આદિ યોગશાસ્ત્રોમાં તથા જિનાગમાં વર્ણવેલ સર્વ વિભૂતિઓનું આ ભગવાન એક ધામ હોય છે. સર્વ પદાર્થના સર્વ પર્યાયમાં વ્યાપક એવા સર્વજ્ઞપણને લીધે આ જ્ઞાનવડે કરીને સર્વવ્યાપક શ્રીપતિ “વિષ્ણુ ભગવાનને ઔસુષની સર્વથા નિવૃત્તિ હોય છે, ક્યાંય પણ કંઈ પણ ઉત્સુકપણું હોતું નથી, એટલે તે સર્વ લબ્ધિઓના ફલના ભોગી હોય છે. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહી અને થવાનું નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય.” શ્રીમદ્ રાજચંદ્ર, અંક ૩૩૭. (૪૧૧). કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદના ઈશ એવા આ વીતરાગ પ્રભુ સેના જ્ઞાતા હોય છે, નિજ સ્વરૂપનું દર્શન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવું દશ્ય દેખે છે, આત્મસ્વભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં “અનંત ચતુષ્ક રમણ કરે છે, ભગ્ય એવા નિજ સ્વરૂપના અનંત ભેગને આ ભોક્તા પદ પાગી” સ્વામી ભોગવે છે. મહાન દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દીએ છે, અને નિજ શક્તિના ગ્રાહક-વ્યાપકમય એવા આ દેવ પોતે જ તે દાનના પાત્ર છે. નિજ જ્ઞાને કરી સેયને, જ્ઞાતા જ્ઞાયક પદ ઈશ રે; દેખે નિજ દશન કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે, Page #695 -------------------------------------------------------------------------- ________________ પસ દષ્ટિ : “સવ ઉધિ ફલ ભેગી” ધ્રુવ૫દરામ (૧૯) નિજ રમે રમણ કરે, પ્રભુ ચારિત્રે રમતા રામ રે; ભોગ્ય અનંતને ભેગ, ભેગે તિણે ભોક્તા સ્વામ રે. દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ ” શ્રીદેવચંદ્રજી. દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે, લાભાંતરાયને ક્ષય થયો હોવાથી અણચિંતવ્યો એવો સહજ આત્મસ્વરૂપ લાભ નિરંતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ સ્વગુણ સંપત્તિને અયને ભેગા કરે છે, વીર્યંતરાયના ક્ષયને લીધે
Page 429
શુદ્ધ સ્વગુણને ઉપભેગ” નિરંતર ઉપભોગ લે છે, ઉપભોગતરાયના ક્ષયને લીધે સ્વરૂપરમણને વિષે અપ્રયાસવંત હોય છે–પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિ સફુરાયમાન કરે છે. “અક્ષય દાન અચિંતન, લાભ અને ભોગ...હો જિનજી! વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગ....હ.”—શ્રી દેવચંદ્રજી. અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી, આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાન્મસ્વરૂપ પદમાં જ રમણ કરનારા હોય છે. એટલે જ આ “ધ્રુવપદ રામી' પ્રભુને કોઈ કામના નથી હોતી, તે નિઃકામી જ હોય છે. જેને “ધ્રુવપદરામી ઘેર વિપુલ પરિપૂર્ણ સંપત્તિ ભરી હોય, તે અન્ય વસ્તુની ઈચ્છા કેમ હે સ્વામી કરે? તેમ જેનું આત્મ-ગૃહ વિપુલ પરિપૂર્ણ ગુણસંપત્તિથી સંભૂત છે, માહરા” તે ધ્રુવપદરામી નિષ્કામી ગુણરાય બીજી કંઈ કામના કેમ ધરે? કેવલ એક “ધ્રુવ' એવા શુદ્ધ આત્મપદ શિવાય અન્યત્ર આ “કેવલી” ભગવાન ઉપયોગ કેમ દીએ? ધ્રુવપદરામી છેસ્વામી માહરા, નિ:કામી ગુણરાય સુગ્યાની ! નિકામી હે પામી તું ધણી, ધ્રુવ આરામી થાય.”—શ્રી આનંદઘનજી. આ લબ્ધિ વિષય અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ રાજચંદ્રજીએ પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્ય છે કે – ચાર ઘનઘાતી કર્મને ક્ષય થતાં અંતરાય કમની પ્રકૃતિને પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીતરાય, ભેગાંતરાય અને ઉપભોગવંતરાય એ પાંચ પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંત દાનલબ્ધિ, અનંત લાભ લબ્ધિ, Page #696 -------------------------------------------------------------------------- ________________ (ર૦) યોગદષ્ટિસમુચય દાનાદિ અનંત વીર્ય લબ્ધિ, અને અનંત ભેગ ઉપગ લબ્ધિ સંપ્રાપ્ત થાય લબ્ધિને અદ્દ છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ ભુત પરમાર્થ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં તે આપી શકે છે, તદુરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણુમાવી શકે છે, તે અનંત દાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્ માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્ માત્ર પણ તેમાં વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગ ઉપગ લબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયાં છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામને કેઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ચૂનાધિકપણે કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તે અનંત વીર્ય લબ્ધિ કહેવા ગ્ય છે. ક્ષાયક ભાવની દષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિન પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવીર્ય લબ્ધિમાં પણ તે પાંચે સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે છે તેવું સામર્થ્ય તેમાં વતે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગને તેથી સંભવ નથી. અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૮૪૦ (૩) (૯૧૫) અને પછી આવા સર્વ લબ્ધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધદય પ્રમાણે પરમ પરોપકાર કરતા સતા વિચરે છે. પિતાના
Page 430
શેષ જે ચાર અઘાતિ કર્મ–ભપગ્રાહી કર્મ છે, તેનાથી પ્રાપ્ત ઉદય પ્રમાણે ભૂતલ પર વિહાર કરતા આ નિષ્કારણ કણ કૃતકૃત્ય પ્રભુ, સદેશના દાનવડે અન્ય આત્માઓ પ્રત્યે પરમ પરોપકાર રસસાગર’ કરી, તેઓને કૃતકૃત્ય થવાનો મહા મોક્ષમાર્ગ બધે છે. “નિષ્કારણ કરુણ રસ સાગર’ એવા આ પરમકૃપાળુ દેવ પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી સંસારતાપથી સંતપ્ત જગજજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિઃ દાનાદિ લબ્ધિને પરમાર્થ : પરમ પરંપકાર (૨૧) જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અનંત પરિભ્રમણ દુઃખ પામે છે, તે “સ્વરૂપ પદ’ સમજાવી, આ પરમ જગદ્ગુરુ પરમ લોકકલ્યાણુ–કસંગ્રહ-લકાનુગ્રહ કરે છે. “ભવદુઃખવારણ શિવ સુખકારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન વિશ્વબંધુ પરમ શાંતિ સન્માર્ગ પ્રવહતે કરે છે, કે જેમાં નિમજજન કરી ભવ્ય આત્માઓ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આ ધર્મમૂર્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્મની સંસ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભવ્યજનેની યથાભવ્યતા પ્રમાણે–પિતાપિતાની યોગ્યતા અનુસારે તેમને સમ્યકત્વાદિ ગુણની પ્રાપ્તિ કરાવી, યથાયેગ્યપણે ધર્મલાભ આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમને પ્રબોધી વિકસિત કરતા સતા જગમાં વિહરે છે. “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી. ચિદાનંદ ઘન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....પ્રભુ આતમ ધર્મ તણે આરામી, પપરિણતિ નિષ્કામી રે...પ્રભુત્ર ”– શ્રી દેવચંદ્રજી. અને આમ આયુષ્ય સ્થિતિ પર્યત દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છેડાવી, અને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગજંતુનું હિત કરવારૂપ પરમ કાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યેગના અંતને પામે છે, ગપર્યતને અર્થાત્ શૈલેશી અવસ્થાને પામે છે. ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી; પર ઉપકાર કરીને શિવ તે, પામે વેગ અાગી.”–શ્રી . દસક્ઝા, ૮-૩ तत्र द्रागेब भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६॥ અગ ગરમ થકી, શીઘ જ ત્યાં ભગવાન ક્ષય કરી ભવ્યાધિને પામે પર નિર્વાણ, ૧૮૬. અર્થ –ત્યાં શીધ્ર જ તે ભગવાન, ગસત્તમ એવા અગથી ભવ્યાધિને ક્ષય કરીને પરમ નિર્વાણુને પામે છે. ત્તિ-તત્ર-સાં, એટલે કે યોગાન્તમાં, શૈલેશી અવસ્થામાં, દ્રવિ-શીધ્ર જ, ઝપાટા બંધ જ, હરવ પંચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, માવાન-ભગવાન તે કયોટુ-અયોગ થકી, અવ્યાપાર થકી. જોરાવરના7-યોગાસત્તમ થકી, યોગપ્રધાન થકી, શૈલે શ્રી યોગ થકી એમ અર્થ છે. શું? તો કે મવડ્યાધિક્ષ વા-ભવવ્યાધિનો ક્ષય કરી,-સર્વ પ્રકારે, નિર્વા ૪તે પt-પરમ નિર્વાણુને પામે છે, ભાવ નિર્વાણને પામે છે, એમ અર્થ છે. Page #698 -------------------------------------------------------------------------- ________________ (૬૨૨) ચેાગદષ્ટિસમુચ્ચય વિવેચન પછી ત્યાં–ચેાગપતરૂપ શૈલેશી અવસ્થામાં શીઘ્ર જ તે ભગવાન્ સ યાગમાં પ્રધાન એવા ‘અયેાગ ’યોગથી અર્થાત્ શૈલેશી ચેાગથી, સર્વ પ્રકારે ભવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિર્વાણને પામે છે. શૈલેશી અવસ્થામાં આ કેવી ભગવાન્ સðયેાગમાં ઉત્તમ એવા ‘અયાગ ’ નામના પરમ ચેાગને પામે છે; અર્થાત્ સ મનેયાગ, સ વચનયાગ, નેસ કાયચેાગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત યેાગવ્યાપાર રહિત પરમ ‘અયેાગી' દશાનેગુણસ્થાનને પામે છે. મન વચન કાયા ને કમની વણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબધ જો; એવું અયાગી ગુણસ્થાનક ત્યાં વત્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અખધ જો.... અપૂર્વ અવસર૰ ”—શ્રીમદ્ રાજચ'દ્રજી, અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીના ખળથી મન-વચન-કાયાના યાગની ચપળતા રાધીને, આ ચેાગીશ્વર ભગવાન્ ચેતનને શુચિ-શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે. અને શૈલેશી અર્થાત્ મેરુપર્યંત જેવી નિષ્પક’પ-નિશ્ચલ આત્મસ્થિરતાશૈલેશીકરણ: રૂપ શૈલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પમ્ સવને પામેલા આ અાગ પરમ ‘શીલેશ' પ્રભુ પરમ અક્રિય થઈ, સૂક્ષ્મ એવા ચાર શેષ કર્મના ચેાગસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મીયની સ્ફુરણા હેાય છે, ત્યારે ચેાગ-ક્રિયાના પ્રવેશ હેાતા નથી, એટલે આ શૈલેશીકરણમાં યાગની એવી ધ્રુવતા–નિશ્ચલતા હેાય છે કે તે
Page 431
શૈલેશ-મેરુ જેવી અચલ અડાલ આત્મશક્તિને ખેસવી શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુએ પૃ. ૪૫-૪૬). અને આ અયેાગી દશાગુણુસ્થાનક પંચ હસ્વાક્ષર ઉચ્ચારણુમાત્ર કાળ રહે છે; અર્થાત્ અ, ઇ, ઉ, ૠ લૂ-એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલે સમય લાગે તેટલેા વખત જ રહે છે. એટલે આ • અયાગ ’યાગસત્તમ પામીને શીઘ્ર જ-તરત જ આ પ્રભુ ભવવ્યાધિના ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે. જેને લઈને ભવની સ્થિતિ મૂલ કારણભૂત સ કમના અત્ર હતી—પુન: પુનઃ દેહધારણરૂપ સ્થિતિ હતી, તે ભવના સર્વથા સક્ષય થાય છે. એટલે કારણના અભાવે કા ન હાય એ ન્યાયે, ભવના-સ`સારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ‘ભવના બીજ રાગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રાગ નિર્મૂળ થાય છે, તેમ ભવરાગનું તણા આત્ય'તિક કર્મરૂપ કારણ નિર્મૂળ થતાં ભવરાગ નિર્મૂળ થાય છે. એટલે પછી નાશ જે પુન: જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ ખીજ મળી ગયા પછી Page #699 -------------------------------------------------------------------------- ________________ પણ દરિ: શેલેશીક૨થ-અયોગ ગસત્તથી નિર્વાણ (૨૩) અંકુર ફૂટ નથી, તેમ કર્મરૂપ ભવ-બીજ બળી ગયા પછી, ભવરૂપ અંકુર ફૂટતો નથી. “दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી તત્વાર્થસાર. અને રોગને નાશ થયા પછી જ્યાં રેગનું રજકણ પણ નથી, એવી તંદુરસ્તી– સંપૂર્ણ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે; તેમ ભવવ્યાધિને નાશ થયા પછી જ્યાં કમ રોગનું એક પરમાણું પણ નથી, એવી આત્માની સંપૂર્ણ ભાવ આરોગ્ય સર્વ વ્યાધિ લય અવસ્થા પ્રગટે છે. જેમ રોગને નાશ થયા પછી મનુષ્ય પોતાની અસલ મૂળ સહજ સ્વસ્થતાને પામે છે, તેમ ભવરૂપ ભાવગને નાશ થતાં આત્મા પિતાની અસલ મૂળ સહજ “સ્વસ્થતાને-સહજાન્મસ્વરૂપ સ્થિતિને ભજે છે, અર્થાત્ સહજ-યથા જાત આત્મસ્વરૂપમાં “સુસ્થિત’ એવો ભગવાન શુદ્ધ આત્મા પ્રગટે છે. અને જેમ રેગને નાશ થયા પછી નીરોગી મનુષ્ય આરોગ્યને સહજ તાત્વિક આનંદ અનુભવે છે, તેમ ભવરોગનો ક્ષય થયા પછી ભાવ આરોગ્યસંપન્ન આત્મા ભાવ-આરોગ્યને સહજ શુદ્ધ તારિવક પરમાનંદ અનુભવે છે. પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ... પૂજના તે કીજે રે બારમા જિનતણી રે.” -શ્રી દેવચંદ્રજી. અને આમ ભવવ્યાધિનો ક્ષય થાય છે, એટલે ભગવાન પરમ એવા ભાવ નિર્વાણુને પામે છે. દીપકનું તેલ ખૂટી જતાં જેમ દીપક નિર્વાણને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ કમરૂપ તેલ ખૂટી જતાં ભગવાન પણ નિર્વાણ પામે છે. કારણ કે ભાવ નિર્વાણ કર્મ–તેલના અભાવે તેમને સંસાર-દી નિર્વાણ પામે તેવાથી– હોલવાઈ ગયું હોવાથી, ભગવાન પણ “નિર્વાણ પામ્યા કહેવાય છે. અથવા જેનું ઇધન-બળતણ બળીને ખાખ થઈ ગયું છે, એવો ઉપાદાનસંતતિ વિનાને અગ્નિ જેમ નિર્વાણુને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ સર્વ કર્મ ઇધન બળીને ખાખ થઈ જતાં ઉપાદાન–સંતતિ વિનાનો સંસાર અગ્નિ નિર્વાણને પામે છે, હોલવાઈ જાય છે. એટલે ભગવાન “નિવણ પામ્યા એમ યથાર્થ કહેવાય છે. "कृत्स्नकर्मभयादूर्ध्व निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसंततिः ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તરવાથસાર હાતા સો તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” શ્રીમદ્ રાજચંદ્રજી “સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા.-શ્રી . ૬, સઝા, ૮-૩ ET Page #700 -------------------------------------------------------------------------- ________________ (૬૨૪) યોગ થ્રિસમુચ્ચય પરા દૃષ્ટિના સાર પરાર્દષ્ટિ સમાધિનિષ્ઠ છે. તે સમાધિના આસંગ દેષથી રહિત એવી હાય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાહ્મીભૂત પ્રવૃત્તિવાળી હેાય છે, અર્થાતુ આત્મસ્વભાવે પૂ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં ચેગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદ્મવાળે હાય છે. અને કારણુ અભાવે તેને અતિચાર હાતા નથી; અર્થાત્ તેને કેાઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કાઇ
Page 432
અતિચાર દોષની સભાવના પણ નથી. આરૂઢને આરેહણુના જેમ અભાવ હાય છે, ચઢેલાને જેમ ચઢવાનું હોતુ નથી, તેમ આ યેાગારૂઢ પુરુષને આચાર વડે જીતવા ચેાગ્ય કર્માંના અભાવે નિરાચાર પદ હેાય છે. તા પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ ઢાય છે? તે શંકાનું નિવારણ એ છે કે—રત્ન આદિની શિક્ષાર્દષ્ટિએ કરતાં જેમ તેના નિયેાજન વિષયમાં શિક્ષિતની દૃષ્ટિ જૂદી હાય છે, તેમ આ યેગીની તે જ આચારક્રિયા પણ ભેદે કરીને જૂદી હાય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક ( કષાય સધી ) ક ક્ષય લ હતુ, ને હવે તેા ભવાપગ્રાહી કક્ષય ફૂલ છે. તે રત્નના નિયેાગથી-વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નવર્ણમ્ જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધ*સંન્યાસ વિનિયાગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મસંન્યાસ બીજા અપૂર્ણાંકણુમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલશ્રી હાય છે, કે જેના કદી પ્રતિપાત ન થતા હૈાવાથી સદાયાસદા ઉદયવંત હાય છે. ચદ્રની જેમ જીવ પે!તાની ભાવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી · સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાના નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવુ છે. તે જ્ઞાનનું આવરણ તે મેધપટલ જેવું–વાદળા જેવું છે. આ વાદળા જેવું ઘાતિકમ છે, તે આ ધર્મસંન્યાસ યેાગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન્ મુખ્ય એવા પરાક્રમયેાગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દોષના પરિક્ષય થકી ક્ષીણુદોષ એવા તે તત્ક્ષણ જ નિરાવરણુ જ્ઞાને કરીને સર્વજ્ઞ હોય છે, અને સ* લબ્ધિલના ભાગી હોય છે. આવા તે શ્રીમદ્ સજ્ઞ ભગવાન્ મહામુનિ પરા —પરોપકાર કરીને પછી યેગના અંતને પામે છે. ત્યાં યાગાન્તમાં શૈલેશી અવસ્થામાં શીઘ્ર જ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન્ યાગાત્તમ એવા અયેગ થકી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. “ ક્ષીણુ દોષ સર્વજ્ઞ મહામુનિ, સવલબ્ધિ ફલ ભાગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ચેગ અયાગીજી; સર્વાં શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂણ્ સવ સમીહાજી, સવ' અરથ યેાગે સુખ તેહુથી, અનંત ગુણુ નિરીહાજી. ”—શ્રી ચા. સજ્ઝાય. Page #701 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પશ હરિ ! સાર : અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, પકઘટના પર દષ્ટિ કેક : ૧૪ દશન | ગાંગ | દષત્યાગ ] ગુણપ્રાપ્તિ ગુણસ્થાન ચંદ્રપ્રભા સમ પ્રવૃત્તિ | ૮-૯-૧ -૧૨-૧૩-૧૪ ધર્મસંન્યાસયોગ આસંગત્યાગ ! “ આપ સ્વભાવે સંપૂર્ણ કેવલ- | સમાધિ | દર્શન જ્ઞાન ક્ષપકશ્રેણી પ્રવૃત્તિ પૂરણ | કેવલજ્ઞાન-નિર્વાણ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ રૂપકઘટના આમ અષ્ટ ચિત્તદોષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ગદષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને રોગચકની પૂર્ણતા થતાં ભવચકની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રને અંત આવે છે. આ ગચક ખરેખર ! ભવચક્રને ઉચછેદ કરનારું અમોઘ શા છે તેના વડે કરીને આ પરમ યોગિનાથ ભવઅરિને હણી “ અરિહંત” એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી * સિદ્ધિ” નામને સાર્થક કરે છે. અષ્ટ ગાંગ એ આ ગચક્રના આરા છે, તે આત્મસ્વભાવયું જનરૂપ યોગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હેઈ તેની આસપાસ ફરે છે. અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) ' છે, ધ્યાન ગ્રીવા-ડોક છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું યોગ-પુરુષ સંપૂર્ણપણું–અવિકલપણું થાય તે જ યોગ પુરુષની અવિકલ સંપૂર્ણતા અષ્ટાંગ ગ છે -જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે
Page 433
તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી–ગ પુરુષની વિકલતા-અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા ખેડખાંપણવાળા પુરુષની હોય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ ગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ ક્રિયા સાધે છે, તેમ યુગ પુરુષના આ સર્વ અંગ એકબીજા સાથે સહકારથી-સહગથી એકપણે વત્તી (organic unit ) એક Page #702 -------------------------------------------------------------------------- ________________ (૨૬) યોગદષિસસુરાય યુગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. ઈત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ આ વિવેચનકારે વિવેચ્યું છે. તે વિશેષ સ્વમતિથી ચિંતવવું. અથવા ગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આઠ ગણિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ યોગ-કર્ણિકા છે. તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. ગરૂપ અષ્ટદલ યોગદષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યંગ-કમલ કમલ વિકાસને પામતું જાય છે. એકેક યોગદષ્ટિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે એકેક ચિત્તદોષ નિવૃત્ત થતું જાય છે, એકેક ગુણ વિકાસ પામતે જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ ગદષ્ટિ વિકસતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. આ સર્વનો સંપણ ખ્યાલ સંક્ષેપમાં આ વિવેચનકારે સ્વયં ખાસ જેલી આ ગ્રંથના પ્રારંભમાં મુખપૃષ્ઠ પર મૂકેલી સર્વગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે. યોગદષ્ટિ કળશ કાવ્ય વસંતતિલકા હૈયે સમાધિમહિનિષ્ઠ પર સુદષ્ટિ, સદ્ધ ચંદ્રમણી શાંતિ સુધા સુવૃષ્ટિ, સેળે કળાથી અહિં આતમ ચંદ્ર ખીલે, સ્ના સુજ્ઞાનમયમાં ત્રય લેક ઝીલે. ૧૪૩ સર્વે વિભાવ પરભાવ સમાઈ જાય, આત્મા સ્વભાવમહિં શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિં સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌખ્યદાય. ૧૪૪ સત સંયમે જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લહે અમલ આતમ ભાવવંતા; એવું અપૂર્વ અહિં શુકલ સદા સુધ્યાન, આસંગ વર્જિત અખંડ પ્રવિદ્ધમાન. ૧૪૫ જ્યાં વાસનામય મન: વરતે વિલીન, આત્મા થયો નિજ સ્વરૂપ વિષે જ લીન; સર્વ પ્રદેશમહિં ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાન્મસ્વરૂપ થાય. ૧૪૬ આવી અસિત સમી ચરણેકધારા, વત્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આરોહવાનું શું જ આરૂઢને રહે છે? ૧૪૭ જે યુગના પરમ ભૃગ પરે ચઢયા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણી પરે વધ્યા છે; તે સર્વ ક૫થી અતીત જ નિર્વિકલ્પ, સામર્થ્યયેગી જિનકલ્પ તુલે અન૫. ૧૪૮ નાદિ શિક્ષણની દષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિજન દષ્ટિ એવી; આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યેગીનોં અન્ય ફલભેદથ લેકમાંહિ. ૧૪૯ રત્નો નિર્ધો યમ રત્નાવણિક કૃતાર્થ, નિર્જી રત્નત્રયી તેમ મુનિ યથાર્થ સંન્યાસ ધર્મ વિનિયોગથી અત્ર વેગી, થાયે કૃતાર્થ પરમાર્થ સુતત્ત્વ ભેગી. ૧૫૦ સંન્યાસ ધર્મ સઘળાય તણે કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને; સંન્યાસ ધમ પર વેગ મુનિ કહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧ Page #703 -------------------------------------------------------------------------- ________________ પર દષ્ટિ પર દષ્ટિના કળશ કાવ્ય (૬૨૭) સાક્ષાત મોક્ષપદ નીસરણ સમાણી, એવી અપૂર્વ ગુણશ્રેણી ચઢત નાણી; ચોગીશ્વર પરમ કેવલશ્રી વરે છે, જે નિત્ય ઉદયી નિરાવરણ ઠરે છે. ૧૫ર આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર; સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે, સંન્યાસ ધર્મરૂપ વાયુ તણા સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણુ સાવ જ વત્તનારા, સર્વજ્ઞ લબ્ધિફલ સર્વે જ ભગ’નારા; સાધી પરાર્થ પર તેહ પર કૃપાળુ, ગાંત શ્રીમદ મુનીંદ્ર લહે
Page 434
દયાળુ. ૧૫૫ શૈલેશમાંહિ સહજાન્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ પર બેગ અગ નામી; વ્યાધિ ભવ ક્ષય કરી નિરવાણ પામે, સુસ્થિત તેહ ભગવાન્ નિત સૌખ્ય ધામે. ૧૫૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी परा दृष्टिः ॥ Page #704 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્ત્વ મીમાંસા* ત્યાં (નિર્વાણમાં) આ કે હોય છે ? તે કહે છે व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥१८७॥ વ્યાધિમુક્ત પુરુષ અહીં, જે-તે આ જ; ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭ અર્થ –લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે, તે જ આ હોય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અવ્યાધિત પણ નથી. વિવેચન આ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે હોય છે, તે આ નિર્વાણ પામેલો મુક્ત પુરુષ હોય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ તે સદ્ભાવરૂપ હોય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયે એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત જ હોય છે. (૩) તેમજ તે અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી, કારણ કે પૂર્વે તથા પ્રકારે વ્યાધિને સદ્ભાવ તેને હતે. કેઈ ચિરકાળને મહાગી છે. ઘણું ઘણું લાંબા વખતથી અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રંગવિકારોથી દુખાકુલ થઈ તે “ત્રાહિ મામ્ ' પોકારી રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર જવર-તાવ ભરાયેલે છે. વાત-પિત્ત-કફ રેગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને વિદેષ સન્નિપાત ઉપજ્યા છે. તેથી તે કૃત્તિ:-ચાષિમુa –માધિથી મુક્ત, વ્યાધિ જેને પરિક્ષીણું છે તે, પુમાન-પુરુષ. ચાદરોયાદશ, જેવો હોય છે, તાદશ હાથમ–તેવો આ નિત-નિર્વાણપ્રાપ્ત હોય છે. નામાવો-અભાવ નથી, બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ. ર ર નો મુeો વિના-અને વ્યાધિથી મુક્ત નથી થયા, એમ નથી અર્થાત મુક્ત જ છે-ભવ્યત્વના પરિક્ષયને લીધે. મથાપિતો ૧ - અને અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી– પૂર્વે તથાકાર તભાવને લીધે. • આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરા દૃષ્ટિની વિકારૂપ જ છે. તે વિષયની વિશતાર્થે અત્ર અલગ અધિકારરૂપે મૂક્યો છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્વ મીમાંસા: જીવન ભવરૂપ ભાવરેગ (૬૨૯) પોતાનું ભાન ભૂલી જઈ જેમ તેમ બાકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાવેદને તેને થઈ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ ભેંકાઈ રહ્યું છે. એમ અનેક પ્રકારની રોગપીડાથી આકુલવ્યાકુલ એ તે હેરાન હેરાન થઈ રહ્યો છે. આવા મહા રોગાત્ત દુઃખી જીવને ઉત્તમ સર્વેિદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધનો જોગ મળી આવે ને તેને યથાનિદિષ્ટ પધ્ધપૂર્વક પ્રયોગ કરવામાં આવે, તો તે રોગીને રોગ નિમૂળ થાય; તેને જ્વર-તાવ ઉતરી જાય, ત્રિદેષ–સન્નિપાત ચાલ્યો જાય, તે બરાબર પિતાના ભાનમાં આવે, તેની દાવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સંપૂર્ણ રોગમુક્ત થઈ, તદ્દન સાજેતાજો-દુષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરોગ્યનેસ્વાને અનુભવે. અને આવો આ આરોગ્યસંપન્ન “સ્વસ્થ” પુરુષ રોગમુક્ત થયાને કઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેકમાં પ્રગટ દેખાય છે. તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારોગ લાગુ પડ્યો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઈ રહ્યો છે. તે રોગના વિકારોથી દુઃખી દુઃખી થઈ તે “ય માડી રે ! કરજે ત્રાણ” જીવને ભવરૂપ એમ પોકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જ્વર ચઢી ભાવગ આવ્યો છે, મેહરૂપ ત્રિદેષ સનિપાત તેને થયો છે, એટલે તે “નિજ ભાન ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ
Page 435
ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણજન્ય અસહ્ય તત્ર દાવેદના વ્યાપી રહી છે-બળતરા થઈ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેંકાઈ રહ્યું છે. આવા ઉગ્ર વિરોગથી આકુલ જીવને શ્રીમદ્ સદ્ગુરુરૂપ ઉત્તમ સવૈદ્યને “જોગ’ બાઝતાં, તેમના સદુપદેશથી સમ્યમ્ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે. અને ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના વિરોગનો નિમૂળ નાશ થાય છે. તેને રગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહ સન્નિપાતનું પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાવેદના-બળતરા શમી જાય છે. અને તે નિજ સહજ આત્મસ્વરૂપનું દર્શન કરી, જ્ઞાન પામી, આત્મવરૂપનું અનુસરણ કરે છે, કેવલ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, “સ્વસ્થ” થઈ, કેવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પર્યત બળેલી સીદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મોને પ્રારબ્ધદય પ્રમાણે ભેગવી નિજારી નાંખે છે, અને પ્રાંતે તે કર્મોને પણ સર્વથા પરિક્ષણ કરે છે. આમ સર્વથા કર્મ મુક્ત થયેલ તે ભવરેગથી મુક્ત બને છે. અને આવા આ ભવવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારોગ્યસંપન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ “સ્વસ્થ” પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ–આરોગ્ય દશાને કોઈ અવર્ણનીય આનંદરસ ભેગવે છે. Page #706 -------------------------------------------------------------------------- ________________ (૬૩૦) ગદષ્ટિસમુચ્ચય આમ જેમ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે નીરોગી, જેવો સ્વસ્થ, જે આનંદમય હોય છે, તે આ ભવવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી, પરમ “સ્વસ્થ ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ પુરુષ કાંઈ અભાવરૂપ નથી, અર્થાત્ કેટલાક (બૌદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નૈરામ્ય અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુ સદ્ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિર્મલ આત્મતત્ત્વનું જ ત્યાં હોવાપણું છે, કે જે શુદ્ધ આત્મતત્ત્વ “સિદ્ધ” નામથી ઓળખાય છે. રોગથી મુક્ત થયેલ પુરુષ રોગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતો નથી, તેમ ભવરોગથી મુક્ત થયેલે ચૈતન્ય મય પુરુષ-આત્મા ભવરોગમુક્ત થતાં કાંઈ પુરુષ–આત્મા મટી જતો નથી. રોગના અભાવે કાંઈ પુરુષનો અભાવ થતો નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરોગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરોગના અભાવે કાંઈ આત્માને અભાવ થતું નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તત્ત્વકાય અવસ્થા પ્રગટે છે, આત્માની સંસારી અવસ્થા દૂર થઈ સિદ્ધ-મુક્ત અવસ્થા આવિર્ભાવ પામે છે; દેહાદિક સંગને જયાં આત્યંતિક વિગ છે, એવી શુદ્ધ નિજ સ્વભાવરૂપ મેક્ષદશા પ્રકટ થાય છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪). વળી (૨) આ પુરુષ–આત્મા વ્યાધિથી મુક્ત નથી થયો એમ પણ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત હોય જ છે. કેઈ (સાંખ્યાદિ ) એમ માને છે કે આ આત્મા તે સદાય મુક્ત જ છે, અબંધ જ છે–બંધાયેલે જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયે ભૂલભરેલી છે; કારણ કે તેમ જે માનીએ તે બંધ–ક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃતનાશ-અકૃતાગમ આદિ અનેક દોષ આવશે, અને જે મોક્ષને માટે જ તે તે દર્શનનું પ્રયોજન છે તે પ્રજન પણ નિષ્ફળ થશે ! કારણ કે બંધાયેલ હોય તેને મુકત થવાપણું હોય, પણ જે બંધાયેલો જ ન હોય તે મુક્ત થવાનું ક્યાં રહ્યું ? જો બંધન જ ન હોય તે મુક્તિ કયાંથી હોય ? કારણકે બંધન–મેચન, બંધનથી છૂટવું તેનું નામ જ મેક્ષ છે. આ બંધનમોચનરૂપ મેક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હોય છે. એટલા માટે જે મેક્ષ પામે છે, મુક્ત થાય છે, તે ભવવ્યાધિથી મુકત નથી થયે
Page 436
એમ નથી, પરંતુ મુક્ત થયે જ છે, જેમ “નીરોગી ” મનુષ્ય રોગથી મુક્ત નથી એમ નથી, પણ છતાં એવા રોગથી મુક્ત થયે જ છે, અને એટલે જ તે નીરોગી–રોગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરોગથી મુક્ત નથી થયે એમ નથી, પણ છતાં–પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુક્ત થયો જ છે, એટલે જ તે “મુક્ત”—ભવરોગમુક્ત કહેવાય છે. (૩) અને તે “અવ્યાધિત”—વ્યાધિ વગરનો હતો એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથા પ્રકારે પ્રગટ અવ્યાધિત વ્યાધિને સદ્ભાવ હતો જ. વ્યાધિમુક્ત પુરુષને માટે કઈ એમ કહે પણ નથી કે પૂર્વે તેને વ્યાધિ જ , તે તેમાં દૃષ્ટ-ઈષ્ટ બાધા. પ્રત્યક્ષ વિરોધ આવે છે. કારણ કે તે તે “મહારા મેઢામાં જીભ નથી ' એમ Page #707 -------------------------------------------------------------------------- ________________ મુક્ત તત્તવ મીમાંસા: રેગમુકત જે ભવમુક્ત (૬૩૧) બેલનારની જેમ વદતે વ્યાઘાત છે. કારણ કે જે વ્યાધિ જ હોતે, તે વ્યાધિમુક્ત થયે શી રીતે? માટે એમ કહેવું તે સાવ બેહૂદું છે. કારણ કે તે ભવરોગથી દુઃખી થઈ રહ્યો હતો તે પ્રત્યક્ષ પ્રગટ હકીકત (Real fact) છે. અને તેમાંથી છૂટયો-મુક્ત થયો, ત્યારે જ તે ભવ્યાધિ રહિત-મુક્ત કહેવાય છે. આમ સર્વથા, વ્યાધિમુક્ત પુરુષ જેવો લેકમાં હોય છે, તે જ-તાદશ જ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત પુરુષ (આત્મા) હોય છેઃ (૧) વ્યાધિમુક્ત પુરુષ જેવો સ્વસ્થ આનંદી હોય છે, તે આ મુક્ત આત્મા પરમ સ્વસ્થ–પરમ આનંદરેગમુક્ત જે નિમગ્ન હોય છે. (૨) જેમ રોગ દૂર થતાં કાંઈ રોગી પુરુષને ભવમુક્ત અભાવ થઈ જતું નથી, તેમ ભવવ્યાધિ દૂર થતાં કાંઈ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્માનો અભાવ હેત નથી. ૩) તે વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી હોતે એમ નહિ, પણ મુક્ત જ હોય છે, તેમ આ નિર્વાણપ્રાપ્ત મુક્ત આત્મા ભવ્યાધિથી મુક્ત નથી એમ નહિં, પણ મુક્ત જ હોય છે. (૪) અને તે વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે અવ્યાધિત હેતે, વ્યાધિ વગરને હોતે, પણ વ્યાધિવાળે હતે જ; તેમ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા પણ પૂર્વે અવ્યાધિત હેતે, ભવ વ્યાધિ વગરનો હોતે, પણ ભવ વ્યાધિવાળે હતું જ. નહિં તે, વ્યાધિ જ ન હોત, તે તેને નાશ પણ કેમ હેત ? તેથી મુક્તપણું કેમ હોત? મૂરું નાસ્તિ કુત્તો લા? આમ આ દૃષ્ટાંત ઉપરથી સુપ્રતીતપણે ફલિત થતી ચકખી દીવા જેવી સ્પષ્ટ હકીકત બાલક પણ સમજી શકે એમ છે, તે સાદી સમજવાળ કેઈ પણ મનુષ્ય કેમ ન સમજે? તથાપિ મહામતિ ગણતા કેટલાક દર્શનવાદીઓએ આ મોક્ષ સંબંધી અનેક પ્રકારે અસતુ કહ૫નાઓ ઉભી કરી છે તે આશ્ચય છે ! જેમકે- મોક્ષ આમ અભાવ૫ છે. ” “ આ આત્મા નિત્ય મુક્ત જ છે,” “આ આત્માને ભવ્યાધિ લાગેલ જ નથી,” ઈત્યાદિ. આવા બધા વિકલ્પ દષ્ટ-ઈષ્ટ બાધિત હોઈ, વિવેક વિચારથી ક્ષણભર પણ ટકી શકતા નથી. આ સંબંધી વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ શ્રી ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, બત્રીશ બત્રીશી, તવાર્થસાર આદિ મહાગ્રંથરત્નો અવગાહવા ભલામણ છે. અત્ર વિસ્તાર ભયથી દિગ્દર્શનરૂપ નિદેશમાત્ર કર્યો છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે भव एव महान्याधिर्जन्ममृत्युक्किारवान् । विचित्रमोहजननस्तीव्ररागाविवेदनः ॥१८८॥ વૃત્તિ –મય પ–ભવ જ, સંસાર જ, મહાવ્યાધિ-મહાવ્યાધિ છે, કે વિશિષ્ટ ? કે-સન્મમૃત્યુવિરવાન-જમ, મૃત્યુરૂપ વિકારવાળે, આનું જરા આદિ ઉપલક્ષણ છે. વિનિત્રોકનનો વિચિત્ર મોહ ઉપજાવનારો,-ભિઠ્ઠાવના ઉદય ભાવથી, તોડ્યા વિના-તીવ રાગાદિ વેદનાવાળે,-ત્રી આદિના અભિળ્યું ગભાવથી (આસક્તિ ભાવથી). Page #708 -------------------------------------------------------------------------- ________________ (૬૩૨) યોગદષ્ટિસમુચ્ચય સંસાર જ મહા વ્યાધિ છે, જન્મ મૃત્યુ વિકાર; તીવ્ર રાગાદિ વેદના, ચિત્ર મેહ કરનાર, ૧૮૮ અર્થ:–ભવ જ મહાવ્યાધિ છે. તે જન્મ-મરણરૂપ વિકારવાળો છે, વિચિત્ર મેહ ઉપજાવનાર અને તીવ્ર
Page 437
રાગાદિ વેદનાવાળે છે. વિવેચન આ ભવ-સંસાર એ જ મહાવ્યાધિ છે. તે કેવો છે? જન્મ-મરણરૂપ વિકારવાળે છે, ઉપલક્ષણથી જરા આદિ વિકારવાળો છે; મિથ્યાત્વના ઉદયભાવથી વિચિત્ર પ્રકારને મેહ ઉપજાવનારો છે; તથા સ્ત્રી આદિના આસક્તિ ભાવથી તીવ્ર રાગાદિ વેદનાવાળે છે. ઉપરમાં જે વ્યાધિની વાત કહી તે વ્યાધિ કયો? તેની અહીં ગ્રંથકાર મહર્ષિએ જ સ્પષ્ટતા કરી છે. પરમાર્થથી જોઈએ તે આ જગતમાં મોટામાં મોટો જે કઈ વ્યાધિ હોય, તે તે આ ભવ એટલે સંસાર જ છે. આ સંસારને મહારેગની ઉપમા બરાબર ઘટે છે; કારણ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી, પરિણામ આદિથી બન્નેનું અનેક પ્રકારે સામ્ય છે. તે આ પ્રકારે – રોગ જેમ મનુષ્યના શરીર પર આક્રમણ કરી તેને તરફથી ઘેરી લે છે, તેમ ભવરેગ આત્માના જ્ઞાનમય શરીર પર આક્રમણ કરી એને ચોપાસથી ઘેરી લે છે. રોગ જેમ શરીરના પરમાણુએ પરમાણુમાં વ્યાપ્ત થઈ પિતાની અસર નીપભવરેગનું જાવે છે, તેમ ભવરગ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપી જઈ પોતાની આક્રમણ અસર નીપજાવે છે. રોગ જેમ શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખે છે, નર–તેજ ઉડાડી દે છે, રક્ત-માંસ આદિ ધાતુઓને શોષી લે છે, તેમ ભવરોગ પણ આત્માની અનંત શક્તિને ક્ષીણ કરી નાંખે છે, આત્માનું નૂર-તેજ ઉડાડી દે છે, જ્ઞાન-દર્શનાદિ આત્મસ્વભાવરૂપ ધાતુઓને શોષી લે છે. રોગ જેમ દોષપ્રકોપ કરે છે, તેમ ભવરોગ રાગદ્વેષાદિ દેષનો પ્રકેપ કરે છે. રોગ જેમ મનુષ્યને પથારીવશ કરી પરાધીન ને પાંગળ કરી મૂકે છે, તેમ ભવરોગ આત્માને શરીર-શસ્યામાં સુવડાવી પર પુદ્ગલ વસ્તુને આધીન પાંગળો કરી મૂકે છે. રોગ જેમ માણસની આખી સકલ એવી ફેરવી નાંખે છે કે તેનું ઓળખાણ પડવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ભવરોગ આત્માની અસલ સીકલ એવી પલટાવી નાંખે છે કે તેનું ઓળખાણ થવું કઠિન હોય છે. રેગ એ જેમ મનુષ્યની અનારેગ્યરૂપ અપ્રાકૃતિક-અકુદરતી-વિકૃત અવસ્થા છે, તેમ ભવરગ એ આત્માની અનારોગ્યરૂપ અકુદરતી અપ્રાકૃતિક-વિકૃત અવસ્થા છે. રોગ જેમ મનુષ્યના શરીરની અસ્વસ્થ સ્થિતિ છે, તેમ ભવરોગ એ ભવરેગ આત્માની અસ્વસ્થ સ્થિતિ છે. રોગ જેમ મનુષ્યના પ્રકૃતિવિરુદ્ધ અપ્રાકૃતિક વર્તાનની–અધર્મની સજા છે–દંડ છે, તેમ ભવરોગ એ આત્માના સહેજ અવસ્થા પ્રકૃતિ વિરુદ્ધ વર્તાનની–અધર્મની સજા છે, દંડ છે, રોગ જેમ શરીરની Page #709 -------------------------------------------------------------------------- ________________ આદિ સુક્તતત્વમીમાંસાઃ ભવગ અપ્રાકૃતિક વિકૃત અવસ્થા, ચિહ્નો (૬૩૩) ધાતુઓની વિષમતાને આવિર્ભાવ છે, તેમ ભવરગ એ આત્માની સ્વભાવ-ધાતુની વિષમતાને આવિષ્કાર-પ્રકટ પ્રકાર છે. રોગને જેમ નિયત ચોક્કસ કારણુકલાપ હોય છે, તેમ ભવરોગને નિયત ચોક્કસ કારણકલાપ હોય છે. મલસંચય, દેષ પ્રકોપ, ધાતુવૈષમ્ય, પ્રકૃતિવિરુદ્ધ આચરણ, ભય, ઉદ્વેગ આદિ સ્વ-ગ્ય કારણથી જેમ રેગની ઉત્પત્તિ હોય છે, તેમ ભાવમલસંચયથી, રાગાદિ દોષપ્રકોપથી, સ્વભાવધાતુવૈષમ્યથી, આત્માની સહજ સ્વભાવસિદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ આચરણથી-અધર્મથી, આત્મપરિણામની ચંચલતારૂપ ભયથી, સન્માર્ગ પ્રત્યે કંટાળારૂપ ઉદ્વેગથી,-ઇત્યાદિ સ્વયેગ્ય વિવિધ કારથી મહાભવરગ ઉપજે છે. (૧) રોગથી જેમ અગ્નિમાંદ્ય થાય છે, અન્ન પ્રત્યે અરુચિ ઉપજે છે, ખાવાનું ભાવતું નથી, તેમ ભવરોગથી આત્મતેજની મંદતારૂપ અગ્નિમાંદ્ય ઉપજે છે, સન્માગરૂપ પરમાન પ્રતિ અરુચિ-અભાવે આવે છે. રેગથી જેમ મેળ આવે છે, રોગચિહનો વમન થાય છે, તેમ ભવરગથી સવચન પ્રત્યે અણગમારૂપ મેળ અગ્નિમાંદ્ય આવે છે, ને સ્વરૂપવિસ્મરણરૂપ વમન થાય છે. રેગથી જેમ મલા વર્ષોભ થાય છે, અથવા અજીર્ણ-વિસૂચિકા ઉપજે છે, તેમ ભવરોગથી કમસંચયરૂપ ભાવમલને અવર્ણભ થાય છે, અથવા વિષયવિકારરૂપ અજીર્ણ-વિચિકા ઉપજે છે. (૨) રોગથી જેમ હૃદયમાં શૂલ ભેંકાય છે, તથા હાંફ ચઢે છે, તેમ ભવરગથી ઠેષરૂપ શૂળ આત્માને ભેંકાય છે, તથા સન્માર્ગ પ્રત્યે બેદરૂપ હાંફ ચઢે છે. (૩) રેગથી જેમ પ્રાણુ વધ થાય છે, શ્વાસેવાસ જોરથી ચાલે છે, ખાંસી આવે
Page 438
છે, કફ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનદશનરૂપ ભાવપ્રાણને અવરોધ થાય છે, જન્મ-મરણરૂપ શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે, કષાયરૂપ ખાંસી આવે છે, તે વિષયરૂપ કફ પડે છે. (૪) રેગથી જેમ શરીરને ક્ષય-ક્ષીણતા-ઘસારો લાગુ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનમય આત્મદેહને ક્ષય-ક્ષીણતા–ઘસારો લાગુ પડે છે. (૫) રોગથી જેમ શુદ્ધ રક્તાભિસરણ (circulation) બરાબર થતું નથી, શરીર પાંડુ-ફીકકું-નિસ્તેજ (anaemic) થઈ જાય છે, તેમ ભવરોગથી શુદ્ધ ચૈતન્યપ્રવાહરૂપ રક્તનું અભિસરણ (circulation ) બરાબર થતું નથી, આત્માને જ્ઞાનદેહ પાંડુ-ફીક્કો-નિસ્તેજ બની જાય છે. (૬) રેગથી જેમ શરીરના રુધિર-માંસાદિ ધાતુ સુકાઈ જાય છે ને શરીર અસ્થિમાત્રાવશેષ રહે છે, તેમ ભવરોગથી આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવરૂપ ધાતુ શેષાય છે ને અત્યંત મંદ ચૈતન્યચિહ્નરૂપ આત્મદેહ અવશેષ રહે છે. (૭) રોગથી જેમ મગજનું ઠેકાણું રહેતું નથી. મગજનું કેદ્ર (centre) ખસી જાય છે, માણસ પિતે પિતાનું ભાન ભૂલી જાય છે, “ચક્રમ’ થઈને યદ્વાતા ફાવે તેમ બકે છે, ને ત્રિદોષ સન્નિપાતને પામે છે; તેમ ભવરોગથી આત્માનું Page #710 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ગદરિસમુચ્ચય ત્રિદોષ સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કઈ ઠેકાણું રહેતું નથી, સ્વરૂપભ્રષ્ટતાથી ઉન્માદાદિ સ્વરૂપ કેદ્ર ખસી જાય છે, આત્મા પોતે પિતાના સહજ નિજ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે, ઉન્મત્ત “ચક્રમ’ બનીને પરવસ્તુને પિતાની કહેવારૂપ યદ્વાઢા પ્રલાપ-અકબકાટ કરે છે, અને મેહ-રાગ-દ્વેષરૂપી ત્રિદેષની વૃદ્ધિથી સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતને પામે છે. (૮) રેગથી જેમ ખસ થાય છે ને ખૂજલી-મીઠી ચળ ઉપડે છે, અને તેથી પરિણામે લાહ્ય બળે છે, તેમ ભવરોગથી વિષયવિકારરૂપ ખસ થાય છે ને ભોગેચ્છારૂપ ખજવાળ-મીઠી ચળ-“કં' આવે છે, ને તેથી પરિણામે ભવભેગરૂપ લાહ્ય બળ્યા કરે છે. (૯) રેગથી જેમ શરીરમાં ઉગ્ર-આકરે તાવ ભરાય છે અને ભારી તરસ લાગે છે, તેમ ભવગાથી રાગરૂપ ઉગ્ર જવર ભરાય છે અને વિષયતૃષ્ણારૂપ ભારી તૃષા ઉપજે છે. (૧૦) વળી રેગથી જેમ વિવિધ વિકારો ઉભરી આવે છે, તેમ ભવરેગથી જન્મ-મરણાદિ વિકારે ઉપજે છે. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં શયન કરવું, ફરી ફરી ઘડ૫ણ, રેગ, શેક, ચિંતા, દૌભાંગ્ય, દારિદ્ર આદિ દુઃખ અનુભવવું,-એ બધા ભવરગના વિકાર છે. (૧૧) રેગથી જેમ વિચિત્ર પ્રકારનો મેહ ઉપજે છે, તેમ ભવરોગથી વિચિત્ર પ્રકારને મેહ ઉપજે છે. રોગથી જેમ કમળારૂપ પિત્તવિકારને લીધે ઘળી વસ્તુ પણ પીળી દેખાવારૂપ દષ્ટિદોષ થાય છે, તેમ ભવરેગથી મિથ્યાત્વ ઉદયને વિચિત્ર મેહ લીધે અસતમાં સબુદ્ધિ ને સમાં અસંતબુદ્ધિરૂપ દષ્ટિદેષઆદિ દર્શનમોહ ઉપજે છે. રેગથી જેમ રંગાકુલ દરદી પોતે પોતાનું ભાન - ભૂલી જાય છે, તેમ ભવરેગા જંતુને આત્માના સ્વસ્વરૂપનું ભાન રહેતું નથી. બેભાનપણમાં જેમ દરદી પિતાની વસ્તુને પારકી ને પારકી વસ્તુને પોતાની કહેવારૂપ બ્રાંતિને સેવે છે, તેમ આત્મસ્વરૂપના અભાનપણમાં ભવરગી પરવસ્તુને પિતાની ને સ્વવસ્તુને પારકી ગણવારૂપ મિથ્યા ભ્રાંતિને સેવે છે. (૧૨) રોગી જેમ પોતાની મૂળ આરોગ્યમય અસલ સ્વભાવસ્થિતિમાં હોતો નથી, પણ રોગકૃત વિકૃત અવસ્થામાં હોય છે, તેમ ભવરોગી પિતાની મૂળ અસલ સહજ સ્વભાવસ્થિતિમાં વર્નાતે નથી, પણ ભવગકૃત વિભાવરૂપ વિકૃત દશામાં વત્તો હોય છે. (૧૩) રોગથી મુંઝાઈ ગયેલા–મેહમૂઢ રેગીનું આચરણ જેમ વિષમ હોય છે, તેમ ભવરોગથી મેહિત થયેલા-મુંઝાઈ ગયેલા મેહમૂઢ જીવનું આચરણ પણ મહામેહમય વિષમ હોય છે, સ્વભાવથી વિપરીત હોય છે. (૧૪) રેગથી જેમ સ્વભાવ ચીઢીયે થઈ જવાથી દરદી વાતવાતમાં ચીઢાઈ જાય છે, તેમ ભવરોગથી ચીઢીયે થઈ ગયેલ આ ભવરોગી પણ વાતવાતમાં ક્રોધાદિ કષાયાકુલ થઈ આવેશમાં આવી જાય છે ! “કમ જોર ને ગુસ્સા હોત” કરે છે ! (૧૫) રોગથી જેમ શરીરે તીવ્ર વેદના-પીડા ઉપજે છે, તેમ ભવરેગથી આત્માને સ્ત્રી આદિ પ્રત્યેના આસક્તિભાવને લીધે રાગદ્વેષાદિ તીવ્ર વેદના
Page 439
ઉપડે છે.-આમ અમુક અમુક ચોક્કસ ચિહ્નો પરથી Page #711 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસાઃ ભવગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિર્ણય (૬૩૫) જેમ રોગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચક્કસ ચિહ્નો પરથી ભવરેગનું નિદાન થઈ શકે છે. અને રોગીની તથા પ્રકારની અવસ્થા ઉપરથી જેમ રેગની સુસાધ્યતાનો કે દુઃસાધ્યતાનો કે અસાધ્યતાને નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથા પ્રકારની ભવ્યતા–અભવ્યતારૂપ, યોગ્યતા-અયોગ્યતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવને ભવરોગ સુસાધ્ય સાધ્યા સાધ્ય છે? કે દુ:સાધ્ય છે? કે અસાધ્ય છે? તેને પ્રાકૃનિર્ણય (Prognosis) નિર્ણય થઈ શકે છે. જેમકે-(૧) રોગી ઉપર અજમાવવામાં આવેલ ઔષધિની તાત્કાલિક ઘણી સુંદર અસર થાય તે જેમ રોગીને રોગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગદર્શનાદિ યથાયોગ્ય ઔષધિના પ્રયોગથી જે જીવના પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ–ભાવરૂપ ઘણી સુંદર અસર થાય છે, તે જીવ નિકટભવ્ય છે અને તેને ભવરોગ સુસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રોગી પર પ્રયોજેલ ઔષધિની લાંબા વખતે કંઈક અસર થાય તે જેમ આ રોગ દુ:સાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઔષધના પ્રયોગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઈક સુંદર અસર થાય, તે તે જીવ દૂરભવ્ય છે, ને તેને ભવરગ દસાધ્ય (Difficult to cure) છે એમ સમજાય છે. (૩) રેગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધોનો પ્રયોગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કંઈ પણ “ટીકી' લાગતી નથી, “પત્થર પર પાણી ઢળ્યા જેવું થાય છે, ને રોગ ઉલટ વધતો જાય છે, તે રોગીનો રોગ જેમ અસાધ્ય કેટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દર્શનાદિ સદુઔષધની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંબા વખતે પણ કંઈ પણ સભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણ ઉપજતો નથી, “ઘડે કરે ને કેરે ધાકડ” રહે છે, ને ઉલટી અભિમાનાદિ વિપરિણામરૂપ અસર થઈ રેગ ઉલટ વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કેટિને (Incurable) છે, અને તેને ભવરેગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રેગીના ચિહ્ન ઉપરથી–દશાવિશેષ ઉપરથી જેમ રેગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી બંધાય છે, તેમ ભાવગીના ચિહ ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. વળી રેગી–રેગીમાં પણ ફરક હોય છે કે સમજુ, કેઈ અણસમજુ હોય છે, કઈ બાલ, કેઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરોગીમાં પણ તફાવત હોય છે, કઈ સમજુ, કોઈ અણસમજુ, કઈ બાલ, કઈ વૃદ્ધ, ઈત્યાદિ પ્રકાર રેગીની હોય છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે રોગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, વિવિધતા તે વિવેકી સુજ્ઞ રોગી જેમ બને તેમ જલદી રોગ નિમ્ળ થાય એમ Page #712 -------------------------------------------------------------------------- ________________ (૬૩૬) યાગાદિસમુચ્ચય ખરા અંતઃકરણથી ઇચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રાગી જેમ કુશળ સવૈદ્યનું શરણુ લે છે, અને પેાતાનું ડહાપણ ડહેાળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઔષધપ્રયાગ કરે છે, અને તેથી કરીને રાગમુક્ત થાય છે. તેમ સમ્યક્ સમજણવાળા ડાહ્યો સમજુ પ`ડિત' જીવ સદ્ગુરુરૂપ સુજાણ સવૈદ્યનું શરણુ લે છે, અને પેાતાની મતિકલ્પનાપ સ્વચ્છંદનું ડોઢડહાપણ છેડી દઇ શ્રીમદ્ સદ્ગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી ઔષધનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરાગથી મુક્ત થાય છે. પણ કુપથ્યસેવનમાં આસક્ત એવા અણસમજુ રાગી જેમ મીઠુ' મીઠુ. અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે ખતાવેલ ઊંટવૈદુ' સેવીને ઉલટા હાથે કરીને હેરાન થાય છે ને રાગમુક્ત થતા નથી; તેમ વિષય-કદન્નમાં આસક્ત એવા બાલ અણુસમજુ જીવ વિષયાનુકૂળ— પ્રથમ દૃષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે
Page 440
હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિથ્યાદષ્ટિ અસદ્ગુરુરૂપ ઊંટવૈદ્યના આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને ભવકૂપમાં ઊંડા ઉતરે છે ને ભવરાગથી મુક્ત થતા નથી. ઇત્યાદિ પ્રકારે રાગી રાગીના પ્રકાર હાય છે, અને તે ઉપરથી પણુ રાગની સાધ્યતા—અસાધ્યતાના પ્રાથનમાં (Prognosis) પણ ફરક પડે છે. તેમજ–ાગ જેમ યથાયેાગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે ને મટે છે, તેમ ભવરાગ પણુ યથાયેાગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે. રાગચિકિત્સામાં પ્રથમ જેમ રાગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રાગચિકિત્સા ચિહ્નને, પરિણામને અને ચિકિત્સાને ખરાખર જાણનારા કુશળ નિષ્ણાત (Expert, Specialist) સવૈદ્યની જરૂર છે; તેમ ભવરાગની ચિકિત્સામાં પણ ભવરેાગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે ખરાખર જાણનારા કુશળ જ્ઞાની સદ્દગુરુરૂપ ‘સુજાણ’ સ ્ વૈદ્યની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઔષધની જરૂર પડે છે, તેમ ભવરાગના નિવારણમાં સમ્યગ્દશČન-જ્ઞાન-ચારિત્રરૂપ સદ્ ઔષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે એસડનુ ખરાબર સેવન કરવામાં આવે તે જ તે ફાયદે કરે છે, ગુણકારી થાય છે, નહિ. તે ઉલટુ અનથકારક થઈ પડે છે; તેમ ગુરુઆજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જો પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઔષધિનું સમ્યક્ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી-આત્માપકારી થાય છે, નહિ તે। આત્મા-હાનિરૂપ અન વિપરિણામ નીપજાવે છે. પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચદ્રજીનુ' સુભાષિત છે કેઃ— આત્મબ્રાંતિ સમ રાગ નહિ', સદ્ગુરુ વૈદ્ય સુજાણુ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”—શ્રી આત્મસિદ્િ અને આમ યથાયાગ્યપણે ઔષધપ્રયાગથી રાગ નિમૂ ળ થતાં રાગી જેમ નીરોગી અને Page #713 -------------------------------------------------------------------------- ________________ સુક્તતત્ત્વમીમાંસા : ભવરેગીની વિવિધતા, ચિકિત્સા, ‘મહા’ રેગ કેમ ? (૬૩૭ ) સ્વાસ્થ્ય છે, સાજોતાજો-હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે; તેમ યથાયેાગ્યપણે સમ્યક્ રત્નત્રયીરૂપ ઔષધપ્રયોગથી ભવરેગ નિમૂળ આરેાગ્ય થતાં જીવ નીરાગી-ભાવઆરેાગ્ય સપન્ન બને છે, સાજોતાજો-નિરામય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હૃષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ નિમગ્ન સહુજાત્મસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઇત્યાદિ અનેક પ્રકારે ભવતું રાગ સાથે સામ્ય-સરખામણું ઘટાવી શકાય છે, તેથી તેને રાગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગ્દર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું. 6 વળી આ ભવરાગને મહા' કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પેાતપેાતાના વગ માં–જાતિમાં જે શ્રેષ્ઠ-માટે હોય તે ‘મહા' કહેવાય છે. દા॰ ત॰ મહાકવિ, મહારાજા, મહાવીર, મહામુનિ; અને ભવરાગનું મહત્ત્પણુ–મેટાપણું અનેક પ્રકારે છે. જેમકે-(૧) માણુસના શરીરમાં ઉપજતા રાગ અમુક મર્યાદિત સમય સુધીને અથવા વધારેમાં વધારે ચાવજીવ-આ જીંદગી પત ટકે એવા હાય છે; પણ આ ભવરાગ તા અનાદિ કાળથી આ જીવને લાગુ પડેલા અને ભવાલવ ચાલી આવેલે હાઇ, હજુ પણ આ જીવના કેડા મૂકતા નથી ! આમ અતિ અતિ દ્વીધ સ્થિતિને ( Duration) લઈ આ ભવરાગ ‘મહાન્' છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતા રાગ જો કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરેાગથી નરકાઢિમાં ( જુએ ગાથા પૃ. ૨૦૨ ફૂટનેટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હાય છે કે તેની પાસે ગમે તેવા આકરા રાગ કઇ વિસાતમાં નથી. રાગથી જે શારીરિક-માનસિક દુ:ખ ભાગવવું પડે છે. તેના કરતાં અનાંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરાગથી વેઠવું પડે છે. ચાર ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુ:ખ વેદના-યાતના ખમવી પડે છે આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity ) પણ ભવરાગની મહત્તા છે. (૩) માહ્યરાગને સાધવા-મટાડવા એ કાંઇ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભવરેગ સાધવા-મટાડવા એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કૃસાધ્યતાથી
Page 441
અથવા અસાધ્યતાથી પણ આ ભવરેગ ‘મહાન' છે– માટે છે. (૪) ખાદ્ય રાગ અતિ તીવ્ર હાય તા કવચિત્ એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર ભાગ તા સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામષ્ટિથી પણ આ ભવરાગ અતિ માટેા છે. ( ‘મહા' રાગ કેમ કો ઇત્યાદિ પ્રકારે આ લવ–સસાર ખરેખર મહારેગ જ છે. એને મીટાવવાને વિવેકી અદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક જીૠગીના એક સામાન્ય રોગને મટાડવાને લાકે કેટલી બધી જહેમત સુમુક્ષુનું કર્ત્તવ્ય ઊઠાવે છે? કેવા આકાશપાતાલ એક કરે છે? કેટલા વૈદ્ય-ડાક્તર Page #714 -------------------------------------------------------------------------- ________________ (૩૮) યોગદષ્ટિસમુચય ભેગા કરે છે? ઔષધાદિ અંગે કેટલે બધો ખર્ચ કરે છે ? તે પછી આવા આ અનાદિના મહારોગને મીટાવવાને માટે આત્માથી મુમુક્ષુ કેમ બને તેટલી જહેમત ન ઊઠાવે ? કેમ અપૂર્વ આત્મ-પુરુષાર્થ ન કરે? પિતાના તન-મન-ધન-વચનની સમસ્ત શક્તિ કેમ ન ખચી નાંખે? રત્નત્રયી ઔષધિનું પરમ અમૃતપાન પરમ પ્રેમથી કેમ ન કરે ? સદ્દગુરુ આજ્ઞારૂપ પથ્યનું પરમ ઉત્સાહથી કેમ પાલન ન કરે ? मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति ॥१८९॥ મુખ્ય આ જીવને ઉપજે, અનાદિ ચિત્ર કજ; તેમ અનુભવસિદ્ધ છે, સર્વ પ્રાણીઓને જ ૧૮૯ અર્થ –આ ભવ્યાધિ આત્માને મુખ્ય-નિરુપચરિત એવો વ્યાધિ છે; અને તે અનાદિ એવા વિચિત્ર કર્મના નિદાનથી-કારણથી ઉપજેલ છે; કારણ કે સર્વ પ્રાણીઓને તેનું તેવા પ્રકારે અનુભવસિદ્ધપણું છે. વિવેચન જીવને આ જે ભવ્યાધિ છે તે મુખ્ય છે, નિરુપચરિત એ ખરેખર છે. અને તે અનાદિ એવા દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન વિચિત્ર કર્મના બલથી ઉત્પન્ન થયેલું છે; કારણકે જન્મ-મરણાદિ વિકારેના પ્રત્યક્ષ અનુભવ વડે કરીને, તે તિર્યંચ વગેરે સર્વ પ્રાણીઓને પણ અનુભવસિદ્ધ છે. ઉપરમાં જે ભવવ્યાધિને ઉલેખ કરવામાં આવ્યું તે ભવ્યાધિ કાંઈ કલપનારૂપ નથી, કાલ્પનિક નથી, કથનમાત્ર ઉપચારરૂપ નથી, પરંતુ ખરેખર છે, મુખ્ય છે, નિરુપચરિત એ પારમાર્થિક છે. તે કાંઈ ઉભેક્ષારૂપ કવિકલ્પનાનો ભવવ્યાધિ તરંગ નથી, કલ્પિત નથી, પણ ખરેખરી વસ્તુસ્થિતિરૂપ સત્ય હકીકત મુખ્ય પરમાર્થ (Actual Fact, Reality) છે. કારણકે જે પારમાર્થિકસતુ વસ્તુસ્વરૂપે સતુ નિરુપચરિત હોય તે “મુખ્ય” કહેવાય છે. અને ઉપચાર પણ જે મુખ્ય-પારમાર્થિકસતુ વસ્તુ હોય તે જ થઈ શકે છે, નહિ તે નહિ, જે ભવરૂપ વસ્તુ જ ન હોત, તે તેને વ્યાધિરૂપે ઉપચાર પણ ન થઈ શકત. પણ ભવ વૃત્તિઃ-મુc:–મુખ્ય, નિરુપચરિત, -આ, ભવ્યાધિ નામનો-આત્માને જીવને, કેવા પ્રકારનો? તો-અનારિરિત્રવાર્બનિનાદ-અનાદિ એવા ચિત્ર કમરૂપ કારણુથી જન્મેલે,દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા કમરના બલથી ઉત્પન્ન એમ અર્થ છે. કયા કારણથી ? તે કે–તથનુભવસિદ્ધત્વાન-તથા પ્રકારે અનુભવસિદ્ધપણાને લીધે, જન્માદિના અનુભવથી. સર્વકાગ્મિતામિતિ-સર્વપ્રાણીઓને પણ,-તિયય પ્રમુખને પણ. Page #715 -------------------------------------------------------------------------- ________________ મક્તતવમીમાંસા : લવ વ્યાધિ મુખ્ય પરમાર્થસત, અનાદિ (૬૩૯) તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ–સભાવરૂપ છે જ, એટલે જ તેને વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાય છે. વ્યાધિ એ રૂપક-કલ્પના-ઉપચાર ભલે હે, પણ “ભવ એ કાંઈ રૂપક– કલ્પના-ઉપચાર નથી. ભવ એ તે સત્ય હકીકત (Absolute reality) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય “છતી” પ્રગટ વસ્તુ છે, તેને યથાર્થપણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદ્ભાવે જ ઘટે છે, શોભે છે. જેમકે-વાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેને ઉપમારૂપે ઉપચારરૂ૫૪ વ્યવહાર કરી શકાય છે, વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે “સિંહ-માણવકને’–બીલાડીને સિંહની ઉપમાને ઉપચાર કરાય છે, પુરુષ–સિંહને વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તે તે કઈ ઉપચાર વ્યવહાર બની શત નહિં. દાખલા તરિકે-વધ્યાસુતનું, કે આકાશપુષ્પનું, કે શશશંગનું અસ્તિત્વ જ નથી, એટલે
Page 442
તેને ઉપચાર પણ સંભવતા નથી. આ ભવગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ તેવું જ જોઈએ. એટલે રોગ જેમ ચોક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. અને આ કર્મરૂપ નિદાન–કારણ અનાદિ છે. એટલે આ કર્મ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલુંસંલગ્ન છે, સંગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,કનકપાષાણમાં સેનાને ને માટીને સંગ જેમ અનાદિ છે તેમ. “કનકે પલવત્ પયડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.”–શ્રી આનંદઘનજી જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કેઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.”—શ્રીમદ્ રાજચંદ્રજી. કર્મ–આત્માને આ સંગ સંબંધ જે અનાદિ ન માનીએ તે આમ વિરોધ આવે છે – કર્મને પહેલું માનીએ તે આત્મા વિના કર્મ કર્યા કેણે? અને તે લાગ્યા કેને? જે કેવલ શુદ્ધ આત્માને પહેલે માનીએ તે શુદ્ધ આત્માને કર્મ લાગવાનું પ્રયજન શું? અને લાગે છે એમ માનીએ, તે શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિં લાગે? વળી મરઘી પહેલી કે ઈંડું પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેને x"उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः। દષ્ટસ્તતોડવઃ સર્વમિથમેવ રચથિત ” શ્રી ગિબિંદુ, શ્લે, ૧૫ Page #716 -------------------------------------------------------------------------- ________________ (૬૪૦) યોગદષ્ટિ મુરા નિર્ણય જેમ કહી શકાતું નથી ને બને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ–આત્માનો સંબંધ અનાદિ જ સંસિદ્ધ થાય છે. “જીવ પહેલો કે કમ?–બને અનાદિ છે. જીવ પહેલે હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તે જીવ વિના કર્મ કર્યા કેણે? એ ન્યાયથી બને અનાદિ છે.” -શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મોક્ષમાળા. આ અનાદિ કર્મ વિચિત્ર છે-અનેક પ્રકારનું છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે. દ્રવ્ય કર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકમ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ–મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકમ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મની સામાન્ય સમજ આ પ્રકારે – જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દર્શનાવરણય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્ત સાતા અસાતા બે પ્રકારનાં વેદનીય કર્મ, એથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રોકાઈ રહેવી તે. મેહનીયકર્મ એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહેવી તે. આયુકર્મ એટલે અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મ એટલે અમૂર્તિરૂ૫ દિવ્ય શક્તિ રોકાઈ રહેવી તે. ગોત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિ રોકાઈ રહેવી તે. અંતરાય કમ” એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભેગ શક્તિ રોકાઈ રહેવી તે.” –શ્રી મોક્ષમાળા, પા. ૧૦૨ આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. તેમાં સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે, અને પ્રકૃતિબંધ-પ્રદેશબંધ મન-વચન-કાયાના યેગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, કર્મવિચ્છેદ, ઘાતિ, અઘાતિ વગેરે અનેક સૂમ પ્રકારે કર્મગ્રંથ, પંચાધ્યાયી, ગોમસાર આદિ મહાગ્રંથરત્નથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે. પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંત, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે છે કારણ જોઈને, કોઈ કહે મતિમંત પદ્મ પચડિ કિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણ, સર્તા કર્મવિચ્છેદ...પદ્મ”-શ્રી આનંદઘનજી.
Page 443
x" योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते। તા જ તત્ત્વમિત્રેવં તરંગોડથનાવિમાન ”—શ્રી યોગખિન્દુ પ્લે, ૧૦ Page #717 -------------------------------------------------------------------------- ________________ મુક્તતવમીમાંસા: દ્રવ્ય-ભાવ કમની સકલના (૬૪૧) આ ભાવકર્મ-દ્રવ્યકમને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે રાગાદિ ભાવકના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્મના નિમિત્તથી પુનઃ રાગાદિ ભાવકની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ દ્રવ્ય-ભાવ ચક્રભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક (Vicious circle) કર્મની સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકમ જે અટકાવી દેવામાં આવેસકલના જે અટકાવવું મોટરની બ્રેઈકની જેમ આત્માના પોતાના હાથની વાત છે તે તે દુષ્ટ ચક્ર આપોઆપ ત્રુટી પડે છે, ને કર્મચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સંબંધી ઘણે સૂક્ષમ વિવેકવિચાર શ્રી સમયસાર૪, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે,–જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા યંગ્ય છે. આકૃતિ: ૧૫ ભાવકમ કર્મચક : ભવચકે દ્રવ્યકમ આમ અનાદિ એવા વિચિત્ર કર્મથી ઉત્પન્ન થયેલ આ ભવરગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણ શું? એમ કોઈ પૂછે તો તેને સીધે, સરળ ને સચોટ જવાબ એ છે કે-તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રબળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને આ ભવ્યાધિ તથા પ્રકારે પોતાના અનુભવમાં આવી રહ્યો છે, તેઓ જન્મ-જરા-મરણ–રોગ-શોક-ભય આદિરૂપે આ ભવ્યાધિનું મહાદુઃખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનારે ભવવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત અનુભવસિદ્ધ “હકીકત છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે, તે પછી આથી વધારે બીજું પ્રમાણ તવા દૂર જવાની જરૂર નથી. x “ जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमंति । પુનર્જન્મનિમિત્ત તદેવ ની વિપરિગમ – શ્રી કુંદકુંદાચાર્યજીત શ્રી સમયસાર. Page #718 -------------------------------------------------------------------------- ________________ (૬૪૨) ગદષ્ટિસમુચય ભવ અને વ્યાધિની તુલના-કેષ્ટક ૧૫ જીવ-રોગી અભવ્ય= અસાધ્ય રોગી ભવ = વ્યાધિ-મુખ્ય દૂરભવ્ય = દુ:સાધ્ય રોગી જન્મ મરણ વિકાર આસનભવ્ય = સુસાધ્ય રોગી મેહ = પરિણામ સદ્ગુરુ = સુવૈદ્ય રાગાદિ = વેદના રત્નત્રયી = ઔષધ કમ-દ્રવ્ય-ભાવ=ભવરોગ હેતુ | ભવમુક્ત-મુક્ત = વ્યાધિ મુક્ત एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९०॥ એથી મુક્ત પણ મુક્તનું, ઘટતું મુખ્ય પણું જ; (કારણ) જન્માદિ દોષ ટળે ઘટે, અદષત્વ તેનુંજ. ૧૯૦ અર્થ—અને આ ભવ્યાધિથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ એ ઘટે છે કારણકે જન્માદિ દેષના દૂર થવાથી, તેના અદેષપણાની સંગતિ હોય છે. વિવેચન ઉપરમાં “સુષ્ય” એ જે ભવ્યાધિ કહ્યો, તેનાથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તને ભાવ છે. એટલે કે જન્માદિ દેષના દૂર થવારૂપ કારણ થકી તેના અદેષપણાની સંગતિ છે–ઘટમાનપણું છે. ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાબીત કરવામાં આવ્યું, તે ભવવ્યાધિમાંથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિક સત્ જ હોવ ઘટે છે. કારણ પ્રવૃત્તિનિમિત્ત–તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જે મુખ્ય મુક્ત પણ હોય તે કાર્ય પણ મુખ્ય હેય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણે મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ મુખ્ય છે. અને આમ જન્માદિ દોષના દૂર થવાથી એને અદેષપણાનું સંગતપણું હોય છે. કારણ કે રોગયુક્ત સરોગ પુરુષ રોગમુક્ત થતાં અરોગ કહેવાય છે, કૃત્તિ-પતભુa—અને આ ભવ્યાધિથી મુક્ત એવો, મુત્તોડજિ-મુક્ત પણ, સિદ્ધ, મુલ્ય પોષ -મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે,–પ્રવૃતિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છે– સમાવિલોપવિતાના જન્માદિ દોષના વિમમરૂપ-હળવારૂપ કારણુથકી, તોષainતે -તે દોષવંતના અદોષપણાની પ્રાપ્તિને લીધે. Page #719 -------------------------------------------------------------------------- ________________ મુક્તતવમીમાંસા : મુક્ત પણ મુખ્ય જ, દેષ અભાવે અદોષ તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદેષ પુરુષ તે જન્માદિ દેષથી મુક્ત
Page 444
થતાં “અદોષ” કહેવાય છે. આમ દોષના અપગમરૂપ-ચાલ્યા જવારૂપ કારણથી દોષવંતનું અદેષપણું ઘટે છે, માટે “સુક્ત” એ મુખ્ય જ એ ઘટે છે. તાત્પર્ય કે-રોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ નષ્ટ થઈ જતો નથી, પણ રોગમુક્ત પુરુષને સદ્ભાવ જ હોય છે, તેમ ભવરગ નષ્ટ થતાં કાંઈ પુરુષ–આત્મા નષ્ટ થઈ જતું નથી, પણ ભવરોગમુક્ત પુરુષને-મુક્ત આત્માને સદ્ભાવ જ હોય છે. જે દષવંત હોય તે તેના દોષનો અભાવ થતાં અદોષ હોય છે, તેમ જન્માદિ દેષવંત આ આત્મા તે દેષને અભાવ થતાં અદેષ એ સિદ્ધમુક્ત આત્મા હોય છે. પણ દોષ અભાવે કાંઈ અદેષ પુરુષને અભાવ હોતો નથી, તેમ જન્માદિ દોષ અભાવે કાંઈ અદોષ આત્માને અભાવ હોતું નથી. જેમ અદેષપણું એ પુરુષની દેશ-અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી; તેમ અદેષ એવું મુક્તપણું એ આત્માની જન્માદિ દેષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. દુકામાં રોગ અભાવે નિરોગી પુરુષ જ બાકી રહે છે, તેમ ભવરોગ અભાવેx નિરોગી શુદ્ધ આત્મા જ બાકી રહે છે. આકૃતિ ૧૬ રોગ અભાવે ભવરાગ અભાવે રોગી પુરુષ ભિવરગી સંસારી આત્મા પુરુષ |=| આત્મા મુક્ત આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – तत्स्वभावोपमर्दे ऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावाचददोषत्वसंगतिः ॥१९१॥ તે આત્મના સ્વભાવને છે ઉપમર્દ છતાંય, તેના તે જ સ્વભાવના યોગ તણે સુપસાય; તે જ આત્મન ઉપજે, નિચ્ચે જ તથાભાવ, તેથી ઘટે છે તેનું અષત્વ અહિં સાવ, ૧૯૧ gત્તિઃ -તત્વમાંડજિ-તે આત્માના સ્વભાવને ઉપમદ્દ છતાં. જન્માદિ ભાવના વિકમે કરીનેદર થવાપણાએ કરીને, તત્તરામાયોra -તેના તતસ્વાભાવ્યના વેગથી; એટલે તેનું તસ્વાભાવ્ય, તેની સાથે નથી. તે આ પ્રકારે–તેને એવા પ્રકારને જ સ્વભાવ છે જેથી તે જ “તથા હોય છે. અને ૨ તથૈવ હિ-તેના જ, તમારા-તથાભાવથી, જન્માદિના સાગથી, જન્માદિ અતીત પણે ભાવથી, શું ? તે કે–તોષવર્ણાતિઃ -તેના અષત્વની સંગતિ હોય છે. દોરવવંતની જ અષત્વપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે x"नष्ट वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा । ન દેડવ્યાત્માનં મતે યુધઃ ” –શ્રી સમાધિશતક. Page #720 -------------------------------------------------------------------------- ________________ (૬૪૪) યોગદષ્ટિસમુચય અર્થ – તે આત્માના સ્વભાવને ઉપમદ છતાં, તેના તસ્વાભાવ્યના–તેવા સ્વભાવપણાના વેગથી, તેના જ તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હોય છે. વિવેચન તે આત્માને સ્વભાવ ઉપમ છતાં, જન્માદિ ભાવના દૂર થવાથી તેને તસ્વાભાવ્ય સાથે યોગ હોય છે; અને તેથી કરીને તેને જન્માદિ અતીતપણે “તથાભાવ” હોય છે, એટલે તેના અદેષપણુની સંગતિ હોય છે. અર્થાત્ દેલવંતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે. અનાદિ કાળથી આ આત્માના સ્વભાવને ઉપમન્દ થયો છે-કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયું છે, આવૃત થયો છે, પણ મૂળ નાશ નથી પામે. નિજ સ્વરૂપના જ્ઞાનસ્વભાવ ઉપમન્દ દશન–ચરણરૂપ સ્વભાવ ધર્મના વિયેગે છે કે તેને વિભાવરૂપ અધર્મ વળગ્યો છે, તો પણ વસ્તુને જે સ્વજાતિ સ્વભાવ છે, તેને કદી સમૂળગો અભાવ થતો નથી. માત્ર થાય છે એટલું જ કે-પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કમેં કરીને અવરાય છે–ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવતુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કર્મથી અવરાયો છે. સ્વભાવરૂપ “સ્વધર્મ છેડી, તે વિભાવરૂપ “પર ધર્મ ને અનુસર્યો. તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સંસાર પરિભ્રમણ દુઃખવડે કરીને ખરેખર ! “ભયાવહ” થઈ પડયો છે! “વધર્મો મચાવડા આ પર એ જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત નિમિત્તથી ઉત્પન્ન થનારો હોઈ સંતતિથી અનાદિ છે, અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે–તે વિષયસંગાદિક છે, તે સંગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધમ ઉપજે
Page 445
છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવને કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવને ઉપમદ થાય છે-કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દબાઈ જવાપણું થાય છે. (જુઓ પૃ. ૪૯૪). “વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કમેં તે અવરાય.”—શ્રી દેવચંદ્રજી. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિં નિજ ભાનમાં, કર્તા કમં પ્રભાવ.”—શ્રી આત્મસિદ્ધિ. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (chaos) ફેલાઈ જાય છે, સ્વ-પરને ભેદ પરખાતું નથી, ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી Page #721 -------------------------------------------------------------------------- ________________ મુક્તતનવમીમાંસા: રવભાવઉપમ, “તથાભાવથી અદેષપણું (૬૪૫) વિભાવ પરચ- ચૈતન્ય-પુરમાં ઉપમદ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, કથી ઉપપ્લવ સ્વ–પરનો ભેદ પરખાતે નથી, સ્વ–પરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે, અને ચેતન રાજના “પદભ્રષ્ટપણાથી અરાજક્તાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વસ્થાનથી ચુત થયેલો ઠેકાણાં વિનાને, સ્વરૂપપદથી ભ્રષ્ટ એ આ આત્મા ચતુર્ગતિમય સંસારમાં રખડે છે, ને જન્મમરણાદિ અનંત દુઃખ ભોગવે છે. આવા આ સ્વરૂપ-પદભ્રષ્ટ ચિઘન આત્માને પુના જ્યારે જન્માદિ ભાવના વિગમે કરીને તસ્વાભાવ્ય સાથે અર્થાત તેના પિતાને સ્વસ્વભાવ પણ સાથે “ગ” થાય છે, ત્યારે તેને તથાભાવ હોય છે. એટલે કે તેને જે મૂળ સ્વભાવ છે, તથા પ્રકારનો તસ્વાભાવ્ય ભાવ તેને ઉપજે છે. આમ આત્મા જ્યારે પ્રતિક્રમણ કરી–પીછેહઠ કરી સાથે યોગ મૂળ અસલ સહજ તથાભાવરૂપ સ્વરૂપસ્થિતિને ભજે છે, વિભાવરૂપ પર ધર” છોડી દઈ નિજ સ્વભાવરૂપ ઘરમાં આવે છે, ત્યારે તેને જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે છે, અને સ્વભાવસ્થિતિરૂપ મોક્ષ પ્રગટે છે, ને નિજ ઘર મંગલમાળ' થાય છે. “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે.” (દેવચંદ્રજી). અને આમ તથાભાવ અર્થાત્ જે મૂળ સ્વભાવ છે તે ભાવ થવાથી જ તેનું અષપણું ઘટે છે, તે જન્માદિ દેશવંત મટી અદેષ બને છે. કારણ કે સ્વભાવ ઉપમન્દ કરનારા વિભાવરૂપ દોષથી તે દેષવંત હો; તે વિભાવ દેષ ટળવાથી તેને તથાભાવથી સ્વભાવ ઉપમ થતો અટક્યો, એટલે તે અદોષ થયો, જેવો હતો અદેષપણું તે રહ્યો. સ્વભાવ પદથી–પિતાના ઠેકાણાથી ભ્રષ્ટ થયો-ખો એ તેનો દોષ હતું, સ્વભાવમાં આવ્યો એટલે તે દેષ ટળે, અને સ્વભાવપદમાં સ્થિતિ થવાથી-“ઠેકાણે આવ્યાથી તે અદેષ થયો -રોગીનો રંગ ટળતાં જેમ તે અરોગી હોય છે તેમ. તાત્પર્ય કે–અદેષ હતાં, તે તથાભાવયુક્ત હોય છે, અર્થાત સ્વસ્વભાવપણાના યોગથી જે અસલ સહજ સ્વભાવે-સહજાન્મસ્વરૂપે હતું તે હોય છે. આમ ખરેખરા-મુખ્ય એવા જન્મમરણાદિ આપનારા સ્વભાવ૫મર્દરૂપ વિભાવદેષ મુખ્ય હતે, એ જેમ ખરી વાત છે, તેમ વિભાવેદેષ ટળી સ્વભાવમાં આવ્યાથી તે “ અદષ” થયે. એ પણ તેવી જ ખરેખરી મુખ્ય વાત છે. માટે અદોષ” એવો આ સ્વભાવ મુક્ત આત્મા મુખ્ય છે, ખરેખરો છે, નિરુપચરિત છે, પરમાર્થસતુ છે, એમ આ ઉપરથી સાબિત થયું. Page #722 -------------------------------------------------------------------------- ________________ (૬૪૬) દોષ દોષથી પુરુષ નિર્દોષ દોષ અભાવે પુરુષ આકૃતિ ૧૭ = સ્વભાìપમર્દથી - આત્મા વિભાવ દોષયુક્ત આત્મા માળોપમર્દ–વિભાવ દોષ અભાવે સ્વભાવ સ્થિત આત્મા અને આ આમ અગીકાર ચેાગ્ય છે તે કહે છે— 5 स्वभावोऽस्य स्वभावो यन्निजा सत्चैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥ १९२॥ દોષ સ્વભાવ તસ સ્વભાવ છે, તત્ત્વથી નિજ સત્તા જ; ભાવાવધિ આ-અન્યથા, અતિપ્રસંગથી ના જ. ૧૯૨ યોગશ્તિસમુચ્ચય અર્થ :—આ આત્માના સ્વ ભાવ તે સ્વભાવ છે, કારણ કે તત્ત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પત) યુક્ત છે; અન્યથા નહિ, અતિપ્રસગને લીધે. વિવેચન
Page 446
આ આત્માને સ્વભાવ તે સ્વ ભાવ છે, અને પરમાર્થથી-તત્ત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પ"ત જ યુક્ત છે,-નહિં તેા યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દોષ આવે છે. ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદેષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મર્યાદા અત્ર ખતાવી છે. આ આત્માના સ્વ ભાવ' તે સ્વભાવ છે. અર્થાત્ પરમાથી—તત્ત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે વૃત્તિ:-સ્વમાયોડક્ષ્ય-આ આત્માના સ્વભાવ, સ્વાવઃ-સ્વભાવ છે, ચત્—કારણ કે, શું કહ્યું ? તે કે-નિગલનૈ તરતઃ-નિજ સત્તા જ તત્ત્વથી, પરમાથથી, માત્રાવષિચં ચુસ્રો-આ હમણાં જ કહ્યો તે સ્વભાવ ભાવ અવધિવાળા યુક્ત છે; નાન્યથા-અન્યથા યુક્ત નથી, શા કારણથી ? તે કે અતિપ્રસન્નત:અતિપ્રસંગને લીધે. Page #723 -------------------------------------------------------------------------- ________________ ભકતતત્ત્વમીમાંસા સ્વભાવ-મર્યાદા ધમ', નિજ સત્તા નિજ ભાવથી રે’ આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે “સ્વભાવ છે. (જુઓ ક પૃ. ૭૫ ફૂટનેટ ). અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતનભાવમાં હોવું–વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ” -મરજાદ છે. એટલે શુદ્ધ ચેતન મર્યાદા ધર્મ? ભાવમાં વત્તે તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિ. કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વત્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વત્યે જે કહીએ તો અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્ત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે સ્વભાવ ભાવથી રે” મર્યાદામાં ન લેવું–ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે. અને આ જે સ્વભાવમાં હોવું-વત્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે; “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે. અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણું...જિનવર પૂજે દેવચંદ્ર જિનરાજ રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ..જિન- ”-શ્રી દેવચંદ્રજી આ જ કહે છે– અનન્તરક્ષણામૂતિરાત્મમૂદ થશે તુા. तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેકમાં સાવ; તે જ માન્યતા સાથમાં, વિરોધભાવ વિના જ હોય નિત્ય તે આતમા અથવા અસત્ સદાજ. ૧૯૩ --- વૃત્તિ-બનત્તાક્ષમૂરિ–અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ–પશ્ચાત ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, કામમૂતે રથ સુ-જેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા વાદીની આત્મભૂત છે, તેને દેષ છે છે –તે સાથે. તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, વિરોધા-અવિરેષરૂપે કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તે કે-નિત્યોગસૌ-નિત્ય એ તે વર્તમાન હોય ‘તદૂત ના તદ્રાવાવ, “સદા તભાવ થકી તત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-ઘસવા લૈવ ૬િ-અથવા સદૈવ અસત્ હોય–તે અનંતર ક્ષણેઅમતિ સાથે અવિરોધથી તેના પ્રસ્તપણાને લીધે. Page #724 -------------------------------------------------------------------------- ________________ (૬૪૮) યોગ દિસમુચ્ચય અર્થ :—અનંતર ક્ષણે અભૂતિ અહી જેને (વમાનને વા વાદીને ) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરાધથી તે વત્તમાન નિત્ય હાય, વા સદૈવ અસત્
Page 447
જ હાય. વિવેચન અનંતર અર્થાત્ આગલી-પાછઢી ક્ષણે અભાવ–નહિ. àાવાપણું, એ જે વમાનવાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત્ આત્માને જે આગલી-પાછલી ક્ષણે અભાવરૂપનહિ હેાવારૂપ માને છે, માત્ર વમાન ક્ષણે જ ભાવરૂપ-હાવારૂપ માને છે, તેને અનેક દોષ આવે છે. તે આગલી-પાછલી ક્ષણે અભાવ સાથે તેના વત્ત માનભાવના અવિરાધ છે, તેથી તે વ`માન (૧) કાં તે નિત્ય હોવા જોઇ એ, અને (૨) કાં તે સદાય અસત્ જ અવિદ્યમાન જ હાવા જોઇ એ,-આમ આ એ પક્ષ અત્રે સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદના મત ખડિત થાય છે. તે આ પ્રકારે ઃ— . (૧) ક્ષણિકવાદી એમ માને છે કે-આત્માદિ વસ્તુ ક્ષણુસ્વરૂપ છે, આગલી-પાછલી ક્ષણે અવિદ્યમાન–અભાવરૂપ છે, માત્ર વત્તમાન ક્ષણે જ વિદ્યમાન-ભાવરૂપ છે. આ મત જેના આત્મભૂત છે, તેના પેાતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે આમ વિશધ આવે છે :–આગલી-પાછલી ક્ષણે અભાવ છે એવી તેની માન્યતાની સાથે અવિરાધને લીધે, વન્તમાન ભાવે તા તે પેાતે છે. કારણકે આગલી–પાશ્ર્લી ક્ષણે જ નહિ. હાવાપણું તે કહે છે, એટલે તે એની વચ્ચેની વ′′માન ક્ષણે તે તેનું વિદ્યમાનપણુ-વત્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વમાનભાવે વમાન છે, તે નિત્ય હાવા જોઈએ, કારણકે સદા તદ્ભાવ થકી તત તે ભાવવંત હાય એમ નિયમ છે. અર્થાત્ જે જે ભાવવાળા હાય તે તદ્ભાવથી સદા તે ભાવવાળા હાવા જોઇએ. એટલે વત્તમાન ભાવવાળા તે સદા વમાનભાવવત હેાવા જોઇએ. અર્થાત્ તે નિત્ય હાવા જોઇએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી–પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પેાતે ો આગલી-પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તેા તેમ કેમ જાણી-કહી શકે વારુ ? એટલે તે પાતે જે વમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી-પાછલી ક્ષણે પણ વિદ્યમાન હાવા જ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણી દે છે, તે વદનારા પાતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુએ પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા ). તા કે આત્મા ક્ષણિક નહિ, પણ નિત્ય છે.-એટલે વાદીએ કાં તા નિત્ય પક્ષને સ્વીકાર કરવા જોઇએ, અને કાં તા પેાતાના વત્તમાન ક્ષણે પણ વિદ્યમાનપણાના પક્ષ છેડી દેવા જોઈએ. અને એમ જો કરે તે તે સદાય અસત્ જ–અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વત્તમાન ક્ષણે પણ જો ન હાય, તેા તે સદાય અભાવરૂપ જ હાવાથી સદાય અસત જ હાય, અવિદ્યમાન જ હોય. વદનારા તે ક્ષણિક નહિં ? Page #725 -------------------------------------------------------------------------- ________________ મુતતત્વમીમાંસા: ક્ષણિકવાદનું એના જ ન્યાયે ખંડન (૬૪૯) વર્તમાન ક્ષણે પણ તે સત નહિ રહે અને તે વદનારા ક્ષણિકવાદીનું પિતાનું અસ્તિત્વ નહિ રહે! એટલે તેને વાદ જ ક્યાંથી ઉભો રહેશે? એમ આગલી–પાછલી ક્ષણે આત્માનો અભાવ માનનારે ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતા નથી. પરેક્તિ માત્રના પરિહારાર્થે કહે છે – स एव न भवत्येतदन्यथाभवतीतिवत् । विरुदं तन्मयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९४॥ તે જ છે ન એ અન્યથા, તે છે એની જેમ; વિરુદ્ધ તસ ન્યાયે જત, ઉત્પન્યાદિ તેમ, ૧૯૪ અર્થ “તે જ નથી હોત' -આ “અન્યથા હોય છે”-એની જેમ વિરુદ્ધ છે-તેના ન્યાયથી જ તઉત્પત્તિ આદિને લીધે તથા પ્રકારે વિરુદ્ધ છે. વિવેચન “g gણ તે જ એ ભાવ સૂચવે છે, “1 મતિ –નથી હોતે એ અભાવ સૂચવે છે. એટલે “તે જ નથી હોત” એ બે અન્યથા મવતિ. તે અન્યથા હોય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરોધ પામે છે. તેના
Page 448
પિતાના નયથી જ-ન્યાયથી જ ને જ ભાવ આમ છે. કારણ કે તે ક્ષણિકવાદી “તે જ અન્યથા ભવતિ-અન્યથા અભાવ-આ થાય છે,’ એમ કહે આમ કહે છે –“તે અન્યથા કેમ હોય છે જે વિરુદ્ધ અન્યથા હોય, તે તે કેમ હોય ?” અને આ ન્યાય તે જ ભાવ મવતિ –નથી હોતે, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારે - જે તે જ છે, તે તે “ર મવતિ' કેમ? નથી હોતો કેમ ? અને જે “ જમવ7 ° છે-છે નહિં, તે તે “ભાવ” કેમ? એમ આ વિરુદ્ધ છે. અભાવત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે–તેવા પ્રકારે વિરુદ્ધ છે. કૃત્તિ- શ્વ-તે જ એમ ભાવ પરામર્શ છે, અને મવતિ–નથી હોતા,-એમ અભાવ અભિધાન છે, છત-આ શું? તે અન્યથા મવરોનિવ-અન્યથા ભવતિ-અન્યથા હોય છે એની જેમ, એમ નિદાન છે, વિહૃ-વિરુદ્ધ, વ્યાહત છે,તનયા દેવ-તેના નય થકી જ, તેના ન્યાયથી જ, કારણ કે તે ‘તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે-“કેમ અન્યથા થાય? જે અન્યથા થાય, તો તે કેમ ?” અને આ “તે જ નથી હોતો'—એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે જે તે જ છે, તે તે કેમ જ મવતિ ન હોય ? અભવતપણાથી-ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અભ્યરચય કહે છે–ત્તત્સત્યાદિત તેની ઉત્પત્તિ આદિ થકી, અભત્પત્તિ આદિ થકી, તથા–તેવા પ્રકારે વિરુદ્ધ છે, Page #726 -------------------------------------------------------------------------- ________________ (૬૫૦) ક્ષણિકવાદી { ભાવ આકૃતિ : ૧૮ X અભાવ | ખંડન { ભાવ × અભાવ યોગદૃષ્ટિસમુચ્ચય આના ભાવન અર્થ જ કહે છે— सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥ १९५॥ X અભાવ ? " ભાવ ? અહી” ક્ષણિકવાદી જે યુક્તિથી પેાતાના મતનું સમર્થન કરે છે, તે જ યુક્તિથી તે ક્ષણિક મતનું ખંડન શાસ્ત્રકાર મહર્ષિ એ કુશળ ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી કરી ખતાવી, વાદીની દલીલ વાદીના મુખમાં પાછી આપી છે, ત્યારે એના જ ન્યાયે તેને નિરુત્તર-મૌન રહેવા શિવાય છૂટકો નથી. તે આ પ્રકારે પૂ એનું ખ'ડેન ક્ષણે જે ભાવ છે, તે જ ઉત્તર ક્ષણે પર્યાાંતર પામી અન્યથા હાય છે— · અન્યથા ભવતિ,' એમ કાઈ કહે છે. ત્યારે ક્ષણિવાદી આ પ્રમાણે દલીલ કરી તેનુ* ખ’ડન કરે છે− તે અન્યથા કેમ હાય? જો અન્યથા હાય, તે તે કેમ હાય ? અર્થાત્ તે ભાવ ખીજા પ્રકારે કેમ ાય ? અને ખીજા પ્રકારે હોય તે। ભાવ કેમ હાય ? માટે અન્યથા ભવતિ—તે ભાવ અન્યથા હાય છે તે ઘટતું નથી.' હવે એ જ ન્યાયે, આગલી–પાછલી ક્ષણે છે તે જ વમાન ક્ષણે નથી એમ માની, ‘જ્ઞ વ ન મત -તે જ છે નહિ, એમ જે ક્ષણિકવાદી કહે છે, તે પણ ઘટતું નથી. કારણ કે તે જ’ એ ભાવ-હેાવાપણું બતાવે છે, અને ‘છે નહિ એ અભાવ-નહિ. હેાવાપણું બતાવે છે. આમ એક સ્થળે ભાવ-અભાવ પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે તે જ ભાવ છે, તે તે કેમ ‘ન ભવતિ '−કેમ નથી હાતા ? અને જો તે અભવત્ છે-છે નહિ', તેા તે ભાવ કેમ ? અર્થાત્ જો ‘ ભાવ’ છે તે ‘ન ભવતિ' કેમ ? ને જો ‘ન ભવતિ ’ છે તે ‘ભાવ કેમ ’? આમ આ વિરુદ્ધ છે. માટે ‘તે જ નથી હોતે' એ ક્ષણિક પક્ષ ઘટતા નથી. વળી વમાન ક્ષણે જ ભાવ 'ના ક્ષણિકવાદી સ્વીકાર કરે છે, પણ આગલી–પાછલી ક્ષણે તે ‘ન ભવતિ’-તે નથી હાતા-અભાવ છે એમ તે
Page 449
કહે છે. તેમાં પણ અનેક વિરોધ આવે છે; કારણ કે પૂર્વ ક્ષ ન હાય, તે વખ્ત માન ક્ષણે હાય, તે અર્થાત્ અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ, આ દોષ છે. તેમ જ ઉત્તર ક્ષણે ન હોય, તેા સત વિનાશ થયા, અર્થાત્ ભાવમાંથી પ્રગટ દોષ છે. ઇત્યાદિ અનેક વિધ અત્ર આવે છે. (જુએ શ્ર્લેા. 嗡 અસત્ ઉત્પાદ થયા, વત્તમાન ક્ષણે હાય તે અભાવ થયે, આ પણુ ફ્રૂટનેટ પૃ. ૮૧.) વૃત્તિ:-સતો—સતનું, ભાવનુ, અસત્ત્વ-અસત્ત્વ માનવામાં આવ્યે ( ‘જ્ઞ શ્ર્વ ના મત્ત ' ' તે જ નથી હોતા' એ વચનથી. ) શું? તેા કેસવુત્સાઃ-તેના ઉત્પાદ, એટલે અસત્ત્વને ઉત્પાદ થશે,-કાદાચિત્કપણાથી (કદાચિત્ હેાવાપણાને લીધે). તો-તેથી કરીને, તે ઉત્પાદને લીધે, નાશોપિ તત્ત્વ-તે અસત્ત્વને નાશ પણુ થશે. Page #727 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા: ક્ષણિકવાદમાં અસત ઉત્પાદ આદિ દેષ (૬૫૧) સતનું ૫સતપણું સતે-ઉત્પત્તિ તસ હોય; તેથી તેહ અસવનો, અહિં નાશ પણ જોય; ને તેથી કરી નષ્ટને, ઉપજે પુનર્ભાવ; અથવા નાશ સદા કલ્લે, સ્થિતિ ન તેની સાવ, ૧૫ અર્થ -સતનું અસત્વ-અસતુપણું માનવામાં આવ્યું તે અસત્ત્વને-અસતપણને ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્વને નાશ પણ થશે; તેટલા માટે નષ્ટ અસત્વને પુનર્ભવ થશે, અને સદા નાશ માળે તેની સ્થિતિ જ નહિ હેય. વિવેચન સ પર્વ મવતિ:–“તે જ નથી હોતે” એ વચન ઉપરથી સતનું–ભાવનું અસત્વ-અભાવ માનવામાં આવ્યું, કવચિત્ હોવાપણને લીધે અસત્વને ઉત્પાદ થશે, અને તે ઉત્પાદને લીધે તે અસત્તને નાશ પણ થશે કારણ કે “જે ઉત્પત્તિવાળું અસત્ ઉત્પાદ હેય તે અનિત્ય હેય” એવો નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા આદિ દોષ અસત્વને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત્ બીજી કોઈ રીતે ઘટમાળપણું નથી. હવે નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વપશ્ચાતુ-આગળપાછળ અવસ્થિત જ છે, એમ કેઈ કહે તો એ આશંકીને કહે છે–સદા નાશ જે માનવામાં આવે તે તેની સ્થિતિ જ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે. તે જ નથી હોત” એ વચનના આધારે જ સતનું અસપણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસતની ઉત્પત્તિ થશે, અભાવનો ઉદ્દભવ થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કતો સદા સત્ : ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે! કાંતે સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશુગ, અથવા વંધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષબાધિત છે, અનેક પ્રકારે દોષયુક્ત છે. (૧) તથાપિ ધાર કે અસત ઉત્પાદ થશે, તે તે અસતને નાશ પણ સાથે આવીને ઉભું રહેશે. કારણ કે જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ એવો નિયમ છે. તેથી અસત્વને વિનાશ થશે, તે અસત્વ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસવને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વને વિનાશ “વહુત્તિમત્તનત્ય' જે ઉત્પત્તિવાળું હોય તે અનિત્ય હેય, એટલા માટે. ચંદુજે કારણથી, જેથી કરીને. એમ તન-તેથી કરીને, નB%-નષ્ટને, અસત્ત્વ, પુનર્માવ:-તે જ રૂપે પુનર્ભવ થશે,–તે અસવના વિનાશની અન્યથા અનુપત્તિને લીધે (તે અસત્ત્વનો વિનાશ બીજી કોઈ રીતે નહિં ઘટે માટે). હવે “નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વ-પશ્ચાત અવસ્થિત જ છે” એ આશંકાને કહે છે–સા -સદા નાશ માનવામાં આવ્ય, શું? તે કે-તતિથતિઃ-તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે. Page #728 -------------------------------------------------------------------------- ________________ (૫૨) યોગદરિસમુચય બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સતપણું જ રહેશે, વસ્તુ સદા સતસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે
Page 450
માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાદી મુંઝાઈને સતવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તે છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે–સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે, એટલે તમે માનેલું સત સદા અસત્ જ થઈ પડશે. આમ સતનું અસત્ત્વ માનવાથી (૧) અસત ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા-સતવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, ક્યારેય પણ તેની સ્થિતિ નહિ હોય. આકૃતિ ઃ ૧૯ | િ૦ ૦ ૦. ભાવ ભાવ ભાવ [ અભાવ ઉત્પાદઅભાવ નાશ ] ક્ષણિકવાદી { અભાવ અભાવ અભાવ અભાવ [ સદા ના] X લાવ x x x स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ । युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તે દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ: ક્ષણસ્થિતિ ધર્મકપણું, એ જ યુક્ત એનુંય; અને તેમ તે જે કહ્યું, તે યથાર્થ બધુંય, ૧૯૬૦ અર્થ :–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હેય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલ્લંઘન થતું નથી. વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષણસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલ્લંઘન થતું નથી. વૃત્તિ:-સ: તે નાજ, ક્ષતિષ જેત-જે ક્ષણસ્થિતિધર્મવાળે ભાવ જ છે, આ આશંકાને કહે છે-હૂિતીયાક્ષિકે ચિતૌ-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તો કે–પુરાતે હેતરિ–આ પણ યુક્ત છે, ક્ષમુસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, બચ-આનું, અધિકૃત ભાવનું, તથા ૨-અને તેવા પ્રકારે, એમ સતે, સારતિમ –ઉક્તને અનતિક્રમ છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ સુતતત્વમીમાંસા : કાં તો સદા સ્થિતિ, કહે સદા અસ્થિતિ | (૫૩). ઉપરના લેકમાં કહ્યું કે–સદા નાશ માનવામાં આવ્યું વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિ રહે, એટલે ક્ષણિકવાદી કહે છે કે-તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળો છે. તેને જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે–(૧) બીજી વગેરે ક્ષણે પણ આ કાં તે સદા તમે જે ક્ષણસ્થિતિધર્મપણું કહો છો તે ઘટે છે, એટલે બીજી વગેરે સ્થિતિ કા તે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળે ધર્મ આવીને ઉભો રહેશે. એમ અનંત સદા અસ્થિતિ ક્ષણ પર્યત ચાલ્યા જ કરશે, તે પછી ક્ષણસ્થિતિ ધર્મ વિનાની ખાલી કઈ ક્ષણ હશે? એ બતાવે. અર્થાત અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું ક્યાં રહેશે? (૨) અથવા એમ જે કહો કે નાશ ક્ષણસ્થિતિધર્મવાળે-ક્ષણભર રહેનાર છે, તે પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષણસ્થિતિવાળો નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષસ્થિતિ ધર્મવાળા નાશ વિનાની ખાલી–અવકાશરૂપ એવી કઈ ક્ષણ હશે? તે કહે. એવી એક પણ ક્ષણ નહિ હોય કે જ્યારે નાશ નહિં વર્તતે હોય, અથાત્ સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તે સદા સ્થિતિ-સપણું જ પ્રાપ્ત થશે, અને કાં તે સદા અસ્થિતિ-અસત્પણું જ પ્રાપ્ત થશે, એટલે કઈ પણ રીતે તમારે ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિં. અને
Page 451
આમ ઉપરમાં જે કહ્યું હતું તે બધુંય બરાબર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે. કેવા પ્રકારે? તે કહે છે – क्षणस्थितौ तदैवास्य नास्थितियुक्त्यसंगतेः । न पश्चादपि सेत्येवं सतेोऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિ યુક્ત; ન પછી પણ અસ્થિતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત, અથ –ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,-યુક્તિની અસંગતિને લીધે, અને પછી પણ તે અસ્થિતિ નથી –એવા પ્રકારે સનું અસત્વ વ્યવસ્થિત છે. વિવેચન ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ અસ્થિતિ નહિ જૂત્તિઃ-ક્ષળસ્થિતૌક્ષણસ્થિતિ સત, તદૈવત્યારે જ, વિવક્ષિત ક્ષણે, ચ-ગાની, વિવક્ષિત ભાવની જ, નાસ્થિતિ -અસ્થિતિ નથી. શા કારણથી? તે કે-યુવચરંજતે-યુક્તિની અસંગતિને લીધે, સારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે જ પાપ-પછી પણ–દિતીય ક્ષણે પણ નહિ, તે અસ્થિતિ નથી, યુક્તિ અસંગતિ થકી જ. ‘સારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરોધ થકી.” -એવા પ્રકારે મુકિત છે. સૂત્રેઉં એવા પ્રકારે, કરોડર્વ-સતનું અસત્ય વ્યવસ્થિત છે. અને તેથી કરીને સતના અસવમાં તેના ઉત્પાદ ઈત્યાદિ અનુવ જ છે. Page #730 -------------------------------------------------------------------------- ________________ (૬૫૪) યોગદિસમુચ્ચય ડાય; કારણકે નહિ તે ત્યારે જ અસ્થિતિને વિરોધ આવે, એમ યુક્તિની અસ`ગતિ હાય. પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિ. હાય, યુક્તિની વિવક્ષિત આદિ અસ’ગતિને લીધે જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ છે’— ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હાય છે માટે. એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. અને તેથી કરીને તોડસરવે તનુાવ: 'સત્તુ અસત્ત્વ સતે તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે. આગલા èાકમાં નાશ ક્ષણસ્થિતિધમ વાળા છે, ઇત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણુ કર્યું" છે. ( ૧) ભાવની ક્ષણસ્થિતિ વેળાયે ત્યારે જ–અમુક ચાક્કસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિ હોય, અર્થાત્ સ્થિતિ જ હોય. કારણ કે નહિ તે યુક્તિની અસગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત્ જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિઁ એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિ. એટલે વસ્તુ જો ક્ષણસ્થિતિ ધર્મ વાળી હોય તેા વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હેાવી જ જોઇએ. (૨) અને પછી પણ ખીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસતિ થાય; ‘ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિના વિરેધ આવે છે' એ પ્રકારે યુતિ છે, તેની અસ'ગતિ થાય; અર્થાત્ જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિ, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિ' એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની અસ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. સ્થિતિ એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ -આમ સત્તું અસત્ત્વ સતે અસત્ત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે ખધુંય ખરાખર જ છે, એમ સાબિત થયુ' એટલે ક્ષણિકવાદીએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનુ અસત્ત્વ સ્થાપિત થયું; અર્થાત્ અસતપણું-અસત્યપણું મિથ્યાપણું પૂરવાર થયું. આમ સથા ક્ષણિકવાદ અસત્ છે. । इति एकान्त अनित्यपक्ष निराकरणम् । નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે— भवभावा निवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ભવભાવનેાય જો વળી હાય નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તા ઘટે નહિ...જ સાવ; કારણ કે એકાન્તથી જેના એક સ્વભાવ; તેના કદીય હાય ના, હ્રય અવસ્થા ભાવ, ૧૯૮ વૃત્તિ:-મવમાવાનિવૃત્તવવિ–ભવભાવની અનિવૃત્તિમાં પણુ, એકાન્ત નિત્મતામાં પણુ, શું? તા કે—યુહા મુદ્દઋવના-આત્માની મુક્તિકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે ક-જાત્તેજ સ્વમાવય-એકાન્ત એક સ્વભાવનું,–અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવતાનું સઁદ્િ–કારણ કે નથી, જાય દૂર્ય-અવસ્થાત,—સ ંસારી અને મુક્ત૫, ચિત્—કવચિત્ ,–એકાંત એકસ્વભાવપણાના વિરાધને લીધે. Page #731 --------------------------------------------------------------------------
Page 452
________________ સાતત્વમીમાંસા : ક્ષણિકવાદ અસત, એકાંત નિત્યમાં મોક્ષ નહિં ઘટે અર્થ –ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે, કારણ કે એકાંત એક સ્વભાવની કવચિત બે અવસ્થા હાય નહિં. વિવેચન ભવભાવની – સંસારભાવની અનિવૃત્તિમાં પણ, અર્થાત્ એકાન્ત નિત્યતા માનવામાં આવતાં પણ, આત્માની મુક્તકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તે કે એકાંત એક સ્વભાવનું અવસ્થાદ્વય કદી હેય નહિં; અર્થાત્ અપ્રચુત, અનુત્પન્ન, એકાંત નિત્યમાં સ્થિર એ જેને એકરૂપ સ્વભાવ હોય, તેને સંસારી ને મુક્ત એવી મોક્ષ નહિં ઘટે બે અવસ્થા કદી હોય નહિ, કારણ કે તેમ તે તેના એકાંત એક સ્વભાવ૫ણુને વિરોધ આવે. ઉપરમાં કહ્યા પ્રમાણે એકાંત અભાવરૂપઅનિત્ય પક્ષમાં જેમ મેક્ષ ઘટતું નથી, તેમ એકાંત ભાવરૂપ નિત્ય પક્ષમાં પણ મેક્ષ ઘટતે નથી. કારણ કે ભવભાવ-સંસારભાવ હોય, તે નિત્ય પક્ષના અભિપ્રાયે તેની કદી નિવૃત્તિ થશે નહિં, એટલે સદાય ભવભાવ જ-સંસારભાવ જ રહ્યા કરશે, અને આત્માની કદી પણ મુક્તિ થશે નહિ. આમ એકાંત નિત્ય પક્ષમાં મુક્તકલ્પના ઘટતી નથી, કારણ કે એકાંતે એક સ્વભાવરૂપ જે હોય, તેને કદી પણ બે અવસ્થા હોય નહિ. એકાંત નિત્ય પક્ષના અભિપ્રાય પ્રમાણે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ હોય તે નિત્ય છે. એટલે કે જે સ્વરૂપથી પ્રચુત-ભ્રષ્ટ નહિં હોવાથી અપ્રચુત છે, ઉત્પન્ન નહિં થતું હોવાથી જે અનુત્પન્ન છે, સદા સ્થિરતાવાળું હોવાથી જે વિધાત્મક સ્થિર છે, અને અદ્વિતીય એવા એકસ્વભાવવાળું હોવાથી જે એકરૂપ નિત્ય વ્યાખ્યા છે,–તે નિત્ય એવું સત્ છે, એમ તેઓની “નિત્ય શબ્દની વ્યાખ્યા છે. “ શકત્રુતાનુનર્થિક સ’ –આ તેઓની માન્યતા પ્રમાણે ભાવ–વરતુ નિત્ય હેઈ, સદા સ્થિર એકસ્વભાવરૂપ હોય છે, તે જ પ્રમાણે જેમ છે તેમ સદા અવસ્થિત રહે છે, એટલે તેમાં કોઈ બીજો ફેરફાર કે પરિણામ કે અવસ્થાતર ઘટતું નથી; અને આમ તેની સદા જેમ છે તેમ એક જ અવસ્થા રહે છે, બીજી અવસ્થા સંભવતી નથી. નહિ તે તેના એકાંત એકસ્વભાવપણાને વિરોધ આવે. એટલે જે સંસારભાવ હશે તે સદાય સંસાર ભાવ જ રહેશે. તેમાંથી કદી પણ મુક્તપણારૂપ બીજા ભાવનો અવસ્થાને સંભવ નહિ જ થાય. આમ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ મુક્તપણું ઘટશે નહિં, અને “મુક્તપણું” એ કલ્પના માત્ર થઈ પડશે ! અને આ મુક્તિ માટે યોગમાર્ગ પણ “કલ્પને માત્ર ભદ્રક” થઈ પડશે ! અર્થાત્ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ ગમાર્ગને સંભવ જ નહિં રહે. (જુઓ . પૃ. ૮૦) Page #732 -------------------------------------------------------------------------- ________________ (૬૫૬) યોગદષ્ટિસમુચય ___ तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ।। १९९॥ અને બે અવસ્થા તણે, હોતાં એમ અભાવ; સંસારી ને મુક્ત એ, કથન નિરર્થક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણે અભાવ, ન્યાયથી તાત્ત્વિક માન, એ જ ઇષ્ટ છે ભાવ. ૧૦૦ અર્થ-અને તે અવસ્થાઢયના અભાવે સંસારી અને મુક્ત એમ કહેવું નિરર્થક થઈ પડશે. તેથી આ આત્માનો સ્વભાવપમદ ન્યાયથી તાત્વિક માન્ય કરે. વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાના અભાવે સંસારી અને મુક્ત, એમ આ નિરર્થક જ શબ્દમાત્ર જ થઈ પડશે, કારણ કે અર્થને અગ છે. તેથી કરીને તથા પ્રકારે આ આત્માને સ્વભાવ૫મર્દ નીતિથી-ન્યાયથી તારિવ-પારમાર્થિક માને એ જ ઇષ્ટ છે. આ સ્વભાપમર્દ તદન્તરથી તદન્તરના દુર કરવારૂપ લક્ષણવાળે છે, અર્થાત તેનાથી અન્ય વડે કરીને તદ્અન્યને હર કરવારૂપ લક્ષણવાળે છે. ઉપરમાં સાબિત કરી બતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ બે અવસ્થા હેઈ શકે નહિં. આમ અપરિણમીમાં અવસ્થાકયના અભાવે આત્માની સંસારી ને મુક્ત એવી બે અવસ્થા ઘટશે નહિં. એટલે તિર્યંચાદિ ભાવવાળે સંસારી,
Page 453
અને ભવપ્રપંચના ઉપરમને લીધે મુકા, –એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરર્થક જ–અર્થવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઈ પડશે, કથનમાત્ર જ-કહેવા પૂરતી જ રહેશે, તે કલ્પના તે કલ્પના જ રહેશે, અર્થરૂપ-તત્ત્વરૂપ નહિં રહે. આ અયુક્ત છે, દષ્ટ-ઈષ્ટથી બાધિત છે; કારણ કે સંસારી અને મુક્ત એ બે જુદી જુદી અવસ્થા તત્ત્વથી અવશ્ય છે, દષ્ટ અને ઈષ્ટ છે, એટલે અપરિણામી એ નિત્ય એકાંતપક્ષ કઈ રીતે ઘટતું નથી. આ ઉપરથી ફલિતાર્થ એ છે કે-સંસારી ને મુક્ત એ બે અવસ્થાનું ઘટનાનપણું તે જ હોય કે જે આત્માને સ્વભાવોપમ€ તાવિક-પારમાર્થિક માનવામાં આવે. એક સ્વભાવે કરીને બીજે સ્વભાવ દૂર કરાય-હઠાવાય, તે જ સ્વભાવવૃત્તિ-તમારે ર–અને તેના અભાવે, અવસ્થયના અભાવે, સંસાર-સંસારી, તિચ આદિ ભાવવાળે, મચ્છ-અને મુક્ત,-ભવપ્રપંચ પરમ થકી, પતિ-આ, નિરર્થનિરર્થકશબ્દમાત્ર જ છે. અર્થના અાગને લીધે. તા-તેથી, તથા પ્રકારે, માવોપમર્હ:-સ્વભાવ ઉપમ, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણવાળે તેનાથી અન્યથી તદ્અન્યના દૂર કરવારૂપ લક્ષણવાળ એ, અન્નઆનો, આત્માને, ના-નીતિથી, ન્યાયથી શું! તકે- તાવિળતાં તારિક ઈછા પારમાર્થિક માને. Page #733 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્ત્વમીમાંસા : તાત્ત્વિક સ્વભાવેાપમદ –પરિણામાંતર (૬૫૭) તાત્ત્વિક પમનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવેાપમદ ભાવાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાવેાપમ છે. પરિણામ એટલે સ’સારી ભાવના સ્વભાવેાપમ થઇ પિરણામાંતર થાય, ભાવાંતર થાય, તેા જ મુક્ત ભાવ ઘટે−નહિં તે નહિ. કારણ કે સ્વભાવેાપમ ન થાય—એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સ'સારી ભાવ એમ ને એમ રહે, ભાવાંતર–પરિણામાંતર ન થાય, તેા મુક્ત ભાવ થાય જ કેમ ? માટે આમ ન્યાયથી આ આત્માને સ્વભાવેાપમદ –પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવે ઇષ્ટ છે. કારણ કે પાિમી આત્મામાં જ અવસ્થાભેદની સંગતિથી યાગમાગ ને સંભવ હાય છે. (જુએ. હ્યેા. ટનેટ પૃ. ૮૧.) CLEARANCES दिक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते । प्रधानादिनते हैं तुस्तदभावान्न तन्नतिः ॥ २००॥ દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવત્તે અહિં આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનુ, દિક્ષાદિ નિદાન; તસ અભાવે તેહવું, હાય નહિ. પરિણામ. ૨૦૦ અર્થ :—દ્રિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવુ. તે ક્રિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિના હેતુ છે; અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ નથી હાતી. વિવેચન દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરિત જ એવુ આ દિદક્ષાદિ આત્માને નિવત્તે છે. તે કેવું છે ? તા કે પ્રધાન આદિની પરિણતિના હેતુ કારણ છે. અને તે દિક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હાતી નથી. તે આ પ્રકારે : દિદક્ષા એટલે દેખવાની ઈચ્છા, જગત્ રચના દેખવાની ઇચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-માદિ અંતરગ મલ, ભાવમલ. ભવાધિકાર એટલે સ`સારના અધિકાર, સંસાર ભાવનું પ્રાબલ્ય, સૌંસાર ભાવની સત્તા. આ દિક્ષાદિ વૃત્તિ:—વિદક્ષાલિ-દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, આત્મમૂત-આત્મભૂત, સહેજ વસ્તુસત્, તત્-તેથી, મુખ્યમ્-મુખ્ય, અનુપરિત જ, ચ-આ આત્માનું, નિતિ-નિવત્ત છે. તે કેવું ? તે કેપ્રધાન નિતે તુ:–પ્રધાન આદિની પરિણતિના હેતુ–કારણ એવું, તમ વાત-૩ દિદક્ષાદિના અભાવથી, ન તન્નતિ:-તેની નતિ–પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી,-મુક્ત આત્માને. Page #734 -------------------------------------------------------------------------- ________________ (૬૫૮) ગદરિસમુચ્ચય આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે ( Realistic ), કાલ્પનિક ( Imaginary) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હોવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિપચરિત છે. તે દિક્ષાદિ આ આત્માને નિવૉ છે, તે પ્રધાનાદિની પણિતિને હેતુ હોય છે, અને તે તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હેતી નથી.* અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના
Page 454
જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પિતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે. અને એમ થવા માટે સપુરુષના શરણુ જેવું એકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં મેહધ પ્રાણીઓ નહી જાણીને ત્રણે તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે. તે નાથ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આ૫, એ ઉદ્દગાર નિકળે છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપરમાં સ્વભાવપમદં તાત્ત્વિક છે, અને તેથી અવસ્થાતર-ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાતર-ભાવાંતરરૂપ પરિણામીપણું કેવા પ્રકારે હોય છે? તેનું અહીં સ્પષ્ટીકરણ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી બે અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું બતાવ્યું છે. દિદક્ષા વગેરે જે આત્માનો અંગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવત્ત તો નથી-ટળતો નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ-પ્રધાનાદિની પરિણતિનું નિમિત્ત-કારણ થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવત્તે છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની-પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. તાત્પર્ય કે જ્યાં લગી દિદક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવને અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હોય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ હોય છે. આમ દિદક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામીપણું સતે ઘટે છે,આત્માનું અપરિણામીપણું સતે આ બધું નિરર્થક નિષ્ફલ થઈ પડે છે. * * “નામદશીનાં વિશ્વાસઃ મેવ વા | આત્મજોવા મદદીનાં વસ્ત્ર વિશ્વાસ વધ ઘા રતિઃ ”—શ્રી સમાધિશતક, દિક્ષાવિનિઘ્રચાહિ પૂર્વકૂતિં યથા ગામનોડmરિણામ સર્વમેતાર્થમ્ – શ્રી બિન્દુ, બ્લે. ૪૮૯ Page #735 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા: દિક્ષાદિથી પ્રકૃતિપરિણતિ> સંસાર, તદભાવે મેક્ષ (૬૫૯) દિક્ષાદિ... » પ્રકૃતિ પરિણામ-- સંસાર. દિક્ષાદિ અભાવ–- પ્રકૃતિપરિણામ અભાવ--> સંસાર અભાવ (મોક્ષ) अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥२०१॥ નહિ તે હોય આ નિત્ય ને, કહાય આ “ભવીએમ; ભવનું નિત્યપણું સતે, મુક્ત સંભવ જ કેમ? ૧૦૧ અર્થ :–નહિ તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોય, અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ” કહેવાય છે, અને એમ ભવનિત્યત્વ સતે મુક્તિનો સંભવ કેમ હોય? વિવેચન અને એમ જે દિક્ષાદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હોય. અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ’ કહેવાય છે, “સંસાર” નામે ઓળખાય છે, કારણ કે એ પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ સત, તાદાત્મક મહત્ આદિને ભાવ હોય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોતાં, એમ ભવનું નિત્યપણું થશે, એટલે મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય, એમ અર્થ છે. ઉપરના લેકમાં દિક્ષા-ભાવમલ આદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હોય છે, અને તેના અભાવે તેની પરિણતિ હોતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જે ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદેવ જ થયા કરે; કારણ કે જે સકારણ હોય છે તે કાદાચિક હેય-કવચિત કારણ મળ્યું જ હોય, પણ નિષ્કારણ હોય તે કાં તે સદાય જ હોય અને કાં તે સદાય ન હોય, આ નિયમ છે. એટલે દિક્ષાદિ નિમિત્ત કારણ જે ન હોય, પ્રધાનાદિ પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તે તે પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિં, કદી પણ વિરામ પામશે નહિં, ને મોક્ષ કદી થશે નહિ. ત્તિ અને આમ આ અંગીકાર કરવા યોગ્ય છે,-અન્યથા-અન્યથા, નહિં તો, એમ અભ્યપગમ સ્વીકાર ન કરવામાં આવતાં, ચાર્જિ-આ
Page 455
બધાનાદિ નતિ–પરિણતિ હોય, નિત્ય-નિત્ય, સદૈવ. તેથી શું? તે કે-gષા -અને આ પ્રધાનાદિ નતિ–પરિણુતિ, મન ઉથલે-ભવ કહેવાય છે, સંસાર નામે ઓળખાય છે,–એની પરિણતિ સતે તદાત્મક મહત આદિના ભાવને લીધે, જીવું –અને એમ, ઉક્ત નીતિથી, અવનિત્ય-ભવનિત્ય સતે, થં મુલ્ય હંમર:-મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય એમ અર્થ છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ થાગદષ્ટિસમુચ્ચય કારણ કે આ પ્રધાનાદિની જે પરિણતિ છે. તે જ ભવ અથવા સંસાર કહેવાય છે. પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ હતાં, તે પ્રકૃતિઆત્મકઃ મહતુ આદિને ભાવ હોય છે. પ્રધાનમાંથી મહતુ અર્થાત્ બુદ્ધિ ઉપજે છે, મહમાંથી અહંકાર પ્રકૃતિપરિણતિ ઉપજે છે, અને અહંકારમાંથી છોડશક ગણુ ઉપજે છે, અર્થાત્ પાંચ એ જ સંસાર બુદ્ધિ ઈન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા અને મન, એમ સળ ઉપજે છે. આમ પ્રધાન–પ્રકૃતિની પરિણતિ પ્રમાણે ભવની-સંસારની પરિણતિ હોય છે. એટલે પ્રધાનની પરિણતિ જે નિત્ય હોય, તો ભવની-સંસારની પરિણતિ પણ નિત્ય થશે. અને આમ ભવનું–સંસારનું નિત્યપણું હેતાં, મુક્તને અસંભવ જ થશે. આ અયુક્ત છે. એટલે નિષ્કારણ-નિનિમિત્ત એવી પ્રધાનાદિની પરિણતિ ઘટતી નથી, પણ દિદક્ષા-ભાવમલ આદિન નિમિત્ત-કારણે જ તેની પરિણતિ ઘટે છે. તાત્પર્ય કે-દિક્ષાદિના કારણે સંસાર ને તે કારણ ટળે મેક્ષ હોય છે. એમ સિદ્ધાંત સ્થાપિત થયે. દિક્ષાદિ –- પ્રધાનાદિ પરિણતિ –– સંસાર. તેમજ-પ્રધાન (પ્રકૃતિ) -> મહત્ (બુદ્ધિ) –-> અહંકાર > ષોડશક ગણ, (પાંચ બુદ્ધિ ઇંદ્રિય; પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા, મન.) ના મન.) अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०२ ॥ અવસ્થા જો તત્વથ નથી, પ્રત્યય તેને કેમ ? બ્રાંત એહ, એથી જ શું? પ્રમાણ અહિં ન એમ, ૨૦૨ અર્થ :-તત્વથી અવસ્થા નથી એમ જે કહે, તે તેનો પ્રત્યય કેમ હોય? આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે, તે આથી શું? અત્ર બ્રાંત અવસ્થામાં માન-પ્રમાણ વિદ્યમાન છે નહિં. ત્તિઃ-અવસ્થા તત્વતો-અવસ્થા તત્તથી–પરમાર્થથી. નો રે-જે ન હોય, પૂર્વાપર ભાવથી. તે આશંકીને કહે છે ન તબત્યિ :-વારુ, તેને પ્રત્યય—અવસ્થાને પ્રય, વ્યં-કેવી રીતે હોય ?નિબંધનના અભાવે. આ ભલે હે ! તેથી શું ? પ્રાન્તોડય-આ બ્રાંત છે, આ અવસ્થા પ્રત્યય જતિ છે. તે જિમન-આથી શું ? દૃત્તિ-એમ આ આશંકાને કહે છે-માનમત્ર-માન–પ્રમાણુ અત્ર ભ્રાંત અવસ્થામાં, ન વિદ્ય-વિદ્યમાન નથી. x “एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ततः संजायते बुद्धिमहानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यातत्तस्मात् षोडशको गणः॥" –શ્રી હરિભદ્રસુરિત દર્શનસમુચ્ચય ૩૬-૩૭ Page #737 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા: ભવનિત્યત્વ સતે મુક્ત અસંભવ: અવાંતર સિદ્ધિ વિવેચન જે પૂર્વાપર ભાવથી અવસ્થા તત્વથી-પરમાર્થથી નથી એમ કહો, તે વારુ, નિબંધનના અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેવી રીતે ઉપજશે? એટલે વાદી કહે છે-આ ભલે હો, આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે. એથી શું? તેને જવાબ આપે છે કે અત્રે બ્રાંત અવસ્થા બાબતમાં કઈ પ્રમાણ વિદ્યમાન નથી. ઉપરમાં પરિણમી આત્મામાં સંસારી ને મુક્ત એ બે અવસ્થા કેવી રીતે ઘટી શકે છે, તે નિર્મલ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું, અને એકાંત નિત્ય પક્ષનું ખંડન કર્યું. એટલે નિત્ય પક્ષવાદી કહે છે કે–તમે ભલે તે બે અવસ્થા સિદ્ધ કરી અવસ્થા બા. બતાવી, પણ તે અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી. તેને ન્યાયમૂતિ દલીલો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-વારુ, તે અવસ્થા જે પરમાર્થથી નથી, તે કારણ અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેમ ઉપજશે ? આ સંસારી અવસ્થા ને આ સિદ્ધ અવસ્થા, એવી પ્રતીતિ શી રીતે થશે? એટલે સંકડામણમાં આવીને વાદી કહે છે–આ ભલે હો, પણ આ અવસ્થા પ્રત્યય તે ભ્રાંત છે. આથી શું? તેને પુનઃ જવાબ આપે છે કે–આ
Page 456
અવસ્થા પ્રત્યય બ્રાંત છે એમ તમે કહે છે તે તેનું પ્રમાણ શું? અત્રે પ્રમાણ કઈ છે નહિં. . योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०३।। ગિજ્ઞાન જે માન તે અવસ્થાન્તર તે તાસ; તો શું ? ભ્રાંત આ અન્યથા, સિદ્ધસાણતા ખાસ. ૨૦૩ અર્થ :–અને ગિજ્ઞાન માન છે–પ્રમાણ છે એમ જે કહો, તે તે વિજ્ઞાન તે યેગીનું અવસ્થાંતર થયું. તેથી શું? તે કે–આ ગિજ્ઞાન બ્રાંત હોય, નહિં તે એનું અભાંતપણું સતે સિદ્ધસાધ્યતા થાય, અર્થાત અવસ્થાભેદની ઉપપત્તિ થાય. ગીજ્ઞાન જ અત્ર પ્રમાણ છે, એમ જે કહો, તે તે યોગીજ્ઞાન ગીનું અવ કૃત્તિ–વૉજિલ્લાને સુ-ગિજ્ઞાન જ, કાર્ન રેત-અત્ર જે પ્રમાણ છે, આ આશંકાને કહે છે, તવા તુ-તેનું અવસ્થાતર જ, યેગી અવસ્થાન્તર જ, ત–તે, ગિનાન છે. તતઃ વિં–તેથી શું ? એમ આ આવીને કહે છે-જાતનેચાત-આ મિજ્ઞાન ભ્રાંત હેય. અન્યથા-અન્યથા, નહિં તે એનું અભ્રાંતપણે સતે, શું? તો કે-સિદ્ધાર્થતા-સિદ્ધસાધ્યતા થાય,-અવયભેદની ઉપપત્તિને લીધે.. Page #738 -------------------------------------------------------------------------- ________________ (૬૬૨) ગદષ્ટિસમુચ્ચય સ્થાતર જ છે. તેથી શું? તે કે-આ યોગીજ્ઞાન ભ્રાંત હોય; નહિં તે એનું અબ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય. ઉપરમાં પ્રમાણ શું એમ પૂછયું, એટલે વાદી કહે છે કે- ગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેને શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-જે તમે યેગીજ્ઞાનને પ્રમાણુ કહેતા હે તે તે ગીજ્ઞાન પોતે જ ગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે–તેથી શું? તે યોગીનું અવસ્થાંતર છે, તો તેથી શું થઈ ગયું ? તે ઉપરથી તમે શું કહેવા માગો છો ? તેને સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ ગીજ્ઞાન કાં તે બ્રાંત હોય ને કાં તો અબ્રાંત હાય. જે ભ્રાંત કહો તે તેને તમે પ્રમાણભૂત લેખ્યું શી રીતે ? અને જે અબ્રાંત કહે તે સિદ્ધસાધ્યતા થઈ. અર્થાત્ અબ્રાંત એવા અવસ્થાભેદની ઉ૫પત્તિ થઈ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું ! જયાંથી તમે છટકવા માગતા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતને સ્વીકાર કર્યો હેવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતું નથી, કારણ કે યોગીજ્ઞાન એ જ પિતે તે યોગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે યેગીજ્ઞાન હેતું, પછી થયું, એટલે એ આગલી અવસ્થામાંથી થયેલી જુદી અવસ્થા છે. અને આ તે અબ્રાંત છે–પ્રમાણભૂત છે એમ તમે કહો છો, એટલે તે અવસ્થાતર પણ અબ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરે છે. ઇતિ સિદ્ધ નઃ સમીહિતમ! કિં બહુ જલ્પિતન ?—આમ એકાંત નિત્યપક્ષનું પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું. એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયો. તાત્પર્ય કે–આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે–પર્યાયથી પલટાય છે. બાલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.”—શ્રી આત્મસિદ્ધિ. | તિ પ્રાન્તનિત્યનિયા Rળમ્ ! વસ્તુસ્વભાવ-સાર ક્ષણિકવાદી કહે છે કે-“આગલી પાછલી ક્ષણે વસ્તુને અભાવ છે, વર્તમાન ક્ષણે જ તેને ભાવ-હેવાપણું છે.” (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વર્તમાન ભાવવાળી તે છે, એટલે તે સદા તદૂભાવવાળીએકાંત અનિત્ય વર્તમાન ભાવવાળી હોવી જોઈએ. કારણ કે “સદા તદૂભાવથી તદુવતી હોય પક્ષ અયુક્ત એવો નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિધિથી તે વસ્તુ સદા વર્તમાન
Page 457
ભાવવાળી અર્થાત્ નિત્ય સિદ્ધ થશે. અને તે વર્તમાન ભાવને Page #739 -------------------------------------------------------------------------- ________________ સુતતત્ત્વમીમાંસા : વસ્તુસ્વભાવસાર : એકાંત અનિત્યાદિ પક્ષ અયુક્ત (૬૬૩) સ્વીકાર નહિ કરે, તે તે સદાય અસત્ જ સિદ્ધ થશે. આમ કાં તા વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિ. (૨) હવે જો ક્ષણુિવાદી એમ કહે કે—જે આગલી ક્ષણે છે તે જ છે નહિ.' । ‘તે અન્યથા હોય છે' એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા-ખીજી જ થઈ જતી હાય તે ‘તે' કેમ ? અને તે હોય તા ‘અન્યથા’–બીજી જ કેમ થાય ? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તે તે જ છે તે તે કેમ છે નહિ ?’ અને તે છે નહિ. તે ‘તે' કેમ ? એમ વદતા વ્યાઘાત થાય છે. (૩) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દોષ આવે છે, કારણ કે સત્તુ અસત્ત્વ માને, તે અસત્ત્વને ઉત્પાદ થશે, અર્થાત્ અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હાય તેનેા નાશ પણ હેાય જ, એ નિયમથી આ અભાવના નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુને તે ને તે રૂપે પુનઃર્ભાવ થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાખિત થશે. અને જો વસ્તુ સદા નાશવંત માના તેા વિવક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હાય, અર્થાત્ તે સદા અભાવરૂપ સાખિત થશે. (૪) હવે જો એમ કહો કે તે નાશ ક્ષણસ્થિતિધર્માંવાળા છે, તેા ખીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હોતાં આ ક્ષણુસ્થિતિધ પશુ... આવીને ઊભુ` રહેશે. એટલે જે કહ્યુ હતુ. તેમજ થશે. કારણ કે જ્યારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સનું અસત્ત્વ વગેરે જે કહ્યું હતું તે બધું ય ખરાખર છે. અર્થાત્ કાઈ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પ કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી. તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કાઈ રીતે ઘટતા નથી. કારણ કે (૧) અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એકભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તે તેની કદી પણ નિવૃત્તિ નહિ થાય, અર્થાત્ સદાય સ'સારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની ઉપપત્તિ થશે નહિ; કારણ કે એક સ્વભાવની એ અવસ્થા કદી હાય છે. એટલે સ’સારી અને મુક્ત એમ એ અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઈ પડશે, માટે એક સ્વભાવથી ખીજા સ્વભાવના ઉપમ તાત્ત્વિક માનવા ઈષ્ટ છે. અર્થાત એક સ્વભાવ ખીજા સ્વભાવને ખસેડી તેનું સ્થાન લે તેા જ સસારી ને મુક્ત એમ એ અવસ્થા ઘટી શકે, નહિ તેા નહિ. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવત્ત છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હાતી નથી. અર્થાત્ દિક્ષાદિ કારણ જ્યાંલગી ટળતું નથી ત્યાંલગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ મળ્યે પ્રધાનાદિની પરિણતિ થતી નથી. નહિ' તે। દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણુ એવી આ પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ એકાંત નિત્ય પક્ષ અયુક્ત Page #740 -------------------------------------------------------------------------- ________________ (૬૬૪) ગદષ્ટિસમુચ્ચય છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનું નિત્યપણું હેતાં, મુક્તને સંભવ કેમ થશે ? માટે દિક્ષાદિ કારણ માનવું પડશે. દિક્ષાદિ હોતાં સંસાર હોય છે, અને તેના અભાવે મોક્ષ હોય છે. આમ બે અવસ્થા
Page 458
ઘડશે. (૩) અને એમ જ કહે કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ શાંત છે એમ કહે છે તેનું પ્રમાણ શું ? યોગીજ્ઞાન પ્રમાણ છે, તે તે આ યોગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ ગીજ્ઞાનને ભ્રાંત કહે તે તેને પહેલાં પ્રમાણ કેમ કહ્યું? અને અબ્રાંત કહે, તે અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યો. આમ કઈ રીતે એકાંત નિત્ય પક્ષ (ભાવરૂપ વસ્તુ ) ઘટતું નથી. તાત્પર્ય કે વસ્તુ ભાવ-અભાવરૂપ છે, અર્થાત પરિણમી નિત્ય છે. એમ માનીએ તે જ સંસાર-મોક્ષ એ સર્વ વ્યવસ્થા બરાબર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવનો ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના યોગથી તેને જેવો ભાવ હતા તે ભાવ-તથાભાવ થાય છે. એજ અદેષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુને સ્વભાવ છે, અર્થાત તવથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મોક્ષ છે, એ જ અદેષપણું છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદેવપણું છે. આનુષંગિક કહ્યું, હવે પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, ચાષિમુક્ત ગુમાન ઢોર ઈત્યાદિના ઉપન્યાસથી. તેમાં व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ રંગી રોગી અભાવ વા, તેથી અન્ય જ જેમ; રેગ મુક્ત સન્નયાથી, ઘટે ન કદીય એમ. ૨૦૪ અર્થ –જેને વ્યાધિ ઉપજે છે તે વ્યાધિત, અથવા તેને અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નીતિથી “ વ્યાધિમુક્ત” કદી પણ ઘટતું નથી. વિવેચન વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપ છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય–તેને પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ વ્યાધિમુક્ત ” ઘટતું નથી. એમ દષ્ટાંત છે. 1 કૃતિ-પિત્ત-વ્યાધિત, જેને વ્યાધિ ઉપજે છે તે જ, તમારો વા–અથવા તેને અભાવ જે છે તે, તો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અત્ર-તેને પુત્રાદિ, ચર્થવ હિ વ્યાધિમુવતો ર-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ “વ્યાધિમુક્ત' નથી, નીચા-સનીતિથી, સન્યાયથી, નિકુપાતે-કદી પણ ઘટતે, એમ દષ્ટાંત છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ સુક્તતત્ત્વ મીમાંસા : વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી, તેમ સ*સારી માદિ મુક્ત નથી (૬૬૫) વ્યાધિવાળા મનુષ્ય સન્યાયથી (૧) જેને વ્યાધિ ઉપજ્યા છે એવા વ્યાધિત અર્થાત્ જોઈએ તેા કદીપણ ‘વ્યાધિમુક્ત' કહી શકાય નહિ; કારણ કે વ્યાધ્યુિક્ત હોય તે વ્યાધિમુક્ત કેમ કહેવાય ? તે તેા વદતાવ્યાઘાત છે. ( ૨ ) અથવા જ્યાં વ્યાષિતને વ્યાધિવતના જ સચેાડા અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્તપણું કેમ ઘટે ? કારણ કે જ્યાં વ્યાધિવત જ પાતે નથી, ત્યાં વ્યાધિથી મુક્ત થાય કેણુ ? ( ૩ ) અથવા વ્યાષિતથી અન્ય એવા તેના પુત્ર-ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકતા નથી. કારણ કે વ્યાધિયુક્ત જૂદો ને વ્યાધિમુક્ત થનારા જાદા-એમ કેમ બને? આમ રાગી હોય તે રાગમુક્ત કેમ કહેવાય ? અથવા રાગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કેણુ ? અથવા રાગી ખીન્ને ને રાગમુક્ત-સાો થાય ખીજો, એ પણ કેમ ઘટે ? માટે સન્નીતિની રીતિએ જોતાં રાગી કે રાગીના અભાવ કે રાગીથી અન્ય કદી પણુ. ૮ રાગમુક્ત ” કહેવા ઘટે નહિ. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દૃષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે–રાગીને જે રાગમુક્ત કહે, અથવા રાગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રાગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે તે તેનું પ્રગટ ભ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાસ જ છે. 卐 દાર્જીતિક ચેાજન કહે
Page 459
છે— संसारी तदभावो वा तदन्यो वा तथव हि । मुक्तोऽपि हन्त नो मुक्ते मुख्यवृत्येति तद्विदः ॥ २०५ ॥ સસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ; મુક્ત પણ મુક્ત મુખ્ય ના, વડે યાગવિદ્ એમ. ૨૦૫ અઃ—તેમજ સંસારી, અથવા તેના અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કર્યો. છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારા કહે છે. વિવેચન વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય, તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી-પરમાથ થી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષા કથે છે. વૃત્તિ:—સંસારી–પુરુષ, તમાવો વા–અથવા તેના અભાવ, પુરુષ અભાવ માત્ર જ, તત્ત્વો વા–અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એવા તેનાથી અન્ય, તથૈવ ફ્િ—તેમ જ, જેમ દૃષ્ટાંતમાં છે તેમ શું ? તા – મુજ્તોઽવ હન્ત નો મુદ્દો મુલ્યવૃત્તથા-મુક્ત કહે। તાં અહા ! મુખ્યવૃત્તિથી મુક્ત નથી, ત્રણેયના—તેના પ્રવૃત્તિનિમિત્તના અષ્રાવને લીધે. ાંત દૂ:-એમ તવિદ્દો તેના જાણુકારા, મુક્તના જ્ઞાતાએ એમ કહે છે. Page #742 -------------------------------------------------------------------------- ________________ (૬૬૬) થાગટિસમુચ્ચય ઉપરમાં જે દષ્ટાંત કહ્યું તેની દાબ્દતિક ઘટના અહી કહી છે -જેમ રેગી, કે રોગીને અભાવ, કે રેગીથી અન્ય,-એ ત્રણમાંથી કઈ પણ રોગમુક્ત કહે ઘટતું નથી; તેમ સંસારી પુરુષ, કે સંસારી પુરુષને અભાવ માત્ર જ, કે તેનાથી સંસારી આદિ એકાંત અન્ય-એ ત્રણેમાંથી કોઈ પણ મુખ્યવૃત્તિથી–પરમાર્થથી મુક્ત મુક્ત નથી ઘટતું નથી, કારણ કે તથા પ્રકારે તેના પ્રવૃત્તિનિમિત્તને તેને અભાવ છે. (૧) સંસારી અર્થાત ભવન જેને લાગુ પડે છે, એવો સંસાર પરિભ્રમણ કરી રહેલ પુરુષ-આત્મા જે છે, તે પરમાર્થથી મુક્ત કહેવો ઘટતે તથી; કારણ કે તે પરમાર્થથી ખરેખરે મુક્ત હોય તે તે સંસારી કેમ છે? અને જે તે સંસારી છે, તે સંસારથી મુક્ત એ તે મુક્ત કેમ હોય ? જો કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ સર્વ જીવ છે સિદ્ધ સમ”—એમ ઉપચાર થન કરી શકાય, તે પણ તથારૂપ તાત્વિક મુક્ત દશા વિના પારમાર્થિક-મુખ્ય એવું મુક્તપણું કહી શકાય નહિં. અને જે કંઈ કહે તે તે કેવલ બ્રાંતિ જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાય જ છે. તાત્પર્ય કે-સંસારી તે મુખ્યવૃત્તિથી મુક્ત કહેવાય નહિં. (૨) અથવા જ્યાં સંસારી પુરુષને જ અભાવ હોય, ત્યાં પણ મુક્તપણું ઘટતું નથી. કારણ કે જ્યાં પુરુષને-આત્માને જ સડો અભાવ છે, ત્યાં મુક્ત થશે કેણુ? (૩) અથવા તે સંસારી પુરુષથી અન્ય-એકાંતે જુદો જ હોય, તે પણ મુક્ત થવ ઘટતો નથી; કારણ કે રોગી બીજ ને સાજો થાય બીજે એ જેમ બનવાજોગ નથી, તેમ ભવરગી બીજ ને ભવરોગથી મુક્ત થનારે બીજે એ પણ બનવાજોગ નથી. આમ મોક્ષના પ્રવૃત્તિનિમિત્તના-કારણના અભાવે ત્રણેમાંથી કોઈ પણ પક્ષમાં મુખ્ય વૃત્તિથી મુક્તપણું ઘટતું નથી, એટલે કે રોગી જેમ રેગમુક્ત કહી શકાતું નથી, તેમ ભવરગી એવો સંસારી પણ મુક્ત કહી શકાતું નથી. રેગીને પિતાને જ જ્યાં સચોડો અભાવ હોય ત્યાં પછી રોગમુક્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી, તેમ ભવરગી એવા પુરુષનેઆત્માને જ જ્યાં અભાવ છે, ત્યાં તેને મુક્ત હોવાનો સંભવ રહેતો નથી. અથવા રોગી બીજ ને રોગમુક્ત સાજો થાય બીજે એ જેમ ઘટતું નથી, તેમ ભવરોગી આત્મા બીજે ને ભવરોગથી મુક્ત થાય બીજે તે પણ ઘટતું નથી, કારણ કે તે તે કરે કેઈ ને ભગવે કોઈ, “લે લાલ ને ભરે હરદાસ” એના જેવું થયું ! આમ બે ને બે ચાર જેવી, કેઈ કાળે ન ફરે એવી આ પરમ નિશ્ચયરૂપ સિદ્ધાંતિક વાર્તા છે. આબાલવૃદ્ધ સાદી સમજવાળે કંઈ પણ મનુષ્ય સમજે એવી
Page 460
આ પ્રગટ સત્ય હકીકત છે. છતાં રોગીને અથવા રોગીના અભાવને, અથવા રોગીથી અન્યને જે કઈ રોગમુક્ત હોવાનો બેટો આગ્રહ ધરે, તે તે સાવ બેહૂદું હોઈ જેમ પ્રગટ બ્રાંતિ જ છે, પ્રત્યક્ષ મિથ્યાત્વ જ છે, તેમ ભવરગી એવા સંસારી પુરુષને, કે તે પુરુષના અભાવને, કે તે પુરુષથી અન્યને જે કોઈ મુક્ત કહે, તે તે પણ સાવ બેહૂદુ હેઈ પ્રગટ બ્રાંતિ જ છે, સાક્ષાત્ મિથ્યાત્વ જ છે. આ ઉપરથી એ ઇવનિત થાય છે કે (૧) કેઈ મતવાદી ( સાંખ્ય-ગાદિ) Page #743 -------------------------------------------------------------------------- ________________ મુક્તતત્વમીમાંસા : બ્રાંત માન્યતાઓ, અનેકાંતની પ્રમાણતા (૬૬૭) સંસારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે કારણકે સંસારી પુરુષ– આત્મા જે મુક્ત જ છે, તે તેને પ્રગટ ભવભ્રમણરૂપ સંસાર કેમ છે? બ્રાંત અને જે સંસાર છે તે તે મુક્ત કેમ છે? વળી જે તે મુક્ત જ છે માન્યતાઓ તે તેને સંસારથી મુક્ત કરવા માટેના આ બધા યોગમાર્ગનું પ્રયોજન છે? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. (૨) કઈ મતવાદી પુરુષના-આત્માના અભાવને મુક્ત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઈ અયુક્ત છે. કારણ કે જેને અભાવ છે, તેને “ભાવ”—હોવાપણું કહેવું બેહૂદું છે. જે છે જ નહિં, તે મુક્ત કેમ થશે? (૩) કે પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતું તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સંબંધ વિના ભવરગી એ સંસારી આત્મા તે બીજે, અને મુક્ત થયે તે આત્મા પણ બીજો. આ તે પ્રગટ વિસંવાદરૂપ છે. આમ એકાંતવાદી અન્ય દેશનીઓની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતો નથી, બંધ–મક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ અનેકાંતની બંધ–મોક્ષ વ્યવસ્થા ઘટે છે, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા સાંગોપાંગ પ્રમાણુતા સંપૂર્ણપણે ઘટે છે. ઈત્યાદિ અત્યંત ગંભીર દાર્શનિક વિચારણા અત્ર સમાય છે,–જે સમજવા માટે શ્રી વશંનસમુચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધર્મસંગ્રહણું, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિતર્ક આદિ દશનપ્રભાવક આકર ગ્રંથો જિજ્ઞાસુએ અવગાહવા. સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી–અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે? તે કહે છે– क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥२०६॥ વૃત્તિ ક્ષીણવ્યાધિ –ક્ષીણ વ્યાધિવાળા પુરુષ, યથા ટો-જેમ લેકમાં અવિનાનથી (એકી અવાજે), વ્યાધિમુવત્ત શુતિ-વ્યાધિમુક્ત છે એમ તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:છે. સ્થાપનીય નથીસ્થાપવાનો નથી. મવશવ-ભવરોગી જ, મુખ્ય એવા તભાવથી,-તે રોગના ભાવથી, તથા તેવા પ્રકારે, મુ-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રપુ- તંત્રમાં–શાસ્ત્રોમાં સ્થિત છે, તક્ષયાત્-તેના ક્ષય થકી, તે ભવરોગના ક્ષયને લીધે, એમ અર્થ છે. Page #744 -------------------------------------------------------------------------- ________________ (૬૬૮) ગદષ્ટિસમુચ્ચય ક્ષીણવ્યાધિ જ્યમ લેકમાં, વ્યાધિમુક્ત છે સ્થિત; ભાવગી જ ત્યમ તસ ક્ષયે, શાત્રે મુક્ત સુસ્થિત ૨૦૬ અર્થ–જેમ લેકમાં ક્ષીણ વ્યાધિવાળો તે “વ્યાધિમુક્ત” એમ સ્થિત છે, તેમ ભાવગી જ તે ભવગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રોમાં–શાસ્ત્રોમાં સ્થિત છે. વિવેચન જેને વ્યાધિ ક્ષીણ થયે છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જેમ લેકમાં અવિશાનથી એકી અવાજે “વ્યાધિમુક્ત છે એમ સ્થિત છે, સ્થાપનીય નથી–સ્થાપવાને નથી; તેમ મુખ્ય એવા તભાવથી ભવગી જ તે ભવરગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રમાંશાસ્ત્રોમાં સ્થિત છે. અત્રે ઉપરોક્ત સમસ્ત રસપ્રદ ચર્ચાને છેવટને ચૂકાદો-નિર્ણય (Judiement) ન્યાયમૂર્તિ શાસ્ત્રકારે આપ્યો છે, કે જે સર્વ લેકને અને સર્વ શાસ્ત્રને એકમતે સંમત છે. જેને “હ” તે વ્યાધિ-રોગ ક્ષીણ થયો છે
Page 461
એ ક્ષીણભવરેગક્ષયથી વ્યાધિ પુરુષ, તે તે વ્યાધિના અભાવથી લેકમાં “વ્યાધિમુક્ત” મુક્ત કહેવાય છે, આમ અવિમાનથી-સર્વાનુમતે લેકમાં સ્થિત છે, સાદી સમજથી સ્થાપિત સિદ્ધાંત છે, કાંઈ ન સ્થાપવાનું નથી. તેમ મુખ્ય ભાવથી જેને ભવરોગ લાગુ પડેલો છે, એવો ભાવગી જ તે ભરેગના ક્ષય થકી “વ્યાધિમુક્ત” મુક્ત હોય છે, એમ તંત્રમાં-શામાં સ્થિત છે, અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત છે, તે કઈ નો સ્થાપવાને રહેતો નથી. એટલે આમ જે સર્વ લેકને અને સર્વ શાસ્ત્રને સંમત છે, એવી આબાલવૃદ્ધ સર્વ સમજી શકે એવી સાદી સમજવાળી વસ્તુસ્થિતિને સ્થાપિત કરવા માટે અન્ય કઈ પ્રમાણની જરૂર નથી. એ સંબંધી વધારે શું કહેવું ? મુક્તતત્વમીમાંસાને સાર આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા કે છે, તેનું સ્વરૂપ સમજવા માટે અત્રે વ્યાધિમુક્ત-રોગમુક્ત પુરુષનું દૃષ્ટાંત સાંગોપાંગપણે ઘટાવ્યું છે -વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ્યાધિમુક્ત આત્મા હોય છે તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અર્થાત વ્યાધિમુક્ત થતાં પુરુષને કાંઈ અભાવ થઈ જતો નથી, તેમ ભવવ્યાધિમુક્ત થતાં આત્માનો કાંઈ અભાવ થઈ જતું નથી. વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, તેમ આ ભવવ્યાધિમુક્ત આત્મા ભવવ્યાધિથી મુક્ત નથી એમ નથી, પણ મુક્ત જ છે. વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે વ્યાધિયુક્ત હેતે એમ નથી, પણ વ્યાધિયુક્ત હતા જ, Page #745 -------------------------------------------------------------------------- ________________ મુક્તતનવમીમાંસા : ભવરેગક્ષયથી મુક્ત, સાર, કળશ કાવ્ય તેમ આ ભવ્યાધિમુક્ત આત્મા પૂર્વે ભવ્યાધિયુક્ત હોતે એમ નહિં, પણ ભવ્યાધિયુક્ત હતા જ, તે હવે તેનાથી મુક્ત થયો છે. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે. જન્મ-મૃત્યુ આદિ તેના વિકાર છે. તે વિચિત્ર પ્રકારનો મેહ ઉપજાવે છે, અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. આ ભવ્યાધિ મુખ્ય છે, અને આત્માને આ વ્યાધિ અનાદિ એવા વિચિત્ર કર્મથી (દ્રવ્ય-ભાવ) ઉપજેલ છે. અને તે તેવા પ્રકારે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. આમ આ ભવવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મ મરણાદિ દોષ હળવાથી તેના અદોષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. તે આ પ્રકારે –તેના સ્વભાવને ઉપમ છતાં તે આત્માના તે સ્વભાવપણાના યુગ થકી તેને જ તથાભાવ હોય છે, અર્થાત્ જે મૂળ સ્વભાવ છે, તે જ ભાવ થાય છે, તેથી તેનું અદોષપણું ઘટે છે. વિભાવથી તેના સ્વભાવને ઉપમ–કચ્ચરઘાણ થયે તે દેષ હતું, તેને પુનઃ મૂળ સ્વભાવને વેગ થતાં અષપણું પ્રાપ્ત થયું. આમ જે દોષયુક્ત હતા તે દેષમુક્ત થાય, તેની જેમ આ ભવદોષયુક્ત આત્મા ભવદોષથી મુક્ત થયા. આમ મુક્ત મુખ્ય છે-ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ એ સ્વભાવ ભાવ છે. અને આ જે સ્વભાવ છે તે આત્માને સ્વ ભાવ–પતાને ભાવ છે, અર્થાત તત્વથી નિજ સત્તા જ છે. અર્થાત આત્માની સ્વરૂપ સત્તા જ–સ્વભાવ સ્થિતિ-સહજાન્મસ્વરૂપ એ જ મોક્ષભાવ–મુક્ત ભાવ છે, અને આ સ્વભાવ છે તે ભાવ અવધિ જ યુક્ત તે–વસ્તુસ્વરૂપ મર્યાદા પર્યત જ યુક્ત છે, બીજી રીતે નહિં, કારણ કે અતિપ્રસંગ દેષ આવે. જે તે ભાવ એકાંત અનિત્ય માનીએ કે એકાંત નિત્ય માનીએ તો મોક્ષભાવને સંભવ થતું નથી, એ ઉપરમાં સુયુક્તિપૂર્વક કહેવાઈ ચૂક્યું છે. જેને વ્યાધિ ઉપ છે એ વ્યાધિત, અથવા તે વ્યાધિવંતનો અભાવ, અથવા તે વ્યાધિવંતથી અન્યએ ત્રણેમાંથી કેઈ પણ સન્યાયથી વ્યાધિમુક્ત કહે ઘટતું નથી. તેમ સંસારી, અથવા તેને અભાવ, અથવા તેનાથી અન્ય એવો આત્મા મુક્ત કહે તે પણ મુખ્યવૃત્તિથી–તત્ત્વથી-પરમાર્થથી મુક્ત નથી, એમ મુક્તનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે, માટે મુક્ત વ્યવસ્થા આ પ્રકારે જ ઘટે છે
Page 462
-જેમ જેને વ્યાધિ ક્ષીણ થયો છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જ “ વ્યાધિમુક્ત” છે એમ લેકમાં સ્થિત છે, તેમ જ ખરેખરો ભવરગી હતા, તે જ તે ભવરગના ક્ષય થકી મુક્ત છે, એમ શાસ્ત્રોમાં સ્થિત છે. ગદષ્ટિ કળશ કાવ્ય ચામર છંદ (નારાચવત) વ્યાધિમુક્ત જે પુરુષ લેકમાંહ્ય છે, જન્મમુક્ત તેહવો જ મુક્તિ પ્રાપ્ત એહ છે; ના અભાવ તેહને, ન મુક્ત એમ ના અહિ, વ્યાધિથી ન વ્યાધિત વળીય એમ છે નહિં. ૧૫૭ Page #746 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચાચ વ્યાધિ આ ભવાખ્ય, જન્મ મૃત્યુ તો વિકાર છે, ચિત્ર મહ રાગ આદિ વેદના અપાર છે; મુખ્ય આ અનાદિ કર્મ જન્ય આત્મને ભવે, સિદ્ધ એહ સર્વ પ્રાણીને તથા અનુભવે. ૧૫૮ એહ વ્યાધિમુક્ત તેય મુક્ત મુખ્ય આ ઘટે, જન્મ આદિ દેષવિગમે અદેષતા ઘટે; પૂર્વ જન્મ આદિ ષવંત આત્મ જે હતું, તે દોષ તે ટળે અદેષભાવ પામતે. ૧૫૯ તસ્વભાવ તે ભલે દબાયલે વિભાવથી, તેય તેહના જ તતસ્વભાવ ગ ભાવથી; ભાવ જે હતો યથા થયે જ તેહને તથા,આમ પૂર્વ દેવવંતની ઘટે અદેષતા. ૧૬૦ એહ આત્માને સ્વભાવ તે સ્વ ભાવ જાણુ, તેહ તત્ત્વથી જ નિજ સત્ત્વભાવ માનવે; ભાવની મર્યાદ એટલે જ આ સ્વભાવ છે, અન્યથા અતિ પ્રસંગને જ અત્ર ભાવ છે. ૧૬૧ રોગી, તેહને અભાવ, તેહથી બીજે નક, રોગમુક્ત તે કદી ઘટે ન સન્નીતિ થકી; તેમ જન્મરોગી, તદ્દઅભાવ, અન્ય તે અહિં, મુક્ત તેય મુક્ત મુખ્યતે કદી ઘટે નહિં. ૧૬ર વ્યાધિ ક્ષીણ જે પુરુષને અહિં થઈ ગયે, વ્યાધિમુક્ત જેમ લેકમાંહિ સ્થિત તે રહ્યો; તેમ જન્મવ્યાધિ ક્ષીણ જેહ આત્માન થયે, તેહ જન્મર્ગોિ તેથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો. ૧૬૩ રેગના અભાવથી ન રેને અભાવ છે, રોગ મુક્ત તે નૉરેગને જ સ્વસ્થ ભાવ છે, જન્મના અભાવથી ન આત્માનો અભાવ છે, આત્મ તે નૉરેગોં સ્વસ્થ આત્માને સ્વભાવ છે. ૧૬૪ વિયોગથી વિભાવના સ્વભાવના સુગથી, થેયે જ મુક્ત આત્મ એહ મુક્ત જન્મોગથી; સ્વાભાવધર્મ યુને અધર્મ કમ ટાળિયું, પ્રતાપથી સ્વરૂપના જ જન્મબીજ બાળિયું. ૧૬૫ આત્મ સ્વસ્વભાવ રિથી મુક્ત જે પ્રસિદ્ધ છે, શુદ્ધ તત સહજસ્વરૂપ સિદ્ધ તેથૌં સિદ્ધ છે; બ્રહ્મ જે પરં શ્રીમદ્ સ્વ શુદ્ધ ચેતનાપતિ, શિવ તે સદા સુભાગ્યવાનની પરા ગતિ. ૧૬૬ ॥इति महर्षिग्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रस्नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने मुक्ततत्त्वमीमांसाधिकारः॥ Page #747 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારઃ કુલયોગી આદિસ્વરૂપયોગ્યાયોગ્ય વિચાર એમ પ્રકૃત કહી, સર્વ ઉપસંહાર કહે છે— अनेक योगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ યાગશાસ્ત્રોથી ઉદ્ધર્યાં, એહુ સંક્ષેપમાં જ; દૃષ્ટિભેદથી યાગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭ અર્થ :-ષ્ટિભેદે કરીને આ યાગ અનેક ચેાગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે; અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એવા છે. વિવેચન પાત'જલ આદિ અનેક યાગશાસ્ત્રોમાંથી દૃષ્ટિલેકે કરીને આ યાગ સક્ષેપથી-સમાસથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથક્ કરવામાં આવ્યા છે. શું અર્થે ? તે કે-આત્માનુસ્મૃતિ અર્થે, પરમ પ્રધાન એવા. અત્રે સરલતાની—ઋજુતાની મૂર્ત્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પેાતાના આ ગ્રંથનુ મૂલ શું છે? તેના ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેએશ્રી કહે છે કેઆ ગ્રંથ પાતજલ આદિ અનેક યેગશા«ામાંથી સંક્ષેપથી સમુદ્ધૃત દૂધમાંથી કરવામાં આવ્યા છે, દૂધમાંથી માખણની જેમ પૃથક્ જૂદા કરવામાં માખણ જેમ આવ્યા છે. ' અનેક ચેગશાઓનું દોહન કરીને નવનીત જેવા પરમ સારભૂત આ ગગ્રંથ આ મહાન્ યેાગાચાર્ય પૃથક્ કર્યાં છે. સાગરનુ મથન કરી જેમ વિષુધાએ અમૃત લેાવ્યુ હતું, તેમ યેગશાસ્ર-સમુદ્રનુ મથન કરીને વૃત્તિ:-અનેયો શા(મ્યઃ - અનેક યોગશાસ્ત્રો માંથી, પતંજલ આદિમાંથી संक्षेपेणસંક્ષેપથી, સમાસથી, સમુદતઃ—સમુદ્રત કરાયા છે, તેમ થી પૃથકૂ કરાયા છે, ક્ષીરમાંથી, નવનીતની જેમ, કાના વડે
Page 463
કરીને? કે કાણુ તા ? દૃષ્ટિમેરેન—ઉક્ત લક્ષણવાળા ષ્ટિભેદથી, ચોોચ—આ યાગ અધિકૃત જ યાગ. શુ અથે ?-તે । આત્માનુભૃતયે-માત્માનુસ્મૃતિ અર્થ', વર્:-પર, પ્રધાન એવા મેગ, Page #748 -------------------------------------------------------------------------- ________________ (૬૭૨) યોગદષ્ટિસમુચ્ચય આ મહાવિબુધ શાસ્ત્રકાર ભગવાને આ ચોગદષ્ટિસમુચ્ચયરૂપ પરમ યોગામૃત વાવ્યું છે. અને સાગરનું મંથન કરવામાં કેટલી મહેનત પડી હશે તે જેમ દેવો જ જાણે, તેમ આ યેગશાસ્ત્રમંથનમાં કેટલે પરિશ્રમ પડ્યો હશે, તે આ પરમ આચાર્યદેવ જ જાણે. અને તે મહાવિકટ પ્રયાસે પ્રાપ્ત અમૃતને રસાસ્વાદ કેવો હશે તે જેમ તે અમારો જ જાણે, તેમ અતિ વિકટ પ્રયાસે ઉપલબ્ધ આ ગામૃતને રસાસ્વાદ આ અમર કૃતિ સર્જનારા આ પરમ અમૃતસ્વરૂપ યોગાચાર્ય જ જાણે. તે તે યોગશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે. અત્રે તેના સારભૂત સંક્ષેપમાં કથન છે. અત્યંત વિસ્તૃત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથનરૂપ રત્ન ખોળી કાઢવું એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી. એક અપેક્ષાએ જોઈએ તે સંક્ષેપનો વિસ્તાર કરવો સહેલું છે, પણ વિસ્તારને સંક્ષેપ કરે હેલે નથી. કારણ કે વિસ્તારને સંક્ષેપ કરવામાં ઘણી ભારે કુશળતાની જરૂર પડે છે, અને તે આ આચાર્યવયે પૂરેપૂરી દાખવી છે, એમ પ્રગટ દેખાય છે. વળી સંક્ષેપ એટલે કાંઈ અપૂર્ણ–અધૂરું નહિ, પણ ટૂંકામાં છતાં સંપૂર્ણ. જેમ કઈ પુરુષની પ્રતિકૃતિ-છબી (Portrait) તે પુરુષ પ્રમાણ (Life-size) મટી પણ હોય, ને અંગુલિની મુદ્રિકામાં સમાય એવડી નાની (Locket-size) પણ હોય, છતાં તે નાની મુદ્રા--પ્રતિકૃતિ પણ પુરુષની તે સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે, તેમ વિસ્તૃત શાસ્ત્રકથનનું “સંક્ષેપ’ કથન પણ ટૂંકામાં તવિષયક સંપૂર્ણ શાસ્ત્રવક્તવ્ય રજૂ કરે છે. સંક્ષેપને પર્યાય શબ્દ “ સમાસ” પણ એ જ અર્થની પુષ્ટિ કરે છે. થડા શબ્દોમાં ઘણું અર્થને સમાસ કરવો-સમાવવો તે સમાસ અથવા સંક્ષેપ છે. જેમ આકાશમાં - અનંત પદાર્થને અવગાહન કરવાની–સમાવવાની શક્તિ છે, તેમ સમાસને પુરુષ કથિત શાસ્ત્રસમાસમાં અનંત અર્થ અવગાહવાની–સમાવવાની પરમાર્થ અદ્દભુત શક્તિ છે. આમ આ શાસ્ત્ર અપશબ્દરૂપ છતાં મહાઅર્થ સંભારથી સંભૂત છે, અત્યંત આશય ગંભીર છે. અને તે આશયની ગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ–અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. જેમ સપાટી જોતાં સમુદ્ર ઉપર ઉપરથી તે સાવ સાદે ઊંડે નહિ હોય એમ જણાય છે, પણ તેના ઊંડાણની ખબર તે તેમાં અવગાહન કરીએ-નિમજજન કરી ઊંડા ઉતરીએ ત્યારે જ પડે છે; તેમ ઉપર ઉપરથી જોતાં આ ગ્રંથ સાવ સાદો જણાય, પણ તેની આશગંભીરતાની ખબર તે તેમાં અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ ત્યારે જ પડે. આવી અદ્ભુત આશયવાળી અવગાહન શક્તિ-સમાસશક્તિ આ શાસ્ત્રની છે; કારણ કે સમર્થ સપુરુષની હથોટી લાગતાં એક સામાન્ય વચન પણ સમર્થ અભર્યું મહાવચન બની જાય છે. આત્માનભવી સંતરૂપ પારસમણિને સ્પર્શ થતાં વર્ણમય શબ્દ સુવર્ણ' બની અનંત અર્થલબ્ધિથી ભરપૂર હોય છે. જ્ઞાનીનું એકેક “પદ’ પરમ “પદ” પમાડવાને પરિપૂર્ણ સમર્થ હોય છે. એટલા માટે જ “સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે, – એ શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત વચનામૃત અત્ર યથાર્થ Page #749 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સંક્ષેપ-સમાસને પરમાર્થ, “સુર” સમું આ શાસ્ત્ર (૬૭૩) ભાસે છે. અને બાળક જેમ “સમુદ્ર કેવડો ?' એમ પૂછવામાં આવતાં બે હાથ પહોળા કરીને કહે કે “આવડે મેટે,” તેમ આપણે પણ આવા “સાગરવરગંભીરા' ગ્રંથને માટે આશ્ચર્યચકિત થઈ આવડો મોટો !” એટલું જ કહી બાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે ! આ “સાગરવરગંભીર” આચાર્યચૂડામણિની આ પરમાર્થગંભીર કૃતિ માટે આપણે જે શ્રીમાન્ આનંદઘનજી ગિરાજની કૃતિ માટે કોઈએ કાઢેલા ઉદ્દગારનું કિંચિત ફેરફાર સાથે અનુકરણ કરીએ તે– “ આશય શ્રી હરિભદ્ર, અતિ ગંભીર ઉદાર; બાળક બાંહ્ય પ્રસારીને, કહે ઉદધિ
Page 464
વિસ્તાર.” "बालोऽपि किं न निजबाहुयुगं वितत्य, વિસ્તર્ગત રથયાત વધવુaો . શ્રી ભક્તામરસ્તોત્ર, અથવા “સૂત્ર” જેમ સંક્ષેપ કથનરૂપ. થોડા શબ્દમાં ઘણું અર્થસંગ્રહરૂપ હોય છે, તેમ આ શાસ્ત્ર પણ તેવું જ હઈ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાનો દડે ગજવામાં મૂકી શકાય એવો ના હોય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તો સૂત્ર” સમું ગાઉના ગાઉ સુધી પહોંચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સંક્ષેપ આ શાસ્ત્ર હેઈ સ્વ૯૫ શબ્દ પ્રમાણ છે, પણ તેને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર કરીએ તે મહાર્ણવાળા ગ્રંથના ગ્રંથો ભરાય એટલે ઉદાર આશય એમાં ભરેલું છે. વળી સૂત્ર-દરે જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-ગુંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. સૂત્રને દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલું ઊંચે ચગાવી શકાય છે, નહિં તે દેર છોડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રને સ્વરૂપાનુસંધાનરૂપ ગને દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તે યોગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્ધ્વ–કાવું ગભૂમિકાઓ પર્યત ચઢાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દોર છેડી દેતાં તરત ગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરોવેલ હોય છે, તેમ મુક્તામાળારૂપ આયેગશાસ્ત્રમાં વિવિધ સૂક્તરૂપ મુક્તાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પરેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પ એક સૂત્રથી ગુંથેલા હોય છે, તેમ આ ગશારરૂપ પુષ્પહારમાં વિવિધ સુભાષિત પુષ્પ ગદષ્ટિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષ્પરાશિ કંઠે ધારણ કરી શકાતો નથી, પણ વિવિધ ચુંટેલા પુષ્પો એક સૂત્રમાં ગુથી હાર બનાવ્યો હોય તે સુખેથી કંઠે ધારણ થઈ શકે છે, તેમ મહાગ્રંથરાશિ કંઠે ધારણ કરવો સહેલો નથી, પણ વિવિધ સૂક્ત-પુ ચૂંટી એક ગ-સૂત્રમાં કળામય રીતે Page #750 -------------------------------------------------------------------------- ________________ (૬૭૪) યોગદષ્ટિસમુચ્ચય ગુંથેલે આ યોગશાસ્ત્રરૂપ હાર સુખેથી “કંઠે” ધારણ થઈ શકે એમ છે. આમ સંક્ષેપ કથનને લીધે આ યેગશાસ્ત્રને અનેક પ્રકારે સૂત્રની ઉપમા ઘટે છે. વળી અત્રે સંક્ષેપ કથનમાં સિંધુ-બિંદુનું અને વૃક્ષ-બીજનું દષ્ટાંત પણ ઘટે છે. સિધુમાં બિંદુ છે ને બિંદુમાં સિંધુ છે, વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે, તેમ અત્રે પણ ઘટે છે. તે આ પ્રકારે -સિંધુની જે રચના (Composition) છે સિંધુ-બિંદનું તે બિંદુની રચના છે. સિંધુમાં જે જે ભૌતિક ત (Elements) છે, દષ્ટાંત તે તે તે જ પ્રમાણમાં તેના પ્રત્યેક બિંદુમાં છે. આખા સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે ત નીકળે છે, તે જ તો તે જ પ્રમાણમાં એક બિન્દુનું પૃથક્કરણ કરતાં નીકળે છે. આખા સમુદ્રને જે સ્વાદ છે, તે તેના પ્રત્યેક બિન્ને સ્વાદ છે. એક બિન્દુ ચાખ્યું એટલે આખે સમુદ્ર ચાખે, એટલા જ માટે કહ્યું કે-સિધુમાં બિન્દુ છે ને બિંદુમાં સિંધુ છે. તેમ સમસ્ત યેગશાસરૂપ સિંધુની જે રચના છે, તે આ તેમાંથી સંક્ષેપે સમુદ્ધત બિન્દુરૂપ યોગશાસ્ત્રની રચના છે. તે તે પ્રવચન-સિંધુમાં જે જે આધ્યાત્મિક તો છે, તે તે તે જ પ્રમાણમાં તેના બિન્દુરૂપ આ યોગશાસ્ત્રમાં છે. આખા ગશાઅ-સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે ત નીકળે છે, તે જ તો તે જ પ્રમાણમાં આ બિન્દુરૂપ યોગશાસનું પૃથક્કરણ કરતાં નીકળે છે. એક અખંડ અભેદ પરમ અમૃતરસ સાગરસ્વરૂપ સમસ્ત યોગશાસ્ત્ર-સિધુને જે પરમામૃતમય રસાસ્વાદ છે, તે જ આ તેની વાનકીરૂપ યોગશાસ્ત્ર-બિન્દુને રસાસ્વાદ છે. આ યોગ-બિન્દુ જેણે ચાખ્યું, તેણે સમરત ભેગ-સિધુ ચાખ્યો. આમ આખ “ પ્રવચનસમુદ્ર” આ પરમ અમૃતમય ગશાસ્રરૂપ એક “બિન્દુમાં” ઉલટી આવ્યા છે-ઉલૂસી આવ્યો છે કે જેને રસાસ્વાદ સર્વસુલભ થઈ પડ્યો છે. ગિરાજ રાજચંદ્રજીનું કેલ્કીર્ણ સુભાષિત છે કે – જ પ્રવચન સમદ્ર બિન્દમાં, ઉલટી આવે એમ:
Page 465
ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.” –શ્રીમદ્ રાજચંદ્રજી. વૃક્ષની જે રચના છે, તે સંક્ષેપરૂપમાં (miniature form) બીજની રચના છે. વૃક્ષના અંગ-પ્રત્યંગ, શાખા-પ્રશાખા જે પ્રમાણે વ્યક્ત રૂપમાં છે તે જ પ્રમાણે અવ્યક્ત રૂપે તેના અંગ-પ્રત્યંગનું પ્રતિનિધિત્વ બીજમાં છે. વૃક્ષમાંથી બીજની વૃક્ષ-બીજનું ઉત્પત્તિ અને બીજમાંથી વૃક્ષની ઉત્પત્તિ હોય છે, આ સનાતન ક્રમ છે. દષ્ટાંત આખા વૃક્ષનું સત્વ (Essence) એક બીજમાં આવીને રહ્યું છે. એટલા માટે જ કહ્યું કે વૃક્ષમાં બીજ છે ને બીજમાં વૃક્ષ છે. તેમ સમસ્ત ગશાસ્ત્ર એક વિશાળ વૃક્ષસ્વરૂપ છે, અને તેના સંક્ષેપ સારસંહરૂપ આ યેગશાસ્ત્ર બીજસ્વરૂપ છે. તે યોગશાસ્ત્ર વૃક્ષની જે સંકલનારૂપ રચના છે, તે સંક્ષેપ રૂપમાં આ યોગશાસ્ત્રની રચના છે; તે યોગશાસ્ત્રવૃક્ષના જે અંગ પ્રત્યંગ, શાખા-પ્રશાખા Page #751 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: સિંધુ-બિંદુ, વૃક્ષ-બીજના દષ્ટાંત ગ્રંથકારની મહત્તા (૬૭૫) જે પ્રમાણે વિસ્તૃત રૂપમાં છે, તે અત્ર બીજરૂપ યોગશાસ્ત્રમાં સંક્ષિપ્ત સ્વરૂપે (In Concentrated & condensed form) છે. અખિલ યોગશાસ્ત્ર વૃક્ષમાંથી સંક્ષેપ કરતાં જેમ આ યોગશાસ્ત્ર-બીજની ઉત્પત્તિ છે, તેમ આ યેગશાસ-બીજને વિચાર-વિસ્તાર કરતાં તેમાંથી સમસ્ત ગશાસ્ત્ર વૃક્ષની ઉત્પત્તિ સંભવે છે. આમ આખા યોગશાસ્ત્ર વૃક્ષનું સંપૂર્ણ તત્વમય સત્વ આ એક યેગશાસ્ત્ર-બીજમાં એકત્ર આવી વસ્યું છે. એવું આનું આશયશક્તિરૂપ અદ્ભુત સામર્થ્ય છે ! માત્ર તેની વ્યક્તિ કરનાર–જનાર કુશળ સાચો જિજ્ઞાસુ તત્ત્વગવેષક સંશોધક જોઈએ ! અસ્તુ! વળી એક અપેક્ષાએ સૂફમને સ્થૂળ રૂપ આપવું સહેલું છે, પણ સ્થળને સૂક્ષ્મ રૂપ આપવું જેમ સહેલું નથી; અથવા નાના ચિત્રને મેટું બનાવવું સહેલું છે, પણ મોટાને નાનું બનાવવું જેમ હેલું નથી, તેમ સંક્ષેપને વિસ્તાર કરવો તે સહેલું છે, પણ વિસ્તારને વિસ્તારનો સંક્ષેપ કરે સહેલું નથી. એટલે અનેક યેગશાસ્ત્રીરૂપ સંક્ષેપ દુષ્કર કામધેનુને દેહને, તેમાંથી આ સંક્ષેપરૂપ નવનીત ખેંચી કાઢી સર્વસુલભ કરી આપવું,એ કંઈ જેવું તેવું–નાનું સૂનું કાર્ય નથી, મહાદુર્ઘટ કાર્ય છે,–ઉત્તમ કળાનું કામ છે. અને તેવી સંક્ષેપ સંકલનારૂપ ઉત્તમ કળાકૃતિ કરવામાં આ આચાર્યશ્રી એક્કા છે, પરમ કુશળ છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાંખવાની એમની સિદ્ધહસ્ત અદૂભુત કળામય ચમત્કૃતિ એમની પ્રત્યેક કૃતિમાં દષ્ટિગોચર થાય છે. થોડું લખ્યું ઝાઝું કરી જાણો –એ લેક્તિ એમની આ અનોખી વિશિષ્ટ શૈલીમાં ચરિતાર્થ થતી જણાય છે. પાતંજલ આદિ અનેક યોગશાસ્ત્રોમાંથી આ સંક્ષેપથી સમુદ્ધત છે”—એ ઉપરથી મહાત્મા ગ્રંથકારે પોતાની લઘુતાને, નિરભિમાનિતાને, કૃતજ્ઞતાને, પ્રમાણિકતાને, નિભતાને, સરળતા, મહાનુભાવતા, ઉદારતાને, નિરાગ્રહતાને, ગ્રંથમરની મધ્યસ્થતાને ને સર્વ દર્શન પ્રત્યે સમભાવરૂપ સહિષ્ણુતાનો પરિચય મહત્તા આપણને આપ્યો છે, અને એમ કરી પિતાની અતિ ઉચ્ચ કોટિની પરમ ઉદારતા નૈતિક ને આધ્યાત્મિક મહત્તાની ઝાંખી કરાવી છે. એ સુજ્ઞ વાંચક સ્વયં સમજી શકે એમ છે. તેમાં પણ ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે–બીજાઓ જ્યારે અન્ય દેશનીઓના નામથી પણ સૂગાય છે વા અચકાય છે, વા ભડકે છે, ત્યારે આ પરમ ઉદાર મહાનુભાવ આચાર્યવરે બેધડક અન્ય દર્શનીય શાઓને પણ નામોલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યો છે. અને આવા પરમ ભેગમાર્ગના યથાર્થ જ્ઞાતા આમ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી; કારણ કે ગમાર્ગમાં સર્વ દશનેની એક્તા છે, લેગ માર્ગ સર્વ દશનેને સંમત ને પરમ ઈષ્ટ છે. ભલે સંસારના માર્ગ અનેક હોય પણ મોક્ષને માર્ગ–ગમાર્ગ તે એક જ છે, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે યોજન-ગ કરે તે જ એક તેને ઉદ્દિષ્ટ લક્ષ્ય છે. એટલે આવા મેક્ષસાધક Page #752 -------------------------------------------------------------------------- ________________ (૬૭૬) યોગદષ્ટિસમુચ્ચય યેગમાર્ગમાં–મોક્ષમાર્ગમાં મતદશનભેદના તુચ્છ આગ્રહને અવકાશ ક્યાંથી હોય ? પિતાનો સિદ્ધાંત કે પારકે સિદ્ધાંત એ ભેદ મુમુક્ષુ યોગીઓને ક્યાંથી હોય ? ત્યાં તે દષ્ટ-ઈષ્ટથી અબાધિત એ જે સત્ય તત્વપ્રતિપાદક સિદ્ધાંત હોય, તેનું
Page 466
જ મુક્ત કંઠે ને ખુલ્લા હૃદયે ગ્રહણ હોય; જે કંઈ પણ રીતે “આત્મા આત્મત્વ પામે” એ જ રીતિ ત્યાં પ્રમાણ હેય. (જુઓ પૃ. ૩૯૭-૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬) "आत्मीयः परकीयो वा का सिद्धांत: विपश्चिताम् । દરેણાવાયત્તો ચરતુ ચુસ્તબ્ધ પરિબડ્ડઃ ” – બિંદુ, પ્લે. પ૨૪. એટલા માટે મતદશનને જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિ એવા આ પરમ યોગાચાયે એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હોય, તે અત્યંત યુક્તિયુક્ત છે; કારણ કે સર્વ દશનેને સમન્વય (Unity) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હેઈ, અન્ય દર્શનેક્ત યુગને સ્વદર્શકત યેગમાં સાંગે પાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત-દર્શનના આગ્રહ વિના સર્વ દશનીઓના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ ! આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથને ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દષ્ટિભેદથી વેગનું કથન–એ છે, અર્થાત્ યોગદષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે ગન વિભાગ કરવામાં આવ્યું છે. દષ્ટિભેદથી ઉપરમાં પ્રત્યેક દૃષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ યોગદષ્ટિ ગથન આત્માનો આધ્યાત્મિક વિકાસ સૂચવનારી “આધ્યાત્મિક યંત્રપદ્ધતિ (Spiritual Instrument) છે. જેમ જેમ આ ગદષ્ટિ ઉન્મીલન પામતી જાય છે-ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ ગભૂમિકા પર આરૂઢ થતો જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્મીલન-વિકાસ થતાં પરમ યેગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાણ્યું છે તેમ-થર્મોમીટર (Thermometer), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણતાનું માપ થઈ શકે છે, તેમ આ “યોગદષ્ટિ’ રૂ૫ આત્મદશામાપક આધ્યાત્િમક યંત્ર ઉપરથી આત્માની વિકાસરૂપ આત્મદશાનું માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચૌદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદષ્ટિરૂપ વિશિષ્ટ પદ્ધતિ પણ છે. આવે આ યોગદષ્ટિ ગ્રંથ સંક્ષેપથી શું અર્થે ગુંથવામાં આવે છે ? તેનું શું Page #753 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: દણિભેદથી વેગકથન, “આત્માનુસ્મૃતિ અર્થે (૬૭૭) પ્રયોજન છે? તે અત્ર સ્પષ્ટ કર્યું છે કે “આત્માનુસ્મૃતિ અથે'; અર્થાત આત્માની પિતાની અનુસ્મૃતિને અર્થે, પિતાની યાદીને માટે, આત્માથે. જેમ કેઈ આત્માનુ. પિતાને વિસ્મૃતિ ન થાય ને સ્મૃતિ રહે તે માટે, કઈ વિષયની દુકામાં સ્મૃતિ અર્થે યાદી ટપકાવી લે, તેમ આ આચાર્યજી કહે છે કેપિતાને વિસ્મૃતિ ના થાય ને અનુસ્મૃતિ રહે તે ખાતર મેં આ યોગવિષયની યાદી (Memorandum) હારા પોતાના આત્માના ઉપકારાર્થેઆત્માથે સંક્ષેપમાં સેંધી છે. સંક્ષેપમાં નેધેલી યાદી પર જેમ ઝડપથી નજર ફેરવી જવાય છે, અને તેમાંથી કઈ વસ્તુ થઈ ગઈ ને કઈ રહી ગઈ તેને તુરત જ ખ્યાલ આવે છે, તેમ આ યોગદષ્ટિની સંક્ષિપ્ત યાદી પ્રત્યે ઝડપથી દષ્ટિ ફેરવી જવાય છે, ને તેમાંથી પિતાના આત્મા પરત્વે કઈ ગુણસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ને કઈ રહી ગઈ, તેને ઝટ ખ્યાલ આવી જાય છે. અને પછી યાદીમાંથી રહી ગયેલી વસ્તુ પ્રત્યે જેમ લક્ષ્ય કેંદ્રિત થાય છે, તેમ અત્રે પણ પ્રાપ્ત થવી રહી ગયેલી સાધ્ય ગુણસ્થિતિ પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત થાય છે, ને અનુક્રમે આત્મપરાક્રમથી તેની સિદ્ધિ થાય છે. આમ આત્માથે– આ ગાથે આ યાદી અત્યંત ઉપકારી છે. તેથી જ આ પરમ આત્માથી આચાર્યવયને કહેવાનો આશય એ છે કે-હું ગમાર્ગને પ્રવાસી આત્માથી છું, મુમુક્ષુ છું. મોક્ષસાધક યોગમાર્ગે આગળ વધવા ઈચ્છતે હું ઈચ્છાયોગી સાધક-બસાધુ” છું. અને આ યોગદષ્ટિ કામ એક આત્માની આધ્યાત્મિક પ્રગતિના સીમાચિહ્નરૂપ (Milestone) છે, એ આત્માર્થનું ઉપરથી આત્મદશાનું માપ નીકળી શકે છે. એટલે તે તે ગદષ્ટિના યક્ત લક્ષણ મહારા પિતાને આત્મામાં છે કે નહિ ? તેનું “અંતર્મુખ
Page 467
અવલોકન” (Introspection) કરતાં સતત ભાન રહે, અનુસ્મરણ રહે, તેની ખાતર કેવળ આત્માથે જ મેં આ ગષ્ટિ ગ્રંથની ગુંથણી કરી છે. જે આ યોગદષ્ટિ નિરંતર દષ્ટિ સન્મુખ હોય, તે મહારા પિતાના આત્માની ગદષ્ટિ કેટલી વિકાસ પામી છે, તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે,–જેથી કરીને પ્રાપ્ત સ્થિતિનું જેમ “ક્ષેમ થાય, સુદઢપણું– સુરક્ષિતપણું થાય, અને અપ્રાપ્તને જેમ “ગ” થાય, તેમ પ્રવર્તાવા માટે મને આત્માનુસ્મૃતિ રહે. આમ કેવળ આત્મકલ્યાણ જ આ ગ્રંથ રચવામાં હેતુ છે. બાકી ખ્યાતિ માટે, કે પૂજાસત્કાર માટે, કે યશ માટે, કે આ લેક-પરલોક સંબંધી અન્ય કોઈ લાભ માટે, આ ગ્રંથ રચવાનું અમારે કઈ પ્રજન છે જ નહિં. એ બધા તુચ્છ હેતુઓ તે હાલાહલ “વિષ” જાણી અમે છેડ્યા છે. અમારે તે કેવળ આત્મસિદ્ધિરૂપ પરમ અમૃતમય આત્માર્થનું જ કામ છે, બાકી બીજો ખ્યાતિ આદિ કામનારૂપ “મનરેગ અમને છે નહિં. “કામ એક આત્માર્થનું, બીજે નહિં મનરેગ”. અથવા “ આત્માનુસ્મૃતિ અર્થેએટલે આત્માના અનુસ્મરણ અથે, આ યોગદષ્ટિનું ગ્રથન છે. આ ગદષ્ટિ નિરંતર આત્માનું અનુસ્મરણ કરાવે છે, કારણ કે Page #754 -------------------------------------------------------------------------- ________________ (૬૭૮) ગદષ્ટિસમુચ્ચય આત્મસ્વભાવ સાથે યુજન તેનું નામ “યોગ” છે, અને આ યોગદષ્ટિ તેવા સ્વભાવયુંજન યેગના અભ્યાસરૂપ છે. એટલે આ ચગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણી દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. નો'ય પૂજાદિની જો કામના રે, નેય હાલું અંતર ભવદુઃખમૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાત મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હેઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપરમાં વિવેચીને કહ્યું તેમ, પ્રાસ વેગના ક્ષેમમાં અને અપ્રાપ્તના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજો કયે વેગ હોઈ શકે વારુ? પ્રયંજનાન્તર (બીજુ પ્રજન) કહે છે – कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः । अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८॥ કલ આદિ યોગભેદથી, યેગી ચાર પ્રકાર એથી વિરોધ ન પામતે, કાંઇય પર ઉપકાર. ૨૦૮ અર્થ –કારણ કે કુલગ આદિ ભેદે કરીને વેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમને પપકાર પણ વિરોધ નથી પામતે. વિવેચન કુલ આદિ ગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર થવે વિરોધ પામતું નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.-ઉપરમાં “આત્માનુસ્મૃતિ અર્થે’–આત્માર્થરૂપ સ્વઉપકાર અર્થેનું આ યોગદષ્ટિશાસ્ત્રનું મુખ્ય પ્રયજન કહ્યું; અત્રે પર ઉપકાર અર્થેનું ગૌણુ પ્રજન કહ્યું છે. કૃત્તિ:–કુરિયોજમેન-કુલાદિ ગભેદથી,–ગોત્ર, કુલ, પ્રવૃત્તચક્ર, નિષ્પન્ન ગરૂપ લક્ષણવાળા ગભેદથી, વત્ત-ચાર પ્રકારના, યોનિનો યત:-કારણ કે યેગીઓ સામાન્યથી છે. એથી શું ? તો કે- રોડ-િપોપકાર પણ,-તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ, રાતો ન વિરુ-લેસથી વિરુદ્ધ નથી હોતો- જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત છે માટે, એમ ભાવ છે. Page #755 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુયોગી આત્રિ કઇક ઉપકાર (૬૭૯) જેમ આ ગ્રંથ આત્માનુસ્મૃતિ અર્થે –પિતાના આત્માની અનુમૃતિ અર્થે ઉપકારી છે, તેમ બીજા પણ તથારૂપ ગ્રતાવાળા આત્માઓને આ ગ્રંથ કંઈક ઉપકારી થઈ શકવાને સંભવ પણ છે, કારણ કે તેઓનું આત્મત્વ સમાન છે, એટલે તેઓને કુલગી પણ આના થકી આત્માનુસ્મરણ થવાને-આત્મભાન આવવાને સંભવ છે. આદિને કંઈક સર્વ આત્માઓને સ્વભાવરૂપ ધર્મ સમાન હોવાથી સમાનધર્મીઉપકાર સાધમિક એવા અન્ય
Page 468
આત્માઓને પણ, જો તેઓ આ સંસ્કાર ઝીલે તે, આના થકી આત્મજાગ્રતિરૂપ આત્મલાભ થવો સંભવે છે, કારણ કે ઘેટાના ટોળામાં ચિરકાળ સુધી રહેલા સિંહશિશુને જેમ સિંહને દેખીને સ્વરૂપપદનું ભાન થાય છે, (જુઓ પૃ. ૧૧૩) તેમ પરવસ્તુના અનાદિ સંસર્ગમાં–પરિચયમાં રહેલા આત્માને પણ આના થકી આત્મસ્વરૂપના દર્શનથી નિજ સ્વરૂપનું અનુસ્મરણ થાય એવી સંભાવના છે. અને તે સંસ્કાર ઝીલવા (Reception) માટે પણ કંઈક તથારૂપ યોગ્યતા જોઈએ છે. જેમ રેડિયે પ્રવચનના (Radio Broadcasting) વાયુતરંગ-આંદોલન (Waves) ઝીલવા માટે રેડિઓ યંત્ર અમુક ચેકકસ કક્ષા પર-રેખાંશ “ ગ” વિના (Wave-length) પર હોવું જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, જોગ નહિં નહિ તે નહિ; તેમ આ ગ-પ્રવચનના સંસ્કાર-તરંગ-આંદોલન | (Vibrations) ઝીલવા માટે આત્મા પણ અમુક ચોક્કસ ગ્યતારૂપ કક્ષા પર–ગરેખાંશ પર રિથતિ કરતે હે જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, નહિ તે નહિં. અથવા પાત્ર વિના વધુ રહી શકતી નથી, તેમ તથારૂપ પાત્ર વિના આ આત્મિક જ્ઞાનરૂપ વસ્તુ રહી શકતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં કહ્યું છે તેમ-“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન.” “ગ” (યોગ્ય) જીવ વિના આ “જગરૂપ મહત્ વસ્તુ જીરવી શકાય એમ નથી. જેમ સિંહણનું દૂધ સિંહસુતને જ જરે છે-“સિંહણ કેરું દૂધ તે તે સિંહસુતને જરે,”—બીજાની તે હાજરી જ ફાટી જાય; તેમ આ “જગ'રૂપ પરમાન પણ તથારૂપ યોગ્યતાવાળા જેગીજનેને જ કરી શકે એમ છે, બીજાને-અજોગીઓને તે તે જરે એમ નથી, એટલું જ નહિ, પણ મિથ્યાભિમાનરૂપ અજીર્ણ—અપચો ને ઉદરપીડા ઉપજાવે એમ છે. અને તે જોગીજનના ચાર પ્રકાર છે, કારણ કે ગે ગ, કુલગ, પ્રવૃત્તચોગ, ને નિષ્પન્નયોગ-એમ યોગના ચાર પ્રકાર છે. એટલે ગોગી , કુલગી, પ્રવૃત્તચગી, ને નિષ્પન્નગી એમ ભેગીઓના પણ સામાન્યથી ચાર પ્રકારના ચાર પ્રકાર છે (જેનું લક્ષણ હવે પછી કહેશે). એઓને પણ યથાયોગી સંભવ આ ગગ્રંથથી ઉપકાર થવો સંભવે છે. અને તે ઉપકાર થવાનું કારણ પણ તેઓને યેગ પ્રત્યેને અંતરંગ ભાવથી પક્ષપાત હોય છે, એ છે તેઓને કુદરતી રીતે જ યોગ વિષય પ્રત્યે પ્રશસ્ત રાગ-નૈસર્ગિક પ્રેમ હોય છે, Page #756 -------------------------------------------------------------------------- ________________ (૬૮૦) ગદષ્ટિસમુરચય એ છે. કારણ કે તેઓનું માનસિક વલણ (Inclination) સ્વભાવથી જ યોગ પ્રત્યે પક્ષપાતથી (Bias) ઢળે છે, તેઓનું આત્મપરિણમન યોગ પ્રત્યે પરિ–મન કરતુંસર્વથા નમી પડતું હોય છે. આમ આ ગદષ્ટિ ગ્રંથ જેમ મુખ્યપણે આત્માથે–આત્મપકારાર્થે છે, તેમ ગૌણપણે પરાર્થે–પરોપકારાર્થે પણ છે તાત્પર્ય કે સ્વ-૫ર ઉપકાર એ આ ગ્રંથનું ઈષ્ટ પ્રયોજન છે. મહાપુરુષે સ્વ ઉપકાર અથે જે કૃતિ રચે છે, તે આનુષગિકપણે સર્વ ઉપકારાર્થે–સાર્વજનિક ઉપયોગની પણ થઈ પડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે સરખાવો " न कवित्वाभिमानेन न कीर्तिप्रसरेच्छया। । कृतिः किन्तु मदीयेयं स्वबोधायैव केवलम् ॥" –શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ અને આ ઉપરથી એ પણ ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે-આવા સાચા પરોપકારપરાયણ સંત મહાત્માઓ જે સ્વ ઉપકાર કરે છે તે જ ખરેખર પર ઉપકાર કરવાને સમર્થ હોય છે જે આત્માર્થરૂપ સ્વાર્થ સાધે છે તે જ સ્વ–પર ઉપકાર પરમાર્થરૂપ પરાર્થ સાધી શકે છે. કારણ કે જે સ્વ ઉપકાર નથી કરતા, તે પર ઉપકાર પણ નથી કરી શકત; જે આત્માથે નથી સાધતે, તે પરાર્થ પણ નથી સાધી શકતા. કારણ કે “કુવામાં હોય તો હવાડામાં આવે.” “પોતાનું નહિં સાધ્યું કાંઈ, ઉકાળશે પરનું શું ભાઈ ?” પણ આત્માર્થ સાધ્યા વિના જે પરાર્થ કરવાની ધૃષ્ટતા કરે છે, વા શેખી કરે છે, તે તે બન્ને ગુમાવે છે, અને ભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. જે પિતાના આત્માને ઉપદેશ દીધા વિના
Page 469
પરને ઉપદેશ દેવા જાય છે, તે પિતાનું કે પરનું હિત કરી શક્તો નથી; કારણ કે સ્વાચરણરૂપ ચારિત્રના બળ વિના તેની ધારેલી અસર નીપજતી નથી, અન્યના હૃદયને સ્પર્શ થતો નથી, ને પત્થર પર પાણી” ઢળ્યા જેવું થાય છે ! એટલા માટે જ સન્માર્ગના જ્ઞાતા સદુપદેખા સપુરુષોનું સૌથી પ્રથમ ને મુખ્ય પ્રયજન સ્વાત્માને ઉપદેશ દેવાનું હોય છે, કારણ કે તે ભાવિતાત્માઓ સારી પેઠે ભાવે છે કે-“ હે જીવ! તું ઉપદેશ મ દે, પ્રથમ તું જ ઉપદેશ લે, કારણ કે તે જ્ઞાનીને દેશ સર્વથી ન્યારો ને અગમ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીનું આ માર્મિક વચનામૃત સર્વ મુમુક્ષુઓએ અંતરમાં કતરી રાખવા ગ્ય છે કે – મત દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ છે, જે જ્ઞાનીકા દેશ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આવા સદુપદેષ્ટા સાધુચરિત પુરુષોની વ્યાખ્યાનપ્રવૃત્તિ પણ જેમ મુખ્યપણે માટેથી–ઉચ્ચસ્વરે સ્વાધ્યાયરૂપ હોય છે, તેમ આવી ગ્રંથલેખનપ્રવૃત્તિ પણ મૂક-મૂંગા Page #757 -------------------------------------------------------------------------- ________________ ઉષસ હાર : સ્વ-પર ઉપકાર, જીવતી જાગતી યાત જેવા આ નેગી આ તે ‘સાધુ’ના મૂંગા સ્વાધ્યાય છે (૬૮૧) સ્વાધ્યાયરૂપ-સજઝાયરૂપ જ હાય છે; નહિ કે વાજ્રાલ વિસ્તારનારા વાચસ્પતિઓની જેમ જનમનરંજનકારિણી; કારણ કે તેઓ સારી પેઠે જાણે છે કે-જ્યાં આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ છે? જનમનરંજન ધર્મનું મૂલ્ય એક ફૂટી બદામ પણ નથી. “ આતમ સાખે ધમ જ્યાં, ત્યાં જનનું શું કામ ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ’”—શ્રી ચિદાન‘દજી. એટલા માટે જ આવા સ્વાધ્યાયનિમગ્ન, સાચા આત્માથી, વિવર 'ને ઝંખનારા ખરેખરા મુમુક્ષુ, મેાક્ષસાધકે સાચા સાધક-સાધુ, અધ્યાત્મરસપણિત, ભાવિતાત્મા આ શાસ્રકર્તા મહાયેગીની આ સ્વાધ્યાય ઉદ્ઘાષા અદ્યાપિ અન્ય જીવતી જાગતી અધ્યાત્મરસપિપાસુ મુમુક્ષુ જોગીજનેાના હૃદયને સ્પશી તેમના પર જ્યાત જેવા અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જ્યાત જેવા આ જોગીરાજની આ જોગી ચેતનવતા જોગવાણી જોગીજનાને જાગ્રત કરી, તેમના અંતમાં નિમાઁલ આત્મજ્યાતિરૂપ યોગ-પ્રદીપ પ્રગટાવે છે ! અને યાવચ્ચ દ્રદિવાકરો પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દૈવત છે ! અસ્તુ ! E ]] તેમાં અત્રે— कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्ध्यादिभावतः ॥ २०९ ॥ લયોગી પ્રવૃત્તચક્ર જે, અધિકારીએ તે જ; તથા અસિદ્ધયાદિ ભાવથી, ન યાગીઓ સર્વે જ. ૨૦૯ અઃ—જે કુલયેાગી અને નહિ કે સવેય ચેગીએ, કારણ કે પ્રવૃત્તચક્ર યાગી છે, તેએ જ આના અધિકારીએ છે,તેઓને તેવા પ્રકારે અસિદ્ધિ આદિના ભાવ છે. વિવેચન તેમાં જે કુલયેાગી અને પ્રવૃત્તચક્રયાગી છે, તે જ આ યાગશાસ્ત્રના પાત્ર વૃત્તિ:-પુત્રવૃત્તવા ચે–જે કુલયેાગી અને પ્રવૃત્તચક્ર યોગી છે, તે વાસ્યાધિનિ:-એ જ આ યોગશાસ્ત્રના અધિકારીએ છે, અહુ છે, ચોહિનો—યાગીઓ, મૈં તુ સર્વે-નહિ કે સર્વેય સામાન્યથી. શા કારણથી ? તેા કે—તથા—તથાપ્રકારે, સિદ્ધવિમાવત:-ૠસિદ્ધિ આદિ ભાવને લીધે,-ગાત્ર ચેાગીઓને અસિદ્ધિભાવને લીધે, અને આદિ શબ્દથી નિષ્પન્ન (સિદ્ધુ) ચેગીઓને સિદ્ધિભાવને લીધે. Page #758 -------------------------------------------------------------------------- ________________ (૬૮૨) ગદષ્ટિસમુરચય અધિકારી યોગીઓ છે,-બીજા નહિ; કારણ કે ગોગીને તથા પ્રકારની યોગ્યતાની અસિદ્ધિ હોય છે, તેથી તેઓ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ચગીને તે તથા પ્રકારની યોગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેઓને હવે આવા ગગ્રંથનું પ્રજન રહ્યું નહિં હેઈ તેઓ પણ અત્ર અનધિકારી છે. પ્રત્યેક વસ્તુ પોતપોતાની યોગ્યતાનુસાર–અધિકારાનુસાર શોભે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ પરમાર્થરૂપ શાસ્ત્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધર્મસાધનને “પાત્ર વિના અધિકાર ઘટે છે. “ધિવિરારા ધર્મસાધનસંસ્થિતિઃ' –એ વસ્તુ ન રહે.” શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનું સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર માટે જેમ યથાગ્ય ગુણની જરૂર પડે છે, તેમ આ યોગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાયોગ્યતાની જરૂર અનિવાર્ય છે. સામાન્ય વિદ્યાભ્યાસ
Page 470
માટે જેમ ઉત્તરોત્તર ક્રમે વધતી યોગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ યોગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર ક્રમે ચઢતી યુગભૂમિકારૂપ યોગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લૌકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયોગ્ય વિનય, વિવેક, સમજણ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણરૂપ યોગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયોગ્ય ગુણસ્થિતિરૂપ ગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની ચેગ્યતા કુલગી પ્રવૃત્તચક યેગીઓમાં અવશ્ય હોય છે, એટલા માટે તેઓ જ આ મેગશાસ્ત્રના અધિકારી છે, તેઓ જ આ પરમાર્થશાસ્ત્રના સતુસંસ્કાર ઝીલવાને સુગ્ય સુપાત્ર છે. (જુઓ. પૃ. ૨૫૨, આત્મસિદ્ધિની ગાથા ). બાકી જે ગેaોગી છે, તેઓને આ ગશાસ્ત્રને અધિકાર ઘટતું નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયોગ્ય ગુણભાવ તે નથી, “ગ” એગ્ય યોગની સિદ્ધિને અભાવ હોય છે, એટલે તેઓને વેગને અગ છે. જેમ અગ્યને રાજ્યપદવી અનધિકારી ઘટતી નથી, તેમ આ અયોગ્ય ગોત્રગીને વેગ-રાજ્ય પદવી ઘટતી ગેત્રયેગી નથી. અબુધ એવા મૂખને જેમ વિઠનમંડળીમાં પ્રવેશ શેભતે નથી, તેમ આ અબુધ યોગીને ગમંડળીમાં પ્રવેશ શોભતે નથી. એકડો હજુ નથી આવડત તે એકડીઆને જેમ સાતમી ચોપડીમાં બેસવાનો અધિકાર ઘટતા નથી, તેમ ગમાર્ગને પ્રાથમિક યોગ્યતારૂપ એકડો પણ હજુ જેણે ઘુંટ્યો નથી તે અયોગીને આ ઉચ્ચ યોગશાસ્ત્રવર્ગમાં સ્થાન લેવાનો અધિકાર ઘટતું નથી. આમ પ્રાથમિક યોગ્યતાથી પણ રહિત એવા ગોત્રગીઓ અપાત્ર હેઈ અત્ર અનધિકારી છે. અને જે નિષ્પન્ન ગીઓ-સિદ્ધ ગીઓ છે, તે પણ આ યોગશાસ્ત્રના અધિકારી Page #759 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: કુલગી ને પ્રવૃત્તચકગી અધિકારી (૬૮૩) નથી. પણ તેનું કારણ બીજું જ છે. ગોત્રયાગીએ જ્યારે યોગની અસિદ્ધિને લીધે અત્ર અનધિકારી છે, ત્યારે નિષ્પન્ન યોગીએ યોગની સિદ્ધિને લીધે સિદ્ધગી પણ અધિકારી છે. આ ગશાસ્ત્રનું પ્રયોજન તે ગસિદ્ધિ માટે છે, અનધિકારી અને તે ગસિદ્ધિ તો આ નિષ્પન્ન-સિદ્ધ યોગીઓને હાંસલ થઈ ચૂકી છે. તે પછી તેને હવે આનું પ્રયોજન શું હોય? જેણે ગસિદ્ધિ સાક્ષાત પ્રગટ પ્રયોગસિદ્ધ (Practice) કરી બતાવી છે, જેણે સ્વભાવ-ગુંજન યોગ સિદ્ધ કરી શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે, જેણે “સમયસાર ” પ્રગસિદ્ધ કરી બતાવ્યો છે, એવા સિદ્ધયોગીને પછી આવા શબ્દરૂપ શાસ્ત્રનું (Theory ) શું પ્રજન હોય? યોગમાર્ગના પ્રવાસીને આ યોગશાસ્ત્રરૂપ માર્ગદર્શક ભેમીઓ ઉપયોગી થાય, પણ જેણે યોગમાર્ગને પ્રવાસ પૂરો કર્યો છે, તેને હવે આ યોગશાસ્ત્રરૂપ ભમીઆની (Guide) શી જરૂર ? પ્રાસાદ પર ચઢવા માટે આલંબનની જરૂર પડે, પણ પ્રાસાદશિખરે ચઢળ્યા પછી જેમ તેની જરૂર ન પડે, તેમ ગપ્રાસાદ પર ચઢવા માટે હસ્તાવલંબનરૂપ આ યેગશાસ્ત્રની સહાય લેવી પડે, પણ યોગ-પ્રાસાદના શિખરે ચઢી ગયા પછી તેની જરૂર કયાં રહી ? પર્વત પર ચઢવા માટે જેમ લાકડીના ટેકાની જરૂર પડે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી જેમ તેની કંઈ જરૂર ન રહે; તેમ યેગ-ગિરિ પર ચઢવા માટે આ ગદષ્ટિરૂપ દૃષ્ટિના ટેકાની જરૂર પડે, પણ બધી ગભૂમિકાઓ વટાવી જઈ યોગગિરિના શ્રેગે પહોંચ્યા પછી તેની જરૂર શેની હોય ? કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? સિદ્ધને સાધવાનું શું? માટે નિષ્પન્ન-સિદ્ધ યોગી પણ આ અપેક્ષાએ આ યોગશાસ્ત્ર-સાધનના અધિકારી છે. આમ ગોત્રયાગી અગી હોવાથી આ સતશાસ્ત્રને અધિકારી છે, અને નિષ્પન્ન યોગી પરમ યોગી હોવાથી આના અનધિકારી છે. માત્ર મધ્યમ બે પ્રકારના ગી કલગી ને પ્રવૃત્તચક યોગી-આ ગશાસ્ત્રના અધિકારી છે. કુલગી ને તાત્પર્ય કે–ગ્ય ગભૂમિકાથી દૂર એવા બાધક ભાવમાં વત્તતા પ્રવૃત્તચક જે’ હોવાથી ગાત્ર યોગી અત્ર અગ્ય છે; પરમ યોગ્ય એવી યુગભૂમિકાની પરાકાષ્ઠારૂપ સિદ્ધ ભાવમાં વર્તાતા હેવાથી નિષ્પન્ન થેગી પણ અત્ર અયોગ્ય છે; અને યથાયોગ્ય
Page 471
એવી યોગભૂમિકારૂપ સાધક ભાવમાં વત્તતા કુલગી અને પ્રવૃત્તચક યેગી અત્ર સુયોગ્ય છે યથાયોગ્ય છે. અને એટલા માટે જ– અડદિઠ્ઠી એ કહી સંક્ષેપે, યેગશાસ્ત્ર સંકેતેજી; કુલગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિત હેતેજી.” -શ્રી ચ. દ, સક્ઝા. ૮-૪ એઓનું વિશેષ લક્ષણ કહે છે – Page #760 -------------------------------------------------------------------------- ________________ (૬૮૪) યોગદષ્ટિસમુચ્ચય ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥२१०॥ જમ્યા જે ગિલે, તરુ ઘર્મ અનુગતા ય; કુલગિઓ કહાય તે, ન ગોત્રવંત બીજાય, ૨૧૦. અર્થ –જેઓ ગીઓના કુલમાં જન્મ્યા છે, અને જેઓ તે યોગીઓના ધર્મને અનુગત છે, તેઓ “કુલગીએ” કહેવાય છે,–નહિં કે બીજાઓ ગોત્રર્વતે પણ. વિવેચન “ગિકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી.”. સક્ઝા. ૮-૪ જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે અને જન્મથી જ તેઓના ધર્મને ઉપગત છેપામેલા છે, તથા પ્રકૃતિથી યોગિધર્મને અનુગત–અનુસરનારા એવા જે બીજાઓ પણ છે, તેઓ “કુલગી' કહેવાય છે, એમ દ્રવ્યથી અને ભાવથી જણાય છે, –નહિ કે ગોત્રવતે પણ, નહિ કે સામાન્યથી ભૂમિભવ્ય એવા બીજા પણ જે યેગીઓના કુલમાં જન્મ્યા છે અને યોગીઓના ધર્મને જે ઉપગત છે–પામેલા છે, તે કુલગી છે. અર્થાત-જે જન્મથી જ યોગી છે, આજન્મ યોગી (Born Yogis) છે તે કુલગી છે, મનુષ્ય કુલમાં જન્મેલે જેમ જન્મથી જ મનુષ્યગીઃ બાલ હોય છે, સિંહ કુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ આજન્મ હોય છે, તેમ એગિકુલમાં જન્મેલે જન્મથી જ બજેગી” હોય છે. ગી પૂર્વ જન્મમાં ગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું ચવન થયું છે, તેવા પૂર્વારાધક “ગભ્રષ્ટ” પુરુષે આવા કુલગી (Born Yogis) હેઈ શકે છે. જેમ જૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્યો આજન્મ કવિ (Born Poets) હોય છે, તેમ આવા નૈસર્ગિક એગશક્તિવાળા મહાત્મા કુલગી આજન્મ યોગી હોય છે. આવા યેગીઓને પૂર્વારાધિત યંગસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છેડેલ યોગની કડીનું અનુસંધાન શીધ્ર વિના પ્રયાસે હોય છે. જેમ લાંબી મુસાફરીએ નીકળેલ મુસાફર વચ્ચમાં વિશ્રામસ્થાને વિસામો ખાય છે, રાતવાસ કરે જૂત્તિ – રોજિન જે વાતા–જેઓ યેગીઓના કુલમાં જગ્યા છે,-જન્મથી જ- તનાતાઅને તેઓના ધર્મને અનુગત– ગિલમને અનુગત, ચે-જે એ પ્રકૃતિથી અન્ય ૫ણુ, કુરોજિન રચન્તhયોગીઓ કહેવાય છે એમ સમજામ છે,-દ્રવ્યથી અને ભાવથી. જોત્રવત્તોડજિ-ગાત્રવંતે પણ, સામાન્યથી ભૂમિભળે પણ, નારે-નહિં કે બી જ. નહિં કે બીજાઓ કલગી કહેવાય છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલગી-આજન્મયોગી, ઉદાહરણ છે, પણ થાક ઉતરી ગયા પછી તાજમા થઈ તરત જ આગળ અખંડ પ્રયાણ ચાલુ રાખે છે; તેમ મોક્ષપુરીના પ્રવાસે નીકળેલ ચોગમાર્ગને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરે છે, અને શ્રમ ઉતરી ગયા પછી પાછો પુનર્જન્મરૂપ ન અવતાર પામી, તામાજે થઈને, અપૂર્વ ઉત્સાહથી ભેગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે અને આમ આયેગમાર્ગના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. જેમ વખત પૂરે થઈ જતાં કારકુન આગલે દિવસે અધૂરું મૂકેલું કચેરીનું કામ, બીજે દિવસે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવે છે, તેમ આયુને સમય પૂરો થઈ જતાં યેગી આગલા જન્મમાં અધૂરું છડેલું આત્માર્થનું કામ, બીજા જન્મમાં અધૂરું હતું ત્યાંથી આગળ ધપાવે છે. આમ યેગી પુરુષનું યોગસાધનરૂપ આત્માથે કાર્ય અટૂટપણે પૂર્ણતા પર્યત વિના પ્રયાસે-સહજ સ્વભાવે ચાલ્યા કરે છે. દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રચણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”—છે. સઝા. ૨ બીજાઓને–અન્ય પ્રાકૃત જનને જે સંસ્કાર ઘણું ઘણું અભ્યાસે કંઈક જ-અપ માત્ર જ થાય છે, તે આવા Xઆજન્મ યેગીઓને વિના પરિશ્રમે
Page 472
સહજ સ્વભાવે ઉપજે છે ! અને તે પૂર્વજન્મનું અસાધારણ ભેગારાધકપણું જ દર્શાવે છે,–જેનું વર્તમાનમાં પ્રગટ જ્વલંત ઉદાહરણ પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સ્વસંવેદનરૂપ આત્માનુભવગમ્ય સહજ ઉગાર ઉપરથી સ્વયં સૂચિત થાય છે – “લઘુવયથી અદ્ભુત થયે, તત્ત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય? વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ?”-શ્રીમદ્ રાજચંદ્રજી. ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ યોગસામર્થ્ય દાખવનારા અનેક મહાપુરુષોનાં ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમકે–વીશ વર્ષની નાની ઉંમરમાં જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર, ઘડીઆમાં બીજા ઉદાહરણે રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યું હતું, તે મહાયોગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, અને ધર્મધુરંધર શ્રી યશોવિજયજી, સંત કબીરજી, રમણ મહર્ષિ આદિનાં ચરિત્રો પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતો પણ જન્મથી જ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ x" अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ તત્ર સં યુદ્ધિયો શ્રમને પૌવૈશ્મિ ચાલે જ તો મયઃ વંતિૌ ગુરુનંદન ” -ગીતા Page #762 -------------------------------------------------------------------------- ________________ (૬૮૬) ગદષ્ટિસમુચ્ચય આજન્મગીપણું જ સૂચવે છે. આમ કુલગીએના સેંકડો દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના યોગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલયોગીઓને વેગ સહજ સ્વભાવે સિદ્ધ હોય છે. ઉંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને યેગ યાદ આવી જાય છે, અને પછી પ્રવૃત્તચક્રાદિ યોગાભૂમિકાઓ ઝપાટાબંધ અત્યંત વેગે વટાવી જઈ તેઓ નિષ્પન્ન ગદશાને-સિદ્ધદશાને પામે છે. આ યોગીકુલમાં જન્મરૂપ જે કુલગીપણું કહ્યું તે અધ્યાત્મ સંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કાર જમરૂપ છે. જેમ પુરુષને બાહ્ય જન્મ સ્થલ સ્વરૂપે છે, તેમ ગીપુરુષને આ આધ્યાત્મિક જન્મ સૂક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી આધ્યાત્મિક જેમ બાહ્ય વદિસંપન્ન દેહને જન્મ છે, તેમ પરમાર્થથી યોગસંસ્કાર જન્મ સંસ્કારસંપન્ન આત્માને જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ દેહનું સર્જન થાય છે, તેમ ગ–બીજાધાનથી પુરુષના-આત્માના સૂક્ષ્મ સંસ્કાર-શરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગદર્શનાદિ બીજાધાન કરનારા યોગીઓરૂપ માતા-પિતા છે. જેમ સ્કૂલ દેહમાં માતા-પિતાને ગુણ લક્ષણ વારસો ઉતરે છે, તેમ આધ્યાત્મિક સંસ્કારસ્વામી ગીઓને ગુણસંસ્કાર-વારસે તે સૂફમદેહમાં ઉતરે છે જેમ “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” હોય છે, તેમ ગીપિતા જેવા આ ગી-બાલ હોય છે. પરંતુ બાહ્ય જન્મ પુનર્જન્મને હેતુ હોય છે, પણ આ આધ્યાત્મિક સંસ્કારજન્મ તે અપુનર્જન્મનો હેતુ હોય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વનોમરણને હેતુ હોય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વને-અમરપણાને હેતુ હોય છે. અથવા તે બાહ્ય સ્થૂલ દેહ જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તે આત્માનું મૃત્યુ જ છે, ભાવમરણ જ છે; આત્માનો ખરેખર પારમાર્થિક જન્મ તે સંસ્કારસંપન્નપણે જન્મવું તે જ છે. આ આ પરમ ધન્ય પારમાર્થિક સંસ્કારજન્મ આ કુલયોગીઓને સાંપડ્યો હોય છે, અને જન્મથી જ તેઓ યેગીઓના ધર્મને પામેલા હોય છે. અને બીજાઓ પણ જે પ્રકૃતિથી યેગીધર્મને અનુગત હોય, તે પણ કુલગી છે. અર્થાત જેઓ યોગીઓના ધર્મને અનુસરનારા-અનુયાયી” છે તે પણ “કુલગી ” કહેવાય છે. આ “ ગી ધર્મ' એટલે શું ? યોગને જેને યોગ (સંબંધ) થયો તે છે યોગી, અને આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે જન-જોડાણ તેનું નામ યોગ. એટલે આત્મસ્વભાવ સાથે જેનું જન છે, અર્થાત જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે ગીધર્મ? તે યોગી છે, અને એવા તે યોગીને જે
Page 473
ધર્મ છે તે ગીધમ છે. એટલે શું ? આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરા ધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ યોગીઓનો ધર્મ છે. વળી ધર્મ” શબ્દ પણ એ જ ભાવને સૂચક છે, કારણ કે વસ્તુને સ્વભાવ તે ધર્મ, Page #763 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : આયાત્મિક સંરકારજમ, યોગિધર્મ એટલે શું ? (૬૮૭ ) રઘુરાવો ઘો ” અર્થાત્ આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્ણવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હેવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ. આ આત્માને સ્વભાવયું જનરૂપ ગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયુંજારૂપ યોગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂર્તિ “ગી” છે અને તેને ધર્મ પણ તે જ છે આમ યોગી ધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધર્મ-આત્મધર્મ. પ૨પરિણતિને પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. તાત્પર્ય કે–આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ જેણે સાધ્યું છે, જે સ્વરૂપસ્થિત છે તે ગી” છે. અને આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ તે જ તેઓને વાસ્તવિક ધર્મ છે. આવા આત્મસ્વભાવરૂપ ગિધર્મને અનુસરવા જે નિત્ય પ્રયત્નશીલ રહે છે, તે કુલગી છે. આત્માને અનુગત એટલે કે સર્વત્ર આત્માને આગળ કરી તેને અનુસરતી જેની સમસ્ત ભાવધર્મ પ્રવૃત્તિ છે, તે કુલયોગી છે. આ આત્મ-અનુગત ભાવ સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા પર્યત હોય છે, કે જેથી સંવર-નિર્જરા થઈ ઉપાદાન કારણ પ્રગટે છે, કારણ કે અત્રે સાધ્ય આલંબનને દાવ હાથ લાગે છે. (જુઓ પૃ. ૪૯૩, પ૨૧-૫૨૨ ). સમકિત ગુણથી હે શેલેશી લગે, આતમ અનુગત ભાવ; ”— સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ.”—શ્રી દેવચંદ્રજી. અને આમ સદા આત્મ-અનુગત ભાવ હોવાથી જ આ સમ્યગદષ્ટિ યોગીપુરુષ જેમ બને તેમ આત્મ-પદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, એટલે જેથી આત્મવસ્તુને વિરોધ ન આવે તે સર્વ “ધર્મ” કર્તવ્ય કરે છે, અને જેથી આત્મવસ્તુને વિરોધ આવે તે સર્વ અધમ કર્તવ્ય નથી કરતે. ટુંકામાં તે “આરાધક જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધમને આદરે છે, તે રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે; આત્મપરિણતિને ભજે છે ને પરપરિણતિને ત્યજે છે. અને આમ આત્મપદાર્થથી અવિરોધ એ વિધિ-નિષેધ આચરી, તે “મહાજને ” પરિગ્રહેલ આત્મપદાર્થને ગ્રહણ “વિધિ” કરે છે. (જુઓ કાવ્ય પૃ. ૩૯૭) એટલે જ આ ગિધર્મને-મેક્ષમાર્ગને અનુયાયી મુમુક્ષુ કુલગી, અજ્ઞાનરૂપ કર્મભાવને છેડી દઈ, નિજ વાસરૂપ–સ્વભાવસ્થિતિરૂપ મોક્ષભાવને ભજવા નિત્ય પ્રયત્નશીલ બને છે; અંધકાર સમા અજ્ઞાનને જ્ઞાનપ્રકાશ વડે નાશ કરે છે, જે જે બંધના કારણે છે તે બંધને પંથ જાણી, તે કારણેની એક એવી દશારૂપ મોક્ષમાર્ગને સેવે છે; રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગ્રંથિ-ગાંઠ છે તેની જેના વડે નિવૃત્તિ થાય, એવા એક્ષપંથને આરાધે છે; અને સત્ ચૈતન્યમય ને સર્વાભાસથી રહિત એ “કેવળ આત્મા જેથી પામીએ, એ મેક્ષપંથની રીતિને અનુસરે છે. (જુએ આત્મસિદ્ધિની ગાથા પૃ. ૨૭૧, ૪૬૩) આ જે કહ્યો તે મેક્ષમાર્ગરૂપ ગીધર્મમાં-સનાતન વસ્તુધર્મમાં–શાશ્વત Page #764 -------------------------------------------------------------------------- ________________ (૬૮૮) યોગદષ્ટિસમુચય આત્મધર્મમાં કઈ પણ પ્રકારના મતભેદને-દશનાગ્રહભેદને અવકાશ ક્યાંથી હોય? જાતિ-વેષનો ભેદ ક્યાંથી હોય? એટલે આ શુદ્ધ આત્મસ્વભાવની જાતિ વેષને સિદ્ધિરૂપ એક જ પ્રયજન જ્યાં છે તે ગિધર્મમાં જૈન, વૈષ્ણવ, ભેદ નહિ” બ્રાહાણ, વેદાંતી, બૌદ્ધ આદિ કુલધર્મના ભેદ મટી જાય છે. સાધુ, શ્રમણ, સંન્યાસી, જેગી, ફકીર આદિ બાહ્ય દ્રવ્યલિંગભેદને૪ સ્થાન જ નથી. ઉપરમાં જે કહ્યો તે ભાવલિંગરૂપ જેગિધર્મ–મોક્ષમાર્ગ જે સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મુક્તિને પામે છે. “ જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય; સાધે
Page 474
તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.”—શ્રી આત્મસિદ્ધિ. જે કોઈ આ યથાત ગીધને આરાધે છે, તે આ ગીધર્મમાં છે. જે કંઈ મત-દર્શનને આગ્રહ તેમજ વિકલ્પ છોડી દઈ, નિજ સ્વભાવની સિદ્ધિરૂપ આ સનાતન આત્મધમને ભાવથી સાધે છે, પરંપરિકૃતિને ત્યજતા રહી યોગિધર્મના આત્મપરિણતિને ભજતા રહે છે,–તે સર્વ સાચા સાધકે, સર્વ સાચા અનુયાયી આરાધકે, સર્વ ઉપાસકો, સર્વ મુમુક્ષુઓ, સર્વ આત્માથીએ, સર્વ ગીઓ, સર્વ સમ્યગદષ્ટિ સાધુજને, મત-સંપ્રદાયના ભેદ વિના આ વિશ્વધર્મરૂપ (Universal Religion) ગિધર્મના ખરેખરા “અનુયાયી' એવા કુલયોગીઓ છે. અને ઉપલક્ષણથી–આવા યોગમાર્ગની પ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ તેના પ્રત્યે જે કઈને સર્વથા અદ્વેષ હોય, ખરેખરે અંતરંગ પ્રેમ હોય, પ્રશસ્ત રાગ હોય, સાચી અંતરંગ જિજ્ઞાસા હોય, તેને અનુસરવાની હાર્દિક ઇચ્છા હોય,–તે સર્વ સન્માર્ગ પ્રેમીઓ, સર્વ માર્ગનુસારીએ, સર્વ જિજ્ઞાસુઓ પણ દ્રવ્યથી આ યોગીધર્મના અધિ. કારી કુલયોગીઓ છે. આમ આ વસ્તુસ્વભાવરૂપ સનાતન યોગધર્મ સાર્વજનિક એ વિશ્વધર્મ ' બનવાને પરમ યોગ્ય છે; કારણ કે સ્વરૂપથી સર્વ યોગારાધક યોગીઓની જાતિ એક છે, અને તેઓને ધર્મ પણ એક જ છે, કારણ કે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ગરૂપ ધર્મ આ મહાનુભાવ યોગીઓને અનુકૂળ હોય છે. (જુઓ કાવ્ય પૃ. ૫૮-૫૯ ) “તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકુળ”-શ્રીમદ્ રાજચંદ્રજી. x “ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते लिङ्गकृताग्रहाः ॥ जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते जातिकृताग्रहाः ॥" –શ્રી પૂજ્યપાદસ્વામીજીત સમાધિશતક. "ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । &િાં મુદ્દg હંસળવત્તા સેતિ – શ્રી સમયસાર, Page #765 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ગિધર્મના સાચા અનુયાયી, ‘કુલી ’ શબ્દનું રહસ્ય (૬૮૯) એટલે આવા પરમ ઉદાર સર્વગ્રાહી આ ગિલમને જે સાચા ભાવથી અનુસરતા હોય, તે સર્વે ગમે તે સંપ્રદાયના હોય, તે પણ એક જ ધર્મના અનુયાયી-સાધમિકે છે. તાત્પર્ય કે આ યોગમાર્ગને ખરેખર અનુસરનારો જેન હોય કે સાધર્મિક વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, સાંખ્ય હોય કે વેદાંતી હોય, આત્મબંધુઓ ગમે તે હોય, તે સર્વ સાધર્મિક બંધુઓ છે, આત્મબંધુઓ છે. આવા આ ગિધર્મને જે કઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હોય તે સર્વ કુલગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવું દ્રવ્ય વિવક્ષિત છે –નહિં કે ભાવનું કારણ ન થાય એવું અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે ગભાવને ઉદ્ભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય યોગસાધનરૂપ ગિધર્મને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તે પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા યોગ્ય છે કે-દ્રવ્ય યુગ સાધનધર્મ પણ ભાવ વેગસાધન ધર્મનાં કારણભૂત થાય તે જ તે ભલા છે, સફળ છે, નહિં તે આલ છે–મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવું વિશિષ્ટ હોવું જોઈએ કે તે ચોક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તે જ તે સફળ છે, નહિં તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છતા તત્ત્વરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પંચાશકશાસ્ત્ર અવલેકવું. દ્રવ્યધર્મ તે યુગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ છે સ્વભાવ સુધર્મને, સાધન હેતુ ઉદાર.” –શ્રી દેવચંદ્રજી. આવા આ મહાનુભાવ “કુલ યોગીએ” ખરેખર ! કુલગીઓ જ હોય છે. કુલવધૂ જેમ પોતાના કુલને છાજે એવું વર્નાન કરે છે–કુલીનપણું આચરે છે, કુલપુત્ર જેમ પોતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ચોગ્ય “લોગી” આચરણ કરે છે તેમ કુલગી પણ પિતાના લેગિકુલને છાજે શબ્દનું રહસ્ય એવું, ને દેષ-કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન આચરણ કરે છે. જેમકે–પર
Page 475
ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવું, ઉચિત મર્યાદા ધર્મમાં રહેવું, શીલ સાચવવું, ઈત્યાદિ કુલધર્મને જેમ કુલવધૂ પાળે છે, તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલંઘાય એમ ઉચિત “મર્યાદાધર્મમાં મરજાદમાં” રહેવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું,-ઇત્યાદિ ભેગીકુલના ધમને કુલગી બરાબર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પદ્રવ્યગ્રહણ આદિ સર્વ અનાર્ય કાર્યને દૂરથી વજે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આર્ય કુલગી પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પિતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચેરી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ Page #766 -------------------------------------------------------------------------- ________________ (૬૯૦) ગદષ્ટિસમુચ્ચય વ્યભિચારને, અને મમત્વથી પરદ્રવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને-ઇત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે અને પરવસ્તુરૂપ પરભાવ-વિભાવને છેડી દઈ, તે ઉપરથી પોતાની માલીકી ઉઠાવી લઈ, સ્વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાયનીતિને–ખરેખરી પ્રમાણિક્તાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી–કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પોતાના બિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકોતેર પેઢીને તારી” યોગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે. એટલા માટે કુલવધુ અને કુલપુત્રની જેમ કુલગીને આ “કુલગી' નામ બરાબર ઘટે છે. બાકી જિનાદિ પરમ ભેગીઓના કુલમાં બાહ્ય દેહજન્મની અપેક્ષાએ જમ્યા છતાં, જે તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, અથવા તે નામમાત્ર અનુસરતા હોય, છતાં પિતાને તેના અનુગામી-અનુયાયી “જૈન” આદિ કહેવડાવતા હોય, તે નામમાત્ર તે નામમાત્ર જૈન આદિ છે, ગોત્રગી છે, પણ કુલગી નથી. તે અનુયાયીઓ જ પ્રકારે બુદ્ધના કુલ–સંપ્રદાયમાં જન્મ્યા હોય અને તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, છતાં પિતાને તેના અનુયાયી “બૌદ્ધ’ તરીકે ઓળખાવતા હોય, તો તે પણ નામમાત્ર બૌદ્ધ છે, કુલયોગી નથી. તેમજ સાચા બ્રાહ્મણ-વૈષ્ણવજન* આદિમાં હોવા ગ્ય લક્ષણ જેનામાં નથી, છતાં પિતાને બ્રાહ્મણ-વૈષ્ણવ વગેરે કહેવડાવનારા અન્યને માટે પણ સમજવું. રાગ-દ્વેષાદિ શત્રુનો જય કરવારૂપ જૈનપણું જેનામાં નથી, અથવા યથાર્થ વસ્તુબેધરૂપ બુધપણું જેનામાં નથી, અથવા આત્મપવિત્રતારૂપ શૌચમય વૈષ્ણવપણું જેનામાં નથી, અથવા સાચા બ્રહ્મજ્ઞાનરૂપ બ્રાહ્મણપણું જેનામાં નથી,-તે ભલે જન્મથી જૈન હો કે બૌદ્ધ હે, વૈષ્ણવ હો કે બ્રાહ્મણ હે, કે અન્ય કઈ પણ હે; પણ તે ભાવથી-પરમાર્થથી જૈન પણ નથી ને બૌદ્ધ પણ નથી, વૈષ્ણવ પણ નથી ને બ્રાહ્મણ પણ નથી; તેમજ તે કુલગી પણ કહી શકાય એમ નથી. તાત્પર્ય કે–સાચા પારમાર્થિક યોગમાર્ગને-મેક્ષમાગને નહિં અનુસરનારા એવા સવ સંપ્રદાયવાદીઓ, સર્વ મતદર્શનાગ્રહી કાંઈ કુલગી નથી. ઘણું કરીને મનુષ્યાત્મા કેઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે. પણ એનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરે; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તાવું.” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૨૧૬ (૨૫૪) અથવા તે માત્ર શારીરિક વિકાસ માટેના વ્યાયામાદિ પ્રયોગને જે યોગને નામે ૪ વૈષ્ણવ જન તો તેને કહિયે.” ઈસાદિ- શ્રી નરસિંહ મહેતા Page #767 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : નામ માત્ર અનુયાયીઓ, ગાત્રાગી તે કુહગી નથી (૬૯૧) ઠઠાડતા હોય, અથવા હોગાદિ પ્રક્રિયાને બહાને જે લેકોને વેગ સંબંધી વ્યાહ ઉપજાવતા હોય, અથવા વેગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાત્ “ગ”ની મહાન “ગ” શબ્દની વિડંબના કરતા હોય, અથવા બેટી સમાધિ વિડંબના ચઢાવી જવાને ડોળ કરી મુગ્ધ લોકોને વંચતા રહી જે યોગને નામે ચરી ખાતા હોય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જેગીમાં ખપતા હોય –એ
Page 476
આદિ પણ કંઈ કુલગી નથી. તે તે યોગની ઠેકડી ઉડાવનારા યુગવિડબકે છે, યેગીકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને “ગ” જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે ! ઉપરમાં જે કુલગી કહ્યા, તે સિવાયના બીજા જે ભૂમિભ–ગોત્રયાગીઓ છે, તે કાંઈ કુલગી નથી. ભૂમિભવ્યો એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે તે. જેમકે–આર્યક્ષેત્રના–આ ભરતભૂમિના સંતાનો ભૂમિભળે છે. તે ગોત્રયેગી તે ગોત્રગી છે, પણ કુલગી નથી, કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી કુલગી નથી કાંઈ જીવનું કલ્યાણ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે–તથારૂપ ગુણગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્ત કારણને આધીન એવું ઉપાદાનકારણ પ્રગટાવવામાં જે તેને ઉપયોગ કરાય, તે જ તે લેખે થાય છે, નહિ તે અલેખે છે. દાખલા તરીકે–આય એવી આ ભવ્ય ભરતભૂમિમાં ગિધર્મ પામવાની પૂરેપૂરી અનુકુળતા છે. કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન ગિવોએ જન્મ લઈ આ અવનિને પાવન કરી છે. એટલે અત્રે ગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીને જે યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ગ્યપણુંભવ્યપણું-સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભવ્યતાથી કાંઈ વળે નહિ, મહાગીઓની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જગ્યા માત્રથી કાંઈ યેગી થઈ જવાય નહિં. એટલે ભૂમિભવ્યરૂપ ગેગીઓ છે, તે કાંઈ કુલગી કહેવાય નહિં. કુલગી થવા માટે તે તેવા મુમુક્ષતા યોગ્ય ગુણ પ્રગટાવવા જોઈએ. (જુઓ પૃ. ૩૧૬–૩૧૭) આ ગેત્રગી ને કુલગીને તફાવત સ્કૂલરૂપે સમજવા માટે ગોત્ર અને કુલ શબ્દને તફાવત સમજવાની જરૂર છે “કુલ” શબ્દ નિકટને વંશસંબધ સૂચવે છે, ને “ગોત્ર” દરને વંશસંબંધ સૂચવે છે. તેમ કુલગી યોગીકુલ સાથે નિકટને વંશસંબંધ ધરાવે છે, અને ત્રગી દૂર દૂરને સગપણ સંબંધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેને મોક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માઓ “કુલગી” છે; અને જેને મેક્ષ હજુ ઘણે ઘણે દૂર છે, તે દૂરભવ્ય ભવાભિનંદી જી ગાત્રોગી” છે. એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે– Page #768 -------------------------------------------------------------------------- ________________ (૬૯૨) યુગદષ્ટિસમુચ્ચય सर्वत्राद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥२११॥ સર્વત્ર અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રીતિવંત; દયાળુ તેમ વિનીત આ, યદ્રિય ધવંત ૨૧૧. અર્થ —અને એઓ (કુલગીએ) સર્વત્ર અદ્વેષી, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા, તથા દયાળુ. વિનીત, બેધવંત અને યતેંદ્રિય હોય છે. વિવેચન અષી ગુરુ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી.” – સઝા. ૮ અને આ કુલગીઓ તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે સર્વત્ર અહેવી હોય છે, ધમપ્રભાવને લીધે, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા હોય છે કિલષ્ટ પાપના અભાવને લીધે પ્રકૃતિથી દયાળુ હોય છે; કુશલાનુબંધી ભવ્યતાથી વિનીત હોય છે; ગ્રંથિભેદથી બેધવંત હોય છે, અને ચારિત્રભાવથી યતેન્દ્રિય-જિતેંદ્રિય હોય છે. સર્વત્ર અદ્વેષી આ કુલયોગીઓ કે જે યોગીકુલમાં જન્મ્યા છે અને ગિધર્મને જે અનુસરનાર, છે, તેઓ સર્વત્ર-સર્વ સ્થળે અષી હોય છે, તેઓને જગતમાં ક્યાંય પણ દ્વેષ હેતે નથી; કારણ કે તેઓને દ્વેષના કારણરૂપ કઈ પણ પ્રકારના ગ્રહને-મિથ્યા આગ્રહનો સર્વથા અભાવ હોય છે, એટલે દ્વેષનો પણ અભાવ હોય છે. દ્વેષનું કારણ ગ્રહ હોય છે, પિતે ગ્રહેલા-પકડેલા મતથી જે કઈ વિરુદ્ધ પડે તે ગ્રહગ્રસ્ત મતાગ્રહીને તરત જ ઠેષ ઉપજે છે; કારણ કે મતાથીને પિતાના મતને “મમત” હોય છે, આ મહારો મત છે એવા મમત્વને લીધે તેથી વિરુદ્ધ જનારા પ્રત્યે તે ગુસ્સે થાય છે ! મતાગ્રહી “મારે તે સાચું'
Page 477
એમ માને છે, અને સગ્રાહી ‘સાચું તે મારું એમ માને છે. તેથી મતાગ્રહી પિતાની માન્યતા પ્રમાણે ઘસડાતે હેઈ યુક્તિને પણ જ્યાં પોતાની મતિ અભિનિવિષ્ટ છે, ત્યાં ખેંચી જાય છે, અને સદાગ્રહીને તે જ્યાં યુક્તિ છે ત્યાં મતિ સ્વયં પ્રવેશ કરે છે. આગ્રહીનું મનરૂપી વાંદરૂં યુક્તિરૂપી ગાયને પૂંછડેથી “ખેંચે છે ! અને નિરાગ્રહી જૂત્તિ–સર્વત્રષિરે અને એમાં સર્વત્ર અષી હોય છે, તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે. તથા– વક્રિક્રિયા:-ગુર, દેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા,-ધમ પ્રભાવને લીધે. તથા-વાવ-દયાળ પ્રકૃતિથી, કિલષ્ટ પાપના અભાવથી, વિનીતાશ્ચ-અને વિનીત,-કુશલાનુબંધી ભવ્યતાથી, તથા વધવરોધવંત-ગ્રંથિભેદથી, તેન્દ્રિયાયતંદ્રિય, ચારિત્રભાવથી હોય છે. Page #769 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: કલોગીનાં લક્ષણ, સર્વત્ર અપી, દશનાગ્રહ અભાવ (૬૯૩) મધ્યસ્થનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયને અનુસરે છે–પાછળ પાછળ જાય છે ! (જુઓ ફૂટનોટ લેક પૃ. ૩૨૮-૩ર૯). આવો મતાગ્રહ એકાંતવાદીને જ હોય છે, કારણ કે તે કોઈ એક અમુક નયને જ પકડી બેસે છે, અને “વહોરાવાળા નાડા” ની જેમ તેને જ હઠ પકડી રાખે છે! એટલે કે તે મતાથી હોય છે. દાખલા તરીકે કઈ વ્યવહાર નયનો જ આગ્રહી મતાથ ને હોય છે, તે કેઈ નિશ્ચય નયને જ આગ્રહી હોય છે. કોઈ જ્ઞાનને આત્માથી જ આગ્રહી હોય છે, તે કઈ ક્રિયાને જ આગ્રહી હોય છે. કેઈ એકાંત નિત્ય પક્ષને જ આગ્રહી હોય છે, તે કોઈ એકાંત અનિત્ય પક્ષને જ આગ્રહી હોય છે. આમ મતાથી એકાંતવાદીને પોતપોતાના મતને અભિનિવેશ-આગ્રહ હોય છે. પણ આત્માથી અનેકાંતવાદીને તે કઈ પણ આગ્રહ હેતે નથી, કારણ કે તે નયના સ્વરૂપને સારી પેઠે જાણે છે કે પ્રત્યેક નય પિતપતાની અપેક્ષાએ પિતાની નય. મર્યાદામાં સારો છે, પણ પર અપેક્ષાએ ખેટે છે, માટે કઈ પણ નયને એકાંત આગ્રહ કરે તે ખોટો છે, મિથ્યા છે, એમ જાણતે હોઈ તે કદી પણ કોઈ એક નયનો આગ્રહ કરતો જ નથી, અને વ્યવહારનય-નિશ્ચય નયની યથાયોગ્ય મર્યાદા સ્વીકારી બનેને સમન્વય ( Reconciliation) સાધે છે. એટલે નિશ્ચયવાણું સાંભળી તે કાંઈ સાધન છેડી દેતે નથી, પણ નિશ્ચયને લક્ષમાં રાખી તે તે જ સાધન કરે છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” –શ્રી આત્મસિદ્ધિ. વળી દર્શન વિષયમાં પણ તેને કઈ પણ મત-દર્શનને આગ્રહ હેતે નથી; કારણ કે સ્વાવાદદશી હોઈ તે, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ, કથંચિત કઈ અપેક્ષાએ સાચા છે, એમ “સ્વાત' પદનો ન્યાસ કરીને તે દર્શનાગ્રહ સમાધાન કરે છે. તે તે દર્શનેને તે જિનદર્શનના અંગભૂત જાણે અભાવ છે. એટલે તસંબંધી પણ તેને કેઈ આગ્રહ સંભવ નથી. (જુઓ પૃ. ૫૮-૫૯, પૃ. ૪૨૩) આમ સાંકડી એકાંત દષ્ટિને અભાવ હોવાથી અને વિશાલ અનેકાંતદષ્ટિને સદ્ભાવ હોવાથી આ આત્માથી કુલગીને મતાગ્રહને સર્વથા અભાવ હોય છે. તે તે જ્યાં ત્યાંથી “સને જ ગ્રાહક હેઈ, સર્વત્ર સદ શને જ ખોળે છે; એને મતનું કામ નથી, “સત્ 'નું જ કામ છે. અને આમ તેને સર્વથા ગ્રહને અભાવ હોય છે, એટલે કેઈ પણ દર્શનવાદી પ્રત્યે તેને કદી પણ દ્વેષ ઉપજતો નથી. તેને મન તે તે સર્વ પિતાના સાધર્મિક આત્મબંધુઓ છે. તે તે એટલે સુધી ભાવે છે કે–સર્વ આત્માએને સ્વભાવ ધર્મ એક જ છે, એટલે સમાનધમી હોવાથી આ સર્વ આત્માઓ હારા સાધર્મિક ભાઈઓ છે. એવી પરમ ઉદાર ભાવનાથી તેને સર્વ ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી Page #770 -------------------------------------------------------------------------- ________________ (૬૯૪) યોગદષ્ટિસમુચ્ચય હોય છે, તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત્ વર્તે છે. આવા સર્વત્ર મિત્રી ભાવવાળાને ક્યાંય ક્યાંથી હોય?
Page 478
“મિત્તિ કે સમૂહુ, વેરં માઁ = ળરૂ”—શ્રી જિનપ્રવચન “સાત્મવત સર્વભૂતેષુ ” શ્રી ભગવદ્દગીતા સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખે.”– શ્રીમદ રાજચંદ્રજી ૨. ગુરુદેવ-દ્વિજનું પ્રિયપણું આ કુલયોગીને બીજે ગુણ ગુરુ-દેવ-બ્રિજનું પ્રિયપણું એ છે. આ આત્માથી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હોય છે–ખૂબ વહાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધર્મનો પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્તે જે વિચાર કરીએ તે દરેક પ્રાણીને પિતાનું હિત પ્રિય હોય છે, પોતાનું ભલું થાય એમ સહુ કોઈ ઈચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કઈ હોય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્વિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હોઈ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે– માણસ દીર્ઘ રોગથી પીડાતે હેઈ મૃત્યુશધ્યામાં પડ્યો હોય, તેને કેઈ સુવૈદ્ય સાજે કરે, તે તે જીવિતદાન આપનાર ઉપકારી વૈદ્ય તેને કેટલે બધે હાલે લાગે? તેમ આ કુલગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની અહો ! અહા ! બાબતમાં પણ છે. કારણ કે-(૧) પોતાને જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રોગી આત્મભ્રાંતિરૂપ મહારોગથી પીડાતે હતા, અને “ક્ષણ ક્ષણ ભયંકર આદિ દષ્ટાંત ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આ સદ્ગુરુ સુધે સ્વરૂપ-સમજણરૂપ ઔષધિ વડે સાજો કર્યો, આત્મઆરોગ્યસંપન્ન કર્યો, અને સમ્યગદર્શનરૂપ–બોધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી ને જન્મ આપ્યો, તે પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્ ભગવાન તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત અનંતગણું વ્હાલા કેમ ન લાગે? જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત”શ્રી આત્મસિદ્ધિ. અથવા (૨) કઈ રંક ભિખારી ભારી દારિદ્રયદુઃખથી દુઃખીઓ હોય, તેનું દારિદ્રયદુઃખ ટાળી કોઈ તેને મહાસુખ સંપત્તિમાન બનાવી દે, તે તે દારિદ્રયહર પુરુષ તેને કેટલો બધો ઈષ્ટ થઈ પડે? તે પછી,-અનંત આત્મસંપત્તિ ભય નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિં હોવાથી તે પિતાનું ઘર છોડીને પરઘેર ભીખ માગતે ફરતે Page #771 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: શ્રી સદગુરુને “અહા! અહે! ઉપકાર'. રોગી આદિ દુષ્ટાંત હતું, પર પુદ્ગલની એઠી જૂઠી એઠ ખાતે હતું, અને વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ કરતે રહી પાપી પેટ ભરતા હતા, તેને આ સત્પરુષ સદ્ગુરુએ નિજ સ્વરૂપનું અપૂર્વ ભાન કરાવી અનંત આત્મસંપત્તિભર્યા સ્વગૃહને લક્ષ કરાવ્યું, નિજ ઘરમાં જ રહેવાનો ઉપદેશ કરી પરગૃહે ભીખ માંગતે બંધ કર્યો, “ચલ જડ જગની એઠ” નહિ ચાટવાને અને પારકી વેઠ નહિ કરવાને બંધ કરી પાપી પેટ ભરતે અટકાવ્યું અને આમ નિજ ઘરમાં જ રહેલી અઢળક આત્મલક્ષમીને ભક્તા સ્વામી બનાવી દઈ પરમ સુખસંપત્તિમય કરી મૂક્યો. તે અનંત ઉપકારી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન આવા સાચા મુમુક્ષુ યોગીને પરમ પ્રિય કેમ ન લાગે? અથવા (૩) કોઈ ભયંકર અટવીમાં માગ નહિં મળવાથી ચારે કોર ગોથાં ખાતાં ભૂલા પડેલ મનુષ્યને કેઈ સરલ, સીધે ને નિષ્ફટક માર્ગ બતાવી આપે, તે તે માર્ગદર્શક પુરુષ તેને કેટલે બધે પ્રિય થઈ પડે? તે પછી આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિં હોવાથી આ જીવ ચારે ગતિમાં ચારેકોર ગોથાં ખાતે આથડત હતું, અનંત પરિભ્રમણ દુઃખ પામતું હતું, તેને નિજ સ્વરૂપ-ગરૂપ સીધે સરલ નિર્દોષ સન્માર્ગ બતાવી જેણે પુનઃ અનંત પરિભ્રમણ દુઃખ ટાળી ભવાટવીમાંથી ઉગાર્યો, તે સન્માગદેશક શ્રીમદ્ સદ્ગુરુ દેવને અમાપ ઉપકાર ચિંતવતા આ સમ્યગૃષ્ટિ ભેગીને તેઓશ્રી પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ કેમ ન પ્રવહે? અથવા (૪) ભયંકર માં જ્યાં ઊછળી રહ્યાં છે, એવા મહાસમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યને જે કઈ તારુ બચાવી લઈ, બાવડું ઝાલી કાંઠે આણે, તે તે તારનાર પ્રત્યે તેને કેટલે બધે પ્રેમ કુરે?
Page 479
તે પછી–આ ભીષણ ભવસાગરમાં જન્મ મરણ તરંગથી તણાતે આ જીવ માહરૂપ ગળકાં ખાઈ અનંત દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો, તેને મહાતા જેવા જે સદ્ગુરુદેવે હસ્તાવલંબન આપીને ડૂબતે બચાવી શિવપુરને આરે આર્યો, તે અનન્ય ઉપકારી અપાર કરુણસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુ પ્રત્યે આ કૃતજ્ઞ જેગીજનને અપૂર્વ પ્રેમને ઉમળકે કેમ ન આવે વારુ ? “ અહો! અહો ! શ્રીસદ્દગુરુ, કરુણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.”–શ્રી આત્મસિદ્ધિ “શ્રી અરજિન ભવજલને તારુ, લાગે મુજ મન વારુ રે; બાંહ્ય ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે.”– શ્રી યશોવિજયજી. અથવા-(૫) કોઈ જીવ ઉગ્ર દાવાનલમાં સપડાઈ ગયો હોય, તેને શીતલ જલવૃષ્ટિથી જે કઈ બચાવી લે, તે તે બચાવનાર પ્રત્યે તેને કેટલો બધે પ્રેમભાવ ઉપજે ? તે પછી–આ ભયંકર ભવદાવાનલમાં આ જીવ સપડાઈ ગયો હતે તેને પરમાર્થ અમૃતની શીતલ મેઘધારા વર્ષોવી જેણે બચાવી લીધે, તે શ્રી સદ્દગુરુ પ્રત્યે આ મુમુક્ષુ આત્માથીને અપૂર્વ પ્રેમભાવ કેમ ન ઉપજે ? Page #772 -------------------------------------------------------------------------- ________________ ગદષ્ટિસમુચ્ચય “ ભવ દવ હે પ્રભુ! ભવ દવ તાપિત જીવ; તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમજ.”—શ્રી દેવચંદ્રજી. "संसारदावानलदाहनीरं, संमोहधूलीहरणे समीरम् । માયાવસાવાળા સી, નમામિ થી રિસારધીમ્ I”–શ્રી હરિભદ્રાચાર્યજી. અથવા (૬) મહાફણિધરના ડંસથી ઝેર ચઢવાથી કે મનુષ્ય મૂતિ -બેભાન થઈને પડ્યો હોય, તેને કઈ ગારુડિક જાંગુલિમંત્રથી ઝેર ઉતારી પુનજીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કેટલી બધી પ્રીતિ ઉપજે? તે પછી મહામહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ-ઝેર ચઢયું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનું ભાન ભૂલી મેહમૂચ્છિત-બેભાન બન્યા હતા. તેને સહજાન્મસ્વરૂપ પ્રકાશનારા અપૂર્વ સમ્યગદર્શન મંત્રપ્રયાગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ ગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આપ્ટે, અને સમ્યકત્વ અમૃત છાંટી નિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપે, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ? મિથ્યા હે પ્રભુ ! મિથ્યા વિષની ખીર, હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમી છે.”—શ્રી દેવચંદ્રજી. આમ અનન્ય ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ ભેગીને પરમ પ્રેમ ઉદ્ઘસે છે, એટલું જ નહિં પણ શ્રીમદ્ સદ્ગુરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના પરમોત્તમ ગુણગણ પ્રત્યે કઈ પણ ગુણાનુરાગી સાચા સજજનને ઉપકારી સદ- કુદરતી પ્રેમ સ્કુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્ સદ્દગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તે “સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે અથવા “સદગુરુ” એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ “સત્ ” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, કારણ કે આખા જગત્ કરતાં ગુરુ, ભારી, ગૌરવવંત એવા શ્રી સદ્ગુરુ જ છે. એક બાજુ આખું જગત્ મૂકીએ ને બીજી બાજુ સદ્ગુરુ મૂકીએ, તે સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે. એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે. અથવા સત્-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્ , સાચું, છતું, વર્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનું સ્વરૂપ છે, સંતસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે; અથવા “સંત” એટલે શાંત –પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત”. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દે જ, ” શ્રીમદ્ રાજચંદ્રજી Page #773 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારઃ ઉપકારી સદગુરુનું સ્વરૂપ, દેવનું સ્વરૂપ (૬૯૭) આવા સંતસ્વરૂપ સદગુરુ, આત્મજ્ઞાની, સમદશી, પ્રારબ્ધદયથી વિચરનારા,
Page 480
અપૂર્વ વાણી પ્રકાશનારા, અને પરમશ્રુતજ્ઞાનસંપન હોય છે. મેહભાવ જ્યાં ક્ષય થઈ ગયો છે અથવા પ્રશાંત વ છે, અને આખું જગત્ જ્યાં એઠ જેવું અથવા સ્વપ્ન જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા” તેમની હોય છે. અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત–વિદેહ દશામાં (વોશ ) વર્તતા હોય છે!! (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૧૨૯, ૩૯૪). આવા પરમ ગુણનિધાન, નિષ્કારણ કરુણરસસાગર, પરમ ઉપકારી, પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુદેવ પ્રત્યે મુમુક્ષુ આત્માને અનન્ય પ્રેમ કેમ ન વછૂટે? દીન દયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર; લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર. લાલ રે.” શ્રી દેવચંદ્રજી. આમ જેમ સદેહે વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રત્યે મુમુક્ષુને પ્રીતિ હોય છે, તેમ વિદેહ એવા પરોક્ષ દેવ પ્રત્યે પણ તેને તેવી જ અનન્ય પ્રીતિ હોય છે, કારણ કે તે પર માત્મ દેવનું સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપાવલંબન માટે પરમ ઉપકારી દેવનું સ્વરૂપ થઈ પડે છે. દિવ્ય એવું જેનું “સ્વરૂપ” પ્રગટયું છે તે દેવ છે, દિવ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે “સુસ્થિત છે તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન દેવ છે, જેણે આત્માને આત્મા જ જાણે ને બીજું પરપણે જ જાણ્ય, એવા અક્ષય અનંત બોધસ્વરૂપ તે દેવ સિદ્ધ આત્મા છે. મુક્તિ સન્માર્ગને વિધિ બતાવ્યું હેવાથી તે વિધિ વિધાતા છે. પરમ આત્મશાંતિને શિવમાર્ગ–મોક્ષમાર્ગ દર્શાવી ત્રિભુ વનનું શંકરપાણું કર્યું હોવાથી તે શિવ-શંકર છે. સ્વરૂપસ્થિત છતાં જ્ઞાનથી સમસ્ત વિશ્વને જાણતા હોવાથી તે વિષ્ણુ છે. મોક્ષરૂપ પરમ સુગતિને પામ્યા હોવાથી તે સુગત છે. અને રાગદ્વેષાદિને જય કરી કેવળ શુદ્ધ સહજ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો હોવાથી તે પરમ વીતરાગ એવા યથાર્થનામાં જિનદેવ છે. (જુઓ પૃ. ૩૬૩-૩૬૪ તથા ૪૦૦૪૦૧) આવા શુદ્ધ સહજાન્મસ્વરૂપ જિનપ્રભુ તે વ્યવહારથી દેવ છે, નિશ્ચયથી તે આત્મા એ જ દેવ છે. જે જિનદેવની પૂજા છે, તે નિશ્ચયથી નિજ આત્માની જ પૂજના છે, કારણ કે જિનપદ ને નિજ પદની એક્તા છે, એમાં કાંઈ ભેદભાવ નથી, સ્વરૂપભેદ નથી. (જુઓ કાવ્ય, પૃ. ૧૧૨-૧૧૩). આ જિનવર દેવ પ્રત્યે સાચા ભક્તિભાવ વિના કદી પણ દુઃખદાવ છૂટ નથી; તેટલા માટે આ ભવ દુઃખદાવાનલથી છૂટવા માટે આ પરમ પ્રભુની ભક્તિ પરમ અમૃત ઘન સમી હોઈ, શીતલ આનંદદાયિની થઈ પડે છે; એટલે આ પરમ પર પ્રેમપ્રવાહ ઉપકારી પ્રભુ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ-અનન્ય પ્રેમ કેમ ન ઉલ્લશે? મહે પ્રભુસે વળી આ પરમ દેવ સાધ્ય એવા આત્મસ્વરૂપના પ્રતિષ્ઠદ સ્થાને છે, Page #774 -------------------------------------------------------------------------- ________________ (૬૯૮) યોગદષ્ટિસમુચ્ચય | (model) આદર્શ સ્વરૂપ છે. જેમ શુદ્ધ સુંદર આદર્શને દૃષ્ટિસન્મુખ રાખી કલાકાર શિલ્પી કલાકૃતિની ઘટના કરે છે તેમ આ સિદ્ધ દેવરૂપ શુદ્ધ આદર્શને સતત દૃષ્ટિસન્મુખ રાખી સાધક એ ભક્ત મુમુક્ષુ આત્મસ્વરૂપની ઘટના કરે છે. (જુઓ પૃ. ૧૧૩) “અજકુલગત કેસરી’ જેમ સિંહને દેખીને નિજરૂપ લહે છે, તેમ આ પ્રભુભક્તિથી આ ભવ્ય આત્મા આત્મશક્તિને સંભાળી લે છે. આમ સ્વરૂપસિદ્ધિમાં પરમ ઉપકારી હોવાથી, તેમજ અનુપમ ગુણગણના રત્નાકર હોવાથી, પિતાના પરમ ઈષ્ટ એવા આ પરમેષ્ટિ દેવ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રીતિ હોય જ છે. અત્રે “ગુરુ” પદ પ્રથમ મૂકવાનું કારણ પ્રત્યક્ષ સદગુરુને પરમ પ્રભાવ સૂચવવા માટે છે. કારણ કે સર્વકાળને વિષે પરમાર્થમાગની પ્રાપ્તિ શ્રીમદ્દ સદ્દગુરુ થકી જ હોય છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પરોક્ષ એવા જિનદેવ કરતાં ગુરુ” પદ પણ પ્રત્યક્ષ સદ્ગુરુને ઉપકાર અધિક છે, માટે તેમનું સ્થાન પ્રથમ પ્રથમ કેમ? મૂકયું છે. તેમજ તે જિનનું સ્વરૂપ પણ શ્રી સદ્ગુરુના ઉપદેશ વિના સમજાતું નથી, અને તે સમજ્યા વિના જિનના
Page 481
ઉપકારને પણ ખ્યાલ કેમ આવે ? એ રીતે પણ પરમ ઉપકારી જિનના ઉપકારનું ભાન કરાવનાર પણ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન છે, એટલે પણ તે પરમ પરમ ઉપકારી હોવાથી તેમનું પદ પ્રથમ મૂક્યું છે. આ પ્રત્યક્ષ દેહધારી સજીવન મૂત્તિ પરમાત્મા પરમ સદ્ગુરુને મહિમા દર્શાવવા માટે જ પરમ પવિત્ર શ્રી નવકાર મંત્રમાં પણ “અરિહંત પદ સિદ્ધ કરતાં પ્રથમ મળ્યું છે, તેનું પણ એ જ રહસ્ય છે. (જુઓ પૃ. ૧૩૦, આત્મસિદ્ધિની ગાથા). વળી આ કુલગીને “દ્વિજ' પણ અત્યંત પ્રિય હોય છે. આ “દ્વિજ એટલે શું ? તેને પરમાર્થ વિચારવા યોગ્ય છે. દ્વિજ બે વાર જેને જન્મ થયો છે તે દ્વિજ, અથવા બીજો જન્મ જેને થયું છે તે દ્વિજ, તે બીજે જન્મ એટલે “દ્વિજને પરમાર્થ સંસ્કાર આપણુરૂપ જન્મ. પહેલે જન્મ તે જે દેહ જન્મ પરમાર્થ થયે તે. પણ મનુષ્યને ખરેખર જન્મ તે–તેને જ્યારે સન્માર્ગની દીક્ષા મળે છે, આંતર મુંડન થાય છે,–ત્યારે થાય છે. અર્થાત્ સમ્યગદર્શનરૂપ સંસ્કાર–બીજ આત્મામાં રોપાયાથી જેને સમ્યગદષ્ટિરૂપે બીજે જન્મ-નવે અવતાર થયો છે, તે “દ્વિજ” છે. જન્મથી પ્રાપ્ત થતા નામમાત્ર દ્વિજપણને આ પારમાર્થિક દ્વિજ પણ સાથે લેવાદેવા નથી. કારણ કે જન્મથી બાહ્ય દ્વિજ નામ હોવા છતાં આ પારમાર્થિક દ્વિજ પણું ન પણ હોય; અને જન્મથી બાહ્ય દ્વિજ નામ ન હોવા છતાં, આ પારમાર્થિક દ્વિજ પડ્યું હોય પણ ખરૂ: જમે દ્વિજ ચંડાલ જેવા લક્ષણવાળો પણ હોય! એટલે દ્રવ્ય દ્વિજજન્મપણે સાથે આ ભાવ દ્વિજ પણાને સંબંધ નથી, માટે ઉક્ત અપેક્ષાએ ગમે તે જાતિમાં જન્મેલે આ “દ્વિજ' હેઇ શકે છે. અર્થાત સમ્યગદર્શનરૂપ સંસ્કારજન્મ પામવાને અધિકાર કોઈ પણ જાતિને છે, Page #775 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : " દ્વિજ ને પરમાર્થ, દયાળુપણું (૬૯) એમાં જાતિ-વેષનો ભેદ નડતું નથી. ગમે તે જાતિને યથાયોગ્ય ગુણગ્યતાવાળે જે યોગ્ય અધિકારી પુરુષ તે સંસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કારજન્મ પામી શકે છે. અને આવો સંસ્કારજન્મ પામેલ “દ્વિજ ” “ બ્રાહ્મણ” પણ કહી શકાય છે. કારણ કે “ત્ર નાનાતીતિ ત્રાક્ષT: _બ્રહ્મને શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગદષ્ટિ, જ્ઞાનસંસ્કારસંપન્ન પુરુષ, કુલગી, જોગીજન. આવા સમ્યગદષ્ટિ કુલગી પુરુષ સમાનધમી હેવાથી, સાધમિક હેવાથી, આ મુમુક્ષુ કુલોગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય કુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમાર્થ માર્ગની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય—અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પોતાના તન-મનધનથી યથાશક્તિ પ્રબંધ કરે છે, અને એમ કરી પોતાનું વાત્સલ્ય-પ્રેમભાવ દાખવે છે. આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે, તથા પક્ષપણે પરમ ઉપકારી આદર્શ સ્થાનીય હોવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હેવાથી સમ્યગદષ્ટિ દ્વિજ અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણે પ્રત્યે, આ મુમુક્ષુ કુલોગીને અવશ્ય પ્રીતિ હોય છે. ૩. દયાળુપણું દયાળું—આ કુલગી પુરુષે વળી દયાળુ હોય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડ્યો હોય છે. કેઈ દીન-દુઃખી-દરિદ્વી દેખી તેમને દયા વછૂટે છે, અનુકંપા ઉપજે છે. તે દુઃખથી દુઃખીને જે કંપ-ત્રાસ થાય છે, તે તેને અનુસરતે કંપ-ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતર્ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુઃખીઆ થાય છે. એટલે પરદુઃખનું છેદન કરવાની ઈચ્છારૂપ કરુણ તેમને ઉપજે છે. અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુ:ખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષે સર્વ જીવનું સુખ જ ઈચછે અને “સર્વ જંતુ હિતકરણી કરુણા’ જ કરે, એમાં આશ્ચર્ય શું? એટલે તેઓ સૂફમમાં સૂક્ષમ પણ અન્ય જીવોને
Page 482
જાણી બૂઝીને દુઃખ તે ક્યાંથી જ આપે? દ્રવ્યથી પણ કઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કઈ પણ જીવના આત્મપરિણામને દૂભવે જ કેમ? (જુઓ પૃ૦ ૧૪૯, ૪૩૮, ૪૪૧) આ મુમુક્ષુ યોગીઓ આવા દયાળુ, કૃપાળુ, કરુણાવાળું હોય છે, તેનું કારણ ફિલષ્ટ કમનો અભાવ એ છે. ક્લિષ્ટ એટલે કઠિન, આકરા, ભારી, ફલેશરૂપ કર્મોને અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠોર-ફિલષ્ટ પરિણામથી રહિત એવી કમળ-પોચી હોય છે, દયાથી આદ્ર–ભીની હોય છે; અને તેમના આત્મપરિણામ અતિ કેમળ હોય છે, પરદુઃખના તાપથી શીધ્ર ઓગળી જાય (melting)-દ્રવી જાય એવા હોય છે. Page #776 -------------------------------------------------------------------------- ________________ (૭૦૦) ચાગ ષ્ટિસમુચ્ચય 6 ૪. વિનીતપણું વિનીત—વળી આ જોગીજન વિનીત હાય છે. આ જોગી પુરુષો વિનયથી નમ્ર હાય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હેાતા નથી. ચાગિધની પ્રાપ્તિ થવી તે વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના વિનય' અર્થાત્ આત્મ‘ગુણ પ્રમાદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હાતી નથી; વિનયથી જ વિનયનીઅતિશય રહે' આત્મવિદ્યાની ( Spiritual education) પ્રાપ્તિ હોય છે. એટલે ચેાગી પુરુષા વિનયના આવે। મહાપ્રભાવ જાણતા હૈાવાથી સ્વભાવથી જ‘વિનીત' હાય છે. તેથી પેાતાનાથી અધિક ગુણવતાના તેઓ યથાયાગ્ય વિનય સાચવે છે; અભ્યુત્થાન-ઊઠીને સામા જવુ', આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. સત્પુરુષના, સત્પુરુષના વચનામૃતના, અને સાધનના યથાયેાગ્ય વિનય-હુમાન–ગૌરવાદિ તે કરે છે; અને તેમાંથી કોઈની પણ સ્વપ્નાંતરે પશુ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે-એક સત્પુરુષની કે એક સત્વચનની કે એક સત્સાધનની આશાતના તે સ` સત્પુરુષની, સર્વ સત્વચનની, અને સર્વ સાધનની આશાતના છે. (જુએ શ્ર્લાક ફૂટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સર્વની પૂજા છે, કારણ તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગરસ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વદના છે, અને એકની નિંદના તે સની નિશ્વના છે. આમ જાણતા હાઇ તે ભવભીરુ મેગી પુરુષા કોઈ પણ સત્ની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં કયાંય પેાતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓના આત્મા પ્રફુલ્લ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આવા તેને ‘ગુણુપ્રમેાદ અતિશય રહે' છે. (જુએ પદ્ય, પૃ. ૧૯૭–૧૯૮ ) પણ ગુણુ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મ્હારા આત્મા જે નિજ ભાન વિના અન ́ત કાળથી આથડયો, તેનું કારણ સાચા સંત ગુરુને મે' સેવ્યા ન્હાતા • એવા માગ અને અભિમાનને મૂકયુ ન્હોતુએ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણા ’ અભિમાનથી તેા હું આટલે કાળ આટલેા બધા દુ:ખી થયા; તે હવે પણ મિથ્યાભિમાન રાખી જો હું વિનયપૂર્ણાંક સંતચરણુ નહિં સેવું. તા હજુ પણ મ્હારે તે ને તે જ ભવદુઃખ સહેવાના વારા આવશે. અભિમાનથી કદી કેાઈનું કલ્યાણુ થયુ' સાંભળ્યું નથી, પણ વિનયમાંના સેવનથી જ સં કાઈ કલ્યાણ થયુ છે, થાય છે, તે થશે. અરે! શાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યુ` છે કે જે સદ્ગુરુના ઉપદેશથી પેાતાને કેવળ જ્ઞાન થયુ છે, તે ગુરુ પેાતે હજુ છદ્મસ્થ (જ્ઞાનાવરણુ યુક્ત) રહ્યા હાય, તા પણ તે કેવળીભગવાન્ પણ તે પરમ ઉપકારી ગુરુને! વિનય કરે છે. એવા આ વિનયના માગ શ્રી વીતરાગદેવે ભાખ્યા છે, એ માના મૂળ હેતુ કાઇ ‘ સુભાગ ’–સૌભા Page #777 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : વિનીત બેધવંત યતેન્દ્રિય કુલગી (૭૦૧) વ્યવાન પુરુષ જ સમજે છે. માટે હું પણ અભિમાન
Page 483
છેડી તે જ પરમ વિનય માર્ગનું અનુસરણ કરું. એમ સમજી આ મુમુક્ષુ યોગી પુરુષ યથાયોગ્ય વિનયાચરણ કરે છે. જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણે, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કે સુભાગ.”-શ્રી આત્મસિદ્ધિ. આ વિનીત પણું એ કુશલાનુબંધી પુણ્યને જ પ્રભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનું જ ફળ છે. જે પુણ્યથી પાછો વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યને અનુબંધ થયા કરે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે જેથી પુણ્યની શૃંખલા-સાંકળ ચાલુ રહે છે, એવા મહાપુણ્યના જ ફળ પરિપાકરૂપે આ વિનીતપણું પ્રાપ્ત થાય છે. ૫. બેધવંતપણું બોધવંત–વળી આ જોગીજને બોધવંત હોય છે, યથાર્થ બોધવાળા-સમજણવાળા હોય છે. આ યથાર્થ બોધ ગ્રંથિભેદને લીધે હોય છે. તેથી કરીને આ યોગીઓ સમ્યગદષ્ટિ હોઈ તેમને બેધ સતશ્રદ્ધાસંગત હોય છે. તેમને વસ્તુતત્વને યથાર્થ – તત્ત્વવિનિશ્ચય થઈ ચૂક્યો હોય છે, તેથી તેઓ સ્વ–પરવસ્તુનો ભેદ હસ્તામલવત દેખે છે. હું દેહાદિથી ભિન્ન એ સ્વપરપ્રકાશક આત્મા છું, એ અખંડ તત્ત્વબેધ તેમના આત્મામાં સદેદિત રહે છે. હું એક, શુદ્ધ, દર્શન જ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ હારું નથી.” (જુઓ ગાથા પૃ. ૬૮ ) એવી અખંડ આત્મભાવનાને લીધે તે પરવતુમાં કદી મુંઝાતા નથી, મહાતા નથી, લેપાતા નથી, ખરડાતા નથી, અને તે મધ્યે રહ્યા છતાં પણ તેઓ તેથી જલકમલવત્ અલિપ્ત અને ઉદાસીન જ રહે છે. આ સમ્યગ બોધને અમૃતરસ જેણે ચાખે છે, તેને પછી બીજા રસ ગમતા નથી, બાકસબુકસ-છાસબાકળા લાગે છે. ૬. તેન્દ્રિયપણું તેંદ્રિયઅને તે યતેંદ્રિય-જિતેન્દ્રિય હોય છે. તેણે ઇન્દ્રિયોને સંયમ કર્યો હોય છે,-આ ચારિત્ર ભાવથી બને છે. જે તત્ત્વસ્વરૂપને યથાર્થપણે જાણે છે, તે પછી ઇદ્રિને આધીન થતું નથી, પણ ઇદ્રિને પિતાને આધીન કરવા મથે છે તે ઇંદ્રિયને ગુલામ બનતું નથી, પણ ઇંદ્રિયોને પોતાની ગુલામ બનાવે છે. તે ઇંદ્રિયોને પોતાના પર સ્વાર થવા દેતા નથી, પણ પિતે તેના પર સ્વાર થાય છે. ઇંદ્રિરૂપ તેફાની ઘોડાને સંયમરૂપ લગામથી બાંધી, તે સ્વરૂપ-રથમાં બેસી, મનરૂપ સારથિને આજ્ઞા કરી તે ચલા વરાવે છે. તે પાંચે ઇન્દ્રિયોને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી–પાછી વાળી સ્વરૂપાભિમુખ કરે છે, અને તેમને સ્વરૂપસાધનની પ્રાપ્તિમાં તેમના “જોગા” કામે લગાડી દે છે, નિસાર દેહ Page #778 -------------------------------------------------------------------------- ________________ (૭૦૨). ગદષ્ટિસમુચ્ચય માંથી પણ સારભૂત પરમાર્થ સાધન સાધી લેવામાં તેને સદુપયોગ કરી પોતાનું કામ કાઢી લે છે, અને પાક વાણીઆની પેઠે તેને “કસ' કાઢે છે! દાખલા તરીકે–રસનેંદ્રિયને તે સપુરુષના ગુણસંકીર્તનના રસાસ્વાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને સત્પષચરિત શ્રવણથી પાવન કરે છે. ઈત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપગથી પાંચ ઇંદ્રિયને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપયોગ ભણી વાળી દે છે. “રહે અંતર્મુખ ગ. “ જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહી જ નયન પ્રમાણુ....જિનવર! જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન...જિનવર ! અરિહા પદકજ અરચિયે, તે સુલહિ જે હથ્થ... જિનવર ! જિન ગુણ ચિંતનમેં રમે, તેહિ જ મન સુકમથ્થ..શ્રી ત્રાષભાનન.” ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસના ફળ લીધે રે, દેવચંદ્ર કહે મહારા મનને, સકળ મને રથ સીધે રે.”શ્રી દેવચંદ્રજી. આમ અહીં આ કુલગીના છ લક્ષણ કા –(૧) સર્વત્ર અદ્વેષ–ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત પ્રત્યે મૈત્રીભાવ સૂચવ્યો. (૨) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું–ધમ પ્રભાવને લીધે. પદર્શન- આ ઉપરથી ગુણ પ્રભેદ બતાવ્યું. (૩) દયાળુતા–કિલષ્ટ કર્મના સંમત પડ અભાવથી. આ ઉપરથી તેની દુખી પ્રત્યે અનુકંપા કહી. (૪) વિનીલક્ષણ તપણું–પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણું અને નિરભિમાનપણું
Page 484
કહ્યું. (૫) બોધવંતપણું–ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનું સમ્યગ્દષ્ટિપણું, સત્ય સમજણપણું, સમ્યગદર્શન–જ્ઞાનસંપન્નપણું બતાવ્યું. (૬) યતે'દ્રિયપણું-ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલગીને સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને સદ્ભાવ બતાવી સ્વભાવ-ચાગ સાધક સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ( પહ લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારૂ છે કે તે ઉપરથી કુલગી કેણ હોય? ને કેવો હોય ? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ જ લક્ષણ એવા વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય ષ દર્શનને સંમત થાય એવા તે જ સાચે છે. (જુઓ પૃ. ૫૫૮ ગીતાના શ્લે). આ લક્ષણ જેનામાં હોય તે જ જોગીજન' કુલગી છે, તે જ સાચો વૈષ્ણવજન છે, તે જ સાચો બ્રાહ્મણ છે, તે જ સાચે બૌદ્ધ છે, તે જ સાચે સાંખ્ય છે, તે જ સાચે જૈન છે, તે જ સાચે વેદાંતી છે, તે જ સાચે મુમુક્ષુ છે, તે જ સાચો આત્માથી છે, અને તે જ પરમ સિદ્ધ યોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની છેલ્લી કૃતિમાં અમર કરેલે સાચો જોગીજન” છે. (જુઓ “ઈચ્છે છે જે જોગીજન” પૃ. ૧૩) અને આવા લક્ષણવાળો જે જોગીજન હોય, તે જ અત્ર આ યોગશાસ્ત્રને અધિકારી છે. આમ કુલગીનું સ્વરૂપ અત્ર કંઈક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવું. Page #779 -------------------------------------------------------------------------- ________________ (૭૦૩) ઉપસંહારઃ કુલગીના ષડુ લક્ષણ, પ્રવૃત્તચકનું સવરૂપ प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः॥२१२॥ પ્રવૃત્તચક તે પ્રથમ, યમય આશ્રયવંત; બાકી બે અતિ ઈચ્છતા, શુશ્રુષાદિ ગુણવંત, ૨૧૨ અર્થ અને પ્રવૃત્તચક્ર યોગી તે બે પ્રકારના યમને સમાશ્રય કરનારા, તથા બાકીના બે પ્રકારના યમના અર્થી, તેમજ શુશ્રષા આદિ ગુણથી યુક્ત, એવા હોય છે. - વિવેચન શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી; ચમકયલાભી પર દુગ અર્થ, આદ્ય અવંચક લહિયે.”—ગ દ, સક્ઝા. ૮-૫ પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હોય છે તે કહે છે–(૧) તેઓ યમદ્રયને સમાશ્રય કરનારા, એટલે કે ઈચ્છાયામ અને પ્રવૃત્તિયમ એ બે યમને સમ્યફ આશ્રય કરનાર હોય છે. તથા-(૨) બાકીના બે યમના અર્થી-સ્થિરયમ અને સિદ્ધિયમના અથી અત્યંતપણે હોય છે. આમ સદુપાયપ્રવૃત્તિને લીધે હોય છે. એટલા માટે જ(૩) તેઓ શુશ્રુષાદિ આઠ ગુણથી યુક્ત હોય છે, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, હા, અપહ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત હોય છે. પ્રવૃત્તચક” એટલે શું? જેનું ચકે પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક. અને અત્રે ગ–ચક જ પ્રસ્તુત છે. એટલે જેનું આખું યોગચક પ્રવૃત્ત થયું છે ચાલવા માંડયું છે, તે પ્રવૃત્તચક્ર ગી છે. જેમ ચક્રના કેઈ એક દેશને દંડથી પ્રેરવામાં પ્રવૃત્તચક્ર આવતાં–ચલાવવામાં આવતાં, આખું ચક એની મેળે (Autoએટલે શું ? matically ) ચાલવા માંડે છે તેમ આ ગચકના કેઈ એક દેશને સ્પર્શવામાં આવતાં–પ્રેરવામાં આવતાં, આખું ગચક આપોઆપ પ્રવૃત્ત થાય છે ચાલવા માંડે છે. આ સાવ સાદી પણ પરમ આશ્ચર્યકારક સત્ય ઘટના છે. ચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડ પડતું નથી, પણ કોઈ એક દેશે હાથે (Handle) હલાવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે, તેમ આ ગચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડવો પડતો નથી, પણ તેના કેઈ એક વૃત્તિ:પ્રવૃવતુ પુનઃ–પ્રવૃત્તચક્ર તે પુન: કેવા વિશિષ્ટ હોય છે? તે કે યમદૂયાત્રાઇચ્છાય, અને પ્રવૃત્તિયમના આશ્રમવાળા એમ અર્થ છે, શેષાર્થિન –શેષયના અથી, એટલે કે સ્થિરયમ અને સિદ્ધિયમ એ બેના અર્થી, એમ કહ્યું. અત્યન્ત-અત્યંતપણે, સદુપાય પ્રવૃત્તિવડે કરીને–એટલા માટે. એટલા માટે જ કહ્યું- શુશ્રષાવિગુણાન્વિતા-સુશ્રુષા આદિ ગુણયુક્ત; શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત એવા, Page #780 -------------------------------------------------------------------------- ________________
Page 485
યોગદષ્યિસમુચ્ચય પ્રદેશે આત્મપુરુષાર્થરૂપ હાથ ફેરવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સંકળાયેલા બીજા બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખું ઘટિકાયંત્ર ચાલુ થાય છે; તેમ ગચકનું એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા બીજા બધાં ચક્ર આપોઆપ ચાલવા માંડે છે, અને આમ આખું ગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલું ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે–: “અહિંસા વેગ આત્માથી સ્પર્શવામાં આવતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ બીજા વેગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઈ જાય છે, કારણ કે તે સત્યાદિ પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હેઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ અહિંસાદિની પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે. (૧) સંકલના કારણ કે અહિંસા એટલે રાગ-દ્વેષ–મહાદિ વિભાવથી આત્મસ્વરૂપનું હિંસન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પોતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હોવાથી સાચો અહિંસક કદી વદે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવું તે ચોરી છે, તે પણ સ્વરૂપની હિંસા હોવાથી અહિંસક કદી કરે જ નહિં. પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેનો આશ્લેષ કર, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હેઈ અહિંસક કદી કરે જ નહિં પર વસ્તુનું પરિગ્રહણ પણ મૂર્છા-મમત્વરૂપ હેઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખરો અહિંસક તે પરિગ્રહ ગ્રહે જ નહિં. આમ જે અહિંસક હોય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચે અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિં. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યાતિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપને ભંગ કરનાર હોવાથી અહિંસાનો ભંગ કરનારા હોય છે, માટે અહિંસક મેગી તેને વજે જ છે. (૨) તેમ “સત્ય” યોગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પિતાની છે એમ કહે જ નહિ, સને અસત્ અને અસતને સત્ કદી કહે જ નહિ, પણ સદાય સને સત્ ને અસતને અસત જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હેવાથી, સતવાદી તે કદી આચરે જ નહિં. ને આચરે તે તે સવાદી નથી. પર વસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિં, કારણ કે તેમ કરવું તે સત્ના ભંગરૂપ છે. સ્વરૂપ છોડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સંશ્લેષ તે કરે નહિ, કારણ કે તે સત્ વસ્તુને ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપ મૂછ કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતું અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુઓ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭) Page #781 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : અહિંસાદિની સકલના : ષકારક ચકને ૫૩ (૭૦૫) આ પ્રકારે આપયોગથી સાચા ભાવથી એક પણ વેગ શુદ્ધપણે સ્પર્શીતાં, અન્ય યોગ તેની સાથે સંકલિત હોવાથી આખું ચોગચક આપોઆપ ચાલુ થઈ જાય છે. આવી આ પ્રવૃત્ત ગચક્રની ભારી ખૂબી છે. આ ગરૂપ પારસમણિનો કઈ એક દેશે સ્પર્શ થતાં, આખો આત્મા ગમય બની જાય છે ! આ ગરૂપ ‘જાદુઈ લાકડી” (magic wand) આત્મા પર ફરતાં, આત્મામાં કેઈ અજબ ફેરફાર થઈ જાય છે! આ યોગ-પરમામૃતની અંજલિ છાંટવામાં આવતાં તેની જાદૂઈ સંજીવની અસર આત્માની નસેનસમાં-પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય
Page 486
છે ! આમ આ પવનચકસાધક યોગીનું યોગ-સાધક ચક એકદમ ચાલુ થઈ જાય છે. જે ચક્ર પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના બાધક થઈને પ્રવર્તતું હતું, વિપરીત પણે– ઉલટું ઉધું (anti-clockwise) ચાલતું હતું, “વામમાગી'-આડે માગે ષકારક ચાલનારું થતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્યે સાધક થઈને ચકનો પલટો પ્રવર્તે છે, અવિપરીત પણે સુલટું સીધું (clockwise) ચાલવા માંડે છે. “દક્ષિણમાગી”—અનુકૂળ થઈને પ્રવર્તે છે. કર્ણા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષટુ કારક ચક જે પૂર્વે આત્મ-બાધકપણે ચાલતું હતું, તે હવે આત્મ-સાધકપણે ચાલવા માંડે છે. પૂર્વે જે કર્તા પરભાવને થતો હતું, કર્મ પરભાવ-વિભાવરૂપ કરતું હતું, કરણ પરવસ્તુનું પ્રયોજતો હતો, ગ્રહણરૂપ સંપ્રદાન પરનું કરતું હતું, ત્યાગરૂપ અપાદાન સ્વનું કરતે હતા, અને અધિકરણ પણ પરવતુમાં કરતો હતો; તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કારણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે, અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. અત્રે આત્મ દ્રવ્ય એ જ કર્તા છે, નિજ આત્માની સિદ્ધિ-સિદ્ધતા એ કાર્ય-કર્મ છે, ઉપાદાન-પરિણામમાં પ્રયુક્ત તે કરણપણું છે, આત્મસંપત્તિનું દાન તે સંપ્રદાનપણું છે, કે જેમાં દાતા પાત્ર ને દેય એ ત્રણે ભાવની અભેદતા થાય છે; સ્વ-પરનું વિવેચન-વિવેક કરવો તે અપાદાન છે, અને સકલ પર્યાયનો આધાર તે અધિકરણ છે. આમ અનાદિ એવા બાધક કારક ભાવ નિવારવા તે સાધકતાને અવલંબી તે સમારી લે છે સુધારી લે છે. એટલે પૂર્વે જે પરનો કર્તા, પર કર્મ, પર કરણ વડે, ૫ર અર્થે, પર થકી, પરમાં રહીને કરતે હતું, તે હવે સ્વ આત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અથે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત્ આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થ, આત્મા થકી, આત્મામાં સાધે છે. રાત્મા ગાત્માને શાત્મના આત્માને શાત્મનઃ આત્મા સધતિ. આ પ્રમાણે તે સાધક એવા કારક ષટક વડે આત્મગુણની સાધના કરે છે. મલ્લિનાથ” જગનાથ ચરણયુગ ધ્યાઈએ રે, શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈએ રે સાધક કારક ષટક કરે ગુણ સાધના રે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાબાદના રે. Page #782 -------------------------------------------------------------------------- ________________ (૭૦૬) ગિદસિમુચય કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે, ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણુતા રે; આતમ સંપદાન, તેહ સંપ્રદાનતા રે, દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. સ્વ–પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે, સકલ પર્યાય આધાર સંબંધ આસ્થાનથી રે; બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, સાધકતા અવલંબી, તેહ સમારવા રે...તેહ મહામુનિ શ્રી દેવચંદ્રજી આકૃતિ ૨૦ Dી 13Re છne પરભાવ ૭૨ા. બાવ અધિકરણ ) કે * પ્રભાવ - પરભા “વભાવના બાધક ચક સાધક ચક્ર આધક ચક ચાર પ્રકારના સાધક ચક ગી ર કેષ્ટક ૧૬ નામ ગોત્ર ગી કુલ યોગી પ્રવૃત્તચક્ર યોગી નિષ્પન) સિદ્ધ ગી વ્યાખ્યાં યેગી કુલમાં જન્મેલા, જેનું અહિંસાદિ ભૂમિભવ્ય આદિ અથવા યોગીધામને ગક પ્રવૃત્ત છે, નામધારી અનુસરનાર | ચાલવા માંડયું છે. જેને યોગનિષ્પન્ન-સિદ્ધ છે. લક્ષણ યથાયોગ્ય ગુણવિહીન, નામધારી ઇરછાયમ–પ્રવૃત્તિમ સર્વત્ર અલી પામેલા, સ્થિરયમ– ગુરુ-દેવ-દિજ પ્રિય, સિદ્ધિયમ અથી, દયાળુ, વિનીત, બેધવત, યતે દિય|. શ્રષાદિ ગુણયુક્ત, અવંચક ત્રયયુક્ત યોગસિદ્ધિને પામેલા સમર્થ યોગી આ ગ્રંથના આમ અયોગ્ય * ય અયોગ્ય કારણું યોગ્યતારહિતપણું પર યથાયોગ્ય પણું | યથાયોગપણું સિદ્ધિભાવ પ્રાપ્તપણું Page #783 -------------------------------------------------------------------------- ________________ ઉપસ‘હાર : પ્રવૃત્ત ચક્ર સાધકની સાધ્ય દિશા ભણી પ્રગતિ આમ ખાધક દિશામાંથી ફરીને ષટ્ કારક ચક્ર સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલુ-પ્રવૃત્ત
Page 487
થયેલુ. ચેગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ દશાની દિશા ભણી જ પ્રગતિ કર્યાં કરે છે. વળી એક વખતે ચલાવવામાં આવેલુ. યંત્ર-ચક્ર ઉત્તરાત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતુ જાય છે, તેમ આ ચાગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરાત્તર વધારે પ્રગતિરૂપ ગતિને પામતુ' જાય છે, ઉત્તરાત્તર વધુ ને વધુ વેગ પામી ચઢતી ચઢતી ચેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરાત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરાત્તર આત્માપયેાગ જાગૃતિ વધતી જાય છે. અને આ અ'િસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા-ચાર ભૂમિકાએ કહેવામાં આવી છે—ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિયમ અને સિદ્ધિયમ. અહિંસાદિની ઉત્તરાત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાડવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કેટિ હેાય છે. જેમ ઉષ્ણુતા અંશ (Degree) પ્રમાણે શરીરની ઉષ્ણુ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અશ પ્રમાણે આત્માની અહિંસાદિ યાગદશામાં ફેર પડે છે. અહિ'સાઢિ યમની આ ચાર કેટિમાંથી આ પ્રવૃત્તચક્ર ચેાગીને પ્રથમની એ ઇચ્છાયમને પ્રવૃત્તિયમ તા પ્રાપ્ત થઈ ચૂકી હેાય છે, અને બાકીની એ કાટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હાય છે, તીવ્ર અભિલાષી હેાય છે. અને તે માટેને તેમને સત્ પુરુષાથ સદાય ચાલુ જ હાય છે, એમનુ' પ્રવૃત્ત ચક્ર' નિર'તર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનુ કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સત્સાધન પ્રત્યેની સત્પુરુષાર્થ શીલતા છે. એટલે તે સત્ ઉપાયમાં તીવ્ર સવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હાય છે, રઢ લગાડીને મંડી પડયા જ હેાય છે, (જુએ પૃ. ૧૫૪). સાધ્ય દિશા ભણી પ્રગતિ (૭૦૭) અને આમ તે સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેએ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હેાય છે. તે આ પ્રકારેઃ (૧) શુશ્રૃષા-તત્ત્વશ્રવણુની અ‘તર’ગ તીવ્ર ઇચ્છા. જેમ કેાઈ તરુણુ, સુખી અને રમણીથી પરિવરેલા પુરુષ કિન્નર ગીત શુશ્રૂષાદિ સાંભળવાને ઇચ્છે, તેના કરતાં અનેકગણી ઉત્કટ ઇચ્છા-તલસાટ તત્ત્વ આઠે ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હાય. આવી શુશ્રુષા જ એધપ્રવાહની સરવાણી છે, આવી શુશ્રુષા ન હાય તેા સાંભળ્યું તે સ્થલ ગ્રૂપ સમાન થઇ પડે છે, અથવા ઉંઘતા રાજા કથા સાંભળતા હાય તેના જેવુ થઈ પડે છે. ( ૨ ) શ્રવણ—આવી સાચી શુશ્રુષા–સાંભળવાની તીવ્ર ઇચ્છા હાય, તેા જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્માદ્વારા અર્થ અનુસ ́ધાનપૂર્વક સાવધાનતા વાળું શ્રવણુ તે સાચું શ્રવણુ છે. બાકી તેા એક કાનેથી ખીજે કાને કાઢી નાંખ્યા જેવુ થાય Page #784 -------------------------------------------------------------------------- ________________ (૭૮) યોગદૃષ્ટિસસુરજીય છે ! કથા સુણી સુણી ફૂટવા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ’(૩) ગ્રહણુ—શ્રવણુ થયા પછી ગ્રહણ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણુ કર્યું, તેનું અથ ગ્રહણ થાય છે. (૪) ધારણુ—ગ્રહણ પછી તેનું ધારણ-અવધારણ થાય છે. તેના સ`સ્કારનું' ચિત્તમાં ટકી રહેવુ અવિદ્યુત રહેવુ. તે ધારણ છે. (૫) વિજ્ઞાન—ધારણ પછી વિજ્ઞાનવિશેષ જ્ઞાન થાય છે, વિશેષ ખેષ થાય છે. ઉત્તરાત્તર દૃઢ સંસ્કારથી પ્રાપ્ત બેષ ખળવાન્ ખનતા જાય છે. ( ૬ ) ઈહા—વિજ્ઞાન—ખાધ પછી ઈહા-ચિંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપેાહ—ઇઢા પછી અપેાહ થાય છે. શંકા-સ ંદેહનું નિરાકરણ થાય છે, ખાધક અંશનું નિરાકરણ-દૂર કરવાપણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશઅપેાહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઈ ગયા પછી, સતર્કનું નિરાકરણ થયા પછી તત્ત્વનિનિર્ણય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-દૃઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્ત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યાગી પુરુષા હેાય છે. તથા—— 節 आद्यावञ्चकये। गाप्त्या तदन्यद्वयलाभिनः
Page 488
। easantरिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३॥ આદ્ય અવચક યોગથી, અન્ય અવચક પ્રાસ; યોગ્ય આ યોગ પ્રયાગના, કહે યાગીએ આસ. ૧૧૩. અર્થ :—પહેલા અવંચક યાગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકના લાભ પામેલા એવા તેએ હાય છે. એએ આ યાગપ્રયાગના અધિકારીએ છે, એમ ચેવિદે વદે છે. વિવેચન તથા હેતુભૂત એવી આધ અવચક ચેાગની પ્રાપ્તિથી તેએ તેનાથી અન્ય એવા એ અવંચકના ક્રિયા અવહેંચક ને કુલ અવંચકના ચાંગને લાભ પામેલા હાય છે. તેની અવધ્ય-અમેાઘ–અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હેાય છે. એએ આ યાગપ્રયાગના અધિકારીએ છે, એમ તે ચેાગના જાણનારાઓ કહે છે. ઉપરમાં પ્રવૃત્તચક્ર યાગીના એ લક્ષણ કહ્યા−(૧) પ્રથમ યમદ્વેયના લાભ પામેલા, (૨) ખાકીના યમયના અથી. અહીં તેનું ત્રીજું' લક્ષણ કહ્યુ` છે:-આદ્ય અવાચક યાગની વૃત્તિ——ગાવાવ ધોળાચા—હેતુભૂત એવી આદ્ય અવંચક ચેગની પ્રાપ્તિ થકી, તત્ત્વચમિનઃ—તેનાથી અન્ય મના લાભી ક્રિયાઅવંચક–કુલાવ ચક્ર એ એના લાભ ધરાવનારા તેની અવષ્ય ભવ્યતાથી એક ભૂત, એવા સ્વરૂપવાળા તેમા, શુ? તે કે —ધિનિઃ— અધિકારીઓ, કાના? તો કે ચોપ્રયોગય—અધિકૃત એવા મેણપ્રયાગના —વૃત્તિ-એમ, તંદ્ર:—તેના જાણકારો, યોગવિદા કહે છે,—એમ શેષ છે. Page #785 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: આ મહાગ પ્રયાગના અધિકારીએ (૭૯) અર્થાત્ ચગાવંચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યોગની-કિયા અવંચક ને ફલ અવંચકની પ્રાપ્તિ થયેલી હોય છે, કારણ કે તે યોગાવંચકની એવી અવધ્યઅમેઘ-અચૂક ભવ્યતા હોય છે, તથા પ્રકારની યોગ્યતા હોય છે કે આ બીજા બે અવંચકની પ્રાપ્તિ હોય જ. (આ ચગાવંચક, કિયાવંચક અને ફલાવંચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક ગીને તે આદ્ય અવંચક ગની પ્રાપ્તિને લીધે, બાકીના બે કિયા-ફેલ અવંચક યુગને લાભ પ્રાપ્ત થઈ ચૂક્યો હોય છે. એટલે તે યોગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક યુગથી સંપન્ન હોય છે. અને આમ જેને આ અવંચકત્રયને લાભ થયેલ છે, જેને ઈચ્છાયામ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અને જે થિયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઈચ્છી તેના સદુપાયની પ્રવૃત્તિમાં ૨ઢ લગાડીને મંડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક ગીઓ આ યોગ પ્રાગના અધિકારીઓ છે. એમ કેગના જ્ઞાતા પુરુષ-ગવિદો વદે છે. આ યુગ ખરેખર! મહાપ્રયોગ છે, એક લેકોત્તર કટિને મોટો અખતરે (Great & grand experiment) છે. કારણ કે તે જો સવળો ઉતરે તે બેડો પાર થઈ જાય,–જીવનું ક૯યાણ કલ્યાણ થઈ જાય, અને અવળો પડે તે ચગ-મહા- જીવનું નાવડું ડૂબી જાય ! મહદ્ વસ્તુની હીન ઉપયોગરૂપ આશાતનાથી પ્રવેગ અકલ્યાણ થઈ મહાહાનિ થાય-વિજ્ઞાનના પ્રયોગની પેઠે. વિજ્ઞાનનો પ્રયોગ જે તેની વિધિના જાણ યોગ્ય વિજ્ઞાનીના હાથે થાય છે તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અયોગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટું હાનિકારક પરિણામ આવે અને કદાચ પોતે પણ ધડાકાબંધ ઊડી જાય ! તેમ આ યોગવિજ્ઞાનનો પ્રયોગ જે વિધિજ્ઞાતા યંગ્ય જ્ઞાની યેગીના હાથે થાય, તે તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ અયોગ્ય અજ્ઞાનીના હાથે થાય, તે તેમાંથી ઉલટું અનિષ્ટ પરિણામ આવે, અને આત્મનાશ પણ થાય ! વર્તમાનમાં મહાશક્તિસંપન્ન અણુ બોમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિજ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત્ પરમાર્થથી અજ્ઞાન વિજ્ઞાનીઓના અગ્ય હાથમાં આવી પડયું હોવાથી જગને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસંપન્ન ગ-રહસ્ય પણ જે અગ્ય જનના–અગીના હાથમાં આવી પડે, તે કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન “વાંદરાને નીસરણી બતાવવા જેવું” વિપરીત પણે પરિણમતાં જગતને મહાઅનર્થકારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અનધિકારી જીવને “મર્કટને મદિરાપાનની પેઠે” વિષમપણે પરિ. મુમતાં મહાઅનર્થકારક થઈ પડે છે! એક ને એક વસ્તુમાંથી તેના
Page 489
ઉપયોગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે! તેમ ગ-પ્રગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યોગ પ્રયાગરૂપ જબરજસ્ત અખતરો (Grand experiment) Page #786 -------------------------------------------------------------------------- ________________ (૭૧૦) ગદષ્ટિસમુચ્ચય અજમાવવા માટે યોગ્ય અધિકારી જ હવે જોઈએ અને તે અધિકારી અત્રે કહ્યા તે મહાત્ લક્ષણ–ગ્યતાવાળા કુલગી ને પ્રવૃત્તચક ગીઓ છે. વળી કાચ પાર પચાવ જેમ સહેલું નથી, અને જીરવવાની શક્તિ વિના ઉલટ ફૂટી નીકળે છે, તેમ આ ગ-પ્રયાગરૂપ પારો પચાવો સહેલું નથી, અને તે પચાવવાની તાકાત ન હોય તે ઊલટો અનર્થરૂપે ફૂટી નીકળે છે ! અથવા પૌષ્ટિક યોગ-રસાયન રસાયન પચાવવું જેમ સહેલું નથી, અને તેને પ્રયોગ મંદાગ્નિવાળા અનધિકારી દુર્બળ મનુષ્ય પર કરવામાં આવે, તો તે તેને ભારે પડી જાય છે, અને વિપરીત પરિણામ આપે છે, તે એટલે સુધી કે તેને પ્રાણ પણ હરે છે; પણ જે યોગ્ય જઠરાગ્નિવાળા અધિકારી પર તેને પ્રયોગ કરવામાં આવે તે તેને આરોગ્ય આપી દીર્ધાયુ બક્ષે છે; તેમ આ ગ-રસાયનને પ્રયોગ મંદ શક્તિવાળા અનધિકારી જીવ પર કરવામાં આવે છે તે તેને પચતું નથી, અને ઉલટું તેનું મિથ્યા અભિમાનરૂપ અજીણ ઉપજાવી અનર્થકારી થઈ પડે છે, યાવત્ ભાવ–પ્રાણ હરણરૂપ ભાવમૃત્યુ કરે છે; પણ જે એગ્ય ઉદ્દીપ્ત શક્તિસંપન્ન થેગી પુરુષરૂપ અધિકારીને આપવામાં આવે તો તે તેને બરાબર પચે છે, અને ભવરોગ નિમૂળ નાશ કરી અજરામરપણું આપે છે. (૧) શસ્ત્ર પકડતાં પણ ન આવડતું હોય એવા બાલના હાથમાં જે શસ્ત્ર આપવામાં આવે, તે તે ઉલટું તેનું જ ગળું કાપનારૂં થઈ પડી ભક્ષણ કરનાર જ થઈ પડે છે; પણ યેગ્ય શસ્ત્રજ્ઞ સુભટના હાથમાં તે રક્ષણ કરનાર થાય છે. તેમ આ યુગ દર્શીત પ્રયોગ પણ જે અનધિકારી અનભિજ્ઞ અજાણ એવા બાલજીવના શસ્ત્રાદિનું હાથમાં આપવામાં આવે, તે દુગૃહીત હોવાથી, તેનું જ અકલ્યાણરૂપ દષ્ટાંત ભક્ષણ કરનાર થઈ પડે; અને જે યોગ્ય સુજ્ઞ યેગાધિકારીના હાથમાં આવે, તે સુગૃહીત થવાથી, તેનું ભવભયમાંથી રક્ષણ કરનાર થઈ પડે. ( ૨ ) અથવા અગ્નિને જે બરાબર ન પકડ્યો હોય તો દઝાડી દે, તેમ યોગાગ્નિને પ્રયોગ જે બરાબર-વિધિથી ન પકડયો હેય, દુગૃહીત હોય તે ભવભ્રમણતાપથી દઝાડી દે ! (૩) અથવા વ્યાલ-સાપ જે દુગૃહીત હોય, Gધ પૂંછડેથી પકડયો હોય, તે તે પકડનારને જ સ મારી મૃત્યુ નીપજાવે છે, તેમ ગ-પ્રયાગ પણ જે દુગૃહીત હોય તે ભવહેતુ થઈ પડી ભાવ-મૃત્યુ નીપજાવે છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ શ્રી યોગબિન્દુમાં કહ્યા પ્રમાણે શ્રમણ્ય-શ્રમણપણું જો દુહીત હોય તે અનંત સંસારનું કારણ થઈ પડે છે, તેમ યોગ-પ્રયોગ જ દુગૃહીત હોય તો અનંત ભવભ્રમણનું કારણ થઈ પડે છે ! આમ સર્વથા આ ગ-પ્રયોગ યોગ્ય એવા ગી પુરુષના હાથમાં જ મૂકવા x “ મત ga ઘ રાણાનવ્યાસુદનિમઃ | શ્રામગરુડશ્વતઃ રાજ કરો મામઃ | » ગબિંદુ, ૧૮૪. Page #787 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ગ-સાયન અને દુહીત ગમગ (૭૧૧) યોગ્ય છે, અને એના પર જ અજમાવવા યોગ્ય છે, અને સુગ્રહીત જ કરવા યોગ્ય છે, નહિ તે ઊલટો આશાતના-સિદ્ધિવ્યાહ-ચમત્કાર દર્શન આદિ કારણે સુગ્રહીત મહાઅનર્થકારક થઈ પડવાને પૂરેપૂરે ભય છે, યોગભ્રષ્ટતારૂપ ગમગ અધ:પતન કરનારો થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. એટલા માટે અહીં આવા ઉક્ત લક્ષણવાળા વેગીઓને જ આ ગપ્રયોગના અધિકારી કહ્યા છે. રાજ્યાસન પર જેમ એગ્ય રાજગુણસંપન્ન પુરુષ જ બિરાજવા યોગ્ય છે, તેમ આ યોગરાજ્યસન પર પણ યોગ્ય યોગી ગુણસંપન્ન મેગી પુરુષ જ બિરાજવા ગ્ય છે. છતાં જો કે અયોગ્ય-અયોગી તેના પર ચઢી બેસવાની ધૃષ્ટતા–ધીઠાઈ કરે, તે તે–“ફિરતાઓ જ્યાં પગ મૂકતાં ડરે છે,
Page 490
ત્યાં મૂખ ધસી જાય છે.” “Fools rush in where angels fear to tread,–તેના જેવું જ ચેષ્ટિત કરે છે ! માટે ઉક્ત કુલગી ને પ્રવૃત્તચક યોગીઓ જ અહીં અધિકારી છે, એમ કેગના અનુભવી જ્ઞાની યેગી પુરુષોનું કથન છે. આ ગીતમાં પણ કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ પાત્ર પણ હોય છે,જેના લક્ષણ લાક્ષણિક રીતે પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના છેલ્લા અમર કાવ્યમાં આ પ્રકારે ભાખ્યા છે “ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જિતભ ”-શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપન્યસ્ત યમાદિનું સ્વરૂપ કહે છે– इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥२१४ ॥ અહી અહિંસાદિ યમ, પ્રસિદ્ધ પંચ પ્રકાર અપરિગ્રહ પર્યત તે, ત્યમ ઇરછાદિક ચાર. ૨૧૪, - કૃત્તિ:-- અહીં, લેકમાં, અહિંસા -અહિંસાદિ ધર્મો, પંજ-પંચ-સંખ્યાથી, સક બ્રિાદ-સપ્રસિદ્ધ, સર્વતંત્રસાધારણપણુએ કરીને, યમ-યમો, ઉપર ઇચ્છાય, પ્રવૃત્તિયમ, સ્થિયમે, સિદ્ધિ મે, એમ સતાં-સંતને મુનિઓને, શું પર્યત ? તે કે રિઝર્ચન્તા - અપરિગ્રહ પયત. “ હંસાત્યાન્તયત્રદાવપરિષદ: ચT:-” ( પતં૦ ૨-૩૦ ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમે છે,–એ વચનથી. તથwાહિતુર્વિધા:- તથા ઈચ્છા આદિ ચાર પ્રકારના,-પ્રત્યેક પણે ઈચછાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. Page #788 -------------------------------------------------------------------------- ________________ (૭૧૨) યોગદષ્ટિસમુચય અર્થ –અહિંસાદિ અપરિગ્રહ પર્યત એમ પાંચ યમો સંતેને સુપ્રસિદ્ધ છે. તથા તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે. વિવેચન અહીં લેકમાં અહિંસા આદિ ને અપરિગ્રહ પર્યત પાંચ યમે સંતને-મુનિઓને સુપ્રસિદ્ધ છે, સર્વતંત્ર સાધારણપણુએ કરીને સારી પેઠે જાણીતા છે; કારણ કે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે,” એવું વચન છે. તથા આ પાંચમાંથી પ્રત્યેક યમ ઇચ્છા આદિ ચાર પ્રકાર છેઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. આ અહિંસાદિ પાંચને જેમ યોગ-સાંખ્યાદિ યમ કહે છે, તેમ જૈને તેને “વત’ નામથી ઓળખે છે, બૌદ્ધો “શીલ” નામ આપે છે. આમ શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એટલે સુપ્રસિદ્ધ એવા આ પાંચ યમ સવતંત્રસાધારણ (Common to all religions) હેઈ સર્વમાન્ય છે, સર્વસંમત છે, સર્વદર્શનવાદીઓને સુપરિચિત છે. આવા સુપ્રસિદ્ધને સુપ્રસિદ્ધ કરવા અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આ અહિંસાદિનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી અને પ્રકારે સમજવા યોગ્ય છે અને સમજ આચરવા યોગ્ય છે. દ્રવ્યથી એટલે બાહ્યથી, વ્યવહારથી, શૂલપણે; અને ભાવથી એટલે અંતથી, પરમાર્થથી, સમપણે. અહિંસા એટલે કઈ પણ જીવની હિંસા ન કરવી તે. “ના હિંડ્યા સર્વાળિ મૂતાનિ એમ વેદકૃતિ છે. અને કમાત્રાવ્યો હિંસા – પ્રમત્તયેગથી પ્રાણનું હરવું તે હિંસા છે એમ શ્રી તવાર્થ સૂત્રનું વચન છે. અર્થાત્ ઇદ્રિયાદિ હિંસા-અહિંસા દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી અથવા જ્ઞાન-દર્શનાદિરૂપ આત્માના ભાવ પ્રાણુમાંથી કોઈ પણ પ્રાણુનું મન-વચન-કાયાના પ્રમાદ યોગથી હરવું તેનું નામ હિંસા છે; તેથી વિપરીત તે અહિંસા છે. આમાં “પ્રમાદગ' શબ્દ ખાસ અગત્યનું છે. જે પ્રાણ હરણમાં પ્રમાદ વેગ હોય, તે જ હિંસા છે, નહિ તે નહિં. એટલે કદાચ પ્રાણ હરાયા હોય, પણ મન-વચન-કાયાને પ્રમત્ત યોગ ન હોય તે હિંસા નથી. અને પ્રાણ ન પણ હરાયા હોય, પણ મન-વચનકાયાને પ્રમત્ત યોગ હોય તે હિંસા છે. આમ મન-વચન-કાયાને અપ્રમાદ હોય, યતના હોય, જયણા હોય, જેમ બને તેમ સાચા અંતરંગ ભાવથી જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન (Careful effort) હેય, કાળજી-તકેદારી હેય, તે દ્રવ્ય-પ્રાણહરણથી પણ હિંસા લાગતી નથી. અને મન-વચન-કાયાને પ્રમાદ વેગ હોય, જેમ બને તેમ જીવરક્ષા કરવામાં બેદરકારીરૂપ (Carelessness) અયત્ન હય, બેકાળજી હોય, તે દ્રવ્ય પ્રાણહરણ
Page 491
ન હોય છતાં પણ હિંસા જરૂર લાગે છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર: હિંસા-અહિંસા, સત્ય-અસ્તેય આદિ (૭૧૩) આ હિસાથી જે વિપરીત તે અહિંસા છે, એટલે મન-વચન-કાયાને અપ્રમાદ રાખી, યતના કરવી, જાણ કરવી, સાચા ભાવથી જેમ બને તેમ જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન કર, ઉપયોગ-જાગૃતિ રાખવી તે અહિંસા છે. આમ દ્રવ્યથી હિંસા-અહિંસાને મુખ્ય આધાર પણ ભાવથી હિંસા-અહિંસા ઉપર છે–(૧) દ્રવ્યથી હિંસા ન હોય, અને ભાવથી પણ ન હોય, તે તે ઉત્કૃષ્ટ અહિંસા છે. (૨) દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, તે તે તેથી કંઈક ઉતરતી ઉચ્ચ અહિંસા છે. (૩) દ્રવ્યથી હિંસા ન હોય પણ ભાવથી હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ હિંસા જ છે. (૪) દ્રવ્યથી હિંસા હોય અને ભાવથી પણ હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ નિકૃષ્ટ હિંસા જ છે. આમ હિંસા-અહિંસાને મુખ્ય આધાર આત્મપરિણામની ઘાત-અઘાત પર છે. રાગદ્વેષાદિ પરિણામથી જ્યાં આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ-પ્રાણની હિંસા થતી હોય ત્યાં અવશ્ય હિંસા છે; અને તેવા રાગદ્વેષાદિ પરિણામના અભાવે જ્યાં આત્માના જ્ઞાન-દર્શન ભાવ પ્રાણની હિંસા ન થતી હોય, ત્યાં હિંસા નથી. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. (જુઓ પૃ. ૧૦૫ થી ૧૦૭) જે જેમ છે તેમ બોલવું, સાચું બોલવું તે સત્ય છે; અથવા જેમ છે તેમ વસ્તુસ્વરૂપ કહેવું તે સત્ય છે. સને સત્ કહેવું, અને અસત્ કહેવું તે સત્ય છે, અને અસતને સત્ કહેવું, સતને અસત્ કહેવું તે અસત્ય છે. અથવા જેવું સત્ય-અસ્તેય મનમાં હોય, જેવું આચરણમાં હોય, તેવું નિદંભ નિષ્કપટ વચન ઉચ્ચારવું, મન-વચન-કાયાની એક્તા દાખવવી તે સત્ય છે. પારકી વસ્તુ અણુદીધી–તેની રજા વગર ન લેવી તે અસ્તેય-અચૌર્ય છે. અર્થાત પરધનહરણ ન કરવું–શેરી ન કરવી તે અસ્તેય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન તે બ્રહ્મચર્ય છે. મનુષ્યણી, તિર્યચિણી કે દેવાંગના સાથે મન-વચન-કાયાથી મિથુનનુંઅબ્રહ્મચર્યનું વજન તે બ્રહ્મચર્ય છે. ધન-ધાન્ય-ગૃહ-પુત્ર આદિ કઈ પણ પરિગ્રહ ન ગ્રહ તે અપરિગ્રહ છે; કોઈ પણ પિતાની માલીકીની વસ્તુ ન હોવી તે, પિતાનું કંઈ પણ નથી એવું અકિંચનપણું તે અપરિગ્રહ છે. આમ સામાન્યપણે દ્રવ્યથી અહિંસા આદિનું સ્વરૂપ છે. અને ભાવથી તે (૧) અહિંસા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની હિંસા ન થવી તે. રાગ-દ્વેષ–મહ વિભાવથી આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ પ્રાણુની હિંસા થાય છે; આ રાગાદિ વિભાગ પરિણામે કરીને શુદ્ધ આત્મપરિણામની ઘાત ભાવ અહિંસા ન થવા દેવી તે અહિંસા છે. તાત્પર્ય કે-શુદ્ધ આત્મસ્વરૂપે સ્થિતિ એ જ પારમાર્થિક-તાવિક પરમ અહિંસા છે, અને તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી આ પ્રકારે ઘટાવી શકાય છે :-(૧) આત્માના ગુણ બાધકભાવથી રહિતપણે આદિ Page #790 -------------------------------------------------------------------------- ________________ (૭૧૪) યોગદષ્ટિસમુચ્ચય ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસંગી હોય, આત્મ દ્રવ્યને પદ્રવ્યને સંગ ન હોય,–તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સર્વ પ્રદેશમાં પરભાવનો પ્રસંગ ન હોય, અને અશરીરી અગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હોય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રૌવ્યપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-જનપણું નહિ હેઈ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,–તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. (૪) અનંત ગુણ પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનું જે કઈ એક ધામ હોય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પરમ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ-પર જીવન રક્ષક એવા તારણ–તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચે આદર્શ શ્રી જિન વીતરાગમાં દષ્ટ થાય છે—જેનું પરમ સુંદર હૃદયંગમ
Page 492
સ્વરૂપ મહાત્મા દેવચંદ્રજીએ આમ સંગીત કર્યું છે – ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવવિહીન...પ્રભુજી! દ્રવ્ય અસંગી અન્યને, શુદ્ધ અહિંસક પીન...બાહુ જિણુંદ દયામયી. ક્ષેત્રે સર્વ પ્રદેશમે, નહિં પરભાવ પ્રસંગ..પ્રભુજી ! અતનુ અગી ભાવથી, અવગાહના અભંગ...પ્રભુજી ! બાહ૦ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય. પ્રભુજી ! છેદન જનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય... પ્રભુજી ! ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ...પ્રભુજી ! બાહુ નિજ નિજ પરિણતિ પરિણમે. ભાવ અહિંસક એમ.પ્રભુજી ! બાહ૦ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ..પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણતરણ જિહાજ પ્રભુજી !”—–શ્રી દેવચંદ્રજી. દ્રવ્ય અહિંસા પણ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે તેમજ દ્રવ્ય અહિંસા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ બન્નેને પરસ્પર કાર્ય–કારણ સંબંધ છે. “ દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર...પ્રભુજી ! ભાવ દયા પરિણામને, એહી જ છે વ્યવહાર..પ્રભુજી ! બાહુ આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર....પ્રભુજી ! ક્ષાયિક ગુણ પર્યાયમે, નવિ પર ધર્મ પ્રચાર...પ્રભુજી !” –શ્રી દેવચંદ્રજી. (૨) ભાવથી સત્ય એટલે પરમાર્થથી-તત્ત્વથી સત્ય વચન વદવું તે. જે વસ્તુ તત્વથી જેમ છે તેમજ કહેવી તે સત્ય છે. સ્વને સ્વ કહેવું, પરને પર કહેવું; સ્વને પર ન કહેવું, Page #791 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ભાવ અહિંસા, ભાવ સત્યાદિ (૭૧૫) પરને સ્વ ન કહેવું તે સત્ય છે. સતને સત્ ને અસતને અસત કહેવું, ભાવથી સત્યાદિ તથા સને અસત્ ને અસતને સત્ ન કહેવું તે સત્ય છે. એક શુદ્ધ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પિતાની નથી, પર વસ્તુ છે, તે પર વસ્તુને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય છે; પર વસ્તુને સ્વ કહેવી, પર ન કહેવી તે અસત્ય છે. આમ અનાત્મ વસ્તુને આત્મરૂપ કહેવી તે અસત્ય છે; અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી ને આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, તે જ પરમાર્થ સત્ય છે. આની પરમ મનન કરવા યંગ્ય તાત્વિક મીમાંસા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશી છે – પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માનો થઈ શકતે નથી એમ નિશ્ચય જાણી બેલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી; એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ, અને તેવા ઉપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગીપૂર્વક બોલાય તે તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે.” ઈત્યાદિ. (જુઓ) – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪પ. (૩) પર વસ્તુનું અપહરણ–ચોરી ન કરવી તે પરમાર્થથી અસ્તેય છે એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ પરમાણુમાત્ર પણ પિતાનું નથી, પારકું છે. તે પર વસ્તુનું ગ્રહણ કરવું તે ચેરી છે–અદત્તાદાન છે, તે ન કરવું તે અસ્તેય છે. પરભાવવિભાવ પરિણામ તે ચોરી છે, તે ન કરવા તે અસ્તેય છે. આ પરભાવ-વિભાવરૂપ ભાવચેરી જે કરતો નથી, તે પર દ્રવ્યહરણરૂપ ક્ષુદ્ર દ્રવ્ય-ચેરી તે કરે જ કેમ? (૪) બ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. અબ્રહ્મમાંઅનાત્મમાં, પર વસ્તુમાં વિચરવું-રમણ કરવું તે અબ્રહ્મચર્ય, અથવા વ્યભિચાર, અથવા પર વસ્તુના સંશ્લેષરૂપ મૈથુન છે, દ્વત છે. પર વસ્તુમાં વિચરવું છેડી, વ્યભિચાર ત્યજી, પરભાવને સ્પર્શ પરિહરી, શુદ્ધ અદ્વૈત એવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. આવા ભાવ બ્રહ્મચર્યની સિદ્ધિમાં દ્રવ્ય બ્રહ્મચર્ય ઉપકારી થાય છે, અને દ્રવ્ય બ્રહ્મચર્યની દઢતામાં આવું ભાવ બ્રહ્મચર્ય ઉપકારી થાય છે. આમ દ્રવ્ય–ભાવને પરસ્પર
Page 493
પૂરકરૂપ સહાયક ભાવ છે. (૫) આત્મા સિવાયની બીજી–પર વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ કરી, મૂર્છા કરી, તેનું પરિગ્રહણ કરવું તે પરિગ્રહ છે. તે મચ્છ૩પમમત્વ ભાવરૂપ પરિગ્રહ ન હો તે પરમાર્થથી અપરિગ્રહ છે. પર વસ્તુને પોતાની માની, મારી છે એમ માની, મૂચ્છ–મમત્વ ન કરતાં, પર વસ્તુનું પરમાણુ પણ આત્મભાવે ન ગ્રહવું તે અપરિગ્રહ છે. આવી જેની અપરિગ્રહ ભાવના હેય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠે કરે ? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દઢ ન થાય? આમ બન્નેને કાર્ય કારણ સંબંધ છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ (૭૧૬) યોગદષ્ટિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અબ્દુભુત છે. તે આ પ્રકારે સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરે છે, પરને પોતાનું કહે છે-માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિંસાદિની ચરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંશ્લેષ–સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેને પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આત્માર્થરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરતું નથી, પરને પિતાનું કહેતા નથી-માનતું નથી, એટલે પછી તે લેવા-અપહરવા–રવા પ્રવર્તતે નથી, એથી તેને સંલેષ સંબંધ થતું નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂચ્છભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત થતું નથી, ચેતરફથી જકડા નથી એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચેરીથી, કે પર પ્રત્યે વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમવરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતું નથી. આમ મુમુક્ષુ યોગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું–ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણો સૂચક છે, કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને શેકી રાખ-દાબી રાખવો તે યમ છે; અને પરરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિત થાય તે ઉપરમ છે. બન્ને શબ્દનો ફલિતાર્થ એક છે.-આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે, શુદ્ધિની તરતમતાના-ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કેટ-કથા છે. ઇછાયમ, પ્રવત્તિયમ. સ્થિરયમ અને સિદિયમ. એટલે આ યમના (૫૪૪૪૨૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિરઅહિંસા, સિદ્ધિઅહિંસા, ઈચ્છાસત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે. એઓનું વિશેષ લક્ષણ કહે છે – तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी । यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ-તત્ત્વથા કીરિયુતા- તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તાવિપરિણામિની-તથા અવિપરિણામિની, તદ્ભાવના સ્થિરવથકી, ચમેy-ઉક્ત લક્ષણવાળા યમમાં છા-ઈ, અવા -સમજવા યોગ્ય છે, રૂ-અહીં, યમચક્રમાં, અને આ પ્રથમ થમ ga ત-પ્રથમ યમ જ છે, અનંતર-હમણું જ કહેવા લક્ષણવાળી ઈચ્છી જ ઇછાયમ છે, એટલા માટે. Page #793 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : મુમુક્ષનું અહિંસાદિ આચરણ, ઈરછાયમનું સ્વરૂપ (૭૧૭) યમવંત કથા પ્રીતિ યુતા, અવિપરિણામિની તેમ; ઇચછા યમમાં જાણવી, પ્રથમ યમ જ તે એમ. ૨૧૫. અર્થ –યમવતની કથા પ્રત્યે પ્રીતિયુક્ત, તથા અવિપરિણામિની એવી જે યમમાં ઈચ્છા, તે અહીં મચક્રમાં પ્રથમ યમ જ (ઈસ્કાયમ જ) જાણવી. વિવેચન યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી અને તદ્દભાવ સ્થિરપણાએ કરીને અવિપરિમિની એવી જે યમ પ્રત્યેની ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ છે, અર્થાત ઈચ્છાયમ છે એમ જાણવું. અહિંસાદિ યમને વિષે જે ઇચ્છા ઉત્પન્ન થવી તે જ પ્રથમ એ ઈરછાયમ છે.
Page 494
અહા ! આ અહિંસાદિ કેવા સુંદર છે! કેવા ઉપકારી છે! કેવા કલ્યાણકારી છે. આ અહિંસાદિ મને પણ પ્રાપ્ત હોય તે કેવું સારું ! આ અહિંસાદિ પામવાને હું કયારે ભાગ્યશાળી થઈશ? એવા ભાવની જે સાચી અંતરંગ ઈચ્છા, સ્પૃહા, રુચિ, ભાવના થવી તે જ ઇરછાયમ છે. અંતરાત્માથી તેવી ઈચ્છા થવી એ પણ મોટી વાત છે. સાચી અંતરછા એ સદ્યેગપ્રાપ્તિનું પ્રથમ અને મહાન પગથિયું છે, સન્માર્ગ પ્રવેશનું પ્રથમ દ્વાર છે, મોક્ષમાર્ગને ભવ્ય દરવાજ છે. એ અંતરંગ ભાવરૂપ ઇચ્છા વિના કેઈને પણ આ યોગ સન્માર્ગમાં પ્રવેશ પણ ઘટતો નથી, તે પ્રવૃત્તિ આદિ તે ક્યાંથી હોય? અને બાહ્યથી– દ્રવ્યથી તેમાં પરાણે ઘૂસી ગયેલા દેખાતા કોઈ દંભી ઓળઘાલુ તેમાં પ્રવેશને દા કરતા હોય, તે પણ પરમાર્થથી તેઓને તે સન્માર્ગમાં અંત:પ્રવેશ ઘટતું નથી, તે તે હારના હાર જ, ચોગમાર્ગ બાહ્ય જ રહે છે, માટે ખરો માર્ગ પ્રવેશ તે ઇચ્છાયોગ વિના થઈ શકતો જ નથી, રુચિ-ભાવ વિનાના ભોજનમાં જેમ મીઠાશ આવતી નથી, કળીઓ ગળે ઉતરતો નથી, અથવા પરાણે ઉતારવો પડે છે, મોળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે; - તેમ અંતરંગ ઈચ્છારૂપ રુચિ-ભાવ વિનાના પરમાર્થરૂપ પરમાન રુચિ વિનાના ભેજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગ-માધુર્ય નીપજતું નથી, ભેજનનું દૃષ્ટા સત્ય તત્વ ગળે ઉતરતું નથી–અંતમાં ઠસતું નથી અથવા પરાણે ગળે ઉતારવું પડે છે-મતાગ્રહથી તાણી તેષીને અંતરમાં ઠસાવવું પડે છે, અરુચિરૂપ-અણગમારૂપ મેળ આવે છે, અને તે સત્ય તત્વ પેટમાં ટકતું નથી– જગને દેખાડારૂપ તેનું વમન થાય છે, અથવા મિથ્યા અભિમાનરૂપ અજીર્ણ-અપચો ઉપજે છે. પણ રુચિ–ભાવથી કરેલા ભેજનમાં મીઠાશ આવે છે, કેળીઓ હોંશે હોંશે એની મેળે ગળે ઉતરે છે–પરણે ઉતારે પડતું નથી, પેટમાં ટકે છે, મેળ આવતી Page #794 -------------------------------------------------------------------------- ________________ (૭૧૮) યોગદષ્ટિસમુરચય નથી, અને વમન થતું નથી કે અજીર્ણ ઉપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈચ્છારૂપ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન ભેજનમાં સાચી મીઠાશ આવે છે–સંવેગ માધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વને કેળીઓ હોંસે હસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતમાં ઠસે છે, પરાણે ઉતારે પડતો નથી, મતાગ્રહથી તાણખેંચ કરીને ઠસાવ પડતું નથી, અંતમાં ઠરે છે, અરુચિરૂપ મેળ આવતી નથી, દાંભિક ઓળઘાલ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ—અપ ઉપજ નથી; પણ અંતરાત્મપરિણામરૂપે, બરાબર પરિણત થઈ–પાચન થઈ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દષ્ટાંત ઉપરથી, રુચિનું-ઈચ્છાનું સન્માર્ગ–પ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઈચછે છે જે જોગીજન” પદમાં ઇછે છે પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઈચ્છા વિનાના સન્માર્ગ મિલનમાં ખરી મઝા આવતી નથી. “મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું” –એના જે આ ઘાટ થાય છે. સન્માર્ગાગરૂપ પરમાર્થ-લગ્નમાં અંતરંગ પ્રીતિરૂપ “લગની લાગ્યા વિના ખરે આનંદ અનુભવાતે નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઇચ્છાગને આ ગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. . વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા-રુચિ–ધગશ જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા હોય, તો જ તેને રસ્તે મળી આવે છે. “Where there is a will there is a way”—એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાર્ય માટે પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી
Page 495
પ્રવર્તતાં માર્ગમાં વિન (Obstacle) આવે તો તેને જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનકમે કાર્યની પૂર્ણતા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે ઠરૂપ હોઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે! આમ સામાન્ય કમ છે. આત્મા કાર્યરુચિવાળે થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છ કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિ–ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઈચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટે આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઈ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયીઅનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. ( જુઓ કાવ્ય પૃ. ૨૯૧ ) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઈચ્છા છે, તે વળી યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા Page #795 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : યમવત કથાપ્રીતિઃ “ધન્ય તે મુનિવરા રે!' (૭૧૯) અવિપરિણમિની એવી હોય છે. આ જગમાં જે કોઈ દ્રવ્યથી કે ભાવથી કે બન્નેથી અહિંસા સેવ હોય, સત્ય બોલતે હેય, અરતેય આચરતો હોય, બ્રહ્મચર્ય પાળતા હોય, અપરિગ્રહ ધારતો હોય, તેની કયાંયથી પણ કથાવાર્તા સાંભળવામાં કે વાંચવામાં આવતાં, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ ઉપજાવી-પ્રેમ કુરે તે આ ઈચ્છાનું લક્ષણ છે. સંપૂર્ણપણે કે અપૂર્ણપણે, સર્વથી કે દેશથી, સકલપણે કે વિલપણે જે કઈ સાચા સાધુ પુરુ-સાધક મુમુક્ષુઓ આ અહિંસાદિ યમની સાધના કરતા હોય કે સિદ્ધિ પામેલા હોય, તેના પ્રત્યે આ ઈચ્છાયમવંતને અત્યંત ગુણપ્રમોદ-ગુણાનુરાગ ઉપજે છે. જેમ કે – ધન્ય છે આ અહિંસક મહા મુનિઓ ! કે જેઓ યતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજ્જતુને સમ ગણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજા વતા નથી, રાગ-દ્વેષાદિ ભાવહિંસા કરતા નથી ભાવદયારસના સાગરધન્ય તે નિષ્કારણ કરૂણાસિંધુ એવા આ સાધુ ભગવાન નિરંતર આત્મસ્વરૂપમાં મુનિવર રે” સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી ! અહો ! એમની કરુણા! અહો ! એમની વીતરાગતા ! અહે! એમની સ્વરૂપસ્થિતિ ! અહો! આ સંતની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે! સ્વપ્નમાં પણ આ સાધુચરિત પુરુષે અસત્ય વચન વદતા નથી ! પરવરતુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને ! અહો ! સ્વદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માઓ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ આત્મભાવથી ઈચ્છતા નથી ! અહે એમની નિઃસ્પૃહિતા ! આ સાચા ત્યાગી–સંન્યાસી જેગીજનોનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠોર બ્રહ્મચર્યવ્રત પાળે છે ! સ્વપ્નાંતરે પણ એમના રમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરી રહ્યા છે ! અહા તેમનું આ મહાઅસિધારાગ્રત ધન્ય છે આ નિગ્રંથની પરમ નિગ્રંથ વૃત્તિને ! દ્રવ્ય-ભાવ સમસ્ત ગ્રંથને-પરિગ્રહ બંધનેને તેમણે ઉચ્છેદ કર્યો છે ! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ-મૂર્છા ધરાવતા નથી ! આ આખા જગમાં એક આત્મા સિવાય એમની પિતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચન-નિષ્પરિગ્રહી છે! અહે! એમની નિ થતા ! (જુઓ પૃ. ૧૯૦ તથા ૧૯૭– ૧૯૮). આવા ગુણાનુરાગને લીધે તે મુમુક્ષુના સહજ સ્વયંભૂ ઉગાર નીકળી પડે છે કે – “નમો ટોપ સલાહૂળ” –આ લેકમાં સર્વ
Page 496
સાધુઓને-સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત સહુને નમસ્કાર હો ! અને આવા યમવંતે પ્રત્યે જેને આવી ગુણાનુરાગ જન્ય પ્રીતિ ઉપજે છે, તેને તે યમે અત્યંત ગમી જાય છે, એટલે તેના પ્રત્યે તેને સહજ સ્વાભાવિક સ્પૃહા-રુચિ-ઈચ્છા ઉપજે છે. એટલે તે પૃહા કરે છે કે આવા અહિંસાદિને મને ગ થાય તો કેવું સારું ! આવા અહિંસાદિ સાધવા હું કયારે Page #796 -------------------------------------------------------------------------- ________________ (૭૨૦) યોગદૃષ્ટિસસુક્ષય 6 ભાગ્યશાળી થઈશ ? આવા દ્રવ્ય-ભાવ નિગ્રંથ થવાને મને અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઇશુ' બાહ્યાંતર નિગ્રંથો ? ’( શ્રીમદ્ રાજચંદ્રજી ) “ માહિનીભાવ વિચાર અધીન થઇ, ના નિરખુ નયને પરનારી; પત્થર તુલ્ય ગણુ પર વૈભવ, નિ`ળ તાત્ત્વિક લેાભ સમારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ' સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહેા ભવહારી. ’—શ્રી મેાક્ષમાળા. જેમ કેઈ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વા'પટુ વ્યાપારી વણિકને ત્યાં શીઘ્ર દે।ડી જઇ વિપુલ ધનસ'પત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ યોગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્માપટુ મુમુક્ષુને પણ તેવા અહિં'સાદિ યેાગવ્યાપારથી અપૂર્વ આત્મગુસપત્તિ મેળવવાનુ મન થઇ આવે છે, રુચિ-ઇચ્છા ઉપજે છે, કેડ–મનારથ જાગે છે. “ જ્ઞાનાદિક ગુણુ સપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઉપની રે, રુચિ તિથૅ પાર ઉતાર....અજિત જિન.”—શ્રી દેવચ'દ્રજી, તથા આ જે ઇચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હાય છે, કદી વિપરિણામનેવિપરીત પરિણામને પામતી નથી; કારણ કે તદ્ભાવની સ્થિરતા હેાય છે, એટલે તે ઇચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂપ થતી નથી. જે ઇચ્છારૂપ ભાવ ઉપજ્યા તે ઉપજ્યેા, તે કદી વિપરિણામ પામી અભાવરૂપ થતા નથી. એવા ઉત્કટ અતરગ ઇચ્છાભાવ અત્ર પ્રગટે છે. તે ઇચ્છા-રુચિને અંતરંગ રંગ લાગ્યા તે લાગ્યા, કદી ભૂંસાતા જ નથી. જેમ ચાળ મઢના રંગ કદી જતા નથી, તેમ આત્માને લાગેલા આ દૃઢ ઇચ્છા-ર'ગ કદી જતા નથી વસ્ત્ર જીણુ થઈને ફાટી જાય પણ પાકે મને રગ જાય નહિ; તેમ દેહ જીણુ થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલે આ ભાવરગ કઢી જાય નહિ; તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઇને પાછળ પાછળ ચાલ્યા આવે. ઘાટ ઘડામણુ ભલે જાય, પણ સેાનું કદી વિષ્ણુસે નહિ; તેમ દેહના ઘાટ ભલે જાય, પણ સેના જેવા આ જાગ્રત આત્માને લાગેલા અંતરંગ રંગ ટળે નહિં. ( જુએ, કાવ્ય પૃ. ૨૩૯ ) તથા— 節 सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । प्रवृत्तिरि विज्ञेया द्वितीयो यम एव तत् ।। २२६ ॥ વૃત્તિ:—સત્ર-સČત્ર સામાન્યથી, સમસામાં ૐ–શ્રમસાર જ, ઉપશમસાર જ, યમાનમેષ ચ-ક્રિયાવિશિષ્ટ એવું જે યમપાલન, પ્રવૃત્તિષિ વિજ્ઞેયા-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમેામાં–દ્વિતીયો ચમ વ તત્-તે દ્વિતીય યમ જ છે, પ્રવૃત્તિયમ છે એમ અથ છે. Page #797 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : અવિપરિણામિની ઈછા, પ્રવૃત્તિ યમ લક્ષણ (૭૨૧) ને જે પાલન મતણું, સર્વત્ર જ શમસાર; પ્રવૃત્તિ અહિં તે જાણવી, બીજો યમ જ તે ધાર. ૨૧૬ અર્થ –સર્વત્ર શમસાર-શમપ્રધાન એવું જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણવી; અને તે જ દ્વિતીય યમ છે. વિવેચન સામાન્યથી સર્વત્ર શમસાર જ એવું જે યમપાલન છે, તે જ અહી પ્રવૃત્તિ જાણવી, અને તે યમને વિષે બીજો એવો પ્રવૃત્તિયમ છે. જે અહિંસાદિ યમ ઇચ્છાયમથી ઈચ્છવામાં આવ્યા, અંતરાત્માથી ઈષ્ટ-સ્પૃહણીય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં–ચારિત્રમાં આણવા, દૈનિક ઈચ્છા પછી જીવનવ્યવહારમાં વણ દેવા તે પ્રવૃત્તિયમ
Page 497
છે. જીવનને અહિંસામય, પ્રવૃત્તિ સત્યમય, અસ્તેયમય, બ્રહ્મચર્યમય, અપરિગ્રહમય કરવા પ્રવર્તવું તે પ્રવૃત્તિયમ છે. મનવચન-કાયાના ગવ્યાપારમાં કૃત-કારિત- અનુમોદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે યમોમાં બીજે એવો પ્રવૃત્તિયમ છે. કારણ કે કઈ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી–ગમી ગયા પછી તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્ય જરૂર પ્રવર્તન કરે છે–પ્રયત્ન કરે છે. તેમ આ અહિંસાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરેચ્છા ઉપજી છે, તે પછી તે ઈષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે ગમી ગયેલી–ગઠી ગયેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિદને નડે, ગમે તેટલી વિપત્તિઓ આવી પડે, તે પણ તે મનુષ્ય તેને પીછો છોડતું નથી, પણ ઉલટ બમણા ઉત્સાહથી તે વિઘને પણ સામનો કરી–વિક્રૂજય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઈષ્ટ માનેલા અહિંસાદિની પ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદ્ધના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાઓ વચ્ચે નડે, તે પણ આત્માર્થી મુમુક્ષુ પિતાના ઈષ્ટ ધ્યેયનો કેડે કદી મૂકતો નથી, પણ ઉલટ દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિદને-અંતરાયોને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગ સંચરે છે. ” પરમ આત્મપરાક્રમવંત જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે – ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠ, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમયમાત્ર હે, અને દુનિમિત્ત હે, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ! છૂટકે નથી.”-શ્રીમદ્ રાજચંદ્રજી. Page #798 -------------------------------------------------------------------------- ________________ (૭૨૨) યોગદષ્ટિસમુરચય “ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગૂ કોઈ સાથ અભિનંદન જિન દરિશન તરસિયે.”—શ્રી આનંદઘનજી. પ્રથમ તે કોઈ વટેમાર્ગુ અમુક સ્થળે જવા ઇચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે–ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિનાનો જય કરતે રહી તે પિતાના ઈષ્ટ સ્થળ પર્યત ગમનક્રિયા ચાલુ રાખે, તો અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિપ્ન સંભવે છેવિન કેટકવિત, ક્વેરવિન, અને દિગમેહવિન. (૧) કંટકવિત એટલે કાંટો લાગવાથી જરા ક્ષણભર વિન નડે પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિન છે. (૨) બીજું જવરવિદ્ધ, રસ્તામાં તાવ આવતાં મુસાફરી મેકુફ રાખવી પડે છે, અને તે ઉતરી જતાં મુસાફરી ચાલુ થાય છે. આ બીજું વિM પહેલા કરતાં આકરું હેઈ મધ્યમ છે, વચલા વાંઘાનું છે. (૩) ત્રીજું દિમેહવિન સૌથી આકરૂં હોઈ મોટામાં મોટુંઉત્કૃષ્ટ પ્રકારનું વિધ્ય છે. કારણકે દિશાહથી તે મુસાફર પોતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગોથાં ખાય છે, અને પુનઃ માગે ચઢે-ઠેકાણે આવે ત્યાંસુધી આ વિન નડે છે. તેમ અહિંસાદિ યોગમાર્ગ પ્રવર્તતાં પણ સાધક યોગીને આવા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિદને નડે છે. તેને જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મથે છે. જેમકે, શીત-તાપ વગેરે કંટક વિજ્ઞ સમાન છે, જવર વગેરે બાહા વ્યાધિ તે વર વિદ્ધ સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતર્ વ્યાધિ તે દિગમેહ વિન સમાન છે. આ વિદમાંથી આ અહિંસાદિનું પાલન-ભંગસંરક્ષણ તે કરે છે, અને એમ વિન જય કરતે કરતો તે આગળ ધપે છે. વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અન્નાણું રે ? પ્રભુત્વ શીત તાપ મુખ વિઘન છે રે, બાહેર અંતર વ્યાધિ
Page 498
રે; મિથ્યાદર્શન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ આસન અશન જયાદિકે રે, ગુરુયેગે જય તાસ રે; વિઘન જેર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ” સા. 2, ગા સ્ત, હાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છોડનું કાળજીથી “પાલન”સંરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યફ આચરણરૂપ-સમિતિગુપ્તિરૂપ આલવાલથી યારાથી આ અહિંસાદિરૂપ કેમળ છોડનું યતનાથી “પાલન–સંરક્ષણ Page #799 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ત્રણ પ્રકારના વિત, અહિંસાદિ છોડનું પાલન (૭૨૩) અહિંસાદિ કરે છે. જેમ વત્સલ માતા બાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, છેડનું પાલન” તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ-વત્સલ યોગીરાજ નિજ અહિંસાદિ યોગ-સામ્રાજ્યનું પ્રીતિથી પાલનરક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હોય, તો તે તેનું પાલન કેવા યત્નથી કરે? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કેઈ તેને ચેરી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સંભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે બરાબર સલામત છે કે નહિ તેની વારંવાર ચેસી કરે છે. અને આમ તેનું નિરંતર પાલન, ગોપન, ભંગ–સંરક્ષણ, સાચવણી–જાળવણી કરે છે, તો પછી આ તો અમૂલ્ય ચિન્તામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણ મહામહિમાવાન, એવા અહિસાદિ યોગચિંતામણિના જતન માટે, નિરંતર પાલન માટે, ગેપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલે બધે પ્રયત્ન હોવો જોઈએ? કેટલી બધી સતત જાગૃતિ હોવી જોઈએ? કેટલી બધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હોવી જોઈએ? ત્યાં “પાંચમે આરો કઠણ છે, શું કરીએ?” ઈત્યાદિ પેટા ન્હાના-એઠા દઈ પ્રમાદ કરવો કેમ પાલવે ? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાદપ્રસારિકા કરવી કેમ પોસાય? (જુએ. પૃ. ૧૫૩-૧૫૪) સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તે કે સર્વત્ર શમસાર જ છે, અર્થાત્ શમ જ જેને સાર છે, અથવા શમથી જ જે સાર છે,–પ્રધાન છે, અથવા શમને જ જે સાર છે, એવું છે. આ યમપાલનને સાર શમ છે, અથવા શમને સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે–પ્રધાન છે. તાત્પર્ય કે યમના પરિણામે સારભૂત એવો શમ જ ઉપજે છે, શમ જ એનું સારભૂત ફળ છે; અને શમના પરિણામે સારભૂત એવો યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમને ને શમને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. યમના સારભૂત ફલપરિણામરૂપ સર્વત્ર શમ જ ઉપજે છે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે છે, સર્વત્ર-સર્વ સ્થળે એટલે પિતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સર્વ પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ યમનો સાર શમ સેવે છે તે પોતે અદ્ભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ શાંતિ ઉપજાવે છે. જે અહિંસાદિ સેવે છે, તે પિતે તાપ પામતે નથી ને અન્ય જીને પણ તાપ પમાડતો નથી. પણ શીતલ ચંદનની જેમ સર્વત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સર્વને આનંદ આનંદ ઉપજાવે છે. Page #800 -------------------------------------------------------------------------- ________________ (૭૨૪) ગદષ્ટિસમુચ્ચય (૨) અથવા યમનું ફલ ઉપશમ અર્થાત્ સર્વત્ર કષાયાદિની ઉપશાંતિ છે, જે અહિંસાદિ યમ પાળે છે, તેને ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ જાય છે, અને તે બીજાઓના કષાયને પણ ઉપશાંત કરે છે. કારણકે અહિંસા-સત્યાદિથી ક્રોધાદિ કષાયના ઘણું ઘણું કારણે સ્વયમેવ દૂર થઈ જાય છે, અને
Page 499
અહિંસક સત્ય વક્તાને ચારિત્ર પ્રભાવ અન્ય જીવ પર પણ સહજ સ્વભાવે પડે છે, તેથી સ્વ–પરના કષાયને ઉપશમ થાય છે. (૩) અથવા અહિંસાદિ યમ જે સેવે છે, તે સમભાવરૂપ શમને-શાંતિને પામે છે. કારણ કે સમભાવી આત્મા “સર્વ જગજતુને સમ ગણે છે, માન-અપમાન, વંદક–નિદક આદિને સમ ગણે છે, એટલે તેને વિષમતારૂપ અશાંતિ હોતી નથી. (૪) અથવા અહિંસાદિ જે પાળે છે, તેને શમ અર્થાત્ સ્વરૂપશાંતિ ઉપજે છે, તે સ્વરૂપમાં સમાય છે. ઉત્કૃષ્ટ અહિંસાદિનું સહજ સ્વભાવિક ફળ સ્વરૂપમાં શમાવું એ છે, કારણ કે સ્વરૂપની ઘાત ન થવા દેવી અને પરભાવ પ્રત્યે ગમન ન કરવું, એ જ પારમાર્થિક ભાવ અહિંસાદિનું પરમ સ્વરૂપ છે. એટલે આવા અહિંસાદિથી જીવ સમસ્ત પરભાવથી વિરામ પામી સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને ભજે છે, અર્થાત્ સ્વરૂપમાં સમાય છે. (જુઓ પૃ. ૩૯૫ તથા પૃ. ૫૭૨) અથવા ઉલટી રીતે લઈએ તે સર્વત્ર શમના સારરૂપ યમપાલન જ છે. કારણ કે (૧) જીવ જ્યારે શમને પામે છે, અર્થાત કષાયની ઉપશાંતિને-ઉપશમને પામે છે, ત્યારે તેના ધ-માન-માયા-લોભાદિ દુષ્ટ ભાવ મેળા પડે છે, શમને સાર યમ એટલે ક્રોધાદિને વશ થઈ તે હિંસાદિ કરતા નથી, અને સ્વાભાવિક રીતે અહિંસાદિ પ્રત્યે જ ઢળે છે. (૨) અથવા જીવ જ્યારે અમનેશાંતિને પામે છે ત્યારે તે અન્યને પણ શાંતિ આપે છે, હિંસાદિથી પરને ઉપતાપ ઉપજાવતો નથી. (૩) અથવા જીવ જ્યારે શમને-સમભાવને પામે છે ત્યારે તે સર્વ જગત જીને સમ ગણતો હાઈ હિંસાદિ કરતો નથી અને અહિંસાદિ પાળે જ છે. (૪) અથવા જીવ જ્યારે સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને પામે છે, સ્વરૂપમાં સમાય છે, ત્યારે તે સ્વરૂપ અહિંસાદિરૂપ ઉત્કૃષ્ટ અહિંસાદિ યમપાલન કરે જ છે. આમ યમપાલનને સાર શમ અને શમને સાર યમપાલન, એમ પરસ્પર સંકલિત છે. જે મુમુક્ષુ યમ એટલે ઉપરમ (વિરતિ) પામે છે, તે શમ એટલે ઉપશમ પામે છે, અને જે શમ–ઉપશમ પામે છે, તે યમ–ઉપરમ પામે છે. યમ ત્યાં શમઃ કારણ કે જે કષાયાદિને ઉપશમ પામે છે તેને વિષયાદિ નિમિત્તે શમ ત્યાં યમ થતા હિંસાદિને ઉપરમ-વિરમણન અવશ્ય હોય છે, અને જેને વિષયા થતી હિંસાદિને ઉપરમ હોય છે, તેને કષાયાદિનો ઉપશમ હોય છે, કારણ કે વિષયથી કષાય ને કષાયથી વિષય હોય છે, એટલે વિરતિ પામે છે તે શાંતિ પામે છે, અને શાંતિ પામે છે તે વિરતિ પામે છે. “જ્ઞાની ૮ વિરતિઃ તાત્પર્ય કે-(૧) જે પરભાવથી Page #801 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : ચમને સાર શમ, શમના સાર ચમ ( ૭૨૫) વિરતિરૂપ ઉપરમ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે; અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨) અથવા પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સયમયમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને જે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સયમનરૂપ સંયમ-યમ પામે છે. અત્રે ઉપ-મશમના આ ઉપક્રમ જણાય છે:- પ્રથમ તે જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે તે હિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખના અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિરતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિની માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીએ છૂટતી જાય છે. યાવત્ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખને અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં શમાય છે.
Page 500
વળી આ યમપાલન શમથી જ સાર છે-પ્રધાન છે. શમ ઉત્પન્ન થવા એ જ આ યમપાલનને સાર છે. જેટલે અશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. આત્માને કષાયની ઉપશાંતિ થઇ, સત્ર સમભાવ આવ્યા, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તે સમજવુ' કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂકયું છે. અને જેમ કેાઈ પણ પ્રવૃત્તિનું—ક્રિયાનું કઇ ને કઇ વિશિષ્ટ ફળ હોય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું– ક્રિયાનું સારભૂત ફળ આ શમ' જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવત્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે— " नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । ચક્ષુર્વામદેવ સાોર્ટે વ્યાપાર,ત્તિસ્ય || ’—શ્રી પ્રશમતિ. विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्य मिह विज्ञेयं तृतीयो यम एव हि ।। २१७ ॥ વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જે; તે સ્થય અહી' જાણવું, ત્રીજો યમ જ છે તેહ. ૨૧૭ વૃત્તિ:-વિપક્ષચિન્તા તિક્—વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિંતાથી રહિત એમ અથ છે, અમાનમેષ ચત્—જે યમપાલન જ વિગ્નિષ્ટ ક્ષયે પશમવૃત્તિવડે કરીને, તત્ ઐમિદ્ વિજ્ઞયમ્—તે અહીં-યમેામાં થૈ જાણુવું, અને આ તૃતીયો યમ જ્ઞ –િતૃતીય યત્ર જ છે, સ્થિર યમ છે, એમ અથ છે. Page #802 -------------------------------------------------------------------------- ________________ (૭૨૬) યોગદૃષ્ટિસમુચ્ચય અર્થ :—વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન જ, તે અહીં યમામાં સ્થય જાણવું; અને તે ત્રીજો યમ જ-સ્થિર યમ જ છે. વિવેચન અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવુ· જે વિશિષ્ટ ક્ષયાપશમવૃત્તિથી યમપાલન જ છે, તે અહી' યમામાં સ્થય છે; અને તે જ ત્રીજો સ્થિરયમ છે. એટલે આ અહિ'સાઢિ યમનુ પાલન એવું તા સુદૃઢ થઇ જાય કે રખેને ભૂલેચૂકે અતિચાર આદિ લાગી જશે એવી ચિંતા રાખવી ન પડે, તેનું નામ સ્થિરપણું છે. પ્રવૃત્તિયમમાં પણ યમપાલન હતું જ, પણ ત્યાં હજુ અતિચાર-દેશભગ અતિચારાદિ આદિ દોષના સંભવ હતા; અને અહી. સ્થિરયમમાં તે એટલુ ચિંતારહિતપણું બધુ સ્થિરપણું થઇ જાય છે કે અતિચારાદિ દોષનેસ'ભવ રહેતા નથી. પ્રવૃત્તિયમમાં હજુ અહિ'સાદિના પ્રતિપક્ષી ર્હિંસાદિ દોષની સ‘ભાવનાને લીધે અહિંસાદિને દેશભંગ થવાના, અતિચાર લાગવાના, વ્યાઘાત થવાના ભય હતા, પણ હવે અહીં તે તેવા ભયને અવકાશ નથી. પૂર્વ અતિચારરૂપ કટક વિઘ્નના, હિંસાદિરૂપ જ્વર વિઘ્નને, અને મતિમેહ-મિથ્યાત્વરૂપ દિગ્મેહ વિઘ્નના ભય રહ્યા કરતા હતા. પણ હવે તેવા કેાઇ વિઘ્નના ભય રહેતા નથી. યાગમાગે િિવઘ્ન નિશ્ચિ’ત પ્રવૃત્તિ હોય છે, કારણ કે પ્રથમ માગે પ્રવૃત્તિ કરતા ઢાય, તે માêના અજાણુ હાઇ તેને ઠોકર પણ લાગે છે, વિઘ્ના પણ આડા આવે છે; એટલે ઠોકર ન લાગે, વિઘ્ના આડા ન આવે, અથવા દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં, કાળજી રાખતાં રાખતાં તેને ચાલવું પડે છે; પણ પછી રસ્તાના રીઢા માહિતગાર ભેમિયા થઇ જતાં તેને ઠોકર લાગવાની કે વિઘ્ના નડવાની બીક રાખવી પડતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક ચાલ્યા જાય છે. તેમ આ અહિંસાદિ ચેાગમાગે જે પ્રથમ પ્રવૃત્તિ કરતા હેાય તે માના અજાણુ–અનભ્યાસી હાઇ, તેને અતિચારાદ્વિરૂપ સ્ખલના પણ થાય છે, ઠોકર લાગે છે, હિંસાદિ વિઘ્ના પણ નડે છે, એટલે પુનઃ સ્ખલના ન થાય, વિઘ્ના આડા ન આવે અથવા કેમ દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં–ઉપયાગરૂપ કાળજી રાખતાં રાખતાં તેને ગમન કરવું પડે છે. પણ પછી માના સુજાણુ—અભ્યાસી થઈ ગયા પછી તેને અતિચારાદિ સ્ખલના થવાની કે હિંસાદિ વિધ્ન નડવાની ભીતિ રહેતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે એધડક અહિં'સાદિ ચેાગમાગે ગમન કર્યાં કરે છે. પ્રાર’ભક ચેાગી ‘કાચા' હાઇ તેને હજુ સ્ખલનાના—અતિચારના સભવ છે, પણ પ્રૌઢ અભ્યાસી
Page 501
યાગી પાકો ' થઈ ગયા હેાવાથી તેને ભૂલેચૂકે પણ સ્ખલનાના સ`ભવ નથી. (૧) · નવા નિશાળીએ' પાઠ લે તેમાં ભૂલચૂક થવાને સભવ Page #803 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : સ્થિર યમ લક્ષણ, અતિચારાદિ ચિંતારહિતપણુ• (૭૨૭ ) છે, પણ પ્રૌઢ વિદ્યાથી કડકડાટ પાડે એટલી જાય તેમાં લેશ પણ સ્ખલનાના 'ભવનથી હાતા. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા-કાચા અભ્યાસી અહિંસાદ્ધિ આચરે તેમાં અતિચાર લાગવાના ભય છે, પણ તેના દૃઢ પાલનથી રીઢા થઈ ગયેલા પાકા અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષને ભય નથી. ( ૨ ) કસરત શરૂ કરનારા શિખાઉને પ્રથમ મગદળ ફેરવવુ ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી ‘પડું પડું' થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતખાજ મલ્લને તે ભારી મગદળ ફેરવવુ રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી સ્ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તે તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં સ્ખલના થઈ કે થશે એવી ચિ'તા રહે છે. પણ સારી પેઠે યમપાલનના વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા ચેગીને તે મેરુ જેવુ' ભારી વ્રત પાલન-યમપાલન કરવું રમત થઈ પડે છે, ને તે કદી સ્ખલના પામવાના ભય રહેતેા નથી. ( ૩ ) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસીને આકરુ` પડે છે, અને તેની સ્ખલના પણ થાય છે; પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઊભે રહી શકે છે, એટલુ જ ન&િ. પણ તેના પર સ્હેલાઇથી તાલખદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં સ્ખલના પામતા નથી ! એવા અજખમાજીગર તે બની જાય છે! તેમ અહિંસાદિ પાલનરૂપ અસિધારા વ્રત પર ઉભા રહેતાં પણ શીખવાનુ. પ્રાર`ભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ સ્ખલના પણ થાય છે; પછી પુનઃ પુન: આસેવનારૂપ અભ્યાસ કરતાં કરતાં તેની પાછળ - રઢ લગાડીને મડયા રહેતાં, ' તે અસિધારાવ્રત પર સ્થિર ઊભા રહી શકે છે, એટલુ જ નહુિ પણ તેના પર સ્હેલાઇથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે! એવું અજબ ખાજીગરપણુ આ સ્થિર યાગિરાજ દાખવે છે ! ( જુએ પૃ. ૫૩૦, ધાર તરવારની' ઇ॰) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તેા હાથમાં ખરાખર શસ્ર પકડતાં પણ આવડતુ નથી, ને તે પડી જવાને પણ ભય રહે છે; પ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિજી શકે છે, ને હાથેા દઢપણે હાથમાં પકડયો હાવાથી તેની સ્ખલના થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ ચે।ગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તા આ ચેગવ્યાપાર ખરાખર આવતા નથી ને તેનું પતન થવાનેા ભય પણ રહે છે; પણ આ વૈગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસ્રજ્ઞ અભ્યાસી યાગીને તે અહિંસાદિ યાગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે, અને અત્યંત દૃઢતાને લીધે તેની સ્ખલના થવાનેા સભવ નથી હોતા. ( ૫ ) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે ને યતિભંગ આદિ દોષના સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધઠુસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દોષના સભવ નથી હાતા. તેમ પ્રારભફ ચેગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કનિ પડે છે, ને અતિચારરૂપ ‘ યતિભંગ ’ અભ્યાસી આદિના દૃષ્ટાંત Page #804 -------------------------------------------------------------------------- ________________ (૭૨૮) યોગદષ્ટિસમુરચય આદિ દોષને સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત સંયમી ગીને અહિંસાદિ યમપાલન સહેલું છે, ને તે “યતિભંગ' આદિ દોષ નડતો નથી.–આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દોષ સંભવ છે,
Page 502
અને સ્થિરયમમાં તે દોષને અસંભવ છે,-આ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે. તેમ જ બીજો તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ ક્ષયોપશમ વૃત્તિથી યુક્ત એવું હોય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડીઆ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ વિઘાથીને વિશિષ્ટ ક્ષપશમ વધતો જાય છે–બુદ્ધિવિકાસ થતો જાય છે, બુદ્ધિબળ વધતું ક્ષયોપશમ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતે જાય છે તેમ આ યોગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતું જાય છે, તેમ તેમ આ યોગવિદ્યાભ્યાસી આત્માથી યોગીને ક્ષયોપશમ વધતું જાય છે, જ્ઞાનવિકાસ થતો જાય છે, ચારિત્રબળ વધતું જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ પશમ બળથી એર ને એર યોગાભ્યાસ આગળ વધારતે જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તે થોડો થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસાતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ ચોગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી યોગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસાતું જાય છે, ચારિત્ર દેહનો વિકાસ થતો જાય છે, ચારિત્ર-કાયા પુષ્ટ થતી જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના યમપાલન કરતાં સ્થિરયમ યેગીનું આ યમપાલન અધિક બળવાન, અધિક સંવેગવાન, અધિક ક્ષેપશમવાનું, ને અત્યંત સ્થિરતાવાનુ હોવાથી વિશિષ્ટ જાણવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક યોગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે – “અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકળ પ્રદેશે અનંતી, ગુણપર્યાય શક્તિ મહંતી લાલ. અતિ તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ. અતિ અતિશય યેગે જે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ. અતિ નિજ તત્વ રસે જે લીની, બીજે કીણ હી નવિ કીની લાલ. અતિ”–શ્રી દેવચંદ્રજી. અને યમપાલનનું જ જે શમસારપણું છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવર્તે છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સ્થિરપણું-દઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે. Page #805 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : અચિન્ય શક્તિયોગથી પરા સાધક સિદ્ધિયમ परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्य शक्तियोगेन चतुर्थी यम एव तु ।। २१८॥ પરા સાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર અચિન્ય શક્તિ યોગથી, ચતુર્થાં યમ આ ધાર. ૨૧૮ (૭૨૯) અઃ—અને પરા સાધક એવું આ યમપાલન તે અચિન્હ શક્તિયોગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે; અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે. વિવેચન પરાતુ –પરાપકારનુ સાધક એવુ જે આ યમપાલન છે તે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે—બીજાની નહિં, કારણ કે તેની સ`નિધિમાં વૈરાગ હોય છે, એવુ' તે સિદ્ધિનું અચિન્હ સામર્થ્ય હાય છે. અને આ જે સિદ્ધિ છે તે જ ચેાથે સિદ્ધિયમ છે. ઉપરમાં જે અહિ સાદિ યમપાલન કહ્યું, તે જ ઉત્તરાત્તર શુદ્ધિને પામતું પામતુ, એવું ઉત્કૃષ્ટ કાટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાતું સાધક થઇ પડે; એના એવા અચિત્ત્વ શક્તિયેગ હાય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે–તેની સનિધિમાં—નિકટતામાં વૈરત્યાગ હાય છે, अहिंसाप्रतिष्ठार्या तत्सन्निधौ वैरख्यागः ' ( પાત. ચા. ) ઇત્યાદિ. ( જુએ પૃ. પર૦, ‘તે આત્મસ્વરૂપથી મહત્ ૪૦ ' ) " તે શુદ્ધ આમ મચિન્ય શક્તિયેાગથી પરા સાધક એવું જે યમપાલન અન્તરાત્માની જ સિદ્ધિ
Page 503
છે,-ખીજાની નહિ. અર્થાત્ અંતરાત્મા એટલેા બધા શુદ્ધ થઈ જાય છે કે તેના અચિન્હ ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય જીવા અચિન્હ પર પડે છે, જેથી ર્હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પેાતાના જાતિવૈર આદિ શક્તિયેાગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન્ તીથ"કરના સમવસરણમાં જાતિવૈરવાળા પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી ખાજુ-ખાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી સ્પર્શે છે, ગાય વાઘના બચ્ચાને પેાતાના પુત્ર માની પપાળે છે, બિલાડી હુ'સમાલને પ્રેમ પરવશ થઈ સ્પશે છે, મયૂરી વૃત્તિ:પાર્થસાપ દ્વેતવુંપરા સાધક એવું આ યમપાલન, સિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આશુદ્ધાન્તમન:-શુદ્ધ અંતરાત્માની—અન્યની નહિં. ચિત્ત્પત્તિયોનેન-અચિન્ત શક્તિયોગથી, તેની સ ંનિધિમાં વૈરત્યાગ થકી, આથી આ—ચતુર્થાં યમ વ તુ–ચતુથ' યમ જ છે, સિદ્ધિયમ છે એવા ભાવ છે. ર Page #806 -------------------------------------------------------------------------- ________________ (૭૩૦) યોગદષ્ટિસમુરચય સાપને સ્પર્શે છે,–આમ એક સમભાવરૂઢ, કષાય કલુષતા રહિત એવા ક્ષીણમેહ યેગીના આશ્રયે બીજા પ્રાણીઓ પણ મદ રહિત થઈ પિતાના આજન્મ વૈર છોડી દીએ છે.” " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम् , मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्या जन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, શ્રિત્યા લાગૈાઢું ઘામિતસુષ યોનિં ક્ષણમોમ ”—શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ. આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં–અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ગીશ્વરની સંનિધિમાં આમ જાતિવૈરને પણ ત્યાગ હોય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથા પ્રકારને તે તેને મહાપ્રભાવ વર્તે છે, ઈત્યાદિ પાતંજલ આદિ ગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યું છે, તે સર્વ અત્ર તીર્થકર જેવા પરમયોગીના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થયું પ્રતીત થાય છે, તે પરમ યોગેશ્વરના અચિત્ય મહાપ્રભાવના એક દેશમાં સમાઈ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે, –નહિં કે અન્ય વાહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ. તેવી ચમત્કારાદિ બતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પરને પાડનારી છે, યોગીને અધઃપતિતભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે – સમ્યગદષ્ટિ પુરુષ કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે તેને તે સ્કુરણ વિષે પ્રાયે ઇચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે, અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યકૃત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થત જાય છે, અને ત્યાં પણ જે પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ છે છે અગિયારમે ગુણઠાણે સિદ્ધિોગને લેભ સંભવતે જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેવી સંભવે છે. બાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, અને જ્યાંસુધી સમ્યગ્ર પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ (૪૨૦) આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. તેમાં ઈચ્છાયમ તે અહિંસાદિ યોગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માગે સંચરવા રૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માગે નિરતિચાર નિર્વિબ ગમનરૂપ-અત્યંત સ્થિરતા Page #807 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ (૭૩૧) રૂપ છે, અને સિદ્ધિયમ તે માર્ગના અંતિમ ધ્યેયને પામી પપકાર કરવારૂપ છે. ઈચ્છાયમથી માંડીને જેમ જેમ યોગી આગળ વધતું જાય છે, તેમ તેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે, સંવેગરૂપ વેગ અતિ વેગ પકડતે જાય છે, ક્ષપશમ બળ વૃદ્ધિ પામતું જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે. આ શુદ્ધ અંતરાત્માની
Page 504
સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કેટિનું યમપાલન શમાઈ જાય છે; કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભાવથી સ્વરૂપની હિંસા કરતો નથી; પૂર્ણ સત્યમય બની જાય છે–પરભાવને શુદ્ધ અંતરા- પિતાને કહેવારૂપ અસત્ય વદત નથી; પૂર્ણ અસ્તેયમય બની જાય ત્માની સિદ્ધિ છે–પરભાવને લેશ પણ અપહરતે નથી; પૂર્ણ બ્રહ્મચર્યમય બની જાય છે,-શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરત નથી; પૂર્ણ અપરિગ્રહમય બને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમત્વબુદ્ધિ ધરતા નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પરપરિણતિને પરિત્યાગ કરી, તે આત્મારામી યોગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું નામ જ પરમ બ્રહ્મચર્ય, તેનું નામ જ પરમ અપરિગ્રહ, અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જંગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જન સેવે છે. (જુએ કાવ્ય, પૃ. ૬૦૨). યમ પ્રકારોનો સાર અહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ-શીલ-વ્રત સર્વ તંત્ર સાધારણપણાથી સંત જનેને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે? ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમને વિષે અવિપરિણામિની ઈચ્છા, તે પહેલે ઈચ્છાયમ છે. (૨) સર્વત્ર શમસાર એવું જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ બીજો પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિન્તાથી રહિત એવું જે યમપાલન તે જ અહીં રવૈર્ય છે, અને તે જ ત્રીજો સ્થિરયમ છે. (૪) અચિંત્ય શક્તિયોગથી પરાર્થનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ છે, નહિં કે અન્યની, અને આ જ ચે સિદ્ધિયમ છે. અચિન્ય શક્તિયોગથી તેની સંનિધિમાં વિરત્યાગ હોય છે.-આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક યોગીને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થશીલ રહે છે. ; અવંચક સ્વરૂપ કહે છે - Page #808 -------------------------------------------------------------------------- ________________ (૭૩૨) યોગદરિસમુચય सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः। तथादर्शनतो योग आद्यावश्चक उच्यते ॥ २१९ ।। દર્શનથી પણ પાવનાકલ્યાણ સંત શું ; તથા દર્શનથી યોગ તે, આઘ અવંચક એહ, ૨૧૯ અર્થ-દર્શનથી પણ પાવન એવા કલ્યાણસંપન્ન પુરુષો સાથે તથા પ્રકારે દર્શનથકી જે યોગ થ, તે આદ્ય અવંચક-ચગાવંચક કહેવાય છે. વિવેચન કલ્યાણસંપન્ન-વિશિષ્ટ પુણ્યવંત, તથા દર્શનથી પણ પાવન, એવા સંતે સાથે વિપર્યય અભાવે તે પ્રકારે ગુણવત્તાથી તથાદર્શનથકી, જે યોગ-સંબંધ થવો તે આવઅવંચક-ચગાવચક છે. સંતે સાથે તથાદર્શનથકી જે ગ–સંબંધ થવો અર્થાત્ સતપુરુષને તથારૂપે ઓળખાણપૂર્વક યોગ થ તે ગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શનથકી, સ્વરૂપની ઓળખાણથકી, સપુરુષ સાથે તથાદર્શનઃ સ્વ- જે એગ થે, આત્મસંબંધ , બ્રહ્મસંબંધ કે, તેનું નામ રૂપ ઓળખાણ ગાવંચક છે. સતપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી, ઉપલક ઓળખાણ માત્રથી આ યંગ થતું નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન–ઓળખાણ થવાથકી જ આ ચેગ સાંપડે છે. એટલે પુરુષના જગમાં તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ-પિછાન એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તે જ પુરુષને ખરેખર યોગ થાય છે. અને આ યોગ થાય તે જ અવંચક ગ છે. આ સત્પષ કેવા હોય છે? તે કે-કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવંતા હોય છે. પરમ ગચિંતામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે,
Page 505
એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રને જ કોઈ એ અદ્દભુત મૂક પ્રભાવ પડે છે કે–બીજા જીવોને જૂત્તિસદ્ધિઃ વલ્યાણરંપઃ-કલ્યાણ સંપન્ન એવા સંત-સપુરુષ સાથે, વિશિષ્ટ પુણ્યવંત એવા સંત સાથે, ના િવનૈઃ-દર્શનથી ૫ણ પાવન, અવલોકનથી ૫ણું પાવન એવા સાથે, તથા તથા પ્રકારે, તે પ્રકારે ગુણવત્તાથી-ગુણયુક્તપણથી-વિપર્યય અભાવે કરીને, તન-ધનતે તથાદર્શન, તેથી કરીને-તેના વડે કરીને જે–ચોન:-ગ, સંબંધ, તેઓની સાથે થાય છે, બાવાદ ઉચ્ચરે-આઇ અવંચક કહેવાય છે, આ અવંચક એમ અર્થ છે. Page #809 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : પુરુષ સ્વરૂપના તથાદશનથી વેગાચક (૭૩૩) દેખતાં વેત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન, દર્શનથી પણ પાવન, નિર્દોષ નિર્વિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર એાળખાઈ જાય છે, કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજાર વાગાડંબરી વક્તાઓના લાખે વ્યાખ્યાને કરતાં અનંતગણે સચોટ બંધ આપે છે. (જુઓ પૃ. ૨૫૩, “હે સહુરુષના વચનામૃત” ઈત્યાદિ.) સ્વદેહમાં પણ નિમમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે “કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જેગ જાતિ, કહરસી કરામતિ, હરસી હીંસ પુદ્ગલ છબી છારસી. જાલો જગવિલાસ, ભાલ ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુજસ જાને, વીઠસો વખત માન, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” -કવિવર બનારસીદાસજી. આવા પરમ નિર્દોષ, પરમ નિવિકાર, પરમ વીતરાગ જ્ઞાની પુરુષને-સાધુજનને તેના યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે “તથાદર્શન' છે. આ તથાદશનથી સત્પરુષને વેગ થાય છે, અને તે યુગનું નામ યોગાવંચક છે.-આમ આ ગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છેઃ (૧) જેને યોગ થવાને છે, તે સત્પરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઈએ. (૨) તેના દર્શન-સમાગમ થવા જોઈએ. (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઈએ. આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તે ગાવંચક થતું નથી. કારણ કે (૧) પ્રથમ તે જેની સાથે યોગ થવાના છે તે પોતે સત, સાચા સપુરુષ, પ્રત્યક્ષ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્દગુરુ હેવા જઈએ; શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હેવા જોઈએ; સપુરુષ સ્વરૂપ શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ પવિત્ર પુરુષ હોવા જોઈએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી’ હોવા જોઈએ; બાધાવ્યંતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઈએ, પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ” હોવા જોઈએ; સહજ આત્મસ્વરૂપપદને જેને સાક્ષાત્ ગ થયો છે એવા યથાર્થ ભાવગી હવા જોઈએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઈએ; ટૂંકામાં તેમના “સત” નામ પ્રમાણે “સત્’–સાચા હોવા જોઈએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત” હોવા જોઈએ. પણ આવા “સત” સ્વરૂપયુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્ અસંત અસાધુ કે કુસાધુને સત્ માની લીધા હોય, તે આ પેગ બનતું નથી, યોગ અગરૂપ Page #810 -------------------------------------------------------------------------- ________________ (૭૩૪) ગદષ્ટિસમુચ્ચય થાય છે, માટે જેની સાથે યોગ થવાને છે, તે સત્-સપુરુષ સાચા ભાવસાધુ-ભાવયેગી હોવા જોઈએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓને, બાહા વેષધારી સાધુ-સંન્યાસીબાવાઓને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓનો કાંઈ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, ખોટા રૂપીઆ જેવા દ્રવ્યલિંગીઓથી “કાંઈ શુકરવાર વળતો નથી.” આત્માનું કાંઈ કલ્યાણ થતું નથી. (જુઓ પૃ. ૧૨૮-૧૨૯). (૨) બીજુ,-આવા પુરુષ સદ્ગુરુ વિદ્યમાન હોય, પણ તેને દર્શન જોગ જે ન થાય, સમાગમ-પરિચય ન થાય તે શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેને
Page 506
લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તે શું કામનું? કામદુધા કામધેનુ મળી હોય પણ તેની આરાધના ન થાય તે શું કામનું? સાક્ષાત્ પરમામૃતને મેઘ વરસતે હોય, પણ તેને ઝીલવામાં ન આવે, તે શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે (જુઓ પૃ. ૧૬૨, “પરિચય પાતક ઘાતક સાધુ શું” ઈ. ) (૩) ત્રીજું–બાહ્યથી સંતના દર્શન-સમાગમ થાય, પણ અંતથી સંતનું તથા પ્રકારે સંતસ્વરૂપે દર્શન ન થાય, સતસ્વરૂપે ઓળખાણ સ્વરૂપનું ન થાય, તે તેને બાહ્ય સમાગમગ પણ અગરૂપ થાય છે, નિષ્ફળ તથા દર્શન થાય છે. અથવા સપુરુષ મળ્યા હોય, પણ તેનું અંતર દર્શન ઓળખાણ થઈ શકે એવી પિતાનામાં યોગ્યતા ન હોય, તે પેગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજે મુદ્દો સૌથી વધારે મહત્ત્વનું છે, કારણ કે પુરુષ હોય, તેને બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે આત્મદર્શન” ન થયું હોય તે શું કામનું? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષનો યોગ અગ થાય છે અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે પુરુષનું તથાદર્શન ન થયું, તેથી તે યુગ અફળ ગયે, માટે પુરુષના યોગની ખરેખરી રહસ્ય ચાવી (Master-key ) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક યોગ થાય છે. આ “અવંચક એટલે શું? વંચક નહિ તે અવેચકવચે નહિ, છેતરે નહિ, ઠગે નહિં તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, એ અમેઘ, અચૂક, અવિ. સંવાદી, રામબાણ તે અવંચક. યોગ એ કે ક્રી વંચે નહિં, ખાલી ચોગ, અવંચક જાય નહિં, તે યોગાવંચક. આ ગાવંચક બાણના લક્ષ્ય તાકવા એટલે? બરાબર છે. (જુએ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬ ) બાણુની લક્ષ્યક્રિયામાં પ્રથમ પગથિયું લક્ષ્ય-નિશાનને બરાબર તાકવું (Aiming) તે છે. તે લય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિધવાની ક્રિયા બને છે. તેમ આ Page #811 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ગાવંચકથી જીવનપદે (૭૩૫) સમસ્ત ગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થ-ડાણ થવું, તેનું નામ જ યેગાવંચક છે. અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તે સ્વરૂપ જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલ ગ તે યોગાવંચક છે. (જુઓ પૃ ૬૯૩) તે પછી અત્રે પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ? કારંણ એટલું જ કે–સપુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષાત્-પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સસ્વરૂપને વેગ પામેલ પ્રગટ “ગી” છે, સાક્ષાત્ સાક્ષાત્ સત્ સહજાન્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યેગી પુરુષના સ્વરૂપ જવલંત આદર્શદર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી સપુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેને આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખે ઉપદેશે જે બંધ નથી કરી શક્તા, તે આવા એક પુરુષને જીવતે જાગતે દાખલ કરી શકે છે. આમ યેગી પુરુષના તથાદશનથી જીવનું લક્ષ્ય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપને સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર પુરુષના યેગને યોગાવંચક કહ્યો છે. - આ પુરુષના યેગથી પ્રાપ્ત થતે દેગવંચક ગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થ થતું હતું, તે હવે
Page 507
સ્વ રૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થ જ થાય છે. પ્રથમ જે જીવની ચગાવંચથી સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઈને પ્રવર્તતી હતી, તે હવે આત્મ જીવનપલટે સાધક થઈને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા, તે હવે સત્ય સાધનરૂપ થઈ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષકારક ચક આત્મવિમુખપણે ઉલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. (જુઓ આકતિ ૨૦). પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધપણે અવળી ચાલતી હતી, સવા ર-નિજ રારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત વેગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂંકા ચાલતા હોઈ, વંકગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાંધી સરલ ચાલી, “અવંકગામી’ થઈ, અવંચક થઈને પ્રવર્તે છે. આવો ચમત્કારિક પલટો ફેરફાર આ જીવમાં થઈ જાય છે. સકલ જોગજીવનરૂપ આ ગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂં જોગીજીવન' શરૂ થાય છે. અને એટલા માટે જ એને “આ”—સૌથી પ્રથમ એ અવંચક કહ્યો છે, પ્રથમ એ અવંચક હોય તે જ પછી બીજું બધુંય અવંચક હોય છે, નહિં તે વંચક જ હોય છે, કારણ કે તે પહેલાંના તેના સવ યોગસાધન વંચક જ Page #812 -------------------------------------------------------------------------- ________________ (૭૩૬) ચગદષ્ટિસસુમાય હતા, સત્ સાધ્યથી વચિત કરી–ચૂકાવી છેતરનાર, ઠંગ જેમ ઠગનાર હતા. ( જુએ પૃ. ૧૬૨, ૧૬૩, · યમ નિયમ સયમ આપ ક્રિયા ' ઇત્યાદિ જોગી દ્રગ ના.) આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના ચૈાગ વિના જીવના સવ” યેાગ-સાધન વ'ચક નીવડથા છે, પણ શ્રી સદ્ગુરુને ચેગ થતાં તે સ યાગ અવ'ચક થઇ પડે છે. આવા પરમ અદ્ભુત મહિમા આ ચેાગાંચક યોગના છે. આ સત્પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ ચેાગાવ'ચક નામની ચેાગસંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યેાગચક્ર ચાલુ થઈ જાય છે. જેમ હાથેા ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ ચગાવચકરૂપ હાથેા ફેરવતાં આખું યેાગચક્ર ચાલવા માંડે છે, માટે સત્પુરુષ સદ્ગુરુના સ્વરૂપની એળખાણુ થવી એ મેાટામાં માટી વાત છે. તે થયે જીવની યેાગ–ગાડી સરૅડે ચડી-પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સત્પુરુષ સદ્ગુરુને તથાદ"નરૂપ ચેગ થયે જ આત્માનું નિજ કાય સિદ્ધ થાય છે, અને પ્રેમધન એવા અમૃતરસ પ્રાપ્ત થાય છે. સત્ તે બ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું.) છે, કલ્પનાથી પર ( આઘે ) છે; માટે જેની પ્રાપ્તિ કરવાની દૃઢ મતિ થઇ છે, તેણે પાતે કઇ જ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા, અને પછી ‘સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂર માની પ્રાપ્તિ થાય. ( જુએ પૃ. ૩૨૧) 66 “ જ્ઞાની પુરુષને। તેવા તેવા સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયા છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેના આશ્રય ગ્રહણ કરવા એ જ કન્ય છે, એમ જીવને આવ્યુ નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તા દૃઢ કરીને લાગે છે. ××× જ્ઞાની પુરુષની એળખાણ નહિ થવામાં ઘણુ કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીયે:—(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) ખીજું, પરિગ્રહાને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ( ૩ ) ત્રીજું, લેાકભયને લીધે, અપકીતિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે નિયાન્વિત થવુ જોઈએ તેવુ ન થવું. ” —શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૮૧, ૩૪૨ (૨૧૧, ૪૧૬) 5 સદ્ગુરુ યોગે અવચક तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२०
Page 508
॥ તેને જ પ્રણામાહિત, ક્રિયાનિયમ જે સાર; ક્રિયા અવચક યાગ તે, પાપક્ષાય કાર, ૨૨૦ વૃત્તિ:——તેષામેવ–તેઓને જ, સ ંતાને જ, ત્રળામાિિક્રયાનિયમ ચઢ—પ્રણામાદિ ક્રિયાનિયમ એ જ ખસ, ત્રિયાયોગઃ ચાત્—ક્રિષાવચક યાગ હેય, અને આ—મહાપાપોદ્ય:-મહા પાપક્ષષના ઉદયરૂપ છે, નીચ ગાત્ર કમના ક્ષમ કરનારા છે, એમ ભાવ છે. Page #813 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : સદગુરુ યોગે, અવંચક યોગ, અવ'ચક ક્રિયા (૭૩૭) અર્થ –તે જ તેના પ્રામાદિ ક્રિયાને નિયમ એ જ ક્રિયાવંચક વેગ છે – કે જે મહાપાપક્ષયના ઉદયરૂપ છે. વિવેચન તે સંતે પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ જ બસ ક્રિયાવંચક યોગ છે; અને આ મહાપાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કમને ક્ષય કરનાર છે. આવા જે ઉપરમાં હમણું જ કહ્યા તે શાંત, દાંત ને ક્ષાંત સાચા સપુરુષો-ભાવસાધુઓ પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાને નિયમ તે ક્રિયાવંચક છે. આત્માના સત્ સ્વરૂપને યોગ થયો છે એવા જે સાચા ભાવગી પુરુષનું સપુરુષસ્વરૂપે સત્પુરુષની દર્શન થયું, તે પુરુષ પ્રત્યે જ પ્રમાદિ ક્રિયા કરવી તે કિયાવંચક છે. ભક્તિ અત્રે આદિ શબ્દથી સ્તવન, કીર્તન, વૈયાવચ્ચ, સેવા વગેરે ગ્રહણ કરવા. જેને પુરુષના સ્વરૂપનું-ગુણવંતપણાનું અદ્ભુત દર્શન થાય છે, તેના સ્વરૂપને લક્ષ્ય થાય છે, તેને આત્મા પછી સહજ સ્વભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે, તેને મને. તે સતપુરુષના ગુણચિંતનમાં રમે છે, તેના વચન યેગને તે સપુરુષનું ગુણસ્તવન ગમે છે, તેને કાયમ તે પુરુષના ચરણે નમે છે, તેના સમસ્ત આત્મપ્રદેશ તે સપુરુષ પ્રત્યે પરિણમન-“પરિગ્નમન કરે છે. આમ તે સપુરુષ પ્રત્યેની ભક્તિ ક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલ્લીન બને છે. (જુઓ પૃ. ૩, “પ્રભુપણે પ્રભુ ઓળખી” ઈ.) એટલે આ ભક્તિવંત જીવ નિરંતર સપુરુષના વિનય, બહુમાન, આદર આદિ કરે છે; તનથી, મનથી, ધનથી, સર્વથી તેમની આજ્ઞા માથે ચઢાવે છે, અને સર્વાત્માથી તેમની વૈયાવચ્ચ-સેવા વગેરે કરે છે; કર જોડી તેમની સેવામાં ખડે પગે ઉભું રહે છે, તેમની સેવામાં તન-મન-ધન સર્વ અર્પણ કરે છે. જોકે પુરુષ તે પરિપૂર્ણ નિ:સ્પૃહ છે અને દેહાદિમાં પણ સર્વથા મૂચ્છરહિત હેઈ પરમાણુમાત્રની પણ અપેક્ષા રાખતા નથી, તે પણ સપુરુષને પોતાના પરમ ઉપકારી જાણી આત્માર્થી મુમુક્ષુ જીવ તેમના ચરણકમળમાં આત્માર્પણ કરે છે– આત્મનિવેદન કરે છે, નિજ આત્માનું નૈવેદ્ય ધરે છે, અને ભાવે છે કે “શું પ્રભુ ચરણ કને ધરું ?” (જુઓ પૃ. ૧૩૨, “આહ અહો શ્રી સદ્ગુરુ' ઈ.) - ઈત્યાદિ પ્રકારે જે પરમ નિઃપૃહી આત્મારામી સપુરુષ પ્રત્યે પ્રણામાદિ ભક્તિ ક્રિયા કરવામાં આવે છે, તે જ ક્રિયાવંચક યુગ છે, તે જ કિયા અવંચક છે. ક્રિયા એવી કે જે કદી વચે નહિં, ચૂકે નહિં, ફોગટ જાય નહિ, તે ક્રિયાવંચક લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને ફેંકવામાં આવેલા બાણની ગમન કિયા લક્ષ્ય ભણી જ હોય, અચૂકઅવંચક જ હેય, આડીઅવળી ન હય, વંચક-સૂકનારી ન હોય. તેમ સપુરુષના સ્વરૂપ-લક્ષ્યને બરાબર લક્ષમાં રાખીને કરવામાં આવેલી આ વંદનાદિ ક્રિયા પણ સાધ્ય Page #814 -------------------------------------------------------------------------- ________________ (૭૩૮) યોગદષ્ટિસમુચ્ચય સ્વરૂપ લક્ષ્ય ભણી જ હોય, અવંચક–અચૂક જ હોય, આડીઅવળી ન હોય, વંચક-ચૂકનારી ન હોય. આમ આ ક્રિયાવંચક પ્રસ્તુત બાણના દષ્ટાંતમાં બાણની અવંચક ગમનક્રિયા બરાબર છે; કારણ કે જે નિશાન પ્રત્યે બાણને વેગ-અનુસંધાન બરાબર તાકેલ–અવં. ચક હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ બરાબર અચૂક–અવંચક જ હોય. અને જે નિશાન પ્રત્યે બાણને વેગ–અનુસંધાન બરાબર તાકેલ ન હોય, વંચક-ચૂકી જનાર હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી–વંચક હેય. તેમ યંગ જે અવંચક હોય, તે ક્રિયા પણ અવંચક હોય; અને યોગ જે વંચક હોય તે ક્રિયા પણ વંચક હોય, આ નિયમ છે. એટલે પુરુષના
Page 509
સ્વરૂપદર્શનરૂપ-ઓળખાણુરૂપ યોગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હોય છે. તે ઓળખાણ પહેલાંની જે ક્રિયા છે, તે વંચક હોય છે–સફળથી સૂકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સત્પુરુષના અનંત ક્રિયા કરવામાં કંઈ મણા રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવયોગ વિનાની વામાં કાંઈ બાકી રાખી નથી. (જુઓ પૃ. ૧૬૨) અરે ! દ્રવ્ય શ્રમણવંચક કિયા પણાની અનંત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ પ્રિયકમાં પણ અનંત વાર ઉપજ્ય હતું. પણ તથારૂપ ભાવ વિના પરમાર્થથી તે બાપડાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે ! કારણ કે જીવન આ બધે પ્રયાસ ઉલટી દિશામાં–ઉંધી દિશામાં હતો. ઉંધી દિશામાં લાખો ગાઉ કાપી નાંખે શું વળે? સાચી દિશામાં એક ડગલું પણ વધે તે લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તે આ જીવે કર્યું હોતું ને તેથી તે રખડ્યો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને પુરુષનો યોગ થયે નહિં તે છે. પુરુષને ભેટે તે તેને અનેક વાર થયું હશે, પણ તેણે સપુરુષને તસ્વરૂપે ઓળખ્યા નહિ, એટલે કલ્યાણ થયું નહિં. પુરુષનું સ્વરૂપ ઓળખી તેને જે એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યો હોત, તે તેને બેડો કયારને પાર થઈ ગયો હોત! કારણ કે “જિનવરવૃષભ વધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર કે નારીને તારે છે–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જે તેણે આગમરીતે વંદના કરી હોત તો સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત. (જુઓ પૃ. ૩, “ફુવે નમુad” ઈ.) આમ તેણે પુરુષને એશે અનંતવાર વંદનાદિ કર્યું હશે-પણ ઓળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વચક થઈ પડી, સફળથી ચૂકવનારી–વંચનારી થઈ પડી ! હા, તેથી શુભબંધ થયે-પુણ્યોપાર્જન થયું, પણ સંસાર પરિસ્વરૂપલક્ષ્ય બ્રમણ અટક્યું નહિ; ચતુગતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મોક્ષરૂપ વિનાની એકાંત ફળ મળ્યું નહિં! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા યિા વંચક કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતું કે હું ધર્મ કરું છું, વેગ સાધું છું, મેક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી બ્રાંત માન્યતાથી તે Page #815 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર ઃ સત્ પુરુષના યાગ વિનાની 'ચક ક્રિયા (૭૩૯) આત્મવચના કરતા હતા, પાતે પાતાને વંચતા હતા, ઠગતા હતા; તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠંગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પાતે પેાતાને ‘ધર્મિષ્ઠ' માની, વાંચક ક્રિયાનું અભિમાન રાખી, પેાતાના આત્માને છેતરતા હતા, અને સત્ળથી વંચિત રહેતા હતા. તાત્ક કે—સત્પુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત ક્રિયા અવ'ચક જ હોય છે, અને તે જ ક્રિયાઅચક યાગ છે. આ ક્રિયાવ’ચક યાગ મહાપાપક્ષયના ઉયરૂપ છે, અર્થાત્ એથી કરીને મહાપાપક્ષના ઉદય થાય છે, મહાપાપના અત્યંત ક્ષય થાય છે. સત્પુરુષની ભક્તિથી નીચ ગેત્ર કર્મના ક્ષય થાય છે; કારણ કે ઉચ્ચને-ઉત્તમને સેવે ઉચ્ચ–ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા સત્પુરુષના સેવનથી નીચ ગેાત્રનું નામનિશાન પણ હાતુ' નથી. ઉત્તમના સંગથી ઉત્તમતા વધે છે. (જુએ પૃ. ૧૧૨, ‘ઉત્તમ ગુણુ અનુરાગથી' ઇ.) 5 फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिर्धर्मसिद्धौ सतां मता ।। २२१ ।। સંત થકી જ નિયેગથી, ફેલ અવ'ચક યોગ, ધ સિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફ્લુ યોગ. ૨૨૧ અઃ—અને લાવચક યાગ તા સ ંતા થકી જ નિયેાગથી સાનુબંધ લપ્રાપ્તિ ધ સિદ્ધિ વિષયમાં સંતાને સંમત છે. વિવેચન અને ફ્લાવચક નામના જે છેલ્લો ચેાગાત્તમ છે, તે કેવા છે? તે કે-હમણાં જ કહ્યા તે સ ંતે થકી જ નિયાગથી, જે તથાપ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધિ વિષયમાં સાનુખ ધ ફલપ્રાપ્તિ
Page 510
તે જ લાવચક યાગ સતાને સમત છે. જે સત્પુરુષના તથાદશ નથી-સ્વરૂપએળખાણુથી ચેાગાવ'ચકની પ્રાપ્તિ થઇ, તથા યેાગાવચકની પ્રાપ્તિ થયે જે સત્પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી ક્રિયાવચની પ્રાપ્તિ થઇ, તે જ મહાનુભાવ સત્પુરુષના મહાપ્રભાવથકી જ લાવ'ચક યાગની પણ પ્રાપ્તિ હેાય છે. કારણ કે જો યાગ અવ'ચક છે, તે ક્રિયા પણ અવચક હાય છે, અને તેથી પ્રાપ્ત થતું કુલ પણ અવંચક હેાય છે,-ખાણુની પેઠે. (જુએ પૃ. ૧૫૯). આ દૃષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવચક છે. (જુએ પુ. ૧૬૧) વૃત્તિ:સ્રાવન્દ્રયોઃસ્તુ-લાવ'ચક યોગ તે, ચરમ-છેલ્લે યેગાત્તમ ઉત્તમ યેાગ, કેવા છે ? તા કે સર્ચો વ–અનંતર કહેલા સતા થકી જ, નિયોનત:-નિયાગથી, અવશ્યપણે સાનુવન્યાટાવાતિ:-સાનુબાઁધ લપ્રાપ્તિ,તથાપ્રકારે સદુપદેશાદિવડે કરીતે, ધર્મસિદ્ધૌ-ધમ સિદ્ધિરૂપ વિષયમાં, સતાં મતા-સંતાને મત છે, સંમત છે. Page #816 -------------------------------------------------------------------------- ________________ (૭૪૦) ગદષ્ટિસમુચ્ચય આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે પુરુષની ઓળખાણ પહેલાંના જીવને જે જે ફળ થતા હતા, તે બધા વંચક હતા-છેતરનારા હતા; કારણ કે સ્વરૂપ લક્ષ્ય વિના આ જીવે જે જે અનંત ક્રિયા કરી, તેના તેને ફળ તે તેને અનેક મળ્યા, પણ વંચક ફળ અનેક તે સંસારત્યથી હેઈ સંસાર પરિભ્રમણરૂપ હતા. (જુઓ પુ. ૧૬૧, “એક કહે સાધિયે” ઈ. ) દેવાદિ ગતિરૂપ ઈધર–ઉધર અનેકાનેક ફળ તેને મળ્યા, પણ તે છૂટાછવાયા-વિશૃંખલ હતા, એક સાધ્ય લક્ષ્ય પ્રત્યે જ દોરી જનારા કડીબંધ-શૃંખલાબદ્ધ હતા. અથવા તેથી જે ફળપ્રાપ્તિ થતી હતી, તે સ્વરૂપસિદ્ધિરૂપ એક મેક્ષફળથી વિમુખ દિશામાં હતી, એટલે તે જીવ સ્વરૂપસિદ્ધિથી દૂર ને દૂર રહેતું હતું, અને આમ તે સફળથી વંચિત રહેતું હોવાથી તેને પ્રાપ્ત બધા ફળ વંચક જ થતા હતા. પણ હવે સત્પરુષને અવંચક યોગ થયા પછી અવંચક ફળ ક્રિયા પણ અવંચક થયે, તે પરમ કૃપાળુ સત્પરુષના કૃપા-પ્રસાદથકી જ એક સાનુબંધ અવશ્ય અવંચક ફલન વેગ હોય છે. અર્થાત્ સાનુબંધ ફલની પ્રાપ્તિ હોય છે. એક સફળ બીજા સલ્ફળની સાથે જેમાં સંકળાયેલું હોય છે, જેમાં ફળને અનુબંધ ચાલુ રહે છે–ત્રુટી જતો નથી, તે સાનુબંધ ફલપ્રાપ્તિ છે. જેમાં ફલ છૂટું છવાયું–વિશ્રૃંખલ નથી હોતું, પણ અંકોડાબંધ-એકવૃંખલાબદ્ધ હોય છે, તે એક સ્વરૂપલક્ષ્યની દિશામાં દેરી જતું એક મોક્ષપ્રત્યયી ફળ તે સાનુબંધ ફળ છે. આમ એક એકથી ઉત્તરોત્તર ચઢીયાતા પુણ્યાનુબંધી પુણ્યના અનુબંધથી જીવ સ્વરૂપલક્ષ્યની દિશામાં આગળ ને આગળ પ્રગતિ કરતે જાય છે, ને સ્વરૂપની નિકટ આવતે જાય છે. આ સ્વરૂપ પ્રત્યયી એક શ્રેણીરૂપ જે અખંડ ફળપરંપરા તેનું નામ જ સાનુબંધ ફળ અથવા ફેલાવંચક છે. (જુઓ પુ. ૩૯૮, “શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ” ઈ. ) આકૃતિ ૨૧ સાનુબંધ મોક્ષપ્રત્યયી ફલ 0-0-0-0-0-0-> મોક્ષ. આ સાનુબંધ ફલપ્રાપ્તિ તથા પ્રકારના સદુપદેશાદિથી હોય છે, કારણ કે સતપુરુષના ચરણસેવનથી–તેમના “પદકજ નિકટ નિવાસ”થી, ઉપાસનથી, “ઉપનિષદ્' થી તેમના શ્રીમુખે સતવચનામૃત શ્રવણને પરમ લાભ પ્રાપ્ત થાય છે, અને સદુપદેશને તે તથારૂપ યોગ્યતાવાળા તે પાત્ર છવને પરિણમે છે. એટલે તે સહુપ્રભાવ રુષના સદુપદેશાનુસાર કરવામાં આવતી એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત ક્રિયાનું ફળ પણ અવંચક હોય છે. કારણ કે સ્વરૂપસ્થિત આત્મજ્ઞાની વીતરાગ સપુરુષને ઉપદેશ સદા મુખ્ય એવા સ્વરૂપ સાધ્યને અનુલક્ષીને જ હોય છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ યોગની સિદ્ધિ છે જે પ્રકારે થાય છે તે પ્રકાર આચરવાનો તેમને પ્રગટ સઉપદેશ હોય છે. સસ્વરૂપપ્રાપ્ત સપુરુષને ઉપદેશ સત્ જ હોય, સત સ્વરૂપ જ બધે, એટલે સતસ્વરૂપને અનુલક્ષીને થતી પ્રત્યેક ક્રિયા પણ સ્વરૂપનુસંધાનવાળી હોવાથી અવંચક ફલવતી જ હોય છે. (જુઓ પુ. ૧૬૧, “જીવને જ્ઞાની પુરુષનું Page #817 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ફલાવ ́ચક: સદ્ગુરુ યાગે અવ"ચત્રયી (દ્રવ્ય-ભાવથી ) (૭૪૧) " એળખાણુ ' ઇ.) અને આ
Page 511
જે સાનુબંધ ફલ પ્રાપ્તિ કહી, તે પણ ધર્મસિદ્ધિ વિષયમાં જ સંતાને સંમત છે,-નહિ. કે અન્ય વિષયમાં. કારણકે સત્પુરુષો કેવળ ધસિદ્ધિ' સિવાય બીજા કોઈ ફળને ઇચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માના શુદ્ધ સ્વભાવધમ પ્રગટે, આત્મા સ્વભાવ ધðમાં આવે, નિજ સ્વભાવ સાથે ચેાગરૂપ ધમ'ની સિદ્ધિ થાય, એમ જ તે નિરંતર ઇચ્છે છે-ઝ ંખે છે, અને પ્રભુ પાસે પ્રાથે છે. (જુએ પૃ. ૪૯૪, · શ્રી સીમ`ધર જિનવર' ઇ. ) ખાકી ઇંદ્ર-ચક્રવતી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજના કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઇ દુર્લભ નથી. યાગરૂપ ધરત્નની સિદ્ધિથી તેની આનુષ`ગિક પ્રાપ્તિ પણ હાય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હાય જ તેના જેવી છે. સત્પુરુષા કાંઇ તેવા આનુષં ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભાળવાઈ જઈ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હેાય તે સાંઠા–કડખ ઇચ્છે તે મનુષ્યતા જાર જ ગ્રહણ કરે. તેમ સાંઠા જેવા આનુષ ́ગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા ખાલજીવ જ ઈચ્છે, પણ પ'ડિત સંતજન તેથી ફાસલાય નહિ; તે તા પાકા વાણીઆ ' જેવા સ્વાČપટુ હાઈ આત્મારૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ! આમ આ અવચકત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે; તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સવ પરથી એ પા કુલિત થાય છે કે સત્પુરુષના સ્વરૂપદન યેાગથી યેાગ અવંચક હાય, તે સ્વરૂપ લક્ષ્યવાળી સત્પુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનુ ફૂલ પણ અવંચક હેાય; અને સ્વરૂપદર્શનયુગ વિના જો ચેગ વાંચક હોય, તે સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનુ ફળ પણુ વાંચક હાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ચેાગ જ ખરાખર ન હાય તેા બધી માછ ખગડી જાય છે. અને આ ચેાગ પણ સદ્ગુરુ સત્પુરુષને આશ્રયીને છે, એટલે સાધુ સાચા પુરુષને–સદ્ગુરુને સ્વરૂપદશનથી થતે ચેાગ ' ખરાખર ન અને, તા ક્રિયાના ને ફળને ઘાણુ પણુ બગડી જાય છે. આમ સાંતચરણના આશ્રયયેાગ વિના સમસ્ત ચાગસાધન ક્રિયાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-ખેતરનારા પૂરવાર થયા છે. સાચા સત્પુરુષને-ભાવયેગી ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તા જ અવાંચક યાગ, અવચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિ એ‘સદ્ધિ: ' ‘સાધૂનશ્રિત્ય' એ શબ્દો પર ખાસ ભાર મૂકયેા છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસ ́ધાન-જોડાણુરૂપ યાગ અને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુખ'ધ સ ́ધાનરૂપ એક માક્ષપ્રત્યયી ફળ મળે, તે એ ત્રણે અવચક છે,-ચાગાવ'ચક ક્રિયાવ‘ચક ને લાવ ચક છે. (જુઓ પૃ. ૧૬૪, ‘અન ́ત કાળથી આથડયે ' ઈ. ) સદ્ગુરુ યાગે અવચકે યી Page #818 -------------------------------------------------------------------------- ________________ (૭૪૨) “ નિમાઁલ સાધુ ભગતિ લહી....સખી૰ યાગ અવંચક હાય....સખી કિરિયાવ'ચક તિમ સહી....સખી॰ કુલ અવ'ચક જોય....સખી” શ્રી આનઘનજી વળી આ અવચકત્રયની પ્રાપ્તિ એ પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સત્પુરુષ–ભાવસાધુનું બાહ્યથી-દ્રવ્યથી સ્કૂલ ગુણવંતપણું તથા'ન થવું તે દ્રવ્યથી ચેાગાવ'ચક છે; તેવા સત્પુરુષા પ્રત્યે દ્રવ્યથી વધનાદિ ક્રિયા તે દ્રવ્યથી ક્રિયાવંચક છે; અને તેવા સત્પુરુષા પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી પ્રાપ્ત થતુ ફળ તે દ્રવ્યથી ફલાવચક છે. સાચા સત્પુરુષને આશ્રીનેભાવયેાગીને અવલખીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવ`ચકત્રયીના કારણરૂપ થઇ પડે છે. ભાવથી-સાચા સત્પુરુષનું, ભાવસાધુનું સત્પુરુષ સ્વરૂપે અંતથી—ભાવથી સૂક્ષ્મ ગુણવ'તપણે તથાદન થવુ તે ભાવથી ચેાગાવચક છે. અને તેવા સત્પુરુષા પ્રત્યે જે ભાવ વંદનાદિ ક્રિયા તે
Page 512
ભાવથી ક્રિયાવંચક છે. અને તેવા સત્પુરુષા થકી જે ભાવ ધમ લિસિદ્ધિ થવી તે ભાવથી ફલાવ'ચક છે અથવા સદ્ગુરુના સઉપદેશજન્મ સદ્બાધ થકી જીવને સ્વરૂપ લક્ષ્યના યોગ થવા તે ભાવથી યેાગાવચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપસાધક ક્રિયા તે ભાવથી ક્રિયાવ‘ચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી-આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફેલાવ‘ચક, આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હાય, તે કોઇ પણ મુમુક્ષુ યાગી આ યાગ પ્રયાગના અધિકારી છે એમ તાત્પય છે. પણ તેમાંયે મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વના મુદ્દો એટલા જ છે કે આ અવ'ચકત્રય સત્પુરુષ આશ્રી હાવા જોઇએ, સાચા સત-ખરેખરા ભાવસાધુ ભાવયાગીને આશ્રીને જ હાવા જોઇએ. વધારે શુ? તાપ રૂપ સારાંશ કે—સત્પુરુષનું તથાદન અર્થાત્ તેના સ્વરૂપની ઓળખાણ તે ચેાગાવ'ચક છે. સત્પુરુષને સત્પુરુષ સ્વરૂપે એાળખી તેના પ્રત્યે પ્રણામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને સત્પુરુષ થકી ધર્મ સિદ્ધિ ખાખતમાં પ્રાપ્ત થતું જે સાનુખ ધ ફલ તે ફલાવચક છે. અથવા સ્વરૂપને ઓળખવુ. તે ચેાગાવ'ચક, સ્વરૂપને સાધવુડ તે ક્રિયાવ’ચક, ને સ્વરૂપને પામવું તે ફ્લાવ‘ચક દ્રવ્ય-ભાવ અવચત્રયી યોગદૃષ્ટિસમુચ્ચય E એમ એએનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતયેાજન કહે છે :— कुलादियोगिनामस्मान्मतोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादेरुपकारे ऽस्ति श्वतः || २२२ ॥ વૃત્તિ—હયોગિનામ્-ઉક્ત લક્ષણતા કુલયોગી આદિત, અસ્મા-આ થકી, આ યોગદૃષ્ટિસમુચ્ચય થકી, મત્તોઽષિ-મ્હારા કરતાં પણુ,ગ઼હીમતામ્—જડબુદ્ધિ એવા બીજાએને શું ? તેા કે ત્રત્રળાત્ શ્રવણચકી, પક્ષપાત રે:-પક્ષપાત, શુભેચ્છા આદિને લીધે, ૩૧ ઽસ્તિ છેરાત:લેશથી ઉપકાર છે,તથાપ્રકારે ખીજપુષ્ટિ વડે કરીને. Page #819 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કુલગી આદિને આ ગ્રંથથી કઈક ઉપકાર (૭૪૩) કુલગી આદિકને, મુજથીયે જડમતિધાર; શ્રવણથી પક્ષપાતાદિથી, આથી લેશ ઉપાર, ૨૨૨. અર્થ – આ ગદષ્ટિસમુચ્ચય થકી, મ્હારા કરતાં પણ જડબુદ્ધિ એવા કુલગી આદિને, શ્રવણ વડે કરીને પક્ષપાત આદિને લીધે, લેશથી ઉપકાર છે. વિવેચન ઉક્ત લક્ષણવાળા કુલગી આદિ કે જે મહારા કરતાં પણ જડબુદ્ધિ હોય તેવા બીજાઓને, આ ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથથકી, આના શ્રવણથી ઉપજતા પક્ષપાત-શુભેચ્છા આદિને લીધે બીજપુષ્ટિ આદિવડે કરીને લેશથી ઉપકાર છે. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રી આત્મસિદ્ધિ. ઉપરમાં કહ્યું તેમ,–જે ગિકુલમાં જન્મ્યા છે અને જન્મથી જ ગિધર્મને પામેલા છે, તથા બીજાઓ પણ જે પ્રકૃતિએ કરીને દ્રવ્યથી અને ભાવથી ગિધર્મને અનુગત છે–અનુસરનારા “અનુયાયી” છે, તે કુલગીઓ છે. આ મહાનુભાવ કુયોગી ને કુલગીઓ તથા પ્રકારે ગ્રહના અભાવને લીધે જગતમાં સર્વત્ર અઢષી પ્રવૃત્તચક રોગી હોય છે, ધર્મપ્રભાવને લીધે ગુરુ-દેવ-દ્વિજ તેઓને પ્રિય હોય છે, તથા કિલષ્ટ પાપના અભાવને લીધે તેઓ પ્રકૃતિથી-સ્વભાવથી દયાળુ હોય છે, પુણ્યાનુબંધી પુણ્યને લીધે વિનીત-વિનયવાન હોય છે, ગ્રંથિભેદ વડે કરીને બોધવંત-તત્વસંમજણવાળા હોય છે, અને ચારિત્રભાવે કરીને તેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. અને પ્રવૃત્તચક ગીઓ પ્રથમના બે પ્રકારના યમ-ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમનો સમ્યક પ્રકારે આશ્રય કરનારા હોય છે, અને બાકીના બે યમ-સ્થિરયમ અને સિદ્ધિયમના અત્યંત અથી–અભિલાષી હાઈ સદા તેમાં સદુપાય પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેથી કરીને શુશ્રષા આદિ આઠ ગુણથી યુક્ત એવા હોય છે. તથા આધ અવંચક ગની પ્રાપ્તિથી તેનાથી અન્ય એવા બે અવંચકને લાભ પામેલા હોય છે, અર્થાત્ યેગાવંચકની પ્રાપ્તિને લીધે ક્રિયાવંચક ને ફલાવંચક પણ પામેલા હોય છે.–આવા આ મહાત્મા કુલગીઓ અને પ્રવૃત્તચક્ર ગીઓ આ મહાન્ ચોગ પ્રયોગના અધિકારીઓ છે એમ ગવિદો વદે છે. અર્થાત્ આ યુગપ્રયોગ યોગ્ય જે “જેગિજને હોય તે આવા લક્ષણવંતા-આવા ઉત્તમ ગુણસંપન્ન અવશ્ય હોય, સાચા-મુમુક્ષુઓ, સાચા આત્માથીઓ હોય, એમ અત્ર તાત્પર્ય છે. અને આવા વિશિષ્ટ અધિકારી મેગીઓને ઉદ્દેશીને આ પરમ પરોપકારપરાયણ મહાયેગી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે- આ કુલગી-પ્રવૃત્તચક
Page 513
યેગીઓમાં Page #820 -------------------------------------------------------------------------- ________________ (૭૪૪) યોગદક્ટિસમુચ્ચય જે હારા કરતાં પણ જડબુદ્ધિવાળા હોય તેઓને આ “ગદષ્ટિ લઘુતા દર્શન સમુચ્ચય' ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર સંભવે છે. આ શબ્દ ઉપરથી મહાનુભાવ શાસ્ત્રકાર મહાત્માએ પિતાની અત્યંત લઘુતા સરળભાવે દર્શાવવા સાથે, કેને કેને આ ગ્રંથ ખાસ ઉપકારી થઈ પડશે, તેનું સૂચન કર્યું છે. કારણકે “હારાથી પણ જડબુદ્ધિવાળા” એ પદમાં “પણ” શબ્દથી પોતાના પણ જડબુદ્ધિપણાને લઘુત્વભાવે સ્વીકાર કર્યો છે. એટલે હું તે જડબુદ્ધિ-મંદમતિ છું જ, પણ મહારા કરતાં પણ જે વધારે જડબુદ્ધિવાળા-મંદમતિ આત્માઓ હોય, તેને આથી કંઈક ઉપકાર થશે એમ આશય છે. કારણકે મતિને વિકાસ આત્માના ક્ષોપશમ પ્રમાણે હોય છે, અર્થાત્ કર્માવરણના ક્ષપશમ પ્રમાણે બુદ્ધિની તરતમાતા-જૂનાધિકતા હોય છે. એટલે હું જે કે મંદ થયોપશમવાળે છું, છતાં મહારા કરતાં પણ મંદ ક્ષયપક્ષમવાળા જે છો હોય, જે આત્મબંધુઓ હોય, તેઓને આ હારી કૃતિ થકી કંઈક આત્મલાભ થ સંભવે છે. અત્રે “લેશથી”—કંઈક (a little) એ શબ્દ પણ લઘુત્વભાવને સૂચક છે. કારણકે આ ગ્રંથ મુમુક્ષુને કાંઈ જેવો તે ઉપકારી નથી, પરમ ઉપકારી છે, છતાં એમ કહ્યું છે. વળી અત્રે પિતાને પણ “જડબુદ્ધિ” કહ્યા તેનું પારમાર્થિક કારણ પણ છે. કારણકે જે જે ક્ષયોપશમભાવ છે તે તે ક્ષાયિક ભાવની અપેક્ષાએ અલ્પ વીર્ય છેમંદશક્તિવાળા છે, જડબુદ્ધિરૂપ છે. એટલે કઈ ગમે તેવા ઉત્કૃષ્ટ ક્ષયોપશમવંત હોય તે પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ તે મંદમતિ-અલ્પમતિ જ ગણાય. એટલે ગમે તેવા - પશમને પણ મદ કરવા યોગ્ય નથી, એ ન્યાયે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-હારો ક્ષયેપશમ ભલે ગમે તે હોય, પણ હું તે જડમતિ છું, તથાપિ હાર કરતાં અલ્પ ક્ષયપશમી છે જે હશે, તે આથી કંઈક લાભ ઉઠાવી શકશે. કારણ કે અધિક ક્ષપશમવંત પાસેથી અલ્પતર ક્ષયોપશમવંતને શીખવાનું જાણવાનું મળે એ રીતિ છે;-જેમ વધારે ભણેલા પાસેથી ઓછું ભણેલે શીખી-જાણી શકે તેમ. (જુઓ પૃ. ૯૪ “અપવીર્ય ક્ષેપશમ અછે” ઈ.) આમ સાચા દઢ અધ્યાત્મરંગથી હાડોહાડ રંગાયેલા આ મહાનુભાવ મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ અત્યંત અત્યંત સરળભાવે આત્મલઘુતા નિવેદન કરી, પોતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણ કે-લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” અહીં જે કંઈક ઉપકાર છે એમ કહ્યું, તે ઉપકાર કર્યો? અને કેવી રીતે થશે? તેને પણ અત્ર ખુલાસો બતાવ્યું છે. તે આ પ્રકારે-આ સશાસ્ત્રના શ્રવણ થકી તે મહાનુભાવ સુપાત્ર અધિકારી મેગીઓને અત્રે પક્ષપાત–શુભેચ્છા આદિ ઉપકાર કેવી ઉપજશે, અને તેથી કરીને તેઓને યથાસંભવ બીજ પુષ્ટિ વડે કરીને રીતે ? કંઈક ઉપકાર થશે. તે મહાત્મા ગીજને આ સતશાસ્ત્ર સાંભળશે, એટલે તે ગુણગ્રાહી મહાજનેને એના પ્રત્યે કુદરતી પ્રમેદભાવ ઉપજવાથી પક્ષપાત થશે, શુભેચ્છા ઉપજશે, ભક્તિભાવ ફુરશે, યથાર્થ એગમાર્ગનું જ્ઞાન થશે, અને તે ગમાર્ગે પ્રવર્તાવાની અભિલાષા વૃદ્ધિ પામશે. એટલે તેઓને પ્રાપ્ત Page #821 -------------------------------------------------------------------------- ________________ ઉપસ”હાર: ગ્રંથકર્તાનુ' લઘુતાદર્શીન, ઉપકાર કેવી રીતે ? (૭૪૫) 6 " થયેલા ચેાગખીજની પુષ્ટિ થશે, તેમાં સદ્વેગ સાધનરૂપ અકુરા ફૂટશે અને યાગસિદ્ધિરૂપ વૃક્ષ ફાલીફૂલીને મેાક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ જોગીજનાને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઇક ઉપકાર લેશથી થવા સભવે છે. વળી લેશથી ’–કંઇક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનુ ગૌણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકર્તાને અભિપ્રાય એ છે કે-બીજાઓને તે આથી લેશથી–કઇક જ ઉપકાર થવા સભવે છે, પણુ આ ગ્રં ́થગ્રંથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ આત્માનુસ્મૃતિને અર્થ' રચ્યા છે એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયેાજન તેા મ્હારા પેાતાના આત્માનેા ઉપકાર છે-મ્હારા પેાતાના આત્માની સિદ્ધિ છે. ખાકી ગૌણપણે
Page 514
બીજા જોગી જીવાને આ ગ્રંથરચનાથી કંઇ આનુષંગિક લાભ થતા હાય તા ભલે થાઓ ! તે લેવાને તેએ પરમ ચૈાગ્ય છે ! તેએ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊડાવા! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે! પરમ ચેાગામૃતનું આકડપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તે પણ ભલે આ પરમ યાગામૃતનું પાન કરી તૃપ્ત થાએ ! અને પરમ આત્માન’દરસના અનુભવ કરી ! & પક્ષપાત માત્ર થકી શે। ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે— तात्त्विकः पक्षपातच भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્ત્વિક અને, ક્રિયા ભાવહીન તેમ; એનું અંતર જાણવું, સૂરજ ખજુમા જેમ. ૨૨૩ અર્થ :—તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,−એ એનુ અંતર સૂર્ય –ખદ્યોતની પેઠે જાણવું. વિવેચન શુદ્ધ ભાવ ને સૂની કરિયા, ખેડુમાં અંતર કેતેાજી; ઝળહળતા સૂરજ ને ખજુએ, તાસ તેજમાં તેતાજી. ’”—શ્રી ચા. સ. ૮-૬. ઉપરમાં અત્રે પક્ષપાત માત્રથી પણ કેમ બની શકે ? એવી આશંકા અહીં દૂર બીજાઓને ઉપકાર થવાની સભાવના કહી, તે કરી છે. તાત્ત્વિક એટલે કે જે પારમાર્થિક વૃત્તિ:-તાત્ત્વિ: પક્ષપાત:-તાવિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માવાન્યા ૧ ચા યિા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, અનયોન્તર જ્ઞેયં-આ બેનું અંતર જાણવું. કાની જેમ ? તે કે-માનુલઘોતયોયિસૂર્ય' અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અથ' છે. ૯૪ Page #822 -------------------------------------------------------------------------- ________________ (૭૪૬) યોગદષ્ટિસમુચ્ચય પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે,–આ બેની વચ્ચેનું અંતર એટલું બધું મોટું છે કે તેને સૂર્ય–ખદ્યોતના અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતો સૂરજ અને તગતગતે ખજૂઓ-આગીઓ એ બંને પ્રકાશ વચ્ચે જેટલું મોટું અંતર છે, તેટલું અંતર તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે છે. તાવિક પક્ષપાત સૂર્યપ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય યિા ખદ્યોત પ્રકાશ સમી છે. એટલે તાત્વિક પક્ષપાતની વાત મોટી છે. કેઈએમ શંકા કરે કે આ પેગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય? ઉપકાર તે ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય? તેનું નિવારણ અત્રે ઉક્ત દષ્ટાંતથી કર્યું છે. આ ગશાસ્ત્ર વિષય પ્રત્યે તાવિક પક્ષ- તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખરો ભાવ પક્ષપાત ઉપજ પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી, કારણ કે તથારૂપ પક્ષપાત અંતરંગ રુચિ–પ્રેમ વિના ઉપજતું નથી, અંતરંગ ભાવ વિના ઉપજતું નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે, એની સાથે આપણે જે ભાવ વગરની કરવામાં આવતી અનત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તે તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અલપ કિંમત છે. કેઈ એક મનુષ્ય સાચા ભાવથી આ યુગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતું હોય, અને કાંઈ યેગસાધક કિયા ન પણ કરતા હોય અને બીજે કિયા જડ મનુષ્ય અંતભેદ વિનાની–ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતો હોય,–તે આ બંનેની વચ્ચેનું અંતર સૂરજ ને આગીઆના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પણ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર ક્રિયાજડ કરતાં અનંતગણે મહાન છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમો છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખદ્યોત સમે છે. એટલે આ બેની તુલના કેમ થઈ શકે ? કયાં મેરુ, કયાં સરસવ? કયાં સિંધુ, કયાં બિંદુ? કયાં સૂર્ય, કયાં ખદ્યોત? “બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ અહિ.” શ્રી આત્મસિદ્ધિ “મારિયા: ઇતિજર્જરિ ન માવાચા ”—શ્રી કલ્યાણુમંદિર સ્તોત્ર. અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્વિક પક્ષપાતની વાત છે. તાત્વિક એટલે પારમાર્થિક–પરમાર્થ સત્ સત્ય તત્વ સમજીને–પરમાર્થ સમજીને
Page 515
તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતે પક્ષપાત તે તાવિક પક્ષપાત છે. આ તાત્વિક પક્ષપાતમાં અને અતાત્વિક પક્ષપાતમાં ઘણે ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે, કારણ કે મતાગ્રહથી ઉપજતે પક્ષપાત-મતના મમત્વથી ઉપજતે પક્ષપાત તે અતાવિક છે. તેમાં મારું તે સાચું” Page #823 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર : તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનું અતરં (૭૪૭) એવી ભાવનાની મુખ્યતા હાય છે. અને સત્સ્વરૂપના યથાર્થ ગ્રહણથી—યથાથ સમજણુથી ઉપજતા પક્ષપાત તે તાત્ત્વિક છે, તેમાં સાચું તે મારુ'' એવી ભાવનાની મુખ્યતા હાય છે. અતાત્ત્વિક પક્ષપાતમાં મતનુ પ્રાધાન્ય છે, ત્યારે તાત્ત્વિક પક્ષપાતમાં ‘ સત્ ’તું પ્રાધાન્ય છે. અતાત્ત્વિક પક્ષપાત મતાભિનિવેશરૂપ છે, તાત્ત્વિક પક્ષપાત તત્ત્વપ્રવેશરૂપ છે. આવા મહત્વના ફેર એ બે વચ્ચે છે. એટલે અતાત્ત્વિક પક્ષપાત જેમ અપ્રશસ્ત છે, અનિષ્ટ છે, તેમ તાત્ત્વિક પક્ષપાત પ્રશસ્ત છે, ઈષ્ટ છે. આ તાત્ત્વિક પક્ષપાત જ અત્ર પ્રસ્તુત છે, અને તે ગુણાનુરાગજન્ય પ્રેમને લીધે સત્ વસ્તુ પ્રત્યેની અંતરંગ રુચિથી–પ્રતીતિથી— ભાવથી ઉપજતા હાઈ પરમ પ્રશસ્ત છે. આ શુદ્ધ ભાવરૂપ પક્ષપાતની વાત કંઇ આર છે! તેની પાસે ભાવવિહીન જડ દ્રવ્ય ક્રિયા કઇ ગણનામાં નથી, સૂર્ય પાસે આગીઆ જેવી તુચ્છ છે. આ ઉપરથી સાર બાધ એ લેવા યાગ્ય છે કે બાહ્ય દ્રવ્ય ક્રિયા ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનંતગણે। ભાર ભાવ * ઉપર મૂકવા જોઇએ. પણ લેાકેાની ઘણું કરી એથી ઉલટી જ સ્થિતિ દેખી ખેદ પામેલા કરુણાળુ સંતુજને પાકાર કરી ગયા છે કે:— “ દ્રવ્ય ક્રિયારુચિ જીવડા રે, ભાવ ધમ રુચિહીન, ઉપદેશક પણ તેવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન॰ ”—શ્રી દેવચ’દ્રજી 品 અને તેવા પ્રકારે કહે છે— खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥ ખજુઆનુ' જે તેજ છે, અલ્પ વિનાશી તેહ; વિપરીત આ છે સૂર્યનું, ભાવ્ય ક્ષુધાએ એહ. ૨૨૪ અ:—ખદ્યોતકનું ( આગીઆવુ ) જે તેજ છે, તે અલ્પ અને વિનાશી છે; અને સૂર્યનુ' આ તેજ એથી વિપરીત છે, એમ આ બુધેાએ ભાગ્ય છે, ભાવવા યેાગ્ય છે. વિવેચન ખદ્યોત નામના જંતુવિશેષનું જે પ્રકાશાત્મક તેજ છે, તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. અને સૂર્યનું આ પ્રકાશાત્મક તેજ તેથી વિપરીત છે, અર્થાત્ અડુ અને વૃત્તિ:-સ્રોતદસ્ય—ખદ્યોતનું સત્ત્વવિશેષ્ણુ, ચત્તુનઃ—જે તેજ-પ્રકાશાત્મક છે, ત—તે, શુ ? તો કે-અત્યંત રવિનાશિ૬-અપ અને વિનાશી છે,-સ્વરૂપથી વિનીમિટું માનોઃ—ભાનુનુ આ વિપરીત છે, એટલે કે સૂર્યનું તેજ બહુ અને અવિનાશી છે. રૂત્તિ—એમ, એવા ભાવનું, માન્યમિત્ આ ભાગ્ય છે, ભાવવા યાગ્ય છે, અધિકૃત પક્ષપાત થકી, આ ક્રિયાદિક, યુધૈ:—બુધાથી, તત્ત્વનીતિએ કરીને. Page #824 -------------------------------------------------------------------------- ________________ (૭૪૮) યોગદૃષ્ટિસમુચ્ચય અવિનાશી છે. એવા ભાવનું. આ પ્રસ્તુત પક્ષપાત થકી આ ક્રિયાદિક બુધેાએ તત્ત્વનીતિથી ભાવવા યેાગ્ય છે. ઉપરમાં જે સૂર્ય-અદ્યોતનું દૃષ્ટાંત આપ્યું તેને અહીં સ્પષ્ટ કર્યું” છે:-ખદ્યોત નામનું એક નાનકડુ· જીવડું, કે જેને આગીએ પણ કહે છે, તે રાત્રીના ભાગમાં ચમકે છે. તેનું જે પ્રકાશરૂપ તેજ છે, તે સ્વરૂપથી અલ્પ-થેડુ' અને વિનાશી ાય છે. આગીએ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, જેમાં તે પેાતે પણ ખરાખર દેખાતા નથી એવા ક્ષણભર મંદમંદ ચમકારા કરે છે, અને પાછા ક્યાંય વિલીન થઈ જાય છે. પણ સૂર્યનું પ્રકાશમય તેજ એથી વિપરીત–ઉલટું છે. સૂર્યાંનુ તેજ ઘણું અને અવિનાશી હાય છે. તે એકસરખા ઝળહળાટ કરે છે, ઝગઝગે છે,—જેમાં સમસ્ત વિશ્વ પદાર્થ ખરાખર પ્રકાશિત થાય છે, એવે અસાધારણુ તેજસ્વી ને અવિનાશી પ્રકાશ પાથરે છે, અને આમ અખંડપણે દીર્ઘ કાળ સુધી તે તેજોનિધિ પ્રકાશ્યા કરે છે. આમ આ લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત છે. કયાં સૂર્ય ? કયાં ખદ્યોત
Page 516
? આ દૃષ્ટાંત ઉપરથી બુધજનાએ, પ્રાજ્ઞજનાએ, વિવેકી સજ્જનાએ તત્ત્વનીતિથી પરમાર્થ વિચારવા ચેાગ્ય છે–ભાવવા યેાગ્ય છે. ભાવિષેાણી યંત્રવત્ જડપણે કરાતી દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી હેાઇ, તેનું તેજ અલ્પ અને વિનાશી છે; અને ભાવરૂપ તાત્ત્વિક પક્ષપાત સૂર્ય સમેા હાઈ, તેનું તેજ અહુ અને અવિનાશી છે. દ્રષ્ય ક્રિયા આગીઆની જેમ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, ઝાંખા પ્રકાશ કરે છે, જેમાં પેાતાને પેાતાનુ સ્વરૂપ પણ દેખાતું નથી એવા ક્ષણિક મદ મંદ ચમકારો કરે છે, અને કયાંય વિલીન થઈ જાય છે, એનેા પત્તો મળતા નથી. પણ પ્રસ્તુત ભાવ તા સૂર્યની પેઠે એકસરખા અસાધારણ ઝળહળાટ કરે છે—ઝગઝગે છે, જેમાં પેાતાનું આત્મસ્વરૂપ તે શું પણ સમસ્ત વિશ્વસ્વરૂપ પ્રકાશિત થાય એવા અસાધારણ તેજસ્વી ને અવિનાશી જ્ઞાનપ્રકાશ પાથરે છે; અને આમ અખંડપણે તે અવિનાશી તેજોનિધિરૂપ ભાવ પ્રકાશ્યા કરે છે. આમ અનંત ને અવિનાશી તેજોમય સૂર્યની સમક્ષ અલ્પ ને વિનાશી તેજના ચમકારા કરતું આગીઆ જેવું જંતુનુ જેટલુ ઝાંખુ લાગે છે; તેટલું જ અનંત ને અવિનાશી તેજોમય જ્ઞાનપ્રકાશ પાથરતા ભાવની સમક્ષ, અલ્પ ને વિનાશી ચમકારા કરતું આખુ દ્રવ્ય ક્રિયાચક્ર આંખું લાગે છે; માટે તાત્ત્વિક પક્ષપાતરૂપ શુદ્ધ ભાવની અપેક્ષાએ દ્રવ્ય ક્રિયા કઇ ગણત્રીમાં નથી. ઇત્યાદિ અથ ભાવવા યેાગ્ય છે. ભાવ સૂ : દ્રવ્ય ક્રિયા ખદ્યોત આ જડપણે દ્રવ્ય ક્રિયા કરનારા મુખ્ય લેાકેા એમ માને છે કે આપણુ. કલ્યાણુ થશે, પણ તે તેમની બ્રાંતિ છે; કારણ કે શ્રી ક્રિયા કરતાં કરતાં હરિભદ્રાચાય જીએ Page #825 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ભાવ સુય સમે: દ્રવ્ય કિયા ખદ્યોત સમી (૭૪૯) પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી; કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે 2થક ઉપપાતનું દૃષ્ટાંત છે.” એ અંગે આગમમાં કહ્યું છે કે-એઘથી–પ્રવાહથી આ જીવે ચૈવેયકમાં અનંતા શરીરે મૂક્યા છે, અર્થાત્ આ જીવ સૈવેયક દેવલોકમાં અનંત વાર ઉપજે છે. અને આ ગ્રેવેયક પ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ કિયાના પાલન વિના હેતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ કિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અનંતવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિં! અરે ! દર્શન પણ સિદ્ધ ન થયું ! આમ થયું તેનું કારણ યથાયોગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે. વિશેષ કહે છે– श्रवणे प्रार्थनीयाः स्युन हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥२२५॥ શ્રવણે પ્રાર્થના એગ્ય ને, કદી યોગ્ય જન રત્ન: સ્થિત છે કલ્યાણસને, મહારત્નમાં યત્ન, ૨૨૫. અર્થ –ાગ્ય જનોને કદી શ્રવણ વિષયમાં પ્રાર્થના કરવા ગ્ય નથી, કારણ કે કલ્યાણસને મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે. વિવેચક શ્રવણ વિષયમાં ગૃજને કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે તેઓની તેમાં સ્વત: પ્રવૃત્તિ હોય છે. કલ્યાણસને-પુણ્યવંતેનો યત્ન ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેલો જ છે,–તથા પ્રકારે ઔચિત્યયોગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માન્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે. આવા ઉપર કહ્યા તે જે યોગ્ય યોગીજને છે, તેને શ્રવણ કરવા બાબતમાં કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી. અહો કુલગીએ ! અહે પ્રવૃત્તચક્ર યોગીઓ ! અહે કૃત્તિ –ાને શ્રવણ વિષયમાં, પ્રાર્થનીયા: યુ-પ્રાર્થનીય હેય પ્રાર્થવા યોગ્ય હાય, નહિ-નહિ, ચોદ: રન-ગ્ય કદી પણ -શુશ્રષાભાવથી સંવત પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે–ચરના વન્યાનસવાનાં-કલ્યાણ સને-પુરમવંતોને યત્ન, મહા-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, હિરો :-કારણ કે સ્થિત જ છે,-તથા પ્રકારે ચિરાગથી, પક્ષપાત આદિ થકી ૫ણ જન્માક્તરમાં પ્રાપ્તિ કૃતિને લીધે. *
Page 517
"संपुण्णावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । વિશ્વવિદત્તાનો વિકસાવાશging –શ્રી પંચાશક, Page #826 -------------------------------------------------------------------------- ________________ (૭૫૦) યોગદષ્ટિસમુચ્ચય મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુ આત્માર્થીઓ! અહિ ગમાર્ગના જિજ્ઞાસુ મહારા સાધર્મિક આત્મબંધુઓ ! તમે આ શાસ્ત્રનું શ્રવણ કરે ! આ સાક્ષાત્ પરમ ગામૃતનું પાન કરી પરમાનંદની પ્રાપ્તિ કરે!-ઇત્યાદિ પ્રકારે આ મુમુક્ષુ યોગ્ય જનને પ્રાર્થના કરવાની રહેતી નથી; કારણ કે શુશ્રષાભાવને લીધે-સાચી અંતરંગ શ્રવણેચ્છાને લીધે તે સજનેની સતશાસ્ત્રશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે જ. એટલે તેમને શ્રવણ માટે પ્રેરણા કરવાને કે વિજ્ઞપ્તિરૂપ પ્રાર્થના કરવાને અવકાશ છે જ ક્યાં? તેઓને તે સાચી શુશ્રષા-સત શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા એટલી બધી ઉત્કટ હોય છે, કે તેઓ વગર કલ્યાણ કહે જ પોતાની મેળે તેમાં પ્રવૃત્ત છે જ; કારણ કે જે કલ્યાણસ સ ને છે, જે જી કલ્યાણ અવશ્ય પામવાના જ છે, એવા મહાપુણ્યવંત રત્નમાં યત્ન જનેનો ચિંતામણિ આદિ મહારત્નના વિષયમાં યત્ન સ્થિત જ છે રહેલો જ છે, સ્થાપવાનો નથી. કારણ કે તથા પ્રકારે તેમને ઔચિત્ય યેગ હોય છે, તેઓને તેમ કરવું ઉચિત છે, એટલે તેઓ તે પ્રકારે આપમેળે અવશ્ય કરે જ છે. પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં તેવા શુશ્રુષાદિ ભાવની પ્રાપ્ત હોય છે, એમ શાસ્ત્રમાં શ્રત થાય છે. તે મહાનુભાને સતશ્રવણના તાવિક પક્ષપાત થકી જન્માક્તરમાં પણ તથા પ્રકારે શુશ્રુષાદિ ભાવની અવશ્ય પ્રાપ્તિ હેય જ છે. એટલે આવા તાત્ત્વિક પક્ષપાતવાળા યોગ્ય ગિજને જે સદા શુશ્રુષાભાવવાળા, સાચી શ્રવણેચ્છાવાળા તત્વરસિક હેઈ સ્વરસથી જ શ્રવણમાં પ્રવૃત્ત છે, તેને, “આ શ્રવણ કરે! આ સાંભળો !” એવી પ્રાર્થના કર્યાથી શું? અયોગ્યને દાનદષના પરિહારથે કહે છે– नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ અગ્યને તે ગવિ૬, દીએ ન એહ છતાંય; હરિભદ્ર સાદર કહે, એને દેય ન આ ય, ૨૨૬ અર્થ–પરંતુ આના જાણકાર (આચા) અ ને આ ગ્રંથ દેતા નથી, તથાપિ હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ એઓને દેવા ગ્ય નથી. કૃત્તિ-નૈતિઃ -નથી આના જાણનારા આચાર્યો, અયોગ્યે- અને, અયોગ્ય એવા બીજાઓને, રિ-દેતા, આપતા, ઇનં-આ ગટિસમુચય નામને ગ્રંથ, તથાપિ તતથાપિ, એમ પણ વ્યવસ્થિત સતે, રિમો-હરિભદ્રે, ગ્રંથકર્તાએ, હું કાદુ-આ કહ્યું છે. શું? તે કે –ન એએને—અયોગ્યને, રેવડ-દેવા ગ્ય આ યોગદષ્ટિસમુચ્ચય, બાવરાન-આદર થકી, આદરથી આ કહ્યું છે, Page #827 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કેય માથનીય નથી, ને અયોગ્યને આ દેય નથી (૭૫૧) વિવેચન “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદિસૂત્રે દસેજી; તે જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશે.—યે. સઝા. ૮-૮ પરંતુ આના જ્ઞાતા એવા આચાર્યો તે આ યોગદષ્ટિસમુચ્ચ ગ્રંથ અ ને દેતા જ નથી, તથાપિ આમ વ્યવસ્થિત છતાં ગ્રંથકર્તા હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ ગ્રંથ એઓને-અયોગ્યને “દેવા યોગ્ય નથી.” ઉપરમાં એગ્ય એવા યોગીજનેને આ ગ્રંથ કંઈક ઉપકારી થશે એમ કહ્યું, અને તે ગૃજનેને શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની પણ જરૂર રહેતી નથી, કારણકે તેઓ સ્વરસથી તેમાં પ્રવૃત્તિ કરી જ રહ્યા છે એમ કહ્યું. તે પછી સહેજે પ્રશ્ન ઊઠે આ ગ્રંથ છે કે અગ્યનું શું? તેને ટાળ કેમ પાડ્યો? તેને શ્રવણ કરવાની અયોગ્યને દેવા પ્રેરણા કાં કરતા નથી? તેણે શી ગુન્હેગારી કરી? તેને અહીં સ્પષ્ટ ગ્ય નથી જવાબ આપે છે કે-આ ગમાર્ગના જ્ઞાતા એવા જ્ઞાની પુરુષ-ગીતાર્થ આચાર્યો તે આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અ ને દેતા જ નથી. તથાપિ “હરિભદ્ર' તે આદરથી આ કહે છે કે-આ ગ્રંથ એ એને “દેવા યોગ્ય નથી.”યેગા ચાર્યો તે આ ગ્રંથ તેવા અપાત્ર જનેના હાથમાં આપવાની ઘસીને ચકખી “ના જ પાડે છે,
Page 518
પણ માર્દવની અને માધુર્યની મૂર્તિ સમા આ ગ્રંથકર્તા તે એએને આ ગ્રંથ દેવા યોગ્ય નથી' એવું નરમ વચન સમજાવટ ભરી રીતે આદરથી કહે છે, વિવેકભરી મીઠાશથીનમ્રતાથી કહે છે, એઓને પણ ખોટું ન લાગે–એમના આત્માને પણ દુઃખ ન થાય, એ રીતે પરમ કરુણાભાવથી માનપૂર્વક સહેતુક સમજાવીને કહે છે. જેનામાં ઉક્ત લક્ષણવાળું ગ્ય “યોગીપણું” ન હોય, જેનામાં આ પરમ ગરહસ્ય યથાર્થપણે ગ્રહણ કરવાની કે સમજવાની કે ઝીલવાની પાત્રતા ન હોય, એવા અગ્ય જનોને આ પરમ યેગ્યતાવાળે ગપ્રરૂપક ગ્રંથ આપવા ગ્ય નથી. કારણ કે અયોગ્યને આ પરમ યોગતત્વને જેઓ સમ્યફભાવથી આત્મપરિણમી કરી પચાવી નિષેધનું કારણ શકે એમ ન હય, જીરવી શકે એમ ન હોય, તેવા અપાત્ર જનેને તે આ વિપરીત-પરિણામી થઈ મિથ્યાભિમાનાદિ અજીર્ણવિકાર અથવા “જ્ઞાનને અપ” પણ ઉપજાવે! જેમ મંદ પાચન શક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તે ઉલટું અજીર્ણ ઉપજે, તેમ અધિકારી જીવને આ પરમાન પચે નહિ, એટલું જ નહિં પણ “હું આ યોગશાસ્ત્ર ભયે છું” એમ મિથ્યાભિમાન ધરી, તથારૂપ યોગભાવની સિદ્ધિ વિના, જ્ઞાનદશાની પ્રાપ્તિ વિના, તે જ્યાં ત્યાં યેગ-જ્ઞાનની મોટી મોટી વાતો કરવા મંડી પડે ને પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરે ! ઈત્યાદિ પ્રકારે તેને શાસ્ત્રને અપચો થાય! Page #828 -------------------------------------------------------------------------- ________________ (૭૫૨) ચેાઞદષ્ટિસસુરજીય અને આમ અતના મેહ છૂટ્યા વિના પાપટીએ પતિ અની મેઢેથી જ્ઞાનની વાર્તા કરી, જ્ઞાનીમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીના દ્રોહ કરે! ને પાકળ જ્ઞાની– શુષ્કજ્ઞાની એવા તે પાતે ગ્રંથ વાંચ્યા છે' એમ જાણે છે, પણ આત્માને વચ્ચે છે? એમ જાણતા નથી! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અયેાગ્ય જીવા આવા પરમ વૈગ્ય ઉત્તમ ચાગ ગ્રથના અધિકારી કેમ હાય ? C : “ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન માહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ. ”—શ્રી આત્મસિદ્િ “નિજ ગણુ સચે મન નવિ ખર્ચે, ગ્રંથ ભણી જન વાંચે, લુચે કેશ ન મુલ્યે માયા, તે ન રહે વ્રત પચે.”—સા, ત્ર. ગા, સ્ત. વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણુ–અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્રકારની શૈલી છે—પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયેાગ્ય એવી ઉપદેશવાŕ કરવામાં આવે તેા ઉલટી અનથકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉષા અનથકારક અથ માં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી ન...દીસૂત્રથી જાણવા ચેાગ્ય છે ke ગુહ્ય ભાવ એ તેહને કહીએ, જેહ થ્રુ અંતર ભાંજેજી, જેશુ ચિત્ત પટ ́તર હાવે, તેહશુ' ગ્રુહ્ય ન છાજેજી; ચેાગ્ય અાગ્ય વિભાગ અલહતા, કરશે માટી વાતેજી, ખમશે તે પડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતાજી.”— યા. ૬, સજ્ઝા, ૮-૭ શ્રોતાજને છે, તે સિંહનાદ જેવી ચાખી ચટ વીરવાણી દૂરથી સહુનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઇ જાય છે, અને ભડકીને ભાગે છે, તેા સન્મુખ આવે જ કેમ ? તેમ સિંહનાદ જેવી જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાએ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણુ કરીને ત્રાસે છે, ગભરાઈ જાય છે, અને ભડકીને ભાગે છે! તેા સન્મુખ દૃષ્ટિ કરીને શ્રવણુ કરવાને ઉભા જ શેના રહે ? એવા ગતાનુગતિક, ગાડરી ટાળા જેવા રૂઢ ને મૂઢ શ્રેાતાજને આ સત્ય તત્ત્વવાર્તા કેમ ઝીલી શકે? અને આ જે ચેાગગ્રંથની વાણી છે, તે તે સાચા વીરપુત્રની સિ'હનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્ત્વ જીવા કેમ ચેાગ્ય હાય ? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્ર
Page 519
પ્રગટ કહી છે. શુદ્ધ આત્મસ્વભાવ સાથે યુંજન કરવારૂપ શુદ્ધ યાગભાવની પદ્ધતિ એમાં ખતાવી છે. આવી સિ’હુગના સમી વીરવાણી ઝીલવાને અલ્પસત્ત્વ કાયર જને કેમ ચેાગ્ય હાય ! કરેગે * તેમાં જે મૃગ પરિષદૂ જેવા સાંભળી ત્રાસે છે! મૃગલાનું ટાળું Page #829 -------------------------------------------------------------------------- ________________ ઉપસ'હાર : શ્રી હરિભદ્રજીની સિંહનાદ જેવી વીરવાણી (943) કે 6 યા મરેંગે ’· Door Die, ' ‘ વિષય અથવા મૃત્યુ * એવી વીર પુરુષની વીરવાણી સાંભળીને કાયર જના જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધરધર ચેાગવીરની વાણી સાંભળીને હીનસત્ત્વ જીવે ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ ? કારણ અહીં તે ‘ નગદ નારાયણુ ની વાત છે, તથાભાવરૂપ રીકડા ‘હિરના મારગ કલદાર' રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવક્રિયા છે શૂરાના ’ કરતાં ચેગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યાગસાધના કરતાં કરતાં ખપી જવાની વાત છે. · પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને ! '—પહેલું માથું મૂકી પછી આ ચેાગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માપણુ કરી ચેગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીપણુ' દાખવવાની પરમ શૂરવીર વાત છે. આવા આ હિરને-કમને હરનારા વીર’ પ્રભુના માગ શૂરાને માગ છે, એમાં કાયરનું કામ નથી. (જુએ પૃ. ૮, ‘વીરપણું તે આતમઠાણે ' ઇ. ). 4 “ હિરના મારગ છે શૂરાના, નઢુિં' કાયરનું કામ જોને; પરથમ પહેલુ મસ્તક મૂકી, વળતી લેવુ નામ જોને. ”—શ્રી પ્રીતમ ભક્ત ઇત્યાદિ કારણેાને લીધે જ્ઞાની આચાર્યાં આવા આ ઉત્કૃષ્ટ ચાગવિષયક ગ્રંથ અયેાગ્યાના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાય જી કહે છે કે- આ ગ્રંથ અયેાગ્યાને દેવા ચેાગ્ય નથી. અને આ અમે કહીએ છીએ તે કાંઇ અયેાગ્ય જીવેા પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી કહેતા નથી, પણ આદરથી ( Respectfully ) કહીએ છીએ; કારણ કે અમને તે જીવે પ્રત્યે કાંઇ દ્વેષ નથી કે અમે તેને અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તા સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અયેાગ્ય જીવ પ્રત્યે તે વિશેષે કરીને ભાવ કરુણામુદ્ધિ છે કે આ જીવા પણ આ યાગમાગ પામવા ચેાગ્ય થાય તા કેવું સારુ' ! પણ તે માટે પણ યથાયેાગ્યતા મેળવવી જોઇએ. ચેાગ્યતા મેળળ્યે તે પણ આ માટે ચાગ્ય થાય. એટલે યેાગ્યે જેમ ચેાગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ, તેમ અાગ્યે પણ ચેાગ્યતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન-પુરુષાથ કરવા જોઇએ. એટલે તેઓએ ખિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેવી ચેગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટેના પ્રયાસ તેઓએ કરવા જોઇએ. પણ જ્યાંસુધી તેવી યેાગ્યતા આવી નથી, ત્યાંસુધી તે તેઓ આ માટે ચેાગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવેાના હિતાર્થે જ. કારણ કે સવૈદ્યે દરદીની ખરાબર નાડ જોઇ, પ્રકૃતિ પારખી, વય– પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઇએ, એવે। સામાન્ય નિયમ છે. એમ ન કરે ૯૫ હરિભદ્રજીનુ સાદર થન Page #830 -------------------------------------------------------------------------- ________________ (૭૫૪) યોગદષ્ટિસમુચય ને મોટા માણસને આપવાની માત્રા બાલકને આપી છે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું ઓડનું ચોડ વેતરાઈ જાય ? તેમ સદગુરુ સવૈદ્ય પણ ભવરગી એવા સંસારી જીવની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, ભાવથી બાલાદિ વય–પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઈએ. એમ ન કરે ને મોટા માણસને-પંડિત જનને આપવા યોગ્ય ઉપદેશમાત્રા બાલ
Page 520
જીવને આપે, તે તેનું કેટલું બધું અહિત થાય ? કેવું વિષમ પરિણામ આવે ? આ દષ્ટાંતનું દષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ગદષ્ટિસમુચ્ચય અગ્યને દેવા યોગ્ય નથી, એવો અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,-આમ શ્રી હરિભદ્રસૂરિનું કહેવું છે.* આ એમ કેમ ? તે કે– अवज्ञह कृताल्पापि यदनाय जायते । अतस्तत्परिहारार्थ न पुनर्भावदोषतः ॥ २२७ ॥ અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા અહિ; પરિહારાર્થે તસ કહ્યું, ભાવદોષથી નહિ. ૨૨૭ અથ—અહીં–આ યોગદક્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અપ પણ અવજ્ઞા અનર્થને અર્થે થાય છે, એટલા જ માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે, નહિ કે ભાવદષથી કહ્યું છે. વિવેચન અહીં–આ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનર્થને અર્થે થાય છે, એટલા માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે નહિકે ક્ષુદ્રતારૂપે ભાવદષથી. ઉપરના શ્લોકમાં જે કહ્યું કેઅ ને આ દેવા ગ્ય નથી એમ હરિભદ્ર કહે છે,” તે કહેવાનું કારણ શું ? તેનો અહીં સ્પષ્ટ ખુલાસો કર્યો છે. આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે અપ પણ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પિતાને મહાઅનર્થરૂપ થઈ પડે, કૃત્તિઃ - અવસે-અવજ્ઞા અહીં –ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, કૃતાત્પન-કરવામાં આવેલી, સ્વરૂપથી ૯૫ પણ, થર્-કારણ કે, નર્યાય ગાયો-અનથથે થાય છે,-મહાવિષયપણુાએ કરીને, અતરત જિલ્લાવાર્થ-એટલા માટે તેના પરિહારથે, ૧ પુનર્માવત :-૫ણ નહિં કે ભાવદોષથી-સુતાથી હરિભદ્રે આ કહ્યું છે. x “ हितमपि वायोरौषधमहित तत् श्लेष्मणो यथाऽत्यन्तम् । સદ્ધર્મદેવનૌષધમેર્વે વાટાઘવેક્ષમિતિ | ”—શ્રી હરિભદ્રસુરિત પડશક. Page #831 -------------------------------------------------------------------------- ________________ ઉપસ‘હાર : અયેાગ્યને ન દેવાનુ કારણ-મહત્ત્ની લેશ અવજ્ઞાથી મહાઅનથ (૭૫) કારણ કે આ ગ્રંથના વિષય મહાત્ છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનથ પણ મહાન થાય. એથી કરીને અયેાગ્યને દીધાથી તેને તેવા મહાઅનથ ન ઉપજે, તેની ખાતર હરિભદ્રે આ કહ્યુ છે,-નહિ' કે ક્ષુદ્રતારૂપ ભાવ દેષથકી. 6 અન આ ૮ યોગદૃષ્ટિસમુચ્ચય ’ મહાન્ એવા ચૈાગ વિષય સંબધીનેા ગ્રંથ છે, એટલે એવા મહાવિષયપણાથી આ યેગશાસ્ર પણ મહાન છે. આવા મહાન યેગશાસ્ત્રની જાણતાં-અજાણતાં, ભૂલે ચૂકે પણ થેાડી પણ અવજ્ઞા કરવામાં આવે, તે મહેતના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનથ રૂપ થઇ પડે, મેાટી હાનિરૂપ થઈ દરથી મહા- પડે; કારણ કે મહત્એવા સત પ્રત્યે જો લેશ પણ અવજ્ઞા કરવામાં આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય અતાવવામાં આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તેા તેનુ' અનત સંસાર પરિભ્રમણુરૂપ ભયકર ફળ ભેગવવું પડે. જેમ મહત્ એવા સત્ પ્રત્યેની અનાશાતનાયી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સત્ ફળ મળે; તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસત્ ફળ મળે. જેમ સત્તા આરાધનથી મારૂપ મહત્ ફળ મળે, તેમ વિરાધનથી મહાસ’સારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી દ્યે ને ખીજે । ઘરખાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તેા જીવનું કલ્યાણુ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તા મહાઅકલ્યાણ થાય. સત્પુરુષ ને સત્પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવના ખેડા પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડૂબી જાય ! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયુ છે કે- તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નિવ કરિયે રે નવિ કરિયે. ' ( જુએ પૃ. ૧૧૦, ‘ચક્રી ધરમ તીરથતણેા ’ ઈ. ) આવા સત્શાસ્ર પ્રત્યે જો ઘેાડી પણ અવજ્ઞા મહાઅનથ કારી થઇ પડે, તેા પછી વિશેષ અવજ્ઞાનુ તેા પૂછવું જ શું? અને અયેાગ્યાને જો આવું સત્ત્શાસ્ત્ર દેવામાં આવે તે તેએ થકી આવી
Page 521
અવજ્ઞા-આશાતનાદિ થઇ જાય એવા સંભવ છે. નિષ્કારણુ કરુ- અને એમ થાય, તે તેઓને મહા અનથ થઇ પડે, અનંત સ’સાર ણાથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભાગવવુ પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહાઅન ન સાંપડે તેની ખાતર, મહાઅનથ દૂર રહે તેની ખાતર, અયેાગ્યાને આ દેવા યેાગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિ કે ભાવદોષથી, અર્થાત્ ક્ષુદ્રતાથી—તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાય જી કહે છે કેઅમને આ અચેાન્ય અપાત્ર જીવ પ્રત્યે કાંઇ દ્વેષ નથી, કે મત્સર નથી, કે કઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચ્છ વિચારને લીધે અમે તેએને આ શાસ્રદાનને નિષેધ કર્યાં હાય. અમે તા તેવા અજ્ઞાન જીવે બિચારા અવજ્ઞા કરી આ શાસ્રની Page #832 -------------------------------------------------------------------------- ________________ (૭૫૬) ગદસિમુચ્ચય આશાતનાથી નિબિડ કર્મ બાંધી અનર્થ ન પામે એમ ઈચ્છતા હેઈ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યો છે, અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણું કરણથી કહ્યું છે. માટે તે એ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે બેટું લગાડવું નહિં, પણ યોગ્યતા ગ્ય ગુણ પિતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તે પિતાની અગ્યતા દૂર કરવા પ્રયત્ન કરો, અને જેમ બને તેમ આ સશાસ્ત્રની અલ્પ પણ અવજ્ઞા દૂરથી વર્જવી. એટલે જ આ અમારે કહેવાનો આશય છે. દાખલા તરીકે–જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રષા ન હોય, સાંભળવાની સાચી અંતરછા ન હોય, એના ઉદ્દિષ્ટ વિષય પ્રત્યે રસ ન હોય, તેઓને આ ગ્રંથ દેવ, શ્રવણ કરાવે તે આ મહાગ્રંથની અવજ્ઞા–અપમાન-આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રષા રહિતને શ્રવણ કરાવવું તે “ભેંસ આગળ ભાગવત’ જેવું છે, અને મેતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. “Casting pearls before swine,' માટે શુશ્રષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અગ્ય શ્રોતાઓને આ ગ્રંથ દેવા ગ્ય નથી જ, એ યુક્ત કહ્યું છે. અને આ આમ અંગીકાર કર્તવ્ય છે, જેથી કરીને જ કહે છે– योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः । मात्सर्यविरहेणोच्चैः श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८ ॥ ગ્યને દેવે યત્નથી, વિધિવતે જ સમર્થ માત્સર્ય “વિરહથી અતિ, શ્રેય વિશ્વ શાંત્યર્થ. ૨૨૮ અર્થ—અને યોગ્ય શ્રોતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનેએ, સર્વથા માત્સર્યા વિના, એવિષ્યની પ્રશાંતિને અર્થે પ્રયત્નથી દેવ યેગ્ય છે. | વિવેચન આ ગ્રંથ અયોગ્ય શ્રોતાઓને દેવા ગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્વક કહી બતાવ્યું; પણ ચગ્ય શ્રોતાઓને તે માત્સર્ય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા યોગ્ય છે; અને તે પણ શ્રવણાદિ વિષય સંબંધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા,-નહિં તે ' વૃત્તા– ચોખ્યg-૫ણ યોગ્ય સ્રોતાઓને તે, પ્રથા પ્રયત્નથી, ઉપયોગસાર એવા પ્રયત્નથી, જોડશં-આ દેવ એગ્ય છે, વિધિનાવિધિથી, શ્રવણાદિ ગોચર વિધિથી, અન્વિતૈઃ-અન્વિત, યુક્ત અવાઆથી નહિ તો પ્રત્યવાયના સંભવ થકી દે.ષ છે, એમ આચાર્ય કહે છે. માર્યાવિળ-માત્સર્ય વિરહથી. માત્સર્ય અભાવથી સજજૈઅત્યંતપણે યોવિદન રાજ્ય-શ્રેય વિનની પ્રશાંતિને અથે, પુચ-અંતરામની પ્રગતિને અર્થે. । समाप्तोऽयं योगदृष्टिसमुच्चयः । Page #833 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : ગ્યને તે પ્રયત્નથી દેવા યોગ્ય : પરમ શ્રતની પ્રભાવના (૭૫૭) પ્રત્યવાયના-હાનિના સંભવથી દોષ લાગે છે એમ આચાર્યો કહે છે. આ દેવા ગ્ય છે, તે અત્યંતપણે ગ્રેવિનની પ્રશાંતિ અર્થે છે, પુણ્યઅંતરાયની પ્રશાંતિ અર્થે છે. ઉપરમાં વર્ણવ્યા એવા શુશ્રષાદિ ગુણસંપન્ન યોગ્ય અધિકારી શ્રોતાઓને તે આ ગ્રંથ અવશ્ય દેવા ગ્ય છે. જેને આ શુશ્રુષા છે, આ ગ્રંથ શ્રવણ કરવાની સાચી અંતરછા-જિજ્ઞાસા છે, આ ગવિષય પ્રત્યે જેને અંતરંગ રુચિ-રસ છે, માત્સર્ય એવા વિનયાદિ યથોક્ત ગુણવાળા શ્રોતાઓને તે આ ગ્રંથ ઉપયોગસાર‘વિરહ થી ઉપયોગ પ્રધાન પ્રયત્નથી જરૂર જરૂર દેવા યોગ્ય છે-શ્રવણ કરાવવા ગ્ય છે. અને તે પણ સર્વથા
Page 522
માત્સર્ય વિરહથી–માત્સર્ય રહિતપણે. કેઈપણ પ્રકારને ગુણદ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત શક્તિથી–સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મન-ધનપરમ કૃતની વચનની સમસ્ત શક્તિ ખચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પ્રભાવના પરમ ઉદારતાથી કરવા યોગ્ય છે. પણ આ દેવાથી આ મહારા કરતાં ગગુણમાં આગળ વધી જશે ને હું ઝાંખું પડી જઈશ તે ! એવા તેજોવધરૂપ ગુણષથી–મત્સરથી પ્રેરાઈને મુક્તહૃદયે-ખુલ્લા દિલે આ જ્ઞાનદાન દેતાં અચકાવું યોગ્ય નથી. પણ આ તાજને આ જ્ઞાનદાનથી કેમ આમત્કર્ષ પામે, કેમ ગગુણની વૃદ્ધિ કરે, ને તે દેખીને હું રાજી થાઉં-પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટે હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા યોગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી, અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે માત્સર્યનો વિરહ’ કરી, મત્સરભાવ સર્વથા છેડી દઈ, જેમ બને તેમ બહેળા હાથે આ જ્ઞાનદાન આપી પરમ શ્રતની પ્રભાવના કરવી, એ જ યેગ્ય છે. અત્ર “વિરહ’ શબ્દથી શ્રીમદ્ હરિભદ્રાચાર્યજીએ પિતાની કૃતિના પ્રાંતે વિરહાંક મૂકવાની પદ્ધતિનું અનુસરણ કર્યું છે. અને તેનું દાન કરનારા જ્ઞાનદાતા પણ કેવા હેવા જોઈએ? તે માટે અહીં કહ્યું કે–જે શ્રવણાદિ વિષયની વિધિથી યુક્ત હેય, એવાઓ દ્વારા આનું દાન થવું જોઈએ. શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ, તત્ત્વાભિનિવેશ આદિ વિધિ યુકત યક્ત ગુણથી જે યુક્ત છે, તેઓ દ્વારા આનું દાન થવા ગ્ય છે. જ્ઞાનદાતા જેણે આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, હૃદયને વિષે ધારણ કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, તે સંબંધી જેણે ઈહા-અપેહ અર્થાત તત્ત્વચિંતનરૂપ ઊંડો વિચાર કર્યો છે, અને આમ કરી જેણે તવાભિનિવેશ કર્યો છે, એવા સુગ્ય વિધિસંપન્ન વક્તા દ્વારા, શુશ્રષાવંતને-શ્રવણ કરવાની સાચી ઉત્કટ ઇચ્છાવાળા એગ્ય પાત્ર મુમુક્ષુને આ દેવામાં આવે, શ્રવણ કરાવવામાં આવે, તેનું નામ વિધિદાન છે બાકી આવા વિધિયુક્ત ન હોય અર્થાત્ જેણે ઉક્ત શ્રવણાદિ ન કર્યા હોય એવા વક્તા Page #834 -------------------------------------------------------------------------- ________________ યોગદિસમુચ્ચય (૦૫૮) દ્વારા જો આ અપાય તે તે અવિધિજ્ઞાન છે. કારણ કે જેણે પાતે શ્રવણાદિ કયુ નથી, તે બીજાને દેવા બેસે–શ્રવણુ કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવુ' બેહૂદુ' છે ? અને આમ જો અવિધિવતથી દેવામાં આવે તે પ્રત્યવાયના—અપાયના સંભવથી દોષ આવે છે, એમ શ્રી આચાય ભગવતે ભાખે છે. માટે જેટલી સુચાગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ ખલ્કે તેથી વધારે સુર્યાગ્ય વક્તાની-ભાવિતાત્મા વ્યાખ્યાતાની જરૂર છે. જે યાગમાને જાણુ, સુજાણુ, જ્ઞાની, અનુભવી, ગીતા વક્તા હેાય, તે જ ઉપદેશ દેવાના અધિકારી હાઈ સદુપદેશ શકે. પણ યાગમાથી અજાણુ, અજ્ઞાની, ખીનઅનુભવી, અગીતાથ ગીતા જ્ઞાની વક્તા હેાય, તે કદી પણ ઉપદેશદાનના અધિકારી હાઇ શકે જ નહિ', અને તેવા અધિકારી જો વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાખાજી કરે, મનાવા-પૂજાવા માટે પેાતાનું જનમનર ંજન વાચાલપણું દાખવે, તેા તે કેવળ અવિધિએ વત્તતા હાઈ, જ્ઞાનીના માના દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિસ‘પન્ન, ચેાગમાગના અનુભવી, ભાવયેાગી, એવા ગીતા જ્ઞાની સત્પુરુષ જ આ ચેગમાગના ઉપદેશદાતા હાવા ચેાગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનુ સદુપદેશ દાન શેલે છે, અને તેવા મહાત્મા સદુપદેષ્ટાથી જ માગ પ્રવર્તે છે. * श्राद्धः श्रोता सुधीर्वक्ता युज्येयातां यदीश तत् । त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥ —શ્રી હેમચ’દ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ. “સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી અને તેવા સદુપદેષ્ટા યથા વક્તા સત્પુરુષો થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયાજન પણ અત્યંતપણે શ્રેયાવિદ્મની પ્રશાંતિ અર્થે હાય છે, પુણ્યાન્તરાયના વિઘ્નની પ્રશાંતિ
Page 523
અર્થે હાય છે; કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સત્કાર્યાંથી પેાતાના શ્રેયાવિજ્ઞ શ્રેયસૢમાં–આત્મકલ્યાણમાં જે વિઘ્ન છે, તેની પ્રશાંતિ હાય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હેાય છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં જે અંતરાય છે તેની પ્રશાંતિ-અત્યંત શાંતિ હાય છે. એટલે આવા સશાસ્ત્રના દાનથી પોતાના શ્રેયપ્રાપ્તિના અતરાયે। છૂટે છે, ને તેથી પેાતાને શ્રેયસૂની– પરમ શ્રુતની મેક્ષરૂપ સફળની પ્રાપ્તિ હેાય છે. આમ આ પરમ સત્શાસ્ર પાતે શ્રેયાવિઘ્નની પ્રશાંતિ કરનાર હેાવાથી, તેનું દાન પણ સ્વ-પરને શ્રેયાવિઘ્નની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલ્યાણુની નિષ્કામ ભાવનાથી પ્રભાવના Page #835 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : શ્રેયવિઘપ્રશાંતિ અથે સતતદાન : કળશ કાવ્ય (૭૫૯) શ્રેવિનની પ્રશાંતિને અર્થે સદુપદેષ્ટા સપુરુષોએ આ સતુશાસ્ત્રનું જ્ઞાનદાન કરી પરમ સદ્ભુતની પ્રભાવના કરવા ગ્ય છે. તથાતુ! લેક પૂરજે નિજ નિજ ઈચ્છા, યોગભાવ ગુણરયણેજી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે.”—ી. . સક્ઝા. ૮૮ – ઉપસંહાર કળશ કાવ્ય – વસંતતિલકા સાગરૂપ બહુ શાસ્ત્ર સમુદ્ર મંથ્ય, આ ગદષ્ટિમય ગ સુગ્રંથ ગુ; દુગ્ધાબ્ધિમાંથ વિબુધે અમૃત વળ્યું, ગામૃત શ્રી હરિભદ્ર બુધે વાવ્યું. ૧૬૭ છે સાર તે ક્ષરતણે નવનીત માત્ર, આ તેમ ગભૃતસાર જ ગશાસ; સંક્ષેપમાં કયું સમુદ્ધત આ સૂરીકે, આત્માર્થ અર્થ પરમાર્થપરા મુની. ૧૬૮ સંક્ષેપ તેય પરિપૂર્ણ જ માર્ગ વ્યક્તિ, એવી અપૂર્વ અહિં શ્રેષ્ઠ સમાસશક્તિ, છે સિધુ બિન્દુમહિં બિન્દુય સિધુમાંહિ, છે વૃક્ષ બીજમહિ ને બીજ વૃક્ષમાંહિ. ૧૬૯ પ્રત્યેક સૂત્ર ગભરાશય એહ સ્થાને, બિન્દુમહીં ઉલસિયે કૃતસિબ્ધ જાણે! દિગદર્શનાર્થ કંઈ તેહ તણા ઉલાસે, લાંબું વિવેચન કર્યું ભગવાનદાસે. ૧૭૦ જોગીદ્ર જેહ જગ જાગતી જ્યોત જેવા, વાઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા; વાણી તણે તસ અહો ! કુણુ તાગ પામે ? આંબે શું ક૫ટ્ટમ વામન સ્વર્ગ ધામે? ૧૭૧ જે કુલગો વળ પ્રવૃત્તચક્ર યેગી, તેનેય એહ ઉપકારક ઉપયોગી; આત્માથી જગજન એહ મુમુક્ષુ માત્ર, આ યેગશાસ્ત્ર અધિકાર કહ્યા સુપાત્ર. ૧૭૨ તે કુલગી જન યોગિકુલે જ જમ્યા, ને ગિધર્મ અનુયાયિ યથાર્થ અન્યા; અદ્વેષ દેવ ગુરુ દ્વિજ શું પ્રેમવંતા, વિનીત દયાળુય જિતેન્દ્રિય બેધવંતા. ૧૭૩ સંસ્કાર જન્મ લહીં યેગી પિતાદિદ્વારા, જે કુલદીપ કુલને અજવાળનારા; તે કુલપુત્ર કુલગી સુશીલ એપે, મર્યાદ કુલવધું શું કુલની ન લેપે. ૧૭૪ તશશ્રેષાદિ ગુણ અષ્ટ સુસ્પષ્ટ વર્તે, ઈચ્છા પ્રવૃત્તિ યમ આદિ દ્વય પ્રવ; ને સ્થિર સિદ્ધિ યમના અતિશે જ કામી, તે જાણ જોગીજન પ્રવૃત્તચક નામી. ૧૭૫ કર્નાદિ કારક કુચક્ર પરાર્થ વર્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવત્યું; આત્માર્થ આત્મ થકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતે મહાત્મા. ૧૭૬ આત્મસ્વભાવ ન વિભાવથી તે હણે છે, આત્મા શિવાય પરભાવ સ્વ ના ભણે છે; આત્માતિવિક્તિ પર દ્રવ્ય ન તે હરે છે, ના ભેગવે ન જ મમત્વ મતિ કરે છે. ૧૭૭ Page #836 -------------------------------------------------------------------------- ________________ (૭૬૦) એવુ. સ્વરૂપનું અહિ’સક યાગચક્ર, સાધે સુસાધુ નિત ચાર્ગી પ્રવૃત્તચક્ર જે ચાલતુ હતું જ કારક ચક્ર વક્ર, તેને ચલાવ્યુ. ઋજુ મેાક્ષપથે અવ. ૧૭૮ ને આદ્ય યાગ જ અવ'ચક યાગ યાગે, તેથી મીંજા દ્વય અવંચક યાગ યાગે; આ યાગીએ જ શુભ ચૈાગ તણા પ્રયાગે, છે પાત્ર અત્ર અધિકારી સુયેાગ યાગે. ૧૭ જે સંતનું સ્વરૂપ ઓળખાઁ સંત સેવે, તે સ ંત સંતફલ સંત કૃપાર્થી લેવે; આવા અવાંચક ત્રિયાગ તણા સુયેાગે, આ યાગિનું અહિં ચેાગ્યપણુ જ ચેગે. ૧૮૦ આ કુલચેાર્ગી ત્યમ પ્રવૃત્તચક્રનાય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હાય; સતુ પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સાગ ખીજ તણ્ પુષ્ટિવડે કરીને. ૧૮૧ સદ્ પક્ષપાત ત્યમ ભાવશૂની ક્રિયાનું, ખદ્યોત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનુ; ખદ્યોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનુ−બુધ
Page 524
લ્યા વિમાસી! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એવા, આ તે અયેાગ્ય જનને ન જ ચેાગ્ય દેવા; ભારી અનય કર લેશ અહિં અવજ્ઞા, તેથી વદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા, ૧૮૩ દેવા જ ચેાગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રુત પ્રભાવ થાવે; ને શ્રેય વિઘ્ન વિરડે,-હરિભદ્ર ભાખે, તેને અનુવાઁ કહ્યું ભગવાનદાસે. ૧૮૪ યોગદૃષ્ટિસસુક્ષય ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनन्दनीबृहत टीकाना मकविवेचनेन सप्रपचं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे उपसंहारः ॥ ॥ ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિચેલા અને શ્રીમન:સુખભાઈ કરચંદ્રના પુત્ર ડૉ, ભગવાનદાસે સ્વરચિત સુમનેાંનંદની બૃહીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસ’હાર ॥ Page #837 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૭૬૧) પરિશિષ્ટ ઇચ્છાયાગ, શાસ્ત્રયોગ અને સામ યાગના સાર મેાક્ષમાગે ગમન કરતા ખરેખર મુમુક્ષુ-નિર્દભ આત્માથી પુરુષ અનુક્રમે ઇચ્છાયાગ, શાયેાગ અને સામાગ એ ત્રણ ભૂમિકાઓને સ્પશીને મેક્ષ પામે છે. એનેા સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ. આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂવા પડેલે જીવરૂપ મુસાફર પ્રથમ તા તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેાક્ષ મેળવવા ઇચ્છે છે; એટલે ઢૂંઢતા હૂઁઢતા તે તેના મા જાણુકાર સદ્ગુરુને પૂછે છે; તેની પાસેથી તે જાણીને સદ્ધે છે. આમ તે શ્રુતા ને જ્ઞાની અને છે ને શ્રદ્ધાપૂર્વક તે ઉષ્ટિ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે, છતાં તેને ક્વચિત્ પ્રમાદ થઈ આવે છે. આમ આ ઇચ્છાયેગી મેક્ષમાર્ગે આગળ વધતા જાય છે. આ મુસાફરી દરમ્યાન શાસ્રરૂપ ભોમીએ (guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માગ દેખા દેખતે તે શ્રદ્ધાપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે, અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતા જાય છે. આામ તે ભયાનક અટવી વટાવી જઈને સુંદર રાજમાગ પર–ધારી રસ્તા પર આાવી જાય છે. એટલે ાગળના મેાક્ષસ્થાન ભણીને રસ્તે ચાકખે ચાખા દીવા જેવા દેખાય છે. એટલે શાસ્રરૂપ સેમિની હવે ઠેઠ વળાવવા આવવાની જરૂર નહિ. હાવાથી તેને છેડીને, પણ તેની માત્ર દિગ્દર્શનરૂપ સામાન્ય સૂચનાને અનુસરીને તે સમ યાગી આત્મસામર્થ્યથી ચેગમાગે તીવ્ર સંવેગથી અત્યંત વેગથી ઝપાટાબંધ દોડથો જાય છે. પ્રાતિલ જ્ઞાનથીપ્રતિભાસ'પુન અનુભવજ્ઞાન દૃષ્ટિથી આગળ આગળને માગ ચાખા દીવા જેવા દેખતા તે ક્ષાર્યપથમિક ધર્માંને-ક્ષયાપશમ ભાવાને ફગાવી ઇ, ધર્માંસન્યાસ કરતા કરતા, અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપક શ્રેણી પર ચઢી, ૮-૯-૧૦-૧૨ ગુણુઠાણા ઝપાટાબંધ વટાવી ૧૩મા ગુઠાણું પહેાંચે છે, કેવલજ્ઞાન પામી સદ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તા માક્ષનગર સાક્ષાત્ દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યા છે! ત્યાં પછી તે થાડા વખત (આયુષ્પ પ્રમાણે) વિસામેા ખાય છે ને પેાતાને થયેલા જ્ઞાનના લાભ બીજાને-જગતને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આળ્યે, તે મન-વચન-કાયાના ચેાગાને નિશષ કરી-ત્યાગ કરી, ચેગસન્યાસ કરી મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી સાક્ષાત માક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંતા કાળ અનંત સમાધિમુખમાં શાશ્વત સ્થિતિ કરે છે. આઠે ચેાગદષ્ટિના સામાન્ય કથનના સાર મિત્રા, તારા, મલા, દીયા, સ્થિર, કાંતા, પ્રભા, પરા—એ ઉત્તરાત્તર વધતી આત્મદશાવાળી આઠ ચેાગષ્ટિ છે. તેમાં ઉત્તરાત્તર વધતા જતા એધપ્રકાશ, તૃણુઅગ્નિકણુ, Page #838 -------------------------------------------------------------------------- ________________ આઠ યોગદૃષ્ટિના સામાન્ય સાર (૭૬૨ ) ગેામયઅગ્નિકણ, કાષ્ઠઅગ્નિકણ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે, અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠ દૃષ્ટિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેાગના આઠે અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હાય છે ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુગ્ણ્ અને આસંગ એ આઠ પ્રકારના ચિત્ત-આશય દોષના ત્યાગ થતાં અનુક્રમે આ આઠ દૃષ્ટિ સાંપડે છે; અને
Page 525
અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, એધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ હૃષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે. (સ્પષ્ટ સમજવા માટે જુએ આ સાથે જોડેલું કાષ્ટક.) અત્રે દૃષ્ટિ' શબ્દનેા અર્થ સત્શાસ્રશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવા એષ છે; અને તેના ફળરૂપે અસત્પ્રવૃત્તિપદ અટકે છે, ને સત્પ્રવૃત્તિપદ પ્રગટે છે. આ આઠ ચેાગષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર સુધી મિથ્યાત્વ હાય છે, પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યક્ત્વના પ્રારંભ થાય છે. મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સષ્ટિમાં ગણી, તેનું કારણ એ છે કે તે સમ્યક્ત્વના કારણરૂપ થાય છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી–રસ-કાવા વગેરે અવસ્થાએ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાંસિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાએ આત્મદશાઓ અવશ્ય ઉપયેગી હાય છે. મિત્રા આદિ દૃષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માય ની-મીઠાશની નિષ્પત્તિ થાય છે. આ આઠ દૃષ્ટિમાં મિત્રા માદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી પાછી પડનારી કે અપ્રતિષ્ઠાતી–પાછી ન પડનારી હાય, એમ વિકલ્પરૂપ ભજના છે; પણ છેલ્લી ચાર સ્થિરા આદિ દૃષ્ટિ તે અપ્રતિપાતી જ હોય—આવ્યા પછી પાછી પડે જ નહિ, અને તેથી તેમાં નરકાદિ અપાય (હાનિ–માધા) પણ હેય નહિ. અને આવી અપ્રતિપાતી–પાછી નહિ પડતી દૃષ્ટિ સાંપડવા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ-ગમન અખંડ અભંગપણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કના ભેાગ બાકી હાય તેા ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસેા કરવા પડે તા ભલે, પણ છેવટે તા મુક્તિપુરે હાંચે જ, ‘સ્વરૂપ સ્વદેશ’ જાય જ. કટક યોગદૃષ્ટિ ૧ મિત્રા ૨. તારા ૩. લા ૪. દીગ્રા ૫. સ્થિરા કૈં. કાંતા ૭. પ્રભા ૮. પરા ચેમાંગ મમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ દોષત્યાગ ખેદ ઉદ્દેગ ક્ષેપ ઉત્થાન ભ્રાંતિ અન્યમુદ્ રુમ્ (રણ) આસગ ગુણપ્રાપ્તિ અદ્વેષ જિજ્ઞાસા શુભ્રષા શ્રવણ માધ મીમ’સા પ્રતિપત્તિ પ્રવૃત્તિ એષઉપમા તૃણુઅગ્નિકણ ગામયઅગ્નિકણુ કાઅગ્નિકણુ દીપપ્રભા રત્નપ્રસા તારાપ્રભા સૂર્ય પ્રભા ચંદ્રપ્રભા વિશેષતા મિથ્યાત્વ 39 ,, ,, સમ્યક્ત્વ ,, "P Page #839 -------------------------------------------------------------------------- ________________ ચિત્રાદષ્ટિ, તારાદૃષ્ટિ, અલાષ્ટિના સાર (૭૬૩) ૧. મિત્રાદષ્ટિના સાર આ પહેલી ‘મિત્રા’ ચેગદૃષ્ટિમાં દશન-મેધપ્રકાશ તૃણુઅગ્નિકણના પ્રકાશ જેવે મદ હાય છે, ચેગનું પ્રથમ અંંગ-યમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશયદોષને ત્યાગ હેાય છે, અને અદ્વેષ નામના પ્રથમ ગુણ પ્રગટે છે. અહીં' સ્થિતિ કરતા યાગી પુરુષ ઉત્તમ ચાગમીજોનું ગ્રહણ કરે છે,-જે યાગમીજ માક્ષ–ફળનું મધ્ય-અમેઘ કારણ થઈ પડે છે. મુખ્ય ચાગમીજ આ છે—(1) વીતરાગ પરમાત્માની શુદ્ધ ભક્તિ, (૨) ભાવયેાગી એવા ભાવાચાયૅ રૂપ આત્મારામી સદ્ગુરુની સેવા-ભક્તિ, (૩) સહજ ભવવૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રડનું પાલન, (૫) લેખનાદિ વડે સત્શાસ્ત્રની ભક્તિ, (૬) ચાગબીજ કથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, (૭) અને તેના શુદ્ધ ઉપાદેય ભાવ. આ ઉત્તમ યેાગખીજોનું ગ્રહણ ઘણા ભાવમલના ક્ષય થયે છેલ્લા પુદ્ગલાવત્તમાં તથાભવ્યતાના પરિપાકથી પ્રાયે મનુષ્યાને હોય છે. આ છેલ્લા પુદ્ગલાવમાં વત્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન્ પ્રત્યે અદ્વેષ, (૩) સ કાઈની અભેદભાવે ચથેાચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રભૂત્તિ મહાત્મા જીવને સદ્ગુરુ સત્પુરુષના યાગથકી ચગાવચક, ક્રિયાવંચક ને લાવચક પ્રાપ્ત થાય છે. આ અવંચકત્રયને ખાણુની લક્ષ્યક્રિયાની ઉપમા સાંગાપાંગ ખરાખર ઘટે છે. આ બધુ'ય જ્યાં પ્રાપ્ત થાય છે, એવી આ મિત્રાદૃષ્ટિમાં ‘ગુણુસ્થાન' શબ્દના ખરેખરા અથ પ્રમાણે, મુખ્ય એવું પહેલુ' ગુણસ્થાનક વર્તે છે. ૨. તારાષ્ટિના સાર બીજી તારાષ્ટિમાં દર્શન-મેધપ્રકાશ છાણાના અગ્નિકણુ સમાન હૈાય છે; યાગનુ ખીજું અંગ નિયમ ઉદ્વેગ નામના ખીજાં ચિત્તદોષના ત્યાગ અને જિજ્ઞાસા નામના ખીને ગુણ હોય છે. અત્રે શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણિધાન એ પાંચ પ્રકારના નિયમ હાય છે, તેનુ
Page 526
સવિસ્તર વર્ણન અહીં કર્યું છે. તે ઉપરાંત અત્રે આ ગુણસમૂહ પણ હાય છે—(૧) યાગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ સત્યેાગ સાધનારા ચેગીએ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિતાય, ક્ષુદ્રઉપદ્રવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણુ, અનુચિત અનાચણુ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણુહીનતાથી પાતા પ્રત્યે ખેદ–ત્રાસ. (૭) ભવવૈરાગ્ય–સ'સારથી છૂટવાની કામના. (૮) સત્પુરુષાની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચયૅ. (૯) ‘શિષ્ટ કહે તે પ્રમાણ' એવી ભાવના, સ્વચ્છંદ ત્યાગ. ૩. અલાદષ્ટિના સાર આ ત્રીજી અલાદષ્ટિમાં દર્શન દેઢ-કાષ્ઠ અગ્નિકણુ સમાન હેાય છે, અને યાગનું ત્રીજુ` અંગ આસન પ્રાપ્ત થાય છે; અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે, અવરાપૂર્ણાંક સત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સ્રવ કૃત્ય પ્રણિધાનયુક્ત હાય છે. Page #840 -------------------------------------------------------------------------- ________________ (૭૬૪) દોમાદષ્ટિને સાર શુશ્રુષા નામને ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ શુશ્રષા યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બેજલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કુ દવા જેવું–ફેગટ છે કદાચ શ્રવણ ન થાય તેપણ આ શુશ્રષાના પ્રભાવે શુભભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે,–જે ઉત્તમ બોધનું કારણ થાય છે. તેમજ ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહી ત્યાગ હોય છે એટલે મેંગસંબંધી અક્ષેપ હોય છે, અને તે ગઉપાયનું કૌશલ હોય છે. અત્રે યોગી ધર્મના ઉપકરણરૂપ સાધનમાં મૂચ્છના ધરાવી સાધનોને બંધને બનાવતો નથી, પણ સદા પાપથી ભાગતે રહી મહાદયવંત અવિરતને પામે છે. ૪. દીપ્રાદષ્ટિને સાર ચથી દીમા દષ્યિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોધપ્રકાશ હોય છે, વેગનું ચાથું અંગ પ્રાણાયામ (ભાવપ્રાણાયામ) પ્રાપ્ત થાય છે, ઉત્થાન નામના ચેથા ચિત્તદોષને નાશ તથા તવ શ્રવણ નામના ચેથા ગુણની પ્રાપ્તિ હોય છે. છતાં અત્રે હજુ સૂક્ષ્મ બોધ હેતું નથી. તેનું કારણ અત્રે શુદ્ધ આત્મસંવેદનરૂપ વેધસંવેદ્યપદનો અભાવ અને એથી વિપરીત અદ્યસંવેદ્યપદનું હોવાપણું એ છે. ભવાભિનંદી જેનું પાત્ર છે એવું આ અદ્યસંવેદ્યપદ અંધ૫ણારૂપ હોઈ દુર્ગતિમાં પાડનારૂં છે, અને તે સત્સંગ-આગમ યોગ વડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં છતાવા ગ્ય છે, અન્ય સમયે જતાવું અશક્ય છે અને આ અવેવસંવેદ્ય પદ છતાતાં મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. જે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે એવા આ દુષ્ટ કુતક માં મુમુક્ષુએ આગ્રહ કર યુક્ત નથી, પણ શ્રતમાં, શીલમાં, સમાધિમાં અને સુવિશુદ્ધ પરોપકારમાં તે કર યુક્ત છે, કારણ કે વિચારવંત જીવોનો પ્રયાસ તે અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગોચર હેતું નથી. સર્વજ્ઞતત્વ અતીન્દ્રિય છે, તે અંગે સામાન્યપણે વિચારતાં જણાય છે કે તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માનવે તે તેના અતિભક્તોને મોહ છે. કારણ કે સર્વજ્ઞ નામને જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ છતાં તનથી સર્વત્ર એક જ છે. તેથી તે સર્વને જે સામાન્યથી માન્ય કરે છે, તે સર્વે બુદ્ધિમાનને મન સમાન છે, એક રાજાના આશ્રિત બહુ સેવકેની જેમ એટલે આમ ઉપાસ્ય એવા સર્વજ્ઞતત્વને જે અભેદ છે, તે તેના ઉપાસક સર્વ સર્વજ્ઞવાદીમાં પણ ભેદ નથી. ચિત્ર અને અચિત્ર એમ બે પ્રકારની ભક્તિ યેગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, તે પરથી પણ આ સર્વજ્ઞની એકતાને પુષ્ટિ મળે છે. તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંષિ-આશય પ્રમાણે ભિન્ન ભિન્ન ફળ હોય છે, અને આ આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેઘના ભેદ પ્રમાણે Page #841 -------------------------------------------------------------------------- ________________ સ્થિસષ્ટિને સાર (૭૬૫) અનેક પ્રકારના ભેદવાળા હોય છે, કારણ કે ખેાધ ત્રણ પ્રકારના હોય છે :
Page 527
( ૧ ) બુદ્ધિ, (૨) જ્ઞાન (૩) અસમાહ. તે બેષ થકી સર્વ કર્માંમાં ભેદ પડે છે. તેમાં ઇંદ્રિયાના આશ્રય કરે તે બુદ્ધિ, આગમપૂર્વક હોય તે જ્ઞાન, અને સદનુષ્ઠાનયુક્ત જે જ્ઞાન તે અસમાહ બુદ્ધિક્રિયાનું ફળ સ`સાર, જ્ઞાનક્રિયાનું ફળ પરપરાએ મેાક્ષ અને અસમાહુ ક્રિયાનું ફળ શીઘ્ર માક્ષ છે. આ અસમાહ કમ ભવાતીત અગામી મુમુક્ષુઓને જ હેાય છે, અને ભવભાગવિરક્ત આ ખરેખરા મુમુક્ષુઓને માત્ર એક જ શમપરાયણ એવા છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાની જેમ એક જ છે. કારણ કે તે સંસારાતીત પર તત્ત્વ ‘નિર્વાણ' નામનું છે, તે સદાશિવ પરબ્રહ્મ સિદ્ધાત્મા આદિ શબ્દભેદે ઓળખાતુ છતાં તત્ત્વથી નિયમથી એક જ છે. એટલે આ નિર્વાણુતત્ત્વ અસંમેાહથી તત્ત્વથી જાણ્યે પ્રેક્ષાવાને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતા જ નથી. અને આ નિર્વાણુતત્ત્વ નિયમથી જ સ`જ્ઞપૂર્વક સ્થિત છે, એટલે તે સજ્ઞના ભેદ કેમ હાય અને તે ન હેાય તા તેના ભક્તોના ભેદ પણ કેમ હાય ? તા પછી સર્વજ્ઞાની દેશનાના ભેદ કેમ છે? તેનું સમાધાન—(૧) શિષ્યના અનુગ્રહાથે તે ચિત્ર-નાના પ્રકારની છે. (૨) અથવા એએની દેશના એક છ્તાં શ્રાતાભેદે તેના મચિન્ત્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે. (૩) અથવા તે તે દેશ-કાલાદિ અપેક્ષાએ ચિત્ર દેશના ઋષિએ થકી જ પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે તે સર્વજ્ઞના અભિપ્રાય જાણ્યા વિના તેના પ્રતિક્ષેપ-વિરોધ કરવા યુક્ત નથી. એટલે આવા સર્વજ્ઞ જેવા અતીન્દ્રિય વિષયમાં અધ જેવા છદ્મસ્થાએ શુષ્ક તર્ક-ગ્રહથી વાદવિવાદ કરવા યુક્ત નથી. મુમુક્ષુને તે તત્ત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું? માટે મુમુક્ષુએ તે આ મહત્ પુરુષોના માને સમ્યક્ષણે અનુસરવુ' ચેાગ્ય છે : (૧) સુક્ષ્મ પરપીડન પણુ વર્જવું, (૨) પાપકારમાં સદેવ યત્ન કરવા. (૩) ગુરુદેવ દ્વિજ-યતિ આદિને યથાયેાગ્યપણે પૂજવા, (૪) પાપી જીવા પ્રત્યે પણ દયાપરાયણ થવું. તાત્પર્યં કે જે આગ્રહનું વિષ વશે, તે જ સમ્યક્ત્ત્વ અમૃતને પામશે. ૫. સ્થિરાદષ્ટિના સાર આ પાંચમી સ્થિરા દષ્ટિમાં (૧) દન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હાય છે, ( ૨ ) પ્રત્યાહાર નામનું પાંચમું યાગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામના પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂક્ષ્મ બેલ નામના પાંચમા ગુણ સાંપડે છે. એટલે ગ્રંથિભેદ થકી શુદ્ધાત્માનુભૂતિરૂપ વેદ્યસ ંવેદ્યપદની પ્રાપ્તિથી મહ-તમસ્ દૂર થઇ ભેદજ્ઞાનનું પ્રભાત ખુલ્લે છે, સ્વ-પર વસ્તુના વિવેક ઉપજે છે, સમસ્ત શવચેષ્ટા માલકની ધૂલિગૃહક્રીડા જેવી, મૃગજલ સ્વપ્નાદિ જેવી અસાર ને અસ્થિર લાગે છે, સવ` બાહ્ય ભાવા મૃગજલ ને સ્વપ્નાદિ સમાન ભાસે છે, અબાહ્ય એવી કેવલ એક આત્મયૈતિ જ પ્રમાણ ગણી માકી બીજો બધા ઉપપ્લવ જાણું છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ (૭૬૬) કાન્તાદષ્ટિ, પ્રભાષ્ટિને સાર એમ વિવેકસંપન્ન ગી સદાય પ્રત્યાહાર કરી વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચે છે, પાપખારૂપ ભેગમાં આસક્તિ ધરતા નથી, ધર્મથી સાંપડતા ભેગને પણ અનિષ્ટ માને છે, અને વિષયવિષને દૂરથી ત્યજી આત્મસ્વરૂપ અમૃતને ભજે છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને સર્વ વિભૂતિઓ આ ગીની દાસી થઈ ફરે છે, સ્વયં આવીને યોગીને વરે છે, પણ આ સમ્યગ્દષ્ટિ યોગી તે સામે દૃષ્ટિ પણ કરતા નથી. જ્યાં આત્માની અનંત ત્રાદ્ધિ પ્રગટી છે. ત્યાં લબ્ધિ સિદ્ધિ શી વિસાતમાં છે? એમ જાણતા સમ્યગદષ્ટિ જ્ઞાની યોગી તત્વથી ધર્મમાં જ યત્ન કરી આત્મધર્મમાં સ્થિરતા ધરે છે. ૬. કાંતાદૃષ્ટિને સાર છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં દર્શન તારા પ્રભા સમાન હોય છે; ધારણ નામના છઠ્ઠા ગાંગની પ્રાપ્તિ, અન્યમુદ્ નામના છઠ્ઠા ચિત્તદોષનો ત્યાગ, અને મીમાંસા નામના છઠ્ઠા ગુણની પ્રાપ્તિ હોય છે. મ્યાનથી તલવારની જેમ
Page 528
દેહાદિથી આત્માને જેણે ભિન્ન જાણે છે, એ આ આત્મજ્ઞાતી સમ્યગદષ્ટિ યોગી આત્મસ્વરૂપમાં ધીર ધારણ ધારી પરભાવ-વિભાવમાં કદી મોહ ધરાવતા નથી, આત્મસ્વભાવમાં વર્તનારૂપ ધર્મમાં વર્તનથકી સમ્યફ આચારશુદ્ધિ પામે છે. ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્માનું મન, પતિવ્રતા સ્ત્રીની જેમ, સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે આમ મૃતધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે–આકષી રાખે છે એવા આ જ્ઞાનાક્ષેપકવંતને ભેગે પણ વહેતુ થતા નથી ! મોહમયી માયા મધ્યે પણ અહસ્વરૂપી તે દુષ્કરકારી, જલમાં કમલની જેમ, કદી પણ લેપાતા નથી! માયાજલ સમા ભોગને જે અહીં તેના સ્વરૂપથી દેખે છે, તે ભેગવતાં પણ અસંગ રહી પરમ પદ પ્રત્યે જાય જ છે; પણ ભેગને જે તત્ત્વરૂપ-સાચેસાચા માને છે, તે ભગતત્ત્વ પુરુષ તે ભવસમુદ્ર તરતું નથી. હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે એવી મીમાંસારૂપ પુષ્ટ તત્ત્વસુધાના રસપાનથી જે નિત્ય પુષ્ટ છે, એ આ દષ્ટિમાં સ્થિત ભેગી ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતઉદય સદાય પામે છે. ૭. પ્રભાષ્ટિનો સાર સાતમી પ્રભાષ્ટિનો બધપ્રકાશ સૂર્ય સમાન હોય છે અત્રે સાતમું ગાંગધ્યાન પ્રાપ્ત થાય છે, “રેગ' નામને સાતમા ચિત્તદોષ ટળે છે ને તવ પ્રતિપત્તિ નામનો સાતમો ગુણ પ્રગટે છે. સ્વ૫ર વસ્તુના ભેદજ્ઞાનથી જન્મેલું એવું પ્રશમરસથી સાર સાચું ધ્યાનસુખ અત્રે અનુભવી યોગી ચાખે છે; કારણ કે નિર્મલ બોધ કરીને આત્માનું શુકલ ધ્યાન આ મહાત્મા જ્ઞાનીને અહોનિશ વર્તે છે; એટલે પરવશ તે સઘળું દુઃખ ને નિજવશ તે સઘળું સુખ હોઈ, આ યોગી આત્મવશ એવું સાચું આત્મધ્યાન સુખ અનુભવે છે. Page #843 -------------------------------------------------------------------------- ________________ રાદદિને સાર (૭૬૭) જ્યાં પરપરિણતિને કાંઈ સંગ હેત નથી, પરસમયની જેમાં સ્વપ્ન પણ છાંયા પડતી નથી, સમય માત્ર પણ જેમાં વિભાવવૃત્તિ હોતી નથી, અને શુદ્ધ આત્મારૂપ સ્વસમયમાં જ સ્થિતિ હોય છે, એવી સત અસંગ પ્રવૃત્તિ જ્યાં વત્તે છે, એવું “અસંગાનુષ્ઠાન' સંજ્ઞાથી ઓળખાતું સત્પવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્યપદ પમાડનારું આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ, ધ્રુવભાગ-એમ અનેક નામે યોગીઓથી ગવાય છે. આને અત્ર સ્થિત યોગી શીધ્ર સાધે છે, તેથી આ પદ પમાડનારી આ દૃષ્ટિ જ ગવિદોને ઈષ્ટ છે. ૮. ૫રાદષ્ટિને સાર જ્યાં બે પ્રકાશ ચંદ્ર સમાન હોય છે, એવી આઠમી પરા દ્રષ્ટિમાં આઠમું યોગાંગ સમાધિ પ્રાપ્ત થાય છે, આઠમે આસંગ નામને ચિત્તદોષ નષ્ટ થાય છે, અને આઠમો પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે. એટલે સમાધિનિષ્ઠ એવી આ પરા દૃષ્ટિમાં જ્યાં સર્વ પરભાવ-વિભાવ સમાઈ જાય છે, આત્મા સદા શુદ્ધ સ્વભાવમાં સમાય છે, મન આત્મામાં સદાય વિલીન થાય છે, એવી પરમ સુખદાયી આત્મસમાધિ પ્રગટે છે; સર્વ પ્રદેશમાં ચંદનગંધન્યાયે આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી સહાત્મસ્વરૂપ આત્મપ્રવૃત્તિ થાય છે. આ પરમ યોગારૂઢ પુરુષ સર્વ આચારથી પર એ નિરાચાર પદવાળો હોય છે, એટલે આરૂઢને આરોહણના અભાવની જેમ એને કઈ આચાર પાળવાપણું રહેતું નથી. રત્નના નિયોગથી-વ્યાપારથી અહીં લેકમાં રત્નાવણિક જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મસંન્યાસના વિનિયોગથી–વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. અર્થાત્ સર્વ ક્ષાયોપથમિક ધને સંન્યાસ–ત્યાગ કરવારૂપ ધર્મસંન્યાસ યોગને પામેલે આ યોગીશ્વર અપૂર્વકરણે ક્ષપકશ્રેણી પર આરહી નિત્યેાદયી ને નિરાવરણ એવી કેવલશ્રી વરે છે. એટલે આકાશમાં ચંદ્ર જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી સ્થિત જ છે, કાંઈ સ્થાપિત કરવાનો નથી, તેમ આમચંદ્ર જે શુદ્ધ સ્વભાવ સ્થિત છે, તેનું મેઘપટલ જેવું જ્ઞાન આવરણ આમ ધર્મ સંન્યાસરૂપ વાયુના સપાટાથી વિખેરાઈ જતાં, તે શ્રીમાન્ ગીશ્વર પરમ કેવલજ્ઞાન પામી જ્ઞાનકેવલી’ કહાય છે. આમ જેના સર્વ દોષ સર્વથા ક્ષીણ વર્તે છે, અને જે સર્વ લબ્ધિફલના ભેગવનારા છે, એવા આ ખરેખરા શ્રીમદ્
Page 529
સર્વજ્ઞ મહામુનિ પરમ પરાર્થ–પરોપકાર કરીને પછી યોગના અંતને પામે છે; અર્થાત્ શૈલેશી અવસ્થામાં પરમ એવા “અયોગ યોગને પામીને આ ભગવાન સહજાન્મસ્વરૂપ સ્વામી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. મુક્ત તત્ત્વ મીમાંસાને સાર વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ-વ્યાધિમુક્ત મુક્ત આત્મા હોય છે. તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે, જન્મ-મૃત્યુ આદિ તેના Page #844 -------------------------------------------------------------------------- ________________ (768 ) મુક્ત તવ મીમાંસાને સાર–ઉપસંહારનો સાર વિકાર છે, તે વિચિત્ર પ્રકારનો મોહ ઉપજાવે છે અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. કર્મ જન્ય આ ભવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મમરણાદિ દેષ ટળવાથી તેને અદેષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. એટલે આત્માની સ્વરૂપ સત્તા જ-સ્વભાવ સ્થિતિ-સહજામસ્વરૂપ એ જ મોક્ષભાવ-મુક્તભાવ છે. રોગી, કે તેને અભાવ, કે તેનાથી બીજે તે રોગમુક્ત કરી સન્નીતિથી ઘટત નથી; તેમ જન્મરેગી, તેને અભાવ, કે તેનાથી બીજે તે મુક્ત તે પણ મુખ્યપણે મુખ્ય ઘટતું નથી. પણ જે પુરુષને વ્યાધિ ક્ષીણ થઈ ગયો છે, તે જેમ લેકમાં વ્યાધિમુક્ત સ્થિત છે; તેમ જે આત્માને જન્મવ્યાધિ ક્ષીણ થયો છે, તે જન્મરોગી તે જન્મરોગથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો છે. રોગના અભાવથી કાંઈ રોગીનો અભાવ થઈ જતો નથી, પણ તે તે રોગમુક્ત નીરોગીને જ સ્વસ્થ ભાવ છે; તેમ જન્મોગના અભાવથી કાંઈ આત્માને અભાવ થઈ જતો નથી, પણ તે તે નરગી આત્મસ્વરૂપ સ્વસ્થ આત્માને સ્વભાવભાવ આવિર્ભાવ છે, અને તે જ મુક્ત ભાવ છે. ઉપસંહારને સાર મહા યોગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી આર્ષદૃષ્ટા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથરૂપ ગામૃત લેવ્યું છે; બિન્દુમાં જાણે કૃતસિધુ ઉલ્લ હેય એમ તેનું પ્રત્યેક સૂત્ર ગંભીર આશયભર્યું છે, તેના દિગદર્શનાર્થે આ ભગવાનદાસે ઉલ્લાસથી તે ગ્રંથ પર લાંબું વિવેચન કર્યું છે, અને તેમાં પણ વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી તે ગ્રંથનું અને વિવેચનનું સારભૂત તાત્પર્ય દર્શાવતા આ કળશકાવ્યની નવરચના સ્વયં કરી છે. જે કુલગી અને પ્રવૃત્તચકગી–આત્માથી મુમુક્ષુ જોગીજનમાત્ર છે, તેઓને આ યોગશાસ્ત્ર ઉપકારી થઈ પડશે. આ કુલગી અને પ્રવૃત્તચક્ર યેગીનું લક્ષણ અત્ર સ્પષ્ટ વર્ણવ્યું છે. જે સંતનું સ્વરૂપ ઓળખી સંતને સેવે છે, તે સંત સંતકૃપાથી સંત ફલ પામે છે,–આવા મેગાવંચક, કિયાવંચક ને ફલાવંચક એ ત્રણ અવંચક યુગના વેગે ઓ યેગીઓનું જ અહીં યુગમાં ગ્યપણું-યોગ્ય પાત્રપણું છે, અને એ જ આ ગ્રંથના યોગ્ય અધિકારી છે. શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર ભાનુ-ખદ્યોત જેવું છે, ઈત્યાદિ રહસ્ય જે પ્રકાશે છે, એ આ ગ્રંથ અગ્ય જનને દેવે એગ્ય નથી, પણ ગ્ય જનને તે પરમ પ્રેમભાવે દેવ જ છે, કે જેથી જગતમાં પરમકૃત પ્રભાવ થાય અને શ્રેયવિનને વિરહ થાય.